Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ પ૭ એકવાર ઋષિ ક્યાંક બહાર ગયા હતા. તેવામાં દૂષ્યત રાજા ત્યાં આવે છે અને શકુંતલા અને તેને પ્રેમ થાય છે તેમ જ બનેને ગાંધર્વ-વિવાહ થાય છે. દુષ્યત ચાલ્યો જાય છે ઋષિ પાછા આવે છે. લોકો કહે છે કે શું આશ્રમ-કન્યા તેમ જ આશ્રમ માટે આ વસ્તુ શોભે? એક ઉપર બીજી આફત આવી. પણ કઋષિ તેને સમ્મતિ આપે છે. રાજા દૂષ્યતથી શકુંતલાને ગર્ભ રહેલો હોય છે. રાજા શહેરમાં જઈને રાજકાજમાં શકુંતલાને ભૂલી જાય છે. શકુંતલા એની આપેલી મુદ્રિકા નિહાળીને સાંત્વન મેળવે છે. અંતે જેની છે તેને ત્યાં મોકલી આપવી એવો વિચાર કરી કવઋષિ શકુંતલાને વળાવે છે. એ વખતે સંસ્કૃતિના રક્ષક એ ઋષિની વિદાયવાણી સાંભળીને આજે પણ ગદગદિત થઈ જવાય છે. પાલક પિતા હોવા છતાં પણ * તેમણે મા-બાપ બનેનું વાત્સલ્ય શકુંતલામાં રેડ્યું હોય છે. શકુંતલામાં પણ એજ વાત્સલ્યભાવ ભરેલો હોય છે અને તે કહે છે: “આ વૃક્ષ, આ લતાઓ, આ પંખીઓ અને આ હરણો ! આ આશ્રમના નિવાસીઓ જેમનાથી એક પળ વિયોગની મેં કોઈ કલ્પના કરી ન હતી તેમને મૂકીને જતાં મારું હૃદય ચિરાઈ જાય છે.” દુષ્યત રાજાને ત્યાં શકુંતલા પહેચે છે પણ તે ભૂલી જાય છે કે મેં શકુંતલા સાથે ગાંધર્વ લગ્ન કર્યા છે. શંકુતલા તેને પેલી લત્તાઓ, કુંજે, પંખીઓ બધાની યાદ અપાવે છે પણ રાજાના મગજમાં તે ઉતરતું નથી. અંતે પેલી સુંદ્રિકાની યાદ અપાવે છે અને તે દેખાડવા જાય છે પણ નશીબ યોગે તે રસ્તામાં નદી પાર કરતી વખતે આંગળીમાંથી સરકી ગઈ હોય છે. તે મુદ્રિકા દેખાડી શકતી નથી અને રાજા એને સ્વીકાર કરવા માટે ના પાડે છે. પતિથી ત્યજાયેલી, સમાજમાં અપતિષ્ઠિત અને પિતાના ગર્ભમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust