Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 36, હું રાજ્ય નથી ઈચ્છતો કે નથી સ્વર્ગ ઈચ્છતા મને મેક્ષની પણ લાલસા નથી. દુઃખથી સંતપ્ત પ્રાણુઓના દુઃખને નાશ કરું એ જ મારી ઈચ્છા છે. * આવી હતી રંતિદેવની વિશ્વ વાત્સલ્યની સાધના ! તેઓ એક ક્ષેત્રમાં કામ કરતા હતા છતાં પ્રાણીમાત્ર પ્રત્યે વાત્સલ્ય રેડવા તેઓ આતુર હતા. તેઓ કોટીએ ખરા ઊતર્યા. દુકાળ મટો. રાજનાં પારણું થયા. આમ વિશ્વ વાત્સલ્યની સાધનામાં જગતની ચિંતા પિતાની બની જાય છે. વ્યક્તિત્વનું વિસર્જન સમષ્ટિમાં થઈ જાય છે. એ જ અદ્વૈત સાધના છે. એ જ આત્મૌપમ્ય છે. “આત્મવત સર્વ ભૂતેષુ'ની સક્રિય ભાવનાનું રૂપાંતર છે. ક્રમે કરી વાત્સલ્યને સમાજ વાત્સલ્ય તરફ રેડી, તેની પૂર્ણતા વિધવાત્સલ્ય રૂપે સમષ્ટિ સાથે આત્મીયતા પ્રગટાવવામાં રહેલી છે. ચર્ચા અને મુક્તસહચિંતન પુર” કેણ? આજની ચર્ચા શરૂ કરતાં શ્રી દેવજીભાઈએ મહાભારતને દાખલો ટાંકતાં કહ્યું : “શકુંતલાના પુત્ર ભરતને ત્રણ રાણીઓથી દશ પુત્ર થયા. પણ તે પૈકીના એકેય રાજસ્થાન માટે લાયક ન નીવડ્યા એટલે એમના મનમાં વિચાર આવ્યો કે “મપુત્રા તિરં તિ” એમ શાસ્ત્રો કહે છે. એટલે કે પુત્ર તો જોઈએ પણ તે ચારિત્ર્યશીલ અને સુયોગ્ય જોઈએ. ભરદ્વાજજીએ પોતાના શિષ્ય ધૌમ્યને સમાજ આગળ પુત્રરૂપે ધર્યો એટલે એક નવું સૂવ નીપજ્યું : “બુંદ (વીર્યજ સંતાન). કરતાં નાદ (નાદજન્ય સંતાન) વધુ ઉત્તમ છે. ભગવાન બુદ્ધ અને મહાવીરે એ રહસ્યને વધારે પ્રગટ કર્યું કે ચારિત્ર્ય અને ઊંચા વિચારથી - જેઓ આકર્ષાઈને સંયમ માર્ગે અનુસરે અને રૂમમાર્ગને પ્રચાર કરે તે જ સાચાં સંતાનો !" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust