Book Title: Danadi Prakaranam
Author(s): Suracharya, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/023406/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ -II दानादिप्रकरणम् II - पूजनीयश्रीसूराचार्यः Page #2 -------------------------------------------------------------------------- ________________ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રીપ્રેમ-ભુવનભાનુ-પદ્મ-જયઘોષસૂરિસદ્ગુરુભ્યો નમઃ શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણું-૬૯ परमपूजनीय श्रीसूराचार्यविरचितम् दानादिप्रकरणम् : यथासम्भवं त्रुटितकाव्यपूर्तिः+भावानुवादः+सम्पादनम् : प्राचीन श्रुतोद्धारक प.पू. आचार्यदेव श्रीमद्विजयहेमचन्द्रसूरीश्वरशिष्या आचार्यविजयकल्याणबोधिसूरीश्वराः goood अनुमीयतेऽत एव हि रागाभावः सदुपशमातिशये सद्भावनया दाह्याभाव इव हुताशनातिशये : प्रकाशक : श्री जिनशासन आराधना ट्रस्ट भांड: स्थानः શેક હઠી મા Page #3 -------------------------------------------------------------------------- ________________ • મૂળ કૃતિ : દાનાદિ પ્રકરણ (સાત અવસર, ૫૩૭ સંસ્કૃત શ્લોકો, વિવિધ છંદ) મૂળકૃતિકાર : પૂજનીય શ્રી સૂરાચાર્ય યથાસંભવ ત્રુટિત પ્રાચીન આગમ શાસ્ત્રોદ્ધારક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કાવ્યપૂર્તિ + સંશોધન + હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ ભાવાનુવાદ + સંપાદન : શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ. વિષય : દાનધર્મ, દેવ-ગુરુભક્તિ આદિ. વિશેષતા : અભયદાન, અન્નદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, પ્રભુભક્તિ, શ્રીસંઘભક્તિ, જ્ઞાનભક્તિ, વિશ્વવાત્સલ્ય આદિ અનેક વિષયો પર પ્રકાશ પાથરતો એક મનનીય ગ્રંથ. ૦ પઠન-પાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા. વિ. સં. ૨૦૬૬ ૦ પ્રતિ : ૫૦૦૦ આવૃત્તિ : પ્રથમ • મૂલ્ય : રૂા. ૨૫૦ આ પુસ્તક જ્ઞાનદ્રવ્યથી પ્રકાશિત થયું છે. માટે ગૃહસ્થ મૂલ્ય ચૂકવીને માલિકી કરવી. પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ E-mail : jinshasan108@gmail.com © શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ આ પુસ્તકના કોઇપણ અંશનો ઉપયોગ કરતા પૂર્વે લેખક તથા પ્રકાશકની લેખિત મંજૂરી મેળવવી જરૂરી છે. Copyright held by Shree Jinshasan Aradhana Trust under Indian Copyright Act, 1957. http://copyright.gov.in/documents/copyright rules 1957, pdf. Note : Unauthorised usage, whether uploading on any website or printing in a book or forwarding to others on the internet or putting u on a blog is prohibited. Reproduction of this text by any means whether in part or in full. cannot be made unless express written consent obtained from shree Jinshasan Aradhana Trust. Any violation of this shall be deemed a violation of the intellectual rights of the publisher & of the copyright act, 1957. મુદ્રક : ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. Ph. : 079-22134176, M : 9925020106, E-mail : bharatgraphics1@gmail.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ONO FOTK चरमतीर्थपतिः करुणासागरः श्रीमहावीरस्वामी अनन्तलब्धिनिधानः श्रीगौतमस्वामी Page #5 -------------------------------------------------------------------------- ________________ पञ्चमगणधरः श्रीसुधर्मास्वामी સેઅો ધાર 'સિદ્ધાંતમહોદધિ સુવિશાલગચ્છસર્જક પ. પૂ. આચાર્યદેવ 'શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા 'વર્ધમાન તપોનિધિ ન્યાયવિશારદ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અજોડ ગુરુસમર્પિત ગુણગણનિધિ પ.પૂ. પંન્યાસપ્રવર 'શ્રી પદ્મવિજયજી ગણિવર્ય વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ. આચાર્યદેવ 'શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા Page #6 -------------------------------------------------------------------------- ________________ · ..અનુમોદના **beole અભિનંદન. સુકૃત સહયોગી .અભિનંદન.. શ્રી મરીનડ્રાઈવ જૈન આરાધક મંડળ (મુંબઈ) ધન્યવાદ... જ્ઞાનનિધિના સદ્વિનિયોગ બદલ શ્રીસંઘ તથા ટ્રસ્ટીઓની ભૂરિ ભૂરિ અનુમોદના *.lp3][te ···lboB.. પ્રાપ્તિસ્થાન : શ્રી જ્વિશાસન આરાધના ટ્રસ્ટ મુંબઈ : શ્રી ચંદ્રકુમારભાઈ સી. જરીવાલા, દુ.નં. ૬, બદ્રીકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ‘ઈ’ રોડ, નેતાજી સુભાષ માર્ગ, મુંબઈ. ફોન : ૨૨૮૧૮૩૯૦ શ્રી અક્ષયભાઈ જે. શાહ ૫૦૬, પદ્મએપાર્ટમેન્ટ, જૈન દેરાસરની સામે, સર્વોદયનગર મુલુંડ (વે.) મુંબઇ-૪૦૦૦૮૦. ફોન ઃ ૨૫૬૭૪૭૮૦ પાટણ : શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી ૬-બી, અશોકા કોમ્પલેક્ષ, પહેલા રેલવે ગરનાળા પાસે, પાટણ, ઉ.ગુ. ફોન : ૯૯૦૯૪ ૬૮૫૭૨ અમદાવાદ : શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાળા સિદ્ધાચલ બંગલોઝ, સેન્ટ એન. સ્કુલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. ફોન : ૨૭૫૦૫૭૨૦, ૨૨૧૩૨૫૪૩ અનુમોદના. અભિનંદન.. Page #7 -------------------------------------------------------------------------- ________________ હાલો છીજ દાની ‘દાનાદિપ્રકરણ’ની એક જ હસ્તપ્રત ઉપલબ્ધ છે. જે હાલમાં પાટણના હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં પ્રાપ્ત થાય છે. આ હસ્તપ્રત અધુરી છે. તેમાં ૭૨ પાના છે. પહેલા ત્રણ પાના ખોવાયા છે. અમુક પાનાનાં અંગછેદ થઈ ગયા છે. આ કારણોસર આ પ્રત અધુરી છે. તુટેલ પાઠોને ઠેકાણે .... આવી નિશાની તથા અમુક ઠેકાણે કલ્પિત પાઠો લખેલ છે. (પૂર્વ પ્રકાશનમાં જ્યાં પાઠપૂર્તિ બાકી હતી એવા અનેક સ્થળોમાં પાઠપૂર્તિ કરીને + નૂતન અનુવાદ કરીને પ્રસ્તુત પ્રકાશન કરેલ છે.) લગભગ ચાલીશ વર્ષ પહેલા પંડિતવર્ય શ્રી અમૃતલાલ ભોજકે આ હસ્તપ્રતના આધારે એક પ્રેસ-કૉપી તૈયાર કરી હતી. રચના કાળ ‘બૃહદ્ ટિપ્પનિકા'માં એવો ઉલ્લેખ મળે છે કે ‘સૂરાચાર્યે’ ‘નેમિચરિત્રમહાકાવ્ય’ની રચના વિ. સં. ૧૦૯૦માં કરેલ હતી. આના પરથી અનુમાન થઈ શકે છે કે ‘દાનાદિપ્રકરણ'ની રચના પણ ૧૧મી સદીના છેલ્લા બે દશકામાં થઈ હશે. ગ્રંથની વિશેષતા ૧૧મી સદીની પહેલા જૈન શ્વેતાંબરોમાં ચૈત્યવાસિઓની હૈયાતિ હતી. આગમમાં કહેલ આચાર-વિચારના ધોરણ તેઓને અઘરા લાગ્યા. તેથી તેઓએ પોતાની મર્યાદા બાંધી અને તે પ્રમાણે જીવવા લાગ્યા. પણ સમય જતાં મર્યાદા અને શિથિલતા વચ્ચેનો ભેદ કરવો મુશ્કેલ થયો. તેના પરિણામે ૧૧મી સદીમાં જૈન સાધુઓના એક જૂથે તેનો વિરોધ કર્યો અને આગમમાં કહેલ મુનિજીવનનો ચુસ્તપણે પાલન કરવાનો સ્વીકાર કર્યો. જો કે સંસારનો સાચો ત્યાગ, જૈન-જૈનેતરશાસ્ત્રોનો અભ્યાસ, સાંસારિક સંબંધો પ્રતિ નિર્મમત્વ વગેરે પરંપરાઓ સદીઓ સુધી ચૈત્યવાસિસાધુઓમાં ચાલુ રહી હતી. આ વિષયમાં ઘણું લખાયેલ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવાસિમુનિઓએ ચુસ્ત રીતે જૈનાગમોનું પાલન ન કર્યું. અનેક અવસરોમાં આગમોમાં નહિં કહેલ માર્ગ પણ તેમણે સ્વીકાર્યો. પરિણામે શિથિલતા તેઓમાં પેસી. તેના પરિણામે આ સંસ્થા સામે વિરોધ થયો. આ ગ્રંથમાં ઘણે ઠેકાણે ચૈત્યવાસિઓની તરફેણ કરી છે. દા.ત. છઠા અવસરમાં ૧૩, ૧૬, ૧૯ વગેરે. આ શ્લોકોમાં વિવિધ રીતે ચૈત્યવાસિઓની યોગ્યતા બતાવી છે. પણ સાથે સાથે જે મુનિઓનું જીવન સંપૂર્ણપણે આગમાનુસાર છે તેઓ પ્રતિ અત્યંત આદરભાવ પણ પ્રગટ કર્યો છે. દા.ત. છઠા અવસરમાં ૭૫,૧૦૭. ‘દાન કરવું જોઈએ? – આવું કહેનારાઓ હાનિકારક અને ખોટો ધર્મોપદેશ આપે છે. આવું જેઓ કહે છે તેઓને ઉદ્દેશીને ગ્રંથકારે સાતમાં અવસરમાં શ્લોક ૧, ૨, ૨૬, ૨૭ માં હાનિકારક શબ્દો વાપર્યા છે. આનાથી ખ્યાલ આવે છે કે ગ્રંથકારશ્રીના સમયે પણ એવા અગ્રેસરો હશે કે જેઓ પોતાના પ્રવચનોમાં દાનના આચરણનો પ્રતિષેધ કરતા હશે. ભૂતકાળમાં શિવમંદિર વગેરેના નિભાવ માટે લોકો ગામ, જમીન વગેરેનું દાન આપતા. તે જ રીતે જૈન મંદિરોના નિભાવ માટે લોકો ગામ, જમીન, ફળ-ઝાડનો બગીચો, કૂવાઓ વગેરેનું દાન આપતા. (ત્રીજા અવસરનો ૩૯મો શ્લોક) વાચકશ્રી ઉમાસ્વાતિના પાઠો બે ઠેકાણે જોવા મળે છે. (બીજા અવસરનો ૧૪મો શ્લોક અને સાતમા અવસરનો ૮૭મો શ્લોક.) સાતમા અવસરના શ્લોક નં. ૮૮ અને ૯૯, પ્રશમરતિમાંથી લીધેલ છે. વળી એક શ્લોક ભગવદ્ગીતાનો પણ છે. (બીજા અવસરનો ૧૨મો શ્લોક.) ઘણા શ્લોકો આગમિક વાક્યોનું ભાષાંતર છે. લેખકનો પરચિય ગુજરાત દેશના રાજા ભીમદેવના બે મામા હતા. તેમાંથી એક Page #9 -------------------------------------------------------------------------- ________________ સંયમપંથનો સ્વીકાર કરી દ્રોણાચાર્ય નામે પ્રસિદ્ધ થયા હતાં. બીજા સંગ્રામસિંહ હતાં. સંગ્રામસિંહના મૃત્યુ પછી તેમની પત્નીએ દ્રોણાચાર્યને વિનંતી કરી કે “આપ મારા પુત્ર મહીપાલને વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરાવો.” તેથી દ્રોણાચાર્યે મહીપાલને વ્યાકરણ, તર્કશાસ્ત્ર, સાહિત્ય, આગમો વગેરેનો અભ્યાસ કરાવ્યો. મહીપાલ પણ શાસ્ત્રોનું યથાર્થ જ્ઞાન મેળવી તેના ફળ એટલે કે વિરતિને પામ્યો. (જ્ઞાનચ « વિરતિ.) મહીપાલે દ્રોણાચાર્યને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. આચાર્યપદ માટે મહીપાલને યોગ્ય જાણી દ્રોણાચાર્યે તેમને આચાર્ય પદવી આપી અને તેમનું નામ ‘સૂરાચાર્ય' રાખ્યું. એક દિવસ ભીમદેવની રાજસભામાં ધારારાજયના રાજા ભોજદેવના વિદ્વાન પુરુષો આવ્યા. તેઓએ રાજા ભોજના ગુણોને કહેતી એક ગાથા કહી. આના જવાબમાં સૂરાચાર્યે એક ગાથાની રચના કરી અને ભીમદેવ રાજાએ તે રાજા ભોજને મોકલી. તે ગાથા વાંચી રાજા ભોજ અત્યંત પ્રસન્ન થયાં. સૂરાચાર્ય અત્યંત કડક ગુરુ હતાં. શિષ્યોએ કરેલી નાની ભૂલને પણ તેઓ સહન ન કરતા અને કરેલી ભૂલ માટે શિક્ષા કરતા. શિષ્યોએ પોતાના પર થયેલી આવી શિક્ષાની ફરિયાદ દ્રોણાચાર્યને કરી. દ્રોણાચાર્યે સૂરાચાર્યને આવા વર્તન માટે ઠપકો આપ્યો. સૂરાચાર્યે ગુરુનો ઠપકો સહર્ષ સ્વીકાર્યો અને સાથે એટલું કહ્યું કે “આ શિક્ષા કરવા પાછળ મારો આશય એટલો જ છે કે મારા શિષ્યો ખૂબ વિદ્વાન બને જેથી તેઓ પ્રતિપક્ષીને વાદાદિમાં સહેલાઈથી જીતી શકે.” તે જ સમયે દ્રોણાચાર્યે સૂરાચાર્યને પૂછ્યું કે જો તે ભોજદેવના રાજ્યમાં રહેલ પ્રતિપક્ષીઓને જીતી શકે. સૂરાચાર્યે આ વાત સ્વીકારી અને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી આ પરીક્ષામાં હું પાર ન પામું ત્યાં સુધી મારે ઘી અને દૂધનો ત્યાગ. સૂરાચાર્ય વિહાર કરી ધારા પહોંચ્યા. ભોજ રાજાને પોતાનાં ) Page #10 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનથી પ્રભાવિત કર્યા. પણ ભોજ રાજા એવું ઈચ્છતા ન હતાં કે બીજા રાજાનો વિદ્વાન પુરુષ એમના રાજ્યમાં રહે. એટલે ભોજ રાજા સૂરાચાર્યને મારી નાખવા ઈચ્છતા હતાં. ભવિતવ્યતાના યોગે ધનપાલની સહાયથી સૂરાચાર્ય ત્યાંથી ભાગી દ્રોણાચાર્યને પાટણમાં ભેગા થયા. જીજ્ઞાસુઓ વધારે જાણવા માટે પૂ. પ્રભાચંદ્રસૂરિજીએ લખેલ ‘પ્રભાવક ચરિત્ર' વાંચી શકે. લેખક રચિત ઉપલબ્ધ ગ્રંથોની નામાવાલી ‘બૃહદ્ ટિપ્પનિકા’માં સૂરાચાર્યે રચેલ ત્રણ ગ્રંથોનો ઉલ્લેખ મળે છે (૧) (૨) (૩) કવિ ધનપાલે રચેલ વીરસ્તવ પર વૃત્તિ (૨૨૫ શ્લોક પ્રમાણ) નેમિચરિત્ર મહાકાવ્ય (૧૪૦૦ શ્લોક પ્રમાણ) દાનાદિ પ્રકરણ આ ત્રણ ગ્રંથોમાંથી દાનાદિપ્રકરણ, અને તેની પણ એક જ હસ્તપ્રત હાલમાં ઉપલબ્ધ થાય છે. વિષયસૂચિ આ ગ્રંથ ૭ અવસરમાં વિભાજિત થયેલ છે. (૧) પહેલા અવસરમાં ધર્મ અને શુભ કાર્યોની મહત્તા સમજાવી છે. આ ધર્મ કરવા દ્વારા જીવ ભૌતિક અને આધ્યાત્મિક સુખ ભોગવી છેલ્લે સિદ્ધ પદને પણ પ્રાપ્ત કરે છે, એવું અહીં બતાવેલ છે. (૨) બીજા અવસરમાં જ્ઞાનદાનને વિષે વિસ્તૃત વર્ણન છે. બધા દાનોમાં જ્ઞાનદાન શ્રેષ્ઠ છે. આધ્યાત્મિક વિકાસ માટે હેય-ઉપાદેયનું જ્ઞાન જરૂરી છે. જ્ઞાનથી મન-વચન-કાયાની શુદ્ધિ થાય છે. વિદ્યાગુરુનું મહત્ત્વ, અને કેવો વિનયાદિ કરી તેમની પાસેથી જ્ઞાન મેળવવાનું છે, તેનું વર્ણન અહિં કરેલ છે. વિદ્વાનો પ્રતિ પૂજ્યભાવ પ્રગટ કર્યો છે, ક્રિયાશીલ થવા આગ્રહભરી ભલામણ કરી છે, જ્ઞાનથી થતાં ફાયદા ગણાવ્યા છે, Page #11 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપિપાસાની મહત્તા વર્ણવી છે, જ્ઞાનહીન પુરુષની નિરર્થકતા દૃષ્ટાન્ત દ્વારા સિદ્ધ કરી છે અને જ્ઞાનની મહાનતા ગાઈ છે. (૩) ત્રીજા અવસરમાં અભયદાન સંબંધી ચર્ચા-વિચારણા કરી છે. તેથી આમાં જીવોનું વર્ગીકરણ કર્યું છે, બધા જીવોને જીવવાની ઈચ્છા છે - તેનો સ્વીકાર કરાવ્યો છે, હિંસાથી થતાં ખરાબ પરિણામને ગણાવ્યા છે, સર્વ જીવો પ્રતિ દયાભાવ રાખવાની સલાહ આપી છે. આમાં દયાસંબંધી એક વ્યાખ્યાન છે જેમાં દયા ભાવને લીધે થતાં શુભ કાર્યો અને તેના કારણે થતાં શુભોદયનું વર્ણન છે. (૪) ચોથા અવસરમાં અન્નદાન સંબંધી વિસ્તૃત વર્ણન છે. જિનમંદિર, જિનબિંબ પ્રતિષ્ઠા, વગેરે સંબંધી દાનનો પણ અહિં ઉલ્લેખ યાચક વ્યક્તિને અન્નદાન આપવું, અને આપવાથી થતાં શુભ પરિણામોને અહિં કહ્યા છે. જિનમંદિર, જિનબિંબપ્રતિષ્ઠા, શાસ્ત્રોની પ્રતિકૃતિ અને સાચવણી, વગેરેમાં જે ધનનું દાન અપાય છે, તે ધન તેના ધણીને જન્મ અને મરણના ચક્રમાંથી મુક્ત કરે છે. અહિં જિનમંદિર બંધાવવાની ભલામણ કરી છે અને તેનાથી મળતા લાભોની નોંધ કરી છે. પ્રતિમા ભરાવવાની અને પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની મહત્તા વર્ણવી છે અને તેનાથી થતાં લાભોનો ઉલ્લેખ કર્યો છે. જિનપ્રતિમાને આભરણો, પાણી, ચંદન વગેરેથી પૂજવું એવું કહ્યું છે. રથયાત્રાની મહત્તા તથા તેના લાભોનો ઉલ્લેખ અહિં કરેલ છે. એક ઠેકાણે આંતરિક શુદ્ધિની જરૂરિયાત બતાડી છે. (૫) પાંચમાં અવસરમાં વીતરાગ, વીતદ્વેષ, સર્વજ્ઞ એવા પરમાત્માએ કહેલ આગમોનું વર્ણન છે. મીમાંસકોની ‘મરીયા વેવા:” એવી જે માન્યતા છે તેનું અહિં ખંડન કરેલ છે. જિનવચન તથા તે વચનો જેમાં છે એવા આગમોની પ્રતિકૃતિ અને સાચવણીની અહિં મહત્તા બતાવી છે. અનેકાંતવાદ, સત્ય, કર્મવાદ વગેરેનું વર્ણન અત્રે કરેલ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ‘તર્કશાસ્ત્રો, વ્યાકરણ વગેરે ધર્મશાસ્ત્ર નથી” - આવી જે માન્યતા છે, તેનો અહિ નિરાસ કર્યો છે. જૈનેતર શાસ્ત્રોનું વાંચન તથા તેઓની સાચવણી કરવી એવું ગ્રંથકારશ્રી ફરમાવે છે. (૬) છઠ અવસરમાં જિનાજ્ઞાની મહત્તા તથા તેનાં પાલન કરવાથી થતાં લાભોને ટાંક્યા છે. આમાં જૈન મુનિની મહત્તાની ઘોષણા કરી છે, શિથિલ સાધુ પ્રત્યે પણ ભેદભાવ ન રાખવો એવું કહ્યું છે, જે ભેદભાવ રાખે છે તેને મળતાં અશુભ ફળો ગણાવ્યા છે, સ્વધર્માનુયાયિ માટે દયાભાવ રાખવો એવો ઉપદેશ આપ્યો છે, પરિગ્રહથી થતાં ગેરલાભો ટાંક્યા છે, જેમણે પરિગ્રહનો સર્વથા ત્યાગ કર્યો છે એવા જૈન મુનિભગવંતોની પ્રશંસા કરી છે, તેમની જરૂરિયાત વસ્તુઓનો ખ્યાલ રાખવો એવું કહ્યું છે તથા ગરીબોને અન્નદાન વગેરે કરવું, એવી ભલામણ કરી છે. (૭) સાતમાં અવસરમાં જેઓ દાન કરવાના વિરોધી છે તેમને ઠપકો આપ્યો છે. “જિનપૂજામાં હિંસા છે' - આવાં મતનું અહિં ખંડન કરેલ છે. અહિં જિનપૂજાથી થતાં લાભોને પ્રકટ કર્યા છે. થોડી હિંસા હોવા છતાં ધર્મકાર્યોની તરફેણ કરી છે, અને જૈન મુનિભગવંતો પ્રતિ પૂજનીયભાવ રાખવાની મહત્તા બતાડી છે. . (આ પ્રસ્તાવના શ્રી અમૃતલાલ ભોજક, તથા શ્રી નગીનભાઈ શાહ દ્વારા અંગ્રેજી ભાષામાં લખાઈ હતી. તેનો અત્રે ગુજરાતી અનુવાદ સાભાર રજુ કર્યો છે.) Page #13 -------------------------------------------------------------------------- ________________ Blow અવસાનુક્રમ **** 2 m x w g અવસર ૨ 3 ४ bdbd ૫ ξ પૃષ્ઠ ° ༈ ལྐ ༈ 8 ૧૨ 32 ૫૨ 909 ૧૫૩ ** *** Page #14 -------------------------------------------------------------------------- ________________ श्रीमत्सूराचार्यविरचितं दानादिप्रकरणम् प्रथमोऽवसर: (शिखरिणी) [४-१'] यतालोदं कुलं [चन्द्रालोक - प्रतिमधवलं] जातिरमला सुरूपं सौभाग्यं ललितललना भोग्यकमला । चिरायुस्तारुण्यं बलमविकलं [ कल्यमनिशं समाराद्धः शुद्धः सकलमपि धर्मोऽ]र्पत इदम् ॥१७॥ (मालीनी ) भुवनतिलककल्पे यत् कुले केऽप्यनल्पे त्रिभुवनजनवन्द्ये प्राणभाजोऽनवद्ये । धनकनकस [मेते प्राप्नुवन्ति स्वजन्म फलमिदमवगम्यं धर्म]कल्पद्रुमस्य ॥ १८ ॥ विदन्ति न हि वेदनां गदमुद्भवामाकुलाः कुलीनपुरुषा इवापरपुरन्ध्रिजातां रतिम् । यद[प्रतिमतो बलाद् रिपुबलं भवेत्] तर्जितं [तदेतदखिलं वरं] विमलधर्मविस्फुर्जितम् ।। १९ ॥ १. पत्रत्रयं नोपलभ्यते । Page #15 -------------------------------------------------------------------------- ________________ (शालिनी) यज्जायन्ते जन्तवो जातु जातौ संशुद्धायां सिद्धसिद्धाविवोच्चैः । [विश्वं विश्वं बिभ्रति यद् यशोभिः ज्ञेयोऽमेयोऽत्रैष धर्मप्रभावः ] ॥ २० ॥ (शिखरिणि) [४-२] अदर्पः कन्दर्पो रहयति रतिं नातिभयतो निकामं कामिन्य: कमपि कमनीयं च कमितुम् । [अमानो मानोऽपि प्रविनयमहो यच्च भजति सुधर्मस्यैवेदं] स्फुरितमवसेयं स्फुटमहो ॥ २१ ॥ शृङ्गारस्येव भृङ्गारो लीलागारं तेखि । सुखानामिव सत्खानि: सुम दानादिप्रकरणे ॥ २२ ॥ स्येव वर्तिनी । क्रीडाधामेव धर्मस्य निर्माणमिव नर्मणाम् ॥ २३ ॥ [ ५- १] ललना लोक्यते लोके यल्लोचनमहोत्सवः । कल्पितं तदकल्पितम् ॥ २४ ॥ (त्रिभिर्विशेषकम् ) ............................. सौभाग्यं गुरुभागधेयसुभगाभोग्यं सुभोगाञ्चितं देवाराधनतद्धनेन (? तत्परेण) मनसा सर्वो ................. । ललनालीलाकलापोचितं तद् धर्मस्य विचक्षणा विलसितं व्याचक्षते निश्चितम् ||२५|| ..... Page #16 -------------------------------------------------------------------------- ________________ प्रथमोऽवसरः ............... स्यात् कुलीनं चकलत्रं कुशलैर्नृणाम् ॥२६॥ (स्रग्धरा) लज्जालङ्कारसारं मधुमधुरखचोन्यासमज्ञातहासं ............................. प्रत्यु । भक्तं नित्यानुरक्तं प्रगुणगुणगणाखण्डसन्मण्डनं स्यात् पुण्यैः पुंसोऽनुकूलं नकलितकलहं सत्कलनं कलत्रं ॥२७॥ [५-२] अल्पजल्पान्यहासानि कलत्राणि सधर्मणाम् ॥२८॥ राज्याभिषेककलशाविव मन्मथस्य पीनौ स्तनौ घनतरौ तरुणा ............... । ...........सन्ती पुंसः कलासु कुशलाकुशलैः कलत्रम् ॥ २९ ॥ प्रीतेरप्यप्रीतिं कुर्वाणा: प्रीणयन्ति नेत्राणि । रूपेण करण ............. ॥ ३० ॥ (वसन्ततिलका) यद्भीतितो हरिमनङ्गमनङ्गशत्रु लक्ष्मी रतिगिरिसुता सततं त्यजन्ति । नो वल्लभं कलभकुम्भ [६-१] ता वल्लभा शुभवशेन नरोऽनुरक्ताः ॥ ३१ ॥ .......... Page #17 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे नाभुक्ते वल्लभे भुङ्क्ते शेते नाशयिते शुचिः । चित्तानुवर्तिनी पुण्यैर्वर्तनी निर्वृते: प्रिया ॥ ३२ ॥ ४ જ્યાં સુધી પતિ જમે નહિ, ત્યાં સુધી પોતે ન જમે. જ્યાં સુધી પતિ ન સૂવે, ત્યાં સુધી પોતે સૂવે નહીં. पवित्र, भनने (छाने) अनुसरनारी, सुजनी पगडंडी खेवी पत्नी पुएयोथी भणे छे. ॥ ३२ ॥ ऐकवित्तेव वित्तेषु विनीता नीतिकोविदा । निर्मदा प्रमदा पुण्यैः पुंसः स्यात् सम्मदास्पदम् ||३३|| સંપત્તિઓમાં એક અનન્ય સંપત્તિ સમાન, વિનીત, નીતિનિપુણ, નિરભિમાની એવી પત્ની પુરુષને પુણ્યથી મળે છે. એવી પત્ની એના આનંદનું સ્થાન થાય છે. ॥। 33 ।। (शालिनी) भोग्या योग्या साधुब - धूपयोग्या लोके श्लाघ्या श्लोकधर्मैकहेतुः जाये [त्येषा ] जायते पुण्यभाजां श्रीः कुर्वाणा निर्वृतिं निर्विवादा ॥ ३४ ॥ ભોગ્ય, યોગ્ય, સંતો અને સગાં-સંબંધીઓનો સત્કાર કરી १. अशयिते - अते । २. अपूर्वलक्ष्मीरिख । Page #18 -------------------------------------------------------------------------- ________________ प्रथमोऽवसरः શકે તેવી, લોકોમાં પ્રશંસનીય, યશ અને ધર્મનું અનન્ય કારણ આવી પત્ની પુણ્યશાળીઓને નિઃશંકપણે આનંદ કરનારી લક્ષ્મી સ્વરૂપ થાય છે. ૩૪ // स्वपरोपकारनिपुणाः पुरुषार्थपरायणाश्चिरं सुखिनः । जीवन्ति स्पृहणीयं धर्मेण नराः सुधर्माणः ॥ ३५ ॥ જેઓ પોતાની ઉપર અને બીજા ઉપર ઉપકાર કરવામાં નિપુણ છે, પુરુષાર્થમાં પરાયણ છે અને ચિર કાળ સુધી સુખી છે તેઓ સારો ધર્મ કરનારા મનુષ્યો ધર્મથી સ્પૃહણીય જીવન જીવે છે. તે ૩૫ / | (શાનિન) सत्तारुण्यं तारलावण्यपुण्यं पीयूषं वा नेत्रपात्रप्रपेयं । स्त्रीपुंसानां कामदेवैकधाम प्राज्ञाः प्राहुर्धर्मबीजप्ररोहम् ॥ ३६ ॥ તારા જેવા લાવણ્યથી પવિત્ર, આંખો રૂપી પાત્રોથી પાન કરવા યોગ્ય, અમૃત જેવું, કામદેવના એક ધામ જેવું, સ્ત્રી-પુરુષોનું જે સારું તારુણ્ય છે, તેને વિદ્વાનો ધર્મરૂપી બીજના અંકુરારૂપ કહે છે. જે ૩૬ / (ાઘરા) [शूराः सूरप्रतापा] [६-२] रिपुबलमखिलं खेलया खण्डयन्ति प्रोद्दण्डैर्मुण्डखण्डैरिह रणधरणीमण्डलं मण्डयन्ति । Page #19 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे पादाङ्गष्ठस्य कोट्या यदतुलमचलं लीलया चालयन्ति धर्मस्या[चिन्त्यशक्तेस्तदपि વિનંસિત સાધવ: સાયન્સે છે રૂ૭ | સૂર્ય જેવા પ્રતાપી શૂરવીરો સમગ્ર શત્રુ સૈન્યને લીલામાત્રમાં ભાંગી નાખે છે. અહી રણભૂમિના માંડલાને ભયંકર માથાઓના ખંડોથી મંડિત કરી દે છે. પગના અંગૂઠાના ભાગથી અતુલ્ય પર્વતને રમતમાં કંપાવી દે છે. સાધુઓ કહે છે કે તેમાં પણ અચિજ્ય શક્તિવાળા ધર્મનો જ પ્રભાવ છે. તે ૩૭ | (શાર્વવિદિતમ્) कैलास: किल रावणेन तुलितो बाहुद्रयेनाचल: श्रीगोवर्धनभूधरो मुंरजिता तूर्णं च तीर्णोऽर्णवः । चक्री बाहुबलेन बाहुबलिना भग्नो विलग्ने रणे ફ્રિ નો નિર્મન્નધર્મનિમિતિરિયં નિર્માપયેત્યમુતમ્ રૂટ રાવણે પોતાના બે હાથો વડે કૈલાસ પર્વતને ઉંચકી લીધો. વિષ્ણુએ શ્રીગોવર્ધન પર્વતને ઉંચકી લીધો. (જૈન મતાનુસારે રાવણે અષ્ટાપદ પર્વત ઉપાડ્યો હતો અને વિષ્ણુએ કોટિશિલા ઉપાડી હતી.) વિષ્ણુ શીઘ્રતાથી દરિયાને તરી ગયા. બાહુબલિએ પોતાના બાહુબળથી છે. ઝોન છે Page #20 -------------------------------------------------------------------------- ________________ M प्रथमोऽवसरः ચક્રવર્તીને યુદ્ધમાં હરાવી દીધો. ખરેખર શુદ્ધ ધર્મનું माय२९॥ या माश्चर्यन सर्छन ४२तुं नथी ? ॥ ३८ ॥ (स्रग्धरा) द्वात्रिंशत्सत्सहनैः सविनयविनतैः सेवितो भूपतीनां दिस्तावद्भिः सुरस्त्रीविसरविजयिनां कान्तकान्ताजनानाम् । रत्नैदिसप्तसङ्ग्यैरनिधनसुधनैः सान्निधानैर्निधानैमानां मूर्धवर्ती मणिरिव । सुकृती वर्तते [७-१] चक्रवर्ती ॥ ३९ ॥ વિનયપૂર્વક નમેલા બત્રીસ હજાર રાજાઓ વડે સેવિત, દેવીઓના સમૂહને જીતી લેનાર ચોસઠ હજાર સુંદર સ્ત્રીઓનો સ્વામી, ચૌદ રત્નોના માલિક, જેમાં સારું ધન કદી ખૂટતું નથી એવા નિધાનો દ્વારા સેવિત, મનુષ્યોના મસ્તકના મણિ જેવા, પુણ્યશાળી એવા ચક્રવર્તી વર્તે છે. (અર્થાત્ ચક્રવર્તીની ઋદ્ધિનું કારણ પુણ્ય છે.) ॥ ३८ ॥ (वसन्ततिलका) पूर्वार्जितोर्जितशुभेन भवन्ति भूपा: श्वेतातपत्रचमरादिविचित्रचिह्नाः । १. चतुःषष्टिसहस्त्ररित्यर्थः ॥ २. चतुर्दशभिः ॥ Page #21 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे सामन्तसन्ततिसमानतपादपद्मा દેવા વાતિરુચિર રિતોપલાદ | ક | પૂર્વોપાર્જિત ઉચ્ચ પુણ્યથી સફેદ છત્ર, ચામર વગેરે વિચિત્ર ચિહ્નવાળા રાજાઓ થાય છે. સામંત રાજાઓની શ્રેણિઓ તેમના ચરણોમાં મસ્તક નમાવે છે. તેઓ દેવોની જેમ અતિ સુંદર અને વિશાળ સંપત્તિના સ્વામી થાય છે. ૪૦ | अन्येऽप्यदृश्यसादृश्या दृश्यन्ते हरिणीदृशाम् । રસ્તો હૃદયં થા: પુણે: પ્રાપ્ત: પમ્ અન્ય પણ એવા મનુષ્યો છે કે જેઓની જોડ જડે એમ નથી. જેઓ રમણીઓનું હૃદય હરી લે છે. અને જેમણે પુણ્યોથી શ્રેષ્ઠ પદને પ્રાપ્ત કર્યું છે. તે ૪૧ // जगज्जनितविस्मयं त्रिभुवनाधिपत्यं परं । तृणीकृतपदान्तरं निरुपमं जिनानां पदम् । विशालशुभशाखिनोऽसुलभने(मे)कमुच्चैस्तरां स्फुरत्यखिलमुज्ज्वलं फलमफल्गु वल्गु स्फुटम् ॥४२॥ જિનેશ્વરોના પદે જગતને વિસ્મય કરાવ્યું છે. તેમાં ત્રણે ભુવનોનું આધિપત્ય રહેલું છે. તે પદે બીજા પદોને . રિતpહતટ: // Page #22 -------------------------------------------------------------------------- ________________ प्रथमोऽवसरः તૃણ સમાન કરી દીધા છે. તે પદ ખરેખર નિરુપમ છે. વિશાળ એવા પુણ્યરૂપી વૃક્ષનું દુર્લભ, અપ્રતિમ, ઉંચુ, પૂર્ણ, ઉજજવળ, સુંદર અને સ્પષ્ટ ફળ છે. . ૪૨ | (વસર્જાતિના) रात्रिंदिवं नृदिवधामनि भूरिधामा धर्मेण निर्मलसुखं सुरनायकोऽपि । भुङ्क्ते नमत्रिदशकोटिकिरीटकोटि - सङ्घघृष्टचरणो रुचिरं चिराय ॥ ४३ ॥ ધર્મથી ઈન્દ્ર પણ રાત-દિવસ મનુષ્યલોક (?) અને દિવ્યલોકમાં લાંબા સમય સુધી નિર્મળ અને સુંદર સુખ ભોગવે છે. તેનું તેજ ઘણું છે. નમસ્કાર કરતા કરોડો દેવોના મુગટોના સ્પર્શથી તેના ચરણમાં ઘર્ષણ થયું છે. (એ પણ ધર્મનો જ પ્રભાવ છે.) | ૪૩ // (વસત્તતિ ) ईर्ष्याविषाद(विष)[७-२]मैर्विषयाभिलाषसम्पाद्यदुःखनिवहैर्निखिलैर्विमुक्ताः । मुक्ता इवातिसुखिनः सुचिरं वसन्ति सर्वार्थसिद्धसुरधामनि धर्मतोऽन्ये ॥ ४४ ॥ ઇર્ષ્યા અને વિષાદથી વિષમ એવા વિષયતૃષ્ણાથી મુક્ત, મુક્ત જીવોની જેમ અતિ સુખી એવા અન્ય જીવો Page #23 -------------------------------------------------------------------------- ________________ १० दानादिप्रकरणे ધર્મના પ્રભાવે અતિ દીર્ધ સમય સુધી સર્વાર્થસિદ્ધ हेलोभ २७ छ. ॥ ४४ ॥ . ___ (शार्दूलविक्रीडितम्) प्रत्यक्षं [वरबिम्ब]मुज्जवलमिदं चन्द्रस्य भद्रङ्करं सान्द्रप्रद्रुतचन्द्रिकामृतरसप्रक्षालितक्ष्मातलम् । लोकालोकनलोचनोत्सवकरं मार्तण्डसन्मण्डलं तेजोमण्डितभूमिमण्डलमिदं पुण्यैस्तदप्याप्यते ॥४५॥ જે પ્રત્યક્ષ છે, ઉજ્જવળ, ભદ્રકર, સ્નિગ્ધ દ્રવતી ચાંદની રૂપ અમૃતરસથી ધરતીતળનું પ્રક્ષાલન કરતું આ ચન્દ્રનું શ્રેષ્ઠ બિંબ છે. તથા જે લોકોને દર્શન કરવાથી નેત્રોનો ઉત્સવ કરનારું સૂર્યનું જે સુંદર વર્તુળ છે, તે તેજથી શોભિત ભૂમિમંડળ પણ પુણ્યથી પ્રાપ્ત થાય છે. (પુણ્યોદયથી ચંદ્ર - સૂર્યના વિમાનમાં ઈન્દ્રપણું ५९| प्रा. थाय छे.) ॥ ४५ ॥ जरामरणवर्जितं शिवपदं यदप्यूर्जितं निरन्तरसुखाञ्चितं निरुपमं रुजा वञ्चितम् । अनन्तमतिदुर्लभं शुभविवेकिनां वल्लभं सम[८-१]स्तहतकर्मतस्तदधिगम्यते धर्मतः ॥ ४६ ॥ ॥ प्रथमोऽवसरोऽवसितः ॥ Page #24 -------------------------------------------------------------------------- ________________ प्रथमोऽवसरः વળી જે જરા-મરણરહિત છે, ઉચ્ચ છે, નિરંતર સુખથી યુક્ત છે, નિરુપમ છે, રોગરહિત છે, અંતરહિત, અતિદુર્લભ અને શુભવિવેકી આત્માઓને પ્રિય છે. તેવું મોક્ષપદ પણ સમસ્ત કર્મોનો નાશ કરનારા ધર્મથી પ્રાપ્ત થાય છે. | ૪૬ //. - પ્રથમ અવસર સમાપ્ત - Page #25 -------------------------------------------------------------------------- ________________ द्वितीयोऽवसरः (વસન્તતિના) धर्मस्य निर्मलधियामथ साधनानि सद्दानशीलसुतपांसि सभावनानि । श्रीमज्जिनोऽभ्यधित (?) विश्वजनीनवाक्यः कस्यापि साधनविधिः किल कोऽपि शक्यः ॥ १ ॥ નિર્મળ બુદ્ધિવાળા જીવોને ધર્મ સાધવા માટેના નિમિત્તો છે શુભ દાન, શીલ, તપ અને ભાવ. જેમનું વચન વિશ્વનું હિત કરનારું છે, એવા વીર જિને આ પ્રરૂપણા કરી છે. એમાંથી કોઈ પણ સાધનનો આદર કરવો એ કોઈના પણ માટે શક્ય હોય છે. ।। ૧ || (શતિની) ज्ञानस्याद्यं दानमत्रानिदानं दातुर्लातुर्धर्मसिद्धेर्निदानम् । [ किञ्चाप्य] न्यत् स्यात् सुखानां निधानं तेनैवादावुक्तमेतत् प्रधानम् ॥ २ ॥ જ્ઞાનનું પ્રથમ કારણ છે દાન. (આનિદાન = વિશિષ્ટ કારણ) જે દાતા અને ગ્રાહકની ધર્મસિદ્ધિનો હેતુ બને છે. વધુ તો શું કહેવું ? દાન સુખોનું નિધાન થાય છે. માટે જ તેને પ્રધાનરૂપે પ્રથમ કહ્યું છે. ॥ ૨ ॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ द्वितीयोऽवसरः ૩મયાના[૮-૨ ફિચ્ચાં () તુપ્રવર્તનનિવર્તિનેન મર્ચીના अर्थेऽनर्थे च यथा ज्ञाता तेनोत्तमं ज्ञानम् ॥ ३ ॥ અભયદાન અને અન્નદાન વગેરેથી પ્રવર્તન નિવર્તનથી મનુષ્યોને અર્થમાં અને અનર્થમાં જે રીતે જણાય છે. માટે જ્ઞાન ઉત્તમ છે. (? અભયદાનાદિના | વિષયમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવાથી જે રીતે હિત અને અહિત થાય તે જ્ઞાનથી જણાય છે. અર્થાત્ દાનનું માહાભ્ય પણ જ્ઞાનથી સરે છે. માટે જ્ઞાન ઉત્તમ છે. - આવો આશય હોવો જોઈએ.) / ૩ // सर्वपुरुषार्थसिद्धेर्निबन्धनं धीधना वदन्तीदम् । તેનું જ્ઞાનં દ્રતા દત્તા: (સર્વેડ) પુરુષાર્થ કા બુદ્ધિશાળીઓ કહે છે કે જ્ઞાન એ સર્વ પુરુષાર્થની સિદ્ધિનું કારણ છે. માટે જે જ્ઞાનદાન કરે છે તે સર્વ પુરુષાર્થોનું દાન કરે છે. | ૪ | अन्यच्च धर्ममूलं करुणा सा ज्ञानकारणा सिद्धा । सिद्धान्तेऽपि प्रथितं प्रथमं ज्ञानं ततः करुणा ॥५॥ વળી ધર્મનું મૂળ કરુણા છે અને તેનું કારણ જ્ઞાન છે, એમ સિદ્ધ છે. સિદ્ધાન્તમાં (દશવૈકાલિક સૂત્રમાં) પણ પ્રસિદ્ધ છે કે પહેલા જ્ઞાન, પછી દયા. . પ . Page #27 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे धर्मेण चाखिलसुखानि समीहितानि मामरेषु मनुजो लभते हितानि । धर्मः [९-१] समस्तसुखसिद्धिनिमित्तमुक्तः सर्वेण वादिनिवहेन विना विवादम् ॥ ६ ॥ મનુષ્ય ધર્મથી નર અને દેવના ભવોમાં સર્વ સુખો અને હિતકારક વાંછિતોને પ્રાપ્ત કરે છે. સર્વ વાદીઓના સમૂહે નિર્વિવાદપણે ધર્મને સર્વ સુખની સિદ્ધિનો હેતુ प्रयो छ. ॥ ६ ॥ तद्धर्मसाधनमिदं ददताखिलानि सौख्यानि धर्मजनितानि समर्पितानि । वित्तं (पुन)वितरता वनितारतादि - वस्तूनि वित्तसुलभानि विलोभनानि ॥ ७ ॥ માટે જે ધર્મના સાધનભૂત જ્ઞાનનું દાન કરે છે, તેણે ધર્મજનિત બધા સુખોનું સમર્પણ કર્યું છે. પણ જે ધન આપે છે તેણે ધનથી સુલભ એવી, મનને सोमावनारी स्त्रीरभ९॥ वगेरे वस्तुमी मापी छ. ॥७॥ लोकेऽपि रूपके दत्ते प्रदत्तं भोजनं जनः । हतो कायापचारण निर्विचारं वदत्यदः ॥ ८ ॥ લોકમાં પણ કોઈ રૂપિયો આપે તો તેણે ભોજન Page #28 -------------------------------------------------------------------------- ________________ द्वितीयोऽवसरः આપ્યું છે, એમ લોકો હેતુમાં કાર્યના ઉપચારથી નિર્વિકલ્પપણે કહે છે. || ૮ || लोकद्वयेऽभिलषता विपुलोपकारं दातव्यमेतदनिशं करुणापरेण । ज्ञानात् परं न परमस्ति परोपकारसम्पादनं सपदि सम्पदमादधानम् ॥ ९ ॥ १५ જે આલોક અને પરલોકમાં વિપુલ ઉપકારને ઇચ્છતા હોય, તેમણે હંમેશા કરુણામાં તત્પર રહીને દાન આપવું જોઈએ. જ્ઞાન કરતા પણ ઉંચો પરોપકાર અને સંપત્તિનું આરોપણ બીજું કાંઈ નથી. | ૯ || ज्ञेये ज्ञात्वा ज्ञानतो ज्ञानवन्तो हेयं हित्वा पूजनीया जनानाम् । सज्जायन्तेऽत्रैव जन्मन्यजस्रं पापस्रंसादन्यजन्मन्यवश्यम् ॥ १० ॥ જ્ઞાનથી જ્ઞેયને જાણીને જ્ઞાનીઓ હેયનો ત્યાગ કરીને આ જ જન્મમાં લોકોને પૂજનીય થાય છે. અને સતત પાપોનો ક્ષય કરવાથી અન્ય જન્મમાં પણ અવશ્ય પૂજનીય થાય છે. || ૧૦ || Page #29 -------------------------------------------------------------------------- ________________ १६ दानादिप्रकरणे कल्याणकलापकारणं ज्ञानं सर्वविपत्तितारणम् । [९-२] मिथ्यात्वादिविरोधिबाधनं સિદ્ધેઃ સિદ્ધ સાધુ સાધનમ્ || ?? || જ્ઞાન કલ્યાણોના સમૂહનું કારણ છે. સર્વ વિપત્તિઓમાંથી પાર ઉતારનારું છે. મિથ્યાત્વાદિ વિરોધીઓનો પ્રતિકાર કરનારું છે. અને સિદ્ધિના સમ્યક્ સાધન તરીકે સિદ્ધ છે. ।। ૧૧ ।। यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात् कुरुते क्षणात् । ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ॥ १२ ॥ (ભગવદ્ગીતા ૪.૩૦) જેમ પ્રચંડ અગ્નિ ઈંધણોને ક્ષણવારમાં ભસ્મસાત્ કરે છે, તેમ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ભસ્મીભૂત કરી દે છે. । ૧૨ । (ભગવદ્ગીતા ૪-૩૭) अज्ञानी यत् कर्म क्षपयति बहुवर्षकोटिभिः प्राणी । तानी गुप्तात्मा क्षपयत्युच्छ्वासमात्रेण ॥ १३ ॥ અજ્ઞાની જીવ ઘણા કરોડો વર્ષોથી જે કર્મોનો ક્ષય કરે છે, તે કર્મોને ત્રણ ગુપ્તિથી ગુપ્ત જ્ઞાની ઉચ્છ્વાસ માત્રથી ખપાવી દે છે. ।। ૧૩ । ? ‘તેનુંન કૃતિ મળવીતાયામ્ ।। Page #30 -------------------------------------------------------------------------- ________________ द्वितीयोऽवसरः वाचकमुख्योऽप्याख्यत्सज्ज्ञानादीनि मुक्तिमार्ग इति । न च मार्गणीयमपरं परमस्ति महात्मनां मुक्तेः ॥१४॥ વાચકમુખે (તત્ત્વાર્થસૂત્ર ૧-૧) પણ કહ્યું છે કે સમ્યફ જ્ઞાન વગેરે મોક્ષનો માર્ગ છે. આ સિવાય મહાત્માઓને મોક્ષનું કાંઈ શોધવા યોગ્ય નથી. ૧૪. यो दिशति मुक्तिमार्ग परोपकारी ततोऽपरो न परः । परमपदानन्दादिव भवभवनसमुद्भवान्नन्दः ॥ १५ ॥ જે મોક્ષમાર્ગનો નિર્દેશ કરે છે, તેમનાથી અન્ય મોટો કોઈ પરોપકારી નથી. પરમપદના આનંદથી જેમ ભવભવનથી થતા આનંદ (?) (જેમ મોક્ષના આનંદથી સુખ મળે છે, તેમ જ્ઞાનાદિરૂપ મોક્ષમાર્ગની આરાધનાથી પણ સુખ મળે છે. માટે એવા સુખનો દાતા પરોપકારી છે.) | ૧૫ || समीहमानैः स्वपरोपकारं ज्ञानं सदा देयमचिन्तयद्भिः । परिश्रमं श्रीश्रमणैः स्वकीयं ત્યન્તર વી સુતરીમત ૨૬ છે. જેઓ સ્વ અને પર ઉપર ઉપકાર કરવા ઇચ્છે છે, તેમણે પોતાના પરિશ્રમને વિચાર્યા વિના, બીજા Page #31 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे કામનો પણ વિચાર કર્યા વિના અત્યંત અપ્રમત્તભાવે डंभेश। ननु हान ४२j मे. ॥ १६ ॥ नामिश्चित्तं चरति सुचिरं चिन्तनीयान्तरेषु प्रायः (कायः प्र)[१०-१]चयति न वा दुष्टचेष्टामनिष्टाम् व्यग्रं वक्त्रं वदति न परं येन सावद्यजातं धर्मादानं तदिदमुदितं ज्ञानदानं प्रधानम् ॥ १७ ॥ જ્ઞાનદાનસમયે ચિત્ત અન્ય ચિતનોમાં લાંબા સમય સુધી પ્રવૃત્તિ કરતું નથી. પ્રાયઃ શરીર પણ અનિષ્ટ એવી દુષ્ટ ચેષ્ટા કરતું નથી. જ્ઞાનદાનમાં વ્યસ્ત થયેલું મુખ પણ સાવદ્ય બોલતું નથી. માટે ધર્મના ગ્રહણરૂપ આ शानहानने भुण्य युं छे. ॥ १७ ॥ ज्ञानमेकमनेकेषामेककाल (उपक्रि)याम् । करोति याति नो हानिं दत्तं वर्धेत कौतुकम् ॥१८॥ એક જ્ઞાન અનેકોને એક સમયે ઉપકાર કરે છે અને તે આપવા છતાં ઘટતું નથી, ઉલ્ટ વધે છે, એ औतु छ. ॥ १८ ॥ अपास्यति कुवासनां भवशतार्जितां तर्जितां प्रमार्जयति दुर्जयं निबिडपापरूपं रजः । प्रकाशयति च स्फुटं किमपि वस्तुतत्त्वं परं करोति सकलं शुभं परिणता विदेषा नृणाम् ॥१९॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ द्वितीयोऽवसरः १९ પરિણત થયેલું જ્ઞાન સેંકડો ભવોમાં ઉપાર્જિત કરેલી કુવાસનાઓની તર્જના કરીને તેને દૂર કરે છે. દુર્જય ઘનિષ્ઠ પાપરૂપ રજનું પ્રમાર્જન કરે છે. કોઇ પરમ વસ્તુતત્ત્વનું પ્રકાશન કરે છે. અને મનુષ્યોનું સર્વ કલ્યાણ કરે છે. ।। ૧૯ ॥ मुष्णाति विषयतृष्णां पुष्णाति [१०-२] च निर्वृतिं हरत्यरतिम् । अमृतमिव ज्ञानमिदं कोपाद्युपतापमपनुदति ॥ २० ॥ વિષયતૃષ્ણાને ચોરી લે છે. સુખને પોષે છે. અતિને હરી લે છે. આ જ્ઞાન અમૃત જેવું છે, જે ક્રોધ વગેરેના સંતાપને દૂર કરે છે. | ૨૦ | विलसदतुलमोदं मानसं मानमुक्तं विपुलपुलकपूर्णं तूर्णमङ्गं विधत्ते । श्रुतिसुखमसमानं लोचने चाश्रुगर्भे શ્રુતમપિ બિનવાાં શ્રેયસાના(મે) હેતુ: ।। ૨ ।। જિનવાણીના શ્રવણનું અતુલ્ય સુખ મનને ગર્વરહિત કરે છે. મનમાં અજોડ આનંદ ઉપજાવે છે. શરીરને શીઘ્રતાથી અત્યંત રોમાંચિત કરી દે છે. આંખોને હર્ષના અશ્રુઓથી ભરી દે છે. ખરેખર જિનવચનનું શ્રવણ પણ કલ્યાણોનું અનન્ય કારણ છે. ॥ ૨૧ ॥ Page #33 -------------------------------------------------------------------------- ________________ २० दानादिप्रकरणे दहति मदनवह्निर्मानसं तावदेव भ्रमयति तनुभाजां कुग्रहस्तावदेव । तुलयति गुरुतृष्णा राक्षसी तावदेव स्फुरति हृदि जिनोक्तो वाक्यमन्त्रो न यावत् ॥२२॥ કામાગ્નિ મનને ત્યાં સુધી જ બાળે છે, જીવોને કદાગ્રહ ત્યાં સુધી જ ભ્રમ ઉપજાવે છે, મોટી તૃષ્ણા રાક્ષસી ત્યાં સુધી જ બળવાન રહે છે, કે જ્યાં સુધી હૃદયમાં જિનવચનરૂપી મંત્ર સ્ફુરાયમાન થતો નથી. ॥ ૨૨ ॥ [११ - १] त्रुटयन्ति स्नेहपाशा झटिति विघटते दुर्निवारा दुराशा प्रोढो गाढाधिरूढो रहयति दृढतां कर्मबन्धप्रबन्धः । ध्वंसन्ते ध्वान्तपूगा इव दिवसपतेः पातकार्थाभियोगा योग्यानां ज्ञानयोगादुपरमति मतिर्गेहदेहादितोऽपि ॥ २३ ॥ જ્ઞાનયોગથી યોગ્ય જીવોના સ્નેહપાશો તૂટી જાય છે. જેનું દુઃખેથી નિવારણ કરી શકાય તેવી દુષ્ટ આશા શીઘ્રતાથી દૂર થઇ જાય છે. પ્રકર્ષથી વહન કરેલો, ગાઢપણે રૂઢ થયેલો એવા કર્મબંધનો પ્રબંધ દૃઢતાથી મુક્ત થાય છે = શિથિલ થાય છે. જેમ સૂર્યથી અંધકારોના સમૂહોનો વિધ્વંસ થાય, તેમ પાપી પ્રયોજન માટેના Page #34 -------------------------------------------------------------------------- ________________ द्वितीयोऽवसरः २१ પ્રયત્નોનો નાશ થાય છે. અને આ ઘર-શરીર વગેરે પરથી પણ મન ઉઠી જાય છે. || ૨૩ / शास्त्राञ्जनेन जनितामलबुद्धिनेत्रस्तन्त्रोपकल्पितमिवाखिलजीवलोकम् । लोलं विलोकयति फल्गुमवल्गुरूपं नास्थामतो वितनुते तनुकाञ्चनादौ ॥ २४ ॥ શાસ્ત્રરૂપી અંજનથી જેની બુદ્ધિરૂપી આંખો નિર્મળ થઈ છે, તે વિવિધ તંત્રો દ્વારા કલ્પિત હોય તેમ આખા જીવલોકને જુએ છે. તે જુએ છે કે આ લોક નિસાર છે, અસુંદર છે, માટે એ જીવ શરીર, સુવર્ણ વગેરે પર આસ્થા કરતો નથી. તે ૨૪ / सज्ज्ञानलोचनमिदं भविनोऽसमानं भूतं भविष्यदपि (पश्यति) वर्तमानम् । सूक्ष्मं तिरोहितमतीन्द्रियदूरवर्ति યં વિનંતિ [૨૨-૨] વિપશ્ચર્તિ . ર૬ જીવનું આ સમ્યફ જ્ઞાનરૂપી લોચન અતુલ્ય છે. કે જે ભૂત, ભવિષ્ય અને વર્તમાનની વસ્તુ પણ જુએ છે. તથા જે દુનિયામાં રહેલા સૂક્ષ્મ, ઢંકાયેલ, અતીન્દ્રિય, દૂર રહેલા - એવા પણ શેયને જુએ છે. | ૨૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे विनापि चक्षुषा रूपं निश्चिन्वन्ति विपश्चितः । चक्षुष्मन्तोऽपि नाज्ञाना हेयोपादेयवेदिनः ॥ २६ ॥ વિદ્વાનો ચક્ષુ વિના પણ રૂપનો નિશ્ચય કરે છે. પણ અજ્ઞાનીઓ ચક્ષુસહિત હોવા છતાં પણ હેય અને ઉપાદેયને જાણતા નથી. | ૬ | शास्त्रनेत्रविहीनो हि वाहरोहादिवर्जितः । पशोरपि नर: पापः कथं जीवन् न लज्जित:? ॥२७॥ જે શાસ્ત્રરૂપી ચક્ષુથી રહિત છે, તે ઘોડા અને ઘોડેસવારથી રહિત છે (?) એ તો પશુ કરતા પણ પાપી છે. (અધમ છે.) તેને જીવન જીવતા લજ્જા કેમ નથી આવતી ? | ૨૭ . नरेण शास्त्रशून्येन किं शोच्येन विपश्चिताम् । તિરોડ ધન્યન ધનાશિતન”ના ર૮ . જે મનુષ્ય શાસ્ત્રરહિત છે, તે તો વિદ્વાનોને શોચનીય છે. તે તો તિર્યંચ કરતાં ય નીચ છે. તેણે પોતાનો મેળવેલો જન્મ ગુમાવી દીધો છે. જે ૨૮ / श्लाघ्याः सुलब्धजन्मानः स्पृहणीया विवेकिनाम् । पूजनीया जनस्यान्ये धन्याः शास्त्रविशारदाः ॥ २९ ॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ द्वितीयोऽवसरः ___२३ જેઓ શાસ્ત્રવિશારદો છે, તેઓ પ્રશંસાપાત્ર છે. તેમનો જન્મ સફળ છે. તેઓ વિવેકીઓને સ્પૃહણીય છે. તેઓ લોકને પૂજનીય છે અને ધન્ય છે. તે ૨૯ || श्रूयन्ते श्रुतिनोऽश्रान्तं श्रेणिभिः श्रीमतां श्रिताः । વિશાળયન્ત: શ્રેયાંસ શ્રુતીનાં વિદ્યુતા: શ્રુતા: રૂol એવું સંભળાય છે કે બહુશ્રુતો અવિરતપણે શ્રીમંતોની હારમાળાઓ દ્વારા સેવાય છે. બહુશ્રુતોના પ્રસિદ્ધ શાસ્ત્રો(નું શ્રવણ) કલ્યાણોનું દાન કરે છે. ૩)ના पूज्यन्ते श्रुतशालिनो [१२-१] नृपशतैराज्ञाविधेयैर्जनरन्यैरप्यनुवासरं सविनयैर्भक्त्या विनेयैरिव । सेव्यन्ते च शुभोपदेशकुशला धर्मार्थकामार्थिनां साथैः स्वार्थपरार्थतत्परधियो देवा इवाराधकैः ॥३१॥ બહુતો સેંકડો રાજાઓથી સેવાય છે. અન્ય પણ વિનીત આજ્ઞાંકિત લોકો શિષ્યોની જેમ પ્રતિદિન તેમની સેવા કરે છે. શુભ ઉપદેશમાં કુશળ એવા, સ્વ-પર કલ્યાણ માટે ઉદ્યત બુદ્ધિવાળા એવા તેઓ ધર્મ-અર્થ-કામના અર્થી ઉપાસકો દ્વારા દેવોની જેમ સેવાય છે. || ૩૦ | कुर्वाणा गीर्वाणा निर्वाणार्थं श्रुतस्य बहुमानम् । श्रूयन्ते श्रुतभाजां महामुनीनां च बहुमानम् ॥ ३२ ॥ Page #37 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे દેવો મોક્ષ માટે શ્રુતનું બહુમાન કરે છે, એવું સંભળાય છે. બહુશ્રુતો અને મહામુનિઓનું બહુમાન થાય છે એવું પણ સંભળાય છે. (દેવો પણ જ્ઞાની મહાત્માઓનું બહુમાન કરે છે.) | ૩૨ || २४ जायन्ते च यतीनां श्रुतानुभावेन लब्धयो विविधाः । फलमैहिकमामुष्मिकममलामरनर शिवसुखानि ॥ ३३ ॥ શ્રુતના પ્રભાવે મુનિઓને વિવિધ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે, એ ઐહિક ફળ છે. પારલૌકિક ફળ છે નિર્મળ દેવ-મનુષ્ય-મોક્ષના સુખો. ॥ ૩૩ || धर्मार्थकाममोक्षाणां कीर्तेश्चैकं [ १२-२] प्रकीर्तितम् । ज्ञानं जलमिवावन्ध्यं धान्यानां सन्निबन्धनम् ||३४|| જેમ પાણી એ ધાન્યનું અમોઘ કારણ છે, તેમ જ્ઞાન એ ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને કીર્તિનું અમોઘ કારણ છે. ।। ૩૪ || इदं विदित्वा श्रुतसङ्ग्रहे गुरुर्गुरुक्रमाम्भोजरतैरनारतम् । समीहमानैरसमां समुन्नतिं समुद्यमः सद्बिधिना विधीयताम् ॥ ३५ ॥ આ જાણીને જેઓ અતુલ્ય ઉન્નતિને ઇચ્છે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ द्वितीयोऽवसरः તેમણે સમ્યફ વિધિથી શ્રુતના સંગ્રહમાં મોટો સમ્યક્ ઉદ્યમ કરવો જોઈએ. || ૩પ | गुरुजनमुखे भक्त्या न्यस्यन् मुहुर्मुहुरीक्षणे क्षणमपि कथां कुर्वन्नान्यां न चापरचिन्तनम् । उपचितरुचिः सूत्रस्यार्थे शिरोरचिताञ्जलि: પુક્તિવપુ: પૃષ્ણ ગવંતતિ સમાદિત: | ૬ જે ગુરુજનના મુખ પ્રત્યે ભક્તિથી વારંવાર જુએ છે, ક્ષણમાત્ર પણ બીજી વાત નથી કરતો, બીજો વિચાર પણ નથી કરતો. જેને સૂત્રનો અર્થ સાંભળવાની અત્યંત રુચિ છે. જેણે મસ્તક પાસે અંજલિ કરી છે. જે રોમાંચિત થઈને ગુરુ કહે તે વચન “તે મુજબ જ છે' એમ ગુરુના કહ્યા પછી કહે છે. આ રીતે ત્રણે યોગોને સમાધિસભર રાખે છે. ૩૬ છે. उदानन्दाश्रुणी बिभ्रन् नेत्रपात्रे पवित्रितम् । સ્વં વૃતાર્થ [૩] ૨ મન્વીન: વિવેત્તરદ્ધવનામૃતમ્ રૂછો આનંદના અશ્રુઓથી ભરેલા નેત્રપાત્રોને ધારણ કરતો, પોતાને પવિત્રિત અને કૃતાર્થ માનતો ગુરુના વચનામૃતનું પાન કરે. મેં ૩૭ છે. नीचासनो न चासन्नो नातिदूरे न पृष्ठतः । ન પાર્શ્વતઃ સમળ્યા પુરોપિ ન પરમુન્ન: રૂટો Page #39 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे (ગુરુથી બહુ) નીચા આસને ન બેસે, (જેથી ગુરુને વળીને જોવાથી તકલીફ ન પડે.) બહુ નજીક ન બેસે, બહુ દૂર ન બેસે, પાછળ ન બેસે, સમશ્રેણિમાં બાજુમાં ન બેસે, સામે પણ પરામુખ ન બેસે. II ૩૮ || सम्मुखीनोऽग्रतः पृष्ठे स्थास्नुकायः स्थिरासनः । नैवान्नपादिकां कुर्यान्नैव पादप्रसारिकाम् ॥ ३९ ॥ २६ ગુરુની સમક્ષ સમ્મુખ, પાછળ (?), શરીર સ્થિર રાખીને, સ્થિર આસને બેસે. અન્નપાદિકા (પગ ઉપર પગ ચડાવવો ?) ન કરે, તથા પગ લાંબા કરીને ન બેસે. || ૩૯ ॥ अवष्टम्भं न पट्टादौ नापि पर्यङ्कबन्धनम् । नाधिक्षेपं विवादं नो न सावज्ञं न चापरम् ||४०|| પાટ વગેરેને ટેકો ન દે, પલાંઠી બાંધીને પણ ન બેસે, અધિક્ષેપ કે વિવાદ ન કરે, અવજ્ઞા કે અન્ય પણ તેવું ન કરે. ॥ ૪૦ ॥ व्याख्यानादन्यदाप्येषां चेतसे यन्न रोचते । अपथ्यमिव दूरेण हितैषी तद्विवर्जयेत् ॥ ४१ ॥ વાચના સિવાયના સમયે પણ ગુરુના મનને જે ન રુચે, તેનો હિતેચ્છુ આત્મા અપથ્યની જેમ દૂરથી ત્યાગ કરે. ॥ ૪૧ || Page #40 -------------------------------------------------------------------------- ________________ २७ द्वितीयोऽवसरः चित्तानुवर्ती सर्वत्र प्रविष्ट इव चेतसि । प्रवर्तेत निवर्ते[१३-२]त हितकारी प्रियङ्करः ॥४२॥ જાણે પોતે ગુરુના ચિત્તમાં પ્રવેશ કર્યો હોય, તેમ ગુરુના ચિત્તનું સર્વત્ર અનુવર્તન કરે, તે રીતે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે. ગુરુનું હિત અને પ્રિય કરે. ૪રા. यथा पूर्व तथा पश्चाद् यथाऽग्रे पृष्ठतस्तथा । निर्व्याजवृत्तिः पूज्यानां सुखीकुर्यान्मनः सदा ॥४३॥ જેમ પહેલા તેમ પછી, જેમ આગળ તેમ પાછળ, ગુરુની પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે, ઋજુવૃત્તિવાળો થઈને પૂજય ગુરુઓના મનને પ્રસન્ન કરે. || ૪૩ // इति गुरुजनं भक्त्याऽऽराध्य प्रयत्नपरायणा विमलमनसो धन्या मान्या जनस्य सुमेधसः । श्रुतजलनिधेर्गत्वा प्रान्तं नितान्तमहीयसः । सपदि सुखिनः सम्पद्यन्ते पदं परसम्पदाम् ॥ ४४ ॥ આ રીતે પ્રયત્નમાં તત્પર નિર્મળ મનના સ્વામી, ધન્ય, લોકોને માનનીય, સબુદ્ધિશાળી જીવો ગુરુજનને ભક્તિથી આરાધીને શ્રુતસાગરનો પાર પામે છે. અત્યંત મહાન થાય છે. અને જલ્દીથી શાશ્વત સુખ પામીને પરમ સંપત્તિઓના સ્થાનને પામે છે. તે ૪૪ | Page #41 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे नो माता सुतवत्सला न च पिता स्वामी प्रसन्नो न वा न भ्राता सहजाअसो न सुहृदो नार्था न हस्त्यादयः। यन्निष्कारणनिष्कलङकरुणा: सर्वोपकारोद्यता [૨૪] દેયાયવિપશ્ચતસ્તનુમતાં શ્રીસૂર: યુરર્વત છે કોઈ પુત્રવત્સલ માતા, પિતા, પ્રસન્ન સ્વામી, ભાઈ, મિત્રો, ધન કે હાથી વગેરે જીવોનું તે હિત નથી કરતા કે જે હિત નિષ્કારણ નિષ્કલંક કરુણાવાળા, બધા પર ઉપકાર કરવામાં ઉદ્યત, હેયોપાદેયના વિષયમાં વિચક્ષણ એવા આચાર્યો કરે છે. તે ૪૫ // गुरूपकारः शक्येत नोपमातुमिहापरैः ।। उपकारैर्जगज्येष्ठो जिनेन्द्रोऽन्यनरैर्यथा ॥ ४६ ॥ ગુરુનો ઉપકાર બીજી કોઈ ઉપમાઓથી સરખાવવો શક્ય નથી. જેમ અન્ય મનુષ્યોથી જિનેન્દ્રની ઉપમા કરવી, એ શક્ય નથી. એમ ઉપકારમાં વિશ્વમાં ગુરુ સૌથી મોટા છે. તે ૪૬ /. जन्मशतैरपि शक्यं नृभिरानृण्यं गुरोर्न तु विधातुम् । तद्गुणदानाभावे ते च गुणास्तस्य सन्त्येव ॥ ४७ ॥ જો ગુરુના ગુણોનું દાન ન કરે, તો સેંકડો જન્મોથી પણ ગુરુનું ઋણ ચૂકવવું શક્ય નથી. અને ગુરુના ગુણો તો તેમનામાં છે જ. (માટે ગુરુના ઉપકારનો Page #42 -------------------------------------------------------------------------- ________________ द्वितीयोऽवसरः બદલો વાળવો દુષ્કર છે.) | ૪૭ | ततो गुरुणां चरणाम्बुजं सदा कृतज्ञभावेन कृती निषेवते । पदं महासम्पदमन्यदीहितं હિત મનોહર માં(શ)સિ વિદ્તે છે ૪૮ છે. તેથી સજ્જન જીવ કૃતજ્ઞભાવથી ગુરુના ચરણ કમળને સેવે છે. તેમની સેવાના પ્રભાવે તે પદ પામે છે. મોટી લક્ષ્મી પામે છે. અન્ય પણ હિતકારક મનોહર ઇચ્છિતને પામે છે તથા યશ પામે છે. તે ૪૮ | (શાર્દૂતવીડિતમ્) ये शृण्वन्ति वचो जिनस्य विधितो ये श्रावयन्त्यादृता मन्यन्ते बहु ये पठन्ति सुधियो ये पा[१४-२]ठयन्ते परम् । ये भूयो गुणयन्ति येऽपि गुणिनः सञ्चिन्तयन्त्युद्यतास्ते कर्म क्षपयन्ति भूरिभवजं तापं पयोदा इव ॥४९॥ જેઓ વિધિપૂર્વક જિનવચનનું શ્રવણ કરે છે, જેઓ આદરપૂર્વક તેનું શ્રવણ કરાવે છે, જેઓ તેનું બહુમાન કરે છે, જેઓ તેનો પાઠ કરે છે, સારી બુદ્ધિવાળા એવા જેઓ તેનું પઠન કરાવે છે, વળી જે ગુણવાનો પ્રયત્નપૂર્વક તેનું ચિંતન કરે છે, તેઓ જેમ વાદળાઓ તાપનો ક્ષય કરે, તેમ કર્મનો ક્ષય કરે છે. ૪૯ // Page #43 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे (रथोद्धता) बोधयन्त्यमलबोधशालिनो ये जनं जिनमतं महामतिम् । सत्त्वसार्थमखिले महीतले लीलयैव परिपालयन्ति ते ॥ ५० ॥ નિર્મળ જ્ઞાનથી શોભતા એવા જેઓ મહામતિ જનને જિનમતનો બોધ કરે છે, તેઓ લીલાથી જ સર્વ वोन। समूडनु परती ५२ पासन ४२. छ. ॥ ५० ॥ दर्शनचारित्रादेर्शानान्तर्भावतः पृथग् नोक्तम् । तद्रूपज्ञापनतो न परं दानं यतोऽस्यास्ति ॥ ५१ ॥ | દર્શન, ચારિત્ર આદિમાં જ્ઞાનનો અંતર્ભાવ થઈ ગયો હોવાથી તેને જુદુ કહ્યું નથી. કારણ કે દર્શનાદિના સ્વરૂપને જણાવવા કરતા ચઢિયાતું એનું (3) દાન નથી. ॥ ५१ ॥ गुणगौरवनाशकारणं स्यादर्थित्वमतीव निन्दितम् । ज्ञानस्य तदेव वन्दितं गुणगौरवकरमत्र कौतुकम् ॥ ५२ ॥ યાચકપણુ એ ગુણોના ગૌરવના નાશનું કારણ છે. એ અત્યંત નિંદિત છે. પણ જ્ઞાન માટે જે યાચકપણું Page #44 -------------------------------------------------------------------------- ________________ द्वितीयोऽवसरः ३१ હોય તે તો વંદિત છે. એ યાચકપણું તો ગુણગૌરવકાર छ. से सही औतु छे. ॥ ५२ ॥ (वसन्ततिलका) (१५-१) ज्ञानस्य कश्चिदपरो महिमाद्भुतोऽस्य दाताऽर्थिभिस्तदपरैः परिपूज्यतेऽतः । [अर्थी ह्यपीतरचयेन चयोऽपि सोऽपि] प्राप्तो [जनार्चनमहो ! भवति भवेऽस्मिन् ॥ ५३ ॥ આ જ્ઞાનનો કોઈ અપૂર્વ અદ્ભુત મહિમા છે કે જેથી દાતા યાચકો વડે અને બીજા વડે પૂજાય છે. તે યાચક પણ અન્ય જનના સમૂહ દ્વારા પૂજાય છે અને તે સમૂહ પણ આ સંસારમાં લોક દ્વારા પૂજન પામે છે. પણ (शार्दूलविक्रीडितम्) .........रेवामयसागरं गुरुधियो याताः सृजन्ति स्वयं यच्छात्राणि सुमेधसः सुकृति[नःसन्त्युच्चबोधास्तथा। यच्चापि सुबहुश्रुतत्वयशसां व्याप्नोति विश्वे चय-] स्तद्दत्तस्य निरीहमानमनसा ज्ञानस्य लीलायितम् ॥५४॥ .....४ विद्याथामी सन्मतिमान, पुयाणी अने ઉચ્ચ બોધ ધરાવનારા છે, તથા જે સારા બહુશ્રુતપણાના યશોનો સમૂહ વિશ્વમાં વ્યાપે છે, તે સર્વ નિસ્પૃહ અને નમ્ર મનથી આપેલા દાનનું ફળ છે. ॥ द्वितीयोऽवसरो (१५-२) ऽवसितः ॥ Page #45 -------------------------------------------------------------------------- ________________ तृतीयोऽवसरः (वसन्ततिलका) दानं द्वितीयमभयस्य तदद्वितीयं धर्मस्य साधनमबाधनधीधनानाम् । [श्रीशान्तिनाथभगवान् यदहो प्रदाय, जातो जिनेश्वर इहामरपूज्यपा]दः ॥ १ ॥ બીજું દાન એ અભયદાન છે. જેમની તિ દયાપ્રધાન છે, તેમને માટે એ ધર્મનું અતુલ્ય સાધન છે. શ્રી શાંતિનાથ ભગવાન અહીં અભયદાન આપીને જિનેશ્વર થયા, જેમના ચરણોને દેવો પણ પૂજતા હતાં. ॥ १ ॥ वपुरिव वदनविहीनं वदनमिव विलुप्तलोचनाम्भोजम् । एतद्विकलं सकलं [न शालते धर्मिणां कृत्यम् ] ॥२॥ જેમ મસ્તક વિનાનું શરીર હોય, અને નયનકમળ વિનાનું મુખ હોય, તેમ અભયદાન વિના ધર્મિષ્ઠોનું સર્વ नृत्य शोभतुं नथी. ॥ २ ॥ (द्रुतविलम्बितम् ) यजनपूजनकृत्यमनेकशो गुरुजटादिविधानमनेकधा । Page #46 -------------------------------------------------------------------------- ________________ तृतीयोऽवसरः निखिलमेतदनेन विवर्जितं तमसि नर्तनमेव निवेदितम् ॥ ३ ॥ અનેકવાર યજ્ઞ, પૂજનનું અનુષ્ઠાન, મોટી જટા વગેરેનું અનેક પ્રકારનું વિધાન, આ બધું જો અભયદાનથી રહિત હોય, તો એ અંધકારમાં નૃત્યની જેમ વ્યર્થ છે. એવું જ્ઞાનીઓએ કહ્યું છે. તે ૩ | (મન્નાન્તિા ) TIT ज्ञानाभ्यासो गुरुजननुतिः पर्युपास्तिस्तथैव, ध्यानं मौनं व्रतसुविसरो दुस्तपं सत्तपोऽपि । [૬-હાની પ્રરહિમશ્રીરસેન્દ્રાન્વિતાનિ श्रेयः साध्यं फलमविकलं कुर्युरतद्युतानि ॥ ४ ॥ જ્ઞાનનો અભ્યાસ, ગુરુજનોની સ્તુતિ, પર્યાપાસના તથા ધ્યાન, મૌન, વ્રતોનો સુંદર સમૂહ, દુષ્કર એવો સમ્યફ તપ પણ પ્રગટ મહિમાવાળા શોભાવાન પારાથી યુક્ત ........ ની જેમ અભયદાનથી યુક્ત હોય તો મનોવાંછિત કલ્યાણ ફળને સંપૂર્ણરૂપે આપે છે. તે ૪ / लाभविकलं वाणिज्यं भक्तिविहीनं च देवतास्तवनम् । ज्ञानं च जीवरक्षणरहितं भस्मनि हुतं नियतम् ॥५॥ લાભ વગરનો વેપાર, ભક્તિ વગરની Page #47 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे ભગવાનની સ્તુતિ અને જીવના રક્ષણથી રહિત જ્ઞાન આ ત્રણે વસ્તુ ભસ્મમાં ઘી નાખવા જેવી નિષ્ફળ છે. 11 4 11 ३४ वदतु विशदवर्णं कर्णपीयूषवर्षं पठतु ललितपाठं भव्यकाव्यं करोतु । विमलसकलशास्त्रं बुद्ध्यतां शुद्धबुद्धि यदि न खलु दयालुः स्यात्तदाऽरण्यरोदी ॥ ६ ॥ - કાનમાં જાણે અમૃતની વર્ષા થતી હોય, તેમ સ્પષ્ટ અક્ષરોવાળી વાણી ભલે બોલે, વૈવિધ્યસભર પાઠ ભલે કરે, સુંદર કાવ્ય ભલે બનાવે, વિમલ અને સકળ શાસ્ત્રને ભલે જાણે, ભલે એ વિશુદ્ધ મતિવાળો ગણાતો હોય, પણ જો એ દયાળુ ન હોય, તો એ જંગલમાં રુદન કરવા જેવું નિષ્ફળ કાર્ય જ કરે છે. | ૬ || पठितं श्रुतं च शास्त्रं गुरुपरिचरणं च गुरुतपश्चरणम् । घनगर्जितमिव विजलं विफलं સાંદ્યાવિ[૬-ર]તમ્ || ૭ || ભણતર, ધર્મશ્રવણ, શાસ્ત્રાભ્યાસ, ગુરુસેવા, મોટી તપસ્યા.. આ બધું જ દયારહિત હોય તો એ પાણી વિનાની મેઘગર્જનાની જેમ નિષ્ફળ છે. || ૭ || Page #48 -------------------------------------------------------------------------- ________________ तृतीयोऽवसरः दीक्षाऽऽदानं गुरुपदयुगाराधनं भावसारं ज्ञानाभ्यासः सुचिररचितश्चित्तवृत्तेनिरोधः । गाढाः सोढा दृढतरधिया दुःसहा शीतवाता: वह्नावुप्तं ननु यदि दयाशून्यमेतत् समस्तम् ॥ ८ ॥ દીક્ષા ગ્રહણ, અત્યંત ભાવપૂર્વક ગુરુચરણની ઉપાસના, જ્ઞાનાભ્યાસ, લાંબા સમય સુધી મનને નિયંત્રણમાં રાખવું, ખૂબ હિંમતપૂર્વક અત્યંત દુઃષત ઠંડા પવનોને સહન કરવા.. આ બધું જો દયારહિત હોય, તો એ અગ્નિમાં વાવેતર કરવા સમાન છે. | ૮ || तदेतद्धर्मसर्वस्वं तदेतद्धर्मजीवितम् । रहस्यमेतद्धर्मस्य यदेतत् प्राणिरक्षणम् ॥ ९ ॥ જીવરક્ષણ એ જ ધર્મનું સર્વસ્વ છે, એ જ ધર્મનું જીવન છે, અને એ જ ધર્મનું રહસ્ય છે. / ૯ // जन्म पुरुषार्थरहितं पुरुषार्थो धर्मवर्जितः पुंसाम् । धर्मश्च दयाविकलो विफलं च विडम्बनं चेदम् ॥१०॥ પુરુષાર્થ વિનાનો પુરુષોનો જન્મ નિષ્ફળ છે, ધર્મ વિનાનો પુરુષાર્થ નિષ્ફળ છે. અને દયાવિનાનો ધર્મ નિષ્ફળ છે અને આ એક વિડંબના જ છે. || ૧૦ || Page #49 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे विभवविकलो विलासी विकामिनीकश्च कामुकविलासः । रमणी च रू [ १७- १] परहिता न शोभते निर्दयो धर्मः ॥ ११ ॥ ३६ જેની પાસે વૈભવ નથી, તે વિલાસમાં મગ્ન રહે, તો એ જેમ શોભતો નથી. પ્રેમિકા હાજર જ ન હોય, ત્યારે પ્રેમીની પ્રેમચેષ્ટા જેમ શોભતી નથી. અને જેમ રૂપ વિના નારી શોભતી નથી, તેમ દયા વિનાનો ધર્મ પણ શોભતો નથી. ।। ૧૧ ।। विनयविहीनं शिष्यं गुरुमपि तत्त्वोपदेशनाशून्यम् । निर्जीवदयं धर्मं न जातु सन्तः प्रशंसन्ति ॥ १२ ॥ વિનય વિનાનો શિષ્ય પ્રશંસાપાત્ર નથી થતો. તત્ત્વોપદેશ વિનાના ગુરુ પણ પ્રશંસાપાત્ર નથી થતા. તે રીતે જીવદયા વિનાના ધર્મની પણ સજ્જનો કદી પ્રશંસા કરતા નથી. । ૧૨ ।। जीवितव्यादपि श्रेष्ठं प्राणिनां वस्तु नापरम् । तत्साधनं तदर्थं च समस्तमपरं यतः ॥ १३ ॥ જીવોને મન જીવન કરતાં પણ વધુ ઉત્તમ વસ્તુ કોઇ નથી. કારણ કે ધન વગેરે બધી વસ્તુ જીવનને ટકાવવા માટે અને જીવનના ‘સાધન’ રૂપે હોય છે. । ૧૩ ।। Page #50 -------------------------------------------------------------------------- ________________ ३७ तृतीयोऽवसरः जन्तूनां जीविते दत्ते किं न दत्तमिहापरम् । अपनीतेऽपनीतं वा तन्मूलमखिलं यतः ॥ १४ ॥ જીવોને જીવતદાન આપો, એટલે શું નથી આપ્યું? અને તેનું જીવિત હરી લો એટલે શું નથી કરી લીધું ? ॥२९॥ 3 धी वस्तुनी माघार वन ४ छे. ॥ १४ ॥ पुत्रं मित्रं कलत्राणि जीवितार्थेऽर्थसम्पदम् । त्यजन्ति जन्तवो जातु जीवितं न कथञ्चन ॥ १५ ॥ જીવન માટે જીવો પુત્ર, મિત્ર, પત્નીઓ અને ધનસંપત્તિને છોડી દે છે, પણ કોઈ રીતે કદી જીવિતને छोउ। तैयार थत। नथ.. ॥ १५ ॥ प्राणेभ्यो नापरं प्रेयो न पुण्यादपरं हितम् । न प्राणिरक्षणादन्यद् पु[१७-२]ण्यं जगति विद्यते ॥१६॥ પોતાના પ્રાણથી પણ વધુ કાંઇ પ્રિય નથી, પુણ્યથી વધુ કોઈ હિતકારક નથી, જીવરક્ષણ સિવાય ४तम टुं पुष्य नथी. ॥ १६ ॥ राज्यं प्राज्यं ललितललना मत्तमातङ्गपूगान् । भक्तान् पत्तीन् पवनजविनो वाजिनः स्यन्दनाँश्च । भाण्डागारं नगरनिकरं मेदिनीमन्यदिष्टं दिव्यं सर्वं तृणमिव जनो जीवितार्थे जहाति ॥ १७ ॥ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ दानादिप्रकरणे વિશાળ રાજ્ય હોય, સુંદર યુવતી હોય, કે મદોન્મત્ત હાથીઓ હોય. ભક્ત સેવકો હોય, પવન વેગી ઘોડાઓ હોય, કે રથો હોય. ખજાનો હોય, નગરો હોય, સમગ્ર પૃથ્વી હોય, કે અન્ય પ્રિય દિવ્ય વસ્તુ હોય. માણસ જીવન માટે તે બધી વસ્તુને એ રીતે છોડી દે છે, કે જાણે ઘાસને છોડી દેતો હોય. / ૧૭ છે. एकच्छत्रं ददात्येको महादाता महीतलम् । प्राणानन्यस्तु वध्यस्य प्राणदाताऽतिवल्लभः ॥ १८ ॥ એક મહાન દાતા ધરતીનું એકછત્રી સામ્રાજ્ય વધ્યને (જનો વધ થવાનો છે, તે વ્યક્તિને) આપે, અને અન્ય જણ તેને જીવનદાન આપે, તો જીવનદાન આપનાર જ તેને અત્યંત વ્હાલો લાગે છે. તે ૧૮ // प्राणत्राणात् परं दानं ज्ञानाभ्यासात् परं तपः । जिनागमात् परं शास्त्रं नास्त्याराध्यं गुरोः परम् ॥१९॥ જીવનરક્ષણથી મોટું કોઈ દાન નથી. જ્ઞાનાભ્યાસથી મોટો કોઈ તપ નથી. જિનાગમથી મોટું કોઈ શાસ્ત્ર નથી અને ગુરુથી મોટા કોઈ આરાધ્ય નથી. Page #52 -------------------------------------------------------------------------- ________________ तृतीयोऽवसर: अभयदाननिदानतया स्तुतं वितरणं तु चिदः खलु कोविदैः । [१८-१] अशनसद्धसनाद्यपि दीयते जगति जीवितपालनलोलुपैः ॥ २० ॥ ३९ જ્ઞાન એ અભયદાનનું કારણ છે, માટે જ્ઞાનદાનની વિદ્વાનોએ પ્રશંસા કરી છે. જગતમાં જીવન ટકાવવાની સ્પૃહા ધરાવતા જીવો ભોજન, કિંમતી વસ્ત્રો વગેરે પણ खायी हे छे. ॥ २० ॥ निखिलदानफलं तदिदं मतं मतिमतामभयस्य विहायितम् । सकलसत्त्वसमूह(समी?) हितं महदतो महितं जगते हितम् ॥ २१ ॥ આ સર્વ દાનોનું જે ફળ મળે, તેવું અભયદાનનું ફળ મળે છે એવો વિદ્વાનોનો વિહાયિત (?) મત છે. અભયદાન એ સર્વ જીવોના સમૂહને ઇષ્ટ છે, મહાન છે, જગતનું હિતકારક છે, માટે અભયદાન એ अडुमानपात्र छे. ॥ २१ ॥ ज्ञानदानं समीहन्ते महीयांसो महाधियः । महनीया महाभागा विरलाः केऽपि मानवाः ।। २२ ।। Page #53 -------------------------------------------------------------------------- ________________ ४० दानादिप्रकरणे મહામતિ, મહાન, પૂજનીય, મહાસૌભાગ્યશાળી, એવા કેટલાક વિરલા માનવો જ્ઞાનદાનની ઇચ્છા કરે છે. // ૨૨ || अन्नादेश्च ग्रहीतारस्तारकास्तारचेतसः । दुर्लभा मुनयोऽन्येऽपि दीनाद्याः कतिचिन्नराः ॥२३॥ વળી, અન્ન વગેરેનું ગ્રહણ કરનારા, તારક, વિશાળ હૃદયવાળા એવા મુનિઓ દુર્લભ હોય છે. (સુપાત્રદાનનો યોગ મળવો સહેલો નથી.) વળી કેટલાક દીન (ભિખારી) વગેરે મનુષ્યો પણ દુર્લભ હોય છે. ર૩ છે. सम्पत्त्यभावादशनादि दातुं ज्ञानं च शक्यं सकलैन लोकैः । अदीय[१८-२]मानेऽपि न च गयेऽपि सम्पद्यतेऽस्मिन्नरकादिपातः ॥ २४ ॥ બધા લોકો પાસે તેવી સંપત્તિ કે વિદ્વત્તા નથી હોતી, માટે બધા લોકો અન્ન વગેરે કે જ્ઞાન આપી શકતા નથી. વળી “અન્ન વગેરેનું દાન કે જ્ઞાનનું દાન ન કરો તો નરકમાં જવું પડે,” એવું પણ નથી. ર૪ || Page #54 -------------------------------------------------------------------------- ________________ तृतीयोऽवसरः अभयमदत्तं दारुणनरकादिनिपातकारणं तेन । स्ववशमकष्टमनश्वरमनिशं देयं कुशलकामैः ॥ २५ ॥ પણ અભયદાન ન આપો તો ભયંકર નરક વગેરે દુર્ગતિમાં જવું પડે છે. અભયદાન સ્વાધીન છે, અભયદાન આપવામાં કોઈ કષ્ટ નથી પડતું. અભયદાનનું ફળ અક્ષય છે, માટે જેઓ કલ્યાણને ઇચ્છે છે, તેમણે અભયદાન આપવું જોઈએ. // ૨૫ / विषयोऽस्य सर्वजीवा मुक्ताः संसारिणश्च ते द्वेधा । संसारिणो द्विधा स्युः स्थावरजङ्गमविभागेन ॥ २६ ॥ અભયદાન સર્વ જીવોને આપવું જોઈએ. જીવો બે પ્રકારના છે, મુક્ત અને સંસારી. સંસારી જીવો બે પ્રકારના છે – સ્થાવર અને ત્રસ. // ર૬ / अवनिवने पवनसखः पवनश्च वनस्पतिश्च पञ्चविधाः। स्थावरसंज्ञा ज्ञेया विकलाक्षा द्वित्रिचतुरक्षाः ॥ २७ ॥ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પાંચ પ્રકારના જીવો સ્થાવર સમજવા. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય આ ત્રણ પ્રકારના જીવો વિકલેન્દ્રિય સમજવા. / ર૭ | Page #55 -------------------------------------------------------------------------- ________________ ४२ दानादिप्रकरणे पञ्चेन्द्रियैः सहैते जङ्गमनाम्ना समाम्नाताः । इति जीवा निजजीवितसदृशाः શા (સવા) ૬-૨]શ્યા: ર૮ / આ ત્રણ પ્રકારના જીવો અને પંચેન્દ્રિય જીવો ત્રસ કહેવાયા છે. આ સર્વ જીવો પોતાના જેવા જ જીવનને ધરાવે છે, એવું જોવું જોઈએ. || ૨૮ || नानादुःसहदुःखदूनमनसो दीना दयाभाजनं, जायन्ते यदतीवतीव्रविविधव्याधिव्यथाव्याकुलाः । दारिद्र्योपहताः पराभवपदं यन्मानिनो मानवास्तन्मन्ये परपीऽनाविषतरोः पुष्पं फलं चापरम् ॥२९॥ અનેક પ્રકારના દુઃષહ દુઃખોથી જેમનું મન દુભાયું છે, જેઓ દીન અને દયાપાત્ર છે, અત્યંત ઉગ્ર એવા અનેક પ્રકારના રોગોની વેદનાથી જેઓ વ્યાકુળ છે, જેઓ ગરીબીથી ત્રસ્ત છે, સ્વમાની એવા પણ જે માનવો અપમાન પામે છે, તે બધું બીજાને પીડા આપવા રૂપ ઝેરી વૃક્ષનું ફૂલ અને ફળ છે, એવું હું માનું છું. તેરા उदग्रतारुण्यजुषां च योषितां यदत्र वैधव्यमहाविडम्बना । Page #56 -------------------------------------------------------------------------- ________________ 83 तृतीयोऽवसरः भवेदथो दुर्भगतादरिद्रता - મૃત્યો નિર્દયતાવિકૃષ્મિતમ્ ૩૦ ઉત્કટ યૌવન ધરાવતી સ્ત્રીઓને પણ અહીં જે વિધવાપણાની મહાવિડંબના થાય છે, વળી જે દુર્ભાગ્ય, ગરીબી વગેરે થાય છે, એ નિર્દયતાનું પરિણામ છે. | ૩૦ || सम्पद्यते मृतापत्या पत्या नित्यं वियुज्यते । पतत्यत्यन्तसापत्न्ये स्त्री निस्त्रिंशतयाऽनिशम् ॥ ३१ ॥ નિર્દયતાને કારણે સ્ત્રીને મરેલા બાળક અવતરે છે, હંમેશા પતિ સાથે વિયોગ થાય છે. અને સદા શોક્યને કારણે દુઃખ થાય છે. | ૩૧ છે. इहामगर्भेषु च यान्ति जन्तवो [१९-२] मृतिं कुमारास्तरुणाश्च दारुणाम् । अपूर्णकामा कमनीयकामिनीમનોરમ નિયતાપ્રાત: છે રૂર છે. નિર્દયતાને કારણે જીવો કાચા ગર્ભોમાં જ મૃત્યુ પામે છે. કિશોર અવસ્થામાં કે યુવાનીમાં જ ભયંકર મોતને ભેટે છે. સુંદર સ્ત્રીના મનને પ્રિય હોય એવા પણ યુવાનો નિર્દયતાને કારણે પોતાની કામનાઓને પૂર્ણ કરી શકતા નથી અને મૃત્યુ પામે છે. તે ૩૨ // Page #57 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे यज्जीवलोके लोकानामकल्याणं विलोक्यते । हिंसाफलमिदं सर्वं वदन्ति वदतांवराः ॥ ३३ ॥ જે જીવલોકમાં લોકોનું અકલ્યાણ દેખાય છે, તે સર્વ હિંસાનું ફળ છે એમ ઉત્તમ ઉપદેશકો કહે છે. ॥ 33 ॥ दहनदम्भनवाहनदोहनै-र्वधविबन्धनरोधनकर्तनैः । दमनभेदनखेदनमारणप्रमुखदुःखगणैरतिदारुणैः ॥३४॥ दन्दान्ते कृपापात्रं विचित्रैः पशवोऽत्र यत् । स जन्तुघातसञ्जातपापपादपपल्लव: ॥ ३५ ॥ s, j, मा२ १४न ४२वो, होडाj, वीj, wig, पूरी ४, ५g, भy, Aj, मा५वो, મારવું વગેરે અતિ ભયંકર વિવિધ દુઃખોથી જે અહીં પશુઓ નિર્દયતાપૂર્વક જાણે ભડકે બળી રહ્યા છે, તે જીવહિંસાથી થયેલા પાપ-વૃક્ષનો પલ્લવ છે. ૩૪-૩પી. उदन्यया दुःसह[२०-१]याऽशनायया नितान्तशीतातपवातपीडया । मृतिं मृगाद्या गुरुभिर्गदव्रजैव्रजन्ति तज्जन्तुविघातचेष्टितम् ॥ ३६ ॥ દુઃષહ ભૂખ, તરસ, અત્યંત ઠંડા-ગરમ પવનોની Page #58 -------------------------------------------------------------------------- ________________ तृतीयोऽवसरः પીડા, મોટા રોગો... આ બધાને કારણે હરણ વગેરે પ્રાણીઓ મૃત્યુ પામે છે, તે જીવહિંસાનું ફળ છે. li૩૬ll असम्प्राप्तप्रतीकाराः सतां कारुण्यगोचराः । વિરે નવન્તિ રોમર્તા નૈવાતિહિનેવર: | રૂ૭ છે. આદિવાસીઓને કોઈ સારવાર-ચિકિત્સા નથી મળતી, સજ્જનોને તેમના પર દયા આવે છે, તેઓ દીર્ઘ કાળ સુધી રોગની પીડા સાથે જીવે છે, તે જીવહિંસાનું ફળ છે. તે ૩૭ | प्रपाय्यन्ते तप्तं त्रपु दहनकल्पं दहदहो प्रखाद्यन्ते मांसं निजतनुसमुत्थं सुविरसम् । विपाट्यन्ते चित्रैर्निशितकरपत्रैरकरुणं प्रशाय्यन्ते शय्यां प्रतिदहन[२०-२]हेतिप्रतिभयाम् ॥३८॥ નરકમાં અગ્નિ જેવું દાહક તપાવેલું તાંબુ પરાણે પીવડાવાય છે. સાવ બેસ્વાદ એવું પોતાના શરીરનું માંસ જબરદસ્તીથી ખવડાવાય છે. નિર્દયતાથી ધારદાર કરવતોથી શરીરના ટુકડે ટુકડા કરી દેવાય છે. અગ્નિશસ્ત્ર જેવી ખૂબ ભયંકર શય્યામાં પરાણે સૂવડાવાય છે. // ૩૮ // Page #59 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे कुम्भीपाकेन बध्यन्ते प्रास्फाल्यन्ते शिलातले । पील्यन्ते चित्रयन्त्रेषु परतन्त्रा यथेक्षवः ॥ ३९ ॥ વળી કુંભમાં નાખીને બાંધવામાં (પકાવવામાં) આવે છે. શિલાતલ પર જોરથી પછાડવામાં આવે છે. જાણે શેરડી હોય તેમ વિવશ જીવોને વિવિધ યંત્રોમાં पीली नवम भावे छे. ॥ ३८ ॥ इत्थं कदर्थनमनेकविधं सहन्ते यन्नारका नरककूपकमध्यमग्नाः । कालं प्रभूतमतिमात्रमनन्तरालं हिंसाफलं तदखिलं खलु खेलतीह ॥ ४० ॥ આ રીતે નરક-કૂવામાં પડેલા નારકો જે અનેક ५२नी ४४र्थनामीने सहन ७२ छे.. ५९॥ सुधी... वय्ये मातविना... अढ प्रभामा सउन छे. से मधु हिंसान ४ ३ छ. ॥ ४० ॥ जन्तूपघातजनितोत्कटपातकस्य मत्वा कटुं प्रकटमत्र विपाकमेनम् । भव्या भवन्तु भवसम्भवदुःखभीताः प्राणिप्रबन्ध[२१-१]परिरक्षणबद्धकक्षाः ॥ ४१ ॥ આ રીતે જીવ હિંસાથી થયેલા ઉગ્ર પાપનું આ Page #60 -------------------------------------------------------------------------- ________________ तृतीयोऽवसर: પ્રગટ કડવું ફળ માનીને સંસારમાં થતા દુ:ખથી ભયભીત ભવ્ય જીવો જીવદયામાં તત્પર થાઓ. || ૪૧ // येषां यत्र समुत्पत्तिस्तेषां तत्र परा रतिः ।। निम्बकीटस्य निम्बेऽपि रतिर्लोकेऽपि कथ्यते ॥४२॥ જેમની જ્યાં ઉત્પત્તિ થાય, ત્યાં તેમને પરમ આનંદ થાય છે. લોકોમાં પણ કહ્યું છે કે, લીમડાના કીડાને લીમડામાં રતિ થાય છે. // ૪ર || पुरन्दरः पुरन्दारैरुदारैः सममामरीम् । अधिष्ठितो यथा मर्तुं तथा मोऽपि नेच्छति ॥४३॥ સુંદર દેવો સાથે ઇન્દ્ર દેવલોકમાં બેઠો છે. તેને જેમ મરવું નથી, તેમ મનુષ્યને પણ મરવું નથી. //૪૩ી. अमेध्यमध्ये कीटस्य सुरेन्द्रस्य सुरालये । समाना जीविताकाङ्क्षा तुल्यं मृत्युभयं द्वयोः ॥४४॥ ' અરે, અશુચિમાં રહેલો કીડો હોય, કે દેવલોકમાં રહેલો દેવેન્દ્ર હોય, એ બંનેને જીવવાની ઇચ્છા સમાન છે, અને એ બંનેને મૃત્યુનો ભય પણ સમાન છે. ને ૪૪ || दरिद्रो दुर्भगो दुस्थ: सदाधिव्याधिबाधितः । पराश्रितः पराभूत: प्राणी प्राणितुमिच्छति ॥ ४५ ॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૮ दानादिप्रकरणे જે ગરીબ અને કમનસીબ હોય, ખરાબ સ્થિતિમાં હોય, હંમેશા આધિ-વ્યાધિથી પીડિત હોય, પરાધીન હોય, તિરસ્કાર પામ્યો હોય, એવો પણ જીવ જીવવા ઇચ્છે છે. ૪૫ / येन ये[२१-२]न प्रकारेण प्राणिनां जायते व्यथा । तं तं दूरेण धर्मार्थी वर्जयेद् दुर्जनं यथा ॥ ४६ ॥ જે જે રીતે જીવોને પીડા થાય, તેનો તેનો ધર્માર્થીએ દૂરથી જ તેવી રીતે ત્યાગ કરવો જોઈએ, કે જેમ કે જે રીતે દુર્જનનો ત્યાગ કરાય છે. ૪૬ सकलरोगजराविकला जना जनितसज्जनमानसरञ्जनाः । यदतुलं विलसन्ति चिरायुषસ્તવ્રતં વ્રનું નીવડ્યાતિમ્ | ક | | સર્વ રોગો અને ઘડપણથી રહિત, સજ્જનોના મનને આનંદ આપનારા, લાંબા આયુષ્યવાળા, એવા લોકો જે અદ્વિતીય સુખોને ભોગવે છે, તે બધું જીવદયાનું ફળ છે. ૪૭ | रतिं रतेरुत्तमरूपसम्पदा सदा नुदन्त्यः सुखसम्पदां पदम् । Page #62 -------------------------------------------------------------------------- ________________ तृतीयोऽवसर: दयानुभावेन विभूतिभाजनं મન રામી: સુમન: શુમાના: || ૪૮ . જેઓ ઉત્તમ રૂપવૈભવથી રતિ(કામદેવની પ્રિયા)ની રતિને પણ દૂર કરે છે. (જેમના રૂપને જોઈને રતિને પણ ઈર્ષ્યા થઇ જાય છે.) જેઓ સુખસંપત્તિઓના પાત્ર છે, જેઓને સમૃદ્ધિ વરે છે, જેઓ સૌભાગ્યવતી અને પ્રશસ્ત પુત્રવાળી છે, એવી સ્ત્રીઓના રૂપ વગેરેનું કારણ જીવદયા છે. |૪૮ | कन्दर्प नष्टदएँ प्रविदधदधिकं देहकान्त्या लसन्त्या लोकानां नेत्रपात्रैर्नव इव રરર-નીનાયક પાયમાન: मर्त्यः पुत्रैः कलत्रैर्विरहविरहितो मोदते दीर्घकालं कल्प: कल्याणहेतोरभयवितरणात्तारतारुण्यपुण्यः ॥४९॥ જે મનુષ્ય પોતાની લસલસતી અધિક શરીર કાંતિથી કામદેવના અભિમાનને ય ઓગાળી દે છે, જાણે નવો ચન્દ્ર હોય એમ નેત્રપાત્રથી લોકો જેનું પાન કરે છે. જેને પુત્રો અને પત્નીઓ સાથે વિયોગ થતો નથી. જે સમર્થપણે દીર્ધકાળ સુધી આનંદ પામે છે. જે ઉત્કટ યૌવનથી વિભૂષિત છે, એવા મનુષ્યની કાંતિ વગેરેનું કારણ કોઇ હોય, તો એ છે કલ્યાણકારક અભયદાન. / ૪૯ // Page #63 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे निर्व्यासङ्गमनङ्गतापरहिता यत् प्रेयसीसङ्गताः श्रीश्रृङ्गाररसैकसागरगता निश्चिन्तचित्ता नराः । नीरोगा जरसा विमुक्तवपुषो जीवन्ति पल्यत्रयं तन्मन्येऽभयदाननिर्मललसच्चिन्तामणेश्चेष्टितम् ॥५०॥ કોઈ પણ વિદન વિના, કામવાસનાજનિત સંતાપથી રહિત, પ્રિયાની સાથે, લક્ષ્મી અને શણગાર રૂપ રસના અદ્વિતીય સાગરમાં રહેલા, નિશ્ચિત્ત મનવાળા, નીરોગી, ઘડપણરહિત શરીરવાળા એવા મનુષ્યો ત્રણ પલ્યોપમ સુધી જીવે છે તે અભયદાનરૂપ નિર્મળ તેજસ્વી ચિંતામણિનું ફળ છે, એવું હું માનું છું. || ૨૦ || अनुत्तरनिवासिनो [२२-२] यदतराणि भूयांस्यहो सदा सुखमनुत्तमं शिवसुखोपमं भुञ्जते । अचिन्त(न्त्य)मवपुःक्रियं विगतपारवश्यव्यथा व्यतीतविषयस्पृहास्तदतुलं दयायाः फलम् ॥ ५१ ॥ ઘણા સાગરોપમો સુધી અનુત્તરવાસી દેવો મોક્ષસુખ જેવા સર્વશ્રેષ્ઠ સુખને હંમેશા ભોગવે છે. તેમનું સુખ અચિન્ય હોય છે, તેમાં શરીરની કોઈ ચેષ્ટા નથી હોતી. તે દેવોને પરવશતાજનિત પીડા નથી હોતી. તેમને વિષયોની સ્પૃહા પણ નથી હોતી. આ બધું દયાનું બેજોડ ફળ છે. | પ૧ / Page #64 -------------------------------------------------------------------------- ________________ तृतीयोऽवसरः यन्निर्वाणे जननमरणव्याधिमुक्ते विमुक्ता वाञ्छोच्छेदोच्छलितकलितक्लेशविश्लेषसौख्ये । श्लाघ्यस्थानोपमितिरहिते नित्यमेकान्तकान्ते सन्तिष्ठन्ते विलसितमिदं प्राणिसंरक्षणस्य ॥ ५२ ॥ જ્યાં જન્મ, મરણ અને રોગ નથી. જ્યાં ઇચ્છામાત્રનો વિચ્છેદ થવાથી સર્વ ક્લેશો ટળી ગયા છે. તેથી જ્યાં સુખમાત્ર છે. જેને બીજા કોઈ પ્રશંસાપાત્ર સ્થાનની ઉપમા આપી શકાય તેમ નથી. જે એકાંત સુંદર છે. એવા મોક્ષમાં મુક્ત જીવો પ્રતિષ્ઠિત છે, તે જીવનસંરક્ષણનું ફળ છે. | પર . स्वर्गापवर्गसुखसम्पदियं परोक्षा प्रत्यक्षमेव फलमेतदहिंसकस्य । यत्प्रस्तुतस्तुतिकृतानति विश्वविश्वं विश्वासमेति कु[शलाशयबन्धु][२३-१] रत्वम् ।। ५३ ।। આ સ્વર્ગ અને મોક્ષની સુખસંપત્તિ તો પરોક્ષ છે. અહિંસકને પ્રત્યક્ષ જ આ ફળ મળે છે કે અહીં કહેલ સ્તુતિથી સમગ્ર વિશ્વ તેને પ્રણામ કરે છે અને પ્રશસ્ત અધ્યવસાયથી સૌન્દર્ય પામીને તે વ્યક્તિ (દયાળુ) પર દ્રઢ વિશ્વાસ ધરાવે છે. || પ૩ // તૃતીયો વસો સિત: | ડાવાગ' Page #65 -------------------------------------------------------------------------- ________________ चतुर्थोऽवसरः अन्नादिदानमिदमस्तनिदानबन्धं सद्भावनाविधिपरस्य भवप्रबन्धम् । छिन्ते यशो वितनुते कुशलं प्रसूते दातुः परं जनयतीह जनानुरागम् ॥ १ ॥ જેમાં કોઈ નિદાનજનિત બંધ નથી, એવું અન્ન વગેરેનું દાન સભાવનાની વિધિમાં તત્પર એવા જીવની સંસારપરંપરાને છેદે છે, તે દાતાનો યશ પ્રસારે છે, તેનું કલ્યાણ કરે છે અને લોકોને દાતાના પરમ અનુરાગી બનાવે છે. / ૧ / आगांसि संस्थगयति प्रकटीकरोति विद्यादिकं गुणगणं गणनां विधत्ते । क्रुद्धं प्रसादयति सादयते विपत्तिं सम्पत्तिमानयति किं न शुभं बिभर्ति ॥ २ ॥ અન્ન વગેરેનું દાન અપરાધોને ઢાંકી દે છે, વિદ્યા વગેરે ગુણ સમૂહને પ્રગટ કરે છે, બહુમાન પાત્ર બનાવે છે, કોઈ પોતાના પર ગુસ્સે થયો હોય તેને પ્રસન્ન કરે છે, વિપત્તિનો નાશ કરે છે, સંપત્તિનો સમાગમ કરાવે છે. ખરેખર, અન્ન વગેરેનું દાન કર્યું કલ્યાણ નથી કરતું? || ૨ | Page #66 -------------------------------------------------------------------------- ________________ चतुर्थोऽवसर: स्वर्गादिमुख्यसुखसम्पदवाप्तिहेतुः संसारसागरसमुत्तरणैकसेतुः । ५३ दानं जिनेन सदनस्थजनस्य युक्तमग्रेसरं सुकृतसा[२३-२]धनमेतदुक्तम् ॥ ३ ॥ આ દાન એ સ્વર્ગ વગેરે મુખ્ય સુખસંપત્તિને પ્રાપ્ત કરવાનું કારણ છે, સંસારસાગરને પાર ઉતરવા માટે સેતુ સમાન છે. ગૃહસ્થજનોએ દાન કરવું ઉચિત છે. દાન એ પુણ્યનું પ્રધાન સાધન છે, એમ જિનેશ્વરે કહ્યું 9. 11 3 11 शूरः सुरूपः सुभगोऽस्तु वाग्मी शस्त्राणि शास्त्राणि विदाङ्करोतु । दानं विना दिग्वलयं समस्तं मर्त्यो न कीर्त्या धवलं विधत्ते ॥ ४ ॥ शूरवीर, ३५वान, सौभाग्यशाणी, विशिष्ट वडता ભલે હોય. શસ્ત્રપ્રયોગો અને શાસ્ત્રોને તે ભલે જાણતો હોય. પણ જોએ મનુષ્ય દાનેશ્વરી ન હોય તો એ પોતાના યશથી સમસ્ત દિશાઓના વર્તુળને ઉજ્જવળ કરી શકતો नथी. ॥ ४ ॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे आहाराद्यं भवति ददता साधुदेहं प्रदत्तं दत्ते देहे सफलमतुलं निर्मलं धर्मकर्म । तस्माद्दानं निरुपममिदं साधनं धर्मराशेरस्याभावे विरमति यतो मुक्तिमार्गः समग्रः ॥ ५ ॥ જે મુનિઓને આહાર વગેરે આપે છે, તેણે તો મુનિનો દેહ આપ્યો છે. (કારણ કે દેહ એ આહાર વગેરે વિના ટકી શકતો નથી.) અને દેહ આપ્યો, એટલે સમગ્ર અદ્વિતીય શુદ્ધ ધર્માનુષ્ઠાન આપ્યું છે. (કારણ કે શરીર વિના ધર્માનુષ્ઠાન ન થઈ શકે.) માટે આ દાન એ ધર્મરાશિનું નિરુપમ સાધન છે. કારણ કે અન્નાદિના દાન વિના સમગ્ર મોક્ષમાર્ગ અટકી જાય છે. / ૫ / अकलाकुशले कुलशीलवर्जिते सकलविमलगुणाविफले दातरि कल्पतराविव नरेऽनुरज्यन्ति जननिवहाः ॥६॥ મનુષ્ય કળાકુશળ ન હોય, ઉત્તમ કુલ-શીલથી સંપન્ન ન હોય, સર્વ નિર્મળ ગુણોથી રહિત હોય, તો પણ જો તે દાતા હોય, તો લોકસમૂહો કલ્પવૃક્ષની જેમ તેના પર રાગ કરે છે. તે ૬ ! अशेषदोषसङ्घातं दानमे [२४-१]कं शरीरिणाम् । तिरोदधाति वस्तूनां रूपं वान्तभिवोद्धतम् ॥ ७ ॥ Page #68 -------------------------------------------------------------------------- ________________ चतुर्थोऽवसरः भ. उद्धत पन्त (3टी ?) वस्तुमोन। १३५ने ઢાંકી દે છે, તેમ એક દાન જ જીવોના સર્વ દોષોના समूडने ढisी. हे छ. ॥ ७ ॥ शीलं कुलं कुशलतां च कलाकलापे शौचं शुचीनि चरितानि तथाऽपराणि । विश्राणनं तनुमतां नयति प्रकाशं वस्तूनि रोचिरिव चण्डरुचेः प्रचण्डम् ॥ ८ ॥ शील, हुण, जामीन। समूहमां दुशणता, पवित्रता तथा अन्य पवित्र माय२५.... वोन। मा બધા ગુણો દાનથી પ્રસિદ્ધ થાય છે. જેમ કે સૂર્યના પ્રચંડ ठि२५था वस्तुमो प्रसिद्ध थाय छे. ॥ ८ ॥ समग्रसद्गुणग्रामग्रामणीरिव गण्यते । निर्गुणोऽपि जनैर्दाता चिन्तामणिरिवोपलः ॥ ९ ॥ દાતા નિર્ગુણ હોય, તો પણ લોકો તેને ચિંતામણિ રત્નની જેમ સર્વ સદ્ગણોના સમૂહમાં અગ્રેસર જેવા गरी छे. ॥ ८ ॥ कान्ता नितान्तकुपिता निजवल्लभाय यावल्लभेत शुभदुर्लभभूषणादि । तावत् प्रसीदति निषीदति सन्निधाने दानं प्रसाधनविधाविह सिद्धतन्त्रम् ॥ १० ॥ Page #69 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे પ્રિયા પોતાના પતિ પર ખૂબ ગુસ્સે થઈ હોય, તો ય જ્યારે એને પ્રશસ્ત દુર્લભ અલંકાર વગેરે મળે, ત્યારે એ પ્રસન્ન થઈ જાય છે અને પતિની સમીપ બેસી જાય છે. ખરેખર, અહીં પ્રસાધન માટે (કાર્ય પાર પાડવામાટે) દાન એ સિદ્ધ તંત્ર (સર્વસ્વીકૃત ઉપાય) છે. | ૧૦ | कान्ताप्रसादनविधिप्रमु[२४-२]खं न मुख्यं दृष्टान्तमात्रमिदमत्र फलं मयोक्तम् । दानार्जितोर्जितशुभोदयतस्तु पुंसां कल्याणमेव सकलं भवतीति युक्तम् ॥ ११ ॥ આ તો મેં માત્ર ઉદાહરણ જ કહ્યું છે. બાકી પ્રિયા ખુશ થાય - ઇત્યાદિ મુખ્ય ફળ નથી. દાનથી ઉપાર્જિત કરેલા પ્રચંડ પુણ્યના ઉદયથી તો જીવોનું સર્વ કલ્યાણ થાય છે. માટે દાન ઉચિત છે. તે ૧૧ / द्रविणं विश्राणयतामुपद्रवा विद्रवन्ति पुरुषाणाम् । दानं व्यसनहुताशनविनाशनघनाघनवनौघः ॥ १२ ॥ જે મનુષ્યો ધનનું દાન આપે છે. તેમના ઉપદ્રવોનો નાશ થાય છે. દાન એ આપત્તિઓરૂપી અગ્નિને બુઝાવવા માટે વાદળાઓના પાણીના સમૂહ જેવું છે. તે ૧૨ // Page #70 -------------------------------------------------------------------------- ________________ चतुर्थोऽवसरः ५७ स्पर्शनं सपदि सम्पदां पदं हाटकस्य निपतन्ति कोटयः । पात्रदातृसदनेषु दानतः सुप्रसिद्धमिदमागमे यतः ॥१३॥ જેઓ સુપાત્રને દાન આપે, તેમના ઘરોમાં એકાએક કરોડો સોનામહોરોની વૃષ્ટિ થાય છે, આ રીતે સંપત્તિઓનું સ્થાન સંપર્ક પામે છે. કારણકે આ વાત આગમમાં સુપ્રસિદ્ધ છે. ।। ૧૩ । भोगाः श्री शालिभद्रप्रमुखतनुमतां सम्मताः सुप्रसिद्धाः सिद्धान्ते मूलदेवप्रभृतितनुभृतां प्राज्यराज्यादयश्च । निर्वाणं श्रीजि [२५-१]नेभ्यः प्रथमपृथुतपोऽनन्तरं पारणायां दातृणां तत्र दानात् फलमलघु મવે વા(િ?) ચના તૃતીયે ॥ ૪ ॥ શ્રી શાલિભદ્ર વગેરે જીવોએ દાનના પ્રભાવે ભોગો પ્રાપ્ત કર્યા હતા, એ સુપ્રસિદ્ધ છે. આ વાત શાસ્ત્ર સંમત છે. વળી મૂલદેવ વગેરે જીવોએ દાનના પ્રભાવે વિરાટ રાજ્ય વગેરેને પ્રાપ્ત કર્યા હતા, એવું પણ સિદ્ધાન્તમાં સુપ્રસિદ્ધ છે. શ્રીજિનને પ્રથમ વિશાળ તપ પછી પારણામાં જેઓ દાન આપે, તેમાં તેમને દાનથી મોક્ષરૂપ મહાન ફળ મળે છે, તે ભવમાં અથવા ત્રીજા ભવમાં તેઓ મોક્ષે જાય છે. ।। ૧૪ । Page #71 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे एकं वस्तु वितीर्यमाणमडकं (?) राजादिसाधारणं (राज्यं सत्वरगत्वरं स्थिरतरं स्थूरं परव्याहृतम् । सूते कीर्तिजनानुरागसुकृतस्तोमं तथाप्युद्यमो दाने किं न विधीयते ध्रुवमहालाभे शुभे लोभिनः ॥१५॥ ધન વગેરે જે એક વસ્તુનું દાન અપાય, તે રાજા વગેરેમાં સાધારણ છે. (જો તેનું દાન ન આપો, તો શક્ય છે કે રાજા, ચોર, ભાગીદાર વગેરે તેને તમારી પાસેથી પડાવી લે. વળી એ વસ્તુ રાજ્ય વગેરે હોય, તો પણ એ શીઘ્રતાથી નાશ પામવાના સ્વભાવવાળી છે. જ્યારે દાન આપવાથી લોકો જે પુષ્ટ પ્રશંસા કરે, તે સ્થિર છે. તે કીર્તિ, લોકપ્રિયતા અને પુણ્યસમૂહને જન્મ આપે છે. આ રીતે શુભ દાનથી નિશ્ચિત મહાન લાભ થાય છે, તો પણ લોભીઓ દાનમાં ઉદ્યમ કેમ નથી કરતા ? || ૧૫ // सत्यं चेद्भवतां प्रियं धनमपि प्राणात्यये दुस्त्यजं वृद्धिं यातममन्दसम्मदरसं चित्ते विधत्ते जनाः (?) । सुक्षेत्रेषु तदाखिलेषु वपत श्रद्धाम्बुभिः सिञ्चत श्रेयोऽनन्तगुणं भविष्यति यतः काले बलं(?) प्राप्नुत ॥१६॥ ખરેખર, જો તમને ધન પ્રિય હોય, પ્રાણાંતે પણ Page #72 -------------------------------------------------------------------------- ________________ चतुर्थोऽवसरः ५९ ધનનો ત્યાગ કરવો સહેલો ન હોય. જેમ ધનની વૃદ્ધિ થતા લોકોના મનમાં અત્યંત આનંદ ઉભરાય છે, એમ તમને પણ આનંદ ઉભરાતો હોય, તો તમારા ધનને સારા ક્ષેત્રો (જિનાલય વગેરે)માં વાવો. શ્રદ્ધા-જળથી સિંચન કરો. તેનાથી તમારું અનંતગુણ કલ્યાણ થશે. કારણ કે તેનાથી તમને યોગ્ય સમયે બળ (?) મળશે. || ૧૬ ।। हर्म्ये रम्ये तीर्थनाथस्य बिम्बे श्लाघ्ये सङ्के पुस्तके च प्रशस्ते । सप्तक्षेत्र्यां मोक्षलक्ष्मीं प्रसूते સૂક્ષ્મ મયૈ: સત્તમં વિત્ત[રપુ-]વીનમ્ ॥ ૭ || તીર્થંકરનું રમણીય મંદિર, જિનપ્રતિમા, પ્રશંસનીય સંઘ અને પ્રશસ્ત પુસ્તક... આ સાત ક્ષેત્રમાં ભવ્ય જીવો શ્રેષ્ઠ સંપત્તિ-બીજ વાવે, તે મોક્ષલક્ષ્મીને ઉત્પન્ન કરે છે. || ૧૭ || मदनसूदनसुन्दरमन्दिरं गरिमनिर्जितलज्जितमन्दरम् । भवति कारयतां करवर्तिनी પ્રાચિનીવ વિમાનવાવતી || ૮ || Page #73 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे જેની ઊંચાઈથી મેરુ પર્વત પણ શરમાઈ જાય, અને પરાજિત થઈ જાય, એવું સુંદર જિનાલય જેઓ બંધાવે છે, તેઓને શ્રેષ્ઠ દેવલોકોની શ્રેણિઓ એ રીતે હાથવગી થાય છે, કે જાણે તેમની પ્રેમિકાઓ હોય. ૧૮ ॥ ये कारयन्ति सदनं भवसूदनस्य ते भासुरं सुरविमानममानमाप्य । हारा इवातिकमनीयकुचोन्नतेषु वक्षस्थलेषु विलसन्ति विलासिनीनाम् ॥ १९ ॥ જેઓ જિનેશ્વરનું મંદિર બંધાવે છે, તેઓ તેજસ્વી અપરિમિત દેવલોકને પામીને દેવીઓ સાથે વિલાસ કરે છે. ।। ૧૯ ॥ सुन्दरं मन्दरोदारं मन्दिरं मदनद्विषः । कारयित्वाऽधिरोहन्ति सालम्बा लीलया दिवम् ||२०|| સુંદર, મેરુ પર્વત જેવું અદ્ભુત જિનાલય બંધાવીને તે ભવ્ય જીવો જાણે તેના ટેકાથી જ ૨મતવા૨માં દેવલોકને પ્રાપ્ત કરી લે છે. || ૨૦ || भग्नाद्रिशृङ्गशृङ्गारमगारं त्रिजगद्गुरोः । निर्माय निर्मलं धाम शिवं धावन्ति धार्मिकाः || २१ || Page #74 -------------------------------------------------------------------------- ________________ चतुर्थोऽवसरः જાણે કોઈ પર્વતનું શિખર છૂટું પડી ગયું હોય, એના જેવી શોભાવાળું જિનેશ્વરનું જિનાલય જે ધાર્મિક બંધાવે છે, તેઓ શીઘ્રતાથી નિર્મળ ધામ-મોક્ષમાં જાય છે. || ૨૦ | तार्णं पार्णं भक्तिपूर्णाः कुटीरं शक्त्या जैनं ये जना: कारयन्ते । मुख्यं सौख्यं तेऽपि मामराणां भूयो भुक्त्वा मोक्षलक्ष्मीं लभन्ते ॥ २२ ॥ ઉધમ મધ્યસત્તમ[તોડા દિ] [૬] सदनपुस्तकसुप्रतिमादितः । भवति येन फलं न भिदेलिमं વિભુત સરિણાવિશેષત: | રરૂ છે. જે લોકો યથાશક્તિ ભક્તિપૂર્ણ ભાવથી જિનેશ્વર માટે તણ-પાંદડાની બનેલી કુટિર બનાવડાવે છે, તેઓ પણ મનુષ્ય અને દેવોના શ્રેષ્ઠ સુખને ભોગવીને મોક્ષલક્ષ્મીને મેળવે છે. કારણ કે જિનાલય, પુસ્તક, સુંદર પ્રતિમા વગેરે જઘન્ય, મધ્યમ કે ઉત્તમ હોય, એનાથી ફળમાં ભેદ થતો નથી, પણ પ્રશસ્ત અધ્યવસાયવિશેષથી ફળમાં ભેદ થાય છે. તે ૨૨, ૨૩ | Page #75 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे भो भो भव्या विभाव्येदं यतध्वं भावशुद्धये । सर्वकामदुधा श्लाघ्या भावशुद्धिः शुभात्मनाम् ॥२४॥ હે ભવ્ય જીવો ! આવું ચિંતન કરીને તમે ભાવશુદ્ધિ માટે પ્રયત્ન કરો. ભાવશુદ્ધિ એ શુભ જીવોની સર્વ મનોકામનાને પૂર્ણ કરનારી અને પ્રશંસનીય છે. २४ ॥ धर्मसत्रं गुणक्षेत्रं प्राणित्राणामृतप्रपा । श्रीजिनायतनं नाम समाम्नातं मनीषिभिः ॥ २५ ॥ જિનાલય એ ધર્મની દાનશાળા છે, ગુણોનું ક્ષેત્ર છે, જીવદયાની અમૃત-પરબ છે, એવું વિદ્વાનોએ માન્યું छ. ॥ २५ ॥ स्वर्गापवर्गसोपानं दुर्गतिद्धाररोधनम् । मन्दिरं मदनारातेरामनन्ति मनस्विनः ॥ २६ ॥ જિનાલય એ સ્વર્ગ અને મોક્ષનું સોપાન છે, દુર્ગતિના દ્વારને બંધ કરનારું છે, એવું વિચક્ષણો માને छ. ॥ २६ ॥ आयान्या (?) यतते [२६-२] यतो यतिजनाः कुर्वन्ति सद्देशनां Page #76 -------------------------------------------------------------------------- ________________ चतुर्थोऽवसरः श्रुत्वा धर्मपरा भवन्ति भविनो भव्या भवाम्भोनिधिम् । अक्लेशेन तरन्ति दुस्तरतरं तस्मादिदं कुर्वता कल्याणं सकलं जनस्य जनितं सत्त्वेन सत्त्वप्लिना ॥२७॥ જિનાલયમાં મુનિજનો પ્રશસ્ત દેશના કરે છે, તે સાંભળીને ભવ્ય જીવો ધર્મમાં તત્પર થાય છે, અત્યંત દુસ્તર ભવસાગરને સરળતાથી તરી જાય છે, માટે જે જિનાલય બંધાવે છે, તે જીવે સત્ત્વ પ્રાપ્ત કરાવવા દ્વારા લોકનું સર્વ કલ્યાણ કર્યું છે. . ર૭ . मर्त्यमस्तकमाणिक्यं क्षोणीमण्डलमण्डनम् । कोऽपि कारयते पुण्य: कुलकेतुर्नि(नि)केतनम् ॥२८॥ મનુષ્યના મસ્તકના માણિક્ય જેવા, ધરાતલના આભૂષણ જેવા જિનેશ્વરના મંદિરને કોઈ પવિત્ર જીવ બંધાવે છે. તે ૨૮ // तेन कृत्यं कृतं सर्वं दुष्कृतं च निराकृतम् । कृतिना कारितं येन केतनं पुण्यकेतनम् ॥ २९ ॥ તેણે સર્વ કર્તવ્યનું પાલન કર્યું છે, તેણે સર્વ પાપનો નાશ કર્યો છે, કે જે સજ્જને પુણ્યના ચિહનરૂપ જિનાલય બંધાવ્યું છે. તે ૨૯ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे रोचिष्णुरत्नचयनिर्मि[२७-१]तनिर्मलाङ्गी स्फारां स्फुटस्फुरदुरुस्फुटिकां सुरूपाम् । श्रीराजपट्टघटितां प्रबलप्रवाला कार्तस्वरप्रवरभास्वरकान्तकायाम् ॥ ३० ॥ તેજસ્વી, રત્નોના સમૂહથી બનાવેલી, નિર્મળ અવયવોવાળી, વિસ્તૃત, સ્પષ્ટ સ્કુરાયમાન વિશાળ स्डूटिवाणी(?), सा२। ३५वाणी, श्री२५४५४थी બનાવેલી, દઢ પ્રવાલોથી બનાવેલી, શ્રેષ્ઠ-તેજસ્વી- સુંદર सुवानी बनेली...॥30॥ सद्रीतिका-रजत-दन्तमयीं महिष्ठां श्रेष्ठां गरिष्ठशुभकाष्ठकृतप्रतिष्ठाम् । ये मृण्मयीमपि तनिष्ठितनुं स्वशक्त्या निर्मापयन्ति विधिना प्रतिमां जिनस्य ॥ ३१ ॥ प्रशस्त रीति (?), यांही, थाहांतनी बनेटी, અત્યંત મોટી, શ્રેષ્ઠ, ગરિષ્ઠ પ્રશસ્ત લાકડા પર પ્રતિષ્ઠિત કરાયેલી, અથવા તો સાવ નાની કાયાવાળી માટીની ५५ प्रतिमाने ४मो यथाशति जनावावे छे.... ॥ ३१ ॥ वियोगदौर्भाग्यदरिद्रताव्यथां पराभवं दुस्सहदुःस्थताकथाम् । Page #78 -------------------------------------------------------------------------- ________________ चतुर्थोऽवसरः विदन्ति वार्तामपि ते न दुर्गतेરમીષ્ટપુળ્યાવ વાવસક્તે: ।। રૂ૨ ।। તેઓ વિયોગ-દુર્ભાગ્ય- ગરીબીથી થતી વ્યથાને, પરાજયને, દુઃષહ ખરાબ પરિસ્થિતિની વાતને અને દુર્ગતિના અણસારને પણ જાણતા નથી. કે જે રીતે જેમને પુણ્ય પ્રિય છે, તેઓ પાપસંગતિની વાતને જાણતા નથી. ॥ ૩૨ ॥ ६५ सत्यङ्कारोऽर्पितः स्वर्गे मर्त्यशर्म वशीकृतम् । शासननं लेखितं मोक्षे पुंसा कारयता जिनम् ||३३|| જે પુરુષ જિનપ્રતિમા બનાવડાવે છે, તેણે સ્વર્ગને પોતાનું કરી લીધુ છે, મનુષ્યલોકના સુખને સ્વાધીન કરી દીધું છે, અને મોક્ષ ઉ૫૨ (પોતાની માલિકીની) આજ્ઞા લખી દીધી છે. | ૩૩ || कल्याणसम्पदखिलाऽपि वशीकृतोच्चै - रुच्चाटितं स्वमनसो ननु वैमन ( २७ - २) स्यम् । विद्वेषितोऽनभिमताहितसम्प्रयोगः संस्तम्भितोऽतिशुभवल्लभविप्रयोगः ॥ ३४ ॥ તેણે સર્વ કલ્યાણસંપત્તિને અત્યંત વશ કરી લીધી છે. પોતાના મનના વીલખાપણાને તદ્દન દૂર કરી દીધું Page #79 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे છે. અપ્રિયના સંયોગને તિરસ્કૃત કર્યો છે, તો અતિ શુભ પ્રિયના સંયોગનું જાણે સ્તંભન કરી દીધું છે. ૩૪ો. तन्नास्ति यन्न विहितं स्वहितं प्रशस्तं तन्नास्ति यन्न दुरितं त्वरितं निरस्तम् । मर्येन संविदधता प्रतिमाप्रतिष्ठामात्मा नरोत्तमपदे गमितः प्रतिष्ठाम् ॥ ३५ ॥ એવું કોઈ પોતાનું પ્રશસ્ત હિત નથી, જે તેણે કર્યું નથી, તેવું કોઈ પાપ નથી, જેનો તેણે શીધ્ર વિનાશ કર્યો નથી. જે મનુષ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરે છે, તેણે પોતાના આત્માની શ્રેષ્ઠ મનુષ્યના પદે પ્રતિષ્ઠા કરી દે. ને ૩પ છે. स्वर्विषयभुक्तिभूर्जे स्वहस्तितं सौख्यपत्तला लिखिता । मुक्तौ दूतो भूतः स्थापयतां जिनपतिप्रतिमाम् ॥३६॥ જેઓ જિનેશ્વરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરે છે, તેમણે દેવલોકરૂપી દેશના ઉપભોક્તાપણાને સૂચવતો ભોજપત્ર પોતાને હાથવગો કરી દીધો છે. સુખની પત્તલા (હૂંડી ?) લખી છે. અને મુક્તિપ્રિયા પાસે પોતાનો દૂત મોકલ્યો છે. ૩૬ / Page #80 -------------------------------------------------------------------------- ________________ चतुर्थोऽवसरः ૬૭ सत्पुरुषाणां मध्ये कृतो निबद्धो निवारिता सेवा । जिनराजाज्ञाराधनविधानतः फलमिदं सिद्धम् ॥३७॥ સજ્જનોમાં પોતાની ગણના કરી છે, અને દાસત્વનું નિવારણ કર્યું છે. જેણે જિનરાજની આજ્ઞાની આરાધના કરી છે, તેને આ ફળ સિદ્ધ છે. || ૩૭ // प्रतिष्ठि[२८-१]तो जगन्नाथो यावन्नालङ्कृतो नरा: (रैः)। થકુમારેતાવ૬ ચેત મૂતત્તે ? એ રૂટ છે પ્રભુને પ્રતિષ્ઠિત કર્યા પછી જ્યાં સુધી નરો તેમને વિભૂષિત ન કરે ત્યાં સુધી નરો ધરતીના અલંકાર શી રીતે બની શકે ? / ૩૮ છે. यत्नेन रत्नखचितं रुचितं तिरीटं ये हाटकादिघटितं स्फुटकोटिकूटम् । भक्त्या जिनाधिपतिमूर्धि निवेशयन्ति ते शेखरा इव शिरःसु नृणां भवन्ति ॥ ३९ ॥ જેઓ જિનેશ્વરના મસ્તકે યત્નપૂર્વક સુવર્ણ વગેરેથી બનેલો, રત્નજડિત, પ્રગટ પ્રકારની શિખાવાળો મુગટ ચડાવે છે, તેઓ મનુષ્યોના મસ્તકની માળા જેવા (બહુમાનપાત્ર) બને છે. તે ૩૯ || Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૮ दानादिप्रकरणे ये जिनपतिभालतले तिलकं रचयन्ति रत्नचयरुचिरम् । स्युर्महतामपि महिता महीतलस्यापि तिलकास्ते ||४०|| જેઓ જિનેશ્વરના લલાટે રત્નોના સમૂહથી રમણીય તિલક રચે છે, તેઓ વસુંધરાના પણ તિલક થાય છે. મહાપુરુષો પણ તેમનો સત્કાર કરે છે. I ૪૦ || [૮-૨] રેવર્ણયુગને તુ વુડને कुर्वतां स्फुरितदीप्तिमण्डले । जीव नन्द जय देव केवलं પેશાં વિશતિયોર્વષઃ ॥ ૪? ।। જેઓ દેવાધિદેવના બે કર્ણોમાં પ્રભામંડળ પ્રસરાવતા કુંડલો પહેરાવે છે, તેમના કાનોમાં ‘ઘણું જીવો... આનંદ પામો.. જય હો... હે દેવ...' આવા પ્રેમાળ વચનો જ પ્રવેશ કરે છે. ॥ ૪૧ || ग्रैवेयं ग्रीवायां समग्रजगदग्रिमस्य रचयन्ति । ये रत्नरचितमुचितं चञ्चच्चामीकरं चारुम् ॥ ४२ ॥ સમગ્ર વિશ્વના નાયક એવા પ્રભુની ગ્રીવામાં જેઓ સુવર્ણથી શોભતું, રત્નોથી બનેલું મનોહર ઉચિત ત્રૈવેયક રચે છે... ॥ ૪૨ ॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ चतुर्थोऽवसरः कण्ठोपकण्ठे कठिनस्तनीनां हठाल्ल्ठत्युज्ज्वलकण्ठिकेव । उत्कण्ठिता कोमलकामिनीनां तेषां ततिः सन्ततमातताक्षी ॥ ४३ ॥ તેઓ ઉજ્જવલ કંઠીની જેમ સુંદરીઓ સાથે વિલાસ કરે છે. વિશાળ નયનોવાળી સુંદરીઓની શ્રેણિ તેમના માટે ઉત્કંઠિત બને છે. ૪૩ || यस्तीर्थकृतां सुकृती हारं वक्षस्थले[२९-१]ऽवलम्बयति । हारायते मनोहरहरिणाक्षीणां स हृदयेषु ॥ ४४ ॥ જે પુણ્યશાળી તીર્થકરોની છાતીએ હાર પહેરાવે છે, તે મનોહર સ્ત્રીઓના હૃદયોના હાર જેવો બને છે. | ૪૪ |. श्रीवत्समतिविशाले जिनेशवक्षःस्थले निवेशयताम् । शेते वक्षस्तल्पे श्रान्तेव श्रीरविश्रान्तम् ॥ ४५ ॥ જેઓ જિનેશ્વરના વિશાળ હૃદયે શ્રીવત્સ બેસાડે છે, તેઓની હૃદયશયામાં લક્ષ્મી એવી રીતે હંમેશા આરામ કરે છે, જાણે તે થાકી ગઈ હોય. (અને બીજે ક્યાંય જવા માંગતી ન હોય.) | ૪૫ / Page #83 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे अङ्गदे जगदीशस्य कुर्वतामङ्गसङ्गिनी । जयश्री: बाढबद्धेव बाहुदण्डौ न मुञ्चति ॥ ४६ ॥ જેઓ જિનેશ્વરના કડા કરાવે છે, જયલક્ષ્મી તેમની નિત્ય સંગાથિની બને છે. એને જાણે મુશ્કેટાટ બાંધી લીધી હોય તેમ તે કદી તેમના બાહૂદંડોને છોડતી નથી. (પ્રભુના કડા બનાવનારાઓનો સદા વિજય થાય છે.) || ૪૬ / यो जिनभुजयोर्भक्त्या निवेशयेन्मणिमयानि वलयानि। भूवलयं भुजयुगले प्रविलसति विलासिनस्तस्य ॥४७॥ જે જિનેશ્વરના હાથોમાં ભક્તિથી મણિમય વલય પહેરાવે છે, તે વિલાસીના બંને હાથોમાં પૃથ્વીમંડળ વિલાસ કરે છે. (તે વિરાટ સામ્રાજ્યનો સમ્રાટ થાય છે.) | ૪૭ || एवमादिमलङ्कारं कारयन्ति जिनस्य ये । નિવારણ્યત્તિ રિ-૨] નરસ્તેિ ટુવ્રવારણમ્ - જિનેશ્વરના આવા અન્ય પણ અલંકારો જેઓ કરાવે છે, તે નરો દુર એવા પણ દુઃખ-ગજરાજનું નિવારણ કરે છે. // ૪૮ | Page #84 -------------------------------------------------------------------------- ________________ चतुर्थोऽवसरः स्नानं जगत्त्रयपतेर्विधिना विधाय सर्वाङ्गसङ्गतमसङ्गतसर्वतापा: । निधूतधौतकलधौतरुचोऽतिरोच्यं श्रेयोऽनुभूय भवभावभिदो भवन्ति ॥ ४९ ॥ જેઓ ત્રણ જગતના નાથનું સર્વાગ વિધિપૂર્વક સ્નાન કરાવે છે, તેઓના સર્વ પાપો જતા રહે છે, નિર્મળ, શુદ્ધ સુવર્ણની કાંતિ કરતાં ય અતિ સુંદર એવા કલ્યાણને અનુભવીને તેઓ સંસારભાવને ભેદી નાખે छ. (मोक्ष पाभे. छ.) ॥ ४८ ।। नश्यन्ति मलतापाद्याः कुर्वतां जिनमज्जनम् । आश्चर्यं न विचार्यन्ते विभूनां हि विभूतयः ॥ ५० ॥ જેઓ જિનનું સ્નાત્ર કરે છે, તેમના મત અને તાપ નાશ પામે છે. કેવું આશ્ચર્ય ! ખરેખર પ્રભુની प्रभुतानो पनातीत छ. ॥ ५० ॥ श्रीखण्डकुकुमरसादिविलेपनानि कर्पूरसन्मृगमदादिविमिश्रितानि । कृत्वा विभोः सुरभिसुन्दरदीप्रदेहा दिव्याङ्गनाजनमनोऽभिमता रमन्ते ॥ ५१ ॥ જેઓ જિનને કપૂર, સુંદર કસ્તૂરી વગેરેથી મિશ્રિત Page #85 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे કરેલા ચંદન, કેશરરસ વગેરેના વિલેપનો કરે છે, તેઓ સુગંધી, સુંદર અને તેજસ્વી શરીરવાળા થાય છે. દેવીઓના મનને પ્રિય થાય છે અને દિવ્ય સુખોમાં રમણ કરે છે. મેં ૫૧ | महामूल्यै[३०-१]र्माल्यैः परिमलमिलन्मत्तमधुपैः सपर्या पर्याप्तां सकलजगदाप्तस्य विधिना । विधायोलोचाद्यं विविधमनवा सरभस: सुरस्त्रीभिः सार्धं विलसति शिवं चानुवसति ॥ ५२ ॥ જેની સુરભિથી ભમરાઓ મત્ત થઇને તેનો સંગ કરતા હોય, તેવી મહામૂલ્યવાન માળાઓથી જેઓ સર્વ જગતના આત-જિનેશ્વરની વિધિપૂર્વક પર્યાપ્ત પૂજા કરે છે, ઉલ્લાસ સાથે પુણ્યસ્વરૂપ ચંદરવા વગેરેની રચના કરે છે, તે દેવીઓ સાથે વિલાસ કરે છે, અને મોક્ષમા નિવાસ કરે છે. પર भक्तायैर्भूरिभक्षैर्हतजनहृदयैर्मोदकाद्यैः सुस्वाद्यैः सारैश्चित्रैः पवित्रैः सुरससुरभिभिः पेयचूष्यावलेहौः ॥ ढेधा सद्भक्तियुक्तं बलिमतुलफलं देवदेवाय दत्त्वा गृणीताना भव्या निधिमिव વિધિના શર્મઃ રૂિ-૨] ઘર્મરાશિમ્ ! કરૂ છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ७३ चतुर्थोऽवसरः હે ભવ્યો ! લોકહૃદયને હરનારા, અત્યંત સ્વાદિષ્ટ એવા લાડવા વગેરેથી, ઓદન વગેરે અનેક ભોજનોથી, સારભૂત વિવિધ પ્રકારના પવિત્ર- સુંદર રસ- સુગંધવાળા પાન-ખાદિમ – સ્વાદિમોથી, દ્રવ્ય-ભાવ બંને પ્રકારે શુભ ભક્તિથી યુક્ત બેજોડ ફળવાળું નૈવેદ્ય વિધિપૂર્વક દેવાધિદેવને આપીને નિધિ જેવા સુખદાયક ધર્મરાશિનું શીવ્ર ગ્રહણ કરો. ને પ૩ || दूराकारितभूरिलोकनिकरां सर्वत्र दत्ताभयां दानानन्दितदीनमार्गणगणां सङ्गीतवाद्याद्भुताम् । यात्रां चित्रविलासलास्यसुभगां तुङ्गभ्रमत्स्यन्दनां कृत्वा तीर्थकृतां भवन्ति कृतिनो नित्यप्रवृत्तोत्सवाः ॥५४॥ જેમાં દૂરથી ઘણા લોકસમૂહોને આમંત્રિત કરાયા છે, સર્વત્ર અભયદાન અપાય છે, દીન યાચકગણોને જેમાં દાનથી આનંદિત કરાય છે, જે સંગીત અને વાજિંત્રોથી અદ્ભુત છે, વિવિધ વિલાસો અને નૃત્યોથી જે સૌભાગ્યશાળી છે, જેમાં મોટા રથો ભ્રમણ કરી રહ્યા છે. એવી તીર્થકરોની રથયાત્રા કરીને પુણ્યશાળીઓ એવા સુખને અનુભવે છે, કે જેમાં નિત્ય ઉત્સવો પ્રવૃત્ત થયા હોય. ને પ૪ || - ઇતિ ચતુર્થ અવસર - Page #87 -------------------------------------------------------------------------- ________________ पञ्चमोऽवसरः आगमो वीतरागस्य वचनं स्यादवञ्चनम् । सम्मोहरागरोषाः स्युर्दोषा वञ्चनहेतवः ॥ १ ॥ જેમાં કોઈ વંચના નથી એવું વીતરાગવચન “આગમ' છે. વંચનાના કારણે સંમોહ, રાગ અને દ્વેષ - આ ત્રણ દોષો છે. / ૧ / युक्तायुक्तं विवेक्तुं ना मूढो परिवृढो दृढम् । [39- વૂતે દેયમુપાદેય દ્રવ્ય પૂરું ઘર યથા રો! મૂઢ જીવ ઉચિત-અનુચિતનો વિવેક કરવા માટે સમર્થ નથી. ખોટા દ્રવ્યને ખરની (?) જેમ તે હેયને ઉપાદેય કહે છે. તે ૨ | रक्तो वक्ति निराचारं सदाचारं सृहज्जनम् । दिष्टो द्विषज्जनं शिष्टमाचष्टे दुष्टचेष्टितम् ॥ ३ ॥ જે રાગી છે, તે પોતાનો મિત્ર દુરાચારી હોય, તો ય તેને સદાચારી કહે છે, અને જે વેષી છે, તે પોતાનો શત્રુ શિષ્ટ હોય, તો ય તેને દુષ્ટ પ્રવૃત્તિવાળો કહે છે. | ૩ || Page #88 -------------------------------------------------------------------------- ________________ पञ्चमोऽवसरः इत्थं मोहादिदोषेण पुरुषो भाषते मृषा । रागादिदोषमुक्तस्य किमुक्तौ कारणं मुधा ॥ ४ ॥ આ રીતે મોહ વગેરે દોષને કારણે પુરુષ જુઠું બોલે છે. જે રાગ વગેરે દોષોથી મુક્ત છે તેને ખોટું બોલવાનું શું કારણ છે. || ૪ || वचो विचार्यमाणं तु विचारचतुरैनरैः । अकर्तृकं घटाकोटिसंटङ्क नातिटीकते ॥ ५ ॥ જે મનુષ્યો વિચાર કરવામાં ચતુર છે, તેઓ જો વિચાર કરે, તો અકર્તક (અપૌરુષેય) વચન સંગત થઈ શકતું નથી. || ૫ | ताल्वादिहेतुव्यापारपारवश्येन दृश्यते । अवश्यं वचनं सर्वं तत् कथं कथ्यतेऽन्यथा ॥ ६ ॥ કારણ કે સર્વ વચન અવશ્ય તાળવા વગેરેની પ્રવૃત્તિને આધીન જ હોય છે, એવું દેખાય છે. તો પછી તાળવા વગેરની પ્રવૃત્તિ વિના “વચન” શી રીતે કહી શકાય ? | ૬ | यदुत्पाद्यः पदार्थो हि निश्चितो यो विपश्चि[३१-२]ता । सततः सर्वदा ज्ञेयो धूमो धूमध्वजादिव ॥ ७ ॥ જે પદાર્થ જેનાથી ઉત્પન્ન થાય છે – એમ વિદ્વાને Page #89 -------------------------------------------------------------------------- ________________ ૦૬ दानादिप्रकरणे નિશ્ચય કર્યો હોય, તે સતત હંમેશા તેનાથી જ ઉત્પન્ન થાય છે, એમ સમજવું જોઈએ. જેમ કે ધુમાડો અગ્નિથી ઉત્પન્ન થાય છે. // ૭ II अथ वेदस्य कर्तारं नरं नोपलभामहे । अपौरुषेयतामस्य परिभाषामहे ततः ॥ ८ ॥ હવે જો એમ કહો કે, “વેદના કર્તા તરીકે કોઈ મનુષ્યની ઉપલબ્ધિ અમને થતી નથી, માટે અમે એમ માનીએ છીએ, કે વેદ અપૌરુષેય છે.” | ૮ || देशान्तरादावुत्पन्नाः पदार्था ये पटादयः । अदृष्टकर्तृकास्तेऽपि नन्वेवं स्युरकर्तृकाः ॥ ९ ॥ તો એ રીતે તો જે કપડા વગેરે પદાર્થો અન્ય દેશમાં ઉત્પન્ન થયા છે, તેમના કર્તાઓ પણ દેખાતા નથી, માટે એ રીતે તેઓ પણ અકર્તક થઈ જશે. તેમાં अथैतेषां विधातारस्तहेशादिव्यवस्थितैः । પ્રમીયત્તે તત: સહુ પૌરુષેય: પરાયઃ | ૨૦ || હવે જો એમ કહો કે “તે દેશ-કાળમાં રહેલી વ્યક્તિઓને તો તે કપડા વગેરેના કર્તાઓ દેખાય છે, માટે કપડા વગેરે તો સકર્તક જ છે.' | ૧૦ || Page #90 -------------------------------------------------------------------------- ________________ पञ्चमोऽवसरः ननु वेदस्य कर्तारं तद्देशादिगता जनाः । न जातु जानते वेत्ति कथमेतद्भवादृशः ॥ ११ ॥ તો પછી તે દેશ-કાળમાં રહેલા લોકો વેદના કર્તાને કદી જાણતા નથી, એવું તમારા જેવી (ચર્મચક્ષુ) વ્યક્તિ શી રીતે જાણે છે ? | ૧૧ | वेदकर्तृपरिज्ञातृशून्यं विश्व[३२-१]मिदं सदा । इति यो वेत्ति सर्वज्ञः स एव भगवानिति ॥ १२ ॥ આ વિશ્વ હંમેશ માટે વેદના કર્તાના જ્ઞાનથી રહિત છે - એવું જે જાણે છે, તે જ સર્વજ્ઞ ભગવાન છે. (વેદને અનુસરનારા સર્વજ્ઞનો સ્વીકાર નથી કરતાં, તેમનું પણ આ જ તર્કથી ખંડન કર્યું છે.) | ૧૨ // किञ्च वेदो निजं नार्थं समर्थो भाषितुं स्वयम् । यज्ञतत्फलसम्बन्धं सम्बुध्यन्ते बुधाः कथम् ? ॥ १३ ॥ વળી વેદ પોતે તો પોતાનો અર્થ કહેવા માટે સમર્થ નથી. તો પછી વિદ્વાનો યજ્ઞ અને તેના ફળનો સંબંધ શી રીતે જાણી શકે છે ? | ૧૩ | स्वयं सङ्कल्प्य जल्पन्तो दोषदूषितबुद्धयः । प्रेक्षावतां कथं ग्राह्यवचनाः स्युर्द्धिजा यतः ॥ १४ ॥ Page #91 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे જેઓ પોતે કલ્પના કરીને બોલે છે, જેમની મતિ રાગાદિ દોષથી દૂષિત છે, એવા બ્રાહ્મણો બુદ્ધિશાળીઓને આદેયવચનવાળા શી રીતે થઈ શકે ? / ૧૪ // नरोत्तमं निराकत्यं(त्य) नरपाशं पशप्रियाः । ઘદ્દેશાતીરં વન્તો વિપ્રતીર: ? | જેઓ પુરુષોત્તમજિનેશ્વર)નું નિરાકરણ કરીને તેને ધર્મોપદેશદાયક કહે છે, કે જેઓ મનુષ્યના બંધનના કારણ છે, તે પશુઝિયો છેતરપિંડી કરનારા છે. તે ૧૫ II ततोऽतीतादिकानन्तवस्तुविस्तारवेदकः । उपदेष्टा जिनो युक्तः सर्वसत्त्वहितो यतः ॥ १६ ॥ તેથી ભૂતકાલીન વગેરે અનંત વસ્તુઓના જ્ઞાતા જિનેશ્વર ઉચિત ઉપદેશક છે. કારણ કે તેઓ સર્વ જીવોનું કલ્યાણ કરનારા છે. || ૧૬ || प्रक्षीणदूषणव्रातः परार्थे[३२-२]कमहाव्रतः । निष्कारणो जगबन्धुर्बन्धुरः करुणाम्बुधिः ॥ १७ ॥ જેમના દૂષણોના સમૂહનો અત્યંત ક્ષય થયો છે, જેમને પરોપકાર કરવાનો બેજોડ નિયમ છે. જેઓ જગતના નિષ્કારણ બંધુ છે. જેઓ કરુણાનાં રમણીય સાગર છે... / ૧૭ || Page #92 -------------------------------------------------------------------------- ________________ पञ्चमोऽवसरः अचिन्त्यपुण्यप्राग्भारः प्राप्ताद्भुतमहोदयः ।। સવવશિિર્તનતમ ને ૨૮ જેઓ અચિન્ય પુણ્યના રાશિ છે, જેમણે અદ્ભુત મહાન ઉદયને પ્રાપ્ત કર્યો છે, દેવોના સમૂહ-ઇન્દ્ર વગેરે તથા ચક્રવર્તીએ જેમના ચરણોમાં પ્રણામ કર્યા છે... समग्रसंशयग्रामध्वान्तविध्वंसनक्षमः । નોકાનોવેરામનીનોવેવનાપૂર્વમાસ્વર: | 8 | સર્વ સંશયોના સમૂહ રૂપી અંધકારનો વિનાશ કરવામાં સમર્થ, લોકાલોકને અજવાળનાર નિર્મલ પ્રકાશરૂપ કેવળજ્ઞાનથી અપૂર્વ સૂર્ય સમાન... || ૧૯ // कान्तमेकान्तत: सर्वसत्त्वसार्थसुखावहम् । भाषते यज्जगन्नाथो वचनं तत् सदागमः ॥ २० ॥ એવા જગતના નાથ જિનેશ્વર એવું વચન કહે છે કે જે એકાંતે સુંદર છે, સર્વ જીવોના સમૂહને સુખકારક છે. આવું વચન એ સમ્યફ આગમ છે. || ૨૦ || पूर्वापराविरुद्धं दृष्टे संवाद्यबाधितमदृष्टे । क्वचिदप्यतीन्द्रियेऽपि हि संवादादुष्टमाहात्म्यम् ॥२१॥ Page #93 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे જિનવચનમાં પૂર્વાપર વિરોધ નથી. પ્રત્યક્ષ વસ્તુમાં જિનવચનનો સંવાદ દેખાય છે. અને પરોક્ષ વસ્તુવિષયક જિનવચન તર્ક આદિથી બાધિત થતું નથી. વળી કોઈ અતીન્દ્રિય વસ્તુમાં પણ સંવાદને કારણે જિવનચનનું માહાસ્ય દૂષણ પામતું નથી. ૨૧ / कान्तो जिनैरनेकान्तो व्याहृतो व्या[३३-१]हतो न हि । जीवादिकः पदार्थो वा धर्मो वाप्यवधादिकः ॥ २२ ॥ જીવ વગેરે પદાર્થ કે અહિંસા વગેરે ધર્મ... આ બધા વિષયમાં જિનેશ્વરે સુંદર અનેકાંત કહ્યો છે, તે (કોઈ તર્ક આદિથી) વ્યાઘાત પામતો નથી. // રરા उत्पद्यन्ते विपद्यन्ते पदार्थाः पर्ययात्मना । ध्रुवा द्रव्यात्मना सर्वे बहिरन्तश्च सर्वदा ॥ २३ ॥ પદાર્થો પર્યાયસ્વરૂપે ઉત્પન્ન થાય છે, અને વિનાશ પામે છે. જ્યારે બહાર અને અંદર દ્રવ્યરૂપે પદાર્થો હંમેશ માટે નિત્ય છે. ૨૩ | निःसन्देहविपर्यासं पर्यायैः पर्युपासितम् ।। बाल्यादिभिर्निजं देहं पश्यन्नेकमहर्निशम् ॥ २४ ॥ બાળપણ વગેરે પર્યાયોથી યુક્ત એવા પોતાના શરીરને જે દિવસ-રાત સંશય અને વિપર્યાસ વિના જુએ છે... || ૨૪ || Page #94 -------------------------------------------------------------------------- ________________ पञ्चमोऽवसरः अन्तरात्मानमप्येकं शोकानन्दादिभिर्युतम् । समस्तवस्तुविस्तारं दोष(दिष्ट)मित्थं त्रयात्मकम् ॥२५॥ શોક, આનંદ વગેરેથી યુક્ત એવા અંતરાત્માને પણ સદા એક જુએ છે, આ રીતે સમસ્ત વસ્તુઓનો વિસ્તાર ત્રયાત્મક (ઉત્પાદ-વ્યય- ધ્રૌવ્યસ્વરૂપ) છે, એવું જિનેશ્વરે કહ્યું છે. | ૨૫ / कथं युक्तमनेकान्तं दूषयत्येष सौगतः ? । सङ्गतासङ्गतज्ञानं यदि वाऽनात्मके कुतः ॥ २६ ॥ એવા યુક્તિ યુક્ત અનેકાંતને આ બૌદ્ધ દૂષિત કેમ કરે છે ? (એ ઉચિત નથી એવો આક્ષેપ કેમ કરે છે ?) અથવા તો જો તમે કહો છો તેમ સ્થિર દ્રવ્યરૂપ આત્મા જેવી વસ્તુ જ ન હોય, તો પછી તેમાં સંગત કે અસંગત જ્ઞાન શી રીતે ઉત્પન્ન થઈ શકે ? (જ્ઞાન તો તમને પણ માન્ય છે. માટે તેનો કોઈ આધાર માનવો જ પડે. તે આધાર એ જ સ્થિર દ્રવ્યરૂપ આત્મા છે.) || ૨૬ છે. यथा प्रत्यक्षतः सिद्धं पर्यायमनुमन्यसे । દવ્યં રૂિ-ર) તથાડનુમન્યસ્થ ન મુને મૈત્સર: સમ: //રછો જેમ તમે પ્રત્યક્ષથી સિદ્ધ પર્યાયને માનો છો, તે Page #95 -------------------------------------------------------------------------- ________________ ८२ दानादिप्रकरणे જ રીતે દ્રવ્યને પણ માનો. (કારણ કે તે પણ પ્રત્યક્ષથી સિદ્ધ છે.) મુનિને મત્સર રાખવો ઉચિત નથી. ।।૨૭। उत्पत्त्यनन्तरं नष्टे पदार्थे सर्वथा वृथा । તોનિયમવાનાઘા વધમોક્ષી ૨ સુર્ઘટૌ ॥ ૨૮ ॥ જો પદાર્થ ઉત્પન્ન થયા બાદ તરત જ વિનાશ પામતો હોય, તો તપ, વ્રત, દાન વગેરે ફોગટ થઇ જાય અને બંધન-મુક્તિ પણ ઘટી ન શકે. ॥ ૨૮ || क्षणेन दातरि क्षीणे भोक्ता दानफलस्य कः । क्षणोऽन्यश्चेत् कृतध्वंसः स्यादेवं चाकृतागमः ॥२९॥ કારણ કે જે દાતા હતો, તે તો એક જ ક્ષણમાં નાશ પામી ગયો, તો પછી દાનના ફળને કોણ ભોગવશે? જો અન્ય ક્ષણવર્તી વ્યક્તિ દાનના ફળને ભોગવે, તો જેણે કર્મ કર્યું તેને ફળ નહીં મળે, અને જેણે નથી કર્યું તેને ફળ મળશે. ॥ ૨૯ || विनाशे प्राणिनोः सद्यो हिंसाध्यानादिकारिणोः । વધમોક્ષૌ યો: સ્યાતામન્યયોઘ્રુહેતુઐ || ૩૦ || જો હિંસા, ધ્યાન વગેરે કરનાર જીવોનો તરત જ વિનાશ થઇ જતો હોય, તો પછી બંધન અને મોક્ષ કોના થશે ? જો ‘અન્યના બંધન-મોક્ષ થશે' એમ કહો, Page #96 -------------------------------------------------------------------------- ________________ ८३ पञ्चमोऽवसरः તો બંધન-મોક્ષ નિષ્કારણ થઈ જશે. (કારણ કે જેમના બંધન-મોક્ષ થાય છે, તેમણે તો હિંસા, ધ્યાન વગેરે કર્યા જ નથી.) || ૩૦ || अस्तीह प्रचुरं वाच्यमरुच्यमिति नोच्यते । सुखावबोधं प्रायेण प्राणिभ्यो रोचते वचः ॥ ३१ ॥ આ વિષયમાં ઘણું કહેવા જેવું છે. પણ એ (દુર્બોધ હોવાથી) રુચિકર નથી, માટે અમે કહેતા નથી. (બૌદ્ધના ક્ષણિકવાદના નિરાકરણ માટે જુઓ આત્મતત્ત્વવિવેકગુર્જર વૃત્તિ આત્મોપનિષદ્). પ્રાયઃ કરીને જીવોને સુગમવચન ગમતું હોય છે. || ૩૧ || प्रत्यक्षादिप्रतिक्षिप्तो नित्यपक्षोऽप्यसङ्ग [३४ - १]तः । પરાપરવર્યા(પં)યવર્યાનોવચિતં યતઃ ॥ ૩૨ || વળી જેઓ પદાર્થને એકાંતે નિત્ય માને છે, તેમનો પક્ષ પણ પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી બધિત છે. કારણ કે સર્વ વસ્તુ અન્ય-અન્ય પર્યાયોવાળી છે, એવું દેખાય છે. ॥ ૩૨ || किं च धर्माद्यनुष्ठानं निश्चलात्म (नि) निष्फलम् । न धर्मादुपकारोऽस्य नापकारोऽस्त्यधर्मतः ॥ ३३ ॥ વળી જો આત્મા સર્વથા નિશ્ચલ જ હોય, તો ધર્મ Page #97 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे વગેરેનું આચરણ નિષ્ફળ થઈ જાય. કારણ કે ધર્મથી આત્મા પર કોઈ ઉપકાર પણ નહીં થાય અને અધર્મથી કોઈ અપકાર પણ નહીં થાય. / ૩૩ ब्रह्महत्यादिदोषोऽपि नास्ति घाताद्यभावतः । बालादि न युवादि स्यान्नित्यस्याविचलत्वतः ॥ ३४ ॥ વળી તમે આત્માને નિશ્ચલ માન્યો છે. માટે કોઇ જીવની હિંસા જ નહીં થઈ શકે, માટે બ્રહ્મહત્યા વગેરેનો દોષ પણ નહીં રહે. તથા બાળ વગેરે, યુવાન વગેરે પણ નહીં થઈ શકે કારણ કે જે નિત્ય છે, તેમાં કોઈ પરિવર્તન ન થઈ શકે. / ૩૪ / इत्येकान्तोपगमे समस्तमसमञ्जसं समासजति । तस्मादुपगन्तव्यः प्रमाणतो वस्तुपरिणामः ॥ ३५ ॥ આ રીતે એકાંતવાદનો સ્વીકાર કરો, તો સર્વ અસંગત થાય છે. માટે પ્રમાણસિદ્ધ એવો વસ્તુ પરિણામ માનવો જોઈએ. (વસ્તુ પરિણામી છે, એમ માનવું જોઈએ.) | ૩૫ / प्रतिसमयं प्राचीनं रूपमभवदुत्तरं च भवति पुनः । वस्तु ध्रुवं कथञ्चन काञ्चनवलितादि परिणामि ॥३६॥ પ્રત્યેક સમયે પૂર્વનું રૂપ થયું હતું, અને પછીનું Page #98 -------------------------------------------------------------------------- ________________ ८५ पञ्चमोऽवसरः રૂપ થાય છે. કથંચિત્ કંચન, લલિતા (?) વગેરે પરિણામી વસ્તુ સ્થિર પણ છે. જે ૩૬ છે. यस्याभावे सर्वे व्यवहाराः सम्भवन्ति न जनस्य । जीयात् स जीवितसमोऽनेकान्तः सर्वथा कान्तः ॥३७॥ જેના વિના લોકોના સર્વ વ્યવહારો ન સંભવે, તે સર્વ રીતે સુંદર, જીવિતસમાન, એવો અનેકાંત જય પામો. | ૩૭ जीवादिकमपि तत्त्वं न विरुद्धं सत्प्रमाणत: सिद्धम् । કિસિદ્ધાન્તામિહિર્ત ઘર્મા સર્વેસર્વાદિતમ્ | રૂ૮ / જીવ વગેરે તત્ત્વ પણ સમ્યક્ પ્રમાણથી સિદ્ધ છે, માટે તે વિરુદ્ધ નથી. જિનાગમમાં કહેલ ધર્મ વગેરે પણ સર્વ જીવોના કલ્યાણકારક છે. તે ૩૮ છે. बाधाविकलं सकलं धर्मादिकमप्यतीन्द्रियं वस्तु । युक्तं युक्तिविवक्र(चित्रै)रनुमीयत एव किञ्चिदपि ॥३९॥ તથા ધર્માસ્તિકાય વગેરે સર્વ અતીન્દ્રિય વસ્તુ પણ યુક્તિ સંગત છે. તર્ક વગેરેથી તેમનો બાધ થતો નથી. વિવિધ યુક્તિઓથી તેમનું કંઈક અનુમાન પણ થાય જ છે. // ૩૯ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे यत्रापि नानु[३४-२]मानं क्रमते ननु मादृशस्य मन्दमतेः। बहुधा दृष्टावञ्चनजिनवचनात्तदपि निश्चयम् ॥ ४० ॥ વળી મારા જેવા મંદ મતિ જીવ જે વિષયમાં અનુમાન પણ કરી શકતા નથી, તે વિષયમાં પણ જિનવચનથી નિશ્ચય કરવો જોઈએ. કારણ કે ઘણા પ્રકારે એવું જોવાયું છે, કે જિનવચનમાં કોઈ વંચના નથી. | ૪૦ || लोकोऽपि सत्यवादं संवादादादिनं विनिश्चित्य । सन्दिग्धेऽर्थे साक्षिणमङ्गीकुरते प्रमाणतया ॥ ४१ ॥ જે વક્તાનું વચન સંવાદી હોય (તેણે કહ્યું તે સાચું છે એમ અન્ય પ્રમાણોથી પુરવાર થયું હોય), તો લોકો એવો નિશ્ચય કરે છે કે એ “સત્યવાદી છે. પછી કોઈ વસ્તુ શંકિત હોય (અન્ય પ્રમાણઓથી પુરવાર ન થતી હોય), તો પણ તેના વિષયમાં તે સત્યવાદીને પ્રમાણ તરીકે સાક્ષીરૂપે સ્વીકારે છે. મેં ૪૧ / न च भगवतोऽस्ति किञ्चन वञ्चनवचने निमित्तमित्युक्तम् । બિનવાનું પુનરેન્નિશ્ચતમHપરેશાવે છે કર છે વળી પૂર્વે કહ્યું જ છે, કે “કપટવચન' કહેવામાં ભગવાનને કોઈ કારણ નથી. આતોપદેશ વગેરેથી આ જિનવચનનો નિશ્ચય કરાયો છે. ૪૨ // Page #100 -------------------------------------------------------------------------- ________________ पञ्चमोऽवसरः आप्तपरम्परया स्याद् ग्रन्थेनान्येन वचनसाम्येन । सन्दिग्धार्थे वचने वचन जिनोक्तत्वनिश्चयनम् ॥४३॥ કોઈ શંકિત અર્થવાળા વચનમાં પણ આપ્તપરંપરાથી, અન્ય ગ્રંથથી, વચનના સરખાપણાથી એવો નિશ્ચય થઈ શકશે, કે એ જિનવચન છે. I૪૩ लोकेऽपि श्लोकादौ विपश्चित: कर्तृनिश्चिति केचित् । दृश्यन्ते सादृश्या(त्) कुर्वन्तो वचनपरिचित्या ॥४४॥ લોકમાં પણ કેટલાક વિદ્વાનો શ્લોક વગેરેના કર્તાનો નિશ્ચય વચનના પરિચય દ્વારા સરખાપણાથી કરે છે, એવું દેખાય છે. તે ૪૪ / धर्मास्तिकायमुख्यं कथञ्चिदप्यस्तु वस्तु किं तेन ? । कृत्याकृत्यं चिन्त्यं सुचेतसा पुण्यपापादि ॥ ४५ ॥ અન્ય અપેક્ષાથી પણ ધર્માસ્તિકાય વગેરે વસ્તુની સિદ્ધિ થઈ શકે, પણ તેનું શું કામ છે ? (એને પુરવાર કરી બતાવો, એવો આગ્રહ રાખવો ઉચિત નથી, એવો અહીં આશય છે.) સારા ચિત્તવાળી વ્યક્તિએ પુણ્ય-પાપ વગેરે કર્તવ્ય-અકર્તવ્યનો વિચાર કરવો જોઈએ. II૪પા तत्रास्ति कर्म चित्रं विचित्रफलसमुपलम्भतोऽनुमितम् । [3]=ાત તો સક્શન વિશે વાર્યાદા Page #101 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे તેમાં વિવિધ પ્રકારના ફળની ઉપલબ્ધિથી અનુમિત એવું વિવિધ પ્રકારનું કર્મ છે. કારણ કે એક જ પ્રકારના કારણથી અનેક પ્રકારનું કાર્ય ઉત્પન્ન થાય, એવું દેખાતું નથી. || ૪૬ || ૮૮ स्याज्जातरूपजातो न राजतो जातु जातुषो वापि । वलयादिरलङ्कारस्तच्चित्राज्जायते चित्रम् ॥ ४७ ॥ કડું વગેરે જે અલંકાર સુવર્ણમાંથી બન્યો છે, તે કદી ચાંદીથી કે લાખથી બની શકતો નથી. માટે વિવિધ પ્રકારના કારણથી જ વિવિધ પ્રકારનું કાર્ય ઉત્પન્ન થઈ શકે. || ૪૭ || एकजनकादिजनितौ स्त्रीपुंसौ यमलकौ प्रसाधयतः । મિદુરાયું:સૌભાગ્યાતિમાણિની શેવ્ડ હર્મ ॥ ૪૮ ॥ એક જ માતા-પિતાથી ઉત્પન્ન થયેલા જોડિયા ભાઈ-બહેન હોય... તેમના પણ આયુષ્ય, સૌભાગ્ય વગેરે જુદા જુદા હોય.. આ વાત કર્મની વિચિત્રતાને સિદ્ધ કરે છે. ॥ ૪૮ || रजतस्थालिस्थापितनिर्मलजलजातजन्तुजातं च । विविधतनुजातिवर्णं वर्णयति नियामकं कर्म ॥ ४९ ॥ ચાંદીની થાળીમાં ચોખ્ખું પાણી રાખ્યું હોય, તેમાં Page #102 -------------------------------------------------------------------------- ________________ पञ्चमोऽवसरः અનેક પ્રકારના શરીરવાળા, વિવિધ જાતિના તથા અનેક રંગના જંતુઓનો સમૂહ ઉત્પન્ન થાય છે, તે પોતાના વૈવિધ્યના નિયામક તરીકે કર્મને પુરવાર કરે છે. ૪૯ समेऽपि व्यापारे पुरुषयुगलस्यामलधियः । समाने कालादौ सकलगुणसाम्ये समजनि । यदेकस्यानर्थः प्रकटमितरस्यार्थनिचयो विनिश्चयं कर्म स्फुटतरमितोऽस्तीत्यनुमितेः ॥ ५० ॥ બે પુરુષ હોય, બંને નિર્મળ-બુદ્ધિસંપન્ન હોય, કાળ વગેરે સમાન હોય, સર્વ ગુણોનું પણ સરખાપણું હોય, અને તે બંને એક સરખો વેપાર કરતા હોય. તેમાં એકને અનર્થ થાય, અને બીજાને મોટો અર્થલાભ થાય, આ અનુમાનથી વધુ સ્પષ્ટ રીતે કર્મનો નિશ્ચય કરવો જોઈએ. / ૫૦ || शूरः शुचिः सुवचनोऽनुपमानुरागः પ્રજ્ઞ: જ્ઞાસુ ગુરુશત: નિતેશવિત્ર:(ત્ત:) . રૂિ-ર] यत्सेवको न लभते नृपतेरुदारा तत्कर्मनिर्मितमिति ध्रुवमामनन्ति ॥ ५१ ॥ સેવક શૂરવીર અને પવિત્ર હોય, સારું બોલનારો અને બેજોડ રાગી હોય, વિદ્વાન, કળાકુશળ અને ચિત્તને Page #103 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे જાણનારો હોય, તો પણ તે રાજા પાસેથી ઉદારા (?) ન મેળવે, તેમાં કારણ કર્મ જ છે, એવું (વિદ્વાનો) માને છે. ।। ૧૧ ।। ९० यन्नृपतेः क्षपणादपि वल्गु फलमफल्गु वल्लभं लभते । अधमाधमोपि मनुजस्तेनानुमिमीमहे कर्म ॥ ५२ ॥ અધમથી ય અધમ મનુષ્ય પણ રાજા પાસેથી ક્ષપણ (?) કરતાં ય સુંદર સારભૂત પ્રિય ફળ પ્રાપ્ત કરે છે, તેના પરથી અમે કર્મનું અનુમાન કરીએ છીએ. 11 42 11 दारिद्र्यं विदुषां विपन्नयवतां सम्पद्गुणद्वेषिणां वैधव्यं च वधूजनस्य वयसि प्रोल्लासिपीनस्तने । यत् प्रेयोविरहः स्थिति: सह खलैरन्यस्त्विदं दारुणं मुक्त्वा कर्म विचेतनं विकरुणं कश्चेतनश्चेष्टते ॥ ५३ ॥ વિદ્વાનોની ગરીબી, નીતિમાનોની વિપત્તિ, ગુણદ્વેષીઓની સંપત્તિ, વધૂનું વિધવાપણું, યુવાન ઉંમરમાં પ્રિયવિયોગ, દુર્જનો સાથે નિવાસ.... આ અન્ય પણ જે ભયંકર છે, તે જડ અને નિર્દય એવા કર્મને કારણે જ થાય છે. તેના વિના કઈ સચેતન વ્યક્તિ આવો જુલમ કરે ? ।। ૫૩ ॥ Page #104 -------------------------------------------------------------------------- ________________ पञ्चमोऽवसरः दौर्गत्यं यदुदात्तचित्तसुधियां व्याधिव्यथाऽभोगिनां दौर्भाग्यं रमणीयरूपरमणीलोकस्य लक्ष्मीवताम् । तारुण्ये मरणं जितस्मरवपुःश्रीणां जरा श्रीमतां नैवेदं समपत्स्यतापहृदयं कर्मा भविष्यन्न चेत् ॥५४॥ ઉદાત્ત મનવાળા શુભ મતિમાનોને ગરીબી આવે છે, જેઓ ભોગલંપટ નથી, તેમને પણ રોગ આવે છે. સુંદર રૂપવાળા સ્ત્રીજનને દુર્ભાગ્ય મળે છે. ધનવાનોને યુવાનીમાં મરણ આવે છે. કામદેવ કરતા પણ ચઢિયાતી શરીર શોભાવાળા શ્રીમંતોને ઘડપણ આવે છે. જો કર્મ ન હોય, તો આવા હૃદયશૂન્ય (લાગણીહીન) બનાવ ન બની શકે. | ૫૪ || शीलं कलमकलङ[३६-१कं कलाकलापातिकौशलं शौर्यम। खलजन इवोपकारं निखिलं विफलयति खलु कर्म ॥५५॥ જેમ દુર્જન ઉપકારને નિષ્ફળ કરી દે, એમ કર્મ સારા શીલ, નિષ્કલંક કુળ, કળાસમૂહમાં અત્યંત કુશળતા અને શૂરવીરતાને નિષ્ફળ કરી દે છે. |પપ || नयविनयादिविभूषितमदूषितापारपौरुषं पुरुषम् । कलुषमकलितमकाले समूलकाषं कषति कर्म ॥५६॥ નીતિ અને વિનય વગેરેથી અલંકૃત, દોષરહિત, Page #105 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे અસીમ પુરુષાર્થવાળા પુરુષને પણ અકાળે જ અજ્ઞાત એવું અશુભ કર્મ મૂળથી જ ઉખેડી નાખે છે. એ પ૬ // अनुगुणेऽनुगुणं विगुणेऽन्यथा परिजनस्वजनेष्टजनादिकम् । भवति कर्मणि हन्त ! शरीरिणां नरपताविव पत्तिजनादिकम् ॥ ५७ ॥ જો કર્મ અનુકૂળ હોય, તો જીવોના સેવકો, સ્વજનો, પ્રિયજનો વગેરે અનુકૂળ થાય છે, અને જો કર્મ પ્રતિકૂળ હોય, તો જીવોના સેવકો વગેરે પ્રતિકૂળ થાય છે. જેમ કે રાજા પ્રતિકૂળ હોય તો સૈનિક વગેરે પ્રતિકૂળ થાય છે, અને રાજા અનુકૂળ હોય તો સૈનિક વગેરે અનુકૂળ થાય છે. પ૭ | विगुणस्य पुरस्कारं कारयता गुणवतस्तिरस्कारम् । दृ(धृ)ष्टादृष्टेनायं निवेदितो નિવિનિગગડમા ૧૮ રિ૬-૨]. કર્મ બહુ ધિટું છે. નિર્ગુણનો એ સત્કાર કરાવે છે અને ગુણવાનનો એ તિરસ્કાર કરાવે છે. આવું કરવા દ્વારા તેણે પોતાની ગાઢ જડતા જણાવી છે. તે પ૮ | Page #106 -------------------------------------------------------------------------- ________________ ९३ किज्चविवादविषयो विहाय लोकायतं विषयलोलम् । कर्मान्ये मन्यन्ते सामान्येनाऽऽस्तिकाः सर्वे ।। ५९ ।। पञ्चमोऽवसरः વળી આ વિષયમાં કોઈ વિવાદ પણ નથી. કારણ કે વિષયલંપટ ચાર્વાક સિવાય બાકીના સર્વ આસ્તિકો सामान्यथी अर्मने माने छे. ॥ ८ ॥ धर्माधर्मौ सुखदुःखसाधने धीधनैरभिदधा । तावपि विलोकितफलौ क्वचिदिह लोकेऽपि खलु कुशलैः ॥ ६० ॥ જ્ઞાનીઓએ કહ્યું છે કે ધર્મથી સુખ મળે છે અને પાપથી દુ:ખ મળે છે. આ લોકમાં પણ ક્યાંક दुशणभ्नोखे तेमनुं इज भेयुं छे. ॥ ६० ॥ संयमभाजो जनजनितपूजना भाजनं जना यशसाम् । दृश्यन्ते द्वन्द्वद्वयवियोगिनो योगिनः सुखिनः ॥ ६१ ॥ संयमी, सोम्यूभपात्र, यशना लाउन, बने પ્રકારના દ્વન્દ્વથી રહિત એવા યોગીજનો સુખી દેખાય 19. 11 €9 11 आरम्भे संरम्भात् परिग्रहे चाऽऽग्रहा (द्) द्विधा द्वन्द्रः । तनुचित्तसङ्गतो वा न सङ्गतस्त्यक्तसङ्गानाम् ॥ ६२ ॥ Page #107 -------------------------------------------------------------------------- ________________ ९४ दानादिप्रकरणे (૧) હિંસામાં સંકલ્પ અને (૨) પરિગ્રહમાં આગ્રહ, આ બે પ્રકારનો દંઢ છે. અથવા તો (૧) માનસિક અને (૨) શારીરિક આ પ્રકારનો કંઠ છે, તે મુનિજનોને હોતો નથી. // ૬૨ // रागादिरोगपूगापगमात् पर३७-१]मसुखसङ्गम: सुगमः। आगमगदितोऽनुभवानुमानसिद्धो विशुद्धबुद्धीनाम् ॥६३॥ રાગ વગેરે રોગોનો ગણ જતો રહેવાથી પરમસુખનો સંગમ થાય છે, એ વાત આગમમાં કહી છે, અનુભવ અને અનુમાનથી સિદ્ધ છે, માટે નિર્મળ મતિમાનોને એ સહેલાઈથી સમજાય છે. તે ૬૩ // शमौपशमसमुत्थं समनुभवन्त्येव लेशतः शमिनः । શિવશર્મ વાના+તિમુપાતિ યોગરા છે ૬૪ . ' ઉપશમ ભાવથી ઉત્પન્ન થયેલા સુખને અને યોગના રાગથી મળેલા ભવિષ્યકાલીન મોક્ષસુખને શ્રમણો આંશિકપણે સમ્યફ અનુભવે જ છે. તે ૬૪ // अनुमीयतेऽत एव हि रागाभावः सदुपशमातिशये । सद्भावनया दाह्याभाव इव हुताशनातिशये ॥ ६५ ॥ | શુભ ભાવનાથી અત્યંત સમ્યક્ ઉપશમ ઉત્પન્ન હોય, તેમાં રાગ નથી હોતો એવું અનુમાન કરાય જ Page #108 -------------------------------------------------------------------------- ________________ ९५ पञ्चमोऽवसरः છે. જેમ કે અગ્નિનો પ્રકર્ષ હોય, ત્યારે હવે કોઇ ઇંધણ નથી એવું અનુમાન થાય છે. II ૬૫ ॥ यो यस्येह विरोधी दृष्टस्तस्योदये तदितरस्य । भवति विनाशोऽवश्यं दाह्यस्येवानलाभ्युदये ॥ ६६ ॥ જે જેના વિરોધી તરીકે દેખાયો હોય, તેના ઉદયમાં તે અન્યનો અવશ્ય વિનાશ થાય છે. જેમ કે અગ્નિના અભ્યુદયમાં ઇંધણનો અવશ્ય વિનાશ થાય છે. || ૬૬ || ज्ञानोपशमोपचयादज्ञानानुपशमापचयदृष्ट्या । [રૂ-ર]વધાર્યને વિરોધાવજ્ઞાનાવે: સયોડત્યત્તમ્ ॥૬॥ જ્ઞાન અને ઉપશમની પુષ્ટિ થાય, ત્યારે અજ્ઞાન અને અનુપશમની હાનિ થાય છે. આ રીતે તેમના વિરોધને કારણ અજ્ઞાન વગેરેના આત્યંતિક ક્ષયનો નિશ્ચય થાય છે. || ૬૭ || चिरकालालीनं कलधौतोपलमलमिव प्रयोगेण । દિતિ વિપત્તે નન્તો: વર્મ જ્ઞાનાવિયોગેન ॥ ૬૮ જેમ સુવર્ણમાં લાંબા સમયથી શિલાનો મેલ લાગ્યો હોય, તે પ્રયોગ દ્વારા શીઘ્ર છૂટો પડે છે, તેમ જીવનું કર્મ જ્ઞાનાદિ યોગથી છૂટું પડે છે. II ૬૮ ॥ Page #109 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे पापस्यापि विलोकयन्ति लोकाः फलं दारुणं चौराणां वधबन्धनं बहुविधं वित्तापहारादिकम् । जिह्वाच्छेदनभेदनान्यपयशो लोके मृषाभाषिणां नानाकारनिकारमङ्गविगमानन्याङ्गनासङ्गिनाम् ॥ ६९ ॥ ચોરોના વધબંધન, ધનાપહાર વગેરે, ખોટું બોલનારના જિલ્લાછેદન-ભેદન-અપયશ, પરસ્ત્રીગમન કરનારને અનેક પ્રકારની સજા- અંગછેદન... આ રીતે લોકો પાપનું ભયંકર ફળ પણ જુએ જ છે. ૬૯ / सुव्यक्तफलं पापं यस्य चिकीर्षाऽपि चित्तसन्तापम् । कुरुते करणमकरुणं नृणां प्राणद्रविणह[३८-१]णम्॥७०॥ પાપનું ફળ તો અત્યંત પ્રગટ જ છે, કારણ કે પાપ કરવાની ચિંતા પણ ચિત્તસંતાપને ઉત્પન્ન કરે છે. અને પાપચેષ્ટા તો મનુષ્યોના પ્રાણ અને ધનનું નિર્દય રીતે અપહરણ કરે છે. ૭) . अर्हच्छ्रीचूडामणिकेवलिकाज्योतिरमलशास्त्रादेः । संवादिनो जिनोक्तादतीन्द्रियेऽप्यागमः सत्यः ॥ ७१ ॥ અહંતશ્રીચૂડામણિ- કેવલિકાયોતિ-અમલશાસ્ત્ર વગેરે સંવાદી જિનવચનથી અતીન્દ્રિય વસ્તુના વિષયમાં પણ આગમ સત્ય પુરવાર થાય છે. ૭૧ // Page #110 -------------------------------------------------------------------------- ________________ ९७ पञ्चमोऽवसर: एवंविधसिद्धान्तात् सर्वज्ञः साधु(:) साध्यते साधु । विप्रतिपत्तौ झटिति प्रकटं कूटस्य दुर्दशस्यापि ॥७२॥ કોઈ સર્વજ્ઞને ન માને તો આવા સિદ્ધાંતથી સર્વજ્ઞને સમ્યક્ રીતે શીઘ્રતાથી સાચા સિદ્ધ કરવામાં આવે છે. માયાવી મિથ્યાદષ્ટિ ને પણ આ સિદ્ધિ તો પ્રગટ જ છે. (તે પણ આનો ઇન્કાર કરી શકે તેમ નથી.) Iકરો लिङ्गागमविगमे यो यदृतं जल्पति स वेत्ति तदवश्यम् । कन्थां कथयंस्तथ्यां नर इव लिङ्गागमापगमे ॥ ७३ ॥ જે વસ્તુ અતીન્દ્રિય હોય, જેનું કોઇ લિંગ (ઓળખચિહ્ન-ધૂમાડો વગેરે) કે આગમ (વિશ્વસનીય નિર્દેશક વચન) ન હોય, અને છતાં તે વસ્તુના સત્યને જે કહી દે, તો તે વ્યક્તિ તે વસ્તુને અવશ્ય જાણતી હોય છે. જેમ કે લિંગ-આગમ ન હોવા છતાં પણ કોઈ મનુષ્ય કોથળાની સાચી વાત કહે, તો તે અવશ્ય કોથળાને જાણતો હોય છે. મેં ૭૩ // नैवागमोऽस्त्यमूलः सम्बद्धाग्रहणतो न लिङ्गमपि । तथ्यमतीन्द्रियमर्थं साक्षाद्विदितं जिनो वदति ॥ ७४ ॥ કોઈ ઉગમ ન હોવાથી આગમ નથી. (કારણ કે જિનેશ્વરના કોઈ ગુરુ હોતા નથી.) વળી અતીન્દ્રિય Page #111 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे પદાર્થ કોઈ પ્રત્યક્ષ વસ્તુ સાથે સંબંધ ધરાવતો નથી, માટે તેનું કોઈ ઓળખચિહ્ન પણ નથી. જે સત્ય છે એવા અતીન્દ્રિય અર્થને જિન પ્રત્યક્ષ જાણે છે અને કહે છે. ૭૪ . धर्मं विशुद्धमधिगच्छति [३८-२] साधुबोधो यः श्रद्दधात्यविधुरो विधिना विधत्ते । सम्बोधयत्यबुधभव्यजनं भवाब्धेरुत्तारकः सकरुण: स गुरुर्गुणाढ्यः ॥ ७५ ॥ જે સમ્યફ જ્ઞાન ધરાવે છે, જે વિશુદ્ધ ધર્મને જાણે છે, જે તેની શ્રદ્ધા કરે છે, ઉમંગપૂર્વક વિધિથી વિશુદ્ધ ધર્મનું આચરણ કરે છે, અબુઝ ભવ્ય જીવોને જે સમ્યફ પ્રતિબોધ કરે છે, જે ભવસાગરથી પાર ઉતારે છે, જે કરુણાવાન છે, જે ગુણસમૃદ્ધ છે, તે ગુરુ છે. જે ૭૫ છે. यो बोद्धा श्रद्धालुः स्पृहयालुः शिवपदाय सुदयालुः । धर्मं गृणाति जनमनुग्रहयालुः सोऽपि गुरुरतन्द्रालुः ॥७६॥ જે જ્ઞાની, શ્રદ્ધાળુ, મોક્ષપદના અભિલાષી, અત્યંત દયાળુ, ધર્મપ્રરૂપક, લોકો પર કૃપા કરનારા અને અપ્રમત્ત છે, તે પણ ગુરુ છે. તે ૭૬ // Page #112 -------------------------------------------------------------------------- ________________ ९९ पञ्चमोऽवसरः देवागमगुरुतत्त्वं परीक्षितं पण्डितैरुपादेयम् । तापाघेरिव काञ्चनमिह वञ्चनमञ्चनमनर्थे ॥ ७७ ॥ हेव-मागम-गुरु... म तत्वनी विद्वानो પરીક્ષા કરવી જોઈએ, અને પછી તેમનો સ્વીકાર કરવો જોઈએ. જેમ કે સુવર્ણની પરીક્ષા તાપ વગેરેથી થાય છે. આ બાબતમાં છેતરાવું એ અનર્થમાં પડવા જેવું છે. ॥ ७७ ॥ गुरुदेवयोः स्वरूपं निरूपितं प्रक्रमागतं किमपि । आगमतत्त्वं प्रकृतं समासतस्तत् समाम्नातम् ॥७॥ પ્રસંગોપાત્ત ગુરુ અને દેવનું કંઈક સ્વરૂપ કહ્યું. मारामतत्त्वनु ५४२९॥ छ, ते ढूंभ युं छे. ॥ ७८ ॥ आगमाधि[३९-१]गमनीयमशेषं निर्दिशन्ति खलु धर्मविशेषम् । आगमव्यपगमे हि नियोगाज्जायते सकलधर्मविलोपः॥७९॥ आलोकेन विना लोको मार्ग नालोकते यथा । विनाऽऽगमेन धर्मार्थी धर्माध्वानं जनस्तथा ॥ ८० ॥ | સર્વ ધર્મવિશેષ આગમથી જણાય છે, એમ જ્ઞાનીઓ કહે છે. જો આગમ ન હોય તો અવશ્ય સર્વ Page #113 -------------------------------------------------------------------------- ________________ १०० दानादिप्रकरणे ધર્મોનો વિલોપ થઈ જાય. જેમ લોકો પ્રકાશ વિના રસ્તાને જોતા નથી, તેમ આગમ વિના ધર્માભિલાષી જન ધર્મમાર્ગને જોઈ શકતા નથી. / ૭૯-૮૦ || उच्छिद्यमानो यत्नेन धर्मानुच्छेदवाञ्छया । आगम: सति सामर्थ्य रक्षणीयो विचक्षणैः ॥ ८१ ॥ આગમનો ઉચ્છેદ થઈ રહ્યો છે. જો શક્તિ હોય તો વિચક્ષણોએ ધર્મનો ઉચ્છેદ અટકાવવાની ઝંખનાથી તેનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ. તે ૮૧ // सन्धार्याः सपरिच्छदाः श्रुतधरा वस्त्रान्नपानादिना लेख्यं शस्तसमस्तपुस्तकमहावृन्दं सदानन्दनम् । आत्मीयं हिमरश्मिमण्डलतले नामेव नामामलं दत्त्वा बन्धन(दोरका)[३९-२]दिविधिना સંરક્ષીય સલા દરો વસ્ત્ર-અન્ન-પાન વગેરે દ્વારા શ્રતધારક મહાત્માઓ અને તેમના પરિવારનું પોષણ કરવું જોઈએ. સદા આનંદદાયક પ્રશસ્ત સર્વ પુસ્તકોનો મોટો સમૂહ લખવો જોઈએ. જાણે ચંદ્રમંડળ ઉપર નામ હોય, તેમ તેના પર પોતાનું નિર્મળ નામ આપીને બાંધવાના દોરા વગેરે વિધિથી તેની હંમેશા રક્ષા કરવી જોઈએ. ૮૨ // Page #114 -------------------------------------------------------------------------- ________________ पञ्चमोऽवसरः द्रविणं साधारणमुरुकरणीयमथादरेण भरणीयम् । पुस्तकसङ्घादीनां निमित्तमापत्तिसम्पत्तौ ॥ ८३ ॥ १०१ पुस्त, જ્યારે આપત્તિ આવે ત્યારે કામ લાગે તે માટે સંઘ વગેરે માટે સાધારણ ધનનો વિસ્તાર કરવો જોઈએ, અને તે ખાતામાં ઉલ્લાસથી ધન આપવું જોઈએ. 11 23 11 कुर्वाणा निर्वहणं धर्मस्यानिधनमित्थमिह धनिनः । बध्नन्त्यनुबन्धि शुभं निबन्धनं बन्धनविनाशे ॥ ८४ ॥ આ રીતે અહીં શ્રીમંતો હંમેશા ધર્મનો નિર્વાહ કરવા દ્વારા કર્મબંધનો નાશ કરનાર એવું પુણ્યાનુબંધી पुण्य उपार्थित पुरे छे. ॥ ८४ ॥ तर्कव्याकरणाद्या विद्या न भवन्ति धर्मशास्त्राणि । निगदन्त्यविदितजिनमतजडमतयो जना केऽपि ॥ ८५ ॥ જેમણે જિનમતને જાણ્યો નથી, એવા કેટલાક અજ્ઞાનીઓ એમ કહે છે કે તર્ક-વ્યાકરણ વગેરે વિદ્યાઓ धर्मशास्त्रो नथी ॥ ८५ ॥ द्रव्यानुयोगः सकलानुयोगमध्ये प्रधानोऽभिदधे सुधीभि: । तर्कः प्रमाणं प्रणिगद्यतेऽसौ सद्धर्म [ ४० - १] शास्त्रं ननु दृष्टिवादः ॥ ८६ ॥ Page #115 -------------------------------------------------------------------------- ________________ १०२ दानादिप्रकरणे જ્ઞાનીઓએ સર્વ અનુયોગોમાં દ્રવ્યાનુયોગને શ્રેષ્ઠ કહ્યો છે, તર્ક, પ્રમાણ એ દ્રવ્યાનુયોગ કહેવાય છે. દષ્ટિવાદ એ સમ્યફ ધર્મશાસ્ત્ર છે, જેમાં તર્ક, પ્રમાણ વગેરેનો વિસ્તાર છે.) | ૮૬ | गणिते धर्मकथायां चरणे द्रव्ये भवेयुरनुयोगाः । व्याख्यानानि चतुर्णां तुर्यो वर्यः समाख्यातः ॥७॥ ચાર પ્રકારના અનુયોગો=વ્યાખ્યા છે - (૧) ગણિતાનુયોગ (૨) ધર્મકથાનુયોગ (૩) ચરણકરણાનુયોગ (૪) દ્રવ્યાનુયોગ. તેમાં ચોથા અનુયોગને શ્રેષ્ઠ કહ્યો છે. | ૮૭ / मिथ्यादृष्टिश्रुतमपि सदृष्टिपरिग्रहात् समीचीनम् । किं काञ्चनं न कनं रसानुविद्धं भवति ताम्रम् ॥८॥ મિથ્યાષ્ટિના કૃતનું પણ જો સમ્યગ્દષ્ટિ ગ્રહણ કરે, તો તે સમ્યક્ શ્રુત થાય છે. રસથી વેધ કરેલું તાંબુ શું સુંદર સુવર્ણ નથી બની જતું ? || ૮૮ | दीप इव शब्दविद्या परमात्मानं च दीपयत्युच्चैः । आत्मप्रकाशनेऽपि हि जडानि पुनरन्यशास्त्राणि ॥ ८९ ॥ શબ્દવિદ્યા (વ્યાકરણ વગેરે) એ દીપક જેવી છે, જે બીજાને અને પોતાને પણ અત્યંત પ્રકાશિત કરે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ १०३ पञ्चमोऽवसरः બાકી અન્ય શાસ્ત્રો તો પોતાને પ્રકાશિત કરવામાં પણ (પોતાનો અર્થ જણાવવામાં) જડ જ છે. | ૮૯ | पङ्गः पथि गच्छेदपि नाशब्दविशारदो नरः शास्त्रे । कथमप्यर्थविचारे पदमपि चतुरोऽपि सञ्चरति ॥१०॥ પાંગળો કદાચ રસ્તા પર ચાલી શકે, પણ જે શબ્દવિશારદ નથી, એવો નર શાસ્ત્રમાં પ્રગતિ ન કરી શકે. એ ચતુર હોય, તો ય અર્થવિચારના ક્ષેત્રે એક પગલું પણ કોઈ રીતે ન ચાલી શકે. ૯૦ || व्याकरणालङ्कारश्छन्द:प्रमुखं जिनोदितं मुख्यम् । सुगतादिमतमपि स्यात् स्यादकं स्वमतमकलङ्कम् ॥११॥ વ્યાકરણ, અલંકાર, છંદ વગેરે જિનેશ્વરે જે કહ્યું છે, તે મુખ્ય છે. બુદ્ધ વગેરેનો મત પણ જો સ્યાદ્વાદસહિત હોય, તો એ નિષ્કલંક એવો જિનમત બને છે. I૯ના मुनिमतमपि विज्ञातं न पातकं ननु विरक्तचित्तानाम् । यत् सर्वं ज्ञातव्यं कर्तव्यं न त्व(४०-२)कर्तव्यम् ॥१२॥ વૈરાગી મનવાળા જીવો જૈમિનિ વગેરે ઋષિઓના મતને જાણે, તો પણ તે પાપ નથી, કારણ કે એ બધું જાણવાનું છે. “કરવાનું જ છે કે “નથી જ કરવાનું એવું નથી. || ૯૨ . Page #117 -------------------------------------------------------------------------- ________________ १०४ दानादिप्रकरणे विज्ञाय किमपि हेयं किञ्चिदुपादेयमपरमपि दृष्यम् । तन्निखिलं खलु लेख्यं ज्ञेयं सर्वज्ञमतविज्ञैः ॥ ९३ ॥ જાણીને તેમાંથી કાંઈક છોડી દેવાનું હોય છે, કાંઈક લેવાનું હોય છે, અન્ય દૂષિત કરવાનું હોય છે. સર્વજ્ઞમતના વિદ્વાનોએ તે સર્વ ગ્રંથને જાણવો જોઈએ. ॥ ८3 ॥ ये लेखयन्ति सकलं सुधियोऽनुयोगं शब्दानुशासनमशेषमलङ्कृतीश्च । छन्दांसि शास्त्रमपरं च परोपकार - सम्पादनैकनिपुणा: पुरुषोत्तमास्ते ॥ ९४ ॥ જે સદ્બુદ્ધિમાનો સર્વ અનુયોગ, સંપૂર્ણ વ્યાકરણ, અલંકારો, છંદો અને અન્ય શાસ્ત્ર લખાવે છે, તેઓ પરોપકાર કરવામાં અત્યંત કુશળ શ્રેષ્ઠ પુરુષો છે. ॥ ८४ ॥ ते धन्या धनिनस्त एव भुवने ते कीर्तिपात्रं परं तेषां जन्म कृतार्थमर्थनिवहं ते चाऽऽवहन्त्वन्वहम् । ते जीवन्तु चिरं नराः सुचरिता जैनं शुभं शासनं ये मज्जद् गुरुदुःषमाम्बुधिपयस्यभ्युद्धरन्ति स्थिराः ॥९५ ॥ દુઃષમાં કાળરૂપી મહાસાગરના પાણીમાં ડુબતા Page #118 -------------------------------------------------------------------------- ________________ पञ्चमोऽवसरः १०५ પ્રશસ્ત જિનશાસનનો જે સ્થિર નરો ઉદ્ધાર કરે છે, તેઓ ધન્ય છે, તેઓ જ ખરા શ્રીમંત છે, તેઓ પરમ કીર્તિના ભાજન બને છે. તેમનો જન્મ કૃતાર્થ છે, તેઓ અઢળક સંપત્તિને પ્રાપ્ત કરે છે. તેઓ સચ્ચરિત્રસંપન્ન છે, તેઓ ચિર કાળ સુધી જીવો. ॥ ૯૫ | किं किं तैर्न कृतं न किं विवपितं दानं प्रदत्तं न किं ? के (का) वाऽऽपन्न निवारिता तनुमतां मोहार्णवे मज्जताम् ? । नो पुण्यं किमुपार्जितं किमु यशस्तारं न वि (४१ - १)स्तारितं सत्कल्याणकलापकारणमिदं यैः शासनं लेखितम् ॥ ९६ ॥ જેમણે પ્રશસ્ત કલ્યાણોના સમૂહના કારણભૂત એવા જિનશાસન(આગમ)ને લખાવ્યું છે, તેમણે શું શું શુભકાર્ય નથી કર્યું ? શું નથી વાવ્યું ? કયું દાન નથી આપ્યું ? મોહસાગરમાં ડુબતા જીવોની કઇ આપત્તિ નિવા૨ી નથી ? કયા પુણ્યનું ઉપાર્જન નથી કર્યું ? કયાં યશનો વિસ્તાર નથી કર્યો ? (આશય એ છે કે શાસ્ત્ર એ સર્વ સુકૃતોનો આધાર છે, માટે શાસ્ત્રલેખન કરાવનારે સર્વ સુકૃતો કર્યા છે.) (૯૬) निक्षिप्ता वसतौ सती क्षितिपतेः सम्पत्प्रमोदास्पदं भाण्डागारितमामरं स्थिरतरं श्रेष्ठं गरिष्ठं पदम् । Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ दानादिप्रकरणे सत्यङ्कारितमक्षयं शिवसुखं दुःखाय दत्तं जलं धन्यैस्तैः स्वधनैरलेखि निखिलं यैर्वाङ्मयं निर्मलम् ॥१७॥ જેમણે નિર્મળ સર્વ જિનવચનને પોતાના ધનથી લખાવ્યું છે, તેઓ ધન્ય છે. તેમણે આનંદના સ્થાન સમી સુંદર રાજવી સંપત્તિને પોતાના ઘરમાં અનામત મુકી દીધી છે. અત્યંત સ્થિર, શ્રેષ્ઠ, ગરિષ્ઠ એવા દૈવી પદને પોતાની તિજોરીમાં મુકી દીધી છે. અક્ષય શિવસુખને પોતાનું કરી લીધું છે, અને દુઃખોને જલાંજલિ (કાયમ માટે વિદાય) આપી છે. ૯૭ // - ઇતિ પંચમ અવસર - Page #120 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽवसरः सङ्घोऽनघः स्फुरदनर्घगुणौ(घ)रत्नरत्नाकरो हितकरश्च शरीरभाजाम् । नि:शेषतीर्थकरमुख्यमुनीन्द्रमान्यः पूज्यो गुरुस्त्रिभुवनेऽपि[४१-२] समोऽस्य नान्यः ॥१॥ સંઘ એ નિષ્પાપ છે. અમૂલ્ય ગુણોના સમૂહોરૂપી રત્નોને તે ધારણ કરે છે, માટે તે રત્નાકરસમાન છે. એ જીવોનો હિતકારક છે, સર્વ તીર્થકરો આદિ મુનીશ્વરોને માનનીય છે, પૂજનીય છે, ત્રણે ભુવનમાં તેમના જેવો મહાન બીજો કોઈ નથી. / ૧ श्रीसङ्घतः स भवतीति कृतज़भावात् पूज्यं ममापरजनाः परिपूजयन्तु । कार्यं विनाऽपि विनयो गुरुणाऽपि कार्य: प्रख्यापयन्निति जिनोऽपि नमस्यतीमम् ॥ २ ॥ જિન પણ સંઘને નમસ્કાર કરે છે. તેમાં તેવો કૃતજ્ઞભાવ હોય છે, કે જિન એ શ્રીસંઘમાંથી થાય છે. વળી સંઘ મારા માટે પણ પૂજ્ય છે. માટે અન્ય લોકો પણ તેને પૂજે, તથા “મહાન' હોય તેમણે પણ પ્રયોજન વિના પણ વિનય કરવો જોઈએ, આવો સંદેશ પ્રભુએ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ दानादिप्रकरणे આપ્યો છે. // ૨ / क्लेशापहं सपदि सुन्दरनामधेयं स्मृत्याऽप्यमुष्य परिपुष्यति भागधेयम् । आलापमात्रमपि लुम्पति पातकानि ઋાં યોગ્યતાં તનુમતાં તનતે ન ય : છે રૂ જેનું સુંદર નામ પણ શીઘ્રતાથી લેશોને દૂર કરે છે, જેનું સ્મરણ પણ સૌભાગ્યને અત્યંત પુષ્ટ કરે છે, જેનો ફક્ત ઉચ્ચાર પણ પાપોનો નાશ કરે છે, તે “યોગ’ જીવોમાં કંઈ યોગ્યતાનો વિસ્તાર કરતો નથી ? / ૩ / श्रीसङ्के परिपूजिते किमु न यत् सम्पूजितं पूजकैरेतस्मिन् गृहमागते किमु न यत् कल्याणमभ्यागतम्। एतत्पादसरोजरा[४२-१]जिरजसा पुंसां समारोहता मूर्द्धानं प्रविधीयते यदधिको(का) शुद्धिस्तदत्राद्भुतम् ॥४॥ જેઓ શ્રીસંઘનું પૂજન કરે છે, તેમણે કોનું પૂજન નથી કર્યું ? શ્રીસંઘ ઘરમાં આવે, ત્યારે કયું કલ્યાણ નથી આવ્યું ? આશ્ચર્ય તો અહીં એ છે, કે જે પુરુષોના મસ્તક પર શ્રીસંઘના ચરણકમળોની રજ ચઢે, તે પુરુષોની વધુ શુદ્ધિ થાય છે. (ધૂળથી અશુદ્ધિ થાય, પણ પ્રસ્તુતમાં તેનાથી શુદ્ધિ થાય છે, તે આશ્ચર્ય છે.) || ૪ || Page #122 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽवसरः यत् किञ्चनापि सङ्के नियोजितं वितनुते विशिष्टफल (म्) । तोयमिव शुक्तिसम्पुटपतितं मुक्ताफलं विमलम् ॥५॥ १०९ સંઘમાં જે પણ વિનિયોગ કરાય તે વિશિષ્ટ ફળ આપે છે. જેમ કે છીપલામાં પાણી પડે એ નિર્મળ મોતી स्व३५ थाय छे. ॥ ५ ॥ अनघे सङ्के क्षेत्रे श्रद्धाजलसिक्तमुप्तमल्पमपि । जनयति फलं विशालं विटपिनमिव वटतरोर्बीजम् ||६|| સંઘ એ એક નિર્મળ ક્ષેત્ર છે. તેમાં શ્રદ્ધા જળથી સિંચન કરાય, અને થોડું પણ વાવેતર કરાય, એ વિશાળ ફળને ઉત્પન્ન કરે છે. જેમ કે વટવૃક્ષનું બીજ મોટા जाउने उत्पन्न हुरे छे. ॥ ६ ॥ वित्तं वितीर्णं विस्तीर्णे पवित्रे पात्रसत्तमे । सङ्के सञ्जायतेऽनन्तं न्यस्तमर्ण इवार्णवे ॥ ७ સંઘરૂપ વિસ્તૃત પવિત્ર શ્રેષ્ઠ પાત્રમાં જે દાન અપાય, તે ‘અનંત' બની જાય છે. જેમ કે સાગરમાં नापेतुं पाशी 'अक्षय' जनी भय छे. ॥ ७ ॥ समस्त: पूजितः सङ्घः एकदेशेऽपि पूजिते । विन्यस्तमस्तके [ ४२-२] पुष्पे पूज्यो जायेत पूजितः ॥८॥ Page #123 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे સંઘના એક ભાગનું પણ પૂજન કરવામાં આવે, તો પણ સમસ્ત સંઘના પૂજનનો લાભ મળે છે. જેમ કે પૂજ્ય વ્યકિતના મસ્તક પર પુષ્પ ચડાવવામાં આવે તો તે વ્યકિતનું પૂજન કરાયું ગણાય છે. | ૮ | गजव्रजस्येव दिशागजेन्द्राः सङ्घस्य मुख्यास्तु मता मुनीन्द्राः । तेभ्यः प्रदानं विधिना निदानं निर्वाणपर्यन्तसुखावलीनाम् ॥ ९ ॥ ११० જેમ હાથીઓના ગણમાં દિગ્ગજો મુખ્ય છે, તેમ સંઘમાં મુનીશ્વરો મુખ્ય ગણાય છે. તેમને વિધિપૂર્વક જે દાન અપાય, તે નિર્વાણ સુધીના સુખોની શ્રેણિઓનું કારણ છે. | ૯ | साधवो जङ्गमं तीर्थं जल्पज्ञानं च साधवः । साधवो देवता मूर्ता: साधुभ्यः साधु नापरम् ॥१०॥ સાધુઓ એ જંગમ તીર્થ છે. સાધુઓ એ બોલતું જ્ઞાન છે. સાધુઓ મૂર્તિમંત દેવતા છે. સાધુઓથી વધુ સારું બીજું કાંઈ નથી. ।। ૧૦ ।। तीर्थं ज्ञानं देवता नोपकुर्यात् सत्त्वानित्थं साधुसार्थो यथोच्चैः । Page #124 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽवसरः धर्माधर्मप्रेरणावारणाभ्या - मर्थानौँ साधयन् बाधयंश्च ॥ ११ ॥ ધર્મપ્રેરણા, અધર્મનિવારણ, હિતસાધન, અને અહિતબાધન દ્વારા જે રીતે મુનિગણ અત્યંત ઉપકાર કરે છે, તે રીતે તીર્થ, જ્ઞાન કે દેવતા ઉપકાર કરતા નથી. // ૧૧ ||. साधूपदेशतः सर्वो धर्ममार्गः प्रवर्तते । विना तु साधुभिः सर्वा तद्धार्ताऽपि निवर्तते ॥१२॥ સાધુના ઉપદેશથી સર્વ ધર્મમાર્ગ પ્રવર્તે છે, સાધુઓ ન હોય તો ધર્મની કોઈ વાત પણ ન રહે. તે ૧૨ // चारित्रं दर्शनं ज्ञानं मुनिभ्यो नापरं मतम् । ત્રયા ના પરંપૂર્ગાશંg(ચા:)ન[૪૩]સાધવા? રૂા ચારિત્ર-દર્શન- જ્ઞાન એ સાધુઓ સિવાય અન્ય નથી. આ ત્રણ વસ્તુ સિવાય કોઈ પૂજ્ય નથી, તો સાધુઓ પૂજ્ય કેમ ન હોય ? || ૧૩ . क्वचित् त्रयं द्वयं क्वापि दर्शनार्थोद्यमः क्वचित् । प्रायो न निर्गुणो लिङ्गी स्तुत्यः सर्वस्ततः सताम् ॥१४॥ એમાંથી ક્યાંક ત્રણ અને ક્યાંક બે હોય છે, છેવટે ક્યાંક સમ્યગ્દર્શન માટેનો ઉદ્યમ હોય છે. પ્રાયઃ Page #125 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे સાધુવેષધારક નિર્ગુણ હોતા નથી. માટે સર્વ સાધુવેષધારકો સજ્જનોને પૂજનીય છે. તે ૧૪ || चित्रेऽपि लिखितो लिङ्गी वन्दनीयो विपश्चिताम् । निश्चितं किं पुनश्चित्तं दधानो जिनशासने ? ॥१५॥ ચિત્રમાં સાધુવેષધારક વિદ્વાનોને વંદનીય હોય છે, તો પછી જેનું મન જિનશાસનમાં નિશ્ચય ધરાવે છે, એની તો શું વાત કરવી ? | ૧૫ / नानारूपाणि कर्माणि विचित्राश्चित्तवृत्तयः । आत्मनीनं जनः कोऽपि कथञ्चन करोत्यतः ॥१६॥ કર્મો અનેક પ્રકારના છે. ચિત્તવૃત્તિઓ વિવિધ પ્રકારની છે. માટે કોઈ જન કોઈ રીતે આત્મહિતકારક વસ્તુ કરે છે. તે ૧૬ // तस्मान्महान्तो गु[४३-२]णमाददन्तां दोषानशेषानपि सन्त्यजन्तु । गृह्णन्ति दुग्धं जलमुत्सृजन्ति હંસા: માવ: સ નિગ: સુરીનામ્ છે ? માટે મહાપુરુષો ગુણોને ગ્રહણ કરો, સર્વ દોષોનો ત્યાગ કરો. હંસો દૂધનું ગ્રહણ કરે છે અને પાણીનો ત્યાગ કરે છે. એવો પવિત્ર વ્યક્તિઓનો પોતાનો સ્વભાવ હોય છે. | ૧૭ |. Page #126 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽवसरः गृणन्नामापि नामेह कुर्वन्नामादि किं पुनः । जिनस्य मन्ये मान्यः स्यात् तद्भक्तानां स्वभावतः || १८ || ११३ જે જિનનું નામ લે, તે પણ સત્કારપાત્ર થાય છે, તો જે જગતમાં જિનની નામના વગેરે કરે તેની તો શું વાત કરવી. માટે તે જિનભક્તોને માનનીય થાય એ સ્વાભાવિક છે, એમ હું માનું છું. ॥ ૧૮ ॥ लेखवाहोऽपि भूपस्य भक्तियुक्तैर्नियुक्तकैः । मान्यते निर्गुणोऽप्येवं लिङ्गी जिनमतस्थितैः ॥ १९ ॥ જે રાજાનો સંદેશ લાવે, તે પણ અધિકારીઓ દ્વારા ભક્તિપૂર્વક માનનીય બને છે. એ રીતે જિનમતમાં રહેલી વ્યક્તિઓ માટે નિર્ગુણ લિંગી પણ માનનીય છે. (અહીં પણ સર્વથા નિર્ગુણતા નહીં, પણ યથાસંભવ રત્નત્રયીની હાજરી સમજવી. અને તે ગુણોને દૃષ્ટિમાં રાખીને તેમનું સન્માન કરવું, એવો આશય સમજવો.) || ૧૯ || सर्वज्ञो हृदये यस्य वाचि सामायिकं करे । धर्मध्वजो जगज्येष्ठो ग्रामणीर्गुणिनामसौ ॥ २० ॥ જેના હૃદયમાં સર્વજ્ઞ છે, વચનમાં સામાયિક સૂત્ર છે અને હાથમાં જગતમાં જ્યેષ્ઠ એવું રજોહરણ છે, એ ગુણવાનોનો અગ્રણી છે. || ૨૦ || Page #127 -------------------------------------------------------------------------- ________________ ११४ दानादिप्रकरणे न सन्ति येषु देशेषु साधवो धर्मदीपकाः । नामापि तेषु धर्म[४४-१]स्य ज्ञायते न कुतः क्रिया ॥२१॥ જે દેશોમાં ધર્મપ્રકાશક સાધુઓ ન હોય, તે દેશોમાં ધર્મનું નામ પણ ન જાણી શકાય, તો ધર્મની ક્રિયા તો ક્યાંથી જાણી શકાય ? || ૨૧ | धर्मं कुर्वन्ति रक्षन्ति वर्धयन्ति सुमेधसः । कथं न वन्द्या विश्वस्य साधवो धर्मवेधसः ? ॥२२॥ જે સબુદ્ધિવાળા જીવો ધર્મનું આચરણ કરે છે, ધર્મની રક્ષા કરે છે, અને ધર્મની વૃદ્ધિ કરે છે, તે ધર્મના સર્જક સાધુઓ વિશ્વને વંદનીય કેમ ન થાય ? //રરા करणकारणसम्मतिभिस्त्रिधा वचनकायमनोभिरुपार्जयन् । कथमपीह शुभं शुभचेतसां मुनिजनोऽजनि पूजनभाजनम् ॥ २३ ॥ કરણ, કરાવણ અને અનુમોદન આ ત્રણ પ્રકારે વચન, કાયા અને મન દ્વારા પ્રશસ્ત મનવાળા જીવોનું કોઈ રીતે કલ્યાણ કરતા મુનિજન સત્કારપાત્ર થયા છે. || ૨૩ || Page #128 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽवसरः ज्यायः पात्रं श्रेयश्चित्तं स्वायत्तं सद्गेहे वित्तम् । एतल्लभ्यं पुण्यैः पूर्णं मुक्तिप्राप्तेर्यानं तूर्णम् ॥ २४ ॥ મહાન પાત્ર, પ્રશસ્ત ચિત્ત અને પ્રશસ્ત ઘરમાં સ્વાધીન દ્રવ્ય... આ મુક્તિને પામવા માટે ઝડપી વાહન છે. સંપૂર્ણપણે આ ત્રણે વસ્તુ પુણ્યથી જ મળી શકે. // ૨૪ છે. ज्ञानोत्तमं किमपि किञ्चन दर्शनाढ्यं पात्रं पवित्रितजगत्त्रयसच्चरित्रम् । किञ्चित् त्रयोगुणमयं द्विगुणं समग्रैः यु[४४-२]क्तं गुणैः किमपि पूज्यमशेषमेव ॥ २५ ॥ કોઈ પાત્ર જ્ઞાનથી શ્રેષ્ઠ હોય છે, કોઈ દર્શનથી સમૃદ્ધ હોય છે. કોઇનું સમ્મચારિત્ર ત્રણે જગતને પવિત્ર કરનારું હોય છે. કોઈ ત્રણ ગુણવાળું કે બે ગુણવાળું હોય છે. કોઈ સંપૂર્ણ પાત્ર ત્રણે ગુણોથી યુક્ત હોય છે. | ૨૫ . मिथ्यात्वध्वान्तविध्वंसे पटीयांसो महौजसः । સત્તા: રુચ નો પૂજ્યા: યુઃ સૂર્યા વ સૂરથ: / ર૬ છે. જેઓ મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ કરવામાં નિપુણ છે, મહાતેજસ્વી છે, સમ્યફચારિત્રથી સંપન્ન છે, તેવા સૂર્ય જેવા આચાર્યો કોને પૂજનીય નથી ? ૨૬ll Page #129 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे ११६ तारका इव भूयांसः स्वप्रकाशकरा नराः । प्रकाशयन्तस्तत्त्वानि दुर्लभा भास्करा इव ॥ २७ ॥ તારાની જેમ સ્વપ્રકાશક નરો તો ઘણા હોય છે. પણ તત્ત્વપ્રકાશક સંતો સૂર્યની જેમ દુર્લભ હોય છે. 11 29 11 किञ्चित्प्रकाशपटवो बहवोऽपि पापा: सन्तापका हुतवहा इव सन्ति लोके । लोकम्प्रि (म्पृ?) णाः प्रकटिताखिलवस्तुतत्त्वाः સત્ત્વાધિરા: શશધરા વ મુખ્યતા:॥ ૨૮ ॥ કાંઈક પ્રકાશન કરવામાં નિપુણ, અગ્નિની જેમ સંતાપ કરનારા એવા પાપીઓ તો વિશ્વમાં ઘણા છે. પણ લોકોનું હિત કરનારા, સમસ્ત વસ્તુસ્વરૂપને પ્રગટ કરનારા, અધિક સત્ત્વવાળા, એવા ચંદ્ર જેવા સંતો તો પુણ્યથી જ મળે છે. || ૨૮ || उज्जासयन्तो जाड्यस्य पदार्थानां प्रकाशकाः । भास्क[४५-१] रा इव दुष्प्रापाः साधवो विश्वपावनाः ॥२९॥ જેઓ અજ્ઞાનને (સૂર્ય પક્ષે- ઠંડીને) દૂર કરે છે, પદાર્થોનું પ્રકાશન કરે છે, તેવા વિશ્વને પાવન કરનારા સૂર્ય જેવા સાધુઓ દુર્લભ છે. ॥ ૨૯ ॥ Page #130 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽवसर: निःशेषनिर्मलगुणान्तरसारहेतौ संसारसागरसमुत्तरणैकसेतौ । ज्ञाने यते: सति सतामतिपूजनीये તીર્નચમચTMવીસમેવ મળે છે રૂ. છે જ્ઞાન એ બાકીના સર્વ ગુણોના સારનું કારણ છે. સંસાર-સાગરને પાર ઉતરવા માટે એક પુલ છે, સજજનોને અત્યંત પૂજનીય છે. જયારે આવું જ્ઞાન સાધુમાં હોય, ત્યારે બીજા ગુણને જોવા, (બીજા ગુણો પણ અત્યંત વિશિષ્ટ કક્ષાના હોવા જ જોઈએ, ન હોય તો એ “સાધુ” જ નથી, આવી માન્યતા રાખવી.) એ દુર્જનતા જ છે, એવું હું માનું છું. || ૩૦ || आलोकेनैव सन्तापं हरन्तोऽतिमनोहराः । પુપ્રિયા વિભોયને ફાપિ પુર્વે: સિતાંશુ રૂશા જેઓ માત્ર દર્શનથી જ સંતાપને હરી લે છે, એવા અત્યંત મનોહર, જ્ઞાનીઓને પ્રિય (ચંદ્રપક્ષે – બુધ ગ્રહને પ્રિય), એવા શ્વેતાંબર મુનિઓ (કે ચંદ્રો)ના દર્શન ક્યાંક થાય છે, તેમાં પુણ્ય જ કારણ છે. ૩૧ // ज्ञानाधिको वरतरः स्वपरोपकारी मुक्तक्रियोऽपि मतमुन्नमयन् महात्मा । Page #131 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ दानादिप्रकरणे सुष्ठुद्यतोऽपि करणेन तु शास्त्रशून्यः સ્વાર્થે જિ : શતતાવ[૪- રત્નો વર: રૂરી જે (શક્તિના અભાવે વિશિષ્ટ તપસ્યા વગેરે) ક્રિયા ન કરતો હોય પણ જિનશાસનની પ્રભાવના કરવા દ્વારા સ્વ-પર ઉપર ઉપકાર કરતો હોય તેવો વિશિષ્ટ જ્ઞાની વધુ ઉત્તમ છે. પણ જે ક્રિયામાં સારો ઉદ્યમ કરવા છતાં પણ શાસ્ત્રજ્ઞાનરહિત છે, તે સ્વોપકારમાં પણ કુશળ નથી, તે તો “બિચારો' છે. ૩ર जैनं प्रभावयति शासनमङिसार्थं यो बोधयत्यनुपम: कृपया परीतः । त्यक्तक्रियः कथमसौ न कथं तपस्वी स्वाध्यायतो न हि तपोऽस्त्यधिकं न कृत्यम् ॥३३॥ જે જિનશાસનની પ્રભાવના કરે છે, જે જીવોને પ્રતિબોધ કરે છે, જેની તુલના થઈ શકે તેમ નથી, જે દયાભાવથી યુક્ત છે, તે (શક્તિના અભાવે વિશિષ્ટ તપસ્યા વગેરે) ક્રિયા ન કરતો હોય, તો પણ તેને તપસ્વી કેમ ન કહેવાય ? ખરેખર તો સ્વાધ્યાયથી મોટું કોઈ તપ અનુષ્ઠાન જ નથી. ૩૩ //. Page #132 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽवसरः स(अ)ज्ञानि(न)तो मूर्खमतीव साधु : eMનિરતં તુવર / मार्गज्ञमन्धं स वदेत् सुदृष्टेः समः समाने हि समेति रागम् ॥ ३४ ॥ કષ્ટાચરણ કરનારા મૂર્ખ (શાસ્ત્રજ્ઞાનરહિત) સાધુની જે સ્તુતિ કરે છે, તે એમ કહે છે કે અંધ વ્યક્તિ સારી દૃષ્ટિના કારણે માર્ગની જાણકાર છે. ખરેખર જે સમાન (અજ્ઞાની) છે તેને પોતાની સમાન (અજ્ઞાની) પ્રત્યે રાગ થાય છે. || ૩૪ || एनांसि योऽहिरजसाऽपि निहन्ति वाचा मोहं व्यपोहति दृशाऽपि पुनः पुनाति । सड़ेन दुःखमपनीय तनोति सौख्यं ज्ञानी सतां स महनीयमहानुभावः ॥ ३५ ॥ જે પોતાની ચરણરજથી પણ પાપોનો નાશ કરે છે. જે પોતાની વાણીથી મોહને દૂર કરે છે. વળી જે દૃષ્ટિથી પણ પાવન કરે છે. જે પોતાનો સંગ કરનારનું દુઃખ દૂર કરીને સુખનો વિસ્તાર કરે છે. તે જ્ઞાની ખરેખર મહાન પ્રભાવ ધરાવે છે. તેમનો આ પ્રભાવ સજ્જનોને પૂજનીય છે. તે ૩૫ // Page #133 -------------------------------------------------------------------------- ________________ १२० दानादिप्रकरणे [૪૬] જ્ઞાને સતિ મવચેવ રર્શનં સમાવતઃ | तेनोभयमिदं पूज्यं विभागस्तु विशेषत: ॥ ३६ ॥ જ્ઞાન હોય તો દર્શન હોય જ છે, કારણ કે એ બંને સહભાવી છે. માટે તે બંને પૂજ્ય છે. એ બંનેનો જે વિભાગ પડાયો છે, એ તો વિશેષ અપેક્ષાએ છે. // ૩૬ / शुश्रूषा धर्मरागो जिनगुरुजनयोः पूजनाद्याभियोगः संवेगो निर्विदुच्चैरसमशमकृपाऽऽस्तिक्यलिङ्गानि येषाम् । शङ्काकाङ्क्षाद्यभावो जिनवचनरते धार्मिके बन्धुबुद्धिः श्रद्धानं सप्ततत्त्व्यामिति गुणनिधयः સશસ્તેાિ પૂળ્યા: રૂ૭ ધર્મશ્રવણની અભિલાષા, ધર્મરાગ, જિન-ગુરુના પૂજન વગેરેનો પ્રયત્ન, સંવેગ, અત્યંત નિર્વેદ, અતુલ્ય ઉપશમ, અનુકંપા અને આસ્તિક્ય... આ ચિહ્નો જેમનામાં છે, જેમનામાં શંકા-કાંક્ષા વગેરે નથી, જિનવચનરત એવા ધાર્મિકને જેઓ સ્વજન માને છે, સાત તત્ત્વો પર જેમને શ્રદ્ધા છે, તેવા સમ્યગ્દષ્ટિઓ ગુણોના ભંડાર છે. તેઓ પણ પૂજનીય છે. / ૩૭ | Page #134 -------------------------------------------------------------------------- ________________ १२१ षष्ठोऽवसरः दर्शनं प्रथमकारणमुक्तं मुक्तिधामगमने मुनिमुख्यैः । ज्ञानमत्र सति तावदवश्यं सम्भवेदपि न वा चरणं तु ॥ ३८ ॥ મોક્ષપદને પામવા માટે સમ્યગ્દર્શન એ પ્રથમ કારણ છે, એવું મુનીશ્વરોએ કહ્યું છે. જ્ઞાન તો દર્શન સાથે અવશ્ય હોય છે. ચારિત્ર તો તેની સાથે હોય, કે न ५९॥ डोय. ॥ ३८ ॥ इदमशे[४६-२]षगुणान्तरसाधनं सकलसौख्यनिधानमबाधनम् । कुगतिसङ्गतिनिश्चितवारणं निखिलदारुणदूषणदारणम् ॥ ३९ ॥ સમ્યગ્દર્શન એ બાકીના સર્વ ગુણોને સાધે છે, એ સર્વ સુખોનું નિધાન છે, એ સર્વ પીડાઓને દૂર કરે છે, એ દુર્ગતિના સંગનું અવશ્ય નિવારણ કરે છે, એ सर्व भयं४२ होषोने मेही नाचे छ. ॥ ३८ ॥ अपगतोऽपि मुनिश्चरणाद् दृशि स्थिरतरः सुतरां परिपूज्यते । शुभमतेर्महतां बहुमानतः परिणतिश्चरणेऽपि भवेदिति ॥ ४० ॥ Page #135 -------------------------------------------------------------------------- ________________ १२२ दानादिप्रकरणे જે મુનિ ચારિત્રથી પતિત થાય, પણ દર્શનમાં અતિ સ્થિર હોય, તે પણ અત્યંત પૂજાપાત્ર થાય છે. કારણ કે સમ્યગ્દર્શનથી મહાપુરુષો પર બહુમાન થાય છે, તેથી તેમના ગુણોની પ્રાપ્તિ થાય છે, તેથી ફરી ચારિત્રની પરિણતિ પણ થાય છે. તે ૪૦ || साधुश्चारित्रहीनोऽपि समानो नान्यसाधुभिः । भग्नोऽपि शातकुम्भस्य कुम्भो मृद्घटकैरिव ॥ ४१ ॥ સાધુ ચારિત્રહીન હોય, તો પણ તે પરદર્શનીના સાધુઓ જેવો નથી થઈ જતો. જેમ કે સોનાનો ઘડો ભાંગી જાય, તો પણ તે માટીના ઘડા જેવો નથી થઈ જતો. / ૪૧ | यद्यद्य दुःषमादोषादनुष्ठानं न दृश्यते । केषाञ्चिद् भावचारित्रं तथापि न विहन्यते ॥ ४२ ॥ જો આજે દુઃષમાના દોષથી વિશિષ્ટ ક્રિયા નથી દેખાતી, તો પણ કેટલાક જીવોનું ભાવચારિત્ર વિઘાત પામતું નથી. || ૪ર છે. સાતિવારવરિત્ર કિ૭-૨]ત્ર ત્નિ સાધવ: | कथितास्तीर्थनाथेन तत् तथ्यं कथमन्यथा ॥ ४३ ॥ આ કાળમાં સાધુઓ અતિચારયુક્ત ચારિત્રવાળા Page #136 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽवसरः १२३ હોય છે, એવું તીર્થંકરે કહ્યું છે. તે સત્ય શી રીતે અન્યથા થાય ? ।। ૪૩ || कालादिदोषात् केषाञ्चिद् व्यलीकानि विलोक्य ये । સર્વત્ર હ્રર્વતેઽનાસ્થામાત્માનં વયન્તિ તે ॥ ૪૪ ।। કાળ વગેરેના દોષથી કેટલાકના અસત્યોને જોઈને જેઓ સર્વથા અનાસ્થા કરે છે (ચારિત્ર છે જ નહીં એવું માને છે), તેઓ પોતાના આત્માને ઠગે છે. ૪૪ वहन्ति चेतसा द्वेषं वाचा गृहणन्ति दूषणम् । अनम्रकायाः साधूनां पापिनो दर्शनद्विषः ॥ ४५ ॥ સમ્યગ્દર્શનના દ્વેષી (અથવા સાધુના દર્શનના પણ વિરોધી) એવા પાપીઓ ચિત્તથી દ્વેષ ધારણ કરે છે, વાણીથી દોષોનું ગ્રહણ છે, અને કાયાથી તેમના પ્રત્યે અક્કડ રહે છે. ॥ ૪૫ || इहैव निन्द्याः शिष्टानां मृता गच्छन्ति दुर्गतिम् । નિર્વર્તયન્ત સંસારમનાં વિજ્ઞષ્ટમાનસા: || ૪૬ || તેઓ અહીં જ શિષ્ટોને નિંદનીય થાય છે. અને મરીને દુર્ગતિમાં જાય છે. કિલાષ્ટ મનવાળા તેઓ અનંત સંસારનું ઉપાર્જન કરે છે. ।। ૪૬ | Page #137 -------------------------------------------------------------------------- ________________ १२४ इदं विचिन्त्यातिविविक्तचेतसा यमेव किञ्चिद् गुणमल्पमञ्जसा । विलोक्य साधुं बहुमा[४७ -२ ] नतः सुधीः प्रपूजयेत् पूर्णमिवाखिलैर्गुणैः ॥ ४७ ॥ આ રીતે અત્યંત વિવેકવાળા મનથી જે કોઈ થોડો પણ ગુણ દેખાય તેને શીઘ્ર જોઇને સબુદ્ધિમાન જીવે સાધુને એ રીતે બહુમાનથી પૂજવા જોઈએ, કે જાણે તેઓ सर्व गुणोथी पूर्ण होय. ॥ ४७ ॥ तथा लभेताविकलं जनः फलं निजाद् विशुद्धात् परिणामत: स्फुटम् । अभीष्टमेतत् प्रतिमादिपूजने दानादिप्रकरणे फलं समारोपसमर्पितं सताम् ॥ ४८ ॥ જન પોતાના વિશુદ્ધ અધ્યવસાયથી સ્પષ્ટ સંપૂર્ણ ફળ મેળવે છે. આ વાત પ્રતિમા વગેરેના પૂજનના વિષયમાં માન્ય છે. સજ્જનો જેવા ભાવનું આરોપણ अरे, तेवुं तेमने इज भजे छे. ।। ४८ ।। काष्ठोपलादिं गुरुदेवबुद्ध्या ये पूजयन्त्यत्र विशिष्टभावाः । ते प्राप्नुवन्त्येव फलानि नूनं भावो विशुद्धः फलसिद्धिहेतुः ॥ ४९ ॥ Page #138 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽवसरः १२५ કાષ્ઠ, શિલા વગેરેને ગુરુ-દેવ સમજીને વિશિષ્ટ ભાવવાળા જે જીવો તેમને પૂજે છે, તેઓ અવશ્ય ફળને મેળવે જ છે. ખરેખર, વિશુદ્ધ ભાવ જ ફળસિદ્ધિનું કારણ છે. ।। ૪૯ || कालोचितं साधुजनं त्यजन्तो मार्गन्ति येऽन्यं कुधियः सुसाधुम् । दानादिपात्रं द्वितयाद् विहीनास्ते दुर्गतिं यान्ति हि दुर्दुरूढाः ॥ ५० ॥ દુષ્ટમતિ એવા જેઓ કાળોચિત સાધુજનનો ત્યાગ કરીને ઉગ્ર ચારિત્રી સાધુને શોધે છે. (ઉગ્ર ચારિત્રનો આગ્રહ રાખે છે.) એવા સાધુ જ સુપાત્રદાન આપવા માટે યોગ્ય છે, એમ માને છે. તેઓ તો દેશવિરતિ અને સર્વવિરતિ બંનેથી ભ્રષ્ટ થયા છે. તે કદાગ્રહગ્રસ્ત જીવો દુર્ગતિમાં જાય છે. | ૫૦ | [૪૮-૩]વસ્ત્રાવિજ્ઞાનમાત્રઽપિ પાત્રાપાત્રપરીક્ષમ્ । क्षुद्राः कुर्वन्ति यत् केचित् तत् कार्पण्यस्य लक्षणम् ॥५१॥ વસ્ત્ર જેવી વસ્તુનું દાન આપવામાં પણ કેટલાક તુચ્છ જીવો પાત્ર-અપાત્રની પરીક્ષા કરે છે, તે કૃપણતાનું લક્ષણ છે. ।। ૫૧ ॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे १२६ गेहे समागते साधावौषधादिसमीहया । अवज्ञा क्रियते यत्तु पातकं किमतः परम् ? ॥ ५२ ॥ સાધુ ઔષધ વગેરે માટે ઘરે આવે, ત્યારે જે અવગણના કરાય છે, એના કરતાં મોટું બીજું કયું પાપ હોઈ શકે ? ।। ૫૨ ॥ अन्यत्रापि सधर्मचारिणि जने मान्ये विशेषान्मुनौ दृष्टे साधुनिधाविवापनिधने बन्धाविवातिप्रिये । यस्योल्लासिविकासहाससुभगे स्यातां न नेत्राऽऽनने दूरे तस्य जिनो वचोऽपि हृदये जैनं न सन्तिष्ठते ॥ ५३ ॥ વિજોય સાધુનો ચો વિસિવિલોન: [૪૮-૨] अमन्दानन्दसन्दोहः स्यात् स देही सुदर्शनः ॥ ५४ ॥ અન્ય સાધર્મિક જન દેખાય, તો પણ આનંદ થવો જોઈએ, તો પછી મુનિ તો વિશેષથી માનનીય છે. તેમના દર્શન તો સુંદર અક્ષય નિધિના દર્શન જેવા લાગવા જોઈએ. તેઓ તો અતિ પ્રિય સ્વજન જેવા લાગવા જોઈએ. તેમના દર્શન થતાની સાથે જેના નેત્રો અને મુખો ઉલ્લાસવાળા, વિકસિત, હાસ્ય અને સૌભાગ્યવાન નથી થતા, તેમના હૃદયમાં જિનેશ્વર તો નથી જ, જિનવચન પણ તેમના હૃદયમાં ટકી શકતું નથી. ॥ ૫૩ ॥ મુનિજનને જોઈને જેની આંખો વિકસિત થઇ જાય, અત્યંત આનંદ અનુભવે, તે જીવ સમ્યગ્દષ્ટિ છે. II ૫૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ १२७ षष्ठोऽवसरः इदं दर्शनसर्वस्वमिदं दर्शनजीवितम् । प्रधानं दर्शनस्येदं वात्सल्यं यत् सधार्मिके ॥ ५५ ॥ સાધુજનને જોતાની સાથે જેની આંખો વિકસિત થઈ જાય, જેના અંતરમાં તીવ્ર આનંદ ઉભરાય, તે જીવ સમ્યગ્દષ્ટિ છે. આ દર્શનનું સર્વસ્વ છે, આ દર્શનનું જીવિત છે, દર્શનમાં આ પ્રધાન છે, કે જે સાધર્મિક પર વાત્સલ્ય કરાય છે. મેં પપ येषां तीर्थकरेषु भक्तिरतुला पापे जुगुप्सा परा दाक्षिण्यं समुदारता शममतिः सत्योपकारे रतिः । ते सद्धर्ममहाभरैकधवला: पोता भवाम्भोनिधौ भव्यानां पततां पवित्रितधराः पात्रं परं सदृशः ॥ ५६ ॥ જેમને તીર્થકરો પ્રત્યે અતુલ્ય ભક્તિ છે, પાપ પ્રત્યે પરમ જુગુપ્સા છે, દાક્ષિણ્ય તથા અત્યંત ઉદારતા છે, ઉપશમસભર મતિ છે, સત્ય અને ઉપકાર કરવામાં રતિ છે, તેઓ સમ્યકુ ધર્મના પ્રભારથી અત્યંત ઉજ્જવળ છે, તેઓ ભવસાગરમાં ડુબતા ભવ્ય જીવો માટે નૌકા જેવા છે, તેમણે વસુંધરાને પાવન કરી છે. તેઓ સમ્યગ્દષ્ટિ માટે પરમ પાત્ર છે. તે પ૬ // Page #141 -------------------------------------------------------------------------- ________________ १२८ दानादिप्रकरणे चारित्रिणस्तृणमणी गणयन्ति तुल्यं पश्यन्ति मित्रमिव शत्रुमरागरोषाः । किं भूयसा निजवपु [ ४९ - १]ष्यपि निर्ममत्वा ये ते परं त्रिभुवनार्चितमत्र पात्रम् ॥ ५७ ॥ જેઓ ચારિત્રથી વિભૂષિત છે, તૃણ અને મણિને જેઓ સમાન ગણે છે. શત્રુને મિત્ર સમાન જુએ છે, જેમને રાગ-દ્વેષ નથી.... વધુ તો શું કહીએ, જેઓને પોતાના શરીર પર પણ મમત્વભાવ નથી, તેઓ ત્રણ ભુવનથી પૂજિત... પરમ પાત્ર છે. ॥ ૫૭ ॥ ये नित्यं प्राणिरक्षणाप्रणिहितमतयोऽसत्यसन्त्यागयुक्तास्त्यक्तस्तेया मृगाक्षीमुखसुखविमुखा मुक्तमुक्तादिमूर्च्छाः । मूर्ता धर्मा इवैते जितमदमदना मन्दिरं मन्दरागाः । पांदीयैः पांशुपातैरिह यतिपतयः पुण्यभाजां पुनन्ति ॥ ५८ ॥ જેઓનું મન હંમેશા જીવદયામાં પરાયણ છે. જેમણે અસત્ય અને ચોરીનો ત્યાગ કર્યો છે. જેઓ સ્ત્રી વગેરેના સુખથી પરામુખ છે, જેમને મોતી વગેરે પર આસક્તિ નથી. તેઓ મૂર્તિમંત ધર્મ છે. તેમણે અભિમાન અને કામવાસનાનો ત્યાગ કર્યો છે. તેઓ મંદ રાગવાળા છે. તેવા મુનીશ્વરો પુણ્યશાળીઓના ઘરને પોતાના १ पादानामिमे पादीयाः तैः चरणसत्कैरित्यर्थः । Page #142 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽवसरः ચરણની રજથી પવિત્ર કરે છે. ।। ૫૮ || १२९ त्रिभुवनमिदं व्याप्तं चित्रैश्चराचरजन्तुभिः स्वभरणपरैः पीडां कर्तुं परस्य सदोद्यतैः । तदपि [ ४९ - २ ] न तनुत्यागेऽप्यन्यं हिनस्ति कदाऽपि यः कथमिव मुनिर्मान्यो न स्यात् स देव इवापरः ॥ ५९ ॥ આખું વિશ્વ એવા વિવિધ ત્રસ-સ્થાવર જીવોથી વ્યાપ્ત છે, કે જે જીવો પોતાનું પેટ ભરવામાં અને બીજાને પીડા કરવામાં હંમેશા સજ્જ છે. તો પણ જે પોતાનું મરણ આવે, તો પણ બીજાની હિંસા કરતા નથી, તેવા મુનિ સાક્ષાત્ દેવતાની જેમ માનનીય કેમ ન થાય ? ।।૫। लोभक्रोधाद्यैः प्राणनाशेऽप्यसत्यं ये नो भाषन्तेऽशेषभाषाविधिज्ञाः । लोकातिक्रान्तैकान्तकान्तोरुसत्त्वाः સત્ત્વાંતે વાઘાડઘેનસો વગ્યયન્તિ || ૬ || સંપૂર્ણ ભાષાવિધિના જાણકારો લોભ, ક્રોધ વગેરેથી મૃત્યુની શક્યતા હોય, તો પણ અસત્ય બોલતા નથી. લોકોત્તર એકાંત સુંદર વિશાળ સત્ત્વશાળી એવા તે મુનિવરો પોતાની વાણીથી પણ જીવોને પાપમુક્ત કરી દે છે. II ૬૦ || Page #143 -------------------------------------------------------------------------- ________________ १३० दानादिप्रकरणे निपतितमपि किञ्चित् काञ्चनाद्यन्यदीयं विषविषधरकल्पं कल्पयन्त्यप्यनल्पम् । विजितविषमलोभा ये जगज्जातशोभा गृहमिह शुभभाजां ते भजन्ते यतीन्द्राः ॥ ६१ ॥ કોઈનું ઘણું સોનું વગેરે પડી ગયું હોય, તેને જેઓ ઝેર જેવું કે સર્પ જેવું સમજે છે, જેમણે વિષમ લોભને જીતી લીધો છે, જેઓ જગતમાં ખૂબ શોભાસ્પદ બન્યા છે, તે મુનીશ્વરો પુણ્યશાળીઓના ઘરમાં પધારે છે. ।। ૬૧ ।। रामाणां नयने पयोजजयिनी लोले पयोबुबु [५०-१]दौ सत्कान्ती कलशोपमौ घनकुचौ पीनौ च मांसार्बुदौ । वक्त्रं पूर्णशशाङ्ककान्ति कलयेच्चर्मावृतं कैकसं यः सद्भावनया सतां स भुवने वन्द्योऽवनीपावनः ||६२|| કમળને જીતી લેનારી એવી સ્ત્રીની આંખો જેને પાણીના ચંચળ પરપોટા જેવી લાગે, સારી કાંતિવાળા કળશ જેવા પુષ્ટ સ્તનો જેને માંસના ગુમડા જેવા લાગે, પૂર્ણ ચંદ્રના જેવી કાંતિવાળુ સ્ત્રીનું મુખ જેને તત્ત્વ વિચારણાથી ચામડીથી ઢાંકેલી ખોપડી જેવું લાગે, તે જગતમાં વંદનીય છે, તેણે ધરતીને પવિત્ર કરી છે. || ૬૨ || Page #144 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽवसरः १३१ ललितललनालीलालापैर्विलोलविलोकितैरलसचलितैश्चित्राकारैर्विलासविचेष्टितैः 1 न हरति म (य) तेर्यस्यालोके मनागपि मा [ ५० - २ ]नसं મનુનવપુષા મન્યે તેવ: સ માશિરોબિ: || ૬૩ ।। વિલાસ કરતી સ્ત્રીના રસિકવચનોથી ચંચળ દૃષ્ટિપાતોથી, મંદગતિપૂર્વક ગમનોથી, વિવિધ સંસ્થાનોથી, વિલાસસભર ચેષ્ટાઓથી અને સ્ત્રીના દર્શનથી જે મુનિનું મન જરા પણ ખેંચાતું નથી, તે મનુષ્યનાં શરીરથી દેવ છે. તે માનનીયોમાં શિરોમણિ છે. ॥ ૬૩ || विषधरशिरोरत्नं यत्नं विनाऽऽददते बलादरिबलमपि प्रौढं बाढं जयन्ति महौजसः । जगति मनुजा ये विक्रान्ता विषोढुमहो क्षमाः क्षणमपि न तेऽप्येणाक्षीणां कटाक्षनिरीक्षणम् ॥६४॥ જેઓ સર્પના મસ્તક પર રહેલા રત્નને બળથી સરળતાપૂર્વક લઇ લે છે. જેઓ મહાતેજસ્વી છે, તેથી પ્રચંડ શત્રુસેનાને પણ ઘોર પરાજય આપે છે. તેવા જે પરાક્રમી પુરુષો છે, તેઓ પણ સ્ત્રીઓના કટાક્ષદર્શનને ક્ષણ માટે પણ સહી શકે તેમ નથી. || ૬૪ || Page #145 -------------------------------------------------------------------------- ________________ १३२ दानादिप्रकरणे ते शूरास्ते शरण्या रिपुशरविसरस्तैरपास्त: समस्त - તૈ: [૧] સમ્રાતા : સપઃિ રશક્તિશા: શમિતાસ્તર્યશfમઃ | ते कल्याणैकपात्रं त्रिभुवनजायिनः सुभ्रुवां दृष्टिपाता बाणवाता निशाता मदननरपतेर्यन्मनो नाऽऽक्षिपन्ति ॥६५॥ તેઓ શૂરવીર છે, તેઓ શરણ્ય છે. તેમણે સમસ્ત શત્રુ-બાણોના સમૂહનું નિરાકરણ કર્યું છે. તેમણે જયલક્ષ્મી મેળવી છે. તેમણે પોતાના યશથી એકાએક દશે દિશાને શોભાયમાન કરી છે. તેઓ કલ્યાણના અદ્વિતીય પાત્ર છે. તેઓ સમસ્ત વિશ્વના વિજેતા છે, કે જેમના મનનો પ્રતિક્ષેપ સ્ત્રીઓના દષ્ટિપાતરૂપ કામરાજાનાં તીક્ષ્ણ બાણોના સમૂહો કરી શકતા નથી. / ૬૫ // अनाय वहनौ बहवो विशन्ति शस्त्रैः स्वदेहानि विदारयन्ति । कृच्छ्राणि चित्राणि समाचरन्ति મારરિવાર વિરલા ગત્તિ છે ૬૬ . જગતમાં શીધ્ર અગ્નિપ્રવેશ કરનારા ઘણા છે. શસ્ત્રોથી પોતાના શરીરને ભેદી નાખનારા પણ ઓછા નથી. જાતજાતની કસ્ટચેષ્ટા કરનારા પણ ઘણા છે. પણ એવા વિરલા જીવો હોય છે, કે જેઓ કામદેવરૂપી શૂરવીર શત્રુને જીતી લે. // ૬૬ | Page #146 -------------------------------------------------------------------------- ________________ १३३ षष्ठोऽवसर: कलयति कला: साकल्येनाकलकलेवरा वदति विशदं वादे विद्यां प्रवेत्ति मनोवराः । रचयतितरां दिव्यं काव्यं न किञ्चन कौतुकं तुद[५१-२]ति मदनं चेत् तारुण्ये तदेतदलौकिकम् ॥६७॥ નિષ્કલંક સ્વરૂપવાળી કળાઓને કોઈ સંપૂર્ણપણે જાણે, વાદમાં સ્પષ્ટ વક્તવ્ય આપે, મનને શ્રેષ્ઠ લાગે, તેવી વિદ્યાઓને પ્રકર્ષથી જાણે, દિવ્ય કાવ્યની ઘણી રચનાઓ કરે, તો પણ તેમાં કોઈ આશ્ચર્ય નથી. પણ જો યુવાનીમાં કામવાસનાનો પરાભવ કરે, તો એ सली छ. ॥ १७ ॥ निर्जिताः शत्रवस्तेन साध्यार्थास्तेन साधिताः । प्राप्तव्यं तेन सम्प्राप्तं मथितो येन मन्मथः ॥ ६८ ॥ જેણે કામદેવને જીતી લીધો છે, તેણે શત્રુઓનો પરાજય કર્યો છે. તેણે સાધવા યોગ્ય પ્રયોજનોને સિદ્ધ કર્યા છે, અને પામવા યોગ્ય વસ્તુને પામી લીધી છે. ॥ १८ ॥ हरिहरप्रमुखं ससुरासुरं जितवतः स्वभुजैर्भुवनत्रयम् । विजयिनं मदनस्य मदच्छिदं नमति कः सुमतिन मुनीश्वरम् ॥ ६९ ॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ १३४ दानादिप्रकरणे પોતાના બાહુબળથી જેણે વિષ્ણુ, શંકર વગેરે સહિત, દેવ-દાનવ સહિત ત્રણે ભુવનને જીતી લીધા છે. તે કામદેવના અભિમાનને છેદી નાખનારા મુનીશ્વરને કયો સબુદ્ધિમાન નમસ્કાર ન કરે ? / ૬૯ / न वीतरागादपरोऽस्ति देवो न ब्रह्मचर्यादपरं तपोऽस्ति । नाभीतिदानात् परमस्ति दानं चारित्रिणो नापरमस्ति पात्रम् ॥ ७० ॥ વીતરાગ સિવાય અન્ય કોઈ દેવ નથી, બ્રહ્મચર્યથી મોટો તપ નથી, અભયદાનથી મોટું દાન નથી, અને ચારિત્રીથી મોટું કોઈ પાત્ર નથી. તે ૭૦ || परिग्रहमहाग्रहैः परिगृहीतधीविग्रहा विदन्ति न गुणागुणौ [५२-१] न गुरुदेवते मन्यते । अकृत्यमपि कुर्वते परिहरन्ति कृत्यं नरा भ्रंमन्तकि न शेरते न च रतिं लभन्ते क्वचित् ॥१॥ જેમની મતિ પરિગ્રહ રૂપ મોટા ગ્રહથી ગ્રસ્ત છે, તેઓ ગુણ કે અવગુણ જાણતા નથી, ગુરુ અને દેવતાનું બહુમાન કરતા નથી. તે મનુષ્યો અકાર્ય પણ કરે છે १ स्वार्थिककप्रत्यान्तमिदं रुपम् । भ्रमन्तीत्यर्थः ॥ Page #148 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽवसरः १३५ અને કર્તવ્યનો ત્યાગ કરે છે, ભ્રમણ કરે છે, સૂતા નથી અને ક્યાંય રતિ પામતા નથી. ૭૧ // निदानं दैन्यस्य प्रचुरतरचिन्ताहुतभुजः प्रभूतैनोराशि: शमतरुसमुच्छेदपरशुः । परं क्लेशस्थानं परिभवपदं किञ्चिदपरं विपत्तेरुत्पत्तिर्भवति भविनां सङ्ग्रहरसः ॥ ७२ ॥ જીવોની પરિગ્રહ રુચિ એ દીનતાનું કારણ છે. અત્યંત ચિંતા-અગ્નિનું કારણ છે. ઘણા પાપોના ઢગલા જેવી છે. પ્રશમ-વૃક્ષને કાપી નાખવામાં કુહાડા સમાન છે. અત્યંત ક્લેશનું સ્થાન છે. વિશિષ્ટ પરાભવનો નિવાસ છે અને વિપત્તિઓનો ઉદ્દગમ છે. ૭૨ // रचयति प्रचुरं रुचिरं चिरं चटु पटु प्रकटं कटुकं वचः । प्रसहते हसति प्रहतो नरो नरपतेरिति लोभविजृम्भितम् ॥ ७३ ॥ રાજા પાસે મનુષ્ય ઘણું સુંદર કાર્ય લાંબા સમય સુધી કરે છે. રાજાનું સ્પષ્ટપણે કડવું વચન તેને સ્વાદિષ્ટ અને નિપુણ લાગે છે. પોતે સહન કરે છે, અને ઉપરથી હસે છે, આ બધી લોભની ચેષ્ટા છે. | ૭૩ //. ૧૦ Page #149 -------------------------------------------------------------------------- ________________ १३६ दानादिप्रकरणे પ્રનિ(f)ચ: સહિયો વિવિતપરમાર્થોડા પુરુષ: [રિ-ર] पुरस्तात् पापानां परुषवचनानां क्षितिभुजाम् । विभो देवेत्याचं वचनमतिदीनं प्रतिदिनं वदत्युच्चैर्यत्तद्विलसति खलो लोभहतकः ॥ ७४ ॥ સારી વિદ્યાનો ધારક અને પરમાર્થનો જાણકાર પુરુષ પણ અત્યંત નિંદનીય બને છે. કઠોર વચન બોલનારા પાપી રાજાઓની સમક્ષ “હે પ્રભુ ! હે દેવ !' વગેરે અત્યંત દીન વચનોને પ્રતિદિન તે મોટા અવાજે બોલે છે, તે બધી દુર્જન એવા લોભની ચેષ્ટા છે. //૭૪ विश्वं येन वशीकृतं कृतधियोऽकृत्ये कृताः सोद्यमा भाण्डाद्या विकृती: कृतीनटभटाश्चित्राकृती: कारिताः । तं निर्जित्य परिग्रहग्रहमहो ध्यानादिके तद्धना ये धन्यस्य(?) तपोधना गुणधना ઘામાનિ તેડબ્બાસરે . જે પરિગ્રહરૂપી ગ્રહે વિશ્વને વશ કર્યું છે. બુદ્ધિશાળીઓને અકાર્યમાં ઉદ્યમવાળા બનાવ્યા છે. સજ્જનોને ભાંડ વગેરે જેવા, વિકૃતિવાળા, નટ ને ભટ જેવા જાતજાતના આકારવાળા બનાવ્યા છે, તેવા પરિગ્રહ-ગ્રહને જીતીને ધ્યાન વગેરેને જ જેઓ પોતાનું ધન માને છે, તેવા તપોધન ગુણધન મહાત્માઓ ધન્યના ઘરોમાં પધારે છે. તે ૭૫ છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ १३७ षष्ठोऽवसरः इष्टं देष्टि गुणाधिकं न गणयेन्मान्यं न वा मन्यते वन्द्यं निन्दति नाभिनन्दति ગનો ચેષાં રે [૩] નન્દનમ્ | स्वाधीनानि धनानि तानि सुधियः सन्त्यज्य ये तस्थिरे मुक्तयर्थं मुनिपुङ्गवाः सुकृतिनां गच्छन्ति ते मन्दिरे ॥७६॥ ધનને ખાતર લોકો પ્રિય વ્યક્તિ પર પણ દ્વેષ કરે છે. અધિક ગુણવાળાને સન્માન આપતા નથી. માનનીયનું બહુમાન કરતા નથી. વંદનીયની નિંદા કરે છે, દીકરાને પણ ગણકારતા નથી. આવું ધન સ્વાધીન હોવા છતાં પણ જે સદ્બુદ્ધિમાનોએ ત્યાગ કર્યો, અને મોક્ષ માટે મહાભિનિષ્ક્રમણ કર્યું, તે મુનિપુંગવો પુણ્યશાળીઓના ઘરમાં જાય છે. || ૭૬ | निमग्नलोकं गुरुलोभसागरं तरन्ति सन्तोषतरण्डकेन ये । न पादपद्मरिह सद्म नि:स्पृहाः स्पृशन्ति ते पातकिनां तपोधनाः ॥ ७७ ॥ જેમાં આખું વિશ્વ ડુબેલું છે, એવા લોભમહાસાગરને જેઓ સંતોષ-તરાપાથી તરી જાય છે, તે નિઃસ્પૃહ મુનિવરો પાપીઓના ઘરનો સ્પર્શ કરતા નથી. / ૭૭ || Page #151 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे अत्युद्भटलोभभटं जितभुवनं दुर्जयं ये जयन्ति । ते महतां महनीया महानुभावा भुवि भवन्ति ॥ ७८ ॥ લોભ-સુભટ ઘણો પ્રચંડ છે, તેણે વિશ્વને જીતી सीधुं छे. ते दुर्भय छे. तेने भेखो कती से छे, तेखो મહાપુરુષોના પણ પૂજનીય બને છે. તેઓ ધરતી પર महाप्रभाव जने छे. ॥ ७८ ॥ १३८ सदाभ्यस्तां प्रौढां मुनिपरि[ ५३-२]वृढां बाढमाहारसंज्ञां प्रतिक्षिप्य क्षिप्रं क्षपितविषमद्वेषरागारिपक्षाः । तपोभिर्ये चित्रैश्चिरमुपचितं कर्म निर्मूलयन्ति प्रधानं ते ध्यानामलिनमनसो भाजनं पूजनस्य ॥ ७९ ॥ આહાર સંજ્ઞાનો અનાદિકાળથી સદા અભ્યાસ કર્યો છે. મુનિઓએ પણ તેને વહન કરી છે. તેનો પણ જેમણે શીઘ્ર પ્રતિક્ષેપ કર્યો અને ચિરકાળથી પુષ્ટ કરેલા કર્મોનું જેઓ વિવિધ તપસ્યાઓથી ઉન્મૂલન કરે છે, જેઓ ધ્યાનથી વિશુદ્ધ મનવાળા છે, તેઓ પૂજનનું શ્રેષ્ઠ ભાજન छे. ॥ ७८ ॥ तनीयांसस्तीव्रं रुचिखनिता: (?) सत्तपोभिर्विचित्रैचमत्कारं चित्ते विदधति सतां वल्लभा दुर्लभा ये । Page #152 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽवसरः १३९ महात्मानो मान्या नरसुमनसां शान्तचित्ता निशान्तं नितान्तं कल्याणा निधय રૂવ તે પુણમાનાં [૪] મનજો ૮૦ છે. જેઓ વિવિધ પ્રકારના પ્રશસ્ત ઉગ્ર તપોથી સજ્જનોના મનને આશ્ચર્યચકિત કરી દે છે. જેઓ પ્રિય અને દુર્લભ છે. જેઓ મનુષ્યો અને દેવોને માનનીય છે. જેઓ અત્યંત કલ્યાણ સ્વરૂપ અને નિધાન જેવા છે. તેવા મહાત્માઓ પુણ્યશાળીના ઘરે પધારે છે. || ૮૦ // एवंविधानि पात्राणि पवित्रितजगन्त्यहो । कियन्ति सन्ति लोकेऽत्र कियन्तः कल्पपादपाः ॥१॥ જગતને પવિત્ર કરનારા આવા પાત્રો આ લોકમાં કેટલા છે ? કલ્પવૃક્ષ કેટલા હોય ? | ૮૧ || विशति कामदुधा सुरभी शुभा सदसि रोहति कल्पमहीरुहः । भवति नात्र परत्र शुभावहो बहुभवस्य सुपात्रसमागमः ॥ ८२ ॥ ઘરમાં પ્રશસ્ત કામધેનું ગાય પ્રવેશે છે. આંગણે કલ્પવૃક્ષ ઉગે છે. ખરેખર, સુપાત્રની પધરામણી આ લોકમાં જ નહીં, પરલોકમાં પણ ઘણા ભવો સુધી કલ્યાણકારક થાય છે. || ૮૨ / Page #153 -------------------------------------------------------------------------- ________________ १४० दानादिप्रकरणे प्रायोऽस्ति नैकगुणमात्रम॑मत्रमंत्र द्वित्रैर्गुणैरनुगतं नितरां दुरापम् । मत्वेति पात्रमुपलभ्य विचक्षणानां नोपेक्षणं क्षणमपि क्षमते क्षमाणाम् ॥ ८३ ॥ પ્રાયઃ અહીં એક ગુણવાળું પાત્ર પણ હોતું નથી, તો બે-ત્રણ ગુણોથી યુક્ત પાત્ર તો અત્યંત દુષ્પ્રાપ છે, એમ સમજીને જ્યારે સુપાત્ર મળે ત્યારે નિપુણ અને સમર્થ જીવો તેમની ક્ષણ માટે પણ ઉપેક્ષા કરે, એ ઉચિત नथी. ॥ ८३ ॥ यतिपतिभिरसङ्गैः सङ्गतिः पुण्यलभ्या परिणतिरपि दा[ ५४-२ ]ने दुर्लभा मन्दभाग्यैः । रुचितमुचितमुच्चैर्वस्तु देयं दुरापं त्रितयमिदमुदारैः कोऽप्यवाप्नोति पुण्यैः ॥ ८४ ॥ નિઃસંગ મુનીશ્વરોનો સંગ પુણ્યથી મળે છે. મંદભાગી જીવોને દાન આપવાની ઈચ્છા થવી પણ દુર્લભ છે. રુચિકર અને અત્યંત ઉચિત એવી આપવાની વસ્તુ પણ દુર્લભ છે. વિશિષ્ટ પુણ્યથી કોઇને આ ત્રણે વસ્તુ भजे छे. ॥ ८४ ॥ १. अमत्रम् पात्रम् । Page #154 -------------------------------------------------------------------------- ________________ १४१ षष्ठोऽवसरः प्राप्तेऽपि पात्रे सुलभं न वित्तं वित्तेऽपि पुण्यैः पुनरेति चित्तम् । दाने त्रयं कोऽपि भवाब्धिसेतुं प्राप्नोति कल्याणकलापहेतुम् ॥ ८५ ॥ પાત્ર મળે, તો ય સંપત્તિ સુલભ નથી, અને સંપત્તિ મળે, તો પણ પુણ્યથી જ દાન આપવાનું મન થાય છે. દાનના વિષયમાં આ ત્રણ વસ્તુ (પાત્ર-વિત્તચિત્ત) ભવસાગરમાં પુલ જેવી છે, કલ્યાણના સમૂહના કારણ જેવી છે. કોઇ ધન્ય આત્મા જ આ ત્રણેને પામે છે. | ૮૫ // दुरापमिदमुच्चकैस्त्रयमवाप्य पुण्योदयाद् विधत्त सफलं जना न हि विलम्बितुं सङ्गतम् । विलोक्य मुनिरा(मा)कुलं विमलधीनिधानं परं विधानसहितो हि तं बत विलम्बते कोऽपि किम् ॥ ८६ ॥ | હે જનો ! અત્યંત દુર્લભ એવી આ ત્રણે વસ્તુઓને પુણ્યોદયથી પામીને તેને સફળ કરો. એમાં વિલંબ કરવો, એ ઉચિત નથી. પરમ નિધાન જેવા મુનિને આકુળ અવસ્થામાં જોઈને શું કોઈ સામગ્રી સંપન્ન સદ્દબુદ્ધિમાન વ્યક્તિ વિલંબ કરે ખરી ? | ૮૬ | Page #155 -------------------------------------------------------------------------- ________________ १४२ दानादिप्रकरणे दायादा आददन्ते[५५-१]दहति हुतवहोऽम्बुप्लवा: प्लावयन्ते। स्तेना मुष्णन्ति भूपोऽपहरति रटतां मोटयित्वा कृकाटिम् । मूढानां याति बाढं धनमिति निधनं धीधना धीरधन्याः। साधूनामर्थयित्वाऽस्खलितमगलितं પાલિતં મુન્નતે છે ટકા મૂઢ જીવોના ધનને ભાગીદારો લઈ લે છે, અગ્નિ બાળી નાખે છે. પાણીના પ્રવાહો ડુબાડી દે છે, ચોરો લૂંટી લે છે, તે મૂઢ જીવો રાડો પાડતા રહે છે, અને તેમના ગળાને આમળીને રાજા તેમનું ધન હરી લે છે. આ રીતે મૂઢ જીવોના ધનનો વિનાશ થાય છે. બુદ્ધિશાળી, ધીર અને ધન્ય જીવો તો સાધુઓને લાભ આપવાની પ્રાર્થના કરે છે, પછી અમ્મલિત, અવિનષ્ટ અને રક્ષિત એવા ધનને ભોગવે છે. ૮૭ || नियोगेनायोगो भवति विभवैश्चेद् विभविनां विना किञ्चित् कार्यं रचितपरिताप: परवशः । वरं धर्मायासौ विमलयशसे तोषितपर: प्रमोदाय स्वस्य स्ववशविहितः[५५-२]साधितहितः ॥८॥ કોઈ કાર્ય થયા વિના, વિવશપણે, સંતાપ ઉત્પન્ન કરવા સાથે, શ્રીમંતોને વૈભવો સાથે જો અવશ્ય વિયોગ થવાનો જ છે, તો એના કરતાં બહેતર છે કે નિર્મળ Page #156 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽवसरः १४३ યશથી સંપન્ન એવા ધર્મ માટે વૈભવનો ઉપયોગ થાય. ધનથી બીજાને પણ તુષ્ટ કરાય અને પોતાનો પણ પ્રમોદ કરાય. આ રીતે ધન સ્વાધીન હોય, ત્યારે જ તેના દ્વારા પોતાનું હિત સાધી લેવું જોઈએ. // ૮૮ . अनन्तगुणमक्षतं भवति रक्षितं साधुभिः सुपात्रविनियोजितं ननु परत्र धर्मार्थिनाम् । प्रयाति निधनं धनं सदनसञ्चितं निश्चितं तथापि न धनप्रिया ददति मोहराजो बली ॥ ८९ ॥ પરલોકમાં ધર્મનું ફળ ઇચ્છનારાઓ જે દ્રવ્યનો સુપાત્રમાં વિનિયોગ કરે, તે દ્રવ્ય અનંતગણું અને અક્ષય બને છે. જાણે કે સાધુઓ તેની સુરક્ષા કરે છે. ઘરમાં ભેગું કરેલું ધન અવશ્ય વિનાશ પામે છે, તો પણ લોભીઓ દાન આપતા નથી. ખરેખર... મોહરાજા બળવાન છે. ૮૯ || ददति सति कदाचिन्मूलनाशेऽपि लोभादिह हि शतसहस्त्रं लाभसम्भावनायाम् । ध्रुवबहुगुणलाभे नो परत्रार्थनाथा નથતિ વનસમૂહું મોહન મોહમઃ | go | જયારે લાભની સંભાવના હોય, ત્યારે મૂડી Page #157 -------------------------------------------------------------------------- ________________ १४४ दानादिप्रकरणे વાપરીને પણ જેઓ લોભથી લાખ દ્રવ્ય આપી દે છે, તેવા શ્રીમંતો પરલોકમાં નિશ્ચિતપણે અનેકગણો લાભ થતો હોવા છતાં પણ દાન આપતા નથી. ખરેખર...લોકસમૂહને મોહિત કરતો મોહમલ્લ જય પામે છે. || ૯૦ || भोगारम्भपरिग्रह[५६-१]ग्रहवतां शीलं तपो भावनाः दुःसाधा गृहमेधिनां धनवतां दानं सुदानं पुनः । यस्तत्रापि निरुद्यमो द्रमकधी रौद्रं समुद्रोपमं संसारं स कुतस्तरिष्यति बतोपायादपायाकुलम् ॥९१॥ ભોગ, આરંભ, પરિગ્રહનો આગ્રહ રાખનારા શ્રીમંત ગૃહસ્થો માટે શીલ, તપ અને ભાવનાની સાધના કઠિન છે. પણ “દાન આપવું” એ તો તેમના માટે સહેલુ છે. પણ જેની બુદ્ધિ રંક જેવી છે, તેથી જે દાન આપવા માટે ઉદ્યમ કરતો નથી, તે આપત્તિઓથી ભરેલા ભયંકર સંસારસાગરને ક્યાં ઉપાયથી તરશે ? || ૯૧ | प्रकृतिचपलं पुंसां चित्तं प्रगच्छदितस्तत: कथमपि यदा पुण्यैर्जातं विहायितसम्मुखम् । भवति न तदा कालक्षेपः क्षमो विदुषामहो पुनरपि भवेत् तादृग् नो वा चलं सकलं यतः ॥९२॥ Page #158 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽवसरः १४५ જીવોનું મન સ્વભાવથી ચંચળ છે, તે આમ તેમ દોડ્યા કરે છે. જો કોઈ રીતે પુણ્યથી તે દાન પ્રત્યે અભિમુખ થયું હોય, તો ત્યારે વિદ્વાનોએ વિલંબ કરવો ઉચિત નથી. ફરીથી મન તેવું થાય કે ન પણ થાય, કારણ કે બધું ચંચળ છે. || ૯૨ // प्राप्ते त्रये ये गमयन्ति कालं ते वेगगच्छत्तरिकाधिरूढाः । मूढा ग्रहीतुं प्रतिपातयन्ते रत्नाकरे रत्नमयत्न[५६-२]दृष्टम् ॥ ९३ ॥ | ચિત્ત- વિજ્ઞ- પાત્ર આ ત્રણ વસ્તુની પ્રાપ્તિ થયા બાદ જેઓ વિલંબ કરે છે, તેઓ મૂઢ છે. વેગીલા તરાપામાં જેઓ બેઠા છે, સહજપણે દરિયામાં રત્ન દેખાઈ જાય, અને છતાં પણ તેને લેવામાં જેઓ વિલંબ કરે તેમના જેવું તે મૂઢ જીવોનું આચરણ છે. / ૯૩ // भव्यं वास: श्लाघनीयो निवास: शय्या वर्या प्राज्यभोज्यं शुभाज्यम् । पात्रं पानं भैषजादि प्रधानं भक्त्या देयं साधुसङ्घाय देयम् ॥ ९४ ॥ સુંદર વસ્ત્ર, પ્રશંસનીય વસતિ, ઉત્તમ શય્યા, Page #159 -------------------------------------------------------------------------- ________________ १४६ दानादिप्रकरणे પ્રશસ્ત વૃતવાળું પ્રચુર ભોજન, પાત્ર, પાણી, શ્રેષ્ઠ ઔષધ વગેરે દાનયોગ્ય વસ્તુનું મુનિગણને ભક્તિથી દાન કરવું જોઈએ. / ૯૪ / यदात्मनोऽतिवल्लभं जगत्यतीव दुर्लभम् । તદેવ મંજ઼િમાન પ્રયમાર્તન: છે ? | જે પોતાને અતિ પ્રિય હોય, જગતમાં અત્યંત દુર્લભ હોય, તેનું જ ભક્તિસભર આદરયુક્ત લોકોએ દાન આપવું જોઈએ. // ૯૫ || धर्मकार्येऽपि ये व्याजं कुर्वते वित्ततत्पराः । आत्मानं वञ्चयन्त्युच्चैस्ते नरा मूर्खशेखराः ॥ ९६ ॥ જેઓ લોભી છે, તેથી ધર્મના કાર્યમાં પણ માયા કરે છે, તે મૂર્ખશેખર નરો પોતાના આત્માને અત્યંત છેતરે છે. / ૯૬ / भो जना भोजनं यावन्न न्यस्तं साधुभाजने । समग्रमग्रतस्तावद् भुज्यते स्वेच्छया कथम् ॥ ९७ ॥ | હે લોકો ! જ્યાં સુધી સમગ્ર ભોજન (સર્વ પ્રકારનું ભોજન) સાધુની સમક્ષ તેમના પાત્રમાં ન મુક્યું હોય, તેની પહેલાં સ્વેચ્છાથી ભોજન શી રીતે કરાય ? II૯૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽवसरः निक्षिप्रमते पात्रे विविक्ते गुप्तिशालिनि । कल्पते निर्विक [ ५७ - १]ल्पं स्वं काले भोगाय भोगिनाम् ।। ९८ ॥ १४७ વિવેક અને ગુપ્તિથી યુક્ત એવા અક્ષત પાત્રને જે વસ્તુનું દાન આપ્યું હોય, તે વસ્તુનો યોગ્ય કાળે પોતાના માટે નિશ્ચિતપણે ઉપભોગ કરવો, એ ગૃહસ્થો માટે ઉચિત छे. ।। ८८ ।। तीर्थस्य मूलं मुनयो भवन्ति मूलं मुनीनामशनाऽऽसनादि । यच्छन्निदं धारयतीह तीर्थं तद्धारणं पुण्यपदं वरेण्यम् ॥ ९९ ॥ તીર્થનું મૂળ છે મુનિઓ, અને મુનિઓનું મૂળ छे लोभन, आसन वगेरे, (खेम ज्ञानीखो उहे छे.) માટે જે મુનિઓને ભોજન વગેરે આપે, તે તીર્થનો નિર્વાહ કરે છે. (જિનશાસનની પરંપરાને અવિચ્છિન્નપણે આગળ વધારે છે.) અને તીર્થનિર્વાહ એ પુણ્યબંધનું શ્રેષ્ઠ કારણ छे. ॥ ८८ ॥ तीर्थे यद् भव्या भवजलनिधेरुत्तरीतुं तरण्डं सम्यक्त्वं केचित् विरतिमपरे देशतः सर्वतोऽन्ये । Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ दानादिप्रकरणे अङ्गीकुर्वाणाः कुशलमतुलं कुर्वते कारयन्ते तत् स्यान्निःशेषं शुभपरिणतेस्तीर्थनिर्वाहकस्य ॥१००॥ | તીર્થમાં કેટલાક ભવ્ય જીવો ભવસાગરથી પાર ઉતરવા માટે તરંડક સમાન એવા જે સમ્યક્ત્વને ધારણ કરે છે. કેટલાક દેશવિરતિને તથા અન્ય જીવો સર્વવિરતિનો સ્વીકાર કરે છે, અદ્વિતીય પુણ્ય કરે છે અને કરાવે છે. તેનું બધું ફળ પ્રશસ્ત ભાવવાળા તીર્થનિર્વાહક(સુપાત્રદાન કરનાર)ને મળે છે. // ૧૦૦ની इह हि गृहिणां निर्वाणाझं विहाय विहायितं जिनपरिवृद्धैः प्रौढं बाढं परं परिकीर्तितम् । न खलु पदतो मुख्येऽमु[५७-२]ष्मिन्नतीव कृतादरैः कृतिभिरनिशं भव्या भाव्यं भवाब्धितितीर्षया ॥१०॥ ગૃહસ્થોને દાન કરતાં મોટું મોક્ષનું પ્રૌઢ અને પુષ્ટ કારણ બીજું કોઈ નથી, એમ જિનેશ્વરોએ કહ્યું છે. આ રીતે દાનનું મુખ્ય સ્થાન છે. માટે હે ભવ્યો ! જેમને ભવસાગર તરવાની ઇચ્છા હોય, તેવા સજ્જનોએ દાનના વિષયમાં અત્યંત ઉદ્યમવાળા થવું જોઈએ. // ૧૦૧ / ग्लानादीनां पुनरवसरे सीदतां क्वापि बाढं यन्नादेयं स्वयमुरुतरं दापनीयाः परेऽपि(?) । Page #162 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽवसरः काले दत्तं विपुलफलदं येन सम्पद्यतेऽदः सद्धन्यानामिव जलधरैः शुष्यतां मुक्तमम्भः ॥१०२॥ અવસરે ખૂબ સીદાતા ગ્લાન વગેરે મુનિઓને દાન આપવું જોઈએ. જેમ સારા અનાજની વનસ્પતિઓ સુકાવા માંડી હોય, એ સમયે વાદળોએ વરસાવેલું પાણી ઘણું ફળ આપે છે, તેમ તેવા યોગ્ય સમયે આપેલું દાન ५९॥ ३वाणु थाय छे. ॥ १०२ ॥ प्रत्तं विपत्तावुपकारि किञ्चित् सम्पद्यते जीवितकल्पमल्पम् । पुंसः पिपासोः सुतरां मुमूर्षोरानीय पानीयमिवोपनीतम् ॥ १०३ ॥ જેમ મરતો માણસ તરસ્યો હોય, તેને પાણી લાવીને આપીએ એ જેમ જીવનસમાન નીવડે છે. તેમ વિપત્તિમાં કંઈક થોડું દ્રવ્ય પણ જીવનસમાન બની જાય छ. (नवन मापे छ.) ॥ १० ॥ कालेन ता एव पदार्थमात्राः । प्रायः क्रियन्तेऽसुमता महार्घाः । स्वात्यामिवापोऽ[५८-१]पि पयोदमुक्ताः स्थूलामलाः शुक्तिमुख्नेषु मुक्ताः ॥ १०४ ॥ Page #163 -------------------------------------------------------------------------- ________________ १५० दानादिप्रकरणे યોગ્ય કાળે આપવાથી તે જ પદાર્થોને જીવ મહામૂલ્યવાન કરી દે છે. જેમ કે સ્વાતિ નક્ષત્રમાં વાદળાઓએ વરસાવેલુ પાણી પણ છીપલાઓના મુખમાં મોટા આમળા જેવા મોતી બની જાય છે. તે ૧૦૪ // प्रस्तावमासाद्य सुखाय सद्यः सम्पद्यते दुःखकर: पदार्थः । यूनां मदायेन्दुरिव प्रियाभिને વિયોગે પરિતાપદેતુ. ૨૦૫ . દુઃખોત્પાદક પદાર્થ પણ અવસરને કારણે શીધ્ર સુખદાયક થાય છે, જેમ કે પ્રિયાઓ સાથે સંયોગ હોય ત્યારે ચંદ્ર આનંદકારક થાય છે, અને વિયોગ હોય ત્યારે સંતાપનું કારણ થાય છે. ૧૦૫ || यद्यन्यदा न क्रियते तथापि व्यापत्सु कार्यं गुरुणाऽऽदरेण । अन्नादिदानं महते फलाय कोऽल्पेन नानल्पमुपाददीत ॥ १०६ ॥ જો અન્ય કાળે અન્ન વગેરેનું દાન ન કરતા હો, તો પણ આપત્તિઓમાં ખૂબ આદરથી અન્ન વગેરેનું દાન કરવું જોઈએ. કારણ કે એવા અવસરે તે મહાન Page #164 -------------------------------------------------------------------------- ________________ १५१ षष्ठोऽवसरः ફળ આપે છે. અલ્પ દાનથી મહાન ફળને કોણ ગ્રહણ ન કરે ? || ૧૦૬ // इदं विमलमानसो विपुलसम्पदामास्पदं पदं च यशसां परं परमपुण्यसम्पादकम् । मुनीन्द्रजनपूजनं जनितसज्जनानन्दनं विधाय विधिनाऽधुनाऽप्यवधुनाति ઘ૬૮-૨]ચોડધમમ્ / ૦૭ | મુનીશ્વરોનું પૂજન એ પ્રચુર સંપત્તિઓનું સ્થાન છે, યશનું પરમ ધામ છે. શ્રેષ્ઠ પુણ્યદાયક છે, સજ્જનોને આનંદ કરનારું છે. નિર્મળ મનવાળી ધન્ય વ્યક્તિ વિધિપૂર્વક મુનીશ્વરનું પૂજન કરીને વર્તમાનમાં પણ અશુભ કર્મની નિર્જરા કરે છે. તે ૧૦૭ છે. दीनादीनामपि करुणया देयमौदार्ययुक्तैर्युक्तं दानं स्वयमपि यथा तीर्थनाथैर्वितीर्णम् । पात्रापात्रापरिगणनया प्राणिनां प्रीणनाय स्यात् कारुण्यं कथमितरथा धर्मसर्वस्वकल्पम् ॥१०८॥ જેમ તીર્થંકરોએ સ્વયં દાન આપ્યું, તેમ ઉદાર વ્યક્તિઓએ દીન વગેરેને કરુણાથી ઉચિત દાન આપવું જોઈએ. પાત્ર-અપાત્રનો વિચાર કર્યા વિના જીવોને ૧૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ १५२ दानादिप्रकरणे આનંદિત કરવા માટે દાન આપવું જોઈએ. જો એવું ન કરો, તો ધર્મના સર્વસ્વ જેવો કરુણાનો ભાવ ક્યાંથી આવી શકે ? / ૧૦૮ / अत्रैव जन्मनि जनः सुभगम्भिष्णुराढ्यम्भविष्णुरपरत्र परोपकारी । कश्चित् कृती च सुकृती च कृतार्थजन्मा કાનં રાતિ વિપુપુરવઠાચિતાર ૨૦ || કોઈ પુણ્યશાળી સજ્જન પોતાના જન્મને કૃતકૃત્ય કરે છે, રોમાંચિત થઇને પુષ્કળ દાન આપે છે. તે આ જ ભવમાં સૌભાગ્યશાળી અને સમૃદ્ધિશાળી થાય છે અને પરભવમાં પરોપકારી થાય છે. ૧૦૯ | - ઇતિ ષષ્ઠ અવસર - Page #166 -------------------------------------------------------------------------- ________________ सप्तमोऽवसरः जिनागमं येऽनधिगम्य सम्यग् गम्भीर/५९ - १] मात्मम्भरयो वराकाः । दानं निषेधन्ति वचो न कर्णे कर्णेजपानां करणीयमेषाम् ॥ १ ॥ કેટલાંક પોતાનું પેટ ભરવામાં જ તત્પર બિચારા જીવો ગંભીર જિનવચનને બરાબર સમજ્યા વિના દાનનો નિષેધ કરે છે, તેવા દુર્જનોનું વચન સાંભળવા યોગ્ય નથી. ॥ ૧ ॥ नो जानन्ति जिनागमं जडधियो नो सौगताद्यागमं नो लोकस्थितिमुज्ज्वलामृजुमहो व्यामोहयन्तोऽन्वहम् । दातॄणामथ गृहणतामसुमतां कृत्वाऽन्तरायं तरां मिथ्यादेशनया नयन्ति नरकं लोकं व्रजन्ति स्वयम् ॥ २ ॥ જડ બુદ્ધિવાળા જીવો નથી જિનાગમને જાણતા કે નથી બૌદ્ધ વગેરેના શાસ્ત્રોને જાણતા, તેઓ ઉજ્જવળ લોકસ્થિતિને પણ નથી જાણતા અને સરળ લોકોને હંમેશા ભરમાવે છે. મિથ્યા દેશનાથી દાતાઓ અને દાન લેનારા જીવોને અત્યંત અંતરાય કરીને તેમને નરકમાં લઇ જાય છે, અને પોતે પણ નરકમાં જાય છે. ॥ ૨ ॥ Page #167 -------------------------------------------------------------------------- ________________ १५४ दानादिप्रकरणे महानुभावा भवमुत्तरीतुं प्राणैरपि प्राणिगणोपकारम् ।। कुर्वन्ति केचित् करुणाईचित्ताश्चन्द्रा इवाह्लादितजीवलोकाः ॥ ३ ॥ કેટલાક મહાપ્રભાવશાળી જીવો કરુણાથી આર્ટ મનવાળા છે. તેઓ ચંદ્રની જેમ જીવલોકને આનંદ આપે છે, તેઓ પોતાના પ્રાણોના ભોગે પણ જીવગણ પર ७५४४२ छ. ॥ 3 ॥ अन्ये शुचैव परितापितविश्वविश्वा वैश्वानरा इ[५९-२]व नरा निरये रयेण । गन्तुं दयापकृतयो कथयन्ति मिथ्या किं कुर्महे वयमहो विषमो हि मोहः ॥ ४ ॥ અન્ય મનુષ્યો તો સમગ્ર વિશ્વને શોકથી સંતાપ આપે છે, તેઓ આગ જેવા છે. તેઓ જલ્દીથી નરકે જવા માટે દાતા અને દાન લેનાર બંને પર અપકાર કરે છે, દાન વિષે મિથ્યા પ્રરૂપણા કરે છે. અમે શું કરીએ ? ५२५२, भोड विषम छ. ॥ ४ ॥ तथापि किञ्चित् कथयामि युक्तं मध्यस्थलोकस्य खलूपयुक्तम् । Page #168 -------------------------------------------------------------------------- ________________ सप्तमोऽवसरः मोहव्यपोहाय विहाय कृत्यं स्वार्थात् परार्थो महतां महिष्ठः ॥ ५ ॥ છતાં પણ તટસ્થ લોકોને ઉપયોગી એવું ઉચિત કહું છું, જેથી મોહ દૂર થાય. મારું કાર્ય છોડીને હું આ કાર્ય કરું છું, કારણ કે મહાપુરુષો પણ સ્વાર્થ કરતાં परार्थने ४ प्रधान अरे छे. ॥ ५ ॥ १५५ यावद्धर्षं ननु जिनवृषा वर्षति स्वर्णवर्षं हर्षोत्कर्षं प्रणयिशिखिनां कुर्वदुर्वीगतानाम् । नो सन्दिग्धं न च विरचितं केनचिन्मादृशेदं प्रोक्तं प्रोच्चैरविचलवचो विश्रुतैः श्रीश्रुतज्ञैः ॥ ६ ॥ જિનેશ્વરો એક વર્ષ સુધી સોનામહોરોનો વરસાદ વરસાવે છે. તે વરસાદ ધરતી પર રહેલા પ્રેમી-મયૂરોને ખૂબ હર્ષિત કરી દે છે. આ વાત શંકાસ્પદ નથી કે મારા જેવા કોઈએ બનાવી પણ નથી. આ તો પ્રસિદ્ધ શ્રી શ્રુતજ્ઞાતાઓએ સ્પષ્ટપણે કહેલું નિશ્ચલ વચન છે. ॥ ह् ॥ निष्क्रान्तिकाले सकला जिनेन्द्रा यादृच्छिकं दा [६०-१] नमतुच्छवाञ्छाः । यच्छन्ति विच्छिन्नदरिद्रभावं मेघा इवाम्भो भुवि निर्विशेषम् ॥ ७ ॥ Page #169 -------------------------------------------------------------------------- ________________ १५६ दानादिप्रकरणे | સર્વ જિનેશ્વરો દીક્ષા સમયે જેને જે જોઈએ તેનું દાન આપે છે. તેમની દાન આપવાની પ્રબળ ઈચ્છા હોય છે. તેઓ દાન દ્વારા ગરીબીને દૂર કરે છે. જેમ વાદળો ધરતી પર કોઈ ભેદભાવ વિના જળસિંચન કરે, તેમ તેઓ કોઈ ભેદભાવ વિના દાન આપે છે. || ૭ | दिशन्त्येते मोहान्न खलु निखिलेभ्यः स्वविभवं [भवन्तो विज्ञानैस्त्रिभिरपतितैस्तीर्थपतयः । भवे पूर्वेऽभ्यस्तैरनुगतधियो नाऽप्यकुशलं प्रवृत्तेः कर्मास्याः किमपि कथितं कारणमिह ॥ ८ ॥ | તીર્થકરો અપતિત ત્રણ જ્ઞાનોથી યુક્ત હોય છે, તેઓ મોહથી બધાને પોતાનો વૈભવ આપતા નથી. પૂર્વ ભવમાં તે જ્ઞાનોના અભ્યાસથી તીર્થકરોની બુદ્ધિ પરિણત થઈ હોય છે. દાન આપવામાં કોઈ અશુભ કર્મ કારણ છે, એવું પણ અહીં નથી કહ્યું. || ૮ || किन्तु दानान्तरायस्य कर्मणोऽपचये सति । क्षायोपशमिके भावे दानुमुक्तं जिनागमे ॥ ९ ॥ પણ જ્યારે દાનાંતરાય કર્મની હાનિ થાય, ત્યારે ક્ષાયોપથમિક ભાવમાં દાન અપાય છે, એવું જિનાગમમાં કહ્યું છે. || ૯ || Page #170 -------------------------------------------------------------------------- ________________ सप्तमोऽवसरः अथापि तीर्थकृन्नामनामकर्मोदयादयम् । રયાવરો મહાસ[૬-રjત્વ: સર્વસત્ત્વોપરિવ: કેળા વળી દયાકર, મહાસત્ત્વશાળી, જિનેશ્વર તીર્થકર નામ કર્મના ઉદયથી સર્વ જીવો પર ઉપકાર કરનાર | ૧૦ | प्रदेशने प्रवर्तेत देशनायामिवानिशम् । प्रशस्यते तथापीदं देशनेव प्रदेशनम् ॥ ११ ॥ જેમ દેશનામાં સદા પ્રવૃત્ત થયા છે, તેમ દાનમાં પણ પ્રવૃત્તિ કરે છે. છતાં પણ દેશનાની જેમ દાન પણ પ્રશંસાસ્પદ બને છે. || ૧૧ || नाशुभस्य फलं दानं निदानं वा निदर्शितम् । कर्मण: क्वापि सिद्धान्ते दीयमानं विधानतः ॥ १२ ॥ સિદ્ધાન્તમાં ક્યાંય એવો નિર્દેશ નથી કર્યો, કે વિધિથી અપાતું દાન, એ અશુભ કર્મના ફળરૂપ હોય કે અશુભ કર્મનું કારણ હોય. | ૧૨ //. शुभे कृत्ये कृते पूर्वैः सर्वैः सर्वार्थवेदिभिः ।। प्रवर्तितव्यमन्येन मन्ये न्यायः सतां मतः ॥ १३ ॥ થયેલા સર્વ સર્વજ્ઞોએ જે શુભ કાર્ય કર્યું હતું, તે શુભ કાર્ય અન્ય વ્યક્તિએ કરવું જોઈએ. એ સજ્જનોને સંમત નીતિ છે, એમ હું માનું છું. ./૧૩ી. Page #171 -------------------------------------------------------------------------- ________________ १५८ दानादिप्रकरणे वचोऽप्यशेषमेतेषां प्रमाणीक्रियते बुधैः ।। विशिष्टा किं पुनश्चेष्टा दृष्टादृष्टाविरोधिनी ? ॥१४॥ વિદ્વાનો તેમના સર્વ વચનને પણ પ્રમાણ કરે છે, તો પછી પ્રત્યક્ષ અને યુક્તિથી સંગત એવી તેમની વિશિષ્ટ ચેષ્ટાની તો શું વાત કરવી ? || ૧૪ || यथा त[५१-१]पस्तथा शीलं तीर्थनाथैरनुष्ठितम् । तथा दानमपि श्रेष्ठमनुष्ठेयमनुष्ठितम् ॥ १५ ॥ જેમ તીર્થંકરોએ તપ તથા શીલનું આચરણ કર્યું હતું, એમ શ્રેષ્ઠ કર્તવ્યરૂપ દાનનું પણ આચરણ કર્યું હતું. // ૧૫ / निष्क्रान्तोऽपि त्रिभुवनविभुर्वर्धमानाभिधानो वस्त्रस्यार्द्धं सदयहृदयोऽतुल्यमूल्यं द्विजाय । यच्छन्नेवं कथयति सदा निर्गुणस्यापि दातुं युक्तं शक्त्या किमुत गुणिनां साधुसाधर्मिकाणाम् ॥१६॥ ત્રણ લોકના નાથ દયાળુ હૃદયવાળા શ્રી વદ્ધમાનસ્વામીએ દીક્ષા લીધા બાદ પણ અદ્વિતીય મૂલ્યવાળો વસ્ત્રનો અર્ધભાગ બ્રાહ્મણને આપ્યો. અને તેના દ્વારા એવો સંદેશ આપ્યો કે હંમેશા નિર્ગુણને પણ યથાશક્તિ દાન આપવું જોઈએ. તો પછી ગુણવાન એવા મુનિ અને સાધર્મિકોની તો શું વાત કરવી ? || ૧૬ / Page #172 -------------------------------------------------------------------------- ________________ १५९ सप्तमोऽवसरः दानं निदानं यदि पातकानां सम्पद्यते नैव तदा मुनीन्द्रः । दद्यादनिन्द्यो निरवद्यविद्याચતુષ્ટયTધ્યાસિત વ્યરિત્ર: • ૨૭ | જો દાન એ પાપોનું કારણ બનતું હોત તો અનિંદનીય, નિર્દોષ ચાર જ્ઞાન સહિત ચારિત્રથી સંપન્ન એવા પ્રભુ વીરે દાન ન જ આપ્યું હોત. / ૧૭ . अयुक्ते न प्रवर्तन्ते मर्त्यनाथास्तथाविधाः । રાષિપ્રમાદિ-વિમુન મુસિગ્મગ્રી: ૨૮ રાગ, દ્વેષ, પ્રમાદ વગેરેથી રહિત, મોક્ષની અભિમુખ એવા તેવા પ્રકારના મનુષ્યનાથ (જિનેશ્વર) અનુચિતમાં પ્રવૃત્તિ કરતા નથી. || ૧૮ नाप्युत्तरारम्भभवोऽपि दोषो दातुर्भवेनिश्चितमत्र कश्चित् । परोपकाराय दयापरस्य प्रवर्तमानस्य शुभाशयस्य ॥ १९ ॥ જે પરોપકાર માટે પ્રવૃત્તિ કરે છે, જે દયામાં તત્પર છે, જે પ્રશસ્ત અધ્યવસાય ધરાવે છે, એવા દાતાને દાન આપ્યા પછી તે યાચક આરંભ કરે તેનો દોષ પણ નથી જ લાગતો. || ૧૯ || Page #173 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे अन्यथा हि महादानं महारम्भनिबन्धनम् । न दधु(धना धन्या विकीर्यानिधनं धनम् ॥ २० ॥ જો એવું ન હોત, તો બુદ્ધિશાળી ધન્ય (જિનેશ્વરો) અખૂટ ધનને વેરીને મહા આરંભનું કારણભૂત મહાદાન ન આપત. | ૨૦ || एष्टव्यमित्थमेवेदं गुर्वादरपि नान्यथा । अन्नादि देयं व्याध्यादेः कदाचित् स्यादिधायकम् ॥ २१ ॥ આ વાત ગુરુ વગેરેની બાબતમાં પણ એ જ રીતે સમજવી જોઈએ. જો એમ ન માનો તો ક્યારેક અન્ન વગેરે રોગ વગેરેના પણ કારણ બની જતાં હોય છે, તો પછી તેના ભયથી કદી કોઈને અન્ન આપવું જ નહીં, એવું માનવું પડશે. (પણ એવું તો ઈષ્ટ નથી. માટે જેમ દાતાનો આશય પ્રશસ્ત હોવાથી, અન્નદાન લેનાર કદાચ માંદો પડે, તો ય તેનો દોષ દાતાને લાગતો નથી. તેમ અન્યત્ર પણ સમજવું જોઈએ.) | ૨૧ // प्रत्तं प्रबन्धेन गिरा गुरूणां सार्मिकेभ्यो भरतेन दानम् । अन्यैश्च धन्यैर्धनसार्थवाहમુઠ્ય: પ્રમૂર્તિ સમયપ્રસિ: . રર ગુરુઓની વાણીથી ભરતે સાધર્મિકોને વિસ્તૃત દાન Page #174 -------------------------------------------------------------------------- ________________ १६१ सप्तमोऽवसरः આપ્યું હતું. શાસ્ત્રપ્રસિદ્ધ ધન સાર્થવાહ વગેરે અન્યોએ ५९॥ हान आप्युं तुं. ॥ २२ ।। कल्याणहेतुस्त[६२-१]दभूदमीषां नानर्थसम्पादि निरर्थकं वा । तीर्थाधिनाथप्रथमान्नदानं दातुः शिवस्य प्रथितं निदानम् ॥ २३ ॥ તેમણે આપેલું દાન તેમના કલ્યાણનું કારણ બન્યું હતું. તે દાનથી તેમનો અનર્થ થયો ન હતો, કે તે દાન ફોગટ પણ ગયું ન હતું. તીર્થકરોને જે પ્રથમ વાર અન્નદાન આપે છે, તે દાતાના મોક્ષનું કારણ બને છે. ॥ २३ ॥ मुख्यं च धर्मस्य चतुर्विधस्य प्रोक्तं जिनेन्द्रैः समये समस्ते । तीर्थान्तरीयैः कथितं विशिष्टं दानं जनानां नितरामभीष्टम् ॥ २४ ॥ સમસ્ત શાસ્ત્રોમાં જિનેશ્વરોએ ચાર પ્રકારના ધર્મમાં સૌ પ્રથમ “દાન' કહ્યું છે. અન્ય તીર્થિકોએ પણ લોકોને ખૂબ પ્રિય એવા વિશિષ્ટ દાનની પ્રરૂપણા કરી છે. ર૪l. बाहां नयं च बाह्यानां कारणं दानवारणे । अमीषां दृश्यते नूनं क्लिष्टादृष्टं भविष्यति ॥ २५ ॥ Page #175 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे જેઓ લૌકિક- લોકોત્તર બંને શાસનથી બાહ્ય છે, તેઓ દાનનો નિષેધ કરે છે, તેમની કોઈ બાહ્ય નીતિ દેખાય છે. નક્કી, તેમના કર્મો ચીકણા હશે. // ૨૫ . स्वयं च सर्वं गृह्णन्ति गृद्धा गृध्रा इवाऽऽमिषम् । कयापि भङ्या निर्भाग्या भङ्गमन्यस्य कुर्वते ॥ २६ ॥ જેમ આસક્ત ગીધડા માંસનું ગ્રહણ કરે, તેમ પોતે સર્વનું ગ્રહણ કરે છે. પણ તે નિભંગીઓ કોઇ પણ રીતે બીજાના દાનમાં ભંગાણ પાડે છે. / ર૬ // परो व्यामोहाते येन गम्यते दुर्गतिः (६२-२) स्वयं । સ્થિતે શાસોચ્છરો fધ િયુવેશતમ્ રહો જેનાથી બીજાને ભરમાવાય છે, પોતે દુર્ગતિમાં જવાય છે, અને શાસનનો ઉચ્છેદ કરાય છે, એવી... નિપુણતાને ધિક્કાર થાઓ. || ર૭ || विज्ञप्तिः सा भवतु भविनां सा च वाचां प्रवृत्तिश्वेतोवृत्तिः कलिलविकला सैव सा कायशक्तिः । आज्ञा सैव प्रभवतु यया शक्यते संविधातुं મોહાપોદ પરમનસોઃ શાસનાયુન્નતિશ રદ જીવોને તેવું જ જ્ઞાન થાઓ, તેવી જ વચનની પ્રવૃત્તિ થાઓ, તેવી જ નિર્મળ મનોવૃત્તિ થાઓ, તે જ દેહસામર્થ્ય થાઓ, તે જ આજ્ઞા (પ્રરૂપણા) થાઓ, કે Page #176 -------------------------------------------------------------------------- ________________ सप्तमोऽवसरः જેનાથી પોતાના અને બીજાના મોહને દૂર કરી શકાય અને જિનશાસનની ઉન્નતિ કરી શકાય. ૨૮ अन्नादिदानेऽथ भवेदवश्यं प्रारम्भतः प्राणिगणोपमर्दः । तस्मान्निषिद्धं ननु नेति युक्तं यूकाभयान्नो परिधानहानम् ॥ २९ ॥ શંકા-અન્ન વગેરેનું દાન આપવામાં આરંભસમારંભથી અવશ્ય જીવહિંસા થાય છે, માટે અન્ન વગેરેનું દાન નિષિદ્ધ છે. સમાધાન- ના, એમ કહેવું ઉચિત નથી. કારણ કે “જુના ભયથી કાંઈ કપડાનો ત્યાગ ન કરી દેવાય. | ૨૯ | पापाय हिंसेति निवारणीया दानं तु धर्माय ततो विधेयम् । दुष्टा दशानामुरगादिदष्टा વૈવાન [] સા વ્ર વર્તનીયા છે રૂo | હિંસા પાપનું કારણ છે, માટે તેનું નિવારણ કરવું જોઈએ. દાન ધર્મનું કારણ છે, માટે દાન કરવું જોઈએ. જે આંગળીમાં સાપ વગેરેએ ડંખ માર્યો હોય, તેથી જે દશાઓના (?) દુષ્ટ (વિષદોષથી વ્યાપ્ત) હોય, તે આંગળી જ કાપવી જોઈએ. તે ૩૦ | Page #177 -------------------------------------------------------------------------- ________________ १६४ दानादिप्रकरणे कृष्यादि कुर्वन्ति कुटुम्बहेतोः पापानि चान्यानि समाचरन्ति । देवादिपूजादि विवर्जयन्ति हिंसां भणित्वेति कथं न मूढाः ॥ ३१ ॥ જેઓ કુટુંબ માટે ખેતી વગેરે કરે છે, તથા અન્ય પાપો પણ આચરે છે, પણ દેવ વગેરેની પૂજા હિંસા છે, એમ કહીને તેનો ત્યાગ કરે છે, તેઓ શી રીતે भूढे नथी ? ॥ ३१ ॥ सन्त्यज्य पूज्यं जननीजनादिं ये दुष्टचेटीमिह चेष्टयन्ति । तेषां भवन्तोऽपि भवन्ति तुल्या सक्ता गृहे देवगुरुंस्त्यजन्तः ॥ ३२ ॥ જેઓ પૂજનીય માતા વગેરે સ્વજનોનો ત્યાગ કરીને દુષ્ટ દાસીને સેવે છે, તમે પણ તેમની સમાન થાઓ છો. કારણ કે તમે દેવ-ગુરુને છોડીને ઘરમાં આસક્ત अन्य छो. ॥ ३२ ॥ अथापि नारम्भवतोऽपि युक्तं प्रारम्भणं धर्मनिमित्तमत्र । द्रव्यस्तवो हन्त गतोऽस्तमेवं ध्वस्तः समस्तो गृहमेधिधर्मः ॥ ३३ ॥ Page #178 -------------------------------------------------------------------------- ________________ सप्तमोऽवसरः १६५ શંકા- ગૃહસ્થ પોતાના માટે આરંભ કરે છે, એ વાત સાચી, પણ ધર્મ માટે એ આરંભ કરે, એ ઉચિત નથી. સમાધાન- થઈ રહ્યું, તો તો દ્રવ્યસ્તવ અસ્ત પામી ગયો. સમસ્ત ગૃહસ્થધર્મનો વિધ્વંસ થઇ ગયો. ।।૩૩।। द्रव्यस्तवप्रधानो धर्मो गृहमेधिनां यतोऽभिदधे । द्रव्यस्तवस्य विरहे भवत्यभावस्ततस्तस्य ॥ ३४ ॥ ગૃહસ્થોનો ધર્મ દ્રવ્યસ્તવપ્રધાન હોય છે, એવું પ્રભુએ કહ્યું છે. માટે જો દ્રવ્યસ્તવ ન રહે, તો ગૃહસ્થધર્મ પણ ન રહે. ॥ ૩૪ || [દરૂ-ર] યુવન્ત્યાામાનનુ પતં सङ्गतमुपगन्तुमीदृशं न सताम् । द्रव्यस्तवभावस्तवरूपो धर्मो जिनैरुक्तः ॥ ३५ ॥ માટે પૂર્વપક્ષની એવી વાત યુક્તિ અને આગમને અનુસરતી નથી. માટે તે વાત સ્વીકારવી, એ સજ્જનોને માટે ઉચિત નથી. જિનેશ્વરોએ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવરૂપ ધર્મ કહ્યો છે. ।। ૩૫ ॥ जन्माभिषेकादिमहं जिनानां व्याख्यानधात्रीरचनां च चित्राम् । कुर्वन्ति सर्वे त्रिदशाधिपाद्या नन्दीश्वरादौ महिमानमुच्चैः ॥ ३६ ॥ Page #179 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे સર્વ ઇન્દ્રો વગેરે જિનેશ્વરોનો જન્માભિષેક વગેરેનો મહોત્સવ કરે છે. સમવસરણની વિવિધ પ્રકારની રચના કરે છે અને નંદીશ્વર દ્વીપ વગેરેમાં ઉત્કૃષ્ટ મહિમા કરે છે. ॥ ૩૬ II १६६ अष्टापदादौ भरतादिभूपै र्वेश्मानि बिम्बानि च कारितानि । दशार्णभद्रप्रमुखैर्नृमुख्यैः पूजा जिनानां विहिता हिताश्च ।। ३७ ।। ભરત વગેરે રાજાઓએ અષ્ટાપદ વગેરે પર જિનાલયો અને જિનપ્રતિમાઓ કરાવ્યા છે. અને દશાર્ણભદ્ર વગેરે રાજાઓએ હિતકારક જિનપૂજા કરી હતી. || ૩૭ || साधर्मिकेभ्यो भरतेन दत्तं भोज्यादि भक्त्या विविधं विधाय । मोक्षाय निःशेषमभूदमीषाમેતષ્નિનોé યમામેવ ।। રૂટ ॥ ભરતે ભક્તિથી વિવિધ ભોજન બનાવીને સાધર્મિકોને આપ્યું હતું. ભગવાને પ્રરૂપેલું આ દાન તેમણે કર્યું, એ સર્વ તેમના મોક્ષનું કારણ બન્યું હતું. ॥૩૮॥ Page #180 -------------------------------------------------------------------------- ________________ सप्तमोऽवसरः ग्रामं क्षेत्रं वाटि[६४-१]कां वापिकाढ्यां गेहं हटुं देवदेवाय भक्त्या । दत्त्वा केचित् पालयित्वा तथान्ये धन्या सिद्धाः साधुसिद्धान्तसिद्धाः ॥ ३९ ॥ કેટલાક ધન્ય જીવો ભક્તિથી દેવાધિદેવને ગામ, ખેતર, સરોવરથી સમૃદ્ધ વાડી, ઘર અને દુકાન આપીને, તથા કેટલાક તેની રક્ષા કરીને સિદ્ધ થયા છે. તેવા જીવો सभ्यशास्त्रमा प्रसिद्ध छ. ॥ ३८ ॥ आरम्भन्ते सर्वकार्याण्यनार्या भार्यादीनां सर्वथा सर्वदा ये । देवादीनां नैव दीनास्तु मन्ये धर्मे द्वेषो निश्चितः कश्चिदेषाम् ॥ ४० ॥ જે અનાર્ય જીવો હંમેશા સર્વ પ્રકારે પત્ની વગેરેના સર્વ કાર્યોનો આરંભ કરે છે, પણ દેવ વગેરેના કાર્યો કરતા નથી, તેઓ દીન છે. નક્કી તેમને ધર્મ પર કોક द्वेष छ, मेधुं हुं भानुं धुं. ॥ ४० ॥ आरम्भश्चेत् पातकार्थेऽपि कृत्यो धर्मायासौ संविधेयः सुधीभिः । चौराणां चेद्धन्त वोढव्यमास्ते बाढं व्यूढं तदरं स्वामिनो हि ॥ ४१ ॥ ૧ ૨ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ दानादिप्रकरणे જો પાપ માટે પણ આરંભ કરવાનો હોય, તો સબુદ્ધિમાનોએ ધર્મ માટે આરંભ કરવો જોઈએ. રે.. જે ચોરો માટે ભાર ઉપાડવાનો હોય, તો એના કરતા તો બહેતર છે કે સ્વામી માટે ભાર ઉપાડીએ. / ૪૧ // पापारम्भविवर्जनं गुरुयशोराशेः शुभस्यार्जनं गेहाद्याग्रहनिग्र[६४-२]हेण मनसो निःसङ्गतासङ्गतिः । कल्याणाभिनिवेशिता तनुमतां सन्मार्गसन्दर्शनं धर्मारम्भवतां भवन्ति भविनामित्यादयः सद्गुणाः ॥४२॥ પાપ-આરંભનો ત્યાગ, પ્રશસ્ત મહાન યશસંચયનું ઉપાર્જન, ઘર વગેરે પ્રત્યેની આસક્તિની નિવૃત્તિ, તેના દ્વારા મનને નિઃસંગદશાની પ્રાપ્તિ, કલ્યાણ પ્રત્યે અભિરુચિ, જીવોને સન્માર્ગદર્શન... વગેરે પ્રશસ્ત લાભો ધર્મપ્રવૃત્તિ કરતા જીવોને પ્રાપ્ત થાય છે. ૪૨ / स्थानोपयोगात् साफल्यं भवस्य विभवस्य च । परः परोपकारः स्याद् धर्मतीर्थप्रवर्तनात् ॥ ४३ ॥ ભવ (?) અને વૈભવ આ બંનેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તો એ સફળ થાય છે, અને ધર્મતીર્થનું પ્રવર્તન કરવા દ્વારા પરમ પરોપકાર થાય છે. // ૪૩ || Page #182 -------------------------------------------------------------------------- ________________ सप्तमोऽवसरः संसारसागरे घोरे देहभाजां निमज्जताम् । तीर्थं श्रीतीर्थनाथस्य यानपात्रमनुत्तमम् ॥ ४४ ॥ १६९ ભયંકર સંસારસાગરમાં ડુબતા જીવો માટે શ્રી तीर्थंऽरनुं शासन से श्रेष्ठ वहाए छे. ॥ ४४ ॥ भक्तिश्चेज्जिनशासने जिनपतौ सञ्जायते निश्चला तत्कृत्येषु बलात् प्रवृत्तिरतुला स [ ६५ -१] सम्पद्यते देहिनाम् । भक्तः किङ्करतां करोति दिशति स्वं स्वापतेयं गुणानादत्ते पिदधाति दूषणगणं प्राणानपि प्रोज्झति ॥ ४५ ॥ જો જિનશાસન અને જિનેશ્વર પ્રત્યે નિશ્ચલ ભક્તિભાવ ઉત્પન્ન થાય, તો તેના કાર્યોમાં જીવો પ્રયત્નપૂર્વક અજોડ પ્રવૃત્તિ કરે. જે ભક્ત હોય, એ સેવક બને છે. પોતાના ધનનું દાન કરે છે. ભક્તિપાત્રના ગુણોને જુઓ છે, તેના દોષોને ઢાંકે છે, અને તેના खातर पोताना प्रागोनो पा त्याग ९रे छे. ॥ ४५ ॥ चैत्यस्य कृत्यानि विलोकयन्तो ये पापभाजो यदि वा यतीनाम् । कुर्वन्त्युपेक्षामपि शक्तियुक्ता मिथ्यादृशस्ते जिनभक्तिमुक्ताः ॥ ४६ ॥ જે પાપીઓ જિનાલય અને મુનિઓ માટે કરવા યોગ્ય વસ્તુઓને જુએ છે, અને શક્તિસંપન્ન હોવા છતાં Page #183 -------------------------------------------------------------------------- ________________ १७० दानादिप्रकरणे તેમની ઉપેક્ષા કરે છે, તેઓ જિનભક્તિરહિત છે, તેઓ મિથ્યાદષ્ટિ છે. (કારણ કે છતી શક્તિએ જે તેમની ઉપેક્ષા કરે, એ સમ્યગ્દષ્ટિ ન હોઈ શકે.) | ૪૬ // प्रारम्भोऽप्येष पुण्याय देवाघुद्देशतः कृतः । सामग्र्यन्तरपातित्वाज्जीवनाय विषं यथा ॥ ४७ ॥ દેવ વગેરે માટે કરેલ આ પ્રારંભ પણ પુણ્યનું કારણ બને છે, કારણ કે દેવ વગેરેની ભક્તિની કારણભૂત વસ્તુઓનો જે સમુદાય છે, તેનું એ પણ એક અંગ છે, જેમ કે જીવન માટે ઔષધોનો ઉપયોગ કરાય છે, તેમાં એક વસ્તુ ઝેર પણ હોય છે. તે ૪૭ | भिन्नहेतुक एवायं भिन्नात्मा भिन्नगोचरः । મિન્નાનુન્ધર્તન ચર્િ પુન્જિનિવબ્ધનમ્ || ૪૮ / દેવ વગેરેની ભક્તિ માટે જે આરંભ કરાય, તેનું કારણ અલગ છે, તેનું સ્વરૂપ અને તેનો વિષય પણ અલગ છે, અને તેનાથી જે પરંપરાનું સર્જન થાય છે, તે પણ અલગ છે. માટે આ આરંભ પુણ્યબંધનું કારણ થાય છે. ૪૮ | लोभादिहेतुकः पापारम्भो गेहादिगोचरः । पापानुबन्धी सन्त्या[६५-२]ज्य: હાડચ: પુષસઘનઃ || 8 | Page #184 -------------------------------------------------------------------------- ________________ सप्तमोऽवसरः १७१ ઘર વગેરે માટે જે આરંભ કરાય, એ પાપયુક્ત છે, તેનું કારણ લોભ વગેરે છે, તે પાપની પરંપરાવાળો છે. તેનો ત્યાગ કરવો જોઈએ, અને જે પુણ્યને સાથે તેવો અન્ય આરંભ કરવા યોગ્ય છે. ૪૯ // धर्मारम्भरतस्य रज्यति जनः कीर्तिः परा जायते राजानोऽनुगुणा भवन्ति गुणिनो गच्छन्ति साहाय्यकम् । चेतः काञ्चननिर्वृतिं च लभते प्रायोऽर्थलाभोऽपरः पापारम्भपरादनर्थविरतिश्चेति प्रतीता भिदा ॥ ५० ॥ જે ધર્મ માટે આરંભ કરે છે, તેના પર લોકોને અનુરાગ થાય છે, તેની પરમ કીર્તિ થાય છે, રાજાઓ તેને અનુકૂળ થાય છે, ગુણીજનો તેના સહાયક બને છે. મન અપૂર્વ પ્રસન્નતા પામે છે, પ્રાયઃ કરીને અન્ય સંપત્તિની પ્રાપ્તિ થાય છે. પાપયુક્ત આરંભથી જે અનર્થ થાય છે, તે અટકે છે. આ રીતે ધર્મ માટે થતા આરંભનું વૈશિસ્ય સમજી શકાય છે. || ૫૦ || न मिथ्यात्वात् प्रमादादा कषायाद्वा प्रवर्तते । श्राद्धो द्रव्यस्तवे तेन तस्य बद्धो(न्धो)ऽस्ति नाशुभः ॥५१॥ શ્રાવક દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે, તેનું કારણ મિથ્યાત્વ, પ્રમાદ કે કષાય નથી, માટે તેને અશુભ કર્મબંધ થતો નથી. તે પ૧ || Page #185 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे [६६-१] शुभ: शुभानुबन्धी तु बन्धच्छेदाय जायते । पारम्पर्येण यो बन्धः स प्रबन्धाद् विधीयते ॥ ५२ ॥ १७२ પુણ્યાનુબંધી પુણ્ય બંધવચ્છેદનું કારણ બને છે. परंपराथी के बंध छे, ते प्रबंधथी राय छे (?) ॥ ५२ ॥ द्रव्यस्तवे भवति यद्यपि कोऽपि दोष: कूपोपमानकथितोऽतिलघुस्तथापि । कृत्यो गुणाय महते स न किं चिकित्साक्लेशो गदापगमनाय बुधैर्विधेयः ? ॥ ५३ ॥ જો કે દ્રવ્યસ્તવમાં અમુક (સ્વરૂપ હિંસારૂપ) દોષ થાય છે. તો પણ તે દોષ સાવ નાનો છે, એવું કૂવાના ઉદાહરણથી આગમમાં જણાવ્યું છે. માટે મોટા ગુણ માટે તે નાનો દોષ સેવ્ય બને છે. શું ડાહ્યા માણસોએ રોગને દૂર કરવા માટે, સારવારની પીડા સહન ન કરવી SA? 11 43 || लोकोत्तरे गुणगणे बहुमानबुद्धिः शुद्धिः परा स्वमनसो मनुजोत्तमत्वम् । स्याद् धर्मसिद्धिरखिले जगति प्रसिद्धि: सिद्धिः क्रमेण जिनपूजनतो जनानाम् ॥ ५४ ॥ લોકોત્તર ગુણસમૂહ પ્રત્યે બહુમાનબુદ્ધિ, પોતાના ચિત્તની પરમ શુદ્ધિ, મનુષ્યોમાં શ્રેષ્ઠપણું, ધર્મસિદ્ધિ, Page #186 -------------------------------------------------------------------------- ________________ सप्तमोऽवसरः १७३ સંપૂર્ણ જગતમાં પ્રસિદ્ધિ અને ક્રમશઃ મોક્ષ... આ લાભો જિનપૂજાથી લોકોને મળે છે. તે ૫૪ / श्रीवर्द्धमानमुनिपुङ्गवपादपूजासम्पादनापरिणता वरसिन्दुवारैः । मृ(१६-२)त्वा गताऽमरगतौ किल दुर्गताऽलं स्त्रीत्यादिपूजनफलं समयप्रसिद्धम् ॥ ५५ ॥ ઉત્તમ સિંદુવારના ફૂલોથી શ્રીવર્ધમાન મુનીશ્વરના ચરણોની પૂજા કરવાનો ગરીબ સ્ત્રીને ભાવ થયો, તેનાથી તે મરીને દેવલોકમાં ગઈ.. વગેરે જિનપૂજાનું ફળ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તે ૫૫ // किच्चाऽऽगमो विधिनिषेधविधायकोऽत्र पारत्रिके खलु विधौ सुधियां प्रमाणम् । द्रव्यस्तवेऽस्ति स च नास्ति च युक्तिबाधा संसाधिकाधिकमतेः क्रमते च युक्तिः ॥ ५६ ॥ વળી અહીં પારલૌકિક વિધિની બાબતમાં પ્રવર્તનનિવર્તન કરનાર આગમ બુદ્ધિમાનોને પ્રમાણ છે, અને આગમ તો દ્રવ્ય સ્તવનું સમર્થન કરે છે. વળી એ વિષયમાં યુક્તિબાધ પણ નથી, અને અધિક મતિમાનને તો દ્રવ્યસ્તવને ઉચિત તરીકે સિદ્ધ કરતી યુક્તિ પણ જણાય છે. પ૬ | Page #187 -------------------------------------------------------------------------- ________________ १७४ दानादिप्रकरणे सम्प्राप्य ये नरभवं जिनशासनं च संसारसागरविलङ्घनयानपात्रम् । द्रव्यस्तवं परिहरन्ति जडा जनास्ते चिन्तामणिं समधिगम्य परित्यजन्ति ॥ ५७ ॥ મનુષ્યભવ અને સંસારસાગરને ઓળંગવા માટે વહાણ સમાન એવું જિનશાસન, આ બે વસ્તુ પામીને જે અજ્ઞાની લોકો દ્રવ્યસ્તવનો ત્યાગ કરે છે, તેઓ थितामशिने प्रात शने तेनो त्या ७३. छ. ॥ ५७ ।। देवादिकृत्यरहिणो गृहिणः प्रहीणा: शोच्याः सतामवमता: पशुभिः समानाः । जन्मा[६७-१]न्तरे गुरुनिरन्तरदुःखदूना दीना न किञ्चन कदापि शुभं लभन्ते ॥ ५८ ॥ જેઓ દેવ વગેરેના કાર્યો કરતા નથી, તે ગૃહસ્થો અત્યંત તુચ્છ અને શોચનીય છે. સજ્જનો તેમની અવગણના કરે છે, તેઓ પશુ જેવા છે. તેઓ ભવાંતરમાં સતત મોટા દુઃખથી દુભાયેલા અને દીન બને છે. તેઓ ही ५९l is sल्याए। पामता नथी. ॥ ५८ ॥ एवं कृत्वा कारयित्वा यतीनामाहाराद्यं यच्छतां नास्ति दोषः । पुण्यस्कन्धः केवलं गेहभाजां सञ्जायेत स्वर्गनिर्वाणहेतुः ॥ ५९ ॥ Page #188 -------------------------------------------------------------------------- ________________ १७५ and सप्तमोऽवसरः આ રીતે (તથાવિધ ગીતાર્થસંમત પુરાલંબનથી) કરીને કે કરાવીને સાધુઓને આહાર વગેરે આપે, તેમને દોષ લાગતો નથી. તે ગૃહસ્થો તો સ્વર્ગ અને મોક્ષના કારણ એવા પુણ્યનો જ સંચય કરે છે. / ૫૯ // प्रोक्तस्तुल्य: क्वापि यः कर्मबन्धः सारम्भत्वात् सर्वदाऽस्त्येव तेषाम् । इत्थं चेदं प्रोक्तयुक्त्यावसेयं સિદ્ધાન્તાર્થ: શુદ્ધપુક્યાડવોચ્ચ ૬૦ વળી ક્યાંક જે કર્મબંધ કહ્યો છે, એ તો ગૃહસ્થોને હંમેશ માટે સમાન જ છે, કારણ કે તેઓ આરંભસહિત છે. પૂર્વે કહેલ યુક્તિથી આ પ્રમાણે સમજવું જોઈએ. શાસ્ત્રના અર્થને શુદ્ધ બુદ્ધિથી જાણવો જોઈએ. | ૬૦ | इष्यते दोषलेशोऽपि प्रभूतगुणसिद्धये । यथा दष्टाङ्गुलीच्छेदच्छे(श्छे)कैर्जीवितहेतवे ॥ ६१ ॥ ઘણા ગુણોની સિદ્ધિ માટે થોડો દોષ પણ ઇષ્ટ છે. જેમ કે નિપુણ પુરુષો જીવન માટે (સર્પાદિના) ડંખયુક્ત આંગળીના છેદને ઉપાદેય માને છે. તે ૬૧ છે. कृष्यादिकर्म बहुजङ्गमजन्तुघाति कुर्वन्ति [६७-२]ये गृहपरिग्रहभोगसक्ताः । धर्माय रन्धनकृतां किल पापमेषामेवं वदन्नपि न लज्जित एव दृष्टः ॥ ६२ ॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ १७६ दानादिप्रकरणे જેઓ ઘર, પરિગ્રહ અને ભોગમાં આસક્ત છે અને તેથી ઘણા ત્રસ જીવોની હિંસાવાળા ખેતી વગેરે કાર્યો કરે છે. તેઓ “ધર્મ માટે રાંધનારાઓ પાપ બાંધે છે' એવું બોલતા પણ શરમાતા નથી, એવું દેખાય છે. | ૬૨ || एवंविधस्याप्यबुधस्य वाक्यं सिद्धान्तबाह्यं बहुबाधकं यत् । दृढादृढं श्रद्दधते कदाः पापे रमन्ते मतयः सुखेन ॥ ६३ ॥ એવા અજ્ઞાનીનું પણ વાક્ય સિદ્ધાન્તબાહ્ય છે, તેના વાક્યનું ખંડન કરનારા ઘણા પ્રમાણ છે. તુચ્છ જીવો આવા નિઃસાર વાક્ય પર શ્રદ્ધા કરે છે. ખરેખર, બુદ્ધિઓ સહેલાઈથી પાપમાં રમણ કરે છે. તે ૬૩ // नाभेयादिभिरन्यजन्मनि मुनेद्रव्यस्य लक्षैस्त्रिभिः तैलाभ्यञ्जनतश्चलत्कृमिकुलं कुष्ठाकुलस्याकुलम् । सञ्चार्यान्यकलेवरे वरतरो गोशीर्षलेपः कृतो भक्त्यावेशवशादसौ शिवकरी गुर्वी चिकित्सा कृता ॥६४॥ - શ્રી આદિનાથ વગેરેએ અન્ય જન્મમાં કોઢથી પીડિત મુનિની ચિકિત્સા કરવા માટે ત્રણ લાખ દ્રવ્યનો સવ્યય કર્યો હતો. તેલની માલિશથી ચંચળ કૃમિઓના Page #190 -------------------------------------------------------------------------- ________________ सप्तमोऽवसरः १७७ આકુળ સમૂહને અન્ય કલેવરમાં સંક્રમિત કરીને અતિ ઉત્તમ ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો. આ રીતે તેમણે ભક્તિના ઉલ્લાસથી કલ્યાણકારી મોટી ચિકિત્સા કરી હતી. || ૬૪ || ततस्तं सुखं भुक्त्वा निरन्तरमनुत्त [ ६८ - १] रम् । लेभे शिवमहो ! साधुभक्ति: कल्याणकारिणी ॥ ६५ ॥ પછી તેઓ સતત સર્વશ્રેષ્ઠ વિસ્તૃત સુખ ભોગવીને મોક્ષ પામ્યા. ખરેખર, સાધુની ભક્તિ કલ્યાણ કરે છે. || ૬૫ || वह्निप्लुष्टं कौञ्चिकश्चोज्जयिन्यां श्राद्धः साधु साधुतैलादिपाकैः । चित्राकारैश्चारुभिश्चोपचारैः ત્વા ત્વનિ જ્વાળમાપ ? ॥ ૬૬ || ઉજ્જયિનીમાં કૌચિક શ્રાવકે અગ્નિથી દાઝેલા મુનિની સમ્યક્ તેલ વગેરેના પાકથી વિવિધ આકારના સુંદર ઉપચારોથી સેવા કરી તેમને સમર્થ સ્થિતિમાં મૂકી શું કલ્યાણ પ્રાપ્ત કર્યું ન હતું ? || ૬૬ || श्रद्धालुः किं श्राविका न श्रुता सा ? श्रीसिद्धान्ते विश्रुता सुश्रुतानाम् । नानारूपैरौषधैः संस्कृतान्नं दत्त्वा साधु याऽर्शसं प्राचिकित्सत् ॥ ६७ ॥ Page #191 -------------------------------------------------------------------------- ________________ १७८ दानादिप्रकरणे સિદ્ધાન્તમાં બહુશ્રુતોને જે પ્રસિદ્ધ છે, તે શ્રદ્ધાળુ શ્રાવિકાની વાત શું નથી સાંભળી ? કે જેણે અનેક સ્વરૂપના ઔષધોથી સંસ્કૃત કરેલ ભોજન વહોરાવીને સાધુના મસાનો રોગ દૂર કર્યો હતો. // ૬૭ || [૬૮-૨] મૂયાંસોડચેડપિ થ્યને પુષમાનો નિનામાને છે વૃત્વા કૃત્યાનિ સાધૂનાં સમ્રામ: સમ્પર્વ પરી / ૬૮ || જિનાગમમાં અન્ય પણ ઘણા પુણ્યશાળીઓનું વર્ણન કરાયું છે, કે જેઓ સાધુના કાર્યો કરીને પરમ સંપત્તિને પામ્યા હતા. / ૬૮ || ग्रहीतुं नाम केनापि भागधेयैः परैः परम् । साधूनां प्राप्यते दातुं भक्त्या भक्तादि किं पुन: ॥ ६९ ॥ કોઈને સાધુનું નામ લેવું હોય, તો તેના માટે પણ તેને પરમ પુણ્યો જોઈએ, તો પછી સાધુઓને ભક્તિથી ભોજન વગેરે આપવા માટે તો કેટલું પુણ્ય જોઈએ ? /૬૯ો. यस्यान्नपानैः सन्तुष्टाः साधवः साधयन्त्यमी । स्वाध्यायादिक्रियां साध्वीं तस्य पुण्यं तदुद्भवम् ॥ ७० ॥ આ સાધુઓ જેના અન્ન-પાનથી તૃપ્ત થઈને સમ્યફ સ્વાધ્યાય વગેરે ક્રિયા કરે છે, તેનાથી ઉપાર્જિત પુણ્ય તે વ્યક્તિને (સુપાત્રદાન કરનારને) મળે છે. તે ૭૦ || Page #192 -------------------------------------------------------------------------- ________________ सप्तमोऽवसरः १७९ ब्रूषेऽथ व्याधिबाधायामध्या [ ६९ - १] हृत्य विधीयते । साधूनामौषधान्नादि शेषकाले तु दुष्यति ॥ ७१ ॥ શંકા- જ્યારે મુનિને રોગની પીડા હોય, ત્યારે તેમની પાસે ઔષધ, અન્ન વગેરે લઇ જઇને તેમને અપાય. તે સિવાયના સમયમાં તેવું કરીએ એ દોષયુક્ત છે. ।। ૭૧ || किं व्याधिबाधा: साधूनां गौरख्या यदि वा गुणाः । गुणाश्चेद् भक्तपानादि दातव्यं व्याधिना विना ।। ७२ ।। સમાધાન પહેલા એ કહો કે મુનિઓની રોગજનિત પીડા એ બહુમાનપાત્ર છે, કે પછી મુનિઓના ગુણો એ બહુમાનપાત્ર છે. જો ગુણો જ બહુમાનપાત્ર હોય તો વ્યાધિ વિના પણ મુનિઓને અન્નપાન વગેરે આપવા જોઈએ. (જો આ સમાધાન અભ્યાહત ભોજન આપવાની બાબતમાં હોય, તો એ વિચારણીય છે, કારણ કે જ્યારે શુદ્ધથી નિર્વાહ થતો હોય, ત્યારે અશુદ્ધ દાન એ દાયક-ગ્રાહક બંને માટે અહિતકર છે, એમ સ્થાનાંગ વૃત્તિ તથા વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યું 9.) 11 92 11 - बुभुक्षा च महाव्याधिः स्वाध्यायध्यानबाधिनी । आर्तप्रवर्तनी भीमा शमनीयाऽशनादिना ॥ ७३ ॥ Page #193 -------------------------------------------------------------------------- ________________ दानादिप्रकरणे ભૂખ એ મોટો રોગ છે, જે સ્વાધ્યાય અને ધ્યાનનો બાધ કરે છે, આર્તધ્યાનનું પ્રવર્તન કરે છે. આ ભયંકર રોગનો ભોજન વગેરેથી ઉપશમ કરવો જોઈએ. ॥૭॥ १८० अथ न्यायागतं कल्प्यं देयमुक्तं न चापरम् । युक्तं तदुक्तं बोद्धव्यं मध्यस्थैः शुद्धबुद्धिभिः ॥ ७४ ॥ વળી જે ન્યાયથી મેળવેલ અને કલ્પ્ય હોય, તે આપવું જોઈએ. અન્યાયથી મેળવેલ તથા અકલ્પ્ય હોય, તે ન આપવું જોઈએ. આ વાત ઉચિત રીતે શુદ્ધ બુદ્ધિવાળા મધ્યસ્થોએ સમજવી જોઈએ. ॥ ૭૪ || अन्यायेनाऽऽगतं दत्तमन्यदीयं हि निष्फलम् । तेन स्वकीयं दातव्यं स्वामिनेति निवेदितम् ॥ ७५ ॥ અન્યાયથી મેળવેલ વસ્તુ પોતાની નથી, પણ બીજાની છે, માટે તેનું દાન નિષ્ફળ છે. માટે જે માલિક હોય, તેણે પોતાની વસ્તુ આપવી જોઈએ, એમ કહ્યું છે. || ૭૫ || [६९-२]कल्प्यं योग्यं तु साधूनां धर्मकायोपकारकम् । वितीर्णमपि नायोग्यं गृह्णन्ति यतयो यतः ॥ ७६ ॥ કલ્પ્ય એટલે જે મુનિઓના ધર્મ-દેહ પર ઉપકાર કરે તેવી યોગ્ય વસ્તુ ‘કલ્પ્ય’ એમ એટલા માટે કહ્યું કે, Page #194 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ सप्तमोऽवसरः આપવામાં આવે તો ય મુનિઓ અયોગ્ય વસ્તુ લેતા નથી. / ૭૬ | यदा न्यायागतं कल्प्यं देयमेवेति कथ्यते । लोभेनासौ [ददात्यूनमदानं वा निवार्यते ॥ ७७ ॥ અથવા તો ન્યાયથી મેળવેલ કથ્ય વસ્તુ આપવી જ જોઈએ, એમ કહેવાનો ભાવ છે. દાતા લોભથી તેવી વસ્તુ પણ ઓછી આપે કે ન આપે, તો તેનું નિવારણ કરાય છે. || ૭૭ // तथा च कल्प्ये सत्येव कश्चिद् दानाय दुर्विधः । विधत्ते भिन्नमन्नादि सोऽमुना प्रतिषिध्यते ॥ ७८ ॥ તથા કથ્ય વસ્તુ હાજર હોય, તો પણ કોઈ ખોટી રીતવાળી વ્યક્તિ અલગ અન્ન વગેરે બનાવે છે, તેનો આનાથી પ્રતિષેધ કરાય છે. ૭૮ || विधिरौत्सर्गिको वाऽयमुत्तमं दानमीदृशम् । अन्यत्तु मध्यमादि स्यान्न तु दोषाय जायते ॥ ७९ ॥ અથવા તો આ ઉત્સર્ગસંબંધી વિધિ છે, કે આવું (ન્યાયાગત કમ્બનું) દાન ઉત્તમ છે અન્ય દાન મધ્યમ વગેરે છે, પણ (તથાવિધ પુણાલંબનથી) દોષનું કારણ થતું નથી. ૭૯ . Page #195 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ दानादिप्रकरणे सर्वत्र चास्ति न्यायोऽयमुत्कृष्टमुपदिश्यते । अन्यत्तु न प्रतिक्रुष्टमदुष्टं पुण्यपुष्टये ॥ ८० ॥ બધા સ્થાને આવી જાય છે, કે ઉત્કૃષ્ટનો ઉપદેશ કરાય છે, પણ જે ઉત્કૃષ્ટ ન હોય તેનો પ્રતિષેધ નથી કરાતો. કારણ કે પુણ્યની પુષ્ટિ માટે મધ્યમાદિનું સેવન પણ દોષરહિત છે. ૮૦ | व्याख्येयमे[७०-१]वमेवेदमन्यथा न व्रताद्यपि । देयं ग्राह्यं च केनापि सम्पूर्णविधिना विना ॥ ८१ ॥ આ રીતે જ ઉક્ત વચનની વ્યાખ્યા કરવી જોઈએ, જો આમ ન માનો, તો સંપૂર્ણ વિધિ વિના કોઈએ વ્રત વગેરેનું દાન કે ગ્રહણ નહીં કરાય. || ૮૧ | अथ कालादिदोषेण न्यूनोऽपि विधिरिष्यते व्रतादिदाने सक्ता ये दानेऽऽप्येष समिष्यताम् ॥८२॥ હવે જો કાળ વગેરેના દોષથી ન્યૂન વિધિ પણ ઈષ્ટ છે, એમ માનીને જેઓ વ્રત વગેરે આપવામાં તત્પર છે, તેઓએ દાનમાં પણ ન્યૂન વિધિનો નિષેધ ન કરવો જોઈએ. | ૮૨ || आरम्भवर्जकं वा दायकमुद्दिश्य दर्शितं कल्प्यम् । देयं कृत्वा ददतः प्रतिमापन्नस्य भङ्गभयात् ॥ ८३ ॥ Page #196 -------------------------------------------------------------------------- ________________ सप्तमोऽवसरः १८३ અથવા તો જે દાતાએ આરંભનો ત્યાગ કર્યો છે, તેને ઉદ્દેશીને કલ્પ્ય કહ્યું છે. કારણ કે જો તે રાંધીને દાન આપે તો તેણે પ્રતિમાનો સ્વીકાર કર્યો હોવાથી, તેના ભંગનો ભય થાય. || ૮૩ || योsपि क्वचिदपि समये कृत्वा ददतो निवेदितो दोष: । सोऽप्येवंविधविषये विदुषा योज्यो न सर्वत्र ॥ ८४ ॥ શાસ્ત્રમાં જે ક્યાંક રાંધીને દાન આપનારને દોષ લાગે, એમ કહ્યું છે, એ પણ વિદ્વાને આવા વિષયમાં જોડવું જોઈએ, બધે નહીં. (આ વાત પણ પૂર્વોક્ત રીતે વિચારણીય છે. જુઓ શ્લોક ૭૨). ॥ ૮૪ || [ ७०-२] यदि वाऽधिकृत्य साधुं सामान्येनैव निर्निमित्तमिदम् । देयं कल्प्यं जल्पितमनल्पबुद्ध्या च बोद्धव्यम् ॥ ८५ ॥ અથવા તો સાધુને આશ્રીને સામાન્યથી જ વિશેષ કારણ વિના ‘કલ્પ્ય આપવું જોઈએ' એમ કહ્યું છે, તેને મહામતિથી સમજવું જોઈએ. ॥ ૮૫ ॥ यस्मात् सति निर्वाहे बालग्लानादिहेतुविरहे च । गृह्णन्त्यकल्पनीयं न साधवो वारितं तेन ॥ ८६ ॥ ૧૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ १८४ दानादिप्रकरणे કારણ કે જો નિર્વાહ થતો હોય અને બાળ-ગ્લાન વગેરેનું કારણ ન હોય, તો સાધુઓ અકથ્ય વસ્તુ વહોરતા નથી, માટે તેનું વારણ કર્યું છે. તે ૮૬ / अनिर्वाहे तु गृह्णन्ति ग्लानादेश्च प्रयोजने । देशाद्यपेक्षं कल्प्यादि तथा चोवाच वाचकः ॥ ८७ ॥ જ્યારે નિર્વાહ ન થતો હોય તથા ગ્લાન વગેરેનું પ્રયોજન હોય, ત્યારે દેશ વગેરેની અપેક્ષાએ કથ્ય વગેરેનું સાધુઓ ગ્રહણ કરે છે, તે પ્રમાણે વાચકશ્રી ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે. ૮૭ || "किञ्चिच्छुद्धं कल्प्यमकल्प्यं स्यात् [૭૨- ભ્ય હીમ્ | पिण्डः शय्या वस्त्रं पात्रं वा भैषजायं वा ॥ ८८ ॥ કંઈક શુદ્ધ કથ્ય પણ પિંડ, શય્યા, વસ્ત્ર, પાત્ર કે ઔષધ વગેરે અકથ્ય બને છે અને અકથ્ય પણ કચ્છ બને છે. તે ૮૮ | देशं कालं पुरषमवस्थामुपयोगशुद्धिपरिणामान् । પ્રસમીમતિ વ્યં સૈકાત્તાત ત્વરે કી ટકા” | (gશમરતિ ૧૪-૪૬) દેશ, કાળ, પુરુષ, અવસ્થા, ઉપયોગ, શુદ્ધિ, Page #198 -------------------------------------------------------------------------- ________________ १८५ सप्तमोऽवसरः પરિણામનો વિચાર કરીને “કચ્ય બને છે. “કચ્યું એ એકાંતે કલ્પતું નથી. ૮૯ / (પ્રશમરતિ ૧૪પ૧૪૬) ग्रहीष्यन्ति न वा ते तु ज्ञातुमेतन्न शक्यते । दातव्यं सर्वथा तावत् साधुभ्यो धर्मसिद्धये ॥ ९० ॥ સાધુઓ લેશે કે નહીં, એ તો જાણી શકાતું નથી, માટે ધર્મસિદ્ધિ માટે સાધુઓને સર્વથા વહોરાવવું જોઈએ. | ૯૦ || (આ પણ વિચારણીય છે.) उक्तं चेत्सेन्न(?) वा साधुस्तं तथाऽपि निमन्त्रयेत् । अगृहीतेऽपि पुण्यं स्याद् दातुः सत्परिणामतः ॥११॥ કહ્યું પણ છે કે સાધુ લે કે ન લે, તો પણ તેમને નિમંત્રણા કરે. કારણ કે જો તેઓ ન લે, તો પણ પ્રશસ્ત અધ્યવસાયને કારણે દાતાને નિર્જરા થાય છે. જે ૯૧ // किञ्चोपदेशेन विनाऽपि भक्तः शक्तश्च दत्ते हि यथा कथञ्चित् । मिथ्या[७१-२]विचारं च करोत्यभक्तस्तुच्छस्वभावः स्वमदातुकामः ॥ ९२ ॥ વળી સમર્થ ભક્ત ઉપદેશ વિના પણ જે તે રીતે પણ દાન આપે છે. પણ જે તુચ્છ સ્વભાવનો છે, ભક્ત Page #199 -------------------------------------------------------------------------- ________________ १८६ दानादिप्रकरणे નથી, જેને પોતાનું કાંઈ આપવું નથી, એ મિથ્યા વિચાર કરે છે. / ૯ર | भक्तिव्यक्तिः कथमिव भवेदागतानां यतीनां यद्याहारं न पचति गृही सुन्दरं सादरं च । अन्यस्यापि स्वजनसुहृदः कृत्यमौचित्यमित्थं गौरव्याणां किमुत जगतः साधुसार्मिकाणाम् ॥१३॥ જો ગૃહસ્થ આદર સાથે સુંદર આહાર ન રાંધે, તો ઘરે આવેલા મુનિઓ પ્રત્યે ભક્તિની અભિવ્યકિત શી રીતે થઈ શકે? અન્ય પણ સ્વજન અને મિત્રનું આ ઔચિત્ય કૃત્ય છે, તો પછી જગતના ગૌરવપાત્ર એવા સાધુઓ અને સાધર્મિકોની તો શું વાત કરવી ? Real | (આ પ્રરૂપણા પણ બહુશ્રુતોએ વિચારવા યોગ્ય છે.) नामापि साधुलोकानामालोकादि विशेषतः । कोऽपि पुण्यैखाप्नोति दानादि तु किमुच्यते ? ॥१४॥ | મુનિજનોનું નામ પણ પુણ્યથી મળે છે. તેમના દર્શન તો કો'કને જ વિશેષ પુણ્યથી મળે છે, તો પછી દાન વગેરેની તો શું વાત કરવી ? || ૯૪ || एष्टव्यमित्थमेवेदं मध्यस्थैः सूक्ष्मदृष्टिभिः । विधातुं बुद्धयते श्राद्धैर्वन्दनान्यपि नान्यथा ॥ ९५ ॥ Page #200 -------------------------------------------------------------------------- ________________ १८७ મધ્યસ્થોએ સૂક્ષ્મ દૃષ્ટિથી આ રીતે જ આ વાત સ્વીકારવી જોઈએ. જો ‘ધર્મ માટે હિંસા થાય જ નહીં’ એવો એકાંત માનો, તો પછી શ્રાવકોએ વંદન વગેરે पस नहीं उराय, खेवं गाय छे. ॥ ८५ ॥ प्रस्थास्त्रो : (७२- १) पथि वन्दारोर्विचित्रैर्यानवाहनैः । महर्द्धिकस्य श्राद्धस्य संरम्भारम्भसम्भवात् ॥ ९६ ॥ सप्तमोऽवसरः કારણ કે શ્રીમંત શ્રાવક જાતજાતના યાન-વાહનોથી વંદન કરવા માટે પ્રસ્થાન કરે, તો તેને સંરંભ -આરંભ संलवे छे. ॥ ६ ॥ न चेयं क्वापि सिद्धान्ते निषिद्धा किन्तु साधिता । स्थाने स्थानेऽनवद्याया वन्दनाया निवेदनात् ॥ ९७ ॥ પણ સિદ્ધાન્તમાં તો ક્યાંય તેનો નિષેધ કર્યો નથી, ઉપ૨થી તેનું સમર્થન કર્યું છે. કારણ કે સિદ્ધાન્તમાં સ્થાને स्थाने खेमायुं छे, वंधन से निर्दोष छे. ॥८७॥ आरम्भान्तरमन्तरे गुरुतरं गेहाद्यसद्गोचरं मुञ्चत्यत्र समग्रमग्रिमगुणग्रामं मुनेर्मन्यते । मान्यं सोऽन्यगुणान्तरं च लभते छिन्द्यात् क्वचित् संशयं दुष्टा तेन न वन्दना यदि वदेद् दाने समाधिः समः ॥ ९८ ॥ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ दानादिप्रकरणे શંકા- જ્યારે વંદન માટે આરંભ કરાય છે, ત્યારે તે ગાળામાં ઘર વગેરે માટેના અશુભ વિષયક વધુ મોટા આરંભનો ત્યાગ કરે છે, મુનિના સર્વ શ્રેષ્ઠ ગુણસમૂહોનું બહુમાન કરે છે, તે અન્ય માનનીય ગુણને પ્રાપ્ત કરે છે, કોઈ વિષયની શંકાને દૂર કરે છે. માટે વંદન એ દોષયુક્ત નથી. સમાધાન- જો એમ કહો, તો પછી આ સમાધાન તો દાનના વિષયમાં પણ સમાન જ છે. તે ૯૮ || वन्दनादिगुणानेतानन्यूनानभिवाञ्छता । दानं विशेषतो देयं यत् प[७२-२]स्थानकारणम् ॥१९॥ વંદન વગેરેના જે આ ગુણો (લાભો) છે, તે જેને સંપૂર્ણપણે જોઈતા હોય, તેણે દાન તો વિશેષથી આપવું જોઈએ, કારણ કે દાન પરસ્થાનકારણ (પરમપદ હેતુ ?) છે. ૯૯ //. मुनीनां ज्ञानादौ भवति बहुमानः प्रकटितस्तदन्येषां मार्गो जिनवचनभक्तिः परहितम् धनेऽनास्थाभावो गुरुपुरुषकृत्यानुकरणं कियन्तः कथ्यन्ते वितरणगुणा: सिद्ध्यनुगुणाः ॥१००॥ દાન આપવાથી મુનિઓના જ્ઞાન વગેરે પ્રત્યે Page #202 -------------------------------------------------------------------------- ________________ सप्तमोऽवसरः બહુમાનભાવ પ્રગટ થાય છે. અન્ય જીવોને માર્ગદર્શન મળે છે, જિનવચનની ભક્તિ થાય છે, પરહિત થાય છે, ધન પ્રત્યેનું મમત્વ દૂર થાય છે, મહાપુરુષોના આચારનું અનુકરણ થાય છે. ખરેખર મોક્ષદાયક એવા દાનના કેટલાં ગુણો કહી શકાય ? || ૧૦૦ || धर्मे स्थैर्यं स्यात् कस्यचिच्चञ्चलस्य प्रौढं वात्सल्यं बृंहणा सद्गुणानाम् । दानेन श्लाघा शासनस्यातिगुर्वी दातॄणामित्थं दर्शनाचारशुद्धिः ॥ १०१ ॥ || १८९ કોઈ ચંચળ હોય, તે દાનથી ધર્મમાં સ્થિર થાય, પ્રૌઢ વાત્સલ્યની અભિવ્યક્તિ થાય, સદ્દ્ગોની ઉપબૃહણા થાય, શાસનની ખૂબ મોટી પ્રશંસા થાય આ રીતે દાતાના દર્શનાચારની શુદ્ધિ થાય છે. || ૧૧ || औदार्यं वर्यं पुण्यदाक्षिण्यमन्यत् संशुद्धो बोधः पातकात् स्याज्जुगुप्सा । आख्यातं मुख्यं सिद्धधर्मस्य लिङ्गं જો[ફ-1]પ્રેયરૂં વાતુરેવોપપન્નમ્ ॥ ૨૦૨ ॥ શ્રેષ્ઠ ઉદારતા, પવિત્ર દાક્ષિણ્ય, અન્ય- નિર્મળ બોધ, પાપજુગુપ્સા, તથા લોકપ્રિયત્વ સિદ્ધ થયેલા ધર્મનું Page #203 -------------------------------------------------------------------------- ________________ १९० दानादिप्रकरणे મુખ્ય ચિહ્ન કહ્યું છે. તે ચિહ્ન દાતામાં જ સંગત થાય છે. ॥ १०२ ॥ तीर्थोन्नतिः परिणतिश्च परोपकारे ज्ञानादिनिर्मलगुणावलिकाभिवृद्धिः । वित्तादिवस्तुविषये च विनाशबुद्धिः सम्पादिता भवति दानवताऽऽत्मशुद्धिः ॥ १०३ ॥ શાસનની ઉન્નતિ, પરોપકારના વિષયમાં પરિણતિ, જ્ઞાન વગેરે નિર્મળ ગુણોની શ્રેણિની અભિવૃદ્ધિ, ધન વગેરે વસ્તુઓ નશ્વર છે એવી મતિ, तथा मात्मशुद्धि... tu ॥ सर्व दामोने मेणवे छे. ॥१०॥ सीदन्ति पश्यतां येषां शक्तानामपि साधवः । न धर्मो लौकिकोऽप्येषां दूरे लोकोत्तरः स्थितः ॥ १०४॥ સાધુઓ સીદાતા હોય, અને જેઓ સમર્થ હોવા છતાં પણ જોયા કરે, તેઓ પાસે લૌકિક ધર્મ પણ નથી, दोत्त२ धर्म तो दू२ ४ २यो छे. ॥ १०४ ॥ सीदन्तो यतयो यदप्यनुचितं किञ्चज्जलान्नादिकं स्वीकुर्वन्ति विशिष्टशक्तिविकला: कालादिदोषादहो । Page #204 -------------------------------------------------------------------------- ________________ सप्तमोऽवसर: मालिन्यं रचयन्ति यज्जिनमतस्यास्थानशय्यादिना श्रा[७३-२]द्धानामिदमेति दूषणपदं શારૂપેક્ષાવૃતામ્ | ૨૦ || કાળ વગેરેના દોષથી વિશિષ્ટ શક્તિરહિત સીદાતા મુનિઓ જે કાંઈ જળ-અન્ન વગેરે અનુચિત વસ્તુનો સ્વીકાર કરે છે, અને અયોગ્ય સ્થાને રહેવા વગેરેથી જિનશાસનની હીલના કરે છે, તે દોષ છતી શક્તિએ ઉપેક્ષા કરનારા શ્રાવકોને લાગે છે. તે ૧૦૫ / अपात्रबुद्धिं ये साधौ लिङ्गिमात्रेऽपि कुर्वते । नूनं न पात्रताऽस्त्येषां यथात्मनि तथा परे ॥१०६॥ માત્ર વેષધારી સાધુ પણ જેમને અપાત્ર લાગે છે, નક્કી એમની પાત્રતા નથી. જેવા તેઓ છે, તેવા તેમને બીજા દેખાય છે. ૧૦૬ છે. [सद्गुणं तु] परं पात्रं सर्वमुक्तं जिनागमे । दानं तु निर्गुणेभ्योऽपि दातव्यमनुकम्पया ॥ १०७ ॥ જેઓ પ્રશસ્ત ગુણોથી યુક્ત છે, તે સર્વે શ્રેષ્ઠ પાત્ર છે, એમ જિનાગમમમાં કહ્યું છે. પણ અનુકંપાદાન તો નિર્ગુણોને પણ આપવું જોઈએ. તે ૧૦૭ છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ १९२ दानादिप्रकरणे आहारवस्त्रपात्रादिदाने पात्रपरीक्षणम् । યુર્વન્તસ્તે ન નન્ને રા: મુદતસ: ૨૦૮ / જેઓ ભાવથી ગરીબ છે, તુચ્છ મનવાળા છે, તેઓ આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેના દાનમાં પાત્ર પરીક્ષા કરતા શરમાતા નથી. || ૧૦૮ || सर्वज्ञो हृदि वाचि तस्य वचनं काये प्रणामादिकं प्रारम्भोऽपि च चैत्यकृत्यविषयः पापाज्जुगुप्सा परा । हीनानामपि सन्त्यमी शुभदृशां[७४-१] येषां गुणा लिङ्गिनां ते मन्ये जगतोऽपि पात्रमसमं शेषं किमन्विष्यते ॥ १०९॥ જેમના હૃદયમાં સર્વજ્ઞ છે, વાણીમાં સર્વજ્ઞનું વચન છે, શરીરમાં પ્રણામ વગેરે છે, જેમનો પ્રારંભ પણ ચૈત્યના કાર્ય વિષયક છે, જેમને પાપ પ્રત્યે અત્યંત જુગુપ્સાભાવ છે, જે વેષધારીઓ હીન હોવા છતાં પણ સમ્યગ્દર્શનમાં સ્થિર છે. જેમનામાં આટલા પણ ગુણ છે, તેઓ (મિથ્યાદષ્ટિ વગેરેની અપેક્ષાએ) સમગ્ર જગતમાં બેજોડ પાત્ર છે, તો પછી શું બાકી રહ્યું છે ? કે જેને શોધવામાં આવે છે. / ૧૦૯ / चतुर्दशाद् गुणस्थानात् पूर्व सर्वेऽप्यपेक्षया । निर्गुणाः [स्युरध:स्था: सुगुणास्तदुत्तरे क्रमात् ॥११०॥ Page #206 -------------------------------------------------------------------------- ________________ सप्तमोऽवसरः ___ १९३ ચૌદમા ગુણસ્થાનકની પહેલા અપેક્ષાએ નીચેનીચેના બધા જીવો નિર્ગુણ છે, અને તેમની ઉપર-ઉપરના બધા જીવો સદ્દગુણી છે. | ૧૧૦ || साधवो दुःषमाकाले कुशीलबकुशादयः । प्राय: शबलचारित्राः सातिचाराः प्रमादिनः ॥ १११ ॥ દુઃષમકાળમાં સાધુઓ પ્રાયઃ કુશીલ, બકુશ વગેરે હોય છે. તેમનું ચારિત્ર અશુદ્ધ હોય છે, તેઓ અતિચારવાળા અને પ્રમાદી હોય છે. તે ૧૧૧ . सगुणो निर्गुणोऽपि स्यान्निर्गुणो गुणवानपि । शक्यते न च निश्चेतुं मान्यः सर्वोऽप्यतो मुनिः ॥ ११२ ॥ | સગુણ હોય, એ નિર્ગુણ પણ થાય અને નિર્ગુણ હોય, એ ગુણવાન પણ થાય. એનો નિશ્ચય થઈ શકતો નથી. માટે સર્વ મુનિ માનનીય છે. || ૧૧૨ || गुणानुरागितैवं स्याद् दर्शनाभ्युन्नतिः परा । लोकेऽत्र पात्रता पुंसां परत्र कुशलं परम् ॥ ११३ ॥ આ રીતે ગુણાનુરાગીપણું થાય. સમ્યગ્દર્શનની કે જિનમતની અત્યંત ઉન્નતિ થાય છે. આ લોકમાં જીવો પાત્ર બને છે અને પરલોકમાં પરમ કલ્યાણ થાય છે. /૧૧૩ી Page #207 -------------------------------------------------------------------------- ________________ १९४ दानादिप्रकरणे [છ૪-ર) (સુ)કુ()તા મુળાપેક્ષા રોષોપેક્ષા રયાસુતા / उदारतोपकारेच्छा विधेया सुधिया सदा ॥ ११४ ॥ ગુણોની અપેક્ષા રાખવી, (સાધુમાં ગુણો જ હોવા જોઈએ, એક પણ દોષ હોય, તો એ અપાત્ર છે, એવું માનવું) એ અત્યંત દોષયુક્તતા છે. દોષોની ઉપેક્ષા કરવી, એ દયાળુતા છે. સદ્દબુદ્ધિમાને હંમેશા ઉદારતા અને ઉપકાર કરવાની અભિલાષા કરવી જોઈએ. // ૧૧૪ો. एकं पापं देयभावेऽप्यदानं साधोरन्यन्निन्दया निर्निमित्तम् । गृह्णन्त्युच्चैः क्रूरचित्ता वराकाः પા: પાપા નૈવ તૃત્તિ તાવ: | ૨૫ છે. નિર્દય મનવાળા બિચારા જીવો બે પાપ કરે છે. એક તો આપવાની વસ્તુ હોવા છતાં પણ આપતા નથી અને બીજું તો કારણ વિના સાધુની નિંદા કરે છે. ખરેખર, પાપી લોકો પાપોથી ધરાતા નથી. તે ૧૧૫ // ख्यातं मुख्यं जैनधर्मे प्रदानं श्राद्धस्योक्तं द्वादशं तद् व्रतं च । दत्तं पूज्यैः कीर्तितं चागमज्ञैः । युक्त्या युक्तं दीयतां निर्विवादम् ॥ ११६ ॥ Page #208 -------------------------------------------------------------------------- ________________ सप्तमोऽवसरः १९५ જિનધર્મમાં સુપાત્રદાનને મુખ્ય કહ્યું છે. તે શ્રાવકનું બારમું વ્રત છે. પૂજ્ય પુરુષોએ સુપાત્રદાન આપ્યું છે અને આગમ જ્ઞાતાઓએ તેની પ્રશંસા કરી છે. વળી સુપાત્ર દાન એ યુક્તિ સંગત પણ છે, માટે સુપાત્રદાનના વિષયમાં કોઇ વિવાદ કર્યા વિના તે કરવું જોઈએ. ॥૧૧૬॥ कञ्चिद् दायकमुद्दिश्य कञ्चिदुद्दिश्य याचकम् । देयं च किञ्चिदुद्दिश्य निषिद्धं चैतदागमे ।। ११७ ॥ || || આગમમાં દાનનો નિષેધ કર્યો છે, તે અમુક દાતાની અપેક્ષાએ, અમુક યાચકની અપેક્ષાએ અને અમુક દાન આપવાની વસ્તુની અપેક્ષાએ છે. ॥ ૧૧૭ || [નિષ્ઠારળ [૧–?]સમા]રમ્ય સાધુમ્યોઽવ્યશનાવિમ્ । न दद्यात् पापिनोऽन्यापि दानमेन: प्रवर्तनम् ॥ ११८ ॥ સાધુઓને પણ નિષ્કારણ સમારંભ કરીને ભોજન વગેરેનું દાન ન આપવું જોઈએ. (શિકારી વગેરે) પાપીઓને પાપમાં પ્રવર્તાવનાર એવું (તીર-કામઠા વગેરેનું) દાન ન કરવું જોઈએ. ।। ૧૧૮ ॥ कन्याफलं यथोद्दिश्य वापीकूपसरांसि च । [ન ચાણ્ યન્ત્રીવાહાવિ, શમાં ચ] નાવિમ્ | ?? || Page #209 -------------------------------------------------------------------------- ________________ १९६ दानादिप्रकरणे જેમ કે કન્યાફળને ઉદ્દેશીને તળાવડી, કૂવા, સરોવર, ગાડી, ઘોડા, બળદગાડું અને હળ વગેરે ન આપવું જોઈએ. (દાનથી મને ઈષ્ટ કન્યા મળો, એવા આશયથી કે દાનથી મારી કન્યાને સારો વર મળો, એવા આશયથી દાન ન આપવું જોઈએ, એવો અર્થ અહીં જણાય છે. વિશેષ બહુશ્રુતો પાસેથી જાણી શકાય.) I/૧૧૯ उत्सर्गेणापवादेन निश्चयान्यवहारतः ।। क्षेत्रपात्राद्यपेक्षं च सूत्रं योज्यं जिनागमे ॥ १२० ॥ ઉત્સર્ગથી, અપવાદથી, નિશ્ચયથી, વ્યવહારથી તથા ક્ષેત્ર અને પાત્રની અપેક્ષાએ જિનાગમમાં સૂત્રનું તાત્પર્ય સમજવું જોઈએ. ૧૨૦ || न किञ्चित् कृत्यमेकान्तान्नैकान्ताच्चाप्यकृत्यकम् । गुणदोषौ तु सञ्चिन्त्य कृत्याकृत्यव्यवस्थितिः ॥१२१॥ એકાંતે કોઈ વસ્તુ “કરવા યોગ્ય પણ નથી અને એકાંતે કોઈ વસ્તુ “ન કરવા યોગ્ય પણ નથી. પણ ગુણ અને દોષનો સમ્યક્ વિચાર કરીને કર્તવ્ય અને અકર્તવ્યનો નિર્ણય થાય છે. તે ૧૨૧ // विधीयते गुण: शुद्धः ईषद्दोषो महागुणः । [3] મદોષો ગુનો પિ વિનિવિધ્ય રો Page #210 -------------------------------------------------------------------------- ________________ सप्तमोऽवसरः १९७ [तस्मादाग][७५-२]ममागमज्ञपुरुषानापृच्छ्य धर्मार्थिनो दृष्ट्वा शिष्टजनप्रवृत्तिमधुना श्रुत्वागमे [क्तं विधिम् ] । लाभालाभगुणागुणादिविषयैः सच्चिन्तनैरन्वितम् । [ सेव्यं दान ] मिदं विचार्य निपुणैः મુખ્યાર્થમિ: સપ્નનૈઃ ॥ ૨રૂ ॥ જેમાં લાભ વધારે હોય અને નુકશાન થોડું હોય, એ શુદ્ધ લાભ કહેવાય છે, અને તેનું વિધાન કરાય છે. પણ જેમાં થોડો લાભ અને ઘણું નુકશાન હોય, તેવા ગુણનો પણ નિષેધ કરાય છે. માટે ધર્માર્થી આગમજ્ઞાતા પુરુષોને આગમવિષયક પ્રશ્ન કરીને, વર્તમાનમાં શિષ્ટલોકની પ્રવૃત્તિ જોઈને, તથા આગમમાં કહેલી વિધિ સાંભળીને પુણ્યાભિલાષી વિચક્ષણ સજ્જનોએ લાભાલાભ, ગુણ-દોષ વગેરેનો સમ્યક્ વિચાર કરવાપૂર્વક આ દાનનું સેવન કરવું જોઈએ. ૧૨૨-૧૨ दानाभावे भवति गृहिणां मुख्यधर्मप्रहाणं साधूनां च स्थितिविरहतो [ तीर्थविच्छेदभीति : ] ............. નિ[વાનાહીતિનિ]નતિમતસ્યાવવાતસ્ય ગુવી सूराचार्यैरिति वितरणं साधितं साधु युक्त्या ॥ १२४॥ જો દાન ન હોય, તો ગૃહસ્થોનો મુખ્ય ધર્મ અત્યંત Page #211 -------------------------------------------------------------------------- ________________ १९८ दानादिप्रकरणे હાનિ પામે છે અને સાધુઓની વિદ્યમાનતા ન રહેવાથી તીર્થોચ્છેદનો ભય ઊભો થાય છે. દાનથી ઉમદા જિનશાસનની વિશાળ કીર્તિ થાય છે. માટે શ્રી સૂરાચાર્યે આ પ્રમાણે યુક્તિ દ્વારા “દાન સમ્યફ છે' એવું સિદ્ધ કર્યું છે. || ૧૨૪ / | સમોડાસરોડસિતઃ | Sla સાતમો અવસર આ રીતે તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમ-ભુવનભાનુ-પ-હેમચંદ્રસૂરીશ્વરશિષ્ય આચાર્યવિજયકલ્યાણબોધિસૂરિકૃત પરમપૂજનીયશ્રીસૂરાચાર્યરચિત-દાનાદિપ્રકરણમાં ત્રુટિત કાવ્યપૂર્તિ + અનુવાદ સમાપ્ત થયો. Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રીભુવનભાનુસૂરિ જન્મ શતાબ્દી વાઈ ૫ જૂના oો ભુવનભ, ભાનુના ઝળહળશે , cc 1112 licizb nasc Pložte સર્વતોમુખી પ્રતિભાસ્વામી નિર્દોષચર્યાચારી વૈરાગ્યવારિધિ opstufon hPJKHE તિતિક્ષાગૃતિ અધ્યાત્મયોગી કોરાટl3OTo અપ્રમત્તસાધક અજવાળા નિર્ધામણાનિપુણ ન્યાયવિશારદ Paralle ly સંઘહિતચિંતક lch tooth પ્રવચનપ્રભાવક 1શતાબ્દી સુવિશુદ્ધસંયમી 83lol3Pleke ગુરુકૃપાપાત્ર વર્ધમાન તપોનિધિ સુવિશાળ ગચ્છાધિપતિ El con Rવભીની શ્રદ્ધ | ૧૯૬૭ ૧૯૬૭ ૩ 2 & - ૨૦૬૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ સૂરિ પરિષહોમાં પ્રેમના જમણા હાથ સમાન સમતાસાગ ય પરમ સમતા. નિરીહતાનિરધિ ૫ , પં. શ્રી-પદ્મવિજયજી ગણિવર્ય કેન્સરની યાતનામા ય, સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી વર્ષે માસક્ષમણની ૨૦૧૭ ૨૦૬૭ વિરાટ સમુદાય સંયમ શિલ્પી કલિકાળના એક મહાસાધક ભાવભીની શ્રદ્ધાંજલિ શાસ્ત્રસમુદ્રના તિતિક્ષાની એક પરાકાષ્ઠા પારગામી Page #214 -------------------------------------------------------------------------- ________________ अथ प्रशस्तिः श्रीमते वीरनाथाय, कारूण्यपुण्यपाथसे । चरमतीर्थनाथाय, परोपकारिणे नमः ।।१।। गौतमस्वामिने स्वस्ति, सुधर्मस्वामिने नमः । तत्परम्परयाऽऽयात-यतीन्द्रेभ्यो नमो नमः ||२|| शुभ्राभ्रशुभ्रसन्तत्या-मेतस्यामभवत् किल । विजयानन्दसूरीशः, सुरीशसेव्यतां गतः ||३|| ततोऽपि कमलः सूरिः, संयमकमलाकरः । उपाध्यायस्तथा वीरो वीर आन्तरविग्रहे ||४|| सर्वागमरहस्यज्ञ-स्ततो दानसूरीश्वरः । ततोऽपि प्रेमसूरीशः, सिद्धान्तकमहोदधिः ||५|| भुवनभानुसूरीश- स्ततो न्यायविशारदः । पंन्यासोऽस्यानुजः पद्मः, समतारससागरः ||६|| विराजते विनेयोऽस्य, मादृशेषु कृपापरः । वैराग्यदेशनादक्षः, श्रीहेमचन्द्रसूरिपः ||७|| तत्पादपङ्कजालिना, सूरिकल्याणबोधिना । सन्दृब्धोऽयं प्रबन्धस्तु कुर्यात् सर्वस्य मङ्गलम् ।।८।। Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનશાસન સુકૃત મુખ્ય આધારસ્તંભા (૧) શ્રી નયનબાળા બાબુભાઈ જરીવાલા પરિવાર હ. લીનાબેન ચંદ્રકુમારભાઈ જરીવાલા - મુંબઈ. (૨) શ્રી મૂળીબેન અંબાલાલ શાહ પરિવાર હ. રમાબેન પુંડરીકભાઈ શાહ, ખંભાત - મુંબઈ. શ્રી નયનબાળા બાબુભાઈ જરીવાલા પરિવાર હ. શોભનાબેન મનીશભાઈ જરીવાલા - મુંબઈ (૪) શ્રી સાયરકંવર યાદવસિંહજી કોઠારી પરિવાર હ. મીનાબેન વિનયચન્દ્ર કોઠારી (આપ પણ રૂા. ૧૧ લાખ આપીને શ્રી જિનશાસન સુકૃત મુખ્ય આધારસ્તંભ બની શકો છો.) શ્રી જિનશાસન સુકૃત આધારસ્તંભ (૧) શ્રી કમળાબેન કાંતિલાલ શાહ પરિવાર હ. બીનાબેન કીર્તિભાઈ શાહ (ઘાટકોપર-સાંઘાણી) (૨) પ.પૂ. આ હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. પં. અક્ષયબોધિવિજયજી મ.સા.ના આશીર્વાદથી પ.પૂ. આ. કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા.ની ૧૦૫ મી વર્ધમાનતપની ઓળીની અનુમોદનાર્થે જાગૃતિબેન કૌશિકભાઈ બાવીશી ડાલીની જયકુમાર મહેતા, હેંક (આપ પણ રૂા. ૫ લાખ આપીને શ્રી જિનશાસન સુકૃત આધારસ્તંભ બની શકો છો.) શ્રી શ્રતોદ્ધાર મુખ્ય આધારસ્તંભ (૧) શ્રી અઠવાલાઈન્સ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ અને શ્રી ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. (આપ પણ રૂા. ૧૧ લાખ આપીને શ્રી શ્રતોદ્ધાર મુખ્ય આધારસ્તંભ બની શકો છો.) શ્રી કૃતોદ્ધાર આધારસ્તંભ (૧) શ્રી કે.પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી પાવાપુરી તીર્થ જીવમૈત્રી ધામ Page #216 -------------------------------------------------------------------------- ________________ (૨) શ્રી માટુંગા જે.મૂ. જૈન સંઘ - મુંબઈ (૩) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર - પાટણ (૪) શ્રી મનફરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ - મનફરા - પ્રેરક : પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મહારાજા (૫) શ્રી ગોવાલિયા ટેન્ક જૈન સંઘ - મુંબઈ (૬) શ્રી નવજીવન શ્વે.મૂ. જૈન સંઘ - મુંબઈ (૭) નડિયાદ શ્રી શ્વે.મૂ. જૈન સંઘ - નડિયાદ (૮) શ્રી બાબુભાઈ સી. જરીવાલા રિલિજીયસ ટ્રસ્ટ. હ. શ્રેયસ્કર આદિનાથ જૈન સંઘ, નિઝામપુરા, વડોદરા. (૯) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ. ઘાટકોપર (પૂર્વ), મુંબઈ. (૧૦) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, સાયન, મુંબઈ. (આપ પણ રૂા. ૫ લાખ આપીને શ્રી શ્રતોદ્ધાર આધારસ્તંભ બની શકો છો.) ૨) (શ્રુતસમુદ્ધારક) ભાણબાઇ નાનજી ગડા, મુંબઈ. (૫. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયભુવનભાનુસૂરિ મ. સા.ના ઉપદેશથી) શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ, શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ. પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજયહિમાંશુસૂરિ મ. સા.ની પ્રેરણાથી) શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ. (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદસૂ. મ.સા.ની પ્રેરણાથી) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ. પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) નયનબાલા બાબુભાઇ સી. જરીવાલા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ (પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ. સા.ની પ્રેરણાથી) કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઇ (પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૯) ૧૦) ૧૧). ૧૩) ૧૪) ૧૫) શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઇ. (પ.પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી સાંતાક્રુઝ શ્વેતાં. મૂર્તિ તપાગચ્છ સંઘ, સાંતાક્રુઝ, મુંબઈ. (પ.પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી). શ્રીદેવકરણ મૂલજીભાઇ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ. (પ. પૂ. મુનિરાજ શ્રી સંયમબોધિવિ. મ. સા.ની પ્રેરણાથી) સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. (પૂજ્ય સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી મ., પૂજ્ય સાધ્વી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ.ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાથે) બાબુ અમીચંદ પન્નાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૬. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મ.સા., પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઇ. (પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિરાજશ્રી રમ્યઘોષ વિ.મ.ની પ્રેરણાથી) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગલ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (પ. પૂ. આચાર્યદેવ શ્રીરૂચકચંદ્રસૂરિ મ.ની પ્રેરણાથી) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ. (પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ.ની પ્રેરણાથી) શ્રી કલ્યાણજી સૌભાગચંદજી જૈન પેઢી, પિંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા.ના સંયમની અનુમોદનાથે) શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ. (વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) શ્રી આંબાવાડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.ની પ્રેરણાથી) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ. (પૂ. આચાર્યશ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય શ્રીઅક્ષયબોધિવિજયજી મ.ની પ્રેરણાથી) શ્રી મહાવીર જૈન શ્વેતા. મૂર્તિપૂજક સંઘ, પાલડી, અમદાવાદ. શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય. (પ. પૂ. આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા.ની પ્રેરણાથી) શ્રી માટુંગા જૈન શ્વેતાં. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઇ. શ્રી જીવિત મહાવીરસ્વામી જૈન સંઘ, નાદિયા. (રાજસ્થાન). (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિ. મ.સા. તથા મુનિરાજશ્રી મહાબોધિવિ. મ.સા.ની પ્રેરણાથી) ૨૦) ૨૧) ૨૨) ૨૩) ૨૪) ૨૫) Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૬) ૨૭) ૨૯) ૩૦) ૩૩) થી ૩૪) શ્રી વિશા ઓશવાલ તપાગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પ. પૂ. આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી). શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર મુંબઇ-૪૦૦ ૦૦૭. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના સં. ૨૦૫૩ના પાલિતાણા મધ્યે ચાતુર્માસ પ્રસંગે જ્ઞાનનિધિમાંથી) શ્રી સીમંધરજિન આરાધક ટ્રસ્ટ, એમરાલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઇ), મુંબઇ. (મુનિરાજશ્રી નેત્રાનંદવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ. (પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રીકૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ. (પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫૨ના ચાતુર્માસ નિમિત્તે પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી બાબુભાઇ સી. જરીવાલા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા-૨. (પ. પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના. (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના. (પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત. (પૂ.પં. શ્રી અક્ષયબોધિ વિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભવન, દાદર, મુંબઇ. (મુનિરાજશ્રી અપરાજિતવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી જવાહરનગર જૈન શ્વેતા. મૂર્તિ. સંઘ, ગોરેગાવ, મુંબઇ. (પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) શ્રી કન્યાશાળા જૈન ઉપાશ્રય, ખંભાત. (પ.પૂ. સા. શ્રી રંજનશ્રીજી મ. સા., પૂ. પ્ર. સા. શ્રી ઇદ્રશ્રીજી મ. સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ. પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ. સા., પ. પૂ. સા.શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા. તથા પ.પૂ. સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઇ. (પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી જયસુંદરવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ) (પૂ. પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી. (પ.પૂ.આ. શ્રી ગુણરત્નસૂરિ મ.ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર્ય તથા પૂ.પં. યશોરત્નવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) શ્રી કોઇમ્બતુર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, કોઇમ્બતુર. ૩૫) ૩૬) ૩૭) ૩૯) ૪૦) ૪૧) ૪૨) Page #219 -------------------------------------------------------------------------- ________________ ૪૩) ૪૪) ૪૭) ૪૮) ૪૯) ૫૦) ૫૧) પ૨) પ૩) શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ. (પ. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિ મ. સા.ની ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય-પંન્યાસ-ગણિ પદારોહણ, દીક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી.) શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઇ. (પૂ. મુનિરાજશ્રી રાજપાલવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી અક્ષયબોધિવિ. મ.સા.ની પ્રેરણાથી). જગદગુરુ શ્રી હીરસૂરીશ્વરજી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઇ શ્રી પાર્શ્વનાથ શ્વેતાં. મૂર્તિપૂજક જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ. (પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની સંઘમાં થયેલ ગણિ પદવીની અનુમોદનાથે) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાં. મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ. (પૂ. મુનિરાજશ્રી સત્યસુંદર વિ. મ.સા.ની પ્રેરણાથી) રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ, મુંબઈ. (પ્રેરક-પૂ. મુનિરાજશ્રી રત્નબોધિવિજયજી મ. સા.). શ્રી મરીન ડ્રાઇવ જૈન આરાધક ટ્રસ્ટ, મુંબઇ. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ, મુંબઇ (પ્રેરક-મુનિરાજ શ્રી સત્ત્વભૂષણવિજયજી મ.) શ્રી ગોવાલીયા ટેક જૈન સંઘ મુંબઈ. (પ્રેરક : પૂ. ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ, બાણગંગા, મુંબઇ. શ્રી વાડિલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મુંબઇ (પ્રેરક : મુનિરાજશ્રી રાજપાલવિજયજી તથા પંન્યાસ શ્રીઅક્ષયબોધિવિજયજી ગણિવર.) શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ, લુહારચાલ જૈન સંઘ. (પ્રેરકઃ પૂ. ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.). શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (ઈસ્ટ), મુંબઈ. (પ્રેરક-મુનિરાજશ્રી રાજપાલવિજયજી તથા પં.શ્રી અક્ષયબોધિવિજયજી ગણિવર) સા. શ્રી સૂર્યયશાશ્રીજી તથા સા. શ્રી સુશીલયશાશ્રીના પાર્લા (ઈ) કૃષ્ણકુંજમાં થયેલ ચોમાસાની આવકમાંથી. શ્રી પ્રેમવર્ધક દેવાસ થે. મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ, અમદાવાદ (પ્રેરક-પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ.) શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમારોડ, વડોદરા (પ્રેરક-પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય). શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ-કોલ્હાપુર (પ્રેરક-પૂ.મુનિરાજશ્રી પ્રેમસુંદરવિજયજી મ.). શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર શ્વે. મૂ. પૂ. સંઘ, અમદાવાદ (પ્રેરક - પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી પુણ્યરત્નવિજયજી ગણિ) શ્રી દિપક જયોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ (પ્રેરક - પૂ.પં. શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર્ય તથા પૂ.પં. શ્રી ગુણસુંદરવિજયજી ગણિવર્ય) શ્રી પદ્મમણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી - પાબલ, પુના (પ. પૂ. પંન્યાસજી શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિની વર્ધમાન તપની સો ઓળીની અનુમોદનાર્થે પ. પૂ. પંન્યાસ શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૫૪) ૫૫) પ૬) પ૭) ૫૮) ૬૨) Page #220 -------------------------------------------------------------------------- ________________ ૐકારસૂરીશ્વરજી આરાધના ભુવન - સુરત (પ્રેરક- આ. ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય મુનિરાજશ્રી જિનેશરત્નવિજયજી મ.) શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુ કોલોની, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ. શ્રી આદીશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગાવ-મુંબઇ. શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સાલેમ(પ્રેરક-૫.પૂ. ગચ્છાધિપતિ આ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા.) ૬૭) શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ. ૬૮) શ્રી વિલેપાર્લા શ્વે. મૂ.પૂ. જૈન સંઘ એન્ડ ચેરીટીઝ, વિલેપાર્લા (પૂર્વ), મુંબઈ. શ્રી નેનસી કોલોની જૈન શ્વે. મૂ. પૂ. સંઘ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ. ૬૯) ૭૦) માતુશ્રી રતનબેન નરસી મોનજી સાવલા પરિવાર. (પૂ. પં. શ્રી કલ્યાણબોધિવિજયજીના શિષ્ય મુનિરાજશ્રી ભકિતવર્ધનવિજયજી મ. સા. તથા પૂ. સાધ્વીજી શ્રી જયશીલાશ્રીજી મ. ના સંસારી સુપુત્ર રાજનની પુણ્યસ્મૃતિ નિમિત્તે હ. : સુપુત્રો નવીનભાઇ, ચુનીલાલ, દિલીપ, હિતેશ. ૬૩) ૬૪) ૬૫) ૬૬) ૭૧) ૭૨) ૭૩) ૭૪) ૭૫) ૭૬) ૭૭) ૭૮) ૭૯) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઇ.) મુંબઇ (પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી ધર્મવર્ધક શ્વે. મૂ. પૂ. જૈન સંઘ, કાર્ટર રોડ નં. ૧, બોરીવલી (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્યની પ્રેરણાથી) શ્રી ઉમરા જૈન સંઘની શ્રાવિકાઓ (જ્ઞાનનિધિમાંથી) (પ્રેરક : પ.પૂ. મુનિરાજ શ્રી જિનેશરત્નવિજયજી મ.સા.) શ્રી કેશરિયા આદિનાથ જૈન સંઘ, ઝાડોલી, રાજ. (પ્રેરક : પ.પૂ. મુ. શ્રી મેરૂચંદ્ર વિ. મ. તથા પં. શ્રી હિરણ્યબોધિ વિ. ગ.) શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદીવલી, મુંબઈ (પ્રેરક : પ.પૂ. મુનિરાજ શ્રી હેમદર્શનવિ. મ.) શ્રી જૈન શ્વે. મૂ. સુધારાખાતા પેઢી, મહેસાણા. શ્રી વિક્રોલી સંભવનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, વિક્રોલી (ઈ), મુંબઈની આરાધક બહેનો તરફથી (જ્ઞાનનિધિમાંથી) શ્રી કે.પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત, મુંબઈ. (પ્રેરક ૫.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભ. શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) શાહ જેસિંગલાલ મોહનલાલ આસેડાવાલાના સ્મરણાર્થે હ. પ્રકાશચંદ્ર જે. શાહ (આફ્રિકાવાળા) (પ્રેરક : પં. કલ્યાણબોધિ વિ. ગણિવર) Page #221 -------------------------------------------------------------------------- ________________ ૮૫) ૮૦) શેઠ કનૈયાલાલ ભેરમલજી ચેરીટેબલ ટ્રસ્ટ, ચંદનબાળા, વાલકેશ્વર, મુંબઈ. ૮૧) શ્રી નવા ડીસા જે.મૂ.પૂ. જૈન સંઘ (બનાસકાંઠા) ૮૨) શ્રી પાલનપુર જૈન મિત્ર મંડળ સંઘ, બનાસકાંઠા (પ્રેરક - પૂ. પંન્યાસપ્રવર કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય.) શ્રી ઉઝા જૈન મહાજન (પ્રેરક - પૂ. પંન્યાસપ્રવર શ્રી અપરાજિતવિજયજી ગણિવર્ય તથા પૂ. મુનિરાજ શ્રી હેમદર્શનવિ. મ.) શ્રી સીમંધર જૈન દેરાસર, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (પૂર્વ), મુંબઈ. (પ્રેરક - પૂ.સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજીના શિષ્યા પૂ.સા. શ્રી તત્ત્વપ્રજ્ઞાશ્રીજી આદિ) શ્રી બાપુનગર . મૂ. જૈન સંઘ, અમદાવાદ, ૮૬) શ્રી શેફાલી જૈન સંઘ, અમદાવાદ, શાન્તાબેન મણિલાલ ઘેલાભાઈ પરીખ ઉપાશ્રય, સાબરમતી, અમદાવાદ. (પ્રેરક- સા. શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. તથા સા.શ્રી રત્નત્રયાશ્રીજી મ.) ૮૮) શ્રી આડેસર વિશા શ્રીમાળી જૈન દેરાવાસી સંઘ (પ્રેરક - આ. શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.) ૮૯) શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલા એવં શ્રી શ્રેયસ્કર મંડલ, મહેસાણા. ૯૦) શ્રી તપાગચ્છ સાગરગચ્છ આણંદજી કલ્યાણજી પેઢી, વિરમગામ (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.) શ્રી મહાવીર શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, વિજયનગર, નારણપુરા, અમદાવાદ ૯૨) શ્રી સીમંધરસ્વામિ જૈન સંઘ, અંધેરી (પૂર્વ) (પ્રેરક : સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.) ૯૩) શ્રી ચકાલા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.) ૯૪) શ્રી અઠવાલાઈન્સ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ તથા શ્રી ફૂલચન્દ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત ૯૫) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ - સંસ્થાન, બાવર (રાજસ્થાન) (પ્રેરક : આ. શ્રી પુણ્યરત્નસૂરીશ્વરજી મ.સા.) ૯૬) પાલનપુરનિવાસી મંજૂલાબેન રસિકલાલ શેઠ (હાલ મુંબઈ), (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જે.મૂ.જૈન સંઘ, પદ્માવતી એપાર્ટમેન્ટ, નાલાસોપારા (ઈ), (પ્રેરક પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.) ૯૮) શ્રી ઋષભ પ્રકાશભાઈ ગાલા, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વે.), (પ્રેરક : પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.) ૯૯) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધક ટ્રસ્ટ, પુખરાજ રાયચંદ આરાધના ભવન, સાબરમતી (પ. પૂ. વ્યાખ્યાનવાચસ્પતિ આ.દે, શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપકારોની સ્મૃતિમાં) ૧૦૦) શ્રી કુંદનપુર જૈન સંઘ, કુંદનપુર - રાજસ્થાન, હ. શ્રી શાંતિલાલજી મુથા. ૯૧) શ્રી મહાવી. ૯૭) Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણું જ્ઞાનામૃત મોનનમ્... પરિવેષક પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આ. હેમચન્દ્રસૂરીશ્વર શિષ્ય આ. કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા. ૧. સિદ્ધાન્તમહોદધિ મહાકાવ્યમ્-સાનુવાદ. ૨. ભુવનભાનવીયમ્ મહાકાવ્યમ્ – સાનુવાદ, સવાર્તિક. ૩. સમતાસાગર મહાકાવ્યમ્-સાનુવાદ. ૪. પરમપ્રતિષ્ઠા કાવ્યમ્ - સાનુવાદ, કલાત્મક આલ્બમસાથે. ૫. જીરાવલીયમ્ કાવ્યમ્ - સાનુવાદ. ૬. પ્રેમમંદિરમ્ - સવાર્તિક. છંદોલંકાનિરૂપણમ્ - કવિ બનવાનો શોર્ટકટ-પોકેટ ડાયરી. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિકૃત ષષ્ઠી, અષ્ટમી, નવમી, અષ્ટાદશી દ્વાત્રિંશિકા પર સંસ્કૃત વૃત્તિ – સાનુવાદ. ૭. ૮. તત્ત્વોપનિષદ્ - ૯. વાદોપનિષદ્ - ૧૦. વેદોપનિષદ્ - ૧૧. શિક્ષોપનિષદ્૧૨. સ્તવોપનિષદ્ - કલ્યાણમંદિર પાદપૂર્તિ સ્તોત્ર-સાનુવાદ, ૧૩. સત્ત્વોપનિષદ્ ૧૪. દેવધર્મોપનિષદ્ - ૧૫. પરમોપનિષદ્ - શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ તથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય કૃત અદ્ભુત સ્તુતિઓના રહસ્ય –સાનુવાદ. યોગસાર ચતુર્થપ્રકાશવૃત્તિ – સાનુવાદ. (માત્ર સંયમી ભગવંતો માટે) મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત દેવધર્મપરીક્ષા ગ્રંથની ગુર્જર ટીકા. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી આદિ કૃત પાંચ પરમકૃતિઓ પર ગુર્જરવૃત્તિ, Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૬. આર્ષોપનિષ૧ શ્રી પ્રત્યેકબુદ્ધપ્રણીત ઋષિભાષિત ૧૭. આર્ષોપનિષદ્ ૨ (ઈસિભાસિયાઈ) આગમસૂત્ર પર સંસ્કૃત ટીકા. ૧૮. વૈરાગ્યોપનિષદ્ શ્રી હરિહરોપાધ્યાયકૃત ભર્તુહરિનિર્વેદ નાટક-ભાવાનુવાદ. ૧૯. સૂક્તોપનિષદ્ - પરદર્શનીય અદ્ભુત સૂક્તોનો સમુચ્ચય તથા રહસ્યાનુવાદ. ૨૦. કર્મોપનિષદ્ - સિદ્ધાન્ત મહોદધિ શ્રી પ્રેમસૂરીશ્વરજી કૃત કર્મસિદ્ધિ ગ્રંથ પર ભાવાનુવાદ. ૨૧. વિશેષોપનિષદ્ - શ્રી સમયસુંદર ઉપાધ્યાયજી કૃત વિશેષ શતક ગ્રંથ પર ગુર્જર ભાવાનુવાદ. ૨૨. હિંસોપનિષદ્ - શ્રી હરિભદ્રસૂરિકૃત સ્વોપજ્ઞ અવચૂરિ અલંકૃત હિંસાષ્ટક ગ્રંથ પર ગુર્જરટીકા. ૨૩. અહિંસોપનિષદ્ - અજ્ઞાતકર્તક (પ્રવાદતઃ શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત) નાનાચિત્તપ્રકરણ પર સંસ્કૃત ટીકા-સાનુવાદ. ૨૪. ધર્મોપનિષદ્ - વેદથી માંડીને બાઇબલ સુધીના ધર્મશાસ્ત્રોના રહસ્ય. ૨૫. શોપનિષદ્ - નવનિર્મિત સપ્તકપ્રકરણ - સાનુવાદ. ૨૬. લોકોપનિષદ્ - શ્રી હરિભદ્રસૂરિકૃત લોકતત્ત્વનિર્ણય ગ્રંથ પર સંસ્કૃત વૃત્તિ (ભાગ-૧). ૨૭. આત્મોપનિષદ્ - શ્રી ઉદયનાચાર્યકૃત આત્મતત્ત્વવિવેક ગ્રંથ પર ગુર્જર ટીકા (ભાગ-૧). ૨૮. સામ્યોપનિષદ્ - મહો. શ્રી યશોવિજયજી કૃત સમાધિ - સામ્યદ્વાર્નાિશિકા સચિત્ર સાનુવાદ. ૨૯. આગમોપનિષદ્ - વિસંવાદપ્રકરણ (આગમપ્રતિપક્ષનિરાકરણ) પર વિશદ વિવરણ. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૩૮. ૩૦. સ્તોત્રોપનિષદ્ - શ્રી વજસ્વામિકૃત શ્રી ગૌતમસ્વામીસ્તોત્ર -સચિત્ર સાનુવાદ. ૩૧. દર્શનોપનિષદ્ - શ્રી માધવાચાર્યકૃત સર્વદર્શનસંગ્રહ ગ્રંથ પર ગુર્જરટીકા. ભાગઃ ૧-૨ ૩૩-૩૪-૩૫. રામાયણના તેજ કિરણો - રામાયણી માટે પર્યાપ્ત આલંબન. ભાગ-૧-૨-૩. ૩૬. જ્ઞાનોપનિષદ્ - અષ્ટાવક્ર ગીતા પર સંસ્કૃત વૃત્તિ. ૩૭. સંબોધોપનિષ સટીક શ્રી રત્નશેખરસૂરિકૃત સંબોધસપ્તતિ ગ્રંથ પર ગુર્જરવૃત્તિ. ભાગ : ૧-૨ ૩૯. ઈષ્ટોપનિષદ્ – શ્રી પૂજ્યપાદસ્વામિકૃત ઈષ્ટોપદેશ ગ્રંથ પર સંસ્કૃત ટીકા-સાનુવાદ. ૪૦. વિમોહોપનિષદ્ શ્રી યશપાલમંત્રીકૃત મોહરાજપરાજય નાટક પર વિષમપદ વ્યાખ્યા અને અનુવાદ. ભાગ : ૧-૨ ૪૨. શ્રમણ્યોપનિષદ્ - દશવિધ યતિધર્મ પર નવનિર્મિત પ્રકરણ (બીજું નામ શ્રમણશતક). ૪૩. સફળતાનું સરનામું - સફળતાની ઈચ્છુક વ્યક્તિએ વાંચવા યોગ્ય ગુર્જર ગ્રંથ. ૪૪. પ્રસન્નતાની પરબ - વક્તા-શ્રોતા બન્નેને ઉપયોગી વૈરાગ્યાદિ રસઝરણા. ૪૫. સૂત્રોપનિષદ્ - શ્રીસૂત્રકૃતાંગસૂત્ર દ્વિતીય શ્રુતસ્કંધની સંસ્કૃત સંગ્રહણી. શ્રી સૂત્રકૃતાંગદીપિકા ભાગ-૨ ના પુનઃસંપાદન સાથે. ૪૬. પ્રવ્રજ્યોપનિષદ્ – અજ્ઞાતકર્તક પ્રવ્રજ્યાવિધાન પર ગુર્જર ૪૧. વૃત્તિ. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૪૭. દેશનોપનિષદ્ - વૈરાગ્યદેશનાદક્ષ પૂ. ગુરુદેવશ્રીના વાચનાઓનું સંસ્કૃત કાવ્યમય અવતરણ. ૪૮. જીરાવલા જુહારીએ - ગીત ગુંજન. ૪૯. અસ્પર્શોપનિષદ્ - મહોપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત અસ્પૃશતિવાદ પર ગુર્જર વૃત્તિ. ૫૦. હિતોપનિષદ્ - અધ્યાત્મકલ્પદ્રુમના યતિશિક્ષોપદેશાધિકાર તથા યતિશિક્ષાપંચાશિકા પર ગુર્જર વાર્તિક+સાનુવાદ સાવચૂરિયતિવિચાર. ૫૧. ઉપદેશોપનિષદ્ - ઉપદેશરત્નકોષ પર સંસ્કૃતવૃત્તિ સાનુવાદ, ૫૨. પ્રાર્થનોપનિષદ્ - અલંકારિક સ્તુતિઓ પર તાત્પર્યવૃત્તિ સાનુવાદ. ૫૩. સદ્ગોધોપનિષદ્ - સબોધચન્દ્રોદય પંચાશિકા પર સંસ્કૃત સાનુવાદ વાર્તિક. ૫૪. અંગોપનિષદ્ - અદ્યાવધિ અમુદ્રિત ગ્રંથ શ્રી. અંગચૂલિકાસૂત્ર પર સંસ્કૃત વૃત્તિ ભાગ-૧-૨ પ૬. વર્ગોપનિષદ્ - અદ્યાવધિ અમુદ્રિત ગ્રંથ શ્રી વર્ગચૂલિકાસૂત્ર પર સંસ્કૃત વૃત્તિ. ૫૭. આગમની આછી ઝલક ૪૫ આગમ સંક્ષિપ્ત પરિચય ૫૮. જૈન જયતિ શાસનમું - બુદ્ધિજીવીઓને અવિશ્વસનીય જૈન સિદ્ધાન્તોની આધુનિક પ્રસંગો દ્વારા સિદ્ધિ. ૫૯. આઈ આઈ રે અંજનશલાકા - અંજનશલાકા-સ્ટેજ પ્રોગ્રામ માટે આલંબન. ૬૦. પંચકોપનિષદ્ - શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત જ્ઞાનપંચક વિવરણ ગ્રંથ પર નૂતન સંસ્કૃત વૃત્તિ. ૫૫. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૬૧. અવધૂતોપનિષદ્ - શ્રી દત્તાત્રેય અવધૂત પ્રણીત અવધૂતગીતાની મનનીય સૂક્તિઓ પર નૂતન સંસ્કૃત વૃત્તિ. ૬૨. દુઃષમોપનિષદ્ - દુઃષમગંડિકા ગ્રંથ પર વિશદ વૃત્તિ, સાનુવાદ ૬૩. પ્રથમોપનિષદ્ - પ્રથમવાર પ્રકાશિત થતી વિશિષ્ટ કૃતિઓ, રત્નાકરપંચવિંશતિકા-પ્રાચીન ટીકા, વન સ્પતિસપ્તતિકા-સાવચૂરિ, જંબૂ અધ્યયન, ગિરનારતીર્થપ્રતિષ્ઠા પ્રશસ્તિ. ૬૪. અહનામસહસ્રસમુચ્ચય - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યરચિત કૃતિ-સચિત્ર સંપાદન. ૬૫. ઉપાસનોપનિષદ્ - પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત ધૂમાવલિ + સર્વજિનસાધારણસ્તવન આ બે વિશિષ્ટ કૃતિઓ-સચિત્ર સાનુવાદ. ૬૬. સુખોપનિષદ્ પરમસુખપ્રાપ્તિરૂપ ચિત્તશુદ્ધિફળ, સચિત્ર સાનુવાદ. ૬૭. દયોપનિષદ્ - જીવદયા પ્રકરણ પર નૂતન સંસ્કૃત વૃત્તિ સાનુવાદ ૬૮. શંખેશ્વર સ્તોત્ર- મહો. યશોવિજયજી મહારાજાની કૃતિ, સચિત્ર-સાનુવાદ. ૬૯. દાનાદિ પ્રકરણ - શ્રી સૂરાચાર્યકૃત પ્રકરણ, ત્રુટિતકાવ્યપૂર્તિ + અનુવાદ સહ. ૭૦. ધ્યાનોપનિષદ્ - પ.પૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી લિખિત ધ્યાન અને જીવન પુસ્તકનો સંસ્કૃત તાત્પર્યાનુવાદ. ૭૧. પંચસૂત્રોપનિષદ્ - પ.પૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી લિખિત ઉચ્ચ પ્રકાશના પંથે પુસ્તકનો સંસ્કૃત તાત્પર્યાનુવાદ. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૭૨. પૂર્વોપનિષદ્ - મહો. યશોવિજયજી મહારાજા કૃત જ્ઞાનસાર અંતર્ગત પૂર્ણાષ્ટક સચિત્ર - સાનુવાદ. ૭૩. મગ્નોપનિષદ્ - મહો. યશોવિજયજી મહારાજા કૃત જ્ઞાનસાર અંતર્ગત મગ્નાષ્ટકસચિત્ર-સાનુવાદ. ૭૪. ગૌતમાષ્ટક- - પૂર્વાચાર્યકૃત મહાપ્રભાવક કૃતિ સચિત્ર - સાનુવાદ. ૭૫. વીરોપનિષદ્ - શ્રીભદ્રબાહુસ્વામીકૃત કલ્પસૂત્ર અંતર્ગત પ્રભુ વીરનું સ્વરૂપ સચિત્ર - સાનુવાદ. ૭૬. આચારોપનિષદ્ - દશ સામાચારી વિષયક નવનિર્મિત સંસ્કૃત પ્રકરણ - સાનુવાદ. ૭૭ થી ૧00 અલગારી અવધૂત શ્રી આનંદઘનજી મહારાજ આનંદઘનની આત્માનુભૂતિ પ્રણીત આધ્યાત્મિક પદ આધારિત પરિશીલન શૃંખલા (સચિત્ર). सचित्र हिन्दी प्रकाशन स्टोरी स्टोरी डायमंड डायरी लाइफस्टायल एन्जोय जैनीझम Page #228 -------------------------------------------------------------------------- ________________ અભયદાન, અન્નદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, પ્રભુભક્તિ, શ્રીસંઘભક્તિ, જ્ઞાનભક્તિ, વિશ્વવાત્સલ્ય આદિ અનેક વિષયો પર | પ્રકાશ પાથરતો એક મનનીય ગ્રંથ. MULTY GRAPHICS (022) 2373222823884222