Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 34 , તેટલું જ છે ક ભાઈ માટીનું થોડીક મારી ર સાધુ બહેચરજી સ્વામી તેમ જ શ્રીમદ રાજચંદ્ર તરફથી મળી. તે પહેલાનાં ગાંધીજીના જીવનમાં, તેમણે માંસ ખાવાને, બીડી પીવાનું તેમ જ ચેરી ક્યો એકરાર કર્યો છે. પણ તેમણે પૂર્ણ બ્રહ્મચર્યવ્રત લીધું અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકામાં વિશ્વ વાત્સલ્યનું ખેડાણ કર્યું. તેમની એ સાધના ધીમે ધીમે વધવા લાગી અને તેમણે સમષ્ટિ-વાત્સલ્યની સાધના પણ કરી. માં દેવા માટે જોઈએ તેટલું જ થોડું પાણી તેઓ 'વાપરતા. એકવાર એક ભાઈ માટીનું એક ઢેy ઉપાડી લાવ્યા. તેમાંથી થોડીક માટી રાખી બાકીનું પાછું યથાસ્થાને તેમણે નખાવ્યું તેને પણ દાખલ છે. કાકાસાહેબ એકવાર લીમડાનાં પાન વધુ તોડી આવ્યા એટલે તેમણે ટકોર કરી હતી : “જોઈએ તેનાથી વધારે લેવું એ અપરાધ છે !" આમ વિશ્વ વાત્સલ્ય પ્રગટાવવા માટે ઘણી સૂક્ષ્મ બાબતમાં પણ વિવેક રાખવો પડે છે. ' દશવૈકાલિક સૂત્રની વૃત્તિમાં એક ઠેકાણે કહ્યું છે –“અચિત અને ક૯૫નીય આહાર ઉપાશ્રયે લાવ્યા પછી, સાધુએ જમતી વખતે વિચાર કરો કે હું આ વનસ્પતિ કાયના જીવોનું કલેવર લાવ્યો છું. એ બધા મારા જેવા આત્મધારી હતાં, છતાં ના છૂટકે શરીરને પોષણ આપવા માટે લેવાં પડે છે!” પ્રાણીમાત્ર પ્રત્યે વાત્સલ્યની આ કેટલી ઊંચી ભાવના છે ? - ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે કે સાધકના જીવન ઉપર ચારને મોટો ઉપકાર છે -(1) છ કાય (વિશ્વના પ્રાણી માત્ર) (2) ગણું (સમાજ) (3) રજા (તે કાળની રાજ્ય સંસ્થાઓ) અને (4) ધર્માચાર્ય. આ બધાનું ત્રાણ, ધર્મભાગે પ્રેરવાથી, એને સંયમ રાખવાથી અને રખાવવાથી તેમજ જીવાત્માઓને સાચે રસ્તે દોરવા-દોરાવવાથી, ફેડી શકાય છે. ભગવાન મહાવીરે 5 માસ 25 દિવસની તપશ્ચર્યા, તે વખત અનિષ્ટોને દૂર કરવા માટે કરી હતી. તેમણે ચંડકૌશિક જેવા ફણીધર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust