________________
१०२
दानादिप्रकरणे જ્ઞાનીઓએ સર્વ અનુયોગોમાં દ્રવ્યાનુયોગને શ્રેષ્ઠ કહ્યો છે, તર્ક, પ્રમાણ એ દ્રવ્યાનુયોગ કહેવાય છે. દષ્ટિવાદ એ સમ્યફ ધર્મશાસ્ત્ર છે, જેમાં તર્ક, પ્રમાણ વગેરેનો વિસ્તાર છે.) | ૮૬ | गणिते धर्मकथायां चरणे द्रव्ये भवेयुरनुयोगाः । व्याख्यानानि चतुर्णां तुर्यो वर्यः समाख्यातः ॥७॥
ચાર પ્રકારના અનુયોગો=વ્યાખ્યા છે - (૧) ગણિતાનુયોગ (૨) ધર્મકથાનુયોગ (૩) ચરણકરણાનુયોગ (૪) દ્રવ્યાનુયોગ. તેમાં ચોથા અનુયોગને શ્રેષ્ઠ કહ્યો છે. | ૮૭ / मिथ्यादृष्टिश्रुतमपि सदृष्टिपरिग्रहात् समीचीनम् । किं काञ्चनं न कनं रसानुविद्धं भवति ताम्रम् ॥८॥
મિથ્યાષ્ટિના કૃતનું પણ જો સમ્યગ્દષ્ટિ ગ્રહણ કરે, તો તે સમ્યક્ શ્રુત થાય છે. રસથી વેધ કરેલું તાંબુ શું સુંદર સુવર્ણ નથી બની જતું ? || ૮૮ | दीप इव शब्दविद्या परमात्मानं च दीपयत्युच्चैः । आत्मप्रकाशनेऽपि हि जडानि पुनरन्यशास्त्राणि ॥ ८९ ॥
શબ્દવિદ્યા (વ્યાકરણ વગેરે) એ દીપક જેવી છે, જે બીજાને અને પોતાને પણ અત્યંત પ્રકાશિત કરે છે.