Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ જંગલો પસંદ કરેલા અથવા ગામડાં જેવામાં પિતાના આશ્રમે વસાવા હતા. અયોધ્યાની રાજગાદી ઉપર આવ્યાં છતાં ભરતે નંદીગ્રામ જઈ ત્યાં ઝૂંપડી બાંધી રહેવાનું પસંદ કરેલું. તેઓ ગામડાની સાથે અનુબંધ કરવા માગતા હતા. એ સાફ જણાઈ આવે છે. તેઓ શહેરેને ગ્રામ્ય સંસ્કૃતિના પિષક બનાવવા માગતા હતા. : : : : : : : " - આજે પણ તેની એટલી જ જરૂર છે. ગ્રામ્ય સંસ્કૃતિ જેનાં મૂળ સચ્ચાઈ–પ્રમાણિકતા, નીતિમત્તા વડે સીંચાયા છે તે જ જીવનને ખરો સંસ્કાર છે. તેવા સંસ્કાર આજના શહેરીજીવન માટે બહુ જંરૂરી છે જ્યાં ડગલે ને પગલે ખોટાઈ આડંબર, દંભ અને છળકપટનાં દર્શન થાય છે. ' ' . વિશ્વ વાત્સલ્યના સાધક માટે ગામડું તે સામાજિક ક્ષેત્રના એકમ રૂપે આમ આપોઆપ આવીને ઊભું રહે છે. પોતાનું વાત્સલ્ય ગામડાંમાં રેડી તેણે ગામડાંને ઉન્નત કરવાનું રહે છે. - * સામાજિક ક્ષેત્રથી આગળ વધતાં આર્થિક ક્ષેત્ર તરફ અવાય છે. એટલે હવે વિશ્વવાત્સલ્યનું આર્થિક એકમ કયું ? એ અંગે વિચાર કરવાનું છે. ભારત દેશમાં કદિ પણ કોઈ વાતને કેવળ આર્થિક દૃષ્ટિએ વિચારવામાં આવી નથી. અહીં અર્થ અને કામની પાછળ પણ ધર્મને અંકુશ રાખવામાં આવ્યો છે. એટલે ધર્મના અંકુશમાં રાખીને આર્થિક ક્ષેત્રનું એકમ વિચારતાં તો તે મજૂરવર્ગ અને મધ્યમવર્ગ રૂપે જ આગળ આવે છે. આ બન્ને વર્ગ આર્થિક નબળાઈના કારણે નીતિધર્મ ઉપર દઢ રહી શકતાં નથી. પરિણામે પાપી-પેટ માટે કેટલાં યે અનિ છનીય કર્મો અને પાપાચારનું તેમને સેવન કરવું પડે છે. ત્યાંથી તેમને ઊઠવાને કઈ રસ્તો જડતો નથી. પરિણામે તેઓ પણ પછાત અને દલિત વર્ગોરૂપે નજરે ચડે છે. આર્થિક ક્ષેત્રના આ એકમ તરફ વાત્સલ્ય વહેવડાવવું એટલે કે આ બન્ને વર્ગોને સંગઠિત કરવાં જોઈએ, બન્ને વર્ગો ન્યાયને રોટલો રળી શકે એ રીતે તેમનું નૈતિક સંગઠન થવું જોઈએ. *વિસંવાત્સલ્યનાં રાજકીય ક્ષેત્રનાં એકમે રૂપે તો કોઈ રાજવી નીય કર્મો અને નથી. પરિણામે આ નબળાઈન કરી