Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 103 ", ": કુટુંબ જેમ કામને ડામવામાં મદદરૂપ છે તેમ અંગાર ભાવને પણ એ કેશમાં આણવામાં અકસીર છે. કદાચ સ્ત્રી અને પુરુષ એકલાં રહે તેને કુટુંબ ગણું શકાય તે બહિર્લક્ષી છે. તેનાં મૂલ્ય કે સાધને કર્તવ્યના ખેડાણમાં ઉપયોગી થતાં નથી. તેવું કુટુંબે ભાગ્યે જ વિધવાસભં મેં પોષક બને છે. એવું કુટુંબ પિતાનાં સંતાનને એકલપટું બનાવે છે. તેમનામાં એકલાં રહેવાની, ખાઈ પી લેવાની જે આદત પડે છે, તેના કારણે તેવાં સંતાને આગળ જતાં મા-બાપને પણ ધકકો દઈ એકલવાયાં બને છે. . કયારેક કુટુંબમાં ન રહેતાં ભાઈઓના બાળકોને તેમના મા-બાપ “કાકા આવા છે–કાકી આવાં છે.” એમ કહીને એક પ્રકારની રીસ અને ઝેર બાળકોમાં ભરે છે. આવું કુટુંબ સ્વાર્થ તેમજ ભોગ પ્રધાન ઈને વિશ્વાત્સલ્યને પિષક બનતું નથી. એવી જ રીતે સંયુક્ત કુટુંબની પવિત્ર જવાબદારીઓ જ્યાં અદા ન થતી હોય તો તે પણ દોષયુક્ત બને છે. જે કુટુંબના સભ્યોમાં રૂઢિચુસ્તતા હોય ત્યાં નાહક જીદના કારણે કુટુંબને વિકાસ રૂંધાય છે અને જ્યાં દાંડાઈ હેય છે ત્યાં કન્યા-કરાર, વરકરાર કે અન્યાયી તોની જીત થાય છે. પરિણામે કુટુંબમાં જે વાત્સલ્ય રહેવું જોઈએ તે ચાલ્યું જાય છે અને પિતાની જોહુકમી ને દાંડાઈના બળે જીતવાને તે અખાડો બની જાય છે. આ કારણે કુટુંબમાં જે છિન્ન-ભિન્નતા થાય છે, તે નુક્સાનજનક છે. આજે મેણાં ટોણાં મારવા, ખાનગીપણું રાખવું વ. કુટેવોના કારણે સંયુક્ત કુટુંબની પ્રથા ઉપર પ્રહાર થાય છે. પણ એ બધી ટેવોને સુધારવાથી જ જીવનકલ્યાણ થઈ શકે છે. વિવિધતામાં એકતા સાધવાની દષ્ટિએ કુટુંબ વિશ્વ વાત્સલ્યનું એકમ જરૂર છે. રાષ્ટ્રહિત માટે કુટુંબપ્રથાને નાશ યુરોપમાં, ખાસ કરીને રશિયા અને પૂર્વ જર્મનીથી એ કાર્યક્રમ શરૂ થયો છે કે માનવી મમતાવાળે ન થાય પણ રાષ્ટ્રહિતેચ્છુ બને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust