SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ આધકાર એટલે વિશ્વ બીજુ કોઈ નથી આખા વિશ્વના જીવાત્માઓમાં કેવળ માનવને જ મોક્ષને આંધકારી માનવામાં આવ્યો છે. માનવ વડે જ, વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ એટલે વિશ્વ સુધી વાત્સલ્યનો સંચાર થઈ શકે. માનવ પ્રાણી જેટલું સંવેદનશીલ છે તેટલું બીજું કોઈ નથી. એ વાત્સલ્યરસની અનુભૂતિ ઝીલી શકે છે તેમ જ તેની પ્રત્યાનુભૂતિ બીજા ઉપર પાડી શકે છે. જ્યાં સુધી વિશ્વવાત્સલ્યનું આધ્યાત્મિક એકમ સર્વ પ્રથમ પોતે જ ઉત્કટ વાત્સલ્ય રસમાં ન ભીંજાય. તે એવું ઉત્કટ વાત્સલ્ય બીજા પ્રતિ ન વહેવડાવી શકે. એ માટે માનવ જ શ્રેષ્ઠ એકમ છે. એકવાર જેણે વિશ્વવાત્સલ્યને સિદ્ધાંત સારી પેઠે જાયે; તેણે સમસ્ત જીવ-સૃષ્ટિ પ્રતિ–પશુપંખી, કીટપતંગ, તેમજ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વગેરે જીવસૃષ્ટિ પ્રતિ સ્વયંભૂ વાત્સલ્ય વહેવડાવ્યું છે. પછી તેના માટે ધર્મ, જાતિ કે પ્રદેશના બંધને રહેતાં નથી એટલું જ નહીં. તેના વાત્સલ્ય માટે કેવળ માનવસમાજ એવું પણ બંધન ટકતું નથી; તે તે સમસ્ત સમષ્ટિ અને તેની જીવસૃષ્ટિ પ્રતિ સમાનભાવે વહે છે. માનવ આવું વિશ્વવાત્સલ્ય સાધી શકે છે એટલે જ તેને આધ્યાત્મિક ક્ષેત્રના એકમ તરીકે સ્વીકારી શકાય છે. આજે પણ એવા અનેક દાખલાઓ મળી આવે છે કે જેમણે જીવનમાં વિશ્વ વાત્સલ્ય સાધ્યું છે એવા યોગીઓ પાસે હિંસક પશુઓ-વાઘ-સિંહ વગેરે શાંતિથી બેસે છે. એટલું જ નહીં પરસ્પરના વેરી અને કર પ્રાણીઓ સાપ–ળિયો, સિંહ-બકરી પણું સમાનભાવે શાંત બેસે છે. તેઓ પરસ્પરના વેરને વિસરાવી દે છે. એટલેજ યોગદર્શનમાં કહ્યું છે - દ્ધિા–પ્રતિષ્ઠા, સન્ન રસ્યા: >> અહિંસાની સંપૂર્ણ પ્રતિષ્ઠા થઈ જતાં, ત્યાં આગળ બધા છે પરસ્પરને વેરભાવ છોડી દે છે. ગીતામાં વિરાટનું દર્શન માનવ મુખમાં બતાવવામાં આવેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy