Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ ' –એટલે કે જેને પુત્ર ન હોય તેની ગતિ થતી નથી, તેને સ્વર્ગ મળતું નથી, તેમ જ વાંઝણ મા–બાપનું મેં ન જેવું એવી ભાવના પ્રસરવા લાગી. પિતાને પુત્ર ન હોય તો વંશ ચલાવવા માટે પિતાના ભાઈ કે કુટુંબીના પુત્રને દત્તક લઈને ઇચ્છાની પૂર્તિ કરવા લાગ્યા. લેહીના સંબંધમાં કેટલીક વાર વાત્સલ્યને બદલે મોહ હોય છે પણ જે માનસિક સંબંધ હોય છે તેમાં કર્તવ્યને સંબંધ હોઈ વાત્સલ્ય શુદ્ધ રહી શકે છે. તેમજ તેને વિકાસ પણ થઈ શકે છે. છે એટલે વાત્સલ્ય જે માણસના કુટુંબ સુધી સીમિત હતું તેને વિકાસ થયો અને તેણે સમાજ-વાત્સલ્યનું રૂપ ધારણ કર્યું. પોતાના માટે, પોતાના કુટુંબ માટે દરેક કંઈક કરે છે પણ એવી જ કર્તવ્ય ભાવનાએ પ્રેરિત થઈ આખા સમાજને ટકાવી રાખવા માટેની જે અનુભૂતિ માણસે પ્રગટાવી તે સમાજ-વાત્સલ્ય કહેવાયું. માણસ એક સામાજિક પ્રાણું છે. તેને પોતાનું જીવન ટકાવી રાખવા માટે સમાજના ઘણું અલગ-અલગ એકમોનો સહયોગ મેળવો પડે છે, તેમ જ તેને પણ એ સામાજિક સહયોગમાં પિતાનો ફાળે આપ પડે છે. માણસના જીવનને ઉચ્ચ અને દિવ્ય બનાવવા માટે પૂર્વજોએ ઋષિ-મુનિઓએ સાધના કરી એક ભૂમિકા તૈયાર કરી છે. તેના આધારે માણસ આગળ વધે છે. ઈતિહાસ-ભૂગોળ કે વિજ્ઞાનની જે શોધખોળ થઈ છે, તે લોકોએ પોતાના એકાંત હિત માટે નથી કરી. તેઓ તો સુખી હતા પણ પોતાની સાથે સમાજને પણ સુખી જોવા ઇચ્છતા હતા એટલે તેમણે શોધખોળ કરી. તેની પાછળ જે કોઈ એક ભાવના કાર્ય કરતી હોય તો તે સમાજ વાતસલ્યની હતી. સમાજવાત્સલ્યમાં વાત્સલ્ય કેવળ એક તરફી નથી હોતું; પણ તે તો બીજાને પાવાનું તેમજ પીવાનું હોય છે. માનવજાતિને જે સમાજવાત્સલ્ય ન મળ્યું હોત તો તે પણ બીજ પશુઓની જેમ જ રહેત. આસપાસનું સામાજિક વાતાવરણ, સભ્યતા, સંસ્કૃતિ વગેરે જે કંઈ તેને P.P.AC. Gunratnasuri M.S.