________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બગીચાનું પુસ્તક
ભાગ પેહેલો.
પ્રકરણ પહેલું.
વનસ્પતિશાસ્ત્ર વિશે થોડી માહિતી. INTRODUCTORY NOTES ON BOTANY.
પરમેશ્વરે આ સૃષ્ટિ ઉપર અસંખ્ય પદાર્થ પેદા કર્યા છે. તેમાંના કેટલાક સજીવ છે, બાકીના નિજીવ છે. સજીવ પદાર્થના મુખ્ય બે ભાગ છે, પ્રાણી અને વનસ્પતિ.
પ્રાણું અને વનસ્પતિમાં મુખ્ય તફાવત નિચે મુજબ છે. વનસ્પતિને પ્રાણીઓ માફક એછિક ગતિ અને જ્ઞાન હેતાં નથી.
વનસ્પતિમાં નિરિદ્રય પદાર્થ શોષી લઈ તેને સેંદ્રિય કરવાની શક્તિ હોય છે. પ્રાણીઓમાં એ શક્તિ હેતી નથી.
વનસ્પતિ હવામાંથી જે કારબોનિક ઍસિડ લે છે, તેમાંથી કેર્બન રાખી લઈ ઓકસીજન હવામાં છેઠી દે છે. પ્રાણીઓ એથી ઉલટું કરે છે.
For Private and Personal Use Only