Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ આધકાર એટલે વિશ્વ બીજુ કોઈ નથી આખા વિશ્વના જીવાત્માઓમાં કેવળ માનવને જ મોક્ષને આંધકારી માનવામાં આવ્યો છે. માનવ વડે જ, વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ એટલે વિશ્વ સુધી વાત્સલ્યનો સંચાર થઈ શકે. માનવ પ્રાણી જેટલું સંવેદનશીલ છે તેટલું બીજું કોઈ નથી. એ વાત્સલ્યરસની અનુભૂતિ ઝીલી શકે છે તેમ જ તેની પ્રત્યાનુભૂતિ બીજા ઉપર પાડી શકે છે. જ્યાં સુધી વિશ્વવાત્સલ્યનું આધ્યાત્મિક એકમ સર્વ પ્રથમ પોતે જ ઉત્કટ વાત્સલ્ય રસમાં ન ભીંજાય. તે એવું ઉત્કટ વાત્સલ્ય બીજા પ્રતિ ન વહેવડાવી શકે. એ માટે માનવ જ શ્રેષ્ઠ એકમ છે. એકવાર જેણે વિશ્વવાત્સલ્યને સિદ્ધાંત સારી પેઠે જાયે; તેણે સમસ્ત જીવ-સૃષ્ટિ પ્રતિ–પશુપંખી, કીટપતંગ, તેમજ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વગેરે જીવસૃષ્ટિ પ્રતિ સ્વયંભૂ વાત્સલ્ય વહેવડાવ્યું છે. પછી તેના માટે ધર્મ, જાતિ કે પ્રદેશના બંધને રહેતાં નથી એટલું જ નહીં. તેના વાત્સલ્ય માટે કેવળ માનવસમાજ એવું પણ બંધન ટકતું નથી; તે તે સમસ્ત સમષ્ટિ અને તેની જીવસૃષ્ટિ પ્રતિ સમાનભાવે વહે છે. માનવ આવું વિશ્વવાત્સલ્ય સાધી શકે છે એટલે જ તેને આધ્યાત્મિક ક્ષેત્રના એકમ તરીકે સ્વીકારી શકાય છે. આજે પણ એવા અનેક દાખલાઓ મળી આવે છે કે જેમણે જીવનમાં વિશ્વ વાત્સલ્ય સાધ્યું છે એવા યોગીઓ પાસે હિંસક પશુઓ-વાઘ-સિંહ વગેરે શાંતિથી બેસે છે. એટલું જ નહીં પરસ્પરના વેરી અને કર પ્રાણીઓ સાપ–ળિયો, સિંહ-બકરી પણું સમાનભાવે શાંત બેસે છે. તેઓ પરસ્પરના વેરને વિસરાવી દે છે. એટલેજ યોગદર્શનમાં કહ્યું છે - દ્ધિા–પ્રતિષ્ઠા, સન્ન રસ્યા: >> અહિંસાની સંપૂર્ણ પ્રતિષ્ઠા થઈ જતાં, ત્યાં આગળ બધા છે પરસ્પરને વેરભાવ છોડી દે છે. ગીતામાં વિરાટનું દર્શન માનવ મુખમાં બતાવવામાં આવેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust