Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ છેવટે બે દિવસે રાજ્ય નમ્યું. લોકમાં ગરમી આવી, સભ્ય તૈયાર થયા. મેં કહ્યું : “પંદર જ લઈશું !" અંતે રાજ્ય નમતું મૂક્યું. મેં ઢેબરભાઈને લખીને વિગતો મેકલી. તેમણે કહ્યું : “ખેડૂતોની વાત વ્યાજબી છે પણ આપણે મોરબી રાજ્યથી બગાડવું નથી.” આ તરફ રાજ્ય એક રાતમાં પ્રજામંડળ (નામનું) ઊભું કરાવી નાખ્યું. તે મંડળ કઈ ઠરાવ કરે તે પહેલાં હું અને વજુભાઈ ત્યાં પહોંચી ગયા અને એ સભામાં અમે ગયા. સભા અમારી જ બની ગઈ અને જવાબદાર તંત્રને માંગતો ઠરાવ થઈ ગયો. આ વાતની ખબર પડતાં મેરબીને મહારાજા ગુસ્સે થઈ ગયા. ત્રણશો ગરાસિયા હાથમાં તલવાર લઈ પ્રાર્થના સભામાં ધાંધલ કરવા માટે આવ્યા. તેફાન શરૂ કરે તે વખતે અચાનક આરઝી હકુમતવાળા શ્રી પુરોહિત વગેરે આવી પહોંચ્યા, તેમની બીકમાં ગરાસિયાઓ દબાઈ ગયા અને તેફાન કર્યા વગર ચાલ્યા ગયા. પુરોહિતના હાથમાં સભા આવી પણ મેં તેને કહ્યું : “આપણે માર્ગ અહિંસાનો છે !" આની જાણ મહારાજાને થઈ. તેણે કહ્યું : “રાજ્ય અને ખેડૂતો સમાધાન કરી લેશે; માટલિયા વચ્ચે નહીં.” ખેડૂતો પૂછવા આવ્યા : “શું કરીએ?” “ગોકળભાઈને છોડવાની શરતે સમાધાન કરી લો. વાંધો નથી.” મેં કહ્યું. રાજ્ય તે વખતે જે ખેડૂતમંડળ રચ્યું તે આખરે કેગ્રેસના અંગભૂત મંડળ જેવું કામ કરે છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર સરકાર તરફથી હું ચાર માસ માટે ત્યાં વહીવટ માટે ગયે. તે દરમ્યાન મુનિ શ્રી સંતબાલજી આવેલા, ત્યારે પણ પ્રાર્થનાસભા થઈ. કેટલાક રાજના ભાડૂતી લોકોએ તોફાન તો કર્યું પણ આ બધામાંથી હું નિર્ભયતા તથા ખેડૂતમંડળ અને નૈતિક ગ્રામ સંગઠનની વાત. શીખો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust