Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ એની પત્નીને પૈસા મોકલ્યા અને તેના બાળકોની સંભાળ લીધી!” : આમ હિંસા, સમાન ન્યાય માટે ન છૂટકે થાય અને તેને ! બદલે માનવતાની ઉચ્ચ ભાવના વાત્સલ્ય વડે અપાય તે સમાજ તેમજ વ્યક્તિ બન્નેને ઉધ્ધાર થાય. - દંડી સ્વામીએ કહ્યું : “વાત્સલ્ય હોવા છતાં પિતા સામે પ્રહલ્લાદ થયો. ઉદ્દાલક સામે નચિકેતા થયો. ત્યાં મુખ્યભાવ તે વિશ્વવાત્સલ્યને જ હોય છે.” ગરીબ-તવંગરના ભેદમાં વાત્સલ્ય શી રીતે આવે? બળવંતભાઈએ પૂછ્યું : “સમાજમાં ગરીબ તવંગરના ભેદ હેય, ત્યાં લગી વાત્સલ્ય કેમ આવે? જ્યાં પરાણે પૂરું થાય નહીં તે “મા”નું વાત્સલ્ય તૂટે ત્યાં વિશ્વાત્સલ્ય કેમ આવે?” - દેવજીભાઈએ પિતાને નાનો ભાઈ લકવા સાથે જો છતાં મા એ ગરીબીમાં પણ પાર રાખી . કેવી સેવા કરી તેને ખ્યાલ આપે. ' તંગી અને મેંઘવારીમાં મહા મહેનતે પેટ ભરાતું હોય તો એ કુટુંબવાત્સલ્યની સંસ્કૃતિ હજુ માતાઓમાં અને ગામડાઓમાં છે, એનાં ઘણા દાખલાઓ મળી આવે તેમ છે. આજે પારકી સંસ્કૃતિના કારણે એ ભૂલતા જવાય છે. એથી જ સંસ્કૃતિના મુખ્ય અંગે જાળવી ફરીથી વસુધૈવ કુટુંબકમ” કરવું પડશે. આર્થિક સમાનતા આવે તો યે વિચવાત્સલ્યની જરૂર કદાચ આર્થિક સમાનતા આવી જાય તો એ બુદ્ધિ, શરીર વગેરેની કુદરતી વિષમતા તો રહેશે જ. એટલે વિષમતામાં પણ નાનામાં નાના માણસને ન્યાય અને વિકાસની તક મળે તેવું બળ સમાજમાં જાગવું જોઈએ અને તે વિશ્વ વાત્સલ્ય વડે જ જાગશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust