Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ એના પ્રવચનને અવળે અર્થ લઈ આવા સહજ વાત્સલ્ય ઉપર બ્રેિક મારી દે છે. કચ્છના એક ગામમાં એક બહેન અને એક ભાઈ એ (પતિ) પશુઓની સહેજ સેવા કરવા માંડેલી. ગામ પણ રાજી થયું અને પશુઓ માટે ચારો આપી જાય. એક શિક્ષક આવીને બધું જોઈ જાય. તે વખતે ઉપાશ્રયમાં જૈન સાધુ આવ્યા. તેમના વ્યાખ્યાનમાં પેલું કુટુંબ જાય. સાધુએ પિતાના પ્રવચનમાં કહ્યું: “જીવ માત્ર સરખા છે. સેવે છે પિતપોતાનાં કર્મથી સુખ દુઃખ પામે છે.” આવું સાંભળી અજ્ઞાનના કારણે અવળે અર્થ લઈ તે કુટુંબે સેવા મૂકી દીધી. તેથી પેલા શિક્ષક મહારાજ પાસે ગયા અને તેમણે પૂછ્યું: “આ કુટુંબે સેવા મૂકી તે બરાબર છે?” મુનિએ જવાબ ન આપ્યો. . છેવટે અમે મુનિશ્રીને બધી વાત કરી અને પેલા કુટુંબને પણ સમજાવ્યું : “એકેદ્રિય કરતાં બેઈદ્રિય અને એમ ઉપર આવતાં સંસી (ભનવાળાં) પંચેન્દ્રિય પશુઓનું મૂલ્ય વધારે છે. તેમને મરૂદેવી માતાના આગલા ભવને દાખલો પણ આપ્યો કે તેમણે પૂર્વભવમાં લક્ષપાક તેલ વ.થી સાધુઓનાં ઘામાંથી જીવડાં કાઢી સેવા કરેલી. તેથી વળી પાછું એ કુટુંબ સેવા કરવા લાગ્યું. અધુરૂં જ્ઞાન એટલે ઘર્મને હાનિ અજ્ઞાન અને અધૂરાં જ્ઞાનથી કેટલી હાનિ થાય છે અને ધર્મ વગોવાય છે તેને એક દાખલો તેમણે આપો :- એક છોકરો સોને ઉપલક રીતે વાંચી ગયે. પછી તેને શું થયું કે તે પોતાની માને કહેવા લાગે : “સંસારમાં કોઈ કોઈનું નથી. તારે અને મારે શું? આત્મા એકલો આવ્યા છે અને એકલો જ જવાનો છે.” માને દીકરાની આ વાત સાંભળીને થયું કે છોકરે હાથેથી ગ નું અથવા લાપતા આગલા ભવન P.P. Ac.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust