________________
दानादिप्रकरणे एकं वस्तु वितीर्यमाणमडकं (?) राजादिसाधारणं (राज्यं सत्वरगत्वरं स्थिरतरं स्थूरं परव्याहृतम् । सूते कीर्तिजनानुरागसुकृतस्तोमं तथाप्युद्यमो दाने किं न विधीयते ध्रुवमहालाभे शुभे लोभिनः ॥१५॥
ધન વગેરે જે એક વસ્તુનું દાન અપાય, તે રાજા વગેરેમાં સાધારણ છે. (જો તેનું દાન ન આપો, તો શક્ય છે કે રાજા, ચોર, ભાગીદાર વગેરે તેને તમારી પાસેથી પડાવી લે. વળી એ વસ્તુ રાજ્ય વગેરે હોય, તો પણ એ શીઘ્રતાથી નાશ પામવાના સ્વભાવવાળી છે.
જ્યારે દાન આપવાથી લોકો જે પુષ્ટ પ્રશંસા કરે, તે સ્થિર છે. તે કીર્તિ, લોકપ્રિયતા અને પુણ્યસમૂહને જન્મ આપે છે. આ રીતે શુભ દાનથી નિશ્ચિત મહાન લાભ થાય છે, તો પણ લોભીઓ દાનમાં ઉદ્યમ કેમ નથી કરતા ? || ૧૫ // सत्यं चेद्भवतां प्रियं धनमपि प्राणात्यये दुस्त्यजं वृद्धिं यातममन्दसम्मदरसं चित्ते विधत्ते जनाः (?) । सुक्षेत्रेषु तदाखिलेषु वपत श्रद्धाम्बुभिः सिञ्चत श्रेयोऽनन्तगुणं भविष्यति यतः काले बलं(?) प्राप्नुत ॥१६॥
ખરેખર, જો તમને ધન પ્રિય હોય, પ્રાણાંતે પણ