Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ પ્રમાણે તેમને સાધ્વીજીના ગુરુ (આચાર્ય) પાસે દીક્ષિત થવું પડ્યું. હરિભદ્રસૂરિ તો એ સાધ્વીને પોતાની ધર્મમાતા જ માનતા. તેમની દરેક વૃત્તિ (ટીકા) કે ભાષ્યના અંતે તેમણે “યાકિની મહારા–સૂતઃ” (યાકિની મહત્તરાના ધર્મપુત્ર) એમ લખ્યું. આમ જોઈ શકાય છે કે માતૃ-ઉપાસનાનું મહત્વ બધાએ સ્વીકાર્યું છે. એટલે વિશ્વવાત્સલ્યના બીજમંત્ર “aઝ મૈયા”ની આરાધના સારી પેઠે કરવાથી પ્રેયનું સતત સ્મરણ રહે છે અને જીવનને વિકાસ સધાય છે. ચર્ચા-વિચારણું નિર્ચીજ-વાત્સલ્ય શ્રી માટલિયાએ આજની ચર્ચા ઉઘાડતાં જણાવ્યું કે " મિયાની ઉપાસનામાંથી કાર્ય પ્રેરણું મળી. સર્વ પ્રથમ યોગક્ષેત્રની શરૂ કર્યું અને પછી તોફાની તો સાથે ઝઝૂમવાનું શરૂ થયું. આ બધી પ્રવૃત્તિઓમાં મને જે સુક્ષ્મભાવ મળે તેના ત્રણ ભાગ કરી શકાય : (1) વ્યવહારમાં વાત્સલ્યદષ્ટિ રાખવી (2) પરિચયમાં આવે તેના ઉપર વિશ્વાસ રાખ અને (3) સમાજને સલામતિની ખાતરી આપવી. દંડ, તાડન વ. હતું. માણસ દબાયો અને ચંપાયો જ સુધરે એવી સમાજ-માન્યતા હતી, અને આપણી જે માન્યતા હતી તેનામાં ઘણે ફરક હતો. ગામના લોકોને ગળે એ વાત ઊતરે તેમ ન હતી. તેમણે ચાર છોકરા રજૂ કરી કહ્યું : “આ છોકરાઓ ઉપર પ્રયોગ કરીને દેખાડે તે જાણુએ ? " હવે તો પ્રત્યક્ષ પરીક્ષા આવી. ત્યારે છોકરા ચાર પ્રકારના અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust