________________
द्वितीयोऽवसरः
આપ્યું છે, એમ લોકો હેતુમાં કાર્યના ઉપચારથી
નિર્વિકલ્પપણે કહે છે. || ૮ ||
लोकद्वयेऽभिलषता विपुलोपकारं दातव्यमेतदनिशं करुणापरेण । ज्ञानात् परं न परमस्ति परोपकारसम्पादनं सपदि सम्पदमादधानम् ॥ ९ ॥
१५
જે આલોક અને પરલોકમાં વિપુલ ઉપકારને ઇચ્છતા હોય, તેમણે હંમેશા કરુણામાં તત્પર રહીને દાન આપવું જોઈએ. જ્ઞાન કરતા પણ ઉંચો પરોપકાર અને સંપત્તિનું આરોપણ બીજું કાંઈ નથી. | ૯ || ज्ञेये ज्ञात्वा ज्ञानतो ज्ञानवन्तो
हेयं हित्वा पूजनीया जनानाम् । सज्जायन्तेऽत्रैव जन्मन्यजस्रं
पापस्रंसादन्यजन्मन्यवश्यम् ॥ १० ॥
જ્ઞાનથી જ્ઞેયને જાણીને જ્ઞાનીઓ હેયનો ત્યાગ કરીને આ જ જન્મમાં લોકોને પૂજનીય થાય છે. અને સતત પાપોનો ક્ષય કરવાથી અન્ય જન્મમાં પણ અવશ્ય પૂજનીય થાય છે. || ૧૦ ||