Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ વિશ્વવારાલ્યનાં પાસાંઓ –મુનિશ્રી નેમિચંદ્રજી [3] [31-7-61] વિશ્વવાત્સલ્યનાં કયાં કયાં અને કેટલાં પાસાં છે તે અંગે અને વિચાર કરવાનું છે. વિશ્વવાત્સલ્ય શબ્દની એવી વિલક્ષણતા છે કે એનું નામ લેતાં જ માતાનું ચિત્ર આંખ આગળ ઊભું થાય છે. વિશ્વ વાત્સલ્યનાં પાસાંઓ ઉપર વિચાર કરવા માટે પણ માતૃહૃદયનો પાસાંઓ પણ તપાસવા પડશે. માતા કેવળ બાળક ઉપર આસક્ત થઈને પ્રેમ કરે છે એ એના હૃદયનું એક પાસું છે. તે એને મારે પણ છે-દંડ પણ આપે છે– ગુસ્સે પણ કરે છે. આ એક બીજું પાસું છે. પણ બન્ને સ્થિતિમાં તેના અંતરમાં વાત્સલ્ય તે ભરેલું જ હોય છે. તે ચાહે છે ત્યારે પણ તેના દિલમાં વાત્સલ્ય હોય છે અને જ્યારે દડે છે ત્યારે પણ એ વાત્સલ્ય હોય છે. તે જ એને પ્રેરે છે કે તેનું બાળક નઠારૂં ન થવું જોઈએ. બગડવું ન જોઈએ. એવી હિતભાવના તેના હૃદયમાં સતત રહે છે. એમાં મમતા પણ છે અને સમતા પણ છે. જ્યારે બંનેને સમન્વય થાય ત્યારે જ વાત્સલ્ય ખીલે છે. વિશ્વ વાત્સલ્યમાં પણ આમ બંને પ્રકારની વૃત્તિ અને ભાવનાને સમન્વય સાધવાને રહે છે. વિશ્વવસલ્ય જ્યાં એક તરફ અનિષ્ટોને દૂર કરવાનું સૂચવે છે ત્યાં બીજી તરફ સમાજજીવનમાં સંયમ, ધર્મ અને નીતિ વગેરેને પ્રવેશ કરવાનું સૂચવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust