Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ - " તમારા સેવાદળના એક ભાઈને મારવા દો " અને અંતે “તે ભાઈ માફી માગે !" ત્યાં સુધી વાત આવી. હું સાંઢિયાને બાઝી ગયો. એટલામાં મુખીએ આવીને પેલા માણસને પિતાના મકાનમાં બેસાડશે અને બહારથી પાણી આવ્યું છે એમ કહી તેને પાણી પાયું. ધીમે ધીમે તેને નશો ઊતરી ગયો અને માફી મંગાવવાને બદલે એ તો એમને એમ પાછો ફર્યો. ' તેવામાં એક બનાવ બને કે કોઈ હરતાફરતાઓ સાથે એને ઝઘડે થયો. તેને માર પડ્યો અને તેની બંદૂક પણ તેઓ લઈ ગયા. ગામમાં વાત ફેલાઈ કે ભાટલિયાએ એવું કર્યું લાગે છે. એક વાર હું બહારગામથી આવતો હતો કે મારી ઝૂંપડીમાં એક ચાર આવેલો. મને જોઈને માલ ફેંકી તે ચાલતો થશે. બસ વહેમ શરૂ થયા કે માટલિયા પાસે કંઈક છે. રાખ આપો તોયે માણસ સાજો થઈ શકે !" એ જ અરસામાં બધા વહેમો સામે થનારૂં “ખેડૂત-શ્રેય–સાધક મંડળ” રચાયું. સંસ્થારૂપી સૂર્યનાં સપ્ત પટ્ટીના સાત ગુણો ગામમાં ખીલ્યાં. અમે અમારી સામે વાત્સલ્યનું પ્રતીક પણ રાખ્યું છે, જેથી સતત જાગૃતિ રહે. મમતા-મેહ કે અહંતા એકદમ તો જતાં નથી પણ ગાળમાં પાણી પડતાં ચીકાશ ઘટે તેમ એ વ્યાપક થતાં ઘટે છે, અહંતા-મમતા - સંપૂર્ણપણે ગયાં નથી. પણ તે વ્યાપક થયાં છે જેથી સાવ મૂર્શિત થવાતું નથી એમ મને લાગે છે. દુષ્ટજન સંહારમાં વિધવાત્સલ્ય ખરૂં? - આ અનુભવો સાંભળી દંડી સ્વામીજીએ પ્રશ્ન કર્યોઃ (1) હિરણ્યકશ્યપને વધ નૃસિંહે કર્યો, ( ર ) રામે રાવણને માર્યો ( 8 ) કૃષ્ણ દ્વારા કંસ મરાયો તે આમાં વિશ્વવાસલ્ય ગણાય ખરું ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust