Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ કાઠી મૂકો ઉપર તાલ દઈને ડબ્બામાંથી કાઢી ગયો. હું તે શમશમી ઊઠો. આટલો બધો જુલ્મ સહન થાય શી રીતે ? મેં પોલિસમાં ફરિયાદ કરી; પણ મુખીએ, “ઢેર પરાયાં નથી” એવું જૂઠું લખાણ કર્યું. કોઈ સાક્ષી તરીકે પણ ઊભું ન રહ્યું. એટલું જ નહીં, જે ખેડૂતની ભેળ થયેલી તેણે જાતે કહ્યું કે મારું કંઇપણ ભેળવાયું નથી, રોટલી અને દૂધપાક નીચોવીને આપો ! હવે શું થાય ! હું તો ખૂબ મુંઝાયો. એક દિવસ વિચાર થતાં હું અને મારા પત્ની બન્ને જણ તે ગામ તે કાઠીને ત્યાં જ પહોંચ્યા. તેમણે આગ્રહ કર્યો અને અમે જમવા રેકાયા. ભાણામાં કેટલીઓ આવી કે મેં કહ્યું: “આ નીચોવીને મને આપો !" તે કાઠીના માં અને ઘરના બધાય મુંઝાયા. પહેલાં તે તેઓ કંઈ ન સમજ્યા. પછી મેં ચોખવટ કરતાં કહ્યું : “આમાં અનેક ખેડૂતોને - પરસેવે ચુંટયો છે, તે કાઢીને મને રોટલી આપો !"' છેવટે કાઠી પીગળી ગયા અને તેમણે કહ્યું : “આ મારી ગાય, મારી જ મહેનતે ઉછેરીને મોટી કરી છે અને તેને ભેળથી અલગ રાખી છે. તેનું દૂધ લો " . - સામાન્ય રીતે ભેળ તે થેડી, ભેંસ વ.થી થતી હોય છે એટલે મેં થોડું દૂધ લીધું. ત્યારબાદ કાઠીને આખા કુટુંબે પોતાની આપવીતી કહી સંભળાવી : “અમને પણ કોઈ ખેડૂતેને રંજાડ ગમતા નથી, પણ, શું કરીએ ? અમારી પાસે સો વીઘાં જમીન હતી પણ અચૂક પટેલને ત્યાં ગિરો મૂકેલી. ત્રીશ વર્ષ થઈ ગયાં હવે એ આપતા નથી !" એમનું પણ કંઈક કરવું જોઈએ એમ નક્કી કરી તેમની વિદાય લઈને અમે પાછા ફર્યા. એ પટેલ બાપા ચૂસ્ત વેદાંતી હતા. થોડા દિવસો પછી સમય જોઈને હું તેમને ત્યાં ગો. મેં તેમને કહ્યું : “બાપા ! આપ તો અતવાદી ! આપનાથી આવું થાય!” સદભાગ્યે Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.