________________
१०३
पञ्चमोऽवसरः બાકી અન્ય શાસ્ત્રો તો પોતાને પ્રકાશિત કરવામાં પણ (પોતાનો અર્થ જણાવવામાં) જડ જ છે. | ૮૯ | पङ्गः पथि गच्छेदपि नाशब्दविशारदो नरः शास्त्रे । कथमप्यर्थविचारे पदमपि चतुरोऽपि सञ्चरति ॥१०॥
પાંગળો કદાચ રસ્તા પર ચાલી શકે, પણ જે શબ્દવિશારદ નથી, એવો નર શાસ્ત્રમાં પ્રગતિ ન કરી શકે. એ ચતુર હોય, તો ય અર્થવિચારના ક્ષેત્રે એક પગલું પણ કોઈ રીતે ન ચાલી શકે. ૯૦ || व्याकरणालङ्कारश्छन्द:प्रमुखं जिनोदितं मुख्यम् । सुगतादिमतमपि स्यात् स्यादकं स्वमतमकलङ्कम् ॥११॥
વ્યાકરણ, અલંકાર, છંદ વગેરે જિનેશ્વરે જે કહ્યું છે, તે મુખ્ય છે. બુદ્ધ વગેરેનો મત પણ જો સ્યાદ્વાદસહિત હોય, તો એ નિષ્કલંક એવો જિનમત બને છે. I૯ના मुनिमतमपि विज्ञातं न पातकं ननु विरक्तचित्तानाम् । यत् सर्वं ज्ञातव्यं कर्तव्यं न त्व(४०-२)कर्तव्यम् ॥१२॥
વૈરાગી મનવાળા જીવો જૈમિનિ વગેરે ઋષિઓના મતને જાણે, તો પણ તે પાપ નથી, કારણ કે એ બધું જાણવાનું છે. “કરવાનું જ છે કે “નથી જ કરવાનું એવું નથી. || ૯૨ .