Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ - સર્વપ્રથમ " " શબ્દને જોઈએ. " " શબ્દ એક અથવા બીજી રીતે બધા ધર્મોમાં છે. જૈન ધર્મમાં "" શબ્દ પંચ-પરમેષ્ઠિને સમાવેશ આ પ્રમાણે સૂચવે છે:–અ (સિદ્ધ) + અ (અરિહંત) + આ (આચાર્ય) + ઉ (ઉપાધ્યાય + મ (મુનિ સાધુ) = આમ 3 થાય છે. વદિક ધર્મમાં ગુણપૂજાના સ્થળ પ્રતીકે રાખવામાં આવતા હોવાથી " " શબ્દથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવો અર્થ થાય છે. બ્રહ્મા એટલે જગતના ઉત્પતિ કર્તા, વિષ્ણુ એટલે જગતના પાલક રક્ષણ કર્તા અને મહેશને જગતના વિનાશક–સંહાર કર્તા માનવામાં આવ્યા છે. જૈન દર્શન ગુણ-પૂજામાં માનતું હોવાથી એણે ઉત્પાદ, ધ્રૌવ્ય અને વ્યય ધર્મ, વિશ્વના દરેક પદાર્થમાં છે. તેને માન્યતા આપી છે. “૩ાનેવા ધુરૂવા વિરામેવાએ ત્રિપદીમાં જૈનદર્શને તેને સમાવેશ કર્યો છે. એને યોગદર્શનમાં ઉદિત, શાંત અને વ્યપદેશ કહેવામાં આવે છે. પુરાણમાં “3”માં જ 3 નો અંક છે તેને ત્રિલોક-ઊર્વલોક, મધ્યલોક, અધેલોક–એમ ત્રણલોક રૂપે માનવામાં આવેલ છે. એવી જ રીતે ઈસ્લામ ધર્મમાં 3 ને બદલે આમિન શબ્દ પ્રયોગ જોવામાં આવે છે. તેજ ખ્રિસ્ત ધર્મમાં Omni (ઑમ્ની) શબ્દ રૂપે આવે છે જેને અર્થ પૂર્ણ થાય છે. આમ " ને કોઈપણ પ્રકારની પરિપૂર્ણતા માટે પ્રયોગ કરવામાં આવે છે. વિશ્વ વાત્સલ્યના બીજમંત્ર રૂપે >> માં, વ્યક્તિ, સમાજ અને સમષ્ટિનાં અખંડ સ્વરૂપ સમાન વિશ્વને લેવામાં આવેલ છે. એવી જ રીતે »ને પ્રયોગ ઈશ્વરના અર્થમાં છે. ત્યારે ઈશ્વરના પ્રતિક રૂપે સત્યને >> શબ્દ વડે લઈ શકાય છે. હવે “ઐયા” શબ્દના જે જુદા જુદા અર્થે થાય છે તે જોઈએ. મૈયા એટલે માતા. આ તો સામાન્ય, સરળ અને સીધો અર્થ છે. જૈનધર્મમાં ગુણ-પૂજા મુખ્યત્વે હેઈને, તે દષ્ટિએ માતાને અર્થ પ્રવચન માતા” લેવામાં કોઈ બાધ નહીં આવે. જૈન સાધકને પ્રવૃત્ત અને નિવૃત્ત બન્નેમાં સારી પેઠે વિવેક રાખવાની વાત બતાવવામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust