________________
तृतीयोऽवसरः दीक्षाऽऽदानं गुरुपदयुगाराधनं भावसारं ज्ञानाभ्यासः सुचिररचितश्चित्तवृत्तेनिरोधः । गाढाः सोढा दृढतरधिया दुःसहा शीतवाता: वह्नावुप्तं ननु यदि दयाशून्यमेतत् समस्तम् ॥ ८ ॥
દીક્ષા ગ્રહણ, અત્યંત ભાવપૂર્વક ગુરુચરણની ઉપાસના, જ્ઞાનાભ્યાસ, લાંબા સમય સુધી મનને નિયંત્રણમાં રાખવું, ખૂબ હિંમતપૂર્વક અત્યંત દુઃષત ઠંડા પવનોને સહન કરવા.. આ બધું જો દયારહિત હોય, તો એ અગ્નિમાં વાવેતર કરવા સમાન છે. | ૮ || तदेतद्धर्मसर्वस्वं तदेतद्धर्मजीवितम् । रहस्यमेतद्धर्मस्य यदेतत् प्राणिरक्षणम् ॥ ९ ॥
જીવરક્ષણ એ જ ધર્મનું સર્વસ્વ છે, એ જ ધર્મનું જીવન છે, અને એ જ ધર્મનું રહસ્ય છે. / ૯ // जन्म पुरुषार्थरहितं पुरुषार्थो धर्मवर्जितः पुंसाम् । धर्मश्च दयाविकलो विफलं च विडम्बनं चेदम् ॥१०॥
પુરુષાર્થ વિનાનો પુરુષોનો જન્મ નિષ્ફળ છે, ધર્મ વિનાનો પુરુષાર્થ નિષ્ફળ છે. અને દયાવિનાનો ધર્મ નિષ્ફળ છે અને આ એક વિડંબના જ છે. || ૧૦ ||