Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 50 પણ જ્યાં જ્યાં અનિષ્ટ, દેષ કે વિકારે જુએ ત્યાં અનાસક્ત રહી તૈનાથી નિવૃત્ત પણ રહે છે. તે છે વાત્સલ્યમાં “હકાર” અને “નિકાર” બને આવે છે. આજે માત્ર નકારથી એટલે કે છેટા રહેવાથી કામ ચાલે એમ નથી. “હકાર " પણ જરૂરી છે. એટલા માટે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે :" . "gra વિસરું સુજ્ઞા, જો ચ gવત્તા , , , , અલંકને નિયત્તિ સંજે 4 પત્તdi in , . * એટલે કે જીવનમાં એ વૃત્તિઓ છે નિવૃત્તિ અને પ્રવૃત્તિ. અસંયમથી નિવૃત્ત થવું જોઈએ અને સંયમમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. સાધક એક બાજુથી સમાજના બધા પ્રશ્નો ઊંડાણથી લેવા માટે સંયમ માર્ગે પ્રવૃત્ત થાય અને બીજી બાજુથી જ્યાં જ્યાં સમાજમાં અનિષ્ટો, વિકારે કે દોષ જણાય ત્યાં તે દોષથી પિતે નિવૃત્ત રહે. એક તરફ સમાજમાં કરૂણા, સેવા અને વાત્સલ્ય પીરસે અને બીજી તરફ સમાજના દેષોથી પોતે વેગળો રહી ગુણોને પૂરે ! આમ બનને વૃત્તિઓ કામ કરે તો જ સાધકના જીવનમાં વિશ્વ વાત્સલ્ય પ્રગટ થઈ શકે ! - કેટલાક લોકે નિવૃત્તિને અર્થ સમાજના દોષ જેઈને ભાગવું, પણ તે દેષોને દુર કરવા નહીં, એવો કરે છે. તેઓ પ્રવૃત્તિને પણ કેવળ વ્યકિતગત જીવન પૂરતી જ માને છે; પણ તે બરાબર અને બંધબેસતું લાગતું નથી. આ જીવન એક અને અખંડ છે. એના ભાગલા નિશ્ચયદૃષ્ટિથી થઈ શકતા નથી. જીવન એકાંગી કે એક તરફી બની જાય તો તે વિકસિત જ ન થઈ શકે. ભગવાન મહાવીર તે બુદ્ધ જે લોકજીવનની ઊંડી કરૂણું અનુભવ્યા વગર બહાર પડ્યા હોત તો તેમને કઈ યાદ ન કરત. જગતના જીવનમાં જે વિસંવાદિતા છે તેને દૂર કરવા અને લોકજીવનને સંવાદી બનાવવા માટેની અંતરની ઊંડી પ્રેરણાએ જ તેમને રાજપાટ ત્યાગ કરવા, ઘોર તપ કરવા, જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રેર્યા. એટલું જ નહીં; પિતાના એ પરમ જ્ઞાન-દર્શનને બોધ, લોકજીવનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust