Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ સંતાન ને ધારણ કરનારી શકુંતલા પેલી નદીના કિનારેથી જ પાછી વળે છે. કણ્વઋષિને તેની ખબર પડે છે અને તે આવી તરછોડાયેલી પાલક દીકરીને પણ પાછી લઈ આવવા જાય છે. તેમને આશ્રમ, સમાજ કે પ્રતિષ્ઠાને ભય હોતો નથી. પણ શકુંતલા એ બાપને નીચું જોવડાવવા ઈચ્છતી નથી એટલે તે પિતાને રસ્તો શોધી લે છે. આગળ ઉપર શકુંતલા વનમાં પુત્રને જન્મ આપે છે જેનું નામ “ભરત” રાખવામાં આવે છે. આ તરફ દુષ્યત રાજાને માછીમારની પાસેથી માછલીમાંથી પેલી મુદ્રિકા મળે છે અને તેને શકુંતલાનું સ્મરણ થાય છે. તે બધે તપાસ કરાવે છે પણ શકુંતલાનો ક્યાંયે પત્તો લાગતો નથી. અંતે ઘણું વર્ષો બાદ સ્વર્ગલોક તરફ જતાં અનાયાસે પતિ-પત્ની તેમજ પુત્રનો મિલાપ થાય છે. અહીં કરવઋષિના દાખલા વડે જોવાનું છે કે વિશ્વવાત્સલ્યને સાધક કપરા પ્રસંગમાં પણ ધીરજને ગુમાવતો નથી; સિદ્ધાંત માટે પ્રતિષ્ઠા અને પરિગ્રહને પણ જતાં કરવામાં સંકોચનો અનુભવ કરતા નથી. આજના જગતના પ્રવાહ જોતાં વિશ્વ વાત્સલ્ય ને જગતમાં ફેલાવવાનું છે. તે એકમાત્ર વ્યક્તિથી નહીં થાય. એકલા હાથે કોઈપણ મહાપુરૂષે વિશ્વવાસલ્યને સાધ્યું નથી. જેટલા તીર્થકરે, પયંગબરે કે અવતારે થયા તેમણે સર્વપ્રથમ એને પોતાનામાં પ્રગટાવ્યું અને પછી તેમણે એને સમાજમાં રેડીને, આ કાર્ય સાધ્યું છે. હાથ જો કે શરીરનું મહત્વનું અંગ છે છતાં તે બીજા અંગો સાથે જોડાયેલાજ છે. જે ભૂજાનું બળ મળે, પેટ દ્વારા અન્નથી શક્તિ મળે, પગ વડે ગતિ મળે, તોજ હાથ કોઈ કાર્ય કરી શકે; તેમાં પણ આંખ બરાબર જોઈ લે ત્યારે જ તે પાર પડે. એવી જ રીતે વિશ્વપાત્સલ્યને વિશ્વમાં ફેલાવવા . માટે સમાજના દરેક અંગોએ મળીને કાર્ય કરવાનું છે અને તેજ તે ઝડપથી થઈ શકશે. એક વસ્તુ જરૂર વિચારવાની રહે છે કે વિશ્વ વાત્સલ્યના બને પાસાંઓની જાગૃતિ રહેવી જરૂરી છે. નહીંતર તણાઈ જતાં વાર નહીં Jun Gun Aaradhak Trust તેમણે એમ તેમણે સવપ્રથમ એને ના તાર્યકરો, પયંગબT P.P. Ac. Gunratnasuri M.S.