Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 101 જે બુદ્ધિ, બળ અને વિચારશક્તિ મળ્યાં છે તેનો ઉપયોગ તેણે બીજા પ્રાણીઓને વધારેમાં વધારે સંરક્ષણ, જીવન સંવર્ધન અને અભયપદાન કરવામાં કરવાને છે. આમ આખા વિશ્વ પ્રતિ વાત્સલ્ય વહેવાડી શકે તેનું રેગ્ય પાત્ર અને અધિકારી કેવળ માનવ આવે છે. એટલે તેને આધ્યાત્મિક ક્ષેત્રમાં વિશ્વવાસય વહેવડાવવાના એકમ તરીકે લેવામાં આવ્યો છે. ઉપર જે જે એક અગે વિચાર કરવામાં આવ્યો છે, તેના ઉપર પૂરે વિચાર કરી; તે તે એકમો મારફતે તેમનાથી સંબંધિત ક્ષેત્રોમાં વાત્સલ્ય વહેવડાવવાનું કાર્ય સાધકનું છે. તે કાર્ય એ રીતે ઉપાડી લે તે વિશ્વ વાત્સલ્ય સિદ્ધ થવામાં સરળતા રહેશે અને વાર નહીં લાગે. ચર્ચા-વિચારણું પ્રત્યક્ષ અને પરોક્ષ વિશ્વ વાત્સલ્યનાં એક શ્રા માટલિયાએ વિશ્વવાત્સલ્યનાં એકમો ઉપર ચર્ચા શરૂ કરતાં કહ્યું - વિશ્વવાત્સલ્યના પ્રત્યક્ષ એકમે ત્રણ ગણી શકાય :-(1) કુટુંબ (2) ગ્રામ (3) નગર (મુંબઈ જેવા મોટાં શહેર નહીં) બાકીનાં બે એકમો પરાક્ષ છે તે (1) દેશ અને (2) વિશ્વ. હવાને અનંત ઉપકાર છતાં યાદ ન રહે કારણ કે તે સ્વાભાવિક છે. એવું જ સ્વાભાવિક કુટુંબ જીવન માટે આ દેશમાં છે. એક કુટુંબ સમાજ જીવનમાં શું શું કરે છે, તેને કોઈ ગણવા બેસતું નથી. તે છતાં તેના જે ઉપકાર છે તે અમૂલ્ય છે. કુટુંબને ફાળે - એક કુટુંબમાં ઘણાં ભાઈ અને બહેને સ્ત્રી અને પુરુષે રહે છે. જેમકે દીયર, ભેજાઈ. જેઠ, નાનાભાઈની વહુ, સસરે, સાસુ, વહુ તે છતાં અપવાદ સિવાય નવાઈની વાત છે કે આખું કુટુંબ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust