Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ સારું થયું કે એકત્તાની સાધુજી ત્યાં હતા. માએ તેમને બધી વાત કરી. તેમણે છોકરાને લઈ આવવા કહ્યું. ' * છોકરો આવતાં તેમણે સમજાવ્યું કે “જે આ ભગવતી સૂત્રમાં અધિકાર છે કે માના તરફથી ત્રણ અંગો–મહત્વનાં (1) માથું (2) હૃદય અને (3) નસ મળે છે. તેના બદલે ચૂકવ્યા વગર આગળ વધાય શી રીતે ? ઠાણાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે “ચામડી ઉતરડી દિવા છતાં મા-બાપનું ઋણ વાળી શકાતું નથી.” આ બધું સાંભળી પેલા છોકરાને સાચું જ્ઞાન થઈ ગયું. તેની માને સંતોષ થયો. પણ, આવા સાચાં જ્ઞાની ગુરુઓને તોટ પડી ગયો છે. . . : : " આસક્તિના કારણે મુક્તિના બદલે સ્વર્ગ ; માટલિયાએ પૂછયું. સાંભળ્યું છે કે તપ કરતાં ધનાએ કુટુંબ સામે ન જોયું અને શાલિભદ્ર માતા સામું જોયું એટલે તેને મેક્ષ ન મળતાં સ્વર્ગ જ મળ્યું. તે શું માતા તરફ જોવા માત્રથી આમ થઈ જાય છે . . . , : તેને જવાબ આપવામાં આવ્યું “માત્ર જેવાથી નહીં પણ તપમાં આસક્તિ ભળે તો કર્મનિર્જરા થવાને બદલે શુભકર્મો બંધાય અને , સ્વર્ગ મળે. મેક્ષ ન મળે; એટલું જ તાત્પર્ય છે. જૈન આગામો પ્રમાણે જૈન, વાવડી બનાવવાના કારણે નંદન મણિયાર દેડક ન થયે પણ વાવડીની આસક્તિના કારણે થયો અને વૈદિક ગ્રંથો પ્રમાણે ભરતરાજા હરણને બચાવવાથી નહીં પણ તેના ઉપર મૂછ થતાં મૃગનિમાં જન્મ્યા; તે પ્રમાણે જાણવું જોઈએ.” શહેરીઓ અને સાંકડું વાત્સલ્ય બળવંતભાઈએ કહ્યું: “આજે શહેરીઓનું વાત્સલ્ય સિનેમા ઉપર પથરાયું છે. પ્રેમ શબ્દ વિકૃત રૂપ ધારણ કર્યું છે. પ્રેરણા માટેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust