Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ ગયા અને પોતાને ઉદ્ધાર ન કરી શકયા તું પણ મોહમાયામાં ફસાયે છે. અને તારું જીવન પણ એળે ગયું તો મારું માતૃત્વ લાજશે. : : ગોપીચંદ રાજા કહેઃ તો મા મારે કરવું જોઈએ?' ' - મેનાવતીએ કહ્યું “તને કહ્યું તે પ્રમાણે કર : ' , " જે નાથ સારુંધા ચો, બ્રહ્માનંત્ર રસ મોf : - ર લેવાં નિતારા, મેનાવતી વવા કવાર . * . ; ગોપીચંદ્ર વિયા . ... “હે પ્યારા પુત્ર ગોપીચંદ, તું સાંભળ! જાલંધર નામના યોગી. છે જે આત્માના આનંદના રસને પીનારા છે. તેમની સેવા કરી છે પણ તારૂં તેમજ વિશ્વનું કલ્યાણ કર એમ. મેનાવતી કહે છે” કહેવાને અર્થ એ છે કે માતાએ પુત્રને સલાહ આપી કે કુટુંબ વાત્સલ્ય કરતાં - વિશ્વ વાત્સલ્ય ઓર જ છે. તેને તું સ્વીકાર અને વિશ્વને તારું કુટુંબ માન. છે. ગોપીચંદ રાજાએ કુટુંબ અને રાજ્યનો મોહ છોડ્યો. તેણે. વિશ્વવસલ્યનો માર્ગ સ્વીકાર્યો અને આખા વિશ્વના પ્રાણીઓમાં “એક બ્રહ્મ "વની અનુભૂતિને આનંદ માણવા લાગ્યા. આમ જોઈએ તે વિશ્વવાત્સલ્યને પ્રેરનારું પહેલું એકમ ઘર છે. માતા એ વાત્સલ્ય પ્રેરણાની માધ્યમ છે. માણસ ગમે ત્યાં જાય તે તેને ઘર યાદ આવે જ છે. તે પોતાનું વાત્સલ્ય ઘરને આપે છે. તેને વાત્સલ્ય પણ ઘરમાંથી મળે છે. આવી વાત્સલ્ય પ્રેમી વ્યક્તિ જ્યારે ઘરબહાર જાય છે ત્યારે ત્યાંની–પરદેશની અમૂક વ્યક્તિઓને તે વાત્સલ્યભાવે પિતાની માને છે અને ત્યાં પોતાનું વાત્સલ્ય રેડે છે. તેને, પારકાં છોકરાંઓ પોતાનાં લાગે છે. એક પ્રકારનું મમત્વ તે બાંધતો જાય. છે. આ બધું વાત્સલ્યના કારણે જ સંભવે છે. . . રવીન્દ્રનાથ ટેગરની વાર્તા “કાબુલીવાલામાં એક સરહદ નિવાસી પઠાણ અને એક બંગાળી કન્યા વચ્ચે વાત્સલ્યને તંતુ, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust