________________ - 100 મહાભારતમાં “માનવથી કોઈ મહાન નથી !" એવું સનાતન સત્ય ઉચ્ચારવામાં આવ્યું છે. જેનેએ ત્રણલકની કલ્પના જે ચૌદ રાજુ પ્રમાણમાં કરી છે તેની આકૃતિમાં માનવ–આકાર બતાવવામાં આવેલ છે. એની પાછળનું રહસ્ય એ જ છે કે કેવળ મનુષ્ય એટલી અને એવી આધ્યાત્મિક શક્તિ ધરાવનારે છે કે તે પોતાની અંદર આખાં વિરાટ વિશ્વને સમાવી શકે છે. તે એટલી સિદ્ધિને સાધી શકે છે. બધા ધર્મશાસ્ત્રોએ એટલા માટે જ એક સ્વરે મનુષ્ય જન્મને દુર્લભ બતાવ્યો છે. - જેનોએ ચાર પરમ અંગની દુર્લભ પ્રાપ્તિમાં પહેલાં અંગ તરીકે મનુષ્યભવને બતાવેલ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં યુફ્ટ માથુ મ” મનુષ્ય જન્મ ખરેખર દુર્લભ છે એમ કહ્યું છે. બૌદ્ધધમેં પણ માનવ જન્મને દુર્લભ બતાવ્યો છે. હિંદુઓમાં પણ. बडेभाग मानव तन पावा। सुरदुर्लभ ग्रन्थकोटिन्ह गावा // –તુલસીદાસજીએ રામાયણમાં ઉપરની પંક્તિઓ કહી છે કે મહાપુણ્ય મનુષ્યનું શરીર મળે છે જે દેવોને પણ દુર્લભ છે અને જેનો. મહિમા કોટિ કોટિ ગ્રંથોએ ગાયો છે. ઈસાઈ ધર્મમાં પણ એક વાત $8917 : " Human body is the tempel of god. ". મનુષ્યનું શરીર ઈશ્વરનું મંદિર છે. કારણકે ઈશ્વર સુધી આ મંદિર વડેજ પહોંચી શકાય છે. ' આને અર્થ રખે કોઈ એમ કરે કે બધા મનુષ્યો વિશ્વાત્સલ્યની પૂર્ણ સાધના કરી લે છે. માનવને તેને અધિકારી જરૂર માનવામાં આવ્યું છે પણ અધિકારથી વિરૂદ્ધ કામ કરે તો તે “ધિકારી” ધિક્કારને પાત્ર પણ બની જાય છે. તેને સર્વોચ્ચ બતાવીને તેના ઉપર પ્રાણિ-વાત્સલ્યની સંપૂર્ણ જવાબદારી નાખવામાં આવી છે. એ તેને બજાવવાની છે. તેણે એમ ન સમજવું જોઈએ કે હું તો સહુ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છું. માટે મને બધાં અનિષ્ટો કરવાને હક્ક છે. તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust