Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 3 ટાઈપિંડમાં બીમાર હતો. મારા મિત્રો મને બીજા વર્ગના ડબામાં બેસાડી અમદાવાદ લઈ જતા હતા. તે ડબ્બામાં એક યુરોપિયન ખ્રિસ્તી દંપતિ પણ મુસાફરી કરતા હતા, તેમણે અમદાવાદ લગી મારી ખૂબજ સેવા-સુશ્રુષા કરી. અમે છૂટા પડ્યા ત્યારે વિદાય વેળાએ ઈપિતાલમાં જતાં પહેલાં જે શિખામણ આપી છે તે મને હજુયે યાદ છે. તેમાં તેમને કશો સ્વાર્થ ન હતો. માત્ર નિર્યાજ સેવાજ ગણી શકાય. - બીજો દાખલો આપતાં તેમણે જૈણાવ્યું કે : અમારા એક મિત્ર હાલોલ તાલુકામાં રહે. એક ભગી તેના ગામમાં બીમાર પડ્યો. તે ભંગી ભાઈની પત્ની-ભંગી બહેન બહેરી હતી. આ વાતની જાણ થતાં એ મિત્ર એમને ઘેર ગયા. ઝૂંપડામાં જતાં જોયું કે ભંગી ઉપર ઢાંકેલું ગાડું વરસાદથી પલળી ગયેલું. ઝૂંપડું આખું ચૂયા કરે. આ મિત્રે ઘેરથી લાકડાં મંગાવ્યા. પેલા બીમાર ભંગીને તેમણે પિટીસેક કર્યો. છાપરાં ઉપર કંતાન–પતરાં વ. નખાવ્યાં.. ચાર કલાક સુધી ત્યાં રહીને સેવા કરી, એમ ૫દર દિવસ સુધી સેવા કરી. સૌને વિરોધ થયો. ઘરમાં પણ વિરોધ જાગ્યો. પણ તેમણે સ્વપત્નીને સમજાવ્યું: “સાચી સેવા તે આજ છે !" . . પિલા મિત્રને કોઈ સ્વાર્થ ન હતા. પણ જ્યારે વાત્સલ્ય જાગે ત્યારે આમ સહજ રીતે જાણે છે. મને તો લાગે છે કે ખોડા ઢેરની પાંજરાપોળ પણ મૂળે આવા જ વાત્સલ્યભાવથી પ્રેરાઈને જ શરૂ થઈ હશે. . : - ખંભાતમાં એક શકરીબહેન ઢેરની સેવા કરે. તેઓ ખાસ, પરૂ, જીવડાં કાઢીને ઢેરનું ધ્યાન રાખે એમને એમાં સૂગ જ ન ચડે. તેઓ કહે: માણસને દુઃખ થાય તો વાચા છે, આમને ક્યાં છે ? તેઓ પિતાનું દુઃખ કોને જઈને કહેશે!” . . . . . અજ્ઞાન વડે પશુ સેવાઓમાં અવરોધ * રવજીભાઈએ કહ્યું કે કેટલીકવાર ઓછું જાણનાર લેક સાધુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust