Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ - 25 અપ્રમાણિક સંપત્તિના દાનની પ્રતિષ્ઠા શા માટે નહીં? બળવંતભાઈ : (બે પ્રશ્નોમાંને પહેલો પ્રશ્ન) અપ્રમાણિક્તાથી મેળવેલી સંપત્તિમાંથી દાન કરનાર પ્રાયશ્ચિત કે કર્તવ્યભાવે આપે તો તે સ્વીકારવાથી, અપ્રમાણિકતા એનામાં ટકી રહે પણ અપ્રમાણિકતાને સામાજિક પ્રતિષ્ઠા મળે નહીં એટલું જ ને ? આ અંગે બીજા સભ્યોએ છણાવટ કરી હતી કે - એક વાર દાતા તરીકે, કર્તવ્યભાવે કે પ્રાયશ્ચિતરૂપે આપનાર દાનને સામાજિક પ્રતિષ્ઠા મળે તે સમાજ સાવધાન બને છે અને એ રીતે શોષણ કરીને વગર પશ્ચાતાપે કે કર્તવ્યભાવ વગર કરેલ દાનને પ્રતિષ્ઠા કે તે અનિષ્ટને ઉત્તેજન મળતું નથી. તેથી તે વધતું નથી. એ સાથે અનિષ્ટના પ્રતિકારની પ્રક્રિયા ચાલુ રહે છે જેથી અપ્રમાણિતાને વ્યકિત છેડે તેવી પરિસ્થિતિ પણ સર્જાય છે. તેને એમ થાય છે કે દાતા તરીકે મને પ્રતિષ્ઠા મળતી નથી તે પછી પ્રમાણિક બની દાન કરી શા માટે કૃતાર્થ ન થાઉં! ઘણું સારી વ્યક્તિઓ સંસ્થામાં હોય તે તે સંસ્થાને શા માટે ના પ્રશંસની ભળવંતભાઈ—(બીજો પ્રશ્ન) કેટલીક સંસ્થાઓમાં ઘણી સારી વ્યક્તિ હોય છે તો તેવી સંસ્થાઓની શા માટે ન પ્રશંસા કરવી ? આ અંગે છણાવટ કરતાં સાર નીકળ્યો કે વ્યક્તિઓ કરતાં સંસ્થા મુખ્ય છે. આ યુગમાં વ્યકિત કરતાં સંસ્થાનું મહત્વ વધારે છે અને તેથી ગુણે ઘડાએલી સંસ્થાની પ્રશંસા કરવી જોઈએ. દેવજીભાઈ:-ઓસવાળ ભાઈઓની એક સભા ઘાટકોપરમાં થઈ. તેમાં હું હાજર હતો. ત્યાં ભચાઉ ખેડૂત મંડળને દાન આપવાની વાત મેં રજુ કરી. લોકો ખેડૂત મંડળના કાર્યને જાણતા હતા એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust