Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ તેવામાં જ એક બાજુ સનાતન ધર્મો અને બીજી બાજુ ' વેપારીઓનો વિરોધ શરૂ થયો. તે દરમ્યાન મને વિચાર આવ્યો કે “સ્થાનિક કાર્યકરે પકવવા તૈયાર કરવા) માટે વર્ગ શરૂ કરવા !" અષાઢી બીજનું મુહૂર્ત હતું પણ માંડ ત્રણ જણ બહારથી મળ્યા અને ત્રણ ગામમાંથી. થોડા દિવસોમાં બહારના ત્રણ ભાગી ગયા. એટલે ગામે મને બીજા ત્રણ આપ્યા. આ વર્ગ ગામથી દોઢ માઈલ દૂર અમે ચલાવતા. આ વિરોધ થવાનું મૂળકારણ તો એ કે આ ક્રાંતિની વાતે સાથે લોકોમાં અફવા ફેલાઈ : “માટલિયાના ઘરમાં બૈરી તો ભંગિયાણી છે. તે ઉપરથી ઢોંગ કરે છે પણ છોકરાઓને ભરતી કરી લશ્કરમાં લઈ જશે ?" સામાન્ય જનતા તો આવી વાતોથી દૂરથી ભેળવાઈ જાય એટલે મુશ્કેલી ખૂબ પડી. પણ હિમ્મત રાખી વર્ગ ચલાવ્યો જ. અમે ખેતી કરતા પણ થયા. તેવામાં વીસા માં જરિયાએ ખેડૂતોનાં નાક કાપવાનું શરૂ કર્યું. મેં રતુભાઈ તેમજ અમુલખભાઈને પૂછયું : “શું કરવું ?" તેમણે કહ્યું : “શસ્ત્ર રાખીને સામને કરવો જ જોઈએ !" એક તરફથી લોકોની રક્ષા હથિયારથી થાય, હું હથિયાર વગર જે જે પ્રદેશો બહારવટિયાઓને સંઘરતા તેમાં ફરું અને મારા ઘરની આસપાસ સશસ્ત્ર પહેરો ન રખાવું. આમ છતાં મને ભય તદન ન હતો એમ ન કહી શકાય. ત્યારે રજોગુણ હતો; અધીરાઈ હતી, " ઉતાવળ પણ થઈ જતી. ભાષામાં હાકલા-પડકારો આવી જતાં. તે * છતાં ત્રણ વખત હુમલાઓ થતાં થતાં; હું બચી ગયો. એક વખતે ભૂપતને સાગરિત રાણે માલપરા ગામ ભાંગવા અને મને મારવા આવતો હતો પણ સહેજે ન આવ્યું ! બીજી વાર રાતના બાર વાગે હું ચાલ્યો આવતું હતું કે કોઈએ પડકાર કર્યો : “રાતના બહાર નીકળો છે, પણ ખબર છે ને?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust