Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 104 તે માટે કુટુંબપ્રથાનો નાશ કરવો. બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી આવે-જાય પણ ત્યાર બાદ સંબધે બધ. વૃદ્ધ મા-બાપ જાય વૃદ્ધાશ્રમમાં. આમાં માનવીને સ્વાભાવિક વાત્સલ્ય–અનુબંધ તૂટી જાય. એથી અમેરિકાએ (1) કુટુંબ (2) વિચાર સ્વાતંત્ર્ય (3) ખેરાક અને (4) ધર્મ એ ચારેય બાબતોમાં લોકોને સ્વતંત્ર રાખ્યા છે. તે એકંદરે ઠીક છે. જો કે ઈતિહાસ પ્રમાણે આર્યોની જ એક શાખા યુરોપ વ. દેશમાં ગઈ છે પણ ત્યાં કુટુંબ જીવન ખીલ્યું નથી. આ ભારત દેશમાં તે ખીલ્યું અને પરિણામે ગ્રામ્યજીવન પણ ઠીક ઠીક ખીલ્યું. નાંધારીઓને કામ, પિષણહીનને પિષણ, શિક્ષણ વિહીનને શિક્ષણું, વ્યક્તિને રક્ષણ વિ. બધું ગ્રામ સમાજમાં વ્યાપક બને છે. અહીં કુટુંબમાં મળેલી તાલીમ જ વ્યાપક બને છે. કુટુંબ વાત્સલ્યને તાંતણે જ ત્યાં પ્રેરક બળ બને છે અને વિકસે છે. ગ્રામ સમાજના એ રીતે વેપારી, ખેડૂત, વસવાયા, રોકીદાર, પંચ વગેરેના કારણે કુટુંબ ભાવના આવી. બધા એક કુટુંબના સભ્ય જેમ વર્તવા લાગ્યા. ગ્રામની સ્ત્રીની પવિત્રતા માટે સમગ્ર સમાજે આગ્રહ સેવ્ય. સહિયારી રોજી અને મહિયારૂ કાર્ય તેમજ સહિયારાં જીવન થયાં, સંબધે સ્નેહાળ બન્યાં. તેમ જ જ્યાં એવું નથી થયું ત્યાં વિશ્વ વાત્સલ્યની દષ્ટિએ ગ્રામ સમાજ જેવી સુસંસ્થાઓ ઊભી કરવી પડશે અને વિશ્વ સાથે તેમને સાંકળવા અનુબંધ વિચારને અપનાવવો પડશે. કટુંબ એકમ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ શ્રી દેવજીભાઈએ કુટુંબ એકમને ઉપકારી બનાવવા માટેનો એક દાખલો આ પ્રમાણે આ - , અમારા ભચાઉ ખેડૂત મંડળ પાસે ઘણીવાર ઘણા પ્રશ્નો આવે છે. એમાં એકવાર એક કુટુંબને પ્રશ્ન સામે આવ્યો. એક મા, દીકરે અને દીકરાની વહુ વચ્ચેનું ઘર્ષણ વધ્યું. Jun Gun Aaradhak Trust