Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 48 ઘણા લોકો કહેશે કે શું સર્વોદયથી એમ નહીં થાય ? સર્વોદયમાં અવિકસિત અંગોને વધારે ઉદય કે પ્રકાશ અને વિકસિત અંગેનો ઓછો ઉદય કે પ્રકાશ સૂચવાત હોય, પણ જ્યાં અંધારું છે તેને દૂર કરવા માટે ખાસ કહેવાતું નથી. અંધારું દૂર કર્યા સિવાય ઉદય કે પ્રકાશ કઈ રીતે થઈ શકશે ! સૂરજનો પ્રકાશ તે ચોમેર પથરાયો પણ જેના બારી બારણું તદ્દન બંધ છે તે મકાનમાં પ્રકાશ ક્યાંથી પ્રવેશી શકે? સર્વોદયમાં એવું માનવામાં આવે છે કે એની ચિંતાની જરૂર નથી. એવાં મકાનનાં બારીબારણાં ઉઘાડવાની જરૂર નથી. બીજા શબ્દોમાં સર્વોદય કેવળ વિકાસ પામેલાં, ભલે તે ઓછાં હોય કે વધારે એવાં અંગોને લાગુ પડે છે. પણ જે વિકાસને અવરોધનારાં તો તરફ તે ઉપેક્ષા જ સેવે છે. સર્વોદય એમ માને છે કે બધું રૂડું થતાં એટલે કે રૂડાનું રૂડું થતાં–બધું સારું થઈ જશે. પણ તેમ થતું નથી. એમાં મોટો ભય તો એ રહેલો છે કે જે વિકસિત હોય છે તે વધુ વિકાસ પામે છે પણ અણવિકસિત પાછળ રહી જાય છે. - ઘણી વાર એક વર્ગમાં નબળા અને સબળા વિદ્યાર્થીઓ હોય છે. નબળો વર્ગ જોઈને શિક્ષક વિશેષ-વર્ગ ચલાવે છે. આનો લાભ બધાને લેવાનો હોય છે. પરિણામે જોવા મળે છે કે જે સબળા હોય છે તે વધારે સબળા બને છે અને નબળા વધુ નબળા બને છે. જે નબળા તરફ વિશેષ ધ્યાન અપાય તો જ તે આગળ વધી શકે છે. જો અનિષ્ટને દૂર કરવાનો પ્રયત્ન જ ન કરવામાં આવે, અને કેવળ ઈષ્ટને જ વિકસાવવાનું હોય તો ઇષ્ટ વિકસે એમાં હમેશાં ભયસ્થાન રહેલ છે. શરીર ઘણું જ સુંદર અને સ્વસ્થ હોય, તેને સારી રીતે રાખવાને પ્રયત્ન કરવામાં આવે છે કે એમાં ઉપસેલા એક નાનકડા ગૂમડાની ઉપેક્ષા સેવવામાં આવે તો તે આખા શરીરને વેદનાથી ભરી શકે છે. એ જ ભય સર્વોદયવાદમાં આજે અંધારાભર્યા તો તરફ ધ્યાન ન અપાતાં; રહે છે. 'એટલે જ અંધકાર કે અનિષ્ટને મટાડવા તેમજ પ્રકાશ અને ઈષ્ટને શરીર પર ય તે પણ કરવામાં આવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust