Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ જંગલમાં રહેતા હતા. ત્યાં જંગલમાં જે અનાજ થતું તેના કણે વીણ વીણીને તેઓ જીવનનિર્વાહ કરતા અને અપરિગ્રહ અને સંયમથી રહેતા. એક વાર એક રાજા તેમને શાલ વ. ભેટ આપવા આવ્યો પણ તેમણે “મને જરૂર નથી !" કહીને સ્વીકારવાની ના પાડી દીધી. આવે નઈ . અહિંસા કેટલાક લોકો કહે છે કે વિશ્વ વાત્સલ્યની સાધનામાં અહિંસા કર્યા આવે છે? કારણ કે અહિંસા એટલે તે હિંસા ન કરવી; એ અર્થ છે. ખરું જોવા જઈએ તો અહિંસાની બે બાજુઓ છે!(૧) નિષેધાત્મક અને (2) વિધેયાત્મક. અહિંસાની નિષેધાત્મક બાજુને લઈને તેને એકાંગી બનાવી દેવામાં આવી છે. એટલે જ અહિંસાની વિધેયાત્મક બાજુ ઉપર ભાર મૂકે પડશે. આ વિધેયાત્મક અહિંસા એટલે એનું સંરક્ષણ કરવું. સેવા કરવી, સહાનુભૂતિ બતાવવી, વિકાસ કરવો અને એ અર્થમાં વિશ્વ વાત્સલ્યને લેવામાં આવ્યો છે એટલે વિધવાત્સલ્યની સાધનામાં અહિંસા આપોઆપ આવી જાય છે. એટલું જ નહીં નિવૃત્તિ અને પ્રવૃત્તિ બન્નેને પણ સમાવેશ વિશ્વ વાત્સલ્યની સંપૂર્ણતામાં થઈ જાય છે. વિશ્વ વાત્સલ્યની શ્રેષ્ઠ સાધનાનો દાખલો મહારાજા રંતિદેવના જીવન ઉપરથી મળી શકે છે. તેઓ પ્રજાવત્સલ રાજા હતા. એકવાર તેમના રાજ્યમાં દુકાળ પડ્યો. રાજા રંતિદેવ મહેલના આંગણામાં બેઠા બેઠા વિચાર કરે છે : " રાજ્યમાં દુષ્કાળ પ્રર્વતતો હોય ત્યારે હું સુખે કઈ રીતે ખાઈ-પી શકું? રાજ્યને દરેક પ્રાણી મારો આત્મીય છે. પ્રજા તે મારી સંતતિ છે. તે ભૂખી તરસી રહે તો હું કેમ ખાઈ-પી શકું?” રાજ્યના પીડાતા જીવોને જોઈને રાજાની ભૂખ અને તરસ બને ઊડી ગયાં છે. એક પછી એક એમ કરતાં 48-48 દિવસના રાજાને ઉપવાસ થયા છે. તે છતાં તેમને પ્રજાની જ ચિંતા છે. તે વખત મુખ્ય પ્રધાન આવીને રાજને અરજ કરે છે: “મહારાજ 48 દિવસના ઉપવાસ થવા આવ્યા છે. આપની જીવનશક્તિ ઘટી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust