Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ دق ઉપાસનામાં જાતે માતૃસ્વરૂપ બની માતૃ ઉપાસના કરવાની હોય છે. દેવો ભૂવા દેવં જેતુ એ પ્રમાણે જાતે માતૃસ્વરૂપ બની, માતૃગુણે (વિશ્વ વાત્સલ્યવ) પોતાનામાં ' ધારણ કરીને માતૃ ઉપાસના કરવી એ વિશિષ્ટ ઉપાસના પદ્ધતિ છે. સાથે સાથે પૂ. મહારાજશ્રી સંતબાલજી એ >> મૈયાને જીવન અને જગતની મહાનિયમા અવ્યક્ત શકિત પણ માની છે; જે અવ્યકતરૂપે. - સંકટ પ્રસંગે પણ પ્રેરક અને સાધનામાં સહાયક બને છે. માતૃસ્વરૂપ બનીને માત-ઉપાસનામાં માતૃજાતિ પ્રત્યે આદરભાવ હોવાથી બ્રહ્મચર્યની સાધના સહજ બને છે અને માતૃજાતિને સાચો ન્યાય આપવામાં છે મૈયા સહાયક નીવડે છે. આ ઉપરાંત પણ આપણા દેશમાં શક્તિની ઉપાસના જગદંબાની ઉપાસના તરીકે થાય છે. દુર્ગા, ભવાની, ચંડી વગેરે તેનાં જ અમરનામે છે. આ ઉપાસના પાછળ શકિતઓ પ્રગટાવવાનો હેતુ હોય છે. પણ તેને સિદ્ધ કરવા માટે દારૂ અને માંસને ભોગ આપવાની જે કર પદ્ધતિ ઘણા સ્થળે નજરે ચડે છે તે વિકૃત છે; નિરર્થક છે અને કોઈપણ ભોગે ઈચ્છનીય નથી. . શકિ કરવા માટે જણ જૈન ધર્મે તે સ્ત્રીઓને જ્ઞાન અને મુક્તિના અધિકાર આપી માતૃ–ઉપાસના યા બીજી રીતે કરી છે. હરિભદ્રસૂરિ ગૃહસ્થ જીવનમાં પુરોહિત હતા અને ચિત્તોડ પાસેના ગામમાં રહેતા હતા. તેમને ખૂબ અભિમાન હતું પિતાની વિદ્વતા ઉપર. તેમણે એવો સંકલ્પ કર્યો હતો કે મને ન આવડે એવા લોકનો અર્થ જે મને સમજાવે તેનો હું શિષ્ય બની જાઉં. એકવાર તેઓ ઉપાશ્રય પાસેથી. જતા હતા કે એક જૈન સાધ્વીજી જેમનું નામ “યાકિની મહત્તરા” હતું, તેઓ એક ગાથા બોલી રહ્યા હતા. તે ગાથાને અર્થે ખૂબ ચિંતન મનન કરવા છતાંયે ન જડો. એટલે તેઓ સાધ્વીજી પાસે ગયા. તેમણે પૂછયું અને સાધ્વીજીએ અર્થ બતાવ્યો. પોતાના સંક૯પ પ્રમાણે હરિભદ્રસૂરિ તેમના શિષ્ય બનવા તૈયાર થયા. પણ જૈન પ્રણાલિકા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust