Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ ષ્યમૂક, પ્રવર્ષણ પર્વત કે બીજા સ્થાને અને સુગ્રીવ, હનુમાન વગેરે વ્યક્તિઓને પરિચય આપી શકી હતી. જેણે વિશ્વના પ્રાણીઓ સાથે વાત્સલ્ય સાધ્યું હોય તેના નિર્મળ અંતઃકરણમાં વિશ્વના પ્રવાહને પડ પડે, એમાં નવાઈ નથી. માતંગ ઋષિએ આપેલા વિશ્વવાત્સલ્યનું પાન શબરીએ કર્યું અને તે પણ વાત્સલ્ય-રસમાં તરબોળ થઈ ગઈ હતી. * ઘણીવાર વિશ્વાત્સલ્યના સાધકને પોતાની પ્રતિષ્ઠાના ભાગે બીજાની ભૂલોનું પ્રાયશ્ચિત જાતે કરી, સંસ્કૃતિની રક્ષા કરવી પડે છે. કરવઋષિ પિતાના આશ્રમમાં રહેતા હતા અને વિદ્યાભ્યાસ માટે પિતાને ત્યાં આવેલા શિષ્યો અને શિષ્યાઓને જ્ઞાન આપતા હતા. એ કાળે આશ્રમમાં મુનિ પરિવારો રહેતા. ઋષિ તે વખતની સમાજની પરિસ્થિતિથી સુપરિચિત હતા. એક વખત મેનકા અને વિશ્વામિત્ર ઋષિના સંયોગથી, મેનકાને બાળા જન્મી. તે પાછળથી શકુંતલા તરીકે ઓળખાણું. વિશ્વામિત્ર મુનિએ એક ભૂલ તે એ કરી કે મેનકામાં લપટાયા પણ તેનાથી બીજી મોટી ભૂલ એ કરી કે એ બાળાને નિરાધાર છોડી દીધી. તેમણે લોકલજજા કે સમાજના ડરના કારણે કદાચ એવું કર્યું હશે. કવઋષિને ખબર પડી કે ઋષિ અને અપ્સરા એ છોકરીને નિરાધાર છેડીને ચાલ્યા ગયા છે. તેમણે એ બન્નેની ભૂલના પ્રાયશ્ચિતરૂપે એ કન્યાને ન કેવળ અપનાવી પણ પોતાની પુત્રી તરીકે ઉછેરીને મટી પણ કરી. તેમણે એ એક પળ માટે પણ ન વિચાર્યું કે સાધના છેડીને આ લપમાં શા માટે પડું? વળી એક ત્યજાયેલી કન્યાને લાવવી એ અપ્રતિષ્ઠાનું કારણ હતું છતાં તેને અપનાવવા માટે તેમના હૃદયમાં રહેલ વાત્સલ્ય આ કાર્ય માટે પ્રેરતું હતું. સમાજની ટીકાની પરવા કર્યા વગર તેમણે એ બાલિકાને આશ્રમનિવાસિની બનાવી દીધી. અભિજ્ઞાન શાકુંતલમાં વર્ણન આવે છે કે એ કન્યા શકુંતલા કેવી રીતે આશ્રમના હરણ, વૃક્ષો, લતાઓ, કુ તેમ જ લોકો સાથે ઓતપ્રોત થઈ જાય છે. એને કણ્વ ઋષિ પિતાના સગા પિતા જેવા જ લાગે છે. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust