Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 105 દીકરાએ શુદ્ધિ પ્રયોગની વાત સાંભળેલી એટલે તે ઉપવાસ ઉપર ઊતર્યો. મા એથી વધારે ગુસ્સે થઈગામના લોકો માને ઠપકો આપવા લાગ્યા. મારી પાસે સાંજે પાંચ વાગે વાત આવી. બીજાઓ ત્યાં હતાં. હું પણ ત્યાં પહેઓ. * . વાત જાણવા માટે મેં બાઈને પૂછ્યું : “શું વાત છે?” બાઈએ કહ્યું : “છોકરાના બાપ ગુજરી ગયા ત્યારથી ઘરનું માંડમાંડ ચાલે છે. છોકરે અલગ રહે તે ખર્ચા પૂરાં પડતાં નથી. તે પરદેશ જાય તે મને ગમતું નથી. એટલે સૌ સાથે રહીએ એવી મારી ઇચ્છા છે.” હવે છોકરાની વહુને પૂછયું : “તને શું વાંધે છે?” એણે કહ્યું : “સાસુની પ્રકૃતિ સાથે મારે મેળ ન પડે?' આથી સાસુ અને વહુ બન્નેને સમજાવ્યા. વહુને કહ્યું “સાસુને ધ થાય તો યે સામું ન બોલવું! " સાસુને કહ્યું : " ટેવને લઈને બેલાઈ જાય તે દિલગીરી દર્શાવવી. આમ પ્રયને વડે તે કુટુંબને મેળ જામી ગયો. બીજુ ઘર ભાડે આપતાં કુટુંબની આવક પણ વધી; કારણ બે ઘર હતાં તે એક થતાં, બીજુ ઘર ખાલી પડયું હતું. જે આ રીતે કુટુંબ એકમને સાધવામાં આવે તો વિશ્વવાત્સલ્યની સાધના સરળ થાય. આ જ એક બીજો દાખલો આ પ્રમાણે છે - ભચાઉ ખેડૂત મંડળ સારું કામ કરે છે એ જાણીને લોકો કોર્ટ ન જતાં અમારી પાસે આવવા લાગ્યા. એકવાર બીજા ગામની એક ફરિયાદ આવી. તેમાં જેઠાણીના દીકરાની વહુ સાથે ઝઘડે થતાં; તેણે અને ગામમાં રહેતી તેની માએ બાઈને ખૂબ ભારી. ફરિયાદ આવતાં ગામના બે-ત્રણ પ્રતિષ્ઠિત માસુસોને લઈને હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust