Book Title: Jainagama Swadhyay
Author(s): Dalsukh Malvania
Publisher: Prakrit Text Society Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001042/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જેનાગમ સ્વાધ્યાય, -દલવુખ માલવણયો. Page #2 -------------------------------------------------------------------------- ________________ વિદ્યા વિકાસ ફંડ, ગ્રંથાંક-૬ શ્રેષ્ઠી ક. લા. મા. નિધિ, ગ્રંથાંક-૪ જેનાઝમ સ્વાધ્યાય દલસુખ માલણિયા : પ્રકાશક : પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ક્રૂડ અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ડે. કે. આર. ચંદ્રા માનદ મંત્રી, પ્રાકૃત જેને વિદ્યા વિકાસ ફંડ " ૩૭૫, સરસ્વતીનગર, આઝાદ સોસાયટી, અમદાવાદ-૩૮૦૦ ૧૫ પ્રત : ૫૦૦ ઈ. સ. ૧૯૯૧ મૂલ્ય : ૧૦૦-૦૦ મુખ્ય વિતરક પાશ્વ પ્રકાશન નિશાળ, ઝવેરીવાડ, રિલીફ રોડ અમદાવાદ-૩૮૦ ૦૦૧ મુદ્રક : હરજીભાઈ એન. પટેલ ક્રિના પ્રિન્ટરી ૯૬૬, નારણપુરા જુના ગામ, અમદાવાદ-૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ જન્મ : ૧૮૯૪, અમદાવાદ] www.jainelibra [સ્વ. ૧૯૮૦, અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ આભાર આ ગ્રંથનું પ્રકાશન ખર્ચ શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારક નિધિ (ખી ૧૧, ન્યૂ કલોથ માર્કેટ, અમદાવાદ-૨) દ્વારા પ્રાપ્ત થયું છે. એ ટ્રસ્ટના સૌ ઉદારમના ટ્રસ્ટીએ શ્રી અરવિન્દ્રભાઈ નરાત્તમભાઇ શ્રી આત્મારામભાઇ ભાગીલાલ સુતરિયા શ્રી સવેગભાઈ અરવિન્દ્રભાઈ શ્રી કલ્યાણભાઈ પુરુષોત્તમદાસ ફડિયા શ્રી રમેશભાઇ પુરુષોત્તમદાસ શાહ પ્રત્યે અમે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. -પ્રકાશક - Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ (૧૮૯૪–૧૯૮૦) સ્વ. શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના આયુષ્યનો પટ વીસમી સદીના આઠ દાયકા પર એક યુગની જેમ વિસ્તરેલ હતો, અમદાવાદ સ્થપાયું તેની પહેલાંથી ગુજરાતમાં મહાજનની જે પરંપરા ચાલી આવતી હતી તેનો લગભગ છેલ્લે કહી શકાય તેવા સ્તંભ કરતૂરભાઈ હતા. તે પરંપરાના પ્રતિનિધિ તરીકે તેમણે નીતિ અને પ્રામાણિક્તા પર મંડાયેલ વેપારનો આદર્શ પૂરો પાડ્યો હતો. ઉદ્યોગક્ષેત્રે નૂતન યુગ પ્રવર્તાવનાર અગ્રણીઓમાં તેમની ગણના થયેલી છે. “ઉદ્યોગમાં મોડર્નાઇઝેશનની હવા ફૂંકવા સાથે રાષ્ટ્રનું હિત જોઈને વ્યવહાર કરનાર ભારતના અલ્પસંખ્ય ઉદ્યોગપતિઓમાં તેમનું સ્થાન હતું. વિદેશી પેઢીઓના સહકારથી ભારતમાં રંગ-રસાયણના ઉત્પાદનને પ્રારંભ કરનાર કસ્તૂરભાઈ અનેખી આવડતથી ભારતીય અર્થનીતિના આધારસ્તંભ બન્યા હતા. . આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેપાર અને અર્થકારણની અનેક અટપટી આંટીઘૂંટીઓને બુદ્ધિપૂર્વક ઉકેલી બતાવનાર નિષ્ણાત અને વિચક્ષણ વિષ્ટિકાર તરીકે પણ તેમણે નામના મેળવી હતી. અમદાવાદ કે ભારતના જ નહીં, દુનિયાના કાપડઉદ્યોગના ઇતિહાસમાં તેમનું નામ અને કામ સુવર્ણાક્ષરે લખાય તેવી તેમની એ ક્ષેત્રની કે સેવા હતી. ઉદ્યોગની માફક કલા અને શિક્ષણ પરત્વે પણ તેમની દષ્ટિ પ્રગતિશીલ હતી. રાણકપુર અને દેલવાડાનાં શિ૯પ-સ્થાપત્ય, અટીરા, પી.આર.એલ. અને આઈ. આઈ.એમ. જેવી સંસ્થાઓ તેમની પ્રગતિઅભિમુખ વિચારશ્રેણીનાં ચિરંજીવ દિષ્ટાન્ત છે. આઝાદીના સંગ્રામકાળ દરમ્યાન તેમણે રાષ્ટ્રીય નેતાઓને આપેલ સહકાર તેમની હિંમત અને દેશદાઝની ગવાહી પૂરે છે. બટું ખર્ચ એક પૈસાનું પણ ન થાય તેની તેઓ ચીવટ રાખતાં પણ જરૂર લાગે ત્યાં લાખો રૂપિયાનું ખર્ચ લોકકલ્યાણ અર્થે દાન રૂપે કરવામાં સંકોચ રાખતા નહીં. તેમના ઉદ્યોગગૃહમાં એક વાર માણસને નીમ્યા પછી ' સારેમાંટે પ્રસંગે તેની પડખે ઊભા રહીને મદદ કરવામાં તેમનું ઉદાર, માનવતાભર્યું સ્તન પ્રગટ થતું. ધનની માફક શબ્દોની અને સમયની પણ તેઓ કરક્સર કરતા, - Page #9 -------------------------------------------------------------------------- ________________ દ નાણાં, શબ્દ અને સમય એ ત્રણમાં તેમની કઈ કરકસર ચડે તે કહેવું મુશ્કેલ છે. એ ત્રણે બાબાના ચેાખ્ખા અને ચોક્કસ હિસાબ રાખવામાં તેમને! આગ્રહ રહેતા. આ બધું તે કોઈ પણ આધુનિકને શરમાવે તેટલી ચીવટ ને સુધડતાથી કરતા. શિસ્ત ને સયમના તે ચાલુક હતા. વજ્ર જેવા દેખાતા તેમના હૃદયની નીચે સ્વજને, સ્વધમી એ અને સ્વદેશવાસીએ માટે પ્રેમના ઝરા વહેતા. તેમની જાહેર સેવાપ્રવૃત્તિ ૧૯૧૮ માં ગુજરાત રેલસંકટના રાહતકાર્ય થી શરૂ થયેલી તે મેારબીની હેાનારત સુધીનાં રાહતકાર્યાં સુધી ચાલેલી. લાકકલ્યાણનાં વિવિધ ક્ષેત્રામાં તેમણે કરેલા દાનના પ્રવાહ અમદાવાદથી ગુજરાતમાં ફેલાઈને ભારતભરમાં ફરી વળેલ છે, જેના ફળસ્વરૂપે જૈન તીર્થા અને ધ સ્થાનાને લાદષ્ટિપૂર્વકના હાર થયેા છે, ગુજરાત વિશ્વવિદ્યાલય અને તેને સલગ્ન વિવિધ શિક્ષણસંસ્થાઓની સ્થાપના થયેલ છે અને પ્રાચ્ય વિદ્યાકલાના સંશોધનની તેમજ કાપડઉદ્યોગ અને વ્યવસ્થાપન ( બિઝનેશ મેનેજમેન્ટ ) ના તથા ભૌતિકશાસ્ત્ર, પર્યાવરણવિદ્યા વગેરેના શિક્ષણની અભિનવ ઉત્તમ સગવડ ઊભી થઈ શકી છે. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા, ગુજરાતના આ મહાન સપૂતના જીવનની ઝલક જોઈએ, કસ્તૂરભાઈને જન્મ ઈ.સ. ૧૮૯૪ ના ડિસે‘બરની ૧૯ મી તારીખે અમદાવાદમાં થયા હતા. તેમના પિતા લાલભાઈ દલપતભાઈ શેઠ બી.એ. સુધી ભણેલા. ધને પાનની સાથે સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવાની ભાવના તેમનામાં હતી. એટલે જૈન સમાજનાં અને વ્યાપક લેાહિતનાં કામેામાં તેમને અહિસ્સા રહેતા, નગરશેઠ મયાભાઈના અવસાન પછી શેઠ આણ છ કલ્યાણજીની પેઢીનુ પ્રમુખપદ તેમને સાપાયું હતુ. લેા કર્ઝને માઉન્ટ આયુની મુલાકાત દરમ્યાન દેલવાડાનાં દહેરાંનાં શિલ્પસ્થાપત્યથી પ્રભાવિત થઈને તે મદિરા સરકારી પુરાતત્ત્વ ખાતાને સાંપવાના પ્રસ્તાવ મૂકેલેા, ત્યારે લાલભાઈ શેઠે તેને વિરાધ કરેલા, અને પેઢી હસ્તક તેની સુરક્ષા સુપેરે ચાલે છે તેની ખાતરી કરાવવા આઠદસ વર્ષ સુધી મદિરામાં કારીગરાને કામ કરતા બતાવ્યા હતા. ૧૯૦૩ થી - ૧૯૦૮ સુધી જૈન શ્વેતાંબર કાન્ફરન્સના મહામંત્રી તરીકે તેમણે સેવાઓ આપી હતી. ૧૯૦૮માં સમેતશિખર પર ખાનગી મૃગલા બાંધવાની સરકારે મંજૂરી આપેલી તેની સામે વિરાધ નોંધાવીને સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરીને Page #10 -------------------------------------------------------------------------- ________________ લાલભાઇ શેઠે તે મંજૂરી રદ કરાવી હતી. તેએ ગુજરાત કોલેજના ટ્રસ્ટી પણ હતા. શાળાઓ, પુસ્તકાલયા અને સામાજિક સંસ્થાએના પુરસ્કર્તા દાનવીર તરીકે તેમની સુવાસ ગુજરાતભરમાં ફેલાયેલી હતી. સરકારે તેમની સવાએની કદર રૂપે તેમને સરદારને ખિતાબ આપ્યા હતા. ૧૯૧૨ના જૂનની પાંચમી તારીખે એકાએક હૃદય બંધ પડવાથી ૪૯ વર્ષની વયે તેમનુ અવસાન થયેલું. લાલભાઈને સાત સંતાનેા હતાં. ત્રણ પુત્ર! અને ચાર પુત્રીઓ, સ્તૂરભાઈની પહેલાં એ બહેનેા, ડાહીબહેન અને માણેકબહેન અને એક ભાઈ, ચીમનભાઈ જન્મેલાં. તેમની પછી જન્મેલાં તે નરોત્તમભાઈ, કાન્તાબહેન અને લીલાવતીબહેન, પિતાના કડપ અને માતાના વાત્સલ્ય વચ્ચે સાતે સંતાનેાને ઉછેર થયા હતા. કસ્તૂરભાઈએ પ્રાથમિક શિક્ષણ ત્રણ દરવાજા પાસેની મ્યુનિસિપલ શાળા નં. ૮માં લીધું હતું. ૧૯૧૧માં આર. સી. હાઈસ્કૂલમાંથી તેઓ મેટ્રિકયુલેશન પરીક્ષામાં બીજા વર્ગમાં ઊ ંચે નંબરે પાસ થયેલા. તે વખતે આર. સી. હાઇસ્કૂલના હેડમાસ્તર કેન્દ્રેકટર તથા સાક્ષરશ્રી કેશવલાલ ધ્રુવને પ્રભાવ તેમના પર પડેલે. સ્વ. બલ્લુભાઈ ઠાકોર અને સ્વ. જીવણલાલ દીવાને સ્વદેશીની હીલચાલ શરૂ થતાં એ સરકારી શાળામાંથી રાજીનામુ` આપેલું. તે વખતે કસ્તૂરભાઈ અંગ્રેજી ચૌથા ધારણમાં હતા. મેટ્રિક પાસ થયા પછી તેઓ ગુજરાત કૉલેજમાં દાખલ થયા. પરંતુ તે પછી છ મહિનામાં પિતાનું અવસાન થતાં મિલના વહીવટમાં ભાઈને મદદ કરવા સારુ' તેમને ભણતર છેડવુ પડ્યુ. મઝિયારું' વહે...ચાતાં કુટુંબને ભાગે આવેલી રાયપુર મિલના વહીવટ કાકાની નિગેઝુબાની નીચે શરૂઆતમાં ચાલતા હતા. કસ્તૂરભાઈએ ટાઈમકીપરની, સ્ટારફીપરની અને રૂની ખરીદી અંગેની કામગીરી બજાવતાં બજાવતાં કાપડઉદ્યોગની જાણકારી મેળવી લીધી. પછી આપસૂઝ અને કુનેહથી મિલને વહીવટ એવી સુંદર રીતે કર્યો કે પ્રથમ પ્રયત્ન જ ઊંચી ગુણવત્તાવાળું કાપડ ઉત્પન્ન કરીને રાયપુર મિલને ભારતના નકશા પર મૂકી આપી. પછી તે! અશેક મિલ (૧૯૨૧), અરુણ મિલ (૧૯૨૮), અરવિંદ મિલ (૧૯૩૧), નૂતન મિલ (૧૯૩૨), અનિલ સ્ટાર્ચ (૧૯૩૭), ન્યૂકાટન મિલ (૧૯૩૭), નીલા પ્રોડકટ્સ (૧૯૪૪) અને એ સૌના શિરમેાર જેવા અતુલ સંકુલ (૧૯૫૦) : એમ તેમના ઉદ્યોગના ઉત્તરાત્તર વિકાસ થતા ગયા અને લાલભાઈ ગ્રુપ'ની ગણના દેશનાં અગ્રગણ્ય ઉદ્યોગગૃહમાં થઈ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આ બધે વખત કસ્તૂરભાઈએ પિતાની માફક સાર્વજનિક હિતનાં કામમાં પણ એટલા જ ઉત્સાહથી રસ લીધો હતો. ૧૯૨૧માં સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બનેલાં. તેમના કહેવાથી કરતૂરભાઈ અને તેમના ભાઈઓએ મ્યુનિસિપલ પ્રાથમિક શાળા માટે રૂપિયા પચાસ હજારનું દાન આપ્યું. ત્યારથી દાનના શ્રીગણેશ મંડાયા. ૧૯૨૧ને ડિસેંબરમાં ઈન્ડિયન. નેશનલ કોંગ્રેસનું અધિવેશન ભરાયેલું તે વખતે પં. મોતીલાલ નેહરુ સાથે તેમને મૈત્રીસંબંધ બંધાયે, ૧૯૨૨માં સરદારની સલાહથી કસ્તૂરભાઈ વડી ધારાસભામાં મિલમાલિક મંડળના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા. ૧૯૨૩માં સ્વરાજ પક્ષની સ્થાપના થઈ. તે પક્ષને અમદાવાદ તથા મુંબઈના મિલમાલિકોએ પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. વડી ધારાસભામાં કાપડ પરની જકાત રદ કરવાનું બિલ કસ્તૂરભાઈએ મૂક્યું હતું કે સરકાર તરફથી અનેક વિદને આવવા છતાં તે બિલ છેવટે પસાર થયું હતું. સ્વરાજ પક્ષના સભ્ય નહીં હોવા છતાં કસ્તૂરભાઈને પં. મેંતીલાલાએ “સવાઈ સ્વરાજિસ્ટ'નું બિરુદ આપ્યું હતું. ૧૯૨૧ માં અમદાવાદમાં મજૂરો અને મિલમાલિકો વચ્ચે બોનસ અંગે ઝઘડે થયેલ ૧૯૨૩માં પગારઘટાડાને કારણે મજૂરોએ હડતાળ પાડેલી અને ૧૯૨૮માં મજૂરની વેતનધારાની માગણી અંગે ગાંધીજી અને મંગળદાસનું પંચ નિમાયેલું. ૧૯૩૬માં મિલમાલિકોએ વેતનકાપની જાહેરાત કરતાં ગાંધીજી અને કસ્તૂરભાઈના પંચ વચ્ચે મતભેદ ઊભો થયેલો. તે બધા પ્રસંગે કસ્તૂરભાઈએ કોઈની સેહમાં તણાયા. વગર પોતાને સ્વતંત્ર અભિપ્રાય આપેલો. પણ આ મતભેદને કારણે તેમણે કોઈના તરફ રાગદ્વેષનું વલણ દાખવ્યું નહોતું. સ્વરાજ આવ્યા પહેલાં મજૂરોના પ્રતિનિધિ તરીકે (૧૯૨૯) અને ભારતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ તરીકે (૧૯૩૪) તેમણે જિનીવા મજૂર પરિષદમાં ભાગ લીધો હતો. ભારત અને બ્રિટન વચ્ચેના વેપાર અંગેની સમિતિ પર તેમની નિમણૂક થયેલી (૧૯૩૬) તેમજ ઈજિપ્તમાં ખરીદેલ રૂના પ્રશ્ન અંગે ઈજિત સરકાર સાથે (૧૯૪૩) અને બ્રિટનના ટેકસ્ટાઈલ મશીનરી મેન્યુફેકચરર્સ સાથે (૧૯૪૬) વાટાઘાટે કરેલી. સ્વરાજ આવ્યા પછી પણ આ પ્રકારનાં પ્રતિનિધિ- : મંડળની આગેવાની તેમણે સંભાળેલી. એ બધા પ્રસંગે દેશનું હિત સર્વોપરિ ગણીને તેમણે પરદેશીઓ સાથે ચર્ચા કરી હતી અને કુનેહપૂર્વક પોતાની વાત તેમને ગળે ઉતારી હતી. કસ્તૂરભાઈની શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રની સેવા તેમણે કરેલી લોકહિતનો પ્રવૃત્તિઓના શિખરરૂપ છે. ૧૯૩૫ના મેની ૧૫મી તારીખે અમદાવાદ એજ્યુકેશન Page #12 -------------------------------------------------------------------------- ________________ સોસાયટીની સ્થાપના થઈ. તેનું આયોજન કસ્તૂરભાઈએ કરી આપ્યું હતું. ભવિષ્યના વિકાસને લક્ષમાં રાખીને તેમણે છ એકર જમીન ૭૦ લાખ રૂપિયા ખર્ચાને સંપાદન કરાવી હતી, જેને લીધે ગુજરાત યુનિવર્સિટીનું ભવ્ય ને વિશાળ કેમ્પસ અસ્તિત્વમાં આવી શક્યું છે. તેમના પરિવાર તરફ્ટી આર્ટસ કોલજ, એન્જિનિયરિંગ કોલેજ તથા પ્રાચ્યવિદ્યામંદિરને માટે મોટાં દાન અપાયાં. કેટલાં ત્રીસ-પાંત્રીસ વર્ષમાં લાલભાઈ દલપતભાઈ પરિવાર ટ્રસ્ટ તરફથી પણ ત્રણ કરોડ રૂપિયાની અને તેમને હસ્તક ચાલતાં ઉદ્યોગગૃહ તરફથી ચાર કરોડ રૂપિયાની સખાવત થયેલી છે. કસ્તૂરભાઈ શેઠને શિક્ષણ પ્રત્યે કેટલી દિલચસ્પી હતી તે આ પરથી જોઈ શકાશે. જે તેમ ન હોત તે અટીરા, પી.આર.એલ., લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, સ્કૂલ ઓફ આર્કિટેકચર, નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન અને વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સેન્ટર જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી સંસ્થાઓ અમદાવાદને આંગણે ઊભી થઈ શકી હોન કે કેમ એ શંકા છે. પીઢ ઉદ્યોગપતિ કરતુરભાઈ અને જુવાન વિજ્ઞાની ડો. વિક્રમ સારાભાઈના સંયુક્ત સ્વપ્નની એ સિદ્ધિ છે. કસ્તૂરભાઈની પ્રિય આકાંક્ષા પાર પાડનારી બીજી એક સંસ્થા તે યુનિવર્સિટી કેમ્પસ પર છેલ્લા ત્રણ દાયકાથી આગબોટ આકારના રૂપકડા સ્થાપત્યરૂપે ઊભેલું લા. દ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર છે. ૧૯૫૫ માં તેની સ્થાપના થયેલી. તેનું ઉદ્ધાટન જવાહરલાલ નેહરુએ કરેલું. મુનિશ્રી પુણ્યવિજયજીએ આ સંસ્થાને ૧૦,૦૦૦ હસ્તપ્રત અને ૭૦૦૦ પુસ્તકની અત્યંત મૂલ્યવાન ભેટ આપી હતી. આજે સંસ્થા પાસે ૭૦૦૦૦ જેટલી હસ્તપ્રત એકત્ર થયેલી છે, તેમાંથી દસ હજાર જેટલી હસ્તપ્રતોની યાદી કેન્દ્ર સરકારની સહાયથી અને પાંચ હજાર જેટલી હસ્તપ્રતોની યાદી ગુજરાત સરકારની સહાયથી પ્રસિદ્ધ થયેલી છે. આજ સુધીમાં સંસ્થા તરફથી ૧૦૦થી પણ વધુ સંશોધનગ્રંથ પ્રકાશિત થયેલા છે અને ૨૦૦૦ જેટલી કીમતી હસ્તપ્રતોની માઈકેફિલ્મ ઉતરાવાયેલી છે. આ સંસ્થાનું મુખ્ય આકર્ષણ સાંસ્કૃતિક સંગ્રહાલય છે. કસ્તૂરભાઈ અને તેમનાં કુટુંબીજનો તરફ્ટી ભેટ મળેલી સંખ્યાબંધ પુરાવસ્તુઓ તેમાં સંઘરાયેલી છે. સુંદર ચિત્રો, શિલ્પ, આભૂષણે, ગૃહશોભાની વસ્તુઓ, પિોથીઓ અને બારમી સદીની ચિત્રયુક્ત હસ્તપ્રત મળીને આશરે ચારસો નમૂનાઓ આ સંગ્રહાલયમાં મૂકેલા છે, જે પ્રાચીન ભારતીય જીવન અને સંસ્કૃતિની મેહક ઝલક પૂરી પાડે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ કસ્તૂરભાઈની કલાદષ્ટિને જુના પ્રેમાભાઈ હોલની બાંધણું ખૂંચતી હતી. તેને કાયાકલ્પ કરાવવાની તેમણે યોજના કરી, રૂ. ૫૫,૭૦,૦૦૦ ના ખર્ચે પ્રેમાભાઈ હોલની નવરચના થઈ તેમાં રૂા. ૩૨,૧૫,૦૦૦નું દાન કસ્તૂરભાઈ પરિવાર અને લાલભાઈ ગ્રુપના ઉદ્યોગગૃહએ આપેલું. વિખ્યાત સ્થપતિ લુઈ કાહે કસ્તૂરભાઈને કુદરતી સૂઝવાળા સ્થપતિ કહ્યા હતા તે, તેમણે પોતાની જાત દેખરેખ નીચે રાણકપુર, દેલવાડા, શત્રુંજય અને તારંગા તીર્થનાં મંદિરના શિ૯૫-સ્થાપત્યનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે તે જોતાં, સાચું લાગે છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના અધ્યક્ષ તરીકે તેમણે દાયકાઓથી જીર્ણ અવસ્થામાં પડેલાં તીર્થ મંદિરોની રોનક સુધારવાની યોજના ઘડી, ચારે બાજુ ટેકરીઓની વચ્ચે જંગલમાં બિસ્માર હાલતમાં ઉપેક્ષિત રહેલા રાણકપુર તીર્થે પુનરુદ્ધાર પામતાં નવી રોનક ધારણ કરી છે. કસ્તુરભાઈએ ખૂબ જહેમત ઉઠાવીને જૂની કોતરણી જ્યાં જ્યાં ક્ષત થઈ હતી ત્યાંત્યાં તેમાં ભળી જાય તેવી નવી કોતરણી અને ભાત કારીગર પાસે ઉપસાવરાવી હતી. એવું જ દેલવાડા, તારંગા અને શત્રુંજય તીર્થનું છે. દેલવાડાનાં દહેરાંના આરસના કુળનો આરસ દાંતાના ડુંગરામાંથી મેળવતાં ખૂબ તકલીફ પડી હતી. જીર્ણોદ્ધારનો ખચ શિલ્પીએ ઘનફૂટના પચાસ રૂપિયા કહેલે પણ શિલ્પ તૈયાર થયા પછી તે પચાસને બદલે બસો રૂપિયા થયેલો માલૂમ પડ્યો, પણ એટલી સુંદર પ્રતિકૃતિ બની હતી કે કસ્તૂરભાઈને કલાપ્રેમી આત્મા પ્રસન્ન થઈ ગયો અને વધુ ખર્ચને જરા પણ રંજ ન થયો. શત્રુંજય તીર્થમાં તેમણે જૂના પ્રવેશદ્વારોને સ્થાને ભવ્ય દરવાજા મુકાવ્યા છે અને મુખ્ય દેરાસરની કળાને ઢાંકી દેતી નાની દેરીઓ અને તેમાંની મૂર્તિઓને વચ્ચેથી ખસેડી લીધી છે. - ધર્મદષ્ટિ ખૂલતાં જીવનદર્શનની ક્ષિતિજોને વિસ્તાર થાય છે તેવું જીર્ણોદ્વાર પામેલાં આ ધર્મસ્થાને જેનારને લાગવાનો સંભવ છે. * એક અમેરિકન મુલાકાતીએ એક વાર કસ્તૂરભાઈને, પ્રશ્ન કર્યો, “આવતી કાલે જ તમારું અવસાન થવાનું હોય તે...” “મને આનંદ થશે.” અટ્ટહાસ્ય કરતાં કસ્તૂરભાઈએ કહ્યું. “પણ પછી શું ?” પછી શું થશે તેની મને જરાય ચિન્તા નથી.” “તમારું શું થશે તેનો વિચાર આવે છે ખરો ? - Page #14 -------------------------------------------------------------------------- ________________ “હું પુનર્જન્મમાં માનું છું.” “એટલે ?” ११ “જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે ઈશ્વર જેવું કાંઈ નથી. હું ઈશ્વરની સ્થિતિ પન્ત પહાંચી શકું છું. તેનેા અર્થ એ થયા કે મારે મારુ ચારિત્ર્ય એટલું ઊંચે લઈ જવુ જોઈએ કે એ પતે માટે હું ક્રમેક્રમે પાત્ર થતા જાઉં. આ વિચાર માટે મને ખૂબ માન છે, ગૌરવ છે.” “તે સ્થિતિએ શી રીતે પહેાંચી શકાય ?’ “તે પણ અમારા ધર્માંમાં બતાવ્યું છે. સત્ય ખેલવું, ધનને પરિગ્રહ ન રાખવા, હિંસા ન કરવી, વગેરે. આ કળ્યા તેનાથી ઊંચા સિદ્ધાન્તા ખીજે ભાગ્યે જ જોવા મળશે.’ “જૈન ધર્મ એટલે શુ?’ “ખરુ. પૂછે। તા જૈન ધર્મ તે ધર્મ નથી, જીવન જીવવાની એક રીત છે, જેનું અનુસરણ કરવાથી આ જિંદગીમાં જ ઉચ્ચ આધ્યાત્મિક કેાટિએ પહાંચી શકાય છે.” "" જૈન ધર્મમાં ધનના સંચય ન કરવાનું કહ્યું છે ખરું?” “ના. તેમાં એમ કહ્યું છે કે નક્કી કરેલી મર્યાદાથી અધિક સ ́પત્તિ નરાખવી.’ “તમે એનું ત્રત લીધું છે ખરું?” “ના. પોતે મેળવેલ ધનને અમુક ભાગ સાવજનિક કલ્યાણ અથે ખવા એવે! મારી નિયમ છે ખરી.” તા. ૮ જાન્યુઆરી ૧૯૮૦. કસ્તૂરભાઈ મુંબઈમાં માંદા પડ્યા. ડાકટરે તેમની નાજીક તબિયત જોઈને પંદર દિવસ પથારીમાં રહેવાની સલાહ આપી. “મને એક વાર અમદાવાદ ભેગેા કરી. પછી ત્યાં આરામ લઈશ,” કસ્તૂરભાઈએ કહ્યું. ડૉકટરે પ્રવાસનું જોખમ ખેડવાની ના પાડી. પણ કસ્તૂરભાઈએ અમદાવાદ સાથે એવું અદ્ભુત સાધ્યું હતુ કે છેલ્લા દિવસે અમદાવાદમાં ગાળવાની તેમની તીવ્ર ઈચ્છા હતી. તેમની મેચેની જોઈને ડોકટરે છેવટે તેમને અમદાવાદ જવાની સમતિ આપી. વેદનામાં પણ તેમના મુખ પર આનંદ છવાયેા. એમ્બ્યુલન્સ ગાડીમાં તેમને સ્ટેશને લઈ ગયા. બીજે દિવસે સવારે અમદાવાદ પહોંચ્યા ત્યારે મન પ્રફુલ્લ થયું અને સ` જાણે અદૃશ્ય થઈ ગયું. તે પછી, ૧૯મી જાન્યુ ૬ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આરીએ તેમની પ્રિય કર્મભૂમિ પરથી વિદાય લઈ પ્રિયતર દિવ્યધામ જવા માટેનું તેડું આવ્યું, જેને તેમણે શાન્તિ ને સંતોષથી સ્વીકાર કર્યો. કસ્તૂરભાઈ માનતા કે માણસ મૃત્યુ પામે તેને લીધે દેશનું ઉત્પાદન અટકવું નહીં જોઈએ, ખરી અંજલિ તો તેની ભાવના મુજબનું કામ કરીને આપવી જોઈએ. તેમણે સ્પષ્ટ સૂચના આપેલી કે મારા અવસાનના શોકમાં એકે મિલ બંધ ન રહેવી જોઈએ. તેમના પુત્રએ શેઠની આ ઇચ્છા લાલભાઈ ગૃપની નવે મિલોના કારીગરોને પહોંચાડી. મજૂરે શેઠની અદબ જાળવીને કામ પર ચડી ગયા. આખા અમદાવાદમાં જેમના શોકમાં હડતાળ હતી, તેમની જ મિલો એ દિવસે ચાલી તે એક અપૂર્વ ને અભિનંદનીય ઘટના ગણાય! દેશના કોઈ નેતાના અવસાન વખતે નહોતું બન્યું, તે કસ્તુરભાઈના અવસાન વખતે બન્યું. ધીરુભાઈ ઠાકર Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફેડનો ઉદ્દેશ–“પ્રાકૃતના મૂળ સાહિત્યનું સંપાદન અને અનુવાદનું પ્રકાશન તેમજ પ્રાકૃતના વિશિષ્ટ અખેતાઓને પ્રોત્સાહિત કરવાને છે.” આ ઉદ્દેશની પૂર્તિરૂપે ઉદારમના દાતાઓનો સહયોગ મળવાથી એમ. એ. અને પીએચ. ડી. ના વિદ્યાર્થીઓ તૈયાર કરી શકયા અને અમુક ગ્રંથ પ્રકાશિત કરી શક્યા તેને અમને આનંદ છે. પ્રારંભમાં અમારી પ્રવૃત્તિ બહુ નાના પાયા પર હતી અને સૌથી પહેલા હિન્દી ભાષામાં એક નાનકડું પુસ્તક ૧. “મારતીય માવામાં કે વિવાર સૌર સાહિત્ય વિશે સમૃદ્ધિ મેં અમને જ મહત્વપૂ ચોરવાન” ઈ. સ. ૧૯૭૯ માં પ્રકાશિત કર્યું. ત્યારપછી ખાસ કરીને “શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારક નિધિને સહયોગ મળવાથી મોટા પ્રકાશને હાથમાં લીધા, જેમ કે–૨. “પ્રાકૃત-ન્ડિી ક્રોશ”-(ઈ. સ. ૧૯૮૭). ૩. “Kothala's Lilaval-kahá'નું અંગ્રેજીમાં રૂપાંતર (ઈ.સ. ૧૯૮૮) ૪. “આરામશોભા-રાસમાળા” (ઈ.સ. ૧૯૮૯) અને પ. પૂ. મહેન્દ્રસૂરિકૃત–“નમયાકુળ-, હિન્શી અનુવાર કે સાથ” (ઈ. સ. ૧૯૮૯) અત્યારે જેન-દર્શનના આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ આદરણીય પં. શ્રી. દલસુખભાઈ માલવળિયાનું પુસ્તક “જેનાગમ- સ્વાધ્યાય પ્રકાશિત કરતાં અમને ખૂબ આનંદ થાય છે જેમાં જૈન આગમ સાહિત્ય વિશેના એમના સ્વતંત્ર ગુજરાતી લેખો અને અમુક આગમ ગ્રંથોમાં ગુજરાતીમાં લખેલી પ્રસ્તાવનાઓ માંથી તેમણે પિતે જ પસંદ કરેલા લખાણને સમાવેશ કરવામાં આવ્યો છે. પં. શ્રી. દલસુખભાઈ માલવળિયાએ એમના જૈન આગમ સાહિત્ય વિશેના ઉપરોક્ત બંને પ્રકારના ગુજરાતી લખાણને પુસ્તકરૂપે રજૂ કરવાની અમને જે તક આપી તે બદલ સૌ પ્રથમ અમે તેમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વળી અંશનું પરિશિષ્ટ તૈયાર કરીને આ ગ્રંથની જે વિદ્યાકીય ઉપયોગિતા વધારી છે તે બદલ એમના પુત્ર શ્રી. રમેશભાઈને અમે આભાર માનીએ છીએ. આ ગ્રંથના પ્રકાશનમાં “શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારક નિધિ” એ સંપૂર્ણ સહયોગ કર્યો છે તે બદલ તેમના ટ્રસ્ટીઓને અને શ્રી આત્મારામભાઈ Page #17 -------------------------------------------------------------------------- ________________ १४ સુતરિયાએ આ કાર્યમાં ઊંડો રસ લઈને અમને સહકાર આપે છે તે બદલ તેમને પણ આભાર માનીએ છીએ. પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડની શૈક્ષણિક અને વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં પં. શ્રી દલસુખભાઈ માલવળિયા તથા ડે. શ્રી હરિવલ્લભ ભાયાણીની પ્રેરણું, પ્રોત્સાહન અને માર્ગદર્શન અમને હંમેશાં મળતાં રહ્યાં છે તેને માટે અમે તેમના આભારી છીએ. આ ગ્રંથનું સુંદર મુદ્રણ કરવા માટે અમે ક્રિશ્ના પ્રિન્ટરીના માલિક હરજીભાઈ એન. પટેલ અને સૌ કારીગરભાઈઓના આભારી છીએ. ગ્રંથના પ્રારંભમાં શ્રેષ્ઠી શ્રી. કસ્તૂરભાઈનું જીવન લખવા માટે શ્રી. ધીરુભાઈ ઠાકરના આભારી છીએ - જૈન ધર્મ અને દશનના પ્રકાંડ વિદ્વાનના આ ગ્રંથને પૂરેપૂરો લાભ જૈન અને જેનેતર વિદ્વાને, સાધુ–સંતો અને વિદ્યાથીઓ લેશે એવી અમારી અપેક્ષા છે. તા. ૨૮–૩–૧૯૯૧ ચૈત્ર સુદ તેરસ, સં. ૨૦૪૭ મહાવીર જયન્તી કે. આર. ચન્દ્રા માનદ મંત્રી પ્રા. જે. વિ. વિ. ફંડ Page #18 -------------------------------------------------------------------------- ________________ લેખકના બે માલ પ્રસ્તુત પુસ્તક ‘જૈનાગમ સ્વાધ્યાયમાં ઈ. ૧૯૪૭ થી શરૂ કરી આજ સુધી જે કાંઈ ગુજરાતી ભાષામાં જૈનાગમ વિષે લખ્યું છે તેમાંથી ચૂંટીને લખાણાના સંગ્રહ કરવામાં આવ્યા છે. હિન્દી અંગ્રેજીમાંના લખાણા અવસરે પ્રકાશિત કરવાના ઇરાદા છે. પ્રથમના લેખમાં જૈન સાહિત્યના નિર્માણ પાછળનું દૃષ્ટિબિંદુ શું છે તે વિસ્તારથી નિરૂપવામાં આવ્યું છે, અને બીજા લેખમાં જૈનદાનિક વિચારણા જે પછીના કાળે વિસ્તાર પામી છે તેનુ મૂળ જૈનાગમમાં છે તે દર્શાવવાને પ્રયત્ન છે. આ પછી જૈનાગમા વિષે સર્વેક્ષણ છે. તેમાં જૈનાગમાના કર્યાં, તેને સમય, તેની વાચના, તેને વિષય. તેના વિચ્છેદની ચર્ચા, જૈનાગમા કયા કયા અને તેની ટીકા ઇત્યાદિ વિષે સંક્ષેપમાં નિરૂપણ છે, અને પછી કેટલાક આગમાના સંક્ષિપ્ત કે વિસ્તૃત પરિચય આપ્યા છે. સંક્ષિપ્ત પરિચયમાં આચારાંગ અને સૂત્રકૃતાંગમાં જૈનદર્શનની ભૂમિકા કેવી સ્થિર થઈ તેને સાર આપવામાં આવ્યા છે અને જૈનાગમેામાંના સ્થાનાંગ-સમવાયાંગને પણ સામાન્ય પરિચય છે. ! શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશિત જૈનાગમ ગ્રન્થમાળામાં પૂજ્ય મુનિશ્રી પુણ્યવિચ્છ અને પંડિત શ્રી અમૃતલાલ ભાજક સાથે ૧ નદિસૂત્ર અને અનુયાગદ્વારસૂત્ર તથા ૨ પણવણાસુત્ત (ખે ભાગ) સંપાદિત કરવાના અવસર મળ્યા હતા તે મારું સદ્ભાગ્ય હતું અને ઉક્ત બન્ને પ્રકાશનેામાં વિસ્તૃત પ્રસ્તાવનાએ અમારા ત્રણેના નામે પ્રકાશિત છે. તેમાંના મે લખેલે અંશ અહી' પ્રકાશિત કરવામાં આવ્યા છે. પ્રસ્તુત ગ્રન્થતામેટા ભાગ આ પ્રસ્તાવનાએ રશકે છે. પ્રજ્ઞાપનાસૂત્ર એ ભગવાન મહાવીર પછીના ૪૦૦ વર્ષમાં જૈન તત્ત્વવિચારી જે રૂપે સ્થિર થયા તેનુ સર્વેક્ષણ છે. તા નંદી-અનુયાગ એ ભ. મહાવીર પછીના લગભગ હજાર વર્ષોંમાં સ્થિર થયેલી જૈન માન્યતાઓને વિશ્વાષ છે. પ્રસ્તુતમાં પ્રજ્ઞાપના એ પૂર્વ ને આધારે રચાયું અને ‘પૂ' નામનું સાહિત્ય વિદ્યમાન હતુ` એ મતને સ્થાપીને પછી પ્રજ્ઞાપનાના કર્યાં આદિની જરૂરી ચર્ચા કર્યાં પછી સમગ્ર ગ્રન્થની તુલના ભગવતી, જીવા વાભિગમ સાથે તે! કરી જ છે Page #19 -------------------------------------------------------------------------- ________________ १६ ઉપરાંત દિગંબર આગમ ર્ખંડાગમ’ સાથે ૩૬ માંના પ્રત્યેક પદની તુલના કરવામાં આવી છે. આમ પ્રજ્ઞાપનાના સાર ઉપરાંત બીજી આવશ્યક સામગ્રી સમાવિષ્ટ છે. આમાં પ્રતિપાદન કરવામાં આવ્યુ` છે કે પત્તાપના એ ષટ્કંડાગમથી પૂવત્તી છે. મારી આ માન્યતાના વિરોધમાં સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. એ. એન. ઉપાધ્યે અને ખીન શિખર વિદ્વાનેએ પોતાના વિચારે દર્શાવ્યા છે. સાચે . મત શું છે તે તેા અહીં જે ચર્ચા આપવામાં આવી છે તે વિષે વિદ્વાન જ · નક્કી કરે એ વિનંતી છે, મા મને હવે નવી દલીલ જે સૂઝે છે તે આ છે—જૈન આગમમાં જીવભેદા સાથે સ્થાનની યાજના અનેક ઠેકાણે છે પણ જીવસમાસ અથવા ગુણસ્થાનની યાજના આગમમાં તા નથી જ. સમવાયાંગમાં માત્ર ઉલ્લેખ છે, ઉપરાંત ગુસ્થાન ૧૪ એ તેની કાઈ વાત ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રમાં પણ કહી નથી. તેથી ઉલટુ તત્ત્વાર્થ સૂત્રમાં માત્ર દેશ સ્થાનેાની ચર્ચા છે (૯૪૭) જે બૌદ્ધોની દૃશ ભૂમિનુ અનુસરણ છે. પણ્ ષટ્કંડાગમ તા જીવભેદમાં, માણાસ્થાના ઉપરાંત ૧૪ ગુણસ્થાનેાની યેાજના અનેકવાર કરે છે. આથી જણાય છે કે ગુણસ્થાન ૧૪ છે એ વિચારણા સ્થિર થયા પછી જ ષટ્યુંડાગમની રચના થઈ હશે, જ્યારે પન્નવામાં તા ૧૪ ગુણસ્થાને વિષે કશી જ ચર્ચા નથી માત્ર જીવભેદમાં માણાસ્થાનાાની યાજના કરવામાં આવી છે. પ્રજ્ઞાપનાની પ્રસ્તાવનામાં બીજો જે એક મુદ્દો વિચારણીય છે તે એ છે કે જૈનાના નમસ્કાર મંત્રના કોઈ ઇતિહાસ હોઈ શકે કે નહીં. પ્રસ્તુતમાં અતિ સંક્ષેપમાં મેં નવકારમંત્ર કેવી રીતે ઉત્તરાત્તર વિકસિત થયા તે દર્શાવવા પ્રયત્ન કર્યો છે (પૃ. ૯૯). આને મૌખિક વિરાધ પૂજ્ય મુનિશ્રી જમૂવિજયજીએ કર્યાં છે અને પરિણામે મારે જૈનાગમ ગ્રન્થમાળાના સંપાદન કાર્યાંથી છૂટા થવું પડયું છે. આશ્ચર્ય તા એ છે કે તેમણે પાતાને આ વાંધા મૌખિક જણાવ્યા છે અને હજુ સુધી આ બાબતમાં કાંઈ લખ્યું નથી. વળી આ વાત પૂ. પુણ્યવિજયજી સાથે મારા નામે પ્રકાશિત થયા છતાં આના વિરાધ તેમણે પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સમક્ષ દર્શાવ્યા હાય એવુ મારી માં નથી. તેમના અવસાન પછી વિરાધને મહાવીર વિદ્યાલયના ટ્રસ્ટીઓ સમક્ષ વ્યક્ત કરવામાં આવ્યે છે, એ જે હાય તે પણ વિદ્વાને વિનંતી કે આ બાબતે પણ નિર્ણય કરે, પ્રજ્ઞાપનાના પરિચય પછી નદી-અનુયાગની પ્રસ્તાવનાના અંશ આપવામાં આવ્યેા છે. અહી જૈનાગમા વિષે પુન: વિચારણા કરવામાં આવી છે. અને પછી Page #20 -------------------------------------------------------------------------- ________________ નંદી-અનુયાગમાં પ્રતિપાદિત વિષય ચર્ચાના સંક્ષેપ આપી અંતે વિસ્તારથી વ્યવહાર અને નિશ્ચયનયની આગમયુગની વિચારણા આપવામાં આવી છે. १७ મારા આ લખાણાનું મુદ્રણ-પ્રકાશન જેમણે જેમણે પૂ કાળે કર્યુ છે તેમના આભાર માનવા પ્રસંગપ્રાપ્ત છે. તેમાં વિશેષે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મ`ત્રીશ્રીને આભાર માનું છું, જેમણે બંને પ્રસ્તાવના પ્રકાશિત કરવાની સહ` મંજૂરી આપી છે. પ્રસ્તુત પ્રકાશનની બધી જ જવાબદારી મારા પરમમિત્ર હૈં।. કે. ઋષભચન્દ્ર સ્વીકારીને પ્રાકૃત જૈન વિદ્યાવિકાસ ગ્રન્થમાળામાં આને સ્થાન આપ્યું છે તે બદલ તેમના વિશેષ આભારી છું. ઉપરાંત મારા પરમમિત્ર ડૉ. હરિવલ્લભ ભાયાણીએ આના પ્રકાશનમાં જે રસ લીધા છે તે માટે તેમને પણ આભાર માનુ છુ. પરિશિષ્ટ બનાવવામાં અને પ્રશ્ન તપાસવા માટે મારા પુત્ર રમેશે સહાય કરી છે તેના નિર્દેશ પણ આવશ્યક છે. આ પુસ્તકના ટાઇટલ માટે શ્રી શશિકાંત પંચાલે ચિત્ર કરી આપ્યું છે તે બદલ તેમને પણ આભાર માનું છું. શ્રી ક્રિશ્ના પ્રિન્ટરીના માલિક શ્રી હરજીભાઈએ રસ લઈને મુદ્રણ કર્યું છે તે બદલ તેમનેા પણુ આભારી છેં. . ૮, આપેરા સેાસાયટી અમદાવાદ–૭ તા. ૨૮-૩ -'૯૧ દલસુખ માલવિયા Page #21 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૪૩ ૫૧ * ૧ જૈન સાહિત્યગત પ્રારંભિક નિષ્ઠા ૨ જૈન આગમ–જેનદર્શનનું મૂળ ૩ જેનાગમ ૪ આચારાંગ-સૂત્રકૃતાંગ-જૈન દાર્શનિક વિચારણાને આદિ કાળ ૫. સ્થાનાંગ–સમવાયાંગ ૬ પ્રતાપના ૭ જૈનાગમે ૮ નંદીસૂત્ર અનુગદ્વાર - ૧૦ આગમયુગના વ્યવહાર અને નિશ્ચયન ૨૮૯ ૩૨ ૩ ૩૪૧ ૩૬૭ પરિશિષ્ટા ४०३ - ૧ ગ્રન્થ-ગ્રન્થકાર ૨ વિષયસૂચિ શુદ્ધિપત્ર ૪૧૧ ૪૩૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ જેન સાહિત્યગત પ્રારંભિક નિષ્ઠા જેન સાહિત્ય સમારોહનું આ બીજું અધિવેશન છે. તેના પ્રમુખપદે મને બેસાર્યો છે, પણ મારાથી પણ વિશેષ યોગ્યતા ધરાવનારા વિદ્વાનો હોવા છતાં મને કેમ બેસાર્યો હશે તે વિચારું છું ત્યારે મારા પ્રત્યેને સંચાલકોને અનુરાગ હશે એમ માનવા મન થાય છે. એ જે હોય તે પણ જ્યારે હવે મારે પ્રમુખપદે બેસવું જ છે તે તે સ્વીકારી સંચાલકનો આભાર માનવાનું જ મારે માટે શેષ રહે છે. આભાર માની આગળ વધુ છું. સમારેહની તારીખે નિશ્ચિત કરવામાં જે થોડે વધારે વખત વિદ્વાનને આપવામાં આવે તો આવા સમારે સાર્થક બને એ પૂરે સંભવ છે. આમ ન બને તે ઘણા વિદ્વાનને આ સમારોહ માટે લખાણ તૈયાર કરવાનો પૂરો અવકાશ ન મળે અને તેને કારણે ઉચ્ચસ્તરના નિબંધો આપણને ન મળે તે સહજ વાત છે. બીજાની શી વાત કરું; મારે પણ આ ભાષણની તૈયારી જે પ્રકારની કરવી હતી તેને માટે પૂરે અવકાશ મળ્યો નથી. તેથી આમાં ક્ષતિ હોય તે નિભાવી લેવા વિનંતિ કરું તો અસ્થાને નહીં લેખાય. જેન સાહિત્યને જ્યારે આપણે અન્ય સાહિત્યથી જુદું પાડીએ છીએ ત્યારે તે શાથી? આ પ્રશ્ન છે. આનો ઉત્તર એ છે કે ભારતીય સાહિત્યમાં વેદથી માંડીને જે સાહિત્ય રચાયું છે તેમાં જેને આપણે જૈન સાહિત્ય તરીકે ઓળખીએ છીએ તે અન્ય વૈદિક સાહિત્યથી જુદું છે. તેનું મુખ્ય કારણ એ છે કે, જ્યારે અન્ય સાહિત્ય, વિશેષે ધાર્મિક સાહિત્ય વેદમૂલક છે એટલે કે વેદને પ્રમાણ માનીને રચાયું છે. જ્યારે જેને આપણે જૈન સાહિત્ય કહીએ છીએ તેનો પ્રારંભ વેદના પ્રામાણ્યના વિરોધને કારણે થયે છે. આ વિરોધ પ્રારંભમાં બે રીતે પ્રકટ થાય છે. એક તે ભાષાને કારણે અને બીજો પ્રતિપાદ્ય વસ્તુને કારણે. વેદિક સાહિત્યની ભાષા જે શિષ્ટ માન્ય સંસ્કૃત હતી તેને બદલે જૈન સાહિત્યનો પ્રારંભ પ્રાકૃત એટલે કે, લોકભાષાથી થયે વેદએ અને તેની ભાષાએ Page #23 -------------------------------------------------------------------------- ________________ *મન્ત્ર'નું પદ પ્રાપ્ત કર્યું હતું. તેથી તેના ઉચ્ચારણ આદિમાં કશે। ભેદ થવા ન જોઈએ, અને તેના વિધિપૂર્વકના ઉચ્ચાર માત્રથી કાર્યસિદ્ધિ થવાની ધારણા વૈશ્વિકામાં બંધાઈ હતી. આના વિરોધમાં જૈન સાહિત્યે પોતાની ભાષા પ્રાકૃત સ્વીકારી અને તીથ 'કરા લેાકેાની ભાષા અમાધિમાં ઉપદેશ આપે છે તેવી માન્યતા સ્થિર થઈ. એટલે પ્રારભિક જૈન સાહિત્યની રચના પ્રાકૃતમાં જ થઈ છે તે છેક ઈસાની ચેાથી સદી સુધી-તા આપણે જોઈ શકીએ છીએ. પણ જ્યારે ગુપ્ત કાળમાં સંસ્કૃત ભાષા અને વૈદિક ધર્મનું પુનરુત્થાન થવા લાગ્યું ત્યારે જૈનેાએ પણ પેાતાના સાહિત્ય માટે પ્રાકૃત ઉપરાંત સંસ્કૃત ભાષાને પણ અપનાવી. તે એટલે સુધી કે, મૂળ જૈન આગમાની ટીકાઓ ગદ્ય કે પદ્યમાં પ્રાકૃતમાં લખાતી હતી તેને બદલે ઈસાની આઠમી સદીના પ્રારંભથી તા સસ્કૃતમાં લખાવા લાગી અને પછી કદીએ ટીકાએ પ્રાકૃતમાં લખાઈ જ નહી. અને એકવાર પરંપરામાં સંસ્કૃત ભાષાને પ્રવેશ થયા એટલે સાહિત્યના બધા પ્રકારામાં પ્રાકૃતને બદલે મુખ્યપણે સંસ્કૃતને અપનાવવામાં આવી. આ તા ભાષાની વાત થઈ. હવે આપણે પ્રતિપાદ્ય વસ્તુ વિષે વિચારીએ. વેદ, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદોના કાળ પછીનું જ જૈન સાહિત્ય આપણને મળે છે, એ નિવિવાદ છે. એટલે વૈદિક સાહિત્યના પ્રભાવથી સથા મુક્ત એવું જૈન સાહિત્ય શકય જ નથી. પણ વૈદિક ધર્મોની જે નિષ્ઠા હાય, જે સિદ્ધાન્તા હોય તેમાંથી જૈન સાહિત્ય કથાં જુદું પડે છે, એ જ વિચારવાનું પ્રાપ્ત થાય છે. પ્રારંભમાં એવું બન્યું છે કે, વૈદિક વિચારને જ કેટલીક બાબતમાં અપનાવવામાં આવ્યા, પણ કાળક્રમે તેમાં પરિવર્તન કરવામાં આવ્યું. ઉદાહરણ તરીકે આચારાંગમાં આત્માના પારમાર્થિક સ્વરૂપના નિરૂપણમાં વૈદિક વિચાર જ નહીં, તેની પરિભાષા પણ અપનાવવામાં આવી પણ કાળક્રમે તેમાં પરિવર્તન કરવામાં આવ્યું, જ્યારે એમ માલૂમ પડયુ કે જૈનસંમત સ્વતંત્ર વિચાર સાથે વેદસંમત આત્મસ્વરૂપના સમગ્રભાવે મેળ નથી. આચારાંગમાં એક બાજુ એમ કહેવામાં આવ્યું કે, આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે. આ મૌલિક વિચારની સાથે આત્માની વૈશ્વિક સમત વ્યાપકતાને! મેળ સંભવ જ નથી. આથી આત્માને દેહપરિમાણુ સ્પષ્ટ રૂપે સ્વીકારીને તેની વેદસંમત વ્યાપકતાને નિષેધ કર્યાં, અને પરિણામે આચારાંગમાં જે એમ કહેવામાં આવ્યું હતુ, કે આત્મા નથી દી કે સ્વ તેને બદલે તેને હૂસ્વ-દી Page #24 -------------------------------------------------------------------------- ________________ સ્વીકારવામાં આવ્યું અને તે સંસારી આત્મા પૂરતું જ મર્યાદિત ન રહ્યું પણ સિદ્ધ આત્મામાં પણ સ્વીકારી લેવું પડ્યું. વૈદિક વિચારમાં ઉપનિષદ સુધીમાં સમગ્ર વિશ્વનું મૂળ કોઈ એક તત્ત્વ છેઆવી વિચારણાને પુષ્ટ કરવામાં આવી છે. અર્થાત્ એક માત્ર બ્રહ્મ કે આત્મા જ વિશ્વ પ્રપંચના મૂળમાં છે એવી વિચારણા વૈદિકમાં દઢ થતી આવી અને ઉપનિષદોમાં તે વિચારને અંતિમ રૂપ આપવામાં આવ્યું. પણ જૈન આગમમાં ચિત્ત અને અચિત્ત કે ચિત્તમંત કે, અચિત્તમંત અથવા જીવ અને અજીવ આ બે તો જ સ્વીકારવામાં આવ્યા છે. વળી આ વિશ્વની ઉત્પત્તિની વિચારણે વૈદિક સાહિત્યમાં થઈ હતી. અને ઈશ્વર જેવા અલૌકિકતત્ત્વની પ્રતિષ્ઠા વૈદિકેએ કરી હતી. તેને સ્થાને આ વિશ્વ અનાદિકાળથી વિદ્યમાન છે અને અનાગતમાં રહેવાનું છે એટલું જ નહીં પણ જ્યારે આમ છે ત્યારે અધિનાયક ઈશ્વર જેવા તત્વનો પણ અસ્વીકાર એ જૈન તત્ત્વજ્ઞાનની વિશેષતા છે, જે જૈન સાહિત્યમાં સારા પ્રમાણમાં પ્રગટ થતી રહી છે. કર્મની પ્રતિષ્ઠા યજ્ઞકર્મરૂપે મુખ્યત્વે વૈદિકમાં હતી, સારાંશ કે યજ્ઞકર્મને સ્વીકાર વેદિકમાં હતો, પરંતુ સમગ્ર પ્રકારના કર્મ અને તેના ફળની ચર્ચા અત્યંત ગૌણ હતી. એથી જ કર્મસિદ્ધાંતની ચર્ચા ઉપનિષદ સુધી તો ગુઘવિદ્યા હતી જેની ચર્ચા સૌ સમક્ષ નહીં પણ એકાંતમાં કરવી પડતી. યજ્ઞકર્મની પ્રતિષ્ઠા ઉપનિષદોમાં ઘટાડવામાં આવી અને તેને સ્થાને જ્ઞાનમાર્ગની પ્રતિષ્ઠા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પણ કર્મને નામે યજ્ઞકર્મની પ્રતિષ્ઠાનું નિરાકરણ જૈન સાહિત્યમાં સ્પષ્ટ છે. એટલું જ નહીં પણ કમૅવિચારણા આગવી રીતે જૈન સાહિત્યમાં દેખાય છે. તેમાં પ્રથમ તો એ કે આત્માની વિશુદ્ધિ માટે કે આત્મસાક્ષાત્કાર માટે માત્ર જ્ઞાનનું જ મહત્ત્વ નહીં પણ જ્ઞાન અને ક્રિયા બનેનું સરખું મહત્ત્વ છે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું. અહીં ક્રિયા એટલે સત્કર્મ અથવા સદાચરણ સમજવાનું છે. ઉપનિષદોએ જ્ઞાનમાર્ગની પ્રતિષ્ઠા કરવા માટે પ્રયત્ન કર્યા પણ, સદાચાર કે સદાચરણ શું, તેનું જોઈએ તેવું સ્પષ્ટીકરણ તે સાહિત્યમાં દેખાતું નથી, આથી જ પરિગ્રહના પાપ વિષે કે હિંસાના પાપ વિષે ઉપનિષદો આપણું માર્ગદર્શક બની શકે તેમ નથી. જ્યાં બધું જ આત્મસ્વરૂપ હોય ત્યાં કેણ કોને મારે અને કેણુ શું લે કે છેડે આવી વિચારણાને બહુ અવકાશ રહેતો નથી. આથી સદાચારના જે ધોરણ જૈન સાહિત્યમાં Page #25 -------------------------------------------------------------------------- ________________ સ્થાપવામાં આવ્યાં તે વૈદિક સાહિત્યમાં કે જે ઉપનિષદો સુધી વિકસ્યું હતું તેમાં એ ધોરણની કઈ વિશેષ ચર્ચા જોવા મળતી નથી. જ્યારે જૈન સાહિત્યમાં તો એ ધોરણોની જ મુખ્ય ચર્ચા તેના પ્રારંભિક સાહિત્યમાં જોવા મળે છે. અને જે ધરણે તેમાં સ્થપાયાં તેની જ પુષ્ટિ અર્થે સમગ્ર જૈન ધાર્મિક સાહિત્ય પ્રયત્નશીલ રહ્યું છે. અને તેની છાપ ઉપનિષદ પછીના વૈદિક વાડમયમાં પણ જોવા મળે છે. કર્મવિચારણામાં જૈન સાહિત્યની આગવી વિશેષતા એ છે કે કર્મ કરનારને તેનું ફળ એ કર્મ જ આપે છે. વૈદિક મતે યજ્ઞકર્મમાં તેના ફળ માટે પ્રથમ દેવની અપેક્ષા હતી પણ પછી તો એ દેવતાને મંત્રમથી સ્વીકારવામાં આવ્યાં અને તેથી કર્મનું ફળ વાસ્તવિક દેવતાને અધીન ન રહ્યું પણ મંત્રને આધીન રહ્યું. આથી મંત્રના જ્ઞાતાનું મહત્ત્વ વધ્યું. અને તેઓ જ સર્વશક્તિસંપન્ન મનાવા લાગ્યા. આ પરિસ્થિતિનો સામનો જેને સાહિત્યમાં બે રીતે થયો. એક તો એ કે એ મન્ચોની શક્તિનું નિરાકરણ, સંસ્કૃત ભાષાનું જ નિરાકરણ કરી કરવામાં આવ્યું અને બીજુ એ કે મંત્રમાં એવી કોઈ શક્તિનો અસ્વીકાર જ કરી દેવામાં આવ્યું અને તેને સ્થાને કમરમાં જ ફળદાયિની શક્તિને સ્વીકાર કરવામાં આવ્યો. આમ કર્મ કરનારનું જ કર્મના ફળ અંગે મહત્ત્વ થયું એટલે જે જેવું કરે તેનું તેવું ફળ તે પામે. આ વાત સિદ્ધાંતરૂપે થઈ. આ રીતે કર્મનું ફળ દેવાની શક્તિ દેવતા કે ઈશ્વર કે મન્ચમાં નહીં. પણ એ કર્મમાં જ છે, જેને લીધે ફળ મળે છે–આ સિદ્ધાંત સ્થિર થયે, એટલે સ્વયં મનુષ્ય જ શક્તિસંપન્ન થયો. માત્ર મનુષ્ય જ નહીં. પણ સંસારના સમગ્ર જી પિતાના કર્મને માટે સ્વતંત્ર થયા. આમ જીવને તેના સ્વાતંત્ર્યની ઓળખાણ સર્વપ્રથમ જૈન સાહિત્યમાં જોવા મળે છે. આ સિદ્ધાંતથી એ પણ ફલિત થયું કે સંસારમાં આ જીવ તેના પોતાના જ કર્મને કારણે ભ્રમણ કરે છે અને દુઃખી થાય છે. તેને પરમાર્થ માટે અન્ય કોઈ વ્યકિત કારણ નથી. અને જે આમ છે તો તેના શાશ્વત સુખ માટે તેણે પોતે જ પ્રયત્ન કરવાનો છે. તેને બીજો કોઈ સુખ આપી દેવાને નથી. તે તો તેણે પોતાના અંતરમાંથી જ મેળવવાનું છે. અને તેને ઉપાય છે-કર્મવિહીન થવું તે. જૈનોનું પ્રાચીનતમ પુસ્તક આચારાંગ છે અને એમાં કર્મવિહીન કેમ થવું --જેથી સંસાર પરિભ્રમણ ટળે અને પરમસુખની નિર્વાણ અવસ્થા પ્રાપ્ત થાય Page #26 -------------------------------------------------------------------------- ________________ તે સમજાવવામાં આવ્યું છે. વૈદિકના કર્મકાંડી યજ્ઞમાર્ગ અને ઉપનિષદોના જ્ઞાનમાર્ગથી આ માર્ગ––એટલે કે કર્મવિહીન થવાને આ માર્ગ સાવ નિરાળ છે. સામાયિક અથવા સમભાવને સિદ્ધાંત કર્મવિહીન થવાને માર્ગ છે. તદનુસાર સર્વ જીવો સમાન છે–એટલે કે કોઈને દુ:ખ ગમતું નથી, કોઈને મૃત્યુ ગમતું, નથી, સૌને સુખ ગમે છે, જીવવું ગમે છે. માટે એવું કશું ન કરો જેથી બીજાને દુ:ખ થાય. આ છે સામાયિક અને તેને સર્વ પ્રથમ ઉપદેશ. ભ. મહાવીરે જ આપ્યો છે એમ સૂત્રકૃતાંગમાં સ્પષ્ટીકરણ છે. આવા સામાયિક માટે સર્વસ્વનો ત્યાગ કરે તો જ બીજાના દુ:ખના તમે નિમિત્ત નહીં બનો. એટલે ઘરસંસારથી વિરત થાવ અને ભિક્ષાર્થી જીવનયાપન કરે એમ કહ્યું છે. ઘરસંસાર માંડ્યો હોય તો અનેક પ્રકારનાં કર્મો કરવાં પડે છે, જે બીજાને દુ:ખદાયક છે. આથી બીજાના દુ:ખનું નિમિત્ત ન બનવું હોય તો સંસારથી વિરકત થવું એ જ સાચો માર્ગ છે. ભિક્ષાવી થવાની પણ મર્યાદા છે અને તે એ કે જે કાંઈ પિતા નિમિત્તે થયું હોય તેનો સ્વીકાર ન જ કરવો. કારણ, આથી પોતે હિંસા ભલે ન કરતો હેય પણ બીજા પાસે એ કરાવતો હોય છે. પરિણામે આહાર આદિ આવશ્યકતાઓમાં મર્યાદા મૂકવી પડે અને તપસ્વી બનવું પડે. આથી આપણે જોઈએ છીએ કે, જૈન ધર્મમાં તપસ્યાનું મહત્ત્વ સ્થાપિત થયું. વૈદિકમાં ભિક્ષાજવી માટે આવી કોઈ મર્યાદા નથી. બૌદ્ધોમાં પણ નથી, અને અન્ય શ્રમણ સંપ્રદાયમાં પણ નથી. આથી જૈન સાહિત્યમાં અનશન આદિ તપસ્યાને વિશેષ મહત્વ અપાયું છે. તપસ્યા તો પૂર્વે પણ થતી. પરંતુ તે બીજા પ્રકારે એટલે કે એ તપસ્યામાં બીજા જીવોના દુઃખને વિચાર ન હતો. જેમ કે પંચાગ્નિ તપસ્યા. આમાં પિતાના શરીરને કષ્ટ છે એની ના નહીં, પણ અન્ય કીટપતંગને પણ કષ્ટ છે તેનું જરાપણ ધ્યાન તેમાં અપાયું નથી. અગ્નિ આદિમાં જ છે. એને તો વિચાર સરખો પણ જૈન સાહિત્યપૂર્વે થયું જ નથી. આથી જ આચારાંગમાં સર્વપ્રથમ વછવનિકાયનું સ્વરૂપ બતાવ્યું. જેણે અહિંસક બનવું હોય, પરદુ:ખદાયક ન બનવું હોય તેણે એ તો જાણવું જ જોઈએ કે ક્યાં, કેવા છે. એ જાણ્યા વિના અન્ય જીવોના કષ્ટને ખ્યાલ જ ન આવે. એ જાણ્યા હોય તે પછી જ મનુષ્ય અહિંસક બની શકે. આમ તપસ્યાનું રૂપ જ બદલાઈ ગયું, જેને પ્રારંભ જૈન સાહિત્યમાંથી જ મળી શકશે. વળી આ તપસ્યાને ઉદ્દેશ કેઈ શક્તિ પ્રાપ્ત કરી બીજાનું ભલું–બૂર કરવું એ નથી પણ એક માત્ર આત્મવિશુદ્ધિ જ તેનું ધ્યેય છે. સંગ્રહ કરેલ Page #27 -------------------------------------------------------------------------- ________________ કર્મીના ક્ષય કરવામાં જ તેના ઉપયાગ છે. જેથી શીઘ્ર ક`વિહીન થઈ શકાય. ધાર્મિક સદાચારની એક વિશેષતા એ પણ છે કે ધાર્મિક અનુષ્ઠાન એ વ્યક્તિગત છે. સામૂહિક નથી. યના જે થતાં તે પુરૈાહિતના આશ્રય કે સહાય. વિના થતા નહીં, પણ જૈન ધર્મોમાં ધાર્મિક કાઈ પણ અનુષ્ઠાન હેાય તે વ્યક્તિગત જ હોય. સામુહિક ન હેાય—ભલે જીવે સમૂહમાં રહેતા હાય, એક ઠેકાણે એકત્ર થઈ ધાર્મિક અનુષ્ઠાન કરતાં હોય, પણ તે અનુષ્ઠાન તા વૈયક્તિક જ હાવું જોઈએ. આવી જૈન ધર્મની પ્રારંભિક માન્યતા હતી. જીવ પેાતે જ પેાતાનેા માદક છે. અને માર્ગે ચાલનાર પણ છે. બીજો પ્રેરક હાય તેવું બને પણ પ્રેરણા પ્રાપ્ત કરી અનુષ્ઠાન તે વ્યક્તિએ જ કરવાનુ રહે છે. આથી આના પ્રેરક તીર્થંકર થયા, ધર્માનુષ્ઠાનનેા મા કરી આપનાર થયા પણ તેમના બતાવેલ માર્ગે જવાનું કામ તો સાધકનું જ નિશ્ચિત થયું. આથી ઈશ્વરનું સ્થાન જૈન સાહિત્યમાં તીથંકરે લીધું. જે માત્ર માદક કે મા કારક છે, પણ તે ખીજાનું કલ્યાણ કરવા કે તેને દંડ દેવા શક્તિમાન નથી. તેમના આશીર્વાદથી કશું થાય નહી. પણ તેમના દેખાડેલા માર્ગે ચાલીને જ કાઈ પેાતાનું કલ્યાણ કરી શકે છે. આમ ભક્તિ ખરી પણ તે એકપક્ષીય ભક્તિ જૈન સાહિત્યમાં પ્રતિષ્ઠિત થઈ. એ ભક્તિમાં લેવડ-દેવડ નથી. માત્ર આદર્શ ની ઉપસ્થિતિ છે. આમ જૈન દર્શનમાં ઈશ્વરની કે ભગવાનની સમગ્રભાવે નવી જ કલ્પના ઉપસ્થિત થઈ અને એની પુષ્ટિ સમગ્ર જૈન સાહિત્યમાં જોવા મળે છે. જેનેએ વૈશ્વિકાની જેમ અનેક મદિરા-પૂજા આદિ ભક્તિ નિમિત્તે ઊભાં કર્યાં પણ તેમાં બિરાજમાન ભગવાન વીતરાગી છે એટલે ભક્તની ભક્તિથી પ્રસન્ન પણ નથી થતા અને અભક્તિથી નારાજ પણ નથી થતા. આ પ્રકારની કેટલીક મૌલિક વિશેષતાએથી આગમ નામે એળખાતું જૈન સાહિત્ય સમૃદ્ધ છે. એ સાહિત્યની જે ટીકા રચાઈ તેમાં મૌલિક ધારણાઓ તો કાયમ જ રહી પણ જે કઠેર આચરણની અપેક્ષા મૂળમાં રાખવામાં આવી હતી. તેનું પાલન સહજ ન હતું અને વળી ધર્માં જ્યારે એક સમૂહને ધ અને છે, તેના અનુયાયીઓને એક વિશાળ સમાજ બને છે, ત્યારે તેના મૌલિક કઠાર આચરણમાં દેશ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તીત કરવું પણ અનિવાયૅ બને છે. અને તે માટેની સગવડ મૂળ આગમના ટીકાકારાએ કરી આપી છે. અહિંસા આદિની જે મૌલિક વિચારણા હતી તેમાં બાંધછેડ પુણ્ કરી આપી છે. તે ત્યાં સુધી કે એ બંધછેડ એવી બની ગઈ કે ગીતાની Page #28 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને જૈન આગમની ટીકાની અહિંસામાં વિશેષ ભેદ રહ્યો નહીં. આમ પરિસ્થિતિએ પલટો ખાધે તેમાં પણ ભગવાન મહાવીરે યજ્ઞ આદિમાં જે આત્યંતિક હિંસા હતી તેના સ્થાને આત્યંતિક અહિંસાનું પ્રતિપાદન કર્યું હતું, તે હવે ઢીલું પડયું. બે આત્યંતિક બહુ લાંબો કાળ ટકે નહીં. એ હકીકત છે એટલે છેવટે મધ્યમાર્ગીય અહિંસા પણ થઈ અને હિંસા પણ મધ્યમાર્ગે આવી ઊભી રહી. ધર્માચરણમાં યજ્ઞોના અનુષ્ઠાનમાંથી હિંસા લગભગ નિરસ્ત થઈ તેમ અહિંસાના અતિ કઠોર માર્ગમાંથી અહિંસાનું આચરણ પણ મધ્યમ માર્ગે આવી ઊભું રહ્યું. “અતિ સર્વત્ર વર્જયેતુને સિદ્ધાંત જ છેવટે સ્વીકાર્ય બને છે, તે આ આત્યંતિક હિંસા અને આત્યંતિક અહિંસાના ઇન્દ્રમાં પણ જોવા મળે છે. પૂર્વવર્ણિત જેન નિષ્ઠાઓને આધાર બનાવી આગમેતર સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાયું છે. તેનું એકમાત્ર ધ્યેય અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને પુષ્ટ કરવાનું છે. જેન આચાર્યોએ લલિતવા-મયનું પણ જે ખેડાણ કર્યું, અને તે નજીવું નથી, તેમાં પણ આ મૌલિક ધ્યેયને તેઓ ભૂલ્યા નથી. શૃંગારપ્રધાન કૃતિ રચે પણ તેનું છેવટ તે સાધુનો આચાર સ્વીકારવામાં આવે અને તેને પરિણામે મોક્ષ જેવા પરમ ધ્યેયની પ્રાપ્તિમાં પર્યાવસાન હોય, અને બીજે પક્ષે જે હિંસા આદિ દૂષણે હોય તો તેનું પરિણામ નરક્યાતના દેખાડવામાં આવે. આમ સણની પ્રતિષ્ઠા અને દુષ્ટગુણનું નિરાકરણ આ ધ્યેય સ્વીકારીને ભારતીય સાહિત્યમાં અજોડ એવું કથા-સાહિત્ય જૈન આચાર્યોએ મધ્યકાળથી માંડીને આજ સુધી આપ્યું છે. એ સમગ્ર સાહિત્યના વિવરણનું આ સ્થાન નથી. માત્ર તેને સૂર કરે છે. એ જ જાણવું આપણે માટે બસ છે. જન આચારને પા જે સામાયિક છે તો જનવિચાર અથવા દર્શનને પાયો નયવાદથી નિષ્પન્ન અનેકાંતવાદ છે. જીવો પ્રત્યે સમભાવ એ જે આચારમાં સામાયિક હોય તો વિભિન્ન વિચાર પ્રત્યે આદરની ભાવના કેળવવી હોય તો નયવાદ અનિવાર્ય છે. અર્થાત વિચારમાં સમભાવ એ જૈન દર્શનનો પણ પાયો માનીએ તે ઉચિત જ ગણાશે. આથી પ્રાચીનતમ નહીં એવા આગમમાં પછીના કાળે જે દ્રવ્યાર્થિક–પર્યાયાર્થિક નો પ્રવેશ્યા તે વૈચારિક સમભાવની મહત્તા સમજાવવાની દૃષ્ટિથી જ પ્રવેશ્યા હશે તેમ માનવું રહ્યું. આમ શાથી માનવું તેની થોડી ચર્ચા જરૂરી છે એટલે અહીં કરે તો અસ્થાને નહીં લેખાય. કારણ કે ભારતીય દર્શનમાં વિવાદ નહીં પણ સંવાદ લાવવાનો જે મહાન પ્રયત્ન જૈન દાર્શનિકેએ કર્યો છે તે અભૂતપૂર્વ છે એમાં સંદેહ નથી. Page #29 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનું કે દાર્શનિક સાહિત્યનું વાસ્તવિક નિર્માણ ક્યારે થયું તો તેને જવાબ છે કે તે આચાર્ય ઉમાસ્વાતિના તત્ત્વાર્થ સૂત્રથી. તે પૂર્વે અન્ય ભારતીય દર્શનમાંના વિચારની વ્યવસ્થા થઈ ચૂકી હતી. તેનું સમર્થન પણું થઈ રહ્યું હતું અને તે આજ લગી ચાલુ જ છે, તેના ઉચિત સમર્થન સાથે, જ્યાં સુધી બે વિરોધી પક્ષોની ઉપસ્થિતિ થાય નહીં, ત્યાં સુધી સ્યાદ્વાદને અવકાશ જ નથી. તત્ત્વાર્થસૂત્રગત જેન તરની વ્યવસ્થાનું સમર્થન કરવું જરૂરી હતું અને તેના સમર્થનમાંથી જ નયવાદને ઉદય થયો જેને પરિણામે જેનોને અને કાંતવાદ દાર્શનિકક્ષેત્રે પ્રચલિત બન્ય. આચાર્ય સિદ્ધસેને ભારતીય વિવિધ દાર્શનિક મંતવ્યોની સંમતિતમાં ફાળવણી વિવિધ નયામાં કરીને અનેકાંતવાદનો માર્ગ મોકળો કરી આપ્યો. એટલે તેના વિસ્તારરૂપે આચાર્ય મલવાદીએ નયચક્રની રચના કરીને એ બતાવવા પ્રયત્ન કર્યો, કે ભારતીય દર્શનેમાં એકઅનેક–આદિ કે સત્કાર્ય આદિ કે પુરુષ–નિયતિવાદ આદિ કે ધ્રુવ...અધવ આદિ કે વા–અવાચ્ય આદિ જે જે વિવિધ મંતવ્યો છે, તે એક જ વસ્તુને વિવિધ દૃષ્ટિએ જોવાના માર્ગો છે. તે સંપૂર્ણ સત્ય નથી પણ આંશિક આપેક્ષિક સત્ય છે. એ બધા પરસ્પરના વિરોધી વાદોમાં પોતાની દૃષ્ટિને જ સાચી માનવાથી અને વિરોધીઓની દૃષ્ટિને મિથ્યા માનવાથી વિરોધ દેખાય. પણ એ બધી દષ્ટિઓને, એ બધા વાદોને સ્વીકારવામાં આવે તો જ વસ્તુના સંપૂર્ણ સત્યદર્શન પ્રત્યે પ્રગતિ સધાય. આવું સિદ્ધ કરવા તેમણે તે તે પ્રત્યેક વાદની સ્થાપના અને અન્ય દ્વારા ઉત્થાપના બતાવી સૌને પ્રબળ અને નિર્બળ દેખાડવા પ્રયત્ન કર્યો છે અને તેથી જ તે તે વાદીએ પિતાની જ નહીં પણ અન્યની દષ્ટિને પણ સ્વીકારવી અનિવાર્ય છે, એમ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે અને એ પ્રકારે નયવાદથી નિષ્પન્ન અનેકાંતવાદ વસ્તુનું સમગ્રભાવે યથાર્થદર્શન કરાવવા સમર્થ છે એમ સિદ્ધ કર્યું છે. મલવાદીએ સ્થાપેલી આ જૈનદાર્શનિક નિષ્ઠાને આધારે સમગ્ર જૈન દાર્શનિક સાહિત્યનું ખેડાણ થયું છે, અને ભારતીય દાર્શનિકેના સંવાદ સ્થાપી આપવા પ્રયત્ન થયો છે. ધાર્મિક અને દાર્શનિક ઉપરાંત વ્યાકરણ, અલંકાર, નાટક, સંગીત-નૃત્ય આદિ વિવિધ સાહિત્યની લૌકિક વિદ્યામાં પણ જેનેનું પ્રદાન નજીવું નથી. તે જૈન સાહિત્ય એટલા જ માટે છે કે તે જેનોએ રચ્યું છે, પણ વાસ્તવિક રીતે તેને જૈન ધર્મ કે નિષ્ઠા સાથે કરશે સંબંધ નથી. એટલે તે જૈન રચિત સાહિત્ય ખરું Jain Education Infernational Page #30 -------------------------------------------------------------------------- ________________ પણ એના વિષે જૈન સંસ્કૃતિ પૂરતા જ સીમિત નથી. તે સાર્વજનિક છે. સર્વોપગી છે, માત્ર જેનના વાડામાં તેને બાંધી શકાય નહીં. તે એટલા માટે કે જૈન સાહિત્યનું જે મુખ્ય લક્ષણ કે ધ્યેય છે કે તે આત્માને કર્મથી મુક્ત થવામાં સહાયક બને જ. આ લક્ષણ આ પ્રકારના લૌકિક સાહિત્યમાં મળતું નથી તેથી તેને જૈન સાહિત્યની અંતર્ગત કરવું આવશ્યક નથી. માત્ર વિદ્વાનોની તે તરફ ઉપેક્ષા છે તેના નિવારણ અર્થે તેને પરિચય જૈન સાહિત્યમાં અપાય તો તે ઉચિત જ છે. પ્રસ્તુત વ્યાખ્યાનમાં જૈન સાહિત્યની જે નિષ્ઠા છે તેને આછા પરિચય આપવા પ્રયત્ન છે. આ કાંઈ આખરી શબ્દ નથી. વિચારકે વિશેષ ચર્ચા-વિચારણા કરે અને નિર્ણય ઉપર આવે એવી વિનંતી કરું તો અસ્થાને નથી. આટલું વિચારવા માટે મને સમારોહના સંચાલકોએ જે અવકાશ આપ્યો અને આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌને અત્યંત આભારી છું. (મહુવાના જૈન સાહિત્ય સમારોહમાં પ્રમુખપદેથી કરેલું પ્રવચન તા. ૨-૨–૭૯) Page #31 -------------------------------------------------------------------------- ________________ Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમ–જૈન દર્શનનુ મૂળ જૈન દા`નિક સાહિત્યનું વિભાજન આગમિક અને દાર્શનિક એમ છે. આગમિક સાહિત્ય એ દાનિક સાહિત્યના આધારરૂપ છે તે એ અથ માં કે જૈન અેનની મૌલિક ધારણાએ તેમાં સ્થાપિત થઈ છે અને તેનું અનુસરણ પછીના દાર્શનિક સાહિત્યમાં અનિવાયપે થયું છે. આગમિક સાહિત્યનું સકલન ભ. મહાવીરના ઉપદેશને અનુસરી ભ. મહાવીરના નિર્વાણથી માંડીને એક હાર વર્ષ સુધી થતું રહ્યું છે. અને સામાન્ય રીતે તે પછી દાનિક સાહિત્યની રચના થઈ છે. દાનિક સાહિત્યના પુરસ્કર્તા આચાય ઉમાસ્વાતિ છે. આગમિક સમગ્ર સાહિત્ય પ્રાકૃતમાં છે જ્યારે દાનિક સાહિત્ય પ્રધાનરૂપે સંસ્કૃતમાં છે. અને તેના પ્રારંભ આચાય ઉમાસ્વાતિના સંસ્કૃતમાં રચિત તત્ત્વાર્થ સૂત્રથી થાય છે. આચાય ઉમાસ્વાતિને સમય ચેાથી શતાબ્દી ગણાય છે.. આગમિક અને દાર્શનિક સાહિત્યની વિભાજક રેખા શી—એને વિચાર અહી જરૂરી છે. આગમામાં જૈન દર્શનનું વ્યવસ્થિત નિરૂપણ નથી. જૈન મન્તબ્યાની પ્રાસંગિક ચર્ચા તેમાં વિખરાયેલી મળી આવે છે પણ જેમ તત્ત્વાર્થીમાં પ્રથમ સૂત્રમાં ઉદ્દેશનું નિરૂપણ કરી ક્રમે સમગ્ર વિષયેાની ચર્ચા જે રીતે કરવામાં આવી છે તે રીત આગમામાં અપનાવવામાં આવી નથી. તત્ત્વાર્થ સૂત્રને આધાર આગમા જ છે કારણ તેમાં નિરૂપાયેલ એકેએક બાબતનું મૂળ આગમામાં છે જ અને તે આચાય આત્મારામજીએ. 'તત્ત્વાર્થસૂત્ર જેનાગમ સમન્વય’માં અત્યંત સ્પષ્ટરીતે સિદ્ધ કરી આપ્યું છે. તત્ત્વા સૂત્ર એ દાનિક કોટિના સૂત્રગ્રન્થ છે છતાં તે પરીક્ષાપ્રધાન ગ્રન્થ નથી. તેમાં ઉદ્દેશ અને વિભાગ ઉપરાંત લક્ષણા મળી આવે છે પણ પરીક્ષા નથી. દાનિક સૂત્રેામાં વૈશેષિક દર્શન જેવા સૂત્રગ્રન્થાની કાર્ટિને એ ગ્રન્થ છે. પરંતુ ન્યાયસૂત્રની કાટિમાં એ ગ્રન્થને મૂકી શકાય તેમ નથી. પરંતુ તત્ત્વાર્થ સૂત્રની જે ટીકા રચાઈ તેમાં મૂળસૂત્રની એ ક્ષતિને દૂર કરવામાં Page #33 -------------------------------------------------------------------------- ________________ આવી છે અને તે રીતે સટીક તત્વાર્થસૂત્ર એ જૈન દર્શનનો ઉત્તમ ગ્રન્થ સિદ્ધ થાય છે એટલું જ નહિ પણ તે જૈન દર્શનમાં પ્રવેશ પામતા ક્રમિક વિચારવિકાસને નિદર્શક ગ્રન્થ પણ બની રહ્યો છે. - જૈન દર્શનની કઈ એવી મૌલિક ધારણાઓ છે જેનું મૂળ આગમમાં મળી આવે છે તે હવે વિચારીએ. પ્રમાણ, પ્રમિતિ, પ્રમેય અને પ્રમાતા આ પ્રમાણે વિષય વિભાગ દાર્શનિક વિચારણામાં કરવામાં આવે છે, તેથી તેને અનુસરીને જ અહીં ક્રમે એક એક વિષય વિષે વિચાર કરવો જરૂરી છે. - તત્ત્વાર્થસૂત્રમાં પ્રત્યક્ષ અને પરાક્ષ એ પ્રમાણ વિભાગ કરવામાં આવ્યો છે. આગમાં પ્રમાણ વિભાગ બે રીતે જોવા મળે છે એક રીતે પ્રમાણના ચાર ભેદ કરવામાં આવ્યા છે–પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ. અને બીજી રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ. આ બીજી રીતમાં વસ્તુતઃ પ્રમાણના ભેદ નથી કરવામાં આવ્યા પણ જ્ઞાનના તે પ્રકારે ભેદ કર્યા છે, અને તેથી જ આચાર્ય ઉમાસ્વાતિએ કહ્યું કે પાંચ જ્ઞાનો એ જ બે પ્રમાણે છે, અને આમાંથી જ “જ્ઞાન” એ જ પ્રમાણ છે એવી જેના દર્શનની માન્યતા સ્થિર થઈ અને જે જ્ઞાન ન હોય તે પ્રમાણુ ન હોય તે માન્યતા સ્થાપવામાં આવી. પરિણામે જ્ઞાન ઉપરાંત સન્નિકર્ષ જેવા પદાર્થને જે જ્ઞાનરૂપ ન હતો તેને પ્રમાણિકટિમાંથી બહાર કરવામાં આવ્યો છે. જ્ઞાનને જ પ્રમાણ માનનાર બૌદ્ધ દર્શન સાથે જૈન દર્શનનું આ બાબતમાં સામ્ય જે દેખાય છે તે બૌદ્ધદર્શનના અનુકરણરૂપે નથી પરંતુ જૈન-આગમની માન્યતા તેના મૂળમાં છે તે ધ્યાન દેવા જેવી બાબત છે. પ્રમાણના જે ચાર વિભાગ કરવામાં આવ્યા છે તે માત્ર લેકનુસરણ કરીને છે એમ નથી. પરંતુ તે વિભાગનો વિસ્તાર જૈન આગમમાં આગવી રીતે કરવામાં આવ્યો છે. તેની સાક્ષી જેન આગમ અનુગદ્વાર સૂત્ર આપે છે. પ્રમાણશબ્દ તેના દર્શનોમાં વપરાયેલ માત્ર પરિભાષિક અર્થમાં આગમમાં વપરાયેલ નથી પરંતુ તેના શક્ય તેટલા બધા જ અર્થમાં એ શબ્દનો પ્રયોગ આગમમાં છે, તે અનુયાગદ્વારમાં પ્રમાણનું જે વિવેચન છે તેમાંથી જે અર્થે ફલિત થાય છે તે જોતાં અત્યંત સ્પષ્ટ છે. આથી દર્શન ક્ષેત્રે પ્રમાણે તેના સંકુચિત અર્થમાં છે અને તે આગમમાં જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે ભેદ કરવામાં આવ્યા હતા તેનો સ્વીકાર પ્રમાણરૂપે કરીને આચાર્ય ઉમાસ્વાતિએ સ્પષ્ટ કરી આપ્યું છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રમાણની ચર્ચામાં અવાંતર ચર્ચા નયા વિષે પણ દાનિક કાળમાં થઈ છે તેનું પણ મૂળ આગમામાં છે જ, દ્રવ્યનય અને પર્યાંયનય એ દાર્શનિક કાળના સાત નયેાના મૂળમાં છેઅને તેની ચર્ચા આગમેામાં અનેકત્ર થયેલી જોવા મળે છે. સાત નયેાનો વિસ્તાર પણ અનુયાગદ્વાર જેટલા તો જૂનો છે જ. આમ પ્રમાણ અને નય એ વસ્તુને–વિષયને જાણવાના એ સાધનો છે—એનું મૂળ આગમમાં મળી આવે છે. દનકાળમાં આ બન્નેની ચર્ચા અન્ય નોની માન્યતાના સંદર્ભ માં કરવામાં આવી છે એ દનકાળની વિશેષતા છે. પ્રમિતિ અને પ્રમાણનેા ભેદ છે કે અભેદ ઇત્યાદિ ચર્ચા દાનિક સાહિત્યમાં મળે છે પરંતુ જૈન દનમાં એ એમાં અભેદ પણ માનવામાં આવ્યેા છે આનુ મૂળ પણ આચારાંગ નામના જૈન આગમમાં મળી રહે છે. પ્રમેય એટલે કે પ્રમાણના વિષય તે બાબતમાં નિરૂપણ જૈન આગમેામાં પંચાસ્તિકાયરૂપે અથવા તો જીવ અને અવરૂપે અથવા ષડૂદ્રવ્યરૂપે મળી આવે છે. વળી વિષયનિરૂપણ દાનિક ક્ષેત્રે મેક્ષાપયેાગી વિષયની દૃષ્ટિએ પણ થતું આવ્યું છે તો તે પ્રકાર પણ નવતત્ત્વ અથવા સાત તત્ત્વરૂપે પણ જૈન આગમેામાં મળી આવે છે. વિષય વિભાગ ઉપરાંત વિષયના સ્વરૂપ વિષેની તથા તેમના લક્ષણ વિષેની મૌલિક ચર્ચા પણ આગમામાં મળી આવે છે. એ જ ચર્ચાના વિસ્તાર દાનિક કાળમાં વિચારવિકાસના ક્રમે થતો રહ્યો છે. વિષય એટલે કે જીવ અને અજીવનું સ્વરૂપ શું~એ બાબતની ચર્ચા દ્રવ્ય અને પર્યાય નયેાને આધારે આગમમાં જોવા મળે છે અને તેમાં દાનિક કાળના અનેકાંતવાદનું મૂળ સમાયેલું છે એ સ્પષ્ટ જોઈ શકાય તેમ છે. પણ દાનિક કાળની એ ચર્ચા અન્ય નેાની માન્યતાના સંદભ માં થયેલી છે એ વિશેષતા છે. પ્રમાતા એટલે આત્મા તે બાબતમાં તો જૈન આગમ આગવી વિશેષતા ધરાવે છે અને તેને સંક્ષેપ તત્ત્વામાં છે. જીવાના ભેદ, તેમનાં શરીરેા, તેમની ઇન્દ્રિયા, મરણેાત્તર ગતિ, મન, ભાષા, જીવાનાં ભેદનું કારણ ક` અને તે કતુ વૈવિધ્ય, વેાનાં રૂપ, રંગ, આયુ, રહેવાના સ્થાના, યેાનિ–ઉત્પત્તિ સ્થાને, જન્મનું વૈવિધ્ય, વેાનાં નાનો, ચારિત્રનું વૈવિધ્ય, વાની મુક્તિ અને તેને મા, જીવાનું પતન અને તેનાં કારણેા-ઇત્યાદિ અનેક વિષયેા વિસ્તારથી ચ`વામાં Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આવ્યાં છે. કદાચ એમ કહી શકાય કે જૈન આગમા એ ભારતીય વવિદ્યામાં અગ્રસર છે. અને તેમ બનવાનુ કારણ એ છે કે જૈન આગમનું ધ્યેય અહિંસાને જીવનમાં સિદ્ધ કરવાનું હતું એટલે વિદ્યા જાણવી અનિવાયૅ હતી. તે વિના અહિંસાનું પાલન અશકય હતુ. આથી સૌથી પ્રાચીન આગમ આચારાંગમાં સૌથી પ્રથમ જીવાના નિકાયની જ ચર્ચા કરવામાં આવી છે અને તે બધા પ્રકારના જીવાની હિંસાથી બચવાના ઉપદેશ આપવામાં આવ્યેા છે. આમ સામાન્ય રીતે કહી શકાય કે જૈન દર્શનની આધારશિલા તો આગમા જ છે. માત્ર તે તે વિષયનું, વિપ્રતિપત્તિ ટાળીને, અન્ય મતમતાંતરાનું નિરાકરણ અથવા સમન્વય કરીને જૈન સંમત મન્તવ્યાની તાર્કિક રીતે સિદ્ધિ કરવાનુ કા આગમમાં જે ન થયું હતું તેની પૂર્તિ કરવાનુ કાર્ય જૈન દાર્શનિક ગ્રન્થામાં થયુ' છે. આગમેાની વિશેષતા એ છે કે તેના આધાર આપ્ત વચન છે, જ્યારે ફ્રાનિક ગ્રન્થામાં એ આપ્ત વચનની સત્યતા તર્ક દ્વારા સિદ્ધ કરવી એ છે. અને છતાં તર્કની મર્યાદા પણ જૈન દાર્શનિકાએ સ્વીકારી જ છે. હેતુવાદ અને અહેતુવાદ એ બન્નેના વિષયા પૃથક્ ગણ્યા છે, એ બતાવે છે કે ત ગમે તેટલેા સમર્થ હોય પણ એવા કેટલાક પદાર્થો છે જેમા તર્કની ગતિ એક મર્યાદા સુધી જ પહોંચે છે, તે વિષયનું અંતિમ સત્ય તો આગમથી જ સિદ્ધ થઈ શકે છે, તર્કથી નહિ. આમ તર્ક એ આગમના ઉપગૃહક બની શકે, તેનુ સમન કરી શકે પણ તેથી વિરુદ્ધ જઈ ન શકે-એની એ મર્યાદા અન્ય દાર્શનિકેાની જેમ જૈન દર્શનમાં પણ સ્વીકારવામાં આવી જ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમ (૧) વ્યાખ્યા પૌરુષેય-અપૌરુષેય બ્રાહ્મણ ધર્મમાં વેદ-શ્રુતિનું અને બૌદ્ધ ધર્મમાં ત્રિપિટકનું જેવું મહત્ત્વ છે તેવું જ જૈન ધર્મમાં શ્રત-આગમ–ગણિપિટકનું મહત્ત્વ છે. બ્રાહ્મણ દાર્શનિક મીમાંસકોએ વેદવિદ્યાને સનાતન માની અપરુષેય કહી છે અને તૈયાયિકવૈશેષિક આદિ દાર્શનિકેએ વેદને ઈશ્વરપ્રણીત કહ્યા છે. કિન્તુ વસ્તુત: જઈએ તો બન્નેને મતે એ ફલિત થાય છે કે વેદરચનાનો સમય અજ્ઞાત જ છે. ઈતિહાસ તેની ભાળ આપી શકતો નથી, આથી ઉલટું બૌદ્ધ ત્રિપિટક અને જૈન ગણિપિટક પૌરુષેય છે, ઈશ્વરપ્રણીત નથી અને તેની રચનાના કાળનું જ્ઞાન ઇતિહાસને છે. મનુષ્યપુરાણ પ્રિય છે. આ પણ એક કારણ છે કે વેદ અપૌરુષેય માનવામાં આવ્યા. જેનોની સામે પણ એ આક્ષેપ થયે જ હશે કે તમારા આગમ તો નવા જ છે, એને કેાઈ પ્રાચીન મૂલાધાર નથી અને ઉત્તર આપવામાં આવ્યો છે કે દ્વાદશાંગભૂત ગણિપિટક ક્યારેય હતું નહીં–એમ નથી, અને ક્યારેય નથી-એમ પણ નથી અને ક્યારેય નહીં પણ હોય—એમ પણ નથી. એ તો હતું, છે અને હશે. એ ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે–જુઓ સમવાયાંગગત દ્વાદશંગનો પરિચય તથા નંદીસૂત્ર સૂ. ૨૭. જ્યારે આવો ઉત્તર આપ્યો ત્યારે તેની પાછળ તર્ક આવો હતો – પારમાર્થિક દૃષ્ટિથી જોવામાં આવે તો સત્ય એક જ છે, સિદ્ધાંત એક જ છે. નાના દેશ, કાળ અને પુરુષની દૃષ્ટિએ એ સત્યને આવિર્ભાવ નાના પ્રકારે થાય છે પરંતુ તે બધા આવિર્ભામાં એક જ સનાતન સત્ય અનુસ્મૃત છે. એ સનાતન સત્ય પ્રત્યે જ ધ્યાન દેવામાં આવે અને આવિર્ભાવના પ્રકારની ઉપેક્ષા કરવામાં આવે તો એ જ કહેવું પડે કે જે કઈ રાગદ્વેષને જીતીને–જિન બનીને Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઉપદેશ આપશે તે આચારના સનાતન સત્ય–સામાયિક—સમભાવ વિશ્વવાત્સલ્યવિશ્વમૈત્રીને અને વિચારના સનાતન સત્ય સ્યાદાદ, અનેકાંતવાદ—વિભજ્યવાદના જ ઉપદેશ આપશે. એવા કાઈ કાળ નથી જ્યારે ઉક્ત સનાતન સત્યના અભાવ હાય. એટલે જૈન આગમને આ દૃષ્ટિએ અનાદિ અનત કહેવામાં આવે છે અર્થાત્ વેદની જેમ અપૌરુષેય કહેવામાં આવે છે. બૃહત્કલ્પ ભાષ્ય. ગા. ૨૦૨-૩માં કહેવામાં આવ્યું છે કે ઋષભાદિતીર્થંકરાની શરીરસ`પત્તિ અને વમાનની શરીરસંપત્તિમાં અત્યંત વૈલક્ષણ્ય હાવા છતાં એ બધાની ધૃતિ, સંધયણ, શારીરિક રચનાના વિચાર કરવામાં આવે તેા, તથા એમની આંતરિક સંપત્તિ–કેવળજ્ઞાનને વિચાર કરવામાં આવે તો એ બધાની યેાગ્યતામાં કશા જ ભેદ ન હેાવાને કારણે તેમના ઉપદેશમાં કશા જ ભેદ હાઈ શકે નહીં. વળી ખીજી વાત એ પણ છે કે સંસારના પ્રજ્ઞાપનીય ભાવા તે અનાદિ અન`ત છે. એટલે જ્યારે પણ કાઈ સમ્યફૂજ્ઞાતા એમનું નિરૂપણ કરશે ત્યારે કાળભેદને કારણે નિરૂપણમાં ભેદ પડશે નહી. આ માટે જ કહેવામાં આવ્યુ છે કે દ્વાદશાંગી અનાદિ અનંત છે. બધા જ તીથંકરાના ઉપદેશની એકતાનું ઉદાહરણ શાસ્ત્રોમાં પણ મળે છે. આચારાંગ (૪–૧૨૬)માં, તથા સૂત્રકૃતાંગ (૨-૧-૧૫/ ૨–૨-૪૧)માં કહેવામાં આવ્યું છે કે—જે જે અરિહંતો પ્રથમ થઈ ગયા છે, જે અત્યારે વિદ્યમાન છે, અને જે ભવિષ્યમાં થશે—એ બધાયનેા એક જ ઉપદેશ છે કે કાઈ પણ પ્રાણ-જીવ—ભૂત—અને સત્ત્વની હિંસા કરા નહીં, તેમની ઉપર પેાતાની સત્તા જમાવા નહીં, એમને ગુલામ બનાવા નહી, અને તેમને સતાવે પણ નહીં, આ જ ધર્મો ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે અને વિવેકી પુરુષોએ બતાવ્યા છે. પરંતુ જે વ્યાવહારિક દૃષ્ટિથી જોવામાં આવે કે સત્યને આવિર્ભાવ કયારૂપે થયા, કોણે કર્યાં, કયારે કર્યાં અને કેવી રીતે કર્યાં આદિ. તે જૈનાગમ સાત્પત્તિક સિદ્ધ થાય છે, અને આ જ દૃષ્ટિએ પૌરુષેય પણ છે, આથી જ કહેવામાં આવ્યું કે तवनियमनाणरुवखं आरूढो केवली अभियनाणी । तो मुयइ नाणवुट्टि भविथजणविबोहणट्टाए || त बुद्धिमएण पडेण गणहरा गिन्हिर निरवसेस ं । तित्थयरभासियाड़ गंथंति तओ पवयणा ॥ આવશ્યકનિયુક્તિ ૮૯-૯૦ | Page #38 -------------------------------------------------------------------------- ________________ સારાંશ છે કે તપ–નિયમ-જ્ઞાનમય વૃક્ષ ઉપર આરૂઢ થઈને અનંતજ્ઞાની કેવળી ભગવાન ભવ્યજનાના વિષેધ માટે જ્ઞાન-કુસુમની વૃષ્ટિ કરે છે. ગણધર પોતાના મુદ્ધિના પટમાં તે બધાં જ કુસુમેાને ઝીલીને પ્રવચનમાળા ગૂંથે છે. ૧૫ આ પ્રકારે જૈન આગમના વિષે પૌરુષેય અને અપૌરુષેયને સુ ંદર સમન્વય સહજ રીતે સિદ્ધ થાય છે અને આચાય હેમચન્દ્રને— “आदीपमाव्योभ समस्वभाव स्याद्वादमुद्रानतिभेदि वस्तु” આ વિચાર ચરિતાર્થ થાય છે. શ્વેતા અને વક્તાની દૃષ્ટિએ વ્યાખ્યા જૈન ધર્મોમાં બાહ્ય રૂપરગની અપેક્ષાએ આંતરિક રૂપરંગને અધિક મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ જ કારણ છે કે અધ્યાત્મપ્રધાન ધર્મમાં જૈન ધર્મે સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેાઈ પણ વસ્તુનું મૂલ્ય તેની આધ્યાત્મિક ચેાગ્યતાને આધારે નિશ્ચિત થાય છે. આ જ કારણે નિશ્રય દૃષ્ટિએ તથાકથિત જૈનાગમને પણ મિથ્યાશ્રુત કહેવામાં આવ્યું છે, જો તેના ઉપયેગ કઈ દુષ્ટ પુરુષે પોતાના દુર્ગુણ્ણાની વૃદ્ધિ માટે કર્યાં હાય. અને વે પણ સમ્યક્ શ્રુત છે, જે કાઈ મુમુક્ષુએ તેને ઉપયાગ મે ક્ષમાને પ્રશસ્ત કરવામાં કર્યાં હાય. વ્યાવહારિક દૃષ્ટિએ ભગવાન મહાવીરના ઉપદેશને જે સારસંગ્રહ છે તે જ જૈનાગમ છે—(નંદીસૂત્ર ૪૦, ૪૧; બૃહત્કલ્પ ભાષ્ય—ગા. ૮૮) તાત્પર્ય એ જ છે કે નિશ્ચયદૃષ્ટિએ આગમની વ્યાખ્યામાં શ્રેાતાની પ્રધાનતા છે અને વ્યવહારદષ્ટિએ આગમ વિષે વક્તાનુ પ્રાધાન્ય છે. શબ્દ તેા નિર્જીવ છે અને સ પ્રકારના સાંકેતિક અર્થાના પ્રતિપાદનની મેાગ્યતા ધરાવતા હાઈ સર્વાંક પણ છે, આ પરિસ્થિતિમાં નિશ્ચયષ્ટિએ વિચારીએ તે। શબ્દનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય સ્વત: નહીં કિન્તુ તે શબ્દના પ્રયોકતાના ગુણ કે દેષને કારણે શબ્દમાં પ્રામાણ્ય કે અપ્રામાણ્ય નિશ્ચિત થાય છે. એટલે જ અહીં એ આવશ્યક બની જાય છે કે વક્તા અને શ્રાંતા બન્નેની દૃષ્ટિએ આગમ વિષે વિચાર કરવામાં આવે. જૈનેએ એ અને દૃષ્ટિએ જે વિચાર કર્યાં છે તે આવા છે : શાસ્ત્રની રચના નિષ્પ્રયેાજન નહીં, પરંતુ શ્રોતાને અભ્યુદય અને શ્રેયસ્કર Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૮ માર્ગનું પ્રદર્શન કરવાની દષ્ટિએ થાય છે, આ વાત સર્વસંમત છે. શાસ્ત્રની ઉપકારકતા અથવા અનુપકારતા એના શબ્દો ઉપર નિર્ભર નથી, પરંતુ એ શાસ્ત્રવચનોને ગ્રહણ કરનારની યોગ્યતા ઉપર પણ છે. આ જ કારણ છે કે એક જ શાસ્ત્રવચનના વિવિધ અને પરસ્પર વિરોધી અર્થો કરીને દાર્શનિકે વિવિધ મતવાદો ઊભા કરી દે છે. એક જ ભગવદ્ગીતા અથવા એક જ બ્રહ્મસૂત્ર કેટલા વિધીવાદનું મૂળ બની ગયા છે. એટલે શ્રેતાની દૃષ્ટિએ કઈ એક ગ્રન્થને નિયમતઃ સમ્યફ યા મિથ્યા કહેવો અથવા કઈ એક ગ્રન્થને જિનાગમ કહેવો એ ભ્રમજનક છે. આવું જ વિચારીને જિનાગમનું મૂળ ધ્યેય – જીવોની મુક્તિની પૂતિ જે કઈ શાસ્ત્રથી થતી હોય તે બધા જ સમ્યફ છે, તે બધા જ આગમ છે–આવું વ્યાપક દષ્ટિબિંદુ જેનેએ સ્વીકાર્યું છે. આને અનુસરી વેદાદિ બધા જ શાસ્ત્રો જેનોને માન્ય છે. જે જીવની શ્રદ્ધા સમ્યફ હોય તેની સમક્ષ ગમે તે શાસ્ત્ર આવે પણ તે તેને ઉપયોગ મોક્ષમાર્ગને પ્રશસ્ત કરવામાં જ કરશે. અત: તેના માટે બધા જ શાસ્ત્રો પ્રામાણિક છે, સમ્યક છે. પરંતુ જે જીવની શ્રદ્ધા જ વિપરીત હોય અર્થાત્ જેને મુક્તિની કામના જ નથી, જેને સંસારમાં જ સુખ ભંડાર નજરે પડે છે તેને માટે વેદાદિ તો શું પણ તથાકથિત જેનાગમ પણ મિથ્યા છે, અપ્રમાણ છે. આગમની આ વ્યાખ્યામાં સત્યને આગ્રહ છે, સાંપ્રદાયિક કદાગ્રહ નથી. હવે વક્તાની દષ્ટિએ આગમની જે વ્યાખ્યા કરવામાં આવી છે એને વિચાર કરીએ–વ્યવહાર દૃષ્ટિએ જે બધા શાસ્ત્રો જેનાગમાન્તર્ગત છે તે બધાને વ્યવહાર દૃષ્ટિ આગમાન્તર્ગત ગણે છે. અર્થાત્ જેને લોકો વેદાદિથી જુદા એવાં જે કઈ શાસ્ત્રને પ્રામાણિક માને છે તે બધા જ આગમાન્તર્ગત છે. આગમની સામાન્ય વ્યાખ્યા તે એટલી જ છે કે–આપ્તવચન જે છે તે આગમ છે–ન્યાયસૂત્ર ૧–૧–૭/તત્ત્વાર્થ ભાષ્ય ૧–૨૦. જેનાસંમત આપ્ત કોણ છે? આના ઉત્તરમાં કહ્યું છે કે જેણે રાગદ્વેષ જીતી લીધા છે એવા તીર્થ. કર–જિન સર્વજ્ઞ ભગવાન આપ્યું છે–નંદીસૂત્ર ૪૦. અર્થાત્ જિનપદેશ જ જેનઆગમ છે. આમાં વક્તાના સાક્ષાત્ દર્શન અને વીતરાગતાને કારણે દોષની સંભાવના નથી રહેતી, પૂર્વાપરવિરોધ પણ નથી અને યુક્તિબાધા પણ નથી. આથી મુખ્યરૂપે જિનોને ઉપદેશ-નાગમ પ્રમાણ મનાય છે અને ગૌણરૂપે તદનુસાર શાસ્ત્ર. અહીં પ્રશ્ન થાય છે કે જેનાગમને નામે દ્વાદશાંગી આદિ શાસ્ત્ર પ્રસિદ્ધ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૯ તે શું તે જિનોને સાક્ષાત્ ઉપદેશ છે ? અર્થાત્ શું જિનાએ જ તેને ગ્રન્થબદ્ધ કર્યો છે ? આ પ્રશ્નનો ઉત્તર દેતા પૂર્વે સ્પષ્ટીકરણ કરી દેવું જરૂરી છે કે અત્યારે ઉપલબ્ધ અંગ આગમ એ સ્વયં ગણધરગ્રથિત આગમોની સંકલના છે. પ્રસ્તુતમાં જેનોની તાત્ત્વિક માન્યતા કેવી છે તેને બતાવીને ઉપલબ્ધ જેનાગમોના વિષે આગળ વિશેષ વિચાર કરવામાં આવશે. જૈન અનુશ્રુતિ ઉક્ત પ્રશ્નનો ઉત્તર આવો દે છે–જિન ભગવાન ઉપદેશ આપીને–તત્વ અને આચારના મૂળ સિદ્ધાંતને નિર્દેશ કરીને કૃતકૃત્ય થઈ જાય છે. એ ઉપદેશને જેવું કે પૂર્વમાં ઉલિખિત રૂપકમાં બતાવ્યું છે–ગણધર અથવા વિશિષ્ટ પ્રકારના સાધક ગ્રન્થનું રૂપ આપે છે. ફલિતાર્થ છે કે ગ્રન્થબદ્ધ ઉપદેશનું જે તાત્પર્ય છે તેના પ્રણેતા જિન–વીતરાગ–તીર્થકર છે, પરંતુ જે રૂપમાં એ ઉપદેશ ગ્રન્થબદ્ધ થયો છે યા સૂત્રબદ્ધ થયો છે તે શબ્દરૂપના પ્રણેતા ગણધર જ છે– અત્યં મારા ચરા મુત્ત વંતિ પણ નિરાં ! –આવ. નિ. ૯૨ જેનાગમ તીર્થંકરપ્રણીત (નન્દી. સ. ૪૦) જે કહેવામાં આવે છે એનું તાત્પર્ય એ જ છે કે તેઓ ગ્રન્થાર્થપ્રણેતા છે, સૂત્રકાર નથી. પૂર્વોક્ત વિવરણથી એ સ્પષ્ટ થાય છે કે સૂત્ર અથવા ગ્રન્થરૂપે ઉપસ્થિત જેનામેનું પ્રામાણ્ય ગણધરપ્રણીત હોવાથી નહીં પરંતુ તેના અર્થના પ્રણેતા તીર્થકરની વીતરાગતા અને સર્વાર્થસાક્ષાત્કારિતાને કારણે છે. જેનશ્રતિના અનુસાર તીર્થકર જેવા જ અન્ય પ્રત્યેક બુદ્ધ દ્વારા ઉક્ત આગમ પણ પ્રમાણ છે જ-(મૂલાચાર ૫. ૮૦; જયધવલા પૃ. ૧૫૩; ઘનિચેતિ ટીકા પ. ૩. જૈન પરંપરા પ્રમાણે કેવળ દ્વાદશાંગી આગમાન્તર્ગત નથી કારણ કે ગણધરકૃત દ્વાદશાંગીથી જુદા એવા અંગબાહ્ય ગણાતા અન્ય શાસ્ત્રો પણ આગમરૂપે માન્ય છે; પણ તે ગણધરકૃત તો નથી જ. કારણ કે જૈન પરંપરા પ્રમાણે ગણધરે તે માત્ર દ્વાદશાંગીની જ રચના કરે છે. આથી અંગબાહ્ય ગણાતા આગમોની રચના ગણધરભિન્ન સ્થવિર કરે છે એવી માન્યતા છે–વિશેષાવશ્યક Page #41 -------------------------------------------------------------------------- ________________ ભાષ્ય ગા. ૫૫૦, બૃહત્ક૫ભાષ્ય ગા. ૧૪૪, તત્ત્વાર્થભાષ્ય ૧-૨૦, સર્વાર્થસિદ્ધિ ૧૨૦. આવા અંગબાહ્ય આગમોની રચના કરનારા સ્થવિરે બે પ્રકારના છેસંપૂર્ણ શ્રુતજ્ઞાની અને દશપૂર્વી. સંપૂર્ણ શ્રુતજ્ઞાની એટલે ચતુર્દશપૂર્વી જેને શ્રુતકેવળી પણ કહેવામાં આવે છે, તેઓ ગણધરપ્રભુત સંપૂર્ણ દ્વાદશાંગીના સૂત્રો અને અર્થ વિષે વિશેષત: નિપુણ હોય છે. ઉપરાંત ભગવાન મહાવીર પૂર્વના આગમ જે પૂર્વને નામે પ્રસિદ્ધ છે તેમાં પણ નિપુણ હોય છે. આ પૂર્વની સંખ્યા ચૌદ છે. આમ દ્વાદશાંગી અને પૂર્વના જ્ઞાતા હોવાથી તેઓ જે કાંઈ લખે તેમાં શાસ્ત્રવિરોધ હોવાને અવકાશ નથી. જિનોત વિષયોનો સંક્ષેપ અથવા વિસ્તાર કરીને તત્કાલીન સમાજને અનુકૂળ ગ્રન્થરચના કરીએ જ તેમનું પ્રયોજન હોય છે. આથી તેમણે રચેલ ગ્રન્થને જેન સંધે સહજ ભાવે આગમમાં સમાવિષ્ટ કરી લીધા છે. આનું પ્રામાણ્ય સ્વતંત્ર ભાવે નહીં પણ ગણધરપ્રણીત આગમ સાથે અવિસંવાદને કારણે છે. સંપૂર્ણ શ્રુતજ્ઞાન જેણે હસ્તગત કરી લીધું હોય અને જેને કેવળીના વચન, સાથે વિરોધ ન હોય તેના વિષે આવી દલીલ પણ કરવામાં આવી છે કે બધા જ પદાર્થો વચનગોચર થવાની યોગ્યતા ધરાવતા નથી. સંપૂર્ણ યનો ડેક અંશ જ તીર્થકરના વચનનો વિષય બને છે–પૃહકલ્પભાષ્ય ગા. ૬૪. આ વચનરૂપ દ્રવ્યાગમ શ્રુતજ્ઞાનને જે સંપૂર્ણ ભાવે હસ્તગત કરી લે છે, તે જ તો શ્રુતકેવળી કહેવ ય છે. આથી જે વસ્તુ તીર્થંકરે કહી હોય તેને શ્રતકેવળી પણ કહી શકે છે–પૃહકલ્પભાષ્ય ગા. ૯૬૩, ૯૬૬. આ દષ્ટિએ આગમ રચનામાં કેવળી અને શ્રુતકેવળીમાં કોઈ અંતર ન હોવાથી બન્નેનું પ્રામાણ્ય સમાનરૂપે છે. કાલક્રમે વીરનિ. ૧૦ વર્ષ પછી, મતાંતરે ૧૬૨ વર્ષ પછી જૈનસંઘમાં શ્રુતકેવળીને પણ અભાવ થઈ ગયો અને કેવલ દશપૂર્વે જ રહ્યા. ત્યારે તેમની વિશેષ યોગ્યતાને ધ્યાનમાં લઈને દશપૂર્વ ધરથિત જૈનગ્રન્થનો જૈન આગમોમાં સમાવેશ કરી દીધો. આનું પણ પ્રામાણ્ય તો સ્વ ભાવે નહીં પણ ગણધરપ્રણીત આગમો સાથે અવિસંવાદને કારણે જ છે. જનની માન્યતા છે કે ચતુર્દશપૂર્વ ધર અને દશપૂર્વધર તે જ સાધક થઈ શકે છે જેમનામાં નિશ્ચિતરૂપે સમ્યગ્દર્શન હોય છે—બૃહકલ્પ ભાષ્ય ગા. ૧૩૨, Page #42 -------------------------------------------------------------------------- ________________ - 1 આથી તેમના ગ્રન્થોમાં આગમ વિધી મન્તવ્ય હેવાની સંભાવના જ રહેતી નથી. આ જ કારણે કાલક્રમે તેમના ગ્રન્થોને પણ આગમમાં સમાવિષ્ટ કરી લેવામાં આવ્યા. આગળ ચાલતા કેટલાક આદેશે જેનું સમર્થન કોઈ શાસ્ત્રમાં ને મળતું હોય પરંતુ વિરેએ પિતાની પ્રતિભાને બળે કોઈ એક વિષયમાં સંમતિ આપી હોય–તેમનો પણ સમાવેશ અંગબાહ્ય આગમમાં કરી લેવામાં આવ્યો છે. આટલું જ નહીં કેટલાક મુક્તકને પણ આગમમાં સ્થાન મળી ગયું છે – બૃહત્કલ્પ ભાષ્ય ગા. ૧૪૪ અને તેની ટિપ્પણું, વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૫૫. આદેશ અને મુકતક આગમાન્તર્ગત છે કે નહીં આ બાબતમાં દિગંબર પરંપરા મૌન છે. કિન્તુ ગણધર, પ્રત્યેક બુદ્ધ ચતુર્દશપૂવી, અને દશપૂર્વી દ્વારા ગ્રથિત બધાં જ શાસ્ત્રો આગમમાં સમાવિષ્ટ છે આ બાબતમાં બન્ને પરંપરા એકમત છે. આ બધી ચર્ચાથી એટલું તો સ્પષ્ટ છે કે સત્યનો આવિર્ભાવ નિર્જીવ શબ્દમાં નહીં પરંતુ સજીવ–આત્મામાં થાય છે. આથી કોઈ પુસ્તક–પાનાનું મહત્ત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી તે આત્મોન્નતિનું સાધન બની શકે છે. આ દૃષ્ટિએ સંસારનું સમગ્ર સાહિત્ય જૈનો માટે ઉપાદેય થઈ શકે છે કારણ કે એગ્ય અને વિવેકી આભા માટે ગમે ત્યાંથી પણ પોતાના કામની વસ્તુ શોધી લેવી સરળ છે. કિન્તુ અવિવેકી અને અગ્યને માટે આજ માર્ગ ભયમુક્ત નથી. આટલા માટે જ જન ઋષિઓએ વિશ્વ સાહિત્યમાંથી ચૂંટીને કેટલાક અંશોને જ જિને માટે વ્યવહારમાં ઉપાદેય બતાવ્યા અને તેમને જ જન આગમમાં સ્થાન આપ્યું. ચૂંટણીનો મૂળ સિદ્ધાંત એ છે કે–એ જ વિષયનો ઉપદેશ ઉપાદેય બની શકે છે જેનો વક્તાએ સ્વયં યથાર્થ સાક્ષાત્કાર કર્યો હોય એટલું જ નહીં પણ તેને યથાર્થરૂપે કહ્યું પણ હોય–એવી કઈ વાત પ્રમાણ માની જ શકાય નહીં જેનું મૂળ ઉક્ત પ્રકારના ઉપદેશમાં ન હોય અથવા જે તેની સાથે સંગતિ ધરાવતી ન હોય. જે યથાર્થદર્શ નથી પણ યથાર્થ શ્રેતા (શ્રુતકેવલી–દશપૂવ) છે તેમની પણ એ જ વાત પ્રમાણ માનવામાં આવે છે કે જે તેમણે યથાર્થદર્શી પાસેથી સાક્ષાત અથવા પરંપરાથી સાંભળી હોય. અમૃત કહેવાને તેમને અધિકાર નથી. Page #43 -------------------------------------------------------------------------- ________________ તાત્પર્ય આટલું જ છે કે કોઈ પણ વાત ત્યારે જ પ્રમાણ માની શકાય છે તેનું યથાર્થ પ્રત્યક્ષ જ્ઞાન કેઈને પણ થયું હોય. આગમ તે જ પ્રમાણ છે જે પ્રત્યક્ષમૂલક હોય. આગમપ્રામાણ્યના આ સિદ્ધાન્તાનુસાર પૂર્વોક્ત આદેશ આગમાંતગત થઈ શકે નહીં. દિગંબરોએ તો અમુક સમય પછી તીર્થંકરપ્રણીત આગમને સર્વથા લેપ જ માન્યો છે. અત: આદેશને આગમાન્તર્ગત કરવાની આવશ્યકતા જ રહી નહીં. કિન્તુ વેતામ્બરોએ આગમોનું સંકલન કરી સુરક્ષિત રાખવાને જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે જણાય છે કે તેમની સામે એવી ઘણી બાબતો આવી જે પૂર્વાચાર્યો દ્વારા પરંપરાથી પ્રાપ્ત તો હતી પણ જેનો મૂલાધાર તીર્થકરોના ઉપદેશમાં હતો નહીં. આવી વાતોને પણ સુરક્ષાની દૃષ્ટિએ આગમમાં સ્થાન આપ્યું, સાથે જ તેમને આદેશ કે મુક્તક સંજ્ઞા આપી અન્ય આગમોથી તેમનું પાર્થક્ય પણ સૂચિત કરી દીધું. (૨) સુરક્ષામાં બાધાઓ ઋગૂ આદિ વેદોની સુરક્ષા ભારતીઓનું એક અદ્ભુત પરાક્રમ છે. આજે પણ ભારતમાં એવા સેંકડે વદપાઠી મળે છે જેઓ આદિથી અંત સુધી વેદોનું ઉચ્ચારણ કરી શકે છે. એમને વેદના પુસ્તકની આવશ્યકતા નથી. વેદના અર્થની પરંપરા તેમની પાસે નથી પણ વેદપાઠની પરંપરા તો અવશ્ય છે. જેનોએ પણ પોતાના આગમ ગ્રન્થોને સુરક્ષિત રાખવા એવો જ પ્રબળ પ્રયત્ન ભૂતકાળમાં કર્યો છે. કિન્તુ જે રૂપમાં ભગવાનના ઉપદેશને ગણધરોએ ગ્રથિત કર્યો હતો તે જ રૂ૫ આજે આપણી સમક્ષ નથી. આગમની ભાષામાં, તે પ્રાકૃત હોઈ પરિવર્તન થવું સ્વાભાવિક છે. અત: બ્રાહ્મણની જેમ જૈનાચાર્ય અને જેન ઉપાધ્યાય અંગગ્રન્થની અક્ષરશ: સુરક્ષા કરી શક્યા નથી. આટલું જ નથી પણ કેટલાક મૂળ ગ્રન્થાને સંપૂર્ણ ભૂલી ગયા છે અને કેટલાક ગ્રન્થને વિકૃત કરી દીધા છે. છતાં એટલું તો કહી શકાય છે કે અંગોનો અધિકાંશ જે આજે ઉપલબ્ધ છે તે ભગવાનના મૂળ ઉપદેશથી ઠીક ઠીક નજીક છે. એમાં પરિવર્તન અને પરિવર્ધન થયું છે કિન્તુ સમગ્રભાવે તે નવો કે કપોલકપિત છે–એમ તો કહી શકાય તેમ નથી. કારણ કે જૈનસંઘે તે સમગ્ર શ્રતને સુરક્ષિત રાખવા માટે પુન:પુન: જે પ્રયત્નો કર્યા છે એને સાક્ષી જે ઈતિહાસ છે તેને મટાડી શકાય તેમ નથી. Page #44 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળમાં જે બાધાઓ જેનશ્રુતના નાશમાં કારણ બની, શું તેવી બાધાઓ વેદનો નાશ કરવામાં સમર્થ ન બની? શું કારણ છે કે જેનશ્રતથી પણ પ્રાચીન વેદ તો સુરક્ષિત રહી શક્યા અને જેનશ્રત સંપૂર્ણ નહીં તો અધિકાંશે નષ્ટ થઈ ગયું ? આ પ્રશ્નોનો ઉત્તર સરળ છે વેદની સુરક્ષામાં બન્ને પ્રકારની પરંપરાએ સહકાર આપ્યો છે. જન્મવંશની અપેક્ષાએપિતાએ પુત્રને અને એણે પોતાના પુત્રને તથા વિદ્યાવંશની અપેક્ષાએ ગુરુએ શિષ્યને અને તેણે પણ પિતાના શિષ્યને વેદની શિક્ષા આપી વેદપાઠની પરંપરાને અવ્યવહિત ગતિથી ચાલુ રાખી છે. કિન્તુ જેનાગમની રક્ષામાં જન્મ વંશને કઈ જ સ્થાન નથી. પિતા પિતાના પુત્રને નહીં પણ શિષ્યને ભણાવે છે. અતઃ કેવળ વિદ્યાવંશની અપેક્ષાએ જેનશ્રુતને સુરક્ષિત રાખવા પ્રયત્ન થયે છે. આ જ ક્ષતિ જેનશ્રતની અવ્યવસ્થામાં કારણ થઈ છે. બ્રાહ્મણને પોતાનો જ સુશિક્ષિત પુત્ર અને તેવો જ સુશિક્ષિત બ્રાહ્મણ શિષ્ય પ્રાપ્ત કરવામાં કાંઈ કઠિનાઈ નથી. કિન્તુ જેન શ્રમણને માટે પિતાનો સુશિક્ષિત પુત્ર જેનશ્રુતનો અધિકારી નથી, જે તે શ્રમણ થયો ન હોય. અને અશિક્ષિત પણ શ્રમણ, પુત્ર ન હોય છતાં જે શિષ્ય હોય તો તે જ જેનશ્રતનો અધિકારી બની જાય છે. વેદની સુરક્ષા એક વર્ણ વિશેષ દ્વારા થઈ છે, જેને સ્વાર્થ વેદની સુરક્ષામાં જ હતો. જેનશ્રતની રક્ષા તે પ્રકારે કઈ એક વર્ણને અધીન હતી નહીં કિન્તુ ચારેય વર્ણમાંથી જે કે મનુષ્ય જે જેને શ્રમણ બની જાય છે તો તે જ જેનશ્રતને અધિકારી બની જાય છે. વેદનો અધિકારી બ્રાહ્મણ અધિકાર પામીને તેથી મુક્ત થઈ શકતો નથી. અર્થાત તેને માટે જીવનની પ્રથમાવસ્થામાં નિયમિત: વેદાધ્યયન કરવું તે અનિવાર્ય હતું, અન્યથા બ્રાહ્મણ સમાજમાં તેનું કોઈ સ્થાન હતું નહીં. આથી વિપરીત જેનશ્રમણને જનકૃતનો અધિકાર તો મળી જાય છે પણ અનેક કારણે તે, તે અધિકારનો ઉપભોગ કરી શકતો નથી. બ્રાહ્મણ માટે વેદાધ્યયન સર્વસ્વ હતું. કિન્તુ જેનશ્રમણ માટે આચાર–સદાચાર જ સર્વસ્વ છે. અત: કઈ મંદબુદ્ધિ શિષ્ય સંપૂર્ણ શ્રતનો પાઠ ન કરી શકે તે પણ તેને મેક્ષમાં કશી બાધા નથી અને અહિક જીવન પણ સદાચારને બળે વીતી જાય છે. જેને સૂત્રને દૈનિક ક્રિયામાં વિશેષ ઉપયોગ પણ નથી. એક સામાયિક પદ માત્રથી પણ મોક્ષ માર્ગ જ્યાં સુલભ હોય ત્યાં વિરલા જ સંપૂર્ણ શ્રતધર બનવા પ્રયત્ન કરે તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અધિકાંશ વેદિક સૂક્તોનો ઉપયોગ નાના પ્રકારના ક્રિયાકાંડમાં થાય છે. જ્યારે માત્ર થોડાં જ જૈનસૂત્રોનો ઉપયોગ Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રમણને પિતાના દૈનિક જીવનમાં છે. શુદ્ધ જ્ઞાન-વિજ્ઞાનમાં રસ હોય તો જેના શ્રુત સમુદ્રમાં મગન થઈ જવાની સંભાવના છે. અન્યથા આગમને અધિકાંશ જાણ્યા વિના જ શ્રમણજીવનનો રસ મળી શકે છે. પોતાની સ્મૃતિમાં ભાર આપ્યા વિના પણ પુસ્તકોમાં તેને લિપિબદ્ધ કરીને આગમની સુરક્ષા શક્ય હતી પણ તેમ કરવામાં અપરિગ્રહવ્રતનો ભંગ તેમને અસહ્ય હતો. એવું કરવામાં તેમને અસંયમ દેખાય. ( 3gp બેન્તઅસંગમો મવડુ – દશ.ચૂણિ પૃ. ૨૧) અને જ્યારે તેમણે પિતાને અપરિગ્રહવ્રતમાં થોડી ઢીલ મૂકી ત્યારે તો અધિકાંશ આગમ નષ્ટ થઈ ચૂક્યા હતા. પ્રથમ જે પુસ્તક પરિગ્રહને અસંયમનું કારણ માનવામાં આવ્યું હતું તેને જ સંયમનું કારણ માનવું પડયું-(વાઢ ધુળ વડુ વાળવાળા અવોછિત્તિનિમિત્ત વોટ્ટમાઇલ્સ વોથg નમ માડુ–દશવૈ.ચૂણિ પૃ. ૨૧) કારણ કે જે આવું ન કહે તે મૃત વિનાશનો ભય હતો. કિન્તુ હવે શું થઈ શકે તેમ હતું ? જે કાંઈ તેમણે ખોયું હતું તે તો મળી શકે તેમ હતું જ નહીં, પણ લાભ એટલે અવશ્ય થયો કે તેમણે પુસ્તક પરિગ્રહને સંયમનું કારણ સ્વીકાર્યું, ત્યારે જે કાંઈ આગમ સુરક્ષિત હતા તે બચી ગયા. અધિક હાનિ થઈ નહીં. આમ આચારના નિયમોને શ્રતની સુરક્ષાની દૃષ્ટિએ ઢીલા કરવા પડ્યા. શ્રુતરક્ષા માટે કેટલાય અપવાદો પણ સ્વીકારવામાં આવ્યા. દેનિક આચારમાં પણ શ્રત સ્વાધ્યાયને મહત્ત્વ આપવામાં આવ્યું. આટલું કરવા છતાં જે મૌલિક ક્ષતિ હતી તેનું તો નિવારણ થયું જ નહીં. કારણ કે ગુરુ પિતાના શ્રમણ શિષ્યને જ જ્ઞાન આવી શકે છે તે નિયમમાં તો અપવાદ થયો જ નહીં. આથી અધ્યેતા શ્રમણના અભાવને કારણે ગુરુના સાથે જ જ્ઞાન પણ ચાલ્યું જાય તો તેમાં શું આશ્ચર્ય ? ઘણું કારણે, ખાસ કરી જેનશ્રમની કઠોર તપસ્યા અને અત્યંત કઠિન આચારને કારણે અન્ય બૌદ્ધાદિ શ્રમણની જેમ જેન શ્રમણસંધનું સંખ્યાબલ પ્રારંભથી જ ઓછું રહ્યું છે. આવી સ્થિતિમાં કંઠસ્થની તો વાત જવા દઈએ પણ વલભીમાં લિખિત સકળ ગ્રન્થની પણ સુરક્ષા થઈ ન શકે તેમાં આશ્ચર્ય શું છે ? (૩) વાચનાઓ (અ) પાટલિપુત્રની પ્રથમ વાચના બૌદ્ધ ઈતિહાસમાં ભગવાન બુદ્ધના ઉપદેશને વ્યવસ્થિત કરવા માટે ત્રણ સંગતિઓ થઈ છે એ વાત પ્રસિદ્ધ છે. આ જ પ્રકારે ભગવાન મહાવીરના Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશને પણ વ્યવસ્થિત કરવા માટે જૈન આચાર્યોએ મળીને ત્રણ વાચનાઓ કરી હતી. જ્યારે પણ આચાર્યોએ જોયું કે શ્રુતને હાસ થઈ રહ્યો છે ત્યારે આચાર્યોએ એકત્ર થઈને તેને વ્યવસ્થિત કરવા પ્રયત્ન કર્યો છે. ભગવાન મહાવીરના નિર્વાણ પછી અંદાજે ૧૬૦ વર્ષે પાટલિપુત્રમાં લાંબા સમય સુધીના દુભિક્ષને અંતે જૈન શ્રમણસંઘ એકત્ર થયો. એ કાળે મધ્યદેશમાં અનાવૃષ્ટિને કારણે જૈનસંઘ વિઘટિત અવસ્થામાં હતો, આથી અંગ આગમ શાસ્ત્રની દુરવસ્થા થાય એ સ્વાભાવિક છે. એકત્ર થયેલા શ્રમણોએ એકબીજાને પૂછી પૂછીને ૧૧ અંગોને વ્યવસ્થિત કર્યા પરંતુ જણાયું કે ઉપસ્થિતમાંના કેઈને પણ સંપૂર્ણ બારમા અંગનું જ્ઞાન નથી. તે સમયે દષ્ટિવાદના જ્ઞાતા આચાર્ય ભદ્રબાહુ હતા પરંતુ તેમણે ૧૨ વર્ષ માટે વિશેષ પ્રકારના ગમાર્ગની આરાધનામાં મન પરોવ્યું હતું. એટલું જ નહીં પણ તેઓ નેપાલમાં હતા. આથી સંઘે સ્થૂલભદ્રને બીજા અનેક સાધુઓ સાથે દષ્ટિવાદની વાચના માટે ભદ્રબાહુ પાસે મોકલ્યા. આ બધામાં કેવલ સ્થૂલભદ્ર જ દૃષ્ટિવાદ ગ્રહણ કરવામાં સમર્થ સિદ્ધ થયા. સ્થૂલભદ્ર દશપૂર્વેનું જ્ઞાન લઈ લીધા પછી પિતાની શ્રુતલબ્ધિની સિદ્ધિને પ્રયોગ કર્યો. આ વાતની જાણ જ્યારે ભદ્રબાહુને થઈ ત્યારે તેમણે આગળ ભણાવવાનું બંધ કરી દીધું. સ્થૂલભદ્રની ઘણી સમજાવટ પછી તેઓ રાજી થયા અને શેષ ચારપૂર્વે માત્ર સૂત્રરૂપે ભણાવ્યા પણ તેની અનુજ્ઞા એટલે કે બીજાને ભણાવવાની છૂટ આપી નહીં– (આવશ્યકણિ ભા ૨. પૃ. ૧૮૭, તિલ્યોગોલીય ગા. ૮૦૧-૨, વીરનિર્વાણસંવત ઔર જેન કાલગણના પૃ. ૯૪). પરિણામ એ આવ્યું કે સ્થૂલભદ્ર સુધી શ્રમણસંધમાં ચૌદપૂર્વેનું જ્ઞાન રહ્યું પણ તેમને મૃત્યુ પછી ૧૨ અંગમાંથી ૧૧ અંગ અને બારમા અંગમાંથી માત્ર દશપૂર્વનું જ્ઞાન શેષ રહ્યું. સ્થૂળભદ્રનું મૃત્યુ વીરનિ. ૨૧૫ વર્ષ પછી (મતાંતરે ૨૧૯) થયું.-(શ્રી કલ્યાણ વિજયના મતે મૃત્યુ નહીં પણ યુગપ્રધાન પદને અંત. (વીરનિ. પૃ૦ ૬૨). વાસ્તવિક દૃષ્ટિએ જોઈએ તો સ્થૂલભદ્ર પણ શ્રુતકેવળી તો નહીં કારણ કે તેમણે દશપૂર્વનું સૂત્ર અને અર્થરૂપે અધ્યયન કર્યું હતું. પણ શેષ ચાર પૂર્વ તો માત્ર સૂત્રરૂપે ભણ્યા હતા. તેના અર્થનું જ્ઞાન તેમને ભદ્રબાહુએ આપ્યું જ ન હતું. આથી શ્વેતામ્બરોને મતે એટલું જ કહેવું પડે કે ભદ્રબાહુના મૃત્યુની સાથે જ અર્થાત્ વિરનિ. ૧૭૦ વર્ષ પછી શ્રુતકેવલીનો લેપ થયો હતો. અર્થાત Page #47 -------------------------------------------------------------------------- ________________ એ પછી સંપૂર્ણ મૃતનું જ્ઞાન કોઈને પણ હતું નહીં. દિગંબરેએ શ્રત કેવલીનો લેપ વીર. નિ. ૧૬૨ વર્ષે માન્ય છે. બન્નેની માન્યતામાં આમ માત્ર આઠ વર્ષને ફરક છે, આ ભદ્રબાહુ સુધીની બનેની પરંપરા આ પ્રમાણે છે શ્વેતામ્બર (ઈન્ડિય એન્ટી ભા. ૧૧, પૃ. ૨૪૫) સુધર્મા જબૂ દિગબર (ધવલા પુ. ૧. પ્રસ્તા વિના પૃ. ૨૬) કેવલી– ગૌતમ ૧૨ વર્ષ સુધમાં ૧૨ , જંબૂ ૩૮ શ્રુતકેવલી– વિષણ ૧૪ , નન્દિમિત્ર ૧૬ , અપરાજિત ૨૨ ,, ગોવર્ધન ૧૯ ,, ભદ્રબાહુ ૨૯ , પ્રભવ શય્યભવ યશોભદ્ર સંભૂતિવિજય ભદ્રબાહુ ૧૬૨ વર્ષ ૧૭૦ વર્ષ સારાંશ છે કે ભદ્રબાહુ પછી એટલે કે પ્રથમ વાચનાના ફળરૂપે જૈનસંધ પાસે ૧૧ અંગ અને દશપૂર્વનું જ્ઞાન ઉપલબ્ધ હતું. અનુગ પૃથક્કરણ અને પૂર્વોને વિછેદ વેતામ્બરને મત દશપૂર્વેની પરંપરાને અંત આચાર્ય વજની સાથે થયો. આચાર્ય વજનું મૃત્યુ વિક્રમ ૧૧૪ માં થયું અર્થાત વીરાત ૫૮૪; આથી વિરુદ્ધ દિગંબરની માન્યતા છે કે અંતિમ દશપૂર્વ ધર્મસેન થયા અને વીરાત્ ૩૪૫ પછી દશપૂર્વીને વિચછેદ થયે. અર્થાત્ દિગંબરને મતે શ્રુતકેવલીનો વિચ્છેદ શ્વેતામ્બરમતની અપેક્ષાએ આઠ વર્ષ વહેલો થયો અને દશપૂવને વિચ્છેદ ૨૩૯ વર્ષ વહેલ. તાત્પર્ય કે શ્રુત વિચ્છેદની ગતિ દિગંબર મતે તીવ્ર છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્વેતામ્બરા અને દિગંબરાને મતે પૂર્વી એની સૂચિ આ પ્રમાણે છે— શિખર શ્વેતામ્બર વિશાખાચાય પ્રેાલિ ક્ષત્રિય યસેન નાગસેન સિદ્ધાર્થ કૃતિષેણ વિજય બુદ્ધિલિંગ દેવ ધર્મ સેન ૧૦ વર્ષ ૧૯ ૧૭ ૨૧ ૧૮ ૧૭ ૧ ૧૩ २० ૧૪ ૧૬ در " ܕ 34 ܕܙ ,, 23 ,, "" "" २७ ૧૮૩ વર્ષ +1}R = ૩૪૫ સ્થૂલભદ્ર મહાગિરિ સુહરતન ગુણસુંદર કાલક કદિલ (સાંડિલ્ય) રેવતિમિત્ર આ મગ્ ધ 37 ભદ્રગુપ્ત શ્રીગુપ્ત વ ૪૫ વર્ષી ३० ૪ ૪૪ ૪૧ "" .. .. . ૩૮ ૩૬ ૨૦ ૨૪ .. ૩૯ ૧૫ ૩૬ .. , 29 22 .. 38 ઉપર્યુક્ત સૂચિ માટે જુએ ધવલા પુ. ૧. પ્રસ્તાવના પૃ• ૨૬ અને મેરુતુ ગ–વિચાર શ્રેણી તથા વીરનિ. સ. પૃ. ૬૪. ૪૧૪ વર્ષ +૧૭૦=૫૦૪ આ વજ્ર પછી આરક્ષિત થયા. તેઓ ૧૩ વર્ષી યુગપ્રધાન રહ્યા. એમણે ભવિષ્યમાં મતિ-મેધા-ધારણ શક્તિથી રહિત એવા શિષ્યાને જાણીને અનુયાગનું વિભાજન કર્યું. અત્યાર સુધી કોઈ એક સૂત્રને અનુયાગ—વ્યાખ્યા ચાર પ્રકારે થતી હતી. તેના બદલે તેમણે વિભાગ કરી આપ્યા કે અમુક સૂત્રની વ્યાખ્યા કેવલ કાઈ એક અનુયાગને અનુસરી થશે. અને વિધાન કર્યું કે ચરણકરણાનુયાગમાં કાલિકશ્રુત એટલે કે ૧૧ અંગ, મહાકપશ્રુત અને છેદ સૂત્રને સમાવેશ કર્યાં. ધ કયાનુયાગમાં ઋષિભાષિત આદિને; ગણિતાનુયાગમાં સૂર્ય પ્રાપ્તિને, અને દ્રવ્યાનુયાગમાં દૃષ્ટિવાદને સમાવેશ કર્યાં- આવશ્યકનિયુક્તિ ગા૦ ૭૬૩૭૭૭; વિશેષા॰ ગા. ૨૨૮૪-૨૨૯૫. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આ રક્ષિતપૂર્વે આવા કોઈ વિભાગ હતા નહીં. વળી ત્યાર સુધી પ્રત્યેક સૂત્ર માટે નયાવતાર કરવાનું પણ અનિવાર્યું હતુ. પરંતુ જ્યારથી અનુયાગાનુ પાઠ્ય થયું ત્યાર પછી નયાવતાર અનાવશ્યક માનવામાં આવ્યો —આવ. નિ. ૭૬૨: વિશેષા૦ ૨૨૭૯. આરક્ષિત પછી શ્રુતનું પઠન-પાઠન પૂર્વવત્ રહ્યું નહીં હોય અને તેમાં શિથિલતા પણ આવી ગઈ હશે. આની પ્રતીતિ ઉપરની ચર્ચાથી સ્પષ્ટ થશે. આથી શ્રુતમાં ઉત્તરાત્તર હ્રાસ થાય એ પણ સ્વાભાવિક છે. સ્વયં આરક્ષિત પણ માત્ર નવપૂર્વ સંપૂર્ણ જાણતા અને દશમાં પૂર્વના અંશને જ—વિશેષા ટી, ગા. ૨૫૧૧, પોતે જાણતા હતા એટલું સંપૂર્ણ શ્રુત આય રક્ષિત પણ પેાતાના શિષ્યાને આપી શકવા નહી”, એમની ચરિત કથામાં કહેવામાં આવ્યું છે કે તેમના શિષ્યામાં માત્ર દુČલિકા પુષ્પમિત્ર જ સંપૂર્ણ નવપૂર્યાં ભણવા સમ થયા. પણ તેઓ પણ્ અનભ્યાસને કારણે નવમપૂ ભૂલી ગયા-(વિશેષા॰ ટી. ૨૫૧૧) અને આ રીતે ઉત્તરાત્તર પૂર્વના વિશેષ પાઠકાને હ્રાસ થઈને અંતે એક સમય એવા આવ્યા જ્યારે પૂર્વાંનું વિશેષજ્ઞ કોઈ ન રહ્યું. આવી સ્થિતિ વીરનિર્વાણ પછી હજાર વર્ષે થઈ–(ભગવતી ટીકા ૨.૮; સત્તરીસયઠાણું ૩૨૭) અને દિગંબર મતે વીરનિર્વાણ પછી ૬૮૩ વર્ષે થઈ. (અ) માથુરીવાચના નન્દીસૂત્રની શૂણિ (પૃ. ૮)માં ઉલ્લેખ છે કે ખારવ ના દુકાળને કારણે ગ્રહણ–ગુણન—અનુપ્રેક્ષાના અભાવે સૂત્ર નષ્ટ થયાં. આય સ્કલિની અધ્યક્ષતામા ખાર વર્ષોંના દુકાળ પછી સાધુસ ́ધ મથુરામાં એકત્ર થયા અને જેને જે યાદ હતુ. તેના આધારે કાલિકશ્રુત-અંગાને વ્યવસ્થિત કરવામાં આવ્યા. કારણ કે આ વાચના મથુરામાં થઈ તેથી તે માથુરી વાચનાના નામે એાળખાય છે. કેટલાકનુ કહેવુ છે કે સૂત્રેા નષ્ટ થયા ન હતા પણ પ્રધાન અનુયાગધરાના અભાવ થઈ ગયા હતા. માત્ર દિલ આચાય જ ખેંચી ગયા હતા. જે અનુયેાગધર હતા, તેમણે કારણ કે મથુરામાં ખીજા સાધુએને અનુયાગ આપ્યા હતા તેથી માથુરી વાચના કહેવાઈ. આથી આટલું તે સ્પષ્ટ થાય છે કે ખીજીવારના દુકાળને કારણે શ્રુતની દુરવસ્થા થઈ ગઈ હતી. આ વખતની સંકલનાનું શ્રેય ક દિલને છે. મુનિશ્રી કલ્યાણવિજયજીએ આચાય સ્કંદિલના યુગપ્રધાન કાલ વીરનિ. ૮૨૭ થી ૮૪૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૯ માન્યો છે. આથી આ વાચના આ કાળમાં જ ક્યારેક થઈ હશે (વીરનિ. પૃ. ૧૦૪) આ વાચનાના ફળ સ્વરૂપે આગમ લખવામાં પણ આવ્યા. (ક) વાલજીવાચના - જ્યારે મથુરામાં વાચના થતી હતી તે જ સમયે વલભીમાં પણ નાગાર્જુન આચાર્યે શ્રમણસંધને એકત્ર કર્યો હતો, અને તેમને તથા એકત્રિત સંઘને જે કાંઈ આગમ અને તેના અનુગ વિષે યાદ હતું તે લખી લેવામાં આવ્યું, અને પ્રકરણ ગ્રન્થોની પણ નોંધ લઈ લેવામાં આવી, અને વિસ્તૃત વિષય વિષે પૂવપર સંબંધને અનુસરી વ્યવસ્થિત કરીને તદનુસાર વાચના આપવામાં આવી. (વીરનિ. પ્ર. ૧૧૦). આમાં પ્રમુખ નાગાર્જુન હતા તેથી આ વાચન નાગાજુનીય વાચના તરીકે ઓળખાય છે. (૩) દેવગિણિનું પુસ્તક લેખન ઉપર્યુક્ત વાચનાઓ પછી લગભગ દોઢસે વર્ષ વીતી ગયા હતા ત્યારે કરી વલભીનગરમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના અધ્યક્ષપદે શ્રમણસંધ એકત્ર થયો અને પૂર્વોક્ત બને વાચનાઓમાં લખાયેલ સિદ્ધાંતો ઉપરાંત જે જે ગ્રન્થ કે પ્રકરણ વિદ્યમાન હતા એ બધાને લખીને સુરક્ષિત કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો. આ શ્રમણ સમવસરણમાં બન્ને વાચનાઓનો સમન્વય કરવામાં આવ્યો અને યથાસંભવ ભેદભાવ દૂર કરીને એકરૂપતા લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો. અને જે મહત્વના પાઠભેદ હતા તેમને પાઠાંતર' તરીકે નિર્દેશ કરવામાં આવ્યો. આ પાઠાંતરે કવચિત મૂળમાં, પણ મોટે ભાગે ચૂણિમાં જોવા મળે છે. કેટલાક ગ્રન્થ એક જ વાચનામાં હતા તેમને પણ જેમના તેમ સ્વીકારી લેવામાં આવ્યા (વીરનિ. પૃ. ૧૧૨). આ જ કારણ છે કે મૂળ અને ચણિ જેવા ટીકાગ્રન્થમાં “વાયાંતરે પુળ” અથવા “નાગાજુનીયાસ્તુ પઠન્તિ' જેવા ઉલ્લેખ મળે છે.–વીરનિ. પૃ. ૧૧૬. આ ઘટના વીરનિર્વાણ ૯૮૦માં બની અને મતાન્તરે ૯૯૩ માં બની. નંદીસૂત્રમાં આગમ ગ્રન્થની જે સૂચી આપવામાં આવી છે તેને જે વાલભી વાચનામાં પુસ્તકારૂઢ બધા જ આગમોની સૂચી માનવામાં આવે તો કહેવું જોઈએ કે ઘણું આગમે તે લેખનસમય પછી પણ નષ્ટ થઈ ગયા છે. ખાસ કરી પ્રકીર્ણક તો અનેક નષ્ટ થઈ ગયા. કેવલ વીરસ્તવનામક એક પ્રકીર્ણક Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અને પિંડ નિયુક્તિ એવાં છે, જે નન્દીસત્રમાં ઉલિખિત નથી કિન્તુ શ્વેતામ્બરને આગમરૂપે માન્ય છે. (૪) પૂર્વને આધારે પ્રથિત અન્ય દિગંબર અને શ્વેતામ્બર બન્નેને મતે પૂર્વેને વિચ્છેદ થઈ ગયો છે પરંતુ પૂર્વગત વિષયને સર્વથા લેપ થયો છે એમ નથી. કારણ કે બને સંપ્રદાયોમાં કેટલાક એવા ગ્રન્થ અને પ્રકરણે વિદ્યમાન છે જેનો મૂલાધાર પૂર્વ બતાવવામાં આવે છે. દિગમ્બર આચાર્યોએ તે પૂર્વને આધારે જ ખંડાગમ અને કષાય પાહડની રચના કરી છે એ બતાવવામાં આવશે. આ વિષે અહીં પ્રથય શ્વેતામ્બર માન્યતા વિષે કહેવામાં આવે છે વેતાઅોને મતે દષ્ટિવાદમાં જ સંપૂર્ણવામયને સમાવેશ છે. કિન્તુ દુર્બળમતિ પુરુષ અને સ્ત્રીઓ માટે દૃષ્ટિવાદના વિષયને લઈને જ શેષ ગ્રાની સરળ રચના કરવામાં આવે છે -(વિશેષા. ગા. ૫૫૧-૨; બૃહત્ક૯૫ ભાષ્ય ગા, ૧૪૫-૬૭) આ મતને આધારે જ સૂચિત કરવામાં આવ્યું છે કે ગણધરે સર્વ પ્રથમ પૂર્વની, જે દષ્ટિવાદને જ એક ભાગ છે, તેની રચના કરે છે અને એ જ પૂર્વને આધારે શેષ અંગોની રચના કરે છે–નંદી ચૂર્ણિ પૃ. ૫૬, આવ. નિ. ર૯૨-૩; આથી ઉલટો મત છે કે સર્વ પ્રથમ આચારાંગની રચના ગણધર કરે છે અને પછી બાકીના અંગેની–આચા. નિ. ૮–૯, આચા. ચૂ. પૃ૦ ૩; ધવલા પુ. ૧, પૃ. ૬૫. પ્રથમ મત ઉચિત જણાય છે પણ એનું તાત્પર્ય એટલું સમજવું જોઈએ કે વર્તમાન આચારાંગ આદિથી પહેલા જે શ્રુતજ્ઞાન હતું તે જ પૂર્વને નામે ઓળખાય છે. અને તેને જ આધારે ભ. મહાવીરના ઉપદેશને ધ્યાનમાં લઈ દ્વાદશાંગની રચના થઈ અને તે પૂર્વેને પણ બારમાં અંગના એકદેશરૂપે સમાવી લેવામાં આવ્યા. પૂર્વના આધારે જ જ્યારે સરળ ગ્રન્થો બન્યા ત્યારે પૂર્વના અધ્યયન-અધ્યાપનમાં રૂચિ ઓછી થાય તે સ્વાભાવિક છે અને આ જ કારણ છે કે સર્વ પ્રથમ વિચ્છેદ પૂર્વનો જ થયો. - આ તે એક સામાન્ય સિદ્ધાન્ત થયો પણ કેટલાક ગ્રન્થ અને પ્રકરણને વિષે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેની રચના અમુક પૂર્વને આધારે થઈ છે. અહીં એ ગ્રન્થોની સૂચી અમે આપીએ છીએ જેથી પ્રતીત થશે કે કેવલ ષખંડાગમ અને કષાયપ્રાભૂતની જ રચના પૂર્વેને આધારે કરવામાં આવી નથી. પરંતુ શ્વેતામ્બરાન અનેક ગ્રન્થ એવા છે જેને આધાર પૂર્વ છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧. મહાકા૫ શ્રત નામે આચારાંગના નિશીથ અધ્યયનની રચના પ્રત્યાખ્યાનપૂર્વની તૃતીય આચાર વસ્તુના વીસમા પાહુડને આધારે થઈ છે – આચા. નિ. ૨૯૧ ૨. દશવૈકાલિકને ધર્મપ્રજ્ઞપ્તિ નામના અધ્યયનની રચના આત્મપ્રવાદ પૂર્વમાંથી પિડેષણ અધ્યયનની કર્મપ્રવાદ પૂર્વને આધારે, વાક્યશુદ્ધિ અધ્યયનની સત્યપ્રવાદ પૂર્વને આધારે, અને શેષ અધ્યયનોની રચના નવમાં પ્રત્યાખ્યાન પૂર્વની તૃતીય વસ્તુના આધારે થઈ છે. આના રચયિતા શયંભવ છે–દશ. નિ. ૧૪–૧૭. ૩. આચાર્ય ભદ્રબાહુએ દશાશ્રુતસ્કંધ, કલ્પ અને વ્યવહાર સૂત્રની રચના પ્રત્યાખ્યાન પૂર્વને આધારે કરી છે. ૪. ઉત્તરાધ્યયનનું પરીષહાધ્યયન કર્મપ્રવાદપૂર્વમાંથી ઉદ્દધૃત છે. આ ઉપરાંત આગમેતરમાં ખાસ કરી કર્મ સાહિત્યને અધિકાંશ પૂર્વમાંથી ઉધૃત છે. કિન્તુ અહીં એની ચર્ચા અપ્રસ્તુત છે. (૫) જેનાગોની સૂચિ : ૧૨ અંગ હવે આપણે એ જોઈએ કે વર્તમાનમાં કયા કયા ગ્રન્થો જેનો દ્વારા વ્યવહારમાં આગમરૂપે માનવામાં આવ્યા છે ? દિગમ્બર, શ્વેતામ્બર મૂર્તિપૂજક અને સ્થાનકવાસી તથા તેરાપંથી–આ ચારેય સંપ્રદાયમાં એ બાબતમાં તો વિવાદ છે જ નહીં કે વિદ્યમાન સકલ શ્રતનો મૂળાધાર ગણધરપ્રણીત દ્વાદશાંગ છે. બધા જ સંપ્રદાયમાં બારેય અંગોના નામ વિષે પણ વિવાદ નથી. એ બાર અંગ આ પ્રમાણે છે ૧. આચાર, ૨. સૂયગડ, ૩. ઠાણ, ૪. સમવાય, ૫. વિયાહપણત્તિ, ૬. નાયાધમ્મકહા, ૭. ઉવાસગદસા, ૮, અંતગડદસા, ૯. અનુત્તરવવાઈયદા, ૧૦. પહાવાગરણ, ૧૧. વિવાગસૂય, ૧૨. દિઠિવાય. ચારેય સંપ્રદાયોને મતે અંતિમ અંગ દિઠિવાયનો લેપ સર્વપ્રથમ થયો છે. દિગમ્બરમતે શ્રતને વિદ દિગમ્બરેનું કહેવું છે કે વીરનિર્વાણ પછી શ્રુતને ક્રમે કરી હાસ થતાં થતાં ૬૮૩ વર્ષ પછી કઈ અંગધર કે પૂર્વધર આચાર્ય રહ્યો નથી. કેવલ અંગ Page #53 -------------------------------------------------------------------------- ________________ અને પૂના અંશ માત્રના જ્ઞાતા આચાર્ય થયા. અંગ અને પૂંધરના અશુધર આચાર્યાંની પરંપરામાં થનાર પુષ્પદન અને ભૂતબલિ આચાર્યાએ ષટ્સ ડાગમની રચના ખીજા અગ્રાયણીય પૂના અશને આધારે કરી અને આચાય ગુણધરે પાંચમાપૂર્વ જ્ઞાનપ્રવાદના અંશને આધારે કાયપાહુડની રચના કરી—ધવલા પુ. ૧, પૃ. ૭૧; ધવલા પૃ. ૮૭. આ બંને પ્રથાને દિગમ્બર સ`પ્રદાયમાં આગમનું સ્થાન પ્રાપ્ત છે. શિખરમતે અંગગમ લુપ્ત થઈ ગયા છે. દિગ’ખરમતે વીરનિર્વાણ પછી જે ક્રમે શ્રુતનેા વિચ્છેદ થયે તે નીચે મુજબ આપવામાં આવે છે— ૩૨ ૩ કેવલી—ગૌતમાદિ પૂર્વોક્ત ૫ શ્રુતકેવલી પૂર્વોક્ત ૧૧ દશપૂર્વી ૫ એકાંદશાંગધારી નક્ષત્ર, જસપાલ (જયપાલ), પાંડુ, ધ્રુવસેન, ક સાચાય ૪ આચારાંગધારી—સુભદ્ર, યશેાભદ્ર, યશાખાહુ, લાહાચાય ܕ ܕ ૩૬૭-૮. દર વર્ષ ૧૦૦ ૩, ૧૮૩ ૨૨૦ ૨ ૬૮૩ વર્ષ આ સૂચિ માટે જુએ—જયધવલા પ્રસ્તાવના પૃ. ૪૯. ૧૧૮ મૃ દિગ’અરાના અગબાહ્ય ગ્રન્થા ઉક્ત અંગથી અતિરિક્ત ૧૪ અંગબાહ્ય આગમાની રચના પણ સ્થવિરાએ કરી હતી. આવી માન્યતા છતાં દિગંબરીનું કહેવું છે કે અંગમાદ્યને પણ લેાપ થઈ ગયા છે. એ ૧૪ અગખાદ્યના નામ આ પ્રમાણે છે— ૧ સામાયિક, ૨ ચતુવિંશવિસ્તવ, ૩ વંદના, ૪ પ્રતિક્રમણ, ૫. વૈયિક, ૬ કૃતિક, છ શવૈકાલિક, ૮ ઉત્તરાધ્યયન, ૯ કપવ્યવહાર, ૧૦ કલ્પાકલ્પિક, ૧૧ મહાકલ્પિક, ૧૨ પુડરીક, ૧૩ મહાપુડરીક, ૧૪ નિશીથિકા-~ આ માટે જીએ-જધવલા પૃ. ૨૫, ધવલા પુ. ૧, પૃ. ૯૬, ગામટ્ટસારજીવ॰ Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્વેતામ્બરાના ત્રણે સંપ્રદાયાના અંગબાહ્ય ગ્રન્થ અને તદ્ગત અધ્યયનાની સૂચિ જોઈએ તા સ્પષ્ટ થશે કે ઉક્ત ૧૪ દિગંબરમાન્ય અંગમાઘુ ગ્રંથામાંથી અધિકાંશ શ્વેતામ્બર મતે સુરક્ષિત છે. તેમને! વિચ્છેદ જ થયા નથી. દિગબરાએ મૂલઆગમાના લેપ માનીને પણ કેટલાક પ્રથાને આગમ જેટલુ જ મહત્ત્વ આપ્યું છે અને તેમને જૈનવેદની સંજ્ઞા આપીને પ્રસિદ્ધ ચાર અનુયાગામાં વિભક્ત કર્યાં છે. તે આ પ્રમાણે— ૩૩ ૧. પ્રથમાનુયાગ-પદ્મપુરાણ (રવિષેણ), હરિવંશપુરાણ (જિનસેન), આદિપુરાણુ (જિનસેન), ઉત્તરપુરાણ (ગુણભદ્ર) ૨. કરણાનુયાગ-સૂર્ય પ્રાપ્તિ, ચદ્રપ્રજ્ઞપ્તિ, જયધવલ ૩. દ્રવ્યાનુયોગ-પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાય (આ ચારેય કુન્દકુન્દમૃત), તત્ત્વાર્થાધિમગસૂત્ર (ઉમાસ્વામી) અને તેની સમન્તભદ્ર (અનુપલબ્ધ), પૂન્યપાદ, અકલંક, વિદ્યાનંદ આદિ કૃત ટીકાઓ, આપ્તમીમાંસા (સમન્તભદ્ર) અને તેની અકલંક, વિદ્યાન૬ આકૃિત ટીકાઓ. ૪, ચરણાનુયાગ મૂલાચાર (વટ્ટકેર), ત્રિવાઁચાર, રત્નકર ડશ્રાવકાચાર ભાગ ૨, પૃ. ૪૭૪ આ સૂચી માટે જુએ—જૈનધમ પૃ. ૧૦૭, હિસ્ટ્રી એફ ઇન્ડિયન લિરટેચર સ્થાનકવાસીના આગમગ્રન્થા શ્વેતામ્બર સ્થાનકવાસી સંપ્રદાયના મતે દૃષ્ટિવાદને બાદ કરતા બાકીના અધા જ અંગ સુરક્ષિત છે. અંગબાહ્ય વિષે તેમના મત છે કે કેવળ નિમ્ન લિખિત ગ્રંથા જ સુરક્ષિત છે—— ૩ અગબાહ્યમાં ૧૨ ઉપાંગ, ૪ છેદ. ૪ મૂળ અને ૧ આવશ્યક–આ પ્રકારે માત્ર ૨૧ ગ્રન્થાને સમાવેશ છે. આ શ્વેતામ્બર મૂર્તિપૂજકને પણ માન્ય છે જ. ઉપાંગ–૧ઔપપાતિક, ૨ રાજપ્રશ્નીય, ૩ જીવાભિગમ, ૪ પ્રજ્ઞાપના, ૫ સૂર્ય પ્રપ્તિ, હું જમૂદ્દીપ પ્રાપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ, ૮ નિરયાવલી, ૯ કલ્યાવત સિકા, ૧૦ પુષ્પિકા, ૧૧ પુચૂલિકા, ૧૨ વૃષ્ણિ દશા. ૧૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શાસ્ત્રીદ્વાર મીમાંસામાં (પૃ. ૪૧) આ. અમોલખઋષિએ લખ્યું છે કે ચન્દ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રાપ્તિ આ બન્ને જ્ઞાતા ધર્મના ઉપાંગે છે. આ અપવાદને ધ્યાનમાં રાખીને ક્રમશ: આચારાંગનું ઔપપાતિક ઇત્યાદિ ક્રમે અંગેની સાથે તેના ઉપાંગોની યોજના કરી લેવી જોઈએ. ક છેદ-૧ વ્યવહાર, ૨ બૃહકલ્પ, ૩ નિશીથ ૪ દશાશ્રુતસ્કંધ. ૪ મૂલ-૧ દશવૈકાલિક, ૨ ઉત્તરાધ્યયન, ૩ નન્દી, ૪ અનુયોગદાર ૧ આવશ્યક આ પ્રકારે બધા મળી અંગબાહ્ય ૨૧ થાય છે. જે વિદ્યમાન છે. ૨૧ અંગબાહ્ય ગ્રન્થને જે પ્રકારે સ્થાનકવાસીઓએ માન્યાં છે, શ્વેતામ્બર મૂર્તિપૂજક તેમને તે જ પ્રકારે માને છે. આ ઉપરાંત કેટલાક અન્ય ગ્રન્થોનું પણ અસ્તિત્વ માને છે જેમને સ્થાનકવાસી પ્રમાણ માનતા નથી અથવા તો લુપ્ત માને છે. સ્થાનકવાસીની જેમ તેને એક ઉપ સંપ્રદાય તેરાપંથીને પણ ૧૧ અંગ અને ૨૧ અંગબાહ્ય ગ્રન્થોનું અસ્તિત્વ અને પ્રામાણ્ય માન્ય છે. શેષનું નહીં. આ બન્ને સ્થાનકવાસી અને તેરાપંથીને નિયુક્તિ આદિ ટીકા ગ્રન્થનું પ્રામાણ્ય સ્વીકૃત નથી. યદ્યપિ વર્તમાનમાં ઉક્ત બન્ને સંપ્રદાયોના કેટલાક વિદ્વાનોની આગમના ઈતિહાસ વિષે દૃષ્ટિ ગઈ હોવાની તથા આગમોની નિયુક્તિ જેવી પ્રાચીન ટીકાઓના અભ્યાસને કારણે દૃષ્ટિ કાંઈક ઉદાર થઈ છે અને તેઓ એ સ્વીકારવા લાગ્યા છે કે દશવૈકાલિક આદિ શાસ્ત્રોના પ્રણેતા ગણધર નહીં, કિન્તુ શય્યભવ આદિ છે તથાવિ જેમનો આગમની ટીકા-ટિપણી વિષે કોઈ વિશ્વાસ નથી તથા જેમને આગમની સંસ્કૃત ટીકા વિષે નફરત છે એવા સાંપ્રદાયિક મનોવૃત્તિવાળાઓનો એ જ વિશ્વાસ છે કે અંગ અને અંગબાહ્ય બંને પ્રકારના આગમના કર્તા ગણધરે જ છે, અન્ય કોઈ સ્થવિર નથી. શાસ્ત્રોદ્ધારમીમાંસા પૃ૦ ૪૩, ૪૫, ૪૭. વેતામ્બર મૂર્તિપૂજકેના આગમગ્રન્થ - એ તો કહેવાઈ ગયું છે કે અંગ બાર છે તેમાં તે કેઈને વિવાદ નથી.એટલે શ્વેતામ્બર મૂર્તિપૂજકોને પણ પૂર્વોક્ત ૧૨ અંગ માન્ય જ છે જેમને દિગંબર Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પણ માને છે. ફરક માત્ર એટલો જ છે કે પૂર્વોક્ત ક્રમે દિગંબરેએ તેને વિચ્છેદ માન્યો છે ત્યારે શ્વેતામ્બરેએ માત્ર બારમા અંગને જ વિચ્છેદ મા. એમનું માનવું છે કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી હજાર વર્ષે કેવલ પૂર્વગતને વિચ્છેદ થયો છે–ભગવતી ૨.૮; તિથૈગા. ૮૦૧, સત્તરીયઠાણ ૩૨૭. જ્યાં સુધી પૂર્વેને વિચ્છેદ થયે ન હતો, પૂર્વના વિષયોને આધારે નાનાપ્રકારની રચનાઓ થઈ હતી. આવી અધિકાંશ રચનાઓનો સમાવેશ અંગબાહ્યમાં કરવામાં આવ્યું છે, કેટલીક એવી પણ રચના છે જેનો સમાવેશ અંગમાં પણ કરવામાં આવ્યો છે. દિગંબરાએ ૧૪, સ્થાનકવાસી–તેરાપંથીએ ૨૧ અને શ્વેતામ્બર મતિ. પૂજકેએ ૩૪ અંગબાહ્ય આગામે સ્વીકાર્યા છે. શ્વેતામ્બરોને મતે ઉપલબ્ધ ૧૧ અંગ અને ૩૪ અંગબાહ્યની સૂચિ આ પ્રમાણે છે– ૧૧ અંગ-પુક્તિ આચારાંગ આદિ ૧૨ ઉપાંગ-પપાતિક આદિ પુર્વોક્ત ૧૦ પ્રકીર્ણક-૧. ચનુ શરણ, ૨. આતુરપ્રત્યાખ્યાન, ૩. ભક્તપરિણા, ૪. સંસ્તારક, ૫. તંદુવૈચારિક, ૬. ચંદ્રધ્યક, ૭. દેવેન્દ્રસ્તવ, ૮. ગણિવિદ્યા, ૯ મહાપ્રત્યાખ્યાન, ૧૦. વીરસ્તવ. આ દશ પ્રકણકને અન્ય પ્રકારે પણ ગણાવવામાં આવે છે–આ બાબતે જુએ-કેનેનિકલ લિટ્રેચર ઓફ ધ જેન્સ પૃ. ૪૫–૫૧. ૬ છેદસૂત્ર-૧. નિશીથ, ૨. મહાનિશીથ, ૩. વ્યવહાર, ૪. દશાશ્રુતસ્કંધ, ૫. બૃહત્કલ્પ, ૬. છતક૯૫. ૪ મૂળ-૧.ઉત્તરાધ્યયન, ૨. દશવૈકાલિક, ૩. આવશ્યક, ૪. પિંડનિયુક્તિ મતાંતરે ઘનિર્યુક્તિ ૨ ચૂલિકાસૂત્ર-૧. નંદી, ૨. અનુયોગદ્વાર (૬) આગમને રચનાકાલ આપણે જોયું કે આગમશબ્દવા એક ગ્રન્થ નથી, પણ અનેક ગ્રન્થને સમુદાય છે. આથી આગમોની રચનાને કેઈ એક કાલ બતાવી શકાય તેમ નથી. ભગવાન મહાવીરનો ઉપદેશ વિક્રમપુર્વે ૫૦૦માં શરૂ થયો. આથી ઉપલબ્ધ ૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કાઈ પણ આગમની રચના એ પુર્વે તા હેાવાને સંભવ જ નથી. તથા ખીજીઅને અંતિમ વાચનાને આધારે પુસ્તક લેખન વલભીમાં થયું તે વિક્રમ સ ંવત ૫૧૦ (મતાંતરે પર૩માં. આથી આગમાંતગ ત કાઈ પણ શાસ્ત્રવિક્રમ ૫૨૩ પછીતેા તા હેાઈ શકે નહીં. આમાં ચતુ:શરણ અને ભક્તપરિના જેવા પ્રકીક જેના ઉલ્લેખ નદીમાં નથી તે અપવાદ છે. આ ગ્રન્થા આગમમાં કયારે સમાવિષ્ટ થયા તે કહેવુ કઠણ છે. આ મર્યાદાને ધ્યાનમાં રાખીને જ આગમની રચનાના કાલ વિષે વિચાર કરવાને છે. અંગ ગ્રંથ ગણધરકૃત મનાય છે . પણ એમાં પણ બધા એક જેવા પ્રાચીન નથી. આચારાંગના જ પ્રથમ અને દ્વિતીય શ્રુતસ્કંધ ભાષા અને ભાવની દૃષ્ટિએ સોન નથી. આ વાત કાઈ પણ કહી શકે એમ છે. પ્રથમ શ્રુતસ્કંધ દ્વિતીયથી જ નહીં પણ સમગ્ર જૈન વાડ્મયમાં સૌથી પ્રાચીનતમ છે. એમાં પણ પરિવર્તન, પરિવ ન સ થા થયું જ નથી એમ તેા કહી શકાય તેમ નથી પણ એમાં નવું સર્વોથા એછું મેળવવામાં આવ્યું છે એ તે નિશ્ચયપૂર્વક કહી શકાય તેમ છે. તે ભગવાનના સાક્ષાત્ ઉપદેશરૂપ ન પણ હાય છતાં તેની સાવ નિકટ તે છે. જ. આવી સ્થિતિમાં તેને આપણે વિક્રમપુ ૩૦૦ પછીની સંકલના તે કહી શકીએ જ નહીં. અધિકસ ંભવ તા એ જ છે કે એ પ્રથમ વાચનાની સકલના છે. આચારાંગના દ્વિતીય શ્રુતસ્ક ંધની રચના–સંકલન આચાર્ય ભદ્રબાહુ પછીનુ હાય એવા સંભવ છે. કારણ કે તેમાં પ્રથમ શ્રુતસ્કંધની અપેક્ષાએ ભિક્ષુઓના નિયમેપનિયમના વનમાં વિકસિત ભૂમિકાની સૂચના મળે છે. આપણે તેને વિક્રમપુ બીજી શદી પછીની રચના કહી શકીએ તેમ નથી. આ જ વાત અન્ય અંગેાના વિષે પણ સામાન્યત: કહી શકાય તેમ છે. પણ એને અ એ તે! ન જ લઈ શકાય કે તેમાં જે કાંઈ સંકલિત છે તે બધું જ આ શતીનું છે. વિષય જે જૂને છે તે ગણધર પછીની પરંપરાથી ચાલ્યા આવતા જ હતા. એને જ સંકલિત કરવામાં આવ્યેા. આને અર્થે એ પણ સમજવા નહીં જોઈએ કે વિક્રમ પછી બીજી શતી પછી એમાં કશું જ જોડવામાં આવ્યું નથી. સ્થાનાંગ જેવા અંગ ગ્રન્થેમાં વીરનિર્વાણની છઠ્ઠી શતીની ઘટનાને પણ ઉલ્લેખ મળી આવે છે, પરંતુ આવા કેટલાક અÀાને છેાડીને બાકીનુ બધું જ જૂનુ છે. ભાષામાં યત્રતંત્ર કાલની ગતિને કારણે અને ભાષા પ્રાકૃત હેાવાથી ભાષાવિકાસના નિયમાનુસાર પરિવર્તન થવુ અનિવાય છે. કારણ કે પ્રાચીન સમયમાં Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૭ આગમનું પઠનપાઠન લિખિત ગ્રંથને આધારે નહીં પણ કંઠોપકંઠથી થતું હતું. પ્રશ્નવ્યાકરણ અંગનું વર્ણન જેવું નંદી સત્રમાં છે, તેને જોઈએ તે ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણ અંગ સમગ્ર ભાવે જ પછીની રચના હોય તેમ નિશ્ચિત કહી શકાય છે. વાલભી લેખન પછી આ અંગ કયારે નષ્ટ થયું અને ક્યારે તેને સ્થાને નવું બનાવી જેડવામાં આવ્યું, આ જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી, એટલું જ કહી શકાય તેમ છે કે અભયદેવની ટીકા જે બારમી શતીના પ્રારંભમાં લખવામાં આવી છે તે પુર્વે ક્યારેક તે બની ગયું હશે. આ ઉપાંગના સમય વિષે હવે વિચાર ક્રમ પ્રાપ્ત છે. પ્રજ્ઞાપનાને રચના કાલ નિશ્ચિત છે. પ્રજ્ઞાપનાના રચયિતા આર્થસ્થામ છે. એમનું બીજુ નામ કાલકાચાર્યો (નિમેદવ્યાખ્યાતા) છે. (વીરનિ. પૃ. ૬૪) એમને વીરનિ. ૩૩૫માં યુગપ્રધાનપદ મળ્યું છે, અને તેઓ તે પદ પર ૩૭૬ સુધી રહ્યા છે. આ જ કાલની રચના પ્રજ્ઞાપના છે. અત: આ રચના વિક્રમપુર્વે ૧૩૫ થી ૯૪ની વચ્ચેની હોવી જોઈએ. બાકીના ઉપાંગોના કર્તા વિષે કશું જ જાણવામાં આવ્યું નથી. કિન્તુ તેના રચયિતા ગણધર તે મનાતા જ નથી. અન્ય કોઈ સ્થવિર માનવામાં આવે છે. આ બધા કોઈ એક કાલની રચના હોય તેમ જણાતું નથી. ચન્દ્રપ્ર, સૂર્યપ્ર., અને જબૂદીપપ્રાપ્તિ આ ત્રણ ઉપાંગોનો સમાવેશ દિગંબરાએ દષ્ટિવાદના પ્રથમ ભેદ પરિકર્મમાં કર્યો છે. (ધવલા પુ. ૨, પૃ. ૪૩) નંદીસૂત્રમાં પણ આમને નામોલ્લેખ છે. આથી આ બન્ને ગ્રન્થ શ્વેતામ્બર–દિગ બરના ભેદ પુર્વેના હોવા જોઈએ. આથી આમનો સમય વિક્રમ સંવતના પ્રારંભથી પછીનો હોવા સંભવ નથી. શેષ ઉપાંગોને વિષે પણ સામાન્યત: આમ જ કહી શકાય. ઉપલબ્ધ ચન્દ્રપ્રન્ટ અને સૂર્યપ્રવેમાં ખાસ કાઈ ભેદ નથી જણાત. અત: એમ સંભવ છે કે મૂલ ચન્દ્રમ૦ નષ્ટ થઈ ગઈ હોય. પ્રકીર્ણ કેની રચના વિષે એમ કહી શકાય કે તેની રચના સમયે સમયે થઈ હશે. અને અંતિમ મર્યાદા વલભી વાચન હોઈ શકે અથવા તે પછી પણ હોઈ શકે. છેદસૂત્રોમાં દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહારની રચના તો ભદ્રબાહુએ કરી હતી (દશનિ. ગા. ૧) આથી તેમનો સમય વિરનિ. ૧૭૦ પછી તે હોઈ શકે જ નહીં. અર્થાત વિક્રમપુર્વ ૩૦૦ પહેલા તે બની ચૂક્યા હતા. આ ગ્રન્થની Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૮ નિયુક્તિ ભાષ્ય આદિ અનેક ટીકાઓ બની છે, આથી આમાં પરિવર્તનને અવકાશ નથી. " નિશીથ સૂત્ર તો આચારાંગની ચૂલિકા છે આથી તે પણ પ્રાચીન છે જ. કિન્તુ છતકલ્પ તો આ. જિનભદ્રની રચના હેઈ તેમના સમયની જ રચના ગણવી જોઈએ અર્થાત વિક્રમ ૫૪૬–૬૫૦ ની વચ્ચે ક્યારેક તે રચાયું. જ્યારે પંચકલ્પ નષ્ટ થયું ત્યારે તેનું સ્થાન છેદમાં છતકલ્પ લીધું –એમ કહેવાને બદલે આમ કહેવું યોગ્ય છે કે તે ક૫-વ્યવહાર-નિશીથના સારરૂપે હેઈ તેને છેદમાં સ્થાન મળ્યું. મહાનિશીથ તે જે હરિભદ્ર નષ્ટ થતાં બચાવ્યું તે જ છે. આથી તેની ઉપલબ્ધ સંકલનાનું શ્રેય હરિભદ્રને જ છે. આથી તેનો સમય પણ હરિભદ્રનો જે સમય છે તે જ હોઈ શકે. એમાંનો વિષય તો જૂનો જ છે. - મૂલ સૂત્રોમાં દશવૈકાલિક આ૦ શĀભયની કૃતિ છે. એમને યુગપ્રધાન પદ વિરનિ ૭૫ માં મળ્યું. અને તેઓ તે પદમાં વીરનિ. ૯૮ સુધી સ્થિર રહ્યા. અર્થાત દશવૈકાલિકની રચના વિક્રમપુર્વ ૩૨૫ અને ૩૯૨ ની વચ્ચે થઈ એમ માની શકાય. દશવે ની ચૂલિકાઓ તેમાં બાદમાં જોડવામાં આવી હશે. આ સિવાય તેમાં કઈ પરિવર્તન હોવાનો સંભવ નથી. ઉત્તરાધ્યયન કેઈ એક આચાર્યની રચના નથી અને વળી નથી તે કોઈ એક કાલની રચના છતાં તેને વિક્રમપુર્વ બીજી અથવા ત્રીજી શતીનું માનવામાં કાંઈ બાધક જણાતું નથી. આવશ્યક સૂત્ર અંગબાહ્ય હોઈ ગણધરકૃત તે નથી જ પણ તે સમકાલીન કઈ સ્થવિરની રચના હશે સાધુઓના આચારમાં નિત્યોપયોગમાં આવનાર આ સૂત્ર છે. આથી તેની રચના દશવૈકાલિકથી પણ પુર્વે માનવી જરૂરી છે. અંગ ગ્રન્થમાં જ્યાં સ્વાધ્યાયને ઉલ્લેખ છે ત્યાં “સામાઈયાણિ એકાદસાંગાણિ” ભણવાનો નિર્દેશ સ્પષ્ટ છે. આથી સ્પષ્ટ થાય છે કે સાધુઓને સર્વ પ્રથમ આવશ્યક સૂત્ર ભણાવવામાં આવતું હતું. આથી એ પણ માનવું જરૂરી છે કે આવશ્યક સૂત્ર અંગકાલીન છે. અર્થાત્ જ આમ માનવું ઉચિત છે કે આવશ્યકની રચના વિક્રમપુર્વ ચોથી શતીમાં થઈ હશે. પિંડનિયુક્તિ એ તો દશવૈકાલિકની નિયુક્તિને એક ભાગ છે. આથી તે ભદ્રબાહુ દ્વિતીયની રચના હોવા વિશે શંકા રહેતી નથી તેથી તે વિક્રમ પાંચમી– છઠ્ઠી શતીની રચના ગણાય. Page #60 -------------------------------------------------------------------------- ________________ । ૩૯ ચૂલિકાસ્ત્રામાંના નંદીની રચના દેવવાચકની છે. અને તેની રચના વિક્રમ ૪૨૩ પૂર્વે થઈ છે. (જુએ નંદી–અનુયાગ પ્રસ્તાવના પૃ. ૩૨-૩). અનુયાગ દ્વારસૂત્રના કર્તા કાણુ છે એ કહેવું કઠણ છે. પણ તે આવશ્યક સૂત્રને અનુયાગ હાઈ આવશ્યક પછી જ કયારેક બન્યુ હશે એમ કહી શકાય. પ્રવાદ પ્રમાણે તે આ રક્ષિતની રચના મનાય છે, પણ તેમાં તથ્ય નથી. પણ તેને સમય મેં નિશ્ચિત કરવા પ્રયત્ન કર્યાં છે અને તે ઈસ્વી ૩૦૦ પછી તેા નથી જ રચાયું, તે પૂર્વ કયારેક રચાયું હશે એવા નિ ય ઉપર હું આવ્યા છું. (અનુયેાગદ્વાર પ્રસ્તાવના પૃ. ૪૯–૫૧) આ અનુયાગારમાં સંભવ છે કે યંત્રતંત્ર કેટલીક ખાખતા ઉમેરવામાં આવી હાય. આગમેાના સમય વિષેની આ ચર્ચા અંતિમ છે એમ માનવું જોઈએ નહીં. જ્યારે પ્રત્યેક આગમ વિષે અંતર—બાહ્ય નિરીક્ષણ કરીને આ ચર્ચા પરિપુ થાય ત્યારે જ સમયનિણૅય અંતિમ ગણાય. અહીં તે। સામાન્ય નિરૂપણ કરવા પ્રયત્ન કર્યાં છે. (૭) આગમાના વિષય આ પૂર્વે આ બાબતની ઘેાડી ચર્ચા મે' શ્રી પ્રેમી અભિનંદન ગ્રન્થમાં કરી જ છે. પણ અહી જરૂરી હોઈ તે પુનઃ કરવામાં આવે છે. જૈન આગમેમાં કેટલાક તા એવા છે જે જૈન આચાર સાથે સંબંધ ધરાવે છે. જેવા કે આચારસ’ગ, દશવૈકાલિક આદિ. કેટલાક આગમે તત્કાલીન ભૂગાળ અને ખગાળ આદિ સંબધી માન્યતાઓનું વર્ણન કરે છે, જેવા કે જમૂદ્દીપ પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રાપ્તિ આદિ. છેદસૂત્રેાના પ્રધાન વિષય જૈન સાધુએ ના આચારવિષયક ઔર્ગિક અને આપવાદિક નિયમનુ વર્ણન કરે છે અને પ્રાયશ્ચિત્તનું વિધાન કરે છે. કેટલાક ગ્રન્થા એવા છે જેમાં જૈન માના અનુયાયીઓના ચરિતનુ ચિત્રણ કરવામાં આવ્યું છે, જેવા કે વાસકદ્દસા, અનુત્તરાપપાતિકદસા આદિ– કેટલાકમાં કલ્પિત કે સાચી કથાએ! અને દૃષ્ટાંતા આપી ઉપદેશ દેવામાં આવ્યેા છે. જેમ કે જ્ઞાતાધ કથા આદિ. વિપાકસૂત્રમાં શુભ-અશુભ કર્માંને વિપાક થાએ દ્વારા નિર્દિષ્ટ છે, ભગવતીસૂત્રમાં ગણધરે અને બીજાઓના . મહાવીર સાથેના સંવાદોનું નિરૂપણ છે. બૌદ્ધ સૂત્તપિટકની જેમ નાના વિષયેાના પ્રશ્નોત્તરાના સંગ્રહ પણ આમાં છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ દર્શન સાથે સંબંધ ધરાવનાર ગ્રન્થોમાં ખાસ કરી સૂત્રકૃતાંગ, પ્રજ્ઞાપના, રાજપ્રક્રીય, ભગવતી, નન્દી, સ્થાનાંગ, સમવાયાંગ અને અનુયગોધાર સૂત્રો મુખ્ય છે. સૂત્રકૃતમાં તત્કાલીન મન્તવ્યોનું નિરાકરણ કરી સ્વમતની પ્રસ્થાપના કરી છે. ભૂતવાદીઓનું નિરાકરણ કરીને આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. બ્રહ્મવાદને સ્થાને નાના આત્મવાદ સ્થિર કર્યો છે, જીવ અને શરીરને પૃથફ બતાવ્યાં છે. કર્મનું અસ્તિત્વ અને તેના ફળની ચર્ચા કરવામાં આવી છે, જગદુત્પત્તિના વિષયમાં વિવિધવાદેનું નિરાકરણ કરી જગત ઈશ્વરે અથવા એવી કોઈ વ્યક્તિએ નિર્મિત નથી કર્યું, એ તો અનાદિ અનંત છે-આ બાબતની સ્થાપના કરી છે. તત્કાલીન ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ, અને અજ્ઞાનવાદનું નિરાકરણ કરી સુસંસ્કૃત ક્રિયાવાદની સ્થાપના કરવામાં આવી છે. પ્રજ્ઞાપનામાં જીવોના વિવિધ ભાવોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. રાજકશ્રીયમાં પાર્શ્વનાથની પરંપરાના કેશી શ્રમણે શ્રાવસ્તીના રાજા પએસીના પ્રશ્નોના ઉત્તરમાં નાસ્તિવાનું નિરાકરણ કરી આત્મા અને તત્સંબંધી અનેક વિષયોની સમજ દૃષ્ટાંત અને યુક્તિઓ દ્વારા આપી છે. ભગવતીસૂત્રના અનેક પ્રશ્નોત્તરોમાં નય–પ્રમાણ આદિ અનેક દાર્શનિક વિચાર વેરાયેલા પડ્યા છે. નંદીસુત્ર જૈન દૃષ્ટિએ જ્ઞાનનું સ્વરૂપ અને તેના અનેક ભેદનું વિશ્લેષણ કરતો એક અનુપમ ગ્રન્થ છે. સ્થાનાગ અને સમવાયાંગની રચના બૌદ્ધના અંગુત્તરનિકાય જેવી જ છે, આ બન્નેમાં પણ આત્મા, પુદગલ, જ્ઞાન, નય, પ્રમાણ આદિ વિષયોની ચર્ચા કરવામાં આવી છે. ભગવાન મહાવીરના શાસનમાં થયેલ નિહ્નોની ચર્ચા સ્થાનાંગમાં કરવામાં આવી છે. આવા સાત નિહ્નો થયા છે, જેમણે કાળક્રમે ભ. મહાવીરના સિદ્ધાન્તોમાં મતભેદ પ્રકટ કર્યો છે. આથી તેમને નિહ્નવ કહેવામાં આવ્યા છે. અનુયાગમાં શબ્દાર્થ કરવાની પ્રક્રિયાનું અપુર્વ વર્ણન છે, અને પ્રાસંગિકરૂપે તેમાં બીજા અનેક વિષયે ચર્ચિત છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ (૮) આગમની ટીકાઓ આગમોની ટીકાએ પ્રથમ પ્રાકૃતમાં અને પછી સંસ્કૃતમાં થઈ છે. પ્રાકૃત ટીકાઓ નિયુક્તિ, ભાષ્ય અને ચૂણિને નામે લખાઈ છે. નિર્યુક્તિ અને ભાષ્ય પદ્યમાં અને ચૂણિ ગદ્યમાં છે, ચુર્ણિમાં યત્રતત્ર સંસ્કૃત વાક્યોનું મિશ્રણ કરવામાં આવ્યું છે. ઉપલબ્ધ નિયુક્તિઓ દ્વિતીય ભદ્રબાહુની છે. તેમનો સમય વિ. પાંચમી-છઠ્ઠી શતી છે. નિર્યુક્તિઓમાં દાર્શનિક ચર્ચા કેટલેક પ્રસંગ કરી છે. ખાસ કરી બૌદ્ધ અને ચાર્વાક વિષે નિર્યુક્તિમાં જ્યાં ક્યાંઈ અવસર મળ્યો અવશ્ય લખ્યું છે. આત્માનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે, જ્ઞાનનું સૂક્ષ્મ નિરૂપણ તથા અહિંસાનું તાત્વિક વિવેચન કર્યું છે. શબ્દના અર્થ કરવાની પ્રવૃત્તિમાં તો ભદ્રબાહુનું નૈપુણ્ય યત્રતત્ર સર્વત્ર જણાઈ આવે છે. પ્રમાણ, નય અને નિક્ષેપ વિષે લખીને ભદ્રબાહુએ જૈન દર્શનની ભૂમિકા પાકી કરી દીધી છે. કોઈ પણ વિષયની ચર્ચાનું પોતાના સમય સુધીનું પૂર્ણરૂપ જેવું હોય તે તે ભાષ્યમાં મળી રહે છે, ભાષ્યકારોમાં સંઘદાસગણી અને જિનભદ્ર મુખ્ય છે. તેમનો સમય સાતમી શતી છે. જિનભદ્ર વિશેષાવશ્યકભાષ્યમાં આગમિક વિષયોનું તર્કસંગત વિવેચન કર્યું છે, પ્રમાણ, નય અને નિક્ષેપની ચર્ચા તો પૂર્ણરૂપમાં કરી જ છે. આ ઉપરાંત તનું તાત્ત્વિક યુક્તિસંગત વિવેચન તેમણે કર્યું છે. એમ નિ:શંક કહી શકાય કે દાર્શનિક ચર્ચાનો એ કઈ વિષય નથી જેના વિષે જિનભદ્ર પિતાની કલમ ચલાવી ન હોય. બૃહત્કલ્પભાષ્યમાં સાધુઓના આહાર-વિહારાદિ વિષયના ઉત્સર્ગ–અપવાદ માર્ગની વિસ્તૃતરૂપે દાર્શનિક ઢંગે ચર્ચા કરી છે. તેમણે પણ પ્રસંગે જ્ઞાન, પ્રમાણ નય અને નિક્ષેપ વિષે લખ્યું જ છે. લગભગ સાતમી–આઠમી શતીની ચુર્ણિમાં મળે છે. ચુર્ણિકારોમાં જિનદાસ મહત્તર પ્રસિદ્ધ છે. ગુણિઓમાં ભાષ્યચર્ચિત વિષયોની સંક્ષેપમાં ગદ્યમાં ચર્ચા કરવામાં આવી છે. જાતક પ્રકારની કથાઓ ચુર્ણિની વિશેષતા છે. જિનાગમની સૌથી પ્રાચીન સંસ્કૃત ટીકા આ. હરિભદ્રની છે. એમનો સમય વિ. ૭૫૭ થી ૮૫૭ની વચ્ચેનો છે. હરિભદ્રે પ્રાકૃત યુણિએનું સંસ્કૃતમાં પ્રાય રૂપાન્તર કર્યું છે, યત્રતત્ર પિતાના દાર્શનિક જ્ઞાનનો ઉપયોગ પણ તેમણે ટીકામાં કર્યો છે. આથી ભારતીય દર્શનોની પૂર્વ પક્ષરૂપે ચર્ચા તેમની ટીકાઓમાં Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મળી રહે છે. એટલું જ નહીં પણ જૈન તત્વને દાર્શનિક જ્ઞાનના બળે સુનિશ્ચિતરૂપે સ્થિર કરવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો છે. " હરિભદ્ર પછી શીલાંકરિએ દશમી શતીમાં સંસ્કૃત ટીકાઓની રચના કરી. શીલાંક પછી પ્રસિદ્ધ ટીકાકાર શાત્યાચાર્ય થયા. તેમણે ઉત્તરાધ્યયની બૃહટીકા લખી. આ પછી પ્રસિદ્ધ નવાંગી ટીકાકાર અભયદેવ થયા. એમનો જન્મ વિ. ૧૦૭૨ અને સ્વર્ગવાસ ૧૧૩૫ માં થયો છે. આ બન્ને ટીકાકારોએ પિતાથી પુર્વની ટીકાઓને ઉપયોગ તો કર્યો જ છે ઉપરાંત પિતાની તરફથી દાર્શનિક ચર્ચાઓ પણ કરી છે. અહીં બારમી શતીના હૈમચન્દ્ર મલધારીને ઉલ્લેખ પણ જરૂરી છે. કિન્તુ સંસ્કૃત ટીકાકારોમાં સર્વશ્રેષ્ઠ સ્થાન તે મલયગિરિને આપવું જોઈએ, પ્રાંજલ ભાષામાં દાર્શનિક ચર્ચાથી પ્રચુર ટીકાઓ જેવી હોય તો મલયગિરિની ટીકાઓ જેવી જોઈએ. એમની ટીકા વાંચતા શુદ્ધ દાર્શનિક ગ્રન્થ વાંચવાને આનંદ મળે છે. જેનશાસ્ત્રની કર્મ, આચાર, ભૂગોળ, ખગોળ આદિ વિષયની ચર્ચા એટલી સ્પષ્ટરૂપે કરવામાં આવી છે કે પછી તે વિષે બીજુ જોવાની જરૂર રહેતી નથી. જેમ વાચસ્પતિ મિથે જે પણ દર્શન વિષે લખ્યું–તેમાં તન્મય થઈ લખ્યું તે જ પ્રકારે મલયગિરિએ પણ કર્યું છે. તેઓ આચાર્ય હેમચન્દ્રના સમકાલીન હતા. અતએ તેમને બારમી શતીના વિદ્વાન માનવા જોઈએ. સંસ્કૃત-પ્રાકૃત ટીકાઓનું પરિમાણ ઘણું બધું મેટું હતું અને વિષયની ચર્ચા પણ ગહન–ગહનતર થવા માંડી હતી. આથી એ જરૂરી જણાયું કે આગમોની શબ્દાર્થ પરક ટીકાઓ રચવામાં આવે વળી સમયની ગતિએ પ્રાકૃત–સંસ્કૃત ભાષાઓને બોલચાલની ભાષામાંથી દૂર કરીને માત્ર સાહિત્યિક ભાષા બનાવી દીધી હતી એટલે તત્કાલીન અપભ્રંશ એટલે કે પ્રાચીન ગુજરાતી ભાષામાં બાલાવબોધોની રચના થવા માંડી. તેમને ‘ટબા' સંજ્ઞા આપવામાં આવી. આવા ટબાકારો ઘણા થયા છે પણ પાર્ધચંદ્ર ઉપરાંત ૧૮ મી સદીમાં થનાર ફેંકાગચ્છતા ધર્મસિંહ મુનિ વિશેષરૂપે ઉલ્લેખનીય છે, કારણ કે એમની દષ્ટિ પ્રાચીન ટીકાસંમત અર્થને બદલીને કેટલેક સ્થળે સ્વસંપ્રદાય સંમત અર્થ કરવાની રહી છે. એમને સંપ્રદાય મૂર્તિપૂજાના વિરોધમાં ઉસ્થિત થયે હતો. (જેનાગમ' નામે હિન્દી પુસ્તિકા ઈ. ૧૯૪૭માં પ્રકાશિત થઈ. તેનું ગુજરાતી ભાષાંતર). Page #64 -------------------------------------------------------------------------- ________________ આચારાંગ-સૂત્રકૃતાંગ (જૈન દાનિક વિચારણાના આદિકાળ) સમયચર્ચા જૈન ધર્માંના સાહિત્યના સ્રોત જૈન આગમા છે. અને ‘જૈન આગમે' નામે અત્યારે જે સાહિત્ય આપણી સમક્ષ ઉપલબ્ધ છે તે બધું જ ભગવાન મહાવીરકાલીન છે અથવા તેા તેમના પ્રધાન શિષ્યા ગણુધરાએ રચેલું છે એમ કહી શકાય તેમ નથી. જૈન આગમ સાહિત્યના કાલદષ્ટિએ અનેક સ્તરે છે. યદ્યપિ જૈન આગમસાહિત્ય જે રૂપે આપણી સમક્ષ છે તે વલભીમાં દેવવિધ ગણુિએ લખેલ કે લખાવેલ છે અને તેના કાળ વીરનિર્વાણ પછી ૯૮૦ વષે માનવામાં આવે છે, પરંતુ આને અએ તે નથી જ કે જૈન આગમની રચનાને એ સમય છે. જૈનાગમની ભાષા અને તેમાં પ્રતિપાતિ વિષયાના અભ્યાસ કરી વિદ્યાના જે-તે આગમના કાળ જુદા જુદા માનતા થયા છે. વલભીમાં જે લેખન થયું તે પણ વલભી વાચનાનુસારી નથી પણ માથુરી વાચનાનુસારી છે એ પણ ધ્યાનમાં લેવુ જરૂરી છે. રચના, વાચના અને લેખન એ બધુ' એકકાલીન નથી એ હવે સ્પષ્ટ થયું છે. પરંતુ હજી પણ એ અસંદિગ્ધ રૂપે સ્પષ્ટ નથી થયું કે વલભી લેખનમાં કેટલાં આગમાને સમાવેશ હતા. નદીસૂત્રમાં જે સૂચિ આવે છે તે બહુ મોટી છે. અને નદીરચિયતા અને દેવવિધ ગણિ એક નથી. એટલે એમ તા ન જ કહી શકાય કે નંદિસૂચિમાં આવતાં બધાં જ આગમાનું સંકલન માથુરીવાચનામાં થયું હતુ, અને તે સૌનું લેખન વલભીમાં થયું હતું. એટલે વલભીમાં કયાં આગમા લખાયાં એ પ્રશ્ન અણુ-ઊકલ્યા જ માનવા જોઇ એ. આમ છતાં જે તે આગમાના સમય તે તે આગમાની ભાષા અને પ્રતિપાતિ વિષયના વિશેષ અભ્યાસ કરવામાં આવે તે પૂર્વાપર ભાવ નક્કી થઈ શકે છે અને આવા પ્રયત્ન વિદ્વાનોએ કર્યાં પણુ છે અને એવા સામાન્ય નિય ઉપર આવ્યા છે કે આગમામાં સૌથી પ્રાચીન આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ છે અને તે પછી સૂત્રકૃતાંગ પ્રથમ સ્કંધનું સ્થાન આવે છે અને તેમના સમય ભગવાન Page #65 -------------------------------------------------------------------------- ________________ મહાવીરથી બહુ દૂર નથી. ઈ. પૂ. તીજી શતીથી મે એને સમય માનવાને કઈ કારણ નથી. આચારાંગના પ્રથમ તસ્કંધમાં જૈન દર્શન જૈન દર્શનની સ્થિતિ આ બંનેમાં કેવી છે તે જે જાણીએ તો જૈન દર્શનનું પ્રાચીનતમરૂપ આપણી સમક્ષ આવે તેમ કહી શકાય. તત્વાર્થસૂત્ર જે આચાર્ય ઉમાસ્વાતિએ ઈ. સ. એથી–પાંચમી આસપાસ લખ્યું તેમાં જૈન દર્શનની તે કાળ સુધીની વિકસિત વિચારણું સુનિશ્ચિત રૂપે આપવામાં આવી છે એટલે તે કાળની વિચારણામાં આવતા પ્રમાણ-પ્રમેયે વિષે આચારાંગમાં શે નિર્દેશ મળે છે તે જોવું પ્રાપ્ત થાય છે. પ્રમેયની વિચારણમાં આચારાંગમાં વહૂછવનિકાયની પ્રરૂપણું મુખ્ય ભાગ ભજવે છે. જ્યારે તત્ત્વાર્થમાં પંચાસ્તિકાય કે દ્રવ્ય વિચારણું સ્પષ્ટ છે. આથી કહી શકાય કે તે કાળે પદ્ધ વિષે કઈ વિશેષ વિચારણું થઈ હોય એમ લાગતું નથી. ષડૂદ્રવ્યની સ્પષ્ટ વિચારણે જૈન દર્શનમાં કાળક્રમે આવી હશે એમ કહી શકાય. જગત અથવા લેક જીવોથી વ્યાપ્ત છે. એ માન્યતા સ્પષ્ટ છે પરંતુ અજીવ કે પુગલને ઉલેખ નથી. એને અર્થ એ તે નથી જ કે આચારાંગને બધું છવરૂપ જ માન્ય છે, કારણ કે કમરજની વાત તેમાં સ્પષ્ટ છે અને તેથી જીવને બંધ થાય છે. અને કર્મથી મુક્ત થવાને અને મેક્ષ પામવાને ઉપદેશ તો તેમાં છે જ. વળી ‘ચિત્તમંત અને “અચિત્તને ઉલ્લેખ છે જ, જે જીવઅછવની સૂચના આપે જ છે; (૧-૫-૨-૪) જીવ અથવા આત્માને પુનર્જન્મ છે અને તેનું નિવારણ કરવું જરૂરી છે એ વાતને નિર્દેશ સ્પષ્ટ છે. વળી આસવને ઉલ્લેખ છે, પણ સંવર શબ્દને પ્રયોગ મળતો નથી. જો કે નિર્જરા તે છે. આથી સ્પષ્ટ થાય છે. કે જૈન દર્શનના પ્રમેયોની વિચારણું સાત કે નવ તત્વ તરફ પ્રગતિ કરી રહી હતી. હજી પદ્ધવ્ય કે પંચાસ્તિકાયની ભૂમિકા રચાઈ નથી. વળી એ પણ સ્પષ્ટ છે કે એમાં જગતના કર્તા તરીકે ઈશ્વરને પણ સ્થાન નથી પણ જીવના સુખદુઃખને આધાર તેના કમ ઉપર જ છે એ ભૂમિકા સ્પષ્ટ થઈ છે. પ્રમાણને વિચાર કરીએ તે ઉમાસ્વાતિમાં પાંચ જ્ઞાન અને તેની પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે પ્રમાણમાં વહેચણું સ્પષ્ટ છે. તે આચારાંગમાં આ વિષે કે વિચાર છે તે જોઈએ. Page #66 -------------------------------------------------------------------------- ________________ આચારાંગમાં દૃષ્ટ, શ્રત, મત અને વિજ્ઞાત આ ચાર શબ્દોનો પ્રયોગ એકસાથે જ્ઞાનેના ભેદદશંકરૂપે થયેલો છે (૧–૪–૨–૩) પણ પ્રત્યક્ષ–પરોક્ષ શબ્દો વપરાયા નથી. વળી અવધિ કે મન:પર્યયને ઉલલેખ પણ નથી. “આકેવલિએહિ” એ પ્રાગ (૧-૬-૨–૧) મળે છે ખરો અને તે આગળ જતાં કેવળ અને કેવળની જે ચર્ચા થઈ તેના ઈતિહાસમાં ઉપયોગી થાય ખરો, પણ સ્પષ્ટ રૂપે કેવળ જ્ઞાન એવો પ્રયોગ તે હજી મળતું નથી. સ્પષ્ટ છે કે પાંચ જ્ઞાનની માન્યતા હજુ તે રૂપમાં અને તે માટેના શબ્દોમાં આચારાંગ પછીના કાળે સ્થિર થઈ પછીના તે હજુ આ કાળે ન હતી. આ કાળમાં તે અતિવિદ્ય, અતિવિજ્ઞ, અનુસંવેદન, અવગ્રહ, અવધાન, જ્ઞાધાતુના પ્રયોગો-ગારૂ, વરાળr૬, અમિષાબડું, સમિગાળિયા પરિણા, સુપાત્ત વિનાળરૂ ઇત્યાદિ, તર્ક, તથાગત દર્શન, પ્રજ્ઞા, પ્રજ્ઞ, પજ્ઞાન, પરિજ્ઞાન, પશ્યક, પ્રેક્ષા, બુધ, ધાતુના પ્ર બોધિ જેવા, મતિ, મતિમન્ત, મેધાવી, વિદ્યા, વિજ્ઞાન, વિજ્ઞ, વેદન, શ્ર—ધાતુના પ્રયોગ, સંજ્ઞા, સમ્મતિ, જન્નત શ્રુતિ-ઈત્યાદિ સર્વસામાન્ય શબ્દોનો પ્રયોગ જોવામાં આવે છે. પરંતુ પાંચ જ્ઞાનના પારિભાષિક બધા શબ્દો દેખાતા નથી. સ્પષ્ટ છે કે આમાં જૈન દર્શનના પ્રમેય પ્રમાણની પ્રાથમિક ભૂમિકા છે, જેમાં હજી વિકાસ અને વ્યવસ્થાને પૂરે અવકાશ છે અને જે પછીના કાળે થયેલ આપણે જોઈએ છીએ. આચારાંગના કાળે ક્રિયાવાદ અને અક્રિયાવાદ એટલે કે કર્મ અને પુનર્જન્મને માનનારા અને નહીં માનનારા એવા બે પક્ષમાં ભારતીય દાર્શનિકે વહેંચાયેલા હતા. તેમાંથી ભગવાન મહાવીરે પિતાને સ્પષ્ટ પક્ષ ક્રિયાવાદી રૂપે રજૂ કર્યો છે. અને આચારાંગના પ્રારંભમાં જ કહ્યું છે કે જે પુનર્જન્મનો સ્વીકાર કરે છે તે જ આત્મવાદી, લકવાદી કે ક્રિયાવાદી છે. ભગવાન બુદ્ધના વિશે પણ જ્યારે તેમના અનાત્મવાદને કારણે અક્રિયાવાદી હોવાને આક્ષેપ થયે ત્યારે તેમણે સિતથી જવાબ આપે કે હું સત્કર્મને ઉપદેશ આપું છું તેથી ક્રિયાવાદી છું અને અસકર્મનું નિરાકરણ કરું છું તેથી અદિયાવાદી છું. બૌદ્ધ પાલિપિટકમાં જે કેટલાક અક્રિયાવાદી તીર્થકરોના મતે આવ્યા છે, તેમનું મંતવ્ય જોતાં એમ જણાય છે કે તેઓ કમમાં કે પુનર્જન્મમાં માનતા નહિ અને આત્માનું અસ્તિત્વ પણ મરણ વખતે માનતા નહીં, પરલોકમાં તેઓ માનતા નહિ. શાશ્વત આત્મામાં પણ માનતા નહીં. આથી તે સોની વિરુદ્ધ જઈ ભગવાન મહાવીરે પિતાને ક્રિયાવાદી જણાવ્યા એટલું જ નહિ, પણ બુદ્ધથી પાર્થક્ય બતાવવા Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૬ આત્મવાદી અને ક્રિયાવાદીનું સમીકરણ પણ કર્યું. આત્મવાદ વિના ક્રિયાવાદનું અસ્તિત્વ ટકી શકે નહીં એવું એમનું મંતવ્ય આથી સ્પષ્ટ થાય છે. એ આત્માના સ્વરૂપની ચર્ચા આચારાંગમાં જે છે તે આવી છે. સંસારી આત્મા કર્મબદ્ધ છે અને તેથી તે નાનારૂપે એટલે કે પછવનિકાયરૂપે અનુભવમાં આવે છે પણ તે જ્યારે મુક્ત થાય છે તે કાળે તેનું જ સ્વરૂપ છે તેનું સ્પષ્ટીકરણ કરતાં આચારાંગમાં કહ્યું છે : "सम्वे सरा नियति तक्का जत्थ न विज्जइ, मई तत्थ न गाहिया...से न दीहे, ન ટુસ્સે ન વ...ન જિદ્દે ન નહે...ન ફુથી ન પુરિસે...૩માં 7 વિજ્ઞg...... જ્યારે આ આત્મસ્વરૂપ જાણીએ છીએ ત્યારે આપણને ઉપનિષદોના બ્રહ્મ વિષેની કલ્પના યાદ આવી જાય છે. પણ અહીં એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે અને તે એ કે પછીના કાળે જે સિદ્ધોનું વર્ણન સ્થિર થયું છે તે આનું સંશોધિત રૂપ છે કારણ કે તેમાં પંચાસ્તિકાય અને દેહપરિમાણ આત્માની જે પરિભાષા સ્થિર થઈ તેના અનુસંધાનમાં સિદ્ધોના આત્મસ્વરૂપનું પણ સંશોધન કરવું અનિવાર્ય હતું. અહીં તેને દીર્ઘ કે હસ્વ હોવાને નિષેધ છે. જ્યારે પછીના કાળે સિદ્ધાત્માનું સ્વરૂપ હસ્વ કે દીર્ધ સંભવે છે એમ નિરૂપાયું છે. આચારાંગમાં આત્મા વિષે એક બીજી વાત પણ અહીં જાણવા મળે છે અને તે તેના સ્વરૂપ વિષે. તેમાં જણુવ્યું છે કે : "जे आया से विन्नाया, जे विन्नाया से आया, जेण विजाणइ से आया" આ ઉપરથી આત્મા એ વિજ્ઞાનમય છે એવું મંતવ્ય સિદ્ધ થાય છે અને તે ઉપનિષદોને મળતું આવે છે. પણ આ વિજ્ઞાનમય આત્માનું પ્રાચીન રૂપ જાળવીને પણ તેમાં સંશોધન કરવામાં આવ્યું કે આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ અને વર્ષ એ ચાર શક્તિઓ છે. આ સંશોધનના મૂળમાં પણ જેના પછીના કાળની આઠ કમની વિચારણાએ અને તેમાં પણ ઘાતકમની વિચારણાએ મુખ્ય ભાગ ભજવ્યો છે એ સ્પષ્ટ થાય છે. આચારાંગમાં મોક્ષ-નિર્વાણની કલ્પના તો છે પણ મુક્ત જીવોના સ્થાન વિષેની કોઈ કલ્પના કરવામાં આવી નથી. આ વિષે પણ પંચાસ્તિકાયની વિચારણા અને આત્માના દેહ-પરિણામની વિચારણું જ્યારે થઈ ત્યારે જ મુક્ત Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૭ જીવેના સ્થાનની કલ્પના પણ અનિવાર્ય બની ગઈ અને તે લેકાંતે હોવાનું સ્વીકારવામાં આવ્યું. આચારાંગ બાબતે હજી વિસ્તાર અપેક્ષિત છે. પણ અહીં તો માત્ર દિશાસૂચનરૂપે આટલુ કહી તેષ માનુ છુ, જેથી સામાન્યરૂપે જૈન 'નની પ્રાચીન ભૂમિકાનું અસ્તિત્વ સૂચિત થશે. સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં જૈન દર્શન આચારાંગમાં આચારની વિશેષ રૂપે ચર્ચા હાઈ એવી દલીલ થઈ શકે કે તેમાં દÖનિક ચર્ચાને અવકાશ ન હાઈ શકે. પરંતુ આચારની ચર્ચાપ્રસંગે પણ નિરૂપણુની પ્રવૃત્તિમાં જે શબ્દના પ્રયોગ કરવામાં આવ્યો છે તે પછીના કાળે વપરાતા પારિભાષિક શબ્દની ભૂમિકારૂપ છે, પારિભાષિક રૂપે અથવા પરિભાષાઅદ્ નથી એટલું તે નક્કી જ. પરંતુ સૂત્રકૃતાંગ વિષે તે એવી દલીલને પશુ અવકાશ નથી. તેમાં તે તે કાળના અન્ય નિકાની માન્યતાનું ખંડન કરવાને ઉદ્દેશ છે જ. એ પરિસ્થિતિમાં પોતાના દાનની સ્પષ્ટ માન્યતા આપવાના પ્રસંગ ઉપસ્થિત છે જ, પરંતુ અહી પણ આપણે જોઈએ છીએ કે જૈન `નની પોતાની માન્યતા પણુ હજુ પછીથી સ્થિર થયેલી પોતીકી પરિભાષામાં આપવામાં આવી નથી. એટલે માનવું પડે છે કે અહીં પણ જૈન ન તેની પ્રાથમિક ભૂમિકામાં જ છે. અને તે કેવુ છે તે આપણે જોઇ એ. પ્રથમ એ જાણવું જરૂરી છે કે અન્ય મતાનું નિરાકરણ જે પ્રકારે આપવામાં આવ્યુ' છે તેથી આટલું તેા સિદ્ધ થાય છે કે નિરસ્ત મતથી જુદા મત જૈનાના છે પરંતુ તે કયા રૂપમાં છે તે તે હજી સૂત્રકૃતાંગમાં પણુ દર્શાવવામાં આવ્યું નથી. સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં પંચમસ્મૃતિ” મતના નિર્દેશ છે, જેની માન્યતા હતી કે લેાકમાં પાંચ મહાભૂત-પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ છે અને તે પાંચ ભૂતાથી અનેલા દેહી આત્મા છે. આનું નિરાકરણ આમાં છે. પણ પાંચ ભૂતથી સ્વત ંત્ર આત્માનુ સ્વરૂપ કેવુ જૈનસ ંમત છે તેની કશી વિશેષ હકીકત નથી. વળી પાંચ ભૂતે ઉપરાંત ટ્ટો આત્મા (આત્મષવાદી) એવું માનનારનું પણ નિરાકરણ છે—એથી પણ સિદ્ધ થાય કે આવી માન્યતા જૈનની નથી પણ તેને સ્થાને શુ` હાય તેના નિર્દેશ નથી મળતા. ઉપનિષદોના એકાત્મવાદનુ ખંડન તે અનિવાય' હતું, કારણ કે આચારાંગમાં ષડ્થવનિકાયનું નિરૂપણ થયેલ છે. એટલે એકાત્મવાદ નહીં પણુ આત્મા નાના છે એવા જૈનના વાદ સિદ્ધ થાય Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૮ છે. જીવ અને શરીર જુદાં નથી એ વાદ (તજીવતછરીરવાદ)નું ખંડન સૂત્રકૃતાંગમાં છે તેથી જીવ અને શરીર જુદાં છે. એમ સ્વીકારી શકાય, વળી આત્મા અર્તા છે (અકારકવાદ) એ વાદનું નિકિરણ મળે છે–આ વાદ આપણે સાંખ્યદર્શનમાં સ્થિર થયેલે જોઈએ છીએ આનું ખંડન થયેલ હોઈ આત્માને કર્તા માનવો જોઈએ એમ ફલિત થાય અને આચારાંગમાં તે સ્પષ્ટ આ વાત કહેવામાં આવી જ છે કે જીવ કર્મનો કર્તા અને ભક્તો છે જ. બૌદ્ધોના ક્ષણિક એવા પાંચ ધોને ઉલ્લેખ કરી તેનું પણ નિરાકરણ કર્યું છે પણ એને સ્થાને જેન માન્યતાના પંચાસ્તિકાય કે એવી કઈ કલ્પનાને નિર્દેશ અહી થી. ગોશાલકના સાગતિક અથવા નિયતિવાદનું ખંડન કરવા માં આવ્યું છે. તેથી પુરુષાર્થવાદ ફલિત થાય છે. આ જગતની ઉત્પત્તિ કેણે કરી તે વિષેના વિષ્ણુ, ઈશ્વર આદિનાના મતોનું નિરાકરણ સૂત્રકૃતાંગમાં છે. તેથી એ ફલિત થાય છે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કેઈએ ક્યારેય કરી હોય એમ નથી. પણ તે અનાદિ અનંત છે. અર્થાત જે પાછલા કાળમાં ભારતીય દર્શનમાં સ્થિર થયેલ ઈશ્વરકૃત જગત છે એ મતને સ્વીકાર જેને કરતા નથી. અને તે મતનું વિસ્તૃત નિરાકરણ પાછળના કાળના જેન દાર્શનિકે એ ક્યું છે. અજ્ઞાવાદીનું પણ ખંડન કર્યું છે. એથી એ સિદ્ધ થાય છે કે સંસારના પ્રમેય જાણી શકાય છે. અને એથી જ સર્વજ્ઞને સિદ્ધાંત ફલિત થાય છે. સૂતાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં ઉક્ત બધા જ વાદનું વિસ્તારથી વર્ણન છે અને તેનું નિરાકરણ કરવામાં આવ્યું છે. એ બધા જ મતનું વગીકરણ કિયાવાદી, અક્રિયાવાદી વિનયવાદી અને અજ્ઞાનવાદી—એમ ચારમાં પણ કરવામાં આવ્યું છે, અને તેને વિસ્તાર ૩૬ ૩ મતોમાં થાય છે એવું દ્વિતીય શ્રુતસ્ક ધમાં નિર્દિષ્ટ છે. જેન મત ક્રિયાવાદી છે એ તે આચારાંગમાં સપષ્ટ થયું જ છે. પણ સૂરકતાંગમાં (૧-૧૨) અન્ય ક્રિયાવાદીથી જૈનસંમત ક્રિયાવાદની શી વિશેષતા છે તે આ-કમથી નહીં પણ અકમથી કમને ક્ષય થાય છે. મેધાવી પુરુમાં લાભ અને ભય નથી હોતા, તેઓ સંતોષી છે માટે પાપ નથી કરતા; તેઓ અતીત વર્તમાન અને ભવિષ્યને યથાર્થરૂપે જાણે છે, તેઓ સ્વયં નેતા છે, બીજાએ બતાવેલ માગ ઉમ્પર ચાલતા નથી; તેઓ બુદ્ધ છે અને અન્તકૃત છે; તેઓ શાશ્વત અને અશાશ્વતને જાણે છે. જન્મમરણને જાણે છે અને જનોના ઉપપાતને જાણે છે, સોના અધેલોકમાં થનાર વિમુદનને જાણે છે. તેઓ આસવ, સંવર Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૯ તથા દુ:ખ અને નિરાને જાણે છે. આવા મેધાવી પુરુષો ક્રિયાવાદના ઉપદેશને લાયક છે. આ ઉપરથી એટલું કહી શકાય કે આમાં અનેક તીથંકરની ભાવી કલ્પનાનાં ખીજ પડેલાં છે, એટલું જ નહિ પણ સાત કે નવ તત્ત્વની વ્યવસ્થાની ભૂમિકા પણ તૈયાર થઈ છે, એટલું જ સ્પષ્ટ છે કે હજુ લાક એ પંચાસ્તિકાયમય છે ઍ ભૂમિકા આમાં નથી. ક અને પુનઃજન્મની વાત છે પણ ક`ના ભેદે અને તે કઈ રીતે ફળ આપે છે. તેનુ નિરૂપણ હજુ ભવિષ્યના ગ'માં છે. જીવાની ગતિ થાય છે પણ એ ગતિના પ્રકાર કેટલા તે વિષે પણ હજુ ચેસ સ્પષ્ટીકરણ આમાં નથી, કારણ કે દેવાની જ ગણતરી (૧-૧૨-૧૪) રાક્ષસ, યમલોક, અસુર ગધČકાય, દેવ-એ રૂપે આપી છે તે પ્રસ્થાપિત જૈન માન્યતાથી જુદી પડે છે. વળી આમાં શાશ્વત અને અશાશ્વત જાણવાની વાત કહી છે અને લેાકને શાશ્વત કહ્યો છે પરંતુ ભગવતીમાં લાકને શાશ્વત-અશાશ્વત બન્ને કહ્યો છે એ ભૂમિકા હજી અહીં જોવા મળતી નથી. જો કે સુત્રના દ્વિતીય શ્રુતસ્કંધમાં સ્પષ્ટીકરણ છે કે લેક અનાદિ અનંત છે એટલે તેને કેવળ શાશ્વત કે અશાશ્વત ન કહી શકાય (૨-૫–૨) વળી આચારાંગ અને સૂત્રકૃતાંગ બન્નેમાં વિશ્વના ભોગવાતા પ્રમેયાની ક્ષણભગુરતા અને પરિણામશીલતાની વાત છે અને તેના ઉપર ભાર પણ છે. આમ જે રૂપમાં અનેકાંતવાદ સમગ્ર તત્ત્વે આવરી લે છે એ વિષેની માન્યતા હજુ સ્થિર થઈ નથી, છતાં એ તો નોંધવું જ જોઈએ કે સૂત્રકૃતાંગમાં વિભવાદના પુરસ્કાર કરવામાં આવ્યે છે તેના સ્વરૂપ વિષે આપણુને બૌદ્ધ પિટથી વિશેષ જાણવા મળે છે, કારણ યુદ્ધ પેાતાને વિભજયવાદી હાવાનુ અનેક વાર જણાવે છે. આ વિભજયવાદ જ પછીના કાળે વિકસિત અનેકાન્તવાદ—સ્યાદ્વાદની ભૂમિકારૂપ છે. મોક્ષમાર્ગ ને આમાં——ઞાસુ વિજ્ઞાષરળ વમાળ` (-૧૨-૧૧)-જણુાવ્યા છે તે હજી વૈદિક પરિભાષાયી પૃથક નથી દેખાતા. જે પછીના કાળે ઉમાસ્વાતિમાં ત્રિવિધરૂપે સ્પષ્ટ થાય છે. સૂત્રકૃતાંગમાં ખીજા સ્કંધમાં ક્રાને અસ્તિ કહેવા એની એક સૂચી છે. તેથી પશુ એ સૂચિત થાય છે કે હજુ નવતત્ત્વની ભૂમિકા જ રચાઈ છે, અને ષડ્વવ્યની તે કોઈ સૂચના જ મળતી નથી. (ર-૫) કમબંધનાં તાત્ત્વિક સ્વરૂપ કે ભેદો વિષે પણ હજુ આમાં કોઈ ખાસ X Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પ્રગતિ થઈ હોય તેમ જણાતું નથી. કમના અનુસંધાનમાં ચાર કષાયને બદલે હજી પ્રાચીન પરિભાષા દેસ, પેજ–ષ અને રાગ જ જોવામાં આવે છે. સૂત્રકૃતાંગમાંની એક વાત વિષે અહીં વિશેષ રૂપે ધ્યાન દોરવાનું આવશ્યક સમજુ છું. આચારાંગમાં આત્મપામ્ય દ્વારા જીવહિંસા ન કરવાને ઉપદેશ વારંવાર આપવામાં આવ્યું છે પણ સામાયિક શબ્દનો પ્રયોગ નથી મળતું. પણ સૂરાકૃતાંગમાં તે સ્પષ્ટ કહ્યું છે न हि नूण पुरा अणुस्सुयौं अदुवा तौं तह नो समुष्टिय । मुणिणा सामाइ आहिय नाएण जगसव्वदसिया ॥ (-૨–૨-) અહિંસા વિષે તે આચારાંગ અને સૂત્રકૃતાંગ બંનેમાં અનેક અરિહંતેએ ઉપદેશ આપ્યાની વાત કરવામાં આવી છે પરંતુ અહીં તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્ઞાતપુરા ભગવાન મહાવીરે જ સર્વપ્રથમ સામાયિકને ઉપદેશ આપ્યો છે એટલે વ્રતમાં દીક્ષિતને અપાતું સામાયિક વ્રત એ ભગવાન મહાવીરથી શરૂ થયું હોય એવું અનુમાન સહેજે કરી શકાય છે. જૈન દર્શનના આ આદિકાળમાં જૈન પુરાણે અને પછીનાં જૈન આગમાં જે પ્રકારની તીર્થકર ચક્વતી બળદેવવાસુદેવ, ઉત્સપિણી-અવસર્પિણી અને ભૂગોળની વ્યવસ્થા દેખાય છે તેમાંનું કશું જ નથી. તીર્થકર શબ્દનો પ્રયોગ મળે છે અને અરિહંત અનેક છે એમ જણાય છે. પણ તે તે કાળગત નિશ્ચિત સંખ્યાની કોઈ સૂચના નથી. એમ કહી શકાય કે આ આદિકાળમાં શ્રમણના આચાર વિષે જે જરૂરી હતું તે વિસ્તારથી કહેવાયું છે. અને ગૃહસ્થાશ્રમની તે નિંદા જ થઈ છે. સંધવ્યવસ્થા કે સંધમાં શ્રમણોપાસકનું યોગ્ય સ્થાન એ તે આ પછીના ભવિષ્યકાળની વ્યવસ્થા છે જે માટે આ પછીનાં આગમો જરૂરી સામગ્રી પૂરી પાડે છે. (જૈન સાહિત્ય સમારોહમાં, વ્યાખ્યાન ખંભાત. તા. ૧૫–૨-૮૫ ગુચ્છ ૨, ૧૯૮૮). Page #72 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ--સમવાયાંગ ૧. પ્રાસ્તાવિક ૩૫મ-વસ હાર : આજથી બાર-તેર વર્ષ પહેલાં સ્થાનાંગ અને સમવાયાંગ એ એ અંગ ગ્રન્થોના અનુવાદ પૂંજાભાઈ જૈન ગ્રન્થમાળામાં પ્રકાશિત કરવા માટે આપી રાખેલે; પણ લડાઈની મેાંધવારી અને કાગળની અતને કારણે પડી રહેલ તે હવે પ્રકાશિત થાય છે એને આનંદ મને છે. પૂ. ૫. બેચરદાસજીએ ઉક્ત માળા માટે જ્ઞાતાધમ કથા અને ઉપાસકદશા એ બંને ગ્રન્થાના અનુવાદો કરી આપેલ તેમાં તેમણે શબ્દશઃ અનુવાદને બદલે સારાત્મક અનુવાદે કરવાની શૈલી સ્વીકારી હતી. એ જ શૈલીને વિકાસ શ્રી ગેાપાલદાસે તેમના અનુવાદોમાં કર્યાં છે. પશુ સ્થાનાંગ અને સમવાયાંગ એ બે અગગ્રન્થા બધા અગપ્રન્થામાં ભાત પાડે તેવી અનેાખા શૈલીમાં રચાયા છે; તેથી સારાત્મક અનુવાદ શકય ન હતા. એ બંને ગ્રન્થેામાં તત્ત્વાનુ નિરૂપણ વિવેચનાત્મક શૈલીમાં નહિ પણ પ્રતિપાદ્ય વિષયની ગણતરી કરીને કરવામાં આવ્યું છે; એટલે કે, પ્રતિપાદ્ય વિષયનું નિરૂપણુ ભેદપ્રતિપાદન દ્વારા કરવામાં આવ્યું છે. આથી સાર આપવા શકય ન હતા; એક પણ વસ્તુ ઊડી શકાય તેમ ન હતી; એટલે મેં આમાં સ્વતંત્ર શૈલી અપનાવી છે. સ્થાનાંગમાં એકવિધથી માંડીને દર્શાવધ સુધીની વસ્તુની ગણતરીએ ક્રમશઃ દૃશ સ્થાન અથવા ફ્ળ અધ્યયનમાં આપવામાં આવી છે. ત્યારે સમવાયાંગમાં શથી આગળ પણ એવી ગણતરીને લઈ જવામાં આવી છે. આથી વિષયના પ્રતિપાદનમાં વસ્તુ-સંગતિના ક્રમને બદલે ભેદ-સંગતિના ક્રમને સ્વીકાર્યાં છે. પરિણામે, જે કાંઈ વસ્તુ એક હોય, તે એક સાથે ગણી દીધી છે; અને તે જ પ્રમાણે વિષયને બદલે સખ્યાને મહત્ત્વ આપીને બન્ને ગ્રન્થામાં પ્રતિપાદન થયુ` છે. પરિણામ એ આવ્યું છે કે, જીવ જેવી કાઈ પણ એક વસ્તુનુ` સમગ્રભાવે પ્રતિપાદન કેવુ. છે એ જાણવું અધરું થઈ પડે છે. એકેક કે બબ્બે કે દશ દૃશ કઈ કઈ વસ્તુ છે, તેમનુ' સંકલન કરીને મૂકવામાં સ્મૃતિને સરલતા પડે એ હેતુ હાય; પણ એથી સમગ્રભાવે કોઈ પશુ એક વિષયનું સ`ક્લન કહેણુ પડે છે. સ્મૃતિજીવીઓ માટે આ બન્ને પ્રથા ઉપકારક જરૂર થયા હશે; પણ આજે સ્મૃતિ ઉપર એવા અનાવશ્યક ભાર આપવાને કશું જ કારણુ નથી. વળી એકથી દશ સુધીની સખ્યામાં સ્થાનાંગ અને સમવાયાંગમાં ઘણું જ સરખાપણું થઈ Page #73 -------------------------------------------------------------------------- ________________ પર છે. એટલે એ બંને ગ્રન્થોના પૃથફ પૃથફ અનુવાદોને બદલે મેં બન્ને ગ્રન્થને અનુવાદ એક સાથે કરવાનું ઉચિત માન્યું અને સંખ્યાના પ્રાધાન્યને બદલે વિષયનું પ્રાધાન્ય સ્વીકાર્યું છે. એટલે કે આ અનુવાદમાં વિષયોનું વર્ગીકરણ કરીને તેમની ગોઠવણી કરી છે, અને જ્યાં સ્થાનાંગ અને સમવાયાંગનું પ્રતિપાદન સરખું છે, ત્યાં બન્ને પ્રત્યેના સૂત્રાંકે આપી દીધા છે; વસ્તુનું પુનરાવર્તન કર્યું નથી. વર્ગીકરણ કરવામાં ત્રુટિ રહેવાનો સંભવ છે; અને એવો પણ સંભવ છે કે અમુક વર્ગમાં મૂકેલી અમુક વસ્તુને બીજા વર્ગમાં મૂકી શકાય. પણ એકંદર જે વર્ગકરણ કર્યું છે, તે સંગત છે, એમ મને લાગે છે. મૂળના શબ્દોની વ્યાખ્યા જ્યાં જરૂરી હતી ત્યાં આવ–ડેશ કરીને અથવા કૌસમાં આપી છે. જ્યાં જરા વધારે વિવરણની આવશ્યકતા હતી, ત્યાં તેવું વિવરણ કરીને પાનાની નીચે આપી દીધું છે. અને જ્યાં લાંબા વિવરણની આવયતા હતી, ત્યાં તેમ કર્યું છે. પણ તેવા લાંબા વિવરણને “ટિપ્પણના નામે પ્રત્યેક પ્રકરણના અંતે આપ્યું છે. વળી આ ગ્રન્થોમાં આવતા અનેક વિષયો જેનાગામમાં અન્યત્ર પણ મળી આવે છે તેની પણ નેંધ ટિપ્પણમાં લીધી છે. આ રીતે આ અનુવાદ માત્ર શુષ્ક ગણતરીઓને નથી રહ્યો. - બૌદ્ધ પિટકમાં અંગુત્તરનિકાય અને પુગ્ગલપત્તિ એ બંને ગ્રન્થ પણ આ અંગગ્રન્થની શૈલીમાં જ લખાયા છે; એટલું જ નહિ પણ આ બંને ગ્રન્થોનું અને તેમનું વિષયસાદશ્ય પણ ઘણે ઠેકાણે છે. એથી મેં ટિપણમાં અને પાનાની નીચે એ ગ્રન્થ સાથે તુલાના પણ કરી છે. આજથી બાર વર્ષ પહેલાંના મારા અનુવાદમાં એ સમયની મારા જ્ઞાનની મર્યાદા પ્રમાણે મેં પ્રયત્ન કર્યો છે. આજે ફરી આ ગ્રન્થોને અનુવાદ કરવાને હોય, તે તેમાં ઘણી નવી સામગ્રી ઉમેરવાને અવકાશ છે એમ મને આ અનુવાદગ્રન્થનાં પ્રફ તપાસતાં જણાયું છે. પણ એ ઇચ્છાનું સંવરણ કર્યા વિના છૂટકે હિતે નહિ. કારણ, તેમ કરવા જતાં બે ભાગ જેટલા દળમાં પ્રકાશિત થતા આ ગ્રન્થનું કદ કદાચ ચાર ભાગ જેટલું થઈ રહેત; અને એમ કરવું તે ગ્રન્થમાલાની - મર્યાદાની બહાર થઈ જાત. તેમાં પ્રકાશિત થયેલા બીજા ગ્રન્થમાં અપનાવાયેલી મધ્યમમાગી શૈલી–બહુ લાંબું નહિ તેમ બહુ ટૂંકું પણ નહિ–ને ભંગ થાત અને ક્ષાતાં બીજો વધુ સમય સહેજે નીકળી જાત. એટલે જે રૂપે તૈયાર હતે તે જ રૂપે તેને ધ્યાનમાં આવેલી જાતિઓ દૂર કરીને પાવી દીધો છે. આમાં Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ભ્રાન્તિ નહિ જ રહી હોય એવા દાવા કરી શક્તા નથી; વિદ્યાને તે શેાધે અને મને સૂચવે એવી વિન ંતી છે. આ અનુવાદ આગમેાય સમિતિની આવૃત્તિ ઉપરથી તૈયાર કરવામાં આવ્યે છે અને સૂત્રાંકે તેના જ રાખ્યા છે. પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી આગમાનાં નવાં સંસ્કરણા તૈયાર કરે છે, એથી મૂળપાઠની શુદ્ધિ થવાને ઘણા સંભવ છે. પણ આ બન્ને ગ્રન્થા પૂરતું તેા સામાન્યપણે કહી શકાય કે, ભાષાની દૃષ્ટિએ મહત્ત્વનાં પાઠાંતરો મળી આવવા સંભવ છે; પણ વસ્તુની દૃષ્ટિએ વિશેષ ફેર પડવાને ઘણા જ ઓછા સભવ છે. એટલે નવી આવૃત્તિની દૃષ્ટિએ પણ આ અનુવાદમાં વિશેષ ફેર પડે એમ મને લાગતું નથી. આગમેય સમિતિની આવૃત્તિમાં કોઈ કારણે આધારભૂત પ્રતિમાં પાઠ છૂટી ગયાને કારણે જો ટ્વિટ રહી ગઈ હશે, તે તે અનુવાદમાં સુધારી લેવી પડશે. - અનુવાદ કરતી વખતે મારી શંકાનું સમાધાન પૂ. પંડિત શ્રી સુખલાલજીએ કર્યું છે; પણ જો તેમણે આખા અનુવાદ તપાસ્યા હાત, તે ભ્રાન્તિઓ રહેવાના ઓછામાં ઓછે સંભવ હતા. પણ એ સમયે અમે બન્ને ખીજાં સંપાદનનાં કાર્યોમાં ફસાયેલા હાઈ, મે તેમને કષ્ટ આપવાનું ઉચિત ધાયું` નહિ. આખા અનુવાદના લખાણને શ્રી ગેાપાલદાસે જોડણી અને વ્યવસ્થાની દૃષ્ટિએ ઠીક ક્યુ છે અને પ્રુફ પણ તેમણે જોઈ આપ્યાં છે. તે બદલ તેમના ઋણી છું. પૂ. પૉંડિતજીએ તે પિતા જેવા મમત્વથી મારા કાર્યમાં રસ લીધેા છે; એટલે ઔપચારિક આભારવિધિ કરીને તેનું મૂલ્ય ઘટાડવા નથી માગતા. મારા વિદ્યાર્થી શ્રી. નન્દનલાલ ખી.એ. શાસ્ત્રીએ શબ્દસૂચી અનાવવામાં મદ કરીને મારે માટે ભાર હલકા કર્યા છે, તે બદ્દલ તેમના આભારી છું. ૨. સ્થાનાંગના પરિચય संकलनकर्ता અને સમયમર્યાદ્રા: પર પરા પ્રમાણે સ્થાનાંગના ઉપદેષ્ટા ભગવાન મહાવીર છે, એ વસ્તુ ‘મુય ને આરસ તેળ માવતા વમવલય' આ વાકયથી ગ્રન્થના પ્રારભે જ સૂચિત કરવામાં આવી છે. ગ્રન્થના અથતઃ ઉપદેશ ભગવાનને છતાં શબ્દતઃ રચના કોની છે એ બાબત મૂળ ગ્રન્થમાં કશું જ કહેવામાં નથી આવ્યું. પણ પરંપરાને આધારે ટીકાકાર વ્યાખ્યામાં કહે છે કે, સુધર્મા નામના પાંચમા ગણુધરે જ વ્યૂ નામના પોતાના શિષ્યને ઉદ્દેશીને આનું પ્રતિષ્ઠાદન કર્યું છે. આને અથ શુ ? શુ આપણે એમ સમજવુ` કે સ્વયં સુધર્માએ આ ગ્રન્થની રચના કરી? Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સામાન્ય રીતે એમ મનાય છે કે, અગગ્રન્થાનુ સ'કલન ગણધરો કરે છે; અને ઉપલબ્ધ અગગ્રન્થાના સકલનકર્તા સુધર્માં સ્વામી છે. પ્રસ્તુત ગ્રન્થના સકલન સુધાંને માની લઈએ તે પણ તેમણે જે રૂપે તેનું સંકલન કર્યું`` હશે તે જ અક્ષુણ્ણ રૂપે આપણી સામે એ ગ્રન્થ છે, એમ તેા કહી શકાય તેમ નથી. આ ગ્રન્થની રચના જ એવી છે કે તેમાં સમયે સમયે ઉમેરણ થઈ શકે છે; કારણ કે પ્રથમની એક વસ્તુને તેના પછીની કહેલ ખીજી વસ્તુ સાથે કાઈ સબંધ નથી. સંબંધ હોય તો માત્ર સખ્યાનેા છે. એટલે સખ્યાને ધ્યાનમાં લઈને જે નવી વસ્તુ જ્યાં ઉમેરવી હાય તે ત્યાં ઉમેરી શકાય છે. ગ્રન્થના આંતરિક અધ્યયનથી એમ સિદ્ધ પણ કરી શકાય કે, આમાં સમયે સમયે ઉમેરણ થયું છે, તેના નિશ્ચિત પુરાવા આ ગ્રન્થમાં આવતા સાત નિહ્નવાના ઉલ્લેખ છે. (પૃ૦ ૨૬૬). સાતમા અાર્દિક નિર્દેનવ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૫૮૪ વર્ષે થયે છે. અને તેને ઉલ્લેખ આમાં હોવાથી એમ તે નિશ્ચિતપણે કહી શકાય છે કે ઉક્ત વર્ષ સુધી આની સકલનામાં યત્રતત્ર નવું ઉમેરણુ થયુ છે. અન્યત્ર આવતા મેટિક નિનવના ઉલ્લેખ આમાં નથી. એટિક નિહ્નના સમય વીરનિર્વાણ પછી ૬ ૦૯ વર્ષી છે. આથી એમ કહી શકાય કે આમાં છેલ્લે ઉમે ૫૮૪ વી૰ નિ॰ સુધી જ થયા છે; ત્યાર પછી નહિ. વીરનિર્વાણુ ૧૯૮૦ અગર ૯૯૩માં થયેલી વાલભીવાચનાના સમયે પણ આ ગ્રન્થમાં પરિવર્તન થયુ' હાય એમ જણાતું નથી. જો થયું હોત, તેા આ ગ્રન્થની શૈલી પ્રમાણે આઠમા સ્થાનમાં આઠ નિહ્નવાના ઉલ્લેખ આવી ગયા હોત; એટલુ· જ નહિ પણ આમાં આવતા અગગ્રન્થા અને તેમનાં અધ્યયનાના પરિચય પણુ બદ્લાઈ ગયા હોત. આ ઉપરથી એક એ વસ્તુ પણ નિશ્ચિત થાય છે કે, વાલભીવાચના સમયે વ્યવસ્થા ગમે તે પ્રકારની કરવામાં આવી હાય, પણ તે સમયે ઉપલબ્ધ ગ્રન્થાની વસ્તુમાં ઉમેરણ કે ઘટાડો કરવામાં નથી આવ્યેા. જો તેમ કર્યુ હોત તો આ સ્થાનાંગમાંથી ઘણાં જ સૂત્રેા ઓછાં કરવાં પડત અને ઘણાં નવાં ઉમેરવાં પડત. એટલે વાલભાવાચનાના સંસ્કરણુકર્તાએ સંકલનમાં પૂરી પ્રામાણિકતા જાળવી છે, પોતાના તરફથી નવી વસ્તુ ઉમેરી નથી તેમ તેમને ન સમજાતી કે અણુગમતી વસ્તુની ધાલમેલ તેમણે નથી કરી, એમ માનવુ રહ્યું. એટલું જ નહિ, પણ પરસ્પર વિસંગતિને ટાળવાના પ્રયત્ન પણુ તેમણે નથી કર્યાં. એટલુ. જ તેમણે કર્યુ છે કે તેમની સમક્ષ જે કાંઈ ઉપસ્થિત હતુ. તેને તેમણે વ્યવસ્થિત કર્યું. આ બધી વસ્તુ ૧. પૃ× ૩૨૮માં ૫૪૪ છપાયું છે તે મુદ્રણદોષ છે, ૫૮૪ બેઇએ. ૨. જુઓ પૃ૦ ૨૩૧૨૬૧ અને તેમાં આવતાં ટિપ્પણેા Page #76 -------------------------------------------------------------------------- ________________ પપ ધ્યાનમાં લઈએ તે એમ કહી શકાય કે, આ ગ્રન્થની મૂળ સંલના ગમે તેટલી જૂની હોય અને અંતિમ સંસ્કરણું વલભી વાચનામાં થયું એમ મનાય છતાં આંતરિક પ્રમાણેને આધારે આની અંતિમ સંકલના વીર નિર્વાણ સંવત ૧૮૪માં થઈ; અગર તે આ ગ્રન્થ જે રૂપે અત્યારે મળે છે તેનું તેવું રૂપ તેને વારનિર્વાણ સંવત ૧૮૪માં મળ્યું. આનો અર્થ એટલે જ સમજવો જોઈએ કે તેમાં ૫૮૪ વી. નિ. પછી કશે જ ફેરફાર થયો નથી. તેની પ્રાથમિક સંક્લના સુધર્મા સ્વામીએ કરી એ પરંપરાને ટીકાકાર નોંધે છે અને તેને અપ્રામાણિક માનવાને કશું જ કારણ નથી. અને તેમની મૂળ સંકલનામાં સમયે સમયે ઉમેરણ થઈને તેનું અંતિમરૂપ વી. નિ. સવંત ૧૮ આસપાસ નિર્મિત થયું. ઘરની સ્ત્રી ઃ સમવાયાંગમાં (સૂ૦ ૧૩૮) બાર અંગેનો પરિચય આપવામાં આવ્યું છે. તેમાં સ્થાનાંગને જે પરિચય છે તે પ્રસ્તુત પુસ્તકમાં સંગૃહીત છે જ (પૃ. ૨૩૫); એટલે તે આખે અહીં ઉતારવાની આવશ્યક્તા નથી. તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, તેમાં એકવિધ, દિવિધ યાવત દશવિધ જીવ અને પુદ્દગલોનું વર્ણન છે અને લેકસ્થિતિનું પણું વર્ણન છે.” સમવાયાંગે સૂચવેલ શૈલી પ્રસ્તુત અંગ્રન્થમાં આદિથી અંત સુધી બરાબર જળવાઈ રહી છે. એટલે કે સંખ્યાના ક્રમે એકથી દશવિધ વસ્તુઓને આમાં સંગ્રહવામાં આવી છે. આ અંગગ્રસ્થમાં દશ અધ્યયને છે અને તે બધાને સ્થાન પણ કહેવામાં આવ્યાં છે. એકવિધથી દશવિધ વસ્તુઓને સંગ્રહ હોવાથી સામાન્ય રીતે આ આ ગ્રન્થ દશ પ્રકરણોમાં વહેંચાઈ જાય તે સ્વાભાવિક છે. દશ અધ્યયનમાંથી બીજાના ૪, ત્રીજાના ૪, ચોથાના જ અને પાંચમાના ૩ “ઉદેશ” નામે ઉપવિભાગે કરવામાં આવ્યા છે. બાકીનાં અધ્યયનના ઉપવિભાગ નથી. સ્થાનાંગનાં દશે અધ્યયને મળીને એક શ્રુતસ્કંધ આચારાંગ કે સૂત્રકૃતાંગની જેમ છે, એમ સમવાયાંગમાં કહ્યું? છે. એમાં એકાધિક શ્રુતસ્કંધ નથી. સમવાયાંગમાં સ્થાનાંગનાં પદોની સંખ્યા ૭૨ ૦૦ આપી છે; એટલે કે સુરાકૃતાંગથી બમણી મુદ્રિત પ્રતિમાં ગ્રન્થાત્ર ૩૭૦ ૦ છે એમ જણાવ્યું છે. પદથી શું વિવક્ષિત છે અને જેટલાં પદે સમવાયાંગમાં સ્થાનાંગતર્ગત બતાવ્યાં છે તે કેવી રીતે ગણવાં, તે વિષેનું સ્પષ્ટીકરણ સાધનાને અભાવે થઈ શકે તેમ નથી. પણ એટલું તે કહી શકાય છે કે, સમવાયંગમાં અંગગ્રન્થોનાં પદોની, આચારાંગનાં ૧૮૦૦૦ પદેથી ઉત્તરોત્તર બમણું બમણી સંખ્યા, સમવાયાંગ સુધીની આપવામાં આવી છે, તે વસ્તુસ્થિતિનું સામાન્ય સૂચન કરવા પૂરતી પણ સત્ય હશે કે કેમ તે પણ સંદિગ્ધ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સ્મરણ કરવું સરલ થઈ પડે એ દૃષ્ટિએ જેમ જૈન અંગગ્રન્થેામાં સ્થાનાંગ અને સમવાયાંગ જેવા અખંડ ગ્રન્થની રચના કરવામાં આવી છે, તે જ પ્રમાણે બૌદ્ઘત્રિપિટકમાં અંગુત્તર નિકાય અને પુગ્ગલપ––ત્તિની રચના કરવામાં આવી છે. તે બન્નેમાં પણ પ્રસ્તુત જૈનગ્રન્થાની જેમ સખ્યાને મુખ્ય માનીને પ્રતિપાદ્ય વિષયાનું સંકલન કરવામાં આવ્યુ છે. અંગુત્તરમાં (અત્તર) એકનિપાત, દુકનિપાત એમ એકાસકનિપાત એટલે કે એકથી માંડીને અગિયાર સુધીની સ ંખ્યામાં ક્રમશઃ વસ્તુઓની ગણતરીઓ આપવામાં આવી છે. જ્યારે પુગ્ગલ-પ-ગત્તિમાં એકક-નિફ્રેસથી માંડીને દસક-નિર્દેસ સુધી સ્થાનોંગની જેમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સ્થાનાંગ—સમવાયાંગ અને ઉક્ત બન્ને બૌદ્ધ ગ્રન્થામાં એવી ઘણી માખતા છે જે સમાન છે. ખાસ કરીને પ્રસ્તુત ગ્રન્થમાં પુરુષ-પરીક્ષાને (પૃ. ૮૧૩) નામે મે' જે ખ'નું સંકલન કર્યુ છે, એમાં આવતા વિષયાનું આશ્ચયજનક સામ્ય છે. અને સહસા એવું અનુમાન થઈ જાય છે કે કોઈ પણ એકે ખીજામાંથી લીધુ હશે. પુગ્ગલ-૫-ગત્તિ અભિધમને ગ્રન્થ હાઈ તેની સંક્લના અંગુત્તર કરતાં જૂની ન લેખાય; અને તેમાંની ઘણી બાબતે અ'ગુત્તર જેવી જ છે. ખાસ કરીને પુરુષની ભંગીઓ સ્થાનાંગ, અંગુત્તર અને પુગ્ગલ-પત્તિમાં એક સરખી છે. મેં ઉત ખંડનાં ટિપ્પણેામાં તુલના કરી છે એથી અહીં તે વિષે લખાણુ કરવું બિનજરૂરી છે. રચનાપદ્ધતિમાં ઉક્ત જૈન— બૌદ્ધગ્રન્થામાં જે ભેદ છે તે એ છે કે, જૈન ગ્રન્થા માત્ર ગણુતરીએ! જ આપે છે. જ્યારે ઉકત અને બૌદ્ધગ્રન્થા તેનુ વિવરણુ પણ કરે છે. એથી શ્રેણી એવી ખાખતા છે જેનું સ્પષ્ટીકરણ જૈન ગ્રન્થમાં સુલભ નથી, તે બૌગ્રન્થા વાંચતાં અત્યંત સ્પષ્ટ બની જાય છે. બન્ને પરંપરાના ગ્રન્થાને વિષય શ્રમણ પરંપરામાં સામાન્ય હાઈ, કાણે કાનામાંથી લીધું' એ કહેવુ' ઋણુ છે. અત્યારે એટલું જ કહી શકાય કે જૈન-બૌદ્ધ પરપરા આ વિષયમાં સમાન છે અને એકબીજાના વિચારાના પડધા એકબીજામાં પડીને અને પરપરા પરિનિતિ બની છે. દીધનિકાયનું સ ંગીતિ-પરિયાય-સુત્ત અને સુત્તરસુત્ત, ખુષ્કનિકાયને ખુ¥પાઠ (કુમારપગ્ઝ) આદિની રચના પણુ` સખ્યાને પ્રાધાન્ય આપીને થઈ છે. એટલે એમ માની શકાય કે, બૌદ્ધગ્રન્થામાં અંગુત્તર અને પુગ્ગલ-૫--ત્તિની જ એ શૈલી નથી; પણ એવાં અનેક પ્રકરણા છે જેમાં સ્મૃતિસૌની દૃષ્ટિએ સખ્યાપ્રધાન રચના કરવામાં આવી છે. મહાભારતના વનપવ માં અધ્યાય ૧૩૪માં ૧. પાલિસાહિત્ય કા ઈતિહાસ’—પાધ્યાય, ૫૦ ૧૭૯ ૨. હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લેાજિક –પૃ. ૧૩. Page #78 -------------------------------------------------------------------------- ________________ પલ બંદી અને અષ્ટાવક્રને વાદ છે; તેમાં અને ઉત્તરોત્તર એકથી માંડીને તેર સુધીની ગણવામાં આવતી વસ્તુઓનું પરિગણન કરે છે આ ઉપરથી જણાય છે કે, પ્રાચીન કાળમાં સ્મૃતિસૌકર્યાની દૃષ્ટિએ સંખ્યા પ્રધાન રચનાઓ રચાતી હતી. જૈન ગ્રન્થોમાં પણ સ્થાનાંગ-સમવાયાંગ સિવાયના ગ્રન્થોમાં પણ કેટલાંક પ્રકરણોમાં આવી સંખ્યા પ્રધાન રચનાને અપનાવવામાં આવી છે. જેમ કે, ઉત્તરાધ્યયનનું ૩૧મું અધ્યયન “ચારિત્રવિધિ’ નામનું છે, તેમાં એકથી માંડીને ૩૩ સુધીની સંખ્યામાં વસ્તુઓનું પરિગણન કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીરના ઉપદેશવિધિમાં આવી પ્રક્રિયાને પણ સ્થાન હતું તે આ જ ગ્રન્થમાં આવેલ વિમલવાહન નામના ભાવી તીર્થકર (પૃ. ૨૭) ના ચરિત્ર ઉપરથી સિદ્ધ થાય છે. અને એથી એ પણ સિદ્ધ થાય છે કે ઉત્તરાધ્યયનમાં આવેલ સંખ્યા ૧ થી ૩૩ ની બાબતે અને વિમલવાહનના ચરિત્રમાં જણાવેલ ભગવાન મહાવીરના ઉપદેશની તે જ બાબતો સમાન છે; એટલે એમ નિઃશંક કહી શકાય કે ભગવાનના ઉપદેશને સંખ્યાની દૃષ્ટિએ સાંકળવાની પ્રવૃત્તિ બહુ જ જૂના કાળથી પ્રચલિત છે. તેનું જ બૃહદ્રૂપ સ્થાનાંગ અને સમવાયાંગમાં જોવા મળે છે. સ્થાનમાં પરિવૃઃિ આ ગ્રન્થની પદ્ધતિ જાણ્યા પછી એ જાણવું બહુ સરલ થઈ પડે છે કે આમાં સમયે સમયે કેવી જાતના ઉમેરા થયા છે. જે ઉમેરા સંખ્યાની દૃષ્ટિએ થયા છે છતાં જેને સંબંધ ઇતિહાસ સાથે પણ છે, તેવા ઉમેરાને તે તારવી શકાય છે અને એમને વિષે એમ કહેવાની શક્યતા છે કે અમુક સૂત્ર પાછળથી ઉમેરાયું જ હશે. આમાં નિદ્ભવ જેવાં સૂત્રોનો સમાવેશ (પૃ. ૨૬૬) થાય છે. પણ જે સંખ્યાબદ્ધ સૂત્રોમાં ઈતિહાસ અથવા સમયની કઈ સૂચના નથી, તે પાછળથી ઉમેરાયાં હોય છતાં આપણી સામે તેવાં સૂત્રો જુદાં તારવવાનું સાધન નથી. પણ આ ગ્રન્થમાં એવાં ઘણું સુત્રો છે જે સમગ્ર ગ્રન્થની પદ્ધતિથી જુદાં પડે છે. તેમને વિષે નિશ્ચિતરૂપે કહી શકાય એમ છે કે, એ સૂત્રો આ ગ્રન્થની પદ્ધતિને અનુરૂપ નથી અને ગમે ત્યારે પણ પાછળથી પ્રવિષ્ટ થઈ ગયાં છે. સ્થાનાંગમાં ભાવી તીર્થકર વિમલવાહનનું વિસ્તૃત જીવનચરિત્ર આવે છે (પૃ. ૭ર૭). તે નિશ્ચિતરૂપે પાછળથી જ ઉમેરાયું છે તેમાં શંકાને સ્થાન નથી. સંપૂર્ણ ગ્રન્થની પદ્ધતિ એવી છે કે કશા પણ વિવરણ વિના માત્ર ગણુનાઓ આપી દેવી. પણ આમાં તે પ્રથમ સૂત્ર ૬૯૧માં જે જીવોએ ભગવાન મહાવીરના Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શાસનમાં તીથંકર નામ-ગોત્ર નિષ્પન્ન કર્યુ તેવા નવનાં નામ ગણાવ્યાં છે. તેમાં ભાવી તીથકર રાજા શ્રેણિકનું નામ પણ છે. સૂત્ર ૬૯૨માં આગામી ઉત્સપિ`ણીમાં ચાતુર્યંમ ધર્મોના ઉપદેશ આપીને જે જીવા સિદ્ધ થશે તેવા નવનાં નામ ગણાવ્યાં છે. આમાં શ્રેણિક કે વિમલવાહનનું નામ નથી. અને ત્યાર પછી સૂત્ર ૬૯૩માં રાજા શ્રેણિકનો જીવ વિમલવાહન તી કર થઈને શું શું કરશે તે વર્ણવ્યું છે. આમ આ સુત્ર અહીં અસંબદ્ રીતે ગાઠવી દેવામાં આવ્યું છે એટલું જ નહિ પણ તેની પદ્ધતિ પણ સમગ્ર ગ્રન્થની નિશ્ચિત પદ્ધતિથી જુદી જ પડે છે. તેમાં માત્ર વિમલવાહનનું ચરિત્ર વળ્યું છે જે સમગ્ર ગ્રન્થથી જુદું' તરી આવે છે. તેને પ્રસ્તુત નવની સંખ્યા સાથે કશા જ સબંધ નથી. આથી એમ કહી શકાય કે બિમલવાહનનું ચરિત્ર ગમે ત્યારે પણ કોઈએ સ્થાનાં ગમાં ગોઠવી દીધુ છે; તે પ્રાથમિક સંક્લના નથી. આ જ પ્રમાણે સૂત્ર ૬૦૭માં (પૃ૦ ૬૪૬) નંદીશ્વરદ્વીપના અચનક પતાનુ વર્ણન આપવામાં આવ્યું છે. તે જોતાં પણુ એમ લાગે છે કે સખ્યા ચારના ક્રમમાં ચાર અચનક પતાનાં નામ આવે તેમાં કશું જ અયોગ્ય નથી. પણ અહીં તેા તે પતાનું' વિસ્તૃત વર્ણન પણ છે. તે બતાવે છે કે એ વનના ભાગ તા નિશ્ચિતરૂપે પાછળથી જ ઉમેરાયા છે. આ જ વસ્તુ સૂત્ર ૧૩૫ (પૃ૦ ૮) જેમાં ત્રણને પ્રત્યુપકાર દુષ્કર છે તે બતાવવામાં આવ્યું છે, તેને પણ લાગુ પડે છે. તેમાં પણ માત્ર ગણુતરી નથી પણ વિવરણ છે. આને મળતાં બીજાં સૂત્રો પણ છે જેમને વિષે નિશ્ચિતપણે કહી શકાય તેમ છે કે તે બધાનું વિવરણુ પાછળથી જ ઉમેરાયુ' છે. જેમકે સુખશય્યા (પૃ૦ ૨૯), દુ:ખશય્યા (પૃ૦ ૩૦), મેાહનીય સ્થાનેા (પૃ૦ ૬૪), માયાવી (પૃ૦ ૧૩૭), વિભંગનાન (પૃ૦ ૨૬૯) આદિ. બળદેવ વાસુદેવનુ વર્ણન (પૃ. ૭૫૪) પણ પાછળથી જ ઉમેરાયું હોય તેમ તેનું વિવરણુ જોનારને લાગશે જ. વળી સ્વરમડલ પ્રકરણ (પૃ૦ ૮૭૯)ના અંતમાં ‘આમ આ સ્વરમંડલ પૂરુ થયુ' એમ કહેવામાં આવ્યુ છે તે સૂચવે છે કે એ આખું પ્રકરણ જ આમાં પાછળથી ગાઢવી દેવામાં આવ્યું છે. ટિપ્પણુમાં જણાવ્યા પ્રમાણે એ આખુ પ્રકરણ અનુયેાગદ્વારમાં પણ છે. પણ વસ્તુતઃ એ સ્વતંત્ર નાના પ્રકરણ ગ્રન્થ હરશે અગર કોઈ બીજા મોટા ગ્રન્થનું એક સ્વતંત્ર પ્રકરણ માત્ર હશે. તેને એમ ને એમ આમાં સોંપૂર્ણ ભાવે ગોઠવી દેવામાં આવ્યું હશે. Page #80 -------------------------------------------------------------------------- ________________ પટ તૃતીયસ્થાનના બીજા ઉદેશને અંતે સૂત્ર ૧૬ ૬૧૭ છે. તેમાં ગૌતમાદિ શ્રમણો અને ભગવાન મહાવીર વચ્ચેનો સંવાદ આવે છે. આ પણ સમગ્ર ગન્થની શૈલીની દષ્ટિએ મેળ વિનાનું છે અને નિશ્ચિતરૂપે પાછળથી ઉમેરાયું છે. ટીકાકાર એ સત્રોની તૃતીય સ્થાનમાં સંગતિ ઘટાડે છે, તે લૂલે બચાવ જણાય છે. (પૃ ૨૯, ૧૬૭) વિમાનનની વાણી : આ ગ્રન્થ મુખ્યત્વે વિભાગપરક છે. એટલે કે પ્રતિપાદ્ય વિષયોના ભેદોની ગણતરી આમાં આપવામાં આવી છે. સામાન્ય રીતે એ ભેદો અગર વિભાગો તે તે વસ્તુને સંપૂર્ણ રીતે આવરી લે છે; પણ એવાં પણ કેટલાંક સ્થાને છે જ્યાં વિભાગીકરણ ખામી ભરેલું જણાય છે. વસ્તુના ભેદમાં કાંતો બધા ભેદની ગણતરી નથી કરી અથવા તે અનાવશ્યક વિસ્તાર, નિશ્ચિત વિભાજક તત્વનો આશ્રય લીધા વિના કરવામાં આવ્યું છે. આવાં કેટલાંક સ્થળો માટે જુએ પૃ૦ ૧૯૮, ૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૮૪, ૩૯૯, ૫૭૩ આદિનાં ટિપણે. ત્રીના પ્રથો સાથે સંવંધઃ આ ગ્રન્થની કોઈ એક નિશ્ચિત વિષયને નહિ હોવાથી આને સંગ્રહગ્રન્થ જ કહેવો જોઈએ. ભગવાનના ઉપદેશની વસ્તુઓને આમાં લેવામાં આવી છે એ ખરું; પણ પ્રશ્ન એ છે કે તેમના સાક્ષાત્ ઉપદેશને ભાગ આમાં કેટલે ? આને જવાબ પરંપરા પ્રમાણે એમ આપી શકાય કે આમાં જે કાંઈ છે તે ભગવાનને સાક્ષાત ઉપદેશ જ છે; કારણ કે આ એક અંગગ્રન્થ છે. પરંતુ અત્યાર સુધીની ચર્ચા ઉપરથી એ વાત ચોક્કસ થઈ છે કે આમાં નવા ઉમેરા પણ થયા છે. એટલે ભગવાનના સાક્ષાત ઉપદેશ સિવાયનું પણ આમાં ઘણું છે એમ માનવું જોઈએ. સ્થાનાંગ સૂત્રમાં સમવાયાંગનું નામ આવે છે (સૂત્ર ૬૭૨). બળદેવ–વાસુદેવના આ પ્રકરણમાં વિસ્તાર સમવાયાંગમાં જોઈ લેવાનું કહ્યું છે. અર્થાત સમવાયાંગમાં એ સૂત્ર વિસ્તૃત રૂપે હોવાથી અહીં વિસ્તાર નથી કર્યો. ભગવતીના નામ વિના પણ એવાં ઘણાં સૂત્રો આમાં છે જેમનો સંબંધ શબદશઃ ભગવતીનાં તે તે સૂત્ર સાથે છે. જેમકે પૂ૦ ૭૯, ૨૦૧, ૨૦૨ આદિમાં આવેલ તે તે સૂત્રો ભગવતીમાં પણ છે. ભગવતી પણ એક સંગ્રહગ્રંથ છે એટલે એ કહેવું કઠણ છે કે મૂળ વસ્તુઓ કયા ગ્રન્થમાં સંગૃહીત થઈ પણ સામાન્યપણે કહી શકાય છે કે, ભગવતીમાં પ્રત્યેક ઉદેશના પ્રારંભમાં વિષયસૂચીનો સંગ્રહ કરતી ગાથાઓ આપવામાં આવી છે એટલે તેમાં નવું ઉમેરવાને અવકાશ ઓછો છે; જ્યારે સ્થાનાંગમાં નવા ઉમેરણને રોકે એવું કોઈ તત્ત્વ નથી. એટલે સંભવ એ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૦ છે કે ભગવતીની તે તે વસ્તુ સ્થાનાંગમાં સંગૃહીત કરવામાં આવી છે. સાધુસંધના આચારને લગતાં ઘણાં સૂત્ર સ્થાનાંત્રમાં એવાં છે જે શબ્દશઃ ભીન જૈનાચારપ્રતિપાદક આગમામાં ઉપલબ્ધ થાય છે. ખાસ કરી વ્યવહારસૂત્ર (પૃ॰ ૭૬૧, ૭૭૪, ૬૭૫ આદિ), બૃહત્કલ્પસૂત્ર (પૃ૦ ૭૭૮, ૭૮૨, આદિ), શાશ્રુતસ્કંધ (પૃ૦ ૭૮૬), નિશીથ (પૃ૦ ૭૮૦) આનિાં કેટલાંક સૂત્રો શબ્દશઃ આમાં લેવામાં આવ્યાં છે. એમ માનવાને કારણુ એ છે કે તે તે સૂત્રા તે તે ગ્રન્થમાં સુવ્યવસ્થિત છે, જ્યારે સ્થાનાંગમાં તે તેમના સંગ્રહ માત્ર સ ંખ્યાને ધ્યાનમાં લઇને કરવામાં આવ્યા છે. ૭૮૩, ૭૮૪ આવશ્યકનિયુક્તિમાં આવતી કેટલીક ગાથાઓ સ્થાનાંગમાં પણ જોવા મળે છે (પૃ॰ ૭૫૫ આદિ). પરંતુ તે ગાથાઓ આવશ્યકનિયુક્તિમાંથી આમાં લેવામાં આવી છે એમ માનવાને બદલે એમ માનવુ વધારે સ`ગત છે કે અન્યત્ર પ્રસિદ્ધ તેવી ગાથાઓને સંગ્રહ આવશ્યકનિયુકિત અને સ્થાનગાં બન્નેમાં થયે છે. આવશ્યકનિયુક્તિની બધી ગાથાએ આચાય ભદ્રબાહુએ જ રચી હોય એવા સભવ આહે છે. પ્રાચીન પર પરામાંથી ઘણી ગાથાઓ તેમણે એમ ને એમ લઈને પોતાની નિયુક્તિમાં સંગૃહીત કરી દીધી હાય એવા સભવ વધારે છે. અને એથી જ મૂલાચાર અને આવશ્યકનિયુક્તિમાં ઘણી ગાથાઓમાં સામ્ય આપણે જોઈ શકીએ છીએ. સ્થાનાંગમાં પ્રતિપાતિ એકેક વિષયનુ મૂલ સ્થાન શોધવુ એટલું જ નહિ પણ અન્ય આગમેામાં પણ કયાં કયાં તે તે છે તેની શેાધ કરવી આવશ્યક છે. અન્ય આગમામાં આવતા સરખા વિષયેાની સૂચના સહજભાવે શક હતી તે મેં ટિપ્પણામાં આપી છે, પણ તે અધૂરી જ છે. આને માટે આચાર્ય શ્રી આત્મારામજીના તત્ત્વાથ જૈનાગમ-સમન્વયની શૈલીથી સ્થાનાંગ સમવાયાંગ–જૈતાગમ–સમન્વય જેવા એક સ્વતંત્ર ગ્રન્થની આવશ્યકતા છે જ. અને તે કાય ઉક્ત આચાર્ય'શ્રી બહુ સુંદર રીતે પાર પાડી શકે તેમ છે. એ ઉપરાંત જૈનેતર ગ્રંથામાં પણ તે તે વિષયની શોધ કરવી આવશ્યક છે, મે બૌદ્ધ મૂળ ત્રિપિટકમાં આવતા કેટલાક સમાન વિષયેાની સૂચના ટિપ્પામાં આપી છે; પણ તે પણ અધૂરી જ છે. તેને પણ પૂરી કરવામાં બૌદ્ધ અદૃકથાએની તુલના કરવી આવશ્યક છે; અને વૈદિકવાડ્મયની તુલના પણુ જરૂરી છે. આ મહાકાય જો થાય, તેા જૈન, બૌદ્ધ અને વૈદિક પર પરામાં સાંસ્કૃતિક ઐકય કેટલા મોટા પ્રમાણમાં છે, તે આપણી સામે બહુ જ સુ ંદર રીતે ઉપસ્થિત ચાય એમ છે. આવશ્યક છે; વિષયે આવે Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ૩. સમવાયાંગના પરિચય મુજનાં અને સમયમર્યાદ : સ્થાનાંગની જેમ આમાં પણ ‘સુય મે આઉસ તેણુ ભગવયા એવમકખાય” છે એટલે આ પણ પરંપરા પ્રમાણે સુધર્માની સકલનાન્ત ત મનાય છે. પણ આમાં પણ ઉમેરણ થયુ છે એટલે અત્યારે જે રૂપમાં છે તે રૂપે તે સંપૂણૅ સુધર્માની કૃતિ છે એમ કહી શકાય નહિ. પણ આમાં સાતની ગણતરીમાં નિહ્નના ઉલ્લેખ નથી એને જો સૂચક માનીએ, તેા એમ કહી શકાય કે આમાં સ્થાનાંગની જેમ લાંબા કાળ પ``ત ઉમેરણ થયું નથી. વળી આમાં આવતી આગમાની હકીકતામાં વિદ્યમાન આગમ સાથે કાંઈક કાંઈક મેળ નથી ખાતા—તેથી પણ એમ કહી શકાય કે આમાં વાલભાવાચના સમયે નવી વસ્તુ ઉમેરવામાં નથી આવી. પણ આમાં આહારપદ, અવધિપદ (પ્રજ્ઞાપના) અને કલ્પને નામતઃ ઉલ્લેખ છે. એ ઉપરથી કલ્પના કર્તા ભદ્રબાહુ અને પ્રજ્ઞા પુનાના કર્તા શ્યામાચાના સમય સુધી આમાં ઉમેરણ થયું છે એમ નિશ્ચિતરૂપે કહી શકાય. આચાર્ય ભદ્રબાહુ વીરનિર્વાણ પછી ૧૭૦ વષે સ્વસ્થ થયા છે. અને આ શ્યામ વીરનિર્વાણુ ૩૩૫-૩૭૬ સુધી યુગપ્રધાન હતા, એ જ કાળની રચના પ્રજ્ઞાપના હાઈ શકે; એટલે સામાન્ય રીતે વીરનિર્વાણુ ૪૦૦ સુધીમાં સમ વાયાંગને વિદ્યમાનરૂપ પ્રાપ્ત થયું હોય એમ માનીએ તે તેમાં અસંગતિના સભવ નથી. સમવાયાંગની શૈલી : સમવાયાંગમાં સમવાયાંગના જે પરિચય આપ્યા છે, તે પ્રસ્તુત ગ્રન્થમાં આપવામાં આવ્યા છે (પૃ૦ ૨૩૫). એ ઉપરથી સ્પષ્ટ છે કે આની શૈલી પણ રચાનાંગ જેમ સંખ્યાપ્રધાન છે. ભેદ એ છે કે સ્થાનાંગ દશ અધ્યયનમાં વિભક્ત છે; જ્યારે સમવાયાંગમાં માત્ર એક જ અધ્યયન છે. અને તે સમગ્ર ગ્રન્થ એક શ્રુતસ્ક ંધ રૂપે છે. સ્થાનાંગ એકવિધથી માંડી દવિધ પદાર્થાનું વણુન કરે છે; જ્યારે આમાં એ ક્રમ આગળ પણ લંબાવવામાં આવ્યે છે. મૂળ પાઠમાં સ્થાનશતની સૂચના છે (સૂત્ર ૧૩૯); એ ઉપરથી જણાય છે કે એકથી માંડીને સેાની સંખ્યા સુધીની ગણુના આમાં આપવામાં આવી છે. જ્યાં એકની ગણના આપવામાં આવી છે, ત્યાં એકની સાથે એક લાખ, એક પલ્ય કે એક સાગર એ બધાને પણુ, તે સૌમાં એકની સંખ્યા સામાન્ય હાવાથી ગણી લેવામાં આવ્યાં છે. આ જ પ્રમાણે આગળ દ્વિવિધ વગેરેમાં પણ છે. એટલે શતસ્થાનના અર્થ માત્ર શત લેવાના નથી પણ શતના ગુણાકાર થઈને જે સંખ્યા આવે તે પણ તેમાં આવી જાય છે. પરિણામે એક સાગરાપમ Page #83 -------------------------------------------------------------------------- ________________ કાડાકોડી અર્થાત્ ૧૦૦૦૦ પણ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. કર | ૦૦૦૦૦૦ = એક કરે!ડ × એક કરોડ) સંખ્યા એકથી માંડીને સે સુધીની સખ્યા તે ક્રમશઃ આપવામાં આવી છે પણુ સા પછી ૫૦૦ સુધીની સંખ્યા ૫૦-૫૦ ઉમેરીને છે. એટલે કે ૧૦૦ પછી ૧૦૧ નહિ પણ ૧૫૦-૨૦૦-૨૫૦ ઇત્યાદિ ક્રમે કરી ૫૦૦ સુધી છે. ત્યાર પછી ૧૦૦ના વધારેા છે એટલે કે૫૦૦, ૬૦૦, ૭૦૦ આદિ. તેમ ૧૧૦૦ સુધી ચાલે છે. પછી ૨૦૦૦ આપવામાં આવ્યા છે. ત્યાર પછી હજાર–હજારની વૃદ્ધ રી ૩૦૦૦, ૪,૦૦૦ આદિથી કરીને દશ હજાર સુધી ક્રમે છે. દશ હજાર (૧૦૦૦૦) પછી એક લાખ ( ૧૦૦૦૦૦), એ લાખ, ૩ લાખ, ચાર લાખ, પાંચ લાખ એમ ક્રમે ૯ લાખ સુધી ગણતરી છે. નવ લાખ પછી અચાનક નવ હજાર ( કાંઈક અધિક સહિત ) આવે છે, જે અસ્થાને છે. ટીકાકારને પણ આમાં સૂત્રની વિચિત્ર ગતિ અથવા લેખકદોષ જણાયા છે. પછી શ લાખ, એક કરોડ અને એક કાડાકાડી છે. અહીં સખ્યાબદ્ધ સૂત્રેાની સમાપ્તિ છે. ખરી રીતે સમવાયાંગ ગ્રન્થ ત્યાં જ સમાપ્ત થવા જોઇતા હતા. પણ તેમાં ત્યાર પછી દ્વાદશાંગના પરિચય આપવામાં આવ્યેા છે. જે નિશ્ચિતરૂપે પાછળથી ઉમેરાયે હેવા જોઈએ. ખાર અંગના પરિચય પછી જીવ અને અજીવનુ વ્યવસ્થિત નિરૂપણ પ્રજ્ઞાપનાના વિવિધ પદોને આધારે આપવામાં આવ્યુ છે. પ્રજ્ઞાપનાના અવધિપદના ઉલ્લેખ પણ છે. ત્યાર પછી પને આધારે સમવસરનું વર્ણન સમજી લેવાનું કહ્યું છે. અને પછી કુલકરાદિ, તીથકર, ચક્રવતી', ખલદેવ, વાસુદેવ, ગણુધર આદિઆ અવસર્પિણી અને આગામી અવસર્પિણીના મહાપુરુષા સંબધી હકીકતા આપવામાં આવી છે. આ પ્રકરણ પણુ કઈ સ્વતંત્ર પ્રકરણ “જાય છે જે પાછળથી આમાં ઉમેરાયું છે. કારણ કે, એ પ્રકરણને અંતે એવ ખ્વાહિઘ્નતિ ત નહાવુરવતે રૂ ય વતિસ્થયયંસેન્ગ્યુ '' ઇત્યાદિ ઉપસંહાર આપવામાં આવ્યેા છે. પ્રજ્ઞાપનામાંથી જે ભાગ છે અથવા તેા જે ભાગનેા સંબંધ પ્રજ્ઞાપના સાથે છે, તેમાં ભગવાન અને ગૌતમના સંવાદ છે. અન્યત્ર માત્ર ગણતરીઓ આપવામાં આવી છે. સ્થાનાંગ અને સમવાયાંગની ઘણી બાબતે સમાન હોઈ, સ્થાનોંગ વિષેની વિચારણામાં સમવાયાંગને લગતું પશુ ધણું કહેવાઈ ગયુ છે; તેથી તેનું પુનરાવત ન અહીં જરૂરી નથી. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ૪. વિષયપરિચય સ્થાનાંગ–સમવાયાંગના વિષયે સમાન હોવાથી તે બંનેના વિષયના પરિચય એકસાથે જ આપી દેવા યેાગ્ય છે. પ્રસ્તુત અનુવાદમાં મે' વિષયાને સાત ખંડમાં વહેંચી નાખ્યા છે. તે આ પ્રમાણે—૧. મોક્ષમાર્ગી, ૨. તત્ત્વજ્ઞાન, ૩. ગણિતાનુયોગ, ૪. મહાપુરુષો, ૫. સધવ્યવસ્થા, ૬. પુરુષપરીક્ષા અને છ. વિવિધ. પ્રથમ ખંડમાં જીવ અને અજીવના વિવરણને લગતી હકીકતા છેોડી દઈને નવતત્ત્વવિચારણામાં સામાન્ય રીતે જે સમાઈ શકે એવા બધા વિષયાના સંગ્રહ કર્યા છે. જીવ સત્સંગને પ્રાપ્ત કરીને મેક્ષે જાય એ દરમિયાનની સમસ્ત સાધનાને લગતી હકીકતા તારવીને આ ખડનુ' નામ મેાક્ષમા રાખ્યુ છે. ખીજા ખંડમાં દ્રવ્યાનુયાગને લગતી હકીકતા આપવામાં આવી છે તેથી તેનું નામ તત્ત્વજ્ઞાન રાખવામાં આવ્યુ છે. આમાં જીવ અને અજીવ વિષેની બધી હકીકતા સકલિત કરવામાં આવી છે. દેવ અને દેવલાક તથા નરક અને નારકોની હકીકતા પણ આમાં સમાવિષ્ટ કરી દીધી છે. ખંડ ત્રીજો ગણિતાનુયોગ અથવા ભૂગળને નામે છે. તેમાં લેાકઅલાક અને લેકમાં સમાવિષ્ટ દ્રીપ-સમુદ્રો-નદીઓ વગેરેને લગતી હકીકતા હૈાવાથી અને પર પરામાં ગણિતાનુયોગના નામે આ વિભાગ એળખાતા હોવાથી આનું નામ ગણિતાનુયાગ રાખ્યુ છે. ખંડ ચેાથામાં કુલકરા, તીથ કરા, ચક્રવતીઓ, બળદેવા, વાસુદેવેા, આફ્રિ મહાપુરુષાની હકીકતોનો સંગ્રહ હોવાથી આખંડનું યથા' નામ મહાપુરુષો રાખવામાં આવ્યું છે. પરંપરામાન્ય નામ શલાકાપુરુષા છે. પણ આમાં શલાકા પુરુષા સિવાયના પણ કેટલાક મહાપુરુષો જેવા કે ગણધર વગેરેની પણ હકીકતા હાઈ, આ ખંડને શલાકાપુરુષો એવુ' નામ આપ્યું નથી. ખડ પાંચમામાં ચતુર્વિધસંધને લગતી પણ અધિકાંશે સાધુ અને સાધ્વી સ બંને લગતી હકીકતાના સંગ્રહ છે તેથી તેનું નામ સંધવ્યવસ્થા આપ્યુ છે. ો ખંડ પુરુષપરીક્ષાને નામે છે. તેમાં પુરુષ વિષે વિવિધ ભંગીઓ આપવામાં આવી છે. તે લગીએના મુખ્ય આધાર પુરુષના ગુણુ દાષા છે અને એવા ગુણુ–દેષાને આધારે જ આપણે કઈ પણુ પુરુષનુ મૂલ્ય આંકી શકીએ છીએ; તેથી આનું નામ મેં પુરુષપરીક્ષા રાખ્યું છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ સાતમા ખંડમાં પરચૂરણ વિષયોને સંગ્રહ હોવાથી તેને વિવિધ એવું નામ આપ્યું છે. આમાં વ્યાકરણ, સંગીત, કળા, વૈદ્યક, દંડનીતિ વગેરે અનેક પ્રકારના રોચક વિષયોને સમાવેશ છે. આ પ્રમાણે સમગ્ર ભાવે જોઈએ તે આમાં સંસારનાં લગભગ બધાં ય, હેય અને ઉપાદેય તો વિષે થોડીઘણી હકીકતે આપવામાં આવી છે; તેથી આ ગ્રન્થનું યથાર્થ નામ વિશ્વકોષ બની શકે છે. વિષયસૂચિમાં નજર ફેરવીએ તે આ વસ્તુની સહજ પ્રતીતિ થઈ જાય છે. આ ગ્રન્થની એવી કઈ વિશેષતા છે જે અન્ય જૈન ગ્રન્થમાં નથી ? એ તો આપણે જોઈ ગયા છીએ કે આ એક સંગ્રહગ્રન્થ છે; તેથી અન્યત્ર વિષય ને મુખ્ય રાખીને નિરૂપાયેલી હકીકતો આમાં સંખ્યાને મુખ્ય માનીને નિરૂપાયેલી છે. એટલે એવી બધી હકીકતે અન્યત્ર જૈન આગમોમાં વિખરાયેલી મળી શકે છે. પણ આ ગ્રન્થમાં પુરૂષપરીક્ષા આ નામે જે ખંડ સંકલિત કરવામાં આવ્યો છે, તે સ્થાનાંગમાંથી જ સકલિત છે. અને એમ કહી શકાય કે સ્થાનાંગતગત એ ખંડની હકીક્તમાંથી બહુ મોટો ભાગ એવો છે કે જે અન્યત્ર જૈન આગમમાં નહિ મળે. તે વિષય જેનગ્રંથમાં માત્ર સ્થાનાંગનો આગ છે. એટલું જ નહિ પણ આ સમગ્ર ગ્રંથમાં તે ખંડની રેચતા સર્વોપરી છે. ગણતરીના રણમાં જાણે શીતળ જળની વીરડી જેવું એ પ્રકરણ આપણને ઘડીભર વિવિધ મનેભાવોના ઊંડા રહસ્યમાં વિચરણ કરાવે છે અને આપણું પિતાના મનભાવની પરીક્ષા કરવા પ્રેરે છે. એટલું જ નહિ પણ ઉન્નતિના માર્ગે જવા પણ ઉત્સુક બનાવે છે. વાચકોને એમાંથી કાંઈક એવી પ્રેરણું મળશે તે માટે શ્રમ વ્યર્થ નહિ જાય. (તા. ૨૭–૧૧–૫૪ સ્થાનત–સમવાયાંગની પ્રસ્તાવના.). Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના અંગમાલ ગ્રંથાની રચના; તેને અંગ સાથે સબંધ શ્વેતામ્બર સમત વિદ્યમાન જૈન આગમેાની રચનાના જે અનેક તબક્કા છે તેમાં પ્રથમ તબક્કામાં અંગ પ્રથાની સંલના કે રચના થઈ. પરપરા પ્રમાણે અંગ પ્રથાની રચના ગણધરા કરે છે. એટલે કે તીથંકરના સાક્ષાત્ મુખ્ય શિષ્યા દ્વારા તે અંગ ગ્રંથેની રચના થાય છે. આથી કહી શકાય કે વિદ્યમાન જૈન આગમામાં સૌથી પ્રાચીન રચના અંગ ગ્રંથાની છે. તે રચનામાં મુખ્યપણે ભગવાન મહાવીરના ઉપદેશનું અને તેમના જીવનના પ્રસ ંગોનું સંક્લન ગણુધરાએ કર્યુ છે. વિદ્યમાન અંગ ગ્રથાની સંકલના કે રચના ગણુધર સુધર્માં દ્વારા થયેલી છે. અને તે આપણને પર પરાથી શ્રુતરૂપે પ્રાપ્ત છે. ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યા એ પ્રકારના ઉપદેશની એક પર પરા ચાલી આવતી હતી તેને અનુસરીને તેથાં કાલાનુસારી સ`શાધન પરિવતન-પરિવન છતાં ભગવાન મહાવીરે એ ઉપદેશ આપ્યા હતા——એવી માન્યતા છે. પરપરા સ્પષ્ટ કરે છે કે દ્વાદશાંગીની રચના ‘પૂર્વ’ને આધારે છે. આ પૂર્વ”ને નામે પ્રસિદ્ધ આગમ અત્યારે ઉપલબ્ધ નથી, માત્ર નામે અને તેમાં પ્રતિપાદ્ય વિષયની સૂચી ઉપલબ્ધ છે. પણ ‘પૂર્વ એ શબ્દ જ સૂચવે છે કે તે ભગવાન મહાવીર પૂર્વનુ કાઈ પરંપરાપ્રાપ્ત શ્રુત હશે. પરંપરા એમ પણ કહે છે કે તે પૂના સમાવેશ બારમા અંગ દૃષ્ટિવાદમાં કરી લેવામાં આવ્યા હતા અને દુર્ભાગ્યે એ બારમું અંગ વિદ્યમાન નથી. પણ એવા ધણા ગ્ર ંથે અને અધ્યયના વિદ્યમાન છે જેમાં અથવા જેમને વિષે સ્પષ્ટપણે કહેવામાં આવ્યુ` છે કે તેની રચના દૃષ્ટિવાદના આધારે કરવામાં આવી છે, અથવા તે। દૃષ્ટિવાદગત અમુક પૂના આધારે કરવામાં આવી છે.૧ ડો. શુશ્રી ગ દૃષ્ટિવાદ અને પૂર્વ વિષે ચોક્કસ શું મત ધરાવે છે તે તેમના લખાણ ઉપરથી તારવવું મુશ્કેલ પડે છે. પણ તેમનાં એક-એક વિધાનાથી ચોક્કસ કહી શકાય તેમ છે કે પૂર્વાં એ પ્રાચીન ગ્રંથા હતા અને તેને આધારે અમુક ગ્રંથા અન્યાની જે વાત કહેવામાં આવે છે તે તેમને મતે એક ભ્રાન્ત સમજ आगमयुगका जैनदर्शन, पृ० २०. ૧. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૬ અથવા તા ગેરસમજ છે.ર તેઓ એ પણ નક્કી કરી શકયા નથી કે એ દૃષ્ટિવાગત વિવિધ પ્રવાદ (પૂર્વીને પ્રવાદ તરીકે ઓળખાવ્યા છે.) વસ્તુતઃ વિદ્યમાન હતા કે માત્ર કાલ્પનિક છે. પરતુ તેમને મતે અમુક પ્રવાદનાં એવાં, ન સમજાય તેવાં નામેા છે, જે તેમને બનાવટી હાવાનું સમન કરે છે.૪ તેમનાં ઉક્ત મંતવ્યો વિષે સંમત થઈ શકાય તેમ નથી, કારણુ કે શ્વેતામ્બર અને દિગંબર અને પરપરામાં દૃષ્ટિવાદ વિષેની અને તેનાં પ્રકરણા આદિની અને ખાસ કરી પૂર્વી વિષેની માન્યતામાં નજીવેા ભેદ છે, તે સૂચવે છે કે બન્ને સંપ્રદાયેા જુદા પાડ્યા તે પહેલાં તે બન્ને પાસે એક સામાન્ય પરંપરા હતી જેને અનુસરીને બન્નેએ એકસરખી હકીકતા દૃષ્ટિવાદ અને પૂર્વી વિષે કહી છે. અંગ અને અગબાહ્ય અને ઋતર ગ્રંથાનુ મૂળ, જે દૃષ્ટિવાદમાં અથવા અમુક પૂમાં જણાવવામાં આવ્યું છે, તેને ભ્રાન્ત સમજ અગર ગેરસમજ શા માટૅ માનવી તે સમજાતુ નથી. કારણ આ બાબતના છેક નિયુક્તિકાળમાં અને પ્રસ્તુત ગ્ર ંથ પ્રજ્ઞાપના જેવામાં સ્વીકાર કરવામાં આવ્યા છે. વળી, ન સમજાતાં નામેાને કારણે કાઈને બનાવટી માનવાની દલીલ પણ ગળે ઊતરે તેવી નથી. અગ અને પૂના સબંધ વિષે ડૅ. શુશ્રીગે સમવાયાંગની અભયદેવની ટીકાના ઉદ્દરણને આધારે જે નિષ્કર્ષ કાઢયો છે તે પણ ઉચિત જણાતા નથી. એક વાત તો તેમણે એ જણાવી છે કે અભયદેવ અંગેાના આધાર પૂર્વાંતે માનતા નથી; અને ખીજી એ કે પૂર્વ અને અગા અને સ્વતંત્ર હતાં, એક્બીજાના આધારરૂપ નથી. તેમના આ બન્ને નિષ્કુ' ઉચિત છે કે નહિ તેના નિય માટે અભયદેવની ટીકા અમે ઉષ્કૃત કરીએ છીએ અને વિદ્વાનાને જ વિનંતિ કરીએ છીએ કે તે આ બાબતમાં સ્વયં અભયદેવને શે। મત છે તે અને તેના આધારે ડો. શુશ્રીગે જણાવેલ નિષ્કર્ષી ફલિત થઈ શકે છે કે નહિ તેને નિણ્ય લે ૨. Schubring : Doctrine of the Jainas § 38, p. 74 “It is in harmony with the misunderstanding according to which" etc. એજન. § 38, p. 75 “Whether the Pavāya of the Ditthivaya (the 12th Anga) were fiction or fact we do not know. એજન, § 38, p. 75—“The names of 2 Aggeniya for their obscurity all speak in favour of their factitive nature." ૫. એજન, § 37, p. 74.But he does not derive the Angas from the Purvas......Hence it follows that the two series were parallel to, not dependent on, each other.” 3. ૪. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬૭ “ अथ किं तत् पूर्वगतम् ? उच्यते यस्मात् तीर्थ करः तीर्थ प्रवर्तनका गणधराणां सर्व सूत्राधारत्वेन पूर्वं पूर्व गतसूत्रार्थ भाषते, तस्मात् पूर्वाणीति भणितानि । गणधराः पुनः श्रुतरचनां विदधाना आचारादिक्रमेण रचयन्ति, स्थापयन्ति च । मतान्तरेण तु पूर्व गतसूत्रार्थः पूर्वम् अहँता भाषितो गणधरैरपि पूर्व गतश्रुतमेव पूर्व रचित पश्चाद् आचारादि । नन्वेव ं यदाचारनियुक्त्यांमभिहित - 'सव्वेसिं आयारो पढमो' ' इत्यादि तत् कथम् ? उच्यते । तत्र स्थापनामाश्रित्य तथोक्तम् । इह तु अक्षररचनां प्रतीत्य भणित' ' पूर्वे पूर्वाणि कृतानि' इति । ” - समवायाङ्गटीका, पत्र १३०-१३१ । આચાય અભયદેવે જે વાત સસ્કૃતમાં કહી તે જ વાત તેથી પણ પૂર્વે નદીચૂર્ણિમાં જિનદાસે કહી છે અને તેને જ આચાય હરિભદ્રે નંદીની પોતાની ટીકામાં (પૃ૦ ૮૮) જેમની તેમ લઈ લીધી છે. ચૂર્ણિના પાઠ આ પ્રમાણે છે " से किं त पुग्वगत १ ति, उच्यते - जम्हा तित्थकरो तित्थपवत्तणकाले गणधराण सव्वसुताधारत्तणतो पुव्व पुब्वगतसुतत्थ मासति तम्हा पुण्व त्ति भणिता । गणधरा पुर्ण सुत्तरयण करेन्ता आयाराइकमेण रयति ठवेंति य । अण्णायरियमतेण पुण पुत्रगततो पुवं अरहता भासितो, गणहरेहि वि पुग्वगतसुतं चेव पुव्व रइतं पच्छा आयाराइ । एवमुक्ते चोदक आह-णणु फुवावरविरुद्धं । कम्हा ? जम्हा आयारनिज्जुतीए भणितं "सव्वेंसिं आयारो” गाहा [आचाराङ्गनियुक्ति ग०ि ८] । आचार्य आह-सत्यमुक्तम् । किन्तु साठवणा । इमं पुण अक्खररयण पड्डच्च भणितम्-पुव फुवा कता इत्यर्थः । - नदीसुतचुण्णी (P.T.S.), पृ. ७५. વળી, આ બાબતમાં આચાય જિનભદ્રનું સ્વપનવૃત્તિ સાથેનું વિશેષાવરયકભાષ્ય જે મન્તવ્ય ધરાવે છે તે પણ જાણવા જેવું હોઈ તેનો નિર્દેશ અહી જરૂરી जने छे " आह- श्रूयते हि पूर्व पूर्वाण्येवोपनिबध्यन्ते पूर्व प्रणयनादेव च पूर्वाणि - इति । - तत्र च समस्तमस्ति वाङ्मयमतः किमिह शेषाङ्गरङ्गवाश्चेति ? उच्यतेभूतावादे सव्वस्स वयोगतस्स ओतारी 1 णिज्जहणा तथा विहु दुम्मेधे पप्प इत्थी य ॥५४८|| जति गाहा । यद्यपि दृष्टिवादे समस्तवाङ्मयावतारे:, तथापि दुर्मेधसामयोग्यानां स्त्रीणां चानुग्रहार्थ मन्यश्रुतविशेषोपदेशः, श्रावकाणां च ।। " - विशेषावश्यम्भाष्य, ५० ११५. ७ जति वि ९. आयारांगनिर्युक्ति, गाथा ८. ७. या गाथा श्रृडेक्ष्यलाष्यभां पशु छे—० १४५ तथा लुभो आवश्यम्यूर्शि पत्र 34. Page #89 -------------------------------------------------------------------------- ________________ નીચે ભગવાન મહાવીર પૂર્વેના તીર્થકરના શિષ્યના અધ્યયન વિષે ઉલ્લેખ આપવામાં આવે છે – જ્ઞાતાધર્મકથામાં અરિષ્ટનેમિના શિષ્ય થાવગ્ગાપુત્ર (સૂ) ૫૪) અને પાંચે પાંડવ બંધુઓ (સૂ૦ ૧૨૮ અને ૧૩૦), તથા થાવસ્થા પુત્રના શિષ્ય શુક્યુરિવ્રાજક (સૂ૦ ૫૫), મહિલ જિનના શિષ્ય (સૂ૦ ૭૮)–એ સૌ વિષે એમણે સામાયિકાદિ ચતુર્દશ પૂર્વોનું અધ્યયન કર્યું–સામાફયમgયારું વોક્ત પુષ્પારું”—એવા ઉલ્લેખ મળે છે.' " ભગવતીસૂત્રમાં તીર્થકર મુનિસુવ્રતના શિષ્ય કાર્તિક શેઠ વિષે ઉલ્લેખ છે કે તેમણે “તમારમાયા ચોરસ ફુવારૂં” નું અધ્યયન કર્યું (સૂ૦ ૬૧૭). * તીર્થકર વિમલના પ્રશિષ્ય મહમ્બલ વિષે પણ એવો જ ઉલ્લેખ છે (સૂ૦ ૪૩૨). અન્તકૃદશામાં પણ તીર્થકર અરિષ્ટનેમિના શિષ્ય વિષે ચૌદ પૂર્વ ભણ્યાના ઉલેખો છે (સૂ૦ ૪, ૫, ૭). અપવાદ માત્ર તેમના એક શિષ્ય ગૌતમનો છે, જેમને વિષે ઉલ્લેખ છે કે તેમણે “તે બં સે જોયમે...સામારૂં વિશ્વાસ T૬ મન્નિતિ (સૂ૦ ૧). ઉપરના ઉલ્લેખોને આધારે એટલું તો કહી શકાય છે કે ભગવાન મહાવીર પૂર્વેના તીર્થકરોના કાળમાં ‘પૂર્વનું મહત્ત્વ હતું, અંગ”નું નહિ. અને તે ઉપરથી એમ કહી શકાય કે આગના સંકલનાકારને મતે “અંગની અપેક્ષા ‘પૂર્વ એ જૂનું સાહિત્ય હતું. આથી જ તે સાહિત્યનો સંગ્રહ દૃષ્ટિવાદમાં ‘પૂર્વગત” એવા મથાળામાં કરવામાં આવ્યું હોય એમ માનવામાં અસંગતિને અવકાશ નથી. પૂર્વજનું “શ્રત' તરીકે મહત્ત્વ એથી પણ સિદ્ધ થાય છે કે કર્મ સાહિત્યમાં અને અન્યત્ર જ્યાં શ્રુતનો વિચાર કરવામાં આવે છે ત્યાં માપદંડ તરીકે “અંગ” ૮. મરણસમાધિપ્રકીર્ણકમાં યુધિષ્ઠિરને ચતુર્દશપૂર્વ અને શેષ ચાર પાંડવોને એકાદશા ગીના જ્ઞાતા જણાવ્યા છે. ગા૦ ૪પ૯). ૯. શુના શિષ્ય શેલક સામાયિકાદિ અગિયાર અંગ ભણ્યા, એવો ઉલ્લેખ છે–જ્ઞાતા, સૂ૦ ૫૬. ૧૦. મલ્લિઅધ્યયનમાં પૂર્વભવની કથા પ્રસંગે મહાવિદેહમાં સ્થવિર પાસે દીક્ષિત થનાર બલ સામાચિત આદિ અગિયાર અંગ ભણ્યા–એવો ઉલ્લેખ છે–જ્ઞાતાસૂત્ર ૬૪. Page #90 -------------------------------------------------------------------------- ________________ નહી પણ પૂવને રાખવામાં આવે છે. હવે જે “પૂર્વ જેવું કાંઈ હોય જ નહિ તે આવું મહત્ત્વ શાથી અપાય ? શ્રુતના તારતમ્યનો વિચાર વિશેષાવશ્યકભાષ્યમાં આવશ્યકનિયુક્તિને આધાર લઈ કરવામાં આવ્યો છે, ત્યાં પૂર્વધર' શબ્દ છે, મૃતધર” કે “અંગધર” શબ્દ નથી.–ગા. ૧૪૧, ૫૩૧, ૫૩૬, ૫૫૫. આમાંની ગા૨ ૫૩૬ બૃહત્ક૫ભાષ્ય (ગા. ૧૩૮)માં પણ છે. નંદીસૂત્ર (સૂ) ૭૧)માં કહ્યું છે-“ ફુરે પોસ્ટર્સ જળવિદ વદ્દલપુવા સમૂસુત, મિસપુકિવન્સ સમ્મrd, ઘર મિuળસુ મથT” તે ઉપરથી પણ કહી શકાય કે “પૂર્વે ને સભ્યશ્રુતના માપદંડ તરીકે સ્વીકાર્યા તે જે પૂર્વોનું અસ્તિત્વ જ ન હોય તો કેમ બને ? આચાર્ય હરિભદ્ર, શીલાંક અને અન્ય ટીકાકારોને મતે શ્રુતકેવલી અને ચતુઈશ"વીસમાન જ છે; અર્થાત્ ચતુર્દશપૂવી હોય તેનાથી શ્રુતની કોઈ જ વાત અજ્ઞાત રહેતી નથી, એવું તે બન્નેનું મંતવ્ય છે-“_“ન તુટુંરાપૂર્વવિદ્રઃ પ્રાપનીર્થ િિ વયિતમન” પ્રજ્ઞાપના, હરિભદ્રવૃત્તિ, પૃ. ૧૮; શીલાંક, આચાસંગ ટીકા, પત્ર ૧૮૩, ૧૮૫; પ્રજ્ઞાપના, મલયગિરી વૃત્તિ પત્ર કર. - વ્યવહારભાષ્યમાં જણાવ્યું છે કે પૂર્વકાળે ચતુર્દશપૂવીને ગીતાર્થ માનવામાં આવતા, પણ હવે જે પ્રકલ્પધર હોય તે ગીતાર્થ છે-ઉદ્દેશ ૩, ગાથા ૧૭૩. આ પણ તો જ બને જો કોઈ કાળે પૂર્વનું અસ્તિત્વ અને મહત્ત્વ સ્વીકૃત હોય. પ્રજ્ઞાપનાટીકામાં મલયગિરિ ગૌતમ ગણધરને ચતુર્દશપૂવી કહે છે (પત્ર ૭૨). વળી. કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના ચતુર્દશપૂર્વધારી શિષ્યોની સંખ્યા આપવામાં આવી છે-કલ્પસૂત્ર (શ્રીપુણ્યવિ. સંપા૦) સૂ૦ ૧૩૭, પરંતુ દ્વાદશાંગધર શિષ્યની સંખ્યા નથી આપી, તે પણ બતાવે છે કે મૃતધર તરીકે પૂર્વધરોનું મહત્ત્વ હતું. તે જ પ્રમાણે ભગવાન પાર્શ્વ આદિના પણ ચતુર્દશપૂર્વધરોની સંખ્યા (સૂ૦ ૧૫૭, ૧૬૬ આદિ) આપવામાં આવી છે, પણ અંગધારીઓની નથી આપી. આથી પણ એ વાત તે નક્કી થઈ જ શકે છે “પૂર્વ' નામે કોઈ શાસ્ત્ર હતાં જ. કલ્પસૂત્રમાં જ નહિ પણ જબૂદીપપ્રાપ્તિમાં પણ ઋષભદેવના ચતુર્દશપૂવીઓની સંખ્યા આપવામાં આવી (સૂ) ૮૧) છે. નંદીથેરાવલીમાં નાગાજુનાચાર્યની પ્રશસ્તિમાં (ગા. ૩૫) તેમને કાલિકશ્રુત (અંગ) ના અને પૂર્વના ધારક કહ્યા છે. તેથી સિદ્ધ થાય છે કે કાલિક ૧ અર્થાત અંગથી પૂર્વનું પાર્થકય હતું. નંદી (સૂ૦ ૭૮) માં ગમિકને દૃષ્ટિવાદ અને અગમિકનેકાલિક–જેમાં શેષ ૧૧ અંગે વગેરે છે–કહ્યું છે તેથી તે બન્નેનું પાથેય સિદ્ધ છે. ૧૧. શ્રટિશ્રુતનાવરાત્રિનીારિ૦ ટી, પૃ. ૬૯. Page #91 -------------------------------------------------------------------------- ________________ 03 ચતુઃશરણપ્રકી`કની નીચેની ગાથા દ્વાદશાંગધર કરતાં ચૌદપૂ॰ધરના ઉલ્લેખ જુદા કરે છે તે પણ તેનુ સ્વાતન્ત્ય સિદ્ધ કરે છે— “વરસ–સ–નવપુથ્વી જુવારિસંપિળો ને એ जिण कप्पाहाल दिअ परिहारविसुद्धिसाह य ॥ ३३ ॥ અનુયાગના ભાષા-વિભાષા-વાતિક જેવા ભેદની વ્યાખ્યાપ્રસ ંગે આવશ્યકચૂર્ણિ માં કહ્યું છે કે જે સૂત્રપદાની અનેક વ્યાખ્યા, તે વિભાષા. આ વિભાષા કરવામાં તુ શપૂવી' સમ છે, પણ સ`પ્રકારે વ્યાખ્યા, જે વાતિક કહેવાય છે, તે કેવળી જ કરી શકે (આવશ્યકચૂર્ણિ, પત્ર ૧૧૫), (ગા૦ ૩૫). ભગવાન મહાવીરના ગણધર ગૌતમને ચતુર્દાશપૂવી' કહેવામાં આવ્યા છે, પરંતુ ભગવાનના ગણધર સિવાયના અન્ય શિષ્યા વિષે ભાગ્યે જ ચૌદ પૂર્વના અધ્યયનનો ઉલ્લેખ મળે છે. લગભગ બધા જ વિષે----‘સામાયમોરારસગંળારૂ એમ માત્ર અગિયાર અગ ભણ્ણાના ઉલ્લેખ મળે છે. ૧૨ આથી વિરુદ્ધ, આપણે જોયું તે સ્માણે, ભગવાન મહાવીર પૂર્વેના તીર્થંકરાના શિષ્યા વિષે પ્રધાનપણે ચૌદ પૂર્વ ભણ્યાના ઉલ્લેખા છે. આથી એક બાબતનું અનુમાન આપણે કરી શકીએ કે ભગવાન મહાવીર પહેલાંનું જે શ્રુત હતું તેને જ ‘પૂર્વ’ નામે ઓળખાવવામાં આવ્યું હોય, તેવા પૂરા સંભવ છે. એ પૂને આધારે અગરચના થઈ એ આપણે જોઈ ગયા છીએ. એટલે તે પૃથક્ અને સ્વતંત્ર્ય છતાં આધારભૂત બન્યું અને કયારેક તેને સમાવેશ બારમાં અંગમાં ‘પૂર્વાંગત' એ નામે કરી લેવામાં આવ્યે—એમ માનીએ તે તે ઉચિત ગણાશે. એક બાબત અહીં નોંધવા જેવી એ છે કે આપણે એક માન્યતા વિષે પૂર્વે જોયુ કે સ્ત્રી આદિના હિતાર્થે પૂને આધારે અગરચના કરવામાં આવી છે. જ્યાં સાધ્વીના અધ્યયનની વાત છે ત્યાં સત્ર ભગવાન મહાવીરના પૂર્વેની અથવા ભગવાન મહાવીરના કાળની સાધ્વીઓના અધ્યયન વિષેના ઉલ્લેખામાં એક જ પ્રકારનો ઉલ્લેખ છે—કે તેઓએ અગિયાર અ ંગાનુ અધ્યયન કર્યુ. કાઈ પણ સાધ્વી વિષે પૂના અભ્યાસ ર્કાના ઉલ્લેખ મળતા નથી. આથી ઉક્ત માન્યતાનુ સમન થાય છે. જ્ઞાતા માં જણાવ્યું છે કે દ્રૌપદીએ અગિયાર અગાનું અધ્યયન ક્યુ, પણ પાંડવાએ ૧૪ પૂર્વાનું.~~~જ્ઞાતા. ૧૨૯. અરિષ્ટનેમિની ૧૨. ભગવતી સૂ॰, ૯૩, ૩૮૨, ૩૮૫, ૪૧૮; વિપાકસૂત્ર, ૩૩, જ્ઞાતા૦, ૨૮, ૧૦૫; અનુત્તરા॰ ૩ ઇત્યાદિ. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૧ આર્યા પદ્માવતી વિશે પણ એવો જ (અગિયાર અંગના અભ્યાસને) ઉલ્લેખ છે. –અંતગડ, સૂ૦ ૯. ભગવાન મહાવીર કાળે શ્રેણિકની પત્નીએ દીક્ષિત થઈ તે તેમને વિષે પણ જણાવ્યું છે કે તેમણે ૧૧ અંગેનું અધ્યયન કર્યું–અંતગડ, સૂ૦ ૧૬. પૂર્વનું મહત્ત્વ હોવાથી જ તેના જ્ઞાનને એક પ્રકારની ઋદ્ધિ કે લબ્ધિ ગણવામાં આવે તેમાં આશ્ચર્ય નથી. આવશ્યકનિયુક્તિમાં લબ્ધિધને ગણાવતાં પૂર્વ ધરાને પણ તેમાં ગણાવ્યા છે, તે સૂચવે છે કે “પૂવ'નું મહત્ત્વ શ્રુતમાં વિશેષ હતું.–ગાથા ૬૯; વિશેષા, ગા૦ ૭૭૬. આગમવ્યવહાર અથવા તે પક્ષવ્યવહારની ચર્ચાને પ્રસંગે આગમવ્યવહારમાં ચૌદ દશ-નવ પૂર્વધર અને ગંધહસ્તીનો ઉલ્લેખ છે.– જિતકલ્પભાષ્ય, ગા. ૧૧૨, ૧૧૩. વળી, પૂર્વધરોના વિચછેદ સાથે પ્રાયશ્ચિત્તને પણ વિચછેદ થયો છે એ મત કોઈ ધરાવતા હતા તેને ઉલ્લેખ આચાર્ય જિનભદ્દે કર્યો છે (એજન, ગા. ૨૫૬-૬૨) અને તેને પ્રતિવાદ પણ કર્યો છે (ગા. ૨૬૩થી). જે “પૂર્વ” જેવી કઈ પરંપરા હતી જ નહિ તો આ બધી ચર્ચા નિરર્થક જ ઠરે, માટે માનવું જોઈએ કે ક્યારેક પણ પૂર્વ નામે ઓળખાતું શ્રુત વિદ્યમાન હતું. તે માત્ર કલ્પિત છે એમ માનવાને કઈ આધાર નથી. એ પૂર્વને સમાવેશ દષ્ટિવાદમાં પૂર્વગત” નામે કરી દેવામાં આવ્યું હત–આ પરંપરા નિરાધાર નથી. સિદ્ધાતિક ગ્રંથો અને આગમનાં કેટલાંક પ્રકરણમાં પૂર્વ ને જ અથવા તે દષ્ટિવાદનો આધાર શા માટે લેવામાં આવ્યો, વિદ્યમાન અંગમાંથી જ તે તે ગ્રંથની સામગ્રી શા માટે લેવામાં ન આવી, તે પ્રશ્ન સહજ છે, પણ જ્યારે સ્વયં અંગેની જ રચના “પૂવેને આધારે થઈ હોય એમ મનાતું હોય ત્યારે અંગ કરતાં ‘પૂર્વ નું મહત્ત્વ વિશેષ છે જ, તે પછી તે કારણે ગ્રંથકાર ‘પૂર્વને આધાર લે તેમાં શું ખોટું છે ? વળી, જે અત્યારે વિદ્યમાન નથી તે, તે કાળે પણ વિદ્યમાન નહીં હોય તેમ માનવાને કારણ નથી. કારણ, તેને વિચછેદ પણ સમય જતાં થયા છે. વળી, દષ્ટિવાદ એ નામ જ સૂચવે છે કે દાર્શનિક માન્યતાઓ–પછી તે સ્વયં જૈનદર્શનની હોય છે કે અન્ય દર્શનની કે ઉભય દર્શનની–દષ્ટિવાદમાં સમાવેશ પામી હશે. એટલે દાર્શનિક કે સૈદ્ધાતિક ચર્ચાનું મૂળ અન્ય કરતાં જે દષ્ટિવાદમાં શેધવામાં આવે તે તે ઉચિત ગણુંવું જોઈએ. અને બન્યું પણ એમ જ છે. અંગબાહ્ય ગ્રંથોમાં જે ગ્રંથો સંદ્ધાનિક અર્થાત તાત્વિક ચર્ચા સાથે સંબંધ ધરાવે છે તેનું મૂળ સામાન્ય રીતે દષ્ટિ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૧ વાદમાં છે એમ કહેવામાં આવ્યુ છે. દિગ ંબર સપ્રદાયના સિદ્ધાન્ત ગ્રુ'થા ટૂખડાગમ અને ક્યાયપાહુડના સંબંધ દૃષ્ટિવાદ અને પૂર્વ સાથે જોડવામાં આવ્યા છે. શ્વેતાંબર–દિગંબર બન્નેને સ ંમત કમ`સાહિત્યના પ્રાચીન કમ પ્રકૃતિ, પંચસ ંગ્રહ જેવા સદ્દાન્તિક પ્રથાનું મૂળ પશુ ‘ પૂર્વી 'માં મનાયું છે. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં સૈદ્ધાન્તિક ગ્રંથ પ્રજ્ઞાપનાને સંબધ પણ દૃષ્ટિવાદ સાથે જ છે. વિશેષતા એ એ છે કે ષટ્ક’ડાગમનું મૂળ દૃષ્ટિવાદમાં છે એમ તેના ટીકાકાર ધવલામાં સ્પષ્ટ કરે છે; જ્યારે પ્રસ્તુતમાં તે સ્વયં ગ્રંથકર્તા પ્રજ્ઞાપનાના સબંધ દૃષ્ટિવાદ સાથે જણાવે છે. પૂર્વી વિદ્યમાન હતાં, તો પછી એ ઉપેક્ષિત કેમ થયાં અને વિચ્છિન્ન કેમ થયાં આવા પ્રશ્ન સ્વાભાવિક છે. આના ઉત્તર એ છે કે તેમને આધારે વધારે વ્યવસ્થિત ગ્રંથાની રચના થઈ તેથી તેમની પ્રથમ ઉપેક્ષા અને પછી સહજ ભાવે વિચ્છેદ થાય એવા ક્રમ માનવામાં ઔચિત્ય છે. દિગબરાએ શ્વેતાંબર સંમત આગમા વિચ્છિન્ન છે એમ તે માન્યું, પણ તેમને મતે પણ સૌથી વધારે પ્રામાણ્ય અને મહત્ત્વ ષખંડાગમ જેવા સૈદ્ધાન્તિક ગ્રંથાતું હતું. છતાં પણ તેની એક માત્ર પ્રતિ ઉપલબ્ધ થાય અને તે અધ્યયન અધ્યાપનમાંથી છેલ્લા હજાર વર્ષથી દૂર થાય તેનું કારણ શોધીએ તો આ પ્રશ્નના ઉત્તર મળી રહે છે. જેમ પૂ ગ્રંથામાંથી અંગ અને અન્ય ગ્રંથની રચના થઈ ત્યારે પૂર્વનું પ્રામાણ્ય અને મહત્ત્વ છતાં તે ક્રમે કરી ઉપેક્ષિત થાય અને અધ્યયન-અધ્યાપનમાંથી બાકાત થાય અને છેવટે વિચ્છિન્ન પણ થાય, તેમ જ્યારે ગેમ્મદ્રસાર જેવા વ્યવસ્થિત અને સારભૂત ગ્ર ંથની રચના ષટ્ખંડાગમને આધારે થઈ, ત્યારે દૂખ ડાગમ પણ ઉપેક્ષિત થઈ માત્ર એક પ્રતિમાં વિદ્યમાન રહે—એ સ્વાભાવિક છે. પછી આવા ગ્રંથાનું ઐતિહાસિક મહત્ત્વ તા રહે જ છે, પણ અધ્યયન-અધ્યાપનમાં તે ઉપેક્ષિત જ થાય છે. અને વિચ્છેદ્નુ એકમાત્ર કારણ આ ઉપેક્ષા અને છે. આ જ પ્રક્રિયા પ્રમાણે પ્રાચીન શિખર મતે થઈ ગયા, માત્ર આંશિક અંગો વિદ્યમાન રહ્યાં, અને સર્વાશ લુપ્ત થઈ ગયાં. પશુ શ્વેતાંબર મત પ્રમાણે થયા; તેના અંશાના લેપ થયા છે. ગાને અધિક ભાગ લુપ્ત આધુનિક માન્યતા પ્રમાણે અગાને સર્વથા લેાપ નથી જેમ પૂમાંથી અંગાનું નિર્માણ થયું તેમ પૂ' અને અ ંગાને આધારે અંગબાહ્ય પ્રથાની રચના કાળક્રમે થઈ. તેનું નિર્માણુ સ્થવિરાએ કર્યુ. જેમ પૂર્વમાંથી રચાયેલ અંગમાં પૂર્વી કરતાં વધારે રચનાસૌષ્ઠવ હાય, તેમ પૂર્વ અને Page #94 -------------------------------------------------------------------------- ________________ s અંગને આધારે રચાયેલ આ ગબાહ્ય ગ્રંથમાં કાળક્રમે વધારે રચનાસૌષ્ઠવ આવે તે સ્વાભાવિક છે. આથી વિષયનિરૂપણની બાબતમાં વ્યવસ્થા, અંગ કરતાં અંગબાહ્યમાં વધારે સારી હોય–-વાચકને સુગમ અને અનુકૂળ હોય–તેમ બનવું સ્વાભાવિક છે. આવી વ્યવસ્થાનું-સુંદર અને વાચકને અનુકૂળ વ્યવસ્થાનું–પ્રમાણપત્ર માત્ર આજે જ આપણે આપીએ છીએ તેમ નથી, પણ અંગ ગ્રંથની અંતિમ વાચનામાં અંગબાહ્ય ગ્રંથને આવું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે, અને તે, તે તે વિષયનું નિરૂપણ વિશેષાથીએ તે તે અંગબાહ્યમાં જોઈ લેવું તેમ સૂચવીને આપ્યું છે. આથી જ આપણે જોઈએ છીએ કે અંગ કરતાં નંદી, અનુયોગદ્વાર કે પ્રજ્ઞાપના કાળદષ્ટિએ પછીની રચના છતાં ભગવતી જેવા મહત્ત્વના અંગ ગ્રંથમાં નંદી, અનુગદ્વાર કે પ્રજ્ઞાપનામાં તે તે વિષય જોઈ લેવાની ભલામણ કરવામાં આવી છે. આમ પ્રામાણ્યની દૃષ્ટિએ પૂર્વ અને અં વિશેષ મહત્ત્વનાં છતાં વિષયનિરૂપણની દષ્ટિએ તેમના કરતાં અંગબાહ્ય ગ્રંથે વિશેષ મહત્ત્વ ધરાવે છે—એ બાબત લક્ષ્યમાં લેવા જેવી છે. અંગ ગ્રંથમાં સૈદ્ધાતિક ચર્ચા નથી જ એમ તો ન કહેવાય પણ સ્થાનાંગસમવાયાંગમાં સંખ્યાને આધારે થયેલ છે, વિષયને આધારે નહીં; જ્યારે ભગવતીમાં સૌદ્ધાતિક ચર્ચા મુખ્ય છતાં–તેનું પ્રાધાન્ય છતાં–તેને ક્રમ વ્યવસ્થિત નથી, કારણ કે તેમાં જુદા જુદા વિષયને લગતી પ્રસંગ પ્રાપ્ત ચર્ચા થયેલી છે; જ્યારે અંગબાહ્ય ગ્રંથોમાં તેમ નથી. તેમાં તે વિષયનિરૂપણ મુખ્ય છે. તેથી નિશ્ચિત ક્રમે તેમાં વિષયોની વ્યવસ્થિત ચર્ચા કરવામાં આવી છે. આ જ વિશેષતાને કારણે અંગ કરતાં અધ્યયન-અધ્યાપનની દૃષ્ટિએ અંગબાહ્યનું મહત્ત્વ વિશેષ છે. અંગમાં ભગવાન મહાવીરના વિહાર અને જીવનપ્રસંગે સાથે સૈદ્ધાતિક ચર્ચાને વણી લેવામાં આવી છે તેથી કોઈ પણ વિષયનું સળંગ વર્ણન તેમાં મળવું મુશ્કેલ હતું. આ કમીની પૂતિ અંગબાહ્ય ગ્રંથની રચના કરીને આચાર્યોએ કરી છે. પાલિપિટકમાં પણ આમ જ બન્યું છે. સુત્તપિટકમાં ભગવાન બુદ્ધના ઉપદેશ પ્રસંગે યત્ર તત્ર રૌદ્ધાન્તિક ચર્ચા થયેલ છે, પણ તેથી સમગ્ર બૌદ્ધ દશનનું સ્વરૂપ ઉપસ્થિત થતું નથી; પણ તેની પૂતિ અભિધમપિટકમાં કરવામાં આવી છે. આથી બૌદ્ધસિદ્ધાન્તનું સ્વરૂપ જાણવાની ઇચ્છા ધરાવનાર માટે અભિધમ અધ્યયન જેમ અનિવાર્ય છે તેમ જૈન દર્શનની સૈદ્ધાતિક દષ્ટિ માટે અંગબાહ્ય ગ્રંથોમાંના પ્રજ્ઞાપના, જીવાભિગમ આદિ ગ્રંથે અનિવાર્ય છે. એટલે એમ કહી શકાય કે જેન આગમ ગ્રંથોની રચનાને જે બીજો તબક્કો–એટલે કે વ્યવસ્થિત Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૪ વિષયનિરૂપક રચનાને સમય-તે અંગબાહ્ય ગ્રંથની રચનાનો સમય છે. અને તે સમયની રચના પ્રજ્ઞાપના છે. પ્રજ્ઞાપના-નામ પ્રજ્ઞાપના સૂત્રનું સામાન્ય નામ ગ્રંથકર્તાએ “અધ્યયન” એવું આપ્યું છે અને વિશેષ નામ “પ્રજ્ઞાપના” ફલિત થાય છે, કારણ, ગ્રંથકર્તાએ સ્પષ્ટ કર્યું છે કે ભગવાન મહાવીરે સર્વ ભાવોની “પ્રજ્ઞાપના કરી છે તે પ્રમાણે જ હું કરવાને . એટલે ઉત્તરાધ્યયનની જેમ આ ગ્રંથનું પણું પૂરું નામ “પ્રજ્ઞાપનાધ્યયન ” કહી શકાય. આ સમગ્ર ગ્રંથ એક અધ્યયનરૂપ છે; જ્યારે ‘ઉત્તરાધ્યયન માં અનેક અધ્યયને છે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. પ્રત્યેક “પદને અંતે “TowવMID માવતી’ એ ઉલ્લેખ મળે છે તેથી પાંચમાં અંગ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની જેમ ઉપાંગોમાં પ્રજ્ઞાપનાનું વિશેષ મહત્ત્વ સૂચિત થાય છે. “મવતીy” એવો ઉલ્લેખ ગ્રંથક્તને અભિપ્રેત નહીં હોય, કારણ, ગ્રંથાત તો “qugવળr સમત્તા –-એટલું જ મળે છે. પ્રજ્ઞાપના' શબ્દનો પ્રયોગ અને અર્થ સ્વયં પ્રજ્ઞાપનામાં જણાવ્યા પ્રમાણે (સૂ૦ ૩) જીવ અને અજીવ વિષેની પ્રજ્ઞાપના એટલે કે નિરૂપણ તે પ્રજ્ઞાપના છે. આથી જેમાં છવ-અછવનું નિરૂપણ હેય તે શાસ્ત્ર પણ પ્રજ્ઞાપના કહેવાય. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયું તે પહેલાં તેમણે દશ મહાસ્વપ્ન જોયાં હતાં. તેમાં તીજા મહાસ્વપના વર્ણન પ્રસંગે તેનું ફળ બતાવતાં (શ૦ ૧૬, ઉ૦ ૬)માં જણાવ્યું છે –“તમને મળવું મારે વિવિત્ત સમય–વરસમદ્ય ફુવારુપ વિદ માઘતિ વનતિ qહતિ......” આ ઉપરથી સ્પષ્ટ છે કે ભગવાન મહાવીરના ઉપદેશને પ્રજ્ઞાતિ, પ્રપતિ–એવી ક્રિયાથી જણાવવામાં આવ્યું છે. તેને આધારે જ તેમને ઉપદેશ “પ્રજ્ઞાપના” કે “પ્રરૂપણુ” કહેવાય એ સ્વાભાવિક છે, તેથી તેમના ઉપદેશને આધાર લઈ જે ગ્રંથ રચાય તેને પણ પ્રજ્ઞાપના” એવું નામ આપી શકાય અને તેથી આય શ્યામાચાયે પોતાના ગ્રંથને પ્રજ્ઞાપના” એવું નામ આપ્યું છે તે ઉચિત જ છે. ૨. ‘અયનિ જિન્ન’– ૩ / २. उवदंसिया भगवया पण्णवणा सव्वभावाण...जह वर्णिणय भगवया अहमवि तह वण्णइस्सामि गा० २-३ । Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૫ વળી, જ્યાં પણ અંગોમાં “ભગવાને આ કહ્યું છે કે આવું નિરૂપણ કર્યું છે તેમ બતાવવાનું હોય છે ત્યાં પણ સર્વત્ર “ઘ' (aa:) એવો શબ્દપ્રયોગ જોવા મળે છે. તેથી પણ જેન શાસ્ત્રની શૈલીમાં આ પ્રજ્ઞાપના શબ્દનું પ્રાધાન્ય જણાય છે. એથી આર્ય શ્યામાચાયે એ શબ્દ પસંદ કર્યો તે ઉચિત જ છે. સ્વયં ભગવાન મહાવીર પણ પિતાના ઉપદેશ માટે આ શબ્દનો પ્રયોગ કરે છે તે ધ્યાનમાં લેવા જેવું છે-- વહુ મા વિદ્યા વદે શ્રો7 જૂને “ભગવતી, ૨-૧-૯૦. આ જ પ્રકારના પ્રયોગો આચારાંગ આદિ શાસ્ત્રોમાં અનેક ઠેકાણે મળે છે. વળી, અંગમાં મહત્ત્વપૂર્ણ લેખાતા પાંચમા અંગનું નામ “વિયાહપન્નત્તિ’ ‘વ્યાખ્યાપ્રાપ્તિ છે તે પણ ભગવાનના ઉપદેશ માટે “પ્રજ્ઞાપના’ શબ્દનું પ્રાધાન્ય સૂચવે છે. તેથી આ શબ્દનું વિશેષ મહત્ત્વ જૈન પરંપરામાં સ્વીકારાય તે સ્વાભાવિક છે. અને, ટીકાકારના જણાવ્યા પ્રમાણે, આ શબ્દપ્રયોગમાં “” ઉપસર્ગ જે મૂકવામાં આવ્યું છે તે ભગવાન મહાવીરના ઉપદેશની વિશેષતાનો સૂચક છે એટલે કે ભગવાન મહાવીરે જીવ, અજીવ આદિ તત્ત્વોનું જે નિરૂપણ કર્યું છે તે વિશિષ્ટ પ્રકારનું છે; જૈનેતર શાસ્ત્રોમાં તે પ્રકારનું નિરૂપણ જોવામાં આવતું નથી-- તેવો ભાવ પણ એ શબ્દના પ્રયોગમાં રહેલું છે. એટલે કે આ નિરૂપણ જૈન શાસ્ત્રમાં આગવી રીતે થયેલું છે, જે અન્યત્ર દુલભ છે. અને તે વસ્તુસિથિતિનું પણ સૂચક છે જ. આ પ્રકારનું નિરૂપણ અન્યત્ર તે કાળનાં શાસ્ત્રોમાં આવતું નથી, એ સૂચક છે. વળી, ભાષા પદમાં પ્રસ્તુત ગ્રંથમાં જ ભાષાના ભેદોને જે વિચાર છે તેમાં gogવી” પણ ભાષાને એક પ્રકાર છે (૮૩૨). તેને ટીકાકાર અથે કરે છે પ્રસવની' “પ્રજ્ઞાબેનેતિ પ્રજ્ઞાવની”-પત્ર ૨૪૯ ; અને તેનું સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે–“કથાવસ્થતાથમિધનાદ્રિ પ્રજ્ઞાપની”—પત્ર ૨૪૯ ; અર્થાત અર્થ–વસ્તુ જે પ્રકારે વ્યવસ્થિત હોય તેનું સ્થાન જે ભાષા વડે થાય તે ભાષા પ્રજ્ઞાપની કહેવાય. વળી, તે જ ભાષા પદમાં પ્રસ્તુત ગ્રંથમાં. જ ભાષાના “કાત્તિયા” અને “અપત્તિ ” એવા બે ભેદ કર્યા છે (૮૬૦) અને મપત્તિયા'ના વિવરણ પ્રસંગે “અરવી” એટલે કે જેને સત્ય કે મિથ્થા સાથે, સંબંધ નથી પણ કેવળ વસ્તુનું નિરૂપણ કરવા પ્રવૃત્ત છે, તેવી ભાષાના જે બાર પ્રકાર જણાવ્યા છે તેમાં પાંચમો પ્રકાર gogવળા (૮૬૬) ભાષા છે. એટલે કે એવી ભાષા, જે વસ્તુનું નિરૂપણ કરવા પ્રવૃત્ત છે, તે googવળી કહેવાય છે. પ્રજ્ઞાપ Page #97 -------------------------------------------------------------------------- ________________ નાને આ સામાન્ય અર્થ છે. એટલે કે જેમાં કોઈ ધાર્મિક વિધિવિધ પ્રશ્ન નથી પણ વસ્તુનિ પણ માત્ર થયું હોય તે જ્ઞાની ભાષા કહેવાય છે. ટીકાકારે આ ભાષા વિષે જે વિવરણ કર્યું છે તેથી પણ પ્રસ્તુત પ્રજ્ઞાપના” અર્થ વિશેષ સ્પષ્ટ થાય છે. તેમાં ટીકાકારે અન્યત ગાથાનું ઉદ્ધારણ દીધું છે-- "पाणिवहाउ नियत्ता हव ति दीहाउया अरोगा य । एमाई पण्णत्ता पण्णवणी वीयरागेहिं ।।" -प्रज्ञापनाटीका, पत्र २५९ब સારાંશ કે “જેઓ પ્રાણિવધથી નિવૃત્ત થયા છે તેઓ (ભવાન્તરમાં) દીર્ધાયુ અને અરોગ થાય છે.” આ પ્રકારનો ઉપદેશ કે કથન તે પ્રજ્ઞાપની ભાષાનું ઉદાહરણ છે. આથી સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુમાં “હિંસા ન કરે' એવી આશા કે ઉપદેશ નથી પણ વસ્તુસ્થિતિનું નિરૂપણ છે કે જેઓ હિંસા નથી કરતા તેઓ દીર્ધાયુ અને નીરોગ થાય છે; આથી ભાષાને આ પ્રકાર પ્રજ્ઞાનની છે. પ્રસ્તુત ગ્રંથમાં પણ છવ અને અજીવ વિષે આ જ જાતની પ્રજ્ઞાપના છે. તેથી તેનું “પ્રજ્ઞાપના” નામ યથાર્થ ઠરે છે. બૌદ્ધ પાલિપિટકમાં પુરુqમ્બર એ નામનો ગ્રંથ છે. તેમાં નાના પ્રકારના પુગલના એટલે કે પુરુષોના અનેક પ્રકારે ભેદનું નિરૂપણ છે. એ નામમાં વપરાયેલ પ્રજ્ઞપ્તિ (૫-ગત્તિ) અને પ્રસ્તુત પ્રજ્ઞાપતા (quળવળr) નામમાં તાત્પર્ય સરખું જ છે. પ્રાકૃત goળવા અથવા પત્ત જેવા શબ્દોના સમાનાર્થક શબ્દ પાલિમાં પણ વપરાયા છે. તે છે–qબ્બત્ત, જ્ઞાપન આદિ. . પ્રજ્ઞાપનાનો આધાર દષ્ટિવાદ છે પ્રજ્ઞાપનાસૂત્ર એ ચોથું ઉપાંગ છે. જેને આગમમાં અંગ બાર છે, પણ બારમું અંગ દષ્ટિવાદ વિnિત્ર છે, છતાં ઉપાંગની સંખ્યા તે બાર છે અને બારેય ઉપાંગે ઉપલબ્ધ છે. તે તે અંગ સાથે તે તે ઉપાંગોને સંબંધ કયારથી જોડાય તે નક્કી કરવું કઠણ છે, પણ સંસ્કૃત ટીકાઓ લખાવી શરૂ થઈ ત્યારથી તો એવો સંબંધ બતાવવામાં આવે છે. તે પ્રમાણે પ્રસ્તુત ઉપાંગ પ્રજ્ઞાપના, સમવાય નામના ચેથા અંગનું ઉપાંગ છે—એમ ટીકાકાર આચાર્ય મલયગિરિ જણાવે છે–રૂયં ચ સમવાયાવસ્થ ચતુર્થાશ્વેક, તટુથપ્રતિપાદુનાતપ્રજ્ઞાવનારીવા, પત્ર છે. પરંતુ આવો કોઈ સંબંધ પ્રાચીન કાળમાં જોડવામાં Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૭ આવતો નહિ–અને તે સંબંધ હતો પણ નહીં તે સ્પષ્ટ છે. કારણ સ્વયં પ્રજ્ઞાપનાના પ્રારંભમાં જ કર્તાને જણાવ્યા પ્રમાણે આ પ્રજ્ઞાપના દૃષ્ટિવાદમાંથી ઝરતો રસ છે – . अज्झयणमिण चित्त सुयरयण दिष्ट्रिवायणीस दं ।। जह वणियं भगवया अहमवि तह वण्णइस्सामि ।३।। આર્ય શ્યામાચાયે આ ગ્રંથનો સીધો સંબંધ દષ્ટિવાદ સાથે જોડડ્યો છે એ તો નિશ્ચિત છે જ, પણ આપણી સમક્ષ દૃષ્ટિવાદ છે નહિ તેથી તેના કયા પ્રકરણ સાથે પ્રજ્ઞાપનાને સંબંધ છે તેની તે કલ્પના જ કરવી રહી. અને એ કલ્પના પ્રમાણે દૃષ્ટિવાદના ૧૪ પૂર્વોમાંથી નીચેના પૂર્વે સાથે પ્રજ્ઞાપનાના વિષયને સંબંધ જોડી શકાય તેમ છે— જ્ઞાનપ્રવાદ, આત્મપ્રવાદ અને કમપ્રવાદ. પરંતુ ટૂખંડાગમની ટીકા ધવલામાં ષખંડાગમને સંબંધ* આગ્રાયણી પૂર્વ સાથે પણ જોડવામાં આવ્યો છે તે જોતાં અને પ્રજ્ઞાપના અને ખંડાગમને ચર્ચિત વિષય સમાન છે એ જોતાં પ્રજ્ઞાપનાને સંબંધ આગ્રાયણી પૂર્વ સાથે પણ હેવાને સંભવ ખરે જ. આચાર્ય મલયગિરિના મતે સમવાયાંગમાં કહેલ અર્થનું જ વર્ણન પ્રજ્ઞાપનામાં પણ છે. તેથી તે સમવાયાંગનું ઉપાંગ છે. પણ સ્વયં કર્તા એવું કેઈ સૂચન કરતા નથી પણ તેનો સંબંધ દૃષ્ટિવાદ સાથે સ્પષ્ટપણે જણાવે છે. અને તે ઉચિત જ છે. કારણ, દૃષ્ટિવાદમાં મુખ્યપણે દૃષ્ટિ-દર્શનનું વર્ણન હતું તેથી જૈન દર્શનને માન્ય પદાર્થોનું વ્યવસ્થિત નિરૂપણ કરનાર પ્રજ્ઞાપનાને સંબંધ દૃષ્ટિવાદ સાથે હોય તે વધારે ઉચિત પણ છે. અને જે આધારે પરંપરા રૂઢ થઈ તે પરંપરાને અનુસરી આચાર્ય મલયગિરિએ જણાવ્યા મુજબ સમવાયાંગમાં પણ છવ-અજીવ આદિ તત્તનું જ નિરૂપણ છે તેથી પ્રજ્ઞાપનાને તેનું ઉપાંગ માનવામાં કશે વિરોધ પણ નથી. પ્રજ્ઞાપનાની રચનાશૈલી ગ્રંથના પ્રારંભમાં સ્તુતિરૂપ મંગલ કરીને ગ્રંથરચનાની પ્રતિજ્ઞા બાદ પ્રતિપાદા વિષયને નિર્દેશ કરતી ગાથાઓ આપી છે. આમાં ૩૬ વિષયને ૩. આ સ્થિતિમાં તાંબરામાં બારમા અંગને સર્વથા અભાવ હોવાની સૂચના - પખંડામમાં (પુસ્તક ૫, પ્રસ્તાવના, પૃષ્ઠ ૭૧) કરવામાં આવે છે તે વિચારણીય છે. ૪. પખંડાગમ, પુસ્તક ૫, પ્રસ્તાવના, પૃષ્ઠ ૭૨. Page #99 -------------------------------------------------------------------------- ________________ s૮ નિર્દેશ છે તેથી પ્રયને ૩૬ પ્રકરણમાં વહેંચી દેવામાં આવ્યું છે અને પ્રત્યેક પ્રકરણને ‘પદ' એવું સામાન્ય નામ આપવામાં આવ્યું છે, જેની સૂચના તે તે પ્રકરણને અંતે સમાપ્ત થતા પ્રતિપાદ્ય વિષય સાથે આપવામાં આવી છે. આચાર્ય મલયગિરિ “પદની વ્યાખ્યા કરતાં કહે છે કે-“ઘä પ્રજરામ કથાધિર રૂતિ વાર પ્રજ્ઞાવનાર, પત્ર ૬ ! એટલે કે “પદ' શબ્દનો અર્થ અહીં પ્રકરણ કે અર્વાધિકાર એમ સમજવાનું છે. તે સમગ્ર ગ્રંથની રચના પ્રશ્નોત્તર રૂપમાં છે. પ્રારંભમાં ૮૧ સૂત્ર સુકી પ્રશ્નકર્તા કે ઉત્તરદાતા કે તેના વિષેની કેઈ સૂચના નથી, માત્ર પ્રશ્નો અને ઉત્તરે છે. પણ ત્યાર પછીના ૮૨મા સૂત્રમાં ભગવાન અને ગૌતમનો સંવાદ છે. વળી, ૮૩ થી ૯૨ માં સામાન્ય પ્રશ્નોત્તર દેખાય છે અને અચાનક ૯૩મા સૂત્રમાં ગૌતમ અને ભગવાનના પ્રશ્નોત્તરે છે. ત્યાર પછી વળી સામાન્ય પ્રશ્નોત્તરે ચાલુ થાય છે તે ૧૪૭મા સુધી ચાલે છે. પછીની રચનામાં જ્યાં ગૌતમ અને ભગવાનના પ્રશ્નોત્તર છે તે આ પ્રમાણે છે ઃ સૂત્ર ૧૪૮-૨૧૧ અર્થાત્ સમગ્ર બીજુ પદ, તીજા પદમાં સૂત્ર ૨૨૫-૨૫, ૩૨૫, ૩૩૦-૩૩૩; ચોથા પદથી બધાં જ પદના સૂત્રમાં છે. માત્ર પ્રારંભમાં, વચ્ચે કે અંતે આવતી ગાથાઓમાં અને સૂત્ર ૧૦૮૬માં તે નથી. અને એક અપવાદ છે, જેને પ્રારંભ આ પ્રમાણે છે. સૂત્ર ૩૩૪ “અહં મં! સવીવપ્ન રદ નહારં વત્તાફ્લાઈમ” –આ રીતે શિષ્ય (તે કહ્યું છે તે જાણવામાં આવે તેમ નથી) ગુરુની સમક્ષ મહાદંડક રચવાની પ્રતિજ્ઞા કરીને સર્વ જીવોનું અ૫–બહુત્વ વર્ણવે છે. આની ટીકામાં આચાર્ય મલયગિરિએ આ પ્રમાણે ખુલાસો કર્યો છે "अनेन एतद् ज्ञापयति-तीथ करानुज्ञामात्रसापेक्ष एव भगवान् गणधरः सूत्ररचनां प्रति प्रवत ते, न पुनः श्रुताभ्यासपुरःसरम् इति । यद्वा एतद् ज्ञापयति-कुशलेऽपि कर्मणि विनेयेन गुरुमनापृच्छय च प्रवर्तितव्यम्, किन्तु तदनुज्ञापुरःसरम् । अन्यथा विनेयत्वायोगात् ।"-पण्णवणाटीका, पत्र १६३ अ । આચાર્ય મલયગિરિ પોતે નિઃશંક નથી. તેથી વિકલ્પ બે બાબતો રજુ ૫. “સૂત્રમૂઃ પ્રજળનુ” ન્યાયવાર્તિક પૃ. ૧. ૯. આ જ મહાદડક ષટખંડાગમમાં પણ છે. તેની ચર્ચા આગળ આવશે. છે. પ્રારંભમાં જ આચાર્ય શ્યામ દષ્ટિવાદને આધારે પ્રજ્ઞાપનાની રચના કરે છે એમ - તેમણે જણાવ્યું છે, એટલે સંભવ છે કે પ્રસ્તુત ભાગ અંગનો અંશ હોય અને તે રીતે એને ગણધરની રચના કહી શકાય. Page #100 -------------------------------------------------------------------------- ________________ Ge કરે છે. પ્રથમમાં તેમણે માન્યું છે કે અહી પણુ શિષ્ય તરીકે ગણુધર ગૌતમ વિક્ષિત છે. ખીજા વિકલ્પમાં માત્ર ગુરુ-શિષ્ય એવુ સામાન્ય રૂપે વિવક્ષિત છે. વળી, જેમ પ્રારંભમાં સમગ્ર ગ્રંથની અધિકારગાથાઓ મૂકવામાં આવી છે, તેમ કેટલાંક પદોના પ્રારંભમાં પશુ વિષયનિર્દેશક ગાથાઓ રચવામાં આવી છે.જુએ ૩, ૧૮, ૨૦, ૨૩ ઇત્યાદિ પદોને પ્રારભમાં તે જ પ્રમાણે ઉપસ હારમાં પણ કેટલીકવાર સંગ્રહ-ગાથાઓ મૂકવામાં આવી છે, જેમ કે શમા પદ્મના અંતમાં, ગ્રંથની વચ્ચે પણ જ્યાં જરૂરી જણાયું છે ત્યાં આચાય ગાથા મૂકે છે. સમગ્ર ગ્રંથનું શ્લોક પ્રમાણુ ૭૮૮૭ છે અને તેમાં કુલ ગાથા, પ્રક્ષેપ આદ કરતાં, ૨૩૨ છે,૮ એટલે સમગ્રભાવે મુખ્યપણે આ ગ્રંથની રચના ગદ્યમાં છે એમ કહી શકાય. ગાથાઓમાં સામાન્ય રીતે જીવના વિશેષ ભેદે અથવા સંખ્યાએ (સૂત્ર ૨૪ ૪૦, ૧૦૨ ઇત્યાદિ) આપવામાં આવી છે, પણ કાંઈક પ્રતિપાદ્ય વિષયનું સ્વરૂપ પણ વત જોવામાં આવે છે, જેમ કે સિદ્ધ વિષે—સૂત્ર ૨૧૧. સિદ્ધ વિષેની આ ગાથાઓ અને વવાયને અંતે આવતી ગાથા લગભગ એકસરખી છે. આયી પ્રજ્ઞાપનામાં આવતી અધી જ ગાથાઓ આય શ્યામાચાયે રચી હાવાના સ ંભવ નથી. કારણુ, મૂળમાં જ કોઈક વાર તે “ફો માહો અનુન તવાઓ—” (સૂત્ર પ[૩], ૧૮૭) એમ નિર્દેશપૂર્ણાંક ગાથાઓ મૂકે છે તે સૂચવે છે કે તે ગાથાએ પરંપરાપ્રાપ્ત છે. વિશેષ રૂપે ‘ત' નડ્ડા' (સૂત્ર ૨૪, ૩૮, ૪૦, ૪૧, ૪૨, ૪૩, ૫૦, ૫૪, ૧૦૨, ૧૧૦, ૧૬૭ ઇત્યાદિ) એમ કહીને જે ગાથાઓ મૂકવામાં આવી છે તેમાં પણ તેમની પોતાની અને અન્યની રચના હાવા સંભવ છે. શ્યામાચાયે કેટલીક ગાથાઓને ‘સંગ્રહણિગાથા’ (સુત્ર ૧૯૪, ૨૦૬[૨]) કહી છે. તે ગાથાઓ સંભવ છે કે અન્યની હાય. કેટલીક ગાથાઓને ૮. e. ગ્રંથના અતની ગાથાઓ અંક ૨૩૧ છે, પણ તે ૨૩૨ જોઈએ, કારણ કે ૨૧૯ મી ગાથાને અક એવડાયા છે. આચાય . મલયગિરિના નિમ્ન ઉલ્લેખા સૂચવે છે કે ગાથાઓ આય શ્યામની હશે-“તાવત્ સ ંગ્રહીતુલન આર્‘અદ્યત્તર` ૨' ત્યાદ્દિ થાયમ્'—પ્રજ્ઞાવનાટીગ, વત્ર ૮૪ મૈં । “ અહીં મિમાહ-‘નળાવિદે', 'િ પત્ર ३३ अ । ‘નાયાત્રામા’વત્ર રૂપ્ વ । તથા જુએ પત્ર ૨૨૩ ૬, ૨૬૨ ૬, ૨૬૬ ૬, ૪૨૬૮ ૨ ઈત્યાદિ. Page #101 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય મલયગિરિએ “સંપ્રદાથ” કે “કંગનાથા' એવું નામ આપ્યું છે તે ગાથાઓ કેની રચના છે તે જાણવું કઠણ છે. પ્રજ્ઞાપનાના સમગ્રભાવે અધ્યયનથી એની નિરૂપણશૈલી વિષે જે કેટલીક બાબતો નક્કી થાય છે તે આ છે–તેમાં ૩૬ પદમાં સર્વ પ્રથમ જે જીવના ભેદ પ્રથમ પદમાં જણાવ્યા છે, તેમાં સંસારી અને સિદ્ધ એ મુખ્ય ભેદ પછી જીવના ઈન્દ્રિયના હીનાધિકને આધારે એટલે કે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિયના ભેદ-પ્રભેદો ગણાવ્યા છે. સારાંશ કે સંસારી સકલ જીવોને સમાવેશ એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં કર્યો છે. એટલે કે છવભેદોનું મુખ્ય નિયામક તત્વ ઇન્દ્રિયોની ક્રમિક વૃદ્ધિ એ છે. જીવના સ્થાનને વિચાર બીજા પદમાં છે. તે છવભેદના સ્થાનની વિચારણામાં પણ જીવોના ઉક્ત પ્રથમ પદમાં ભેદનિરૂપણને જે ક્રમ–એટલે કે ઈન્દ્રિયપ્રધાન–છે તે જ અપનાવાય છે. ભેદ છે તે એ કે આમાં એકેન્દ્રિયને બદલે પૃથ્વીકાય શબ્દ વપરાય છે, કારણ, એકેન્દ્રિયના પૃથ્વીકાયાદિ જે ભેદો છે તેને ક્રમે એકેકને લઈને વિચારણું છે. પણ નિરૂપણુક્રમ એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય એ છે. અને બહુવક્તવ્ય નામના તીજા પદમાં પણ પ્રારંભમાં તે ઉક્ત પ્રકારે જ ભેટે લીધા છે. પરંતુ તે પછી જીવોનું અન્ય પ્રકારે એટલે કે ગતિ આદિને આધારે, જે વિભાજન થાય છે, તેનું પણ ગ્રહણ કર્યું છે; સૂત્ર ૨૧૬ માંથી ગતિને આધારે જીવવિભાજન દિશાઓમાં વિચારાયું છે અને પુનઃ સૂત્ર ૨૨૫ થી ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપગ, આહાર, ભાષક, પરિત, પર્યાપ્ત, સૂક્ષ્મ, સંસી, ભવ, અસ્તિકાય, ચરિમ, જીવ, ક્ષેત્ર બંધ –આ બધી દષ્ટિથી પણ જીવના જે નાના પ્રકારે ભેદ પડે છે તેને લઈને અલ્પબહુત્વને વિચાર છે. પરંતુ પ્રજ્ઞાપનામાં ત્રીજા પદ પછીનાં પદોમાં, અમુક અપવાદ સિવાય ૧૧ સર્વત્ર, નારકથી માંડી ૨૪ દંડકમાં વિભાજિત જીવોને લઈને જ વિચારે છે. અર્થાત ઉક્ત ગતિ આદિ અનેકને પ્રધાન માની વિવિધ પ્રકારે જીવને જે અનેક રીતે વર્ગીકૃત કરવામાં આવે છે, તે વગીકરણોને સ્વીકાર કરીને વિચારણા નથી; તેવી વિચારણું તે વખંડાગમમાં છે. સારાંશ કે માત્ર ૨૪ દંડકને ક્રમે ૧૦. પ્રજ્ઞાપનrટ, ૨ ૦ ૨, ૮૪ , ૨ ૦ , ૨૬૮ ૫, ૩, ૨૨૨ ૪ ૪૪ ૫, ૨૪ ૨ | ૧૧. આ અપવાદ માટે જુઓ પદ ૧૩, ૧૮ અને ૨૧. ૧૨. જીવોને ૨૪ દંડકમાં વિભક્ત કરવાનું મૂળ પણ ખરી રીતે તો ગતિનો જ વિસ્તાર છે, પણ તેમાં ગતિને ભૌગોલિક દષ્ટિએ નીચેથી ઉપર એમ ગોઠવી છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ છનું જે વિભાજન છે તે એક જ વિભાજનને સ્વીકારીને વિચારણું છે. તેથી ઉલટું, પખંડાગમમાં તે જીવના ગતિને લઈને, ઇન્દ્રિયને લઈને, કાયને લઈને તે જ રીતે અન્ય યોગાદિને લઈને જે બાર વિભાજનપ્રકાર છે, તે સૌ વિભાજન પ્રકારોમાં વિચારણું છે. એટલે નાના પ્રકારે તાળો મેળવવાનો પ્રયાસ છે. આમ આ વિચારણા પ્રજ્ઞાપનાથી સૂક્ષ્મ છે. વિષયવિભાગ (a) સાત તત્તવમાં આચાર્ય મલયગિરિ ગાથા ૨ ની વ્યાખ્યા પ્રસંગે પ્રજ્ઞાપનાગત વિષયવિભાગને સંબંધ છવાછવાદિ સાત તત્તના નિરૂપણ સાથે નીચે પ્રમાણે જોડી આપે છે – ૧-૨ જીવ-અછવ પદ ૧, ૩, ૫, ૧૦ અને ૧૩ = ૫ પદે ૩ આસ્રવ પદ ૧૬ અને ૨૨ = ૨ પદે ૪ બબ્ધ પદ ૨૩. = ૧ પદ ૫-૭ સંવર, નિજર અને મોક્ષ પદ ૩૬ = ૧ પદ અને બાકીનાં પદોમાં કોઈક વાર કોઈ તત્ત્વનું નિરૂપણ થયેલ છે–શેષ तु स्थानादिपदेषु कचित्कस्यचिदिति-प्रज्ञापनाटीका, पत्र ५ अ. (b) દ્રવ્યાદિ ચારમાં વિભાગ જેન સંમત બધાં તત્ત્વોને સમાવેશ કવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આચારમાં પણ થાય છે, તેથી તે ચાર વિષયોનું નિરૂપણુ પ્રજ્ઞાપનામાં કયાં થયું છે તે પણ આચાર્ય મલયગિરિએ જણાવ્યું છે– પ્રથમ પદમાં ક્ષેત્રનું બીજા પદમાં કાલનું ચેથા પદમાં ભાવનું શેષ પદોમાં –પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૫ ૨ આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ–આમ ચાર ભેદમાં વિષયનિરૂપણ કરવાની પદ્ધતિ જૂની જણાય છે. ભગવતીમાં અનેક વિષયોમાં તે જોવામાં આવે છે. ૧૩ પરંતુ તત્ત્વ સાત પ્રકારનું છે, આ વ્યવસ્થા મેડી છે. તેથી આચાર્ય મલયગિરિએ અહીં પ્રસ્તુત પ્રજ્ઞાપનાના વિષયને જે રીતે સાતમાં વહેંચવા પ્રયત્ન કર્યો છે તે ૧૩. ન્યાયાવતારવાર્તિકવૃત્તિ, પ્રસ્તાવના, પૃ. ૫૦-૫૧. ; Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રકારની વહેંચણી સ્વયં આર્ય શ્યામાચાર્યને અભિપ્રેત હતી તેમ માની શકાય નહિ, પણ પિતાના કાળમાં જે પરંપરા સ્થિર થઈ હતી તેની સાથે પ્રજ્ઞાપનાના નિરૂપણને મેળ બેસાડવાનો પ્રયત્ન આચાર્ય મલયગિરિને છે, તેમ માનવું જોઈએ. સ્વયં પ્રજ્ઞાપનામાં સરાગ દર્શનાર્યના નિરૂપણમાં નિસરુચિ જીવના લક્ષણમાં જે ગાથા (૧૨૦) આપી છે, તેમાં પણું સાત તત્ત્વને ઉલ્લેખ નથી, એ ધ્યાનમાં લેવા જેવી વાત છે. પદ વિભાગ અને નિરૂપણનો ક્રમ સૂત્રકાલીન સાહિત્યની એ વિશેષતા છે કે ગ્રંથના પ્રારંભમાં જ પ્રતિપાદ્ય વિષયની સૂચિ આપી દેવામાં આવે છે, જેનું પારિભાષિક નામ ઉદેશ છે. ન્યાયસૂત્ર આદિ ગ્રંથમાં આ પદ્ધતિનું અનુસરણ જોવામાં આવે છે. પ્રજ્ઞાપનામાં પણ પ્રારંભમાં તેને વિષયવિભાગ (સૂત્ર ૨) પ્રજ્ઞાપના આદિ ૩૬ પદમાં ઉદ્દેશરૂપે નિર્દિષ્ટ છે. અને પછી તે ક્રમે ૩૬ પદ ગત એકેક વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સામાન્ય નિયમ એવો છે કે ઉદેશમાં જે ક્રમ નિર્દિષ્ટ હોય તેનું જ અનુસરણ નિરૂપણમાં કરવામાં આવે છે. આ ગ્રંથમાં ૩૬ પદોનું નિરૂપણ નિર્દિષ્ટ ક્રમે જ કરવામાં આવ્યું છે. પરંતુ વિષયનિરૂપણ પ્રસંગે આ ગ્રંથ લક્ષણપ્રધાન નથી, પણ વિભાગપ્રધાન છે. એટલે કે વિષયનું નિરૂપણ પ્રથમ લક્ષણ કરીને કરવામાં આવ્યું નથી પણ વિભાગ બતાવવામાં આવ્યા છે અને પાછા તે તે વિભાગોના ઉપવિભાગ અને તેને પણ ઉપવિભાગો એમ માત્ર ભેદ-પ્રભેદોનું જ નિરૂપણ છે. ભેદોને જે ક્રમે નિદેશ હોય છે, તે જ ક્રમે ઉપભેદોનું નિરૂપણ સામાન્ય રીતે થાય. પણ ગ્રંથકાર જ્યાં જે ઉપભેદોનું નિરૂપણું સંક્ષિપ્ત હોય છે ત્યાં તે ઉપભેદનું નિરૂપણ પ્રથમ કરીને પછી વિસ્તૃત ભેટવાળા ઉપભેનું નિરૂપણ કરે છે, જેમ કે સત્ર ૩ માં પ્રથમ છવપ્રજ્ઞાપના નિર્દિષ્ટ છે અને પછી અછવપ્રજ્ઞાપના. પણ ચેથા સૂત્રમાં પ્રથમ અજીવ પ્રજ્ઞાપના કરીને પછી ચોદમાં સૂત્રથી છવપ્રજ્ઞાપનાના પ્રભેદો નિદિષ્ટ છે. વળી, તે જ ન્યાયે ૪થા સૂત્રમાં રૂપીઅછવપ્રજ્ઞાપના પછી અરૂપીઅછવપ્રજ્ઞાપના નિર્દિષ્ટ છે, છતાં પણ પાંચમા સૂત્રમાં પ્રથમ અરૂપીઅવપ્રજ્ઞાપનાન વર્ણન કરીને પછી છઠ્ઠા સૂત્રમાં રૂપીઅજીવપ્રજ્ઞાપના કરવામાં આવી છે. એ જ ન્યાયે જીવપ્રજ્ઞાપનાના સૂત્ર ૧૪માં સંસારી અને અસંસારી એવા બે ભેદ કરી પ્રથમ સંક્ષેપને કારણે ૧૫ મા સૂત્રમાં અસંસારીનું વર્ણન કરી પછી સંસારી જીવોનું નિરૂપણ ૧૮ મા સૂત્રથી છે. આવા ક્રમભંગનું કારણ, આચાર્ય મલય Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ગિરિએ જણાવ્યા પ્રમાણે, અપવક્તવ્ય વિષયનું નિરૂપણું પ્રથમ કરીને પછી બહુવક્તવ્ય વિષયને હાથમાં લેવામાં આવ્યા છેજ તે છે અને તે ઉચિત જણાય છે. પરિભાષામાં કહેવુ હાય તેા કહી શકાય કે આ ગ્રંથમાં ઉદ્દેશ, નિર્દેશ અને વિભાગ છે પણુ પરીક્ષા નથી. ન્યાયસૂત્ર જેવા દાર્શનિક ગ્રંથામાં ઉદ્દેશ, નિર્દેશ, વિભાગ ઉપરાંત પરીક્ષા હાય છે, પરંતુ આમાં પરીક્ષાના અભાવ છે તે ધ્યાનમાં રાખવું જોઈ એ. ભગવતી અને પ્રજ્ઞાપના ભગવતી પાંચમું અંગ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ છે છતાં વ્યવહારમાં તે ભગવતીને નામે વિશેષ પ્રચલિત છે. પ્રજ્ઞાપનાને પણ ‘ભગવતી’ એવુ' વિશેષણ આપવામાં આવ્યું છે તે તેની વિશેષતા સૂચવે છે. ભગવતીમાં પ્રજ્ઞાપનાસૂત્રનાં ૧, ૨, ૫, ૬, ૧૧, ૧૧, ૧૭, ૨૪, ૨૫, ૨૬, અને ૨૭ મા પદેમાંથી વિષયની પૂતિ કરી લેવાની ભલામણુ કરવામાં આવી છે,૧૫ તે સૂચવે છે કે તે તે વિષયાની પ્રતિપાદનશૈલી પ્રજ્ઞાપનામાં વધારે વ્યવસ્થિત હતી. તેથી ઊલટુ, પ્રજ્ઞાપનામાં ભગવતીની ભલામણ નથી, એ પણ એમ સૂચવે છે કે, જોકે પ્રજ્ઞાપનાના આધાર અંગ ગ્રંથ છે છતાં, વિષયનિરૂપણ પ્રજ્ઞાપનામાં વધારે વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે, તેથી પ્રજ્ઞાપનાના વિષયની પૂતિ' અન્યત્રથી કરવાની જરૂર ઊભી થતી નથી. મહાયાન બૌદ્ઘોમાં પ્રજ્ઞાપારમિતા વિષે લખાયેલ ગ્રંથાનું પણ સર્વાધિક મહત્ત્વ હાઈ અષ્ટસાહસ્ત્રિકા પ્રજ્ઞાપારમિતા ગ્રંથના માત્ર ભગવતી એવા નામે પણ ઉલ્લેખ થતા એમ અહીં નોંધવુ જોઈ એ—જુએ, શિક્ષાસમુચ્ચય, પૃ. ૧૦૪, ૧૧૨ ઇત્યાદિ અને પૃ. ૨૦૨ (સૂચી). પ્રજ્ઞાપના અને જીવાજીવાભિગમ ૧૬ પ્રજ્ઞાપનામાં જીવ અને અજીવની પ્રજ્ઞાપના છે (સૂત્ર–૩) અને જીવાજીવાભિગમમાં પશુ જીવ અને અજીવના અભિગમ છે. પ્રજ્ઞાપના અને અભિગમ ૧૪. પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૭ ૬-‘આવો અલ્પવતથ્યાદ્ અનીવપ્રજ્ઞાવનાં પ્રતિવિવાચિવુઃ । વળી, જુઓ પત્ર ૮ ; પુત્ર ૧૮ ૧. ૧૫. જુએ ભગવતીસાર, પૃ. ૨૯૧, ૩૧૨, ૩૬૧-૬૨, ૩૯૬-૭, ૪૦૪, ૪૫૭, ૬૨૭, ૬૮૦, ૭૨૭. ૧૬. પ્રસ્તુતમાં દેવચંદ લાલભાઈની ઈ. સ. ૧૯૧૯ની જીવાજીવાભિગમની આવૃત્તિના સૂત્રાંક આપવામાં આવ્યા છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શબ્દને ભાવાર્થ એક જ છે. અને અંગખાદ્ય પ્રથા છે. અને બન્ને સ્થવિરકૃત છે. બન્ને ‘અધ્યયન' નામે રચાયા છે. પ્રજ્ઞાપના ચેાથા અંગ સમવાયના ઉપાંગ તરીકે મધ્યકાળમાં ગણાયુ અને જીવાજીવાભિગમ સ્થાન નામના તીજા અંગનુ ઉપાંગ ગાયું. અન્નેને વિષય–મુખ્ય વિષય–એક છતાં એકને સ્થાન સાથે અને ખીને સમવાય સાથે જોડવામાં આવ્યું તેમાં કાંઈ ઐતિહાસિક ક્રમ જેવુ છે કે નહીં એ તપાસવું જરૂરી છે. જીવાજીવાભિગમના મુખ્ય વિષય જીવ-અબ્ન પ્રારંભમાં પ્રજ્ઞાપનાની જેમ જ ચર્ચિત છે. તેમાં પણ જીવ-અજીવ એ એમાંથી પ્રથમ અવનું નિરૂપણ કરીને પછી જ જીવનું નિરૂપણ કરવામાં આવ્યુ છે. જીવનિરૂપણને ક્રમ વાછવાભિગમમાં સમગ્ર ગ્રંથમાં—તેના જે વિવિધ પ્રકારે બે છે તેને મુખ્ય રાખીને છે. એટલે કે પ્રથમ સ`સારી જીવાના એ ભેદથી માંડીશ ભેદનું નિરૂપણ અને પછી સવાઁ જીવાના એથી માંડીને શ ભેદનું વર્ણન છે. આમ જીવાજીવાભિગમમાં ભેદાને મુખ્ય રાખીને નિરૂપણુ ક્રમે ક્રમે આગળ વધે છે અને અંતે સ` જીવાના ભેદોના વર્ણનમાં તે સમાપ્ત થાય છે. એક બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે સ્થાનાંગમાં પણ દર્શ સ્થાન છે, અટલે કે જીવ અવને લગતી એક, ખે, ત્રણ એમ દશ સુધીની બાબતા તેમાં સખ્યાક્રમે નિરૂપવામાં આવી છે. અને જીવાવાભિગમમાં જીવના એથી માંડીને દશ ભેદ—પ્રથમ માત્ર સ ંસારી જવના અને પછી સર્વાં જીવના——નિરૂપવામાં આવ્યા છે. આમ ખેથી દશનું નિરૂપણ બન્નેમાં સરખુ છે. સંભવ છે કે પ્રજ્ઞાપના અને જીવા વાભિગમમાં જીવાવની ચર્ચા સમાન છે છતાં આ પ્રકારે એથી માંડી દેશનું નિરૂપણ સ્થાન અને જીવાવાભિગમમાં સરખુ હોઈ તે અને અગ અને ઉપાંગ તરીકે ગણવામાં આવ્યા હોય. પણ આપણી મુખ્ય સમસ્યા એ છે કે પ્રજ્ઞાપના અને જીવાવાભિગમમાં કાંઈ ઐતિહાસિક ક્રમ સ્થાપી શકાય છે કે નહી, તેનું સમાધાન તો હુછ બાકી જ રહે છે. જીવાવાભિગમમાં પ્રજ્ઞાપના અને તેનાં પદાના ઉલ્લેખ અનેકવાર છે. (સૂત્ર ૪, ૫, ૧૩, ૧૫, ૨૦, ૩૫, ૩૬, ૩૮, ૪૧, ૮૬, ૯૧, ૧૦૦, ૧૦૬, ૧૧૩, ૧૧૭, ૧૯-૧૨૨); વળી, રાજપ્રશ્નીય (સૂગ ૧૦૯, ૧૧૦) અને ઔપપાતિક (સૂત્ર ૧૧૧) સૂત્રોના પણ ઉલ્લેખ છે. એમાંથી ઔપપાતિકના ઉલ્લેખ તે આગમાના લેખન કાળના હાવા જોઈએ, એટલે કે વલભીવાચનાના કાળમાં તે સગવડ ખાતર કરવામાં આવ્યા છે, એમ માની શકાય છે. પરંતુ પ્રજ્ઞાપનાના ઉલ્લેખ પણ તે જ કાળે કરવામાં આવ્યા છે કે રચયિતાએ જ કર્યો છે તે નક્કી કરવા માટે તે બન્નેનું પૌર્વાપય અન્ય પ્રકારે નક્કી કરવુ જરૂરી છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૧ છવાછવાભિગમની સામાન્ય રચના એવી છે કે તેમાં ક્રમે ક્રમે છવભેદનું નિરૂપણ અને તે ભેમાં તે તે જીવની સ્થિતિ, અંતર, અલ્પબદુત્વ આદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે સમગ્ર ગ્રંથ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. પ્રથમ વિભાગમાં અજીવનું અને સંસારી જીવોના ભેદોનું અને બીજામાં સમગ્ર જીવોનું એટલે કે સંસારી અને સિદ્ધ એ બંનેને સમાવેશ થાય એવી રીતે ભેદનિરૂપણ છે. તે તે બે ભેદ, ત્રણ ભેદ ઇત્યાદિ દશ ભેદનું નિરૂપણ કરતી વખતે તેમાં સ્થિતિ વગેરે બાબતેનું કથન કરવામાં આવ્યું છે. પરંતુ પ્રજ્ઞાપનામાં પણ મુખ્ય વિષય તે જ છતાં તેમાં નિરૂપણપદ્ધતિ જુદી છે. તેમાં તે ગ્રંથને ૩૬ પદોમાં વિભક્ત કરવામાં આવ્યો છે, અને ભેદનિરૂપણ માત્ર પ્રથમ પદમાં કરવામાં આવ્યું છે. એટલે કે જીવ–અજીવની જે ભેદ-પ્રભેદો છે તેનું સમગ્રભાવે ચિત્ર પ્રથમ પ્રજ્ઞાપનાપદમાં મળી રહે છે. ત્યાર પછીનાં પદોમાં જીવનાં સ્થાન અલ્પબહુત, સ્થિતિ ઇત્યાદિ અનેક વિષયોને ક્રમે વિચાર છે. સારાંશ કે તે તે છવભેદની સ્થિતિ આદિને વિચાર તે તે છવભેદના વર્ણન પ્રસંગે આપણે છવાવાભિગમમાં જાણી શકીએ; પણ પ્રજ્ઞાપનામાં તો તે તે પદમાં બધા જ જીવોની સ્થિતિ આદિ વિષયોને એકત્ર પરિચય પ્રાપ્ત કરીએ છીએ. વળી, જે અનેક વિષયની ચર્ચા પ્રજ્ઞાપનાનાં શેષ ૩૫ (૨ થી ૩૬) પદોમાં છે, તે સર્વ વિષયોની ચર્ચા છવાછવાભિગમમાં નથી–આમ નિરૂપણપદ્ધતિને ભેદ બનેમાં છે જ; ઉપરાંત, પ્રજ્ઞાપનામાં વસ્તુવિચારનું પણ આધિક્ય છે. આ ઉપરથી સહેજે એમ માનવા મન થાય છે કે છવાછવાભિગમની રચના પ્રજ્ઞાપનાથી પૂર્વે કદાચ થઈ હશે. અને તેમાં પ્રજ્ઞાપનાનો ઉલ્લેખ અંગમાં એટલે કે ભગવતીમાં કરવામાં આવ્યો છે, તેમ સંક્ષેપ ખાતર કરવામાં આવ્યો હશે. વળી, જેમ અંગ ગ્રંથમાં પ્રારંભમાં મંગળ નથી દેખાતું તેમ પ્રસ્તુત છવાછવાભિગમમાં પણ મંગળ કરવામાં આવ્યું નથી, પણ માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે જિનમત, જિનાનુમત...જિનદેશિત...જિનપ્રશસ્તનું અનુચિંતન કરીને તેમાં શ્રદ્ધા ધરાવીને સ્થવિર ભગવંતએ આ જીવાજીવાભિગમ નામના અધ્યયનની પ્રજ્ઞાપના કરી છે. ગ્રંથપ્રારંભની આ પદ્ધતિ અંગરચનાનું અનુકરણ છે. તેમાં જેમ “gવું ને સુ એ પ્રકારે પ્રાપ્ત થયેલ શ્રુતને ઉપદેશ આર્ય સુધર્મા જ બૂને આપે છે તેમ અહીં સુચના છે કે સ્થવિરે એ જે જિનોપદેશ પ્રાપ્ત કર્યો હતો તેમાં શ્રદ્ધા ધરાવીને તેમણે આ ગ્રંથની પ્રરૂપણું કરી છે. પરંતુ પ્રજ્ઞાપનના પ્રારંભમાં તો મંગળ એટલે કે સિદ્ધ વગેરેને વંદના કરવામાં આવી છે અને પછી જ જિનવરના ઉપદેશને આધારે રચના કરવામાં Page #107 -------------------------------------------------------------------------- ________________ આવી છે તે નિદેશ છે. આમ છવાછવાભિગમના પ્રારંભમાં અંગશૈલીનું અનુકરણ છે, જ્યારે પ્રજ્ઞાપનામાં મંગલપૂર્વક શાસ્ત્રરચના થઈ છે. આથી પણ કહી શકાય કે મંગલ કરીને જ શાસ્ત્ર રચવાની પદ્ધતિ શરૂ થયા પછી પ્રજ્ઞાપનાની રચના થઈ હશે; જ્યારે, સંભવ છે કે, જીવાછવાભિગમની રચના તે પહેલાં થઈ ગઈ હતી. પ્રજ્ઞાપના અને ષટ્રખંડાગમ પ્રજ્ઞાપના અને પખંડાગમ બનેનું મૂળ દૃષ્ટિવાદ નામના અંગ સૂત્રમાં છે. એટલે સામગ્રીને આધાર એક જ છે. અને સંગ્રહગ્ર છે. છતાં પણ બનેની નિરૂપણશૈલીમાં જે ભેદ છે તે સમજવા જેવો છે. પ્રજ્ઞાપનામાં જીવને કેન્દ્રમાં રાખીને ૩૬ પદો” છે, જ્યારે પખંડાગમમાં છવસ્થાન નામના પ્રથમ ખંડમાં કર્મના હાસને કારણે નિષ્પન્ન ગુણસ્થાને, જે જીવસમાસને નામે નિર્દિષ્ટ છે, તેની માગણું જીવનાં માણસ્થાને ગત્યાદિ દ્વારા કરવામાં આવી છે. તે સમાપ્ત થયે શેષ ખંડમાંથી ખુદ્દાબંધ, બંધસ્વામિત્વ, વેદના, એ ખંડમાં કમને કેન્દ્રમાં રાખીને જીવને વિચાર છે, એમ કહેવાય. અને વર્ગણુખંડમાં પણ મુખ્ય તો કમરગણું જ છે; શેષ વગણની ચર્ચા છે તેને સમજવા માટે છે. છઠ્ઠો ખંડ તે મહાબંધને નામે જ ઓળખાય છે, એટલે તેમાં પણ કર્મચર્ચા જ મુખ્ય છે. પ્રજ્ઞાપનાનાં ૩૬ પદોમાંથી કમ (૨૩), કર્મબંધક (૨૪), કમવેદક (૨૫), વેદબંધક (૨૬), વેદવેદક (૨૭), વેદના (૩૫) --એ પદોનાં નામે, જે પ્રજ્ઞાપના મૂળમાં આપવામાં આવ્યાં છે અને ષટ્રખંડમાં જે તે તે ખંડનાં નામો ટીકાકાર દ્વારા સૂચિત કરવામાં આવ્યાં છે, તેની તુલના કરવા જેવી છે. તે તે નામનાં ‘પદ” માં જે ચર્ચા પ્રજ્ઞાપનામાં જોવા મળે છે તેથી ઘણું વધારે ચર્ચા– સૂક્ષ્મ ચર્ચા–વખંડાગમમાં સમાન નામે સૂચિત ખંડોમાં છે. આમ પ્રજ્ઞાપનામાં જીવપ્રધાન અને ટૂખંડાગમમાં કર્યપ્રધાન નિરૂપણ છે. - પ્રજ્ઞાપનામાં અંગસૂત્રમાં અપનાવાયેલી પ્રશ્નોત્તરપ્રધાન શૈલી જોવા મળે છે. અને ઘણે પ્રસંગે તે ગૌતમ અને ભગવાનના જ પ્રશ્નોત્તરી હોય એમ પણ સ્પષ્ટ છે. પરંતુ ઘટ્રખંડાગમમાં ઉદ્દેશ-નિર્દેશ-વિભાગ એ શાસ્ત્રપ્રક્રિયાનું અનુસરણ છે. કવચિત જ પ્રશ્ન અને ઉત્તરે જોવા મળે છે.૧૭ ૧૭. પખંડાગમ, પુસ્તક ૮, “બંધસામિત્તવિચય” પ્રકરણ જેવા સ્થાનમાં કવચિત પ્રશ્નોત્તરૌલી છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૭ પ્રાપના એક જ આચાર્યની સંગ્રહકૃતિ છે, પણ ખંડાગમ વિષે તેમ નથી. પ્રજ્ઞાપનામાં કઈ ચૂલિકા નથી, પણ પખંડાગમમાં અનેક ચૂલિકાએ ૧૮ ઉમેરવામાં આવી છે. તે ઉમેરો કોણે કયારે કર્યો તે જાણી શકાયું નથી; પણ ચૂલિકા નામ જ સૂચવે છે કે તે પાછળથી ઉમેરવામાં આવી છે—જેમ દશવૈકાલિક વગેરે આગમ ગ્રંથમાં જોવા મળે છે. * પ્રજ્ઞાપના મૌલિક સૂત્રએ લખાયેલ છે, જ્યારે ટ્રખંડાગમ સત્ર ઉપરાંત અનુયોગ=વ્યાખ્યાની શૈલીને પણ અનુસરે છે, કારણ, તેમાં ઘણીવાર અનાગનાં દ્વારા વડે વિચારણું કરવામાં આવી છે, જે વ્યાખ્યાની શૈલીને સૂચવે છે; જેમ કે “મળિોrf” એમ અનેક દ્વારા સૂચવીને પછી તે કારના કામે વિચારણું છે. ઉપરાંત કૃતિ, વેદના, કમ–જેવા શબ્દોની વ્યાખ્યા નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ આદિ નિક્ષેપ દ્વારા પણ કરવામાં આવી છે, જે જેનાગમની નિયુક્તિપ્રકારની વ્યાખ્યાશૈલીનું સ્પષ્ટ અનુસરણ છે. ૨૦ “શનુમ૨૧, “દંતપવન” ૨, ‘ નિ૨૩, “વિહેં',, (વિમા )૨૫ જેવા શબ્દોનો પ્રયોગ પણ વ્યાખ્યાશૈલી પ્રત્યે ઈશારે કરી દે છે. ૧૮. પખંડાગમ, પુસ્તક માં કુલ નવ ચૂલિકા છે, પુસ્તક ૧૦માં એક છે, - પુસ્તક ૧૧માં બે ચૂલિકા છે, પુસ્તક ૧૨માં ત્રણ ચૂલિકા છે. પુસ્તક ૧૪માં તે સૂત્ર ૫૮૧માં જ જણાવ્યું છે કે “–રિમાંથી વ્યા મ” ! ૧૯. પરંડાગમ, પુસ્તક ૧, સૂત્ર ૫; પુસ્તક ૯, સૂત્ર ૪૫; પુસ્તક ૧૦, સૂત્ર ૧; પુસ્તક ૧૧, સૂત્ર ૧; પુસ્તક ૧૧, સૂત્ર ૧૬૫; પુસ્તક ૧૨, સૂત્ર ૧; પુસ્તક ૧૩, સૂત્ર ૨ ઇત્યાદિ. ૨૦. પખંડાગમ, પુસ્તક ૯, સૂત્ર ૫ થી માંડીને આ પ્રક્રિયા પુસ્તક ૧૪ સુધી બરાબર જોવા મળે છે. ૨૧. એજન, પુસ્તક ૧, સૂત્ર છે; પુસ્તક ૩, સૂત્ર ૧ ઇત્યાદિ. ૨૨. એજન, પુસ્તક ૧, સૂત્ર ૭; પુસ્તક ૯, સૂત્ર 9૧. ૨૩. એજન, પુસ્તક ૧, સૂત્ર ૮; પુસ્તક ૩, સત્ર ૧ ઇત્યાદિ. ૨૪. એજન, પુસ્તક ૬, સૂત્ર ૨, પૃષ્ઠ ૪, પુસ્તક ૬, સૂત્ર ૧, પૃષ્ઠ ૧૪૫; પુસ્તક ૧૪, સૂત્ર ૧. ૨૫. બૌદ્ધોમાં વિભાષાને મહત્ત્વ આપનાર મત વૈભાષિક તરીકે જાણીતો છે, તેની અહીં નોંધ લેવી જોઈએ. Page #109 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રમાં જે અનેક પ્રકારે અનુગદ્દારોનું પ્રથમ અધ્યાયમાં વર્ણન છે તેની વ્યવસ્થા પ્રજ્ઞાપનામાં હજી થઈ ન હતી તેમ જણાય છે, કારણું, તેમાં પ્રથમ એ અનુગદ્વારેને ગણવીને કેઈ નિરૂપણું નથીપરંતુ પખંડાગમમાં તે આઠ અનુયોગકારના નિર્દેશપૂર્વક સ્પષ્ટ નિરૂપણ છે. એવાં અનુયોગકારોની નિર્માણભૂમિકા તે પ્રજ્ઞાપનામાં ખડી થઈ છે, જેને આધારે આગળ જઈ અનુયોગકારોનું નિરૂપણ થવા લાગ્યું. તત્ત્વાર્થસૂત્ર (૧. ૮) માં સતસંખ્યા ઇત્યાદિ આઠ અનુગદ્વારને નિર્દેશ છે. આ કેઈ નિર્દેશ પ્રજ્ઞાપનામાં નથી. પરંતુ તેમાં જુદાં જુદાં પદોમાંથી આ અનુગદ્વારેનું સંકલન કરવું સંભવ છે. એવા નિશ્ચિત સંકલનને ઉપગ પખંડાગમમાં થયો છે, જે તે બન્નેના કાળ વિષે અવશ્ય પ્રકાશ ફેકે છે, અને સિદ્ધ કરે છે કે પખંડાગમ પ્રજ્ઞાપના પછીની જ રચના કે સંકલન હશે. જઢિયાળુવાળ', “ફાળુવાળ”, “જીવાણુવાળ” ઈત્યાદિર શબ્દોથી તે તે માગણધારની ચર્ચાને પ્રારંભ કરવાની પદ્ધતિ પખંડાગમમાં સર્વત્ર અપનાવ વામાં આવી છે, જેનું અનુસરણું પ્રજ્ઞાપનામાં કવચિત જ જોવા મળે છે. માત્ર રિસાળવા’ અને ‘વેત્તાલુવાણા” એ બે શબ્દો૨૮ વપરાયા છે, પણ ગતિ આદિની ચર્ચામાં “નરૂધ્યgવાઈ' જેવો પ્રયોગ નથી. પ્રજ્ઞાપના અને ષખંડાગમમાં કેટલેક સ્થળે તો નિરૂપણ ઉપરાંત શબ્દસામ્ય પણ છે, જે સૂચવે છે કે બન્ને પાસે સમાન પરંપરા હતી. નિરૂપણસામ્ય એટલે કે તે તે બાબતમાં મતક્ય તે અધિકાંશ બનેમાં જોવા મળે જ છે. તેથી તેની જુદી નોંધ લેવી જરૂરી નથી. પણ જ્યાં શબ્દસામ્ય સ્પષ્ટ છે તેની નેંધ લેવી જરૂરી છે. સામાન્ય રીતે કહી શકાય કે બન્ને ગ્રંથે ગદ્યમાં લખાયા છે, પરંતુ તેમાં ગાથાઓ પણ છે. તે ગાથાઓમાંથી કેટલીક તે પારંપરિક સંગ્રહણીગાથાઓ જ હેવી જોઈએ, એમ જણાય છે. પ્રજ્ઞાપનાની ગાથા નં. ૯૯, ૧૦૦ અને ૧૦૧ પખંડાગમમાં પણ મળે છે, તે આ પ્રમાણે– पुस्तक १४, सूत्र १२१-“तत्थ इम साहारणलक्खण मणिद सूत्र १२२ साहारणमाहारो साहारणमाणपाणगहण च । ___साहारणजीवाण साहारणलक्खणं भणिदौं । ૨૬. પખંડાગમ, પુ. ૧, સૂ૦ ૭, પૃ. ૧૫૫. ૨૭. એજન, પુસ્તક ૧, સૂત્ર ૨૪, ૩૩, ૩૯ ઇત્યાદિ. ૨૮. પ્રજ્ઞાપના. સૂત્ર ૨૧૩–૨૨૪, ૨૭૬–૩૨૪, ૩૫૬-૩૨૯. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૯ स्त्र १२३ एयस्स अणुग्गहणं बहूण साहारणाण भेयस्स । एयस्स ज बहूणं समासदो त पि होदि एयस्स ॥ सूत्र १२४ समग वक्क ताणं समग तेसिं सरोरणिप्फत्ती । समग च अणुग्गहणं समग उस्सासणिस्सासो ।। પખંડાગમમાં ધ્યાન દેવા જેવી એક વાત એ છે કે તેમાં મળ કહીને આ ગાથાઓ ઉદ્દધૃત કરવામાં આવી છે, જ્યારે પ્રજ્ઞાપનમાં તે કઈ નિર્દેશ નથી. જે ક્રમે પ્રસ્તુતમાં ઉદર શુ છે તે અનુક્રમે પ્રજ્ઞાપનામાં નં. ૧૦૧, ૧૦૦, ૯૯ છે. અર્થાત્ ત્રણે ગાથા વ્યુત્ક્રમે પ્રજ્ઞાપનામાં મળે છે. વળી પ્રસ્તુત સૂત્ર ૧૨૨ ગત ગાથામાં “સ્ત્રવાં માં” એવો પાઠ છે, જ્યારે પ્રજ્ઞાપનામાં ગાથા ૧૦૧ માં “વરવળ ” એવો પાઠ છે. સૂત્ર ૧૨૩ ગત ગાથા અને પ્રજ્ઞાપનગત ગાથા ૧૦૦ એક જ છે, પણ પખંડાગમ કરતાં પ્રજ્ઞાપનાગત પાઠ વિશુદ્ધ છે; જ્યારે પડખંડાગમમાં તે અવ્યવસ્થિત થઈ ગયો છે. સૂત્ર ૧૨૪ ગત ગાથા અને પ્રજ્ઞાઅનાગત ગાથા ૯૯ એક જ છે, પણ તેમાં પણ પાઠાંતરે છે. પ્રજ્ઞાપનાગત પાઠ વિશુદ્ધ છે. પ્રજ્ઞાપનામાં જીવનના અલ્પબદુત્વવિચાર પ્રસંગે “મટુંડને પ્રારંભ આમ छ-"अह भते ! सव्वजीवप्गबहु महादडयौं वत्तइस्सामि-सव्वत्थोवा गब्भवक्कतिया અશુલ્લા...” અને અંત આમ છે–“સંગોની ઉપસેલા ૧૬, સંસારરથા વિસાદિયા ૬૭, વનવા વિસાયિા ૧૮ ” સૂત્ર રૂ ૨૪. પખંડાગમમાં પણ “મહાä' છે જ. તેમાં તેને પ્રારંભ આ પ્રમાણે छे-"एत्तो सव्वीवेसु महादडओ कादवो भवदि । सव्वत्थोवा मणुस्सपज्जत्ता મોવતિ” અને અંતે “જોવા વિસાયિા છે”—પુસ્તક ૭ સૂત્ર ૧-૭૯ વિચારણામાં બન્નેમાં થોડો જે ફેર છે, તે એ કે પ્રજ્ઞાપનામાં આ અ૫બહુવમાં કુલ ૯૮ ભેદ લીધા છે. જ્યારે પખંડાગમમાં તેની સંખ્યા ૭૮ છે. આનું કારણ પ્રભેદનો ગૌણમુખ્ય ભાવ ગણવું જોઈએ. પણ ખાસ વાત તે એ છે કે બન્ને આ વિચારણને “મહાદેડકર એવું એક જ નામ આપે છે, જે બન્નેની સામાન્ય પરંપરાનું સૂચન કરે છે. વળી, પ્રજ્ઞાપનાગત ‘વરસ્સા પ્રયોગ અને ખંડગમગત “ વો” પ્રયાગ પણ સૂચક છે. ૨૯. ષખંડાગમમાં અન્યત્ર પણ “મટુંડ' શબ્દનો પ્રયોગ છે.–પુસ્તક ૧૮, સૂત્ર ૬૪૩, પૃષ્ઠ-૫૦૧, પુસ્તક ૧૧, સૂત્ર ૩૦ માં–‘ગોપાગમહ૩મો ’ પુસ્તક ૬, સૂત્ર ૧, પૃષ્ઠ ૧૪૦, ૧૪૨. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પ્રજ્ઞાપનસૂત્રનું બીજુ પદ “સ્થાનપદ છે. તેમાં નાના પ્રકારના–એકેન્દ્રિયથી માંડીને સિદ્ધના–જીવ લેકમાં ક્યાં ક્યાં છે તેનું વર્ણન છે. આ જ પ્રકારનું વર્ણન પખંડાગમના બીજા ખંડમાં ક્ષેત્રાનુગમ નામના પ્રકરણમાં (પુસ્તક ૭, પૃષ્ઠ ૨૯થી) છે. ભેદ માત્ર એ છે કે તેમાં ગતિ આદિ દ્વારે વડે ક્ષેત્રનો વિચાર છે, જ્યારે પ્રજ્ઞાપનામાં ક્રમે એકેન્દ્રિયથી માંડી સિદ્ધ સુધીના જીના ક્ષેત્રને વિચાર, છે. પ્રજ્ઞાપનામાં નિરૂપણું વિસ્તૃત છે, જ્યારે પખંડાગમમાં સંક્ષિપ્ત છે. પ્રજ્ઞાપના માં અલ્પબદુત્વ અનેક દ્વારે વડે વિચારાયું છે. તેમાં જીવ–અજીવ બનેને વિચાર છે. પખંડાગમમાં પણ ૧૪ ગુણસ્થાનમાં ગત્યાદિ માગણાસ્થાને વડે જીવના અલ્પબદુત્વનો વિચાર છે, જે પ્રજ્ઞાપનાથી વધારે સક્ષમ છે. ઉપરાંત, ષખંડાગમમાં ગત્યાદિ માગણાની દષ્ટિએ પણ અલ્પબદુત્વને વિચાર જેવા મળે છે, તેમાં પ્રજ્ઞાપનાના અલ્પબદુત્વની માર્ગણાનાં ઠારે ૨૬ છે, જ્યારે ૧ખંડાગમમાં ગત્યાદિ ૧૪ ધારે છે. તેમાંનાં ગત્યાદિ ૧૪ બનેમાં સમાન છે, જે નીચેની સૂચીથી જાણવા મળે છે– પ્રજ્ઞાપના પખંડાગામ (પુસ્તક ૭ પર) ૧. દિશાયર ૨. ગતિ ૧. ગતિ ૩. ઇન્દ્રિય ૨. ઇન્દ્રિય ૪. કાય ૩. કાય ૫. ગ ૪. યોગ ૬. વેદ ૫. વેદ ૭. કષાય ૬. કપાય ૮. વેશ્યા ૧૦. લેશ્યા ૯. સમ્યકત્વ ૧૨. સમ્યકત્વ ૧૦, જ્ઞાન ૭. જ્ઞાન ૧૧. દર્શન ૯. દશન ૧૨. સંયત ૮. સંયમ ૧૩. ઉપયોગ ૩૦. ખંડાગમ, પુસ્તક ૫, પૃષ્ઠ ૨૪૧ થી. ૩૧. એજન, પુસ્તક ૭, પૃષ્ઠ પર૦ થી. ૩૨. પ્રજ્ઞાપના, પદ ૧૮માં પણ આમાંના ૧, ૨૪-૨૬ એ વિના ૨૨ દ્વારામાં વિચાર છે. સૂત્ર ૧૨૫૯. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૪. આહાર ૧૫. ભાષક ૧૬. પરિત્ત ૧૭. પર્યાપ્ત ૧૮. સૂક્ષ્મ ૧૯. સની ૨૦. ભવ ૨૧. અસ્તિકાય ૨૨. ચરિમ ૨૩. જીવ ૨૪. ક્ષેત્ર ૨૫. ધ ૨૬. પુદ્દગલ ધ્યાન દેવાની વાત એ પ્રકરણને અંતે મહાદ ડક' ? ૧ ૧૪. આહારક ૧૩. સન્ની ૧૧. ભવ્ય પહેલાં જણાવ્યા પ્રમાણે આ મહાદડકમાં ૯૮ જીવભેદે પ્રજ્ઞાપનામાં છે; જ્યારે ષટ્ખંડાગમમાં ૭૮ છે. ઉપરની સૂચીથી એ પણ જણાય છે કે વિચારણીય દ્વારાની સંખ્યા પણ પ્રસ્તુત પ્રકરણમાં પ્રજ્ઞાપનામાં વધારે છે. આ ઉપરથી કહી શકાય કે પ્રજ્ઞાપનાનું પ્રસ્તુત પ્રકરણ વિચારણાના વિકાસ સૂચવે છે, જ્યારે ષટ્ખંડાગમમાં તે પ્રકરણુ તેથી જૂની પરંપરા પ્રમાણે સ્વીકારી લેવામાં આવ્યુ છે. છે કે પ્રજ્ઞાપના અને ખંડાગમ બન્નેમાં આ છે.—જુએ પુસ્તક ૭, પૃષ્ઠ ૧૭૫. ખરી વાત એવી જણાય છે કે પ્રથમ જીવસ્થાન નામના ખંડમાં ૧૪ ગુણુસ્થાનમાં ૧૪ ગત્યાદિ માણાસ્થાના ઘટાવ્યાં છે, પરંતુ ખાં ખડ ખુદ્દાખ ધમાં પ્રક્રિયા અલાઈ જાય છે. તેમાં બંધક = જીવ આદિના વિચાર ૧૪ મા ણાસ્થાનમાં કરવામાં આવ્યા છે. તેમાં ગુણસ્થાનને લઈને વિચાર નથી. આથી પ્રજ્ઞાપના અને ષટ્સ ડાગમની શૈલી આ પ્રકરણમાં એક જેવી છે. તેવી જ રીતે વની સ્થિતિના વિચાર અનેક રીતે ષટ્સ ડાગમમાં છે. તેમાંથી કાલાનુગમમાં પુસ્તક ૭, પૃષ્ઠ ૧૧૪થી) જીવાની કાલસ્થિતિ ગત્યાદિ ૧૪ દ્વારા વડે વિચારાઈ છે. પરંતુ પ્રજ્ઞાપનામાં ૨૪ દંડકને નામે ઓળખાતા જીવના મુખ્ય ૨૪ ભેદો અને તેના પ્રભેદને લઈને કાલવિચાર છે. પ્રજ્ઞાપના, સ્થિતિપદ ચોથું Page #113 -------------------------------------------------------------------------- ________________ ૨ આ જ પ્રમાણે ‘અવગાહના’, ‘આંતર’ આદિ અનેક બાબાની સમાન વિચારણા તેમાં છે, પરંતુ તે વિષે વિશેષ લખવાનું મોકુફ રાખી અત્યારે એટલું જ સૂચવવું ખસ થશે કે આ બન્ને ગ્ર ંથાની સૂક્ષ્મ દૃષ્ટિથી તુલના કરવા જેવી છે અને તેથી જૈનાના જીવવિચારમાં અને કવિચારમાં કચે ક્રમે વિચારવિકાસ થયા છે તે જાણવાનુ એક સુદૃઢ સાધન આ બન્ને ગ્રથા છે, એ પ્રત્યે ધ્યાન દોરવા આટલું લખ્યું છે. વળી, બન્નેની એક બીજી સમાનતા પણ આશ્ચર્યાં ઉપજાવે તેવી છે. ગત્યા. ગતિની ચર્ચામાં જ બન્નેમા તીર્થંકર, ચક્રવતી', ખલદેવ, વાસુદેવ પદની પ્રાપ્તિની ચર્ચા છે.—પ્રજ્ઞાપના, સૂત્ર ૧૪૪૪-૧૪૬૫. ક્ષ્મ`ડાગમ પુસ્તક ૬, સૂત્ર ૨૧૬, ૨૨૦ ઇત્પાદિ. પણ પ્રજ્ઞાપનામાં માંડલિક પદ વિશેષ અને રત્નપદ પણ વિશેષ છે.—પ્રજ્ઞાપના, સુત્ર ૧૪૬૬-૬૯. જેમ પ્રજ્ઞાપનામાં નિયુક્તિની અનેક ગાથા છે, તેમ ત્ખ’ડાગમમાં પણ તે ગાથાઓ મળી આવે છે તે સૂચવે છે કે નિયુÇક્તિમાં સમાન પરંપરામાંથી ગાથાઓ સધરવામાં આવી છે. આથી નિયુક્તિ વિષે સ્વતંત્ર વિચાર કરીને તેમાં આચાય ભદ્રબાહુ, તે પ્રથમ હાય કે ખીજા, તેમની ગાથાઓ કેટલી અને તેમને પરંપરાપ્રાપ્ત કેટલી ?-જુ ષટ્ક’ડાગમમાં ગાથાસૂત્રેા, પુસ્તક ૧૩માં સૂત્ર ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૨, ૧૩, ૧૫, ૧૬ ઇત્યાદિ અને આવશ્યકનિયુÖક્તિ, ગાથા ૩૧ થી; વિશેષાવશ્યક, ગાથા ૬૦૪ શ્રી. પ્રજ્ઞાપના ઉપાંગ એ આ શ્યામાચાયની રચના છે, પરંતુ તેના અથ એવા નથી કે તેમાંની બધી જ બાબતેા તેમણે પોતે જ વિચારીને રજૂ કરી છે. કારણુ, તેમનું પ્રયાજન તો શ્રુતપરપરામાંથી હકીકતોના સંગ્રહ કરવાનું અને તેની માત્ર ગોઠવણી અમુક પ્રકારે કરવી એ હતુ. આથી આપણે જોઈ શકીએ છીએ કે પ્રારંભમાં પ્રથમ પદમાં જીવના જે અનેક ભેદે જણાવ્યા છે, તે જ ભેદમાં એટલે કે તે બધા જ ભેમાં દ્વિતીય સ્થાન' આદિ દ્વારા’બાબતાની ઘટના તેઓએ રજૂ કરી નથી. સ્થાન આદિ દ્વારાના વિચાર તેમની સમક્ષ જે રીતે—જે વિવિધ રીતે તેમની પૂર્વેના આચાયોએ કર્યાં હતા, તે વિદ્યમાન હતા, એટલે તે તે દ્વારામાં તે તે વિચારાનો સંગ્રહ કરી લેવા —એ કામ આ શ્યામાચાનું હતું. આથી ‘સ્થાન’ આદિ દ્વારામાં થયેલ વિચાર યદ્યપિ સર્વ જીવાને સ્પર્શે છે, પણ વિવરણ એટલે કે જીવના કયા ભેદોમાં તે તે દ્દારાને વિચાર કરવા, તેમાં અકમત્ય નથી. તે તે દ્વારાના વિચારપ્રસગે જીવાના ક્યા ક્યા ભેદ–પ્રભેદ્યાને વિચાર Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૩ કરે છે, તે વિષયના નિરૂપણની સરલતાની દષ્ટિએ થયું છે. જે એક જ વ્યક્તિ પિતે જ બધું વિચારીને નિરૂપવા બેસે તે જુદી રીતે જ વર્ણવી શકે એમ સંભવ છે, પણ આમાં એમ નથી બન્યું. આમાં તે જુદા જુદા આચાર્યોએ જુદે જુદે કાળે જે જે વિચાર કર્યો, તે પરંપરાથી આર્ય શ્યામાચાર્યને પ્રાપ્ત થયે અને તે વિચારપરંપરાને તેમણે આમાં એકત્ર કરી છે. આ દષ્ટિએ વિચારીએ તે પ્રજ્ઞાપના એ તે કાળની વિચારપરંપરાને વ્યવસ્થિત સંગ્રહ છે. આ જ કારણ છે કે જ્યારે આગમનું લેખન થયું ત્યારે તે તે વિષયની સમગ્ર વિચારણા માટે પ્રજ્ઞાપના જોઈ લેવાની ભલામણ કરવામાં આવી. જૈન આગમના મુખ્ય બે વિષય છે—જીવ અને કર્મ. એક વિચારણા ઝક એવો દેખાય છે કે તેમાં જીવને મુખ્ય રાખીને તેના અનેક વિષયે, જેવા કે તેના કેટલા પ્રકાર છે, તે કયાં રહે છે, તેનું આયુ કેટલું છે, તે મરીને એક પ્રકારમાંથી બીજા ક્યા પ્રકારમાં જઈ શકે છે કે તે તે પ્રકારમાં આવી શકે છે, તેની ઇન્દ્રિયો કેટલી, વેદ કેટલા, જ્ઞાન કેટલાં, તેમાં કમ કયાં–ત્યિાદિની વિચારણા થાય છે; પરંતુ બીજા પ્રકારની વિચારણને ઝેક કમને મુખ્ય રાખીને છે. તેમાં કમ કેટલાં પ્રકારનાં અને તે વિવિધ પ્રકારના જીના વિકાસ કે હાલમાં કેવો. ભાગ ભજવે છે–આવો વિચાર મુખ્ય આવે છે. આથી આમાં છવના વિકાસ કમને લક્ષીને ૧૪ ગુણસ્થાને, જે જીવસમાસને નામે ઓળખાયાં, તેની માગણશોધ માટે ચૌદ માગણસ્થાને નક્કી કરવામાં આવ્યાં. આ માગણાસ્થાને એટલે કે શેાધ માટેનાં દ્વારા તે જીવના ગતિ આદિને કારણે થતા વિવિધ પ્રકારે ભેદ છે. પ્રથમ પ્રકારના કેકનું દૃષ્ટાંત પ્રજ્ઞાપના પૂરું પાડે છે. અને દ્વિતીય પ્રકારને એક પ્રાચીન કમ પ્રકૃતિ આદિ કર્મસાહિત્ય, પખંડાગમ વગેરેમાં જોવા મળે છે. વસ્તુસ્થિતિ આવી હઈ પૌર્વાપર્યાની વિચારણે ઘણી કઠણ બની જાય છે. પંદરમી શતાબ્દી કે તે પછી પણ જ્યારે સ્થાનકવાસી પરંપરાએ આગની વિચારણાને ભાષામાં કડારૂપે રજૂ કરવા પ્રયત્ન કર્યો, ત્યારે એના એ જ માગણાકારો વગેરે બાલ જીવને સરળ રીતે સમજાય એવી રીતે રજૂ કર્યા અને અંગ ગણાતા સ્થાનાંગમાં પણ તે જ સંખ્યાને મુખ્ય રાખીને હકીકતો રજૂ કરવામાં આવી છે. પણ જે કાળનું સ્થાનાંગ છે તે જ કાળમાં જટિલ રીતે પણ જીવ અને કર્મની હકીકતો રજૂ કરવામાં આવી હતી. આથી માત્ર વિષયનિરૂપણની સરલ કે જટિલ પ્રક્રિયા અથવા તે વિષયની સૂક્ષ્મ કે ગંભીર ચર્ચા જોઈને Page #115 -------------------------------------------------------------------------- ________________ પૌવપર્યને વિચાર નિર્ણાયક બની શકે એમ નથી. કારણ એવી રચનાને આધાર લેખકના પ્રયજન ઉપર છે, નહીં કે તેમાં ચર્ચાતા સૂક્ષ્મ કે સ્કૂલ વિષય ઉપર. આથી પ્રજ્ઞાપના કરતાં પખંડાગમની ચર્ચા ઘણી જ આગળ વધી ગયેલી જણાય છે, છતાં પણ માત્ર તે બન્નેમાં ચર્ચિત વિષયની સૂક્ષ્મતા કે થૂલતા ઉપરથી તેમના પૌવાપર્યને નક્કી કરવામાં ગંભીર ભૂલ થવા સંભવ છે. આથી કોઈ બીજે જ માર્ગ લઈને તેવા ગ્રંથને નિર્ણય સ્વતંત્ર રીતે કર્યા પછી જ તેમનું પૌર્વાપર્ય નક્કી થઈ શકે. બન્ને પ્રકારના સાહિત્યનું મૂળ બનેને મતે દૃષ્ટિવાદ છે. આથી દષ્ટિવાદના જ વિષયને અનેક રીતે, અનેક પ્રયજન સિદ્ધ કરવા, અનેક આચાર્યોએ નિરૂપિત કર્યો છે. આ પણ એક મુશ્કેલી છે–જેથી પૌર્વાપર્વ નક્કી કરવામાં સ્કૂલ કે સૂક્ષ્મ વિચાર પ્રસ્તુતમાં બાધક બને છે. અન્યથા એ કહેવું બહુ સરસ હતું કે વખંડાગમમાં જે વિચારની સૂક્ષમતા દેખાય છે તે પ્રકારની સૂમચર્ચા પ્રજ્ઞાપનામાં નથી માટે તે ખંડાગમ કરતાં પ્રાચીન છે. પરંતુ ઉપર જણાવેલી મુશ્કેલીને કારણે માત્ર આ દલીલને આધારે પ્રજ્ઞાપનાને પ્રાચીન ઠરાવવું એ અયોગ્ય જણાય છે. તેથી તે માગ છેડી દેવો એ જરૂરી છે. અને ટૂખંડાગમ અને પ્રજ્ઞાપનાએ એમાં કે પ્રાચીન એની વિચારણું જુદી જ રીતે કરવી જરૂરી છે. એ કર્યા પછી ઉક્ત લીલને ઉપયોગ થઈ શકે. એક વાત તે નિશ્ચિત જ છે કે ખંડાગમમાં–તેના કેટલાક ભાગોમાં–જે પ્રકારે અનુયોગધારસૂત્રમાં અનુગદ્વાર વડે વ્યાખ્યા કરવાની પદ્ધતિ એટલે કે નયનિક્ષેપ આદિ પદ્ધતિ દ્વારા વસ્તુનિરૂપણ કરવાની જે પદ્ધતિ મળે છે, તેનું જ અનુસરણ સ્પષ્ટ છે. એવું કાંઈ જ પ્રજ્ઞાપનામાં નથી, એ બાબત પ્રજ્ઞાપનાની પખંડાગમ કરતાં પ્રાચીનતા નિર્વિવાદપણે સિદ્ધ કરે છે. વળી, પ્રજ્ઞાપનાનો સમય, આગળ જણાવવામાં આવશે તે પ્રમાણે, ઈસ્વીસન પૂર્વે જ છે; જ્યારે પખંડાગમની રચના વીરનિર્વાણ પછી ૬૮૩ (ઈ. ૧૫૬) વર્ષ પછી જ ક્યારેક થઈ છે. તેથી તે નિવિવાદપણે કહી શકાય કે પ્રજ્ઞાપના એ ષખંડાગમથી પૂર્વવતી જ છે. વળી, ૧૪ છવસ્થાન, ૧૪ ગુણસ્થાન જેવી સ્થિર પ્રક્રિયા જે કાળમાં 'નિશ્ચિત થઈ, એટલે કે વિચારણનાં અનેક કારે વડે પૂર્વકાળે જે વિચાર થત હતે તેને સ્થાને ૧૪ જીવસ્થાન અને ૧૪ ગુણસ્થાનને લઈને વિચાર કરવાની પદ્ધતિ જે કાળે સ્થિર થઈ, ત્યાર પછીના કાળે તેનું અનુસરણ બરાબર થયું છે. આવી કોઈ નિશ્ચિત પરંપરા પ્રજ્ઞાપનામાં દેખાતી નથી, પરંતુ પખંડાગમમાં Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૫ સ્પષ્ટ છે. આથી સિદ્ધ થઈ શકે છે કે પ્રજ્ઞાપના કરતાં પખંડાગમ એ પછીના કાળની રચના છે. આમ પ્રજ્ઞાપનાને પખંડાગમથી પૌવપર્ય અનેક રીતે સિદ્ધ કરી શકાય છે. એટલે પ્રજ્ઞાપનાને પખંડાગમથી પૂર્વવતી ગ્રંથ માન જરૂરી છે. પ્રજ્ઞાપનાના કર્તા અને એમને સમય પ્રજ્ઞાપનાના મૂળમાં તે કયાંય તેના કર્તાને નિર્દેશ નથી. પણ તેના પ્રારંભના મંગલ પછી બે ગાથાઓ છે, જેની વ્યાખ્યા આચાર્ય હરિભદ્ર અને આચાર્ય મલયગિરિએ પણ કરી છે. છતાં તેઓ બને તે બન્ને ગાથાઓને પ્રક્ષિપ્ત જ માને છે. તે ગાથાઓમાં આર્ય શ્યામાચાર્યને કર્તા તરીકે ઉલ્લેખ છે. એટલે આચાર્ય હરિભદ્રના સમયપૂર્વે પણ પ્રજ્ઞાપના શ્યામાચાર્યની કૃતિ તરીકે પ્રસિદ્ધ હતું એમ માની શકાય. આચાર્ય મલયગિરિએ તે તેમને વિષે “મવાનું આશ્વાનો વિ રૂથમેવ સૂત્ર રવત્તિ' (ટીકા, પત્ર ૭૨) “મવાનું થાઃ વદતિ” (ટીકા, પત્ર ૪૭), “સર્વેલા પ્રાવીનસૂરીનાં મતાને મળવાનું કાર્યરામ ૩દિવા” (ટીકા, પત્ર ૩૮૫), “મવાળામuતવત્તી” (ટીકા, પત્ર ૩૮૫)૨૩ ઇત્યાદિ પ્રયોગોમાં ભગવાનનું પદ આપી દીધું છે, તે તેમનું મહત્વ સૂચવે છે. ઉક્ત બે પ્રક્ષિપ્ત ગાથા ઉપરથી પણ ફલિત થાય છે કે આ શ્યામ વાચકવંશમાં થયા છે અને તેઓ પૂર્વશ્રુતમાં વિશારદ હતા. પ્રજ્ઞાપનાની રચનામાં તેમણે એવા પ્રકારની કુશળતા દેખાડી છે કે અંગઉપાંગમાં પણ અનેક વિષયોની વિસ્તૃત ચર્ચા માટે પ્રજ્ઞાપનાની ભલામણ કરવામાં આવી છે. નન્દીસૂત્રની પટ્ટાવલીમાં સુધર્માથી માંડીને એક પછી એક જે નામે આપ્યાં છે તેમાં ૧૧ મું નામ “યંતિ: હારિj ૨ સાળં'-એ પ્રકારે આર્ય શ્યામનું નામ આવે છે અને તેમને હારિત ગોત્રના ગણાવ્યા છે. પરંતુ ઉક્ત પ્રતાપનાના પ્રારંભની પ્રક્ષિપ્ત ગાથામાં તેમને વાચકવંશમાં ૨૩મા જણાવ્યા છે તેને અનુસરીને આચાર્ય મલયગિરિ પણ તેમને ત્રેવીસમી પાટે ગણે છે. એમાં માત્ર ૨૩મી પાટને નિર્દેશ છે, પણ સુધર્માથી શ્યામાચાય સુધીનાં નામો વિષેની કોઈ નેંધ નથી. ૩૩. આ ઉલ્લેખની શ્રી પં. બેચરદાસજીએ ભગવતીસૂત્ર, દ્વિતીય ખંડ, પૃષ્ઠ ૧૩૫ માં પ્રજ્ઞાપના વિષેની તેમની ટિપ્પણીમાં નોંધ લીધા છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પટ્ટાવલિ ઉપરથી ત્રણ કાલકાચા થયાની હકીક્ત જાણવા મળે છે. એક કાલક જે વીર નિર્વાણું ૩૭૬ માં મૃત્યુ પામ્યા (ધર્મસાગરીય પટ્ટાવલી પ્રમાણે, જ્યારે ખરતરગચ્છીય પટ્ટાવલી પ્રમાણે-‘ગાય: પ્રજ્ઞાવનાત્ ફન્દ્રય અને નિયોરવિચારવતા શ્યામાનાર્થીવરનામા | સતુ વીાત્ ૨૭૬ વર્ષેઽતઃ). બીજા ગજિલ્લાદક કાલકાચાય વીર નિર્વાણુ ૪૫૩ માં થયા=વિક્રમ પુર્વે ૧૭ માં. અને તીજા વીર નિર્વાણુ ૯૯૩=વિક્રમ પર૩ માં થયા, જેમણે સંવત્સરી તિથિ પાંચમની ચેાથ કરી. રચના આ ત્રણમાંથી પ્રથમ કાલક અને શ્યામાચાય, જેમણે પ્રજ્ઞાપનાની કરી, તે એક છે એવી પરંપરા પટ્ટાવલીઓમાં જણાય છે. પરંતુ પટ્ટાવલીમાં તેમને ૨૩મું સ્થાન અપાયુ નથી; જ્યારે ઉક્ત પ્રક્ષિપ્ત ગાથામાં તેમને ૨૩મી પાટે ગણવામાં આવ્યા છે. આથી પાટ વિષેના ઉલ્લેખ ગૌણુ કરીને જ તેમના સમયના વિચાર કરવા જરૂરી બને છે. અંતિમ કાલક, જે વીર નિર્વાણુ ૯૯૩ = વિક્રમ ૫૨૩માં થયા, તે તે પ્રજ્ઞાપનાના કર્તા સંભવી શકે નહિ, કારણ, નંદી, જે વીર નિર્વાણુ ૯૯૩ = =વિક્રમ પર૩ પહેલાં જ રચાયુ' છે, તેમાં પ્રજ્ઞાપનાને આગમસૂચીમાં સ્થાન મળ્યુ છે. એટલે પ્રથમ એ કાલકમાંથી કયા કાલક તે શ્યામાચાય છે તે પ્રશ્નનુ નિરાકારણુ બાકી રહે છે. ડો. ઉમાન્તને મતે જો તે બન્ને કાલકને એક માનવામાં આવે તે અગિયારમી પાટે ઉલ્લિખિત શ્યામાચાય અને ગભિલેચ્છેદક કાલકાચા એક ઠરે છે. પટ્ટાવલીમાં જ્યાં તે બન્નેને જુદા ગણ્યા છે, ત્યાં પણ એકની તિથિ વીર ૩૭૬ અને બીજાની ૪૫૩ છે. ખરી રીતે ૩૭૬ માં 'જાત' છતાં તે તેમની મૃત્યુતિથિ જ અન્યત્ર ગણાઈ, તે જ પ્રમાણે બીજા કાલકની ૪૫૩ એ મૃત્યુતિથિ જ હશે. એટલે તે બન્નેના સમયમાં બહુ ફેર નથી. ‘જાત:' જેમનુ તેમ માનીએ તે પણ અન્નેમાં માત્ર છછ વર્ષ ના ફરક છે. એટલે ગમે તેણે પ્રજ્ઞાપના ચ્યુ' હાય, ચાહે તે પ્રથમ કાલક હોય કે બીજા, અગર બન્ને એક હાય, પણ તે વિક્રમ પૂર્વે થનાર કાલકની રચના છે—એટલું તેા નિશ્ચિત રૂપે કહી જ શકાય છે. પ્રજ્ઞાપનામાં જે કેટલીક ગાથાએ મળે છે તેમાંની કેટલીક સૂરાકૃતાંગ, ઉત્તરા યન, આવશ્યક અને આચારાંગનિયુક્તિમાં પણ મળે છે. તે વિષે કાંઈક તુલના કરવી જરૂરી હાઈ નીચે કેટલીક ગાથાઓની તુલના આપવામાં આવે છેઃ Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રાપના ઉત્તરા૦ ૩૬ આચારાંગનિયુક્તિ ૨૦ ૨૪. ગા° ૮ ૧ ગા ૭૪ ગા ૭૩ ૯ ર મા ૭૫ ગા ૭૪ ૧૦ ૐ ગા॰ ૭૬ ગા ૭૫ ૧૧ ૪ ગા ૭૭ ગા॰ ૭૬ આચારાંગનિયુðક્તિ (ગા॰ છર, ૭૬) અને ઉત્તરાધ્યયન (ગા૦ ૭૩) માં સ્પષ્ટ ૩૬ ભેદો હાવાનુ જણાવ્યુ` છે, છતાં ઉત્તરાધ્યયનમાં ૪૦ ભેદો છે, જ્યારે આચા રાંગનિયુક્તિમાં ૩૬ જ છે. અને સૂત્રકૃતાંગ અને પ્રજ્ઞાપનામાં ૪૦ ભેદો છે. આથી સિદ્ધ થાય છે કે મૂળે ૩૬ ભેદ્ય ગણાતા હતા′ તેમાં આ ગાથામાં ચાર ઉમેરવામાં આવ્યા છે. તેથી પ્રજ્ઞાપનામાં તે ગાથાઓ અન્યગથી ઉદ્ધૃત જ માનવી પડે અને તેમાં સંશોધન થયાનું પણ માનવું પડે. સૂત્રકૃતાંગમાં પણ તે જ ગાથાઓ છે. તે ગાથાનું સૌથી જૂનું રૂપ આચારાંગનિયુક્તિમાં ઉપલબ્ધ થાય છે એમ માનવું પડે. તે ગાથા સૂત્રકૃતાંગમાં પણ ઉદ્ધૃત થઈ હાય એવા સંભવ છે.૩૫ ,, "" "" "" "" ور સૂત્રકૃતાંગ ૨.૩.૧૯. ગા 37 "" "" . 29 "" નિયુ`ક્તિ પ્રથમ કે દ્વિતીય આચાર્યં ભદ્રબાહુની રચના માનીએ તે પણ તેમાંની બધી ગાથા આચાય બાહુએ જ રચી હોય તેવા સભવ આ છે. પણ તેમાં ઘણી સંગ્રહણીગાથાઓને સમાવેશ કરી લેવામાં આવ્યા હશે એમ માનવુ યેાગ્ય થશે. એટલે નિયુક્તિને આધારે પ્રજ્ઞાપનાના સમયના વિચાર કરવા યોગ્ય નથી. ઉત્તરાધ્યયનનું જવાવવિભક્તિ નામનુ ૩૬મુ` અધ્યયન અને પ્રજ્ઞાપનાના પ્રથમપદની તુલના કરવાથી એ સ્પષ્ટ થાય છે કે ઉત્તરાધ્યયન પછીની ભૂમિકાએ પ્રજ્ઞાપનામાં જીવ-વિચાર કરવામાં આવ્યા છે. આથી ઉત્તરાધ્યયનનું તે અધ્યયન પ્રસ્તુત રૂપમાં પ્રજ્ઞાપનાથી પ્રાચીન જ છે. પરંતુ સ્વયં ઉત્તરાધ્યયનને વિષે ૩૪. મૂલાચારમાં (૫. ૮-૧૨) પણ પૃથ્વીના ૩૬ જ ભેદે ગણાવ્યા છે. તેથી ગાથા પણ પાઠાંતરા સાથે આવી જ છે. ૩૫. સૂત્રકૃતાંગમાં આ ગાથાઓ ઉદ્ધૃત હોય એમ જણાય છે, કારણ, ‘મામો માદાઓ અનુમંત વો” એમ કહીને ગાથાઓ આપી છે. અને અંતે વળી દ્યાો સુ માયન્યાઓનાહ્યો નામ સૂરજ તત્તા વિકૃતિ'-એમ જણાવ્યુ` છે. તુલના કરા, પ્રજ્ઞાપના, સૂત્ર ૫૫ માં સિઁગ રૂમો શાહો અનુન તજ્વાબો’” એ વાક. 6 Page #119 -------------------------------------------------------------------------- ________________ % % % % ૯૦ ૭૦ % x x x x વિધાનએ એક જ આચાર્યની કૃતિ નહીં માનતાં એને સંક્લનગ્રંથ માનવા તરફ વલણ ધરાવ્યું છે. એટલે તેને આધારે પણ પ્રજ્ઞાપનાને સમય નક્કી કરવામાં મુશ્કેલી જ છે. પ્રજ્ઞાપના અને વિવાઈયમાં પણ સિહો વિષેની ગાથાઓ મળી આવે છે, જેમાંની ઉત્તરાધ્યયનમાં પણ જોવામાં આવે છે અને આવશ્યક નિર્યુક્તિમાં પણ છે– પ્રજ્ઞાપના સૂ૦ ૨૧૧ ઉજવાઈ ઉત્તરા અo ૩૬ આવનિ (વિશે ) ગા. ૧૫૮ ગા. ૧૫૯ ૬ ૧૬૮ ૫૬ ૬૭૮ (૩૯૭૮) ગા. ૧૬૦ હું ૧૬૯ ૬૭૯ (૩૭૭૯) ગા. ૧૬૧ ૬ ૧૭૧ તુલના-૬૫ ૬૬૪ (ડી.) (૩૮૧૦) ગા. ૧૬૨ ૬ ૧૭૦ ૯૬૩ (ડી.) ગા. ૧૬૩ ૧૭ર ૯૬૫ (દી) (૩૮૧૧) ગા. ૧૬૪ ૧૭૩ ૯૬૬ (ડી.) (૩૮૧૨) ગા. ૧૬૫ ૧૭૪ ૯૬૭ (દી.) (૩૮૧૩) ગા. ૧૬૬ હું ૧૭૫ ૯૬૮ (દી.) (૩૮૧૪) ગા. ૧૬૭ ૬ ૧૭૬ ६८० (૩૮૨૮) ગા. ૧૬૮ હું ૧૭૭ ૬૮૧ (૩૮૨૯) ગા. ૧૬૯ હું ૧૭૮ ૬૮૨ (૩૮૩૫) ગા. ૧૭૦ હું ૧૭૯ ૬૮૩ (૩૮૩૬) ગા. ૧૭૧ હું ૧૮૦ ૬૮૫ (૩૮૪૭) ગા. ૧૭ હું ૧૮૧(તુલના) તુલના-૬૭ ૬૮૬ (૩૮૪૮) ગા. ૧૭૭ ૧૮૨ ૪ ૬૮૭ (૩૮૪૯) ગા. ૧૭૪ ૬ ૧૮૩ ૬૮૮ (૩૮૫૦) ગા. ૧૭૫ તુલના- ૬૭ ૬૮૯ (૩૮૫૧) ગા. ૧૭૬ છે ૧૮૫ x ૬૯૦ (૩૮૫૨) ગા. ૧૭૭ $ ૧૮૬ (૩૮૫૩) ગા. ૧૭૮ હું ૧૮૭ (૩૮૮૯) ગા. ૧૭૯ ૧૮૮ (૩૮૯૦) ૬ ૧૮૯ ઉપરની તુલના ઉપરથી એક વાત ચોક્કસ થાય છે કે ઉત્તરાધ્યયનમાં સિદ્ધો વિષેની ગાથાઓ ભૂમિકારૂપ છે અને અન્યમાં તેનો વિસ્તાર છે. આથી એ પણ x x x x x x % ૧૮૪ જી - * * * X Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૯ 'સિદ્ધ થાય છે કે ઉત્તરાધ્યયનું આ પ્રકરણ, જેને વિશેષ સંબંધ પ્રજ્ઞાપના સાથે છે, તે પ્રજ્ઞાપના કરતાં પ્રાચીન છે. વવાય અને પ્રજ્ઞાપનામાં પ્રારંભ અને અંતની ગાથા વિષે વિભેદ છે. સંભવ તા વધારે એ જણાય છે કે પ્રજ્ઞાપના વવાય કરતાં પ્રાચીન હાવું જોઈ એ. પરંપરા પ્રમાણે નિગાવ્યાખ્યાતા કાલક અને શ્યામ' આચાય' એક મનાયા છે, કારણ, એ બન્ને શબ્દો એકાઅેક જ છે. પરંપરા પ્રમાણે તે વીર નિર્વાણુ ૩૬૫માં યુગપ્રધાન થયા અને ૩૭૬ સુધી જીવ્યા. આથી પ્રજ્ઞાપના જો તે જ કાલકની રચના હેાય તો વીરનિર્વાણુ ૩૫-૩૭૬ વચ્ચેની રચના હશે. અર્થાત્ વિક્રમ પૂર્વે ૧૩૫-૯૪, ઈસ્વીન પૂર્વે ૩૮ વચ્ચે તે રચાયુ` હશે.૩૬ પ્રથમ ભદ્રબાહુકૃત નિયુÖક્તિ માનવામાં આવે—અને તેમાં મૂળે જીવભેદે ઉત્તરા“ધ્યયન પ્રમાણે ‘૩૬' જ સ્વીકારાયા હતા, તેમ માનવાને કારણે છે—તા પ્રજ્ઞાપના નિયુક્તિ પછીની રચના ઠરે છે. અને ઉક્ત પ્રજ્ઞાપનાના સમય સાથે પ્રથમ ભદ્રબહુના સમયના પણ વિરાધી નથી, કારણું, તે પ્રજ્ઞાપનાના સમય કરતાં પ્રાચીન જ મનાયા છે. લક્ષ્મ’ડાગમ તેના વિદ્યમાન રૂપે ભદત પુષ્પદંત-ભૂતબલિ એ એ આચાર્યાંની રચના છે અને તેઓના સમય વીર નિર્વાણુ ૬૮૩ પછી ક્યારેક થનાર ધરસેના. ચાય પછી છે, એથી પ્રજ્ઞાપના ખંડાગમ પૂર્વની રચના છે તે નિશ્ચિત થાય છે. આથી કહી શકાય કે ષટ્ખંડાગમમાં જે વિચારની પ્રૌઢતા અને વ્યવસ્થા તથા અનુયાગશૈલીનું અનુસરણ દેખાય છે તે તેની ઉત્તરકાલીન સ્થિતિ હોવાને કારણે છે. નદીસૂત્રની આગમચીમાં પ્રજ્ઞાપનાના ઉલ્લેખ છે અને નદી વિક્રમ સવત પર૩ પૂર્વીની રચના છે. આથી તેના સમય સાથે પણ પ્રજ્ઞાપનાના ઉક્ત સમયને કશે! વિરાધ નથી. પ્રજ્ઞાપનાનું મંગલ અને પચનમસ્કાર મંત્ર પ્રજ્ઞાપનાના પ્રારંભમાં જે મંગલ ગાથાઓ છે તેમાં સર્વપ્રથમ સિદ્ધને નમસ્કાર છે, પછી જિનવરેન્દ્ર ભગવાન મહાવીરને નમસ્કાર કર્યાં છે. ષટ્રખંડાગમમાં પશુ ધવલાકાર પ્રમાણે પ્રારભમાં પચનમસ્કારમંત્રને નિર્દેશ છે. પ્રજ્ઞાપના મૂળ સૂત્રની લખાયેલી બધી જ પ્રતામાં પણ પચનમસ્કારના નિર્દેશ મળે છે. પરતુ આચાય હરિભદ્ર અને મલયગિરિએ તેની વ્યાખ્યા નથી કરી તેથી તે મૂળ સૂત્રાંત૩૬. ડૉ. શાપેન્ટિયરને મતે આય શ્યામના સમય લગભગ ઈ. પૂ. ૬૦ છે, ઉત્ત。 પ્રસ્તાવના, પૃ૦ ૨૭. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ગત નથી એવી માન્યતા સંપાદકેની છે, જેને નિર્દેશ પ્રસ્તુત આવૃત્તિના પ્રારંભમાં પૃષ્ઠ ૧ ના ટિપ્પણ ૧ માં કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આવી માન્યતાનું મૂળ એ છે કે જ્યારથી પંચનમસ્કારમંત્રનું માહામ્ય વધ્યું છે, ત્યારથી જેનાગમોની પ્રતમાં પ્રારંભમાં તે લખવાની પ્રથા અપનાવવામાં આવી હશે. તેથી તે વસ્તુતઃ તે તે ગ્રંથના પ્રારંભમાં ગ્રંથકર્તાએ મૂક્યો છે કે નહિ તેની ચકાસણી કરવી આવશ્યક છે. પ્રજ્ઞાપનાના પ્રારંભના મંગળનાં પ્રથમ સિને નમસ્કાર છે અને પછી અરિહંતને, તે તરફ પણ ધ્યાન દેવું જરૂરી છે. કારણ, પંચ નમસ્કારમાં પ્રથમ અરિહંત અને પછી સિદ્ધને નમસ્કાર છે. પ્રાચીન ઉલેખ પ્રમાણે તીર્થકરો. દીક્ષા લેતી વખતે માત્ર સિદ્ધને નમસ્કાર કરે છે, તે પ્રત્યે ધ્યાન દેવામાં આવે તે મંગળપ્રથાના પ્રારંભમાં જેનોમાં સિદ્ધને નમસ્કાર કરવાની પ્રથા શરૂ થઈ હતી તેમ માની શકાય. પરંતુ તીર્થકરેન-અરિહતે પ્રત્યક્ષ ઉપકારી હોવાથી પંચનમસ્કારમાં તેમને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું,૩૭ ત્યારથી પંચનમસ્કારને અનુસરી સામાન્ય રીતે અરિહંતને પ્રથમ વંદના કરવામાં આવે છે. નમસ્કાર–વંદના સ્વરૂપમાં પાંચ પદ ક્રમે કેવી રીતે આવ્યાં હશે તેને વિચાર કરીએ તે કાંઈક આવું બન્યું હશે એમ માની શકાય-તીર્થસ્થાપના થઈ ન હોય ત્યાં સુધી તે સિદ્ધો જ વંદનીય ઠરે છે. તે પ્રમાણે તીર્થકર જ્યારે દીક્ષા લે છે. ત્યારે માત્ર સામાન્ય સિદ્ધને જ નમસ્કાર કરે છે. પણ તીર્થકરની ઉપસ્થિતિમાં અરિહંત-તીર્થકર મહત્ત્વ પામે એ સ્વાભાવિક છે. અને જયારે તેઓ નિર્વાણ પામે ત્યારે સિદ્ધકોટિમાં ગણાય. છતાં, ભલે તે સિદ્ધ થઈ ગયા હોય તે પણ, આસન્ન ઉપકારી હોવાથી તેમને અરિહંત તરીકે જ યાદ કરવામાં આવે. આ પ્રકાર આપણે લેગર” સૂત્રમાં જઈએ છીએ. અને તેનું અનુસરણ અન્ય અનેક પ્રાચીન મંગલાચરણમાં પણ જોવા મળે છે. જ્યારે આ પ્રકારે અરિહંત અને સિદ્ધ બને વંદનીય ઠર્યા ત્યારે અમુક સમય સુધી સિદ્ધને પરંપરા પ્રમાણે પ્રથમ યાદ કરી પછી જ અરિહંતને યાદ કરવાનું બન્યું હોય; પણ પછી એ ક્રમ બદલાઈને અરિહંત અને સિદ્ધરૂપે અરિહંત તથા સર્વ સિદ્ધ એમ સિદમાં સર્વને સમાવેશ કરી ૩૭. ખારવેલનો શિલાલેખ, જે ઈ. સ. પૂર્વેને છે. તેમાં પ્રથમ અરિહંતને નમસ્કાર છે, પછી સિદ્ધને, એટલે તે પહેલાં આ પ્રથા શરૂ થઈ હશે. વળી, તેમાં આ બેને જ નમસ્કાર છે તે પણ ધ્યાન દેવા જેવી વાત છે. અશોકના. શિલાલેખોના પ્રારંભમાં નમસ્કાર નથી એની નોંધ લેવી જરૂરી છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ વંદનાક્રમમાં પ્રથમ અરિહંત અને પછી સિદ્ધ–આ કમ ઈસ્વીસન પૂર્વમાં પ્રચલિત થઈ ગયો હતો તેમ ખારવેલના શિલાલેખથી જાણવા મળે છે. પણ આને અર્થ એમ તો ન જ લઈ શકાય કે તે કાળે પણ માત્ર આ એક જ ક્રમ હતે. વંદના એ વ્યક્તિની રુચિનો પ્રશ્ન છે. તેથી ગ્રંથના પ્રારંભમાં વંદના લખવાની અને ન લખવાની અને લખવામાં પણ કોઈ નિશ્ચિત સર્વસંમત એવા ક્રમ વિના લખવાની પ્રથાનાં દર્શન ઘણું લાંબા સમય સુધી થાય છે. તે પણ એટલું તો નક્કી થઈ શકે કે અરિહંતને સિદ્ધની પહેલાં વંદના કરવાની પણ પ્રથા ઈસ્વીસન પૂર્વમાં પ્રચલિત થઈ ગઈ હતી, જે આગળ જતાં પંચપરમેષ્ઠિમંગલરૂપે સ્થિર થઈ. જ્યારે તીર્થંકર પણ ન હોય ત્યારે તેમની પરંપરાના રક્ષક આચાર્ય અને પછી ઉપાધ્યાયઆ બન્નેનું મહત્વ વધે. પણ તેઓ વંદનાકેટિમાં આવે તે જ સાથે પ્રવચન યા શાસન જે લિપિમાં લખાયેલ હોય તે લિપિ પણ આદરણીય બને અને તે કારણે જ પ્રવચન કે શાસનના રક્ષક તરીકે તેમનું મહત્ત્વ ગણાય રક્ષણય કરતાં રક્ષકનું મહત્વ હંમેશાં વિશેષ ગણતું આવ્યું છે તે ક્રમે પ્રવચન કે શાસન કે લિપિને સ્થાને તેના ધારકો-રક્ષક આચાર્ય અને ઉપાધ્યાય જ વંદનીય રૂપે મહત્ત્વ પામ્યા અને તેમને પંચનમસ્કારમાં સ્થાન મળ્યું અને પ્રવચન વગેરે ગૌણ બન્યાં. છેવટે સયતોમાંથી માત્ર સામાન્ય સાધુ જ બાકી રહેતા હતા, તેમને પણ ખરી રીતે તો શ્રાવકની દષ્ટિએ, પણ છેવટે સર્વની દૃષ્ટિએ વંદનામાં સ્થાન મળ્યું–આવે કંઈક ક્રમ પંચનમસ્કારની ઘટનામાં હશે એમ માની શકાય. નમસ્કારસૂત્ર–પંચપરમેષ્ઠિનમસ્કારમંત્ર–ના કર્તા કેણ, એની ચર્ચાનું ઉત્થાન આવશ્યકસૂરાની નિયંતિમાં સર્વપ્રથમ જોવા મળે છે. પ્રથમ અધ્યયન સામાયિક નામે છે. એટલે પ્રથમ પ્રશ્ન એ થયો કે એ સામાયિક અધ્યયન કેણે કહ્યું ? શા માટે કહ્યું ? એ પ્રસંગે આચાર્ય ભદ્રબાહુએ સ્પષ્ટ કર્યું છે કે तित्थकरो किं कारणं भासति सामाइय तु अज्झयणं । तित्थकरणामगोत्तं बद्धं मे वेदितव्वं ति ॥५२६॥ तं च कधं वेतिज्जति अगिलाए धम्मदेसणादीहि । बज्झति तं तु भगवतो ततियभवोसक्कइत्ताणं ।।५२७॥ गोतममाती सामाइय तु किं कारणं णिसामन्ति । णाणस्स तं तु सुंदरम गुलभावाण उवलद्धी ।।५२८॥ -विशेषावश्यक, २५९४-९६ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સારાંશ કે તીર્થકર ભગવાન મહાવીરે સામાયિક અધ્યયનનું એટલે કે તેના અર્થનું કથન કર્યું અને ગૌતમાદિ શિષ્યોએ તે સાંભળ્યું. આથી આચાર્ય ભદ્રબાહુને મતે સામાયિકના અર્થકર્તા તીર્થકર છે અને સૂત્રકર્તા ગણધર છે, આમ ફલિત થાય છે.૩૮ અને નમસ્કાર મંત્રી એ સામાયિકને પ્રારંભ છે–અથવા તે એમ કહેવાય કે શિષ્ય પ્રથમ પંચનમસ્કારમંર વડે વંદના કરે પછી હું તેને સામાયિક શ્રતને પાઠ આપવામાં આવે છે તેથી તે આવશ્યકસુગમાં સામાયિક અધ્યયનના પ્રારંભમાં મૂકવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે મૂળે તે આવશ્યક અંશ છે કે અન્યથી આનીત છે ? આ પ્રશ્નનો ઉત્તર આચાર્ય જિનભ આપે છે કે નંદીસરમાં પંચનામકારને પૃથફ શ્રુતસ્કંધ ગણવામાં આવ્યું નથી. છતાં પણ તે સૂરા તો છે જ. વળી, તે પ્રથમ મંગલ પણ છે, તેથી તેને સર્વસ્ત્રાન્તર્ગત ગણુ જોઈએ.૪૦ આ જ કારણ છે કે સર્વપ્રથમ નમસ્કારમંત્રની વ્યાખ્યા ક્યા પછી જ સામાયિક અધ્યયનના સૂરાની વ્યાખ્યા કરવામાં આવે છે. આ જ ક્રમ તેમણે પણ વિશેષાવશ્યકમાં અપનાવ્યો છે. આચાર્ય જિનભદ્રની આ ચર્ચા ઉપરથી એક વાત તો નક્કી જણાય છે કે નમસ્કારમંત્ર એ માત્ર આવશ્યકસૂરને જ અંશ નથી, પણ સર્વ શ્રુતની આદિમાં નમસ્કારરૂપ મંગલ જ્યારથી શરૂ થયું ત્યારથી તેને સર્વપ્રથમ આવશ્યકમાં સ્થાન મળ્યું હશે, કારણ, શ્રુતમાં સર્વપ્રથમ સામાયિકને જ પાઠ આપવાની પ્રથા છે અને તે આપતાં પહેલાં મંગળ-પંચનમસ્કાર જરૂરી હોવાથી તે તેના એક અંશ. રૂપે ગયો. પણ તે તેને જ અંશ છે એમ નથી. પણ એ જ પ્રકારે જે કઈ શ્રુતનો પાઠ આપવાનો પ્રસંગ આવે ત્યારે પ્રારંભમાં તે નમસ્કાર કરવું જરૂરી હોઈ તે સર્વત્રુતાંતર્ગત ગણાય. આ ઉપરથી એક વાત તે નક્કી થાય છે કે તે ૩૮. સામાન્ય માન્યતા પ્રમાણે તો બધા જ તીર્થકરે સામાયિકનો ઉપદેશ આપે છે-નિયુક્તિ, ગાથા ૨૩૮; વિશેષાવશ્યક, ગાયા ૧૬૭૬; પરંતુ વિદ્યમાન શ્રતતા ઉપદેશક મહાવીર છે, તેથી સામાયિકના કર્તા પણ તેઓ જ છે– વિશેષાવશ્યક, ગાથા ૧૫૪૪. વળી, જુઓ નિયુક્તિ, ગાથા ૮૯-૯૦; વિશેષાવશ્યક, ગાથા ૧૦૯૧-૯૨ છે. ૩૯. ઋતVરનમોલ્સ રેનિત સામર્શ વિધિvir | -વિશેષાવશ્યક, ગાથા ૫. ૪૦. વિશેષાવશ્યક ભાષ્ય, પજ્ઞ ટીકા, ગાથા ૧૦, ૪૧. એજન, ગાથા ૧૧. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ કોઈ એક શ્રતને અંશ નથી, વળી સ્વતંગ મૃત તરીકે પણ ગણુ નથી, યરંતુ તેનું માહાત્મ તે હતું જ, ક્રમે વધતું જતું હતું, તેથી તેને શ્રુત કે સૂત્રમાં સ્થાન તો આપવું જરૂરી હતું જ. તેથી તેને સર્વશ્રુતાંતર્ગત ગણવામાં આવ્યો. આથી સૂચિત એ પણ થાય છે કે આ મંત્ર તે રૂપમાં ક્યારેક કેઈ એ રચ્ચે હશે અથવા ક્રમે ક્રમે તેનું આવું રૂપ ઘડાયું હશે. તેના કતૃત્વ વિષે કઈ ચોક્કસ પરંપરાની નેંધ આચાર્ય ભદ્રબાહુએ નિયુક્તિમાં લીધી નથી; માત્ર તેની વ્યાખ્યા પ્રસંગે જે કારની ચર્ચા જરૂરી છે તેની નેંધ લીધી છે અને તેમાં પ્રથમ ઠાર ઉત્પત્તિ–એટલે કે નમસકારની ઉત્પત્તિ–અનુત્પત્તિ–ની ચર્ચા વિવિધ નોની અપેક્ષાએ કરી છે. તેમાંથી તેનાં ર્તા કેણ, ક્યારે–એ કશું જ ફલિત થતું નથી, પણ જેમ સમગ્ર શ્રુત વિષે શાશ્વત–અશાશ્વતની ચર્ચા નય દષ્ટિએ કરવામાં આવે છે, તેમ આ નમસ્કારમંગ વિશે પણ નયદષ્ટિએ શાશ્વત–અશાશ્વતની ચર્ચા કરી છે. અને તે બાબતમાં આચાર્ય જિનભદ્દે વિસ્તૃત ભાષ્ય રચ્યું છે. એટલે કે આમાં તે દાર્શનિક દૃષ્ટિએ શબ્દનિત્યાનિત્યની ચર્ચા જ મુખ્ય ભાગ ભજવે છે. તેની ઉત્પત્તિમાં સમુત્થાન, વાચના, લબ્ધિ૪૩ એ ત્રણ નિમિત્તોમાંથી મુખ્ય કયું તેની પણ વિસ્તૃત ચર્ચા ભાષ્યમાં જોવા મળે છે. તે ચર્ચા પણ નયદૃષ્ટિએ જ કરવામાં આવી છે. ૪૪ એટલે મુખ્ય પ્રશ્ન તે મંત્ર રચે કોણે અને કયારે રચાયો તે અજ્ઞાત જ રહે છે. અથવા તે સામાન્ય રીતે કહેવાય કે અર્થે. પદેશ ભગવાન મહાવીરે આવે અને સૂરરૂપે ગણધરોએ રચે, કારણું આ જ બાબત સમગ્ર શ્રતના કત્વ અંગે સામાન્ય છે. તાત્પર્ય કે, આચાય જિનભદ્રને મતે, અન્ય શ્રુતના કર્તાથી કોઈ જુદા કર્તા નમસ્કારમંાના નથી, કારણ, તે સર્વશ્રુતાભ્યન્તર છે. પરંતુ મહાનિશીથ (અધ્યયન ૫), જેને ઉધાર આચાર્ય હરિભદ્દે કર્યાનું મનાય છે, તેમાં આ મંત્રના ઉદ્ધારની (કતૃત્વની નહિ) ચર્ચા છે અને તેના ઉદ્ધારને યશપ આર્ય વજીસ્વામીને આપવામાં આવ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત ૪૨. આવશ્યકનિયુક્તિ, ગાથા ૬૪૪-૪૬; વિશેષાવશ્યક, ગાથા ૩૩૩૫-૩૭ અને તે ગાથાઓની ભાષ્યગાથાઓ વિશેષાવશ્યક, ગાથા ૩૩૩૮ થી જેવી. ૪૩. આવશ્યકનિયુક્તિ, ગાથા ૬૪૬; વિશેષાવશ્યક, ગાથા ૩૩૩૭. ૪૪. વિશેષાવશ્યક, ગાથા ૩૩૫૭ થી. ૪૫. ધ્યાન દેવું જરૂરી છે કે આય વજ નમસ્કારમંત્રના ઉદ્ધારક મનાયા છે. તેનું કતૃત્વ તે વૃદ્ધપરંપરા પ્રમાણે તીર્થકર–ગણધરોનું જ છે, જે નિયુક્તિ ભાષ્યમાં પણ છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તો એ છે કે આચાય હરિભદ્ર પછી થનાર ધવલાટીકાકારને મતે તે નમસ્કારનાં કર્તા પુષ્પદંતાચા ૪૬ ઠરે છે. આ પરંપરા ધવલાકાર પૂર્વના કોઈ ગ્રંથમાં અસ્તિત્વમાં હતી કે નહીં તે જાણુવાનું સાધન નથી, પણ સામાન્યપણે એમ કહી શકાય કે ધવલાકાર સમક્ષ ષટ્યુંડાગમની જે પ્રત હશે તેમાં આદિમાં પચનમસ્કાર લખાયેલ હશે, તેથી તેને શ્રચર્તા દ્વારા નિબદ્ધ મંગલ માનીને આચાય વીરસેને તેનું કતૃત્વ પુષ્પદન્તાચાર્યાંનું છે એમ માની લીધું છે. સંભવ છે કે તેમની સમક્ષ તે ભાખતની કોઈ પરંપરા હોય. પણ તે વિષેનું સૂચન અન્યન મળતુ નથી. આ ઉપરથી એક વાત તે નક્કી થાય છે કે આ મત્ર મૂળે આગમ એટલે કે અંગ આગમમાં હતા નહી, તેની રચના અ`ગરચના પછી કયારેક થઈ છે. તે કેણે રચ્ચે તે મતભેદતા વિષય છે. માહાત્મ્યને કારણે તેને સવશ્રુતાભ્યંતર ગણીને આચાય જિનભદ્રે નિયુક્તિને અનુસરીને તીથ' કર–ગણુધરાને કર્તા ઠરાવ્યા છે; જ્યારે વીરસેન આચાય તેના કર્તા તરીકે. આચાય પુષ્પદંતને જણાવે છે. આચા` અભયદેવ તા ભગવતીના પ્રારંભમાં ઉપસ્થિત પચનમસ્કારમત્રને ભગવતીસૂત્રના પ્રારંભ માને છે, તેથી તે મત્રની ટીકા પણ કરે છે. પ્રથમ પટ્ટ : જીવ અને અજીવના પ્રકાર અજીવન પણ પ્રજ્ઞાપનામાં પ્રથમ પદમાં જ જૈન་નસંમત મૌલિકી તત્ત્વાની વ્યવસ્થા ભેદ-પ્રભેદો બતાવીને કરવામાં આવી છે, અને ત્યાર પછીનાં પદ્મામાં તે જ તત્ત્વાનુ વિશદ રૂપે નિરૂપણુ આવે છે. નિરૂપણપદ્ધતિ સમગ્ર ગ્ર ંથમાં ભેદ-પ્રભેદો બતાવીને જ કરવામાં આવી છે. તે અનુસારે પ્રજ્ઞાપના એટલે કે નિરૂપણને એ ૪૬. ધવલાટીકા, પુસ્તક ૧, પૃષ્ઠ ૪૧. આ બાબતની વિશેષ ચર્ચા માટે જુઓ, ધવલાટીકાની પ્રસ્તાવના, પુસ્તક ૨, પૃષ્ઠ ૩૩-૪૧. અહી એક ભ્રમનિવારણ આવશ્યક છે : ધવલાની આ પ્રસ્તાવનામાં લખ્યુ છે કે ભગવતીસૂત્રના પ્રાર’ભમાં પંચમ પદ્મ ‘નમો છો સભ્યસાદૂન' ને બદલે ળમો ગંમીર્ એવે પાડે છે, પરંતુ વસ્તુત: ઉક્ત પચમ પદ તેમાં છે જ, ઉપરાંત બ્રાહ્મી લિપિને નમસ્કાર છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે : જીવ અને અજીવની પ્રજ્ઞાપના (સૂત્ર ૩). પ્રથમ અછવપ્રજ્ઞાપના. (સૂત્ર ૪–૧૩) એટલા માટે કરી છે કે તે વિષેનું વક્તવ્ય થોડું છે અને પછીના સમગ્ર ગ્રંથમાં, થોડા અપવાદ સિવાય, સર્વત્ર છે સંબંધી જ સમગ્ર ભાવે વિવિધ રીતે વિચાર કરવામાં આવ્યો છે. અછવના નિરૂપણમાં રૂપી અને અરૂપી અજીવના ભેદો કરીને તેનું વિવરણ છે. રૂપીમાં પુગલ દ્રવ્યનો સમાવેશ છે અને અરૂપીમાં બાકીનાં ધર્માસ્તિકાયાદિ તને. એક વસ્તુ ધ્યાનમાં લેવા જેવી એ છે કે પ્રસ્તુતમાં મૌલિક ભેદોના નિરૂપણ પ્રસંગે દ્રવ્ય, તત્વ કે પદાર્થ જેવાં સામાન્ય નામોને ઉપયોગ નથી કરવામાં આવ્યો; તે આ ગ્રંથની પ્રાચીનતા પુરવાર કરે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણને તે તે ઉપરાંત દેશ અને પ્રદેશના ભેદોમાં પણ વિભક્ત કરવામાં આવ્યા છે. તેમનું લક્ષણ શું છે તે તે સમગ્ર ગ્રંથમાં ક્યાંય જણાવ્યું નથી. તે ત્રણે સાથે જોડાયેલ અસ્તિકાયશબ્દનો અર્થ પણ મૂળ ગ્રંથમાં જોવામાં આવતું નથી. પણ અદ્ધાસમય સાથે અસ્તિકાય શબ્દ જોડાયેલો નથી, તે ઉપરથી તે બન્નેને ભેદ તે બાબતમાં છે, એટલું તે સ્પષ્ટ થાય છે. વળી, મૌલિક ભેદ છવ સાથે પણ પ્રસ્તુતમાં અસ્તિકાય શબ્દનો પ્રયોગ નથી, પણ એનો અર્થ એ નથી કે જીવના પ્રદેશો ગ્રંથકારને અભિમત ન હતા. પાંચમા પદમાં જીવના પ્રદેશને લઈને વિચાર છે જ (સૂત્ર ૪૪૦ આદિ). વળી, પ્રસ્તુત પ્રથમ પદમાં જવ અને અજીવના મૌલિક ભેદો જેને કહેવામાં આવ્યા છે તેમને જ પાંચમા વિશેષ પદમાં છવપર્યાય અને અજીવપર્યાયે એવા નામથી અને તેરમા પદમાં પરિણામ નામથી જણાવવામાં આવ્યા છે.૧ પ્રથમ પદમાં નારક આદિ જે જીવ ભેદો છે, તેમને પાચમામાં અને તેરમામાં ક્રમે છવપર્યાયોમાં અને જીવપરિણામોમાં સમાવિષ્ટ કર્યા છે, અને પ્રસ્તુત પ્રથમ પદમાં જે રૂપી અને અરૂપી તથા તેના જે ભેદ-પ્રભેદો છે તેમને અજીવ પર્યાને નામે પાંચમા પદમાં ઓળખાવ્યા છે. ૧. સૂત્ર ૪૩૮. ૨. સૂત્ર ૪૩૯ થી. ૩. સૂત્ર ૫૦૦ થી. બને પદના વિષયમાં શે ભેદ છે તેની ચર્ચા આગળ કરવામાં આવી છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ અજીવના ભેદબ્રભેદોને નકશે નીચે પ્રમાણે છે: અળવે ૧ અરૂપી ૧૦૬ (૧૦) અદાસમય (૧) ધર્માસ્તિકાય (૪) અધર્માસ્તિકાય (ર) , દેશ (૫) ,, દેશ (૩) , પ્રદેશ (૬) ,, પ્રદેશ (૭) આકાશાસ્તિકાય (૮) , દેશ (૯) , પ્રદેશ ૨ રૂપી (૧) સ્કન્ધ (૨) સ્કન્ધ દેશે (૩) સ્કન્ધપ્રદેશ (૪) પરમાણુપુરા Page #128 -------------------------------------------------------------------------- ________________ (૧) વણપરિણત (૨) ગંધપરિણત (૩) રસપરિણત (૪) સ્પેશપરિણત ૧. સુરભિગંધ. પરિણત ૨. દુરભિગંધ પરિણત ૨ + ૧. કૃષ્ણવર્ણ પરિણત ૨. નીલવર્ણ. પરિણત ૩. હિતવર્ણ પરિણત ૪. હારિદ્રવર્ણ પરિણત ૫. શુકલવર્ણ પરિણત ૧. તિક્તરસ પરિણત ૨. કટુકરસ. પરિણત ૩. કષાયરસ પરિણત ૪. અશ્લરસ- પરિણત ૫. મધુરસ પરિણત ૫ + (૫) સંસ્થાન પરિણુતા 1. પરિમંડલ સંડાણપરિણત ૨. વૃત્તસં. પરિણત ૩. વ્યસન પરિણુત ૪. ચતુરસ્ત્રસંડાણ પરિણત ૫. આયતસંઠાણ પરિણત : ૧. કર્કશસ્પર્શ પરિણત ૨. મૃદુસ્પર્શ પરિણત ૩. ગુરુકસ્પર્શ પરિણત ૪. લઘુકસ્પર્શ પરિણત ૫. શીતસ્પર્શ પરિણત ૬. ઉષ્ણસ્પર્શ પરિણત ૭. સ્નિગ્ધસ્પર્શ પરિણત ૮. રૂક્ષસ્પર્શ – પરિણત ૮ + ૧૦૭. - ૫ + ૨ +૫ + ૮ + ૫ = ૨૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જે રૂપી પદાર્થ કૃષ્ણ વર્ણમાં પરિણત હોય તે બે ગંધ, પાંચ રસ. આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન–સર્વ મળી (૨ + ૫ + ૮ + ૫ = ૨૦) કાળક્રમે કરી ૨૦ પ્રકારે પરિણત થાય છે, તેથી કૃષ્ણ વર્ણના ૨૦ પરિણામો થાય. તે જ પ્રમાણે શેષ નીલાદિ વર્ણના પણ પરિણામો સંભવે. તેથી ૫ ૮ ૨૦ = ૧૦૦ વર્ણપરિણામોના ભેદ થાય. તે જ પ્રમાણે ગંધ વગેરેના પરિણામે સમજી લેવાના. એટલે ૫ વર્ણ ૨૦ શેષ ગંધાદિ ૧૦૦ ૨ ગંધ = ૨૩ શેષ વર્ણાદિ= ૪૬ ૫ રસ X ૨૦ શેષ વદિ=૧૦૦ ૮ સ્પર્શ x ૨૩ વર્ણાદિ ૧૮૪ ૫ સંસ્થાન x ૨૦ શેષ વર્ણાદિ = ૧૦૦ X X X X ૫૩૦ પુગલના આ ૫૩૦ પ્રકારના પરિણામે મૂળ સૂત્રમાં (૯-૧૩) એકેકનું નામ દઈને ગણાવવામાં આવ્યા છે. ટીકાકાર આ ભેદોનું પારિભાષિક નામ વર્ણાદિને પરસ્પર સંબંધ એવું આપે છે ટીકા, પત્ર ૧૩ શ્ર). આમાં વર્ણાદિ કુલ ૨૫ છે, તેમાં સ્પર્શ આઠ છે. તેને સંવેદમૂલક ભેદો બીજા કરતાં વધારે છે, તેનું કારણ એ છે કે કોઈ એક કર્કશ સ્પર્શને પરિણામ પણ બીજા છ સ્પર્શના પરિણામો ધરાવી શકે છે; માત્ર પોતાનાથી વિરોધી પરિણામ ધરાવી શકતું નથી, જેમ કે કર્કશ પરિણામ હોય ત્યારે મૃદુ પરિણામને ધરાવી શકે નહિ. પરંતુ કૃષ્ણવર્ણ પરિણામ બીજા કોઈ વર્ણના પરિણામને ધરાવી શક્તિ નથી. એ જ ન્યાય બીજા ગંધ આદિ પરિણામને પણ લાગુ પડે છે. પ્રસ્તુતમાં ટીકાકાર સ્પષ્ટીકરણ કરે છે (પત્ર ૧૭ ૧) કે પરિણામ સ્કંધની અપેક્ષાએ પણ છે. અને સ્કંધમાં તે અમુક અંશમાં કૃષ્ણ પરિણામ હોય તો બીજા અંશમાં અન્ય વર્ણના પરિણામે પણ સંભવે છે. અને તે દૃષ્ટિએ તો ભંગે અધિક થવા જોઈએ. પરંતુ પ્રસ્તુતમાં તે ગણવામાં નથી આવ્યા એટલે વ્યવહાર દૃષ્ટિએ જેને કાળે સ્કંધે કહેવામાં આવે, જેમ કે શરીરમાં આંખને અમુક ભાગ, તેવા સ્કંધની અપેક્ષાએ આ અંગે સમજવાના છે. વળી, આ જે સંખ્યા ભંગની છે તે પણ પરિસ્થલ ન્યાયની અપેક્ષાએ જ સમજવાની Page #130 -------------------------------------------------------------------------- ________________ છે, કારણ, એક કાળેા વણુ પણ અનંત પ્રકારના હાય છે. તેવા ભેદોને અહીં ધ્યાનમાં લીધા નથી. ૧૦૯ પુદ્દગલના આ પ્રકારના પરિણામેાના કાળનેા વિચાર મૂળમાં નથી, પણુ ટીકાકાર સ્પષ્ટ કરે છે (પત્ર ૧૮ ) કે તે જધન્યથી એક સમય સુધી ટકી શકે છે અને ઉત્કૃષ્ણે અસંખ્ય કાળ સુધી ટકી શકે છે. પરિણામના કાળના ખુલાસા એટલા માટે જરૂરી છે પરિણામ શબ્દ બૌદ્ધ પિટકમાં પણ વપરાયે છે, પણુ પરિણામના સમયની મર્યાદા જૈન અને બૌદ્ધોની જુદી છે. બૌદ્ધોના પ્રાચીન અભિધમ ને મતે જ્ઞાનપરિણામ ત્રણ ક્ષણુ ટકે છે, જ્યારે રૂપપરિણામ ૫૧ ક્ષણુ ટકે છે; પછી તેને અવશ્ય નાશ થાય છે. વળી, પરિણામના નાશ સાથે સ્વયં વસ્તુના નાશ થાય છે કે નહી... એ પણ પ્રશ્ન છે. બૌદ્ધ સિવાયના જૈન અને બીજા પરિણામવાદીએ વસ્તુના નાશ નથી માનતા, પણ માત્ર પરિણામને નાશ માને છે; જ્યારે બૌદ્ધો વસ્તુ અને તેના પરિણામમાં ભેદ નથી કરતા, તેથી પરિણામના નાશ સાથે તે વસ્તુ પણ સર્વથા નષ્ટ થાય છે અને નવી જ વસ્તુ તેને આધારે (તા. વ્રતીસ્ત્ય) ઉત્પન્ન થાય છે તેમ માને છે. વળી, મહાયાનમાં તેા વસ્તુની ક્ષણિકતા જ એટલે કે તેની ઉત્પત્તિ અને વિનાશના એક જ કાળ છે, તેમ પછીથી માનવામાં આવ્યું, આથી તેમને મતે પરિણામ એ ક્ષણિક જ સિદ્ધ થાય છે. વળી, જૈન દનની માન્યતાથી તૈયાયિક વૈશેષિક નાની વિશેષતા એ છે કે રૂપરસાદિને તેએ વસ્તુના પરિણામ નહી પણ વસ્તુથી અત્યંત ભિન્ન ગુણે। માને છે; જ્યારે જૈન મતે વસ્તુથી રૂપરસાદિને કચિત્ અભેદ પણ છે. આથી પરિણામની પરિભાષામાં રૂપરસાદિનુ પ્રસ્તુતમાં જે નિરૂપણ છે તે જૈન દશ્યૂનના તે સંબધી સ્થિર થયેલા વિચારને અનુરૂપ જ છે. પ્રસ્તુત પ્રકરણમાં મૂળમાં વારિળયા (વળ ŕરેળતા:), ગ ંધŕરળયા (નન્દવŕરળતા:) ઇત્યાદિ પ્રયાગ છે. તેના અર્થ આચાય મલયગિરિ પ્રમાણે—વળ ત: રિળતાઃ वर्ण परिणाममाज इत्यर्थः परिणता इत्यतीतकालनिर्देशो वर्तमानानागतकालापलक्षणम्...ततेो वर्णपरिणता इति वर्णरूपतया परिणताः परिणमन्ति परिणमिष्यन्तीति મુરમ્યમ્ । ત્ર' ગધસરળતા ત્યાપ માનનીયÇ 1'' ટીકા, પત્ર ૧૦. સારાંશ ૪. અભિધમ્મર્ત્યસંગ્રહા, ૪. ૮. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦. કે પુગલે તે તે રસાદિરૂપે પરિણામને પામે છે. એટલે કે પુગલના એ બધા પરિણામે છે. પ્રસ્તુતમાં જે પરિણામે અભિપ્રેત છે, તે બધાને જ ઉલ્લેખ પાંચમા પદમાં પર્યાય શબ્દથી થયેલ છે. વળી, તે પદનું નામ તો વિશેષપદ છે, છતાં ભેદ બતાવતી વખતે વિશેષ શબ્દને બદલે પર્યાય શબ્દ પ્રયોગ છે. વળી, તેરમા પદમાં તે જ બધાને પરિણામ” નામે ઓળખાવ્યા છે. તે વિચારવાનું એ છે કે પરિણામ, વિશેષ અને પર્યાય—એ શબ્દ ભિન્નાર્થક છે કે એકાર્થક ? - આચાર્ય મલયગિરિ પ્રમાણે તે પુદગલ દ્રવ્યોની જે વિવિધ અવસ્થાઓ છે, તે પરિણામે છે એમ ઉક્ત વ્યાખ્યા ઉપરથી ફલિત થાય છે. પાંચમા વિશેષપદને કશે જ અર્થ પદોની ગણતરી સમયે (સૂત્ર ૨) આચાર્ય મલયગિરિ કરતા નથી. અને પાંચમા પદના પ્રારંભમાં તે પર્યાયપદ હોય એમ જ વ્યાખ્યા શરૂ કરે છે. એટલે કે તેમને મતે વિશેષ અને પર્યાય એકીર્થક જ છે. અને સૂત્રકારને મતે પણ તેમ જ છે, કારણ, પ્રારંભમાં પ્રજ્ઞાપનાનાં ૩૬ પદો (સૂત્ર ૨) ગણાવ્યાં ત્યારે પદનું નામ “વિશેષ” આપ્યું. પણ પાંચમાં પદને પ્રથમ પ્રશ્ન છે વિઠ્ઠા નં અંતે પન્નવી guતા ?” (સૂત્ર ૪૩૮)–આથી પણ સિદ્ધ થાય છે કે સૂત્રકાર પર્યાય અને વિશેષને એકાર્થક માને છે. આ જ વસ્તુને પર્યાય શબ્દની વ્યાખ્યા કરતાં આચાર્ય મલયગિરિ કહે છે –“તત્ર વયા મુળા વિશેષા ઘન ફુચનત” ટીકા, પત્ર ૧૭૯. પ્રસ્તુતમાં પર્યાયને સમાનાર્થક શબ્દ ‘ગુણ પણ આચાર્યો જણાવ્યો છે. તેનું કારણ એ છે કે પ્રથમ પદમાં રસ -વગેરે, જેને બીજા દાર્શનિકે “ગુણ' કહે છે, તે પણ ખરી રીતે તો પર્યાય જ છે. કારણ, પ્રથમ પદમાં તેનો સંબંધ પરિણામ સાથે છે, એ તો સ્પષ્ટ છે. આથી સૂત્રકારને મતે પરિણામ, પર્યાય, ગુણ અને વિશેષ એ બધા શબ્દો સમાનાર્થક છે. બૌદ્ધો રૂપરસાદિને ધમ” શબ્દથી ઓળખાવે છે તેથી તેને પણ સમાવેશ પર્યાયના સમાનાર્થક શબ્દોમાં કર્યો છે. પ્રસ્તુતમાં આચાર્ય મલયગિરિએ ગુણ અને પર્યાયને સમાનાર્થક શબ્દો જણાવ્યા છે, પરંતુ પર્યાય અને ગુણ જુદા છે કે એક છે એ વિષેનો વિવાદ છે અને તેના મૂળમાં ઉત્તરાધ્યયન, અ૦ ૨૮, ગા. ૫ માં દ્રવ્ય. ગુણ અને પર્યાયને પૃથક ઉલેખ અને તે પછી ત્રણેનાં લક્ષણો કર્યા છે તે, અને Tળવયવત્ રથમૂ' આચાર્ય ઉમાસ્વાતિનું સૂત્ર (૫.૩૧) હોય એમ જણાય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ૧ કારણ સ્વયં ઉમાસ્વાતિએ ભાષ્યમાં તેની જે વ્યાખ્યા કરી છે, તેમાં તલુમ ચત્ર વિથ લ ટ્રશ્ચમ્ (પ.૩૭) એમ જણાવ્યું છે. તેથી તેમને મતે ગુણ અને પર્યાય જુદા કરે છે. પરંતુ ટીકાકાર સિદ્ધસેને તો “વરતુત: વયા મુળા ફૂટ્ય ચકૂ”—એવી વ્યાખ્યા કરીને આચાર્ય મલયગિરિને માર્ગ સરલ કરી આપે છે. ગુણ અને પર્યાયની સમગ્રભારે ચર્ચા માટે સન્મતિતર્ક પ્રકરણ ભાગ ૫. પ્ર. ૩૧, ટિપ્પણું ન. એ જોવું જરૂરી છે. વળી, ગુણ શબ્દના દ્રવ્યાદિ નિક્ષેપ વિષે આચારાંગ નિયુક્તિ, ગા. ૧૬૯ થી જેવી જરૂરી છે. પણ એક પ્રશ્ન થાય કે તે પછી પ્રથમ પદ અને પાંચમા પદને વિષય એમ કેમ નહિ ? પ્રથમ પદની પાંચમા પદમાં પુનરાવૃત્તિ શા માટે ન માનવી ? આને ઉત્તર એ છે કે પ્રથમ પદમાં દ્રવ્ય મુખ્ય છે; તે તે પર્યાયરૂપે પરિણત દ્રવ્યોની ગણતરી પ્રથમ પદમાં છે; જ્યારે પાંચમા પદમાં તે તે દ્રવ્યના પર્યાની ગણતરી છે. આ પ્રકારે પાંચપા પદના વિષયનું પુનરાવર્તન નથી. પ્રસ્તુત જીવ-અછવ૫ણણવણી સાથે ઉત્તરાધ્યયનના જીવાવવિભક્તિ અને મૂલાચારના પંચાચાર અધિકારગત જીવ અને અજીવનું નિરૂપણ સરખાવવા જેવું છે. મૂલાચારમાં પ્રથમ જીવનું નિરૂપણ કરીને પછી જ અજીવનું નિરૂપણ છે, જ્યારે પ્રજ્ઞાપના અને ઉત્તરાધ્યયનમાં પ્રથમ અજીવ અને પછી જીવનું નિરૂપણ છે, મૂલાચારમાં પણ પ્રજ્ઞાપના અને ઉત્તરાધ્યયનની જેમ જીવોના સંસારી અને સિદ્ધ એવા ભેદ કર્યા છે, પરંતુ સિદ્ધના પ્રભેદ કરવામાં આવ્યા નથી. પ્રજ્ઞાપનામાં તીર્થંકરસિદ્ધ આદિ ૧૫ ભેદો સિદ્ધના છે, પરંતુ ઉત્તરાધ્યયનમાં એટલા ભેદ નથી, જે નીચેની તુલના પરથી જણાશે : પ્રજ્ઞાપનાસૂત્ર ૧૬-૧૭ ઉત્તરા૦, અ• ૩૬, ગા. ૫૦ થી (અ) ૧. તિર્થી ૨ અતિથી ૩. તિર્થીગર ૪. અતિથગર ૫. સયં બુદ્ધ ૬. પોયબુદ્ધ ૭. બુદ્ધહિય ૮. ઈOીલિંગ ઈન્દી Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ૯. પુરિસલિંગ પુરિસ ૧૦. નપુસકલિંગ નપું સગ ૧૧. અલિંગ સલિંગ ૧૨. અણલિંગ અન્નલિંગ ૧૩. ગિહિલિંગ ગિહિલિંગ ૧૪. એગ ઈ ગાવ પર માં લિંગભેદે એક સમયમાં ૧૫. અણગ સિદ્ધ થનારની સંખ્યા ગણાવી છે. (4) પ્રથમસમય આદ આ ઉપરથી સ્પષ્ટ છે કે ઉત્તરાધ્યયનના અ૦ ૩૬ પછી જ પ્રજ્ઞાપના રચાયું છે. જીવના ભેદ-પ્રભેદો સિદ્ધના ભેદ પ્રસ્તુતમાં જે જીવના ભેદ-પ્રભેદોની ગણતરી છે તે પ્રમાણે છો સર્વ કાળમાં અસ્તિત્વમાં હોય છે એમ સમજવાનું છે. અહીં જણાવેલ એક પણ ભેદથી શન્ય કયારેય પણ લોક હતો નહીં, હશે નહિ અને છે પણ નહિ. જીવોના મુખ્ય બે ભેદ છે–સંસારીપ અને સિદ્ધ (સત્ર૧૪), સિદ્ધ એટલે મૌક્ષને પામનાર–મુક્ત. આમાંથી સિદ્ધના ભેદોનો જે ગણતરી છે તેમાં ખરી રીતે એ ભેદો સિદ્ધના નથી પણ સમયની અપેક્ષાઓ એટલે કે તે તે જીવ સિદ્ધ થયાને–મોક્ષ પામ્યાને-કેટલો સમય થયો તેની ગણતરીની દૃષ્ટિએ ભેદ કરવામાં આવ્યા છે. તેમાં જે સિદ્ધોનો તે અવસ્થાને પ્રાપ્ત કર્યાને હજી પ્રથમ સમય જ છે તેઓ જે પરિસ્થિતિને અનુસરીને સિદ્ધ થયા હોય તેને ધ્યાનમાં રાખીને તેમના પંદર ભેદ કરવામાં અાવ્યા છે (સૂત્ર ૧૬). એ પંદર ભેદ પરસ્પર અત્યંત વ્યાવૃત્ત છે એમ નથી સમજવાનું. પણ પ્રથમ સમય વીત્યા પછી તો માત્ર કાળની ગણતરી જ મુખ્ય રહે છે. આથી પ્રથમ સમયના સિદ્ધોનું પારિભાષિક નામ છે–વંતરસિદ્ગ = સનત્તરસિદ્ધ = પ્રથમસમયસિદ્ધ; અને જેને બે સમય કે તેથી વધારે સમય થયા હોય તે બધા વરંવરસિદ્ધ = ઘરઘરસિદ્ધ કહેવાય ૫. સંસારસમાવવવ = સંસારસમાપન્નગીત ६. असंसारसमावण्णजीव = अस सारसमापन्नजीव । Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ છે. આ પરંપરસિદ્ધોના તો અનંત ભેદો થઈ શકે છે, કારણ, અનંત સમયથી સિદ્ધો થતા આવ્યા છે (સૂત્ર ૧૭). અનન્તરસિદ્ધોને જે પંદર ભેદ (સૂત્ર ૧૬) ગણાવવામાં આવ્યા છે, તેથી એક બાબત સ્પષ્ટપણે સિદ્ધ થાય છે કે જીવ કેઈ પણ ગુરુના ઉપદેશ વિના પણ મુક્ત થઈ શકે છે. તેને વેશનું બંધન નથી, જાતિનું બંધન નથી; ગમે તે વેશમાં હોય તે પણ તે મુક્તિ પામી શકે છે. સ્ત્રી હોય કે પુરુષ જતિને હોય તે પણ મુક્તિ પામી શકે છે. જૈનધર્મનું આ તાત્ત્વિક સ્વરૂપ છે. ધર્મને કઈ નામ આપવામાં આપવામાં આવ્યું નથી કે અમુક ધર્મની શ્રદ્ધા હોય તે જ તેને મુક્તિ મળે, અન્યથા નહિ, એવું કોઈ બાધક તત્ત્વ આમાં નથી. જૈનધર્મની સ્થાપના થઈ. અર્થાત ભગવાન ઋષભદેવે તીર્થની સ્થાપના કરી, તે પહેલાં પણ જે સિદ્ધ થયા તે અતીર્થસિદ્ધ કહેવાયું છે. જેનધર્મમાં પ્રચલિત છે વેશ છે તે વિનાં પણ સિદ્ધ થનાર અન્યલિંગસિદ્ધ તરીકે માન્ય છે. વળી, સાધુનો વેશ સ્વીકાર્યો ન હોય અને ગૃહસ્થના વેશમાં રહ્યા હોય છતાં પણ સિદ્ધ થયા હોય તેમને હિસ્ટિંગ સિદ્ધ = હેસ્ટિાસિત્ર કહ્યા છે. આમ જૈનધર્મનું જે તાત્વિક સ્વરૂપ છે તે આથી ફલિત થાય છે. જેનધર્મના મુખ્ય બે સંપ્રદાયો છે. તેમાં વેતાંબર સંપ્રદાય તો સ્ત્રીને પણ મોક્ષ માટે જ છે, પણ દિગબર સંપ્રદાય, નગ્નતાના આગ્રહને કારણે, સ્ત્રીના મોક્ષને નિષેધ કરવા લાગ્યો. આ નિષેધ પ્રારંભમાં હતો નહિ તેની સાક્ષી દિગંબર સંપ્રદાયના સિદ્ધાંતગ્રંથ પખંડાગમમાં છે. પરંતુ શ્વેતાંબર સાથેના વાદવિવાદને પરિણામે, વસ્ત્રના સદંતર અસ્વીકારના પરિણામ સ્વરૂપે, આચાર્ય, કંદ અને બીજાઓ સ્ત્રીમોક્ષનો નિષેધ કરવા લાગ્યા. પરિણામે પખંડાગમની ધવલા ટીકામાં તેનો પડઘો પડશે અને મૂળની વ્યાખ્યા જુદી જ રીતે થવા લાગી અને સામે પક્ષે સ્ત્રી મોક્ષનું સમર્થન પણ થવા લાગ્યું આચાર્ય મલયગિરિ પ્રસ્તુત સૂત્ર (સૂત્ર ૧૬)ની ટીકા (પત્ર ૨૦ વ) માં સ્ત્રી મોક્ષનું સમર્થન વિસ્તારથી કરે છે, કારણ, મૂળમાં રૂઢિrfઢા એવો એક ભેદ પણ સિદ્ધોનો બતાવવામાં આવ્યો છે. - પ્રસ્તુત પંદર ભેદમાં લઘુદ્ધિ, વધુઢઢિ અને યુદ્ધસિદ્ધ એવા ત્રણ ભેદો ઉલ્લેખ છે તેનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. નંદીચૂર્ણિને આધારે આચાર્ય મલયગિરિએ જે વિવરણ આપ્યું છે તેને સાર આ પ્રમાણે છે : સાંશુદ્ધ = સ્વયં બુદ્ધ તે છે, જેમાં કોઈ પણ બાહ્ય પ્રત્યય = કારણ વિના બધિને Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ્રાપ્ત કરે છે; આંતરિક કારણ જાતિસ્મરણ સ`ભવે છે. આ સ્વયમ્રુદ્ધના એ પ્રકાર છે : એક તે, જેએ તીથ કર હાય છે; અને બીજા તે, જે તીકર નથી હતા. પ્રસ્તુતમાં એટલે કે સિદ્ધના ભેદોમાં તીર્થકર સિવાયના જે સ્વયં મુદ્દ છે તે અભિપ્રેત છે, કારણ, તીથ કરદ્ધિના ઉલ્લેખ આ પર ભેદમાં થયેલા જ છે. સ્વયુદ્ધ બાહ્ય કારણ વિના પ્રતિોષ પામે છે, પણ પ્રત્યેકમુદ્ધ ખાદ્ય કારણથી પ્રતિમાધ પામે છે. તેઓ એકલા વિચરતા હાઈ પ્રત્યેકબુદ્ધ કહેવાય છે; ગચ્છવાસીની જેમ તેએ સમૂહમાં વિચરતા નથી. સ્વયમ્રુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ વચ્ચે આધિમાં કારણકૃત ઉક્ત મુખ્ય ભેદ છે. ઉપરાંત, ઉપધિ—ઉપકરણ, લિ ́ગ–વેશ અને શ્રુતની અપેક્ષાએ પણ બન્નેમાં ભેદ્દ છે, તે એ કે પાત્રાદિ બાર પ્રકારની ઉપધિ સ્વયમ્રુદ્ધને હાય છે, પણ પ્રત્યેકમુદ્દતે જધન્યથી એ ઉપધિ–ઉપકરણ હાય ૐ અને ઉત્કૃષ્ટ નવ પ્રકારની ઉપધિ હોય છે. તેમાં પ્રાવરણના વસ્ત્રના સમાવેશ થતા નથી. સ્વય બુદ્ધને ખેાધિ પ્રાપ્ત થયાં પહેલાં શ્રુતજ્ઞાન હોય અને ન પણ હાય તેમ બને. જો શ્રુત હોય અને એાધિ પ્રાપ્ત થાય તે તેઓ ગુરુ પાસે જઈ તે વેશને સ્વીકાર કરે છે, અથવા દેવતા આવીને તેમને વેશ સમર્પિત કરે છે. આવા સ્વયંબુદ્ધ પેાતાની ઈચ્છા હોય તા ગચ્છમાં રહે છે, અન્યથા એકલા પણ વિચરે છે. અને જો ખેાધિ પ્રાપ્ત થયા પહેલાં આ પ્રકારના સ્વયમ્રુદ્ધને શ્રુતના એધ ન હોય તેા તે અવશ્ય ગુરુ પાસે જાય છે અને વેશને સ્વીકાર કરીને ગચ્છમાં અવશ્ય રહે છે, એકલા વિચારતા નથી. સ્વયુદ્ધને ઉપર પ્રમાણે શ્રુતના સંભવ વિષે વિકલ્પ છે, પણ પ્રત્યેકબુદ્ધને તા ખેાધિ પ્રાપ્ત થયા પહેલાં શ્રુતના મેધ હોય જ છે, અને તે જધન્યથી અગિયાર અગના જ્ઞાતા હાય અથવા ઉત્કૃષ્ટ ભિન્નદશપૂર્વી સંભવે. પ્રત્યેકમુદ્ધ માટે વેશ અનિવાર્ય નથી; તે ધારણ કરે પણ ખરા અને ન પણ કરે; ધારણ કરે તેા દેવે દીધેલ વેષ હાય. સ્વયંમુદ્ધ કે પ્રત્યેકબુદ્ધને એધિમાં ખીન્તના ઉપદેશની જરૂર નથી; તે વિના જ એ બન્ને એધિ પ્રાપ્ત ક્રરે છે. પરંતુ મુખેાહિય = મુદ્દાધિત સિદ્ધ વિષે તેમ નથી. તેઓ કોઈ પણ યુદ્ધ એટલે કે આચાય દ્વારા એધિત થાય છે એટલે કે ઉપદેશને પામે છે. એટલે કે તેએ સ્વયં સૂઝથી એધિને પામેલા નથી, ૭. અહીં સ્પષ્ટ છે કે દેવતાની વાત પાછળથી દાખલ થઈ છે. તાત્ત્વિક રીતે તા વેશપરિવર્તન પણ આવશ્યક નથી; પણ જ્યારે કાઈ પણ ધર્મ પર ંપરા સુદૃઢ બને છે અને તેને બાહ્યાચાર સુસ્થિર થઈ જાય છે ત્યારે વેશ એ પર'પરાનું અનિવાર્ય અંગ બની જાય છે, તેનું આ પણ એક ઉદાહરણ છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૫ પણ બીજાના ઉપદેશથી માધિને પામ્યા છે. તેથી મુદ્દાધિત સિદ્ધ કહેવાય છે.. ખરી રીતે તીથ સિદ્ધ અને અતી સિદ્ધુએ એ ભેદમાં જ બાકીના ભેદો સમાઈ જાય છે, પરંતુ માત્ર એ બે ભેદો જ કરવામાં આવે તા સિદ્ધિની પૂર્વાવસ્થામાં જે વિવિધતા હોય છે—વિશેષતા હાય છે-તે વિષેને કશા ખ્યાલ આવવા સંભવ નથી, તેથી એ વિશેષતાનું ભાન કરાવવા વિસ્તારથી ભેદનિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રસ્તુત જૈન મતના અનુસંધાનમાં બૌદ્ધ મત જાણવા લાભપ્રદ છે. બૌદ્ધ મતે (સ્થવિરવાદમતે) ખેાધિના ત્રણ પ્રકાર છે : સાવકાધિ, પચ્ચેકમેધિ અને સમ્માસાધિ (શ્રાવકોાધિ, પ્રત્યેકાધિ અને સમ્યકુસંધિ). સમ્યક્ સએાધિ ધરાવનાર સભ્યફ્· સંબુદ્ધ કહેવાય છે. તેમના ઉપદેશથી જે અહ પદને પામે (–જૈન મતે કેવળી પદને પામે) તેને સાવકક્ષેાધિ ધરાવનાર કહેવાય. સારાંશ કે ઉપાસકને બીજાના ઉપદેશથી જે એધિ પ્રાપ્ત થાય છે, તે એધિ સાવકક્ષેાધિ છે. આ સાવસમુદ્ પણ બીજાને ઉપદેશ આપવાના અધિકારી છે (વિનયપિટક, મહાવર્ગી, ૧.ર૧). જૈન મતની જેમ જ પÀકોધિને પ્રાપ્ત કરનાર ખીજાના ઉપદેશની અપેક્ષા રાખતા નથી, પણ તે સ્વયંસંબુદ્ધ છે. તે ઉપદેશ આપતા નથી, બીનને સમુદ્ધ કરી શકતા નથી; માત્ર બીન્ત માટે તેમનું જીવન ઉદ્દાહરણરૂપ બને છે. * સમ્માસ ખેાધિને પ્રાપ્ત કરનાર પણ, પોતાના પ્રયત્નથી જ—બીજાના ઉપદેશ વિના જ—તે પ્રાપ્ત કરે છે અને ખીજને એધિ પ્રાપ્ત કરાવવા સમ હાય છે. જૈન મત પ્રમાણે તી કરની જે યેાગ્યતા છે તેવી જ યાગ્યતા સમ્માસએધિ ધરાવનાર સમ્માસમ્રુદ્ધમાં હોય છે. સામાન્ય પરિભાષામાં આપણે તેમને યુદ્ધ તરીકે જાણીએ છીએ.૧૦ સસારી જીવા પ્રજ્ઞાપનાના પ્રથમ પદમાં સિદ્ધ થવાનું નિરૂપણ કર્યાં પછી સંસારી ૮. ઉક્ત ત્રણેય વિષે જુઓ પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૧૯ ૫ થી. ૯. પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૨૩ ૩. ૧૦. પ્રસ્તુત ચર્ચા માટે જુએ ઉપાસકજનાલ કારની પ્રસ્તાવના, પૃ૦ ૧૬ અને તેજ પુસ્તકનું લેાકુત્તરસ પત્તિનિસ (પૃ૦ ૩૪૦) નામનું પ્રકરણ (P. T. S.) Page #137 -------------------------------------------------------------------------- ________________ જીવોના ભેદભ્રભેદો ગણાવ્યા છે. એ ગણતરીને મુખ્ય આધાર ઈન્દ્રિય છે. તેના પ્રભેદમાં છની સમ્રતા અને સ્થૂલતા તથા પર્યાપ્તિ અને અપર્યાપ્તિને ભેદે જીવોના પ્રભેદો થાય છે. વળી, જન્મના પ્રકારને લઈને ભેદ પડે છે. એકન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના સમૂચ્છિમ; તિર્યચપંચેન્દ્રિય અને મનુષ્યમાં ગર્ભજ અને સમષ્ઠિમ; અને નારક તથા દેવને ઉપપાત જન્મ છે. નારક અને સમૂર્ણિમ નિયમત નપુંસક જ હોય, ગર્ભજમાં ત્રણે લિંગ હોય, દેમાં પુરૂષ અને સ્ત્રી હોય છે. આમ લિંગભેદે પણ તે તે જીવોને ભેદ છે. પંચેન્દ્રિય જીવોમાં જે ભેદ પડે છે તેનો આધાર નરકાદિ ચાર ગતિ છે. ઉપરાંત ગર્ભજ તથા સમૂર્ણિમ એ પણ ભેદનિયામક છે. મનુષ્યના ભેદનિયામકમાં દેશભેદ, સંસ્કારભેદ, વ્યવસાયભેદ, જ્ઞાનાદિશક્તિભેદ જેવી બાબતો લેવામાં આવી છે. નારક અને દેવેના ભેદ સ્થાનભેદથી છે. " આટલી સામાન્ય હકીકત જાણ્યા પછી છવભેદ-પ્રભેદોની સૂચી, જે નીચે આપવામાં આવે છે, તે સમજવી સહેલી થઈ પડશે. સૂચીમાં મૂળમાં જ્યાં–જેમા કે વનસ્પતિની બાબતમાં–મેટી સંખ્યામાં ભેદો આપ્યા છે, ત્યાં માત્ર સંખ્યાંક આપીને જ સંતોષ માન્યો છે. જિજ્ઞાસુએ તે સ્થળે મૂળ જોઈ લેવું જોઈએ. છના આ જ ભેદ–પ્રભેદ વિષે દ્વિતીય આદિ પદોમાં અનેક બાબત–જેવી કે તેમનાં રહેવાનાં સ્થાન, તેમનું પરસ્પર સંખ્યાની દૃષ્ટિએ તારતમ્ય, આયુ, તેમના વિશેષ–પર્યાયો ઇત્યાદિ અનેક બાબત–નો વિચાર થયો છે. તેથી તે દૃષ્ટિએ આ સૂચી જરૂરી છે. ૧, જીવ (સત્ર ૧૪) ૧, ૧. અસંસારસમાપન (સિદ્ધ) (૧૫) ૧, ૧. ૧. અનન્તરસિદ્ધ (૧૬) ૧, ૧. ૧ ૧ તીર્થસિદ્ધ ૯ પુરૂષલિંગસિદ્ધ .૨ અતીર્થસિદ્ધ .૧૦ નપુંસકલિંગસિદ્ધ .૩ તીર્થંકરસિદ્ધ .૧૧ સ્વલિંગસિદ્ધ .૪ અતીર્થંકરસિદ્ધ .૧૨ અન્ય લિંગસિદ્ધ ૫ સ્વયં બુદ્ધસિદ્ધ .૧૩ ગૃહિલિંગસિદ્ધ ૬ પ્રત્યેકબુદ્ધસિદ્ધ .૧૪ એકસિદ્ધ ૭ બુધિતસિદ્ધ:' .પ અનેક 1.૮ સ્ત્રીલિંગસિદ્ધ * Page #138 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૭ ૧. ૧. ૨. પરંપરસિદ્ધ (૧૭) : ૧. ૧. ૨ .૧ અપ્રથમસમયસિદ્ધ .૨ દિસમયસિંહ .૩ ત્રિસમયસિદ્ધ ૪ ચતુ:સમયસિદ્ધ .......... અ. અનંતરાયસિદ્ધ ૧. ૨ સંસારસમાપન્ન (સંસારી) (૧૪) [.. પર્યાપ્ત, ૨. અપર્યાપ્ત ૧, ૨. ૧, એકેન્દ્રિય (૧૯) [ગ. પર્યાપ્ત, ૨. અપર્યાપ્ત ૧, ૨. ૧, ૧ પૃથ્વીકાયિક (૨૦) [(મ.) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત - ૧, ૨. ૧. ૧. ૧. સૂક્ષ્મ–5. પર્યાપ્ત, ૨. અપર્યાપ્ત (૨૧) ૧, ૨. ૧. ૧. ૨. બાદર– (૨૫) [મ. પર્યાપ્ત, ૩. અપર્યાપ્ત ૧, ૨. ૧. ૧. ૨. ૧. શ્લષ્ણબાદરપૃથ્વી (૨૩). ૧. ૨. ૧. ૨. ૨. ૧ ૧ કૃષ્ણમૃત્તિકા ૧૧ ૫ શુકલમૃત્તિકા ૨ નીલમૃત્તિકા ૬ પાંડુ મૃત્તિકા .૩ લહિતમૃત્તિકા .૭ પનકમૃત્તિકા ૪ હારિદ્રકૃત્તિકા ૧, ૨. ૧. ૧. ૨. ૨ ખરબદર પૃથ્વી (૨) ૧, ૨. ૧. ૧. ૨. ૨ .૧ પૃથ્વી૨ ૬િ લવણ ૨ શર્કરા ૭ ઊષ .૩ વાલુકા .૮ અયસ ૪ ઉપલ ૯ તામ્ર .૫ શિલા ૧૦ ત્રપુસ ૧૧. ઉત્તરા, અo ૩૬, ગા૦ ૭૩ માં આ સાતેયને ઉલ્લેખ છે; સૂત્રકૃતાંગ અને દશવૈકાલિમાં નથી. મૂલાચારમાં પણ નથી. પરંતુ અચારાંગનિર્યુક્તિ (ગા. ૭૨) માં પાંચ ભેદ છે. ૧૨. ઉત્તરા, અ૦ ૩૬, ગા૦ ૭૩–૭૮ માં ભેદો છત્રીશ છે એમ કહ્યાં છતાં ગાથાઓમાં પ્રસ્તુત જેમ ૪૦ ભેદ છે. મૂલાચાર–પંચાચારાધિકારમાં ગાવે ૮-૧૨ માં ૩૬ ભેદે ગણાવ્યા છે. આચારાંગનિર્યુક્તિમાં પણ (ગા. ૭૩-૭૬) છત્રીસ ભેદો ગણાવ્યા છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ૧૧ સીસક .૨૬ સ્ફટિકમણિ, ૧૨ રૂમ ૨૭ લેહિતાક્ષમણિ .૧૩ સુવર્ણ .૨૮ મરક્તમણિ ૧૪ વજ ૨૯ મસારગલમણિ. .૧૫ હરિતાલ .૩૦ ભુજમોચકમણિ .૧૬ હિંગુલક ૩૧ ઇન્દ્રનીલમણિ ૧૭ મન:શિલા .૩૨ ચન્દનમણિ .૧૮ સાસગ .૩૩ ગરિકમણિ .૧૯ અંજન ૩૪ હંસગર્ભમણિ ૨૦ પ્રવાલ ૩૫ પુલકમણિ ૨૧ અશ્વપટલ .૩૬ સૌગલ્પિકમણિ ૨૨ અભ્રવાલુકા .૩૭ ચંદ્રપ્રભમણિ ૨૩ ગામેક્નકમણિ ૩૮ વૈર્યમણિ .૨૪ રૂકમણિ ૩૯ જલકાંત મણિ .૨૫ અંકમણિ ૪૦ સૂર્યકાંત મણિ ઇત્યાદિ. ૧, ૨. ૧. ૨ અકાયિક (૨૬) [ગ પર્યાપ્ત, ઈ અપર્યાપ્ત 1. ૨. ૧. ૨. ૧ સૂક્ષ્મ–(ગ) પર્યાપ્ત, (૪) અપર્યાપ્ત (૨૭) ૧. ૨. ૧. ૨. ૨ બાદર–(5) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત (૨૮) ૧. ૨. ૧. ૨. ૨ ૧ ૧૩ * ૬ શુદ્ધોદક .૨ હિમ ૭ શીતોદક .૩ મહિકા .૮ ઉણેક .૪ કરક ૯િ ક્ષારોદક ૫ હરતનું ૧૦ ખોદક ૧૩. ઉત્તરા, અ૦ ૩૬, ગા. ૮૬ માં પાંચ અને આચારાંગનિર્યુક્તિમાં (ગા ૧૦૮) પણ પાંચ જ ભેદ છે. સૂત્રકૃતાંગ (૨, ૩. ૧૭) માં પ્રથમ છ ને નિર્દેશ છે. દશ૦ (૪. ૮) માં પ્રથમ છને નિર્દેશ છે. અને મૂલાચારમાં કરક સિવાયના પ્રથમ છ અને ઘનેદકને એમ કુલ ૬ ને ઉલ્લેખ છે ગા. ૫. ૧૩. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ .૧૧ અશ્લોક .૧૫ ધૃતાદક ૧૨ લવણેક .૧૬ ક્ષેદોદક ૧૩ વાદક .૧૭ રસોહક ઇત્યાદિ. .૧૪ ક્ષીરાદક : ૧. ૨. ૧. ૩ તેજ:કાયિક (૨૯) ((ગ) પર્યાપ્ત, (૩) અપર્યાપ્ત ૧. ૨. ૧. ૩. ૧ સુક્ષ્મ-(2) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત (૩૦) ૨. બાદર-(ગ) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત (૩૧) ૧. ૨. ૧. ૩. ૨ ૧ અંગાર૧૪ ૭ ઉકા ૨ વાલા .૮ વિદ્યુત ૩ મુમ્ર ૯ અશનિ ૪ અર્ચિ. .૧૦ નિર્ધાત ૫ અલાત .૧૧ સંઘર્ષ સમુસ્થિત ૬ શુદ્ધાગ્નિ ૧૨ સૂર્યકાંત મણિનિઃસૃત ઈત્યાદિ. ૧. ૨. ૧. ૪ વાયુકાયિક (૩૨) [(ર) પર્યાપ્ત, (૨) અપપ્ત]. ૧. ૨. ૧. ૪. ૧ સુક્ષ્મ-(બ) પાંખ, () અપર્યાપ્ત (૩૨) ૨ બાદર–(બ) પર્યાપ્ત, (૩) અપર્યાપ્ત (૩) ૧. ૨. ૧. ૪. ૨ .૧ પ્રાચીનવાત૫ ૬. અધેવાત ૨ પ્રતીચીનવાત ૭. તિર્યગ્વાત ૩ દક્ષિણ વાત ૮. વિદિવાત ૪. ઉદીચીનવાત ૯. વાતભ્રમ ૫. ઊદ્ધવાત ૧૦. વાત્કાલિકા ૧૪. આચારાંગનિર્યુક્તિ, ગા. ૧૧૮ માં પાંચ, મૂલાચારમાં પાંચ, (૫. ૧), ઉત્તરા (૩૬: ૧૧૦, ૧૧૧) માં સાત ઉલ્લેખ છે. ૧૫. ઉત્તરા (૩૬. ૧૧૯, ૧૨૦) માં પાંચ, આચારાંગનિ. (ગા. ૧૮૫, ૧૬૬) માં પાંચ અને મૂલાચારમા પણ પાંચ છે (૫.૧૫), ઉત્તરાધ્યયનમાં - તેજ અને વાયુને ત્રસ ગણ્યા છે તેની પણ નોંધ લેવી ઘટે-૩૬.૧૦૮. આચા. નિ., ગા. ૧૫૩ માં તેજ,વાયુને લબ્ધિત્રસ કહ્યા છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ૧૧ વાતમંડલી .૧૬ સંવત કવાત પ૨ ઉત્કલિકાવાત -૧૭ ઘનવાત ૧૩ મંડલિકામાતા .૧૮ તનુવાત ૧૪ મુંજાવાત .૧૯ શુદ્ધવાત .૧૫ ઝંઝાવાત ઈત્યાદિ ૧. ૨. ૧૪:૫, વનસ્પતિકાયિક (૩૫) [ મ) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત ૧. ૧.૧ ૫. ૧ સૂક્ષ્મ-(%) પર્યાપ્ત, () અપર્યાપ્ત (૩૬) ૧ બાદર–(૩૭) () પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત (૫૪) છે. ૨. ૧. ૫. ૨, ૧ પ્રત્યેકશરીર (૩૮) ૧. ૨. ૧. ૫. ૨. ૨ સાધારણશરીર (૫૪) ૧. ૨. ૧. ૫. ૨ ૧ પ્રત્યેકશરીર બાદરવનસ્પતિકાયિક (૩૮) ૧. ૨. ૧. પ. ૨ ૧ ૧ વૃક્ષ (૩૯)-(ગ) એકાસ્થિક (૪૦), " : '.. . (4) બહુબીજક (૪૧) .૨ ગુછ (૪૨)–અનેક પ્રકાર .૩ ગુલ્મ (૪૩) ( ! : ૪ લતા ) (જ) , ૫ વલ્લી (૪૫) - ૬ પર્વગા (૪૬) '.૭ તૃણ (૪૭) ' .૮ વલય (૪૮) ૯ હરિત (૪૯) .૧૦ ઔષધિ (૫૦) .૧૧ જલસહ (૫૧) .૧૨ કુહણ (૫૨) , ૧૬. ઉત્તરા૦, ૩૬, ૫-૬ ગાથામાં ક્રમભેદે આ જ ભેદ બતાવ્યા છે. વનસ્પતિના ભેદો માટે જુદે ક્રમે જુએ મૂલાચાર, ૫ ૧૬–૧૮; સૂત્રકૃતાંગ. ('. ૨. ૩.૧, ૨ ૩. ૧૨, ૨ ૩. ૧૩ દશવૈ. ૪. ૧. પ્રસ્તુત પ્રજ્ઞાપનાની આ ગાળ ૧૨ આચારાંગનિર્યુક્તિમાં પણ છે ગા. ૧૨૯. વળી, પ્રજ્ઞાપનાની ગા૦ ૪૫-૪૬ આચારાંગનિયુતિમાં ગા૦ ૧૩૧–૧૩૨ છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ૧. ૨. ૧. ૫. ૨. ૨ સાધારણુશરીર બાદરવનસ્પતિકાયિક–અનેક પ્રકાર (૫૪) ૧. ૨ ૨. દીન્દ્રિય-(૫૬) (બ) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત (૫૬) ૧. ૨. ૨ ૧ પાયુકૃમિ૧૮ .૧૦ જલેયા ૧૯ કલુય ૨ કુક્ષિકૃમિ .૧૧ જલેઉવા .૨૦ વાસ •૩ ગંડૂલક ૧૨ સંખ ૨૧ એકાવત ૪ ગોલમ .૧૩ સંખણગ ૨૨ ઉભયાવર્ત ૫ ઉર ૧૪ થુલ ૨૩ નંદ્યાવત ૬, સોમંગલગ .૧૫ ખુલ . ૨૪ સંયુક ૭ વંસીમુહ .૧૬ વરાડ ૨૫ માઈવાહ .૮ સુઈમુહ ૧૭ સેતિય ૨૬ શુક્તિસંપુટ .૯ ગજલોયા ૧૮ મોત્તિય - ૨૭ ચન્દનક ઇત્યાદિ ૧. ૨. ૩ ત્રીન્દ્રિય—() પર્યાપ્ત, () અપર્યાપ્ત (૫૭). ૧. ૨. ૩ ૧ વઈય .૧૧ તણહાર .૨૧ તઉસમિંજિય .૩૧ ઇંદિકાઈય .૨ રોહિણીય .૧૨ કટ્ટાહાર ૨૨ કપાસ િ .૩૨ ઈદગોવય સમિએિ .૩ કુંથુ ૧૩ માલૂમ ૨૩ હિલિય'', ૩૩ ઉસલુંચક .૪ પિપીલિયા ૧૪ પત્તાહાર ૨૪ ઝિલિય: . .૩૪ કેન્થલવાહગ ૫ ઉદ્દસગ .૧૫ તણવિંટિય.૨૫ ઝિંગિર ૩૫ જૂથ ૬ ઉહિય .૧૬ પત્તવિંટિય ૨૬ કિંગિરિડ ૩૬ હાલાહલા ૭ ઉલિ ૧૭ પુષ્ફવિંટિય ૨૭ પાહુય .૩૭ પિસુય .૮ ઉલિય ૧૮ ફલવિંટિય ૨૮ સુભગ .૩૮ સતવાઈયા .૯ ઉર્ડ ૧૯ બીયવિટિય ૨૯ સોવરિય ૩૯ ગોડી .૧૦ ઉ૫ડ ૨૦ તેદુરણ- ૩૦ સુયવિંટ ૪૦ હત્યિસેંડ૧૮ મજિજય ૧૭. ઉત્તરા• ૩૬. ૯૭–૧૦૦. પ્રજ્ઞાપના ગાઢ ૯૯. પખંડાગમમાં ખૂ. ૫, પુસ્તક ૧૪ માં મહૂિં કહીને ઉદ્ધત છે પૃ૦ રર૯; પ્રજ્ઞા ગ૦ ૧૦૦ પણ ખં, પૃ. રર૮ માં ઉદ્ધત છે. અને એ જ ગાથા ચા૨ નિ ગાર્ડ ૧૩૭ છે. પ્રજ્ઞા ગા૦ ૧૦૧ ૧ખં૦ માં પૃ૦ ર૬ માં ઉદ્ધત છે. અને તે જ આચા૦ વિ૦ માં ગા૦ ૧૩૬ છે. ૧૮. ઉત્તરા ૩૬, ૧૨૯–૧૩૦ માં આથી એાછા ભેદો છે. ૧૯. ઉત્તરા૦ ૩૬. ૧૩૮–૧૪૦ માં ઓછા ભેદો છે. : , ઈત્યાદિ. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧, ૨. ૪. ચતુરિન્દ્રિય-(૬) પર્યાપ્ત, (૬) અપર્યાપ્ત (૫૮) ૧. ૨. ૪ .૧ અંધિય૨૦ .૨ ણેત્તિય .૩ મયિ .૪ મમિગકીડ .૫ યંગ ૬ .૭ કુકકુડ •૮ ૩કહે .૯ નાવત્ત ૧૦. સિગિરિ ૧૧ કિણ્ઠત્ત ઢિંકુણ ૧૨૨ .૧૨ નીલપત્ત .૧૩ લાહિયપત્ત .૧૪ હાલિપત્ત .૧૫ સુલિપત્ત .૧૬ ચિત્તકખ .૧૭ વિચિત્તપ±ખ ૧૮. એલ જલિય ૧૯. જલચારિય .૨૦ ગભાર .ર૧ ણીય .રર તતવ .૨૩ અòિરાડ .૨૪ અગ્ઝિવેહ .૨૫ સારગ .૨૬ ણેલ ૨૭ દાલ ૨૮ ભમર .ર૯ ભરિલી .૩૦ જલ .૩૧ તાલુ .૩૨ વિશ્રુત .૩૩ પત્તવિચ્યુય .૩૪ છાવિષ્ણુય .૩૫ જલવિષ્ણુય .૩૬ પિય ગાલ .૩૭ કગ .૩૮ ગામયકીડ ૧. ૨, ૫. પંચેન્દ્રિય–(૫) [(અ) પર્યાપ્ત, (૬) અપર્યાપ્ત) ૧. ૨. ૫. ૧ નૈરિયક—(મ) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત (૬૦) ૨૦. પ્રજ્ઞા, ગા૦ ૧૧૦ અને ઉત્તરા॰, ૩૬. ૧૪૭ માં માટું સામ્ય છે. ભેદ્દે માટે ઉત્તરા૦ ૩૬. ૧૪૭–૧૪૯ તેમાં ઓછા ભેદો છે. ઇત્યાદિ. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ૧. ૨. ૫. ૧ ૧ રત્નપ્રભાપૃથ્વીનરયિક .૨ શર્કરા પ્રભાપૃથ્વીનરયિક .૩ વાલુકાપ્રભાપૃથ્વીનેરયિક જ પંકwભાપૃથ્વીનૈરયિક ૫ ધૂમપ્રભાપૃથ્વીનરયિક ૬ તમઃપ્રભાપૃથ્વીનરયિક ૭ તમસ્તમઃપ્રભાપૃથ્વીનરયિક ૧. ૨.૫ ૨ તિર્યંચ-(૧) [(બ) પર્યાપ્ત સંમૂર્ણિમ, (૨) અપર્યાપ્ત સંભૂમિ , (%) પર્યાપ્ત ગર્ભજ, () અપર્યાપ્ત ગર્ભજી' ૧. ૨. ૫. ૨. ૧ જલચર પર્યાત ગર્ભ૨૧, (૬૨), (૬૮) ૧. ૨. ૫. ૨. ૧. ૧ મત્સ્ય (૬૩) (૧) સહ (૧૧) વડનગર (૨) ખવલ્લ (૧૨) તિમી (8) જુગ (૧૩) તિબિંગિલા (૪) વિઝિડિયા . (૧૪) શુક (૫) હલિ (૧૫) તંદુલમચ્છ (૬) મગ્દરિ (૧૬) કણિક્કામચ્છ (૭) રહિય (૧૭) સાલિસચ્છિયા (૮) હલીસાગર (૧૮) લસણ (૯) ગાગર (૧૯) પડાગ (૧૦) વડ (૨૦) પડાગાતિપડાગ ઇત્યાદિ .૨ કચ્છભ (૧૪) (૧) અફ્રિકચ્છભ (૨) મસકચ્છભ ૩ ગાહ (૫) (૧) દિલી (૪) પુલગ (૨) વેઢલ (૫) સીમાગાર (૩) મુદ્દય ૨૧. જલચરના મસ્યાદિ પાંચ ભેદ ઉત્તરા ૩૬, ૧૭૩ માં છે, પણ તેનો . ઉત્તર ભેદોનો નિર્દેશ તેમાં નથી. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪. .૪ મગર (૬૬) (૧) સાંઢ .૫ સુસુમાર (૬૯). ૧. ૨ ૫. ૨. ૨ સ્થલચર–(૬૯) એકાકાર ' ૧.૨ ૫. ૨. ૧ ૧. ૨. ૫ ૨. ૨. ૧. .૧ એગપુર (૭૧)૨૨ [ (ક) પર્યાપ્ત સ‘સૂચ્છિ’મ, (ચ) અપર્યાપ્ત સમ્રુચ્છિ`મ, (૪) પર્યાપ્ત ગભ જે, (૩) અપર્યાપ્ત ગર્લ્સેજ (૭૫) ] ચતુષ્પદ્ર (૭૦) અસ (૨) અતર (૩) ઘેાડગ (૪) ગર્ભ ૨ દુપુર (ર) (૧) ઉ (૨) ગાણ (૩) ગવય (૪) રાઝ (૫) પસય (૬) મહિસ (૭) મિય (૮) સંવર ૩ ગ’ડીપદ (૭૩) (૧) હથી (ર) મટ્ટ (૫) ગારકખર (૬) કલગ (૭) સિરિક લગ (૮) આવત્ત ઇત્યાદિ (૯) વરાહ (૧૦) અય (૧૧) એલગ (૧૨) (૧૩) સરભ (૧૪) ચમર (૧૫) કુરંગ (૧૬) ગાકણ (૪) ખગ્ગ (૫) ગઢ (ર) પૂણ્ય (૩) મકુણહથી ઇત્યાદિ ૨૨. સૂયગઢ, ૨. ૩. ૧૫ માં એગપુરાદિ મૂળ ભેદો છે, પણ ઉત્તર બેટ્ટા નથી. ઇત્યાદિ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ૪ સફદ (૭૪) (૧) સીહ (૮) બિડાલ (૨) વિશ્વ (૯) સુણગા (૩) દીવિય (૧૦) કાલસુણગ (૪) અચ્છ (૧૧) કેકંતિય (૫) તરછ (૧૨) સસગ (૬) પરસ્ટર (૧૩) ચિત્તગ (૭) સિયાલ (૧૪) ચિત્તલગ ઇત્યાદિ. ૧. ૨. ૫. ૨. ૨. ૧. ૨ પરિસર્ષ (9) 1. ૨. ૫. ૨. ર. ૧. ૨. ૧ ઉરપરિસર્ષ (૭૭) (અ) અહિ૩ (૭૮) .૧ દÖીકર (૭૯) (૧) આસીવિસ (૮) નિસ્સાસવિસ (૨) દિદ્ધિવિસ (૯) કણહસણ (૩) ઉગ્નેવિસ (૧) સેટસપ (૪) ભોગાવસ (૧૧) કાદર (૫) તયાવિસ (૧૨) દજઝપુફ (૬) લાલાવિસ (૧૩) કેલાહ (૭) ઉસ્સાસવિસ (૧૪) મેલિમિંદ ઇત્યાદિ. .૨ મઉલી (૧) દિવ્વાગ (૬) મંડલિ (ર) ગાણસ (૭) માલિ (૩) કસાહીય (૮) અહિ (૪) વઈઉલ : - (૯) અહિસલામ (૫) ચિત્તલિ ' (૧) પડાગ ઈત્યાદિ ૨૩. સૂયગડ, ૨. ૩. ૧૫ માં ઉરપરિયના અહિ આદિ મૂળ ભેદ છેઉત્તર . ભેદને નિર્દેશ નથી Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧. ૩. (૬) અયગર (એકાકાર) (૮૧) (6) આસાલિયા (૮૨) (૩) મહેારગ (૮૩) ૫. ૨. ૨. ૧. ૨. ૨ ભુયપરિસ` (૮૫) (૧) ણઉલ૨૪ (ર) ગાહા (૩) સરા (૪) સભ્ભા (૫) સર‘ઠ (૬) સાર (૭) ખારા (૮) ધાઇલા ૧. ર. ૫. ૨. ૩ ખેચર (૮૬) ૧૨૬ ૧. ર. ૫. ૨. ૩.૧ ચુપકખી૨૫ (૮૭) (૧) વઝુલી (ર) લેાયા (૩) અડિલા (૪) ભારડ ૨ લેામપકખી (૮૮) (9) 6'5 (ર) કંક (૩) કુરલ (૪) વાયસ (૫) ચફૂંકાગ (૯) વિસ્તભરા (૧૦) મૂસ (૧૧) મૉંગ્રેસ (૧૨) પયલાઇય (૧૩) છીરવિરાલિયા (૧૪) જાહે (૧૫) ચઉપાયા ઇત્યાદિ. (૫) જીવ જીવ (૬) સમુદૃાયસ (૭) કણત્તિય (૮) પિરિાલી ઇત્યાદિ. ૨૪. સૂત્રકૃતાંગ, ૨. ૩. ૧૫ માં આ પંદર ભેદમાં પાઠાંતરી છે. ૫. સૂયગઢમાં જલચર પાંચેન્દ્રિયના ભેદો તરીકે ચમ` પક્ષી, લેામપક્ષી, સમુદ્ગકપક્ષી અને વિતતપક્ષી-એવા ભેદો છે. આમાં જલચર——એવા પાઠ બરાબર જણાતા નથી—સૂયગડ ૨. ૩. ૧૫, પણ તેમાં ઉત્તર ભેદ્યના ઉલ્લેખ નથી. (i) હસ (૭) કલહુંસ (૮) પાહે સ (૯) રાયહંસ (૧૦) અડ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭, (૧૧) એડી (૨૬) તિત્તિર (૧૨) બગ (૨૭) વટ્ટગ (૧૩) બલાગા (૨૮) લાવગ (૧૪) પારિષ્ણવ (ર૯) કોય (૧૫) કેચ (૩૦) કવિંજલ (૧૬) સારસ (૩૧) પારેવય (૧૭) મેસર (૩૨) ચિડગ (૧૮) મસૂર (૩૩) ચાસ (૯૧) મયુર (૩૪) કુકકુડ (૨૦) સતવચ્છ (૩૫) સુગ (૨૧) ગહર (૩૬) બરહિણ (રર) પડરીય (૩૭) મદણ લાગ (૨૩) કાગ (૩૮) કેઈલ (૨૪) કામંજુગ (૩૯) સેહ (૨૫) વેજુલગ (૪૦) વરેલ્લગ .૩ સમુચ્ચપખી (૮૯). ૪ વિતતપખી (૯૦) ૬. ૨. ૫, ૩ મનુષ્ય – ૨) [(ગ) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત 1. ૨. ૫. ૩. ૧. સંમૂચ્છિમ (ગંદકીમાં ઉત્પન્ન થાય તેવાં ૧૪ સ્થાન ગણાવી ઇત્યાદિ કહ્યું છે.) (૯૩) ૨ ગર્ભવ્યુત્ક્રાન્તિક૨૭ (૧) અન્તદપક (૨૮ પ્રકારના, સૂત્ર. ૯૫) (ર) અકર્મભૂમિક (૩૦ પ્રકારના, સૂત્ર. ૯૬) (૩) કર્મભૂમિક (૧૫ પ્રકારના, સૂત્ર, ૯૭) ૨૬. મનુષ્યના કર્મભૂ૦, અકર્મભૂ૦. અન્તી, આર્ય અને પ્લેચ્છ એવા મુખ્ય ભેદો સૂયગડ ૨, ૩. ૧૪ માં છે, ઉત્તર ભેદો નથી. ર૭. ઉત્તરા ૩૬. ૧૯૫ માં આ જ ત્રણ ભેદો છે અને ઉત્તર ભેદની માત્ર સંખ્યાને નિર્દેશ ગા૦ ૧૯૬ માં છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ (૩) કર્મ ભૂમિક મનુષ્ય (૧) મ્લેચ્છ (૯૮) (૧) સગ (ર) જવણ (૩) ચિલાય (૪) સબર (૧) અમ્મર (૬) કાય (૭) મુરુડ (૮) ઉડ્ડ (૯) ભગ (૧૦) ણિગ (૧૧) પાણિય (૧ર) કુલકખ (૧૩) ગાંડ (૧૪) સિંહલ (૧પ) પારસ (૧૬) ગાંધ (૧૭) ઉડઅ (૧૮) મિલ (૧૯) ચિલલ (૬) આર્ય (૯૯) ૧–અરિહ‘ત ર-ચવટ્ટી ૩-મલદેવ ૧૮ (૨૦) પુલિંદ (૨૧) હારાસ (રર) ડાંખ (૨૩) વાકાણ (ર૪) ગંધાહારક (૨૫) બહુલિય (૨૬) અલ (૨૭) રામ (A) ઋદ્ધિપ્રાપ્ત (૧૦૦) (૨૮) પાસ (૨૯) પસ (૩૦) મલય (૩૧) ચુંય (૩૨) લિ (૩૩) કાંકણ (૩૪) મેય (૩૫) પુલહ (૩૬) માલવ (૩૭) મગર (૩૮) આભાસિય (B) અનૃદ્ધિપ્રાપ્ત (૧૦૧) (૩૯) (૪૦) ચીણ (૪૧) હેસિય (૪ર) ખસ (૪૩) ખાસિય (૪૪) ણેપૂર (૪૫) મઢ (૪૬) ડાંઅિલક (૪૭) લસ (૪૮) અઉસ (૪૯) કેય (૫૦) અરઆગ (૫૧) હ્રણ (૫૨) રાસગ (૫૩) ભરુગ (૫૪) સ (૫૫) વિલાય ૪–વાસુદેવ પ–ચારણ ૬-વિજજાહર ૧–ક્ષેત્રાય (મગધાદિ સાડા પચીસ દેશના, સૂત્ર−૧૦૨) ર–જાતિઆય (બટ્ટ આદિ ઇબ્લજાતિ છે, સૂત્ર−૧૦૩). Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ૩–કુલઆર્ય (ઉગ્રાદિ છ કુલ, સૂત્ર-૧૦૪). ૪–કર્મઆર્ય (દેસ્લિય આદિ અનેક સૂત્ર–૧૦૫) પ-શિલ્પઆયે (તુણાગ આદિ અનેક, સૂત્ર૧૦૬) ૬–ભાષાઆર્ય સૂત્ર–૧૦૭). –જ્ઞાનઆર્ય (સત્ર-૧૦૮). -દર્શનઆર્ય૨૮ સૂત્ર-૧૦૯) ૮ચારિત્રઆર્ય (સૂત્ર૧૨૦) ૧. ૨. ૫, ૪ દેવ (૧૩૯) [(બ) પર્યાપ્ત ૧. ૨. ૫. ૪. ૧ ભવનવાસી (બ) પર્યાપ્ત, (૨) અપર્યાપત (૧૪૦) (૧) અસુરકુમાર (૬) દીપકુમાર (૨) નાગકુમાર (૭) ઉદધિકુમાર (૩) સુપર્ણકુમાર | (૮) દિકુમાર (૪) વિઘુકુમાર ' (૯) વાયુકુમાર (૫) અગ્નિકુમાર (૧૦) સ્તતિનકુમાર ૧. ૨. ૫. ૪. ૨ વ્યન્તર () પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત (૧૪) (૧) કિન્નર (૫) યક્ષ (ર) કિંગુરુષ (૬) રાક્ષસ (૩) મહારગ (છ) ભૂત (૪) ગંધર્વ (૮) પિશાચ ૧. ૨ પ. ૪ ૩ જયોતિષ્ક (ક) પર્યાપ્ત, (7) અપર્યાપ્ત (૧૪ર) (૧) ચન્દ્ર (૪) નક્ષત્ર (૨) સૂર્ય (૫) તારા (૩) ગ્રહ ૨૮. પ્રજ્ઞાપના, ગા. ૧૧૯-૧રર ઉત્તરા૦ ૨૮, ૧૬–૧૯ છે. પ્રજ્ઞા ૧૨૩ મી ગાથા ગાઠાંતર સાથે ઉત્તરા૦ ૨૮. ૨૦ છે. ૧૨૪–૧૩૧ એ ઉત્તરા૦ ૨૮. ગા. ૨૧–૨૮ છે. પ્રજ્ઞા ગાા ૧૩ર એ ઉત્તરા૦ ૨૮. ૩૧ છે. ઉત્તરા માં વચ્ચે બે ગાથા વધારે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ૧. ૨. ૫. ૪. ૪. વૈમાનિક (મ) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત (૧૪૩) (૧) કોપગ (૧૪૪) ૧–સૌધર્મ ૭-શુક્ર ૨–ઈશાન ૮-સહસ્ત્રાર ૩–સનકુમાર -આત ૪–મહેન્દ્ર ૧૦–પ્રાણત પ-બ્રહ્મલોક ૧૧–રણ ૬–લાંતક ૧૨–અશ્રુત (૨) કપાતીત (૧૪૫) A-2યક (નવ પ્રકાર) B–અનુત્તરૌપપાતિક ૧-વિજય ૪-અપરાજિત ૨–વૈજયંત પ–સર્વાર્થસિદ્ધ ૩–જયંત બીજુ સ્થાન પદ : જીવેનું નિવાસસ્થાન છ બે પ્રકારના છે : સંસારી અને સિદ્ધ. તેમના અનેક પ્રકાર પ્રથમ પદમાં ગણાવ્યા. હવે બીજા પદમાં તે તે પ્રકારના જીવનું નિવાસસ્થાન ક્યાં છે તે જાણવું જરૂરી છે. તેથી તેને વિચાર “સ્થાન” પદમાં કરવામાં આવ્યું છે. સ્થાનના વિચારમાં કાયમી નિવાસસ્થાન અને પ્રાસંગિક, એમ બે પ્રકાર સંભવે છે. પ્રસ્તુતમાં કાયમી નિવાસસ્થાનને–એટલે કે જીવ જન્મ ધારણ કર્યા પછી તે મરણ પર્યત કયાં રહે છે તેને–“સ્વસ્થાન” નામે ઓળખાવ્યું છે. અને પ્રાસંગિક નિવાસસ્થાનને વિચાર “ઉ૫પાત” અને “સમુઘાત –એમ બે પ્રકારે કરવામાં આવ્યું છે, જેને શાસ્ત્રની પરિભાષા પ્રમાણે પૂર્વભવમાં મૃત્યુ થાય એટલે કે પૂર્વભવનું આયુ સમાપ્ત થાય એટલે નવા ભવનાં નામ, ગોત્ર અને આયુનાં નિયામક કર્મોનો ઉદય થઈ જતું હોવાથી મૃત્યુ પછી નવે નામે ઓળખાય છે, જેમ કે પૂર્વભવમાં દેવ હોય અને મરીને તે જીવ મનુષ્ય થવાને હોય તે દેવાયુ સમાપ્ત થાય એટલે તે મનુષ્ય નામે ઓળખાય. પણ જેના મતે જીવ વ્યાપક Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ નથી. તેથી મૃત્યુ પછી તેણે નવા જીવનને સ્વીકાર કરવા માટે યાત્રા કરીને સ્વજન્મસ્થાનમાં જવું પડે છે. આવી યાત્રાના કાળમાં તેણે દેવલોક તો છેડી દીધે, મનુષ્યલોમાં હજી આવ્યો નથી, તે તે યાત્રા દરમિયાન તેણે જે પ્રદેશની યાત્રા કરી તે પણ તેનું સ્થાન” તે કહેવાય. આ “સ્થાનને “ઉપપાત સ્થાને કહ્યું છે. સ્પષ્ટ છે કે આ પ્રાસંગિક છે. છતાં પણ તે અનિવાર્ય તે છે જ. તેથી જીવના સ્થાનનો વિચાર કરતી વખતે તેને પણ લક્ષમાં લેવું તે જોઈએ. અને તીજુ “સમુદ્ધાત' સ્થાન છે. આપણે અનુભવ છે કે જ્યારે કઈ ક્રોધ કરતા હોય છે ત્યારે તેને ચહેરે લાલ-લાલ થઈ જાય છે, તે જ પ્રકારે જયારે કઈ વેદના થતી હોય ત્યારે પણ શરીરમાં વિકૃતિ જણાય છે. જેને માન્યતા પ્રમાણે આવે પ્રસંગે જીવના પ્રદેશનો વિસ્તાર થાય છે. તેને પરિભાષામાં “સમુદ્રઘાત' કહેવામાં આવે છે. સમુદ્દઘાત અનેક પ્રકારના છે. તેને વિષે વિશેષ નિરૂપણ પ્રજ્ઞાપનના ૩૬ મા પદમાં છે જ. એટલે આ “સમુઘાત' ની અપેક્ષાએ જીવના નિવાસસ્થાનને વિચાર પણ જરૂરી બને છે. આમ પ્રસ્તુત પદમાં જીવોના જે નાના પ્રકારે છે તે વિષે સ્વસ્થાન, ઉપપાતસ્થાન અને સમુદઘાતસ્થાન એમ ત્રણે પ્રકારનાં નિવાસસ્થાનને વિચાર કરવામાં આવ્યો છે. - પ્રસ્તુત સ્થાનપદમાં હવે પછી જીવોના જે ભેદોનાં સ્થાનોને વિચાર અને ક્રમ જણાવ્યું છે તે ઉપરથી જણાય કે પ્રથમ પદમાં છવભેદોમાં નિર્દિષ્ટ એકેન્દ્રિય” જેવા કેટલાક સામાન્ય ભેદને વિચાર નથી કરવામાં આવ્યા, જ્યારે પંચેન્દ્રિય જેવા સામાન્ય ભેદોને વિચાર કરવામાં આવ્યો છે. વળી, વિશેષભેદપ્રભેદમાંથી પણ બધાને વિચાર નથી. આમ છવના ભેદો અને તેના પ્રભેદો વિષે પ્રથમ પદમાં જે માહિતી છે, તે બધા વિષેનાં જુદાં જુદાં સ્થાનોને વિચાર પ્રસ્તુત પદમાં નથી. પણ તેમાંથી મુખ્ય મુખ્યનો છે, પ્રજ્ઞાપનામાં થયેલી આ વિચારણા સાથે અન્યત્ર થયેલી આ વિષયની વિચારણાની તુલના તેના સંક્ષેપવિસ્તારનો ઇતિહાસ જાણવામાં ઉપયોગી થશે અને ક્રમે કરી વિષયવિસ્તાર કેમ થતો ગયો તેનું અધ્યયન કરવામાં જ નહિ પણ તે તે ગ્રંથોના સમયનિર્ધારણમાં પણ આ હકીકતો ઉપકારી થવા સંભવ છે. તેથી તેને અહીં આપવી જરૂરી જણાય છે. પણ છવના આ નિવાસસ્થાનનો વિચાર શા માટે જરૂરી છે એ પણ પ્રશ્ન છે, તેનું સ્પષ્ટીકરણ એ છે કે માત્ર જૈન દર્શનમાં જ આત્માને શરીર૧. આત્માના પરિણામ વિષે જુઓ ગણધરવાદ, પ્રસ્તાવના, પૃ. ૯૨. Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ માન્યા છે; તે વ્યાપક નથી. તેથી સસારમાં તેની નાના જ્ન્મ વખતે ગતિ થાય છે અને નિયત સ્થાનમાં જ તે શરીર ધારણ કરી શકે છે. તેથી કયેા જીવ ક્યાં હેાય તે વિચારવુ પ્રાપ્ત થતુ હોઈ તેનું વિવરણ જરૂરી બને છે અને તેથી જૈનધર્મીની આત્માના પરિણામ વિષેની જે માન્યતા છે તેની પણ પુષ્ટિ આથી થાય છે. અન્ય દČનમાં આત્મા સર્વવ્યાપક મનાયેા હોઈ તેમને નિવાસ સ્થાના વિચાર માત્ર શરીરદૃષ્ટિએ જ કરવા પ્રાપ્ત છે, પણ જીવ તા સ ત્ર સંદેવ લેકમાં ઉપલબ્ધ છે તેથી જીવના સ્થાનના વિચાર તેમને અનિવાય નથી. ચિત્ત તા છે જ અને તે ચિત્તની દૃષ્ટિએ આવ્યું છે. તે માટેની વ્યવસ્થા જિજ્ઞાસુએ બૌધ્ દનમાં જીવ નથી. પણ લેાકમાં તેનું સ્થાન નક્કી કરવામાં અભિધમપિટકમાં જોઈ લેવી. ૧૩૨ વેાના જે ભેદ-પ્રભેદો વિષે સ્થાન વિચાર છે તે ત્રણે સ્થાનનેા છે. પરંતુ સિદ્ધ વિષે માત્ર સ્વસ્થાનને જ વિચાર છે. તેનું કારણ એ જણાય છે કે જે ઉપપાતદષ્ટિએ સ્થાન છે તે સિદ્ધોને ‘ઉપપાત’ ન હેાવાથી હાઈ શકે નહિ. સિહોના ઉપપાત એટલા માટે નથી કે બીજા વાને તે તે જન્મસ્થાન પ્રાપ્ત કરતાં પહેલાં તે તે નામ-ગાત્ર-આયુના ઉદય હાય છે તેથી તે નામ ધારણ કરી નવા જન્મ લેવા તે ગતિ કરતા હાય છે. સિદ્ધોને તા કર્મોને અભાવ છે. તેથી સિદ્ધરૂપે તેમનેા જન્મ થતો નથી, પણ જીવ પેાતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે તે જ સિદ્ધ છે. વળી, નવા જન્મ લેતી વખતે અન્ય જીવાની જે ગતિ છે. તે આકાશપ્રદેશાને સ્પર્શ કરીને થતી હાઈ તે તે પ્રદેશામાં તેનું સ્થાન' થયું એમ કહેવાય, પણ સિદ્ધના જીવાની સિદ્ધિમાં અથવા તેા મુક્ત જીવાને રહેવાના સ્થાનમાં જે ગતિ થાય છે તે આકાશપ્રદેશાને સ્પર્શીને નધા થતી—એવી જૈન માન્યતા છે, તેથી તે ગતિ અસ્પૃશદ્ધતિ કહેવાય છે.ર આમ મુક્ત જીવનું ગમન છતાં આકાશપ્રદેશાનેા સ્પર્શ ન હોઈ તે તે પ્રદેશમાં સિદ્ધોનું સ્થાન' થ્યું કહેવાય નહિ. આથી ઉપપાતસ્થાન સિદ્ધોને છે નહિ. સમુદ્ધાત પણ સિદ્ધવાને સભવતો નથી. કારણ, તે સકમ જીવાને હોય છે; સિદ્ધ તો અક છે-ક રહિત છે. તેથી સિદ્ધના સમુદ્ધાતસ્થાનને વિચાર પણ અસ્થાને છે. આમ માત્ર સ્વસ્થાન–સિદ્ધિસ્થાન જ સિદ્ધજીવાને સંભવતુ હોઈ તેને જ વિચાર ' સિદ્ધના જીવે વિષે છે. ૨. ભગવતી, શ॰ ૧૪, ૬૦ ૪; ભગવતીસાર, પૃ યોવિજય”એ અસ્પૃશદ્ધતિવાદ નામે પ્રકરણ રચ્યું છે. ૩૧૩; ઉપાધ્યાય શ્રો Page #154 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય રીતે એમ કહી શકાય કે એકેન્દ્રિય જીવા સમગ્ર લેાકમાં પ્રાપ્ત ચાય છે. પણ જયારે આમ કહીએ છીએ ત્યારે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે આ એક વ્યક્તિની વાત નથી પણ સમગ્રભાવે–સામાન્ય રૂપે એકેન્દ્રિય જાતિની છે. વળી, સમગ્ર લેાકમાં પ્રાપ્ત થાય છે એમ કહીએ છીએ ત્યારે પણ તે જીવનાં ત્રણે સ્થાનેાની જુદી જુદી દૃષ્ટિ રાખી નથી, પણ ત્રણે સ્થાને સમગ્રભાવે સમજવાનાં છે. દ્વીન્દ્રિય જીવા સમગ્ર લેાકમાં નહિ પણ તેના અસંખ્યાતમાં ભાગમાં છે. એ જ બાબત ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને પણ લાગુ પડે છે. પંચેંદ્રિય” વિષે તેમનું સ્થાન લેાકના અસંખ્યાતમા ભાગમાં કહ્યું છે. અને સિદ્ધિ લેાકાચે છે.પ તે પણ લેાકને અસંખ્યાત ભાગ જ સમજવા જોઈએ. ૧૩૩ ૩. સૂત્ર ૧૫૦, ૧૫૩, ૧૫૬, ૧૫૯, ૧૬૨ માં “સવજ્રોવરિયાવળા” કહ્યા છે. ૪. પંચેન્દ્રિય વિષે જે નિર્દેશ છે (સૂત્ર ૧૬૦) તે સામાન્ય પચેન્દ્રિય વિષે છે એમ ટીકાકાર જણાવે છે. અને ત્ યાગ્ય છે. કારણ, તે પછી નારક, તિય "ચપ ચેદ્રિય, મનુષ્ય અને દેવા વિષે પૃથક્ નિર્દેશ છે. પરંતુ આ સૂત્ર એક અસંગતિ જણાય છે તે એ કે મનુષ્યસૂત્ર ૧૭૬ માં—સમુન્નાન સભ્યàા” એમ કહ્યું છે. તેથી તેને અનુસરીને પ્રસ્તુત સૂત્ર ૧૬૬ માં પણ તેમ જ હાવુ જોઈએ, પણ તેમ નથી અને સમુÜાળ હોયરસ મસ લેગ્ગફે સરે” એમ છે. અસંગતિ દૂર કરવા માટે ટીકાકારે મનુષ્યસૂત્ર (૧૯૭૬) માં સમુÜાળ સવજો” આ સૂત્રપાઠની ટીકામાં વસિમુઘાતમધિત્ય એમ - ખુલાસા કર્યાં છે. આથી એમ લાગે છે કે પચેન્દ્રિયસૂત્ર (૧૬૬) માં અસદ્વેગડમાળે એમ જે જણાવ્યું છે તે છાવસ્થિક સમુદ્ધાતને લક્ષીને જ છે. કેવલિસમુદ્ધાતને વિષય અલ્પ હોવાથી ૧૬૬ માં સૂત્રમાં તેની વિવક્ષા કરી નથી. ખંડાગમમાં (પુ॰ છ, સૂ૦ ૧૧-૧ર, પૃ૦ ૩૧૦~૧૧) આ વિષયનાં એ સૂત્રેા જુદાં કર્યાં છે. તે ઉપરથી પણ એમ સમજાય છે કે પ્રાચીન પરંપરામાં છાજ્ઞસ્થિક સમુદ્ધાતને લક્ષીને જ આ વસ્તુ કહેવામાં આવતી હશે. ૫. સિદ્ધશિલા અથવા ઇષત્પ્રાગ્બારા પૃથ્વીનું વર્ણન તથા સિદ્ધોનું સ્વરૂપ, તેમનુ સુખ અને તેમની જધન્યાદિ અવગાહના વિષે મૂળમાં સુ ંદર નિરૂપણ છે, તે સૂત્ર ૨૧૧ માં જોઈ લેવુ. Page #155 -------------------------------------------------------------------------- ________________ જીવલેદા કાં હાય (૧) બાદરપૃથ્વીકાયિક પર્યાપ્ત (૧૪૮) ત્રણે લેકમાં સ્વસ્થાન પ્રાપ્ત અપ્રર્યાપ્ત (૧૪૯) થાય છે. (ર) સૂક્ષ્મપૃથ્વીકાયિક પ્રર્યાપ્ત-અપર્યાપ્ત (૧૫૦) (૩) બાદરઅાયિક (૧૫૧–૨) "> "" (૧૫૩) "" (૪) સમાયિક (૫) બાદરતેજ:કાયિક પર્યાપ્ત-અપર્યાપ્ત (૧૫૪–૫) (૬) સૂક્ષ્મતેજ:કાયિક (૧૫) "" (૭) બાદરવાયુકાયિક (૮) સમવાયુકાયિક (૯) બાદરવનસ્પતિકાયિક (૧૦) સૂક્ષ્મવનસ્પતિકાયિક (૧૧) દ્વીન્દ્રિય (૧૨) ત્રીન્દ્રિય (૧૩) ચતુરિન્દ્રિય (૧૪) પંચેન્દ્રિય (૧૫) નારક "" (૧૬-૨૨) પ્રથમથી સાતમીના નારકે "3 33 "" ܕܙ 25 ૧૩૪ 39 .. "" 33 "" "" "3 "3 .. "3 "" "" (૧૫૭-૮) (૧૫૯) (૧૬૦~૧) (૧૬૨) (૧૬૩) (૧૬૪) (૧૬૫) પર્યાપ્ત-અપર્યાપ્ત (૧૬૮–૧૭૪) ૨૩ ૫'ચેન્દ્રિયતિય ચ પર્યાપ્ત-અપર્યાપ્ત (૧૭૫) ,, 22 33 . #3 "" .. "" .. "" (૧૬૬) (૧૬૭) અધેાલેાકની સાત પૃથ્વી .. ૬. પ્રસ્તુતમાં માત્ર સ્વસ્થાનની નોંધ લીધી છે. કારણ, ખરી રીતે તે જ કાયમી હાઈ તેનું સ્થાન વિચારણીય છે. ઉપપાત અને સુમુદ્ધાતસ્થાન તો કાદાચિત્ક છે તેથી મૂળમાં તેના નિર્દેશ છતાં પ્રસ્તુત સૂચીમાં તેને નિર્દેશ કર્યાં નથી. વળી, સમુદ્ધાતપદ (૩૬) અને વ્યુત્ક્રાન્તિપદ (૬) ના કત્તોદ્દાર (સૂત્ર-૬૩૯–૬૬૫) માં તે બાબતોનું વિશેષ વિવરણ છે જ, ૭. પ્રસ્તુતમાં સામાન્ય નિર્દેશ કર્યાં છે. એટલે કે ઊધ્વ, અધ: અને તિગ્લેાકમાં ગમે ત્યાં સમગ્રમાં કે અશમાં તે પ્રાપ્ત થતા હાય તો તે ત્રણે લેાકમાં છે એમ સામાન્ય નિર્દેશ કર્યાં છે. વિગતે જાણવા માટે મૂળ જોવું. ૮. મૂળમાં નિર્દેશ છે કે જે સ્થાને પર્યાપ્તનાં છે અપર્યાપ્તનાં પણ તે જ છે. જુએ સૂત્ર ૧૪૯ આદિ. તે તે પૃથ્વીમાં ત્રણે લેાકમાં Page #156 -------------------------------------------------------------------------- ________________ (૨૬) અસુરકુમાર, (૨૭) દક્ષિણના અસુરકુમાર, (૨૮) ઉત્તરના અસુરકુમાર, (૨૯–૩૧) નાગકુમાર, દક્ષિણ-ઉત્તરના નાગકુમાર, (૨૪) મનુષ્ય, પર્યાપ્ત-અપ†સ (૧૭૭) (૨૫) ભવનવાસી દેવ, (૫૩-૫૫) સ્તનિતકુમાર, દક્ષિણ-ઉત્તર સ્તનિતકુમાર, ૧૩૫ (૩૨–૩૪) સુપ કુમાર, દક્ષિણ-ઉત્તરના સુપણ કુમાર, (૩૫–૩૭) વિદ્યુત્સુમાર, દક્ષિણ-ઉત્તરના વિદ્યુત્સુમાર, (૩૮–૪૦) અગ્નિકુમાર, દક્ષિણ-ઉત્તરના અગ્નિકુમાર, (૪૧–૪૩) દ્વીપકુમાર, દક્ષિણ-ઉત્તરના દ્વીપકુમાર (૪૪–૪૬) ઉધિકુમાર, દક્ષિણ-ઉત્તરના ઉદધિકુમાર, (૪૭–૪૯) દિકકુમાર, દક્ષિણ-ઉત્તરના કિકુમાર, (૫૦-પર) વાયુકુમાર. દક્ષિણ-ઉત્તરના વાયુકુમાર (૫૬) બ્યન્તર, (૫૭) પિશાચ, અઢી દ્વીપમાં, તિગ્લાકમાં, મનુષ્યક્ષેત્રમાં. પર્યાપ્ત-અપર્યાપ્ત (૧૭૭) રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડમાં . "" "" "2 39 "" "" "" "" "" .. ', "" 39 .. .. .. .. "" "" 93 33 "" "2 "" (૧૭૮) (૧૭૯)૯ (૧૮૦) (૧૮૧-૮૩) (૧૮૪-૮૬) (૧૮૭) (૧૮૭) "" (૧૮૭) (૧૮૯) .. "" .. "" .. د. ވ ,, . ,, (૧૮૭) રત્નપ્રભાપૃથ્વીના પ્રથમ કોંઢમાં . ૯. અસુરકુમાર આદિ દેશ ભવનપતિના દક્ષિણ-ઉત્તરના ઇન્દ્રોના પણ. પૃથક્ નિર્દેશ છે, જેની અહી જુદી નોંધ લીધી નથી. "" Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ (૧૯૬) (૫૮–૧૯) પિશાચ, દક્ષિણ—ઉત્તરના ૧૦ પર્યાપ્ત અપર્યાપ્ત (૧૯૦) (૬૦–૬૨) ભૂત, દક્ષિણ-ઉત્તરના, ,, , ૧૯૨) (૬૩–૫) યક્ષ, દક્ષિણ-ઉત્તરના, , , (૬૬-૬૭) રાક્ષસ, દક્ષિણ-ઉત્તરના, , (૬૮-૭૦) કિન્નર, દક્ષિણ–ઉત્તરના, (૭૧-૭૩) પુિરુષ. દક્ષિણ-ઉત્તરના, (૭૪–૭૬) ભુજગપતિ મહાકાય, દક્ષિણ-ઉત્તરના, , (૭–૭૮) ગંધર્વ૧૧ દક્ષિણ-ઉત્તરના, , (૭૯) જ્યોતિષ્કદેવ...૧૨ ,, (૧૫) ઊર્વેલકમાં– [આ પછીના ઉત્તરોત્તર ઊંચે સમજવા (૮૦) વૈમાનિકદેવ– (૮૧) સૌધર્મદે , (૧૯૭) (૮૨) ઈશાનદેવ ,, (૧૯૮) (૮૩) સનસ્કુમારદેવો (૧૯) (૮૪) માહેન્દ્રદેવો (૮૫) બ્રહ્મલોકદે (૮૬) લાંતદે (૮૭) મહાશુકદેવો y, ” (૨૦૩) (૮૮) સહસ્ત્રારદેવ (૮–૯૦) આનત-પ્રાણતદેવો , , (૨૫) (૯૧–૯૨) આરણ—અય્યદેવ (૯૩) હેખ્રિમ શ્રેયકદેવ . ( ૨૭) (૯૪) મધ્યમ , , ૧૦. પિશાચ આદિ વ્યંતરના ઇન્દ્રોને પણ પૃથક નિર્દેશ છે, તેની નોંધ અહીં જુદી લીધી નથી. ૧૧. વ્યંતરના પિશાચાદિ આઠ પ્રકાર ઉપરાંત અણવણિણય આદિ આઠ અવાન્તર પ્રકારને પણ નિર્દેશ મૂળમાં છે. સૂત્ર ૧૮૮, ૧૯૪), પણ તેની જુદી નોંધ અહીં લીધી નથી. ૧૨. તેમના ચન્દ્ર અને સૂર્ય બે ઈન્દ્રો છે. સૂત્ર ૧૯૫[૨] (૧૦૦) 3 ૦૧ » : છે (૨૦૧૨) ” , (૨૦૪) ' '' ઇ (૨૦૬) છે (ર૦૮) Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ (૫) ઉવરિમ શૈવયકદેવી પર્યાપ્ત અપર્યાપ્ત (ર૦૯) . (૯૬) અનુત્તરીપપાતિદેવો ૧૩ ,, . (૨૧૦) (૭) સિદ્ધો (૧૧) સૌથી ઉપર પ્રશ્ન થાય કે અજીવન સ્થાન વિષે વિચાર કેમ નથી કર્યો ? એમ જણાય છે કે જેમ જીવોના પ્રભેદોમાં અમુક નિશ્ચિત સ્થાન કલ્પી શકાય છે તેમ પુદ્ગલ વિષે નથી. પરમાણુ અને કંધે સવગ્ર કાકાશમાં છે અને તેમનું સ્થાન કેઈ નિશ્ચિત નથી. ગમે ત્યારે ગમે ત્યાં હોય એમ સંભવે છે કે પાંચમા પદમાં તેમની અવગાહનાના અનેક રીતે વિચાર કરવામાં આવ્યું છે. એક રીતે તે તેમના સ્થાનનો વિચાર કહી શકાય. પણ “સ્થાન માં જે પ્રસ્તુતમાં અભિપ્રેત છે તેવું નિશ્ચિત કોઈ સ્થાન પુદ્ગલ વિષે કપી શકાતું નથી. તેથી તેમના સ્થાન વિષે પ્રસ્તુતમાં ચર્ચા જરૂરી નથી. વળી, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશના સ્થાનની જુદી ચર્ચા જરૂરી નથી, કારણ, પ્રથમ બેને તે સમગ્ર કવ્યાપી માનવામાં આવ્યા છે અને આકાશ તે અનંત છે. એટલે પ્રસ્તુતમાં છે તેવી ચર્ચા તેમને વિષે જરૂરી નથી. પખંડાગમમાં જીવોના સ્થાન–ક્ષેત્રની ચર્ચા આવે છે, પણ તેમાં જીવોનું ક્રમે કરી પ્રજ્ઞાપનાની જેમ નહિ પણ ગતિ આદિના ભેદમાં નિરૂપણ છે. પુસ્તક ૭, પૃ. ર૯૯ થી ખેતાણુગામના પ્રકરણમાં આ ચર્ચા છે. તેમાં પણ સ્વસ્થાન, ઉપપાત અને સમુદ્રઘાતને લઈને સ્થાન–ક્ષેત્રનો વિચાર છે. ત્રીજુ બહુવક્તવ્ય પદ : છો અને અજીવોનું સંખ્યાગત તારણ્ય પ્રસ્તુત તીજા પદમાં તત્ત્વોને સંખ્યાની દષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે. ભગવાન મહાવીરના સમયમાં અને ત્યાર પછી પણ તન સંખ્યાવિચાર મહત્ત્વ ધરાવે છે. ઉપનિષદોમાં સમગ્ર વિશ્વ એક જ તત્વને પરિણામ કે વિવર્ત છે એ મત એક તરફ છે, તો બીજી તરફ છો અનેક પણ અજીવ એક જ એવો સાંખ્યોનો મત છે. બૌદ્ધો ચિત્ત અનેક માને છે અને રૂપ પણ અનેક ૧૩. વિજયાદિ પાંચને જુદા ગણાવ્યા નથી. મૂળમાં પાંચને અનુત્તરસામાન્યમાં જ ગણાવી દીધા છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ માને છે. આ વિષે જૈન મતનું સ્પષ્ટીકરણ આવશ્યક હતું તે આ પદમાં કરવામાં આવ્યું છે. અન્ય દર્શનેમાં માત્ર સંખ્યાનું નિરૂપણ છે, જ્યારે પ્રસ્તુતમાં તે સંખ્યાને વિચાર અનેક દૃષ્ટિએ કરવામાં આવ્યું છે. મુખ્ય વિચારતંતુ તારતમ્મનું નિરૂપણ એટલે કેણ કેનાથી ઓછી કે વધારે છે, તે છે. પરંતુ પ્રસ્તુતમાં એ વિચારણે અનેક રીતે કરવામાં આવી છે. પૂર્વાદિમાંથી કઈ દિશામાં જ વધારે છે અને કઈ દિશામાં એાછા–એમ દિશાને આધારે પ્રથમ વિચારણા છે. વળી, તેમાંની કઈ દિશામાં તે તે પ્રકારના જીવોમાં ઓછા-વધતા છે તેને વિચાર છે, એટલું જ નહિ પણ છવોના તે તે પ્રકારના ભેદ-પ્રભેદોમાં પણ પરસ્પર કઈ દિશામાં ઓછા વધતા છે, તેનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે (૨૧૩–૨૨૪). તે જ પ્રમાણે ગતિ (૨૨૫), ઈન્દ્રિય (૨૨૭), કાય (૨૩૨), યોગ (ઉપર) ઇત્યાદિ અનેક રીતે જીવના જે પ્રકારે છે તેમાં સંખ્યાને વિચાર કરીને છેવટે સમગ્ર જીવના જે વિવિધ પ્રકારે છે તેમાં કયો પ્રકાર ક્રમમાં સૌથી ઓછી સંખ્યાવાળો અને સંખ્યાક્રમે ઉત્તરોત્તર કયા જી વધારે છે અને છેવટે સૌથી વધારે કેણ છે તે રીતને સમગ્ર જીવોને સંખ્યાક્રમ નિર્દિષ્ટ છે (૩૩૪). માત્ર જીવોનું જ નહિ પણ ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યોનું પણ પરસ્પર સંખ્યાબત તારતમ્ય નિરૂપવામાં આવ્યું છે અને તે તારતમ્ય દ્રવ્યદૃષ્ટિએ (ર૭૦) અને પ્રદેશદૃષ્ટિએ વિચારાયું છે (૨૭૧). પરસ્પર ઉપરાંત તે તે ધર્મોસ્તિકાય આદિ પ્રત્યેક દ્રવ્યમાં પણ ઉક્ત બે દૃષ્ટિથી સંખ્યાવિચાર છે (સૂત્ર ર૭૨). અને છેવટે અને બંને દૃષ્ટિએ યે દ્રવ્યના તારતમ્યનું નિરૂપણ છે (૨૭૩). પ્રારંભમાં દિશાને મુખ્ય રાખીને સંખ્યાવિચાર છે તો આગળ જઈ ઊર્ધ્વ, અધ: અને તિર્યગૂ લોક એમ ત્રણ લોકની દૃષ્ટિએ સમગ્ર જીવોના પ્રકારને સંખ્યાગત વિચાર છે (૨૭૬). જીવોની જેમ પુદ્ગલોની સંખ્યાનું તારતમ્ય પણ તે તે દિશામાં, તે તે ઊર્વે લોકાદિ ક્ષેત્રમાં તે નિરૂપિત થયું જ છે, ઉપરાંત દ્રવ્ય, પ્રદેશ અને બંને દૃષ્ટિએ પણ પરમાણુ અને સ્કંધની સંખ્યાનો વિચાર છે (૩૨૬-૩૩૦). અને તે પછી પુગલેની અવગાહના, કાલસ્થિતિ તથા તેમના પર્યાયની દૃષ્ટિએ પણ સંખ્યાવિચાર છે (૩૩૧-૩૩૭). Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ દ્રવ્યોનું સંખ્યાગત તારતમ્ય અહીં યે દ્રવ્યોનું જે સંખ્યાગત તારતમ્ય છે તેની સૂચી ચડિયાતા ક્રમે આપવામાં આવે છે, જેથી કયું દ્રવ્ય કેનાથી સંખ્યામાં સરખું અથવા વધારે છે તે જણાઈ આવશે. જીવોનો જે સંખ્યાની દૃષ્ટિએ ચડિયાત ક્રમ છે તેની સચી પૃથફ આપવામાં આવી છે. તેથી આ સૂચીમાં અજીવ દ્રવ્યોને તે ક્રમ વિશેષરૂપે સમજવાને છે (સૂત્ર–૨૭૩). ૧ (૧) ધર્માસ્તિકાયદ્રવ્ય ! ધર્માસ્તિકાયાદિ પ્રત્યેક, દ્રવ્યથી એક હોઈ ત્રણે (૨) અધર્માસ્તિકાયદ્રવ્ય (૩) આકાશાસ્તિકાયદ્રવ્ય | | સરખા છે. અને સંખ્યામાં સૌથી છેડા. ૨ (૧) ધર્માસ્તિકાયપ્રદેશે | પ્રત્યેકના પ્રદેશોની સંખ્યા અસંખ્યાત્ અસં. (૨) અધર્માસ્તિકાયપ્રદેશો ખ્યાત છે અને સરખી જ છે. પૂર્વ કરતાં અસંખ્યાતગુણ અધિક. ૩ જીવાસ્તિકાય ક...છવદ્રવ્ય અનંત સંખ્યામાં છે તેથી પૂર્વ કરતાં અનંતગણુ. જીવાસ્તિકાયપ્રદેશે...પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશ હેઈ પૂર્વ કરતાં અસંખ્યાતગુણ અધિક. પુગલસ્તિકાય ક...અનંત પુદ્ગલ દ્રવ્યો છે અને તે પૂર્વ કરતાં અનંતગુણ અધિક છે. ૬ પુદ્ગલપ્રદેશે...બધા મળી પુદ્ગલપ્રદેશની સંખ્યા પુદગલો કરતાં અસંખ્યાતગુણ અધિક છે. ૭ અહાસમયદ્રવ્યો...પૂર્વ કરતાં અનંતગુણ છે. અઢાપ્રદેશ દેતા નથી. ૮ આકાશાસ્તિકાયપ્રદેશે પૂર્વ કરતાં અનંતગુણ અધિક છે. જીવોનું સંખ્યાબત તારતમ્ય નીચે જણાવેલ ક્રમે નાના પ્રકારના છ ઉત્તરેત્તર અધિક સંખ્યામાં છે. કેટલીકવાર પૂર્વથી ઉત્તર વિશેષાધિક એટલે કે માત્ર થોડા અધિક હોય છે, તે વળી કેટલીકવાર સંખ્યાતગુણ અધિક હોય છે તો કેટલીકવાર અસંખ્યાતગુણ અને કેટલીકવાર અનંતગુણ હોય છે. પ્રસ્તુત સૂચી તૃતીયપદગત મહાદંડક (સૂત્ર Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૩૩૪) ને આધારે છે. તૃતીયપદને અંતે છેલ્લા સુત્રમાં આ સૂચી છે. સ્વયં તૃતીય પદમાં ગત્યાદિ અનેક પ્રકારે વર્ગીકરણ કરીને અલ્પબહુત્વને વિચાર કર્યો છે. એ વિચારને તાળો મેળવવાને આમાં પ્રયત્ન છે અથવા તે સમગ્રભાવે જીનું અ૫બહુત્વ કેવું નકકી થાય છે તે આ સૂચીથી ફલિત કરવામાં આવ્યું છે. તેથી આનું વિશેષ મહત્ત્વ હોઈ તે અહીં આપવી ઉચિત જણાય છે. વળી, સંખ્યાની બાબતમાં મૂળમાં સામાન્ય સૂચન છે. પરંતુ ટીકાકારે તે તે સંખ્યાઓ કેટલી છે તે સમજાવવા અને તેની સંગતિ યુક્તિપૂર્વક બતાવવાને પ્રયત્ન કર્યો છે. આ સુચી ઉપરથી જે કેટલીક બાબતે ફલિત થાય છે તે આ પ્રમાણે છે–તે કાળે પણ આચાર્યોએ જીવોની સંખ્યાનું તારતમ્ય બતાવવાને આ પ્રકારે પ્રયત્ન કર્યો છે તે મુખ્ય બાબત છે. વળી, પુરુષ કરતાં સ્ત્રીઓની સંખ્યા-પછી તે મનુષ્ય હોય કે તિર્યંચ હોય–વધારે માનવામાં આવી છે. અધોલોમાં નારકમાં પ્રથમથી સાતમી નરકમાં ક્રમે ઘટે છે. એટલે કે સૌથી નીચેના નરકમાં સૌથી ઓછા છવો છે આથી ઊલટ ક્રમ ઊર્ધ્વકના દેવામાં છે; તેમાં સૌથી નીચેના દેવમાં સૌથી વધારે જીવો છે. એટલે કે સૌધર્મમાં સૌથી વધારે અને અનુત્તરમાં સૌથી ઓછા છે. પણ મનુષ્યલોકની નીચે ભવનવાસી દે છે તેથી તેમની સંખ્યા સૌધર્મ કરતાં વધારે છે અને તેથી ઊંચે છતાં વ્યંતર દેવો સંખ્યામાં વધારે અને તેથી પણ વધારે જ્યોતિષ્કો છે, જેઓ વ્યંતર કરતાં પણ ઊંચે છે. સૌથી ઓછી સંખ્યા મનુષ્યની છે, તેથી તે ભવ દુર્લભ ગણાય તે સ્વાભાવિક છે. જેમ ઈન્દ્રિયો ઓછી તેમ જીવોની સંખ્યા વધારે અથવા તો એમ કહી શકાય કે વિકસિત જીવો કરતાં અવિકસિત જીવોની સંખ્યા વધારે. અનાદિ કાળથી આજ સુધીમાં જેમણે પૂર્ણતા સાધી છે એવા સિદ્ધના જીવોની સંખ્યા પણ એકેન્દ્રિય જીવો કરતાં ઓછી જ છે. સંસારીની સંખ્યા સિદ્ધોથી વધી જ જાય છે. તેથી લોક સંસારી જીવથી શુન્ય થશે નહિ, કારણ પ્રસ્તુતમાં જે સંખ્યાઓ આપી છે તેમાં કદી પરિવર્તન થવાનું નથી; એ ધ્રુવસંખ્યાઓ છે. : ૧. પ્રસ્તુત ભાગની ટીકા માટે જુઓ પ્રજ્ઞાવનાવી, વત્રે ૧ ૬૩ મ થી. Page #162 -------------------------------------------------------------------------- ________________ સાતમી નરકમાં અન્ય કરતાં સૌથી ઓછા નારક જીવા છે, તા સૌથી ઊંચા દેવલાક અનુત્તરમાં પણ અન્ય દેતલાક કરતાં સૌથી ઓછા જીવા છે. તે સૂચવે છે કે જેમ અત્યંત પુણ્યશાળી થવું દુષ્કર છે, તેમ અત્યન્ત પાપી થવુ પણ દુષ્કર છે. પણ જીવનેા જે ક્રમિક વિકાસ માનવામાં આવ્યે છે તે પ્રમાણે તેા નિકૃષ્ટ કેાટિના થવા એકેન્દ્રિય છે. એકેન્દ્રિયમાંથી જ આગળ વધીને જા ક્રમે વિકાસ પામે છે. એકેન્દ્રિય અને સિદ્ધોની સંખ્યા અનંત કેટિમાં પહેાંચે છે. અભવ્ય પણ અન ત છે, અને સિદ્ધ કરતાં સમગ્રભાવે સંસારીની સંખ્યા પણ અધિક છે. અને તે સંગત છે. કારણ, અનાગત કાળમાં સંસારીમાંથી જ સિદ્ધ થવાના છે; તે એછા હાય તે! સંસાર ખાલી થઈ જશે એમ માનવું પડે. ૧૪૧ એકેન્દ્રિયથી પચેન્દ્રિય સુધી ક્રમે જીવાની સખ્યા ઘટે છે—આ ક્રમ અપર્યાપ્તમાં (નં. ૪૯-૫૩) જળવાયા છે, પણ પર્યાપ્તમાં વ્યુત્ક્રમ જણાય છે (નં. ૪૪–૪૮). તેનુ રહસ્ય જાણવામાં નથી. સમગ્ર જીવાનું સખ્યાગત તારતમ્ય ૧. ગજ મનુષ્ય પુરુષઃ સર્વથી થાડા ૨. મનુષ્ય સ્ત્રી (સંખ્યાતગુણ૪ અધિક) ૩. બાદર તેજ:કાય ૪. અનુત્તર।પપાતિકદેવ ૫ ઉપલા (ત્રણ) ત્રૈવેયકના દેવ ૬. મધ્યમ (,,) ૭. નીચલા (,, ) "" (અસંખ્યાતગુણઅધિક) (અસંખ્યાત (સંખ્યાતગુઅધિક) ( .. .. ૨. મનુષ્યમાં સ્ત્રી-પુરુષને ભેદ, ધ્યાનમાં લીધેા છે, પણ નપુંસક વિષે મૌન : સેવ્યું છે, જોકે સમાચ્છમ મનુષ્ય, જેએ નપુસક છે, તેમને જુદા ગણ્યા છે, જુએ અંક ૨૪. ।। ૩. સંધ્યેય ફાટી × કાટી – એવી સંખ્યા ટીકાકારે સૂચવી છે. અને પછીના માટે પણ સયા અને તેની સંગતિ ટીકાકાર સૂચવે છે તે જિજ્ઞાસુએ ટીકામાં જોઈ લેવું. ૪. ટીકાકારે પુરુષ કરતાં સ્ત્રીની સંખ્યા ૨૭ ગણી વધારે જણાવી છે. > Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ (સંખ્યાતગુણઅધિક) ( , , ) (અસંખ્યાત , ) ( , , ) ( , , ) ૮. અય્યત કલ્પના દેવો -૯, આરણ કલ્પના દેવો ૧૦. પ્રાણત , , ૧૧. આનત , , ૧૨. સાતમી નરકના નારા ૧૩. છઠ્ઠી નરકના નારકે ૧૪. સહસ્ત્રાર કલ્પના દેવો ૧૫. મહાશુક્રના દેવ ૧૬. પાંચમી નરકના નારક ૧૭. લાંતક કલ્પના દે ૧૮. ચેથી નરક નારકો ૧૯. બ્રહ્મલેક કલ્પના દે ૨૦. તૃતીય નરકના નારકો ૨૧. માહેન્દ્ર કલ્પના દે રર. સનકુમાર કલ્પના દેવ ૨૩. બીજી નરકના નારકો ૨૪. સંમૂર્ણિમ મનુષ્ય ૨૫. ઈશાન કલ્પના દેવે ૨૬. ઈશાન કલ્પની દેવીઓ ૨૭. સૌધર્મ કલ્પના દે. ૨૮. સૌધર્મ ક૯૫ની દેવીઓ ર૯ ભવનવાસી દેવ ૩૦. ભૂવનવાસી દેવીએ ૩૧. પ્રથમ નરકના નારકે ૩૨. ખેચર પંચૅન્દ્રિય તિર્યંચ પુરુષ ૩૩. , , , સ્ત્રીઓ (સંખ્યાત ) (અસંખ્યાત , ) (સંખ્યાત ,, (અસંખ્યાત છે ) ( , , ) (સંખ્યાતગુણઅધિક) Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ૩૪. સ્થલચર પુરુષો (સંખ્યાતગુણઅધિક) - - - - - - - - ( ,, છે , - - - ( ,, ,, (વિશેષાધિક) ૩૫. ,, , , સ્ત્રીઓ ૩૬. જલચર ,, , પુરુષે ૩૭. ', , , સ્ત્રીઓ ૩૮. વ્યન્તર દેવો ૩૯. વ્યન્તર દેવીઓ ૪૦. તિષ્ક દે ૪. ,, દેવીઓ જર. બેચર પંચેન્દ્રિયતિર્યંચ નપુંસક ૪૩. સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક ૪૪. જલચર , , , ૫. ચતુરિન્દ્રિય પર્યાપ્ત ૪૬. પચેન્દ્રિય , ૪૭. દીન્દ્રિય , ૪૮. ત્રીન્દ્રિય , ૪૯. પંચેન્દ્રિય અપર્યાપ્ત ૫૦. ચતુરિન્દ્રિય » ૫. ત્રીન્દ્રિય , પર. હીન્દ્રિય , ૫૩. પ્રત્યેકબાદરવનસ્પતિ પર્યાપ્ત ૫૪. બાદર નિગદ પર્યાપ્ત ૫૫. બાદર પૃથ્વી , ૫૬. બાદર અપ્લાય , ૫૭. બાદર વાયુકાય , ૫૮. બાદર તેજ:કાય અપર્યાપ્ત (અસંખ્યાતગુણઅધિક) (વિશેષાધિક) ( ) (અસંખ્યાતગુણઅધિક) WWW.jainelibrary.org Page #165 -------------------------------------------------------------------------- ________________ ૫૯. પ્રત્યેકબાદરવનસ્પતિ અપર્યાપ્ત ૬૦. બાદર નિગેાદ અપર્યાપ્ત ૬૧. બાદર પૃથ્વી ૬૨. ખાદર અપ્લાય ૬૩. બાદર વાયુકાય ૬૪. સૂક્ષ્મ તેજ:કાયિક,, ૬પ. સૂક્ષ્મ પૃથ્વીકાયિક,, ,, "" ૬૬. સૂક્ષ્મ અષ્ઠાયિક ૬૭. સૂક્ષ્મ વાયુકાયિક,, ૬૮. ૬૯. ,, "" .. ', .. "" ७०. ૭૧. ૭૨. ૭૩. ૭૪. અભવસિદ્દિક ૭૫. પ્રતિપતિતસમ્યક્ત્વ ૭૬. સિદ્ધો ૭૭. ભાદરવનસ્પતિ પર્યાપ્ત .. 23 "" તેજ:કાયિક પર્યાપ્ત પૃથ્વી ,, અપ્લાયિક પર્યાપ્ત વાયુકાયિક નિગેાદ અપર્યાપ્ત પર્યાપ્ત ." ૭૮. આદર પર્યાપ્ત ૯. ભાદરવનસ્પતિ અપર્યાપ્ત e, બાદર અપર્યાપ્ત et. બાદર જીવે ૮૨. સૂક્ષ્મ વનસ્પતિ અપર્યાપ્ત ૮૩. અપર્યાપ્ત ૮૪. વનસ્પતિ પર્યાપ્ત ૧૪૪ "" .. ', "" (વિશેષાધિક) . >> "" "" . ', (સંખ્યાતગુણઅધિક) (વિશેષાધિક) (વિશેષાધિક) (વિશેષાધિક) (અસંખ્યાતગુણઅધિક) (સંખ્યાતગુણઅધિક) (અન તગુણઅધિક) .. (વિશેષાધિક) (અસંખ્યાતગુણઅધિક) (વિશેષાધિક) (અસંખ્યાતગુણઅધિક) (વિશેષાધિક) (સંખ્યાતગુણઅધિક) Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ૮૫. .. પર્યાપ્ત (વિશેષાધિક) ૮૬. , જી ૮૭. ભવસિદ્ધિક ૮૮. નિગોદ જીવ ૮૯. વનસ્પતિ ૯૦, એકેન્દ્રિય ૯૧. તિર્યંચ ૯૨. મિથ્યાદષ્ટિ ૯૩. અવિરત ૯૪. સકષાય ૮૫. છદ્મસ્થ ૯૬. સગી ૯૭. સંસારી ૯૮. સર્વ છે પખંડાગમમાં પ્રસ્તુત પદગત વિચાર જે રીતે કરવામાં આવ્યો છે તેની પણ નોંધ અહીં લેવી જરૂરી છે. પ્રજ્ઞાપના સૂત્ર ર૧૨ માં અ૮૫બહુત્વને વિચાર ર૭ દ્વારે વડે કરવામાં આવ્યો છેપરંતુ પખંડાગમમાં ગત્યાદિ ૧૪ દ્વારે વડે જીવોના અપબહુત્વને વિચાર છે (પુ૭, પૃ. પર); જ્યારે પ્રસ્તુત પ્રજ્ઞાપનામાં તે ૧૪ દ્વારે ઉપરાંત પણ ધારે છે. આ ચર્ચા પખંડાગમના પુત્ર ૭ માં દ્રવ્યપ્રમાણાનુગમ નામે પ્રકરણમાં પણ પૃ. ૨૪૪ થી છે. વળી, તેમાં અસંખ્યાત જેવી સંખ્યાનું સ્પષ્ટીકરણ પણ મૂળમાં જ છે. જે પ્રજ્ઞાપનાની ટીકામાં છે, ષખંડાગમ, પુત્ર ૭ પૃ. ૨૪૪ થી વળી, પખંડાગમમાં આ ચર્ચા અન્યત્ર પણ જોવા મળે છે. પુ. ૧૪, સુત્ર ૫૬૮, પૃ. ૪૬૫ માં છાના અલ્પબહુત્વને વિચાર દ્રવ્યપ્રમાણ અને પ્રદેશપ્રમાણુની દષ્ટિએ પણ કરવામાં આવ્યો છે. પ્રજ્ઞાપનાના અત્યિકાય દ્વાર સૂત્ર ર૭૦ માં દ્રવ્યાર્થિક અને પ્રદેશાર્થિક–એ બે દૃષ્ટિઓ છે, તે એ રીતે જુદી છે કે પખંડાગમમાં પકાયનો વિચાર છે, જ્યારે પ્રજ્ઞાપનામાં પદ્ધોને લઈને વિચાર છે. પ્રજ્ઞાપનાન (સૂત્ર ૩૩૪) મહાદંડક અને પખંડાગમનો મહાદંડક પણ તુલનીય છે (પુ. ૭, પૃ. ૫૭૫ થી–). બન્નેમાં સર્વ જીવની અપેક્ષાએ અલ્પબદુત્વને વિચાર છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ચાયુ ‘સ્થિતિ’ પદ્મ : જીવાની સ્થિતિ=આયુ ચોથા પદમાં નાના પ્રકારના જવાની સ્થિતિ અર્થાત્ આયુના વિચાર છે. જીવાની તે તે નારકાદિરૂપે સ્થિતિ-અવસ્થાન કેટલા કાળ હાય તેની વિચારણા આમાં હાવાથી આ પન્નું નામ સ્થિતિ પદ છે. અર્થાત્ આમાં જીવાના જે વિવિધ પર્યાં છે, તેના આયુના વિચાર છે. જીવદ્રવ્ય તા નિત્ય છે, પણ તે જે નાના રૂપા-નાના જન્મ-ધારણ કરે છે તે પર્યાયેા તે અનિત્ય છે, તેથી તે ક્યારેક તા નષ્ટ થાય જ છે. આથી તેમની સ્થિતિના વિચાર કરવા પડે છે. અને તે પ્રસ્તુતમાં કરવામાં આવ્યા છે. જધન્ય આયુ કેટલુ અને ઉત્કૃષ્ટ આયુ કેટલુ એમ એ પ્રકારે તેના વિચાર પ્રસ્તુત છે. આમાં માત્ર સંસારી જીવાને જ આયુ હોઈ તેમના ભેને વિચાર છે. સિદ્દો તે સારીયા અપન્નચિતા’'—Tg ૭૮, ૫ ૨૪, સૂત્ર ૨૬૨) કહ્યા છે, તેથી તેમના આયુના વિચાર અપ્રાપ્ત હાઈ તે કર્યાં નથી. વળી, અજીવદ્રવ્યના પર્યાયાની સ્થિતિના વિચાર પણ આમાં નથી. કારણુ, તેમના પર્યાયે જીવના આયુની જેમ અમુક મર્યાદામાં કાલની દૃષ્ટિએ મૂકી શકાય તેમ નથી. તેથી તે વિચાર છેાડી દેવામાં આવે તે સ્વાભાવિક છે. પ્રસ્તુત પટ્ટમાં આયુને નિર્દેશક્રમ આ પ્રકારે છે : પ્રથમ તે તે વેના સામાન્ય પ્રશ્નાર લઈને તેના આયુના નિર્દેશ છે; પછી તેના અપર્યાપ્ત અને પર્યાપ્ત ભેદોના નિર્દેશ છે, જેમ કે પ્રથમ સામાન્ય નારકનું આયુ, પછી નારકના અપર્યાપ્તનું અને ત્યાર પછી પર્યાપ્તનું આયુ નિર્દિષ્ટ છે. આ જ ક્રમે એકેક નારક આદિ લઈને સ` પ્રકારના જવાના આયુવિચાર છે. નીચે અપાતી સૂચીમાં સામાન્યનું આયુ આપવામાં આવ્યું છે, પર્યાપ્તઅપર્યાપ્ત ભેદૅને આપ્યા નથી. વળી, આયુના વિચાર જધન્ય અને ઉત્કૃષ્ટ એમ એ પ્રકારે છે, તેથી તે અન્ને પ્રકારના સૂચીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્થિતિની જે સૂચી છે તે ઉપરથી પણ એ તેા ફલિત થાય જ છે કે પુરુષ કરતાં સ્ત્રીનું આયુ એછું છે. નારક અને દેવાનું આયુ મખ્ખુય અને તિર્યંચ કરતાં વધારે છે. એકેન્દ્રિયમાં અગ્નિકાયનું આયુ સૌથી એછું માનવામાં આવ્યું ૧. Ëંડાગમમાં કાલાનુગમ નામે આ જ વિચાર છે (પુ॰ ૭, પૃ ૧૧૪ અને ૪૬૨) ભેદ એ છે કે ગત્યાદિ ૧૪ દ્વારા વડે એકેક વના અને નાના જીવાની અપેક્ષાએ પણ વિચારે છે. આ વિચારની તુલના ઉત્તરા૦, ૩૬.૮૦ આદિમાં સતતિની અપેક્ષાએ જે કાલવિચાર છે તેની સાથે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ જે તે, અગ્નિ ઓલવાઈ જતા અનુભવમાં આવે છે, તે ઉપરથી જણાય છે. એકેન્દ્રિયમાં પૃથ્વીકાયિકનું આયુ સૌથી વધારે છે, પણ દ્રીન્દ્રિય કરતાં ત્રીન્દ્રિયનુ આયુ એન્નું માનવા પાછળ શું કારણ હશે તે જણાતું નથી. વળી, ચતુરિન્દ્રિયનુ આયુ ત્રીન્દ્રિય કરતાં વધારે છે. પણ દ્રીન્દ્રિય કરતાં ઓછુ છે, એ પણુ રહસ્ય છે. જીવલે ૧. નારક (૩૩૫) (૧) રત્નપ્રભા (૩૩૬) (૨) શકરાપ્રભા (૩૩૭) (૩) વાલુકાપ્રભા (૩૩૮) (૪) ૧’પ્રભા (૩૩૯) (૫) ધૂમપ્રભા (૩૪૦) (૬) તમઃપ્રભા (૩૪૧) (૭) અધઃસપ્તમ (૩૪૨) . (અ) ૩૧ (૩૪૩) (૩) ધ્રુવી (૩૪૪) (૧) ભવનવાસી દેવ (૩૪૫) દેવી (૩૪૬) ૩. પૃથ્વીકાયિક (૩૫૪) (૧) સૂક્ષ્મ પૃથ્વીકાયિક (૩૫૫)૪ (૨) આદર (૪) અપ્લાયિક (૩૫૬) (૩૫૭) (૫) તેજ:કાયિક (૩૬૦) ૬. વાયુ , (૩૬૩) ૭. વનસ્પતિ (૩૬૬) .. "" જઘન્ય દશ હજાર વ "" ૧ સાગરોપમ 3 ७ ૧૦ ૧૭ ૨૨ "" દશ હજાર વર્ષ "3 "" "" "2 "" "" ,, 39 [અસુરકુમારાદિ વિષે મૂળમાં જોવુ] અન્તમુત "" ,, "" "" .. ઉત્કૃષ્ટ ૩૩ સાગરાપમ ૧ ૩ 9 ૧૦ ૧૭ ૨૨ ૩૩ ૩૩ ૧૫ 23 .. 93 "" 12 "" २ .. ૧ સાગરે પમથી કંઈક અધિક ૪ પક્ષેાપમ "" પયેાપમ ૨. નારકામાં પ્રથમાદિ પૂનારકનું જે ઉત્કૃષ્ટ આયુ તે જ પછીના દ્વિતીયાદિ નારકમાં જધન્ય મનાયું છે. તે ઉપરની સૂચીથી ફલિત થાય છે. ૨૨૦૦૦ વર્ષ અન્ત ત ૨૨૦૦૦ વર્ષ ૭૦૦૦ વર્ષ ત્રણ રાત-નિ ૩૦૦૦ વર્ષ ૧૦૦૦૦ વર્ષ ૩. આ પછી સૂત્ર ૩૪૭-૩૫૩ સુધીમાં અસુરકુમારાદિ દેશ ભવનપતિનાં દેવ- દેવીનું આયુ છે. ૪. સૂક્ષ્મ અાય, તેજઃકાય વાયુ અને વનસ્પતિની સ્થિતિ આ જ પ્રમાણે છે; સૂત્ર ૩૫૮, ૩૬૧, ૩૬૪, ૩૬૭, Page #169 -------------------------------------------------------------------------- ________________ (૩૬૯) ૮. દ્વીન્દ્રિય ૯. ત્રીન્દ્રિય (3190) ૧૦. ચતુરિન્દ્રિય (૩૭૧) ૧૧. પંચેન્દ્રિયતિય ચ (૩૭૨) (અ) સંમૂખ઼િમ (૩૭૩) (૬) ગલ`જ (૩૭૪) (૬) જલચર (૩૭૫)૧ (૨) ચતુષ્પદ સ્થલચર (૩૭૮) (૩) ઉપરિસ` (૩૮૧) (૪) ભુજરિસપ` (૩૮૪) (૫) ખેચર (૩૮૭) ૧૨. મનુષ્ય (૩૯૦) ૧૩. વ્યન્તર દેવ (૩૯) દેવી (૩૯૪) ૧૪. જ્યાતિષ્ક દેવ (૩૯૫) જ્યેાતિક દેવી (૩૯૫)° ,, ૧૫. વૈમાનિક દેવ (૪૦૭) દેવી (૪૦૮) 39 ૧૪૮ ,, "" ,, .. "" . .. "" "" .. "" ૧૦૦૦૦ વર્ષ ? પલ્સેાપમ → પડ્યેાપમ [ચન્દ્રાની વિગત મૂળમાં જોવી] ૧ પલ્યેાપમ ૧૨ વર્ષ ૪૯ રાત-નિ .. પલ્યાસ ધ્યેયભાગ ત્રણ પલ્ય ૧ પયૅાપમ ? પયેાલમ ૧ પલ્યેાપમ + ૧ લાખ વર્ષ ,, [સૌધર્માદિની સ્થિતિ મૂળમાં જોવી છ માસ ૩ પક્ષેાપમ ૧ પૂવ કાટિ ૩ પુલ્યેાપમ ૧ પૂવ કાટિ ૩ પલ્સેાપમ ૧ પૂ'કેટિ o પયેાપમ + ૫૦૦૦૦ પ્રસ્તુતમાં અજીવની સ્થિતિને વિચાર નથી. તેનુ કારણ એ જણાય છે કે ધ, અધમ અને આકાશ તે નિત્ય છે અને પુદ્ગલેાની સ્થિતિ પણ એક સમયથી માંડી અસંખ્યાત સમયની છે તે પાંચમાં પદમાં કહ્યું જ છે (૫૧૫-૫૧૮), ૫. જલચરાદિમાં પણ ગજ અને સમૂછિમની સ્થિતિ જુદી જુદી ગણાવી છે. પણ તે સૂચીમાં નથી લખી. સૂત્ર ૩૭૬ આદિ. ૬. મનુષ્યમાં પણ ગંજ અને સમગ્ઝિમની સ્થિતિ જુદી ગણાવી છે.- સૂત્ર ૩૯૧-૯૨. ૩૩ સાગરોપમ ૫૫ પત્યેામ ૭. ચંદ્રાદિનાં દેવ-દેવીઓની સ્થિતિ પણ વંત છે-સૂત્ર ૩૯૭-૪૦૬, ૮. સૂત્ર ૪૦૯-૪૨૬. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ તેથી તેને જુદે નિર્દેશ જરૂરી નથી. વળી પ્રસ્તુતમાં તે આયુર્મકૃત સ્થિતિને વિચાર છે. તે અછવમાં અપ્રસ્તુત છે. પાંચમું “વિશેષ પદ : જીવ અને અજીવ દ્રવ્યના ભેદ અને પર્યાયે પ્રસ્તુત પાંચમાં પદનું નામ “વિશેસં–વિશેષ પદ છે. વિશેષ એટલે જીવાદિ દ્રવ્યના વિશેષ અર્થાત પ્રકારે. અને બીજો અર્થ છે છવાદિ દ્રવ્યના વિશેષ અર્થાત પર્યાયે, પ્રથમ પદમાં જીવ અને અજીવ એ બે દ્રવ્યના પ્રકારો, ભેદ-પ્રભેદ સાથે, ગણાવી દીધા છે. તેનું અહીં પણ સંક્ષેપમાં પુનરાવર્તન કર્યું છે, તે એટલા માટે કે પ્રસ્તુતમાં જે બાબત સ્પષ્ટ કરવાની છે તે એ કે જીવ અને અજીવના જે પ્રકારે છે તે પ્રત્યેકના અનંત પર્યાય છે. જે પ્રત્યેકના અનંત પર્યાયો હોય તો સમગ્રના પણું અનંત હોય જ. અને દ્રવ્યના જે પર્યાયો-પરિણામે હોય તે તે દ્રવ્ય ફૂટસ્થનિત્ય ન ઘટી શકે, પણ તેને પરિણુમિનિત્ય માનવું જોઈએ –આવું સૂચન પણ ફલિત થાય છે. અને વસ્તુનું રવરૂપ દ્રવ્ય અને પર્યાયરૂપ છે એ પણ આથી ફલિત થાય છે. એક બાબત, જે ધ્યાનમાં રાખવાની છે, તે એ પણ છે કે પદનું નામ ‘વિસેસ આપ્યા છતાં તે શબ્દનો ઉપયોગ સૂત્રોમાં કર્યો નથી; પણ સમગ્ર પદમાં તેને માટે પર્યાય શબ્દ વાપર્યો છે (સૂત્ર ૪૩૮-). જૈન શાસ્ત્રમાં આ પર્યાય શબ્દનું વિશેષ મહત્ત્વ છે. ગ્રંથકારે આથી પ્રથમ તે એ સુચન કર્યું કે પર્યાય કહે કે વિશેષ કહે એમાં કાંઈ ભેદ નથી. જે નાના પ્રકારના છ દેખાય છે, કે અજીવો દેખાય છે, તે સૌ તે તે દ્રવ્યના પર્યાય જ છે. પછી ભલે તે સામાન્યના વિશેષરૂપે–પ્રકારરૂપે—હોય અગર દ્રવ્યવિશેષના પર્યાયરૂપે હોય. જીવના જે ભેદે ગણાવ્યા છે, જેમ કે નારકાદિ, તે બધા પ્રકારે ને તે છવદ્રવ્યના પર્યાયે પણ છે. કારણ, અનાદિ કાળમાં જીવ અનેક વાર તે તે પ્રકારે અવતર્યો હોય છે. અને જેમ કોઈ પણ એક જીવના તે પર્યા છે તેમ સલ જીવોની સમાન યોગ્યતા હોઈ તે બધાએ પણ તે તે નારકાધિરૂપે જન્મ લીધે જ હોય છે. આમ જેને પ્રકાર કે ભેદ કે વિશેષ કહેવામાં આવે છે તે પ્રત્યેક જીવદ્રવ્યની અપેક્ષાએ પર્યાય જ છે, તે જીવની એક વિશેષ અવસ્થા જ છે, પર્યાય કે પરિણામ જ છે. પર્યાયશૂન્ય દ્રવ્ય કદી હતું જ નથી. એટલે તે તે દ્રવ્ય તે તે પર્યાયઅવસ્થામાં જ હોય છે-આવું સૂચન પ્રસ્તુત પદમાંથી ફલિત થાય છે, કારણ, જેને દ્રવ્ય કહેવામાં આવે છે તેને પણ પ્રસ્તુતમાં પર્યાયના નામે જ ઓળખવવામાં આવ્યાં છે (૪૩૯). સારાંશ કે દ્રવ્ય અને પર્યાયને અભેદ છે, એવું સૂચન આમાં છે. તેથી જ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ગ્રંથકારે દ્રવ્યના પ્રકાર માટે પણ પર્યાય શબ્દ વાપર્યો છે (૪૩૯, ૫૦૧). આ વસ્તુ આચાય` મલયગિરિએ પણ નોંધી છે. આમ દ્રવ્ય અને પર્યાયના અભેદ છતાં ગ્રંથકારને એ પણ સ્પષ્ટ કરવું હતું. કે દ્રવ્ય અને પર્યાયના ભેદ પણ છે, અને કોઈ એક જ દ્રવ્યના આ બધા પર્યાયેા-પરિણામેા નથી : આ બાબતની સૂચના જુદાં જુદાં દ્રબ્યોની સંખ્યા અને પર્યાયાની સંખ્યામાં જે ભેદ છે તે દર્શાવીને કરી છે, જેમ કે તેમણે નારકોને અસંખ્ય કથા (૪૩૯), પણ નારકના પર્યાયાને અનંત કહ્યા છે (૪૪૦). જીવાના જે નાના પ્રકાર છે, તેમાં વનસ્પતિ અને સિદ્ધએ એ જ પ્રકારે એવા છે, જેના દ્રવ્યાની સખ્યા અનંત છે. તેથી સમગ્રભાવે જીવદ્રવ્યા અનંત કહી શકાય, પણ તે તે પ્રકારામાં તે! ઉક્ત એના અપવાદ સિવાય બધાં જ દ્રવ્યો અસંખ્યાત છે, અનંત નહિ. અને છતાં તે બધા જ પ્રકારાના પર્યાયાની સંખ્યા અનત છે તે વસ્તુ પ્રસ્તુત પદમાં સ્પષ્ટ કરવામાં આવી છે. ગ્રન્થકારનાં આવાં સૂચનાને આધારે જ જૈન દાઈનિકેએ તિ સામાન્ય અને ઊર્ધ્વતાસામાન્યની માન્યતા સ્વીકારી છે. વૈશિક ભેદનું જે સામાન્ય છે તે તિય સામાન્ય છે અને કાલિક ભેદોનુ જે સામાન્ય છે તે ઊર્ધ્વતાસામાન્ય છે. ઊર્ધ્વતા સામાન્ય દ્રવ્યને નામે ઓળખાય છે. ઊર્ધ્વતાસામાન્ય એક છે અને તે અભેદજ્ઞાનમાં નિમિત્ત બને છે; જ્યારે તિય સામાન્ય અનેક છે, અને તે સમાનતામાં નિમિત્ત બને છે. વસામાન્ય એ અનેક વાની અપેક્ષાએ તિ સામાન્ય છે, પણ એક જ જીવના નાના પર્યાયાની અપેક્ષાએ તે ઊર્ધ્વતાસામાન્ય છે. કાલક્રમે દાર્શનિકાએ દ્રવ્ય, પર્યાય, સામાન્ય અને વિશેષ એ બધાં વિશે અન્ય દનાની તુલનામાં જે સ્પષ્ટીકરણા કર્યાં છે, તેનાં મૂળ આ ગ્રંથમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. અને પ્રસ્તુતમાં પણ જે સ્પષ્ટતા કરવામાં આવી છે તેનું મૂળ ભગવતી જેવા અગત્ર થામાં ઉપલબ્ધ છે જ.૨ વેદાન્તની જેમ જૈન મતે જીવદ્રવ્ય એક નથી પણ અનંતસંખ્યામાં છે. એટલે જીવસામાન્ય જેવી સ્વતંત્ર એક વસ્તુ કોઈ નથી, પણ અનેક જીવામાં જે ચૈતન્યધર્માં દેખાય છે તે નાના છે, અને તે, તે તે જીવમાં જ પરિબ્યાપ્ત છે અને તે ધર્મ અવથી ને જુદો પાડનાર છે, તેથી નાના છતાં એકસરખી રીતે ૧. ટીકા, પત્ર ૧૭૯ ૬, ૨૦૨ ૬. ૨. આ વિષયની ચર્ચા માટે જુએ . ન્યાયાવતારવાતિ કવૃત્તિની પ્રસ્તાવના, પૃષ્ઠ ૨૫-૩૧; અને આગમ યુગકા જૈન દર્શન, પૃષ્ઠ ૭૬-૮૬. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ અછવથી જીવને ભિન્ન સિદ્ધ કરવાનું કાર્ય કરતા હોવાથી સામાન્ય કહેવાય છે. આ સામાન્ય તિર્લફસામાન્ય છે, તે એક નથી પણ નાના છે, તેથી તેની અસમાનતા છતાં એના એ ભ્રમ છે; અથવા કલ્પિત એકતા છે. –વાસ્તવિક એકતા નથી તે જ પ્રમાણે અછવદ્રવ્ય કેઈ જુદુ એક દ્રવ્ય નથી. પણ અનેક અછવદ્રવ્યઅચેતનદ્રવ્ય છે. તે બધાં છવથી જુદાં છે માટે તે અર્થમાં તેમની સમાનતા અછવદ્રવ્ય કહેવાથી વ્યક્ત થાય છે, તેથી તે સામાન્ય અછવદ્રવ્ય તિર્લફસામાન્ય છે. આ તિર્યસામાન્યના પર્યા–વિશે–ભેદે તે પ્રસ્તુતમાં છવ અને અજીવના પર્યાય-વિશેષ-ભેદ છે (૪૩૯, ૫૦૧) એમ સમજવાનું છે. પણ જેને મતે કોઈ પણ એક દ્રવ્ય અનેક રૂપે પરિણત થાય છે, જેમ કે કેાઈ એક છવદ્રવ્ય નારકાદિ અનેક પરિણામોને ધારણ કરે છે. આ પરિણામો કાળક્રમે બદલાયા કરે છે. પણ છવદ્રવ્ય ધ્રુવ છે, અર્થાત તેને જીવ રૂપે કદી નાશ થતો નથી, નારકાદિ પર્યાયરૂપે નાશ થાય છે. અનેક નારકાદિ પર્યાયે ધારણ કરવા છતાં તે અચેતન બની જતું નથી. આ છવદ્રવ્યને સામાન્ય-ઊર્ધ્વતાસામાન્યકહ્યું છે, અને તે એક છે. અને તે સામાન્યના નાના પર્યા-પરિણામો-વિશે–ભેદે છે. પ્રસ્તુતમાં રયિકાદિના જે પર્યાયોની ચર્ચા છે (૪૪૦, ૫૦૪), તે આ ઊર્થતા સામાન્યની અપેક્ષાએ કરવામાં આવી છે. તેથી તે તેના પર્યાય-પરિણમે છે, એમ સમજવું. આમ પ્રસ્તુતમાં પર્યાય શબ્દ પ્રકાર–ભેદ અર્થમાં અને અવસ્થા કે પરિણામ એમ બે અર્થમાં પ્રયુક્ત છે. અને તે બન્નેનું સામાન્ય જુદુ જુદુ છે, એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ભેદોનું તિર્લફસામાન્ય વાસ્તવિક છતાં એક નથી, જ્યારે પર્યાનું ઊર્ધ્વતા સામાન્ય એક છે અને વાસ્તવિક છે. જવસામાન્યના નારકાદિ અનેક ભેદો-વિશેષ છે, તેથી તેને જીવન પર્યાય કહ્યા છે. અને જીવસામાન્યના અનેક પરિણામો–પર્યાયો પણ છે, તેથી તેને જીવના પર્યાયે કહ્યા છે. આ જ પ્રકારે અજીવ વિષે પણ સમજી લેવાનું છે. આમ ગ્રંથકારે પર્યાય શબ્દને બે અર્થમાં વાપર્યો છે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. અને પર્યાય અને વિશેષ એ બન્ને શબ્દોને એકાWક જ સ્વીકાર્યા છે. જેમાં અંગગ્રંથમાં પર્યાય શબ્દ જ પ્રચલિત હતું તેથી તે શબ્દ વિવરણમાં રાખે છે. પરંતુ વૈશેષિક દર્શનમાં વિશેષ શબ્દનો પ્રયોગ થવા લાગ્યો હતો તેથી તે શબ્દને પણ પ્રયોગ પર્યાય અર્થમાં અને વસ્તુના ભેદ અર્થમાં પણ થઈ શકે છે તે ૩. આવી કલ્પિત એકતાની દૃષ્ટિએ જ સ્થાનાંગમાં આવતાં “જે મા, ઇત્યાદિ વાક્યો સમજવાનાં છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર સચવવા આચાર્ય પ્રકરણનું નામ “વિસેસ એમ રાખ્યું હોય તેમ જણાય છે. વળી, એક બીજી વાતનું ધ્યાન રાખવાનું છે તે એ કે સંસારી અવસ્થાના જીવોમાં કમકૃત જે અવસ્થાએ છે, એટલે કે જેને આધારે જીવ સાથે પગલે સંબદ્ધ થાય છે અને તે સંબંધને લઈને જીવની નાની અવસ્થાઓ–પર્યાય બને છે, તે પૌગલિક પર્યાયે પણ છવના પર્યાય ગણવામાં આવ્યા છે. આમ સંસારી અવસ્થામાં જીવ અને પુગલને જાણે કે અભેદ હોય તેમ માનીને જીવના પર્યાનું વર્ણન છે. જેમ સ્વતંત્ર રીતે વર્ણ, રસ, ગંધ અને સ્પર્શની વિવિધતાને કારણે પુદ્ગલના અનંત પર્યાયે થાય છે (૫૧૯-), તેમ જ્યારે તે પુદ્ગલા જીવસંબદ્ધ હોય ત્યારે તે બધા જ જીવના પર્યાયો (૪૪૦) પણ ગણવામાં આવ્યા છે. આનું કારણ એ છે કે જ્યારે જીવ સાથે તે સંબદ્ધ હોય છે ત્યારે પુદગલમાં થતા પરિણમનમાં જીવ પણ કારણ છે, તેથી તે પર્યાયે પુદગલના છતાં જીવના છે એમ માનવામાં આવ્યું છે. અને આથી જ એ સ્પષ્ટ થાય છે કે સંસારી અવસ્થામાં જીવ અને પુગલને કથંચિત્ અભેદ પણ છે. અનાદિકાળથી આ અભેદ ચાલ્યો આવે છે અને તેને જ કારણે જીવનમાં આકાર, રૂપ આદિનું વૈવિધ્ય છે; અન્યથા સિદ્ધજીવોની જેમ સૌ જીવો એકસરખા જ રહે, માત્ર વ્યક્તિભેદ રહે, પરંતુ જે વિવિધ પ્રકારે સંસારી જીવોમાં નારકાદિ રૂપે ભેદ પડે છે તે પડે નહિ. આથી તે ભેદના નિયામક તરીકે જીવ અને પુગલનો કથંચિત અભેદ સ્વીકારવામાં આવ્યું છે. જ્યારે કર્મના આવરણથી છવ મુક્ત થાય છે, ત્યારે જીવમાં કોઈ પણ પ્રકારનું પુદ્ગલનું બંધન રહેતું નથી તેથી તેમાં કઈ પણ બાહાકારને ભેદ પણ–રૂ૫ આદિને પણ-રહેતા નથી. જેમ કમના ઉદયને કારણે જીવમાં બાહ્ય આકાર-પ્રકારમાં ભેદ પડે છે અને નાના પર્યાયનું સર્જન થાય છે, તેમ જીવમાં જે તેનું સ્વરૂપ જ્ઞાનાદિ છે, તેને કારણે પણ નાના પર્યાનું સર્જન થાય છે, આમ જીવના અનંત પર્યાયની સંગતિ ગ્રંથકારે જણવી છે. આ રીતે પ્રસ્તુત પદમાં જીવ અને અજીવ દ્રવ્યના ભેદો અને પર્યાનું નિરૂપણ છે. ભેદો વિષે તે પ્રથમ પદમાં નિરૂપણ હતું જ, પણ તે પ્રત્યેક ભેદમાં અનંત પર્યાયે છે, તેનું સૂચન કરવું એ પ્રસ્તુત પાંચમા પદની વિશેષતા છે. પ્રથમ પદમાં ભેદ બતાવ્યા હતા અને ત્રીજા પદમાં તેમની સંખ્યા જણાવી હતી, પણ તીજા પદમાં સંખ્યાગત તારતમ્યનું નિરૂપણ મુખ્ય હેઈ ક્યા વિશેની કેટલી સંખ્યા છે તે જાણવાનું બાકી રહી જતું હતું, તેથી પ્રસ્તુતમાં તે તે ભેદની સંખ્યા પણ જણાવી દીધી છે. અને પછી તે તે ભેદોના પર્યાયોની સંખ્યા પણ જણાવી દીધી છે. પર્યાયોની સંખ્યા તે બધા જ દ્રવ્યભેદોની અનંત છે. ભેદની Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧પ૩ સખ્યામાં કેટલાક અસખ્યાત તે કેટલાક અનંત છે. માત્ર વનસ્પતિ અને સિદ્ધોની સખ્યા જીવભેદાની અનત છે, બાકીના બધા જીવભેદે અસખ્યાત છે. વળી, પ્રસ્તુતમાં પ્રથમપદનિર્દિષ્ટ બધા જ ભેદ–પ્રભેદોને લઈને વિવરણ નથી, પણ સંસારી જીવેામાં મુખ્ય મુખ્ય જીવભેદ, જેતે Àાવીસ દડક' નામે ઓળખવામાં આવે છે, તેમની તથા સિદ્ધોની સંખ્યા અને પર્યાયાના વિચાર છે તે ધ્યાનમાં રાખવુ જરૂરી છે. આગળ ઉપર એ સૂચી આપવામાં આવે છે, તે જોવાથી એ સ્પષ્ટ થશે. તેમાં ન. ૧ થી ૨૪ સંસારી જીવાના ભેદો છે, તેને ચાવીસ દડક કહેવામાં આવે છે અને ૨૫મે નબર સિદ્ધોને છે. દ્રવ્યના નારકાદિ ભેદોના પર્યાયાને વિચાર અનેક પ્રકારે-અનેક દૃષ્ટિથી કરવામાં આવ્યા છે. અને તેમાં જૈનસંમત અનેકાંતદૃષ્ટિને ઉપયોગ સ્પષ્ટ છે. જીવના નારકાદિ જે ખેદાના પર્યાયાનું નિરૂપણુ છે, તેમાં દ્રવ્યા'તા (જ્વદયા), પ્રદેશા'તા (વરેસāતા), અવગાહનાતા (મોળાદ્દળતા), સ્થિતિ (fૐ), કૃષ્ણાદિ વ, ગંધ, રસ, સ્પ`, જ્ઞાન અને દર્શન- શ દૃષ્ટિઆના ઉપયોગ કરવામાં આવ્યે છે (સૂત્ર ૪૪૦-૪૫૪). વિચારણાના ક્રમ આવેા છે-પ્રશ્ન છે કે નારક જીવાના કેટલા પર્યાયેા છે. ઉત્તરમાં જણાવ્યુ` છે કે નારક જીવામાં અનંત પર્યાયેા છે. આ પર્યાયેાની સંગતિ જણાવવા માટે ઉક્ત દશે દૃષ્ટિથી તે પર્યાયાની સંખ્યા જણાવી છે. તેમાં કેકલીક દૃષ્ટિથી સખ્યાત તે કેટલીક દૃષ્ટિથી અસખ્યાત અને કેટલીક દૃષ્ટિથી અનંત સખ્યા થાય છે. અનતા કદષ્ટિને ધ્યાનમાં લઈ ને નારકના પર્યાયને અનંત કળ્યા છે, કારણ કે તે દૃષ્ટિએ સૌથી વધારે પર્યાયે ઘટે છે. વળી, તે તે સંખ્યાઓને સીધી રીતે નથી જણાવી, પણ એક નારકની અન્ય નારક સાથે તુલના કરીને તે સંખ્યા ફલિત કરવામાં આવી છે, જેમ કે—— દ્રવ્યાતા વડે કોઈ નારક અન્ય નારકોથી તુલ્ય છે, આમ કહ્યું. આના અ` એ છે કે દ્રવ્યદૃષ્ટિએ કોઈ નારક એક દ્રવ્ય છે તેમ અન્ય નારક પણ એક દ્રવ્ય છે. સારાંશ કે કોઈ પણ નારકને દ્રવ્યદૃષ્ટિથી એક જ કહેવાય, તેની સંખ્યા એકથી વધારે હાય નહિ અર્થાત્ તે સંખ્યાત છે. તે જ રીતે— ૪પ્રદેશાતા વડે પણુ નારક જીવે પરસ્પર તુલ્ય છે. આને અથ એ છે કે જેમ એક નારક—વના પ્રદેશ અસંખ્યાત છે, તેમ અન્ય નારકના પ્રદેશ X. દ્રવ્ય ધર્માસ્તિકાયાદિની જેમ સપ્રદેશ હાવાથી આ દૃષ્ટિએ વિચાર જરૂરી બને છે. વળી, કાળ અને પરમાણુ અપ્રદેશી છે તેથી સમગ્ર જીવાજીવના વિચાર હૈાય ત્યાં દેશદૃષ્ટિએ વિચારણા જરૂરી છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પણ અસંખ્યાત છે. સારાંશ કે પ્રદેશોની અપેક્ષાએ કઈ પણ એક નારક અસંખ્યાત છે એમ કહેવાય. અવગાહનાર્થતા વડે એટલે કે જીવના શરીરની ઊંચાઈની અપેક્ષાએ વિચારવામાં આવે તો એક નારક અન્ય નારકલી હીન પણ હોય, તુલ્ય પણ હોય અને અધિક પણ હોય. જીવપ્રદેશોની દષ્ટિએ સરખા છતાં નારકામાં શરીરની ઊંચાઈને લઈને જે ભેદ પડે છે, તે ઉક્ત ત્રણ પ્રકારનું છે. સંખ્યાની પરિભાષામાં આ વસ્તુ જણાવવી હોય તે એ જાણવું જરૂરી બને છે કે નારકની ઓછામાં ઓછી અવગાહના કેટલી? રત્નપ્રભામાં જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમો ભાગ છે અને ઉત્કૃષ્ટ સાત ધનુષ ત્રણ હાથ અને છ અંગુલ પ્રમાણે છે. આ અવગાહના ઉત્તરોત્તર બમણું વધતી જાય છે અને સાતમી નરકમાં ઉત્કૃષ્ટ અવગાહના પાંચસો ધનુષ છે. સારાંશ કે જઘન્ય અંગુલને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ; આ બે વચ્ચેની સંખ્યાઓનું તારતમ્ય તે હીનાધિકતાનું નિયામક બને છે. તેથી કઈ નારક અન્યથી હીન હોય તે અસંખ્યાત ભાગ કે સંખ્યાતભાગ હીન હોય; અથવા તે સંખ્યા ગુણ કે અસંખ્યાતગુણ હીન હેય. અધિક હોય તે પણ ઉક્ત પ્રકારની સંખ્યાથી જ અધિક હોય. આ રીતે નારકના અવગાહનાની દૃષ્ટિએ અસંખ્યાત પ્રકારના પર્યાય બને છે. સ્થિતિની અપેક્ષાએ વિચારવામાં આવે તે પણ અવગાહનાની જેમ જ છે. એટલે કે ઉક્ત અસંખ્યાતભાગહીન આદિ ચતુઃસ્થાનકે હીન અને અધિક હોય છે, અથવા તે તુલ્ય હોય છે. સારાંશ કે અસંખ્યાત પ્રકારે પર્યાય બને છે. ગણાદિવની અપેક્ષાએ વિચારવામાં આવે તે તેની અનંત પર્યાયે બને છે, કારણ કે એકમુણ કૃષ્ણથી માંડીને અનંતગુણ કૃષ્ણ હવાને સંભવ છે. આ જ બાબત ગંધ, રસ અને સ્પશને પણ લાગુ પડે છે. એટલે કે તે તે દૃષ્ટિએ નારકના અનંત પર્યાયે ઘટી શક્તા હોઈ તેના અનંત પર્યાયે છે. આમ નારક જીવના અનંત પર્યાની સંગતિ વણું રસ-ગંધ-સ્પર્શના પર્યાયે ધ્યાનમાં લેવામાં આવે તે છે, એમ ગ્રંથકારે સ્પષ્ટ કર્યું છે. ૫ પ્રજ્ઞાપનાર, પત્ર ૧૮૧ એ. For.Private & Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ તે જ પ્રમાણે જ્ઞાન અને દર્શનની દષ્ટિએ પણ તેને અનંત પર્યાયે છે, તેમ ગ્રંથકાર જણાવે છે. વર્ણાદિ પર્યાયે પૌગલિક છતાં તે જીવના છે, તે સ્પષ્ટીકરણ પ્રથમ થઈ જ ગયું છે. અને જ્ઞાનાદિ તો જીવના સ્વરૂપગત જ પર્યા છે. તેથી પણ જીવના-નારક જીવના-અનંત પર્યાની સંગતિ છે. આચાર્ય મલયગિરિ નેંધે છે કે પ્રસ્તુત જે દશ દૃષ્ટિઓ છે તેને સંક્ષેપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ–એ ચાર દષ્ટિમાં વિભક્ત કરી શકાય છે. દ્રવ્યર્થતા અને પ્રદેશાર્થતા એ દ્રવ્યમાં, અવગાહના એ ક્ષેત્રમાં સ્થિતિ એ કાલમાં અને વર્ણાદિ તથા જ્ઞાનાદિ એ ભાવમાં સમાવિષ્ટ છે. આ જ ન્યાયે દંડકોને વિચાર છે (૪૪૧-૫૪). અવગાહના અને સ્થિતિને લઈને તથા વર્ણાદિ અને જ્ઞાનાદિને લઈને છમાં હીનાધિકતા છે, એ આપણે જોયું. તેથી પુનઃ જઘન્ય-અવગાહનાવાળા, મધ્યમ અવગાહનાવાળા અને ઉત્કૃષ્ટઅવગાહનાવાળા નારકાદિ વીશે દંડકે, અને તે જ પ્રમાણે સ્થિતિ-જ્ઞાનદર્શનને લઈને ચોવીશે દંડકોના પયાની ક્રમે ચિંતા કરવામાં આવી છે. (સૂત્ર-૪૫૫–૪૯૯) અને તે અનંત છે એમ સિદ્ધ કર્યું છે. એ સમાપ્ત થયે અછવ-પર્યાયનો વિચાર છે. જીવોની અને તેમના પર્યાની સંખ્યા જીવભેદ વિશેષ (દંડક) દ્રવ્યસંખ્યા પર્યાયસંખ્યા અનંત (૪૩૯) અનંત ૧. નારક અસંખ્ય (૪૩૯) અનંત (૪૪૦૦૦ ૨. અસુર (૪૪૧) ૩. નાગ , (૪૨) ૪. સુપણું ૬. પ્રજ્ઞાપના , પત્ર ૧૮૨ એ. ૭. સૂત્ર ૪૩૯ માં સમગ્રભાવે છવપર્યયા (દ્રવ્યો)ને અનંત કહ્યા છે. અને પછી ક્રમે ૪૪૦ આદિ સૂત્રમાં જવના તે તે પ્રકારને અનંત પર્યાયવાળે જણવ્યો છે. આથી ફલિત થાય છે કે જીવના પર્યાયે અનંત છે. ૮. સૂગ ૪૩૯ નારકોને અસંખ્ય જણાવે છે અને ૪૪માં નારકના પર્યા અનંત જાણુવે છે, તેથી પ્રથમ દ્રવ્યપરક છે અને બીજુ પર્યાયપરક, એ સ્પષ્ટ છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ : ૫. વિશુકુમાર ૬. અગ્નિકુમાર ૭. દીપકુમાર ૮. ઉદધિકુમાર ૯. દિપકુમાર ૧૦. વાયુકુમાર ૧૧. સ્વનિતકુમાર ૧૨. પૃથ્વીકાયિક ૧૩. અકાયિક (૪૪૪) ૧૪. તેજ:કાયિક (૪૫) ૧૫. વાયુકાયિક (૪૪૬) ૧૬. વનસ્પતિ અનંત (૪૪૭) ૧૭. દીન્દ્રિય અસંખ્ય (૪૪૮) ૧૮. શન્દ્રિય (૪૯) ૧૯. ચતુરિન્દ્રિય (૫૦) ૨૦. પંચેન્દ્રિયતિ ચ (૪૫૧) ૨૧ મનુષ્ય (૪૫ર) ૨૨. વ્યન્તર (૪૫૩) ૨૩. તિષ્ક (૪૫૪) ૨૪. વૈમાનિક (૪૫૫) ૨૫. સિદ્ધ અનંત ,, અજીવના ભેદો અને પર્યા પ્રથમ પદમાં અછવના જે પ્રકારે ભેદ કર્યા છે (૪–૬), તે જ ભેદ પ્રસ્તુત પાંચમા પદમાં પણ છે. ફરક એ છે કે પ્રથમમાં તે પ્રજ્ઞાપનાને નામે છે અને અહીં પર્યાયને નામે (૫૦૦-૫૦૨) છે. પ્રથમ પદમાં પુગલ એટલે કે રૂપી અજીવ, જે નાના પ્રકારે પરિણત થાય છે, તે પણ આપણે જોઈ ગયા છીએ. પ્રસ્તુતમાં તે મુખ્ય પ્રશ્ન છે તે ગણવેલ ભેદોના પર્યાયોની સંખ્યાને, એટલે તેને ઉત્તર આપે છે કે તે અનન્ત છે (૫૦૩). પણ રૂપી અજવના કંધાદિ જે ચાર ભેદે છે, તેમાં વિચારણુમાં તો મુખ્યત્વે બે જ એટલે કે પરમાણુ અને સ્કંધ જ લેવામાં આવ્યા છે, કારણ, સકંદેશ અને સ્કંધપ્રદેશ WWW.jainelibrary.org Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ એ ખરી રીતે તે સ્કન્ધાન્તર્ગત જ છે. તેથી પરમાણુ, જે અંધથી જુદો છે. તે અને અનેક પરમાણુ જ્યારે ભેગા મળે ત્યારે જે પિંડ બને છે તે અંધ, એમ બે જ મુખ્ય ભેદ પુદ્ગલના બને છે. તેથી પ્રથમ સમગ્રભાવે રૂપી અજીવના પર્યાયની સંખ્યા અનંત કહી (૫૦૩) અને પછી પરમાણુ (૫૦૪), દિપ્રદેશી સ્કંધ (૫૦૫), રિપ્રદેશી ક ધ (૫૦૬), યાવત દશપ્રદેશી (૫૦૭) અને સંખ્યાતપ્રદેશી (૫૦૮) અસંખ્યાતપ્રદેશી (૫૦૯) અને અનન્તપ્રદેશી (૫૧૦) એ પ્રત્યેકના પર્યાયે અનન્ત કહ્યા છે. તે સૌના પર્યાનો વિચાર જીવની જેમ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવથી કરવામાં આવ્યો છે. તે ઉપરથી પરમાણુ વિષે જે બાબત ધ્યાનમાં લેવા જેવી છે તે એ કે જ્યારે પરમાણુ સ્કંધથી જુદો હોય ત્યારે તેના બધા જ સ્વતંત્ર પરમાણુની અવગાહના સમાન છે, એટલે કે સૌ સરખું ક્ષેત્ર રેકે છે (૫૦૪). પણ તેમની કાલિક સ્થિતિમાં ભેદ છે. કેઈ પરમાણુ એકજ સમયની સ્થિતિવાળા હોય છે, તે કઈ બે સમયની સ્થિતિવાળ, ચાવત અસંખ્યાત કાલની સ્થિતિવાળા હોય છે. માળોઃ સાપરિગ્સ ૩ષતોડr૪મસ્થાન-વૈજ્ઞાપનાર, પત્ર ૨૦૨ ૨. પણ સ્વતંત્ર પરમાણુની અનંતકાળની સ્થિતિ નથી, તેથી એક પરમાણુ અન્ય પરમાણુની કાલિક સ્થિતિથી અપેક્ષાએ હીન પણ હોય, તુલ્ય પણ હોય અને અધિક પણ હોય. હીનાધિક હોય તે ચતુઃસ્થાનપતિત છે, એટલે કે સંખ્યાતભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણહીન કે અધિક હોય. પણ પરમાણુના વર્ણાદિ પર્યાય-પરિણામો તે અનંત પ્રકારના છે, તેથી કઈ એક પરમાણુ અન્ય પરમાણુની તુલનામાં હીન-અધિક હોય તે સ્થાન પતિત કહેવાય છે એટલે કે અનંતભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનંતગુણ હીન કે અધિક હોય છે (૫૦૪). આ રીતે પરમાણુના પર્યાયે ભાવની અપેક્ષાએ અનંત સિદ્ધ થતા હોવાથી અનંત કહેવાય છે. ક્રિપ્રદેશ, ત્રિપ્રદેશ યાવત્ અનંતપ્રદેશી સ્કે ધોની બાબતમાં જે ધ્યાનમાં લેવાનું છે તે એ કે પ્રદેશોની અપેક્ષાએ તે તે છે સમાન પ્રદેશી કંધે સાથે તુલ્ય હોવા છતાં પણ તેમની જે અવગાહના છે, એટલે કે ક્ષેત્રના જેટલા પ્રદેશ તે સ્કંધે રોકે છે, તેમાં તફાવત પડે છે. દિપ્રદેશી ઢંધ આકાશના એક પ્રદેશમાં પણ રહી શકે છે અને બે પ્રદેશમાં પણ રહી શકે છે (પ૦૫). તે જ પ્રમાણે ત્રિપ્રદેશ સ્કંધ ત્રણ, બે અથવા એકમાં રહી શકે છે (૫૦૬). અને તે જ પ્રમાણે સંખ્યાત સુધીમાં જટલા પ્રદેશ જે કંધના હોય તે સ્કછે પિતાપિતાના Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રદેશાની સખ્યા જેટલા આકાશપ્રદેશ રોકે છે. અને ક્રમે ધટે તે યાવત્ આકાશના એક પ્રદેશમાં પણ સંખ્યાતપ્રદેશી સ્કંધ સમાઈ શકે છે (૫૦૭–૮). અને અસ ખ્યાતપ્રદેશી કધ એક પ્રદેશથી માંડીને અસખ્યાત પ્રદેશ કી શકે છે (૫૦૯). પણ અનંતપ્રદેશી સ્કંધ એકથી માંડી અસંખ્યાત પ્રદેશમાં જ સમાઈ શકે છે; તેને અનંત પ્રદેશની જરૂર નથી (૫૧૦). આમ માનવાનું કારણ એ છે કે લાકાશના પ્રદેશા તો અસંખ્યાત જ છે, તેથી અનંતપ્રદેશી સ્પધને તેટલા જ પ્રદેશામાં સમાઈ જવુ પડે છે, કારણ કે લેાકાકાશની બહાર તા આકાશ સિવાય કાઈ દ્રવ્ય છે જ નહિ. આ બાબતને પ્રદીપદૃષ્ટાંતથી પણ સમજાવવામાં આવે છે. પરમાણુની જેમ સ્ક ંધાની સ્થિતિ પણ એક સમયથી માંડી અસંખ્યાત કાળથી વધારે નથી. પરમાણુની જેમ સ્ક ંધાના પણ વક્તિ પર્યાયના અનંત જ છે (૫૦૫-૫૧૦). આમ પ્રથમ પરમાણુથી માંડીને અનતપ્રદેશી સ્મુધાના પર્યાયાને જે વિચાર થયા, તેમાંથી ફલિત એ થયું કે પુદ્ગલા આકાશના એક પ્રદેશમાં, એ પ્રદેશમાં, યાવત સખ્યાત પ્રદેશમાં અને અસખ્યાત પ્રદેશમાં સમાવેશ પામે છે, તે જ પ્રમાણે એક સમયથી માંડીને યાવત અસંખ્યાત કાળની સ્થિતિ ધરાવે છે. તેથી એકપ્રદેશાવગાઢથી માંડીને અસ ખ્યાતપ્રદેશાવગાઢ (૫૧૧-૫૧૪) અને એકસમયસ્થિતિથી માંડીને અસંખ્યાતસમયસ્થિતિક પુદ્ગલાના પર્યાયેા વિષે (૫૧૫-૫૧૮) પણ જુદી વિચારણા કરીને તે બધાયના પર્યાયેા પણ અનંત છે તેમ જણાવી દીધું. આમાં પણુ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની દૃષ્ટિએ જ વિચાર છે. એ જ ન્યાયે વણું આકૃિત પુદ્ગલના જે ભેદો છે, તેમાં પણ અનંત પર્યાય સિદ્ધ કર્યા છે (૫૧૯–પર૪). આ ઉપરાંત અવગાહના, સ્થિતિ અને વર્ણાદિકૃત જે ભેદો છે તેના જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા માત્ર ત્રણ ભેદ પાડીને તેમના પર્યાયાને પણ અનંત કહ્યા છે (પર૫–૫૫૮). આમ અનેક રીતે એક જ વાત કહેવામાં આવી છે કે પુદ્ગલના પર્યાયે અનત છે. * વિશેષમાં એ જાણવું જરૂરી છે કે પરમાણુવાદી ન્યાય—વૈશેષિકા પરમાણુને નિત્ય માને છે; તેના પરિણામેા માનતા નથી; જ્યારે જૈના પરમાણુને પરિણામી નિત્ય માને છે. તે સ્વતંત્ર હોય ત્યારે પણ તેમાં પરિણુામા થાય છે, તે પ્રસ્તુત અને પ્રથમ ૯. યુક્તિ અને પ્રદીપદૃષ્ટાંત માટે પ્રજ્ઞાવનાટીા, પત્ર ૨૪૨ ૬ જુઓ. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ પદના નિરૂપણથી સ્પષ્ટ થાય છે જ. વળી, જ્યારે તે સ્કંધના પ્રદેશરૂપે હોય છે ત્યારે પણ, સ્કંધ અને પરમાણુમાં, ન્યાય-વૈશેષિકના અવયવ અને અવયવીના અત્યંત ભેદની જેમ, અત્યંત ભેદ નથી. પરમાણુ સ્કંધરૂપે પરિણત થાય છે, અને તે સંકધના વળી પરમાણુઓ બને છે. આવી પ્રક્રિયા જેનાભિમત છે. વળી, પરમાણુ વિષે બીજી એક વાત જે સ્પષ્ટ થાય છે તે એ કે પરમાણમાં તૈયાયિક-વૈશેષિકની જેમ જાતિભેદ નથી. એટલે કે પાર્થિક પરમાણુ આદિપે જુદી જુદી જાતિના પરમાણુઓ નથી, પણ કઈ પણ એક પરમાણુ પૃથ્વી આદિ અનેક રૂપે પરિણત થઈ શકે છે. કોઈ પણ એક પરમાણુમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ ચારેય હોય છે. અને તે ચારેયના તારતમ્યને કારણે તેના અનંત પરિણામો બને છે. આથી વિરુદ્ધ ન્યાય-વૈશેષિકને મત છે. તેમાં પ્રત્યેક પરમાણુમાં રૂપરસાદિ ચારેય અનિવાર્ય નથી. છઠ્ઠ વ્યુત્કાન્તિઃ પદ : જીવોની ગતિ અને પાગતિ પ્રસ્તુત પદના વિષયની સુચના પ્રારંભમાં વઘંતિ–(સત્ર ૨) “વ્યુત્કાન્તિ એ શબ્દથી આપવામાં આવી છે. ટીકાકાર એ વિષે પ્રારંભમાં કશું જે વ્યાખ્યાન કરતા નથી, પણ છઠ્ઠા ૫દાના પ્રારંભમાં જે અધિકારગાથા આપવામાં આવી છે (સૂ) ૫૫૯) અને તેની જે વ્યાખ્યા છે, તે ઉપરથી સ્પષ્ટ છે કે પ્રસ્તુત પદને વિષય નાના પ્રકારના જીવોની વ્યુત્ક્રાતિ એટલે કે તે તે ગતિમાં ઉત્પત્તિ અને તે તે ગતિમાંથી અન્યત્ર ઉત્પત્તિને લગતા પ્રશ્નોની ચર્ચા કરવી એ છે. સારાંશ કે જીવોની ગતિ અને આગતિનો વિચાર પ્રસ્તુત પદમાં છે. અને તે વિચારણું નીચેના મુદ્દાઓ વિષે કરવામાં આવી છે– ૧. (મ) ઉપપાતવિરહકાલ–નારકાદિ તે તે પ્રકારના છો તે તે રૂપે ઉત્પન્ન થયા કરે છે, તેમાં વચ્ચે ઉત્પત્તિશૂન્ય કાળ કેટલે, તેની ચર્ચા. (૧) ઉનાવિરહકાલ– નારકાદિ જો મર્યા કરે છે તેમાં વચ્ચે મરણ શૂન્ય કાળ કેટલે, તેની ચર્ચા. આમાં નારક, તિૌચ, મનુષ્ય અને દેવ એ ચારેય ગતિમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત ઉપપાતવિહકાળ અને ઉધનાવિરહકાળ હોવાથી પ્રથમ અધિકારનું નામ વારસ–બાર એમ રાખ્યું છે (૫૬૦–૬૮). Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ૨. અને તે તે ગતિના પ્રભેદોને વિચાર કરવામાં આવે તેા ઉપાતવિરહકાળ અને ઉર્દૂત'નાવિરહકાળ પ્રથમ નરકમાં જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાવીશ મુહૂર્ત હોવાથી ખીજા અધિકારનું નામ ચવીસા-ચાવીશ એમ રાખ્યુ છે (૫૬૯–૬૦૮). સિદ્ધગતિમાં ઉપપાત તેા છે, કારણુ, મનુષ્યનું નિર્વાણું થાય છે ત્યારે તે સિદ્ધગતિમાં જાય છે, પણ સિદ્ધગતિમાંથી ઉદ્ધૃત'ના નથી, એટલે કે જે જીવ સિદ્ધ થઈ ગયા છે તેને તે સિદ્ધગતિ કદી પણ છેડવાની નથી. આથી સિદ્દગતિ વિષે ઉપપાતવિરહકાળના પ્રશ્ન ઉપસ્થિત થતા હાવાથી તેનેા ખુલાસા કર્યા છે કે સિદ્ધગતિમાં ઉપપાતવિહકાળ જઘન્ય એક સમય છે અને ઉત્કૃષ્ટ છ માસના (૫૬૪), પણ ઉદ્દતનાવિરહકાળ વિષે તે પ્રશ્ન જ ઊઠતા નથી. આથી મેાક્ષમાંથી પુનરાગમન સંસારમાં નથી થતું એવી જૈનાની માન્યતા ફલિલ થાય છે એ ચાક્કસ છે, તે ધ્યાનમાં રાખવા જેવુ છે. આચાય. મલયગિરિએ ઠીક જ પ્રશ્ન ઉઠાવ્યેા છે કે આગામી સૂત્રમાં એક પણ નરકના ઉપપાતવિરહકાળ ૧૨ મુદ્દત જણાવ્યા નથી, પણ ૨૪ મુદ્દત અને તેથી વધારે છે, તે સામાન્યમાં ઉત્કૃષ્ટ ૧૨ મુદ્દત' વિરહુકાળ કેવી રીતે ઘટે ? તેને ખુલાસો તેમણે આપ્યા છે કે જ્યારે રત્નપ્રભાદિ એકેક નારકના વિચાર કરવામાં આવે છે, ત્યારે ઉત્કૃષ્ટ ૨૪ મુર્તી આદિ વિરહકાળ છે, છતાં પણ સાતેય નરકાતે એકસાથે રાખીને વિચાર કરીએ તે બાર મુદ્દત' પછી તો કોઈને કોઈ નરકમાં જીવ ઉત્પન્ન થાય જ છે, તેથી તેમાં બાધ નથી. આ જ ન્યાય અન્ય ગતિ વિષે પણ છે.—‘fષે દિ નામ રત્નત્રમાgિજૈનિર્ધારનેન અવિરતિમુકૂર્તાदिप्रमाण उपपातविरहो वक्ष्यते, तथापि यदा सप्तापि पृथिवीः समुदिता अपेक्ष्य उपपातविरहश्चिन्त्यते तदा स द्वादशमुहूर्तप्रमाण एव लभ्यते, द्वादशमुहूर्तानन्तरमवश्यमन्यतरस्यां पृथिव्यामुत्पादसम्भवात् । तथा केवलवेदसोपलब्धेः । यस्तु प्रत्येकमभावे समुदायेऽप्यभावः' इति न्यायः स कारणकार्यधर्मानुगमचिन्तायां नान्यत्र - इत्यदोषः । " प्रज्ञापनाटीका, पत्र २०५ ब. એ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે કે વપ્રભેદમાં બધાને સરખી રીતે ઉત્કૃષ્ટ વિરહકાળ ૨૪ મુદ્દ` નથી પણ એછે-વધતા પણ છે. અને છતાં અધિકારનું નામ ચવીસા’' રાખ્યુ છે તેનુ કારણ એ જણાય છે કે પ્રભેદમાં રત્નપ્રભાથી ગણતરી શરૂ કરી છે અને તેને ઉપપાત અને `તના વિરહકાળ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૨૪ * ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત છે, તેથી તે પ્રારંભનું પદ પકડીને અધિકારનું નામ આપ્યું હોય એવો સંભવ છે. વળી, આર્ય શ્યામાચાય એ ધ્યાનમાં લેવા જણાવે છે કે જ્યોતિષ્ક અને વૈમાનિક દે વિષે ઉતના શબ્દને પ્રયોગ કરે નહિ પણ “ચ્યવન” શબ્દને પ્રયોગ કરવો (૬૦૮). જીવપ્રભેદમાં ઉપપાતવિરહકાળ અને ઉતનાવિરહકાળ સમાન જ છે, તેથી સાથેની સૂચીમાં તે આપવામાં આવે છે અને બધા જ છો જઘન્ય વિરહકાળ તે એક જ અભિપ્રેત છે તેથી તેને જુદો નિર્દેશ જરૂરી નથી. જીવાના ઉપપાતને અને ઉદ્વર્તનને વિરહકાળ (ઉત્કૃષ્ટ) 1. નિરયગતિ ૧૨ મુદ્દત (૫૬ ૦) ૧-૧. રત્નપ્રભા નરક (૫૬૯) ૧-૨. શર્કરામભા નરક ૭ રાત-તિ (૫૭૦) ૧-૩. વાલુકાપ્રભા નરક અધમાસ (૫૭૧) ૧–૪. પંકપ્રભા , ૧ ભાસ (૫૨) ૧–૫. ધૂમપ્રભા , ૨ માસ (૫૭૩). ૧-૬. તમા ૪ માસ (૫૭૪) ૧-૭. અધઃસપ્તમી નરક ૬ માસ (પ૭૫) તિરિયગતિ ૧૨ મુહૂર્ત (૫૬૧) ૨–૧. પૃથિવીકાયિક અપુરમયવિરહિ= વિરહકાળ નથી (પ૭૯) ૨-૨. અપ્લાયિક (૫૮ ૦). ૨-૩. તેજ:કાયિક (૫૮ ૦) ૨-૪. વાયુકાયિક (૫૮ ૦) ૧. બધાના ઉદ્ધતના વિરહકાળ માટે સૂત્ર ૬ ૭ અને ૬૦૮ જેવાં. કૌંસમાં આપેલ સૂત્રે ઉપપાતવિરહકાળ માટે છે. ૨. તિર્યંચગતિને જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુદ્દત વિરહકાળ કહ્યો છે (૫૧); અને પ્રસ્તુત માં વિરહકાળ નથી જ એમ ફલિત થાય છે, તે આની સંગતિ શી હોઈ શકે, તે બાબતમાં આચાર્ય મલયગિરિ કશે ખુલાસો કરતા નથી. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ૩. ૨–૫. વનસ્પતિ વિરહકાળ નથી (૫૮૦) ૨–૬. દીન્દ્રિય અન્તમુહૂર્ત (૫૮૧) ૨–૭. ત્રીન્દ્રિય (૫૮૨) ૨-૮. ચતુરિન્દ્રિય (૫૮૨) ૨–૯. સંછિમ પંચેન્દ્રિય (૫૮૩) ૨–૧૦. ગર્ભવ્યુત્કાતિક પંચેન્દ્રિય ૧૨ મુદત (૫૮૪) મનુષ્યગતિ (૫૬૨) ૩–૧. સંમરિછમ ૨૪ (૫૮૫) ૩–૨. ગર્ભવ્યુત્કાન્તિક ૧૨ ,, (૫૮૬) દેવગતિ ૧૨ મુહૂર્ત (૫૬૩) ૪–૧. અસુરકુમાર (૫૬૪) ૪–૨–૧૦. નાગકુમારાદિ (૫૬૫–૭૮) ૪–૧૧. વાણુમંતર (૫૮૭) ૪–૧૨. જ્યોતિષ્ક (૫૮૮) ૪–૧૩. સૌધર્મ (૫૮૯) ૪–૧૪. ઈશાન (પ૯૦) ૪-૧૫. સનકુમાર નવ રાતદિન + ૨૦ મુહૂર્ત (૫૯૧) ૪–૧૬. મહેન્દ્ર ૧૨ રાતદિન + ૧૦ ,, (૫૯૨) ૪–૧૭. બ્રહ્મલોક ૨૨ રાતદિન (૫૯૩) ૪–૧૮. લાંતક (૫૯૪) ૪–૧૯, મહાશુક્ર (૫૫) ૪–૨૦. સહસ્ત્રાર ૪-૨૧, આનત સંખ્યાત માસ (૫૯૭) ૪–૨૨. પ્રાણત (૫૯૮) ૪–૨૩. આરણ (૫૯૯) ૪-૨૪. અયુત સંખ્યાત વર્ષ (૬૦૦૦) ૪-૨૫. હેદિમ ચૈવેયક , ,, શત (૬૦૧) ૪–૨૬. મનિઝમ , ,, સમસ્ત્ર (૬૦૨) ૪–૧૭. ઉવરિમ લાખ (૬૦૩) ૪–૨૮-૩૧. વિજયાદિ અસંખ્યાતકાળ (૬૦૪) ૮ ૦ છે વર્ષ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ૪-૩૨. સર્વાર્થસિદ્ધ પલ્યને સં યભાગ (૧૫) ૫. સદ્ધગતિ છ માસ (પ૬૪) } . પતિપ. સિદ્ધ , (૬૦૬) ઉધના સિદ્ધનનાથી ૩. સાંતર દ્વારમાં એ નક્કી કરવામાં આવ્યું છે કે તે તે જીવપ્રભેદોમાં નિરંતર જીવોને ઉપપાત અને ઉના થયા કરે છે કે તેમાં વ્યવધાન પણ છે? - આનું સ્પષ્ટીકરણ એ છે કે સાંતર એટલે કે વ્યવધાન પણ છે અને નિરંતર પણ છે વ્યવધાન રહિત પણ છે. પ્રથમ બે કારમાં જે જીભેદને લીધા છે, તે જ ભેદને પ્રસ્તુતમાં પણ લીધા છે. ઉક્ત નિયમમાં અપવાદ માત્ર પૃથ્વીકાયિક, અપકાયિક, તેજ:કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાવિક છે. તેમાં નિરંતર જ ઉપપાત થયા કરે છે અને ઉકતના પણ નિરંતર જ છે (૬ ૧૭–૧૮, ૬૨૫); સાંતરને વિકલ્પ સ્વીકાર્યો નથી. અહી' પણ પ્રશ્ન થાય છેપ્રથમ બે ધારેમાં વિરહકાળનું વિધાન છે, તે પછી પ્રસ્તુત દ્વારમાં ‘નિરંતર” કહેવાનું તાત્પર્ય શું છે? અહી આચાર્ય મલયગિરિએ પણ કંઈ ખુલાસો નથી કર્યો. અહીં પણ સંભવ એવો જણાય છે કે સમગ્રભાવે નરકે લઈએ તે નિરંતર હોય અને એકેક નરકગતિ લઈએ તે તેમાં નારકને ઉપપત નિરંતર ન હોય પણ વ્યવધાન પડતું હોય. પખંડાગમમાં આ ચર્ચા જુદી રીતે આવે છે તેની અહીં નોંધ લેવી જોઈએ. અને વિવરણમાં તુલના કરતાં મતભેદ પણ જણાય છે, તે જિજ્ઞાસુએ તુલના કરી જોઈ લેવું જોઈએ. પખંડાગમમાં અંતરાનુગમ પ્રકરણમાં એક જીવ તે તે ગતિ આદિમાં ફરી ક્યારે આવે તેના અંતરનો વિચાર (પુર ૭, પૃ. ૧૮૭), નાના જીવની અપેક્ષાએ અંતર છે કે નહિ તેને વિચાર (પુ. ૭, પૃ. ૨૩૭), તથા નાના જીવની અપેક્ષાએ નરકે આદિમાં નારક જી આદિ કેટલે કાળ રહી શકે છે તેને વિચાર (પુ. ૭, પૃ. ૪૬૨) છે. અને ષટૂખંડાગમની પદ્ધતિ પ્રમાણે ગત્યાદિ ૧૪ માર્ગદ્વારેને લઈને એ વિચાર છે, તે તેની વિશેષતા છે. ઉપરાંત, જુઓ ખંડાગમ. પુત્ર ૫ માં અંતરાનુગમ પ્રકરણ, પૃ ૧ થી. ૪. એકસમયદ્વારમાં એ નક્કી કરવામાં આવ્યું છે કે તે તે જીવોમાં એક સમયમાં કેટલાનો ઉ૫પાત અને કેટલાની ઉકતના છે ? આનું વિવરણ નીચેની સૂચી પ્રમાણે છે. ઉપપાત અને ઉધનાની સંખ્યામાં પણ ભેદ નથી, તે ધ્યાનમાં Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ લેવાનું છે. પણ તેનો અર્થ એ નથી કે એક સમયમાં જેટલા ઉત્પન્ન થાય છે. તેટલા જ મરણ પામે છે. કારણ, ઉપપાત અને ઉનાની સંખ્યામાં વિકલ્પ છે. એક સમયમાં કેટલા ને ઉપપાત અને ઉકતના ૧. નારકો (૧-૭) જઘન્ય એક, બે અથવા ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત અથવા તે અસંખ્યાત (૬૨૬-૬ર૭). ૨. અસુરકુમારાદિ (-૧૦) જઘન્ય એક, બે અથવા ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાતા અથવા તે અસંખ્યાત (૬૫૮-૯). ૩. પૃથ્વીકાયિક યાવત વાયુ પ્રત્યેક સમયમાં નિરંતર અસંખ્યાત (૬૩૦-૩૧). ૪. વનસ્પતિ (અ) સ્વસ્થાન અર્થાત વનસ્પતિમાંથી મરીને વનસ્પતિરૂપે ઉત્પન્ન થનાર પ્રત્યેક સમયમાં નિરંતર અનંત છે (૬૩૨). (૧) પરસ્થાન અર્થાત પૃથ્વી આદિમાંથી મરીને વપસ્પતિરૂપે ઉત્પન્ન થનાર પ્રત્યેક સમયમાં નિરંતર અસંખ્યાત છે (૬૩૨). આ જ પ્રમાણે ઉદ્વર્તન વિષે પણ સમજવું (૩૮). ૫. હીન્દ્રિય જધન્ય એક બે કે ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત (૬૩૩). ૬. ત્રીન્દ્રિય ૭. ચતુરિન્દ્રિય 1 જઘન્ય એક, બે, ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત કે ૮. સંમૂછિમ પંચેન્દ્રિયતિય ચ | અસંખ્યાત (૬ ૩૪). ૯. ગભજ પંચેન્દ્રિયતિર્યંચ 1 ૧૦, સંમૂછિએ મનુષ્ય ૧૧. ગર્ભજ મનુષ્ય જઘન્ય એક, એક બે, કે ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત (૩૫) ૧૨. વાણુમંતર – ૧૩. જ્યોતિષ્ઠ– ૧૪. સૌધર્મ યાવત સહસ્ત્રાર જઘન્ય એક બે કે ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત (૬ ૩૪). ૧૫. આનત યાહત અનુત્તર જઘન્ય એક, બે, ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત (૩૫). ૧૬. સિદ્ધ જઘન્ય એક, બે કે ત્રણ; ઉત્કૃષ્ટ ૧૦૮ (૬૩૬). ૫. જૉ (:) દ્વારમાં જીવો તે તે પ્રભેદમાં ક્યાંથી મરીને ઉત્પન્ન થાય એ પ્રશ્નને ઉત્તર આપે છે. એટલે કે જીવના જે નાના પ્રકારો ૩. કસમાં મૂકેલ સૂત્રો ઉ૫પાત માટે છે, ઉઠના માટે સૂત્ર ૬૩૭-૬૩૮. ૪. જીવની ગતિ ગતિ વિષેની ચર્ચા ટૂખડાગમમાં પોતાની રીતે ૧૪ ભાગ. @દાર વડે કરવામાં આવી છે.—પુસ્તક ૬, પૃ. ૪૧૮ થી. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ છે, તેમાં ઉત્પન્ન થવાની યેાગ્યતા સૌની સરખી છે કે તેમાં કંઈ અપવાદ છે ? સામાન્ય રીતે બધા જ જીવે નાના ભવ એટલે કે બધા જ ભવાને યોગ્ય છે. પરંતુ અમુક પ્રકારના જીવરૂપે ઉત્પન્ન થવાનુ. હાય તેા અવ્યવહિત પૂર્વમાં તે જીવને કયા ભવ હાવા જરૂરી છે તેના નિર્ણીય પ્રસ્તુતમાં કરવામાં આવ્યા છે. જીવા કયા ભવમાંથી આવે ? ૧. નારક (અ) તિ યચપ ંચેન્દ્રિય પર્યાપ્તના બધા જ ભેદમાંથી; સિવાય કે અસ ખ્યાત વર્ષાયુવાળા ચતુષ્પદ્દ, સ્થલચર અને ખેચર ૬૩૯ [૧-૨૨]. (આ) ક`ભૂમિજ સખ્યાત વર્ષાયુવાળા ગભČજ પર્યાપ્ત મનુષ્યમાંથી (૬૩૯ [૨૩–૨૬]). (૧) પ્રથમ રત્નપ્રભામાં સામાન્ય નારકની જેમ (૬૪૦). (૨) શ`રામાં સમૂચ્છિમ તિ પ ંચેન્દ્રિય સિવાયના ઉપર પ્રમાણે (૬૪૧). (૩) વાલુકામાં ભુજપરિસપ` સિવાયના શકરા પ્રમાણે (૬૪૨). (૪) પંકપ્રભામાં ખેચર સિવાયના વાલુકા પ્રમાણે (૬૪૩). (૫) ધૂમપ્રભામાં ચતુષ્પદ સિવાયના સિવાયના પકપ્રભા પ્રમાણે (૬૪૪). (૬) તમામાં સ્થલચર સિવાયના ધૂમપ્રભા પ્રમાણે (૬૪૫). (૭) સપ્તમીમાં (અ) જલચર તિર્યંચપચેદ્રિય પર્યાપ્ત અને (૬) ગભંજ પર્યાપ્ત (૬) કમ`ભૂમિજ સખ્યાતવર્ષાયુવાળા ગજ પર્યાપ્ત મનુષ્ય~~~ પુરુષ અને નપુંસક (૬૪૬-૬૪૭). ૨. અસુરકુમારાદિ (૧-૧૦) (અ) પર્યાપ્ન તિયેચપ ચેદ્રિયમાંથી) (૬૪૮) (૬) ગભ જ પર્યાપ્ત મનુષ્યમાંથી (૬૪૯) ૩. પૃથ્વીકાયિક (ત્ર) તિયેચમાંથી ( ૫૦ [૧-૧૦] ). (૬) મનુષ્યમાંથી (૬૫૦ [૧૧-૧૨]). (૪) દેવામાંથી; સિવાય કે સનત્કુમારથી માંડીને અનુત્તરના દેવે (૬૫૦[૧૩-૧૮]). ૪. અપ્કાય ઉપર પ્રમાણે ૬૫૧). ૫. તેજ અને વાયુ (અ) તિયેચ અને (૨) મનુષ્યમાંથી (૫૨). ૬. વનસ્પતિ પૃથ્વીકાયિકની જેમ (૬૫૭). Page #187 -------------------------------------------------------------------------- ________________ ૭. દ્વીન્દ્રિય છે. ત્રીન્દ્રિય | તેજ વાયુ પ્રમાણે (૬૫) ચતુરિન્દ્રિય ૮. પંચેન્દ્રિયતિર્યંચ (મ) નારકમાંથી. (૨) તિચમાંથી. (5) મનુષ્યમાંથી. () દેવોમાંથી; સિવાય કે આનતથી માંડીને માંડીને - ઉપરના દે––(૬૫૫). ૯. મનુષ્ય (અ) નારકમાંથી; સિવાય કે સપ્તમી. (૩) તિચમાંથી સિવાય કે તેજ અને વાયુ. (૪) મનુષ્યમાંથી. (૩) દેવમાંથી (૬પ૬). ૧૦. વાણુમંતર અસુરકુમારાદિની જેમ (૬૫૭). ૧૧. જોતિષ્ક (5) ગર્ભજ તિચપચેદ્રિય, સિવાય કે અસંખ્યાત વર્ષાયુવાળા, ૧૨. સૌધર્મ અને ઈશાન તિષ્ક પ્રમાણે. (૬૫૯).. ખેચર.. () મનુષ્યમાંથી, સિવાય કે અન્તરપજ મનુષ્ય. (૫૮). ૧૩. સનકુમાર યાવત્ સવસાર અસંખ્યાત વર્ષાયુવાળા અને અકર્મભૂમિ સિવાયના ઉપર પ્રમાણે. (૬૬૦૬૬૧). ૧૪. આનત, યાવત અયુત સમ્યગદષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સંખે વર્ષાયુવાળા કમભૂમિજગર્ભજ મનુષ્યોમાંથી (૬૬૨-૬ ૬ ૩). ૧૫. ગ્રેવેયક સંયત મનુષ્યમાંથી. (૬૬૪). ૧૬. અનુત્તરપપાતિક અપ્રમત્ત સંયત મનુષ્યમાંથી. ઉપરની સૂચી ઉપરથી જે કેટલીક બાબતો ધ્યાનમાં લેવા જેવી છે તે આ છે– ૧. સાતમી નરકમાં મનુષ્યસ્ત્રી જતી નથી. ૨. નારક મરીને નારક થતું નથી, દેવ થતો નથી. ૩. દેવ મરીને દેવ થતો નથી કે નારક થતો નથી, તેમ જ તેજ અને વાયુ અને વિલેઢિયમાં જતો નથી, પણ પૃથ્વી, અપૂ અને વનસ્પતિમાં જઈ શકે છે અને મનુષ્ય પણ થઈ શકે છે. ૪. પંચેદિયથી ઓછી ઈદ્રિયવાળા મરીને નાક કે દેવ થતા નથી. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૫. બધાય નારકો મરીને પંચેદિયતિયેચ થાય છે. અને સાતમી નરક સિવાયના નારકે મનુષ્ય પણ થાય છે. કઈ પણ નારક એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિયવાળા થતા નથી. ૬. તેજ અને વાયુની બાબતમાં અન્ય પૃથ્વી આદિથી જુદી વાત છે. તેમાં માત્ર મનુષ્ય અને તિર્યંચમાંથી જન્મે છે. અને મારીને તેઓ મનુષ્ય થઈ શકતા નથી. ૭. મિથ્યાદષ્ટિ મનુષ્ય સહસ્ત્રારથી ઊચેના દેવલોકમાં જઈ શક્તા નથી. ૮. અસંયત અને સંયતાસંયત મનુષ્ય શૈવેયક અને અનુત્તરમાં જતા નથી. ૯. મનુષ્ય મરીને ચારેય ગતિમાં જઈ શકે છે, પણ સાતમીને જીવ મરીને મનુષ્ય થતું નથી. ૬. ‘૩ષzળr” –ઉતના એટલે કે જીવો મરીને ક્યાં જાય તેને વિચાર છઠ્ઠા ઠારમાં છે. પાંચમાં ઠારને ઉલટાવીને વાંચીએ તે આ છઠ્ઠા ઠારને વિષય સ્પષ્ટ થાય છે. પાંચમામાં છો ક્યાંથી આવે તે જણાવ્યું છે. તે ઉપરથી જ જીવો મરીને ક્યાં જાય છે તેનું પણ સ્પષ્ટીકરણ થઈ જ જાય છે. આથી આની જુદી સૂચી આપવાની જરૂર જણાતી નથી (૬૬૬-૬૭૬). ૭. “ઘરમવિયાડ' અર્થત પરભવનું એટલે કે આગામી નવા ભવનું આયુ જીવ ક્યારે બાંધે છે, તેની ચર્ચા આ દ્વારમાં કરવામાં આવી છે. જીવે જે પ્રકારનું આયુ બાંધ્યું હોય તે જ પ્રકારનો નવો ભવ તે ધારણ કરે છે, તેથી જીવની ગતિ-આગતિની વિચારણું સાથે આ પ્રશ્નનો સંબંધ છે જ. તેનું નિરાકરણ આ દ્વારમાં કરવામાં આવ્યું છે. આયુના બે ભેદ છે : સોપકમ અને નિરુપમપ તેમાં દેવ અને નારકને તે નિરૂપમ જ આયુ હોય છે એટલે કે તેમને આકસ્મિક મૃત્યુ હોતું નથી. અને તેઓ આયુના છ માસ શેષ રહે છે ત્યારે નવા આગામી ભવનું આયુ બાંધે છે (૧૭૭, ૬૭૮, ૬૮૩). - એકેન્દ્રિયથી માંડીને ચતુરિન્દ્રિય સુધીના જીવોને ઉક્ત બન્ને પ્રકારના આયુ છે. નિરપક્રમ હોય તે આયુને તીજો ભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુ બાંધે છે અને સેપકમ હોય તો ત્રિભાગ, ત્રિભાગને ત્રિભાગ કે વિભાગના વિભાગને ત્રિભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુ બાંધે છે (૬૭૯, ૬૮૦). ૫. યોગસરા, ૩. ૨૨ અને તેનું ભાષ્ય જુઓ. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પંચેન્દ્રિય તિયેચ અને મનુષ્યમાં જે અસંખ્યાતવર્ષાયુવાળા હાય છે તે નિયમથી આયુના છ માસ શેષ રહે ત્યારે, અને સખ્યાતવર્ષાયુવાળામાંથી જે નિરુપમ આયુવાળા હાય છે તે આયુના ત્રિભાગ શેષ રહે ત્યારે અને જે સાપમ આયુવાળા ડ્રાય છે તે પૂર્વોક્ત સાપક્રમ આયુવાળા એકેન્દ્રિય આદિની જેમ પરભવનું આયુ બાંધે છે (૬૮૧, ૬૮૨). ૮. ‘આસિ’ —આક. તે તે પ્રકારના પ્રયત્ન વડે થતું કર્માનું ઉપાદાન તે આકષ છે, જેમ કે આપણે એક ગ્લાસ પાણી પીવુ હાય તેા એક જ ઘૂંટડે પી જઈએ છીએ અથવા તે એક ઘૂંટમાં નથી પી જતા પણ તેના અનેક ઘૂંટ કરીએ છીએ, તેમ કમ પુદ્ગલાનું ગ્રહણ પણ એક કે અનેક આકષમાં થાય છે. પ્રસ્તુતમાં પ્રથમ તે તે વેમાં આયુકમના કેટલા પ્રકારો છે તેનું નિરૂપણ કરીને તે તે આયુક`ના પુદ્ગલાનુ ગ્રહણ કેટલા આકમાં થાય છે તેની ચર્ચા કરવામાં આવી છે. બધા જ જીવા છ પ્રકારના આયુબંધ કરે (૬૮૫) અને બધા જ જીવા એકથી માંડીને ઉત્કૃષ્ટ આઠ આકમાં આયુના પુદ્દગલાનું ગ્રહણુ કરી લે છે (૬૮-૬૯૦). આ એકથી માંડીને વિકલ્પે આઠ સુધી થાય છે એટલે વળી એક આકષ કે તેથી વધારે આકર્ષી કરનારાઓનું તારતમ્ય પણ નિરૂપવામાં આવ્યું છે. તેમાં ક્રમ એવા છે કે આઠ આકષ કરનારા સૌથી થેાડા છે. અને પછી જેમ જેમ આકર્ષી એા તેમ તેમ તેમની સંખ્યા ક્રમે સખ્યાતગુણ છે, અર્થાત્ સૌથી વધારે સખ્યા એક આકષ કરનારાઓની છે. (૬૯૧–૬૯૨). આયુબ ધના છ પ્રકારે નીચે પ્રમાણે છે (૬૮૪) : ૧. જાતિનામનિધત્ત આયુ : નિધત્ત = નિષિક્ત, સામાન્ય નિયમ એવા છે કે જીવા એક સમયમાં જેટલા કમપ્રદેશાનું ગ્રહણ કરે છે તેની ગેાઠવણી કે રચના તે જે ક્રમે અનુભવમાં આવવાના હોય છે તે પ્રમાણે કરી નાખે છે. આ રચના નિષેક કહેવાય છે. તેથી આવી રચનામાં જે ગેાઠવાયું તે નિધત્ત = નિષિક્ત કહેવાય છે. નામમની ઉત્તર પ્રકૃતિમાં એકેન્દ્રિયાદિ પાંચ જાતિ છે. એ જાતિનામમાં સાથે જે આયુ નિધત્ત હૈાય તે જાતિનામનિધત્ત આયુ છે. ૨. ગતિનામનિધત્ત આયુ : નામકમની ઉત્તર પ્રકૃતિમાં નરકાદિ ચાર ગતિ છે. તે ગતિનામકમ સાથે જે આયુ નિધત્ત ડ્રાય તે ગતિનામનિધત્ત આયુ છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૩. સ્થિતિનામનિધત્ત આયુ : તે તે ભવમાં સ્થિર કરનાર જે કમ ઉદયમાં હોય તે સ્થિતિનામ છે. તેને ગતિ, જાતિ અને શરીરાદિ નામકર્મથી ભિન્ન સમજવાનું છે, કારણ કે તેમનો જુદે ઉલ્લેખ કરવામાં આવ્યો જ છે (જુઓ નં. ૧, ૨, ૪ આદિ). એ સ્થિતિ સાથે જે આયુ નિધત્ત હોય તે સ્થિતિનામનિધત્ત આયુ છે. ૪. અવગાહનાનામનિધત્ત આયુ : અવગાહના એટલે જેમાં જીવ અવગાહીને રહે . અર્થાત શરીર-દારિકાદિ પાંચ શરીર–નામકર્મની ઉત્તર પ્રકૃતિઓ છે. તેમની સાથે જે આયુ નિધત્ત હોય તે અવગાહનાનામનિધન આયુ છે. પ. પ્રદેશના મનિધત્ત આયુ : કમપરમાણુઓ પ્રદેશ કહેવાય છે. જે કર્મોને અનુત્ત્વ માત્ર પ્રદેશરૂપે થાય એટલે કે જેને વિપાકોદય નહિ પણ પ્રદેશોદય હેય છે તેવા પ્રદેશો સાથે જે આયુ નિધત્ત હોય તે પ્રદેશના મનિધત્ત આયુ છે. ૬. અનુભાવનામનિધત્ત આયુ : કર્મના વિપાક-ફળને અનુભાવ કહેવામાં આવે છે. પ્રસ્તુતમાં તે વિપાક તેના પ્રકૃષ્ટ રૂપમાં સમજવાનું છે. એટલે કે પ્રકૃષ્ટ વિપાક દેનારા કર્મની સાથે જે આયુ નિધત્ત હોય તે અનુભાવનામનિધત્ત આયુ છે. પ્રસ્તુતમાં આચાર્ય મલયાગિરિ સ્પષ્ટીકરણ કરે છે કે આયુના આ ભેદો કરવાનું રહસ્ય એ છે કે ઉક્ત જાતિ, ગતિ આદિમાં આયુકમ પ્રધાન છે, કારણ કે તેનો ઉદય થવાથી જ તે તે જાતિ આદિ કર્મને ઉદય થાય છે. સાતમું “ઉજ્જુવાસ પેદ : જીવોના ધા છુવાસ આપણે જાણીએ છીએ કે જીવનધારણ માટે શ્વાસોચ્છુવાસનું ઘણું મહત્ત્વ છે. પ્રસ્તુત સાતમાં પદમાં સિદ્ધિ સિવાયના બધા જ સંસારી જીવોના શ્વાસેછૂવાસના કાલની ચર્ચા છે. આ સમગ્ર ચર્ચા ઉપરથી જે એક વાત ફલિત થાય છે તે તરફ આચાર્ય મયગિરિએ ધ્યાન દોર્યું છે. અને તે યથાર્થ જ છે કે જેમ દુઃખ વધારે તેમ શ્વાસે છૂવાસ વધારે અને અત્યંત દુઃખીને તો તે નિરંતર જ ચાલ્યા કરે; અને જેમ સુખ વધારે તેમ શ્વાસે છૂવાસની–ક્રિયાનો વિરહકાલ ૬. પ્રજ્ઞાવનારી, પત્ર ૨૭ એ. १. "अतिदुःखिता हि नैरयिकाः, दुःखितानां च निरन्तरं उच्छवासनिःश्वासौ, तथा लोके दर्शनात् ।” प्रज्ञापनाटीका, पत्र २२० ब । Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ વધારે, કારણ કે શ્વાસોચ્છુવાસની ક્રિયા એ પણ દુઃખ છે. આ વાત આપણુ અનુભવની છે, અને શાસ્ત્ર પણ તેનું સમર્થન કરે છે. ' આચાય મલયગિરિએ પ્રસ્તુત ચર્ચાને આધારે જે એક નિયમ તારવી આપે છે તે એ છે કે દેવોમાં જેમની જેટલા સાગરોપમની સ્થિતિ છે તેમને તેટલાં પખવાડિયાં શ્વાસોચ્છવાસને વિરહકાળ સમજવાનું છે.' મૂળ સત્રમાં “આનંતિ વા વાળાનંતિ વા કાસત્તિ ની સંસિ વા” એ પાઠ છે. આચાર્ય મલયગિરિ નમતિ અને ક્રાંતિને એકાથક ગણે છે અને વાળમતિ અને નીતિને પણ એકાથક ગણે છે. પણ તેમણે આ બાબતમાં અન્યનો મત પણ નિર્દિષ્ટ કર્યો છે, જેમાં પ્રથમ બે પદોને આન્તરિક શ્વાસે છૂવાસ ક્રિયાના અર્થમાં અભિપ્રેત કરવામાં આવ્યા છે.” જીવોની શ્વાસોચ્છુવાસયાને વિરહકાલ ૬. નારક સતત ચાલ્યા કરે છે. ૨. અસુરકુમાર જધન્ય સાત સ્તંક, ઉત્કૃષ્ટ પખવાડિયાથી થડે વધારે. ૩. નાગકુમાર યાવત્ જધન્ય સાત સ્તોક, , મુહૂર્ત પૃથકત્વ સ્વનિતકુમાર ૪. તિય"ચ અને મનુષ્ય વિમાત્રાએ=અનિશ્ચિત વિમાત્રાએ ૫. વાણુમંતર જઘન્ય સાત સ્તોત્ર મુહૂર્ત પૃથકત્વ ૬. તિષ્ક જધન્ય મુહપૃથકત્વ વૈમાનિક ૩૩ ૫ ખવાડિયાં (અ) ૧. સૌધર્મ ૨. ઈશાન ,, થી અધિક ૩. સનકુમાર જઘન્ય બે પક્ષ ૪. મહેન્દ્ર , બે પક્ષથી અધિક , છ પખવાડિયાથી અધિક २. "सुखितानां च यथोत्तर महानुच्छवासनिःश्वासक्रियाविरहकाल: ।” प्रज्ञापनाटीका, पत्र २२१ अ. 3. यथा यथाऽऽयुषः सागरोपमवृद्धिस्तथा तथोच्छवासेनिःश्वासक्रियाविरहप्रमाणस्यापि વક્ષવૃદ્ધિઃ | ४. प्रज्ञापनाटीका, पत्र २२० Page #192 -------------------------------------------------------------------------- ________________ ૬. લતાંક ૧૭૧ ૫. બ્રહ્મલોક જધન્ય 9 પક્ષ ઉત્કૃષ્ટ ૧૦ પખવાડિયાં , ૧ ૦ પક્ષ છે. મહાશુક્ર , ૧૪ પક્ષ ૮. સહસ્ત્રાર , ૧૭ પક્ષ ૯. આનત , ૧૮ પક્ષ ૧૦. પ્રાણુત ,, ૧૯ પક્ષ ૧૧. આરણ , ૨૦ પક્ષ ૧૨. અચુત , ૨૧ પક્ષ () ૧. રૈવેયક નીચલાના નીચલા , ૨૨ પક્ષ ૨. શ્રેયક નીચલાના મધ્યમ , ૨૩ ૩. ગ્રેવેયક નીચલાના ઉપલા ,, ૨૪ પક્ષ ૪. રૈવેયક મધ્યમના નીચલા ,, ૨૫ ૫. રૈવેયક મધ્યમના વચલા ,, ૨૬ ૬. શૈવેયક માધ્યમના ઉપલા ,, ૨૭ પક્ષ ૭. શ્રેયક ઉપલાના નીચલા , ૨૮ ૮. શૈવેયક ઉપલાના વચલા , ૨૯ પક્ષ ૯. રૈવેયક ઉપલાના ઉપલા , ૩૦ પક્ષ ૩૧ () ૧. અનુત્તર વિજ્યાદિ ૧-૪ ,, ૩૧ પક્ષ ૩૩ ૨. સર્વાર્થસિદ્ધ ૩૩ ૫ખવાડિયાં અજઘન્ય અનુત્કૃષ્ટ (૬૯૩–૭૨૪) આઠમું “સંજ્ઞા પદ : જીવની સંજ્ઞા પ્રસ્તુતમાં જીવોની સંજ્ઞા એટલે કે જેને લઈને તે જીવે છે તે જાણી શકાય છે તે, અર્થાત જીવોમાં થતી આહારાદિ પ્રાપ્તિની ક્રિયા એ સંજ્ઞા છે. પ્રારંભના સૂત્રમાં (૨૫) દશ સંજ્ઞાઓ ગણવી છે અને તે સંસારી સર્વ જીવોમાં છે, એ પણ તે પછી સ્પષ્ટ કરવામાં આવ્યું છે. (૭૨૬–૭ર૯); પરંતુ ત્યાર પછી જે સંજ્ઞા વિષે ચોવીશે દંડકની અપેક્ષાએ વિચાર કર્યો છે, તેમાં (સૂત્ર ૭૩૦, ૭૩૨ આદિ) અને સંજ્ઞાસંપન્ન જીવને જે અલ્પબહુત વિચાર કરવામાં આવ્યું છે, તેમાં (૭૩૧, ૭૩૩ આદિ) માત્ર પ્રથમથી ચાર એટલે કે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહને જ સ્વીકારી છે તે બતાવી આપે છે કે વસ્તુતઃ પ્રાચીન કાળમાં ચાર Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સંજ્ઞાઓ જ મનાતી હશે અને પછીથી તેની દશ સંખ્યા કરવામાં આવી છે, તે આ પ્રમાણે છે. ૧. આહાર, ૨. ભય, ૩. મૈથુન, ૪. પરિગ્રહ, ૫. ક્રોધ, ૬. માન, ૭. માયા, ૮. લોભ, ૯. લોક અને ૧૦. એલ. આહારાદિ સંજ્ઞાને અર્થ નામથી જ સ્પષ્ટ છે. પણ લેક અને ઓઘની વ્યાખ્યા જરૂરી બને છે. શબ્દાદિ અર્થને સામાન્ય બોધ હોવો તે ઓઘ સંજ્ઞા છે અને તેમને વિશેષ અવધ તે લોકસંજ્ઞા છે–એમ આચાર્ય મલયગિરિએ વ્યાખ્યા કરી છે. પણ અન્ય મતે જે વ્યાખ્યા તેમણે નોંધી છે તે પ્રમાણે વલ્લી આદિનું જે (વગર વિચાયે) આરહણ થાય છે તે ઘસંજ્ઞા છે અને લેકમાં જે હેય પ્રવૃત્તિ છે તે લકસંજ્ઞા છે. જીવોમાં સંજ્ઞાનો વિચાર એક તે ઉત્સુન્નબાહુલ્ય)ની દૃષ્ટિએ અને બીજો સંતતિભાવ (સાતત્ય)ની દૃષ્ટિએ કરવામાં આવ્યું છે, અને નોંધવામાં આવ્યું છે. કે નારકમાં ભય સંજ્ઞાનું બાહુબલ્ય છે અને સાતત્ય તે ચારેય સંજ્ઞાનું છે (૭૩૦). તિચમાં આહારજ્ઞાનું (૭૩૨), મનુષ્યમાં મૈથુનનું (૭૩૪) અને દેવોમાં પરિગ્રહનું બાહુબલ્ય છે (૭૩૬), પણ તે બધામાં સાતત્ય તે ચારેય સંજ્ઞાનું છે. અલ્પાબહત્વનો વિચાર નીચે પ્રમાણે છે :– ૧, નાર-મૈથુનસંતાવાળા સૌથી છેડા, તેથી –આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી— –પરિગ્રહસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી— –ભયસંજ્ઞાવાળા સંખ્યતા ગુણ છે (૭૩૧). ૨. તિર્યંચ- પરિગ્રહસંજ્ઞાવાળા સૌથી થોડ, તેથી— –મૈથુનસંસાવાળા સંખ્યાતગુણ, તેથી— –ભયસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી— –આહારસંશાવાળા સંખ્યાતગુણ છે (૭૭૩). ૩. મનુષ્ય-ભયસંજ્ઞાવાળા સૌથી થોડા, તેથી— –આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી– Page #194 -------------------------------------------------------------------------- ________________ ૪. દેવા ૧૭૩ -પરિગ્રહસનાવાળા સખ્યાતગુણુ, તેથી~~~ —મૈથુનસંજ્ઞાવાળા સખ્યાતગુણ છે (૩૫), —આહારસત્તાવાળા સૌથી થાડા, તેથી— —ભયસત્તાવાળા સંખ્યાતગુણુ તેથી – —મૈથુનસત્તાવાળા સખ્યાતગુણુ, તેથી —પરિગ્રહસત્તાવાળા સંખ્યાતગુણ છે (૭૩૭). નવમું ચેનિ’ પદે : જીવાનુ` ઉત્પત્તિસ્થાન એક ભવમાંથી મૃત્યુ પામે છે ત્યારે જીવ તેની સાથે કામણુ અને તેજસ શરીર લઈને જાય છે, પણ જે સ્થાનમાં તે નવા જન્મને લાયક ઔદારિક આદિ શરીરના પુદ્દગલાનું ગ્રહણ કરે છે, તેને ચેાનિ અથવા તેા ઉત્પત્તિસ્થાન કહેવામાં આવે છે. પ્રસ્તુતમાં એ યાનિના અનેક રીતે વિચાર કરવામાં આવ્યા છે. પ્રથમ શીતાદિ સ્પર્શીને લઈને (૩૭૮), પછી તે સ્થાન સચિત્ત છે કે કેવું છે તેને લઈ ને (૭૫૪) અને ત્યાર પછી તે સ ંવૃત છે કે વિદ્યુત (૭૬૪) ઇત્યાદિને લઈને સલ જીવાની યાનિના વિચાર પ્રસ્તુત પદમાં છે. વિશેષમાં, મનુષ્યજન્મની ચેાનિની જે વિશેષતા છે, તેનું પણ (૭૭૩) નિરૂપણુ કરવામાં આવ્યું છે, કે કૂર્માંન્નતા, શ'ખાવાં અને વશીપત્રાએ ત્રણ પ્રકારે પણ મનુષ્યની ચાન છે. કૂર્માંન્ત ચેનિમાં તીથે કરાદિ મહાપુરુષે। જન્મધારણ કરે છે. સ્ત્રીરત્નને શખાવર્તાયેાનિ હોય છે, પણ તેમાં અનેક જીવા આવે છે અને ગંનુ ચયન પણ થાય છે, પણ તેમાંથી કાઈના જન્મ થતા નથી; જન્મ પહેલાં જ તે બધા ચ્યવી જાય છે, કાઈની નિષ્પત્તિ થતી નથી. સામાન્ય રીતે મનુષ્યસ્ત્રીમાં વશીપત્રયેાનિમાં હાય છે (૭૭૩). તે તે જીવામાં ચેાનિની અપેક્ષાએ અલ્પબહુત્વને પણ વિચાર કરવામાં આવ્યા છે (૭૫૩, ૭૬૩, ૭ર). મનુષ્યની જે વિશેષ યાનિ ચર્ચા છે (૭૭૩), તેમાં અલ્પબહુત્વને વિચાર નથી. ૧. આચાય મલયગિરિ વૃદ્ઘપ્રવાદ નોંધે છે કે સ્ત્રીરત્નમાં અતિપ્રબલ કામાગ્નિ હાઈને ગત ધ્વંસ થઈ જાય છે. પ્રનાપનાટીકા, પત્ર ૨૨૮ Page #195 -------------------------------------------------------------------------- ________________ અચિત્ત 1 અચિત x * * * * x x x x x x 8 | x | 8 છાની થિનિએ (૩૭૮-૭૭૨) છવભેદ શીત ઉષ્ણ શીતણું સચિત્ત અચિત્ત મિશ્ર સંસ્કૃત વિવૃત સંત-વિવૃત ૧. નારક શીત ઉષ્ણ * ૨. ભાવનપતિ ૩ પૃથ્વી, અપર વાયુ, વનસ્પતિ શીત ઉષ્ણ શતિષ્ણ સચિત્ત અચિત્ત મિશ્ર સંવૃત x ૪. તેજ * ઉષ્ણ x સચિત્ત અચિત્ત મિશ્ર સંવૃત x ૫. જિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય ૬. પંચેન્દ્રિયતિચ સંભૂમિ તિર્યચ ઉષ્ણ શરણ સચિત્ત અચિત્ત મિશ્ર ૪ વિદ્યુત * ગર્ભજ તિચ ચેત x સંવૃત x સંત-વિવૃત ૭. મનુષ્ય સમૂર્ણિમ મનુષ્ય ઉષ્ણ શરણ સૂચિત્ત અચિત્ત મિશ્ર ૪ વિદ્યુત ૪ ગર્ભજ મનુષ્ય * શીતષ્ણ ૪ ૪ મિશ્ર ૪ ૪ સંસ્કૃત વિદ્યુત ૮. વાણુમંતર x x શીતોષ્ણ x અચિત x સંવૃત્ત ૪ ૯. તિષ્ઠા x x શીતષ્ણ * અચિત્ત x સંવૃત્ત ૪ ૧૦. વૈમાનિક x x શીતળું x અચિત્ત x સંવૃત ૪ ૧૧. સિદ્ધિ ૨. તેજસ્કાય સિવાયના એકેન્દ્રિયેની નિ જણાવતાં (૭૪૨-૪૩)ની ટીકાને પાઠ કિયાળામજનનાં.. ત્રિવિધા નિઃ “આ બેટ છપાયે છે (પ્રજ્ઞાપના-ટીકા, પત્ર ૨૨૫ ૨, ૨૨૬ અ.) પણ ટીકાની સમગ્ર હસ્તલિખિત પ્રતિઓમાં અહીં ઇન્દ્રિયાનામમિયનનાં...ત્રિવિધા યોનિઃ આ મૂળ સૂત્રને સંવાદી શુદ્ધ પાઠ છે. હું x * * x * X x | * Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ચેાનિની અપેક્ષાએ તારતમ્ય (૫૩, ૭૬૩, ૭૭૨) ૧. શીતાબ્ઝયાનિવાળા જીવા સૌથી ઘેાડા, ઉષ્ણુયેાનિક તેથી અસંખ્યાતગુણ, અયેાનિક (સિદ્ધ) તેથી અનંતગુણુ, શીતયેાનિક તેથી અનંતગુણુ. ૨. મિશ્રયેાનિક સૌથી ઘેાડા, અચિત્તયેાનિક તેથી અસંખ્યાતગુણુ, અયેાનિક તેથી અન તગુણુ, સચિત્તયેાનિક તેથી અનંતગુણ. ૩. સંવૃતવિવૃતયેાનિક સૌથી થેાડા, વિસ્તૃતયેાનિક તેથી અસંખ્યાતગુણુ, અયેાનિક તેથી અનંતગુણુ, સંવૃતયેાનિક તેથી અનંતગુણુ. દસમું ‘ચર્મ’પદ્મ : દ્રબ્યા વિષે ચરમ-અચરમના વિચાર ચર્મ અને અચરમ-રત્નપ્રભા આદિનુ - જગતમાં રચના છે, તે તેમાં કોઇ ચરમ-અ ંતે હોય અને કાઈ અચરમ હાય = અન્તે ન હોય = મધ્યમાં હોય એમ બને. આથી પ્રસ્તૃતમાં વિભિન્ન દ્રવ્યા વિષે તે બાબતને વિચાર કરવામાં આવ્યે છે. રત્નપ્રભા આદિ પૃથ્વી સમગ્ર લાકના એક એક ખડ છે, તેમ પરમાણુ અને તેના વિવિધસંખ્યાવાળા પ્રદેરોાથી બનેલા સ્કંધા પણ જુદા જુદા ખડા છે. તે જ રીતે જુદા જુદા જીવા પણ ખો છે. તેથી એ ખ`ડાના એકેક ખંડ લઈને અને લોક-અલેકને સમગ્રભાવે પણુ લઈ ને ચરમ-અચરમનો વિચાર કરવામમાં આવ્યેા છે. ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે કોઈને ચરમ કે અચરમ કહેવુ હોય તે ખીજા કોઈની અપેક્ષાએ ચરમ કે અચરમ કહેવાય, પણ તેવી અપેક્ષા વિના તે તેને ચરમ પણ ન કહેવાય અને અચરમ પણ ન કહેવાય (એકવચનમાં) અને ચરમેા કે અયરમે (બહુવચનમાં) પણ ન કહેવાય ઇત્યાદિ નિરૂપણ પ્રસ્તુતમાં છે. તેની હવે વિગતે ચર્ચા કરીએ— સૌથી પ્રથમ રત્નપ્રભાદિ સાત અને આઠની ધૃષપ્રાગ્લારા (સિદ્ઘાલય) પૃથ્વીએ ગણાવી છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ (૭૭૪). તે આઠેય પૃથ્વી, સૌધર્માદિ વિમાના, લોક અને અલાય (૭૭૬) એ સૌ વિષે ચરમની બાખતમાં એકસરખા નિષેધ અને એક સરખુ` જ વિધાન છે (૭૭૫–– ૭૭૬). પ્રશ્નમાં નીચેના છ વિકલ્પો કર્યાં છે— ૧. ચમ છે ? ૨. અચરમ છે ? ૩, ચરમેા છે ? અને એ છયે વિલ્પને નિષેધ કરવામાં આવ્યા છે (૭૬૫). આનું રહસ્ય, આચાર્ય મલયગિરિના થન પ્રમાણે એ છે કે જ્યારે તે તે રત્નપ્રભા દિને નિરપેક્ષ કરીને પ્રશ્ન કરવામાં આવે તે ઉત્તર નિષેધમાં જ હોય. અર્થાત્ રત્નપ્રભા આદિ અમુકથી ચરમ કે અચરમ છે એમ પૂછવામાં આવે તે ઉત્તર વિધિમાં મળી શકે, પરંતુ કેવળ રત્નપ્રભાદિને લઈ ને પ્રશ્ન હોય તો ઉત્તર નિષેધમાં જ મળે; કારણ, ચરમ અને અચરમ એ કોઈ ની અપેક્ષાએ ઘટી ચકે છે, વિના અપેક્ષાએ ટી શકતા નથી. ૪. અચરમેા છે ? ૫. ચરમાન્તપ્રદેશેા છે ?૧ ૬. અચરમાન્તપ્રદેશેા છે ? આથી મૂળ સૂત્રમાં ઉક્ત જ્યે આવ્યા છે; પરંતુ માત્ર નિષેધમાં જ નિષેધ કર્યા પછી સૂત્રમાં આ પ્રકારે નિયમા અરિમં 7 ચમળિય; વિકોને ઉત્તર ઉત્તર છે એમ વિધિ પણ છે— મિંત વેસા ય અમિતવવેત્તા ય (૭૭૫). આને શે। અ કરવા એ વિચારણીય છે. ટીકાકારે જે સ્પષ્ટીકરણ કર્યુ. છે તે આ પ્રમાણે છે : જ્યારે રત્નપ્રભાને અખંડ એક માનવામાં આવે ત્યારે તે ઉક્ત યે પ્રકારના નિષેધ જ કરવા પડે. પણ તેને જો તે અસખ્ય પ્રદેશમાં અવગાઢ હાઈ અનેક અવયવેામાં વિભક્ત માનવામાં આવે તેા તેને વિશે ઉક્ત વિધાન સંભવિત બને. એટલે કે તેને તેના ચરમ ભાગમાં રહેલા (બધી દિશામાં રહેલા) અવયવેા (ચરમા) અને મધ્ય ભાગના એક ખંડ (અયમ)-તે બન્નેના સમુદાયરૂપે વિવક્ષિત કરવામાં આવે અને એક અખડ માત્ર અવયવી કે સ્કંધરૂપે વિક્ષિત કરવામાં ન આવે, તે તે અચરમ એટલે કે મધ્યમ ખંડ અને ચરમા એટલે કે તેના સવે દિશામાં રહેલા ચરમ ખંડે, એ બન્નેના સમુદાયરૂપ કહેવાય; આથી તેને ગવરમં ચ ારમાળ યં” એમ ઉભય રૂપે નિર્દિષ્ટ કરવામાં આવી ૧. પ્રસ્તુતમાં ટીકાકારે બહુવ્રીહિ સમાસ નથી કર્યાં; અથ એ છે કે રત્નપ્રભાને એક દ્રવ્યરૂપે નહિ પણ તે અસખ્યાત પ્રદેશામાં અવગાઢ હાઈ તેને મગ તેના પ્રદેશરૂપ માનવામાં આવે તે તે અનેક પ્રદેશેારૂપ છે (૭૭૫). નિષેધમાં જ આપવામાં નથી. તે છ વિક`ાના Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭ છે. આને ચિત્રમાં બતાવવું હોય તે આ રીતે બતાવી શકાય? ચારેય તરફ્લી ચાર લીટીઓ છે તે તેના ચરમો કહેવાય અને વચ્ચેનો ભાગ અચરમ કહેવાય, તેથી તે “અચરમ અને ચરમો” એમ ઉભય રૂપ કહેવાય ? આ ઉત્તર, દ્રવ્ય એટલે કે અવયવી તેના અનેક અવયવોમાં વિભક્ત છે એમ માનીને આપવામા આવે છે. આમાં દ્રવ્યને પ્રધાન માનવામાં આવ્યું. ; પ્રદેશ એટલે કે તેના અવયવોને પ્રધાન માનવામાં આવે તો જે ઉત્તર મળે તે આ છે—“રિમંતર્વે જ અરમંત્રના ” | એટલે કે રત્નપ્રભા પૃથ્વી અનેક પ્રદેશારૂપ છે અને તે બે ભાગમાં વહેંચાયેલા છે. ચારેય લીટીમાં રહેલા પ્રદેશ તે ચરમાન્ત પ્રદેશો છે અને મધ્યમાં રહેલા પ્રદેશ તે અચરમાન્ત પ્રદેશો છે. આમ એ બંને પ્રકારના પ્રદેશે મળીને રત્નપ્રભા પૃથ્વી કહેવાય. તેથી તેને “અરમાન્તપ્રદેશ અને અચરમાન્ત પ્રદેશે એમ ઉભય રૂપે નિર્દિષ્ટ કરવી જોઈએ. જૈનદર્શનમાં સ્થિર થયેલ અવયવ અને અવયવીના ભેદભેદવાદનું મૂળ પ્રસ્તુત ચર્ચામાં જોઈ શકાય છે.? ચરમાદિનું અપબહુવ (તારતમ્ય) પ્રારંભનાં સૂત્રો (૭૭૪-૭૭૬)માં રત્નપ્રભાદિ વિષે ચરમ આદિનો વિચાર કર્યા પછી તેમના અપબહુવની ચિંતા (૭૭૭–૭૮ •) કરવામાં આવી છે, તે આ પ્રમાણે છે – ૧. રત્નપ્રભા વિષે. (4) દ્રવ્યાર્થિક નયથી (૧) અચરમ એક હેઈ સૌથી સસ્તક, તેથી– (૨) ચરમે અસંખ્યાતગુણ, તેથી– (૩) અચરમ+ચર વિશેષાધિક છે. પ્રસ્તુતમાં પ્રથમ અને બીજાને સરવાળે સમજવાને છે. ૨. પ્રસ્તુત ચરમ અને અચરમ આદિની અન્ય વ્યાખ્યા પણ ટીકાકાર નોંધે છે. પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૨૯ નં. ૩. પ્રજ્ઞાપનાટીક, પત્ર ૨૨૯ ૨. ૧૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ () પ્રશિર્થિક નયથી (૧) ચરમાન્ત પ્રદેશ સૌથી ઓંક, તેથી(૨) અચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગુણ તેથી(૩) ચરમાન્ત પ્રદેશ + અચરમાન્ત પ્રદેશ વિશેષાધિક છે. | (ક) દ્રવ્ય-પ્રદેશ ઉભય નથીઆમાં દ્રવ્યાર્થિક અને પ્રદેશાર્થિક બનેનું પૂર્વોક્ત તારતમ્ય ક્રમે મૂકી દેવામાં આવ્યું છે, તેથી દ્રવ્યાર્થિકના ત્રણ + પ્રદેશ થિકના ત્રણ–એમ એકથી છના ક્રમમાં તારતમ્ય છે. વિશેષમાં એટલું કે દ્રવ્યાર્થિકમાંના તીજાના કરતાં પ્રદેશાથિકને પ્રથમ અસંખ્યાતગુણ સમજવાને છે. ર-૩. જે પ્રકારનું તારતમ્ય ઉપર રત્નપ્રભા વિષે જણાવ્યું છે, તે જ પ્રકારનું તારતમ્ય શેષ છે નરકે, સૌધર્માદિ બધાં વિમાને, ઈશ્વસ્ત્રાબ્બારા પૃથ્વી અને આ બધું મળીને તે લેક–એ પ્રત્યેકનું સમજવાનું છે; કારણુ લેકના પ્રદેશો પણ અસંખ્યતથી તે વધારે નથી જ. જે ભેદ પડે છે તે અલક વિષે છે, કારણ, પ્રદેશાથિકની દષ્ટિએ અલકના પ્રદેશ અનંત સંખ્યામાં છે. આથી અલેકની ચિંતામાં અચરમાન્ત પ્રદેશ સંખ્યાતગુણને બદલે અનંતગુણ સમજવાના છે (૭૭૯) અને પછી લેક અને અલકને સાથે રાખીને (૭૮૦) જે તારતમ્યની સૂચી આપી છે તે નીચે પ્રમાણે છે : ૪. લેક-અલેક વિષે (4) દ્રવ્યાર્થિકથી (૧) બન્નેને એક–એક અચરમ સર્વસ્તક, તેથી– (૨) લોકના ચરો અસંખ્યાતગુણ, તેથી – અલકના ચરણે અસંખ્યાતગુણ, તેથી— બનેના અચરમો (૧) + બનેના ચરમ (૨–૩) વિશેષાધિક છે. () પ્રદેશાહિકથી લેકના ચરમાન્ત પ્રદેશે સર્વસ્તક છે, તેથી– (૨) અલેકના ચરમાન્ત પ્રદેશે વિશેષાધિક તેથી (૩) લેકના અચરમાન્ત પ્રદેશ સંખ્યાતગુણ, તેથી— (૪) એલેકના અચરમાન્ત પ્રદેશ અનંતગુણ, તેથી ૫) લોક અને અલકના ચરમાન્ત પ્રદેશ (૧+૨) + અચરમાન્ત પ્રદેશ (૩–૪) વિશેષાધિક છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ રે દે દે ૧૭૯ () ઉભય નથી (૧) લેક-અલેક બન્નેના એક-એક અચરમ સર્વસ્તક, તેથી– (૨) લેકના ચરણે અસંખ્યાતગુણ, તેથી--- અલકના ચરમ વિશેષાધિક, તેથી– (૪) લેક-અલોક બન્નેના અચર અને ચરમ [= (૧) + (૨), (૩)] વિશેષાધિક તેથી– લેકના ચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગુણ, તેથી– અલેકના ચરમાન્ત પ્રદેશ વિશેષાધિક, તેથી— લેકના અચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગુણ, તેથી અલેક અચરમાન્ત પ્રદેશ અનન્તગુણ, તેથી– (૯) લેક અને અલેકના અરમાન્ત (૫+ ૬) + અચરમાન્ત (૭+ ૮) પ્રદેશ વિશેષાધિક, તેથી(૧૦) સર્વ દ્રવ્ય વિશેષાધિક, તેથી (૧૧) સર્વ પ્રદેશે અનંતગુણ, તેથી – (૧૨) સર્વ પર્યાયે અનંતગુણ છે. (૭૮૦) પરમાણુપુદ્ગલ અને પુદ્ગલસ્કંધ વિષે ચરમાદિ વિચાર પરમાણુ અને સ્કંધના ચરમાદિ વિચાર પ્રસંગે પ્રશ્નમાં છવ્વીશ (૨૬) અંગે કરવામાં આવ્યા છે. અને પછી પરમાણુ અને દિપ્રદેશિક આદિ સ્કંધમાં ઉક્ત ૨૬ ભંગોમાંથી ક્યાનું વિધાન કરવું અને ક્યા શેષને નિષેધ કરવો, તે સ્પષ્ટ કર્યું છે (૭૮૧-૭૮૯) અને અંતે તે અંગેની બાબતમાં સંગ્રહણીગાથાઓ પણ આપવામાં આવી છે (૯૦). ચરમ. અચરમ અને અવક્તવ્ય એ ત્રણ મૂળ ભંગે છે. તેના એકવચન અને બહુવચનને લઈને અને એ ત્રણને પરસ્પર મેળવીને જે છીશ ભંગ થાય છે તે આ પ્રમાણે છે (૭૮૧) :– (૧) ૧. ચરમ ૪. ચરમ અચરમ ૫. અચર (૩) ૩. અવક્તવ્ય ૬. અવક્તવ્યો (૪) ૭. ચરમ અને અચરમ ૮. ચરમ અને અચરમ ] * . . ૯. ચરમે અને અચરર્મ કે પ્રથમ ચતુર્ભગી. ૧૦. ચરમ અને અચર) WWW.jainelibrary.org Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ (૫) ૧૧. ચરમ અને અવક્તવ્ય ૧૨. ચરમ અને અવક્તવ્યો : ૧૩. ચરમ અને અવક્તવ્યમદ્વિતીય ચતુર્ભાગી ૧૪. ચરમ અને અવક્તવ્યો (૬) ૧૫, અચરમ અને અવક્તવ્ય ૧૬. અચરમ અને અવક્તવ્યો). ૧૭. અચરમો અને અવક્તવ્ય તૃતીય ૧૮. અચરમો અને અવક્તવ્યો) ચતુર્ભાગી (૭) ૧૯. ચરમ, અચરમ અને અવક્તવ્ય ૨૦. ચરમ, અચરમ અને અવક્તવ્ય ૨૧. ચરમ. અચરમ અને અવક્તવ્ય, ૨૨. ચરમ, અચરમો અને અવક્તવ્ય ૨૩. ચરમ, અચરમ અને અવકતવ્ય, ૨૪ ચરમ, અચરમ અને અવક્તવ્યો, ૨૫ ચરમે, અચરમો અને અવક્તવ્ય ૨૬. ચરમ, અચરમો અને અવક્તવ્યો. ઉપરના છવ્વીશ ભંગોને એ રીતે લખ્યા છે કે જેથી એકવચનમાં પ્રયુકત ભંગે જુદા તરી આવે. પ્રયોજન એ છે કે જેન દાર્શનિકેએ સપ્તભંગીને નામે જે સ્યાદ્વાદની પ્રરૂપણું કરી છે, તેનું મૂળ આ પ્રકારના ભંગમાં રહેલું છે તે રપષ્ટ થાય. આ જ પ્રકારની સપ્તભંગી ભગવતીસૂત્રમાં પણ મળે છે, તે અન્યત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું છે, તેથી તે વિષે વિશેષ વિચારણું અહીં જરૂરી નથી. આગમયુગ પછીના અનેકાંતયુગમાં આ બંનેમાંથી બહુવચનને લઈને જે અંગે થાય છે, તે દૂર કરીને જેન દાર્શનિકેએ સપ્તભંગીની પ્રરૂપણું કરી છે તે સ્પષ્ટ થાય છે, એટલુ, જ સૂચવવું અહીં પર્યાપ્ત છે. હવે પરમાણુ આદિમાં આ બંનેમાંથી કયા ભંગ લાગુ પડે છે તે જોઈ એ (૭૮૧૭૮૯) : ૧. પરમાણુ માત્ર એક ભંગ નં. ૩. ૨. દિપ્રદેશિક અંધ બે ભંગ = નં. ૧, ૩. ૩. ત્રિપ્રદેશિક સ્કંધ ૪ ભંગ = નં. ૧, ૩, ૯, ૧૧. ૪. ચતુર પ્રદેશિક ૭ ભંગ = નં. ૧, ૩, ૯, ૧૦, ૧૧, ૧૨, ૨૩. ૫. પંચપ્રદેશિક ૧૧ ભંગ = નં. ૧, ૩, ૭, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૨૩, ૨૫. ૬. છપ્રદેશિક ૧૫ ભંગ = નં. ૧, ૩, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૯, ૨૧, ૨૩, ૨૪, ૨૫, ૨૬. ૪. કોઈને મતે આમાં ૧૪ ભંગ છે. તે પ્રમાણે નં. ૮મે સંમત નથી. પ્રજ્ઞાપના ટીકા, પત્ર ર૩૮ . - ' Page #202 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૧ ૭. સપ્તપ્રદેશિક ૧૭ ભંગ =નં. ૧, ૩, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, - ૧૪, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬. ૮. અષ્ટપ્રદેશિક ૧૮ ભંગ = નં. ૧, ૩, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬. ૯. નવ પ્રદેશથી માંડીને સંખ્યાત, અસંખ્યાત અને અનંતપ્રદેશી, એ પ્રત્યેક સ્કંધોના ભંગે પણ ૧૮ જ છે; તે ઉપર પ્રમાણે–અષ્ટપ્રદેશિક સ્કંધની જેમ-સમજવાના છે (૭૮૯). સંસ્થાન વિશે ચરમાદિ પરિમંડલ આદિ પાંચ સંસ્થાન (૭૮૧), તેના પ્રભેદો (૭૯૩), તેની અવગાહના (૭૮૪) અને તેના ચરમાદિ (૭૯૭)ને ક્રમે વિચાર કરવામાં આવ્યો છે અને છેવટે અલ્પબદુત્વ પણ નક્કી કરવામાં આવ્યું છે (૮૦૨-૮૦૬), તેને સાર નીચે પ્રમાણે છે : સંસ્થાને પાંચ છે : પરિમંડલ, વૃત્ત, વ્યસ્ત્ર, ચતુરસ્ત્ર અને આયત (૭૯૧). એ બધાં સંસ્થાનોમાંનાં પ્રત્યેક અનંત છે (૭૯૨); અને સંખ્યાત અસંખ્યાત અથવા અનંતપ્રદેશી છે (૭૯૩) અને સંખ્યાતપ્રદેશી સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ છે, અસંખ્યાત પ્રદેશી સંખ્યાત કે– અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ છે અને અનંતપ્રદેશ પણ સંખ્યાત અથવા અસંખ્યાત પ્રદેશ માં અવગાઢ છે. (૭૬૪–૭૯૬). સંસ્થામાં ચરમાદિ વિચારમાં પૂર્વોક્ત (૭૭૫) જેમ છ વિકપ કરીને તેને નિષેધ તે જ પ્રમાણે કરવામાં આવ્યું છે અને વિધિ પણ પૂર્વવત (૭૭૫) છે (૭૭-૮૦૧). આને ખુલાસો કરવામાં આવ્યો જ છે એટલે અહીં તેનું પુનરાવર્તન જરૂરી નથી. અલ્પબહુને વિચાર પણ રત્નપ્રભાને (૭૭) અનુસરતો જ છે (૮૦૨– ૮૦૬), તેથી તે વિષે પણ વિશેષ લખવું જરૂરી નથી; પણ એક વિશેષતા છે, તે છે–“નવરં સંક્રમે અનંતકુળ' (૮૦૫, ૮૦ ૬); આનું સ્પષ્ટીકરણ ટીકાકાર કરે છે કે જ્યારે ક્ષેત્રવિચારમાંથી દ્રવ્યવિચારમાં સંક્રમણ થાય ત્યારે “અનન્તગુણનું વિધાન કરવું, તે આ પ્રમાણે-- ૧. અચરમ સર્વસ્તક છે; ૨. તેથી ક્ષેત્રની અપેક્ષાએ ચરમો અસંખ્યાતગુણ છે; ૩. પણ દ્રવ્યની અપેક્ષાએ ચરમો અનંતગુણ છે. અને ૪. અચરમ+ ચરમે તેથી વિશેષાધિક છે. પ્રજ્ઞાપનાટીકા પત્ર ૨૪૪ ૨. ૫. સંસ્થાને પાંચ છે તે પૂર્વગત સૂત્ર ૬ થી પણ ફલિત થાય છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જીવે વિષે ચશ્માદિ નારકાદિ ચેાવીશ દંડકના વૈજ્વાનેા, સંગ્રહણીગાથામાં જણાવ્યા પ્રમાણે (૮૨૯), ગત્યાદિ અગિયાર અપેક્ષાએ ચરમાદિનો વિચાર કરવામાં આવ્યા છે (૮૦૭–૮૨૯), જેમ કે ગતિની અપેક્ષાએ ચરમ એ કહેવાય જે હવે અન્ય કાઈ ગતિમાં જવાને નથી, મનુષ્યગતિમાંથી સીધે। મેાક્ષમાં જવાના છે. પણ મનુ• માંથી કાંઈ બધા મેકક્ષમાં જવાના નથી તેથી જેના ભવ હજી ખાકી હોય તે બધા જીવા ગતિની અપેક્ષાએ અચરમ કહેવાય. આ પ્રમાણે સ્થિતિ આદિની અપેક્ષાએ પણ જીવાને ચરમાચરમવિચાર પ્રસ્તૃતમાં કરવામાં આવ્યા છે. અગિયારમું ‘ભાષાપ૬ : ભાષાવિચારણા અગિયારમું ભાષાપદ ભાષાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, એ કયાં રહે છે, તેની આકૃતિ કેવી છે, એ તથા તેનુ' સ્વરૂપ તથા ભેદે અને તેને ખેલનાર ઇત્યાદિ અનેક મહત્ત્વતા પ્રશ્નો ચર્ચે છે. અનેક ઠેકાણે થયેલ ભાષાવિચારના એકત્ર સંગ્રહરૂપે હાય એમ જણાય છે. ભાષા વિચારને સરળતાથી સમજાવવા માટે સૂત્રેા તેના ક્રમને બદલે વ્યુત્ક્રમમાં લેવાં પડયાં છે, તેની વાચક નોંધ લે. ભાષાનું સ્વરૂપ અને ઉત્પત્તિ ભાષા એટલે જે ખેલાય છે તે. અર્થાત્ અન્યને અવમેધ-જ્ઞાનમાં જે કારણ બને છે તે, એવા અથ ટીકાકાર કરે છે.૨ એ ભાષાનુ આદિ કારણ જીવ છે (૮૫૮) અર્થાત્ મૂલ કારણ જીવ છે. જીવ ન હેાય તે ભાષા ઉત્પન્ન ન થાય. પણ તે મૂલ કારણ ઉપાદાનકારણુ સમજવાનું નથી. તેનું ઉપાદાનકારણ તે, પ્રજ્ઞાપના પ્રમાણે, ભાષાદ્રવ્યના પુદ્ગલ છે, જેમાં વર્ષોં, ગંધ, રસ અને સ્પર્શી છે (૮૭[૬]). તેવાં પુદ્ગલા પણ જ્યારે સ્થિતિશીલ ટ્રાય છે ત્યારે જ જીવ તેમનું ગ્રહણ (૮૭[૧]) કરે છે. જીવ ભાષાપુદ્ગલાનું ગ્રહણ શરીર વડે કરે છે, અને ભાષારૂપે તેનું પરિણમન કરે છે. જૈન પરિભાષામાં તેને ‘કાયયોગ વડે ગ્રહણ કરે છે,' એમ કહેવાય છે એમ પ્રજ્ઞાપનામાં કહ્યું છે (૮૫૮, ૮૫૯). શરીર વડે ગ્રહણ કરાયેલાં ભાષાનાં પુદ્ગલા ભાષારૂપે પરિણત થઈને જ્યારે નીકળે છે, ત્યારે તેના આકાર કેવા ડાય છે તે પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યુ` છે કે તે વજ્રાકાર છે (૮૫૮) ટીકાકાર જણાવે છે કે ભાષા જ્યારે નીકળે છે ત્યારે સમગ્ર લેકમાં તેનાં ૧. માધ્યતે રૂતિ માથા’– ૫૦ ટી૦, ૨૪૬ ૬ । ૨. ‘'માણા ગોધની નમૂતા”.'—૧૦ ટી૦, ૨૬ અ. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ પુદગલો વ્યાપી જાય છે અને લોકને આકાર વજાકાર છે તેથી ભાષાને પણ વજાકાર કહી છે= પ્રજ્ઞાપનામાં પણ એ સ્પષ્ટ જણાયું છે કે ભાષાનું પર્યવસાન લોકાન્તમાં છે (૮૫૮), એટલે કે ભાષાના પુગલે ફેલાઈને સમગ્ર લેકને ભરી દે છે. એ તેથી આગળ જઈ શકતા નથી તેનું કારણ એ છે કે ગમનમાં સહાયભૂત દ્રવ્ય ધર્માસ્તિકાય લોકમાં જ છે, તેથી બહાર નથી.' ગ્રહણ કરાયેલા ભાષાના પુદગલ ભાષારૂપે પરિણત થઈને બહાર નીકળે એમાં માત્ર બે સમય જેટલો કાળ જાય છે (૮૫૯), કારણ કે પ્રથમ સમયમાં ગ્રહણ છે અને દ્વિતીય સમયમાં નિસર્ગ છે–બહાર નીકળે છે." પુદ્ગલો પરમાણુથી માંડીને અનંતપ્રદેશી સ્કંધરૂપે હોય છે. તેમાંથી જે સ્કો અનંતપ્રદેશ છે તેનું જ ગ્રહણ ભાષા માટે ઉપયોગી છે (૮૭૭ [૩]) અને તે સ્કંધ પણ જે ક્ષેત્રની દૃષ્ટિએ અસંખ્યાત પ્રદેશમાં સ્થિત હોય તે ભાષાને ગ્ય છે (૮૭૪]), અન્યથા નહિ. કાળની દષ્ટિએ ભાષાના પગલે એક સમયથી માંડીને અસંખ્યાત સમયની સ્થિતિવાળા હોય છે. (૮૭૭[૫]). અર્થાત્ તે પુદ્ગલની ભાષારૂપે પરિણતિ એક સમય પણ રહે અથવા તો વધુમાં વધુ અસંખ્યાત સમય સુધી પણ રહે છે. ગ્રહણ કરાયેલા ભાષાના પુદ્ગલમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શના જે પ્રકારે છે તે, પ્રત્યેક ભાષાપુદ્ગલોમાં એકસરખા નથી હોતા, પણ સમગ્રભાવે વિચારવામાં આવે તો એટલે કે ભાષા માટે ગ્રહણ કરાયેલા સમગ્ર પુદ્ગલેને વિચાર કરવામાં આવે છે, તે બધા જ પ્રકારને સમાવેશ એમાં થઈ જાય છે. અર્થાત પુગલને રસાદિપે કઈ પણ પરિણામ ભાષાના પુલમાં ન હોય એમ બનતું નથી; બધા જ પરિણામે તેમાં મળી આવે છે (૮૭[૬] થી ૮૭૧૪]). ૫ણુ અપવાદ છે તે પણ ધ્યાનમાં રાખવો જરૂરી છે, કારણ કે સ્પશની બાબતમાં વિરોધી સ્પમાંથી એક જ સ્પર્શનું ગ્રહણ થાય છે એથી પ્રત્યેકમાં બેથી માંડી માત્ર ચાર સ્પર્શવાળાનું જ ગ્રહણ થાય છે. અને સમગ્રભાવે જોઈએ તે નિયમતઃ ચાર સ્પર્શવાળાનું ગ્રહણ થાય છે (૮૭[૧૩]). ૩. . ટી ૦, ૨૫૬ . ૪. ઝ૦ ર૦, ૨૫૬ ૨. ૫. આચાર્ય ભદ્રબાહુના કથનાનુસાર કાયોગથી ભાષાદ્રવ્યના પુલનું ગ્રહણ થાય છે અને વાગ્યેગથી નિર્ગમન થાય છે.–આવશ્યકનિર્યુક્તિ, ગા. ૭; . વિશેષા, ગા૦ ૩૫૩. ૬. પ્રસ્તુતમાં ટીકાકાર વ્યાખ્યાભેદની પણ સેંધ લે છે. ઘ૦ ટી , વત્ર ૨૬૨ . Page #205 -------------------------------------------------------------------------- ________________ ૪ પુદ્ગલા તે સમગ્ર લેાકાકાશમાં ભર્યાં પડયા છે, પણ આત્મા તે શરીર પ્રમાણુ જ ઇં, તેથી પ્રશ્ન થાય કે તે ગમે ત્યાંથી ભાષાપુદ્ગલાનુ ગ્રહણ કરે છે કે નહિ ? આને ખુલાસા પ્રજ્ઞાપનામાં એ છે કે માત્ર સ્પષ્ટ એટલે કે આત્મા સાથે સ્પશ'માં આવેલા જ પુદ્ગલાનું ગ્રહણ થાય છે, બીજાનુ ં નહિ (૮૭૭ [૧૫]). વળી, આત્માના પ્રદેશાનું અવગાહન આકાશના જેટલા પ્રદેશામાં હોય તેટલા જ પ્રદેશામાં રહેલ ભાષાના પુદ્ગલાનું ગ્રહણ થાય છે, અન્યનું નહિ (૮૭૭ [૧૬)]. આત્માના તે તે પ્રદેશ વડે ભાષાપુદ્ગલાનું ગ્રહણ થાય છે. આથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તે તે આત્મપ્રદેશથી જે ભાષાપુદ્ગલે નિરંતર હોય—એટલે કે આત્માના તે તે પ્રદેશમાં અવ્યવહિત ભાવે જે ભાષાપુદ્ગલા હાય, તે તે અણુખ કે બાર રૂપે હાય—તેમનું જ ગ્રહણ થાય છે, વ્યવહિતનું નહિ (૮૭૭ [૧૭૧૮]). આવાં ગ્રહણ કરાતાં દ્રવ્યો ઊ, અધઃ કેતિક્ દિશામાં સ્થિત હાય છે. અને આદિ, મધ્ય કે અંતમાં પણ ગ્રહણ કરે છે (૮૬૭ [૧૯૨૦]). જીવ પોતાના વિષયમાં—પ્રદેશમાં આવેલને = સૃષ્ટાવગાઢ અનન્તરાવગાઢને ગ્રહણકરે છે અને તે આનુપૂર્વી ક્રમે = જે આસન્ન હાય તેને યે દિશામાંથી આવેલને ગ્રહણ કરે છે (૮૭૭ [૨૧–૨૩]). = આ ભાષાપુદ્ગલાનું ગ્રહણુ સાન્તર કે નિરંતર હાય છે, અર્થાત્ ખેલવાનું ચાલુ ન રાખે તે ગ્રહણુમાં વ્યવધાન પડે છે તેથી તે સાંત્તર કહેવાય છે. અને ખેલવાનુ` અમુક સમય સુધી સતત ચાલુ રાખે તે નિરંતર ગ્રહણ કરવું પડે છે. આમાં સમજવાનું એ છે કે પ્રથમ સમયમાં તેા ગ્રહણુ જ છે, નિ`મ નથી, પણુ ખીજા સમયમાં ગ્રહણુ અને નિગ`મ બન્ને સંભવે છે, કારણ કે પ્રથમ સમયમાં ગૃહીત પુદ્ગલેાનુ દ્વિતીય સમયમાં નિર્ગમન છે અને તૃતીય સમયમાં જેનું નિ`મન થવાનું છે તેનું દ્વિતીય સમયમાં ગ્રહણ છે. આમ વચ્ચેના બધા જ ૭. ૮૭૭ [૩] માં માત્ર અનન્તપ્રદેશાનુજ ગ્રહણ થાય છે એમ સ્પષ્ટ કર્યુ... છે અને અહીં અણુનું પણ ગ્રહણ થાય છે તેમ જણાવ્યું છે. આમાં વિરોધ નથી સમજવાના, કારણ કે પ્રસ્તુતમાં અણુશબ્દના અ` પરમાણુ નથી, પણુ અણુ એટલે આછા પ્રદેશમાં રહેનાર, અને બાદરી એટલે વધારે પ્રદેશમાં રહેનાર એવા છે. ૬૦ ટા, ૨૬૨ ૬. ૮. ૬૦ ટી૦, ૨૬૨ અંત દૂત કાળ પર્યંત તે પુદ્દગલ ગ્રહણુયેાગ્ય છે. તેમાં આદિ, મધ્ય કે અંત સમયે તે ગ્રહણ કરે છે, એમ સમજવું. Page #206 -------------------------------------------------------------------------- ________________ સમયમાં ગ્રહણ અને નિગમન બને થાય છે અને અંતે માત્ર નિર્ગમન છે, ગ્રહણ નથી, તેમ પ્રથમ સમયમાં માત્ર ગ્રહણ છે, નિગમ નથી (૮૭૮-૭૭૯), કારણ કે નિગમ દ્વિતીય સમયથી શરૂ થાય છે. લાકાતગમન પ્રથમ એ કહેવાઈ ગયું છે કે ભાષા લેકાત સુધી ગમન કરે છે, તેનો ખુલાસો કરતાં પ્રજ્ઞાપનામાં જણાવ્યું છે કે ગૃહીત પુલનું નિર્ગમન બે રીતે થાય છે. એક તે જે પ્રમાણમાં ગૃહીત કર્યા હોય તે સર્વે પુલોના પિંડનું એમ ને એમ નિસરણ થાય છે–અર્થાત વક્તા ભાષાવગણના પુદ્ગલેને પિંડને અખંડ રૂપમાં જ બહાર કાઢે છે. આ પિંડ અમુક યોજના ગયા પછી ધ્વંસ પામે છે, અર્થાત્ તેનું ભાષાનું પરિણમન સમાપ્ત થાય છે. પણ જો વક્તા ગૃહીત પુદ્ગલેને ભેદીને અર્થાત તેના વિભાગ કરીને કાઢ૧૦ (તો તે પિંડે સૂક્ષ્મ થઈ જાય છે તેથી શીઘ ધ્વંસ પામતા નથી, ઊલટું સંપર્કમાં આવનાર અન્ય પુદ્ગલેને વાસિત કરે છે = ભાષારૂપે પરિણત કરી દે છે.) તે તેથી તે અનંતગુણ વૃદ્ધિ પામતાં પામતાં લોકના અંતને સ્પર્શે છે (૮૮૦). પુદગલોનું આવું ભેદન અનેક પ્રકારે થાય છે. તેના ખંડ, પ્રતર, ચૂર્ણિકા, અનુતટિકા અને ઉત્સરિકા એવા પાંચ ભેદ સૂત્રમાં દૃષ્ટાતો સાથે જણાવ્યા છે (૮૮૧-૮૮૭), એટલું જ નહિ પણ એ પાંચેયનું અલ્પબદુત્વ પણ નિર્દિષ્ટ છે. (૮૮૭) ભાષાના પ્રકાર પ્રસ્તુત પદમાં ભાષાના ભેદે અનેક રીતે વર્ણવ્યા છે (૮૩૦, ૮૪૯, ૮૫૯, ૮૭૦, ૮૯૬), પણ તે ભેદનું વ્યવસ્થિત નિરૂપણ સૂ૦ ૮૬ ૦૮૬૬ માં થયું છે, તેથી ભેદો માટે તે સૂત્રને મુખ્ય માનીને અહીં વિવરણ કરવામાં આવશે. ભાષાના બે પ્રકાર છે : પર્યાપ્તા અને અપર્યાપ્તા (૮૬૦). ટીકાકારે આનું વિવરણ કર્યું છે, તદનુસાર જેના પ્રતિનિયત સ્વરૂપને નિશ્ચય થઈ શકે છે, તે પર્યાપ્ત છે અને જેના વિષે એ નિશ્ચય નથી થઈ શકતો તે અપર્યાપ્ત છે. નિશ્ચય યથાર્થ પણ હોય છે અને અયથાર્થ પણ હોય છે. યથાર્થ હોય તો સત્ય કહેવાય અને અયથાર્થ હોય તે મૃષા અથવા મિથ્યા કહેવાય. આથી જે ભાષા યથાર્થ નિશ્ચય ૯. ઘ૦ ટી , વત્ર ૨૬૪માં વિશેષાવશ્યક ભાષ્ય (ગા ૦ ૩૭૧) ને આધારે સ્પષ્ટ કર્યું છે કે એક જ સમયમાં બે ક્રિયાને વિરોધ નથી; માત્ર બે ઉપયોગને વિરોધ છે. ૧૦. કાષ્ઠકગત ભાગ મૂળમાં નથી પણ સ્પષ્ટતા ખાતર જોડયો છે. જુએ, વિશેષા ગા૦ ૩૭૮ અને ઘ૦ ટી ૦, પત્ર ૨૬૫ ૨. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ કરાવતી હાય તે ભાષા સત્ય છે અને અયથાર્થ નિશ્ચય કરાવતી હોય તે તૃષા છે; આમ પર્યાપ્તાના ભેદ એ છે ઃ સત્યભાષા અને મૃષાભાષા (૮ ૬૧). યથાર્થ કોને કહેવુ" એ પણ અપેક્ષાભેદથી નક્કી કરવું પડે છે. આથી સત્યભાષાના અપેક્ષાભેદે શ ભેદેા છે : ૧. જનપસત્ય, ૨. સમ્મતસત્ય, ૨. ૩. સ્થાપનાસત્ય, ૪. નામસત્ય, ૫. રૂપસત્ય, ૬. પ્રતીત્યસત્ય. ૭. વ્યવહારસત્ય ૮. ભાવસત્ય ૯. યેાગસત્ય અને ૧૦. ઔપમ્યસત્ય (૮૬૨).૧૧અસત્ય અથવા તે। તૃષા ખેલવા પાછળ અનેક કારણે! હાય છે, આથી એ કારણભેદે મૃષા અર્થાત્ અસત્યભાષાના જે ભેદો છે તે પશુ દા છે ઃ ૧. ક્રાનિઃસૃત ૨. માયાનિઃસૃત ૪. લાભનિઃસૃત, ૫. પ્રેમનિઃસૃત, ૬. દ્વેષનિઃસૃત, ૭. હાસ્યનિઃસૃત, ૮. ભયનિઃસૃત ૯. આખ્યાનિકનિઃસૃત ૧૦. ઉપશ્ચાત નિઃસૃત (૮૬૩). અપર્યાપ્તા ભાષાના બે પ્રકાર છે : સત્યા-મૃષા અસત્યા-મૃષા (૮૬૪). આમાંથી સત્યામૃષાના દેશ (૮૬૫) અને અસત્યા-મૃષાના ખાર ભેદો છે (૮૬૬), જેમાં અસત્ય અભિપ્રેત હોય તે સત્યા મૃષા કહેવાય. અને જેમાં સત્ય કે મિથ્યાના સબંધ ન હોય તે અસત્યા-મૃષા; એટલે કે કોઈને મેલાવવા હાય ા કહેવું કે એ દેવદત્ત ! ઇત્યાદિ. તેના ભેદોનું વિવરણ ટીકાકારે કર્યુ છે, તેથી અહીં તેના વિસ્તાર કરવાની જરૂર નથી (પ્ર૦ ટી૦, ૨૫૯). માનું છુ”, ચિતવું છું.આ પ્રકારની ભાષા અવધારણી નિશ્ચયાત્મક કહેવાય છે (૮૩૦) અને તે સત્યાદિ ચારેય પ્રકારે સંભવે છે. જે ભાષા ખેાલવાથી ધર્માંની આરાધના થાય તે સત્ય, જેથી ધર્માંની વિરાધના થાય તે અસત્ય, મિશ્રણવાળી સત્ય-મૃષા ભાષાથી આરાધના વિરોધના બન્ને થાય છે, પણ અસત્યાક્રૃષા ભાષાના સંબંધ આરાધના કે વિરાધના સાથે નથી (૮૩૧, ૮૫૬). પ્રજ્ઞાપની ભાષા, જે અસત્યતૃષાના એક ભેદ છે (૮૬૬), તે બાબતમાં પ્રસ્તુત્ત પદમાં વિગતે ચર્ચા છે તે આવી છે—(ભાષાના શબ્દોમાં તેા સ્ત્રી, પુરુષ કે નપુસકને ભાવ હેાતા નથી છતાં પણ જાતિવાચક) ગે! આદિ શબ્દોમાં પુલ્લિંગને પ્રયેાગ થાય છે, તેા તેવા શબ્દોને મૃષાભાષા ન કહેવાય, પણ તે પ્રજ્ઞાપની ભાષાના નમુના ગણાય (૮૩૨), (કારણ કે તે શબ્દોથી અમુક અંનુ નિરૂપણુ થાય છે. તે જ પ્રમાણે શબ્દોમાં લિગ નથી, છતાં પણુ) કેટલાક શબ્દો પુલ્લિ ંગી (૮૫૨) છે, કેટલાક સ્ત્રીલિ’ગી (૮૫૧) છે અને કેટલાક નપુસકલિંગી (૮૫૩) છે, (પણ તેમનેા પ્રતિપાદ્ય અથ તો તે શબ્દગત લિંગ ધરાવતો નથી છતાં) તે પણ મૃષાભાષા ન કહેવાય, પણ પ્રજ્ઞાપની કહેવાય (૮૩૩, ૮૫૪, ૮૫૭). ૧૧. સ્થાનાંગ–સમવાયાંગ, પૃ૦ ૧૨૨-૨૩; પ્ર૦ ટી॰ વત્ર ૨૫૭. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ (ભાષાના શબ્દો વડે ગમે તે લિંગ ધરાવનારને આજ્ઞા પણ કરવામાં આવે છે અને સાંભળનાર આજ્ઞા પ્રમાણે કરે કે ન કરે તેમ પણ બને છે, છતાં પણુ) ૨ આજ્ઞાપની ભાષાને મૃષા ન કહેવાય, પણ માત્ર પ્રજ્ઞાપની ભાષા. કહેવાય, (૮૩૪, ૮૫૫); પુરુષાદિ ત્રણે લિંગનાં લક્ષણનું પ્રત્તાપન કરનારી ભાષા પશુ મૃષા ન કહેવાય, પણ પ્રજ્ઞાપની કહેવાય (૮૩૫); (પછી ભલેને તે તે લિંગધારીમાં સમગ્રભાવે તે તે લક્ષણા ઉપલબ્ધ થતાં ન હેાય) જાતિવાચક શબ્દોમા પુલ્લિંગાદિ ત્રણે લિંગે દેખાય છે (પણ જાતિમાં તા કાઈ લિગ નથી), તાપણું. તે મૃષા નથી પણ પ્રજ્ઞાપની છે (૮૩૬). તે જ પ્રમાણે જાતિને લક્ષ કરીને આજ્ઞા કરવામાં આવી હાય કે તેનાં પુલ્લિંગાદિ લક્ષણાનુ નિરૂપણ થયુ હોય તે તે ભાષા પણ મૃષા ન ગણાય પશુ- પ્રજ્ઞાપની કહેવાય (૮૩૭, ૮૩૮, ૮૫૬). ભાષાના શબ્દોનું વર્ગીકરણુ અન્ય રીતે પણ કરવામાં આવ્યુ છે અને તેના સોળ પ્રકાર જણાવ્યા છે. તેમાં લિંગ,૧૩સખ્યા૧૪ અને કાળના ત્રણ-ત્રણ ભેદીને લઈને વચનના નવ પ્રકાર છે ઃ પ્રત્યક્ષ વચન, પરાક્ષ વચન, અધ્યાત્મવચન આદિ જેવા; શેષ પણ જુદા જુદી અપેક્ષાથી ભિન્ન છે (૮૯૬); આ બધા જ પ્રકારના સમાવેશ પ્રજ્ઞાપનીમાં કરવામાં આવ્યા છે અને તે મૃષા નથી તેમ જણાવ્યું છે (૮૯૭). ★ બારમું પદ્મ : જીવાનાં શરીર પ્રસ્તુત બારમા પદમાં વાનાં શરીર વિષે ચર્ચા છે. શરીર પાંચ છે : ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાણુ (૯૦૧). ઉપનિષદોમાં આત્માના પાંચર કાની ચર્ચા મળે છે, તેમાં માત્ર અન્નમય કોષ સાથે ઔદારિક શરીરની તુલના થઈ શકે તેમ છે. અને પછીથી સાંખ્ય આદિ દર્શનમાં અવ્યક્ત, સમ કૈં લિગશરીર માનવામાં આવ્યું છે તે જૈનસંમત કામણુને સ્થાને છે. ૧૨. આજ્ઞાપની એ અસત્યમૃષાને પણ એક ભેદ છે. સૂ૦ ૮૬૬. ૧૩. લિ ગભેદથી શબ્દભેદ માટે જુએ સૂ૦ ૮૫૧ ૮૫૨, ૮૫૩. ૧૪. સંખ્યાભેદથી શબ્દનો ભેદ સ્૦૮૪૯-૮૫૦માં પણ છે. પણ ત્યાં સંસ્કૃતભાષાસંમત દ્વિવચનને નિર્દેશ નથી, કારણ કે પ્રાકૃતમાં તે છે નહિ. ૧. ભગવતી, ૧૭–૧ . ૧૯૨. ૨. તૈત્તિરીય ઉપનિષદ, મનુવી; ખેલવલકર અને રાનડે, History of Indian Philosophy P. 250. ૩. સાંખ્યકારિકા ૩૯-૪૦; મેલવલકર અને રાનડે, History of Indian Philosophy P. 358, 430; 370; માલવણિયા ‘ગણુધરવાદ”, પ્રસ્તા વના ૫૦ ૧૨૧–૧૨૩. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ નારક્રાદિ ૨૪ દડકામાં તે પાંચમાંથી કયાં કયાં કાને હાય છે તેનું નિરૂપણુ કરીને (૯૦૨-૯૦૯) તે પાંચે શરીશના બે ભેદ્દે બહુ = વત માનમાં બંધાયેલ, અને મુક્ત = પૂર્વાંકાળે બાંધીને ત્યજી દીધેલાં શરીરા વિષે વિચારણા કરવામાં આવી છે કે તેમનું સખ્યાપરિમાણુ દ્રવ્ય, ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ કેટલુ છે (૯૧૦). અને પછી ૨૪ ૬ડકામાં એ બન્ને પ્રકારનાં શરીગની સંખ્યાને દ્રવ્યા દિની અપેક્ષાએ વિચાર છે (૯૧૧–૯૨૪). કાલની દૃષ્ટિએ સખ્યા એટલે સૂત્રમાં જણાવેલ કાલમાનના જેટલા સમય થતા હેાય તેટલા સમય જેટલી તે સખ્યા સમજવી. અને તે જ પ્રમાણે ક્ષેત્ર એટલે તે તે સૂચિત ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશ હાય તેટલી સખ્યા ક્ષેત્રની અપેક્ષાએ સમજવાની છે. અસંખ્યાત અને અનંત સંખ્યા ક્રમશઃ અસ`ખ્યાત અને અનંતપ્રકારની સભવે છે, તેથી સામાન્ય રૂપે અસંખ્ય કે અનંત કહેલ, છતાં તે સંખ્યા કયા પ્રકારની અસંખ્ય કે અનંત સમજવી તે દર્શાવવા માટે વચ્ચે વચ્ચે અનેક જાતનાં સમીકરણો સૂત્રમાં સૂચવ્યાં છે, તે ગણિતમાં રસ ધરાવનાર માટે પણ રસપ્રદ થઈ પડે તેવાં છે. ટીકાકારે તેની વિસ્તૃત સમજૂતી આપી છે. ઔદારિક આદિ શરીરવાચક શબ્દોના અર્થ તેના પ્રયેાજનની દષ્ટિએ ટીકાકારે સમજાવ્યા છે, તે પ્રમાણે જોઇએ તે જે માંસ-અસ્થિ-આદિયુક્ત સ્થૂલ શરીર છે તે ઔદારિક છે, છતાં તે શરીર પ્રધાન પણ છે, કારણ કે સૌથી ઊંચે વસનારા અનુત્તર વિમાનના દેવા કરતાં પણ તે શરીરનુ` મહત્ત્વ એટલા માટે વધારે છે કે તે ઔદારિક શરીર જ એવું છે જે તીથકર આદિને હાય છે, અને દેવાને દુર્લભ તે શું પણ સંભવતું જ નથી; નારક અને દૈવ સિવાયના વેાને આ શરીર જન્મથી હાય છે. વળી, ઔદારિક આદિ શરીર જે ક્રમે નિર્દિષ્ટ છે. તે ક્રમે જ ઉત્તરાત્તર સૂક્ષ્મ છે. પ્રદેશેાની સંખ્યા ઉત્તરાત્તર શરીરેામાં વધારે છતાં ક્રમે કરી ઉત્તરોત્તર સુક્ષ્મ છે, એ વસ્તુ ટીકાકારે જણાવી છે. જે શરીર વિવિધ પ્રકારની ક્રિયા કરી શકે છે, એટલે કે અનેક પ્રકારનાં રૂપે ધારણ કરી શકે છે તે, વૈક્રિય છે. આ શરીર દેવ-નારકને જન્મથી છે અને મનુષ્યને ઋદ્ધિરૂપે પ્રાપ્ત થાય છે. ચતુર્દશપૂર્વી' મુનિ પ્રયેાજન ઉપસ્થિત થયે યેાગમલથી જેની રચના કરે છે તે આહારક શરીર છે. કોઇ બાબતની શંકા ઉપસ્થિત થયે સમાધાન અર્થે તીથ કર પાસે જવા માટે આ શરીરને ઉપયાગ છે. શરીરમાં જે તેજસ અર્થાત્ પાચન આદિમાં અગ્નિનું કાર્યાં કરે છે તે તેજસ શરીર છે. અને કનિમિ`ત જે સૂક્ષ્મ શરીર છે તે કામ`ણુ-આ એ શરીર જીવથી Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કદી વિયુક્ત થતાં નથી; માત્ર સિદ્ધિ સમયે તેમનાથી છવ વિમુક્ત બને છે, અનાદિ કાળથી આ બન્ને શરીર જીવ સાથે જોડાયેલાં જ છે. પુનર્જન્મ માટે ગમન કરનાર જીવને પણ આ બે શરીરે તે હોય જ છે, અને પછી ઔદારિક આદિ શરીરની રચના થાય છે. પટ્રખંડાગમમાં છવનાં આ શરીરની વિચારણામાં બદ્ધ અને મુક્ત-એવા ભેદોનો વિચાર નથી થયો, પરંતુ સત્પદપણુ, દ્રવ્યપ્રમાણુનુગમ આદિ આઠ અનાગધારે વડે જીવનાં શરીર સંબંધી વિસ્તૃત વિચાર જોવા મળે છે (પુસ્તક ૧૪, સૂ૦ ૧૨૯, પૃ. ૨૩૭), એટલું જ નહિ પણ શરીરમરૂપણું પણ કરવામાં આવી છે, જેમાં નામ, નિરુક્તિ આદિ છ અનુગદ્વાર વડે વિચાર છે (પુ. ૧૪, સૂ૦ ૨૩૬, પૃ. ૩૨૧). - શરીર વિષેની એકત્ર માહિતી માટે જુઓ સ્થાનાંગ-સમવાયાંગ, પૃ. ૩૯૯.. દંડકમાં શરીરવિચાર બાહ્ય અને આત્યંતર એમ બે ભેદે પણ થયું છે. આ પદનો સાર નીચેના કેપ્ટકોથી મળી રહેશે. સૂ૦ ૦૦૧–૯૦૯ દંડકમાં શરીર ઔદારિક વૈક્રિય આહારક તૈજસ કામણ ૧. નારક ૨-૧૧. અસુર યાવત સ્વનિત ! ૧૨. પૃથ્વીકાય ૧૩. અકાય ૧૪. તેજ:કાય ૧૫. વાયુકાયા ૧૬. વનસ્પતિકાય ૧. કીન્દ્રિય ૧૮. ત્રીન્દ્રિય ૧૯. ચતુરિન્દ્રિય ૨૦. પંચેન્દ્રિયતિચ ૨૧. મનુષ્ય ૨૨. વાણુવ્યંતરે ૨૩. તિષ્ક ૨૪. વૈમાનિક x x x x x x x x x x x x x x Page #211 -------------------------------------------------------------------------- ________________ | | | બદ્ધ અને મુક્ત શારાની સંખ્યા અહિ (o) સંખ્યા કાલસમીકરણ ક્ષેત્રસમીકરણ દ્રવ્યસમીકરણ ૧. સંખ્યા ૨.અસંખ્ય ૩ અનંત ૧.અસ૨ અનંત ૧.પ્રતરને અસં ભાગ ૨.અસ ૦૩.અનંત શરીર ઉ.અ. ઉ.અ અસંશ્રેણી લેટ લેક ૧. ઔદારિક ૧. બદ્ધ ૨. મુક્ત , C અભવ્યથી અનંત { ગુણ = સિદ્ધોને ૨. વૈક્રિય || અનંતભાગ ૧. બદ્ધ ૨. મુક્ત દારિક પ્રમાણે ૩. આહારક ૧. બદ્ધ શૂન્ય અથવા જધન્ય એકથી માંડી ઉત્કૃષ્ટ સહપૃથકત્વ ', ઔરિક પ્રમાણે ૪. તેજસ ૧. બદ્ધ , સિદ્ધથી અનંતગુણ 3= સર્વજીવને 1 અનંતભાગ ૨. મુક્ત - , - સર્વ જીવથી અનંતગુણ = જીવવગને અનંતભાગ ૫. કાર્પણ ૧, બહ તેજસ પ્રમાણે | - ૨. મુક્ત | | | Page #212 -------------------------------------------------------------------------- ________________ x x * x x અસ છે x હકમાં બદ્ધ અને મુક્ત શરીરની સંખ્યા (ા-૯૨૪). હારિક- વૈયિ આહારક- તૈજસ કામણ બદ્ધ, મુક્ત બદ્ધ, મુક્ત બદ્ધ, મુક્ત બદ્ધ, મુક્ત બદ્ધ, મુક્ત ૧. નારક » અનંત અસં અનંત x અનંત અસં. અનંત અસં અનંત ૨-૧૧. અસુર યાવતો , સ્વનિત | * ૧૨. પૃથ્વીકાય અસં ૧૩. અપ્લાય ૧૪. તેજ કાયા ૧૫. વાયુકાયા ૧૬. વનસ્પતિકાય અનંત , અનંત , ૧૭. દીન્દ્રિય અસં૦ , અસં૦ , ૧૮. ત્રીન્દ્રિય ૧૯. ચતુરિન્દ્રિય ૨૦. પદ્રિય તિર્યંચ અસંતુ ૨૧. મનુષ્ય સં. અથવા, સ ૧ થી માંડી ,, સંઅથવા , અસં. સહસ્ત્રપૃથકત્વ અસં૦ અસંહ ૨૨. વાણવ્યંતર 1 x , અ... " , અસં અસં , ૨૩. તિક ૨૪. વૈમાનિક જ x x x x x સં અથવા X X Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ તેરમું પરિણામ ૫૬ : પરિણામવિચાર ભારતીય નામાં સાંખ્ય આદિ પરિણામવાદી છે, જ્યારે ન્યાય આદિ પરિણામવાદી નથી. ધ અને ધી ને અત્યંત ભેદ માનનારે પરિણામવાલ્ને ત્યાગ કર્યાં અને ધર્માંધ ના અભેદ માનનારે પરિણામવાદના સ્વીકાર કર્યાં છે. આને જ કારણે ભારતીય દર્શનમાં ત્રણ પ્રકારની નિત્યતાને વિચાર દાખલ થયે . છે. સાંખ્ય, જૈન અને વેદાન્તીઓમાંથી રામાનુજ જેવાઓએ પરિણામિનિત્યતા સ્વીકારી; તેમાં પણ સાંખ્યાએ માત્ર પ્રકૃતિમાં પરિણામિનિત્યતા સ્વીકારી; પણુ પુરુષમાં તે ફૂટસ્થનિત્યતા માની. અને એ જ ફૂટસ્થનિત્યતા નૈયાચિકાદિએ બધા પ્રકારની નિત્ય વસ્તુમાં માની અને પરિણામિનિત્યતાને ત્યાગ કર્યો; કારણ કે તેમને મતે ધમ' અને ધી`ના અત્યંત ભેદ હતા. બૌદ્ધોએ ક્ષણિકવાદ માન્યા છતાં પુનર્જન્મ તા માન્યો છે. તેથી તેમને મતે નિત્યતાનેા વળી એક ત્રીજો પ્રકાર થયે અને તે છે સંતતિનિત્યતા. પ્રસ્તુતમાં જૈન મતે જીવ અને અજીવ બંન્ને પ્રકારના પદાર્થોના પરિણામેા ગણાવ્યા છે, તેથી સાંખ્યાદિસ ંમત પુરુષકૂટસ્થવાદ જૈનાને અમાન્ય છે તે સૂચિત થાય છે . (૯૨૫). પ્રથમ જીવના પરિણામેાના ભેદ-પ્રભેદો ગણાવ્યા છે (૯૨૬–૯૩૭) અને પછી નારકાદિ ચોવીશે દડકામાં તે પરિણામેના વિચાર કરવામાં આવ્યા છે (૯૩૮-૯૪૬). અને અંતે અજીવના પરિણામેાના ભેદ–પ્રભેદોની ગણતરી આપી છે (૯૪૭-૯૫). આ ઉપરથી એક ધ્યાન દેવા જેવી વાત એ ફલિત થાય છે કે અજીવ–પરિણામેામાં માત્ર પુદ્ગલના પરિણામેાની ગણના છે; ધર્માસ્તિકાયાદિ અરૂપી દ્રવ્યાના પરિણામે ગણાવ્યા નથી તે સૂચવે છે કે એક કાળ એવા હતા જ્યારે ધર્માસ્તિકાર્યાદિ અરૂપી અજીવ દ્રવ્યામાં પરિણામે મનાતા નહિ હાય. ભગવતી શ. ૨, ઉ. ૧૦માં અને સ્થાનાંગ (૩૦ ૪૪૧)માં ધર્માસ્તિકાયાદ્રિના નમાં “ો ન જ્યાં, નાસી, ન યાર્ન મતિ, ન યાર્ન મવિસ ત્તિ, भुवं भवति भविस्सति य धुवे णितिए सासते अक्खए अन्वए अवधि जिच्चे । માવતો પ્રવને બધે અને અાસે” ઇત્યાદિ ઉલ્લેખ છે તે પણ સિદ્ધ કરે છે કે તેમના પરિણામે વિષેની માન્યતા પ્રાચીન નથી, પરંતુ એ માન્યતા પછીના કાળે ૧. ‘ઢથી ચેયનિતા લૂટનિત્યાન , तत्र कूटस्थनित्यता पुरुषस्य । પરિમિનિત્યતા શુળનામ્ ।” વાર્ત॰ મા, ૪, ૩૨ ભગવતીમાં પણ પદ્મવાની જેમ જ રિનામવયં નિરવસેસ માળિયર—૧૪. ૯, સ, ૧૧૪. પરિણામે મજી લેવાનુ` કહ્યું છે Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ કયારેક શરૂ થઈ જ્યારે વસ્તુનું લક્ષણ ઉત્પાદ-ધ્રૌવ્ય એ ત્રિપદી વડે કરવામાં આવ્યું. અને પરિણામ સ્વરૂપે આપણે તત્ત્વાર્થસૂત્રમાં જોઈએ છીએ કે તેમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય–એ સતની વ્યાખ્યા કરવામાં આવી (૫. ૨૯) એટલું જ નહિ પણ નિત્યની વ્યાખ્યા પણ તેને જ અનુસરીને કરવામાં આવી કે “તમવા નિત્ય (પ.૩૦). આ લક્ષણ ઉપર પાતંજલ યોગસુત્રની પરંપરાની છાપ સ્પષ્ટ છે. પાતંજલના વ્યાસભાષ્યમાં નિત્યની વ્યાખ્યા છે—“સ્ત્રિનું પરિભ્યને તરવું ન વિદતે સન્નિત્ય'-મધ્ય ૪-૩૩. તત્ત્વાર્થસૂત્રમાં પરિણામની વ્યાખ્યા છે – તમારા પરિણામઃ -૫૪૧. ભગવતી અને સ્થાનાંગમાં ધમસ્તિકાયાદિ ભાવ=પરિણામોના વિચારપ્રસંગે એટલું કહ્યું હતું કે તેમાં રૂપ, રસ આદિ નથી, પણ શું છે તે બાબત મૌન છે. સ્થાનાંગસૂત્ર, ૪૪૧; ભગવતી, ૨-૧૦, સૂ૦ ૧૧૮. પ્રસ્તુત પ્રજ્ઞાપનામાં અછવના દશ પરિણામોમાં એક “અગુરુલઘુ પરિણામ પણ છે (૯૪૭), પરંતુ તે વિષે સ્પષ્ટ કહ્યું છે કે તે “કાજ (૯૪૬) છે. એટલે તેના વિશેષ પરિણામે સંભવ ઘટે નહિ. ભગવતીમાં ગુરુલઘુનો વિચાર અનેક ઠેકાણે છે. તે સમગ્ર ચર્ચાથી એક બાબત એ ફલિત થાય છે કે સૂક્ષ્મ પુદગલપરમાણું અને અરૂપી દ્રવ્યને “અગુરુલઘુ' કહ્યા છે. એટલે એ પ્રમાણે છવ, ધર્મ અધમ, આકાશ અને કાલ એ “અંગુરુલઘુ સિદ્ધ થાય છે. અહીં એ ધ્યાનમાં લેવાનું છે કે સાપેક્ષ ગુરુ અને લધુને તો ગુરુલઘુ” નામ આપ્યું જ છે, એટલે “અંગુરુલઘુ શબ્દથી તેને નિષેધ જ સમજી શકાય. એટલે કે જે દ્રવ્ય “અંગુરુલધુ' તરીકે ઓળખાવ્યાં તેમાં ગુરુ કે લઘુ એ બેમાંથી એકેય કે સાપેક્ષ ગુરલ’ એ ભાવ નથી એમ જ સમજાય. ગુરુ-લધુની ચતુર્ભગીમાં એ ચે ભંગ છે. તેથી પણ એ નિષેધ જ સૂચવે છે. આમ એ ધમથી કોઈ વિવિધરૂપ ધર્મ કે ભાવ સૂચવાત નથી, એમ ભગવતીની ગુરુલઘુની ચર્ચા (1. ૯. સૂ૦ ૭૩)થી સમજાય છે, પરંતુ ભગવતીમાં જ કુંદકના અધિકારમાં પાછું લેકના અનંત અગુરુલઘુ પર્યાયે હોવાનું જણાવ્યું છે, એટલું જ નહિ પણ છવ, સિદ્ધિ અને સિદ્ધના (૨. ૧. સૂ૦ ૯૧) અનંત અગુરુલઘુ પર્યાયે કહ્યા છે. આમ માંથી સર્જનની પ્રક્રિયા દેખાય છે અને તેથી ભગવતીમાં જુદા જુદા વિચારના સ્તરે હોવાનું જણાય છે. અને એથી એટલું કહી શકાય કે બધી વસ્તુના પર્યાયપરિણુમાં હોવા જોઈએ; એ નવા વિચારના પરિણામસ્વરૂપે ધર્માસ્તિકાયાદિમાં પણ . તે ઘટાડવાને આ પ્રયાસ છે. આ વિચારવિકાસની એ પણ એક ભૂમિકા છે, જે '' ૧૩ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૫ તત્ત્વાર્થ સૂત્રમાં જોવા મળે છે, જ્યાં પરિણામોના અનાદિ અને આદિ એવા ભેદ કરીને (૫ ૪૨) અરૂપીમાં અનાદિ પરિણમે હેવાનું ભાષ્યમાં જણાવ્યું છે, (પ. ૪૨). આ સૂત્રની માન્યતા અને વ્યાખ્યામાં જે મતભેદો થયા તેનું પણ એ જ કારણ છે કે આ વિચાર ન હતો અને તેણે સ્થિરભૂમિકા પ્રાપ્ત કરી ન હતી. ગુરુ, લઘુ, ગુરુલઘુ અને અગુરુલઘુ વિષેની વિશેષ તાર્કિક વિચારણા માટે આચાર્ય જિનભદ્રનું વિશેષાવશ્યકભાષ્ય (ગા ૬૫૪-૬ ૬૩) જોવું જોઈએ. પરિણામેનું ગણન આ પ્રમાણે છે – જીવના પરિણામ (૯૨૬-૯૩૭) અજીવ પરિણામો (૯૪-૯૫૬) ૧. ગતિ (નરકાદિ ૪) ૧. બંધન (સ્નિગ્ધરક્ષ) ૨. ઇન્દ્રિય (શ્રોત્રાદિ ૫) ૨. ગતિ (સ્મશદુ-અસ્પૃશદ્ અથવા દીધ ૩. કષાય (ક્રોધાદિ ૪) ૩. સંસ્થાન (પરિમંડલાદિ ૫) ૪. લેશ્યા (કૃષ્ણદિ ૬) ૪. ભેદ (ખંડ આદિ ૫) ૫. યોગ (મન આદિ ૩) ૫. વર્ણ (કૃણ આદિ ૫) ૬. ઉપયોગ (સાકાર-અનાકાર) ૬. ગંધ (સુરભિ-દુરભિ) ૭. જ્ઞાન (આભિનિધિ આદિ ૫) ૭. રસ (તિક્ત-આદિ ૫). ૮. દર્શન (સમ્યફ આદિ ૩) ૮. સ્પર્શ (કખડ આદિ ૮) ૯. ચારિત્ર (સામાયિકાદિ ૫) ૯. અગુરુલઘુ (એક) ૧. વેદ (સ્ત્રી આદિ ૩) ૧૦. શબ્દ (સુમ્મુિ-દુલ્મિ) અછવપરિણામોના બંધનપરિણામ પ્રસંગે જે ગાથા નં. ૨૦૦ છે તે જ ગાથા પખંડાગમમાં પણ ઉપલબ્ધ થાય છે. (પુસ્તક ૧૪, સૂત્ર, ૩૬, પૃ. ૩૩) અવગતિપરિણામના જે બે પ્રકાર છે તે આ છે–પૃશગતિ પરિણામ અને અસ્પૃશગતિપરિણામ (૯૪૯). જેને માન્યતા પ્રમાણે આકાશપ્રદેશ તે સર્વત્ર વિદ્યમાન છે જ, પરંતુ પ્રસ્તુતમાં તે પ્રદેશને સ્પર્શ કરીને અને તે વિના–એમ બે Page #216 -------------------------------------------------------------------------- ________________ - પ્રકારની ગતિ છે એવો અર્થ નથી સમજવાને એમ આચાર્ય મલગિરિને અભિપ્રાય છે. પણ અન્ય મત પ્રમાણે તેથી ઊલટું છે. તેને વિષે મલયગિરિ કહે છે કે આ કેમ સંભવે તે અમને સમજાતું નથી-ચે તુ વ્યાજતે પૃથ્રતિવરા નામ येन प्रयत्नविशेषात् क्षेत्रप्रदेशान् स्पृशन् गच्छति, अस्पृशद्गतिपरिणामो येन क्षेत्रप्रदेशानस्पृशन्नेव गच्छति-तन्न बुध्यामहे, नभसः सर्वव्यापितया तत्प्रदेशसंस्पर्शव्यतिरेकेण गतेरसम्भवात् । बहुश्रुतेभ्यो वा परिभावनीयम्" प्र० टीका, पत्र २८९ अ । આચાર્ય મલયગિરિએ સ્પૃશગતિ અને અસ્પૃશગતિનું દૃષ્ટાંત આપ્યું છે. કે તળાવમાં જ્યારે ઠીકરી તિરછી દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે તે વચ્ચે વચ્ચે જલને સ્પર્શ કરતી અને સ્પર્શ ન કરતી એમ જાય છે. પ્રસ્તુતમાં મતાન્તર થવાનું કારણ એ જણાય છે કે આકાશનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું અને તેને પ્રદેશને સ્વીકારવામાં આવ્યા, તે પહેલાં પ્રસ્તુત ચર્ચા પરંપરામાં થઈ હશે તે એમની એમ ચાલી આવી છે. આ અસંગતિનો તાકિક ખુલાસો કરવાનો પ્રયત્ન ઉપાધ્યાય યશવિજયજીએ અસ્પૃશગતિવાદમાં કર્યો છે. આ ખુલાસે એટલા માટે પણ જરૂરી હતો કે એક તરફ એમ માનવામાં આવ્યું કે સિદ્ધના જીવ એક જ સમયમાં સિદ્ધિસ્થાને પહોંચી જાય છે, પરંતુ બીજી તરફ એમ કહેવામાં આવ્યું હતું કે જીવન મૃત્યુસ્થાન અને સિદ્ધિસ્થાન વચ્ચે અસંખ્યાત આકાશપ્રદેશનું અંતર હોય છે. અને ગતિનિયમ એવો છે કે એક પ્રદેશથી બીજા પ્રદેશમાં પહોંચતાં એક સમય લાગે છે. એટલે સિદ્ધિગતિમાં પ્રસ્થાન કરનારા જીવને ઓછામાં ઓછા અસંખ્યાત સમય તો થવા જ જોઈએ. આ અસંગતિ ટાળવા માટે અસ્પૃશગતિને આશ્રય લેવામાં આવ્યા છે. આ સમગ્ર ચર્ચા એક મુદ્દા ઉપર. તે આપણું ધ્યાન કેન્દ્રિત કરે જ છે કે જૈનધર્મની માન્યતાઓમાં કઈ એક જ કાળે બધું કહેવાઈ ગયું હતું અથવા તો મનાઈ ગયું હતું એમ માની લેવાનું નથી. Page #217 -------------------------------------------------------------------------- ________________ 1 +1 ૧૯૬ છવદંડકમાં ૨. ઇન્દ્રિય ૩. કષાય ૪. લેશ્યા ૫. યોગ ચેન્દ્રિય ધ, કૃષ્ણ, નીક, કાપિત મન, વચન, કાય ૧ ગતિ નરક ૧ નારક માન, માયા, લાલ ૨-૧૧. ભવનવાસી દેવ છે , કૃષ્ણ નીલકત તેજ , , , ૧૨, પૃથ્વીકાય ૧૩, અકાય >તિ ૧૪. વનસ્પતિકાય). ચ એકીય છે , છ , , કાય કાય વચન 2 : ૧૫. તૈજસ્કાય ] ૧૬. વાયુકાય ઈ , , કૃષ્ણ, નીલ, પત ૧૭. દીન્દ્રિય , દીન્દ્રિય , ૧૮. શ્રીન્દ્રિય ત્રીન્દ્રિય ૧૯. ચતુરિન્દ્રિય , ચતુરિન્દ્રિય ૨૦. પંચેન્દ્રિય તિર્યંચ ,, પંચેન્દ્રિય , ૨૧. મનુષ્ય મનુષ્ય , તે છે, અલેશ્ય અનિન્દ્રિય અકવાયી ૨૨. વાણવ્યંતર દેવ પંચેન્દ્રિય ચારકષાય કૃષ્ણ,નીલ,કતિ, તેજ ૨૩. તિષ્ક , , , તેજ ૨૪. વૈમાનિક , , , તેજ, પર, શુક્લ ત્રણયગ ત્રણ, અગ ત્રણેયોગ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ પરિણામે ૯૩૮-૯૪૬ ૬. ઉપગ ૭ જ્ઞાન ૮૪ દર્શન સિાકાર- આિભિ૦, શ્રુત, અવધિ સિમ્યફ, અનાકાર રમતિઅજ્ઞાન ‘મિસ્થા, શ્રુતજ્ઞાન, વિભગ સમિથા ૯. ચારિત્ર અચારિત્રી ૧૦. વેદ નપુસક, પુરૂષ, સ્ત્રી મતિઅજ્ઞાન ) શ્રુતઅજ્ઞાન મિથ્યા - નપુસક આભિ. શ્રત, 1. મતિઅજ્ઞાન, 1 શ્રુતજ્ઞાન, J. સમ્યફ, મિથ્યા આભિ૦, શ્રુ, અo, મતિઅ૦, મુતઅ. સમ્યફ, મિથ્યા, વિભંગ . સમ્યગમિયા પાંચ જ્ઞાન ) ત્રણ અજ્ઞાન | આભિ૦ મુઇ અવધિ મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભગ 5 અિચારિત્રી, ‘ચારિત્રા૧ ચારિત્રી ચિારિત્રી, અચારિત્રી, 1ચારિત્રાચારિત્રી અચારિત્રી પુરુષ, સ્ત્રી Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ચૌદમું “કષાય ૫૯ : કષાયનિરૂપણ આ પદમાં ક્રોધ, માન, માયા અને લેભ એ ચારે કષાયે (૫૮)જીના વીશે દંડકોમાં સંભવે છે (૫૯) એમ જણાવીને કષાયની આત્મામાં, ૫રમાં, ઉભયમાં પ્રતિષ્ઠા અને અપ્રતિષ્ઠા વીશે દંડકના સકલ જીવોની અપેક્ષાએ દર્શાવી છે (૯૬૦). આમાં ક્રોધના ભાજન-અભાજનની અપેક્ષાએ પ્રતિષ્ઠા-અપ્રતિષ્ઠા શબ્દનો પ્રયોગ છે. ઘણીવાર એવું બને છે કે અકારણ કષાય થાય છે ત્યારે કષાયનું પાત્ર કાઈ હોતું નથી. તે અપ્રતિષ્ઠિત કષાય છે, એમ ટીકાકારે આ આ બાબતમાં સ્પષ્ટીકરણ કર્યું છે. ક્ષેત્ર, વસ્તુ, શરીર અને ઉપાધિને લઈને કષાયની ઉત્પત્તિ સકલ સંસારી છોના વીશે દંડકમાં છે (૯૬ ૧). કષાયોના ઉત્તરભેદોમાં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્યલન એવા ઉત્તરોત્તર મંદ, મંદતર કષાયો છે (૯૬૨). વળી, તેના આભોગનિવર્તિત, અનાભોગનિર્વતિત, ઉપશાંત અને અનુશાંત-એવા પણ ભેદ છે (૯૬૩). તેમાં કારણ ઉપસ્થિત થયે, તેને સમજીને કષાય કરવો તે આભેગનિર્વતિત છે. અને વગર સમજે કષાય કરે તે અનાગનિર્વતિત છે. ક્ષાયને ઉદય ન થાય ત્યાં સુધી તે ઉપશાંત કહેવાય અને ઉદયાવસ્થામાં તે અનુપશાંત કહેવાય છે. જૈન આગમમાં આત્માના દોષોનું વર્ણન અનેક રીતે કરવામાં આવ્યું છે. અને તે દોષોને સંગ્રહ પણ જુદી જુદી રીતે કરવામાં આવે છે. તેમાં એક સંગ્રહપ્રકાર રાગ-દ્વેષ-મોહ એ છે, પરંતુ કર્મસિદ્ધાન્તમાં ઉક્ત ચાર કષાયોને અને મેહને આધારે જ વિચારણું થઈ છે, તેથી તે સંગ્રહપ્રકાર જૈનસંમત દોષવર્ણનનું અંતિમ રૂપ હોય એમ જણાય છે.? આ પૂર્વેના પદમાં આત્માના વિવિધ પરિણામે દર્શાવ્યા છે, તેમાં જ કષાય એ પણ એક પરિણામ છે તેની નોંધ લેવી જોઈએ (૯૨૬). ૧. ગણધરવાદ, પ્રસ્તાવના, પૃ૦૧૦. ૨. પ્રેયસ્ અને ષ તથા ચાર કક્ષાના વિસ્તૃત વર્ણન માટે “કસાયપાહુડ તેની ટીકાઓ સાથે જોવું. - ' Page #220 -------------------------------------------------------------------------- ________________ આ કલા જ મુખ્યરૂપે કર્મબંધનું કારણ છે, તેથી પ્રસ્તુતમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણેય કાળમાં આઠેય કેમપ્રકૃતિના ચયનનાં સ્થાન–પ્રકારો વીશે દંડના છમાં ચારે કષાય જ છે. માત્ર ચયન જ નહિ પણું ઉપચયન, બંધ, ઉદીરણ, વેદના અને નિર્જરાનાં પણ ચારેય કષાયો જ સ્થાને છે (૯૬-૯૭૧). કષાયપ્રકરણને અંતે વિષય નિદર્શક સંગ્રહણીગાથા આપવામાં આવી છે. પંદરમું ઇન્દ્રિય પદ: ઇન્દ્રિયનિરૂપણ જીવના પરિણામોમાં ઈન્દ્રિવપરિણામને પણ નિદેશ છે. ગણનામાં કષાય પૂ ઈદ્રિયપરિણામને નિર્દેશ છે (૯૨૬), પરંતુ નિરૂપણમાં પ્રથમ કષાયને ચૌદમાં પદમાં સ્થાન આપ્યું અને ઇન્દ્રિયને તે પછી પંદરમાં પદમાં. આથી સિદ્ધ થાય છે કે આર્ય શ્યામાચા જુદાં જુદાં પ્રકરણે, જે પરંપરાપ્રાપ્ત હતાં, તેનું પિતાની રીતે સંકલન-સંપાદન કર્યું છે. આ જ બાબતના સમર્થનમાં લેશ્યા (૫દ ૧૭), સમ્યકત્વ (પદે ૧૯), ઉપલેગ (પદ ૨૯), ઔહી-અવધિજ્ઞાન (પદ ૩૩), એ પરિણમે છતાં ક્રમે એક સાથે તેમનું નિરૂપણ નથી એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે. મા ઉપયોગ પદમાં ખરી રીતે અવધિજ્ઞાન પણ છે જ. પરંતુ અવ. ધિજ્ઞાનને જુદા પદરૂપે લેવામાં આવ્યું છે તે સૂચિત કરે છે કે અવધિજ્ઞાન વિષેની જુદી સ્વતંત્ર વિચારણા ચાલી આવતી હશે, તેથી તેને સ્વતંત્ર પદમાં સંગૃહીત કરવાનું શ્યામાચાયે ઉચિત માન્યું છે. ' અહીં ઇન્દ્રિય વિષેની વિચારણા બે ઉદ્દેશામાં કરવામાં આવી છે. તેમાં પ્રથમ ઉદેશમાં ૨૪ દ્વારા અને બીજા ઉદ્દેશમાં ૧૨ દ્વારે છે. પ્રથમ ઉશના પ્રારંભમાં જ તેનાં ૨૪ દ્વારેને નિર્દેશ કરી દેવામાં આવે છે (૯૭૨). સૌપ્રથમ ઇન્દ્રિયે પાંચ છે (૯૭૩), એમ જણાવી તે વીશે વિષયોની ચર્ચા ક્રમે કરી કરવામાં આવી છે. તેમાં પ્રથમ છ દ્વારની એટલે કે સંઠાણ-સંસ્થાનથી માંડીને અબદુત્વ સુધી ચર્ચા સમાર કરીને તે છયે કારેને વિચાર ૨૪ દંડકામાં કરવામાં આવ્યા છે (૯૯૩-૯૮૯). અને પછી સાતમા દ્વાર પુરું (સ્કૃષ્ટ)થી માંડીને વિષય નામના નવમા ઠારનું વિવરણ કરવામાં આવ્યું છે (૯૯૦-૯૯૨). આ દ્વારમાં દંડવિચાર નથી. તે દ્વારેનો વિષય એ છે, જેમાં ૨૪ દંડકને લગતે વિચાર અશક્ય જ છે એમ તે મને કહેવાય, પણું એ બાબતની પરંપરા કોઈ સ્થિર નહિ થઈ હોય તેથી તે ચર્ચા કરવામાં નથી આવી એમ લાગે છે. '' ' E - . Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સ૯૯૭માં ભારણુતિક સમુધાત વખતે જે કમપુદગલોની નિર્જરા થાય છે, એટલે જે પરમાણુઓએ પોતાના કર્મરૂપ પરિણામને ત્યાગ કર્યો હોય છે, તે પરમાણુઓ સૂમ હોય છે, એવું વિધાન કરવામાં આવ્યું છે. અને એવું પણ વિધાન છે કે તેવા પરમાણુ સમગ્ર લોકમાં હોય છે. વળી, સૂ૦ ૯૯૩માં એવું પણ વિધાન છે કે છવસ્થ છો એ સૂક્ષ્મ પરમાણુઓને જાણુ–દેખી શકતા નથી. કેટલાક દે પણ એવા છે, જે તે સૂક્ષ્મ પુદ્ગલેને જાણી-દેખી શકતા નથી, તે સામાન્ય મનુષ્યની તો વાત જ શું કરવી ? તે પછી જીવના ૨૪ દંડકોની ચર્ચામાં જણાવ્યું છે કે કેટલાક છો તે સૂક્ષ્મ પરમાણુઓને જાણી-દેખીને આહારમાં લે છે અને કેટલાક જાણ્યા-દેખ્યા વગર (સૂ૦ ૯૫–૯૯૮). સૂ૦ ૯૯હ્માં આદર્શદણ, અસિ આદિ ચકચકિત પદાર્થોમાં જે પ્રતિબિંબ પડે છે તેને જોનાર શું જુએ છે તે ચર્ચા પ્રસંગે આદર્શ આદિને અને પિતાને જેતે નથી પણ માત્ર પ્રતિબિંબને જુએ છે એમ જણાવ્યું છે. પ્રસ્તુતમાં પ્રતિબિંબ માટે પ્રતિભાગ (વક્ટિમા) એ શબ્દને પ્રયોગ છે. આ સૂત્રના પાઠમાં આદર્શને જુવે કે નહિ, તે બાબતમાં પાઠાંતર છે. આચાર્ય મલયગિરિને મતે આદર્શને પણ જુવે એવો પાઠ છે, પણ અન્ય બધી પ્રતિમાં અને જુના ગુજરાતી રબામાં તેથી વિરુદ્ધ પાઠ છે. આનું સમાધાન એ હોઈ શકે કે માત્ર દશ્ય વિષયની અપેક્ષાએ આચાર્ય મલયગિરિએ વ્યાખ્યા કરી અને આદર્શ પણ દશ્ય છે એમ માન્યું. પરંતુ દશ્ય ગમે તે હોય, પણ જે વિષયને ઉપયોગ અથવા તે વિકલ્પ આત્માને થાય તેને જ દશ્ય માનીએ તે પ્રતિબિંબ જોતી વખતે આપણને ભાન–ઉપયોગ કે વિકલ્પ તે આદર્શગત પ્રતિબિંબ વિષયક જ હોય છે. આથી આદર્શને જેતે નથી એમ કહેવું હોય તો ઉપયોગ–ભાનની દષ્ટિએ એમ પણ કહી શકાય. પ્રતિબિંબ વિષેની રોચક ચચ નિશીથભાષ્યમાં ગાય ૪૩૧૮ થી છે. અને સ્યાદાદરત્નાકરમાં તે તે સમગ્ર ચર્ચા વિસ્તારથી છે, પૃઇ ૮૫૮ થી. તત્ત્વાથ સૂત્રની સિદ્ધસેનીય ટીકામાં પણ પ્રતિબિંબની રોચક ચર્ચા છે, ૫. ૨૪, પૃ. ૩૬૪. કંબલનાટક (કામળા)ને ગાઢ વણવામાં આવે કે પાંખો વણવામાં આવે, પણ તે સરખા પ્રદેશને જ સ્પર્શે છે, આ વાત ઇન્દ્રિયના પ્રકરણમાં સ્પર્શ સામ્યને કારણે મૂકવામાં આવી હોય તેમ જણ્ય છે (૧૦૦૦). Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ધૂણું-સ્તંભ ઊભો હોય કે આડો પડ્યો હોય પણ તે સરખી જ જગ્યા રોકે છે, એ હકીક્તને નિર્દેશ પણ ઈદ્રિયવિષયને લક્ષીને જ હશે (૧૦૦૧). આ જ પ્રમાણે આગાસથિગલ = લોક વગેરે ભૌગોલિક પદાર્થો વિષે ધર્માસ્તિકાયાદિના સ્પર્શને વિચાર પણ કરવામાં આવ્યું છે (૧૦ ૦૨-૫), તેમાં આચાર્ય મલયગિરિની વ્યાખ્યા પ્રમાણે આગાસથિગ્નલ (૧૦૦૨) અને લોક (૧૦૦૮) એ બન્ને દ્વારેને વિષય એક જ છે, માત્ર શબ્દ જુદા છે. પરંતુ જે તેમ હોય તે બે તારો જુદાં કેમ રાખ્યાં એ પ્રશ્ન થાય છે. આચાર્ય મલયગિરિને મત, બન્ને દ્વારામાં સ્પર્શ વિષેનું નિરૂપણ એકસરખું જ ગણવામાં આવ્યું છે તેથી બંધાયો હશે, પરંતુ મૂળકારને પણ માત્ર શબ્દભેદ જ અભિપ્રેત હશે કે નહિ તે પ્રશ્નનો ઉત્તર આથી મળતું નથી. પ્રસ્તુત પંદરમા પદના બીજા ઉદેશમાં બાર દ્વારા છે, તેમને નિદેશ પ્રારંભમાં જ છે (૧૦૦૬). જિયોનો ઉપચય ૨૪ દંડકમાં વર્ણવવાના ઉદેશે જેને જેટલી ઇન્દ્રિયો હોય તે જીવ તેટલી ઇન્દ્રિયોના નિર્માણ માટે પુલનું ગ્રહણ કરે છે (૧૦૦૭૧૦૦૮) તેમ જણાવીને તે જ પ્રમાણે ઉપચયન થયા પછી તે તે ઇન્દ્રિયનું તે તે છવ નિર્માણ કરે છે તે જણાવ્યું છે (૧૦૦૯) અને તેવા નિમણુમાં બધા જ જીવોને અસંખ્યાત સમય જેટલા અંતમુહૂતને કાળ લાગે છે (૧૦૧૦). ૨૪ દંડકોમાં ઈન્દ્રિયલબ્ધિને નિર્દેશ કરીને (૧૦૧૧) તે તે ઈન્દ્રિયોને ઉપયોગકાળ ૨૪ દંડકના છમાં હોય છે તે જણાવ્યું છે (૧૦૧૨). ઈન્દ્રિયોના ઉપયોગકાળનું અલ્પબદુત્વ નીચે પ્રમાણે છે (૨૦૧૩) : ૧. ચક્ષુનો ઉપયોગકાળ જધન્ય છે તે સૌથી થોડો છે. ૨. શ્રોત્રને તે તેથી વિશેષાધિક ૩. ધ્રાણેન્દ્રિયને ૪. જિનેન્દ્રિયને ૫. સ્પર્શેન્દ્રિયંના "पूर्वमाकाशथिगलशब्देन लोकः पृष्टोऽधुना लोकशब्देनैव तं पिपृच्छिषुराह"પ્રજ્ઞાવના ટીવ, પત્ર ૩ ૦ ૮ ૩. સમગ્ર આકાશમાં લોકભાગ સાવ થોડો હોવાથી તે થીગડા જેવો છે એવા અભિપ્રાયથી લેક માટે આકાશથિગ્નલ શબ્દનો પ્રયોગ છે એમ આચાર્ય મલયગિરિએ સ્પષ્ટીકરણ કર્યું છે, એજન વત્ર ૩ ૦ . Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આ ક્રમ ઉત્તરોત્તર ઉત્કૃષ્ટમાં પણ સમજી લેવાના છે. અને પરસ્પરમાં જધન્ય—ઉત્કૃષ્ટ વિષે પણ એમ સમજવાનું છે કે સ્પર્શે ન્દ્રિયના ઉપયેાગના જે જધન્ય કાળ છે તેથી વિશેષાધિક ચક્ષુના ઉત્કૃષ્ટ ઉપયેગકાળ છે. પછી ક્રમે તેથી વિશેષાધિક ઉત્કૃષ્ટ કાળ શ્રો,ત ધ્રાણુ, જિદ્દવા અને સ્પર્શેન્દ્રિયને છે. ૨૪ દડકોના જીવેામાં ઇન્દ્રિયા વડે આગાહણા (અવગ્રહણ) = પરિચ્છેદ, અવાય, ઈહા, ઉગૃહ (અવગ્રહ) -અ અને વ્યંજન બન્ને પ્રકારો—વડે એનુ નિરૂપણુ છે (૧૦૧૪-૧૦૨૩). આમાં ધ્યાન દેવા જેવુ એ છે કે જે દ્વારા પ્રારભમાં (૧૦૦૬) નિર્દિષ્ટ છે તેમાં ઈહા પછી વ્યંજનાવગ્રહના નિર્દેશ છે. પણ નિરૂપણમાં (૧૦૧૭) અવગ્રહના બે પ્રકારો જણાવી પછી બન્નેનુ નિરૂપણુ છે. વળી જ્ઞાનના જે ક્રમ તત્ત્વા સૂત્ર, નદી આદિમાં સ્વીકૃત થઈ ગયા છે, તે ક્રમમાં પણ નિરૂપણું નથી પણ વ્યુત્ક્રમ છે. વળી, એ પણ ધ્યાનમાં લેવું કે માત્ર ચાર ઈન્દ્રિયાના જ વ્યંજનાવગ્રહ છે, ચક્ષુના નથી (૧૦૧૮) અને અર્થાવગ્રહ તે છ પ્રકારના છે, જેમાં પાંચ ઇન્દ્રિયા ઉપરાંત, નાઇન્દ્રિય = મન પણ સમાવિષ્ટ છે (૧૦૧૯). પરંતુ અવગ્રહણ (૧૦૧૪), ઈહા (૧૦૧૬) અને અવાય (૧૦૧૫) ના માત્ર ઇન્દ્રિયાના પાંચ ભેદે પાંચ પ્રકારોનું જ કથન છે. સારાંશ કે અવગ્રહણુ, અવાય અને ઇહાને માત્ર ઇન્દ્રિયાનાં ગણાવ્યાં, અનિન્દ્રિયનાં નહિ; પરંતુ ઉગૃહ (અવગ્રહ)માં ઇન્દ્રિય–અનિન્દ્રિય બન્નેને લક્ષમાં લીધા છે. આ ઉપરથી શું એમ સમજવુ` કે ઈડા, અવાય અને અવગ્રહણુમાં મનને ઉપયોગ અભિપ્રેત નથી ? પછીના કાળે મનઃકૃત પણ ભેદ ઈહા અને અવાયના પડે જ છે, જે આમાં નથી. વળી, ધારણા નામના ભેદ તે સવથા નિર્દિષ્ટ નથી એ પણ ધ્યાનમાં લેવા જેવુ છે. શુ' એમ અને કે ૧૦૧૪ માસૂત્રમાં આગાહા-અવગ્રહણની જે વાત છે તેથી ધારણા અભિપ્રેત હાય ? કારણ કે આગાણા અને ઉગૃહ-એ બન્નેને પ્રસ્તુતમાં જુદા ગણાવ્યા છે. અને ઉગૃહના વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ એવા જે ભેદ પાડવા તેથી તે તે અવગ્રહ સિદ્ધ થાય છે, અને આગાહણા-અવગ્રહણ તેથી જુદું નિર્દિષ્ટ છે, તેા તેથી ધારણા અભિપ્રેત હોય એમ સભવે. એટલુ નક્કી કે પ્રસ્તુતમાં જ્ઞાનનિરૂપણું આ સ્તર પ્રાચીન છે. આ પછી ઇન્દ્રિયાના ભેદી વળી જુદી રીતે કર્યાં છે : દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય (૧૦૨૪); પરંતુ વિલક્ષણતા એ દેખાય છે કે તત્ત્વાર્થ સૂત્રમાં પાંચે દ્રવ્યેન્દ્રિયોના નિવૃત્તિ અને ઉપકરણ એવા બે ભેદા કર્યાં છે, એટલે દશ દ્રવ્યેન્દ્રિય થાય (તત્ત્વાર્થસૂત્ર ૨. ૧૭). ૨. નદીસૂત્ર, પર, ૫૩. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ . પ્રજ્ઞાપનામાં ઇન્દ્રિયપદનાં કારમાં ઈન્દ્રિયાપચય, ઇન્દ્રિયનિવર્તન, ઇન્દ્રિયલબ્ધિ, ઈજિપગાદ્ધા. એવાં જે ધારે છે તેની તત્ત્વાર્થસૂત્રમાં વ્યવસ્થા કરીને દ્રવ્યેન્દ્રિયમાં પ્રથમ બેને અને ભાવેન્દ્રિયમાં અંતિમ બેને સમાવેશ કરી - લીધું હોય એમ સંભવે છે. પરંતુ પ્રજ્ઞાપનામાં આગળ ચાલી દ્રવ્યેન્દ્રિયના આઠ ભેદ બતાવ્યા છે. જિહવા અને સ્પશ સિવાયની ઇન્દ્રિયોના જ બબ્બે ભેદ છે (૧૯૨૫). એ બને ભેદને તત્વાર્થસૂત્રની જેમ કોઈ નામ અપાયાં નથી. અને પછી ૨૪ દંડકમાં એ આઠ વ્યક્ટિ કોને કેટલી છે તેને નિર્દેશ છે (૧૦૨૬૧૦૨૯). આથી પ્રસ્તુતમાં દ્રવ્યેન્દ્રિયના બે ભેદ તત્વાર્થસૂત્રાસચિત નિવૃતિ અને ઉપકરણ અભિપ્રેત હોય તેમ જણાતું નથી; અને પ્રજ્ઞાપનાગત ઉપચય અને નિવતન અભિપ્રેત હોય એમ જણાતું નથી. કારણ કે તત્વાર્થસૂરા અને પ્રજ્ઞાપના બનેમાં એ ભેદ બધી જ ઇન્દ્રિયના છે, જ્યારે અહીં પ્રજ્ઞાપનામાં (સૂઈ ૧૦૨૫) માત્ર ત્રણ જ ઇન્દ્રિયોના બે બે ભેદ જણાવ્યાં છે. * ત્યાર પછી ૨૪ દંડકોના જીવનમાં એ પણ વિચાર કરવામાં આવ્યું છે કે તે તે છોને અતીતમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં કેટલી બેન્દ્રિયે હેય છે (૧૦૩૦-૧૦૫૪) ? ભાવેદ્રિના પાંચ પ્રકાર (૧૫૬) જણાવીને ર૪ દંડકાના જીવમાં તેને વિનિયોગ કર્યો છે (૧૦૫૬-૧૦૬૭). ઈન્દ્રિયે વિષે ભારતીય દર્શનિકેની વિચારણા માટે પ્રમાણમીમાંસા (સિંધી જૈન ગ્રંથમાળા), ભાષાટિપ્પણ, પૃ. ૩૮-૪૧ જેવું. .' ' , સેળયું “પ્રયોગ પદ : પ્રયાગ-આત્માનો વ્યાપાર - " મન-વચન-કાય એ ત્રણના આધારે થનાર આત્માના વ્યાપારને યોગ કહેવામાં આવે છે. તેને જ નિદેશ પ્રસ્તુત પદમાં પ્રયોગ શબ્દથી છે. તે આત્મવ્યાપાર ૧. “પ્રયોગ: રિસ્પથિા , આત્માર રૂત્ય–કરાવનારીજ, પત્ર ૨૭. "आत्मप्रवृत्तेः कर्मादाननिबन्धनवीर्योत्पादो योगः । अथवा आत्मप्रदेशानां सङ्कोરવિવો યોઃ”—ધવ, ૬, પૃ. ૬૪૦. આચારાંગનિયુક્તિમાં (ગા. ૧૮૩) કમના દશ ભેદોમાં એક પ્રયોગકમ” એ ભેદ છે. તેની વ્યાખ્યામાં આચાર્ય શીલાંક ૧૫ ભેદો ગણવે છે. પત્ર ૯૪. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ એટલા માટે કહેવાય છે કે આત્મા ન હોય તો એ ત્રણેની વિશિષ્ટ કિયા થઈ શકતી નથી. જૈન પરિભાષા પ્રમાણે એ ત્રણે પુગલમય છે અને પુદ્ગલને જે સામાન્ય વ્યાપાર ગતિ એ તે આત્મા વિના પણ તેમાં હોઈ શકે, પરંતુ જ્યારે પુદ્ગલે મનવચન-કાયરૂપે પરિણત થયા હોય છે ત્યારે તેમને આત્માના સહકારથી જે વિશિષ્ટ પ્રકારનો વ્યાપાર થાય છે, તે તે તે તે રૂપે અપરિણુતમાં સંભવે નહિ. વળી, પુદ્ગલને મન આદિ પરિણામ પણ આત્માના કમને જ આધીન છે. તેથી તેમના વ્યાપારને આત્મવ્યાપાર કહી શકાય છે. એ વ્યાપાર-પ્રયોગના ૧૫ ભેદ (૧૯૬૮) ને નિર્દેશ કરી સામાન્ય જીવમાં અને વિશેષ રૂપે ૨૪ દંડકમાં પ્રયોગની યોજના જણાવી છે (૧૦૬૯–૧૦૮૪). આ પેજનામાં અમુક પ્રયોગ હોય ત્યારે એની સાથે અન્ય કેટલા પ્રયોગ હોય એની પણ ભંગરચના કરી બતાવી છે. • વખંડાગમમાં પણ યોગના, પ્રજ્ઞાપનાની જેમ જ, પંદર ભેદો છે અને તેની રોજના જીવોને લગતાં માગણકારેને અવલંબી છે.–પુ૧, પુ. ૨૭૮થી. ખંડાગમમાં મન-વચન-કાય એ ત્રણ મૂળ ભેદોને “પ્રયોગમમાં સમાવેશ છે, પણ તેના ઉત્તર ભેદોની ગણના ધવલામાં છે.–૫૦ ૧૩, પૃ૦ ૪૩. પ્રયોગના પંદર ભેદ નીચે પ્રમાણે છે (૧૦૬૮) : ૧. સત્યમનઃપ્રયોગ. ૨. અસત્યમનઃપ્રયોગ. ૩. સત્ય–મૃષામનઃપ્રાગ. ૪. અસત્ય–મૃષામના પ્રયોગ. ૫-૮. એ જ પ્રમાણે વચનના પ્રયોગના ચાર ભેદ. ૯. દારિક શરીરકાયપ્રયોગ.૨ ૧૦. દારિકમિશ્રશરીરકાયપ્રગ. ૧૧. દિયશરીરકાયપ્રયોગ. ૧૨. વૈયિમિશ્રશરીરકાયપ્રયોગ. ૧૩. આહારકશરીરકાયપ્રગ. પખંડાગમમાં “કાયપ્રયોગમાં “શરીર પદ નથી. “ોરાન્ટિયાનો' એવા પાઠ છે. પખંડા પુ. ૧, પૃષ્ઠ ૨૮૧. વળી, મનના ચાર, વચનના ચાર અને કાયના સાત એમ ભેદો ગણાવ્યા છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ૧૪. આહારકમિશ્રશરી કાયપ્રયોગ. ૧૫. કર્મશરીરકાયપ્રયોગ આચાર્ય મલયગિરિએ સત્ય–મૃષામન:પ્રયોગ અને એ જ પ્રકારના વચનપ્રયોગને વ્યાવહારિકનયની અપેક્ષાએ મિશ્ર, પણ નિશ્ચયનયની અપેક્ષાએ તો અસત્ય જ જણાવ્યું છે. અસત્ય–મૃષામન:પ્રયોગ અને વચનપ્રયાગ સ્વરૂપમાત્રનું પર્યાલચન અને વચન છે. અજ્ઞાપરક વાક્યોને પ્રવેગ, જેમ સત્ય-અસત્યને કોઈ સંબંધ નથી તે પણ અસત્ય–મૃષાવચનપ્રયોગ છે. નિશ્ચયનયે તે વિપ્રતારણબુદ્ધિથી આવો પ્રયોગ હોય તો તે અસત્ય જ ગણાય. કાયપ્રયોગમાં તેજસકાયપ્રયોગને ઉલ્લેખ નથી તે ધ્યાન દેવા જેવી વાત છે. પ્રયોગ પદમાં પંદર પ્રકારના પ્રયોગોની ચર્ચા સમાપ્ત કર્યા પછી “ગતિપવાય –ગતિપ્રપાતનું નિરૂપણ છે (૧૦૮૬–૧૧૨૩); આ પ્રાસંગિક સંગ્રહની દષ્ટિએ જણાય છે. આમાં જ્યાં “ગતિ'નો સંબંધ છે તે બધા વ્યવહારનો સંગ્રહ કરી તેના પાંચ પ્રકાર જણાવ્યા છે, તે આ છે – ૧. પ્રયોગગતિ, ૨. તતગતિ, ૩. બંધન છેદનગતિ, ૪. ઉપપાતગતિ. ૫. વિહાગતિ (૧૦૮૫). આમાંની પ્રયોગગતિની ૨૪ દંડકના જીવમાં યોજના કરી છે. બાકીની વિષે તેમ કર્યું નથી. આમાં પ્રથમ પ્રયોગગતિ છે તે જ છે, જેના પંદર પ્રકારની ચર્ચા પૂર્વે (૧૦૬૮-) થઈ જ ગઈ છે એનું અહીં પુનરાવર્તન જ છે (૧૦૮૬–૧૦૮૯). તતગતિ વિષે જણાવ્યું છે કે જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચ્યા પહેલાંની બધી ગતિને તતગતિ કહે છે, તે એટલા માટે કે તે વિસ્તીર્ણ છે (૧૦૯૦). ૩. આચાર્ય મલયગિરિને મતે “તેજસ-કામણશરીર પ્રગ” એવું નામ અહીં અભિપ્રેત છે. પરંતુ ખંડાગમમાં પણ પાઠ છે– “Hફાયકો'.— પુ. ૧, પૃ. ૨૮૯. આચાર્ય મલયગિરિને શંકા થઈ હશે કે કાયમયેગમાં તૈજસનું ક્યાંય નામ આવતું નથી, તેથી કામણ સાથે તેજસ જોડીને તેની . વ્યાખ્યા કરી. પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૧૯. આવી કોઈ શંકા ધવલમાં જોવામાં આવી નહિ. ૪. “ામ તિઃ પ્રસિરિયર્થઃ ! પ્રસિદ્ઘ શત્તરવિણયા પચાત્તાવિષા ... તે જાતિવાત...... તિરાદ્ધપ્રવૃત્તિ નિવાર્ય – રા૦ ટl, પુત્ર રૂ ૨૮. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જીવ અને શરીર વચ્ચેનું બધંન છૂટી જવાથી જે ગતિ તે બંધન છેદનગતિ છે (૧૦૯૧). - ભોપાતગતિના ચાર પ્રકાર છે, દેવ, નારક, મનુષ્ય, તિય ચ; એ ચાર ભવમાં જે ગતિ એટલે કે જીવને તે રૂપે કમજન્ય પયય તે ભપાતગતિ છે. વનિર્દિષ્ટ ક્ષેત્રનો પાંચમે ભેદ સિદ્ધગતિ આમાં નથી, કારણ કે અહીં કમજન્ય ગતિ વિવક્ષિત છે, જે સિદ્ધમાં નથી. છે, ઉપપાતગતિના ત્રણ ભેદ છે : ક્ષેત્રે પપાત, ભપાત અને ભોપપાત ગતિ. છ તે તે ક્ષેત્રમાં ગતિ કરે તે ક્ષેત્રે પપાતગતિ. જીવોને તે તે મને આધારે નારકાદિ ગતિરૂપ ભવ થાય તે ભોપપાતગતિ છે (૧૦૯૯૨-૯૯). છે. ભાભપાતગતિના બે ભેદ છે : પુગલોની અને સિદ્ધોની ગતિ. આ બનેની ગતિ કર્મજન્ય નથી તેથી તે ગતિને ભોપાતગતિ કહી છે (૧૧૦૦). . . કોઈ પણ દિશાને એક છેડેથી બીજા છેડે માત્ર એક સમયમાં પુગલની જે ગતિ થાય છે તેને પુગલની ભાષપાતગતિની સંજ્ઞા આપી છે (૧૧૦૧), પરંતુ સિદ્ધિ વિષે પ્રસ્તુતમાં સિદ્ધના પૂર્વોક્ત ભેદ (સૂ૦ ૧૫–૧૭) જ ગણાવ્યા છે. તેમની પણ ગતિ પરમાણુની જેમ એક સમયમાં થાય છે તે કેઈ નિર્દેશ પ્રસ્તુ તમાં નથી (૧૧૦૨-૪). વિહાગતિના ૧૩ ભેદો છે (૧૧૦૫), જેનું વિવરણ નીચે પ્રમાણે છે :– - ૧. સ્પેશગતિ–સ્વતંત્ર પરમાણુની અન્ય પુદ્ગલેને સ્પર્શ કરતાં કરતાં જે ગતિ થાય તે (૧૧૦૬). ૨. અસ્પૃશગતિ ––સ્પર્શ કર્યા વિના પરમાણુની જે ગતિ થાય તે (૧૧૦૭). : ૩. ઉપપદ્યમાનગતિ–કોઈનું અવલંબન લઈને જે ગતિ થાય છે. જેમ કે કોઈ રાજા વગેરેને આશ્રય લઈને યાત્રા કરે તે (૧૧૦૮). જ. તેથી વિરુદ્ધ કેઈના અવલંબન વિના સ્વતંત્ર ભાવે કરવી તે અનુપસંપદ્યમાનગતિ છે (૧૧૦૯). ૫. પરમાણુપુલ યાવત અનંતપ્રદેશી પુગલસ્કંધની જે ગતિ તે પુદગલગતિ છે. (૧૧૧૦). ૬. કુદી કુદીને ગતિ કરવી તે અંકગતિ છે (૧૧૧૧). ૭. નૌકા દ્વારા ગતિ કરવી તે નૌગતિ (૧૧૧૨). Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ૮. નયગતિ–ૌગમાદિ એક નયે કરીને વિચારણું તે નયગતિ. અથવા સમગ્ર ન વડે વિચારણું તે નયગતિ (૧૧૧૩). ૯. છાયાનું અવલંબન લઈને ગતિ કરવી તે છાયાગતિ (૧૧૧૪). ૧૦. વસ્તુ પ્રમાણેની છાયા પડે તે છાયાનુપાતગતિ (૧૧૧૫). ૧૧. એક કઈ કૃષ્ણાદિ લેયા અન્ય લેગ્યાના સંપર્કથી તે રૂપે પરિણમે તે લેશ્યાગતિ (૧૧૧૬). ૧૨. લેયાનપાતગતિ તે છે કે જેમાં જે તે લેશ્યાને અનુસરીને ભરણ પછી જીવની જે તે લેસ્યા થાય (૧૧૧૭). ૧૩. કોઈને નિમિત્તો—જેમ કે આચાર્ય આદિને ઉદ્દેશીને–ગતિ તે ઉદિશ્ય પ્રવિભક્તગતિ છે (૧૧૧૮). ૧૪. પ્રસ્થાન અને પર્યાવસ્થિતિને લક્ષીને ચતુરભંગીની અપેક્ષાએ પુરુષની જે ગતિ તે ચતુ પુરુષ પ્રવિભક્તગતિ; જેમ કે ચાર પુરુષો સાથે ચાલ્યા અને સાથે જ સ્થિર થયા; સાથે ચાલ્યા પણ સ્થિરતામાં સાથે રહ્યા નહિ; સાથે ચાલ્યા નહિ પણ સાથે સ્થિર થયા; અને ચાલ્યા પણ સાથે નહિ અને સ્થિર પણું સાથે થયા નહિ (૧૧૧૯). | ૧૫. વક્ર ગતિના ચાર પ્રકાર—ઘટનતા એટલે લંગડાતી ગતિ; સ્તંભનતા એટલે ધમણ આદિનું સ્તબ્ધ થઈ જવું, અથવા સ્થિર થાય ત્યારે પોતાના શરીરના અંગેનું સ્થિર થવું તે; &ષણતા એટલે કે શરીરના અંગેનો પરસ્પર સ્લેષ થવો તે; પતનતા એટલે કે ઊભા રહેતાં કે ચાલતાં પડી જવું તે (૧૧૨૦). ૧૬. પંકગતિ એ છે કે જે કાદવમાં ચાલતી વખતે હોય છે તે. ૧૭. બંધનવિમેચાનગતિ–ફળ પાકાં થઈ બંધ છૂટી જવાથી જે નિમ્ન ગતિ થાય તે (૧૧૨૧). આ ગતિના જે સત્તર ભેદ બતાવ્યા છે તે એવા નથી કે જે પરસ્પરને વ્યાવૃત્ત કરતા હોય, પણ ગતિની જે નાના પ્રકારની વિશેષતા દેખાય છે તે તરફ ધ્યાન દેરવા માટે આ અનેક ભેદ વર્ણવ્યા છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ २०८ સત્તરમું “લેશ્યા પદ : વેશ્યાનિરૂપણ લેશ્યાનું નિરૂપણ કરનાર પદના છ ઉદ્દેશ છે. ઉદેશોમાં કોઈ વ્યવસ્થિત ધારણે કમનિયમન થયું હોય એમ જણાતું નથી. પ્રથમ ઉદેશમાં તો વળી અનેક દ્વારોમાં એક વેશ્યાદ્વાર હોઈ તે પ્રકરણને વેશ્યાપદમાં સંધરવામાં આવ્યું હોય એમ જણાય છે. આ પદ એ સ્પષ્ટ કરે છે કે આય શ્યામાચાયે કેટલાંક પ્રકરણે પ્રસ્તુત પ્રજ્ઞાપનામાં પરંપરામાં જે રીતે ચાલ્યાં આવતાં હશે તેમ તેને માત્ર સંગ્રહ જ કર્યો છે. આ વાતની પુષ્ટિ ભાષાપદથી પણ થાય છે. ષટ્રખંડાગમમાં લેશ્યા ૧૪ માગણાસ્થાનમાં સ્થાન પામી છે, તેથી તેની ચર્ચા અનેક સ્થળોમાં મળે એ સ્વાભાવિક છે. પુ. ૧, પૃ૦ ૧૩૨, ૩૮૬ આદિ; ૫૦ ૭, પૃ. ૪૫૯ આદિ; પુ. ૪, પૃ. ૨૦૦ આદિ વગેરે. પ્રથમ ઉદ્દેશમાં નારક આદિ ૨૪ દંડકે વિષે આહાર, શરીર, શ્વાસોચ્છવ્વાસ, કમર, વર્ણ, વેશ્યા, વેદના, ક્રિયા અને આયુ–એ બધું વિષમ છે તે શા માટે, તેનું સ્પષ્ટીકરણ કર્યું છે (૧૧૨૪-૧૧૫૫). આ ઉપરથી કેટલીક જાણવા જેવી બાબતે એ ફલિત થાય છે કે નારકમાં જેનું શરીર મોટું તેના આહારાદિ વધારે અને જેનું નાનું તેના આહારાદિ થોડા (૧૧૨૪); જે પ્રથમના જન્મેલા હોય તેનાં કમ છેડાં અને જે પછી જન્મેલા હોય તેનાં કમ વધારે (૧૧૨૫); પહેલા જન્મેલાનાં વણું અને લેણ્યા વિશુદ્ધતર અને પછી જન્મેલાનાં વણ અને લેગ્યા અવિશુદ્ધ (૧૧૨૬–૧૧૨૭); સંજ્ઞીને મહાવેદના અને અસીને અ૫ર (૧૧૨૮); સમ્યગદષ્ટિને ક્રિયા ઓછી અને અન્યને વધારે (૧૧૨૯); નારકનું આયુ બધાનું સરખું હોતું નથી (૧૧૩૦). ૧. લેવિચાર જેન આગમ અને કર્મસાહિત્ય તથા જૈન દર્શનગ્રંથમાં અને જેતરમાં કેવા પ્રકારનો છે તેની વિસ્તૃત માહિતી માટે જુઓ, લેગ્યાકેષ સંપાદક, મોહનલાલ બાંડિયા તથા શ્રીચંદ ચોરડિયા, કલકત્તા, ૧૯૬૬; લેશ્યાque call 2441 H12 Yan Sehubring, Doctring of the Jajnas : p. 195. નારકોની સંજ્ઞી-અસંજ્ઞી એવા ભેદ જે અહીં કરવામાં આવ્યા છે તેથી સૂચિત થાય છે કે આ પ્રકરણ તે શબ્દોની પરિભાષા નિશ્ચિત થયા પ્રવે રચાયેલ છે. આથી જ આચાર્ય મલયગિરિને આ શબ્દોની પ્રસ્તુતમાં વ્યાખ્યા કરવામાં અને વિકલ્પ કરવા પડ્યા છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ * * * * ઉક્ત હકીકત વિષે ક્રમે કરી ભવનવાસી આદિ ૨૪ દંડકોમાં વિચારણું છે (૧૧૩૧–૪૪). આ પછી સલેશ્ય જીવોને લઈ નારકાદિ ૨૪ દંડકમાં ઉક્ત આહાર આદિ વિષે સમ-વિષમતાની ચર્ચા છે. (૧૧૪૫–૧૧૫૫), અને તેને અંતે પ્રથમ ઉદ્દેશ સમાપ્ત થાય છે. બીજ ઉદ્દેશમાં પ્રથમ લેયાના છ ભેદ (૧૧૫૬) જણાવીને નારકાદિ ચાર ગતિના જીવોમાં કેને કેટલી લેયા હોય, તેની ચર્ચા કરી છે (૧૧૫૭–૧૧૬૯), તે આ પ્રમાણે છે.– કૃષ્ણ નીલ કાપત તેજ પમ શુક્લ ૧. નારક ૨. તિર્યંચ ,, ,, ,, ,, ,, ,, એકેન્દ્રિય , પૃથ્વી છે, અપૂ એકેન્દ્રિય વનસ્પતિ , તેજ , વાયુ કીન્દ્રિય ગીન્દ્રિય ચતુરિન્દ્રિય પંચેન્દ્રિયતિયચ સંમમિ , ગર્ભજ ,, તિર્યંચણું ૩. મનુષ્ય -સંભૂમિ –ગર્ભજ મનુષ્યણી. ૪. દેવ * * * * * * * * * * * * * * ૧૪ Page #231 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ ૨૧૦ નીલ કપત તેજ પત્ર શુક્લ દેવી x x x x x * : ભવનવાસા દર છ છ • • * ,, દેવી વાણવ્યંતર દેવ ,, , , , * , દેવી ,, ,, , , તિષ દેવ દેવી x x x , ૌમાનિક દેવ ૪ , દેવી x x x x x સૂસ ૧૧૭૦ માં લેશ્યાની અપેક્ષાએ જીવોના અલ્પબદુત્વને કમ આ પ્રમાણે છે :૧. શુકલેશ્યાવાળા સૌથી થોડા. ૨. પદ્મલેશ્યાવાળા તેથી અસંખ્યાતગુણું. ૩. તે લેયાવાળા ,, , ૪. અલેશ્ય , અનંતગુણ ૫. કાપતલેશ્યાવાળા, : ૬. નીલલેશ્યાવાળા ,, વિશેષાધિક. ૭. કૃષ્ણલેશ્યાવાળા , , ૮. લેશ્યાવાળા ,, , પરંતુ નરકના જીવોમાં અલ્પબદુત્વને કમ આ પ્રમાણે છે (૧૧૭૧) : ૧. કૃષ્ણલેશ્યાવાળા સૌથી થોડા. ૨. નીલ ,, તેથી અસંખ્યાતગુણ. ૩. કાપિત , , , આનું કારણ એ છે કે જેમ જેમ નીચેની નરક તેમ તેમ તેમાં જનારની સંખ્યા ઓછી. આથી સાતમી નરકમાં જનાર કૃષ્ણલેશ્યાવાળાની સંખ્યા ઓછી હોય એ સ્વાભાવિક છે. ' તિયમાં અલ્પબદુત્વને ક્રમ વળી નારકથી ઊલટો છે. તે સામાન્ય કમને (૧૧૭૦) અનુસરે છે. ફેર એટલે કે તેમાં અલેશ્ય નથી હોતા. ૩. આના સ્પષ્ટીકરણ માટે ટીકા જેવી. Page #232 -------------------------------------------------------------------------- ________________ રા તિયોમાં એકેન્દ્રિય આદિને જુદો વિચાર પણ કરવામાં આવ્યો છે (૧૧૭૩૧૧૮૦), તેમાં ક્યાંઈક ક્યાંક સંખ્યાની દૃષ્ટિએ ભેદ પણ પડે છે. લેહ્યાની અપેક્ષાએ મનુષ્યો અને દેવોમાં પણ અલ્પબહુત્વને વિચાર છે (૧૧૮૧–૧૧૮૭). પણ આમાં ભવનવાસી આદિ ચારે પ્રકારના દેવોનું લશ્યાની અપેક્ષાએ પરસ્પર અલ્પબદુત્વ પણ વિચારાયું છે એ વિશેષતા છે (૧૧૮૮–૧૧૯૦) ઋદ્ધિની અપેક્ષાએ તે તે લેશ્યાવાળા જીવમાં તાસ્તને વિચાર પણ છે. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કૃષ્ણલેશ્યાવાળા આદિથી ઉત્તરોત્તર વેશ્યાવાળા મહર્દિક હોય છે. એટલે કે શુકલરયાવાળા અન્ય પ્રકારની વેશ્યાવાળા જીવો કરતાં સર્વાધિક ત્રદ્ધિવાળા હોય છે (૧૧૯૧), અને પછી ઉદ્દેશને અંતે ચારેય ગતિમાં લેરયાની અપેક્ષાએ જીવોની હિનું અપબહુત્વ વિચારાયું છે (૧૧૯૨-૧૧૯૭). . અંતિમ સૂત્ર છે “ મળતિ-જાવનgli રૂઢી માળિયા ” (૧૧૯૮) એટલે કે ગતિની અપેક્ષાએ અહીં ઋદ્ધિનો વિચાર કર્યો છે તેને બદલે પ્રસ્તુતમાં ૨૪ દંડકના જીને લઈને વેશ્યાની અપેક્ષાએ ઋદ્ધિનું અલ્પાહુત્વ કહેવું. આ ઉપરથી જણાય છે કે આ વાચનાભેદ પ્રજ્ઞાપનાના પાઠ વિષેનો છે. એથી એ પણ સિદ્ધ થાય છે કે પ્રજ્ઞાપનાના પુસ્તકનું સંકલન થયું ત્યારે આ બાબતમાં વાચના. ભેદ ચાલુ હશે. તીજા ઉદ્દેશ (૧૧૯૯-૧૨૧૭) માં તે તે જન્મ અને મૃત્યુ કાળની લશ્યા વિષેની ચર્ચા (૧૧૯૯-૧૨૧૪) અને તે તે વેશ્યાવાળા જીવોના અવધિજ્ઞાનની વિષયમર્યાદા તથા તે તે વેશ્યાવાળા જીવને કેટલાં જ્ઞાન હોય તે પણ જણાવ્યું છે (૧૨૧૫–૧૭). ચોથા ઉદેશમાં એક લેયાનું અન્ય લેશ્યરૂપે જે પરિણમન થાય છે, તે તથા તેના વર્ણ–રસગંધ-સ્પર્શની વિસ્તૃત ચર્ચા છે (૧૨૧૯-૧૨૪૧). આ ચર્ચાથી સ્પષ્ટ થાય છે કે લેગ્યા એ છેને નિમિત્ત થતા પુગલના પરિણામરૂપ છે. સૂત્ર ૧૨૪૨માં લેશ્યાના વિવિધ રીતે થતા પરિણામોની ગણના છે અને તે પછી તેના પ્રદેશ (૧૨૪૩), અવગાહનક્ષેત્ર (૧૨૪૪), વગણું (૧૨૪૫), સ્થાન (૧૨૪૬) અને અલ્પબહુત (૧૨૪૭–૪૯)ને વિચાર સ્થાનની અપેક્ષાએ દ્રવ્ય અને. પ્રદેશને લઈને કરવામાં આવ્યું છે. પાંચમાં ઉદ્દેશના પ્રારંભમાં તે ચેથા ઉદેશના પરિણામ પ્રકરણની પુનરાવૃત્તિ છે અને પછી તે તે લેયાનું અન્ય લેયામાં પરિણમન નથી થતું એવું નિરૂપણું Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ છે (૧૨૫૨–૧૨૫૫). આચાર્ય મલયગિરિનું કહેવું છે કે ચેથા ઉદેશમાં પરિગમનને જે સ્વીકાર છે તે તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાએ સમજવાનું છે અને પ્રસ્તુતમાં પરિણમનને અસ્વીકાર છે તે દેવ-નારની અપેક્ષાએ સમજવાનું છે, (પ્રજ્ઞા ટી. પત્ર ૩૭૧). સૂત્ર ૧૨૫૨-૫૫ વિષે આચાર્ય મલયગિરિ જે બેંધે છે તે ધ્યાનમાં લેવા જેવું છે. “अमूनि च सूत्राणि साक्षात् पुस्तकेषु न दृश्यन्ते केवलमर्थतः प्रतिपत्तव्यानि, तथो મૂટા ન થાયથાના”-પ્રશ૦ ટl, વત્ર, રૂ ૭૨.. છઠ્ઠા ઉદ્દેશમાં નાના ક્ષેત્રમાં રહેતા મનુષ્ય અને મનુષ્યણીની લેગ્યાનો વિચાર છે (૧૨૫૬-૧૨૫૭). અને પછી જનક અને જનનીની વેશ્યા જે હોય તે જ જન્યની લેગ્યા પણ હોવી જોઈએ-એવો નિયમ નથી, એ બાબતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જન્ય-જનક અને જન્ય-જનનીની સમ અને વિષમ લેશ્યા સંભવી શકે છે એ ફલિત કરવામાં આવ્યું છે (૧૨૫૮). પ્રસ્તુત પ્રજ્ઞાપનાનું શ્યાસંબંધી પ્રકરણ આટલું વિસ્તૃત છતાં તેમાં, તે તે લેશ્યાવાળા જીવોના અધ્યવસાયે કેવા હોય તે ચર્ચા જે અન્ય ગ્રન્થોમાં વિસ્તારથી જોવા મળે છે તેને તથા લશ્યાના દ્રવ્ય-ભાવ-એવા બે ભેદોની ચર્ચા જે અન્યત્ર છે. તેને સદંતર અભાવ છે તે પ્રસ્તુત પ્રજ્ઞાપનાના સંકલનની પ્રાચીન તરફ ઇશારે. કરી જાય છે તે નોંધવું જોઈએ. અઢારમું કાયસ્થિતિ પદ પ્રસ્તુત પદમાં ‘કાયમાં સમાવિષ્ટ થતા જીવ અને અજીવ બનેની સ્થિતિને એટલે કે તે તે પર્યાયરૂપે રહેવાના કાળને વિચાર છે. ચોથા “સ્થિતિ' પદમાં અને આ કાયસ્થિતિ પદમાં વિચારણાને જે ભેદ છે તે પ્રથમ સમજી લેવો જરૂરી છે. “સ્થિતિ પદમાં ૨૪ દંડકે માં જીવની ભવસ્થિતિ એટલે કે એક ભવના આયુને વિચાર છે, ત્યારે આ અઢારમા પદમાં એક જીવ મરીને સતત પાછા તેના તે જ ભવમાં જન્મે છે તેવા સમગ્ર ભવોની પરંપરાની કાળમર્યાદા કેટલી અથવા તે સમગ્ર માં ભોગવેલ આયુનો સરવાળો કેટલે હોઈ શકે તેને ૪. ઉત્તરાધ્યયન, અ૦ ૩૪, ૨૧-૩ર. ૫ ભગવતી,શતક ૧૨, ઉદેશ ૫, સૂ૦ ૪૫૦, પત્ર પ૭ર. ૧. “ય રુઠ્ઠ પર્યાયઃ વરિદ્યતે–પ્રજ્ઞા ૦ ટીકા, પત્ર ૩૭૫, Page #234 -------------------------------------------------------------------------- ________________ રા વિચાર છે. વળી સ્થિતિ' પદમાં માત્ર જીવાના આયુના જ વિચાર છે, જ્યારે પ્રસ્તુતમાં ધર્માસ્તિકાય આદિ અછદ્રવ્યો, જે ‘કાય’ તરીકે ઓળખાય છે, તેમના તે રૂપે રહેવાના કાળના પણ વિચાર કરવામાં આવ્યા છે. ષટ્સ ડાગમમાં ‘સ્થિતિ' વિચારણા એક અને નાના જીવની અપેક્ષાએ કરવામાં આવી છે અને તે પણ ગતિ આદિ ૧૪ મા ણાસ્થાનાને લઇ ને અને ૧૪ ગુણસ્થાનાની અપેક્ષાએ. પ્રસ્તુત ‘ક્રાયસ્થિતિ'ના જેવી જ વિચારણા પણ ખ્ંડાગમમાં તેની ઉપર જણાવેલી આગવી રીતે જ છે. જુઆ ષટ્રૂખડાગમગન ‘કાલાનુગમ’ પ્રકરણ, પુસ્તક ૪, પૃ૦ ૩૧૩, ૩૫૭ અને પુસ્તક ૭, પૃ ૧૧૪, ૪૬૨. પ્રસ્તુતમાં તે Ëંડાગમગત ૧૪ માગણુાસ્થાનાને ખલે બાવીશ ‘પદો’ વડે કાયસ્થિતિને વિચાર કરવામાં આવ્યે છે. એ બાવીશ 'પદો' અને તેના જેવાં અન્યત્ર નિર્દિષ્ટ અનેક દ્રારાને આધારે ′′ડાગમમાં ૧૪ દ્વારાની સખ્યા સ્વીકારવામાં આવી છે, તે આ પ્રમાણે છે: પ્રજ્ઞાપના ૧. ૧ ૨. ગતિ ૩. ઈન્દ્રિય ૪. કાય ૫. યેગ ૬. વેદ ૭. કાય ૮. લેશ્યા ૯. સમ્યકત્વ ૧. જ્ઞાન ૧૧. ન ૧૨. સંયુત ૧૩. ઉપયેગ ૧૪. આહાર ૧૫. ભાષ ષટ્ખંડાગમ ૧. ગતિ ર. ઇન્દ્રિય ૩. કાય ૪. યોગ ૫. વેદ ૬. ક્યાય ૧૦. લેશ્યા ૧૨. સભ્યત્વ ૭. જ્ઞાન ૯. ન ૮. સંયમ ૧૪. આહારક Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ૧૬. પરિત ૧૭. પર્યાપ્ત ૧૮. સૂક્ષ્મ ૧૯. સંસી ૧૩. સંજ્ઞા ૨૦. ભવ (સિદ્ધિ) ૧૧. ભવ્ય. ૨૧. અસ્તિ (કાય). ૨૨. ચરિમ " - પ્રસ્તુતમાં એક બાબત સ્પષ્ટ કરવી જોઈએ કે નારક મરીને નારક થત નથી અને દેવ કરીને દેવ થતો નથી એટલે તે બન્નેની સ્થિતિ ભવસ્થિતિ–એક - ભવની આયુમર્યાદા (જુઓ શું “સ્થિતિ પદ) અને “કાયસ્થિતિમાં કાંઈ ભેદ પડતો નથી. તિર્યંચ અને મનુષ્યમાં ભવસ્થિતિ અને કાયસ્થિતિમાં ભેદ પડે છે. એટલે જિજ્ઞાસુએ ચેથા પદ અને પ્રસ્તુતની તુલના કરી લેવી જોઈએ. ૨૨ દ્વારમાં પ્રથમ કાર છે “જીવ'. જીવનું અસ્તિત્વ સર્વ કાળમાં છે (૧૨૬૦) એમ જણાવ્યું છે, એટલે કે જીવ અનાદિકાળથી છે; તે છવરૂપે ક્યારેય ઉત્પન્ન થયા નથી અને જીવરૂપે કદી નષ્ટ પણ થશે નહિ–એવો સિદ્ધાન્ત આથી ફલિત થાય છે. ટીકાકારે “પ્રાણધારણું” એવી વ્યાખ્યા જીવનની કરી છે અને પ્રાણની વ્યાખ્યામાં કહ્યું છે કે દ્રવ્ય-ઇન્દ્રિયદિ અને ભાવ-જ્ઞાનાદિ એ બને પ્રકારના પ્રાણુ છે. ભાવપ્રાણમાં જ્ઞાનને સમાવેશ થતો હોઈ સિદ્ધોને પણ છોમાં જ સમાવેશ છે. કાલને વિચાર બે પ્રકારે મૂળમાં જોવા મળે છે (૧૨૬૨-૧૨૮૬ આદિ), તેને ખુલાસે ટીકાકારે કર્યો છે કે કાલને કાલ દષ્ટિએ અને ક્ષેત્ર દષ્ટિએ વિચાર કર્યો છે. સારાંશ એ છે કે ‘અનંત સંખ્યા અનંત પ્રકારની હોઈ કાલના સમયની સંખ્યાની તુલના આકાશપ્રદેશની સંખ્યા સાથે કરવાથી સંખ્યાનું તારતમ્ય સમજાઈ જાય છે.* ટીકાકારે તિર્યંચ નિમાં નિર્દિષ્ટ કાયસ્થિતિ (૧૨૬૨) વિષે સ્પષ્ટીકરણ ૨. સંરિપંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના પણ ઉત્કૃષ્ટ આઠ ભવ જ સતત થાય , છે.—પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૬. ૩. પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૫. ૪. પ્રજ્ઞા ટીકા, પગ ૩૭૫. Page #236 -------------------------------------------------------------------------- ________________ રા૫ કર્યું છે કે આ સ્થિતિ વનસ્પતિની અપેક્ષાએ સમજવાની છે. શેષ તિર્યંચમાં આટલી સ્થિતિ હોતી નથી. , દેવીની કાયસ્થિતિ (૧૨૬૪) વિષે પણ ટીકાકારે જણાવ્યું છે કે આ સ્થિતિ ઈશાનની દેવીની અપેક્ષાએ સમજવાની છે. તિની કાયસ્થિતિમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ (૧૨૬૮) જણાવી છે તે દેવકુરુમાં થનાર તિયચની અપેક્ષાએ સમજવાની છે (પ્રજ્ઞા ટીકા, પગ ૩૭૭). ન્દ્રિયની કાયસ્થિતિ, સંખ્યાતકાળ” કહી છે (૧૨૭૩). તેનું સ્પષ્ટીકરણ એ છે કે તે “જોયનિ વર્ષસદળ' સમજવી (પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૮). સૂત્ર ૧૨૭૭માં અપર્યાપ્તને ઉલેખ છે તેનું સ્પષ્ટીકરણ એ છે કે પ્રસ્તુતમાં લબ્ધિ અને કરણબન્ને પ્રકારના અપર્યાપ્ત સમજવા (પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૮). સૂગ ૧૨૭૯માં અને બીજા સૂત્રોમાં પણ પર્યાપ્ત શબ્દથી લબ્ધિપર્યાપ્ત સમજવા (પ્રજ્ઞા ટીકા. પત્ર ૩૭૮). કાયદ્વાર (૧૨૮૫-૧૩૨૦)માં કાય શબ્દ શરીરના અર્થમાં લેવાને છે અને સૂા ૧૨૮૫માં “કાય’ શબ્દથી કામણ અને તેજસ એ બે જ શરીરના અર્થમાં કાયશબ્દ પ્રયુક્ત છે એમ સમજવું (પ્રજ્ઞા ટીકા, પગ ૩૭૯). સૂત્ર ૧૨૮૮માં વનસ્પતિની કાયસ્થિતિ “શના વરિયા' જણાવી છે, તો તેને અર્થ એ થાય કે કોઈ પણ વનસ્પતિ છવ અનાદિ કાળથી વનસ્પતિ. રૂપે રહી શકે નહિ; તેણે વનસ્પતિ સિવાયને પણ ભવ કર્યો હે જોઈએ. પરંતુ આ ભ્રમ દૂર કરવા માટે વનસ્પતિના વ્યવહારરાશિ અને અવ્યવહારરાશિ એવા બે ભેદ બતાવ્યા અને નિગદ જીવોનું સ્વરૂપ વર્ણવ્યું. આ આખી રસપ્રદ ચર્ચા મરુદેવીને જીવ અનાદિકાળથી વનસ્પતિમાં હતો એવી અને એના જેવી બીજી ઘટનાઓની પુષ્ટિમાં કરવામાં આવી છે (પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૯ તથા પત્ર ૩૮૫). આ સૂત્ર ૧૩૦૫માં પૃથ્વીકાય આદિના બાદરસામાન્ય સૂત્રમાં કહ્યું છે કે તેમની કાયસ્થિતિ અસંખ્યાત ઉત્સપિણી એટલે કાળ છે અને તેનું ક્ષેત્ર સાથે સમીકરણ કરતાં જણાવ્યું છે કે અંગુલને અસંખ્યાતમે ભાગ. એટલે સહેજે પ્રશ્ન થાય કે અંગુલના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા જ સમય ૫. એજન, પગ ૩૭૫. ૬. એજન, પરા ૩૭૬. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અસંખ્યાત ઉત્સર્પિણીના કેવી રીતે થાય? આનું સ્પષ્ટીકરણ એ છે કે કાળ કરતાં ક્ષેત્ર સૂક્ષ્મ છે તેથી એ શક્ય બને છે (પ્રજ્ઞા ટીકા, પગ ૩૮૨). સેન્દ્રિય જીવા (૧૨૭૧), સકાય જીવા (૧૨૮૫), સન્નેગી જીવા (૧૩૨૧), સવેદ જીવા (૧૩૨૬) આદિના ભેદોમાં અનાદિ અનત જીવા એવા પણુ એક ભેદ ગણવામાં આવ્યા છે, તે સૂચવે છે કે જીવેામાં કેટલાક જીવા અભવ્ય પણ છે, જે કદી મુક્ત થવાંના નથી. યેાગદ્વાર (૧૩૨૧-૨૫) માં ધ્યાન દેવા જેવી વાત એ છે કે મનેયાગ અને વચનયોગના જધન્ય કાળ એક સમય જેટલા કહ્યો છે અને ઉત્કૃષ્ટ કાળ અન્તસુ'દૂત' જેટલા દર્શાવ્યા છે; આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે સતત વચનયોગની અને મનેયાગની એટલે કે ધ્યાનની ઉત્કૃષ્ટ માત્રા અન્તમુત જ સંભવે ત્યાર પછી વચનયેાગ કે મનેયાગ ઉપરત થઈ જાય છે, એવા વના સ્વભાવ છે. કાળ સૂક્ષ્મ હેાવાથી એ ઉપરિત જાણમાં આવતી નથી એમ સ્પષ્ટીકરણ ટીકાકારે કર્યુ છે (પ્રત્તા ટીકા, પત્ર ૩૮૨). વેદવિચારણામાં વેદના કાળ વિષે પાંચ મતભેદોના ઉલ્લેખ ગૌતમ અને ભગવાનના સવાદરૂપે મૂળ સૂત્રમાં (૧૩૨૭) છે. તે પાંચે માનુ` સ્પષ્ટીકરણ આચા મલયગિરિએ કયુ તા છે, પરંતુ એમાં કયા મત સમીચીન છે અને ભગવાન અને ગૌતમના સંવાદમાં આવું કેમ બને ?-એ બાબતમાં ટીકાકારે જે કહ્યું છે તે આ છે— “અમીષાં च पञ्चानामादेशानामन्यतमादेसममीचीनता निर्णयोऽतिशयज्ञानिभिः सर्वोत्कृष्टश्रुतलब्धिसम्पन्नैर्व्याकर्तुं शक्यते । ते च भगवदार्यश्यामप्रतिपत्तौ नासीरन् । केवलं तत्कालापेक्षया ये पूर्व- पूर्वतमाः सूरयः तत्तत्काल भाविग्रन्थपौर्वापर्यपर्यालोचनया यथास्वमति स्त्रीवेदस्य स्थितिं प्ररूपितवन्तस्तेषां सर्वेषामपि प्रावचनिकसूरीणां मतानि भगवानार्यश्याम उपदिष्टवान् । ते च प्रावचनिकसूरयः स्वमतेन सूत्र पठन्तो गौतमप्रश्नभगवन्निर्वचनरूपतया पठन्ति । ततस्तदवस्थान्येव सूत्राणि लिखतागोतमा ! इत्युक्तम् | अन्यथा भगवति गौतमाय निदेष्ठरि न संशयकथन सुपपद्यते, भगवतः सकलसंशयातीतવાત –પ્રસા૦ ટીન્ગ, પુત્ર ૨૮. ષટ્કંડાગમમાં આ બાબતમાં એક જ મત આપવામાં આવ્યેા છે; ત્યાં - મતભેદોની ચર્ચા નથી. સમ્યકત્વદાર (૧૩૪૩–૪૫)માં ટીકાકારે સમ્યગ્દષ્ટિ અને સ મ્યુમિથ્યાદ ષ્ટિની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે : જિનભગવાન પ્રણીત વાદિ સમગ્ર તત્ત્વ વિષે Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ અવિપર્યસ્ત દષ્ટિ જેને હોય તે સમ્યગ્દષ્ટિ; ભગવાન પ્રણેત તત્ત્વની બાબતમાં જેને જરા પણ વિપ્રતિપત્તિ હોય તે મિથ્યાદષ્ટિ; અને જેને તે બાબતમાં સમ્યશ્રદ્ધા પણ ન હોય અને તે બાબતમાં વિપ્રતિપત્તિ પણ ન હોય તે સમ્યગ્નધ્યાદષ્ટિ છે. શતકણિને આધારે ચેખા આદિથી અજાણ્યા માણસને જેમ તે પ્રત્યે રુચિ કે અરુચિ એ બેમાંથી એકેય નથી તેમ આ સમ્યમિથ્યાદષ્ટિને જિનપ્રણીત પદાર્થોની બાબતમાં રુચિ પણ નથી તેમ જ અરુચિ પણ નથી. પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૮૮. ટીકાકારે અવધિદર્શના (૧૩પ૬)ના કાળના પ્રસંગે વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન હેવા ન હોવા વિષેના સૂત્રકાર અને કામચશ્વિકના મતભેદની ચર્ચા આચાર્ય જિનભદ્રને અનુસરી કરી છે (પ્રજ્ઞા ટી., ૫૦ ૩૯૧). ઉપયોગદ્વાર (૧૩૬૨-૬૩) પ્રસંગે સૂત્રકારે જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ અન્તમ્હૂત જણું છે તે બાબતમાં ટીકાકારે સ્પષ્ટીકરણ કર્યું છે કે આ કાળ સંસારી જીવની અપેક્ષાને છે, પરંતુ કેવળીને એક સમયને ઉપયોગી હોય છે તે અહીં વિવક્ષિત નથી (પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૯૨). ખરી વાત એવી છે કે કેવળીને જ્ઞાન-દર્શને પગ ક્રમે હોય છે કે યુગપ એ ચર્ચા જ્યારથી શરૂ થઈ ત્યાર પહેલાંની આ સૂત્રની રચના છે. એટલે તેમાં પછીથી એ બાબતમાં જે સ્પષ્ટીકરણ થયું તે આ સૂત્રમાં વિવક્ષિત હવાનો સંભવ જ નથી. આવી અનેક વિવક્ષાઓ આચાર્ય મલયગિરિએ પિતાની ટીકામાં સ્પષ્ટ કરી છે, તે માટે જિજ્ઞાસુએ ટીકામાં જોઈ લેવું. અહીં તે માત્ર કેટલાક નામના આપ્યો છે, તે એ સૂચવવા કે વિચારણા જેમ આગળ વધતી જાય છે તેમ વિચારમાં વ્યવસ્થા આવતી જાય છે. * ૧૯મું “સમ્યકત્વ પદ: સમ્યકત્વ વિષે આમાં છવ સામાન્ય, સિદ્ધ અને ૨૪ દંડકમાં છવમાં સમ્યગ્દષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને સમ્યગમિથ્યાદષ્ટિની વિચારણું છે (૧૩૯૯–૧૪૦૫) તે આ પ્રમાણે સભ્યગ મિથ્યા સમયમિશ્યા ૧. નરકના છે ૨–૧૧. ભવનપતિ Page #239 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * * * ૧૨. પૃથ્વીકાય. : ૧૩. અકાય. ૧૪. તેજ:કાય ૧૫. વાયુકાય ૧૬. વનસ્પતિકાય ૧૭. ઠીન્દ્રિય ૧૮. શ્રીન્દ્રિય ૧૯. ચતુરિન્દ્રિય ૨૦. પચેદ્રિયતિયચ ૨૧. મનુષ્ય ૨૨. વાણવ્યંતર ૨૩. જ્યોતિષ્ક ૨૪. વૈમાનિક - સિદ્ધ * આના ઉપરથી એમ ફલિત થાય છે સમ્યગમિથ્યાદષ્ટિ માત્ર પંચેન્દ્રિય જ હોય છે, અને એકેન્દ્રિય મિાદષ્ટિ જ હોય છે. દ્વિ-ઈન્દ્રિયથી માંડી ચતુરિન્દ્રિય સુધીમાં સમ્યમિથ્યાદષ્ટિ હેતા નથી. વખંડાગમમાં સંસી અને અસંજ્ઞી પંચેન્દ્રિય એવા ભેદ પાડીને અસંજ્ઞી પંચેન્દ્રિયને માત્ર મિથ્યાદષ્ટિ જ કહ્યા છે.––ષખસંડાગમ, પુસ્તક ૧, પૃ. ૨૫૮, ૨૬૧, આ વિચારણું કેવી રીતે આગળ વધી તે સૂચવે છે. ખંડાગમમાં જીવો સમ્યકત્વ ઉત્પન્ન કરે તે કયા કારણે તેની ચર્ચા પણ છે.–પુસ્તક ૬, પૃ. ૪૧૮-૪૩૭. પછી મૃત્યુ વખતે તે બાબતમાં પરિસ્થિતિ કેવી હોય તેનું વર્ણન છે. –પૃ૦ ૪૩૭. વીસમું અન્તક્રિયાપદ ભવને અંત કરનાર ક્રિયા તે અંતક્રિયા. એ ક્રિયાથી બે પરિણામ આવે; ન ભવ અથવા મોક્ષ. એટલે અન્તક્રિયા શબ્દ અહીં મેક્ષ અને મરણ એ બને અર્થમાં વપરાય છે. એ અંતક્રિયાને વિચાર વીશે દંડકના જીવમાં દશ ઠારે વડે કરવામાં આવ્યો :– ૧. નારકાદિ છે અંતક્રિયા (મેક્ષ) કરે છે ? Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ૨. નારકાદિ છે અનન્તર ભવમાં કે વ્યવધાનથી અન્તક્રિયા (મેક્ષ) કરે છે ? ૩. નારકાદિ છે અનન્તર ભવમાં અન્તકિયા (મોક્ષ) કરે તે એકસમયમાં કેટલા કરે ? ૪. નારકાદિ છે ઉવૃત્ત થઈ (મરીને) કઈ યોનિમાં જાય ? ૫. નારકાદિ જો મરીને તીર્થંકર થઈ શકે ? કે. , ,, ,, ચક્રવતી થઈ શકે? છે. , , , બળદેવ થઈ શકે? ૮. • » , વાસુદેવ થઈ શકે ? ૯. , , માંડલિક , ? ૧૦. " , , રત્ન છે ? આ કારને આધારે કહી શકાય કે અન્તક્રિયા શબ્દ બે અર્થમાં વપરાય છે. પ્રથમ ત્રણ ધારેમાં અનક્રિયા એટલે મેક્ષની ચર્ચા છે, અને પછીનાં ધારને સંબંધ પણ અન્તક્રિયા સાથે છે, પણ ત્યાં તેનો અર્થ મરણ લઈએ તે ઘટે. ઉપરાંત, આ દ્વારમાં અન્તક્રિયાને અર્થે મોક્ષ પણ ઘટે, કારણ કે તે દ્વારોમાં તે તે એનિમાં ઉઠના આદિ કરનારને મેક્ષ સંભવે કે નહિ એવો પ્રશ્ન પણ ઉપસ્થિત કર્યો છે. પ્રથમ ઠારને સાર એ છે કે માત્ર મનુષ્યો જ મોક્ષ પામી શકે છે, અને તે પણ બધા જ નહિ–(૧૪૦૮ [૩]). જીવના નારકાદિ અનેક પર્યાયે થાય છે એટલે નારક આદિ પર્યાયમાં રહેલ છવ મનુષ્યભવમાં જઈ મુક્ત થઈ શકતો હોઈ નારકાદિ વિષે પણ એમ તે કહી શકાય કે કેઈ નારકાદિ મુક્ત થાય છે અને કઈ નથી થતા (૧૪૦૭ [૨]). બીજા દ્વારમાં એ વિચારણું છે કે નારકાદિ જેવો અનન્તરાગત કે પરંપરાગત થઈને અંતક્રિયા કરે છે? એટલે કે નારકાદિ ભવમાંથી મરીને વ્યવધાન વિના જ મનુષ્યભવમાં આવીને મોક્ષ પામે છે કે નારકાદિ પછીના એક કે અનેક ભવો કરી પછી મનુષ્યભવમાં મુક્તિ પામે છે? આને ઉત્તર એ છે કે પ્રથમ ચાર નરકમાંથી આવનારમાં બન્ને પ્રકાર સંભવે છે. પરંતુ પછીના ત્રણ નરકોમાંથી આવનાર માત્ર પરંપરાગત હોય તે (એક કરતાં વધુ ભવ કરે તો) જ અંતક્રિયા કરે અર્થાત્ મોક્ષ પામે. બધા જ ભવનપતિ, પૃથ્વી, અપ્લાય અને વનસ્પતિમાંથી આવનારમાં બને પ્રકાર સંભવે છે. તેજ, વાયુ, દિ-ઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિદ્રિય માંથી આવનારમાં Page #241 -------------------------------------------------------------------------- ________________ ર૦ જે માત્ર પરંપરાગત હોય તેમાં અને શેષ જીવનમાં બન્ને પ્રકાર સંભવે છે (૧૪૧૦-૧૩). - આચાર્ય મલયગિરિએ સ્પષ્ટીકરણ કર્યું છે કે, તેજ અને વાયુ મરીને મનુષ્ય થતા જ નથી માટે અને દ્વિ-ઈન્દ્રિયાદિને એવો સ્વભાવ છે માટે અનન્તરાગતની અન્તક્રિયા તેમને નથી (પૃ. ૩૯૭) હતી. અનન્તરાગત વિશે તીજા દ્વારમાં પ્રશ્ન છે કે એક સમયમાં તેઓ કેટલી સંખ્યામાં અન્તક્રિયા કરે ? (૧૪૧૪–૧૬). - અનન્તરાગત જઘન્ય સંખ્યા ઉત્કૃષ્ટ સંખ્યા નારક ૧, ૨, ૩ , ૧-૩ ૪ ભવનપતિ દે , દેવીઓ પૃથ્વી, અપ વનસ્પતિ પંચેન્દ્રિય તિર્યંચ , , સ્ત્રી મનુષ્ય - 2 8 - ર : 8 8 8 + 4 ૮ ૨ ૮ » સ્ત્રી ܕܕ ܝ ܕܕ વાણુવ્યંતર , વ્યંતરી ત્તિષ્ક દેવ , દેવી વૈમાનિક દેવ , દેવી ચોથા ઉદ્વતારમાં જીવ મરીને ક્યાં જઈ શકે તેને વિચાર છે. પ્રજ્ઞાપનામાં આ પ્રકરણમાં ઉદ્ધત શબ્દ બધી ગતિમાં થતા મરણને માટે પ્રયુક્ત છે. પરંતુ ખંડાગમમાં તેને સ્થાને ઉત્ત, કાલગત અને શ્રુત એવા ત્રણ શબ્દોને પ્રયોગ છે, નરક ભવનવાસી, વનવ્યંતર અને જ્યોતિષ્ક ગતિમાંથી મરીને જનાર ૧. સૂત્ર ૧૪૧૦-૧૩માં જે અનન્તરાગત અન્તક્રિયા કરે છે. તેમને વિષે જ આ વિચારણું છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ માટે “ઉત્ત, તિર્યંચ અને મનુષ્યગતિમાંથી મરીને જનાર માટે કાલગત” શબ્દને અને વૈમાનિકમાંથી અન્યત્ર જનાર માટે “ચુત” શબ્દ પ્રયોગ દેખાય છે. ભરીને તે તે સ્થાને ગયા પછી તે છવ ક્રમે કરી ધમનું શ્રવણ, બોધ, શ્રદ્ધા, મતિ-શ્રુતજ્ઞાન, વ્રતગ્રહણ, અવધિજ્ઞાન, અણગારત્વ, મન:પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન અને સિદ્ધિ આ બધાંમાંથી શું શું પ્રાપ્ત કરી શકે છે તેની પણ ચર્ચા કરવામાં આવી છે. પખંડાગમમાં ઉક્ત બાબત ઉપરાંત અન્ય બાબતોને–જેવી. કે તીર્થંકરપદ, ચક્રવતી પદ આદિને–પણ સમાવેશ કરી લેવામાં આવ્યું છે.' પરંતુ પ્રજ્ઞાપનામાં તીર્થકર આદિ પદોની વિચારણું જુદાં દ્વાર વડે કરવામાં આવી છે, તે પ્રજ્ઞાપનાની વિચારણાનું મુળ જૂનું હોય એમ સૂચવી જાય છે, અને પખંડાગમમાં તે વધારે વ્યવસ્થિત છે. વળી, એક બાબત નેંધવા જેવી એ છે કે પ્રજ્ઞાપનાના પ્રસ્તુત દ્વારમાં માંડલિક (દ્વાર ૯ મું) અને રત્ન (દશમું દ્વાર) એ પદે અધિક છે, જેને અભાવ પખંડાગમના પ્રસ્તુત પ્રકરણમાં છે. - ખંડાગમમાં જે પદની પ્રાપ્તિ ગણાવી છે તેની ગણતરીને ક્રમ આ પ્રમાણે છે : આભિનિબોધિક, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન, સમ્યગૂમિથ્યાત્વ, સમ્યકત્વ, સંયમસંયમ, સંયમ, બલદેવત્વ, વાસુદેવત્વ, ચક્રવતિત્વ, તીર્થકરત્વ, નિર્વાણ. (પુસ્તક છે, પૃ. ૪૯૪) આ સૂચિત કરે છે કે આ ક્રમ પ્રાપ્તિનો નથી, પણ જ્ઞાન-દર્શનચારિત્ર અને અન્ય વિશિષ્ટ પદો-એ ક્રમે પરિગણના છે. મરી કયાં જઈ શકે મરીને નવા જન્મમાં ધર્મશ્રવણદિને સંભવ નારક પિચેયિ તિર્યંચ દેશસંયમી અને અવધિજ્ઞાન મનુષ્ય ૨. વખંડાગમ, પુ૬, પૃ. ૪૭૭ માંને વિશેષાર્થ. ૩. તુલના માટે ઉત્તરા. અ૨૯ મું જોવું તેમાં સંવેગથી માંડી ૭૩ પદો છે. તથા જુઓ સ્થાનાંગ-સમવાયાંગ, પૃ. ૩-૮. ૪. પુસ્તક ૬, પૃ. ૪૮૪–૫૦૨. ૫. જુઓ પ્રસ્તુત વીશમા પદના પાંચમાંથી દશમા સુધીનાં દ્વારા. ચોથા ઉત્તદ્વારા સાર આ પ્રમાણે છે (૧૪૧૭–૪૩) : ૬. મૂળમાં “સી૪ વા વય વા ગુણ વા વેરમળ વ વ વ વા સોવેકિં ” (૧૪૨૦ []) માં એ પાઠ છે. ૧૪૨ ૦ [૮] અણગારની વાત છે તેથી આ દેશસંયમી ગણવા જોઈએ. શીલાદિતી વ્યાખ્યા માટે જુઓ ટીકા (પત્ર ૩૯૯). માક્ષ Page #243 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન { ભવનપતિ, રરર પૃથ્વી, અપ, વનસ્પતિ ભવનપતિ ડેપચેદ્રિયતિયચ નાટક જેમ મનુષ્ય નારક જેમ ||પૃથ્વી, અપ, તેજ, વાયો. પૃથ્વી, અપ, વનસ્પતિ ધિ-ત્રિચતુરિન્દ્રિય પચેંદ્રિયતિર્યંચ નારક જેમ નારક જેમ તેજ, વાયુ પૃથ્વી યાવત ચતુરિન્દ્રિય ૪ 1પ ચેજિયતિચ ધર્મશ્રવણ દિયિ, ત્રીન્દ્રિય, પૃથ્વી યાવત પંચેન્દ્રિયતિયચ પૃથ્વી જેમ -ચતુરિન્દ્રિય મનુષ્ય મન:પર્યાય નારક સમ્યયત્વ પંચેદિયતિયચ એક યાવત્ ચતુરિન્દ્રિય પૃથ્વીની જેમ પંચેદ્રિયતિર્યંચ મનુષ્ય નારક જેમ (વાણુવ્યંતર જ્યોતિષ્ઠ વિમાનિક મનુષ્ય ઉપર પ્રમાણે વાણુવ્યંતર તિષ્ક વૈમાનિક ભવનપતિ જેમ નરક જેમ - પાંચમા તીર્થંકરદ્વારમાં નારકાદિ મરીને અનન્તર (મનુષ્યભવમાં) તીર્થંકરપદ પામી શકે કે નહિ તેની વિચારણું છે. સાથે જ તીર્થંકરપદ ન પામી શકે તો વિકાસક્રમમાં શું પામી શકે તેને પણ નિર્દેશ જોવા મળે છે. તેને સાર આ પ્રમાણે છે (૧૪૪૪–૧૪૫૮) : | મનુષ્યને અનન્તર પૂર્વભવ. મનુષ્યમાં શેને સંભવ ? રત્નપ્રભા યાવત વાલુકાપ્રભા તીર્થકરપદ ૫કપ્રભા મોક્ષ ધૂમપ્રભાત તમાં . વિરતાવિરતિ કે સાતમી નરક સમ્યફવા ભવનપતિ ' મોક્ષ છે. પ્રસ્તુત માં પ્રાપનાપદની તીર્થંકર આદિ સંપદા વિના કેપ્ટક માટે જુઓ, યંત્રપૂર્વક કર્માદવિચાર, પૃ. ૧૧૮ વિરતિ વિરતિ Page #244 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી, અપ તેજવાયુ વનસ્પતિ દ્વિ-ત્રિ-ચતુરિન્દ્રિય પચેન્દ્રિયતિયે ચ મનુષ્ય વાવ્ય તર જ્યાતિષ્ઠ વૈમાનિક ૨૨૩ સાક્ષ તીથ' `કરપદ આ ઉપરથી જણાય છે કે માત્ર નારકી અને વૈમાનિકમાંથી મરી મનુષ્ય ચનાર જ તીકર પદ પામી શકે છે. મેાક્ષ ધર્મ શ્રવણ મેાક્ષ મન:પર્યાય ચક્રવતી પદને યાગ્ય પ્રથમ નરક અને દેવામાંથી અનન્તર મનુષ્યભવમાં જન્મ લેનાર છે, અન્ય નહિ (૧૪૫૯-૬૩). તે જ પ્રમાણે ખલદેવપદ વિષે છે. પર ંતુ એમાં વિશેષતા એ કે શકરાપ્રભામાંથી પણ જન્મ લેનાર આ પદની યેાગ્યતા ધરાવે એ (૧૪૬૪). વાસુદેવપદ વિષે પણ બળદેવ જેમ જ છે, પરંતુ એમાં વિશેષતા એ કે વૈમાનિકોમાંના અનુત્તરાપપાતિકમાં જન્મ લેનાર વાસુદેવપદ પામતા નથી (૧૪૬૫). માંડલિકપદ માત્ર સાતમી નરક, તેજ અને વાયુમાંથી જન્મ લેનાર પામતા નથી (૧૪૬૬). દશમા રત્નદ્વારમાંની હકીકતના સાર આ પ્રમાણે છે (૧૪૬૭-૬૯)~~~ સેનાપતિ, ગાથાપતિ, વધ`કિ, પુરાહિત અને સ્ત્રીરત્નપદ માટે સાતમી, નરક, તેજ, વાયુ અને અનુત્તરમાંથી આવનાર અયેાગ્ય છે. અશ્વ અને હસ્તિરત્નપદ માટે નરકથી માંડી સહસ્રાર દેવલાક સુધીના યાગ્ય છે. અને ચક્ર, છત્ર, ચ, દંડ, અસિ, મણિ, કાકિણી—આ બધાં રત્ના માટે અસુરકુમારથી માંડીને ઈશાન દેવલેાકમાંથી આવનાર ચૈાગ્ય છે. રત્નદ્દારને અંતે અન્ય ખાતા વિશે ચર્ચા છે, જેના રત્ન સાથે શુ' સબંધ છે તેનું સ્પષ્ટીકરણ ટીકાકાર કરતા નથી. આમાં નીચેની વ્યક્તિએ દેવલે કમાં કયાં જાય તેની ચર્ચા છે (૧૪૭૦) : ૧. અસંયુત ભવ્યદ્રવ્યદેવ ભવનવાસીથી માંડી ગ્રેવેયક. ૮. આ શબ્દને શુ' અથ કરવા તેમાં વિવાદ છે. કોઈને મતે સમ્યગ્દષ્ટિ થાય છે. પરંતુ આચાય` મલયગિરિ એ અને નથી અને તેના અથ મિથ્યાદષ્ટિ છતાં શ્રમણ વેશમાં રહી ચર્ચાનું પાલન કરનાર ભવ્ય કે અભન્ય જીવા આવે આપે ટી, પત્ર ૪૪. એના અથ માન્ય કરતાં શ્રમાની છે.—પ્રજ્ઞા Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨. સયમના અવિરાધક ૩. સયમનો વિરાધક ૪. સંયમાસયમ (દેશવિરતિ)ને અવિરાધક ૫. સમાસયમની વિરાધક ૬. અસની (અકામનિર્જરાવાળા) ૭. તાપસ ૮. કાન્દપિક ૧૦ ૯. ચક-પરિવાજ૧ ૧ ૧૦. કિલ્મિષિક ૧૨ ૧૧. તિયેંચ (દેશવિરત) ૩૨૪ સૌધમથી માંડી સર્વોથસિદ્ધિ ભવનવાસીથી માંડી સૌધમ' સુધી. સૌધમ થી અચ્યુત. લવનવાસીથી જ્યાતિષ્ક. ભવનસાથીની વાણુતર. ભવનવાસીથી જ્યેાતિક. ભવનવાસીથી સૌધમ. ભવનવાસીથી બ્રહ્મલીક સૌધર્માંથી લાંતક ભવનવાસીથી સહસ્રારકપ, ૯. જે માત્ર પાંડાં વગેરે ઉપર જીવે છે, તેવા તપસ્વી, તાત્પર્ય કે જે જૈનસ'મત રીતે તપસ્યા નથી કરતા. ભારતમાં તપાસેાની પર પરા બહુ જૂની છે. જૈન પરિભાષામાં તેની સંજ્ઞા બાલતપસ્વી છે; જ્યારે જૈન સમત તપસ્યા કરનાર પતિતપસ્વી કહેવાય. સ`પ્રથમ તાપસના ઉલ્લેખ બૃહદારણ્યકમાં ૪.૩.૨૨ માં છે. જુઓ, વૈદિક ઇન્ડેકસ, ૧૦. સંયમ છતાં જે હાસ્યજનક વચન કે ચેષ્ટા દ્વારા અન્યને હસાવે તે કાંદષ્ટિક, એવું લક્ષણુ બૃહત્કપભાષ્ય ગા૦ ૧૨૯૪-૧૩૦૧માં છે, જેનુ અવતરણુ આચાય . મલયગિરિએ પ્રજ્ઞા ટી॰ પત્ર ૪૦૫માં કર્યુ છે. ૧૧. ટીકાકારે ચરક એવા પરિવ્રાજક અથવા ચરક અને પરિવ્રાજક એવા અથ કર્યા છે. પ્રથમમાં ગિદડી અર્શી છે, અને ખીજામાં ચરક એટલે કાટક કચ્છાટા મારીને રહેનાર, અને પરિત્રાજક એટલે સાંખ્ય પરિવ્રાજક એવે અથ કર્યાં છે. ૧૨. જ્ઞાન, કેવળી, ધર્માચાર્યાં અને સર્વ સાધુના નિર્દેક અને માયી તે કિલ્બિષિક કહેવાય છે. તેનું લક્ષણ વ્યૂહપભાષ્યમાં (ગા૦ ૧૩૦૨-૧૩૦૭) છે, જેનુ અવતરણ પ્રજ્ઞા ટીકામાં આચાર્ય મલયગિરિ કરે છે. જ્ઞાનની નિંદાપ્રસ ંગે બૃહત્કલ્પભાષ્યની ટીકામાં જણાવ્યુ` છે કે સૂર્ય'પ્રાપ્તિ આદિ જ્યાતિષશાસ્ત્ર અને યોનિપ્રામૃત જેવા ગ્રંથાની મેક્ષાથીને શુ` જરૂર છે ? આમ કહેનાર જ્ઞાનાવ`વાદી છે (ગા૦ ૧૩૦૩ની ટીકા). Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ ૧૨. આજીવક૩ ૧૩. આભિયોગિક૧૪ ૧૪. સ્વલિંગ પણ નવ્યાપન્ન (નિદ્ભવ) "" "" ૧૫ અચ્યુત. પ્રસ્તુત ચર્ચાને આધારે જે કેટલાંક મતવ્યો ફલિત થાય છે તે આ છે : અંદરની ચેાગ્યતા વિના પણ બાહ્યાચરણુ શુદ્ધ હોય તે જીવ ત્રૈવેયક સુધી દેવલાકમાં જાય છે. તેથી છેવટે જૈન લિંગ ધારણ કરવાનુ પણ મહત્ત્વ છે તે બાબત નં. ૧ અને ૧૪ થી ફલિત થાય છે. આંતરિક યેાગ્યતાપૂર્વક સમયનું યથા પાલન કરે તા સર્વાર્થસિદ્ધિ, જે વૈમાનિક દેવામાં સર્વોચ્ચ પદ છે, તે પામે. "" ત્રૈવેયક આ પદને અ ંતે વળી બીજી પણ ચર્ચા કરવામાં આવી છે (૧૪૭૧-૭૩); તે છે અસંજ્ઞીના આયુની. આમાં અસની અવસ્થામાં નારક અને દેવાયુના જે ખધ થાય છે તેની તથા તે બાંધનારના અલ્પબહુત્વની ચર્ચા છે. ૨૧મુ’ અવગાહનાસસ્થાન પદ : શરીરનુ` સંસ્થાન અને અવગાહના આ પ૬માં જીવાનાં શરીર વિષે નીચેની બાબતે વિચારાઈ છે : ૧. શરીરના ભેદ. ર. સંસ્થાન-આકૃતિ. ૩. પ્રમાણુ-શરીરનું માપ. ૪. શરીરનિર્માણ માટે પુદ્ગલાનુ યયન. ૫. જ્વમાં એકસાથે ક્યાં કર્યાં શરીર ઢાય ? ૬. શરીરનાં દ્રવ્ય અને પ્રદેશાનું અપબહુત્વ. ૭. અવગાહનાનું અલ્પાહુત્વ. ૧૩. ગોશાલકના અનુયાયી. ૧૪. વિદ્યામંદિ વડે વશીકરાદિ કરનાર. તેનું વિવરણુ બૃહત્કલ્પભાષ્ય (ગા ૧૩૦૮–૧૩૧૪)માં છે. તેનું જ અવતરણ પ્રજ્ઞા ટી॰ માં આચાય મલયગિરિએ કયુ' છે. આવું કૃત્ય જો પોતાના ગૌરવ માટે કરે તે દોષાવહ છે, અન્યથા નહિ——બૃહત્કપભાષ્ય, ગા૦ ૧૩૧૪, ૧. આ પૂર્વે પ૬ ૧૨મું શરીરપદ આવી ગયું છે તથા ૧૬મું પ્રયોગ પદ પણ શરીરના પ્રયોગની ચર્ચા કરે છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ આમાંના નં. ૧, ૨ અને ૩ ની વિચારણે શરીરના તે તે ભેદોના વર્ણન પ્રસંગે જ કરવામાં આવી છે. અને એ વિચારણા પૂરી થયે ક્રમશ: નં. ૪ થી ૭ ધારે લેવામાં આવ્યાં છે. એ શરીર વિષેની વિચારણાની બે કમિક ભૂમિકા સૂચવે છે. ગતિ આદિ અનેક દ્વારા વડે જીવની વિચારણું પૂર્વકાળમાં થતી (પ્રજ્ઞાપના, પદ ૩ અને ૧૮); અને જીવના ગતિ આદિ પરિણામોનો વિચાર થતો (પ્રજ્ઞાપના, પદ ૧૩): પરંતુ તે ગતિ આદિ દ્વારોમાં શરીરદ્વાર નથી ષટ્રખંડાગમમાં પણ સર્વપ્રથમ શરીરવિચારણું પ્રકૃતિસમુત્કીર્તન નામની ચૂલિકામાં આવે છે. જુઓ પ્ર. ૬, પૃ. ૫૦. નામકર્મની પ્રકૃતિમાં ગતિ અને જાતિ પછી શરીર સંબંધી અનેક પ્રકૃતિને સ્થાન મળ્યું છે. પ્રથમ વિધિ દ્વારમાં શરીરના પાંચ ભેદ–ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ (૧૪૭૪)–પછી ક્રમશઃ ઔદારિક આદિ શરીરના ભેદો વગેરેની ચર્ચા છે. તેમાં દારિક શરીરના ભેદોની ગણનામાં એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિયમાં મનુષ્ય સુધીના જેટલા જીવભેદ-પ્રભેદો તેટલા જ ભેદ ઔદારિક શરીરના ગણુવ્યા છે (૧૪૭૬-૮૭). ઔદારિક શરીરનું સંસ્થાન આકૃતિ પણ એટલા જ છવભેદની વિચારાઈ છે, તેમાં પૃથ્વીને મસુરની દાળ જેવો, અપ્લાયનો સ્તિકબિન્દુ (સ્થિર જલબિન્દુ) જેવો, તેજસૂકાયને સૂચીકલાપ (સોના સમૂહ) જેવો, વાયુકાયને પતાકા જે, વનસ્પતિને નાના પ્રકારનો આકાર છે. દીન્દ્રિયથી ચતુરિન્દ્રિય જીવોનું હુંડસંસ્થાન, અને સંમૂર્ણિમ સિવાયના બાકીના ઔદારિક શરીરવાળા પંચેન્દ્રિયોને છયે પ્રકારનાં સંસ્થાને હોય છે. સમૂચ્છિમને હુંડસંસ્થાન છે (૧૪૮૮–૧૫૦૧). છ સંસ્થાનો આ છે--૪ ૧. સમચતુરસ્ત્ર, ૨. ન્યોધપરિમંડલ, ૩. સાદિપ ૪. વામન, ૫. કુજ. જ ૨. એ ભેદ માટે પ્રજ્ઞાપના પદ પ્રથમ જોવું. ૩. “તિગુજારે જે વિવુ પુનરિતા વાતાતિના વિલિત:” ટીકા. ૫૦ ૪૧૧. ૪. અહીં મૂળમાં છ ગણાવ્યા નથી, જાવ' શબ્દ પ્રયોગ છે, એટલે પ્રથમ અને અંતિમનાં નામ છે, -૧૪હ્યુ “પણ સૂ૦ ૧૬૯૪૮] (પદ ૨૩) માં છયે સંસ્થાનનાં નામ આપેલાં છે. ૫. પાઠાન્તર–સાચી. ' Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ ઔદારિકાદિ શરીરના પ્રમાણના અર્થાત્ ઊંચાઈના વિચાર પણ એકેન્દ્રિન્યાદિ જીવાની અપેક્ષાએ કરવામાં આવ્યા છે (૧૫૦૨-૧૩). ', ' ઔદ્યારિકની જેમ જ વૈક્રિય શરીર વિષે પણ ઉક્ત બાબતાને વિચાર છે, તેમાં બાદર પર્યાપ્ત વાયુ અને પંચેન્દ્રિય તિય ચામાં સખ્યાતવર્ષાયુવાળા પર્યાપ્ત -ગજોને તે શરીર હાય છે અને પર્યાપ્ત મનુષ્યમાં પણ તે જ નિયમ છે, પણ ક ભૂમિના મનુષ્યને જ છે. અને બધા જ દેવામાં વૈક્રિય શરીર હાય છે. (૧૫૧૪–૨૦), તે જણાવીને વૈક્રિયની આકૃતિ–સંસ્થાન (૧૫૨૧-૨૬) નું વર્ણ ન કર્યું છે. તે પ્રસંગે ભવધારણીય અને ઉત્તરવૈક્રિય શરીર–એ બન્નેને લક્ષમાં લીધાં છે. જન્મ સાથે મળે છે તે ભવધારણીય અને અન્ય આકૃતિનું નિર્માણ્ કરવું તે ઉત્તરવૈક્રિય છે, એ જ પ્રમાણે પ્રમાણ-ઊંચાઈ અથવા અવગાહનાની વિચારણા પ્રસંગે પણ એ બન્ને પ્રકારનાં શરીરા લક્ષમાં લીધાં છે (૧૫૨૭–૩૨). આહારક શરીર એક જ પ્રકારનું છે અને તે કમ ભૂમિના ઋદ્ધિવાળા સંયમી પણ પ્રમત્ત મનુષ્યને જ હાથ છે (૧૫૩૩). તે સમચતુરસ્ર સંસ્થાનવાળુ (૧૫૨૪) અને જધન્ય દેશથી ન્યૂન રત્ની-હાથ અને ઉત્કૃષ્ટથી સપૂર્ણ રત્ની પ્રમાણ છે (૧૫૩૫.) તેજસ શરીર એકેન્દ્રિયથી માંડી પચેન્દ્રિય સુધીના સકલ જીવાને હાય છે, તેથી તેના જીવભેદો જેટલા જ ભેદ થાય (૧૫૩૬-૩૯). તૈજસ શરીરનું સંસ્થાન વર્ણવીને (૧૫૪૦-૪૮) તેના પ્રમાણની ચર્ચા (૧૫૪૫-૫૧) કરવામાં આવી છે. અને તેજસની જેમ જ કાણુ વિષે પણ સમજી લેવાની ભલામણ કરી છે (૧૫૫૨). તેજસ-કા ણની અવગાહનામાં ખાસ કરી મારણાન્તિક સમુદ્ધાતને લક્ષમાં લઈને વિચાર છે. કારણ કે તે સિવાયના પ્રસંગે તા તેની અવગાહના જીવના ઔદારિક કે વૈક્રિય શરીરવી અવગાહનાની સમાન જ હેાય છે. મરણુ વખતે જે જીવને મરીને જ્યાં જવાનું હોય છે, ત્યાં સુધીની અવગાહના કહેવામાં આવી છે. શરીરના નિર્માણ માટે પુદ્ગલાનું ચયન સામાન્ય રીતે યે દિશાએથી થાય છે. તે જ પ્રમાણે ઉપચય (વધારે પ્રમાણમાં ગ્રહણ) યે દિશાએથી થાય છે અને અપચય (પુદ્ગલાને શરીરમાંથી હ્રાસ) પણ યે દિશામાં થાય છે (૧૫૫૩–૧૮). ૬. કામ ગ્રન્થિકાને મતે અપ્રમત્તને પણ હાય છે—પ્રજ્ઞા॰ ટી॰ ૪૬૪. Page #249 -------------------------------------------------------------------------- ________________ એકસાથે એક જીવમાં ઔદારિકાદિ કેટલાં શરીર સંભવે તેને વિચાર સંચાગદાર (૧૫૫૯-૧૫૬૪) માં કરવાંમાં આવ્યા છે. તેને સાર આ પ્રમાણે છે૧. ઔદારિક સાથે સંભવે॰ વૈક્રિય, આહારક, તેજસ અને કાણું. વૈક્રિય ઔદારિક, તૈજસ, કાણું. ૨. સાથે સાથે ૩. આહારક ૪. તૈજસ ૫. કાણ સાથે સાથે "" ,, ૨૨૮ 59 ઔદારિક, વૈજસ, કાણું. ઔદારિક, વૈક્રિય, આહારક, કામણ. ઔદારિક, આહારક, તેજસ, "" તેજસ-કાણ સાથે જ હાય છે. શરીરના દ્રવ્ય-પ્રદેશાનું અલ્પબહુષ અને શરીરની અવગાહનાનું અપબહુત્વ અંતિમ એ દ્વારમાં વિચારાયું છે. (૧૫૬૫-૬૬). તેમાંની અવગાહનાના અલ્પઅહુત્વની ચાં ષટૂખંડાગમ, પુ॰ ૧૧, સુ॰ ૩૩, પૃ૦ ૫૬ માં અવગાહનાના મહાદડકમાં છે. તથા શરીરના પ્રદેશાનું અલ્પબહુત્વ તથા તેના ઉપચયનું અ૫અહુત્વ પણ તેમાં ચિત છે. જુએ, પુ॰ ૧૪, પૃ॰ ૪ર૯. જૈનસંમત કામણ સાથે અન્ય દામાં જે સૂક્ષ્મ શરીર માનવામાં આવ્યુ છે, તેની તુલના માટે જુએ ગણુધરવાદ, પ્રસ્તાવના, પૃ૦ ૧૨૧. દ્રવ્યતી અપેક્ષાએ અપબહુત્વને ક્રમ આ પ્રમાણે છે : આહારક, વૈક્રિય, ઔદારિક, તૈજસ-કાણ. પ્રદેશની અપેક્ષાએ તે આ પ્રમાણે છે : આહારક, વૈક્રિય, ઔદારિકતેજસ, કાણું. દ્રવ્ય અને પ્રદેશ બન્નેને સાથે રાખીને તે ક્રમ આ પ્રમાણે છે : આહારક દ્રવ્યો, વૈક્રિય દ્રબ્યા, ઔદારિક દ્રવ્યા, આહારક પ્રદેશા, વૈક્રિય પ્રદેશા, ઔદારિક પ્રદેશા, તજસકાણ દ્રવ્યા, તેજસ પ્રદેશા, કાણ પ્રદેશેા (૧૫૬૫). અવગાહનાનું અપબહુત્વ જધન્ય, ઉત્કૃષ્ટ અને જધન્ય ઉત્કૃષ્ટની અપેક્ષાએ વિચારાયું છે તે ક્રમે આ પ્રમાણે છે : જઘન્યમાં—ઔદારિક, વૈજસ-કાણ, વૈક્રિય, આહારક. ઉત્કૃષ્ટમાં—આહારક, ઔદારિક, વૈક્રિય, વૈજસકા ગ્ જઘન્ય ઉત્કૃષ્ટમાં —ઔદારિક (જ), વૈજસકાણુ (જ), વૈક્રિય (જ); આહારક (જ), આહારક (ઉ), ઔદ્યારિક (ઉ), તૈજસકાણ (ઉ) (૧૫૬૬). 9. હાય જ એમ ન સમજવું. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ૨૨ મું “ક્રિયાપદ : ક્રિયાવિચારણા કર્મ એટલે વાસના કે સંસ્કાર. જેને કારણે પુનર્જન્મ થાય છે, તેની વિચારણું ભારતમાં પ્રાચીન કાળથી થતી રહી છે. આત્માના જન્મ-જન્માક્તરની કલ્પના કે સંસારચક્રની કલ્પના સાથે કર્મની વિચારણું અનિવાર્ય હતી. પ્રાચીન ઉપનિષેદોમાં કવચિત જ આ વિચારણું જોવા મળે છે. પરંતુ જૈન અને બૌદ્ધ સાહિત્યમાં, ખાસ કરી જૈન આગમમાં, આ કર્મની વિચારણું વિસ્તારથી જોવા મળે છે. તેની પણ બે ભૂમિકા તો સ્પષ્ટ જણાય છે. પ્રાથમિક ભૂમિકામાં કર્મ માટે ક્રિયા શબ્દનો પ્રયોગ થતો હશે એમ લાગે છે, કારણ કે સુકૃત-દુષ્કૃત, પુણ્ય-પાપ, કુશલ-અકુશલ કર્મ અને તેને માનનાર માટે જૂના શબ્દો છે કિરિયા અને કિરિયાવાઈ, જે સમાન રૂપે જૈન આગમ ૩ અને પાલિ પિટકમાં વપરાયા છે. આથી જ આપણે જોઈએ છીએ કે જેન આગમોમાં તે કાળના વાદોનું જે વગીકરણ આપ્યું છે, તેમાં ક્રિયાવાદી, અક્રિયાવાદી ઇત્યાદિ ચાર ભેદ છે: અને બૌદ્ધ પિટકમાં જેઓ સુકૃત-દુષ્કૃત કે પુણ્ય-પાપને માને છે તેમને ક્રિયાના ઉપદેશક કહ્યા છે, અને સ્વયં ભગવાન બુદ્ધ પિતાને ક્રિયાવાદી તરીકે ઓળખાવે છે. અને તેમને કર્મવાદી અને ક્રીયાવાદી કહી તેમની પ્રશંસા કરવામાં આવી છે. - દીધo, સેણદંડસુત્ત અને બુદ્ધના અનામવાદને કારણે તેમને કઈ ક્રિયવાદી કહેતા હશે, એટલે અક્રિયાવાદ શબ્દને બુદ્ધ પિતાની રીતે જ અર્થ કર્યો. અને તે અર્થમાં બુદ્ધને કેઈ અક્રિયાવાદી કહે છે તેમાં તેમને વાંધો હતો નહિ, તાત્પર્ય એટલું જ સમજવાનું છે કે તે કાળમાં ક્રિયાવાદ શબ્દ કર્મને માનનાર માટે અને અક્રિયાવાદ શબ્દ તેને નહિ માનનાર માટે પ્રચલિત હતું. પરંતુ ક્રમે કરી ક્રિયા ૧. જૈન આગમોમાંની ક્રિયાવિચારણું માટે જુઓ, ક્રિયાકાશ. સંપાદક શ્રી , મોહનલાલ બાંઠિયા તથા શ્રી શ્રીચંદ્ર ચેરડિયા, કલકત્તા, ૧૯૬૯. ૨. ગણધરવાદ, પ્રસ્તાવના, પત્ર ૧૦૯. ૩. સૂત્રકૃતાંગ, ૧. ૧૨. ૧ ૪. દીઘ૦ સામગફલસુત્ત. ૫. ભગવતી, ૩૦. ૧; ભગવતી સાર પૃ. ૫૭૦, અન્ય પાઠ માટે જુઓ ક્રિયાકેષ, પૃ૦ ૨૫૬. ૬. વિનયપિટક, મહાવચ્ચ ૬. ૩૧; અંગુત્તરનિકાય, ૪, ૧૭૯, તથા જુઓ, આગમ યુગકા જૈનદર્શન. પૃ૦ ૭૮. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શબ્દ ઉપરાંત કમ શબ્દનો પણ વ્યવહાર થવા લાગ્યા. ત્યારે પ્રારંભમાં તો ક્રિયાવાદ અને કર્મવાદ બનને શબ્દોનો એકબીજાના પર્યાયરૂપે એકસાથે પ્રયોગ થવા લાગ્યો. અને જયારે એ નક્કી થઈ જ ગયું કે બંને એકાર્થક જ છે ત્યારે ક્રિયાવાદ શબ્દ તો ભૂંસાઈ જ ગયો, અને કર્મવાદ શબ્દ જ પ્રચલિત થઈ ગયો. આમ થવાનું એક બીજું કારણ એ પણ છે કે કર્મવિચારની સૂક્ષ્મતા. જેમ જેમ વધતી ગઈ તેમ તેમ જૂના ક્રિયાવિચારથી તે દૂર પણ થતો ગયો. એટલે અંતે જૂના ક્રિયાવિચારની પદ્ધતિ સાથે એની સંગતિ રહી નહિ, પરિણામ એ આવ્યું કે ક્રિયાવિચારની પૂર્વભૂમિકારૂપે એટલે કે એક એતિહાસિક કડીરૂપે જ આપણી સમક્ષ ઉપસ્થિત છે. અને તે કેવો હતો તેની ઝાંખી પ્રસ્તુત. પ્રજ્ઞાપનાનું ક્રિયાપદ, સૂત્રકૃતાગગત ક્રિયાસ્થાન (૨.૨) અને પ્રત્યાખ્યાનક્રિયા (૨.૪) એ બે અધ્યયન તે કરાવે જ છે, ઉપરાંત ભગવતીમા અનેક પ્રસંગે જે ક્રિયા અને ક્રિયાવાદની ચર્ચા કરવામાં આવી છે તે પણ તે કાળે ક્રિયા ચર્ચાનું કેટલું મહત્ત્વ હતું તે સૂચવી જાય છે. ક્રિયાવિચારનું મહત્ત્વ ઘટી કર્મવિચારનું મહત્ત્વ વધ્યું. એ બાબતમાં એક એ પણ પ્રમાણે છે કે પખંડાગમમાં કર્મવિચારણે, તો ભરી પડી છે. પણ આગમોમાં–ખાસ કરી પ્રજ્ઞાપના અને ભગવતીમાં–જે પ્રકારની ક્રિયાવિચારણું છે તેવી વિચારણું ખંડાગમમાં જોવામાં આવતી નથી. વળી, એ બાબત પણ જાણવી જરૂરી છે કે ક્રિયાવિચારકોમાં એવા પણ હતા. જેઓ ક્રિયાથી જુદું કોઈ કર્મરૂપ આવરણ માનતા નહિ.૧૦ તેમના જ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહેવામાં આવ્યું છે, આ સૂચવે છે કે પૌગલિક કર્મ, જે આત્માના આવરણરૂપે કર્મવાદમાં જૈન આગમમાં મનાયું છે, તે મૂળ ક્રિયાવિચારના પ્રારંભમાં મનાતું ન હતું. જે ક્રિયા–કર્મનું ફળ મળવાનું હોય અને તે પણ ૭. આચારાંગસૂત્રને પ્રારંભિક ભાગ અને દીઘનું સેણદંડસુત્તા બનેમાં બંને શબ્દો એકસાથે જ વપરાયા છે. ૮. ભગવતીમાં જણાવ્યું છે કે પ્રથમ ક્રિયા પછી વેદના અને શ્રમણને પણ પ્રમાદ અને યોગને કારણે ક્રિયા છે. સૂ૦ ૧૫૧; ૧૫ર, (૩. ૩), વળી. એ કહ્યું છે કે ક્રિયા છે ત્યાં સુધી મુક્તિ પણ નથી.–સૂ૦ ૧૫૩. ૯. ૧. ૧૦; ૩૦. ૧; ૩. ૩; ૭. ૧; ૭. ૧૦; ૨. ૮, ૧૮. ૮; ૬. ૩. જુઓ. ભગવતીસાર, પૃ. ૩૪, ૫૯૭. ૧૦. સ્થા૦ ૫૪૨. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ લાંબા કાળે, તા ક્રિયા તા નષ્ટ થઈ જાતી હોવાથી ક્રિયાજન્ય એક સંસ્કાર, વાસના ફ્રે આવરણરૂપે ક માનવામાં આવ્યુ અને તે કમ` પૌલિક હાવુ' જોઈએ એવુ પણ ક્રમે સ્થિર થયું. આમ ક્રિયા અને ક મૂળે એકબીજાના પર્યાયા હતા તે ભિન્નાક થઈ ગયા. તે ભિન્નાક થયા પહેલાંની ભૂમિકા એ છે કે પ્રાણાતિપાતને જ ક્રિયા કહી તે પ્રથમ ભૂમિગ્રા (૧૫૭ર) અને પ્રાણાતિપાત વડે થતી ક્રિયા (=ક) તે ખીજી ભૂમિકા (૧૫૭૪) અને પછી ક્રિયાસ્થાને કમનેા પ્રયાગ, એ તીજી ભૂમિકા (૧૫૭૫). તેથી કવાદના પર્યાયવાચી ક્રિયાવાદ શબ્દ પણ ભૂંસાઈ ગયા અને માત્ર કમ વાદ શબ્દ જ દાર્શનિકામાં પ્રચલિત થઈ ગયા. દૃષ્ટિવાદમાં પૂર્વાંગતમાં ક્રિયાવિશાલ નામે એક પૂર્વ છે, પણ ક`પ્રકૃતિના સબંધ આગ્રાયણીપૂર્વ દૂખંડાગમમાં જણાવાયા છે૧૧, તે પણ સૂચવે છે કે પ્રથમ ભૂમિકામાં ક્રિયા જ કર્યું હતું અને ક્રમે કરી ક્રિયાથી કમ જુદું થઈ ગયું. પ્રસ્તુત પ્રજ્ઞાપનાને ક્રિયાવિચાર૧૨ પણ ક્રિયા વિશે અનેક રીતે થયેલી વિચારણાના સંગ્રહ જ કરે છે. અને ક્રિયાવિચાર કેવા ક્રમે થયા હશે તેની ઝાંખી કરાવે છે—જેમ કે ક્રિયાના પ્રથમ પ્રકારે પાંચ ભેદ બતાવ્યા તે માત્ર અહિંસા–હિંસાના વિચારને લક્ષીને જ છે૧૩ (સ્૦ ૧૫૬૭-૭૨: ૧૯૦૫), ક્રિયાની ખીજી રીતે વિચારણા થઈ તે વળી (સ્૦ ૨૫૭૪–૮૦) માત્ર પાંચેય મહાત્રતાને જ લઈને નહિ પણ તે જેમાં સમાવિષ્ટ થઈ જાય છે તે અઢાર પાપસ્થાનેને લઈને છે. ૧૪ અને વળી ત્રીજા પ્રકારે ક્રિયાના જે પાંચ ભેદો વર્ણવ્યા છે તે તદ્ન જુદા જ પ્રકારે છે. તે પાંચેય પ્રકાર એક યા બીજી રીતે અઢાર પાપસ્થાનેમાં સમાવી શકાય તેમ છે (૧૬૨૧). વળી, સુત્રધૃતાંગમાં પણ ક્રિયાસ્થાનેાની ૧૧. પુસ્તક ૯. સૂત્ર ૪૫, પૃ ૧૩૪. ૧૨. ક્રિયાવિચારણા માટે જીએસ્થાનાંગ-સમયાયાંગ, પૃ૦ ૪૧૦, જ્યાં સમગ્રભાવે ક્રિયાવિચાર સંકલિત કરવામાં આવ્યે છે. અને સમજૂતી પણ કરવામાં આવી છે. ૧૩. ક્રિયાભેદને આ વિચાર જૂને હેવા સંભવ છે. કારણ કે આગળના સુત્ર ૧૫૮૫ વગેરેમાં, જ્યાં માત્ર ક્રિયાના નિર્દેશ છે ત્યાં, ક્રિયાના આ જ ભેદે અભિપ્રેત છે. આ પાંચે ક્રિયાનું સામાન્ય નામ આયેજિકા–સંસારમાં જોડી રાખનારી—એવું પણ છે (૧૬૧૭). ૧૪. આની તુલના કરા, વેદનાપ્રત્યયવિધાન સુત્રા સાથે, Ëડાગમ, પુ૦ ૧૨, પૃ૦ ૨૭૫, Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ : ચર્ચા છે. આમ ક્રિયાવિચાર અનેક રીતે થતા હતા, પણ તે વિચાર નિશ્ચિત ભૂમિકા પ્રાપ્ત કરે તે પહેલાં કવિચારણા વ્યવસ્થિત થઈ ચૂકી હતી અને તેમાં દેાષાની સુનિશ્ચિત વિચારણા થઈ, એટલે આ જૂના વિચારના લાભ તે લેવાયા પણ તેને તે રૂપમાં જ મંજૂરી મળી નહિ. જીવામાં કાણ સક્રિય અને કાણ અક્રિય તેના વિવેક કરવામાં આવ્યા છે અને નક્કી કરવામાં આવ્યુ' છે કે સિદ્દો તે અક્રિય જ છે, તેમને કાઈ પણ પ્રકારની ક્રિયા હોતી નથી. સ’સારી જીવામાં માત્ર શૈલેશી જ એટલે કે અયાગી કેવલી જ અક્રિય છે, શેષ સ` સક્રિય જ હાય છે (૧૫૭૩), ખરી રીતે જીવાના સક્રિય—અક્રિય ભેદે જણાવતું આ સુત્ર સપ્રથમ હોવુ જોઈતું હતું અને પછી ક્રિયાના ભેદો અને તેમાંના કયા ભેદ કયા જીવમાં લાલે તેની ચર્ચા સંગત થાત. પણ, ઉપર જણાવ્યું તેમ, આ પદ ક્રિયા વિષેની જુદી જુદી વિચારણાને સ'ગ્રહ હોઈ આમ બન્યુ છે. તેથી પ્રથમ ક્રિયાના પાંચ ભેદના અને તેના ઉત્તર ભેદા જ ગણાવ્યા (૧૫૬૭–૭ર); પછી જીવા સક્રિય છે કે અક્રિય છે એ પ્રશ્નની ચર્ચા કરી (૧૫૭૩). ક્રિયાના મૂળ અને ઉત્તર ભેદો પ્રજ્ઞાપનામાં નીચે પ્રમાણે ગણવામાં આવ્યા છે પાંચ ક્રિયા ૧૫૬૭૭૨૧૫; અઢાર પાપસ્થાન જે વડે પાંચ ક્રિયા (૧૬૨૧) ક્રિયા (૧૫૭૪-૮૦) ૧૬૦૫ ૧. કાયા (કાયિકા) ૧. અણુવસ્યકાઇયા ૨. દુષ્પઉત્તકાઈયા ૨. આહિગરણિયા ૧. પ્રાણાતિપાત ૨. મૃષાવાદ ૩. અદત્તાદાન ૪. મૈથુન (આધિકરણિકા૧૬) ૧. સોયા િગરણિયા ૫. પરિગ્રહ ૨. નિવ્યત્તણાહિગરણિયા ૬. ક્રોધ ૧. આર`ભિયા ૨. પારિગ્દહિયા ૩. માયાવત્તિયા ૧૫. જુએ, ભગવતીસાર, પૃ૦ ૩૪; ભગવતી, શતક ૩, ઉદ્દેશક ૩. ૧૬. ભગવતી, ૧૬. ૧. ૫૬૪-૫૬૫; ભગવતીસાર, પૃ૦ ૩૬૭. ૪. અપચ્ચકખાણ કિરિયા ૫. મિચ્છાદ સવત્તિયા Page #254 -------------------------------------------------------------------------- ________________ ૩. પાદાસિયા (પ્રાદેષિક) ૧. સ્વપ્રતિ અશુભમન ર, પરપ્રતિ ૩. તદુભયપ્રતિ ૪. પારિયાવણિયા (પારિતાપનિકી) ૧. સ્વને અસાતાની ઉદારણા છે ૨. પરને અસાતાની .. "" ૩. ઉભયને ૫. પાણાતિવાત (પ્રાણાતિપાત) ૧. સ્વના પાણાવિવાત ૨. પરનેા ૩. ઉભયના "" ૧. અદંડ ર. અનડ ૩. હિં સાદડ ૪. અકસ્માત્ દંડ ૫. દૃષ્ટિવિપર્યાંસદ ડ ૬. મૃષાપ્રત્યયા ૭. અદત્તાદાનપ્રત્યયા ૮. અધ્યાત્મપ્રત્યયા ૯. માનપ્રત્યયા ૧૦. મિત્રદ્વેષપ્રત્યયા ૧૧, માયાપ્રત્યયા ૧૨ લાભપ્રત્યયા ૧૩. ઇર્ષ્યાપથિક "" ૨૩૩ 33 ૧૭. માયાષા ૧૮. મિથ્યાદર્શ નશલ્ય . અહીં તુલના માટે સૂત્રકૃતાંગગત (૨. ૨) ક્રિયાસ્થાને તથા સ્થાનાંગગત (૪૧૯) ક્રિયા આપવામાં આવે છે. ૧૩ કિયાસ્થાના ૭. માન ૮. માયા ૯. લાભ ૧૦. પ્રેમ ૧૧. દ્વેષ ૧૨. કલહે ૧૩. અભ્યાખ્યાન ૧૪. મૈશુન્ય ૧૫. પરપરિવાદ ૧૬. અરતિ–રતિ ૨૫ કિયા (૧) ૧. આર`ભિકી ર. પારિત્રહિ ૩. માયાપ્રત્યયા ૪. અપ્રત્યાખ્યાનક્રિયા ૫. મિથ્યાદર્શનપ્રત્યયા (ર) ૬. કાયિકી છ, આધિકરણિકા ૮. પ્રાદ્રેષિકી ૯. પારિતાપનિક ૧૦. પ્રાણાતિપાતક્રિયા (૩) ૧૧. દનપ્રત્યયા ૧૨. પ્રશ્નપ્રત્યયા ૧૩. પ્રતીત્યક્રિયા ૧૭. લાચ અને તપાનુષ્ઠાનથી થતી અસાતાનેા આમાં સમાવેશ ન કરવા જોઈએ એવું સ્પષ્ટીકરણ ટીકાકાર કરે છે, કારણ કે લાચનું અંતે ફળ સારુ છે અને અશકય તપાનુષ્ઠાન તા નિષિદ્ધ જ છે. પૃ૦ ૪૩૬. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ૧૪. સામપનિક ૧૫. સ્વસ્તિકી (૪) ૧૬. નિઋજિકા ૧૭. આના નિકા ૧૮. વેદારણિકી ૧૯. અનાભોગપ્રત્યયા ૨૦. અનવકાંક્ષા પ્રત્યયા (૫) ૨૧. પ્રેમપ્રત્યયા ૨૨. પ્રત્યયા ૨૩. પ્રયોગક્રિયા ૨૪. સમુદાનક્રિયા ૨૫. ઈષપથિકી પ્રજ્ઞાપનામાં ક્રિયા શેમાં થાય છે તેને વિચાર પણ કરવામાં આવ્યો છે; જેમ કે પ્રાણાતિપાતથી થતી ક્રિયા૮ છ પ્રકારના છ વિષે થાય છે એટલે કે નારકાદિ ૨૪ દંડકના જીવો છયે પ્રકારના જીવોને પ્રાણાતિપાત કરે છે (૧૫૧૪–૫). જીવો મૃષાવાદ સર્વ દ્રવ્યો વિષે કરે છે (૩૬૭૬). અદત્તાદાન, જે દ્રવ્યોનું ગ્રહણ થઈ શકે તેને વિષે કરે છે (૫૭૭). મૈથુનક્રિયા રૂપ અને રૂપવાળાં દ્રવ્ય વિષે (૧૫૭૮) કરે છે. પરિગ્રહ પણ સર્વ દ્રવ્યોનો કરે છે (૧૫૭૯) આ જ પ્રમાણે શેષ ક્રોધ, માન આદિ પાપસ્થાને વિષે પણ નારકાદિ છવામાં સમજી લેવાની ભલામણ કરવામાં આવી છે (૧૫૮૦). છવો એ પ્રાણાતિપાત ક્રિયા આદિ અઢાર પાપસ્થાનને કારણે કર્મની કેટકેટલી પ્રકૃતિનો બંધ કરે તે પણ વિચારાયું છે. તેમાં સામાન્ય રીતે એ સમજવાનું છે કે મોટે ભાગે જીવો આયુ સિવાયની સાત મૂળ કર્મપ્રકૃતિને બંધ કરતા હોય છે અને કવચિત જ આઠેય કર્મ પ્રકૃતિને બંધ તે તે પ્રાણાતિપાત આદિ ક્રિયા વડે કરે છે (૧૫૮૧-૮૪). ૧૮. ભગવતીમાં જણાવ્યું છે કે એ ક્રિયા–“પુટ્ટા વડગ ને મધુકા જના” ૧૭. ૪. ૬૦૧; ૧. ૬. પર. અહીં ક્રિયાશબ્દ કર્મ (પૌગલિક) અર્થમાં વપરાય છે એ સ્પષ્ટ છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ તેથી ઊલટી રીતે એમ પણ વિચારાયું છે કે જીવ જ્ઞાનાવરણાદિ કર્મ.. પ્રકૃતિને બંધ કરતા હોય ત્યારે કેટલી ક્રિયાવાળો તે હોય (૧૫૮૫–૮૧) : આ. વિચારણામાં ફેર એ છે કે ઉક્ત અઢાર પા૫સ્થાનની ક્રિયાને ધ્યાનમાં લીધી નથી, પરંતુ પાંચ ક્રિયાઓને ધ્યાનમાં લીધી છે. પરંતુ એ પાંચ કઈ લેવાની તેને નિદેશ મૂળમાં નથી, પરંતુ ટીકાકારે કાયિકો આદિ પાંચ ક્રિયાભેદ અભિપ્રેત છે એમ જણાવ્યું છે. વળી, તેમણે એમ પણ સ્પષ્ટીકરણ કર્યું છે કે જીવ જ્યારે પ્રાણાતિપાત વડે કર્મ બાંધતે હોય ત્યારે એ પ્રાણાતિપાતની સમાપ્તિ કેટલી ક્રિયાથી થાય—એ પ્રશ્ન અહીં અભિપ્રેત છે.૧૮ આના જવાબમાં મૂળમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ, ચાર કે પાંચ ક્રિયા હોય (૧૫૮૫–૮૭), પણ તે કઈ લેવી તેને નિર્દેશ નથી. ટીકાકારે કાયિકી આદિ ક્રમે સમજવી. એવો ખુલાસો કર્યો છે (ટીકા પત્ર ૪૪૦ વ). એક જીવ, એક કે અનેક જીવોની અપેક્ષાએ અને અનેક જીવો, એક કે અનેકની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા હોય છે, તેને પણ વિચાર કરવામાં આવ્યો છે (૧૫૮૮-૧૬ ૦૪). આમાં પણ કાયિકી આદિ ક્રિયાઓ અભિપ્રેત છે એમ ટીકાકાર જણાવે છે, અને સ્પષ્ટ કરે છે કે માત્ર વિદ્યમાન જન્મમાં થતી કાયિકી આદિ ક્રિયા જ અહીં અભિપ્રેત છે, એવું નથી, પણ અતીત જન્મના કાયશરીરાદિ વડે અન્ય જીવો દ્વારા થતી ક્રિયા પણ અહીં અભિપ્રેત છે, કારણ કે એ અતીત કાય–શરીરાદિની વિરતિ જીવે સ્વીકારી નથી. અર્થાત તે શરીરાદિનું પ્રત્યાખ્યાન કર્યું નથી માટે તે શરીરાદિમાંથી જે કાંઈ નિર્માણ થાય અને તે દ્વારા અન્ય જીવો જે કઈ ક્રિયા કરે તે સૌને માટે જીવ જવાબદાર છે, કારણ કે જીવે તે શરીરાદિનો પરિત્યાગ કર્યો નથી, તે પ્રત્યેનું મમત્વ છોડ્યું નથી. આ બાબતની વિસ્તૃત ચર્ચા માટે જુઓ ક્રિયાકેશ, પૃ. ૪૫ થી તથા પૃ. ૧૫૦ થી. પુન: સૂત્ર ૧૬૦૫ માં તે જ પાંચ ક્રિયા ગણાવી, જે આ પદના પ્રારંભમાં (સૂત્ર ૧૫૬૭) ગણાવી છે અને પછી ૨૪ દંડકમાં એ પાંચે કિયા લાભે છે તેમ જણાવ્યું છે (૧૬૦૬). કાયિકી આદિ પાંચે ક્રિયાના સહભાવની વિચારણા કરીને ૨૪ દંડકોમાં તેમના સહભાવને વિચાર કરવામાં આવ્યા છે (૧૬૦–૧૬). વળી, એ જ ૧૯. ટીકા, ૫૦ ૪૪૦ . Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પાંચે ક્રિયાઓને ‘આયેાજિકા’ એવા સામાન્ય નામે પણ એળખાવીને તેમના સહભાવની અને નારકાદિ જીવામાં તેમના સહભાવતી વિચારણા પૂવત્ કરી છે (૧૬૧૭–૧૯), એટલું જ નહિ પણ તેમાં કાળ અને દેશની અપેક્ષાએ વિચારવાનું જણાવી દીધું છે અને સમયની દૃષ્ટિએ ક્રિયાઓના સહભાવના ભગાની ગણના પણ કરી દીધી છે (૧૬૨૦). આ પછી આરભિકી આદિ પાંચ ક્રિયાને વિચાર છે, તેમાં તેના સ્વામી પ્રમત્ત સયત આદિ જણાવ્યા છે (૧૬૨૨-૨૬). અને પછી ૨૪ દંડકના જીવેામાં સ્વામિત્વની પ્રરૂપણા છે (૧૬ર૭). અને આરંભિકી આદિને સહભાવ પણ નારકાદિ જીવામાં વિચારાયા છે. (૧૬૨૮-૩૬) અને અંતે સમય અને પ્રદેશની અપેક્ષાએ પણ સહભાવને વિચાર કર્યો છે (૧૬૩૬). આ પૂર્વે (૧૫૭૮-૮૦) પ્રાણાતિપાત આદિ અઢાર પાપસ્થાનેાના વિચાર થઈ ગયા છે અને પછી પ્રાણાતિપાતવિરમરણ આદિને વિચાર કરવામાં આવ્યા છે (૧૬૩૭–૧૯૪૧), અને જણાવ્યુ છે કે માત્ર મનુષ્ય સિવાય કેાઈમાં પ્રાણાતિપાત આદિ ૧૭ બાબતાની વિરતિ નથી અને મિથ્યાદર્શનનું વિરમણ એકેન્દ્રિ-વિકલેન્દ્રિયમાં નથી, શેષમાં સંભવે. આ પછી અઢાર પાપસ્થાનમાંથી પ્રાણાતિપાત આદિ પ્રત્યેકની વિરતિને લઈને નિરૂપણ છે કે તે તે વિરતિ વખતે કેટલીક પ્રકૃતિને બધ હોય. તેના ૨૭ ભંગા જીવામાં જણાવ્યા છે અને દડકામાં તે ભંગા કેટલા હેાય તેની પણ વિચારણા કરી છે (૧૬૪૨–૧૬૪૯). વળી, પ્રાણાતિપાત આદિથી વિરતને આરંભિકી આદિ ક્રિયા હાય કે ન હોય અને હોય તેા કેટલી તેના વિચાર કર્યાં છે (૧૬૫૦-૬૨). અંતે આરંભિક આદિ ક્રિયાના અલ્પબહુત્વના વિચાર છે, તેના ક્રમ આ પ્રમાણે ચડિયાતા ક્રમે છે : મિથ્યાદર્શ નપ્રત્યયાક્રિયા, અપ્રત્યાખ્યાનક્રિયા, પારિમહિકા, આરાભકી, માયાપ્રત્યયા (૧૬૬૩). આમ કહેવાનું તાત્પ ટીકાકારે સમજાવ્યુ. છે કે માત્ર મિથ્યાદૃષ્ટિને જ પ્રથમ મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા હાય છે, પણ અપ્રત્યાખ્યાનક્રિયા તા અવિરતસમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બન્નેને હોય છે. તે જ ન્યાયે માયાપ્રત્યયા અપ્રમત્તસયત, પ્રમત્તસયત, દેશવિરત અને મિથ્યાદષ્ટિ એ સૌમાં હાય છે. તેથી તે સર્વાધિક છે.—ટીકા પત્ર ૪પર. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ આ આખા ક્રિયાવિવરણમાં સાંપરાયિક અને પ્રેર્યાપથિક એવા ક્રિયાને જે બે મૂળ ભેદ પછીથી પ્રચલિત થયા છે તેને સ્થાન નથી મળ્યું, તે આ ચર્ચાના સ્તરની પ્રાચીનતા સૂચવે છે. ૨૩ થી ૨૭ કમપ્રકૃતિ-કર્મબંધકર્મબંધવેદ કર્મ બંધ-કમવેદવેદક પદો : કમ વિચાર પખંડાગમને ચોથો ખંડ વેદનાખંડ નામે ઓળખાય છે અને પાંચમો વર્ગખંડને નામે છે. પણ ખરી રીતે કર્મપ્રકૃતિનાં જે વીશ અનુગારે છે (પુ૯. સુ. ૪૫ પૃ૦ ૧૩૪) તેમાં બીજું દ્વાર વેદના છે તેના ઉપરથી વેદનાખંડ નામ પડયું અને છઠ્ઠું બંધનદ્વાર છે, તેની વિભાષા વિવરણ) બંધ, બંધક, બંધનીય અને બંધવિધાનરૂપે છે (પુ૧૪, સુ. ૧, પૃ. ૧), તેમાંના બંધનીયના વિવેચન પ્રસંગે વર્ગણાનું જે નિરૂપણ છે (પુ૧૪, સુ. ૬૮, પૃ. ૪૮) તેને આધારે સમગ્ર પાંચમા ખંડનું નામ વર્ગણાખંડ પડયુ છે. પખંડાગમમાં પ્રથમના ત્રણ ખડે પછી આવતા આ બે ખંડે ખરી રીતે એક, અખંડ અને સ્વતંત્ર પુસ્તકરૂપે સ્વીકારવા છે. જેમાં પ્રથમખંડમાં પ્રારંભમાં નમસ્કારમંગલ કરી તેમાં ૧૪ જીવસમાસનાં ૧૪ માણસ્થાન દ્વારા પ્રથમ ત્રણ ખંડમાં વિવેચના કરવામાં આવી છે, તેમ આ બન્ને ખંડોમાં પણ પ્રથમ નમસ્કારમંગલ કરી કર્મપ્રકૃતિનાં ૨૪ અનુયોગઠારનો નિર્દેશ કરી એકેક અનુયોગદ્વારનું વિવેચન કરવામાં આવ્યું છે. આથી ભલે ગમે તેણે આ બે ખંડાનો વિભાગ કરી નિર્દેશ કર્યો, પરંતુ વસ્તુતઃ તે એક અખંડ સ્વતંત્ર ગ્રંથ છે. અને છઠ્ઠા ખંડ મહાબંધમાં પણ છઠ્ઠા બંધનકારના એક ભેદ બંધનવિધાનનું જ વિવેચન છે. વેદનાખંડના પ્રારંભમાં જણાવ્યા પ્રમાણે આગ્રાયણ પૂર્વની પાંચમી વસ્તુનું ચોથું પ્રાભૃત કર્મ પ્રકૃતિ છે (૯, સૂ૦ ૪૫, પૃ૦ ૧૩૪). અને એ જ કર્મ પ્રકૃતિનું ૨૪ અનુયોગકારે વડે વિવેચન પખંડાગમમાં વિસ્તારથી કરવામાં ૧. જુઓ પુસ્તક ૯ ને વિષયપરિચય, પૃ૦ ૧. ૨. પુસ્તક ૧૩ ને વિષયપરિચય પૃ૦ ૧. ૩. પુ. ૧, પ્રસ્તાવના, પૃ૦ ૬૭. Page #259 -------------------------------------------------------------------------- ________________ આવ્યું છે. એ વિવેચન અને પ્રસ્તુત પ્રજ્ઞાપનાનાં સ૩ થી ૨૭ માં પદોમાં આવતી કર્મવિચારણાની તુલના કરીએ તો જણાય છે કે પ્રજ્ઞાપનાગત કર્મવિચારણને સ્તર ખંડાગમની વિચારણું કરતાં પ્રાચીન છે, કારણ કે પખંડાગમમાં નિક્ષેપ કરીને વ્યાખ્યા કરવાની જે પદ્ધતિ અપનાવવામાં આવી છે, તેવી વ્યાખ્યાપદ્ધતિનાં દર્શન પ્રજ્ઞાપનામાં થતાં નથી. અને વિચારણના અન્ય વિષયની તુલના કરીએ તે પણ જણાય છે કે પ્રજ્ઞાપનાની ભૂમિકા પ્રાચીન છે. પ્રજ્ઞાપનામાં જે વિષયે ચર્ચાયા છે તે બહુ જ સ્થૂલ છે. બંધના પ્રકૃતિ આદિ ચાર પ્રકારનો નિર્દેશ કરી, એ ક્રમે વિવેચન કરવાને બદલે પ્રકૃતિ, અનુભાવ અને સ્થિતિનું ક્રમ વિના સ્વતંત્ર નિરૂપણ છે. પ્રદેશબંધની તે ચર્ચા જ નથી. એટલું જ નહિ પણ કર્મવિચારણાની સૂક્ષ્મ અને સ્થિર ભૂમિકા અને પરિભાષાઓ, જેને સ્વીકાર પછીના સાહિત્યમાં શ્વેતામ્બર-દિગંબર બન્નેએ કર્યો છે, તે ભૂમિકાનાં દર્શન પ્રજ્ઞાપનામાં થતાં નથી. ઉદાહરણ તરીકે કર્મબંધના કારણ તરીકે માત્ર રાગ અને ‘ષને જણાવ્યા છે (૧૬૭૦) : આ બાબત સર્વમાન્ય હોવા છતાં કર્મબંધના કારણોનો વિચાર પછીના શ્વેતામ્બર સાહિત્યમાં અને દિગંબર સાહિત્યમાં જુદી જ રીતે છે અને જુદી જ ભૂમિકાએ થયો છે, એ નિર્વિવાદ છે. પ્રસ્તુતમાં યોગ પણ કર્મબંધનું કારણ છે તેનો નિર્દેશ જ નથી એ ધ્યાનમાં લઈએ તે પ્રજ્ઞાપનાની વિચારણાનો સ્તર પ્રાચીન છે તે જણાયા વિના રહેશે નહિ. કર્મપ્રદેશની ચર્ચા પ્રજ્ઞાપનામાં છે જ નહિ તેથી તેના સાથે સંકળાયેલ યોગની કારણતાનો નિર્દેશ પ્રજ્ઞાપનામાં ન હોય તે સ્વાભાવિક છે. અનુભાવબંધની ચર્ચા પણ (૧૬૭૯) એના સ્તરની પ્રાચીનતા જ સૂચવે છે. * પ્રજ્ઞાપનામાં કર્મપ્રકૃતિના મૂળ આઠ ભેદો અનેક વાર ગણાવ્યા છે (૧૬૬૫, ૧૬૮૭, ૧૭૫૪, ૧૭૬૯, ૧૭૮૭). અને એ ભેદ તે તે પ્રકરણના પ્રારંભે ગણાવ્યા છે તેથી અનુમાન થઈ શકે છે કે પ્રજ્ઞાપનાનું આ પદ અને પછીના કર્મ સંબંધી પદો જુદાં જુદાં પ્રકરણે હતાં, જેનો સંગ્રહ પ્રસ્તુત પ્રજ્ઞાપનમાં કરી લેવામાં આવ્યો છે, એ પણ સ્પષ્ટ છે કે પ્રજ્ઞાપનાના ૨૩ માં પદને પ્રથમ ૪. વેદનાના ૧૬ અનુગકારો માટે જુઓ વખંડાગમ, પુસ્તક ૧૦, પૃ. ' '' ૧. કર્મના નિક્ષેપ માટે જુઓ પુસ્તક ૧૩, પૃ. ૩૮. ૫. કર્મને બદ્ધ અને સ્પષ્ટ તથા બદ્ધસ્કૃષ્ટ તથા સંચિત વગેરે વિશેષણે આપ્યાં (૧૬૭૯) છે, પરંતુ કર્મના પ્રદેશબંધની ચર્ચા નથી. માત્ર પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાવની ચર્ચા જોવા મળે છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ‘ઉદ્દેશ અને બીજો ઉદેશ એ બન્ને જુદા જુદા કાળની રચના છે. પ્રથમ ઉદ્દેશ પ્રાચીન છે અને પ્રાચીન સ્તર સૂચવે છે, જ્યારે બીજો ઉદ્દેશ પ્રથમ ઉદેશમાં રહી ગયેલી કમીને દૂર કરે છે તેથી તે પછીને છે. અહીં તેમને પરિચય પણ એકસાથે જ દેવાનું ઉચિત માન્યું છે. કર્મકૃતિના મૂળ અને ઉત્તર ભેદો (૧૬૮૮–૯૬) આ પ્રમાણે છે – કમપ્રકૃતિ મૂળભેદ ઉત્તર ભેદ (૧૬૬૫, ૧૬૮૭, ૧૭પ૪, (૧૬૮૮–૧૬૮૬) ૧૭૬૮, ૧૭૭૫, ૧૭૮૭) ૧. જ્ઞાનાવરણીય ૧. આભિનિબંધિજ્ઞાનાવરણીય ૨. શ્રુતજ્ઞાનાવરણીય ૩. અવધિજ્ઞાનાવરણીય ૪. મન:પર્યાયજ્ઞાનાવરણીય ૫. કેવલજ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય ૧. નિદ્રાપંચક: ૧. નિદ્રા ૨. નિદ્રાનિદ્રા ૩. પ્રચલા ૪. પ્રચલા પ્રચલા ૫. સ્યાનદ્ધિ દર્શનચતુષ્ક : ૨. ચક્ષુર્દશનાવરણુંય ૨. અચક્ષુર્દશનાવરણીય ૩. અવધિદર્શનાવરણીય ૪. કેવલદર્શનાવરણીય ૬. કમ પ્રકૃતિના મૂળ આઠ ભેદોને વિચાર ૨૩મા પદના પ્રથમ ઉદ્દેશમાં છે. તેમાં કમબંધ શાથી થાય છે વગેરેની પણ ચર્ચા છે. અને તેના બીજા . ઉદેશમાં ઉત્તર પ્રકૃતિને ગણવીને પછી તેની જીવોમાં સ્થિતિ આદિને વિચાર છે. ૭. . ટીકાકારે પ્રસ્તુત કર્મને જે ક્રમે નિર્દેશ છે તે ક્રમનું સમર્થન કર્યું છે. – . ટી. પત્ર ૪પ૪ મ. Page #261 -------------------------------------------------------------------------- ________________ २४० ૩. વેદનીય ૧. સાતા વેદનીય : ૧. મનેz શબ્દ ૨. મનેજ્ઞ રૂપ ૩. મનેજ્ઞ ગંધ ૪. મનોજ્ઞ રસ ૫. મનોજ્ઞ સ્પર્શ ૬. મનઃસુખતા ૭. વચનસુખતા ૮. કાયસુખતા ૨. અસાતવેદનીય : ૧–૫. અમનેz શબ્દાદિ પાંચ ૬. મન દુખતા ૭. વચનદુઃખતા ૮. કાયદુ:ખતા ૪. મેહનીય ૧. દર્શનમોહનીય : ૧. સમ્યત્વવેદનીય. ૨. મિથ્યાત્વવેદનીય. ૩. સમ્યક–મિથ્યાત્વવેદનીય. ૨. ચારિત્રમોહનીય : ૧. કષાયવેદનીય : ૧. અનન્તાનુબંધી ક્રોધ માન. ૩. » માયા. લેભ. અપ્રત્યાખ્યાન ક્રોધ. માન. માયા. ܇ ܡܼܲ ܗܲ ܪ ܪ ܪ લેભ. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૯. પ્રત્યાખ્યાનાવરણ કોંધ. માન. માયા. ૧૧. ૧૨. લેભ. સંવલન ક્રોધ. ૧૪, ૧૫. ? માન. માયા લભ ૧૬. , નોકષાયવેદનીય : ૧. સ્ત્રીવેદ. ૨. પુરુષવેદ ૩. નપુંસકવેદ. ૪. હાસ્ય. ૫. રતિ. ૬. અરતિ. ૭. ભય. ૮. શેક. ૯. જુગુસા. ૫. આયુ. ૧. નરયિકઆયુ. ૨. તિર્યચઆયુ. ૩. મનુષ્યઆયુ. ૪. દેવાયુ. ૬. નામ ગતિનામ ૧. નરકગતિ. ૨. તિર્યંચગતિ. ૩. મનુષ્યગતિ. ૪. દેવગતિ.. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ૨. જાતિનામ ૧. એકેન્દ્રિય જાતિ. ૨. શ્રીન્દ્રિય જાતિ. ૧. ત્રીન્દ્રિય જાતિ. ૪. ચતુરિન્દ્રિય જાતિ. ૫. પંચેન્દ્રિય જાતિ શરીરનામ : ૧. ઔદારિક શરીર. ૨. વૈક્રિય શરીર. ૩. આહારક શરીર. ૪. તેજસ શરીર. ૫. કામણુ શરીર. ૪. શરીરોગોપાંગનામ : ૧–૩. ઔદારિકશરીરાંગોપાંગ આદિ ૫. શરીર બન્ધનનામ : ૧–૫. ઔદારિકશરીરબન્ધન આદિ ૬. શરીરસંઘાતનામ : ૧–૫. દારિક શરીરસંઘાત આદિ ૭. સંહનનનામ : ૧. વજી ઋષભનારાચસંહનન. ૨. રૂષભનારાચસંહનન. ૩. નારાચસંહનન. ૫. અર્ધનારાચસંહનન. ૫. કલિકાસંહનન. ૬. સેવાર્તાસં હનન. ૮. સંસ્થાનનામ : ૧. સમચતુરસ્ત્રસંસ્થાન. ૮. વ્યાખ્યામાં મતાંતરનું ખંડન છે. તે મત આચાર્ય જિનવલ્લભને છે. ટીકા, પત્ર ૪૭૦ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ૯. ૨. ન્યત્રેાધપરિમ`ડલસ સ્થાન, ૩. સાદિસ સ્થાન. ૪. વામનસંસ્થાન. ૫. કુસ સ્થાન. ૐ હુંડસંસ્થાન. વણું નામ : ૧. કૃષ્ણ. ૨. નીલ. ૩. રક્ત. ૪. પીત. ૫. શુકલ. ૧૦. ગધનામ : ૧. સુરભિગ ધ. ૨. દુરભિ ધ. ૧૧. રસનામ : ૧. તિક્ત. ૨. કર્યુ. ૩. કાય. ૪. અમ્લ. ૫. મધુર. ૧૨. સ્પર્ધા નામ ઃ ૧. કક શ ૪. મૃદુ ૩. લધુ. ૪. ગુરુ. ૫. સ્નિગ્ધ. ૬. રૂક્ષ. ૭. શીત. ૮. ઉષ્ણુ. Page #265 -------------------------------------------------------------------------- ________________ २४४ ૧૩. અગુરુલઘુનામ. ૧૪. ઉપધાતનામ ૧૪. પરાઘાતનામ. ૧૬. આનુપૂવીનામ : ૧. નરયિક આનુપૂવી. ૨. તિર્યંચ આનુપૂવી. ૩. મનુષ્યઆનુપૂવી. ૪. દેવઆનુપૂવી. ૧૭. ઉદ્ઘાસનામ. ૧૮. આતપનામ. ૧૯. ઉદ્યોત. ૨૦. વિહાગતિનામ : ૧. પ્રશસ્ત વિહાગતિ. ૨. અપ્રશસ્ત વિહાગતિ.. ૨૧. ટસનામ. ૨૨. સ્થાવરનામ. ૨૩. સૂકુમનામ. ૨૪. બાદરનામ. ૨૫. પર્યાપ્ત નામ. ૨૬. અપર્યાપ્ત નામ. ૨૭. સાધારણશરીરનામ. ૨૮. પ્રત્યેક શરીરનામ. ૨૯. સ્થિરનામ. ૩૦. અસ્થિરનામ. ૩૧. શુભનામ. ૩૨. અશુભનામ. ૩૩. સુભગના મ. ૩૪. દુર્ભાગનામ. ૩૫. સુસ્વરનામ. ૩૬. દુઃસ્વરનામ. ૩૭. આદેયનામ. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ૩૮. અનાદેયનામ. ૩૮. યશકીતિનામ. ૪૦. અયશકીતિનામ. ૪૧. નિર્માણનામ. ૨. તીર્થંકરનામ. -9. ગોત્ર ૧. ઉચ્ચ ગોત્ર : ૧. જાતિવિશિષ્ટતા. ૨. કુલવિશિષ્ટતા. ૩. બલવિશિષ્ટતા. ૪. રૂપવિશિષ્ટતા. ૫. તપવિશિષ્ટતા. ૬. શ્રતવિશિષ્ટતા. ૭. લાભવિશિષ્ટતા. ૮. ઐશ્વર્યવિશિષ્ટતા. નીચ નેત્ર : ૧. જાતિવિહીનતા. ૨. કુલવિહીનતા. ૩. બલવિહીનતા. ૪. રૂપવિહીનતા. ૫. તપવિહીનતા. ૬. શ્રુતવિહીનતા. ૭. લાભવિહીનતા. ૮. ઐશ્વર્યાવિહીનતા. ૯. અહીં એ ધ્યાન દેવા જેવું છે કે ઉચ્ચ ગોત્ર માત્ર જન્મને કારણે નથી પણ શરીરના બાહ્ય સૌદર્ય ઉપરાંત આધ્યાત્મિક તપ વગેરેની સંપત્તિને કારણે પણ છે. તે જ પ્રમાણે નીચ ગોત્ર પણ માત્ર જન્મને કારણે નહિ પણ શારીરિક અને આધ્યાત્મિક સંપત્તિના અભાવને કારણે છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ २४६ ૮, અંતરાય ૧. દાનાન્તરાય. ૨. લાભાનરાય. ૩. ભેગાત્તરાય. ૪. ઉપભેગાન્તરાય. ૫. વર્યાન્તરાય. કમની આઠે મૂળ પ્રકૃતિ નરયિકાદિ જીવના વીશે દંડકમાં હોય છે ( ૧૬)જી કેવી રીતે આઠેય કમ પ્રકૃતિ બાંધે તેને ખુલાસો કરતાં જણાવ્યું છે કે જ્ઞાનાવરણીયને ઉદય હોય ત્યારે દર્શનાવરણીયનું આગમન થાય છે.૧૦ દર્શનાવરણીયના ઉદયથી દર્શનમોહનું અને દર્શનિમેહના ઉદયથી મિથ્યાત્વનું અને મિથ્યાત્વ ઉદીર્ણ થયે આઠે કમનું આગમન થાય છે (૧૬૬૭). બધા જ જીવમાં આઠે કમના આગમનને આ જ ક્રમ છે (૧૬૬૮).૧૧ જીવ જ્ઞાનાવરણદિ કમ બાંધે છે તેનાં બે કારણે છે : રાગ અને દ્વેષ. રાગમાં માયા અને લેભને તથા ઠેષમાં ફેધ અને માનને સમાવેશ છે (૧૬૦૦૧૬૨૪).૧૨ જીવ જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, મોહનીય અને આંતરાય વેદે પણ ખરા અને ન પણ વેદો. તે જ પ્રમાણે ચોવીશ દંડકામાંના મનુષ્ય વેદે પણ ખરા અને ન પણ વેદે; બાકીના છ વેદે જ. પરંતુ વેદનીય, આયુ, નામ, ગોત્ર—આ ચાર કર્મો તે વીશે દંડકમાં જ વેદે જ વેદે (૧૬૭૫–૭૮). આ સત્રમાં કમવેદનાની વાત કહી છે. આની તુલના ષખંડાગમનાં વેદનામિત્ત સૂત્ર સાથે કરવી–પુસ્તક ૧૨, પૃ. ૨૯૪. આ પછીના સૂત્રમાં “વેદના” માટે જ “અનુભવ” શબ્દનો પ્રયોગ ર્યો છે, તે પરિભાષાને વિકાસ સૂચવે છે. “અનુભવ” માટે વેદના” શબ્દ જૂને છે. વળી, એ સૂત્રમાં આવતી કામના બદ્ધ, સ્પષ્ટ, સંચય વગેરેની વાત પણ એ સૂત્રને કાલની દૃષ્ટિએ પછીનું સૂચવે છે (૧૬૭૯). કમનો અનુભાવ૨વિપાક વર્ણવતાં જીવે બાધેલાં કમ–સંચિત કરેલાં કર્મ, વિપાક દેવા તૈયાર થાય એટલે ૧૦. આને માટે નિયઋતિ” શબ્દને પ્રવેગ છે. ૧૧. આચાર્ય મલયગિરિને આની વ્યાખ્યામાં થેડી મુશ્કેલી જણઈ છે. તેથી તેઓ આ સૂત્રને પ્રાયિક સમજવું એમ સૂચવે છે. વળી, આ પ્રકારે કર્મના આગમનની ચર્ચા પછીના ગ્રંથોમાં તો છૂટી જ ગઈ છે, તે ધ્યાનમાં રાખવું જોઈએ. પ્રસ્તુત સૂત્રનું તાત્પર્ય એટલું જ છે કે કમથી કમ આવે છે. ૧૨. અહીં કમબંધના કારણમાં યોગને સ્થાન મળ્યું નથી, માત્ર કષાયને જ સ્થાન મળ્યું છે, તે ધ્યાનમાં લેવા જેવી વાત છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ २४७ કે ઉદ્યમાં આવે તેટલા માત્રથી કામ સરતું નથી, પણ વિપાક દેવા માટે તેને ગતિ, સ્થિતિ, ભવ અને પુદ્ગલની પ્રાપ્તિ પણ જરૂરી છે અને એ ક`ની ઉદીરણા પણ જરૂરી છે : આટલુ હોય ત્યારે· જ્ઞાનાવરણીયાદિકના અમુક વિપાક હાય છે—એમ જણાવ્યું છે (૧૬૭૯-૮૬). જ્ઞાનાવરણીયના અનુભાવ દૃશ પ્રકારે છે (૧૬૭૯) : ૧, શ્રેત્રનું આવરણ ૨. શ્રેત્રવિજ્ઞાનનું આવરણ ૬. ધ્રાણુવિજ્ઞાનનું આવરણ ૭. રસાનાવરણ ૮. રસવિજ્ઞાનાવરણુ ૭. સ્પર્શાવરણ ૧૦. સ્પર્શવિજ્ઞાનાવરણુ ૩. નેત્રનું આવરણ જ. નેત્રવિજ્ઞાનનું આવરણ ૫. પ્રાણનું આવરણ . આ બધાં આવરણાના ઉયથી જાણવાનું જાણી શકાતુ નથી; જાણવાની ઈચ્છા છતાં જણાતું નથી. જાણ્યા છતાં તેનું જ્ઞાન રહેતું નથી; જ્ઞાન ઉત્સન્ન થાય છે. પછીના કાળે આ પ્રકારના અનુભાવની ચર્ચા બંધ પડી છે. વળી, એ પણ ધ્યાન દેવાની વાત છે કે, આમાં મન અને તેના વિજ્ઞાનનું આવરણ નાંખ્યુ નથી. વળી, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવળજ્ઞાનના આવરણની પણ આમાં નોંધ નથી, એ સૂચક છે. તેથી એમ નક્કી થાય છે કે આ સૂત્ર અત્યંત પ્રાચીન સ્તરનું અને ક`સિદ્ધાંતની પરિભાષામાં પૂત્તિ થયા પૂર્વેનુ છે. આચાય મલયગિરિએ આ બાબતમાં કશા ખુલાસા કર્યાં નથી. દર્શનાવરણીય ક`ના નવ પ્રકારના અનુભાવ આ છે (૧૬૮૦) : ૧. નિદ્રા સ્ત્યાનદ્ધિ ૨. નિદ્રાનિદ્રા ૩. પ્રચલા ૪. પ્રચલાપ્રચલા ૫. ૬. ચક્ષુર્શનાવરણ છે. અચક્ષુ ર્શનાવરણ ૮. અવધિદર્શનાવરણ ૯. કેવલર્શનાવરણ. આ સૂત્રમાં અવધિ આદિ ર્શનાની નોંધ લેવામાં આવી છે, પરંતુ પૂં સૂત્રમાં અવધિ આદિ નાનાને બાકાત રાખ્યાં છે, એ સૂચક વસ્તુ છે. સાતા વેદનીયના અનુભાવ આઠ પ્રકારે આ પ્રમાણે છે (૧૬૮૧[૧] ) : ૧. મનોજ્ઞ શબ્દ૪ ૨. મનેાજ્ઞ રૂપ ૧૩. અનુભાવ વિષેનુ આ આખું પ્રકરણ (૧૬૭૯–૮૬) પ્રાચીન સ્તરનું છે. ૧૪. ટીકાકાર વ્યાખ્યાભેદ નાંધે છે. પુત્ર ૪૬૧. Page #269 -------------------------------------------------------------------------- ________________ २४८ ૩. મને ગંધ ૪. મનેઝ રસ ૫. મનોજ્ઞ સ્પર્શ ૬. મનઃસુખતા ૭. વચનસુખતા ૮. કાયસુખતા અસાતા વેદનીયનો અનુભાવ (૧૬૮૧ [૨]) : સાતા વેદનીયથી વિપરીત અમને શબ્દ આદિને અનુભવ થાય છે. મોહનીયને અનુભાવ પાંચ પ્રકારે છે (૧૬૮૨): ૧. સમ્યફર્વવેદનીય ૩. સમ્યકૃમિથ્યાત્વવેદનીય. ૨. મિથ્યાત્વવેદનીય ૪. કષાયવેદનીય ૫. નોકષાયવેદનીય આયુનો અનુભાવ ચાર પ્રકારે (૧૬૮૩): ૧. નરકાયુ ૩. મનુષ્પાયુ ૨. તિર્યંચાયુ ૪. દેવાયુ શુભ નામનો ૧૫ અનુભાવ ચૌદ પ્રકારે છે (૧૬૮૪ [૧]) : ૧. ઈષ્ટ શબ્દ૧૬ ૮. ઇષ્ટ લાવણ્ય ૬ ૨. ઈષ્ટ રૂપ ૯. ઈષ્ટ યશકીતિ ૩. ઈષ્ટ ગંધ ૨૦. ઈષ્ટ ઉત્થાન-કમ-બલવીય-પુરુષકાર-પરાક્રમ ૪. ઈષ્ટ રસ ૧૧. ઈષ્ટ સ્વર ૫. ઇષ્ટ સ્પર્શ ૧૨. કાંત સ્વર ૬. ઈષ્ટ ગતિ ૬ ૧૩. પ્રિય સ્વર છે. કષ્ટ સ્થિતિ૧૬ ૧૪. મનેઝ સ્વર દુઃખ નામને ૧૫ અનુભાવ પણ શુભ નામના અનુભાવથી વિપરીત ૧૪ પ્રકારે છે (૧૬૮૪ [૨]): ઉચ્ચ ગેત્રને અનુભાવ આઠ પ્રકારે છે (૧૬૮૫[૧]) : ૧. જાતિવિશિષ્ટતા ૨. કુલવિશિષ્ટતા ૧૫. નામકમની ઉત્તર પ્રકૃતિ તે ૪૨ ગણવી, પણ અહીં અનુભાવમાં ૧૪ પ્રકાર જ છે. નામકર્મના અનુભવની આ સૂચી પ્રાચીન સ્તરની સૂચક છે. ૧૬. ટીકાકાર વ્યાખ્યા ભેદ નોંધે છે.—પત્ર ૪૬૩. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૩. ખલવિશિષ્ટતા ૪. રૂપવિશિષ્ટતા ૫. તપેાવિશિષ્ટતા નીચ ગાત્રને અનુભાવ એથી જેમ કે જાતિવિહીનતા આદિ. અંતરાય ના અનુભાવ પાંચ ૧. દાનાંતરાય ૨. લાભાંતરાય ૨૪૯ ૬. શ્રુતવિશિષ્ટતા ૭. લાવિશિષ્ટતા ૮. ઐશ્વય વિશિષ્ટતા વિપરીત રીત આઠ પ્રકારના છે (૧૬૮[૨]); પ્રકારે છે (૧૬૮૬) : ૩. ભાગાંતરાય ૮. ઉપભાગાંતરાય ૫. વીર્યાં તરાય કમ પ્રકૃતિની સ્થિતિ અને તેના અખાધાકાળનુ વર્ણન કરીને (૧૬૯૭– ૧૭૦૪) એકેન્દ્રિયથી માંડી સન્ની પચેન્દ્રિય વાની તે તે કર્માંની સ્થિતિનું નિરૂપણ કર્યુ છે (૧૭-૫--૧૪). ષટ્રખંડાગમમાં ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિના વર્ણન માટે જુએ પુ. ૬, ચૂલિકા ૬ અને ૭. અને અખાધા, નિષેક વગેરેની ચર્ચા માટે જુએ પુ. ૧૧ ની પ્રથમ ચૂલિકા, પૃ૦ ૧૩૯, ૧૭ આ પછી કમની જધન્ય સ્થિતિના (૧૭૪૨-૪૪) અને ઉત્કૃષ્ટ સ્થિતિના (૧૭૪૫–પર) અધક જીવો કોણ છે તેનુ નિરૂપણ છે. કનો અધ એ ૨૪મા પ૬માં જ્ઞાનાવરણાદિમાંથી કોઈ એકને અધ કરતા હોય ત્યારે જીવ અન્ય કેટલીક પ્રકૃતિ બાંધે તેને ચોવીશ દડામાં વિચાર કરવામાં આવ્યો છે (૧૭૫૫-૬૮) તે જ પ્રકારે કેઈ એક કર્મીના બધ પ્રસંગે અન્ય કેટલી પ્રકૃતિની વેદના હોય તેના વિચાર ૨૫મા કધવેદ નામના પદમાં છે. અને તેથી ઊલટું એટલે કે અમુક ક`ની વેદના વખતે કેટલી પ્રકૃતિનો અધ હોય તેના વિચાર ૨૬મા ક વેબધ એ નામના પદમાં છે (૧૬૭૬–૮૬). અને છેવટે ૨૭માક વેદવેદકપદમાં કોઈ એક પ્રકૃતિની વેદના પ્રસંગે અન્ય કેટલી પ્રકૃતિની વેદના હોય તેનો વિચાર છે (૧૭૮૭–૯૨). * ૧૭. આચાય મલગિરિએ ‘તાવતા ચ ચતુળમાપ્રાયળીયાચે દ્વિતીયપૂર્વે મ પ્રવૃત્તિप्रामृते बन्धविधाने स्थितिबन्धाधिकारे -- चत्वार्य नुयोगद्वाराणि तद्यथा-स्थितिबन्धस्थानप्ररूपणा अबाधा कण्डकप्ररूपणा उत्कृष्ट निषेक्प्ररूपणा अल्गबहुत्वप्ररूपणा च કૃતિ” આ પ્રમાણે ટીકામાં જે ઉલ્લેખ કર્યા છે (પત્ર ૪૭૯) તેને પખંડાગમના ઉપર જણાવેલા સ્થાનની સાથે સરખાવી શકાય. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ૨૮ મું “આહાર', પદ ? છોને આહાર પ્રજ્ઞાપનામાં આહારપદ અલગ છે, જ્યારે પખંડાગમમાં ૧૪ માર્ગ દ્વારમાં છેલું દ્વાર આહાર છે તેથી એમ નિશ્ચય કરી શકાય છે કે આહારની વિચરણાનું મહત્વ જૈન વિચારકના મનમાં હતુ. આહાર પદના બે ઉદ્દેશ છે. તેમાં પ્રથમ ઉદેશમાં અગિયાર દ્વારા વડે અને બીજા ઉદ્દેશમાં તેર દ્વારે વડે આહાર સંબંધી વિચારણું છે. બીજા ઉદેશનાં તેર ઠારે સાથે પખંડાગમનાં ૧૪ માર્ગણધારોની તુલના કરવા જેવી છે— પ્રજ્ઞાપના ૧૯૬૫ . ખંડાગમ પુ૧૬ પૃ૦ ૧૩૨ ૧. આહાર ૧. ગતિ ૨. ભવ્ય ૨. ઈન્દ્રિય ૩. સંજ્ઞી ૩. કાય : ૪. વેશ્યા ૪. વેગ (૯) ૫. દૃષ્ટિ ૫. વેદ (૧૧) ૬. સંયત ૬. કષાય (૭) ૭. કષાય ૭. જ્ઞાન (૮) ૮. જ્ઞાન ૮. સંયમ (૬) ૯. વેગ ૯. દર્શન ૧૦. ઉપયોગ ૧૦. લેશ્યા (૪) ૧૧. વેદ ૧૧. ભવ્ય (૪) ૧૨. શરીર ૧૨. સમ્યકત્વ (૫) ૧૩. પર્યાપ્તિ ૧૩. સંસી (૩) ૧૪. આહાર (૧) પખંડાગમમાંનાં ૧૪ માંથી દશ તે પ્રજ્ઞાપનામાં એ જ નામે છે. પ્રારંભના. ત્રણ પ્રજ્ઞાપનામાં નથી, પરંતુ તેમાં શરીર અને પર્યાપ્તિ વધારે છે. પખંડાગમમાં ૧. પખંડાગમ, પુ. ૧, પૃ. ૧૩૨, ૪૦૯; પુ૦ ૭, પૃ. ૪૮૩; પુત્ર ૪, પૃ. ૧૩૭, ૩૦૮, ૪૮૬; ૫૦ ૫, પૃ. ૧૭૩, ૨૩૮, ૩૪૬; ૫૦ ૭, પૃ. ૨૪ ૧૧૨, ૧૮૪, ૨૩૧, ૨૪૩, ૨૯૮, ૩૬૫, ૪૬૫, ૪૭૭, ૯૩, ૫૧૮, - ૫૭૪; પુ. ૮, પૃ. ૩૯૦. ૨. કૌસમાં નંબર પ્રજ્ઞા પાનાના છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ જ્ઞાન-દન જુદાં જુદા છે. પરંતુ પ્રજ્ઞાપનામાં જ્ઞાન અને ઉપયોગ જુદાં જુદાં છે તેમાં આ સશેાધન છે. ઉપયાગમાં જ્ઞાનન આવી જ જાય છે; પછી જ્ઞાનને જુદું કરવાની જરૂર રહેતી નથી, સમ્યકત્વ માટે દૃષ્ટિ શબ્દ પ્રાચીન છે તે પ્રજ્ઞાપનામાં વપરાયો છે; જ્યારે ષટ્સ ડાગમમાં ‘સમ્યકત્વ' શબ્દ પ્રયુક્ત છે.. આહારની વિચારણામાં આહાર એક જુદુ` દ્વાર હેાય તે જરૂરી જણાતુ નથી. આથી જણાય છે કે તેર દ્વારની એક સૂચી તૈયાર હતી તેના જ ઉપયોગ પ્રસ્તૃતમાં કર્યાં છે અને એ પણ સ્પષ્ટ જણાય છે કે ૧૪ દ્વારની સૂચી વધારે વ્યવસ્થિત છે તેથી તે ૧૩ દ્વારની સૂચી કરતાં પ્રાચીન હોઈ શકે નહિ. પ્રથમ ઉદ્દેશનાં દ્વારામાંના પ્રથમ દ્વારમાં છે—૨૪૬ડકાના જીવોના આહાર સચિત્ત હાય, અચિત્ત હોય કે મિત્ર ? એ પ્રશ્ન. એના ઉત્તર છે કે વૈક્રિય શરીર ધરાવનાર જીવાનો આહાર અચિત્ત જ હોય, પરંતુ ઔદારિક શરીરી જીવા ત્રણે પ્રકારના આહાર લે છે (૧૭૯૪). આ પછી નારક જીવા વિષે તેએ આહારાથી છે કે નહિ ? કેટલા કાળે આહારાથી હોય? આહારમાં શુ લે? બધી દિશામાંથી ગ્રહણ કરી બધું જ પરિમાવે છે? લીધેલ પુદ્ગલાના સવભાવે આહાર લે છે કે અમુક ભાગના ? ગ્રહણ કરેલ બધા જ પુદ્ગલના આહાર કરે છે ? આહારમાં લીધેલ પુદ્ગલાનું શું થાય છે?—આટલાં ૭ દ્વારાના એકસાથે વિચાર કરીને (૧૭૯૧–૧૮૦૫) પછી અન્ય ભવનવાસી આદિ ૨૩ દડકોમાં ક્રમે તે સાતેય દ્વારાના વિચાર કરે છે (૧૮૦૬-૧૮૫૨). આમાં નેધવા જેવી હકીકતા એ છે કેઆહાર જે લેવામાં આવે છે તે આભોગનિવ`તિત અને અનાભોગનિવ`તિત હોય છે. એટલે કે પોતાની પૃચ્છા થાય અને આહાર લે તે અને ઇચ્છા વિના જ આહાર લેવાના રહે તે. ઇચ્છા થાય અને લેવાય તેમાં, તે તે જીવામાં જુદી જુદી કાલમર્યાદા છે. પણ ઇચ્છા વિના લેવાતા આહાર તો નિરંતર લેવાતા જ રહે છે (૧૭૯૬ અને ૧૮૦૬ આદિ). આહારમાં૪ વણુ -રસાદિક પન્ન પુદ્ગલા લેવાય છે. તેના રકધ ઓછામાં એ અન તપ્રદેશી, અસંખ્યાતપ્રદેશી ક્ષેત્રમાં અવગાહીને રહી શકે તેવા અને ૩. ધવલામાં આહારમા ામાં આહાર શબ્દથી કવલ, લેપ, ઉષ્ણ, મન, ક~~~ એ બધા આહાર નહી', પણ નાકમ`આહાર અભિપ્રેત છે એમ ખુલાસા છે. પુ॰ ૧ પૃ૦ ૪૦૯. ૪. ટીકાકાર સ્પષ્ટીકરણ કરે છે કે મૂળમાં એક વણુ આદિ કહ્યુ છે તે વ્યવહારનયની અપેક્ષાએ, નિશ્ચયનયની અપેક્ષાએ તેા પાંચેય વર્ણવાળા ધ આહાર યોગ્ય છે.—પત્ર ૫૦૧. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ આત્મપ્રદેશથી સ્પષ્ટ હોવા જરૂરી છે (૧૭૯૭–૧૮૦૦). નારકમાં માટે ભાગે અશુભ વિપાકવાળા વર્ણાદિનું ગ્રહણ થાય છે. (૧૮૦૧). આહારના પુદ્ગલાનુ ગ્રહણ સવ દિશાથી થાય છે (૧૮૦૨). થયા પછી આહાર અથે લીધેલા પુદ્ગલા. માંના અસંખ્યાતમા ભાગ આહારરૂપે પરિણમે છે અને તેના અનંતમા ભાગના આસ્વાદ લેવામાં આવે છે (૧૮૦૩). આહાર માટે લીધેલાપ બધા જ પુદ્ગલાના આહાર કરે.છે (૧૮૦૪). આહારમાં લીધેલા પુદ્ગલાના પાંચ ઇન્દ્રિયરૂપ પરિણામ થાય અને નારકને તે તે દુ:ખજનક પરિણામરૂપે જ પરિણમે (૧૮૦૫), પરંતુ દેવાને તેને સુખરૂપ પરિણામ થાય (૧૮૦૬). જેની જેટલી ઇન્દ્રિય હોય તેને તે આહાર તેટલી ઇન્દ્રિયના પરિણામરૂપે પરિણમે (૧૮૧૩, ૧૮૧૯, ૧૮૨૦, ૧૮૨૩, ૧૮૦ ૫). નવમા દ્વારમાં આહારરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલો એકેન્દ્રિયના શરીરરૂપ હોય છે કે પછી યાવત પંચેન્દ્રિયના શરીરરૂપ હોય છે, તેની ૨૪ દડકામાં ચર્ચા છે. ચર્ચાના સાર એ છે કે જે પુદ્ગલાનુ ગ્રહણ થતું હોય છે તે ભૂતકાળમાં તેા ગમે તેના શરીરરૂપે હોય પણ વમાનમાં તે તે જે જીવને જેટલી ઇન્દ્રિય હોય તેટલી ઇન્દ્રિયવાળાનું શરીર આહારરૂપે છે, તેમ સમજવું. કારણ કે લીધેલ આહાર લેનારના શરીરરૂપે પરિણત થાય છે તેથી તેટલી ઇન્દ્રિયવાળાનુ શરીર છે તેમ કહેવાય (૧૮૫૩–૧૮૫૮) દશમા દ્વારમાં ૨૪ દંડકના જીવામાં કોણ લામાહાર અને શ્રેણ પ્રક્ષેપાહાર કરે તેની ચર્ચામાં જણાવ્યુ` છે કે નૈરયિક, દેવા અને એકેન્દ્રિય લામાહારી છે (૧૮૫૯-૬ ૦). દ્વીન્દ્રિયથી માંડી પોંચેન્દ્રિય મનુષ્ય અને પ્રકારના આહાર કરે છે (૧૮૬૧). એકેન્દ્રિયને માઢું હોતું નથી અને નારક-દેવના વૈયિશરીરમાં મુખ છ્તાં તેમને પ્રક્ષેપની આવશ્યકતા. ન પડે તેવો તે શરીરના સ્વભાવ છે, માટે તેમને માત્ર લામાહાર છે.એવું સ્પષ્ટીકરણ ટીકાકાર કરે છે (પત્ર પ૦૯). વળી, લામાહાર માત્ર પર્યાપ્તને જ હોય, અપર્યાપ્તને ન હોય એમ પણ ટીકાકારે ખુલાસા કર્યાં છે (પત્ર ૫૦૯). ૫. અહી ટીકાકારે સુત્રોમાં પૂર્વાપર વિરેાધ ન આવે તેમ વ્યાખ્યા કરવી જોઈએ એવું સૂચન કર્યુ`. છે. માટે આહાર માટે લીધેલા'ને અપૂર્વાંસૂત્રમાં જે અસંખ્યાતમે ભાગ કહ્યો છે તે જ અભિપ્રેત છે, ગ્રહણ કરેલા બધા જ પુદ્ગલા નહિ.—ટીકા; પત્ર ૫૦૪. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ આગિયારમાં કારમાં કયા જીવને જ આહાર અને મનથી ભક્ષણ હોય છે તેને ખુલાસો કરતાં જણાવ્યું છે કે નારકે માત્ર એજ આહાર કરે છે, મનથી ભક્ષણ કરતા નથી (૧૮૬૨). અને બધા જ દારિક શરીરી વિષે પણ એ જ નિયમ છે (૧૮૬૩). માત્ર દેવો એજ આહારવાળા અને મનથી ભક્ષણ કરનારા છે (૧૮૬૪); એટલે કે તેમને જ્યારે મનમાં આહાર લેવાની ઈચ્છા થાય કે તરત તેમની આહારકામનાની પૂતિ થઈ જાય છે (૧૮૬૪). જે સ્થાને જીવની ઉત્પત્તિ થવાની હોય ત્યાં જે આહાગ્ય પગલે હોય તેને આહાર તે જ આહાર. અપર્યાપ્ત જીવને આ આહાર જ સંભવે છે—એવું સ્પષ્ટીકરણ ટીકાકાર કરે છે (પત્ર ૫૧૦). આ ચર્ચાને અંતે સૂત્રકૃતાંગની નિયુક્તિની નિમ્ન ગાથાઓ ટીકાકારે ઉદ્ધત કરી છે, તે આ પ્રકરણના સારરૂપ છે : "सरीरेणायाहारो तयाय फासेण लामआहारो ।। पक्खेवाहारा पुण कावलियो होइ नायव्वा ॥१७१॥ ओयाहारा जीवा सव्वे अपजत्तया मुणेयव्वा । पजत्तगा य लामे पख्खेवे हेति भइयव्वा ॥१७२॥ एगिदियदेवाण नेरइयाण च नत्थि पक्खेवा । सेसाण जीवाण संसारत्थाण पक्खेवा ॥१७३॥ लोमाहारा एगिदिया उ नेरइयसुरगणा चेव । सेसाणं आहारो लोमे पक्खेवओ चेब ।। . ओयाहारा मणभक्खिणो य सव्वे वि सुरगणा होंति । सेसा हवंति जीवा लोमे पक्खेवओ चेव ॥ અંતિમ બે ગાથાઓ મુદ્રિત સૂત્રકૃતંગનિયુક્તિમાં મળતી નથી. પ્રસ્તુત પદમા બીજા ઉદેશામાં ૧૩ કારોની અપેક્ષાએ (૧૮૬૫) છો આહારક છે કે અનાહારક, આ બે વિકલ્પોની ચર્ચા કરી છે. આમાં આહારના પ્રથમ ઉદેશમાં નિર્દિષ્ટ આહારના ભેદોની કેઈ ચર્ચા નથી (૧૮૬૬-૧૯૦૭). પણ વિશેષતા એ છે કે તેમાં આહારક અને અનાહારક એ પદોને અધારે છે ભંગેની રચના કરીને તે તે છવમાં કેટલા ભંગે લાભે તેનું નિરૂપણ કર્યું છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ઉત્કૃષ્ટ છ ભગાની રચના માટે જુએ સૂ॰ ૧૮૮૦; આ રચનાના આધાર એક“વચન-મહુવચન છે. તીજા ‘સની’ દ્વારમાં ટીકાકારે શ કાન્સમાધાન કર્યું છે તેની નેાંધ લેવી જરૂરી છે. સત્તી એટલે સમનસ્ક.. વિગ્રહગતિમાં શ્ર્વને મન તેા હેતુ નથી, તે પછીવિગ્રહગતિમાં અનાહારક જીવને સત્તી કેમ કહેવાય ? અનુ` સ્પષ્ટીકરણ કર્યુ." કે જીવ વિગ્રહગતિમાં હોય છે ત્યારે સની જીવના આયુકની વેદના કરતા હાવાથી તેને સની કહી શકાય—ભલેને તેને મન ન હોય (પૃ૦ ૫૧૪). બીજી શંકા એ છે કે નૈયિક, ભવનપતિ અને વાનમ તરને અસત્તી કેમ કત્ચા (૧૮૧૮ [૨], ૧૮૮૦) o ઉત્તર આપ્યા છે કે એ ત્રણેયમાં ઉત્પન્ન થનારા જીવ અસજ્ઞીમાંથી પણ મરીને આવે છે તે અપેક્ષાએ તેમને અસ'ની કહી શકાય (પૃ૦ ૫૧૪). ૨૯, ૩૦ અને ૯૩ મા ‘ઉપયાગ, પશ્યત્તા, અધિ' પદ્મા : જીવાના મેધવ્યાપાર પ્રજ્ઞાપનાસૂત્રમાં વેાના ખેાધવ્યાપાર અથવા જ્ઞાનવ્યાપાર વિષે ત્રણ પદ્મમાં ચર્ચા છે : ઉપયોગ પદ ૨૯ મુ, પશ્યત્તા પ૬ ૩૦ મું અને અધિ૫૬ ૩૩ મું. એટલે એ ત્રણેને અહીં એક સાથે લીધાં છે. આચારાંગ સૂત્રમાં ને આયા સે વિન્નાયા, ને વિન્નાયાસે આયા । જેમ વિનાળ સે આયા” આચારાંગસૂત્ર, પ. પૂ. સૂત્ર ૧૬૫. I सैव्वे सरा नियति, तक्का जत्थ न विज्जइ । मई तत्थ न गाहिया । ओए અન્વીનર, પ્લેયને સે ન લીધે, ન હસે, ન વઢે, ન તંતે, ન વરસે, ન મકકે, "ન વિન્દે, ન નીચે, ન સ્ટો,િ ન દાહિત્, ન સુષ્ટિઅે, ન સુમિનયે, ન સુમિયે, ન તિત્તે, ન ૩૬, ન તાણ, ન વિષે, ન મદુરે, ન લડે, ન મ, મૈં મુદ્, ન 'રુજ્જુ, ન સી, મૈં વળ્યે, ન નિદું, ન હલે, ન જા, ન રહે, ન સંગે, ન થી, न पुरुषे, न अन्नहा, परिन्ने सन्ने उत्रमा न विज्जइ । अरूवी सत्ता अपयस्स पयं સ્થિ | સેના સદ્ન રુવે ન પે ન સેન સે-વૈયાતિ—ત્તિ વેમિ I આચારાંગસૂત્ર, ૫. ૬. સૂત્ર ૧૭૦-૧૭૧. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ સારાંશ કે આત્મા એ વિજ્ઞાતા છે. તેમાં કોઈ પણ પ્રકારના રસ, રૂ૫ આદિ નથી. તે અરૂપી લેવા છતાં સત્ છે. ભગવતીસૂત્રમાં જીવનું લક્ષણ બતાવ્યું છે– "अवण्णे अगंधे अरसे अंफासे अरुवी जीवे सासए अवट्टिए लोगदम्वे । से समासओ पंचविहे पण्णत्ते । तं जहा-दवओ जाव गुणओ । दव्वओ ण जीवत्थिकाए अणंताई जीवदयाइ, खेत्तओ लोगप्पमागखेत्ते, कालओ न कयाइ न आसि, न कयावि नत्थि, जाव निच्चे, भावी पुण अवण्णे अगंधे अरसे अफासे, गुणओ उवओगगुणे।" ૨. ૨૦. ૨૮. આને સાર પણ એ જ છે કે આત્મા અરૂપી છે, લેકપ્રમાણુ છે, નિત્ય છે અને તેને ગુણ ઉપગ છે. તેની સંખ્યા અનંત છે. આત્માને ગુણ ઉપયોગ કહ્યો તે સર્વપ્રથમ અહીં મળે છે. પ્રસ્તુતમાં યદ્યપિ ઉપયોગમાં અવધિને સમાવેશ થઈ જાય છે, તે છતાં તેનું જુદું પ્રકરણ રાખવાનું તાત્પર્ય એ જણાય છે કે તે કાળ સુધીમાં અવધિ વિષે વિશેષ વિચાર થઈ ગયો હતો તેથી તેને જુદા પદમાં સ્થાન મળ્યું છે. ' પ્રથમ આપણે ઉપગ અને પશ્યત્તા વચ્ચે શો ભેદ છે તે સમજવા માટે તેના જે ભેદો છે તેની તુલના કરીએ. કારણ કે મૂળમાં તે બન્નેની કઈ વ્યાખ્યા છે નહિ. પ્રાચીન પદ્ધતિ પ્રમાણે ભેદે એ જ વ્યાખ્યા બની રહે છે. ઉપયોગ (૧૯૦૮-૧૦) પશ્યત્તા (૧૯૩૬–૩૮). ૧. સાકારોપયોગ ૧. સાકારપશ્યતા ૧. આભિનિધિ જ્ઞાનસાકારપયોગ ......x...... ........ ૨. શ્રુતજ્ઞાનસાકારપયોગ ૧. શ્રુતજ્ઞાનસાકારપશ્યતા ૩. અવધિજ્ઞાનસાકારપયોગ ૨. અવધિજ્ઞાનસાકારપશ્યતા ૪. મન:પર્યયજ્ઞાનસાકારે પગ ૩. મન:પર્યયજ્ઞાનસાકારપશ્યતા - ૧. ભગવતીમાં આ બન્ને વિષે પ્રજ્ઞાપનાની ભલામણ છે. ૧૬, , ૫૮૨. ૨. મૂલાચાર પંચાચારાધિકાર ગાથા કલમાં પણ સાકાર-અનાકાર ઉપગને જીવનું લક્ષણ બતાવ્યું છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ - ૨૫૬ પ. કેવલજ્ઞાનસાકારોપયોગ ૬. મતિઅજ્ઞાનરાકારે પગ ૭. શ્રુતઅજ્ઞાનસાકારપયોગ ૮. વિભજ્ઞાનશાકારે પગ ૪. કેવલજ્ઞાનસાકાર થતા X ૬. શ્રુતજ્ઞાનસાકારપશ્યતા ૬. વિભજ્ઞાનસાકારપત્તા અનાકારાગ ૨. અનાકારપત્તા ૧. ચક્ષુદર્શનઅનાકારપશ્યતા X ૧. ચક્ષુદર્શનઅનાકારોપયોગ ૨. અચક્ષુદર્શનઅનાકારો પગ ૩. અવધિદર્શનઅનાકારોપયોગ ૪. કેવલશનઅનાકારપયોગ ૨. અવધિદર્શનઅનાકારશ્યત્તા ૩. કેવલદર્શનઅનાકારપશ્યતા આચાર્ય અભયદેવસૂરિએ પશ્યત્તાને ઉપગવિશેષ જ કહી છે; વળી સ્પષ્ટીકરણ કર્યું છે કે જે બધમાં કેવલ સૈકાલિક અવધ હોય તે પશ્યતા પરંતુ જે બેધમાં વર્તમાનકાલિક જ બંધ હોય તે ઉપયોગ છે. આ કારણે મતિજ્ઞાન અને મત્યજ્ઞાન સાકારપશ્યત્તાના ભેદોમાં લીધાં નથી. કારણ કે મતિજ્ઞાન અને મત્યજ્ઞાનનો વિષય વતમાનકાલિક અવિનષ્ટ પદાર્થ જ બને છે. આનાકારપત્તામાં અચક્ષુદર્શનનો સમાવેશ કેમ નથી—એને ઉત્તર આચાર્ય આપે છે કે પશ્યત્તા એ પ્રકૃષ્ટ ઈક્ષણ છે. અને પ્રેક્ષણ તે માત્ર ચક્ષુદર્શનમાં જ સંભવે છે, બીજી ઈન્દ્રિ દ્વારા થતા દર્શનમાં નહિ. બીજી ઇન્દ્રિયો કરતાં ચક્ષુનો ઉપયોગ અલ્પકાલીન હોય છે અને જ્યાં અલ્પકાલીન ઉપગ હોય છે ત્યાં બક્ષિામાં ઝડપ વધારે હોય છે. આ જ તેની પ્રકૃષ્ટતામાં કારણ છે.-ભગવતી ટીકા. ૫૦ ૭૧૪. આચાર્ય મલયગિરિએ આચાર્ય અભયદેવનું જ અનુસરણ કર્યું છે; વિશેષમાં સ્પષ્ટીકરણ કર્યું છે કે પશ્યત્તા શબ્દ રૂઢિને કારણે ઉપયોગ શબ્દની જેમ સાકાર અને અનાકાર બોધને પ્રતિપાદક છે, એમ સમજવું (પ્રજ્ઞાપના ટીકા, ૫૦ પ૨૯). વિશેષમાં એ જણાવ્યું છે કે જ્યાં દીર્ઘકાલ ઉપગ હોય ત્યાં સૈકાલિક બોધ સંભવે. મતિજ્ઞાનમાં દીર્ઘકાલનો ઉપયોગ નથી માટે શૈકાલિક બંધ ન થાય.. તેથી તેને પશ્યત્તામાં સ્થાન નથી.--પ્રજ્ઞાપના ટીકા, ૫૦ પ૩૦. આ સિવાય ઉપયોગ અને પત્તામાં શો ભેદ તે જાણવાનું કેઈ સાધન નથી. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ (પૃષ્ટ ર૫૮, પંકિત ૧૩ પછી આ કેઠક વાંચવું) ૧૨-૧૬. સ્થાવર ૧૭. દ્વાનિય ૧૮. શ્રીન્દ્રિય ૧૯. ચતુરિન્દ્રિય ૨૪. વૈમાનિક ૨૦. પંચે. તિર્યચ ૨૩. જોતિષ ૨૨. વાણવંતર - ૨-11. ભવનપતિ ૧. નારક ૨૧. મનુષ્ય x , ,, X , “ “ “ “ “ “. ,, x x * x x * * * * * x * x * ઉપયોગ–સાકાર ૧. આભિનિઓધિક જ્ઞાન = = = = = = = = . , ૨. , અજ્ઞાન ૩. શ્રુતજ્ઞાન ૪. શ્રુતજ્ઞાન ૫. અવધિ ૬. વિભંગ x x x x x x x x x 9 ૭. મન:પર્યાય x x x x x x x x x ૪ ૮. કેવલ ઉપગ અનાકાર x x x - = = = = = = ૪ ૧ચક્ષુદર્શન : : : : : : : : : : ૪ ૨. અચક્ષુદર્શન x x x x = : : : : : ૪ ૩. અવધિદર્શન x x x x x x x x x x હ ૪. કેવલદર્શન પત્તા–સાકાર = = = = = = = , ૧. શ્રુતજ્ઞાન : : : : : : : : : ૪ , ૨. શ્રુતઅજ્ઞાન ૪ x x x = = = = = = % . અવધિજ્ઞાન x x x x : : : : : : ૪ ૪. વિર્ભાગજ્ઞાન x x x x x x x x x 9 ૫. મન:પર્યાય x x x x x x x x x + ૬. કેવલજ્ઞાન પીયતા–અનાકાર x x x : : : : : : : ૪ ૧. ચક્ષુદર્શન x x x x = = = = = = . ૨. અવધિદર્શન x x x x x x x x x x ૩. કેવલદર્શન x x x x x x x Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ઉપયોગ અને પશ્યતા–એ બન્નેની પ્રરૂપણા જીના ૨૪ દંડકમાં વિચારાઈ છે તે આ પ્રમાણે છે––૧૯૧૨-૧૯૨૭; ૧૯૪૦-૧૫૫૩.) (આ કાષ્ઠક ૫૭ મે પાને મૂકયું છે.) ૨૪ દંડકોમાં જીવોના ઉપયોગ અને પયત્તાનો વિચાર કર્યા પછી બન્ને પદમાં ઉપયોગવાળા જીવોને વિચાર છે. હકીક્તમાં કશે ભેદ પડતું નથી (૧૯૨૮-૧૯૩૫, ૧૯૫૪–૧૯૬૨). તેથી તે વિષે વિશેષ ચર્ચા જરૂરી નથી. પરંતુ પશ્યતા પદમાં અંતે કેવલીના જ્ઞાન-દર્શનને ઉપગ યુગપત છે કે ક્રમે છે, તેની ચર્ચા કરી છે, અને દલીલ કરી છે કે જ્ઞાન સાકાર છે અને દર્શન અનાકાર છે તેથી કઈ પણ વસ્તુને એક સમયમાં જાણે-દેખે નહિ (૧૯૬૩-૬૪). આ ચર્ચા માટે સન્મતિપ્રકરણને બીજે કાંડ જેવો જોઈએ, જ્યાં ઉપયોગમાં ક્રમ, યૌગપદ્ય અને અભેદ એ ત્રણે રજૂ કરવામાં આવ્યા છે. ઉપગ અને પશ્યત્તા વિષે અન્ય કશી જ ચર્ચા કરવામાં આવી નથી, પરંતુ અવધિપદમાં અવધિજ્ઞાન વિષે તેના ભેદો આદિ સાત મુદ્દાઓ લઈ અવધિજ્ઞાનની વિસ્તૃત ચર્ચા કરી છે. તે સાત બાબતે આ છે : ૧. ભેદ. ૨. વિષય, ૩. સંસ્થાન, ૪. આત્યંતર અને બાહ્ય અવધિ, ૫. દેશાવધિ, ૬. અવધિની ક્ષય-વૃદ્ધિ છે. પ્રતિપાતિ-અપ્રતિપાતી (૧૯૮૧). ખંડાગમમાં અવધિજ્ઞાનની ચર્ચા કર્મના આવરણ પ્રસંગે કરવામાં આવી છે અને ત્યાં અવધિના અનેક ભેદોની તથા સંસ્થાન આદિની ચર્ચા છે (પુ૧૩, પૃ. ૨૮૯-૩૨૮). તેમાં ધ્યાન દેવાની વાત એ છે કે આવશ્યકનિયુક્તિની અવધિની ચર્ચાનો જે કાળ છે તે પછીના કાળની ચર્ચા વખંડાગમની હવાને સંભવ છે; કારણ કે ક્ષેત્રથી જપન્યાવધિમાં આવશ્યકનિયુક્તિમાં પણનું દૃષ્ટાંત છે, જ્યારે પખંડાગમમાં સૂક્ષ્મ નિગોદનું છે (આવ. નિ. ૨૯; વિશેષાશ્યક ૫૮૫; ખંડાગમ પુ૧૩, પૃ૦ ૩૦૧). વળી, આવશ્યકનિયુક્તિગત ગાથાઓ ગાથાસૂત્રને નામે પણ પખંડામમાં દેખા દે છે (આવશ્યકનિયુક્તિ, ગા૦ ૩૧ થી ઘણી ગાથાઓ પખંડાગમમાં છે; પુત્ર ૧૩ ને અંતે જુએ થાસૂત્રાળ’ નામનું પરિશિષ્ટ પૃ. ૧૧). ગાથાઓમાં પાઠાંતરો નજરે પડે છે. સંભવ છે કે આ ગાથાએ પ્રાચીન નિયુક્તિની હોય, જે આવશ્યકનિયુક્તિ અને ષટૂખંડાગમમાં લેવામાં આવી હોય. ૩. ભગવતીમાં આ પદના સૂત્ર (૯૮રથી પ્રારંભ કરી આખું અવધિપદ સમજી લેવાની સૂચના છે. ૧૬, ૧૦, ૧૮૧.. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ જૈન આગમોમાં આચારાંગ જેવા પ્રાચીન ગ્રંથમાં તે અવધિની ચર્ચા નથી, પરંતુ જ્યારથી અંગઆગમમાં ઉપાસક જેવા કથાગ્રંથને સમાવેશ થયે ત્યારથી તે અવધિજ્ઞાનની ચર્ચા શરૂ થઈ ગઈ છે; અને એ ચર્ચાઓ ઉપરથી જણાય છે કે ઉપાસકને થતા અવધિજ્ઞાનની મર્યાદામાં સ્વયં ઈન્દ્રભૂતિને પણ શંકા થાય છે, એ આશ્ચર્યજનક ઘટના છે (ઉવાસગદસાઓ-હોનેલ, ૧.૮૪). આપણે કર્મના પ્રકરણમાં પણ જોયું કે તેમાં એક ઠેકાણે માત્ર પાંચ ઇન્દ્રિયો અને તેથી થતા વિજ્ઞાનના આવરણની ચર્ચા છે, પરંતુ અવધિ આદિ જ્ઞાને વિષે મૌન સેવાયું છે. આથી અવધિ આદિ જ્ઞાનની ચર્ચા જેન આગમમાં પછીથી ક્રમે કરી દાખલ થઈ હોય એવો સંભવ રહે છે. અવધિજ્ઞાનના બે ભેદ છે : એક તે જન્મથી પ્રાપ્ત થતું અને બીજુ કર્મના ક્ષપશમથી મળતું. દેવ-નારકને તે જન્મથી જ હોય છે અને મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને ક્ષયપશામિક (૧૯૮૨) હોય છે. અવધિજ્ઞાનના વિષયની ચર્ચાને સાર આ પ્રમાણે છે: નારકે ક્ષેત્રની દષ્ટિએ જઘન્યથી અડધો ગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ. પછી એકેકે કરી સાતેય નરકના જેના અવધિક્ષેત્રનું પણ નિરૂપણ છે. તેમાં નીચેની નરકમાં ઉત્તરોત્તર અવધિક્ષેત્ર ઓછું થતું જાય છે (૧૯૮૩–૧૯૯૦). ભવનપતિમાં અસુરકુમારનું અવધિક્ષેત્ર જઘન્ય ૨૫ જન અને ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપ–સમુદ્ર છે; અને બાકીના નાગકુમારાદિનું ઉત્કૃષ્ટ સંખ્યાત છે. (૧૯૯૧–૯૩). પંચેન્દ્રિયતિર્યંચનું અવધિક્ષેત્ર જધન્યથી અંગુલને અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપસમુદ્ર છે (૧૯૯૪). મનુષ્યનું ઉત્કૃષ્ટ અવધિ ક્ષેત્ર અલોકમાં પણ લેકપ્રમાણુ અસંખ્યાત લેક જેટલું છે (૧૯૫). વાણુમંતરનું નાગકુમાર જેમ. જ્યોતિષ્ક જઘન્ય સંખ્યાત દ્વીપ–સમુદ્રો. વૈમાનિકદેવના અવધિક્ષેત્રની વિચારણામાં વિમાનથી નીચેન. ઉપરનો અને વિમાનથી તિર્યંગ ભાગ–એ ત્રણેની દષ્ટિ રાખવામાં આવી છે. અને જેમ વિમાન ઉપર તેમ તેમનું અવધિક્ષેત્ર વિસ્તૃત. છેવટે અનુત્તરી પપાતિક દેવ સમગ્ર લેનાડીને જાણે છે, એમ જણાવ્યું છે (૧૯૯૬-૨૦૦૭). સૂત્ર ૨૦૦૮-૧૬માં અવધિજ્ઞાનના ક્ષેત્રની અપેક્ષાએ તક, (હેડી), પલ્લગ, ઝાલર, પડહ જેવા વિવિધ આકાર જણાવ્યા છે. આચાર્ય મલયગિરિએ એને સાર એ તારવી આપે છે કે ભવનપતિ અને વ્યંતરને ઉપરના ભાગમાં અને વૈમાનિકને નીચેના ભાગમાં, તિક અને નારકોને તિર્લગ દિશામાં વધારે હોય છે એટલે કે વિસ્તૃત હોય છે અને મનુષ્ય તથા તિર્યંચને અવધિનો આકાર વિચિત્ર હોય છે.-ટીકા, પત્ર ૫૪૨. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬o એ પણ જણાવ્યું છે કે નારક અને દેવ અવધિક્ષેત્રમાં છે, એટલે કે તેમનું અવધિજ્ઞાન પિતાની ચારે તરફ ફેલાયેલું હોય છે; તિય"ચમાં તેમ નથી. પણ મનુષ્ય અવધિક્ષેત્રમાં પણ છે અને બાહ્ય પણ છે. તાત્પર્ય એમ છે કે અવધિજ્ઞાનને પ્રસાર પિતે જ્યાં હોય ત્યાં હોય તે તે અવધિની અંદર (અંતઃ) ગણાય, પણ પિતાથી વિચિછન્ન પ્રદેશમાં અવધિને વિષય હોય તો તે અવધિથી બાહ્ય ગણાય (૨૦૧૭-૨૦૨૧). માત્ર મનુષ્યને જ સર્વાવધિ સંભવે છે, બાકીનાને દેશ અવધિ જ સંભવે (૨૦૨૨-૨૬). નારકાદિમાં આનુગામિક-અનાનુગામિક, વર્ધમાનહિીયમાન, પ્રતિપાતી–અપ્રતિપાતી અને અવસ્થિત-અનવસ્થિત–આ ભેદોને. વિચાર છે (૨૦૨૭–૩૧). અવધિજ્ઞાનની વ્યાખ્યા પ્રજ્ઞાપના મૂળમાં ક્યાંય આપવામાં આવી નથી, પણ અન્યત્ર જે અપાઈ છે તે એ છે કે ઈન્દ્રિય કે મનની સહાયતા વિના આત્માને થતું રૂપી પદાર્થનું જ્ઞાન તે અવધિજ્ઞાન છે. ૩૧મું “સંક્ષિ પદ : સંજ્ઞવિચાર આ પદમાં સિદ્ધ સહિત સકલ જીવોને સંસી, અસંસી અને સંસીનઅસંજ્ઞી એ ત્રણ ભેદે વિચાર કર્યો છે. તેમાં સિદ્ધો નથી સંજ્ઞી કે નથી અસલી તેથી તેમની સંજ્ઞા નોસંજ્ઞીને અસંસી આપવામાં આવી છે (૧૯૭૩). મનુષ્યમાં પણ જે કેવળી થયા હોય તે આ બાબતમાં સિદ્ધની સમાન જ છે, કારણ કે તેઓ પણ તેમને મન હોવા છતાં તેના વ્યાપાર વડે જ્ઞાન પ્રાપ્ત કરતા નથી. અન્ય મળ્યો સંસી અને અસંજ્ઞી બન્ને પ્રકારના છે. એકેન્દ્રિયથી માંડી ચતુરિન્દ્રિય સુધીના જીવો અસંસી છે. નારક, ભવનપતિ, વાણવ્યંતર અને પંચેન્દ્રિયતિયચ સંગી અને અસંજ્ઞી બન્ને પ્રકારના છે. જ્યોતિષ્ક અને વૈમાનિક માત્ર સંસી જ છે (૧૯૬૫–૭૩). આ પદને અંતે આપેલી ગાથામાં મનુષ્યને પણ સંસી–અસંતી જ કહ્યા છે. પરંતુ સૂત્ર ૧૯૭૦માં તેમાં ત્રણ પ્રકાર સંભવે એમ સ્પષ્ટ કર્યું છે. સંજ્ઞાનો અર્થ શું લે તે સૂત્રમાં સ્પષ્ટ નથી કર્યુંપણ મનુષ્ય અને નારફ તથા ભવનપતિ અને વ્યંતરને પણ અસંજ્ઞી કહ્યા એટલે મન જેને હોય તે Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ સ'ની એ અથ' પ્રસ્તુતમાં ઘટે નહિ. આથી ટીકાકારને સત્તા શબ્દના એ અ કરવા પડયા છે, છતાં પણ પૂરું સમાધાન થતું નથી, એટલે નારકાદિન સન્ની કે અસની કથા તેમાં તેના પૂર્વભવમાં તે સ'ની કે અસ'ની હતા માટે સન્ની કે અસતી કલ્યા—આવું સ્પષ્ટીકરણ ટીકાકારને કરવુ પડયું છે (ટીકા, પત્ર ૫૩૪). આથી સત્તા શબ્દ ખરેખર કયા અર્થમાં અભિપ્રેત છે તે સશોધનને વિષય છે. આચારાંગના પ્રારંભમાં જ વિશેષ પ્રકારના મતિજ્ઞાન માટે—ખાસ કરી આત્માના પૂર્વભવના જ્ઞાનપ્રસંગે—'સંજ્ઞા' શબ્દ વપરાય હાય એમ લાગે છે. " इह मेगेसिं नो सन्ना भवइ, तं जहा पुरत्थिमाओ वा दिसाओ आगओ अहमंसि” ઇત્યાદિ ! દશાશ્રુતસ્કંધમાં જ્યાં દશ ચિત્તસમાધિ સ્થાનાનું વર્ણન છે ત્યાં सणिणाणं वा से असमुप्पन्नपुवे समुप्पज्जेज्जा अप्पणो पोराणियं जाइ सुमरित्तए" - શા, પાંચમી શા. ડા. શુશ્રીંગ સ ́પાતિ આવૃત્તિમાં “નાસરળે વા સે' એવા પાડે છે, પરંતુ આ જ પાઠે સમવાયાંગમાં ધૃત છે (શમ સમવાય), ત્યાં ઉપર પ્રમાણે પાઠ હાઈ શાશ્રુતસ્કંધના મૂળ પાઠ આવા જ હોવા જોઈએ એમ અમારું માનવું છે. વળી, આચાય આત્મારામજીની આવૃતિ (પૃ૦ ૧૪૮)માં-‘ઘ્ન નાસરબેન સાિળજળ" વા સે અસમુ” એવા પાડે છે, તે પણુ બરાબર જણાતા નથી. એ ગમે તે હોય પણ તેમાં પણ સળિળ એ પાઠ તે છે જ, એટલે અહીં સ`જ્ઞા' મતિજ્ઞાન વિશેષના અથમાં લેવામાં કાંઈ વાંધા જણાતા નથી. અને એ જ્ઞાનના એક પ્રકાર કાળક્રમે જાતિસ્મરણુને નામે આળખાયા છે; પણ તે છે તે મતિજ્ઞાનને જ ભેદ. અને એ અતિજ્ઞાનના વિશેષ એટલે જે જ્ઞાનમાં સ્મરણુ–પૂર્વાં અનુભવનું સ્મરણ-જરૂરી હાય તેવું જ્ઞાન ‘સંજ્ઞા’ શબ્દથી સમજાતું હતું. સંજ્ઞા—સકેત પછી તે શબ્દરૂપે હાય કે ખીજા ચિહ્નરૂપે હાય પણ તેના વડે જ્ઞાન થવામાં સ્મરણ આવશ્યક હાય છે. તેથી જેમાં સ્મરણુ આવશ્યક હોય એવા જ્ઞાનવિશેષને માટે સંજ્ઞા' શબ્દ પ્રાચીન કાળમાં પ્રયુક્ત થતા હોય તે આશ્રય પામવાનું નથી. ૧. આવશ્યકનિયુક્તિમાં સંજ્ઞાને અભિનિષેાધ = મતિજ્ઞાન કહ્યું છે.. .—ગા. ૧૨; વિશેષાવશ્યક, ૩૯૪. ૨. ઔદ્ધમાં ‘સંજ્ઞા' શબ્દના પ્રયોગ અને અ` માટે જુએ Pali-English Dictionery (P.T.S.) da Buddhist Hybrid Sanskrit Dictionery. Page #283 -------------------------------------------------------------------------- ________________ ર૬૨ પણ જેન આગમમાં આ “સંજ્ઞા” શબ્દના અર્થને વિસ્તાર થયે હોય એમ જણ્ય છે. અને તેને કારણે કયાં શબ્દને શું અર્થ લે એ એક સમસ્યારૂપ બની જાય છે. સ્થાનાંગમાં—“giા તા, 1 સન્ના, " મન્ના, આ વિજ્ઞા” (સૂ૦ ૨૯-૩૨) એ પાઠ આવે છે. એ ઉપરથી પણ જણાય છે કે “સજ્ઞા” એ નામે કઈ જ્ઞાન તે કાળે પ્રસિદ્ધ તે હતું જ. સ્થાનાંગમાં જ અન્યત્ર સંજ્ઞાના ચાર પ્રકાર જણાવ્યા છેઃ આહાર, ભય, મૈથુન, પરિગ્રહ૩ (સ્થા ૦ ૩૫૬, સમવાયાંગ ૪). વળી. અન્યત્ર સ્થાનાંગમાં જ સંજ્ઞાના દશ ભેદ છે : ૧-૪ ઉપર પ્રમાણે પ. ક્રોધ, ૬. માન, ૭. માયા, ૮. લેભ, ૯. લોક, ૧૦ ઓઘ. અને આ દશે સંજ્ઞા ૨૪ દંડકના જીવમાં હોય છે તેમ પણ જણાવ્યું છે (સ્થા ઉપર). આચારાંગનિયુક્તિમાં સંજ્ઞા વિષે જણાવ્યું છે– ષે સચિત્તાÉ માવે અનુમવાળા સUTI | मति होइ जाणणा पुण अणुभवणी कम्मसंजुत्ता ।।३८ । आहार भय परिंग्गह मेहुण सुह दुक्ख मोह वितिगिच्छा । कोह माण माय लोहे सोगे लोगे य धम्मोहे ॥३९॥ અને અન્ય પ્રકારે પણ સંજ્ઞા શબ્દનો અર્થ બૃહકલ્પભાષ્ય અને વિશેષાવશ્યકભાષ્યમાં કરવામાં આવ્યો છે. તેમાં કાલિક, હેત અને દૃષ્ટિવાદોપદેશ–એ ત્રણ સંજ્ઞાને આધારે સંજ્ઞીઅસંતીને વિચાર છે. અને એને નિષ્કર્ષ એ છે કે શાસ્ત્રમાં પ્રાય: કાલિક-સંજ્ઞાને આધારે સંજ્ઞીઅસંજ્ઞી એ વિભાગ કરે છે અને તેનું તાત્પર્ય તે સમનસ્ક અમનસ્કમાં છે. બૃહ૦ ગાઇ છ૮-૮૭; વિશેષા ૫૦૨–૭. પખંડાગમ મૂળમાં માર્ગણાકારમાં સંડીધાર છે. પણ સંજ્ઞાને અર્થ છે અભિપ્રેત છે તે જણાવ્યું નથી. પરંતુ મિયાદષ્ટિથી લઈ ક્ષીણુકવાય વીતરાગછદ્મચ્છ–ગુણસ્થાન સુધીના છ સંતી હોય છે અને એકેન્દ્રિયથી માંડી અસંતી પંચેન્દ્રિય સુધીના જીવો અસંજ્ઞી છે, એમ જણાવ્યું છે (પુ. ૧, પૃ. ૪૦૮). અને સંશી ક્ષાયોપથમિક લબ્ધિથી, અસંગી ઔદયિક ભાવથી અને નસી ૩. મૂલાચાર, શીલગુણધિકાર, ૩. ૪. તુલના કરે બૃહત્કલ્પભાષ્ય ગા. ૮૭. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ નઅસંજ્ઞી ક્ષાયિક લબ્ધિથી થાય છે, એમ પણ જણુવ્યું છે (પુ. ૭, પૃ. ૧૧૧– ૧૧૨). આના સ્પષ્ટીકરણમાં ધવલામાં જે કહ્યું છે તે અને પ્રારંભમાં સંજ્ઞાને જે અર્થ કર્યો છે તે ઉપરથી સામાન્ય ધારણું એવી બને કે મનવાળા સંજ્ઞી", પરંતુ ધવલામાં પણ સંસી શબ્દની બે પ્રકારની વ્યાખ્યા કરવામાં આવી છે તે સૂચક છે : સગ-1 નાનાતિ કૃતિ સંરખે--મન, તદ્દાસ્તાસિ સંશી સૈન્દ્રિથરિનાતિઘર, તત્ત્વ મનસોડમાવાત ! અથવા શિક્ષાપિરાત્રિાપારી સંસી ૩ – सिक्खाकिरियुवदेसालावग्गाही मणोवलंबेण । નો નવો સો તકિયાવર મસળી ફુ ૧-૦ ૬, પૃ. ૨૨. આ બીજી વ્યાખ્યામાં પણ મનનું આલબન તે સ્વીકૃત છે જ, એટલે તાત્પર્યમાં કશે ભેદ પડતો નથી. આચાર્ય પૂજ્યપાદે તત્ત્વાર્થભાષ્યનું અનુકરણ કરી તસ્વાર્થની ટીકામાં (૨.૨૫) સંસીની જે વ્યાખ્યા આપી છે તે પખંડાગમના સંસી શબ્દના પ્રયોગને ધ્યાનમાં લઈને છે, તેનું તાત્પર્ય એ છે કે “સંજ્ઞા” શબ્દ અનેક અર્થમાં છે તેથી અનિષ્ટની વ્યાવૃત્તિ સારુ સૂત્રમાં “મનાઃ ' એવું વિશેષણ આપ્યું છે, જેથી સંજ્ઞાવાળા છતાં જેને મન ન હોય તે સંસી કહેવાય નહિ, પણ અસંજ્ઞી કહેવાય. મૂલાચારમાં છ પર્યાપ્તિના વિવેચન પ્રસંગે અસંસીને પાંચ અને સંસીને છ પર્યાપ્તિ કહી છે, તેથી સ્પષ્ટ થાય છે કે જેને મન હોય તે સંજ્ઞી ગણ્ય મૂલાચાર, પર્યાત્યધિકાર, ૫-૬, ૮૬. * સ્થાનાંગમાં સર્વ જીવોના સંસી, અસંસી અને નોસંસીનેઅસંસી-એવા ત્રણ ભેદ બતાવ્યા છે, કારણ કે સિદ્ધોને પણ એમાં ગણી લીધા છે. પરંતુ તેમાંથી સંજ્ઞી કોણ અને અસંસી કેણ એ ફલિત થતું નથી (સૂ૦ ૧૬૨). સંસારી છવમાં ૨૪ દંડમાં સંજ્ઞી અને અસંજ્ઞી એ બને ભેદો હોય છે (સ્થા. ૭૯, સમવા૦ ૧૪૯), એમ કહ્યું ત્યારે પણ મનવાળા સંજ્ઞી એવું સિદ્ધ થતું નથી, કારણ કે એકેન્દ્રિયાદિમાં તો મન નથી જ, છતાં તેમાં પણ સંસી-અસંસી એ બન્ને ભેદ જણાવ્યા. અને જ્યાં મન અવશ્ય હોય છે તેવા નારકાદિમાં પણ સંજ્ઞીઅસંજ્ઞી એવા બન્ને ભેદ જણવ્યા છે. ૫. તુલના–“સિનઃ સમન ” તત્ત્વાર્થસૂત્ર ૨. ૨૬–તેની વિવિધ દિગબરીય ટીકાઓ સાથે. Page #285 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરથી એક વાત નક્કી થાય છે કે પતિને વિચાર થયો તે પહેલાં જ સંજ્ઞાનો વિચાર થઈ ગયો હતો. તેથી પર્યાપ્તિના વિચાર સાથે એ સ્પષ્ટ થયું કે સંજ્ઞા અને મન એ બન્ને જેને હેય તેને જ સંજ્ઞી કહેવા. સંજ્ઞી-અસંસીની સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન વાચક ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રમાં કર્યો છે. તેમણે સૂત્ર બનાવ્યું છે કે –“શિનઃ સમનઃ (૨.૨૫); અર્થાત્ સંસી જીવો મનવાળા હોય છે. અને ભાષ્યમાં તેમણે સ્પષ્ટીકરણ કર્યું કે પ્રસ્તુતમાં સંસી શબ્દથી તે જ જીવો અભિપ્રેત છે, જેને સંપ્રધારણ સંજ્ઞા હોય. અર્થાત્ માત્ર સંપ્રધારણ સંજ્ઞાવાળા ને મન હોય છે, અન્યને નહિ. સમધારણ સંજ્ઞાની વ્યાખ્યા કરી છે કે – “હાપોદવુti TUવોષવિનાભિ સણધારણસંજ્ઞા” --તત્ત્વાર્થભાષ્ય ૨.૨૫. આહારાદિ સંજ્ઞાને કારણે જે સંસી કહેવાય તેવા જીવો અહીં અભિપ્રેત નથી, એટલે કે મન તે તે સંસી જીવોને હોય, જેઓ સંપ્રધારણ સંજ્ઞાને કારણે સંસી કહેવાતા હોય. કરમું “સંયમ પદ : સંયમવિચાર સંયત, અસંયત, સંયતા સયત અને નોસંયતને અસંયતને સંયતાસંયત–એવા સંયમના ચાર ભેદને વિચાર સકલ જીવોમાં કરવામાં આવ્યો છે. તેને સાર એ છે કે નારક, એકેન્દ્રિયથી માંડી ચતુરિન્દ્રિય જીવો, વાણુવ્યંતર, તિષ્ક અને વૈમાનિક એ અસંયત હોય છે. પંચેન્દ્રિ તિ"ચ અસંયત અને સંતાસંમત હોય છે. મનુષ્યમાં પ્રથમ ત્રણ પ્રકાર છે, પણ સિદ્ધોમાં સંયમને ચોથે પ્રકાર નેસયતનેઅસંયતને સંયતાસયત છે (૧૯૭૪-૮૦). પદને અંતે આપેલ માથામાં સિદ્ધને વિચાર નથી. પરાગમનાં ૧૪ માગણધારમાં પણ એક દ્વાર સંયમને આધારે જીવોને વિચાર કરવાની પદ્ધતિ મહત્ત્વ ધરાવે છે, એમ કહી શકાય. પખંડાગમમાં સંયમઠારમાં સામાયિકશુદ્ધિસંયત, છેદેપસ્થાપનશુદ્ધિસંયત, પરિહારશુદ્ધિસયત, સૂક્ષ્મસં૫રાયશુદ્ધિસંયત, યથાખ્યાતવિહારશુદ્ધિસંયત સંયના સંયત અને અસયત–એવા ભેદ કરીને ૧૪ ગુણસ્થાનમાં તેને વિચાર છે, પુ. ૧, પૃ. ૩૬૮. ૩૪ મું “પ્રવિચારણા ૫૮: પરિચારણા (નવિચાર) પ્રજ્ઞાપનાના પ્રારંભમાં જ્યાં વિષયસૂચી આપી છે, ત્યાં પ્રસ્તુત પદ માટે Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ “વિચાર” (વિવાર) શબ્દનો પ્રયોગ કર્યો છે અને તે જ શબ્દ આચાર્ય ઉમા સ્વાતિના પ્રવીચાર’ શબ્દનું મૂળ જણાય છે (તત્ત્વાર્થસૂત્ર ૪.૮). પરંતુ પ્રસ્તુત પદના પ્રારંભમાં જયાં ઠારો બતાવ્યાં છે ત્યાં “રિયાળ' (૨૦૩૨) અને મૂળમાં પણ ‘રિવારજ' (રિવારતા) (૨૦૩૩) એવો પાઠ છે. અને એ કારની ચર્ચા પ્રસંગે “રિયાળr” mરિવારના' (૨૦૫ર) શબ્દનો પ્રયોગ મળે છે. ઉપરાંત, સરિયા' (વિ.), મારિયા' (અપરિવારn:) (૨૦૫૧), કારિયાણorr( (ાય. પરિવારના), પરિવાર, વરિયાળT, સપરિવારણ, મનપરિયાર (૨૦૫૨) જેવા પ્રયોગો મળે છે. તેથી જણાય છે કે વિવાર, વરિયાળી અને વરિયારા એ ત્રણે શબ્દ એક જ અર્થ માટે વપરાય છે. પરંતુ વધારે વપરાશ “પુરિયારનn” એ રૂપો છે; ‘qfજારના' ને પ્રયોગ માત્ર પ્રારંભમાં અને અંતે છે (વવિયાવર્થ સનત્ત). ઉપનિષદોમાં પરિવાર' નો પ્રયોગ મથુનસેવનના અર્થમાં મળે છે – रामाः सरथाः सतूर्या न हीदृशा लम्भनीया मनुष्यैः । आभिर्मत्प्रत्ताभिः परिचारयस्व નતિો મળે માનાણીઃ | હોવ• ૧.૨૫. પાલિમાં પરિવરળ, “રિવારતિ’; રિવાર,” જેવા પ્રયોગ છે–જુઓ પાલિકેષ (P.T.s.) બૌદ્ધ સંસ્કૃત ગ્રંથોમાં રિવર”, “ર, “રિવાર”, “પરિવારત', 'પરિત્રાતિ' જેવા શબ્દો મળે છે. ઉપરાંત વિવાર.” “વિચાર” “વિચારણા, પ્રવાસ, વારિઆદિ પ્રયોગ પણ જોવા મળે છે. અને તે બધા પ્રયોગો પ્રજ્ઞાપનાના પ્રસ્તુત પદમાં જે અર્થ અભિપ્રેત છે, તે અર્થ માટે પણ જોવા મળે છે. એટલે કહી શકાય કે ક્રીડા, રતિ, ઇન્દ્રિાનાં કામગ અને મૈથુન માટે સંસ્કૃતમાં પ્રવેવાર', અથવા પ્રવિવાર, અને પ્રાકૃતમાં ઘરિયા અથવા પ્રવિચાળા શબ્દનો પ્રયોગ થયો છે પ્રરિવાર ક્યારે કેને સંભવે અને કયા પ્રકારની હોય. એ વિષયની મુખ્ય ચર્ચા પ્રસ્તુત પદમાં દંડકેને આધારે કરી છે. તેમાં નારકેની બાબતમાં કહ્યું છે કે તેઓ ઉપપાતક્ષેત્રમાં આવીને તરત જ આહાર લેવાનું શરૂ કરે છે, એટલે તેમના શરીરની નિષ્પત્તિ થાય છે. એટલે ચારે તરફથી પુગલોનું ગ્રહણ શરીરનાં અંગે પાંગથી શરૂ કરે છે અને તે તે પુગલેને શરીરની ઇન્દ્રિયાદિ રૂપે પરિણત કરતા થઈ જાય છે. આમ ઈન્દ્રિય પુષ્ટ થયે તેઓ પરિચાર શરૂ કરે છે, એટલે કે શબ્દાદિ બધા વિષયને ઉપભોગ શરૂ કરે છે. અને પરિચાર કર્યા પછી જ વિતુર્વણું–નાના રૂપ ધારણ કરવાની ૧. આને માટે પાઠાંતર છે–“પરિવાર’ પૃ. ૪૨૧, ૨. ૨. “#ragવીવારે નાક મૈથુનવિષાોવસેવનમ” તવાર્થમય, ૪ ૦૮, “gવી . મૈથુનો સેવનમ્” સર્વાર્થસિદ્ધિ, ૪.૭. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ પ્રક્રિયા-શરૂ કરે છે (૨૦૩૩). પરંતુ દેવામાં આ ક્રમમાં ભેદ એ છે કે વિષ્ણુ કર્યાં પછી પરિચારણા છે (૨૦૩૪, ૨૦૩૭). એકેન્દ્રિયમાં પરિચારાના ક્રમ નારક જેમ છે, પણ તેમાં વિણા નથી. પરંતુ વાયુકાયમાં વિધ્રુણા છે. દ્વીન્દ્રિય-ગીન્દ્રિય–ચતુરિન્દ્રિયમાં એકેન્દ્રિય જેમ (૨૦૩૫-૩૬) પરિસ્થિતિ છે. પચે ન્દ્રિતિય ચ અને મનુષ્યમાં નારક જેમ સમજવું (૨૦૩૬). પ્રસ્તુત પ્રકરણમાં પ્રાસંગિક ચર્ચા એ પણ કરવામાં આવી છે કે જીવામાં આહારનુ ગ્રહણુ આભાગનિવતિત હાય છે કે અનાભોગનિવ`તિ ત ? એકેન્દ્રિય સિવાયના બધા જીવા આભાગ નિતિત અને અનાભોગનિવ`તિત આહાર લે છે, પરંતુ એકેન્દ્રિયમાં માત્ર અનાભાગનિવૃતિ ત જ છે (૨૦૩૮-૩૯). પ્રસ્તુતમાં આભાગનિવ`તિ તના અથ ટીકાકાર “મનઃનિધાનપૂર્વમાંહાર યુદ્ઘન્તિ”-(પત્ર ૫૪૫) એવા કરે છે અને એકેન્દ્રિય વિષે સ્પષ્ટ કરે છે કે “ન્દ્રિયાનામત્તિસ્તો વિદ્યુમનોद्रव्यलब्धिसम्पन्नत्वात् पटुतर आभोगो नोपजायते इति तेषां सर्बदाऽनाभोगनिर्बर्तित एव આહારો ને પુનઃ વાષિવ્યામોનિર્વર્તિતઃ”(પત્ર ૫૪૫). આમાં આચાય મલયગિરિ અપટુ પણ મન એકેન્દ્રિયને હોય છે-એવુ લખે છે તે મનેાલબ્ધિ બધા જીવામાં છે એવી માન્યતાને આધારે છે. પરંતુ ખરી વાત તે એવી જણાય છે કે જીવા પેાતાની ઇચ્છાપૂર્વક અને પોતાના ઉપયોગપૂર્ણાંક આહાર લે તે આત્માગનિવ`તિત અને ઈચ્છા ન હોય છતાં લેમાહાર વગેરે અન્ય પ્રકારના આહારનું સતત ગ્રહણ થયા કરે છે તે અનાભગ નિતિત કહેવાય. આહારપદમાં ભોગનિવતિત આહારની ચર્ચા છે, તેને આધારે આવે અથ કરી શકાય (૧૭૯૬, ૧૮૦૬ આદિ), પરંતુ મનઃપ્રણિધાનની વાત, જે આચાય મલયગિરિએ લખી છે, તેને સમન્વય કેવી રીતે કરવા એ એક પ્રશ્ન છે. કારણ કે જેમ એકેન્દ્રિયને અપટુ મન છે, તેમ દ્વીન્દ્રયથી માંડી ચતુરિન્દ્રિય સુધી પણ અપટુ મન જ છે; તેા એકેન્દ્રિયમાં જ કેમ અનાભાગ અને ખીજામાં કેમ નહિ, એ પ્રશ્નનું સમાધાન થતું નથી. એમ લાગે છે કે રસનેન્દ્રિયવાળા પ્રાણીને મુખ હાય છે તેથી તેને ખાવાની ઇચ્છા થતી હોઈ તે બધામાં આભોગનિવ`તિત આહાર માન્યા હોય અને રસનેન્દ્રિય વિનાનાને અનાભાગનિવ`તિત માન્યા હાય અમ અને. ૩. આ ચર્ચા ખરી રીતે આહારપદમાં આવવી જોઈતી હતી, પણ આ પમાં આવી છે તેથી તેને પ્રાસંગિક કહી છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ આહારમાં લેવાના પુલો વિષે ચર્ચા છે કે આહાર કરનાર તે પુદ્ગલેને જાણે છે, દેખે છે કે જાણત-દેખતે નથી ? –તેના વિષેના વિકલ્પ કર્યા છે તેને સાર આ પ્રમાણે છે– (૨૦૪૦-૪૬). જાણે રેખે ન જાણે ન દેખે નારક, ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક ૦ ૦ એકેન્દ્રિયમાં–ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિયમાં– ૧. કેટલાક ૨. , પંચેદ્રિયતિર્યંચ તથા છે. કેટલાક મનુષ્ય ૨. " ૩. ,, ૪. " વૈમાનિક– ૨. , ૦ ૦ ه ه અધ્યવસાનસ્થાનની પણ પ્રાસંગિક ચર્ચા પ્રસ્તુત પદમાં છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત એવાં અધ્યવસાસ્થાને ૨૪ દંડકના જીવમાં અસંખ્યાત પ્રકારનાં હોય છે એમ જણાવ્યું છે (૨૦૪૭-૪૮). આટલી જ હકીકત પ્રજ્ઞાપનામાં છે, પરંતુ આ વિષે ષટૂખંડાગમમાં વિસ્તૃત ચર્ચા જોવા મળે છે. કર્મના સ્થિતિબંધનાં અધ્યવસાનઃસ્થાનેની ચર્ચા માટે પ્રથમ ચૂલિકામાં ઘણો વિસ્તાર છે તેમાં ખાસ કરી સર્વતેકબંધસ્થાનના સ્વામીથી માંડી સર્વોત્કૃષ્ટબંધનું સ્થાન કોને, જીવોમાં સંકલેશ અને વિશુદ્ધિનું તારતમ્ય, અલ્પબદુત્વ આદિની ચર્ચા છે (પુ. ૧૧, પૃ. ૧૩૯). બીજી ચૂલિકા તે સ્થિતિબંધના અધ્યવસાયસ્થાની પૂરી ચર્ચા માટે જ છે (પુ૧૧, પૃ. ૩૦૮). આ પછી ભાવવિધાન નામના પ્રકરણમાં બે ચૂલિકા છે, જેમાં એકમાં ઉપશમ અને ક્ષપકશ્રેણીનું તારતમ્ય (પુ. ૧૨, પૃ. ૮૦) અને બીજીમાં અનુભાગબંધનાં અધ્યવસાયસ્થાની વિસ્તૃત ચર્ચા છે (પુ. ૧૨, ૫ ૮૭). પરિચારણાધારમાં દેવની બાબતમાં પરિચારણાની દષ્ટિએ આ પ્રમાણે ચાર વિકલ્પોને સંભવ બતાવ્યું છે (૨૦૫૧) : ? - Page #289 -------------------------------------------------------------------------- ________________ 1. દેવા 3. ૪. .. સદેવી દેવી "" ૨૬૮ સપરિચાર અપરિચાર સર્પરિચાર અપરિચાર પરંતુ જણાવ્યુ છે કે એવું બનતું નથી કે દેવ સદેવી ડ્રાય છતાં પણ અપરિચાર હાય, એટલે કે ઉક્ત ચારમાંથી ખીજો વિકલ્પ સંભવતા નથી (૨૦૧૧). આનુ' સ્પષ્ટીકરણ એ છે કે ભવનપતિ, વાણુન્યતર, ન્યાતિ અને વૈમાનિકામાંથી પ્રથમનાં એ વિમાને—સૌધમ અને ઈશાન—માં દેવીએ હાય છે તેથી તે સૌમાં પ્રથમ વિકલ્પ છે; એટલે કે તેમાં કાયિક પરિચારણા છે—દેવદેવીનુ મૈથુન હોય છે (૨૦૧૨), સનમારથી માંડી અચ્યુતકલ્પ સુધીનાં વિમાનામાં માત્ર દેવા જ હોય છે, દેવી હોતી નથી, તેથી તેમાં તીજો વિકલ્પ છે. એટલે કે તે વિમાનામાં દેવીઓ નથી છતાં પરિચારણા છે(૨૦૧૧). પરંતુ ત્રૈવેયક અને અનુત્તર વિમામાં દેવી પણ નથી અને પરિચારણા પણ નથી. તેથી તેમાં ચેથા વિકલ્પ છે (૨૦૧૧)૪ દેવી નથી છતાં પરિચારણા કેમ સ ંભવે તેનુ સ્પષ્ટીકરણ એ છે કે (૨૦૧ર) : ૧. સનકુમાર-માહેન્દ્રકલ્પમાં સ્પેશ પરિચારણા. ૨. બ્રહ્મલાક—લાંતકપમાં રૂપપરિચારણા. ૩. મહાશુક્ર-સહસ્રારમાં શબ્દપરિચારણા. ૪. આણત-પ્રાણુત-આરણુ-અચ્યુતકલ્પમાં મનઃપરિચારણા. કાયપરિચારણામાં જ્યારે દેવાને ઇચ્છામન'ની ઉત્પત્તિ-એટલે કે કાયપરિચારણાની ઈચ્છા-થાય છે, ત્યારે દેવીઓ-અપ્સરાઓ મનેારમ રૂપ, ઉત્તરવૈક્રિય શરીર ધારણ કરીને હાજર થાય છે (૨૦૧૨ [૨]), અહીં ઈચ્છામન’ શબ્દ ઘ્યાન દેવા જેવા છે. આથી સ્પષ્ટ થાય છે કે હુ॰ મનની બાબતની સ્પષ્ટ કલ્પના નિશ્ચિત થઈ ન હતી. પરિચાવણા સમાપ્ત થયે ઇચ્છામન ચાલ્યું જાય છે. અપ્સરા સાથે દેવાની કાયપરિચારણાનુ` ટીકામાં સ્પષ્ટીકરણ કર્યુ છે કે મનુષ્ય જેમ જ મૈથુનસેવન (ટી૦ પત્ર ૫૪૯, ૫૫૦). મૂળમાં એ પણ જણાવ્યુ ૪. આ દેવામાં પરિચારણા નથી, છતાં તેમને બ્રહ્મચારી ન કહેવાય; કારણ કે તેમનામાં ચારિત્રપરિણામ નથી. –ટી, પત્ર ૫૪૯. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ છે કે એ દેવોમાં શુકના પુગલે હોય છે અને તે અસરામાં જઈને પાંચ ઈન્દિરૂપે પરિણમે છે અને અપ્સરામાં રૂપ-લાવણ્યના વર્ધક પણ બને છે. અહીં એ ધ્યાન દેવા જેવું છે કે આમાં પણ પાંચ ઇન્દ્રિયને ઉલ્લેખ છે, મનને નથી (૨૦૫ર [૨]). અહીં એ પણ જાણવું જરૂરી છે કે દેવના એ શુકથી અપ્સરામાં ગર્ભાધન થતું નથી,' કારણ કે દેવોને વૈક્રિયશરીર છે અને તેની ઉત્પત્તિ ગર્ભમાં નથી પણ ઔપપાતિક છે. જ્યાં સ્પર્ધાદિથી પ્રવિચારણું હોય છે તે તે દેવકમાં દેવી નથી હોતી, પણ જ્યારે ઇચ્છા થાય છે ત્યારે અપ્સરાએ વિદુર્વણું કરીને હાજર થાય છે. અને તે દે અનુક્રમે સ્પર્શાદિથી જ સંતુષ્ટિ અનુભવે છે (૨૦૫૩ [૫]); તે જ તેમની પરિચાર છે. તે દેવમાં પણ શુકવિસર્જન છે, પરંતુ ટીકાકારે ખુલાસો કર્યો છે કે “ પુત્રસંસ્મો ધ્યિામાવાવલેઃ” અર્થાત દેવ-દેવીને સંપર્ક નહીં છતાં દેવીમાં દૈવી પ્રભાવને ક્રમે શુક્રસંક્રમણ થાય છે અને તેનું પરિણમન પણ તેમના રૂપલાવણ્યમાં વૃદ્ધિકારક બને છે (દી પક્ષ ૫૫૧). આરણથી માંડીને માત્ર મનઃપરિચારણા છે અને તેથી તે તે દેવોની પરિચારણાની ઈચ્છા થયે દેવીઓ પિતાને સ્થાને રહીને જ મનેરમ શૃંગાર ધારણ કરે છે અને તે તે દેવ પિતાને સ્થાને રહ્યા રહ્યા જ મનઃસંતુષ્ટિ મેળવે છે (૨૦૫ર []). અને દેવીઓ પણ પિતાને સ્થાને રહી રૂપ લાવણ્યવતી. બની જાય છે. અને દેવોનું પરિચારણાની દષ્ટિએ અલ્પબહુત વિચારાયું છે; તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિગત ક્રમ આવે છેઃ અપરિચારકે, મનપરિચાર, શબ્દપરિચારક, રૂપપરિચારકે, સ્પર્શ પરિચારકે, કાયપરિચારકે (૨૦૧૩). પરંતુ પરિચરણમાં ઉત્તરોત્તર સુખની વૃદ્ધિની દષ્ટિએ આથી ઊલટે ક્રમ છે; સૌથી ઓછું સુખ કાયપરિચરણમાં, પણ સૌથી વધારે સુખ અપરિચારણ- વાળા દેવોમાં છે. (ટી. પત્ર પર). ૫. “વરું તે વૈબિરાજરત્તતા રૃતિ ન જધાનદેતવઃ”—ટી પત્ર ૫૫૦. ૬. આમ સહસ્ત્રાર સુધી દેવીઓ જાય છે. અને જ્યાં સુધી કેટલા આયુવાળી દેવી જાય તે માટે જુઓ ટીકા પત્ર પેપર . Page #291 -------------------------------------------------------------------------- ________________ २७० ૩૫ સુ‘વેદના” પટ્ટ : જીવાની વેદના ૧૬ડકામાં જીવાને નાના પ્રકારની વેદનાને જે અનુભવ થાય છે, તેની ચર્ચા “આ પદમાં છે. વેનાના અનેક રીતે પ્રકારે બતાવવામાં આવ્યા છે, તે આ પ્રમાણે છે : (૧) શીત, ઉષ્ણુ, શીતેાધ્યુ (૨૦૧૫). (૨) દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ (૨૦૬૬). (૩) શારીરિક, માનસિક, શારીરિક-માનસિક (૨૦૧૩). (૪) સાતા, અસાતા, સાતાસાતા (૨૦૬૬). (૫) દુ:ખા, સુખા, અદુઃખા—અસુખા (૨૦૬૯). (૬) આલ્યુપગમિકી, ઔપક્રમિકી (૨૦૭૨). (૭) નિદા, અનિદા (૨૦૭૭), ૨ : લક્ષ્મ`ડાગમમાં વેનાખંડ ચોથા છે તે પુ. ૯ થી શરૂ થાય છે. તેમાં ક્રમ પ્રકૃતિનું વિવરણુ ૨૪ અનુયોગદ્રારા વડે કરવામાં આવ્યુ છે. તેમાં ખીજું દ્વાર વંદના' નામે છે. તે ‘વેદના' દ્વારનું વિવરણુ પુસ્તક ૧૦ માં છે. અને તે વેદનાનું વિવરણ ૧૬ અનુયોગંદ્રારા વડે કરવામાં આવ્યુ છે. તેમાં પ્રજ્ઞાપનાગત વેદનાના બીજો પ્રકાર, જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ-એ રૂપે છે, તેનુ' વિસ્તારથી વિવરણુ એ જ નામનાં ચાર દ્વારા વડે કરવામાં આવ્યું છે. (પુ. ૧૦, પૃ. ૧, ૧૮; પુ. ૧૧, ૧; પુ. ૧૨, પૃ. ૧). વેદનાના સ્વામીની ચર્ચા પ્રજ્ઞાપનામાં દંડકાને આધારે કરી છે, જ્યારે લક્ષ્મ`ડાગમમાં સ્વામિત્વના વિચાર નયદ્રષ્ટિએ સ્યાત્' શબ્દના યાગ વડે, ભંગામાં કર્યાં છે. (પૃ॰ ! ૧૨, પૃ૦ ૨૯૪). ઉપરાંત, દ્રવ્ય આદિ દ્વારામાં સ્વામિત્વને વિચાર છે જ (પૃ ૧૦, પૃ૦ ૨૬૮; પુ૦ ૧૧, પૃ૦ ૧૧, ૧૩૨; પુ॰ ૧૨, પૃ॰ ૧૨). ૧. જુદાં જુદાં નરક સબંધી વેદના વિષે સૂ૨૦૧૭ ની ટીકામાં—ખ્તાવસૂત્ર चिरन्तनेष्वविप्रतिपत्त्या श्रूयते । केचिदाचार्याः पुनरेतद्धिपयमधिकमपि सूत्र ं પટન્તિ :તતન્તમતમા’-આચાય મલયગિરીએ આ પ્રમાણે કહ્યું છે. ટીકા. પત્ર ૫૫૫. ભગવતી, ૧૯. ૫. ૬૫૬ માં આ જ ભાખત છે અને તે માટે પ્રજ્ઞાપનાની ભલામણ છે. અહીં મલયગિરિ કહે છે-“નિવાનિયાવિતસ્તુ વિશેષો ન गृहीतो विचित्रत्वात् सूत्रगतेः ' Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ એમ લાગે છે કે કર્મના વિપાકને પૂરે વિચાર નિશ્ચિત રૂપ ધારણ કરે તે પહેલાં તેનો વિચાર “વેદના” નામે થતું હતું અને એ “વેદના” વિષે જે વિવિધ વિચારણાઓ પ્રાચીનેએ કરી હતી તેને સંગ્રહ પ્રસ્તુત પદમાં છે. આ માટે વિશેષ રૂપે ભગવતી ૩.૩ જોવું, જ્યાં ક્રિયા અને વેદનાને વિચાર છે અને વળી જુઓ, ભગવતી 9.૬. (ભગવતીસાર, પૃ. ૪૮૧); ૧૯૩; ૧૯૪; ૧૯.૫; ૬.૧; ૧૬.૪ (ભગવતીસાર, પૃ. ૪૬-૫૦). વેદનાના પ્રકારોમાં નિદા-અનિદા એ પ્રકાર વિષે આચાર્ય અભયદેવ ભગવતીની ટીકામાં જે સ્પષ્ટીકરણ કરે છે તે આ છે –“નિયતં સાનં શુર્નાિવશ્ય “g शोधने' इति वचनात् निदा ज्ञानमाभोगः-इत्यर्थः । तद्युक्ता वेदनाऽपि निदाઅમો વીત્યર્થઃ | ભગવતી ટીકા, ૧ ૫. ૬૫૬, પૃ. ૭૬૯ અને આચાર્ય મલયગિરિએ તેનું વિવરણ આ પ્રમાણે કર્યું છે : "नितरां निश्चितं वा सम्यक् दीयते चित्तमस्यामिति निदा, बहुलाधिकारात् 'उपसर्गादात' રૂદિ ઘન, સામાજોન જિવત–વવિધૈવતી વા રૂસ્યર્થઃ ” ટીકા, પત્ર પપ૭. ળિયા' ને પાઈઅસદમહોમાં દેશ્ય શબ્દ જણવ્યો છે. શીતોષ્ણ વેદના વિષે ટીકાકારે શંકા કરી છે કે ઉપયોગ ક્રમિક છે તો શીત અને ઉણ એ બન્નેને યુગપદનુભવ કેવી રીતે થાય ? એનું સ્પષ્ટીકરણ એ કર્યું છે કે વસ્તુતઃ ઉપયોગ કમિક જ છે. પણ શીધ્ર સંચારને કારણે અનુભવમાં ક્રમ નથી જણ તે તેથી તે અપેક્ષાએ સૂત્રમાં શીતોષ્ણુની વેદના યુગપ૬ સમજવી.ટી પત્ર ૫૫૫. આ જ ન્યાય શારીરિક-માનસિક સાતાસાતા વિષે પણ છે. પત્ર ૫૫૬ ૨, ૫૫ ૨. અદુઃખા-અસુખ વેદનાને અંર્થ ટીકામાં છે–સુખદુઃખાત્મિકા એટલે કે જેને સુખ સંજ્ઞા ન આપી શકાય, કારણ કે એમાં દુઃખને પણું અનુભવ છે; અને દુઃખ સંજ્ઞા પણ ન આપી શકાય. કારણ કે એમાં સુખને પણ અનુભવ છે–એવી વેદના. પત્ર ૫૫૬. સાતા-અસાતા અને સુખ–દુઃખ, એમાં શો ભેદ છે ?–આ પ્રશ્નને ટીકાકાર ઉત્તર આપે છે કે વેદનીય કમનાં પુગલોને ક્રમ પ્રાપ્ત ઉદય થવાથી જે વેદના થાય તે સાતા–અસાતા, પરંતુ જ્યારે બીજો કોઈ ઉદીરણ કરે અને જે સાતાઅસાતાને અનુભવ થાય તે સુખ-દુઃખ કહેવાય. ટી. પત્ર પપ૬. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ પોતે જે શરીર પીડાને સ્વીકારે તે આભુપગમિકી, જેમ કે કેશના લોચ આદિથી થતી પીડા. કર્મના ઉદીરણાકરણ વડે વેદનીયને ઉદય કરવાથી થતી પીડા તે ઔપક્રમિકી. ટીકા, પત્ર ૫૫૬. પ્રસતતમાં પણ નારકને સંજ્ઞી અને અસંજ્ઞી બનેને પ્રકારના જણાવ્યા છે અને સંસીને નિદા વેદના અને અસંજ્ઞીને અનિદા વેદના જણવી છે, તે ધ્યાનમાં લેવા જેવું છે (૨૦૦૮). પખંડાગમમાં સાતા-અસાતા એવા વેરનીયના ભેદને આધારે વિપાકની ચર્ચા છે, પરંતુ વેદનાવિધાન પ્રકરણમાં નાની અપેક્ષાએ વેદનાનું વર્ણન કરવાને પ્રસંગે- માળિયા વેચા, uિvir વેચા, વસતા યા–એ પ્રકારે પણ કહ્યા છે અને તેને લઈ અનેક ભંગ થાય છે. પુ. ૧૨, પૃ. ૩૦-૩૬ ૩. ૩૬ મું “સમુદ્દઘાત પદ : સમુદ્યાવિચારણું પખંડાગમમાં સ્વતંત્ર રીતે સમુઘાતની ચર્ચા નથી. એટલે કે પ્રસ્તુતમાં પ્રજ્ઞાપનામાં જેમ “સમુઘાત સાત છે' એ નિર્દેશ કરી તેની વિવિધ રીતે ચર્ચા દંડકોમાં છે, તેવું ષખંડાગમમાં નથી. પણ માગણદારોમાં જવાં ક્ષેત્ર અને સ્પર્શની ચર્ચાને પ્રસંગ છે ત્યાં સમુધાતની અપેક્ષાએ તે બન્નેને વિચાર જેવા મળે છે; અને તેમાં પણ સામાન્ય સમુઘાતની વાત છે, કઈ વિશેષ સમુદ્ધાતની અપેક્ષાએ તે ચર્ચા નથી.–૫૦ ૭, પૃ. ૨૯૯, ૩૬૯. આ ઉપરાંત પખંડાગમમાં પ્રાસંગિક રીતે “વેચનસમુઘદ્ર', “ભારતિયસમુદ્ર “વર્જિતમુઘી –આ ત્રણ પ્રકારને ઉલ્લેખ મળે છે.–૫૦ ૧૨, પૃ. ૪૯૮, ૪૯૯, ૫૦૬, ૫૦૭. પ્રજ્ઞાપનામાં વેદના, કષાય, મરણું વૈક્રિય, તેજસ, આહારક અને કેવલી આ સાત સમુદ્દઘાત ગણાવ્યા છે (૨૦૮૫, ૨૦૮૬), પરંતુ તેમની કઈ વ્યાખ્યા આપી નથી. વળી, માત્ર કષાયસમુદ્ધાતના ચાર ભેદે કૅધ, માન, માયા ૧. આ વિષે જુઓ સ્થાનાગ-સમાવાયાંગ, પૃ. ૩૮૮-૮૯; ભગવતી ૨. ૨; ભગવતીસાર, પૃ. ૯૨-૯૫. કેવલિસમુદ્ધાત માટે જુઓ વિશેષાવશ્યકભાષ્ય, ૩૬૪૧. આને મળતી વિસ્તૃત ચર્ચા પ્રજ્ઞાપનામાં સ્થાનપદમાં છે. સૂ૦ ૧૪૮ થી. ૩. પ્રજ્ઞાપનામાં છવોમાં તેજસ અને કામણ શરીરની મારણુતિકસમુદઘાતચર્ચા માટે જુઓ સૂ૦ ૧૫૪૫–૫ર. Page #294 -------------------------------------------------------------------------- ________________ ર૭૩ સમદુધાત જષ્ણવ્યા છે (૨૧૩૩) વળી, પ્રથમના છની સામાન્ય સંજ્ઞા છે– છદ્મસ્થના સમુદ્ધાતો (૨૧૪૭). તે છાઘસ્થિક સમુદ્યાતોને દંડમાં વિચાર છે (૨૧૪૮-૫૨). સમુદ્ધાત શબ્દની વ્યાખ્યા આચાર્ય મલયગિરિએ આપી છે કે તે તે વેદના આદિના અનુભવરૂ૫ પરિણમે સાથે આત્માને એકીભાવ, અર્થાત્ તદિતર પરિણામમાંથી વિરત થઈ તે તે વેદનીયાદિ કર્મના ઘણું પ્રદેશને ઉદીરણુ વડે વહેલાં ઉદયમાં લાગી ભોગવી તેમની નિજા કરવી તે, અથત આત્માથી ખંખેરી નાખવા તે-ટીકા, પત્ર ૫૫૯. તેમાં કયા કમની નિજર કયા સમુદ્દઘાતમાં છે તેનું વિવરણ આ પ્રમાણે છે : ૧. વેદના સમુદ્દઘાતમાં અસદનીય કમની નિજ રા. ૨. કષાયસમુદ્ધાતમાં કષાયમહનીયની નિજર. ૩. મારણતિક સમુધાતમાં આયુકર્મની (અંતિમ અંતમુહૂર્ત શેષ હોય ત્યારે). ૪. વૈક્રિયસમુદ્ધાતમાં વૈક્રિયશરીરનામકર્મની. ૫. તેજસ સમુદ્ધાતમાં તૈજસશરીરનામકર્મની. ૬. આહારક સમુદ્ધાતમાં આહારકશરીરનાકમની. ૭. કેવલિસમુદ્ધાતમાં સદસનીય કમ, શુભાશુભ નામકમ, ઊંચ-નીચ ગેત્રકર્મની–પ્રજ્ઞા. ટી, પત્ર ૫૫૯. સમુદ્યાતના સમયની મર્યાદા આ પ્રમાણે છેઃ કેવલિસમુઘાત આઠ સમયને છે, પરંતુ અન્ય અસંખ્યાત સમયના અન્તમુહૂતકાળના છે (૨૦૮૭-૮૮). સાતમાંથી કેટલા ક્યા જીવોને હોય તેનું સ્પષ્ટીકરણ છે કે નારકમાં પ્રથમના ચાર; ભવનપતિ, પંચે દ્રિય તિયચ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકમાં પ્રથમ પાંચ; વાયુ સિવાયના એકેન્દ્રિયથી માંડી ચતુરિન્દ્રિયમાં પ્રથમના ત્રણ; વાયુમાં પ્રથમના ચાર; અને મનુષ્યમાં સાતેય સમુદ્યાત હોય છે (૨૦૦૯-૨૯૨). એકેક જીવમાં અને તે તે દંડકોના નાના જીવોમાં અતીત કાલમાં સંખ્યામાં કયા ક્યા સમુધાત હોય અને ભવિષ્યમાં કેટલી સંખ્યામાં ક્યા કયા સંભ તેની સૂચના પ્રતાપનામાં છે (૨૦૯૩–૨૧૦૦). ઉપરાંત, એક દંડકના એકેક જીવને કે તે દંડકના જીવોને તે તે રૂપે (સ્વસ્થાને) અને અન્ય દંડકના કવરૂપે (પરસ્થાને). ૮. એક અને નાના જીવોની અપેક્ષાએ વિચારણા કરવાની પદ્ધતિ પખંડાગમમાં પણ દેખાય છે.–૫૦ ૭, પૃ૦ ૨૫. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ભૂત-ભવિષ્યમાં કેટલા અને કયા સમુદ્ધાતા સંભવે તેની ચર્ચા પણ કરવામાં આવી છે (૨૧૦૧-૨૧૨૪). સમુદ્ધાતની અપેક્ષાએ જીવાનુ અલ્પબહુત્વ વિચારાયુ' છે તેમાં જધન્ય સંખ્યા આહારક સમુદ્ધાત કરનારની છે અને સૌથી વધારે સખ્યા વેદનાસમુદ્ધાત કરનારની છે. પણ તેથી પણ અધિક એવા જીવા છે, જે સમુદ્ધાત વિનાના છે (૨૧૨૫). દડકામાં પણ આવી સમુદ્ધાતની અપેક્ષાએ અપબહુત્વની વિચારણા કરવામાં આવી છે (૨૧૨૬૨૧૩૧). પાયસમુદ્ધાતના ચાર પ્રકાર જણાવ્યા છે અને એ ચારેની અપેક્ષાએ દડકામાં અતીત કાળ તથા ભવિષ્યકાળના સમુદ્ધાતાની વિચારણા એક જીવ અને નાના જીવાની અપેક્ષાએ કરવામાં આવી છે (૨૧૩૭-૨૧૩૮). આમાં પણ સ્વસ્થાને અને પરસ્થાનની અપેક્ષાએ એટલે કે નારક હોય તેા નારકરૂપે અને તર રૂપે તેને કેટકેટલા અતીત-ભવિષ્યમાં કષાયસમુદ્ધાતા સંભવે તેના પણ વિચાર છે (૨૧૩૯–૨૧૪૧),એટલુ' જ નહિ પણ તેમાં અલ્પબહુત્વને વિચાર પણ કરવામાં આવ્યા છે (૨૧૪૨-૪૬), વળી સિવાયના છ ાદ્યસ્થિક સમુદ્ધાત છે અને તેમાંના કયા કયા તે તે દંડકામાં હોય એની વિચારણા કરવામાં આવી છે (૨૧૪૭-૫૨). પરંતુ ધ્યાન દેવા જેવી વાત એ છે કે સૂત્રમાં માત્ર અસુરકુમાર દેવેશ સિવાયના કોઈ પણ દેવાના...ડકાના ઉલ્લેખ નથી. સભવ છે કે આ ત્રુટિને નિવારવા આચાય. મલયગિરિએ લખ્યુ કે અસુકુમારાવીનાં સર્વેષાવિ લેવાનામાહારસમુદ્ધાતવર્ગા: શેત્રા: વજ્જ સમુદ્ધાતાઃ । ટી॰, પત્ર ૫૯૦ મ. આ પછી વેદના આદિ સમુદ્ધાતાના અવગાહન અને સ્પર્શીની દષ્ટિએ વિચાર છે, તેમાં તે તે સમુદ્ધાત વખતે તે તે જીવની અવગાહના અને સ્પના કેટલી હાય તે જણુાવ્યુ` છે, અને તે અવગાહના અને સ્પશ` કેટલા કાળનાં હોય તે પણ જણાવ્યું છે (૨૧૫૩–૨૧૭૨). સાથે સાથે સમુદ્ધાત વખતે તે તે જીવને કેટલી ક્રિયા હોય તેને પણ વિચાર કરવામાં આવ્યો છે(૨૧૫૩ ત્યાદિ.) આમાં વિશેષત: કે.લસમુદ્ધાતની ચર્ચા વિસ્તારથી છે (૨૧૬૮-૨૧૭૫), તેમાં સયેાગી તે સિદ્ધ્ થાય નહિ તેથી કરીને ક્રમે મન, વયત અને કાયયેાગને નિરેધ કરી અયેાગી થયે તે સિદ્ધ થાય છે એમ જણાવ્યુ` છે, કારણ કે હવે નવા કમ`તું યોગ દ્વારા આગમન વ થાય છે અને જૂના કર્માંને ક્રમે કરી ક્ષીણુ કરી નાખે છે, અને સાકાર ઉપયેાગમાં વર્તમાન સિદ્ર થાય છે (૨૯૭૫). ગ્રંથને અ ંતે સિદ્ધંના રૂપની ચર્યાં છે . (૨૭૬), Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ પ્રજ્ઞાપના સુત્રની વ્યાખ્યાઓ, (૧) આચાર્ય હરિભકૃત પ્રદેશવ્યાખ્યા આ પ્રદેશવ્યાખ્યા પ્રસિદ્ધ ભવવિરહ હરિભદ્રસૂરિએ લખી છે. પ્રારંભમાં “સાપનો TFાનો પ્રારતે કહ્યું છે તેથી પ્રજ્ઞાપનાના અમુક અંશે અનુયોગ-વ્યાખ્યાન અભિપ્રેત છે એમ સ્પષ્ટ છે. આચાર્ય હરિભદ્ર પ્રજ્ઞાપનાનો ઉપાંગ તરીકે ઉલ્લેખ કરે છે, પરંતુ આચાર્ય મલયગિરિની જેમ તે “સમવાયાંગનું ઉપાંગ છે તેમ જણાવતા નથી. આથી અમુક અંગનું અમુક ઉપાંગ એવી વ્યવસ્થા ક્યારેક આચાર્ય હરિભદ્ર પછી, પણ આચાર્ય મલયગિરિ પૂવે, થઈ ગઈ હશે એમ માનવું રહ્યું. વળી, આ વ્યાખ્યાને “અવચૂર્ણિકા” એવું નામ પણ આપી શકાય તેમ છે, કારણ કે આચાર્ય હરિભદ્ર એક ઠેકાણે –“પ્રજાતિવાફેર અવqળમાત્રમૈતવિતિ” -પૃ૦ ૨૮, ૧૧૩–આ પ્રમાણે જણાવે છે. આચાર્ય હરિભદ્ર આ પ્રદેશવ્યાખ્યા લખી તે પહેલાં પણ કોઈએ પ્રજ્ઞાપના ઉપર નાની-મોટી ટીકા અવશ્ય લખી હશે, અને તે ચૂર્ણિરૂપે હશે એમ જણાય છે, કારણ કે ઘણે ઠેકાણે – તિહુ મવતિ“ “મું મવતિ', “મયમત્ર ભાવાર્થ, “મત્ર દૃરમ્' “હૈિ મવ' ઇત્યાદિ શબ્દ સાથે કે તે વિના જે વિવરણ મળે છે તે પ્રાકૃતમાં હોય છે અને કવચિત સંસ્કૃતમાં પણ મળે છે.-–પૃ૦ ૧૨, ૧૬, ૧૭, ૧૯, ૨૧, ૨૩, ૨૭, ૨૯, ૩૦, ૩૫, ૪૧, પર, ૬૮, ૬૯. ૭૦, ૭૨, ૧૦૯, ૧૧૨, ઈત્યાદિ. એ ચૂર્ણિકાર કોણ હશે તે કહેવું કઠણું છે, પણ સંભવ એવો છે કે તે આચાર્ય હરિભદ્રના ગુરુ હોય, કારણ કે “ઈવે તાવનું પૂગતા વ્યાવક્ષતે પૃ. ૭૫, “ગુરવસ્તુ” ૧૧૮, “ તુ પૂગ્યાઃ” પૃ૦ ૧૨૨, “વત્ર રવો શ્રાવતે પૃ. ૧૧. ૧૪૭, ગુરવો વળત્તિ' પૃ. ૧૫ર–એવા ઉલ્લેખ આ વ્યાખ્યામાં મળે છે. વળી, એ વાત તો નિશ્ચિત જ છે કે આની ઉક્ત ચૂર્ણિ સિવાય પણ અન્ય એક કે અનેક વ્યાખ્યા આચાર્ય હરિભદ્ર પૂવે હશે જ. કારણ કે પ્રસ્તુત વ્યાખ્યામાં મતાંતરની વ્યાખ્યાનાં અનેક સ્થળે નેધ્યાં છે, જેમાં એવાં કેટલાંક ૧. આચાર્ય હરિભદ્રના વિસ્તૃત પરિચય માટે “સમદર્શ આચાર્ય હરિભદ્ર' જેવું. ર. ચણિને ઉલેખ આચાર્ય મલયગિરિ પણ કરે છે.—પત્ર ૨૬૯, ૨૭૧.. Page #297 -------------------------------------------------------------------------- ________________ સ્થળ હોવાને સંભવ ખરે કે જે અન્ય ગ્રંથની વ્યાખ્યામાંથી લીધાં હેય.. ઉપરાંત એવાં પણ અનેક સ્થળો છે, જે આ જ ગ્રંથની વ્યાખ્યાની સૂચના આપી દે તેવાં છે. આવાં મતાંતરો માટે જુઓ પૃ૦ ૧૩, ૧૪, ૧૬, ૧૯, ૨૦, ૨૧, ૨૩, ૩૬, ૩૭, ૬૦,૬૧, ૬૫, ૭૧, ૭૫, ૭૮, ૭૦, ૮૩, ૧૧૬, ૧૧૭.. ૧૧૯, ૧૦, ૧૩૩, ૧૩૪, ૧૪૫ ઇત્યાદિ. કેટલાંક મતાંતરે વિષે તે આચાર્ય હરિભદ્ર પિતાને સ્પષ્ટ નિર્ણય જણાવ્યા વિના માત્ર ગુરુને મત રજૂ કર્યો છે–“gવું તાત્ પૂજ્યપાલ વ્યાતિ, પુનરચા, તમિત્રાર્થ પુનતિન મીરવાન વયમવાછામઃ”–પૃ. ૭૫, ૧૧૮; તે. વળી કેટલીક જગ્યાએ કેટલાકના વિધાનને અસંગત જણાવેલ છે –“સત્ર ચિત્રतिगहनत्वात् प्रस्तुतस्य भ्रान्त्या लिखितं किलोपशमश्रेण्यनन्तर क्षपकश्रेणी प्रतिपद्यत રુતિ એ તપતિશ્ચમ..” પૃ૦ ૧૧૬. વાચક ઉમાસ્વાતિના તત્વાર્થસૂત્રને નામ વિના ઉલ્લેખ અનેક સ્થાનેએ કર્યો છે અને ભાષ્યમાંથી પણ અવતરણો લીધાં છે.–પૃ૦ ૯૯, ૧૪૯, ૧૫૩, ૧૫૮ ઇત્યાદિ વળી, વાચક ઉમાસ્વાતિને “સંગ્રહકાર એવા સામાન્ય નામે ઉલ્લેખીને તત્વાર્થસૂત્રમાંથી સૂત્ર ઉધૃત કરે છે–પૃ૦ ૧૦૧. તેઓ પિતાની આવશ્યકટીકા (પૃ. ૨) ઉપરાંત બીજા અનેક ગ્રંથને અને ગ્રંથકારોને નામ દઈને કે નામ વિના ઉલ્લેખ કરે છે જેમ કે “નિરિવારે– પૃ૦ ૧૦૫, સિદ્ધામૃત પૃ. ૧૧; અનુયાગદ્વાર પૃ. ૩૨; છવાભિગમ પૃ. ૨૮; પ્રાપ્તિ (ભગવતી) પૃ. ૩૩; ઉત્તરાધ્યયન-પૃ. ૧૧૧; “વિવરણ પ્રત્યેન' પૃ૦ ૧૦૫; “મણિશં ૨ યુરિë પૃ. ૨૯; “સઘળીવાનું પૃ૦ ૫૩; પ્રતિસંધ્યાયામ અથવા “મપયડીf” પૃ૦ ૫૧, ૫૯, ૧૦૦, ૧૨૯. ૧૪૦; સંઘાર' પૃ૦ ૪૨, “વાદિમુન પૃ. ૪. આખી ટીકામાં “૩ =” કહીને અનેક પ્રાકૃત ગાથાઓ આપવામાં આવી છે અને સંસ્કૃત કારિકાઓ પણ છે, જે આચાર્ય હરિભદ્રનું બહુમુખી પાંડિત્વ પ્રદર્શિત કરે છે. આચાર્ય મલયગિરિએ આ વ્યાખ્યાને સંપૂર્ણ રીતે ઉપયોગ કર્યો જ છે અને તેને નિર્દેશ પણ કર્યો છે. જે કેટલાંક વાદસ્થળો આચાર્ય મલયગિરિની વ્યાખ્યામાં દેખાય છે તેને આધાર પણ પ્રસ્તુત ટીકા છે એ બન્નેની તુલના , કરવાથી સહેજે સમજાઈ જાય તેમ છે. ' આચાર્ય હરિભદ્રને સમય લગભગ નિશ્ચિત જ છે અને તે ઈ. સ. ૭૦૦૭૭૦ માનવામાં આવે છે. - Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ (૨) આચાર્ય અભયદેવકૃત, પ્રજ્ઞાપનાતીયપદગ્રહણ અને તેની અવચૂર્ણિ, પ્રજ્ઞાપનામાં સર્વ જીવોના અલ્પબદુત્વ વિષેની ચર્ચા તીજા પદમાં છે. તે પદને ૧૩૩ ગાથામાં બદ્ધ કર્યું છે. આચાર્ય અભયદેવે (સં. ૧૧૨૦-) જ તેને “સંગ્રહ' એવી સંજ્ઞા આપી છે– "इय अहाणउइपयं सवजियप्पवहुमिइ पयं तइयं । पन्नवणाए सिरिअभयदेवसूरीहिं संगहिय॥" પરંતુ તે “ઘરનguળા એ નામે તથા પ્રજ્ઞાપનદ્ધાર એ નામે ઓળખાય છે. કારણ કે તેની સમાપ્તિને અંતે અને તેની અવચૂણિને અંતે પણ એ નામને 'નિર્દેશ છે; જુઓ, કુલમંડનકૃત અવચૂર્ણિ—લા. દ. સંગ્રહ, લા. દ. વિદ્યામંદિર, હસ્તપ્રત નં. ૩૬૭૩ અને મુનિ શ્રી પુણ્યવિજયજીને સંગ્રહ નં. ૬૬૪. આ સંગ્રહણીની અવચૂર્ણિ કુલમંડન ગણિએ સં. ૧૪૪૧માં રચી છે “श्रीदेवसुन्दरगुरोः प्रसादतोऽवगतजिनवचोऽर्थलवः । कुलमण्डनगणिरलिखदवर्णिमेकाब्धिभुवनाब्दे ॥" આ પ્રજ્ઞાપનાતીયપદસંગ્રહણી તેની અવર્ણિસહિત વિ. સં. ૧૯૭૪માં શ્રી આત્માનંદ જેન સભા (ભાવનગર) દ્વારા પ્રસિદ્ધ થયેલી છે. અહીં જણાવેલી કુલમંડનગણિત અવચૂર્ણિના બદલે આ મુદ્રિત અવચૂર્ણિ થડા વિસ્તારથી લખાયેલી છે અને તેના કર્તાનું નામ નથી મળતું, એમ તેની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. પણ સંભવ છે કે શ્રી કુલમંડનગણિકૃત અવચૂણિને જ વધુ સ્પષ્ટ કરવા ખાતર તેમાં કઈ વિદ્વાને થોડેક વધારો કર્યો હોય, એમ અમને લાગે છે. (૩) આચાર્ય મલયગિરિકૃત વિકૃતિ આચાર્ય હરિભદ્રની પ્રદેશવ્યાખ્યા કરતાં લગભગ ચારગણી વિસ્તૃત વ્યાખ્યા આચાર્ય મલયગિરિએ (લગભગ સં. ૧૧૮૮–૧૨૬૦) પ્રજ્ઞાપનાની કરી છે અને તે સંપૂર્ણ પ્રજ્ઞાપનાને સમજવા માટે ઉત્કૃષ્ટ સાધનભૂત છે. સ્વયં આચાર્ય મલયગિરિ કહે છે કે આ વ્યાખ્યાનો આધાર આચાર્ય હરિભદ્રની પ્રદેશ વ્યાખ્યા છે, ૩ - ૩. નથતિ મિદ્રસૂછિદ્િ વિદ્યુતવિનમrવાર્થઃ | , ' યદ્રવનવાદકવિ નાતો ન વિઠ્ઠતિઃ | પ્ર. ટી., પત્ર ૬૧૧. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પરંતુ એ વ્યાખ્યા ઉપરાંત આચાય` મલયગિરિએક અન્ય અનેક ગ્ર ંથાના સ્વતંત્ર ભાવે ઉપયાગ કરીને આ વ્યાખ્યાને સમૃદ્ધ બનાવી છે; ઉ. ત. સ્ત્રી તીથ ંકર થાય. છે કે નહિ એ ચર્ચા આચાય હરિભદ્રે માત્ર સિદ્ધપ્રાતના હવાલા આપી (પૃ૦ ૧૧) સમાપ્ત કરી હતી, જ્યારે આચાર્ય મલયગિરિએ સ્ત્રીમેાક્ષની ચર્ચા પૂ॰પક્ષ -ઉત્તરપક્ષ રચીને આચાય શાકટાયનને આધાર લઈને વિસ્તારથી કરી છે, પત્ર ૨૦, એ જ પ્રમાણે સિદ્ધના સ્વરૂપની ચર્ચા વખતે પણુ અન્ય દાનિકાના મતાની તુલના કરીને જૈનમતની સ્થાપના કરી છે, પત્ર ૧૧ર. પ્રજ્ઞાપનાના પાઠાન્તરોની ચર્ચા પણ અનેક ઠેકાણે મળે છે—પત્ર ૮૦, ૮૮ ૯૬, ૧૬૫, ૨૭૨, ૩૯, ૪૧૨, ૪૩૦, ૬૦૦. આચાય મલયગિરિએ પેાતાની ટીકાઓનાં અને ખીજા અનેક લેખકો અને ગ્રંથાનાં ઉદ્દેરણા આપ્યાં છે તે બતાવે છે કે આચાય મલયગિરિતુ પાંડિત્ય બહુમુખી હતુ - ‘વળિનિ:સ્વપ્રાકૃતયાળ' પત્ર ૫, ૩૬૫, ૮૩ત્તરાધ્યયનનયુ ાિથા' -પત્ર: ૧૨; સવિસ્તર નદ્યયનટીજાયાં વ્યાવ્યાતાનિ પુત્ર ૨૪, ૨૯૮, ૩૧૧, ૩૭૬; ‘પ્રજ્ઞાવનામૂટીાત્’કે મૂટીાારઃ પુત્ર ૨૫, ૧૧૪, ૧૯૪. ૨૦૨, ૨૬૩, ૨૮૦, ૨૮૩, ૨૯૪, ૩૦૫, ૩૨૫, ૩૬૨, ૩૭૨, ૩૮૩, ૩૮૪, ૩૯૧, ૪૭૦, ૪૯૦, ૫૪૬, ૫૪૭. ૫૬૪, ૫૬૮; ‘સત્પ્રદ્દળોમૂટી જવારો હરિમદ્રસૂરિ:’ પત્ર ૪૧૮, પપર; મૂટીજાયામૂ' પત્ર ૫૪૪, ૧૪૭, ‘નીવામિનમટીવા’ પત્ર ૪૪, ૪૫, ૪૭, ૪૮, ૫૧; ‘નામિમે’ પત્ર ૧૯૫; ‘નીવામિનમધૂળી' પત્ર ૩૦૮. અત્રાક્ષેરિહારો ચન્દ્રપ્રતિટીજાયાં સૂર્યપ્રતિષ્ઠાયાં વામિહિતૌ તિ તોડયષાયો'' પત્ર ૯૯; ‘ક્ષેત્રમાસટી’ પત્ર ૧૦૭; ‘અનુયામઢ રેવુ’ પત્ર ૧૧૪; ‘વ્રુદ્ધારા : પત્ર ૧૩૫. ‘પ્રાપ્ત’ પત્ર ૧૪૪, ૧૯. વ્યાવ્યાપ્રાપ્તૌ” પત્ર ૨૬૨; “તથા ચાહ अस्या एव प्रज्ञापनायाः सङग्रहणीकाराः પત્ર ૧૬૭; ‘ર્મપ્રકૃતિ પ્રખ્યામ્” પત્ર ૧૮૨; ‘સધ્ધળીનાથ' પત્ર ૨૦૧; ‘ધર્મસંત્રી' પત્ર ૬૧૧; ‘ધર્મસંપ્રીટીજાયામ્' પત્ર ૨૨૯, ૩૦૭; શોટન:' પત્ર ૫૯૯; ‘રાજૂનુરવિ' પત્ર ૨૪૯; ‘શારાયનન્યાસવૃત્’ પત્ર ૫૬૩; ‘વોર્ સરાન્દ્રાનુરાસનવિવરને’ પત્ર ૨૫૦, ૨૫૧૬ ‘તત્ત્વાર્થટીાયાં માવિતમ્' પત્ર ૨૫૧; ‘માવાનું મદ્રાદુસ્વામી’ પત્ર ૨૫૬, ૨૫૭; ‘માષ્યવૃત્’ પત્ર ૨૬૪, ૨૬૫, ૩૦૦-૨, 6 ૪. આચાય મલયગિરિ વિષેની વિસ્તૃત માહિતી માટે આયાય મલયગિરિકૃત શબ્દાનુશાસનની પ્રસ્તાવના જોવી. Page #300 -------------------------------------------------------------------------- ________________ ર૭૯ ૫૪૨, ૬-૨, ૬૩, ૬૫, ૬૦૮; “કૂકર' પરા ૨૬૯, ૨૭૧, ૨૭૨, ૨૭૭૬ પ્રજ્ઞાપનાથાશ્મળ પત્ર ૫૧૭; “પૂર્વારા પત્ર ૨૮૧; “પદ્મસંઘ ૨૮૩; “મટુંવાવિન પત્ર ૨૮૪; “ર્મપ્રતિટીયાં વસંપ્રદીવાય ” પત્ર ૨૯૨; “તત્ત્વાર્થસૂત્રકૃત પત્ર ૨૯૩; “તરવાથટીલી પત્ર ૨૯૮, ૨૯૯; “અવર નિર્યું પત્ર ૨૯૮; “તુતિજારો બાદ પગ ૩૦૩; “બાવરાથમીટિવાયા પત્ર ૫૪૭; વરવૂ પત્ર ૬૧૦; “અવય' પત્ર ૩૦૪, ૪૩૮, ૬૦૬; નવુચ્ચયનનૃત પત્ર ૩૧૦, ૩૧૧; “નિપુંજિલે પત્ર ૩૧૮; “થિતુ” પત્ર ૩૧૯, ૩૯૧; “માનવતા વર્મપ્રતિકૃતા શાવરાળ રાતાભે પત્ર ૩૩૧; “ તિરીવિષ” પત્ર ૩૩૧, ૪૮૦; “મિકસૂકિસિમિઃ પત્ર ૩૭૧; “ વિવાદ” પત્ર ૩૩૯; યથાવતૌ' પત્ર ૩૪૧; “માષ્યar” પત્ર ૬૦૪, ૬૦૬, ૬૧૦; “નિમણિ क्षमाश्रमणपूज्यपादाः' पत्र ३८०; 'तथा चाह दुष्षमान्धकारनिमग्नजिनप्रवचनप्रदीपो भगवान् નિગમનામાશ્રમઃ” પત્ર ૩૮૦; “શતશૃંગૂ’ પત્ર ૩૮૮; “સંપ્રદળીથા' પત્ર ૩૪૪, ૩૪૪; “સિદ્ધમતા' પત્ર ૩૫૭; “ત્તરને પત્ર ૩૬૬; “કાવારી પત્ર ૩૬૭, ૫૦૩; “સૂત્રકૃતનિ૦િ ” પત્ર ૫૧૧; “ વિષાવત્યા નિનામાજિક્ષમrકમળપૂરાવા પરા ૩૯૧; “વસુદેવરતે” પત્ર ૪૦૩; “માધ્યમ્ વકૃતમાગ્યટીજાયા' પત્ર ૪૨૪, ૫૪૧; “અલ્પત્તિ પત્ર ૪૬૭; “વઘાદિતમૂટી થા” પત્ર ૪૭૪, “હુન્ ગાગાળાથે દ્વિતીયપૂર્વે વર્મપ્રતિજ્ઞામ” પત્ર ૪૭૯; “પ્રકૃતિસં. મળવારઃ” પત્ર ૪૮૮, ૪૮૯; “સિદ્ધરિવાજ” પત્ર ૫૩૨; “વૃધ્યાયથા” પત્ર ૬૦૦; “નૂદીપપ્રગટ્ય’ પત્ર ૬૦૦; “ધર્મારકૂટાયાં હમિદ્રસૂરિ ” પત્ર ૬૦૫; પગ્રસંગ્રટી’ પત્ર ૬ ૦૯. આ સૂચીને આધારે જે કેટલાંક તો આપણી સમક્ષ આવે છે તે આ છેઃ પ્રજ્ઞાપનાની ચૂણિ કઈ પ્રાચીન આચાર્યે લખી હતી જે આચાર્ય હરિભદ્ર અને આચાર્ય મલયગિરિ બનેએ જોઈ હતી. પ્રજ્ઞાપના ટીકામાં આચાર્ય મલયગિરિજીએ પ્રજ્ઞાપના. સંગ્રહણ, શ્રાવક પ્રાપ્તિ અને ધર્મસારની મૂલટીકાને ઉલ્લેખ કરીને તેનાં અવતરણે આપેલાં છે. તેમાં સંગ્રહણી તથા ધર્મસારની મૂલટીકાના કર્તા આચાર્ય હરિભદ્રસૂરિને જણાવ્યા છે; જ્યારે શ્રાવકપ્રજ્ઞપ્તિની કેવળ મૂલટીકાને જ ઉલ્લેખ છે અને પ્રજ્ઞાપનાના સંબંધમાં મૂલટીકા, મૂલટીકાકાર કે મૂલટીકાકૃતને ઉલ્લેખ છે. અર્થાત પ્રજ્ઞાપના અને શ્રાવક૫. આમાં જે ઉદ્ધરણ આપેલાં છે તે પ્રકૃતિમાં છે, અને આચાર્ય હરિભદ્રમાં પણ તે તે જ રૂપે પ્રાકૃતમાં મળે છે–પૃ. ૮૫, ૮૬, ૮૭, ૯૧, ૧૪૮. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પ્રાપ્તિની મૂલટીકાના કર્તાના નામને ઉલ્લેખ નથી કર્યો. આથી અમે પ્રજ્ઞાપના અને શ્રાવક પ્રાપ્તિની હારિભદ્દી વૃત્તિ સાથે પ્રજ્ઞાપના-મલયગિરીયા વૃત્તિમાં આવેલાં સિમગ્ર અવતરણે મેળવી જેમાં અને તેથી સ્પષ્ટ થાય છે કે આચાર્ય મલયગિરિજીએ જણાવેલી પ્રજ્ઞાપનામૂલટીકા અને શ્રાવકપ્રતિમૂળટીકા તે આચાર્ય શ્રી હરિભદ્રસૂરિકૃત ટીકા જ છે. અલબત્ત, કેટલાંક અવતરણમાં અભ્યાધિક પાઠભેદ છે, તે તે સુદીર્ઘ સમયના અંતરના લીધે પ્રત્યંતરરૂપે સમજી શકાય. પ્રજ્ઞાપનાની સંગ્રહણી ગાથાબહ લખાઈ હતી અને ટીકા આચાર્ય હરિભ કરી હતી. આચાર્ય હરિભદ્ર ધસારની પણ ટીકા લખી હતી. આચાર્ય જિનભદ્ર પિતાના ભાષ્યની સ્વયં ટીકા લખી હતી. જે હવે મુદ્રિત થઈ ગઈ છે. આચાર્ય મલયગિરિએ શબ્દાનુશાસન અને તેની સંપન્ન ટીકા લખી હતી, જે મુદ્રિત થઈ છે. અને વાચફ ઉમાસ્વાતિએ જ ભાષ્ય રચ્યું હતું એ સસ્ટ થાય છે. સામાન્ય રીતે આચાર્ય મલયગિરિએ વ્યાખ્યા વિના મતભેદની જ લીધી છે, પરંતુ કોઈ કોઈ વાર તે બાબતમાં પણ પોતાનું મંતવ્ય બતાવ્યું છે અને તે તે બાબતમાં “આપણે અજ્ઞાની શે નિર્ણય લઈ શકીએ, એ તે કેવલિગમ્ય છે–એમ પણ જણાવ્યું છે. મતાંતરે માટે જુઓ–પત્ર ૨૮, ૩૮, ૭૩, ૭૪, ૭૬, ૭૭, ૮૬, ૧૪૬, ૨૨૦, ૨૨૨, ૨૨૯, ૨૩૮, ૨૬૨, ૨૭૭, ૨૮૩, ૩૧૯, ૩૩૧, ૩૯૧, ૪૦૬, ૪૯૧. “તરવું પુનઃ વઢિનો વિનિત્ત, વિશ્રિતો વા” પત્ર ૭, ૭૬ ૨૩૯ ૪૦૩ મળ્યે વિતે...તન્ન સુથામદે પત્ર ૨૮૯: “મનીષાં વાનામાશાનાન્વિત જેરા मीचीनतानिर्णयोऽतिशयज्ञानिभिः सर्वोत्कृष्टश्रुतलब्धिसम्पन्नैर्वा ऋतु शक्यते । ते च भगवदार्य श्यामप्रतिपत्तौ नासीरन् । केवलं तत्कालापेक्षया ये पूर्वतमाः सूरयस्तत्कालभाविग्रन्थपौर्वापर्य पर्यालोचनया तथास्वमति स्त्रीवेदस्य स्थितिं प्ररूपितवन्ततेषां सर्वेषामपि प्रावचननिकसूरीणां मतानि भगवानार्य श्याम उपदिष्टवान् । तेऽपि च प्रावचनिकसूरयः स्वमतेन सूत्र पठन्तो गौतमप्रश्नभगवन्निर्वचनरूपतया पठन्ति । ततस्तदवस्थान्येव सूत्राणि लिखित्वा गोतमा इत्युक्तम् । अन्यथा भगवति गौतमाय निदेष्टरि न संशयकथનવપતે, માનવત: સવરાયતીત્તાત્ પત્ર ૩૮૫. અન્ય વન્યથrs= માવનિષi कुर्वन्ति । सा च नातिश्लिष्टेति न लिखिता, न च दूषिता, 'कुमार्ग न हि तित्यक्षुः પુનત્તમનુષાવતિ' રૂતિ વ્યાયાનુસરત ” ૬.૭. આ બે ગ્રંથે શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ) તરફથી પ્રકાશિત થયા છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ આ “તેન ય: પ્રાર્દ સૂરે “વિરોષ વ્ર સંઘનમૂ' કૃતિ...૩ ગ્રાન્ત...ત્યમ્ પ્રવિતે”—પત્ર ૪૭૦ "एतावत्सूत्र चिरन्तनेषु अविप्रतिपत्त्या श्रूयते, केचिदाचार्याः पुनरेतद्विषयमधिकमपि સૂત્ર પતિ તતત્તમતમા€–$.........’ પર પપપ ' સૂત્રોની સંગતિ સિદ્ધ કરવી એ પણ વ્યાખ્યાકારને ધર્મ છે અને એ બાબતમાં આચાર્ય મલયગિરિ સિદ્ધહસ્ત છે, અનેકવાર જુદી જુદી નયદષ્ટિને ઉપયોગ કરીને સૂત્રોની સંગતિ કરી બતાવે છે.–જુઓ પત્ર ૧૦, ૪૧, ૭૩, ૭૬, ૧૪૯, ૨૪૮, ૨૮૪, ૩૧૮, ૩૨૩, ૩૮૦, ૪૩૭, ૪૫૦, ૪૫૫, ૪૫૬, ૫૯૮, ૬૯; તો વળી અનેક બાબતમાં તેઓ માત્ર પૂર્વાચાર્યોની વ્યાખ્યાનો કે સંપ્રદાયને હવાલે આપીને સંતોષ લે છે–પત્ર ૪૧, ૪૪, ૭૬, ૧૧૧, ૧૩૫, ૨૨૮, ૨૪૨, ૨૭૧, ૨૮, ૨૯૦, ૨૯૪, ૩૦૧, ૩૩૩, ૩૪૧, ૩૮૦, ૩૮૫, ૩૪૯, ૩૯૧, ૪૪૧, ૨૨૪. આચાર્ય મલયગિરિની વ્યાખ્યાકુશળતાદર્શક કેટલાંક સ્થાને જોવા જેવાં છે, જેમ કે સંબંધની ચર્ચા તકનુસારી અને શ્રદ્ધાનુસારીની દૃષ્ટિએ પત્ર ૨; જિનવરેન્દ્ર શબ્દની વ્યાખ્યા પત્ર ૩; આચાર્ય હરિભદ્રનું અનુસરણ કરીને અનેક સ્થળોએ નિદેશના કમનું યુક્તિથી સમર્થન કર્યું છે પત્ર ૯, ૨૬૯ આદિ; પ્રજ્ઞાપનાની રચના આચાર્ય શ્યામે કરી છતાં એમાં ગૌતમ–મહાવીરને સંવાદ કેમ ? તથા ગૌતમ-મહાવીરને સંવાદ હોવા છતાં એમાં અનેક મતભેદને ઉલ્લેખ આવે છે કે કેમ ? – ઇત્યાદિ ગ્રંથરચના સંબંધી પ્રક્રિયાના તાત્પર્યનું કથન પત્ર ૭, ૪૭, ૫૦, ૭૨, ૧૭૯, ૧૮૦, ૩૮૫સિદ્ધના પંદર ભેદની વ્યાખ્યા પત્ર ૧૯, અને તેની સમીક્ષા પત્ર ૨૩; સ્ત્રીમક્ષચર્ચા પત્ર ૨૦; સ્ત્રીઓ પણ પડાવશ્યક, કાલિક અને ઉત્કાલિક સૂત્રોનું અધ્યયન કરતી એવો ઉલ્લેખ પત્ર ૨૦; નિગચર્ચા પત્ર ૩૯; ગ્રામનગરાદિની વ્યાખ્યા ૪૭, ૫૦, મ્લેચ્છની વ્યાખ્યા પત્ર ૫૫; આગમ પ્રાકૃતમાં કેમ ? પત્ર ૬૦; સિદ્ધનું પરિમાણ પત્ર ૧૦૯; સિદ્ધિની ચર્ચા પત્ર ૧૧૨; અસંખ્યાત આકાશપ્રદેશમાં અનંતપ્રદેશી સ્કંધનો સમાવેશ કેવી રીતે ? પત્ર ૨૪૨; વસ્તુધર્મની ચર્ચા ૨૫૮; ભાષાના પુદ્ગલેના ગ્રહણ-નિસર્ગની ચર્ચા, પત્ર ૨૬૪; અનંત જીવો છતાં શરીર અસંખ્યાત કેમ ? પત્ર ૨૭૧; રાજા, માંડલિક આદિની વ્યાખ્યા પત્ર ૩૩૦; લેસ્યા અને કષાયની વિચારણું પત્ર ૩૩૦; કક શબ્દને વિચાર પત્ર ૩૩૧; વનસ્પતિ અને મરુદેવીના નિર્વાણની ચર્ચા ૩૯; Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સાંવ્યવહારિક જીવ પત્ર ૩૮૦; કાષ્ઠાદિ મુદ્દિનુ નિરૂપણુ પત્ર ૪૨૪; તપ શકત્યનુંસાર કરવું પત્ર ૪૩૬ ઇત્યાદિ અનેક વિષયાનુ સ્પષ્ટીકરણ આચાય મલયગિરિએ કર્યુ છે. (૪) શ્રી મુનિચન્દ્રસૂરિત વનસ્પતિવિચાર શ્રી મુનિચદ્રસૂરિએ (સ્વ^વાસ સં. ૧૧૭૮) પ્રજ્ઞાપનાના આદ્ય પમાંને વનસ્પતિવિચાર ૭૧ ગાથામાં વનસ્પતિસપ્તિકા'માં લખ્યા છે અને તેની અવસૂરિ પણ મળે છે. તે કોની છે તે જાણવાનું સાધન નથી. આમાં ખાસ કરી પ્રત્યેક અને અનંત પ્રકારની વનસ્પતિના ભેદોના વિચાર કરવામાં આવ્યા છે, તેમ પ્રારંભમાં કહ્યુ છે અને અંતે— एवं पन्नवणार पण्णवणाए लवो समुद्धरिओ भवाणग्गहक सिरिमुणिचंदसूरिहिं ॥ ७१ ॥ इति वण फइसत्तरी ॥ આ ‘વનસ્પતિસપ્તતિકા'ની વિક્રમના ૧૬મા શતકમાં લખાયેલી પ્રતિ શ્રી લા. ૬. વિદ્યામ ંદિરમાંના પૂ. મુનિરાજ શ્રી કીતિમુનિજી મહારાજના ગ્રન્થસ ંગ્રહમાં છે. અને તેને ક્રમાંક ૧૦૬૦૧ છે. આ સિવાય પશુ આ સંગ્રહમાં આની એક મૂળની અને એક અવસૂરિસહિતની પ્રતિ છે. આની એક પ્રતિ શ્રી લા. ૬. વિદ્યામ`દિરના ગ્રંથસંગ્રહમાં પણુ છે. આ પ્રતિની ગાથાએ ૭૭ છે. સંભવ છે કે આમાં છ ગાથાએ પ્રક્ષિપ્ત થઈ હોય. આ પ્રકરણને ‘સપ્તતિકાના નામે ઓળખાવ્યુ છે. એટલે ૭૧ ગાથા મૌલિક માનવી જોઈએ. આ પ્રતિના અંતમાં પ્રજ્ઞાવનાવાતો વનસ્પતિવિવાર; સમ્પૂર્ણ: એમ લખેલુ છે. આ સપૂ` પ્રતમાં પ્રારંભમાં અચલગચ્છના મહેન્દ્રસૂરિષ્કૃત વિચારસત્તરિ અને તેની અવચૂર્ણિ, પછી ઉક્ત વનસ્પતિવિચાર અવસૂર્ણિ સાથે અને અંતે પ્રજ્ઞાપનાતૃતીયપદસંગ્રહણી તેની અભયદેવીયા અવસૂર્ણિ સાથે લખાયેલ છે. આ અંતિમ અવચૂર્ણિ`ને અંતે કુલમ ડનસૂરિના કતૃત્વના ઉલ્લેખ છે. લા. ૬. સંગ્રહની આ પ્રતના ક્રમાંક ૩૬૭૪ છે અને લેખન સ. ૧૬૭૦ છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ (૫) પ્રજ્ઞાપનામીજ હ કુલ ગણિએ રચેલા ભગવતીના ખીજક સાથે પ્રજ્ઞાપનાખીજક પણ. લખાયેલ જોવા મળે છે, એટલે તે પણ હ કુલ ગણિની રચના હોવા સાઁભવ છે—જો કે એ બાબતની કેાઈ સૂચના પ્રારંભમાં કે અંતે આપવામાં આવી નથી. આમાં પ્રજ્ઞાપનાના ૩૬ પદની વિષયસૂચી આપવામાં આવી છે. ભાષા સંસ્કૃત છે. લા. ૬. વિદ્યામંદિરના લા. ૬. સંગ્રહની પ્રત નં. ૫૮૦૫ છે, તેમાં પુત્ર ૧૧ ૪ થી શરૂ થઈ પત્ર ૧૪ ૬ માં તે સમાપ્ત થાય છે. લેખનસ'વત છે— સ’૦ ૧૮૫૯. (૬) શ્રી પદ્મસુંદરકૃત અવરિ આચાર્ય મલયગિરની ટીકાને આધારે આ અવસૂરિ શ્રી પદ્મસુંદરે રચી છે. તેની એક હરતપ્રત લા. ૬. સગ્રહમાં નં. ૭૪૦૦ લા. ૬. વિદ્યામ`દિરમાં છે. તે હસ્તપ્રત સ. ૧૬૬૮ માં આગરાનગરમાં પાતશાહ જહાંગીરના રાજ્યકાલમાં લખાઈ છે. આ પદ્મસુંદર અકબર બાદશાહના મિત્ર હતા અને તેમણે અકબરને ઘણાં જૈન–અજૈન પુસ્તકાની ભેટ આપી હતી. આ પદ્મસુંદર તપાગચ્છના હતા. તેમનું ‘અકબરશાહીશુંગારદ'ણ' નામનું પુસ્તક ગ`ગા એરિએન્ટલ ગ્રન્થમાલામાં સં॰ ૨૦૦૦ માં પ્રકાશિત થયેલ છે. તેમના ‘દુસુંદર’ નામના મહાકાવ્ય તથા પાર્શ્વ નાથરિત’મહાકાવ્યની હસ્તપ્રતા, તથા ‘પ્રમાણસુંદર’ નામના તત્ત્વજ્ઞાનના ગ્રંથની હસ્તપ્રત લા ૬૦ વિદ્યામંદિરના સંગ્રહમાં છે. વિશેષ માટે જુએ અકબરશાહીશુંગારદપ ણુ'ની પ્રસ્તાવના. O (૭) શ્રી ધનવિમલકૃત ટમા (માલાવએધ) આની એક હસ્તપ્રત શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સ ંસ્કૃતિ વિદ્યામંદિરમાં રહેલા શ્રી પ્રીતિ મુનિજીના ગ્રંથસંગ્રહમાં છે, તેનેા ક્રમાંક ૧૧૦૭૯ છે. અને તેને લેખનસ ંવત્ ૧૭૬૭ છે. આથી આ ટબને રચનાસમય સ’૦ ૧૭૬૭ ૮, આ હ કુલ ગણીએ સ૰૧૫૭૭ માં કૂર્માંપુત્રચરિતનુ સંશાધન કર્યુ હતું; સં૦ ૧૫૮૩ માં સૂત્રકૃતાંગની ટીપિકાની રચના કરી હતી; સ૦ ૧૫૯૧ માં ટુઢિકાના રચયિતાને પ્રાકૃત વ્યાકરણ પણ હ કુલે ભણાવ્યું હતું : સં ૧૫૫૭ માં વસુદેવ ચેાપાઈ'ની રચના કરી હતી. જૈન સ` ઇતિહાસ, પૃ॰ ૫૧૯, પર૦, પર૬. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ... प्रज्ञा પહેલાંનો છે તે સ્પષ્ટ જ છે. પ્રજ્ઞાપનાના ભાષાનુવાદની કૃતિઓમાં આ રચના સૌથી પ્રથમ હવાનો સંભવ છે. ટબાકારે આદિ અને અંતમાં પિતાને જે કે પરિચય આપ્યો છે તે આ પ્રતિમાં આ પ્રમાણે લખાયેલ છે– . :: .. आदि-प्रणम्य श्रीमहावीर नताशेषसुरेश्वरम् । प्रज्ञापनाष्य(ख्य)सूत्रस्य वक्षे(क्ष्ये)ऽर्थ लोकवार्त या ॥१॥ सरि(ति) बृहट्टीकाया(?)दयो ग्रन्था मनोहरा[:] तथापि श्व(स्व)परशिष्याना(णां) विनोदार्थ करोम्यहम् ।।२।। सद्गुरु बुद्धिद नत्वा विनयाद्विमला मिधम् । स्वपरात्मप्रबोधाय स्तिबुका लिख्यते मया ॥३॥ र अन्त-श्रीमत्तागणविभासनतापनाभः भ्यव्याशुमह(भव्यासुमद्)हृदयकेरवरात्र (ब)रत्नम् । आसीदगुरु] विमलसामगणाधिराजः सौन्दर्य धी(धै)य गुणगण्डलवारिराशिः ॥१॥ गच्छे तत्र विशालसोमगुरु(र)वः श्रीसूरयः साम्प्रत(त) बन्नीत(र्तन्ते) मही(हि)मण्डले गणपदप्राप्त[प्रतिष्टास्य (प्रासा)दं । नानावाङययः(डमय)सागराम्बुतरणे सबु(बुद्धिनायां (वां)चित्रा(ता:) चारित्राचरणेन दुष्करतप:(पा:) श्रीस्थूलभद्रोपमा : ] ॥२॥ तद्गच्छेऽभूत् क्रियापात्र(३) विद्वज(ज)नशिरेरामणी(णिः) । श्रीमद्वि[नय वि]मला : ] पंडितः पडिताग्रणी[:] ॥३॥ तत्शि(च्छि)ष्यसेवक साधु (?) साधुध(ध)नविमल: सत: । प्रज्ञापनाष्य(ख्य)सूत्रस्य वार्ता चक्रे मनोहरा(रा) ॥४॥ ઉપરની પ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે કે શ્રી સમવિમલસૂરિ (સં. ૧૫૯૧ થી ૧૬૩૩) ના ગ૭માં થયેલ શ્રી વિનયવિમળાજીના શિષ્ય શ્રી ધનવિમળાજીએ પ્રજ્ઞાપના સૂત્રને આ ટબ રચ્યો છે. અહીં રચના સંવત આપ્યો નથી, પણ શ્રી સોમવિમળસૂરિને સમય નિશ્ચિત છે તેથી અનુમાન કરી શકાય કે આ ટબાની રચના વિક્રમના ૧૭ મા શતકના ઉત્તરાર્ધમાં થયેલી હોવી જોઈએ. પ્રજ્ઞાપના સૂત્રના ટબા (બાલાવબોધ)ની બીજી એક હસ્તપ્રત પણ શ્રી લાવે દ, વિદ્યામંદિરમાં રહેલા મુનિ શ્રી પુણ્યવિજયજીના ગ્રંથસંગ્રહમાં છે. તેને ક્રમાંક ૨૩૨૯ અને લેખનસંવત ૧૯૨૦ છે. આ પ્રતિમાં શ્રી ધનવિમલજીની સંપૂર્ણ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ પ્રશસ્તિ તથા આદિના ત્રીજા ક્ષેાકમાં ટખાકારે પેાતાના ગુરુ શ્રી વિનયવિમળને વંદન કર્યુ. છે તે શ્લાક નથી. આમ છતાં શ્રી ધનવિમલજીના માના આદિના એ શ્લાક આ પ્રતિમાં છે, આથી જોકે ધનવિમલજીના ટખાની અક્ષરશ: નકલરૂપે આ પ્રતિ નથી જણાતી, છતાં સંભવ છે કે ધનવિમલજીના ટખાની જ નલરૂપે આ પ્રતિ લખાયેલી હોવી જોઈએ. (૮) શ્રી જીવિજયકૃત ઢા (માલાવએધ) આ બાલાવમેધની હસ્તપ્રતા મળે છે તેની નોંધ જિનરત્નકાણમાં લેવાઈ છે. આ સ્તખકની રચના સં૰૧૭૮૪માં થઈ છે તેમ જિનરત્નકાષમાં નોંધ છે. લા૦ ૬૦ વિદ્યામંદિરમાં પણ આ બાલાવધની એકાધિક પ્રતા છે—મુનિ શ્રી પુણ્યવિજયજીના સ`ગ્રહમાં ન. ૧૦૫૮-૫૯; લા૦ ૬૦ સગ્રહમાં નં. ૨૦૯૪ અને શ્રી કીર્તિ મુનિસગ્રહમાં નં. ૧૦૨૧૪, ૧૧૦૭૯ આ જ મુનિએ વિ ૧૮૦૩ માં કર્મ ગ્રંથ ઉપર પણ ટખાની રચના કરી છે તેમ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ (પૃ૦ ૬૭૭) થી જાણવા મળે છે. . (૯) શ્રી પરમાનંદકૃત સ્તમક શ્રી પરમાન કૃત સ્તબક–ટા રાય ધનપતસિંહ બહાદુરની પ્રજ્ઞાપનાની આવૃત્તિમાં છપાયેલ છે. આ ટખાની રચના સં૦ ૧૮૭૬ માં શ્રી પૂજ્ય લક્ષ્મીચદ્રસૂરિના સમયમાં શ્રી આનંદચંદ્રજીના શિષ્ય પરમાનંદે કરી છે એવે ઉલ્લેખ ગ્રંથાન્તે છે. (૧૦) શ્રી નાનકચંદ્રકૃત સ ંસ્કૃત છાયા રાય ધનપતસિંહ બહાદુરની આવૃત્તિમાં ટાઈટલમાં લેાંકાગચ્છીય રામચંદ્ર ગણિકૃત સંસ્કૃતાનુવાદ એમ છાપ્યું છે. પરંતુ પ્રશસ્તિમાં રામચંદ્ર ગણિના શિષ્ય નાનકક્ચ ંદ્રજીએ સંસ્કૃતાનુવાદ કર્યાં છે એમ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. અને એ પ્રજ્ઞાપનાનું સંપાદન-સંશાધન પણ શ્રી નાનકચંદ્રજીએ જ કર્યું છે; એટલે તેમને અસ્તિત્વકાળ જે વર્ષમાં પ્રજ્ઞાપના છપાઈ પ્રકાશિત થયું તે ઠરે છે, અર્થાત્ ઈ॰ સ૦ ૧૮૮૪ માં તેઓ વિદ્યમાન હતા. c. . Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ (૧૧) અજ્ઞાતકર્તક કૃત વૃત્તિ (2) : આને ઉલ્લેખ જિનરત્નકેષમાં છે અને તેની અનેક હસ્તપ્રત ઉપલબ્ધ છે, તેમ પણ ત્યાં જણાવ્યું છે. (૧૨) પ્રજ્ઞાપના સૂત્ર ભાષાંતર પં. શ્રી ભગવાનદાસ હરખચંદે રચેલ આ ભાષાંતર વિ. સં. ૧૯૯૧ માં મુદ્રિત થયું છે. ' ઉપર સૂચવેલ પ્રજ્ઞાપનાસૂત્રની વ્યાખ્યાઓ ઉપરાંત, આગળ જણાવ્યું તેમ, પ્રજ્ઞાપનાચૂર્ણિ પણ હતી, પરંતુ તેની હસ્તપ્રત ઉપલબ્ધ નથી. અને પ્રજ્ઞાપનાસૂત્ર સારોદ્ધારની હસ્તપ્રતની નેંધ પિટર્સનના રિપોર્ટ ભાગ એકના પરિશિષ્ટખંભાતના શ્રી શાંતિનાથ ભંડારની સૂચીમાં–પૃ. ૬૩ માં છે. પણ તે પ્રત અમારા જોવામાં આવી નથી, અને તેની સૂચના મુનિ શ્રી પુણ્યવિજયજીએ તૈયાર કરેલા નવા સૂચીપત્રમાં પણ નથી, એટલે એ પ્રત અત્યારે ખંભાતમાં પણ ઉપલબ્ધ નથી એમ માનવું રહ્યું. આ અને આચાર્ય અભયદેવકૃત “પ્રજ્ઞાપોદ્ધાર” અથવા પ્રજ્ઞાપનાસંગ્રહણું બને ગ્રંથે જુદા જ છે, કારણ કે પ્રજ્ઞા૫નાસારોદ્ધાર તે ગદ્યરચના છે, જ્યારે પ્રજ્ઞાપનદ્ધાર” ગાથાબદ્ધ છે. (૧૩) પજ્ઞાપનાપર્યાય | મુનિ શ્રી પુણ્યવિજયજીસંગ્રહ, લા. ૬૦ વિદ્યામંદિર, નં. ૪૮૦૧ ની હસ્તપ્રત છે “સર્વસિદ્ધાન્તવિષમપદપર્યાય'; તેમાં પ્રારંભમાં પંચવસ્તકના પર્યાય આપ્યા છે. પછી આચારાંગ આદિના પર્યાયે પત્ર ૨–થી શરૂ થાય છે. તેમાં પત્ર પ–સ થી પ્રજ્ઞાપનાના પર્યાયે શરૂ થાય છે. આમાં ગ્રંથકારની પદ્ધતિ એવી છે કે જેને પર્યાય આપવો હોય તે પદનું નામ આપી તે તે શબ્દનું વિવરણ કે પર્યાય આપે છે. પ્રસ્તુતમાં સૌથી પ્રથમ અઢારમા પદમાંથી અનાહારક શબ્દનું વિવરણ છે અને પત્ર – માં તો પ્રજ્ઞાપનાના પર્યાયે સમાપ્ત કરી દીધા છે અને નિશીથચૂર્ણિ આદિના પર્યાય શરૂ કર્યા છે પછી પત્ર ૬૩ મ થી પત્ર ૬૪ સુધીમાં પ્રજ્ઞાપનાવિવરણવિષમપદ પર્યાયે છે. આ પ્રતિના ૨૬ મે પત્રમાં પાક્ષિકસત્રપર્યાય પૂર્ણ થાય છે. આદિથી અહી સુધીના (પાક્ષિકસૂત્રપર્યાય સુધીના) પર્યાય જેવી એક તાડપત્રીય પ્રતિ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ ખંભાતના ભંડારમાં છે. જુઓ Catalogue of palm-leaf manuscripts in the Shantinath Jain Bhandara Cambay (Part one] yo 72C Hivello વેલ નિઃશેષસિદ્ધાન્તપર્યાય. ખંભાતના ભંડારની આ પિથીના અંતમાં આપેલી ગ્રન્થકારની પ્રશસ્તિના આધારે જાણી શકાય છે કે ઉક્ત “પાક્ષિકસૂત્રપર્યાય સુધીના પર્યાયના કર્તા ચન્દ્રકીર્તિસૂરિ (વિ. સં. ૧૨૧૨) છે; આમ છતાં લા. દ૦ વિદ્યામંદિરની સૂચિત પ્રતિના ૨૬ મા પત્રમાં “પાક્ષિકસૂત્રપર્યાય” પૂર્ણ થયા પછી ગ્રન્થકારની પ્રશસ્તિ આપી નથી પણ તે પછી “નિરિયાવલિયાસૂત્રપર્યાય આદિ અનેક ગ્રન્થાના પર્યાયે પત્ર ૨૬ થી ૬૯ સુધીમાં છે. સમગ્ર પ્રતિના અંતમાં પણ આના કર્તા માટે કઈ માહિતી નથી મળતી. આથી એમ જાણી શકાય છે કે લાદ. વિદ્યામંદિરની પ્રતિમાં વિષમ પદપર્યાની બે પ્રકારની કૃતિઓ સંગૃહીત થયેલી છે. આવી કૃતિઓ પણ અન્યાન્ય ભંડારોમાં ઉપલબ્ધ છે. (ઈ. ૧૯૭૧માં શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશિત “quળવાયુત્ત' ભાગ બેની પ્રસ્તાવના ત્રણ નામે છપાઈ છે તેમાંથી મારા દ્વારા લખાયેલ અંશ અહીં ઉદ્ધત છે. –દ. મા.) Page #309 -------------------------------------------------------------------------- ________________ Page #310 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમ જૈન આગમનું મહત્વ અને પ્રકાશન કઈ પણ ધર્મ અને તેની સંસ્કૃતિને ટકાવી રાખનાર અનેક બળ હોય છે. તેમાં તે ધર્મનાં માન્ય શાસ્ત્રો એક મોટું બળ લેખાય છે. ધર્મ પ્રવર્તકે તે ઉપદેશ આપીને આ સંસાર છોડીને ચાલ્યા જાય છે, પણ તેઓ જે વાર મૂકી જાય છે તે જે શાસ્ત્રારૂપે સંધરા હેય તો એ શાસ્ત્રો તેમના પ્રતિનિધિ તરીકેની સેવા યુગો સુધી આપતાં રહે છે. આજના યુગમાં હિંદુધમનું એવું બળ તે વેદ અને વૈદિક શાસ્ત્રો છે, બૌદ્ધોનું બળ એમનાં ત્રિપિટકે છે, ખ્રિસ્તી ધર્મનું બાયબલ અને ઇસ્લામનું કુરાન છે. તે જ રીતે જૈનધર્મનું એવું બળ તે ગણિપિટક તરીકે ઓળખાતા જૈન આગમો છે. દુનિયાની એક અજાયબી તરીકે બ્રાહ્મણોએ સંરક્ષેલ દે છે. અને તે વિશ્વમાં સૌથી પ્રાચીન સાહિત્ય ગણાય છે. તે જ પરંપરાનાં ઉપનિષદ વગેરે સાહિત્ય પણ સુરક્ષાની દૃષ્ટિએ અને કાળની દૃષ્ટિએ પણ અન્ય સાહિત્યના મુકાબલે પ્રાચીન જ ઠરે છે. અને ત્યાર પછી બૌદ્ધોનું ત્રિપિટક અને જૈનોનું ગણિપિટક આવે છે. પણ વેદ અને ત્રિપિટક તથા જૈન આગમ વચ્ચે જે મહત્ત્વનો ભેદ છે તે જાણવા જેવો છે. બ્રાહ્મણોએ અનેક ઋષિમુનિઓ-કવિઓ દ્વારા સંસ્કૃત ભાષામાં નિમિત સાહિત્યને સંહિતારૂપે જાળવી રાખ્યું તેના શબ્દોની સુરક્ષા વિષે એમણે પૂરો પ્રયત્ન કર્યો છે, પણ તેના અર્થ વિષે તેઓ બેદરકાર રહ્યા છે—એ હકીકત છે. જેનો અને બૌદ્ધોએ એથી ઊલટું કર્યું છે. તેમણે શબ્દ નહિ પણ અર્થને જાળવવાનો પ્રયત્ન કર્યો છે. પરિણામે, આપણે જોઈએ છીએ છે, વેદે શબ્દરૂપે ભલે સુરક્ષિત રહ્યા પણ વેદપાઠીને તો તેના અર્થનું જ્ઞાન હોય જ છે એમ નથી. આજના વિદ્વાન વેદના અર્થો કરવાને હજી પણ મથામણ કરી રહ્યા છે અને ભાષાશાસ્ત્રની મદદ વડે તેને પામવા ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. છતાં પણ હજી સુધી એમ તે ન કહી શકાય કે વેદનો મોટો ભાગ નિશ્ચિત રૂપે સમજાઈ ગયો છે. આથી ઊલટું, બૌદ્ધ પિટ અને જૈન આગમ લોકભાષામાં લખાયા અને તેના અર્થ વિષે કોઈ સંદેહ નથી. અમુક શબ્દો એવા હોઈ શકે છે કે જેના અર્થ વિષેની આજે પરંપરા સચવાઈ ૧૯ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ન હાય, પણુ ૯૯ ટકા શબ્દો તા એવા છે કે જેના અથ વિષે સંદેહને અવકાશ છે જ નહી. વેદના શબ્દોમાં મંત્રશક્તિનું આરાપણુ થયુ. અને તેથી તેના અર્થા ભૂંસાઈ ગયા, પણ જૈન કે બૌદ્ધ શાસ્ત્રના શબ્દોમાં આવી ાઈ મંત્રશક્તિનુ આરેપણુ થયું નથી. તેથી તેના અર્થી જળવાઈ રહ્યા છે. અને તેની સાચવણી આવશ્યક પણ મનાઈ છે. એક બીજી વાત પણ મહત્ત્વની છે. વૈદિક મંત્રા એક વ્યક્તિના વિચારા પ્રદર્શિત નથી કરતા પણ અનેક વ્યક્તિએના વિચારાને સંગ્રહ છે, તેથી તેમાં સંગતિ શેાધવી જરૂરી નથી, મતભેદના પૂરા અવકાશ છે. તેથી વિરુદ્ધ બૌદ્ધ કે જૈનનાં શાસ્ત્રામાં તેવું નથી. કારણ તે એક જ પુરુષને – પછી તે બુદ્ધ હૈાય કે મહાવીર ૧ – તેને જ અનુસરે છે, તેથી તેમાં વિચારાની સગતિ અને એકરૂપતા છે. વેદના શબ્દો મૂળ કવિના જ શબ્દો છે, જ્યારે જૈન આગમના શબ્દો એ તીર્થંકર મહાવીરના શિષ્ય ગણધરના શબ્દો છે. ગૃણુધરનું વક્તવ્ય તીર્થંકરના ઉપદેશને જ અનુસરે છે એ સાચું, પણ તે તેમના જ શબ્દોમાં હાવુ" જરૂર નથી. આમ બન્ને પરપુરામાં શબ્દ અને અથ માંથી ક્રાને મહત્ત્વ આપવું તે મૂળગત ભેદ દેખાય છે, અને આને પરિણામે, આપણે જોઈએ છીએ કે, હિંદુધમ માં વેદને નામે અનેક સપ્રદાયેા થયા છે. અને અનેક દાર્જીનિકાએ પાતપેાતાની રીતે જીવ, જગત અને ઈશ્વરની કલ્પના કરી છે અને છતાં એ બધાને મૂળ આગમરૂપે તા વેદા સરખી રીતે જ માન્ય છે. શબ્દ એના એ જ રહે, પણ તેની વ્યાખ્યા સૌએ પેાતાને મન ફાવતી કરીને પેતાને માન્ય અનું આરોપણ વૈદમાં કર્યુ છે. આથી વિરુદ્ધ જૈનાએ અ`ને મહત્ત્વ આપ્યું છે, શબ્દને નહિ; પરિણામે જૈન આગમને આધારે અનેક સૌંપ્રદાયા ઊભા થવાને અવકાશ રહ્યો નથી, જે સંપ્રદાયેા છે તે આચાર વિષેની માન્યતાના ભેદને કારણે છે, નહિ કે આગમના અભેદને કારણે. જૈન આગમાના શબ્દનુ વિવિધ વ્યાખ્યાન કરી પેાતાને મનફાવતા અર્થ કરવાનુ સાહસ ક્રાઈએ કર્યુ નથી. વિદ્યમાન આગમને નામે આળખાતા ગ્રંથેાને આધુનિક દિગંબર સમાજ મૌલિક આગમરૂપે સ્વીકારતા આવશ્યક નિયુક્તિ, ૧ "अत्थं भासइ अरहा सुत्तं गंथंति गणहरा निउणं ।" ગા. ૧૯૨ - Page #312 -------------------------------------------------------------------------- ________________ ર૯૧ નથી, છતાં પણ આગમાં જૈન દશન કે ધર્મનું મૌલિક એવું જે રૂપ છે, તેવું જ રૂ૫ દિગંબર વાલ્મમાં પણ દેખા દે છે. એ સિદ્ધ કરી દે છે કે અર્થની સુરક્ષાનું જ આ પરિણામ છે. અને ભગવાન મહાવીરનું જે મૌલિક વક્તવ્ય હતું તે, શબ્દ ભલે જુદા હોય, પણ અર્થરૂપે તો બન્ને સંપ્રદાયમાં સરખી રીતે સચવાઈ રહ્યું છે. જૈન આગમો વિષે એક બીજી મહત્વની વાત એ નોંધવી જરૂરી છે કે તે વીતરાગની વાણુને અનુસરે છે. આથી તેમાંથી મળતો ઉપદેશ મનુષ્યને સંસારથી વિમુખ કરી મેક્ષમાર્ગમાં પ્રવૃત્ત કરે છે. આવું વિધાન વેદ વિષે કરી શકાય તેમ નથી. તેમાં તે ઋષિ-મુનિ-કવિઓએ સંસારના સુખ માટે જ દેવાની આરાધનાની વાત કરી છે. આથી તેમાં મેક્ષ કે મોક્ષમાર્ગની વાતને કઈ અવકાશ નથી. વેદોના અર્થો ભુલાયા અને કાળક્રમે ઉપનિષદોનું મહત્વ વધ્યું તેનું એ પણ એક કારણ છે કે જયારે ભારતીય સંસ્કૃતિમાં મેક્ષને મહત્તવ મળ્યું ત્યારે સંસારનું સમર્થન કરનાર વેદોની વાત ઉપેક્ષિત થઈ. જૈન આગમ એ ભલે ધાર્મિક ગ્રંથ ગણાતા હોય, પણ તેમાં માત્ર ધર્મની જ વાત આવે છે એવું નથી; પણ તેમાં તે કાળની વિવિધ વિદ્યાશાખાઓના વિષયેનું પણ નિરૂપણ છે. આજને વૈજ્ઞાનિક અણુવિદ્યાને આજની વિજ્ઞાનશાખામાં ઘણું જ મહત્વ આપે છે, પણ આજથી અઢી હજાર વર્ષ પહેલા ભારતીય વૈજ્ઞાનિકે અણુ વિષે શું વિચારતા હતા તે જાણવાનું એકમાત્ર સાધન જૈન આગમ છે તેમ જ્યારે અમે કહીએ છીએ ત્યારે અમારી તે પ્રત્યેની માત્ર ભક્તિ જ નથી બતાવતા પણ એક સત્ય હકીકતને માત્ર નિદેશ જ કરીએ છીએ. તે જ રીતે જીવજ્ઞાન હોય કે વનસ્પતિવિજ્ઞાન હેય, ખગોળવિદ્યા હોય કે ભગળવિદ્યા હોય – તે સૌ વિદ્યાની તે સમય સુધીની પ્રગતિ જાણવી હોય તો એનું એકમાત્ર સાધન જૈન આગમ જ છે. વેદ, ત્રિપિટક અને જૈન આગમનું ધર્મશાસ્ત્ર તરીકે તો મહત્ત્વ છે જ, ઉપરાંત, તે તે કાળની સામાજિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક, આર્થિક આદિ પરિસ્થિતિનું ચિત્ર ઊભું કરવામાં પણ એ શાસ્ત્રનો મહત્વપૂર્ણ ઉપયોગ છે. એ દષ્ટિએ જૈન આગમો એ ભલે માત્ર જનોને જ પ્રમાણરૂપ માન્ય હેય, પરંતુ તેની ઉપયોગિતા વિશ્વના સાંસકૃતિક ઈતિહાસના નિરૂપમાં પણ જેવી તેવી નથી. વળી, ભારતીય આધુનિક વિવિધ ભાષાનાં મૂળ તપાસવા માટે પ્રાકૃત ભાષાનું મહત્વ સર્વસ્વીકૃત છે, એટલે ભારતીય ભાષાશાસ્ત્રના અધ્યયનમાં પણ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯ર જૈન આગમ એ મહત્વનું સાધન સિદ્ધ છે. આ દૃષ્ટિએ જ અનેક વિદ્વાનોનું ધ્યાન આ આગ પ્રતિ દોરાયું છે અને તેમને તેવો ઉપયોગ તેમણે સ્વીકાર્યો જ છે. અત્યાર સુધીમાં જેટલા પ્રમાણમાં આધુનિક વિદ્વાનોએ વિદિક અને બૌદ્ધ. વાડુમયમાં રસ લીધો છે તેટલા પ્રમાણમાં જેન વાડમયમાં રસ લીધો નથી. આનાં અનેક કારણે છે, પણ તેમાં તે આગમોની સુસંસ્કૃત વાચનાને અભાવ એ પણ એક કારણ છે. જેના આગમો એ જીવંત સાહિત્ય છે અને તેની અત્યાર સુધીમાં અનેક આવૃત્તિઓ ધાર્મિકજને તરફથી પ્રકાશિત થઈ છે, પણ આધુનિક વિદ્વાને સરળતાથી તેનો ઉપયોગ કરી શકે તેવી એક પણ આવૃત્તિ સમગ્ર આગમોની થઈ નથી. છૂટાછવાયા પ્રયત્નો તે માટે થયા છે, પણ સમપ્રભાવે એક યોજનાબદ્ધ રીતે એ કાયર થયું નથી. આની પૂતિ થવી જરૂરી હતી. જેન આગમ- 2ના પ્રકાશન માટે અત્યાર સુધીમાં અનેક વ્યક્તિઓ તેમજ સંસ્થાઓએ પ્રયત્ન કર્યો છે. સૌથી પહેલાં ઈ. સ. ૧૮૪૮માં સ્ટિવન્સને કલ્પસૂત્રને અનુવાદ પ્રકાશિત કર્યો હતો, પણ એ ખામીવાળા હતા. ખરી રીતે પ્રો. વેબરને જ આ દિશામાં નવપ્રસ્થાનની શરૂઆત કરનાર સૌથી પહેલ વિદ્વાન માનવા જોઈએ. એમણે ઈ. સ. ૧૮૬૫-૬૬માં ભગવતીસૂત્રના કેટલાક અંશોનું સંપાદન કર્યું હતું, અને પોતાના અધ્યયનના સારરૂપે એના ઉપર ધે પણ લખી હતી. રાય ધનપતસિહજી બહાદુરે ઈ. સ. ૧૮૭૪માં આગમ-પ્રકાશનનું કામ શરૂ કહ્યું હતું, અને કેટલાય આગમો પ્રકાશિત કર્યા હતા; પરંતુ એ પ્રકાશનોનાં મૂલ્ય અને ઉપયોગિતા પદછેદ, વિરામચિહ્નો કે પેરેગ્રાફ વગેરે વિના જેમ ને તેમ છપાવી દેવામાં આવેલી હસ્તપ્રતો કરતાં સહેજ જ વધારે હતાં. આમ છતાં, આગમ-મંથે જેવી દુર્લભ વસ્તુને વિદ્વાને માટે સુલભ બનાવવાને યશ એમને ઘટે છે. છે. હર્મન જેકેબી સંપાદિત કલ્પસૂત્ર (ઈ. સ. ૧૮૭૯) અને આચારાં (ઈ. સ. ૧૮૮૨) યમન સંપાદિત ઔપપાતિક (ઈ. સ. ૧૮૯૦) અને આવશ્યક (ઈ. સ. ૧૮૯૭); સ્ટેઈન્થલ સંપાદિત જ્ઞાતાધર્મકથાને કેટલોક ભાગ (ઈ. સ. ૧૮૮૧); હોર્નલ સંપાદિત ઉપાસક દશા (ઈ. સ. ૧૮૯૦); શુબિંગ સંપાતિ આચારાંગ (ઈ. સ. ૧૯૧૦) વગેરે ગ્રંથે આગમોના સંપાદનની કળામાં આધુનિક વિદ્વાનોને સંમત એવી પદ્ધતિથી પ્રકાશિત થયા છે. આમ છતાં શ્રી અમોલક ઋષિના હિંદી અનુવાદ સાથે શ્રી લાલા સુખદેવ સહાય Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ તરફથી ઈ. સ. ૧૯૧૬-૨૦ દરમ્યાન જે ૩૨ આગમા પ્રકાશિત થયા, તથા શ્રી આગમાય સમિતિ તરફથી સમગ્ર સટીક આગમાના મુદ્રણનું કામ ઈ. સ. ૧૯૧૫ની સાલથી શરૂ કરવામાં આવ્યુ. એના સ્પાદનમાં આ પદ્ધતિના ઉપયેાગ કરવામાં ન આવ્યા. આગમાહારક આચાય શ્રીસાગરાનંદસૂરીશ્વરજીએ સૌંપાદિત કરેલ આગમગ્રંથા શુદ્ધિ અને મુદ્રણ અને દૃષ્ટિએ રાય ધનપતસિહની આવૃત્તિથી ચઢિયાતા છે, અને વિદ્વાનાને માટે ઉપયેાગી પણ નીવડયા છે. આ આવૃત્તિ પ્રગટ થયા પછી જૈનધમ અને દનના અધ્યયન તેમજ સ`શાધનમાં જે પ્રગતિ થઈ તેના યશ આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીને ધટે છે. આટલું થવા છતાં, આધુનિક પદ્ધતિથી સપાતિ કરેલ આગમ-ગ્ર થાના પ્રકાશનની જરૂર તા ઊભી જ હતી. ઈ. સ. ૧૯૪૩માં આગમાના પ્રકાશન માટે શ્રી જિનાગમપ્રાશિની સ“સદની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ એના તરફથી અત્યાર સુધીમાં કાઈ પણુ ગ્રંથનુ પ્રકાશન નથી થયું. અમારામાંના એક મુનિ શ્રી પુણ્યવિજયજી છેલ્લાં ચાલીસ કરતાં પણ વધુ વર્ષોથી એકધારે એવા પ્રયત્ન કરતા રહ્યા છે કે જેથી આગમ-ગ્ર'થાની સુસ`પાતિ આવૃત્તિએ પ્રકાશિત થઈ શકે; આટલુ" જ નહીં, તેઓએ તા ટીકા અને અન્ય પ્રથામાં આગમાનાં જે અવતરણા મળે છે, એના આધારે પણ પાઠાને શુદ્ધ કરવાના પ્રયત્ન કર્યાં છે. તેઓના આ પ્રયત્નને જ મુખ્યત્વે ધ્યાનમાં લઈને -સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ સ્વ. ડૅ. રાજેન્દ્રપ્રસાદજીએ ઈ. સ. ૧૯૫૨માં પ્રાકૃત ટેકસ્ટ સાસાયટી (પ્રાકૃત ગ્રન્થ પરિષદ)ની સ્થાપના કરી હતી, જેના ઉદ્દેશ પંચાંગી સહિત આગમ ગ્રન્થાને પ્રકાશિત કરવાના છે, અને એના તરફથી અત્યાર સુધીમાં અંગવિજા, જિનદાસગણિમહત્તરકૃત ચૂર્ણિ યુક્ત નદિસૂત્ર તથા શ્રી હરિભદ્રસૂરિષ્કૃત વૃત્તિ, શ્રી શ્રીયદ્રાચાર્ય કૃત દુ પવ્યાખ્યા અને અજ્ઞાતકતું ક વિષમપદપર્યાયયુક્ત નદિસૂત્ર પ્રકાશિત થયેલ છે. સ્થાનકવાસી સધના મુનિ શ્રી ધાસીલાલજીએ સ્થાનકવાસી માન્ય બત્રીસે આગમાની નવી સÔસ્કૃત ટીકાઓ રચવાતું અને હિંદી-ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત કરવાનું કામ લગભગ પૂરુ′ કર્યુ” છે. એ જ સંપ્રદાયના મુનિ શ્રી ફૂલચંદ્રજીએ (પુષ્પભિક્ષુએ) સુતાનને નામથી બે ભાગથાં મૂળ બત્રીસે આગમા શ્રી સૂત્રાગમ પ્રકાશક સમિતિ, ગુડગાંવ છાવની દ્વારા પ્રકાશિત કરી દીધા છે. આ અને આવૃત્તિઓના મૂળના આધાર શ્રી આગમાદય સમિતિની આગમની આવૃત્તિએ જ છે. છતાં પણુ યંત્રતંત્ર પાઠ-પરિવત ન કરવામાં આવ્યુ છે. શ્વેતાંબર તેરાપથી Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ 1 સંપ્રદાયના વિદ્યામાન આચાય તુલશીગણુજીએ પણ પોતાના શિષ્યસમુદાયના સહકારથી આગમપ્રકાશનનું કામ શરૂ કર્યુ છે, અને દશવૈકાલિકસૂત્રની સુસ’પાતિ. આવૃત્તિ હિંદી અનુવાદ તથા ટિપ્પણુ સાથે પ્રગટ કરી છે. * જૈન આગમનુ મૂળ વેદમાં નથી ૧ એક વખત એવા હતા, જ્યારે પશ્ચિમના અને ભારતના વિદ્વાના ભારતીય સમગ્ર સંસ્કૃતિ અને ધર્મનું મૂળ વેદમાં શાધતા હતા, કારણ, વેદ એ સૌથી પ્રાચીન ઉપલબ્ધ સાહિત્ય છે. પણ હવે જ્યારથી મેહેન્જોદારા અને હડપ્પાની શોધ થઈ છે, ત્યારથી વિદ્વાનેાનુ વલણ બદલાયું છે, અને આર્યાનાં ભારતમાં આગમન પૂર્વે ભારતીય સૌંસ્કૃતિ અને ધમ યથાચિત વિકસિત હતાં એમ મનાવા લાગ્યુ છે, અને વિચારવામાં આવે છે કે વેદા તા ભારતમાં બહારથી આવનાર આર્યોની રચના હેાઈ એ મૂળ અભારતીય વૈદ્યમાં ભારતીય કયાં કયાં તત્ત્વાનુ મિશ્રણ થયુ' છે; અને વૈદસહિતા પછીની વૈદિક કહેવાતી. સમગ્ર પર પરામાં મૂળે તે અભારતીય છતાં ભારતીય કાં કાં તત્ત્વાનુ મિશ્રણ થઈને તેણે. ભારતીય રૂપ ધારણુ કયુ છે? આ નવી પ્રક્રિયા સાચે માગે છે અને હવે જ વેદ અને વૈદિક પર પરાના આ પ્રક્રિયાને આધારે થતા અભ્યાસ સત્યદશનમાં સહાયક થશે. બહારથી આવનાર આર્યાં ગમે તેટલી સંખ્યામાં હશે, પણ તે તે ઢાળમાં ભારતમાં વસતી પ્રશ્ન કરતાં સંખ્યાબળમાં તે અધિક નહિ જ હોય. બીજ સારા નામના કે નિશ્ચિત નામના અભાવમાં જેને આપણે હરપ્પાના લેાની કે સિ" સહઁસ્કૃતિ તરી કે એળખીએ છીએ તેમની સ`સ્કૃતિને જો આપણે સ્થિર નાગરિક સંસ્કૃતિ કહીએ અને આવનાર આનિ અસ્થિર તેમ જ સતત ભ્રમણુશીલ લેાકેાની સંસ્કૃતિ તરીકે આળખીએ તા તેથી તેમના પૂરા પરિચય નથી થતા, છતાં પણ એક કલ્પના તરીકે એ ચલાવી શકાય તેવું છે. ૧. Dr. R. N. Dandekar : Indian Pattern of life and Thought – A Glimpse of its early phases; - Indo-Asian Cultuae, July, 1959, p. 47 Page #316 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ એક સ્થાનમાં સ્થિર થયેલ લેાકામાં જે સરસ્કાર અને રચનાકૌશલ દેખાય તે ભ્રમણુશીલ લેામાં સલવે નહિ. આ દૃષ્ટિએ જોઈએ તા માનવું પડે છે કે તે કાળની ભારતીય પ્રજા આર્યાં કરતાં વધુ સંસ્કારી હશે; અને આર્યએ ભારતમાં આવી કેટલા નવા સકારા ઝીલ્યા હશે અને તે કેવી રીતે ભારતીય બની ગયા હશે એને આછે ખ્યાલ આવશે. વેટ્ટાના સહિતાભાગ અને બ્રાહ્મણુભાગ જોઈએ તા તેમાં આર્યોના સસ્સારાનું પ્રાધાન્ય નજરે ચડે છે. પણ તે પછીના ઉત્તરાત્તર નિર્મિત થતાં આરણ્યકા, ઉપનિષદો, ધમ શાસ્ત્રો આદિ વૈદિક પરંપરાનું સાહિત્ય જોઈએ તા જ એ આર્યાએ ભારતીય સૌંસ્કારી કેવી રીતે ઝીલ્યા અને અભારતીય છતાં તેઓ ભારતીય કેવી રીતે બની ગયા તેના સ્પષ્ટ ખ્યાલ આવે છે. સ્મૃતિ એ બધા નવા સ`સ્કારાનુ મૂળ પણ એક સમયે વૈદ્ધિ પરપરામાં જ શેાધાતું. પણ હવે, નવી પ્રક્રિયા પ્રમાણે, એનું મૂળ કાઈ અવૈદિક પર પરામાં જ શેાધાવા લાગ્યું છે. પહેલાં એમ કહેવાતુ કે જૈન-બૌદ્ધના આચારા અને વિચારાના મૂળમાં વૈદિક ધર્મ શાસ્ત્રો છે. તેને બદલે હવે એવુ* વલણુ થતુ જાય છે કે વૈદિક ધર્મ શાસ્ત્રોમાં એ આચારા અને વિચાર! બહારથી – એટલે કે અવૈદિક પર પરામાંથી – આવ્યા છે. એ અવૈદિક પર પરાને મુનિ, યતિ પછીના સાહિત્યમાં વિશેષ પ્રસિદ્ધ થયેલ શ્રમણુ પરંપરાને નામે ઓળખી શકાય. આના અનુસ ધાનમાં વૈાિને બ્રાહ્મણુ પરપરા કહી શકાય. એટલે સ‘ક્ષેપમાં કહેવું હાય તા કહી શકાય કે બ્રાહ્મણુ પરંપરામાં જે કાંઈ વૈદ પછીનાં શાસ્ત્રો છે તેમાં શ્રમણુ પર પરાની ઉત્તરાત્તર વધતી જતી અસર અને છાપ છે. બ્રાહ્મણેાએ વેદ અને વૈદિક પરંપરાનુ નિર્માણુ કર્યુ " અને શ્રમણેાએ ભારતીય મૂળ પર ંપરાને પુષ્ટ કરી. મૂળે આ બંને પર પરા જ્યારે વૈદિક આ આવ્યા ત્યારે પણ સ્પષ્ટ જુદી જ હતી અને પછી પણ બન્નેએ પેાતાતાનું આગવુ. વ્યક્તિત્વ જાળવી રાખ્યા છતાં આદાન-પ્રદાનની પ્રક્રિયાથી પાતપેાતાની પરપરાને પુષ્ટ કરી છે, એમ માનવું ોઈએ. આ વિચારની સત્યતાને વિષે હવે સ ંદેહ કરવાનું કારણ રહ્યું નથી. વેદોમાં સૃષ્ટિતત્ત્વના વિચાર છે, જયારે શ્રમણેામાં સ`સારતત્ત્વના વિચાર છે. સૃષ્ટિના મૂળમાં વૈદિક વિચાર અનુસાર એક જ તત્ત્વ મનાયું છે, જ્યારે શ્રમણાના સસારતત્ત્વના મૂળમાં ચેતન અને અચેતન એ બન્નેના સભ્ધ છે. સૃષ્ટિ કારેય ઉત્પન્ન થઈ એવુ· શ્રમણા માનતા નથી, પણ સંસારચક્ર અનાદિ કાળથી પ્રવત છે એમ માને છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જેને આજે આપણે પાંચ મહાવ્રતાના નામે આળખીએ છીએ તે સા`ભૌમ ધર્મની બાબતમાં જ્યારે વેદમાં દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે નિરાશ જ થવુ પડે છે. અહિંસા ૪ અપરિગ્રહ જેવી મહત્ત્વની બાબતમાં વેદ્દોમાં સાવ વિરાધી વલણ હતુ. તે ક્રમે ક્રમે બદલાઈને વૈદિક પર પરામાં પણ અહિં સાદિ સાવ ભૌમ ધર્મની પ્રતિષ્ઠા થઈ તેના ઇતિહાસ રચક છે. અને શ્રમણ પર પરાના સ`પૃષ્ઠથી જ એમ બનવા પામ્યું છે, તેમ નિષ્પક્ષ વિચારકે સ્વીકારવુ... જોઈએ. 2. The Vedic people were self-centred and whenever and wherever they performed a sacrifice they were always actuated by the motive of self-interest and never of self-renuncintion or self-denial as we notice in the post-Vedic times. ▸ The offering of the domesticated and highly useful animal such as a horse, a cow etc. as a gift to the God was done not with a view to do homage to the deity but to secure some immediate end through the agency of the deity. Killing of whatever kind was of very little consequence to the Vedic community when it suited their purpose. - Journal of the University of Bombay Sept. 1958 (Arts Number-33) Morals in the Brahmanas: by Dr. H. R. Karnik - p. 97. zadi or Asau: “On the other hand, however, it indicates that with the primitive Aryan, life-even human life-was of very little consequence. Living that he was in the environment of a warrior, shedding of blood and cutting of the throat were the order of the day and the Aryan was quite familiar with such horrid occurrences. He had, therefore, no seruples or hesitation in sacrificing any living being to gain some ephemeral or ethereal end. ...In the Brahmanas notice the beginning of a change. There seems to run by the side of the current of 'Himsa' an undercurrent of 'Ahimsa - p. we 98. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ પુનર્જન્મ અને સંસારચક્રની માન્યતાનો સંબંધ અહિંસા આદિ સાર્વભૌમ ધર્મો સાથે છે. અને વેદોમાં પુનર્જન્મ અને સંસારચક્રની કલ્પના મૂળ હતી નહિ, તેથી તેમાં અહિંસા આદિ ધર્મો મૌલિક ન હોઈ શકે આવી દલીલ હવે વિદ્વાને આપતા થયા છે, તે તેમની સૂમ ઐતિહાસિક નિષ્પક્ષ દૃષ્ટિનું પરિણામ છે. ભારતીય મૂળ ધર્મમાં મર્તિપૂજાનું સ્થાન હતું, ત્યારે વેદમાં મૂર્તિપૂજા દેખાતી નથી, અને તે ભારતીય ધર્મના સંપર્ક ક્રમે કરી વૈદિકાએ સ્વીકારી. વેદકાળે દેવોની પૂજા અથવા આરાધના કોઈ પણ માધ્યમથી થતી, જ્યારે ભારતીય ધર્મમાં સાક્ષાત દેવારાધન થતું. વેગ અને ધ્યાનની પ્રક્રિયા વેદમાં છે જ નહિ; જ્યારે મૌલિક ભારતીય પરંપરામાં એને સ્થાન હતું એની સાક્ષી સિંધુ સંસ્કૃતિના અવશેષે આપે છે. આમ અનેક રીતે વૈદિક અને ભારતીય ધર્મના ભેદક તત્તની શોધ વિદ્વાનોએ કરી છે. એ ભેદ તને (પૃ. ૨૯૭થી ચાલુ) અહિંસાને સુચિત આ આંતર પ્રવાહ, લેખકે સ્પષ્ટ નથી કહ્યું પણ, અન્ય સંસ્કૃતિના સંપર્કથી જન્મેલો જમાનો આવશ્યક છે. વળી, લેખક બ્રાહ્મણમાં વિકસેલ અહિંસા-પ્રવાહ આગળ જઈ બૌદ્ધ–જેન આચારમાં વધારે વિકસ્યો (પૃ. ૧૦૧) એમ કહે છે તેને બદલે એમણે એમ કહેવું જોઈતું હતું કે જે અહિંસાના પ્રવાહે વૈદિદે ઉપર છાપ પાડી અને વૈદિને અહિંસાને સ્વીકાર કરવાની ફરજ પાડી, તે જ પ્રવાહ વધારે વિકસિત રૂપમાં આપણે જેન-બૌદ્ધ શાસ્ત્રમાં જોવા પામીએ છીએ. "If Dr. Zimmer's view is correct, however, the Pre-Aryan, Dravidian religion was rigorously moral and systematically Dualistic years before the birth of Zoroster. This would seem to suggest that in Zorostrianism a resurgence of pre-Aryan factors in Iran, following a period of Aryau supremacy, may be represented something comparable to the Dravidiau resurgence in the form of Jainism and Buddhism,” Zimmer : Philo. sophies of India, p. 185, Note 6 by the Editor - Campbell. આની વિશેષ ચર્ચા ઉક્ત હૈ. દાંડેકરના લેખમાં જેવી. આર્યો પહેલાંની ભારતીય પરંપરાને છે. દાંડેકરે યતિપરંપરા કહી છે, અને વદિ આર્યોની પરંપરાને ઋષિપરંપરા નામ આપ્યું છે. પણ આ લેખમાં અમે શ્રમણ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સમક્ષ રાખીને જો આપણે જૈન આગમોના મૂળ સ્રોતનો વિચાર કરીએ તે એમ કહી શકાય કે એને મૂળ સ્ત્રોત વેદો નહિ પણ ભારતીય મૌલિક ધાર્મિક પરંપરા છે, જેને આજે આપણે શ્રમણ પરંપરા તરીકે જાણીએ છીએ. આગમ શબદના વિવિધ પર્યાયે આગમ શબ્દનો અર્થ “જ્ઞાન” અભિપ્રેત છે તે શાસ્ત્રોમાં આવતા તે શબ્દના વિવિધ પ્રયોગો ઉપરથી જણાય છે. આચારાંગમાં મારા સર્વે ના” ( ૧૪) ને અર્થ છે “જ્ઞા આપત” “જાણીને આજ્ઞા કરે, “જાધવું માનમમાળે” (૧૯૬૩) નો અર્થ છે “સ્ક્રાઇવમ્ સામી - અવયુષ્યમાન – “લઘુતાને જાણતો'; વ્યવહાર ભાષ્યમાં (ગા) ૨૦૧થી) આગમ વ્યવહાર વર્ણવતાં આગમના બે ભેદ પ્રત્યક્ષ અને પરોક્ષ એવા કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષમાં કેવલ, મન:પર્યાય, અવધિ અને ઇન્દ્રિયપ્રત્યક્ષ અને પરોક્ષમાં ચતુર્દશ પૂર્વ અને તેથી ન્યૂન શ્રુતજ્ઞાનને સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરથી કહી શકાય કે સાક્ષાત જ્ઞાન એ આગમ છે. અને તે ઉપરાંત સાક્ષાત જ્ઞાનને આધારે થયેલ ઉપદેશ અને તેથી થતું જ્ઞાન એ પણ આગમ છે. અહીં વિશેષ એ છે કે પ્રત્યક્ષ આગમમાંથી કેવલજ્ઞાનને આધારે અરિહંત દ્વારા થયેલ જે ઉપદેશ હોય તેને જ મુખ્યરૂપે સમાવેશ પરોક્ષ આગમમાં કરવાના છે. આ પરોક્ષ આગમ અલૌકિક આગમ અથવા શાસ્ત્ર યા મૃત કોટિમાં આવે, પણ લેકમાં લૌકિક આગમ પણ છે; તેમાં ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી થતા ઉપદેશને આધારે થતું જ્ઞાન પણ આગમ કહેવાય છે. તેને જેન દૃષ્ટિએ લૌકિક આગમ કહેવાય. ઉપચારથી કેવલજ્ઞાનીના અથવા અન્ય ઉપદેટાના વચનને અને તેવાં વચને જે શાસ્ત્રમાં સંગ્રહાયાં હોય એ શાસ્ત્રને પણ આગમ સંજ્ઞા આપવામાં આવી છે. અનુગારમાં “આગમ' શબ્દ સ્પષ્ટ રૂપે શાસ્ત્રના અર્થમાં વપરાયેલે જોવા મળે છે. તેમાં જીવના જ્ઞાનગુણરૂપ પ્રમાણના ચાર ભેદ કરવામાં આવ્યા છેઃ પ્રત્યક્ષ, અનુમાન, ઔષમ્ય અને આગમ*. આ જોતાં તે જ્ઞાન અર્થમાં જ અને બ્રાહ્મણ પરંપરા એવું નામ સ્વીકાર્યું છે. વળી જઓ Zimmer: Philosophies of India, p. 281, અને p. 60, note 23; p. 184, note 5. ૩. જુઓ અભિધાનરાજેન્દ્રકોષમાં “આગમ' શબ્દ. ૪. ભગવતી ૫-૩-૧૯૨માં પ્રમાણના આ જ ચાર ભેદે ગણાવ્યા છે. અને સ્થાનાંગમાં બહેતુ’ ના પણ આ જ ચાર ભેદ ગણાવ્યા છે. સૂ. ૩૩૮–૨૨૮ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ અભિપ્રેત છે એ સ્પષ્ટ છે. પણ જ્યારે આગમ એ શું છે એ પ્રશ્નનો ઉત્તર આપ્યો ત્યારે ભારત, રામાયણ, યાવત્ સાંગોપાંગ વેદને લૌકિક આગમ કહ્યા. અને સર્વ . સર્વદર્શ ત્રિકાલજ્ઞાની અરિહંત ભગવાન દ્વારા પ્રણીત દ્વાદશાંગ ગણિપિટક – આચારથી માંડીને દૃષ્ટિવાદ સુધી – ને લેકોત્તર આગમ કહ્યા. આ ઉપરથી સ્પષ્ટ છે કે અહીં આગમ શબ્દ તેના ઔપચારિક અર્થમાં છે. અર્થાત આગમ-જ્ઞાનનાં સાધનને આગમ કહેવામાં આવ્યા છે. વળી. “અથવા' કહીને આગમનું એક બીજુ પણ વિવરણ આપવામાં આવ્યું છે કે આગમ ત્રણ પ્રકારનો છે? સુiામ, સરથામતડુમયાનમ. આ ઉપરથી પણ સૂત્ર = શાસ્ત્ર અને તેને અર્થ = જ્ઞાન એ બને અર્થમાં આગમ શબ્દ પ્રસિદ્ધ હતો એ સિદ્ધ થાય છે. વળી, આગમના એક અન્ય પ્રકારથી ભેદે બતાવવામાં આવ્યા છે, જેમ કે કામ =. આત્માગમ, અનંતરામ = અનન્તરાગમ અને પરંપરાશ". આપણે જાણીએ છીએ કે આગમ બે પ્રકારના છે. અથરૂ૫ અને સૂત્રરૂપ. તેથી તીથકર, જેઓને અર્થનો સાક્ષાત્કાર છે અને જેઓ તે અર્થને ઉપદેશ કરે છે, તે અર્થઆગમ છે. એટલે અથરૂ૫ આગમ તીર્થકરને આત્માગમ કહેવાય, કારણ કે તે અર્થાગમ તેમને પોતાને જ છે, બીજા પાસેથી મેળવેલ નથી. પણ એ જ અર્થાગમ ગણધરોએ તીર્થંકર પાસેથી મેળવ્યો છે. અને તીર્થકર અને ગણધરે વચ્ચે બીજુ કાંઈ વ્યવધાન નથી, એટલે કે તીર્થકર દ્વારા સીધા જ અર્થને ઉપદેશ. ગણધરો પ્રાપ્ત કરે છે. તેથી ગણધરને માટે તે અર્થીગમ અનન્તરાગમ કહેવાય. પણ એ અર્થાગમને આધારે ગણધરો સ્વયં સૂત્રરૂપ આગમની રચના કરતા. હાઈ ગણધરને સૂત્રાગમ એ આત્માગમ કહેવાય, પરંતુ ગણધરના સાક્ષાત્ શિષ્યોને ગણધર પાસેથી સૂત્રાગમ સીધે જ મળે છે, વચ્ચે કાંઈ વ્યવધાન નથી, તેથી તે શિષ્યોને સૂત્રાગમ એ અનન્તરાગમ છે. પરંતુ અર્થાગમ તો તેમને પરંપરાગમ કહેવાય. કારણ કે તેમણે પોતાના ગુરુ ગણધર પાસેથી મેળવ્યો. પણ તે ગુરુને પણ તે આત્માગમ ન હતો, પણ તીર્થંકર પાસેથી મળેલ હતા. ગણધરોના પ્રશિષ્યો અને તેમની પરંપરામાં થનારા શિષ્ય-પ્રશિષ્યોને માટે તે અર્થ અને સૂત્ર અને પરંપરાગમ જ કહેવાય આ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને અનુ ગમાં કહેવાયું છે કે તીર્થકરાને અર્થાગમ એ આત્માગમ છે, ગણધરને સૂત્રાગમ ૫. અનુગદ્વાર સૂત્ર ૪૭૦. ६. सुस्तं गणहररइयं तहेव पत्तेयबुद्धरइयं च । સુચવર્જિા રઘં અમિઝરણુવિજા રઘં . – શ્રીચન્દ્રોયા સંગ્રહણી, ગા.. ૧૧૨. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ એ આત્માગમ છે, અને અર્થાગમ એ અન્તરાગમ છે. પણ ગણધરના શિષ્યોને સુત્રાગમ એ અનન્તરગમ છે, અને અર્થગમ એ પરંપરાગમ છે. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે આગમમાં અર્થાત્ આગમનામે પ્રસિદ્ધ શાસ્ત્રમાં જે અર્થ = પ્રતિપાદ્ય વિષય છે, તેનું જ્ઞાન તીર્થકરોને સ્વયં છે, તેમાં તેમને કોઈની અપેક્ષા નથી. એ અર્થ = પ્રતિપાદ્ય વિષયને ગણધરો સૂત્રબદ્ધ કરતા હોઈ એ સૂત્ર તેમને માટે આત્માગમ છે, પણ અર્થ તો તેમને તીર્થંકર પાસેથી અવ્યવહિત રૂપે મળ્યો હઈ અથગમ ગણધર માટે અનન્તરગમ છે. આથી સિદ્ધ થયું કે અર્થોપદેશક તીર્થકર છે. આ જ વસ્તુને દ્વાદશાંગી તીર્થંકરપ્રણીત છે એમ કહી સૂચવવામાં આવી છે, પણ તક અર્થોપદેશક છતાં એ અર્થને સૂત્રબદ્ધ તો ગણુધરે જ કરે છે. તેથી સૂત્રકર્તા ગણુધરે છે. તેથી જ સૂત્રાગમ વિષે કહેવામાં આવ્યું કે તે ગણધરોને આત્માગમ છે. ગણધરોના સાક્ષાત્ શિષ્યો સૂત્રનું જ્ઞાન તો સ્વયં ગણધરો પાસેથી લેતા હોઈ તેમને માટે સૂત્રગામ અનન્તરાગમ છે, પણ અર્થાગમ એ, પરંપરાગમ છે; કારણ, સ્વયં ગણધરને તે આત્માગમ નથી, પણ તેમના ગુરુ તીર્થકરને તે આત્માગમ છે. એટલે કે તીર્થકરે ગણધરને અર્થીગમ આપ્યો અને ગણુધરે પિતાના શિષ્યોને આ • આમ તે અર્થાગમ પરંપરાગમ થયો, પણ ગણધરના શિષ્યના શિયે અને તેમની પરંપરાને તો અર્થ અને સૂત્ર બંને પ્રકારના આગમે પરંપરાગમ છે. શાસ્ત્રરચનાની આ જ પરંપરાને પ્રતિષ આવશ્યક નિયુક્તિની નિમ્ન ગાથામાં છે. - अत्थं भासइ अरहा मुक्तं गंथंति गणहरा निउणं । सासणस्स हियठाए तओ मुत्तं पवत्तइ ॥९२॥ લેત્તર આગમ – દ્વાદશાંગીની રચના વિષેને આ સિદ્ધાંત દિગંબર આચાર્યોને પણ માન્ય છે. ષટ્રખંડાગમની ધવલા ટીકા (પૃ. ૬૦, પ્રથમ ભાગ) અને કસાયપાહુડની જયધવલા (પ્રથમ ભાગ, પૃ. ૮૪) ટીકામાં પણ આ જ વસ્તુનું સમર્થન કરવામાં આવ્યું છે. અનુગારમાં જેમ દ્વાદશાંગીને આગમ-લોકોત્તર આગમ–ની સંજ્ઞા આપવામાં આવી છે, તેમ તેમાં તેને કેસર ભાવકૃત પણ કહેવામાં આવ્યું છે. પિોથી-પાનાં, જેમાં શ્રુતને લખવામાં આવે છે, તેને અનુયાગદ્વારમાં ૭. અનુયાગદાર, સૂત્ર ૪૭૦. ૮. અનુગાર, સૂત્ર ૫૦. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ દ્વવ્યકૃતની સંજ્ઞા આપવામાં આવી છે. અને સ્વયં શ્રુતજ્ઞાનને ભાવકૃતની સંજ્ઞા આપી છે. આમ પિથી–પાનાને અર્થાત પુસ્તકને ઉપચારથી મૃત અને સ્વયં તીર્થકર દ્વારા પ્રતિ દ્વાદશાંગીને અર્થાત દ્વાદશાંગીમાં પ્રતિપાદિત કૃતજ્ઞાનને મુખ્ય શ્રુત કહેવામાં આવ્યું છે. નંદીસૂત્રમાં એ જ દ્વાદશાંગીને સમકશ્રતને નામે ઓળખાવ્યું છે. આ પ્રમાણે કહી શકાય કે આગમની બીજી સંજ્ઞા “શ્રત પણ છે. શાસ્ત્રની શ્રત એવી સંજ્ઞા પાછળને ઇતિહાસ જોઈએ તો જણાશે કે વેદ માટે “શ્રુતિ' શબ્દ પ્રસિદ્ધ હતો તે એટલા માટે કે વેદજ્ઞાન આચાર્યપરંપરાથી સાંભળીને મેળવવામાં આવતું, તે જ પ્રમાણે જેન આગમક જ્ઞાનની પરંપરા પણ શ્રવણને આધારે ચાલતી હેઈ આગમો શ્રત' કહેવાયા. આના પ્રકાશમાં આગમોના પ્રારંભમાં આવતા “દુર્ઘ મે માસમં ! તેf મળવચા gવમાનો વિચાર કરીએ તો આગામે શ્રુત શબ્દથી શા માટે ઓળખાયા એ સ્પષ્ટ થાય છે. આવા વાકયોથી એ સ્પષ્ટ થાય છે કે આગમના પઠન-પાઠનની કેવી પ્રણાલી હશે. વળી વિદ્યમાન આગમ ગણધર દ્વારા પ્રથિત છે, એને પણ પુરા આવા વાકયોથી મળી જાય છે. આવાં વાકયોની પરંપરા પાલિપિટકમાં પણ મળે છે. અને આગમ તથા પિટક અને રચનાને કાળ અથવા તે મૂળ ઉપદેશને કાળ, એક જ હતા એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. આપણે આગળ જોઈ ગયા કે અનુગદ્વારમાં “પુરામ' શબ્દ પણ પ્રયુક્ત છે. આ ઉપરથી જણાય છે કે શબ્દરચના “સત્ર' નામે પણ પ્રસિદ્ધ હતી. આથી જ આગ સૂત્ર નામે પણ પ્રસિદ્ધ થયા. ભારતીય સાહિત્ય પરંપરામાં સત્રનામે ઓળખાતી એક વિશિષ્ટ શૈલીમાં લખાયેલા ગ્રંથ સૂત્રગ્રંથ તરીકે પ્રસિદ્ધ થયા છે. વેદિક પરંપરામાં ગૃહ્ય અને ધર્મ સૂત્રોને એક વિશેષ પ્રકાર પ્રસિદ્ધ છે. વળી, વ્યાકરણ આદિ શાસ્ત્રની રચના માટે પણ સૂત્ર શૈલી અપનાવવામાં આવી છે. આ શૈલીની વિશેષતા એ છે કે થોડામાં થોડા શબ્દોમાં વક્તવ્યને નાના નાના વાકયમાં ગૂંથી લેવું. જેમાં વિવિધ રૂપોને એક સૂત્રમાં દોરામાં બદ્ધ કરવામાં આવે છે, તેમ અનેક અર્થોને શબદરચના દ્વારા ગૂંથી લેવાતા હાઈ એ શબ્દરચના પણ સૂત્ર કહેવાય છે. સૂત્રશૈલીના ગૃહ્ય કે ધર્મસૂત્ર જેવા વદિક ગ્રંથો જેનારને જૈન આગમો “સૂત્ર ન જ કહેવાવા જોઈએ એમ લાગશે, કારણ, પ્રચલિત સુત્રશૈલીથી જુદી જ શૈલીમાં એ લખાયા છે. પણ જૈનેએ ૯. “વત્તચોરવર્જિર્ચિ” – અનુયોગદાર, સૂત્ર ૩૯. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ પિતાના આગમ માટે “સૂત્ર' શબ્દને જે પ્રયોગ કર્યો છે, તે પ્રકારની વિશિષ્ટ શૈલીને મુખ્ય માનીને નહિ, પણ એ સૂત્રસાહિત્યનો મૂળ ઉદ્દેશ, આપણે ધ્યાનમાં લઈએ તો જણાશે કે, વૈદિક આચારપ્રણાલી વિષે જે વિવિધ ઉપદેશ કે વિચારણું થયેલ તેને સંક્ષેપમાં સંગ્રહ કરી દે એ હતો. એ જોતાં મહાવીરના ઉપદેશને સંગ્રહ પણ સૂત્ર કહેવાય તો નવાઈ નહીં. આથી બને સાહિત્યની શૈલીમાં -ભેદ છતાં સૂત્રો કહેવાય. જેમ અનેક મણિઓ કે પુપને સૂત્રબદ્ધ કરવાથી તે સચવાઈ રહે છે, તેથી તેવા ગ્રન્થ સૂત્રો કહેવાયા હોય તો યોગ્ય જ છે. -અર્થાત “સૂત્રજ્ઞાત સૂત્ર’ એવો અર્થ સૂત્રને અભિપ્રેત છે. બૌદ્ધ પુરિટ” પણ એ જ અર્થમાં “સૂત્ર છે; નહિ કે તેની શૈલી સૂત્રમૈત્રી છે તેથી. વળી, જેનોની એવી પણ માન્યતા છે કે આગમના એક જ વાક્યના આધારે થતા અર્થધનું તારતમ્ય શ્રેતાની વિવિધ શક્તિને અનુસરીને અસંખ્યાતથી પણ વધારે પ્રકારનું છે. આથી આગમના એક જ વાકયમાં અનેક પ્રકારે અર્થની સૂચના આપવાની શક્તિ હોઈ તેવાં વાકયોના સંગ્રહને “સૂત્ર' નામથી ઓળખવામાં કશું જ અનુચિત નમી. તાત્પર્ય એ છે કે જૈન આગમ “સૂત્ર' એટલા માટે કહેવાય છે કે તેમાં વિવિધ અર્થોને બોધ કરાવવાની – સૂચના કરવાની – શક્તિ છે. આ પ્રમાણે “સૂચનાત્ સૂત્રકૂ' એ અર્થમાં પણ સૂત્ર શબ્દ પ્રયોગ માની શકાય. દ્વાદશાંગીને ગણિપિટક એવી સંજ્ઞા પણ આપવામાં આવી છે. બૌદ્ધ શાસ્ત્રસંગ્રહને “પિટક' એવું નામ તે કાળે અપાયું છે. આ લક્ષમાં લેતાં શાસ્ત્રસંગ્રહ માટે “ગણિપિટક' શબ્દનો પ્રયોગ તે કાળની ચાલુ પ્રથાને આભારી હશે. પિટક એટલે પેટી અર્થાત ગણિના – આચાયના જ્ઞાનને ભંડાર એટલે “ગણિપિટક". શ્રત માટે પ્રાચીન શબ્દ “પ્રવચન' પણ વપરાય છે. દુમિદ નિવવા. ભગવતીમાં ગૌતમે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો છે. કે પ્રવચન પ્રવચન કહેવાય કે પ્રવચની પ્રવચન કહેવાય ? આના ઉત્તરમાં ભગવાને કહ્યું છે કે અરિહંત એ પ્રવચની છે. અને દ્વાદશ અંગે એ “પ્રવચન” છે. (ભગવતી શ૦ ૨૦, ઉદ્દેશ ૮). વિર ભદ્રબાહુવામિએ એ પ્રવચનની ઉત્પત્તિ વિષે સુંદર રૂપક બાંધ્યું છે તવ-નિયમ-નાનજë ગાઢા જેવી અનિચનાળી. તો મુસદ નાખવુ િવિચાળવવોરાઇ * વિશેષાવશ્યકભાષ્ય, ગા. ૧૩૬૫. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ त बुद्धिमएण पडेण गणहरा गिहिर निरवसेसं । तित्थयरभासियाई गंथंति तओ पवयणट्ठा ॥ આવશ્યક નિર્યુક્તિ (ગા. ૮૯-૯૦) તપ, નિયમ, સંયમ અને જ્ઞાનરૂપ વૃક્ષ ઉપર આરૂઢ થઈને અમિતજ્ઞાની –સર્વજ્ઞ-કેવલી ભવ્ય જનેના વિબોધને માટે જ્ઞાનની વર્ષા કરે છે. ગણધર તેને સંપૂર્ણ ભાવે બુદ્ધિમય પટમાં પ્રહણ કરીને તે તીથકર ભાષિતની પ્રવચન અર્થે માળા ગૂંથે છે.' આમાં આવતા “પ્રવચન' શબ્દનો અર્થ જિનભદગણિ ક્ષમાશ્રમણે કર્યો છે તે આ છે–ાર્થ વયf gવચળમટ્ટ સુચના' ....જવચામવા સંઘ” (ગા) ૧૧૧૨) અર્થાત પ્રગત વચન એ પ્રવચન છે અથવા તો સંધ એ પ્રવચન છે. સંધને પ્રવચન કહેવાનું કારણ એ છે કે સંધને જ્ઞાનોપયોગ એ જ પ્રવચન છે તેથી સંધ અને જ્ઞાનને અભેદ માની સંધને પ્રવચન કહો. પ્રગત વચન એ પ્રવચન છે. તેનો અર્થ તેમને જે અભિપ્રેત છે, તે આ છે“ચં વાળવચળું વાસંમ” (ગા. ૧૦૬૮), “નમિઢ જતું પરર્થ વાળવચળ પવચ તૂ જા સામä સુચના વિષયો સુત્તમ ૨ | (ગા. ૧૩૬૭) અર્થાત્ “y' ઉપસર્ગના પ્રશસ્ત અને પ્રધાન એવા બે અર્થ છે તેથી પ્રશસ્ત વચન અથવા પ્રધાન વચનરૂ૫ શ્રુતજ્ઞાન એ પ્રવચન છે. શ્રુતજ્ઞાનમાં પણ પ્રધાન દ્વાદશાંગી હાઈ એ જ પ્રવચન નામે ઓળખાય છે. એ પ્રવચનના બે અંશ છે: શબ્દ અને અર્થ. શબ્દ એ સૂત્ર નામે ઓળખાય છે, અને તેના કર્તા ગણધરો છે. જે અર્થના ઉપદેશને આધારે તેમણે સૂત્રરચના કરી તે અર્થના કર્તા તીર્થકર સ્વયં છે. અહીં પ્રશ્ન એ થશે કે ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી માટે તેઓ તેના કર્તા કહેવાયા, પણ તીર્થકરે અર્થોને ઉપદેશ આપ્યો તે શું શબ્દ વિના ? શબ્દ રહિત તે ઉપદેશ સંભવે જ નહિ. તો પછી શબ્દના કર્તા પણ તીર્થકરને શા માટે ન માનવા ? આને ખુલાસો જિનભદ્રગણિએ કર્યો છે કે તીર્થકર કાંઈ ક્રમે કરી બારે અંગોને યથાવત્ ઉપદેશ દેતા નથી, પણ સંક્ષેપમાં સિદ્ધાંતોને ઉપદેશ આપે છે, જેને વિસ્તારીને ગણધરે સ્વપ્રતિભાથી એ ઉપદેશને બાર અંગમાં એ રીતે પ્રથિત કરે છે કે સંધના સૌ કેઈ તેને સરળતાથી સમજી શકે. આ રીતે અર્થકર્તા તીર્થકર છે અને સૂત્રકર્તા ગણધરો છે.૧૦ સંક્ષેપમાં સિદ્ધાંતોનો ઉપદેશ કેવો હોય તેનું * વિશેષા, ગાય ૧૧૧૯. (આ નિર્યુક્તિ ગાથા છે.) ૧૦. વિશેષાગા૦ ૧૧ ૧૯-૧૧૨૪. Page #325 -------------------------------------------------------------------------- ________________ 30४ नि३५९५ व्यायाय . युछे, 'उप्पने इ वा विगमे इ वा धुवे इ वा'. આ માતૃકાપદત્રયમાત્રને ઉપદેશ તીર્થકર આપે છે અને તેને ગણધર વિસ્તારી બાર અંગરૂપે ગૂંથે છે.૧૧ આચાર્ય ભદ્રબાહુ પ્રવચનના એકાર્થક શબ્દ તરીકે પ્રવચન, સૂત્ર અને અર્થ એ ત્રણને નેધે છે. જો કે પ્રવચન એ સામાન્ય છે અને તેના જ બે ભેદે સૂત્ર અને અર્થ છે. અને વળી, સૂત્ર અને અર્થ પરસ્પર એક નથી. છતાં પણ સામાન્ય અને વિશેષને અભિન્ન માનીને સૂત્ર અને અર્થને પણ પ્રવચનના એકાક તરીકે જણાવવામાં કોઈ બાધા નથી. આ ખુલાસો જિનભદ્રગણિએ કર્યો છે? ૧૧. જુઓ વિશેષા. ગા. ૧૧૨૨ની ટીકા, १२. एगट्टियाणि तिन्नि उ पवयण मुत्तं तहेव अत्यो य । मावश्य:नि० १० १२६ १३. विशेषा० .० १३१८-७५ : सिंचइ खरइ जमत्थं तम्हा सुत्तं निरुत्तविहिण वा । सुएइ सवइ सुम्वइ सिव्वइ सरए व जेणत्थं ॥१३६८।। अविवरियं सुतं पिव सुठिय-वावित्तओ व सुत्तं ति । जो सुत्ताभिप्पाओ सो अत्थो अज्जए जम्हा ।।१३६९।। सह पवयणेण जुत्ता न सुयत्थेगत्थया परोप्परओ । जं सुत्तं वक्खेयं अत्थो तं तरस वक्खाण ।।१३७०।। जुज्जइ च विभागाओ तिण्ह वि भिन्नत्थया न चेहरहा । एगत्थाण पि पुणो किमिहेगत्थाभिहाणेहिं ।।१३७१॥ मउलं फुल्ल ति जहा संकोय-विबोहमेत्तमिन्नाइ । अत्थेणाभिन्नाइ कमल सामण्णओ चेगं ॥१३७२।। अविवरियं तह सुत्तं विवरियमत्थोत्ति बोहकालम्मि । किंचिम्मत्तविभिन्ना सामन्नं पवयणं नेयं ॥१३७३।। सामन्न-विसेसाणं जह वेगा-ऽणेगया ववत्थाए । तदुभयमत्थो य जहा वीसुबहुपज्जवा ते य ॥१३७४॥ एवं सुत्त-ऽत्थाणं एगा-ऽणेगळ्या ववत्थाए । पवयण भुभयौं च तय तिय च बहुपज्जय वीसु ॥१३७५॥ -विशेषावश्यकभाष्य । Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ શ્રુતપુરુષ આગમને મૌલિક વિભાગ “અંગ તરીકે ઓળખાય છે. તેની પાછળ સાહિત્યિક વિભાગ કરવાની પ્રાચીન પરંપરા કારણભૂત છે. જેમ સૃષ્ટિક્રમમાં પુરુષની કલ્પના કરવામાં આવી અને તેના વિવિધ અંગરૂપે બ્રાહ્મણ દિ ચાર વર્ણોની ઉત્પત્તિ સ્વીકારવામાં આવી અથવા તે પુરુષની કલ્પના કરીને તેને આધારે સમગ્ર લેકના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ, તે જ રીતે વિદ્યાપુરુષ કે શ્રુતપુરુષની પણ કલ્પના કરીને તેના અંગ-ઉપાંગરૂપે વિદ્યાસ્થાનોની કલ્પના થઈ. આ જ પરંપરાનું અનુસરણ કાવ્યપુરુષની કલ્પનામાં પણ છે. જેમ વૈદિક સાહિત્યમાં પણ વિદ્યાનાં અંગોની કલ્પના છે, તેમ જૈન શ્રુતમાં પણ અંગ-ઉપાંગની કલ્પના કરવામાં આવી. સ્પષ્ટ છે કે શરીરમાં જેમ ઉપાંગોને આધાર અંગ છે, તેમ આગમમાં પણ ઉપાંગને આધાર અંગગ્રંથે જ બને. આ રીતે સમગ્ર આગમસાહિત્યમાં અંગગ્રંથોનું મહત્ત્વ અધિક છે, એટલું જ નહિ પણ તે જ મૌલિક આગમો છે અને તેના આધારે અંગબાહ્ય કે ઉપાંગાદિ અન્ય આગમોનું નિર્માણ થયું છે. આ દષ્ટિએ ભગવાન મહાવીરનો અર્થોપદેશ સાંભળીને ગ્રથિત થયેલા મૌલિક આગમને અંગ એવું નામ જે આપવામાં આવ્યું છે તે તેના મહત્વને સૂચવી જાય છે; સાથે જ તેની મૌલિકતાનું પણ સૂચન કરે છે. અંગરચનાની આધારભૂત સામગ્રી આપણે એ જોયું કે અંગોની રચનામાં ભગવાન મહાવીરને ઉપદેશ એ જ મુખ્ય આધાર છે, પણ એ વિચારવું પ્રાપ્ત છે કે ભગવાન મહાવીરે જે ઉપદેશ આવે તે તેમની પિતાની જ શોધ હતી કે પરંપરાથી પ્રાપ્ત સામગ્રીને આધારે જ તેમણે ઉપદેશ આપ્યો. ભગવાન મહાવીરનો બુદ્ધની જેમ એવો દાવો નથી કે આ જે કાંઈ હું કહું છું તે મારી જ શેધ છે અને કેઈ અપૂર્વ વાત છે. સંસારચક્રને માનનાર અને અનાદિ સૃષ્ટિક્રમને માનનાર મહાવીર પિતાના ઉપદેશને વિષે સ્પષ્ટ કહે છે કે મેં આ જે અહિંસાને ઉપદેશ આપ્યો છે તે કેવળ મેં જ આપે છે એવું નથી, પણ મારા પૂર્વે અનેક અહંતાએ આપે છે, વર્ત. માનમાં અનેક અહંતે આપે છે અને ભવિષ્યમાં પણ અનેક અહંતે આપશે. આમ એ વિદ્યાને તેઓ અનાદિઅનંત સૂચવે છે. આમ વેદની અપૌરુષેયતા અને અંગ આગમની અનાદિતા એક જ થઈ જાય છે. અંગમાં એવા સ્પષ્ટ ઉલ્લેખો મળે છે, જેમાં પિતાની વાતના સમર્થનમાં ભગવાન મહાવીર ભગવાન પા" પણ આમ જ કહ્યું છે, એમ સ્પષ્ટ જણાવે છે. ૨૦ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ વળી, એવા કેટલાંક અધ્યયન છે, જેને વિષે કહેવામાં આવ્યું છે કે આ ઋષભે કહ્યું છે, આ કપિલ ઋષિએ કહ્યું છે. આથી એટલું તે ફલિત થઈ જ શકે છે કે ભગવાન મહાવીરે ચાલી આવતી પ્રાચીન પરંપરાને, સમયાનુકૂલ પરિવર્તન અને પરિવર્ધન કરીને લોકો સમક્ષ રજૂ કરી. હવે એ વિચારીએ કે જે પારંપ ભગવાન મહાવીરને મળ્યું તે વૈદિક એટલે કે બ્રાહ્મણપરંપરાનું હતું કે શ્રમણ પરંપરાનું હતું ? ભારતીય વાહ મયમાં અહિંસા આદિ સાર્વભૌમ તની જે મીમાંસા અંગગ્રથોમાં થયેલી છે તે જોતાં અને તેવી મીમાંસાને વેદ–બ્રાહ્મણ ગ્રન્થામાં અભાવ જોતાં એમ જરૂર કહી શકાય કે આચારની બાબતમાં તેમને વારસે એ વૈદિક પરંપરાને નથી. જેકાબી વગેરેએ એક સમયે એમ માનેલું કે આચારાંગ આદિમાં આવતા આચારના નિયમોને આધાર વૈદિક ધર્મશાસ્ત્રો-સૂત્રગ્રંથો છે. પણ, આ વસ્તુને સમગ્રભાવે વિચાર કરતાં હવે અદ્યતન વિદ્વાન એ મતથી વિરુદ્ધ મત ધરાવે છે. અને ડો. દાંડેકર જેવા સ્પષ્ટપણે સ્વીકારતા થઈ ગયા છે કે સ્વયં ધર્મગ્રન્થ–સૂત્રગ્રન્થોમાં નિરૂપિત થયેલ સમગ્ર જીવનવ્યાપી તત્ત્વ મૂળે વૈદિક પરંપરાનું નથી, પણ શ્રમણોની અસરથી વૈદિક પરંપરામાં લેવામાં આવ્યું છે.* આ રીતે કહી શકાય કે, અંગ ગ્રન્થમાં જે આચારની વિચારણું છે, તે શ્રમણ પરંપરાની છે, નહિ કે વૈદિક પરંપરાની. હવે ભગવાન મહાવીરની દાર્શનિક વિચારધારાનું પારંપર્ય તેમને કઈ પરંપરામાંથી મળ્યું એ વિશે વિચારીએ. આ બાબતમાં પણ મહાવીર પૂર્વેની વૈદિક વિચારધારા સ્પષ્ટપણે સૃષ્ટિપ્રક્રિયામાં માને છે; એટલે કે ક્યારેક પણ આ સૃષ્ટિ કોઈ એક તત્વમાંથી ઉત્પન્ન થઈ એમ સ્વીકારે છે; જ્યારે, આથી ઊલટું જૈન આગમ સ્પષ્ટપણે માને છે કે આ સૃષ્ટિ કદી ઉત્પન્ન થઈ છે એમ નથી, એ તે અનાદિ. અનંત છે. વળી, મહાવીર પૂર્વેની વૈદિક પરંપરા જગતના મૂળમાં એક તત્વ માને છે, જ્યારે ભગવાન મહાવીરને મત જગત જીવ અને જેડ એ બે તને વિસ્તાર છે. એ તો પણ અનાદિ-અનંત છે. આમ દાર્શનિક દષ્ટિને પણ બન્નેમાં મૌલિક ભેદ છે. એટલે અંગ ગ્રંથનું દર્શન વેદને આધારે નિષ્પન્ન થયું છે, એમ કહી શકાય નહિ. આથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે મહાવીરની દાર્શનિક વિચારધારાનું પારંપર્ય બ્રાહ્મણપરંપરા સાથે નહિ પણ શ્રમણુપરંપરા સાથે સંબદ્ધ છે. રચના-પ્રદેશ ભગવાન મહાવીરના ઉપદેશને આધાર બનાવીને સમગ્ર આગમોની રચના થઈ છે. ભગવાન મહાવીરે પ્રથમ સફળ ઉપદેશ વેતાંબરને મતે અપાપા-પાવાપુરીમાં અને દિગંબરને મતે રાજગૃહના વિપુલાચલ ઉપર આપે. આમ સ્થાન પર જુઓ પૃ૦ ૨૯૪ની ટિપ્પણું નં. ૧માં નિર્દિષ્ટ લેખનું ૫૦ ૫૬. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭, મતભેદ છતાં સામાન્ય રીતે બિહાર એ મૂળ આગમની જન્મભૂમિ છે એમ કહી શકાય. પણ આમાં પણ થડ અપવાદ કરવો આવશ્યક છે. સૂત્રકૃતાંગનું વૈતાલિક અધ્યયન, ટીકાકારોના મત પ્રમાણે, ઋષભદેવના ઉપદેશને સંગ્રહ છે. આ દષ્ટિએ બિહારની બહાર પણ આગમની ઉત્પત્તિનાં મૂળ શોધવા રહ્યા. વળી, પૂર્વના આધારે ગ્રથિત ખંડાગમની રચના દક્ષિણમાં થઈ પણ તેને “ઉપદેશ સૌરાષ્ટ્રમાંથી તેના કર્તાઓને પ્રાપ્ત થયે. ૧૪ ઉત્તરાધ્યયનને કેશી–ગૌતમ સંવાદ શ્રાવસ્તીમાં થયો. આચાર્ય ભદ્રબાહુ કયાંના નિવાસી હતા તે નિશ્ચિત નથી. તેમણે છેદ ગ્રંથ કલ્પ, વ્યવહાર અને નિશીથની (3) રચના કરી છે. વળી, તેમના વિષે તાંબર સંપ્રદાયને મત એવો છે કે તેઓ નેપાલમાં જઈ ધ્યાન-સમાધિમાં લાગી ગયા હતા. ત્યાં જઈ સ્થૂલભદ્દે તેમની પાસેથી દશ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. નંદીસૂત્રની રચના, તેનાં સમયની દૃષ્ટિએ, સૌરાષ્ટ્રમાં થઈ હોય એ વધારે સંભવ છે. આચાર્ય કાલક યા શ્યામાચાયે પ્રજ્ઞાપનાની રચના કરી છે. તેઓ માળવાના ધરાવાસ નામક નગરના નિવાસી હતા. અનુગદ્વારના કર્તા મનાતા આરક્ષિત પણ માળવાના જ છે. આચાર્ય જિનભદ્રગણિનું છતકલ્પ સોરાષ્ટ્રમાં રચાયું હોય એ અધિક સંભવ છે. મહાનિશીથ એ આચાર્ય હરિભદ્દે ઉદ્ધરેલ ગ્રંથ છે, એટલે એને રાજસ્થાન-ગુજરાતની રચના કહી શકાય. પિંડનિયુક્તિ આદિ ગ્રંથ દ્વિતીય ભદ્રબાહુની રચના હોવાનો સંભવ છે. તેઓ દક્ષિણના પ્રતિષ્ઠાપુરના નિવાસી હતા. વળી, આગમોની વાચના પાટલિપુત્ર, મથુરા અને વલભીમાં થઈ અને વલભીમાં માથુરીયાચનાને આધારે થયેલ સંકલન અત્યારે તાંબર સંમત આગમો છે. આ સ્થિતિમાં આગમોને મૂળ ઉપદેશ બિહારમાં થવા છતાં તેનું અંતિમ રૂપ સૌરાષ્ટ્રમાં સ્થિર થયું. આ બધી વાતને વિચાર કરીએ તો કહેવું પડે છે કે સમગ્ર ભારતવર્ષ એ આગમની રચનાભૂમિ છે. આ દૃષ્ટિએ જ તેની ભાષાને વિચાર થવો જોઈએ. આગમની ભાષા વેદો સંસ્કૃત ભાષામાં છે, જ્યારે જેન–બૌદ્ધના આગમ પ્રાકૃતમાં છે. આમ થવાનું સ્પષ્ટ કારણ એ છે કે ભગવાન મહાવીર અને બુદ્ધિને પિતાને ઉપદેશ १४. "तो सन्वेसिमंगपुव्वाणमेगदेसा आयरियपर पराए आगच्छमाणो धरसेणाइरियं સંપ તેના વિ રસિય-રિચરપટ્ટણચંદ્રગુહાઈ....” હવે મા , વૃ૦ ૬૭ | Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જનતાના બધા વર્ગોમાં ફેલાવવા હતા, નહિ કે માત્ર ઉચ્ચ વર્ગ'માં. વેદો એ તે બ્રાહ્મણેાની સપત્તિ; એમાં ખાજાના ગજ ન વાગે—એ માન્યતાના વિરોધમાં જ્ઞાન એ બધાને સમાનભાવે સુલભ થવુ જોઈએ એવા ધેાષ ભગવાન મહાવીર અને ભગવાન મુદ્દન હતેા. વળી, જ્ઞાન માટે અમુક જ ભાષા વાહનરૂપે વપરાય અને તે પવિત્ર છે એવા ભ્રમ પણ તેમને નિવારવા હતા. એટલે અને અહિ તેએ તેમના ઉપદેશ લેાકભાષામાં પ્રથિત થાય એવા આગ્રહ રાખ્યા હતા. આથી ભગવાન મહાવીરને ઉપદેશ ગણુધરાએ તે કાળની પ્રાકૃત ભાષામાં પ્રથિત કર્યા. એ ભાષાનું નામ શાસ્ત્રમાં અર્ધમાગધી આપવામાં આવ્યુ છે. પાછળના વૈયાકરાએ માગધી અને અ`માગધી ભાષાનાં જે લક્ષણા ગણાવ્યાં છે તે લક્ષણા આપણી સામે વિદ્યમાન આગમામાં કવચિત્ જ મળે છે. એટલે પ્રાકૃત ભાષાની સામાન્ય પ્રકૃતિ પ્રમાણે એ ભાષા સદા પરિવતિત થતી રહી હશે એમ માનવાને કારણ છે. અને જે કારણે શાસ્ત્રોની ભાષા સંસ્કૃત નહિ પણ પ્રાકૃત રાખવામાં આવી હતી એટલે કે લોકભાષા સ્વીકારવામાં આવી હતી તે કારણે પણ લેભાષા જેમ જેમ અધ્યાય તેમ તેમ એ શાસ્ત્રાની ભાષા બદલાવી જોઈએ એ અનિવાય હતું. વળી, ભગવાન મહાવીરના સમયમાં મગધમાં વિસ્તાર પામેલે જૈનધમ ક્રમે કરી પશ્ચિમ અને દક્ષિણુ તરફ વિસ્તરતા ગયા એટલે લેાકભાષા પ્રાકૃતમાં તે તે દેશની લાકભાષાનું વલણુ દાખલ થાય એ સ્વાભાવિક છે. એટલે આજે મળતા આગમામાં અર્ધમાગધીનાં લક્ષણ્ણા વિશેષ રૂપે ન મળે તે તેમાં કાંઈ આશ્ચય નથી. જો વૈદિકાની જેમ જૈનેએ ભાષાનું મહત્ત્વ સ્થાપિત કર્યુ`' હાત તે આમ ન બનત, એ અહી આપણે નોંધવું જોઈએ. સપ્રદાયભેદે શ્વેતાંબરા અને દિગ - અરામાં પણ ભાષાભેદ દેખાય છે. દિગબરાના પ્રાકૃત ગ્રંથામાં શૌરસેની પ્રાકૃતભાષાને વિશેષ મહત્ત્વ અપાયું છે. સૌરાષ્ટ્રના ગિરિનગરમાં રહેનાર ધરસેન અને દક્ષિણાપથથી તેમની પાસે આવનાર ભૂતલિ-પુષ્પદ ત—એમાંના કાર્ટની પણ માતૃભાષા શૌરસેની હાવાનેા સંભવ નથી. છતાં પણ વિદ્યમાન ષટ્ખંડાગમ અને ત્યાર પછીના લગભગ બધા દિગંબર પરંપરાના ગ્રંથાની પછી ભલે તે તે ભારતના ગમે તે ભાગમાં ગમે તે કાળે રચાયા હોય છતાં પણ તે સૌની—ભાષા શૌરસેની પ્રાકૃત છે. આથી એક વસ્તુ ફલિત થાય છે કે ગિ અરાએ વૈાિની જેમ જે એક ભાષા સર્વપ્રથમ સ્વીકારી તેને સંબંધ મથુરા આસપાસના શૂરસેન પ્રદેશ સાથે છે. અને એવા પણ વધારે સભવ છે કે તેનુ પ્રસ્થાન શૂરસેન દેશથી દક્ષિણ તરફ્ થયું હશે અને તેઓ ત્યાંની શૌરસેની ભાષા સાથે લઈ ગયા હશે. પછી એ જ ભાષામાં સમગ્ર સાહિત્ય ક્રમે કરી નિર્માણ થયું. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ જૈન આગમોની જે પ્રતા મૂળમાત્રની મળે છે અને જે પ્રતેા સટીક આગમાની મળે છે તેમાં પણ ભાષાભેદ દેખાય છે. કેટલીકવાર ‘ય’ શ્રુતિને બદલે ‘' શ્રુતિને સ્થાન વિશેષ રૂપે જોવા મળે છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે ચૂર્ણિકારાની સામે આગમગ્ર ંથાની જે ભાષા હતી, અથવા તો ચૂર્ણિકારાએ આગમેાની જે વાચના ભાષાની દૃષ્ટિએ સ્વીકારી છે, તેથી જુદી જ વાચના સંસ્કૃત ટીકાકારોની સામે છે, અથવા તે તેમણે ચૂસિંમત વાચનાને મારીને આજે ઉપલબ્ધ વાચના તૈયાર કરી છે. વસ્તુત: શું થયું હશે એ કહેવું કઠણુ છે, પણ એટલું નક્કી કે ચૂર્ણિ` અને સાંસ્કૃત ટીકા સંમત આગમેની વાચનામાં ભાષાભેદ છે. આ ભાષાભેદ કાળબળે ઉત્તરાઉત્તર થતા ગયા તેમ માનવુ' અથવા ટીકાકારોએ દુર્ગંધતા ટાળવા માટે ભાષાની એકરૂપતા લાવવા સ્વયં પ્રયત્ન કર્યાં એમ માનવું —એ હજી વિવાદને જ વિષય ગણવા જોઈએ. પણુ એટલુ નક્કી કે ટીકાના કાળ સુધીમાં જૈન આગમોની ભાષા પરિવર્તિત થતી રહી છે. અને તેણે પ્રાકૃતભાષાની પ્રકૃતિ—એટલે કે પરિવતિંત થતાં રહેવુ—જાળવી રાખી છે એમાં તો શક નથી. શ્વેતાંબરાની આગમેાની ભાષા પ્રાચીન કાળે અધમાગધી હતી એમ સ્વયં આગમેાના જ ઉલ્લેખ ઉપરથી નિશ્ચિત થાય છે. પણ આજે તે જેને બૈયાકરણા મહારાષ્ટ્રી પ્રાકૃતને નામે ઓળખે છે તે ભાષાની નજીકની એ પ્રાકૃત છે. આથી આધુનિક વિદ્વાન અને જૈન મહારાષ્ટ્રી એવું નામ આપે છે. એ ભાષાની સમગ્રભાવે એકરૂપતા પૂર્વાંત શૌરસેનોની જેમ આગમ ગ્રંથમાં મળતી નથી, અને ભાષાભેદના સ્તરેા સ્પષ્ટરૂપે તજ્ઞને જણાઈ આવે છે. આચારાંગમાં જ પૂર્વાધ અને ઉત્તરાધની ભાષા સ્પષ્ટપણે કાળભેદ બતાવે છે, તે જ પ્રમાણે સૂત્રકૃતાંગ અને ભગવતીસૂત્રની ભાષાનાં રૂપમાં પણ પૂર્વોત્તર ભાવ સ્પષ્ટ છે. અને ભગવતી પછીનાં ભાષાનાં સ્થિર રૂપા જ્ઞાતા વગેરે કથાપ્રધાન આગમગ્ર થામાં નજરે ચડે છે. આ સામાન્ય રૂપરેખા છે. પણુ વસ્તુતતઃ ભાષાની દૃષ્ટિએ આગમોનુ આ વિભાજન ભાષાવિદ્યાના અભ્યાસને એક ખાસ વિષય બને એમ છે. આગમા કેટલા ? આગમામાં સર્વપ્રથમ દ્વાદશાંગરૂપ ગણિપિટકને જ સ્થાન મળ્યું હશે એ નિવિવાદ છે, કારણુ બન્ને સંપ્રદાયા તેને ગણધરપ્રથિત માને છે. પણ ગણધરનાં શિષ્ય-પ્રશિષ્યાએ ઉત્તરાત્તર જે ગ્રંથા અગગ્રંથાને આધારે ગ્રથિત કર્યાં તેમને પણ સમાવેશ ક્રમે કરી આગમામાં થતા ગયા છે, એ પણ હકીકત છે. આમ અંગ અને અગમાદ્ય એવા એ વિભાગોમાં આગમા સામાન્ય રીતે વહેંચાઈ જાય Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦ છે. નંદીસૂત્રગત સમ્યક કૃતની ગણતરીમાં માત્ર અહં–ણીત દ્વાદશાંગીને જ ગણવામાં આવી છે. ૧૫ વળી, તે જ નદીમાં સાદિ-સપર્યવસિત આદિના વિચારમાં પણુ દ્વાદશાંગી જ લેવામાં આવી છે. સમવાયાંગ (સૂત્ર : ૧૩૬) માં પણ ભગવાન મહાવીરપ્રણીત બાર અંગે જ ગણાવ્યાં છે. અનુયોગ દ્વારમાં લેકોત્તર આગમપ્રમાણુની ચર્ચામાં કેવળ દ્વાદશાંગનો જ ઉલ્લેખ છે. આ બધા ઉલ્લેખે એ સૂચવે છે કે મૂળે નાગમ દ્વાદશાંગમાં જ સમાવિષ્ટ થતા. પણ સમયના વહેવા સાથે ગણધરના શિદ્વારા અને આગળ ચાલતાં તેમની શિષ્ય પરંપરામાં ક્રમે ક્રમે બીજાં પણ શાસ્ત્ર રચાતાં ગયાં અને તે પ્રાયઃ મૂળ આગમને અનુસરતાં હેઈને, તેમને પણ શ્રુતમાં સ્થાન આપવામાં આવ્યું. આમ છતાં આગમમાં એ વિવેક કરવામાં આવ્યા. જ છે કે કયા ગ્રંથ ગણધરપ્રણીત અને ક્યા તેથી ભિન. આ વિવેકને લક્ષ્યમાં રાખીને જ અંગ અને અંબાહ્ય અથવા અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા ભેદો શ્રુતના કરવામાં આવ્યા છે. દ્વાદશાંગીથી પૃથક એવા બધા આગમનો સમાવેશ અંગબાહ્ય એ નામના વિભાગ કરવામાં દિગંબર અને શ્વેતાંબર એકમત છે. પણ અંગબાહ્યમાં કયા ક્રમે નો નવો ઉમેરે થતે ગયે હશે તેને સંપૂર્ણ ઇતિહાસ જાણવાનું સાધન આપણી પાસે નથી. છતાં પણ એ ઇતિહાસની જે ત્રુટક કડીઓ મળી આવે છે તેને જોડીને જે ચિત્ર ખડું થાય છે તે આપવાનો પ્રયાસ કરીએ તો અનુચિત નહિ લેખાય. આચાર્ય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રમાં શ્રુતના બે ભેદો કરી અંગબાહ્યમાં જે નામો ગણાવ્યાં છે તે આ છે : ૧. સામાયિક, ૨. ચતુર્વિશતિસ્તવ, ૩. વંધ, ૪. પ્રતિક્રમણ, ૫. કાયવ્યુત્સર્ગ, ૬. પ્રત્યાખ્યાન, ૭. દશવૈકાલિક, ૮. ઉત્તરાધ્યયન, ૯. દશા, ૧૦. કલ્પ-વ્યવહાર, ૧૧. નિશીથ, ૧૨. ઋષિભાષિત આદિ. અહીં આદિ શબ્દથી સૂચિત થાય છે કે આ સિવાય પણ બીજા અંગબાહ્ય ગ્રંથો છે. ધવલા ટીકાકારે સ્પષ્ટરૂપે ૧૪ અંગબાહ્ય છે એમ કહ્યું છે. અને તેમણે જે ૧૪ નામે ગણાવ્યાં છે તે આ છે ઃ ૧. સામાઈય, ૨. ચઉવીસત્ય, ૩. વંદણ, ૫. પડિક્કમણ, ૫. વેણુઈય, ૬. કિદિયમ્સ, ૭. દસયાલિય, ૮. ઉત્તરજઝયણ, ૯. કમ્પ-વવહાર, ૧૦. કપાકપ્રિય, ૧૧. મહાકપ્રિય, ૧૨. પુંડરીય, ૧૩. મહાપંડરીય, ૧૪. ણિસીહય. ૧૫. નંદીસૂત્ર ૭૧. ૧૬, નંદીસૂત્ર ૭૩. * નંદીસૂ૦ ૭૯; રાજવાતિક ૧.૨૦.૧૧-૧૩; ધવલા ૫૦ ૯૬; તવાર્થભાષ્ય ૧.૨૦, ૧૭. ધવલા પૃ૦ ૯૬ પ્રથમ ભાગ; જયધવલા પ્રથમ ભાગ પૃ• ૨૪, ૯૭. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ જયધવલામાં૧૮ આ ૧૪ અંગબાહ્ય ગ્રંથોની પ્રકીર્ણક એવી સામાન્ય સંજ્ઞા પણ આપવામાં આવી છે. ધવલા અને જયધવલામાં એ ૧૪ અંગબાહ્ય ગ્રંથને વિષય પશુ વિગતે આપવામાં આવ્યું છે. અને તેથી, એમ કહી શકાય કે વીરસેન આચાર્ય સમક્ષ એ સૂ હોવાનો સંભવ ખરે. અંગે વિષે તે તેઓ સ્પષ્ટ રીતે કહે જે છે કે એ ક્રમે કરી નષ્ટ થઈ ગયાં, પણ ઉક્ત અંગબાહ્ય વિષે એમણે એવી કશી જ નોંધ કરી નથી. ઉક્ત બંને સચીઓને આધારે એમ કહી શકાય કે નીચેના ગ્રંથે ધવલાકારના સમય સુધીમાં અંગબાહ્ય તરીકે પ્રસિદ્ધ હતા. ૧. સામાયિક, ૨. ચતુર્વિશતિસ્તવ, ૩. વંદન, ૪. પ્રતિક્રમણ, ૫. કાયવ્સસર્ગ, ૬. પ્રત્યાખ્યાન, ૭. વેણુઈ, ૮. કિદિયમ્સ, ૯. દશવૈકાલિક, ૧૦. ઉત્તરાધ્યયન, ૧૧. દશા, ૧૨. કલ્પવ્યવહાર, ૧૩. નિશીથ, ૧૪. ઋષિભાષિત, ૧૫. કપાકમ્પિય, ૧૬. મહાક૫િય, ૧૭. પુંડરીય, ૧૮. મહાપુંડરીય. આમાં પ્રથમના છ એ તે આવશ્યકમાં સમાવિષ્ટ છે. ૧૮ ધવલામાં પ્રથમનાં ૬ નામમાં અંતિમ બેનાં નામ જુદાં છે તેને કાયવ્યત્સર્ગ અને પ્રત્યાખ્યાનમાં જે નામાન્તર ગણીએ તો તે બે ઓછાં થાય. પણ તેને જે વિષય નિર્દિષ્ટ છે એ જોતાં એ નામાંતર ગણી શકાય એમ નથી. માટે તેને જુદાં જ ગણાવ્યાં છે. આમ સંખ્યાની દષ્ટિએ ૧૮ નામો ઉપલબ્ધ છે. છતાં તત્ત્વાર્થભાષ્ય ગતિ “આદિ શબ્દથી તેમને કેટલાં બીજા વિવક્ષિત છે તે જાણવાનું સાધન આપણી પાસે નથી. પણ એટલું તો કહી શકાય કે ધવલાકાર જે ચૌદ ઉલ્લેખ કરે છે તેથી તે એ સંખ્યા મોટી જ હોવી જોઈએ. કારણ, બારને ઉલ્લેખ કર્યા પછી “આદિ પદ દે છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે ધવલાની સૂચિ એ શ્વેતાંબર-દિગંબરની શ્રુતમાન્યતા જ્યાં સુધી અભિન્ન હતી અને બંનેના શ્રુતમાં વિવાદ ઊભો થયે ન હતો ત્યારની છે. એટલે એ સૂચિ કદાચ ઉમાસ્વાતિ પહેલાંની પણ હોઈ શકે. નંદીસૂત્રમાં ઉત્કાલિકમાં નીચેના અંગબાહ્ય ગ્રંથ ગણાવ્યા છે–સૂત્ર ૮૩. ૧. દશવૈકાલિક ૫. પપાતિક ૨. કલ્પાકલ્પિક ૬. રાજકશ્રીય ૩. ચુલ્લકલ્પકૃત ૭. જીવાભિગમ ૪. મહાકલ્પશ્રુત ૮. પ્રજ્ઞાપના ૧૮. પૃ૦ ૧૨૨. ૧૯. નંદીસત્ર ૮૧. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૯. મહાપ્રજ્ઞાપના ૧૦. પ્રમાદાપ્રસાદ ૧૧. નદી ૧૨. અનુયાગદ્દાર ૧૩. દેવેદ્રસ્તવ ૧૪. તંદુલવૈચારિક ૧૫. ચન્દ્રવેક ૧૬. સૂ`પ્રાપ્તિ ૧૭. પૌરુષીમડલ ૧૮. મડલપ્રવેશ ૨. શાશ્રુત ૩. પ ૪. વ્યવહાર ૫. નિશીથ ૧૧. ક્ષુદ્રિકા વિમાનપ્રવિભક્તિ ૧૨. મહતી વિમાનપ્રવિભક્તિ ૧૩. અ’ગચૂલિકા ત્કાલિક ઉપરાંત કાલિક અંગબાહ્યમાં પણુ નદીસૂત્રમાં નીચેનાં શાસ્રો સમાવિષ્ટ છે સૂત્ર ૮૪૧. ઉત્તરાધ્યયન ૧૪. લગ`ચૂલિકા ૧૫. વિવાહચૂલિકા ૧૬. અરુણાપપાત ૧૭. વરુણાપપાત ૧૮. ગરુડપપાત ૧૯. ધરણેાપપાત ૨૦. વૈશ્રમણેાપપાત શર ૧૯. વિદ્યાચરણવિનિશ્રય ૨૦. ગણિવિદ્યા ૨૧. ધ્યાનવિભક્તિ ૨૨. મરણવિભક્તિ ૨૩. આત્મવિશાધિ ૨૪. વીતરાગશ્રુત ૨૫. સલેખનાશ્રુત ૨૬. વિહારકલ્પ ૨૭. ચરણવિધિ ૨૮. આતુરપ્રત્યાખ્યાન ૨૯. મહાપ્રત્યાખ્યાન ૬. મહાનિશીથ ૭. ઋષિભાષિત ૮. જમૂદ્દીપપ્રાપ્તિ ૯. શ્રીપસાગરપ્રવ્રુપ્તિ ૧૦. ચદ્રપ્રપ્તિ ૨૧. વેલ ધરાપપાત ૨૨. વેદ્રોપપાત ૨૩. ઉત્થાનથ્થુત ૨૪. સમુપસ્યાનશ્રુત ૨૫. નાગપરિના ૨૬. નિરયાવલિકા ૨૭. કલ્પિકા ૨૮. કલ્પાવત`સિકા ૨૯. પુષ્પિતા ૩૦. પુષ્પચૂલિકા ૩૧. વૃષ્ણુિદશા ૨૦ ૨૦. આ ઉપરાંત પાક્ષિકસૂત્રમાં આશીવિષભાવના, દૃષ્ટિવિષભાવના, સ્વપ્નભાવના, મહાસ્વપ્નભાવના અને તૈજસનિસના નિર્દેશ છે. અને ચેગનન્દીમાં તે ઉપરાંત સાગરપ્રજ્ઞપ્તિ, વૃષ્ણુિકા અને ચારણુભાવનાના ઉલ્લેખ છે. આમ તેની કુલ સંખ્યા ૩૯ થાય છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ અને અ ંતે લખ્યુ` છે કે, ‘આદિ ૮૪ હજાર પ્રકી`કા ઋષભદેવનાં, સખ્યાત હજાર પ્રકી`કા વચલા તીર્થંકરાનાં અને ૧૪ હજાર પ્રકી કા ભગવાન મહાવીરનાં સમજવાં, અને વળી અ ંતે લખ્યું છે જે તીથ કરાના જેટલા શિષ્યા ચતુવિધ બુદ્ધિથી સ ́પન્ન હાય તેટલાં સહસ્ર અને જેટલા પ્રત્યેકબુદ્ધ હોય તેટલાં પણ સહસ્ર સમજવાં. નદીએ ગણાવેલ આવશ્યકથી અતિરિક્ત એવા અગબાહ્ય ગ્રંથ ૬૦ અને નદીના કાળમાં એ બધા હશે તે પણ આજે એમાંના ધણા નથી જ મળતા. આગમાનું વગી કરણ આપણે જોયુ કે ગણિપિટકમાં સ`પ્રથમ કેવળ અ ંગાના જ સમાવેશ થયા. અને તેથી જે બહાર રહ્યું તે અંબાજીમાં સમાવિષ્ટ થયું. આ ઉપરથી અંગ પછી આગમાના પ્રથમ વિભાગ અંગ અને અગબાહ્ય એમ થયા. આનું જ ખીજુ` નામ અંગ અને ઉપાંગ; અથવા અગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટ અથવા અગ અને ઉપતંત્ર એમ પડયુ. ઉમાસ્વાતિ અંગબાહ્ય અને ઉપાંગ એ બન્ને શબ્દોના પ્રયાગ કરે છે, જ્યારે ધવલા અગબાહ્ય અને ઉપતત્ર એ શબ્દોના પ્રયાગ કરે છે. નદીસૂત્રના ઉલ્લેખ ઉપરથી એમ કહી શકાય કે અંગખાવનુ ખીજું નામ પ્રકીર્ણાંક પણુ હતુ. વેદની જેમ અ'ગગ્રંથા નિયતકાલમાં જ ભણાતા તેથી તે કાલિક કહેવાયા. પણ અંગબાહ્યમાં એમ ન રહ્યું. કેટલાકને કાળ નિયત હતા અને કેટલાકના અનિયત, આથી અંગબાહ્ય પ્રથામાં એ ભેદ પડથાઃ કાલિક અને ઉત્કાલિક. આ ભેદ અનુયાગદ્વાર જેટલે તે જૂના છે જ. આથી એમ કહી શકાય કે અનુયેાગદ્વાર સુધીમાં અગ અને અગખાદ્ય તથા અગમાદ્યમાં કાલિક અને ઉત્કાલિક એવા વિભાગા સ્થિર થયા હતા. ઉમાસ્વાતિ અને ધવલાના ઉલ્લેખાને આધારે એમ કહી શકાય કે સામાયિકાદિ અધ્યયન કયારેક પૃથક્ ગણાતાં. પણ એ અધ્યયના આવશ્યકને નામે પ્રસિદ્ધિને પામ્યાં હશે ત્યારે તેમને આવશ્યક એવે નામે વિભાગ પૃથક્ ગણવામાં આવ્યાં હશે. આમ અગબાહ્યમાં અમુક અધ્યયના જ્યારે આવશ્યકાન્તગત થઈ ગયાં ત્યારે શેષ આવશ્યવ્યતિરિક્ત ગણાયાં. સ્થાનોંગ (સ્૦૭૧), નદી (સ્૦૮૦) અને અનુયાગ (સ્૦ ૫) ને આધારે કહી શકાય છે કે અંગખાદ્યમાં આવશ્યક અને આવશ્યકવ્યતિરિક્ત એવા વિભાગે પણ કરવામાં આવ્યા છે. અનુયાગદ્વારની વિશેષતા એ છે કે તેમાં વિભાગ ઓ પ્રમાણે છે : Page #335 -------------------------------------------------------------------------- ________________ T અગ T અગ શ્રુત I । કાલિક શ્રુત | આવશ્યક પશુ નદી વગેરેમાં તે ભેદ આ પ્રમાણે છે : આવશ્યક ૩૧૪ અગખાદ્ય 1 અદ્ય ।। કાલિક T ઉલ્કાલિક I આવશ્યકવ્યતિરિક્ત આવશ્યકવ્યતિરિક્ત ઉત્કાલિક આમ બનવાનું કારણ એ જણાય છે કે અનુયેાગમાં આવશ્યકની વ્યાખ્યા પ્રસ્તુત હતી એટલે કાલિકઉત્કાલિક ભેદો પ્રથમ બતાવી આવશ્યક ઉત્કાલિકાંત ત હતુ તે બતાવ્યું; જ્યારે નદીમાં તે કોઈ વિશેષ શાસ્ત્ર પ્રસ્તુત ન હતું પણ આગમના ભેદો પ્રસ્તુત હતા તેથી કાલિક-કાલિકને છેલ્લું સ્થાન મળ્યું. પણુ આધુનિક કાળે શ્વેતાંબર સ'પ્રદાયમાં આગમાના વિભાગ જુદી જ રીતે પ્રચલિત છે તે આ પ્રમાણે : ૧. અગ, ૨. ઉપાંગ, ૩. છેદ, ૪. મૂળ, પ. પ્રકીર્ણાંક, ૬. ચૂલિકા. જૈન શ્રુતને આ પ્રમાણે વિભક્ત કરવાની પદ્ધતિ કયારથી શરૂ થઈ હશે એ કહેવુ તા કઠણુ છે, પણ તે કેવી પ્રક્રિયામાંથી પસાર થઈ હશે એ વિષે શ ુ Page #336 -------------------------------------------------------------------------- ________________ કલ્પનાથી કહી શકાય એમ છે. આગમાના અંગ અને અગાથ આ વિભાગો લાંઆ કાળ સુધી ચાલ્યા હશે, પણ મધ્યકાળમાં આગમાને વિભક્ત કરવાની પદ્ધતિમાં ભેદ. પડયા. એ પદ્ધતિ કયારથી શરૂ થઈ એ કહેવુ' તે મુશ્કેલ છે, પણ ખારમી શતાબ્દી આસપાસ તો એ પદ્ધતિ શરૂ થઈ ગઈ હશે જ એમ લાગે છે, કારણ કે ધનેશ્વરના શિષ્ય શ્રીચંદ્ર સુખાધા સમાચારીમાં૨૧ અંગ અને તત્સુખધી ઉપાંગાના નિર્દેશ કર્યાં છે. વળી, શ્વેદ સૂત્રને વ` તેની રહસ્યમયતાને કારણે પૃથક્ રહે તે પણ. આવશ્યક જણાતાં અલગ પડયો હશે. ‘મૂળ’ વિભાગ કયારે અને શા માટે પાડયો હશે એ જાણુવુ કહ્યું છે. પણ કલ્પના તરીકે એમ કહી શકાય કે દીક્ષિતને સવપ્રથમ એ વર્ષોંના શાસ્ત્રોનું અધ્યયન આવશ્યક મનાયું હતુ. એટલે એ મૂળસૂત્રે મનાયાં. સમગ્ર શ્રુતની ચૂલિકારૂપે જ નદી અને અનુયાગદારની રચના થઈ છે. એટલે એ એના સમાવેશ ‘ચૂલિકા સૂત્ર' નામના વ॰માં થાય એ સ્વાભાવિક છે. ઉપાંગ, છે, મૂલ, ચૂલિકા એ બધા વિભાગો અગબાહ્યમાં સમાવિષ્ટ પ્રકીર્ણાંક પ્રથામાંથી ચૂંટીને કરવામાં આવ્યા, એટલે બાકી રહેલાં નાનાં પ્રકીર્ણાંકો ‘પ્રકીણ ક’ કહેવાયાં. આમ શ્રુતવિભાગા કાળક્રમે સ્થિર થયા હશે. અને આધુનિક કાળે આ જ વિભાગમાં અંગખાદ્ય વિભક્ત કરવામાં આવે છે.૨૨ આ પ્રમાણે વીકૃત શ્રુતની સૂચી નીચે પ્રમાણે સ્થિર થઈ...જે આજે થાડા ફેરફાર સાથે સત્ર શ્વેતાંબરામાં માન્ય છે : ૧૧ અગ : ૧૨ ઉપાંગ : ૨૧. પ ૧. આચાર, ૨. સૂત્રકૃત, ૩. સ્થાન, ૪. સમવાય, ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, ૬. જ્ઞાતધમકથા, ૭. ઉપાસક શા, ૮. અંતકૃદ્રા, ૯. અનુત્તર પપાતિકદશા, ૧૦. પ્રશ્નવ્યાકરણ, ૧૧. વિપાક (૧૨; દૃષ્ટિવાદ-લુપ્ત છે.) આના વિશેષ વિવરણુ માટે જુઓ—જૈન સાહિત્યકા શ્રૃહદ્ ઇતિહાસ ભાગ ૧, પ્રસ્તાવના પૃ॰ ૩૬; પ્રકાશક પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શાધ સંસ્થાન, વારાણુસી. ૨૨. આની વિશેષ ચર્ચા માટે જુઆ જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ, પ્રસ્તાવના, ૫૦ ૨૫, ૧. ઔપપાતિક, ૨. રાજપ્રશ્નીય, ૩. જીવાભિગમ, ૪. પ્રજ્ઞાપના, ૫. સૂર્ય^પ્રજ્ઞપ્તિ, ૬. જંબુદ્રીપ્રજ્ઞપ્તિ, Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ - ૭. ચંદ્રપ્રાપ્તિ, ૮. નિરયાવલી, ૯. કપાવત સિકા, ૧૦. પુપિકા, ૧૧. પુષ્પચૂલિકા, ૧૨. વૃષ્ણિદશા, ૬ છંદસૂત્ર : ૧. નિશીથ, ૨. મહાનિશીથ, ૩. વ્યવહાર, ૪. દશાશ્રુત, ૫. બૃહત્કલ્પ, ૬. છતકલ્પ. ૪ મૂલ : ૧. ઉત્તરાધ્યયન, ૨. દશવૈકાલિક, ૩. આવશ્યક, ૪. પિંડનિયુક્તિ. ૧૦ પ્રકીર્ણ : ૧. ચતુદશરણ ૨. આતુરપ્રત્યાખ્યાન, ૩. ભક્તપરિજ્ઞા, ૪. સંસ્તારક, ૫. તંદુવૈચારિક, ૬. ચંદ્રધ્યક, ૭. દેવેન્દ્રસ્તવ, ૮. ગણિવિદ્યા, ૯, મહા પ્રત્યાખ્યાન, : ૧૦. વીરસ્તવ. ૨ ચૂલિકાસૂત્ર: ૧. નદી, ૨. અનુગાર આગમોને સમય તાત્વિક દૃષ્ટિએ જેનપરંપરા માને છે કે આગમ અનાદિ-અનંત છે. અને તે તે વક્તાની દૃષ્ટિએ તે તે કાળે નવા બને છે. પણ આપણે તે અહીં ઐતિહાસિક દષ્ટિએ વિચાર કરવાનું છે. આગમમાં જે શાસ્ત્રોને સમાવેશ કરવામાં આવે છે તે શાસ્ત્રના નિર્માણને કાળ જ અહીં વિચારે છે પછી ભલે ને તેને પ્રતિપાઘ વિષય વિદ્યાની દૃષ્ટિએ તેથી પણ પ્રાચીન હોય. આપણે આગળ જોયું તે પ્રમાણે બધા જ આગમાં કાંઈ ગણધરકત નથી મનાતા; કેવળ અંગે જ ગણધરકૃત મનાય છે. અને એ અંગોની રચનાનો કાળ ગણધરના કાળને માનીએ તો પણ જે અનેક વાચનાઓ થઈ પાટલીપુત્રની વીરનિર્વાણ ૧૬૦ વર્ષ પછી, માથુરીવાચના આચાર્ય સ્કંદિલની અધ્યક્ષતામાં વીરનિર્વાણ ૮૨૭ થી ૮૪૦ની વચ્ચે, અને લગભગ એ જ સમયે વલભીમાં નાગાર્જુનની અધ્યક્ષતામાં, એ ઉપરથી જણાય છે કે શ્રુતમાં અવ્યવસ્થા થઈ ગઈ હતી, તેમાં વ્યવસ્થા લાવવા માટે આ વાચના કરવામાં આવી છે. પણ વિદ્વાનોનું ધ્યાન એક વસ્તુ તરફ દરવું આવશ્યક છે. અને તે એ કે આ વાચનાઓમાંની પ્રથમ વાચના કેવળ બાર અંગને વ્યવસ્થિત કરવા—ખાસ કરી બારમા અંગને વ્યવસ્થિત કરવા જવામાં આવી હતી. અંગબાહ્ય ગ્રંથમાં અવ્યવસ્થા ઊભી થઈ હતી એવું આ વાચના પ્રસંગમાં નિર્દિષ્ટ નથી. એથી માનવું રહ્યું કે એ સમય સુધીમાં જે અંગબાહ્ય ગ્રંથની રચના થઈ હશે. જેવાં કે દશૌકાલિક આદિ–તેમાં Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ અવ્યવસ્થા થઈ હતી એમ માનવાને કશું જ કારણ નથી. અને બીજી વાચનામાં પણ જે મૃત વ્યવસ્થિત કરવામાં આવ્યું છે તેને કાલિક એવી સંજ્ઞા આપવામાં આવી છે. કાલિકટમાં મૂળે તે દ્વાદશાંગી જ ગણાતી એટલે એ પણ અંગની જ વાયના હતી. આચાર્ય દેવગિણિ ક્ષમાશ્રમણના પુસ્તકલેખનમાં તે અંતિમ વાચનાને પરિણમે જે વ્યવસ્થા થઈ તે સ્વીકારીને જ લેખન થયું છે. વસ્તુસ્થિતિ આવી છતાં આગમના સમયની ચર્ચામાં વિદ્વાને આ મુદ્દાને ભૂલીને બધા જ આગમાં આચાર્ય દેવગિણિના સમયમાં વ્યવસ્થિત થયા તેથી તેમને અંતિમ અવધિ એ છે એમ સામાન્ય રીતે નિર્દેશે છે તે ઉચિત નથી. સારાંશ એ છે કે સમયની ચર્ચામાં અંગબાહ્યને બાદ રાખીને જ ચર્ચા કરવી જોઈએ. અંગબાહ્યમાંથી જેના વિશે તેના કર્તાને સમય મળી શકતો હોય અગર જ્યારથી તેનો ઉલ્લેખ મળતો હેય ત્યાર પહેલાંના તે છે એમ સ્પષ્ટપણે સ્વીકારવું જ જોઈએ અને તેમાં ઉમેરા થયા હોય તે તે ઉમેરાને સમય બીજે હોય, પણ મૂળ ગ્રંથને તે તે જ સમય માનવો જોઈએ જ્યારે તે તે ગ્રંથ બન્યો હોય. અંગગ્રંથ ગણધરકૃત મનાય છે, પણ તેમાં સમયે સમયે ઉમેરા થયા છે. તે ઉમેરાને બાદ રાખીએ તે તેને સમય મહાવીરસકાલીન છે એટલે કે મહાવીરનો ઉપદેશ વિક્રમપૂર્વ ૫૦૦માં શરૂ થઈ ગયો હતે. તેમણે એ ઉપદેશ ૩૦ વર્ષ સુધી આવે. ત્યાર પછી ૧૨ વર્ષ ગૌતમનાં અને ૧૨ વર્ષ સુધર્મનાં છે. એ બધાને ગણુએ તે પણ ૫૦-૬૦ વર્ષ બીજાં જાય. આમ અંગરચનાની સંપૂતિ વિક્રમ પૂર્વે ૫૦ આસપાસ થઈ ગઈ હશે એમ માનવું જોઈએ. અને તેને અંતિમરૂપ પાટલીપુત્રની વાચનામાં મળ્યું હોય તો તેમાં પણ કાંઈ અસંભવ નથી. એ દષ્ટિએ આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનો સમય જે આપણે વિક્રમપૂર્વે ૩૦૦ મૂકીએ તે અસંગત નહિ ગણાય. આચારાંગનાં ભાષા અને ભાવ એ બને તો એ વાતની સાક્ષી આપે જ છે કે તે ભગવાન મહાવીરના ઉપદેશની અત્યંત નિકટ છે. આ દૃષ્ટિએ પણ આ સૂચવેલ સમય અમાન્ય કરવાને કશું જ કારણ જણાતું નથી. આચારાંગનો દ્વિતીય શ્રુતસ્કંધ તેમાં પાછળથી જોડાયો છે એ હકીક્ત નિયુક્તિમાં સ્વીકૃત છે. અને તે કઈ સ્થવિરની રચના છે. આ દષ્ટિએ તેને પણ અંતિમ અવધિ આપણે ભદ્રબાહુ સુધી રાખીએ તો પણ વીર નિર્વાણ પછી ૧૬૦ સુધીમાં તે પણ ઉમેરાઈ ગયું હશે; વિક્રમપૂર્વ ૨૦થી આ તરફ તે કોઈ પલ હાલતમાં મૂકી શકાય નહિ. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શેષ અંગામાં પણ યત્રતંત્ર સુધારાવધારા થયા હશે પણ તેથી તેમના સમય વલભીવાચના જેટલા મૂકવા તે કાઈ પણ રીતે ઉચિત નથી અર્થાત્ વલભીવાચના પૂર્વે તેમ છે. સ્થનાંગ જેવા અગમાં, તેની વિશિષ્ટ રચનાને કારણે, ભગવાન મહાવીર પછીના ૬૦૦ વષે ઘટેલી ઘટનાના ઉલ્લેખ આવે તે ઉપરથી તે અંગ સમગ્રભા વે ત્યાર પછી જ બન્યું એમ માનવાને બદલે એ ઘટનાના ઉલ્લેખ માત્ર પછી તેમાં જોડી દેવામાં આવ્યા એમ જ માનવું જોઈએ. વળી, ભગવતીમાં-ભગવાન મહાવીર પછી હાર વષે પૂર્વના ઉચ્છેદ થશે—એવા નિર્દેશ આવે એ ઉપરથી ભગવતીને સમય ભગવાન મહાવીર પછી એક હજાર વર્ષ માનવાને બદલે એમ માનવું ઉચિત છે કે એવા ઉલ્લેખો બાદ ઉમેરવામાં આવ્યા. ભાષાને આધારે પણ ગ્રંથના સમય નક્કી કરવા જતાં મોટો ભ્રમ ઊભે થવા સંભવ છે. કારણ અગત્ર'થાની ભાષા પ્રાકૃત છે. અને પ્રાકૃતભાષાની પ્રકૃતિ જ પરિવત નશીલ છે. એ દૃષ્ટિએ આચાર્યાએ—ખાસ કરી ટીકાકારાએ——એ ભાષાને પોતાના સમયની રૂઢ પ્રાકૃતમાં મૂકી દેવા પ્રયત્ન કર્યાં છે. પણ આથી કાંઈ સમગ્રભાવે ગ્રંથ નવા નથી બની જતા. એની ભાષાનાં પ્રાકૃત રૂપો બદલાઈ ગયાં એટલું જ. આ દૃષ્ટિએ જોતાં સમય-નિયમાં ભાષાને ગૌણ રાખવી જોઈએ અને જે વસ્તુ છે તે કેટલી પ્રાચીન છે એ ઉપર વિશેષ લક્ષ આપવું જોઇ એ. આ દૃષ્ટિએ જોઈએ તેા અંગાના સમય સમગ્રભાવે છે. પૂર્વ ત્રીજી શતાબ્દી પૂના છે એમ માનવું જોઈએ. આમાં એક અપવાદ પ્રશ્ન વ્યાકરણના છે. પ્રશ્ન વ્યાકરણના સમવાયાંગ અને નદીમાં જે પરિચય અપાયા છે તેથી જુદું જ પ્રશ્નજ્યાંકરણ આજે ઉપલબ્ધ છે. આથી તે વલભીવાચના પછી કયારે નવું બન્યું અગર જુદી જ વસ્તુને પ્રશ્નવ્યાકરણ રૂપે યારે ગાઢવી દેવામાં આવી એ જાણવાનું સાધન નથી. છતાં પણ એમ કહી શકાય કે તે અભયદેવ (વિ૰ ૧૨મી શતી) પહેલાં તેા બની ગયુ હશે, કારણુ, તેમણે તેની ટીકા લખી છે. ઉપાંગેામાંનાં અમુક શાસ્ત્રોના સમય તે તેના કર્તાને આધારે નિશ્ચિત થઈ જ શકે છે, જેમકે પ્રજ્ઞાપનાના કર્તા શ્યામાચાય છે. અને તે જ નિગેાદ વ્યાખ્યાતા કાલકાચા છે. તે વીરનિર્વાણ ૩૩૫માં યુગપ્રધાન થયા અને ૩૭૬ સુધી યુગપ્રધાનપદે રહ્યા. આથી પ્રજ્ઞાપના એ વીરનિર્વાણું ૩૩૫-૩૭૬ ના વચલા ગાળાની રચના માનવી જોઈએ. એટલે કે તેને પણ વિક્રમપૂર્વ ૧૩૫-૯૪ના વચલા ગાળાની કૃતિ માની શકાય. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ ઉપાંગોમાં સમાવિષ્ટ થતાં ચંદ્રપ્રાપ્તિ અને સૂર્ય પ્રાપ્તિને દિગંબરે કરણનું યોગમાં સ્વીકારે છે, અને વળી, દષ્ટિવાદના પરિકમમાં પણ તેને સમાવેશ કરે છે. નંદીસૂત્રની આગમસૂચીમાં પણ એમને ઉલ્લેખ છે. આ દષ્ટિએ એ બંને Jથે પ્રાચીન હોવા જોઈએ. અને તે પણ તાંબર–દિગંબર ભેદ પહેલાંના. આથી તેમને સમય પણ ઈસવીસન પૂર્વને માનીએ તો આપત્તિજનક લેખ ન જોઈએ. તેનું એક વિશેષ કારણ એ પણ છે કે એ ગ્રંથગત જ્યોતિષને વિષય એ પ્રાચીન વૈદિક પરંપરાને અનુસરત છે. આથી પણ તે ગ્રંથે પ્રાચીન છે એમ માનવું જોઈએ. ચંદ્રપ્રાપ્તિ અને સુર્યપ્રાપ્તિને ઉપલબ્ધ પાઠ એક જ છે છતાં આ બે ગ્રંથે પૃથફ કેમ થયા ? તેનું સ્પષ્ટીકરણ ટીકાકાર પણ આપતા નથી. ઉપાંગોમાંના નિરયાવલી આદિ પાંચ વિષે એમ કહી શકાય કે મૂળે તે પાંચ જ ઉપાંગે ગણતાં અને શેષને ઉપાંગ તરીકે ઉલ્લેખ સ્વયં આગમ એટલે જનો નથી. આ દષ્ટિએ એ પાંચેય આરાતીયતીર્થકરના નિકટવતી–આચાર્યોની રચના હેવાનો વધારે સંભવ છે. આ દૃષ્ટિએ તેમને સમય ભગવાન મહાવીરના નિર્વાણ પછી બસો વર્ષની અંદર જ મૂકાવો જોઈએ. એ સૂત્રને કાલિક ગણવામાં આવ્યાં છે. તે પણ તેની પ્રાચીનતા સૂચવે છે. જે બુદ્ધીપપ્રજ્ઞપ્તિને પણ નંદીની કાલિકસૂચિમાં સ્થાન મળ્યું છે. અને દિગંબરેએ તેને દષ્ટિવાદના પરિકમમાં પણ સમાવિષ્ટ કર્યું છે. આ દષ્ટિએ તેને સમય પણ શ્વેતાંબર–દિગંબર મતભેદ પહેલાં જ હોવો જોઈએ. રાજકશ્રીય સૂત્રની વસ્તુ તો દીઘનિકાયના પાયાસીસુત્ત જેવી જ છે. આ દષ્ટિએ વિચાર કરીએ તે, અને તેમાં આવતા કેશી શ્રમણ, અને ગૌતમ સાથે વિવાદ કરનાર કેશી શ્રમણ જે એક હોય તે, એમ કહી શકાય કે આ સૂત્રની રચના પણ આરાતીય આચાર્યોમાંથી જ કઈ એ કરી હશે. એ દૃષ્ટિએ પણ તેને દશવૈકાલિકના સમય જેટલું જૂનું માનવું જોઈએ. એટલે કે તે વિક્રમપૂર્વ ચોથી શતીથી અર્વાચીન તે ન જ હોય. ઔપપાતિક અને જીવાભિગમ એ બન્ને ઉપાંગોને ઉલ્લેખ નંદીની ઉત્કાલિકશાસ્ત્રની સૂચીમાં છે. એ જોતાં અને તેનું વસ્તુ જોતાં એ પણ દશકાલિકના સમયની આસપાસ, જ્યારે કે આરાતીય આચાર્યોએ અંગગ્રથના વિષયને પ્રકરણબદ્ધ કરી વ્યવસ્થિત કરવા પ્રયત્ન કર્યો હતો, ત્યારની જ રચના હોવાને વધારે સંભવ છે. વળી, તેમને અંગનાં ઉપાંગ તરીકે સ્થાન મળ્યું છે તે પણ તેમના રચનાકાળને પ્રાચીન જ ઠરાવે છે. છેદગ્રંથમાં સમાવિષ્ટ થતા દશા, કલ્પ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ અને વ્યવહાર એ આચાર્ય ભદ્રબાહુની કૃતિ તરીકે પ્રસિદ્ધ છે એટલે તેમને સમય પણ વીરનિર્વાણ ૧૭૦ આસપાસ નિશ્ચિત છે. એટલે કે તે પણ વિક્રમપૂર્વ ૩૦૦ વર્ષ બની ચૂક્યા હતા. નિશીથસુત્ર તે આચારાંગની ચૂલિકારૂપ છે. યદ્યપિ ચૂર્ણિકારને મતે તે ગણધરત છે, પણ ચૂર્ણિથી પણ પ્રથમ રચાયેલ નિર્યુક્તિ તેને સ્થવિરગ્રથિત કહે છે. તેથી તે વાત માન્ય કરવી જોઈએ કે સ્થવિરના વિષયમાં પણ મતભેદ છે. પંચકલ્પચૂણિ તે તેને સ્પષ્ટતઃ ભદ્રબાહુકર્તક માને છે, જ્યારે સ્વયં નિશીથને અંતે આવતી ગાથામાં તેને વિશાખાચાયત ગયું છે. એને ભદ્રબાહુકૃત માનીએ કે વિશાખાચાર્ય કૃત અથવા કોઈ જૂના સ્થવિરકૃત, પણ તેથી તેના સમયમાં એ ખાસ ભેદ પડતું નથી. કારણ, એ શ્વેતાંબરદિગંબરના ભેદપૂર્વની રચના છે એ તે નિશ્ચિત જ છે; અને સંપ્રદાયોમાં અગબાહ્યમાં તેને સમાવેશ છે. આચાર્ય ઉમાસ્વાતિ પણ તેને ઉલ્લેખ કરે જ છે. વળી સ્વયં ભદ્રબાહુ પણ વ્યવહારમાં નિશીથને આચારપ્રકલ્પને નામે ઉલ્લેખ કરે જ છે. આ દષ્ટિએ તેને વીરનિર્વાણ ૧પ૦ આસપાસની રચના માની જ શકાય તેમ છે. વિશાખાચાર્ય કૃત તેનું અંતિમરૂપ સ્વીકારીએ તે પણ તે ૧૭૫ વીરનિર્વાણમાં બની ચૂક્યું હતું એમ માની શકાય છે. અર્થાત વિક્રમપૂર્વ ૩૦૦ માં તો એ બની ચૂક્યું હતું એમ માની શકાય છે. “મૂલ” તરીકે ઓળખાતા ચાર ગ્રંથમાંથી દશવૈકાલિકને સમય નિશ્ચિત જ છે. તે આચાર્ય શäભવની રચના છે. આચાર્ય શäભવનું મૃત્યુ વીરનિર્વાણ ૯૮માં થયું. અર્થાત દશવૈકાલિકની રચના વિક્રમપૂર્વ ૩૭ર પહેલાં ક્યારેક થઈ. તેમાં જે ચૂલિકાઓ છે તે ત્યાર પછી તેમાં જોડવામાં આવી છે. અને તેને વિષેની પરંપરા એવી છે કે તે સ્થૂલભદ્રના સમયમાં જોડવામાં આવી. આ સિવાય દશવૈકાલિકામાં કશું જ નવું જોડવામાં આવ્યું નથી. અને ભાષાના સંસ્કારને બાદ કરીએ તે, તે તેના જૂના રૂપે સચવાયું છે. ઉત્તરાધ્યનની સંકલના તાબર–દિગંબર મતભેદ પહેલાં થઈ ગઈ હતી તે દિગંબરોની અંગબાહ્ય સૂચીને આધારે કહી શકાય છે. વિદ્વાનોએ તે સંકલનાને વિક્રમપૂર્વ બીજી કે તીજી શતાબ્દીની સ્વીકારી છે. આવશ્યક સૂત્રના છ–અધ્યયનમાંનાં ચારનો ઉલ્લેખ તે દિગંબર સૂચીમાં પણ છે. અને અંગોમાં જ્યાં કોઈ પણ મુનિના અધ્યયન પ્રસંગ છે ત્યાં સામારૂ મારૂારું સારું એ ઉલ્લેખ આવે છે. એ ઉપરથી જણાય છે કે અધ્યયનક્રમમાં સર્વપ્રથમ સ્થાન આવશ્યકના સામાયિક અધ્યયનને છે. આથી માની શકાય કે તેની રચના પણ ગણુધરત અંગસમકાલીન છે પિડનિયુક્તિ અને વિકલ્પ એ નિયુક્તિ એ “મૂળ મનાય છે. આ બન્ને નિયુક્તિઓ, Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧ જૂની છે. આચાર્ય ભદ્રબાહુની નિયુક્તિ પહેલાં પણ નિયુક્તિઓ હતી, એનું પ્રમાણ મળે છે. સંભવ છે તેનું વિદ્યમાનરૂપ ભદ્રબાહુ દ્રિતીયને આભારી હેવ; પણ તેમાંની ઘણી ગાથાઓ એમને એમ જૂની પણ લઈ લેવામાં આવી હોય. આમ માનવું એ કારણે વ્યાજબી છે કે નિર્યુક્તિની ઘણી ગાથાઓ દિગંબરોના મૂલાચારમાં પણ મળે છે. આ દષ્ટિએ યદ્યપિ તેનું છેલ્લું સંસ્કરણ ભદ્રબાહુ દ્વિતીય કૃત માનીએ તો પણ તેનું જૂનું રૂપ તેથી પહેલાં પણ માનવું જોઈએ. દ્વિતીય ભદ્રબાહુને સમય વિક્રમ પાંચમી છઠ્ઠી શતાબ્દી છે. (શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા ઈ. ૧૯૬૮ માં પ્રકાશિત “નામુત્ત અg. વેપારર્રમાં ત્રણ નામે પ્રકાશિત પ્રસ્તાવનામાંથી મારા દ્વારા લખાયેલ અંશ અહીં ઉદ્ધત છે. ––દ. મા.) Page #343 -------------------------------------------------------------------------- ________________ Page #344 -------------------------------------------------------------------------- ________________ નંદીસૂત્ર પ્રથમ સ્થાન કેમ ? પ્રસ્તુત પુસ્તકમાં જ નહિ પણ મહાવીર વિદ્યાલયની આગમ-પ્રકાશનની સમગ્ર જનામાં પાંચ જ્ઞાનને વર્ણવતા નંદીને પ્રથમ ભાગમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે, તેનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. નંદી એ અંગબાહ્ય ગ્રંથ છે અને તેનું સ્થાન અંગ પછી જ હોય તે સ્વાભાવિક છે. પણ અહીં તેને જે પ્રથમ -સ્થાન આપવામાં આવ્યું છે તે તેના સમગ્ર આગમોમાં વિશિષ્ટ સ્થાનને લીધે છે. આગમવાચનાના પ્રારંભમાં મંગલાચરણનું સ્થાન નંદી ધરાવે છે. તેથી અમે પણ પ્રસ્તુત સમગ્ર આગમ-પ્રકાશન યોજનામાં મંગલાચરણરૂપ નન્દીને પ્રથમ સ્થાન આપ્યું છે. આચાર્ય જિનભદ્રગિણિસમક્ષ એક સમસ્યા હતી કે પાંચનમસ્કાર રૂપ મંગલ અને પાંચજ્ઞાનાત્મક મંદીરૂપ મંગલ એ બે મંગલમાંથી પ્રથમ કેની વ્યાખ્યા કરવી. આચાર્ય જિનભદ્ર પ્રથમ પાંચજ્ઞાનરૂપ નંદીની વ્યાખ્યા કરી અને તેમ કરવામાં સ્પષ્ટીકરણ કર્યું કે નમસ્કારરૂપ મંગલ તે સ્વયં આવશ્યકશ્રુતસ્કંધનો એક ભાગ છે. કારણ કે તે સર્વશ્રુતાત્યંતર છે. અને તે સર્વશ્રેતાત્યંતર છે એમ શાથી માનવું ? તે તેને ઉત્તર આપ્યો કે નંદીમાં જ્યાં સર્વ શ્રુતની ગણતરી કરવામાં આવી છે ત્યાં સૂત્રરૂપ છતાં તેને પૃથફ શ્રુતસ્કંધ ગણવામાં આવ્યું નથી. અને તે સર્વમંગલેમાં પ્રથમ મંગલ હાઈ બધાં જ વિશેષસૂત્રોની આદિમાં તેનું સ્થાન છે જ. એટલે તે તે વિશેષ સૂત્રની વ્યાખ્યા પ્રસંગે તેની વ્યાખ્યાને અવસર આવવાને જ છે. પ્રસ્તુતમાં સામાવિકસૂત્રની વ્યાખ્યા પ્રસંગે તેની વ્યાખ્યા થશે જ. આથી પ્રથમ પાંચ નમસ્કારરૂપ મંગલની વ્યાખ્યા ન કરતાં આચાર્ય 1. “आईय नमोक्कारो जइ पच्छाऽऽवासय ततो पुग्छ । तस्स भणितेऽणुयोगे जुत्तो आवासयस्स ततो ।।" विशेषावश्यकभाष्य, गा०-८. २. “सो सव्वसुतक्खंधभंतरभूतो जओ ततो तस्स । आवासयाणुयोगदिगहणगहितोऽणुयोगो वि ।" એજન, ગાથા ૯. "तरस पुणो सबसुतभंतरता पढममंगलग्गहणा ॥ = = ળ વિધ ગ્નિ બંg સો સુતો છે” એજન, ગાથા ૧૦. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ જિનભદ્ર પાંચજ્ઞાનરૂપ નંદીની વ્યાખ્યા પ્રથમ કરે છે, પણ સાથે જ તેઓ ખુલાસે કરે છે કે નદીરૂપ પાંચજ્ઞાનનો નિર્દેશ મંગલ માટે આવશ્યક છતાં બધી જ વ્યાખ્યા પ્રસંગે પ્રસ્તુતની જેમ, નંદીની વ્યાખ્યા કરવી અનિવાર્ય નથી; તે વૈકલ્પિક છે. વળી, તે પૃથફ શ્રુતસ્કંધ પણ છે તેથી પ્રસ્તુતમાં પણ તેની વ્યાખ્યા અનિવાર્ય નથી, પણ શિષ્યહિતાર્થે કરવામાં આવે તે કાંઈ વાંધા પણ નથી.* આચાર્ય જિનભદ્રને મતે સામાયિક આવશ્યકની વ્યાખ્યા એ સર્વાનુયોગ સર્વશાસ્ત્રોની વ્યાખ્યાની મૂળભૂત વ્યાખ્યા છે. એ વ્યાખ્યામાં જે નિષ્ણાત થાય તે સર્વ શાસ્ત્રોની. વ્યાખ્યામાં નિષ્ણાત થાય.' શાસ્ત્રની વ્યાખ્યાના કે વાચનાના પ્રારંભમાં નંદી એટલે કે પાંચ જ્ઞાનને. ઉલેખ અને તે તે શાસ્ત્રનો પાંચમાંના શ્રુતજ્ઞાન સાથે સંબંધ દર્શાવવાની પ્રથાનું અનુયોગદ્વાર સૂત્ર પણ સમર્થન કરે છે. આગમ ઉપર વ્યાખ્યા કરતે સૌથી પ્રાચીન ગ્રંથ કેઈ હોય તે તે અનુગદ્વાર સૂત્ર છે અને તેમાં સર્વ પ્રથમ આવશ્યકસૂત્રની વ્યાખ્યા કરવામાં આવી છે. છતાં તેને આગમ ગ્રંથોમાં સ્થાન આપવામાં આવ્યું છે, તે એની વિશેષતા છે. એ અનુયોગદ્વારનો પ્રારંભિક ભાગ આચાર્ય જિનભદ્રગણિના ઉક્ત વચનને પુષ્ટિ આપે જ છે, ઉપરાંત શાસ્ત્ર અને નંદીના સંબંધનું પ્રસ્તુત ચર્ચામાં ઉપયોગી એવું પ્રમાણ પણ તે ઉપસ્થિત કરે છે; એટલું જ નહિ પણ આ ગ્રંથમાં આપવામાં આવેલ યોગનંદીના રૂપનું પણ તે સમર્થન કરે છે. આમ એ વસ્તુ સિદ્ધ છે કે વાચનાનો પ્રારંભમાં નંદીને સ્થાન છે અને તે મંગળ રૂપે હોવા ઉપરાંત જ્ઞાન સાથેના શાસ્ત્રના સંબંધને પણ દર્શાવી આપે છે. વાચનાને પ્રારંભ નંદાથી કેમ થાય છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે નંદી એ ભાવમંગલ તો છે જ, ઉપરાંત ભાવમંગલમાં પાંચ જ્ઞાનનું સ્થાન છે. અને ४. “णणु णंदीवक्खाणे भणितमणंग इंध कतो सका । भण्णति अकते संका तस्साणियमं च दाएति ॥ णोणाभिधाणमेत्तं मंगलमिळं ण तीय वक्खाणं । इधमत्थाणे जुज्जति जसा वीसु सुतक्खयो ।। इध साणुग्गहमुदितं ण तु णियमोऽयमधवाऽववातोऽयं । ટારૂ ગતિ ધનાણ તારૂ પુરિસાઢવા ! ” એજન, ગાથા ૮૪૪૪૧. પ. “ક્વાથમૂઢ માસ સમાયરસ સોનૂ | હોતિ રિમિયમ ગોરો સેનાપુસ એજન, ગાથા ૩૬ ૦૩.. ૬. એજન, ગાથા ૧૮. . • Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ આગમ કે શ્રુત એ પણ પાંચજ્ઞાનમાંનું જ એક જ્ઞાન છે. આથી જે તે આગમની વાચના પ્રસંગે સંબંધ બતાવવામાં આવે કે પ્રસ્તુત આગમન સંબંધ પાંચજ્ઞાનમાંના શ્રુતજ્ઞાન સાથે છે. આ પ્રકારે નંદીને સંબંધ તે તે આગમ સાથે જોડાઈ જાય છે. આથી નંદીથી વાચનાની શરૂઆત થાય તે સ્વાભાવિક છે. આ વસ્તુ ધ્યાનમાં લઈને અમારી યોજનામાં અમે પણ નંદીને પ્રથમ ભાગમાં સ્થાન આપ્યું છે તે વ્યાજબી ઠરે છે. નંદીસૂત્રો : અનુજ્ઞા અને યોગ નંદીસૂત્ર પ્રસ્તુત ભાગમાં શ્રીદેવવાચકવિરચિત નદીસૂત્ર, લઘુનંદી, જે અનુજ્ઞાનંદી તરીકે પણ ઓળખાય છે, તે અને ગનંદી–એ ત્રણ પ્રકારનાં નંદીસૂત્રને સમાવેશ કરવામાં આવ્યું છે. એટલે એ ત્રણે વિષેની કેટલીક માહિતી આપવી જરૂરી છે. શ્રી દેવાચકૃત નંદી વિષે તે આગળ વિશેષ ચર્ચા થશે એટલે પ્રસ્તુતમાં શેષ બે વિષે થોડું કહેવું છે. અનુજ્ઞાનદીમાંના અનુજ્ઞા શબ્દનો અર્થ આજ્ઞા, રજા, પરવાનગી, અધિકારદાન, મંજૂરી ઈત્યાદિ છે. સામાન્ય રીતે ગુરુ પિતાના શિષ્યને કોઈ પણ બાબતમાં અનુજ્ઞા આપે તે અનુજ્ઞા કહેવાય છે. પ્રસ્તુતમાં અનુજ્ઞાનંદીને નામે જે પાઠ આપવામાં આવ્યું છે તે લઘુનંદી એવા નામે પણ ઓળખાય છે છતાં એમ સમજવાનું નથી કે તે નંદીસૂત્રને સંક્ષેપ છે. આ વસ્તુને અનુજ્ઞાનદીનો પ્રસ્તુતમાં આપેલ પાઠ જ સિદ્ધ કરે છે. અહીં આપેલ અનુજ્ઞાનંદી કે લઘુનંદીના પાકને ઉપયોગ, આચાર્ય જ્યારે પિતાના શિષ્યને ગણધારણ કરવાની અથવા તે આચાર્ય બનવાની અનુજ્ઞા–રજાપરવાનગી આપે છે, ત્યારે હેય છે. એ કાર્ય મંગળરૂપ હોઈ તેને અનુજ્ઞાનદી એવું સાર્થક નામ આપવામાં આવ્યું છે. એટલે પાંચજ્ઞાનરૂપ નંદી સાથે તેને સીધો સંબંધ છે જ, તેથી તેને નંદીસત્રથી જુદું કરવા લઘુનંદી કે અનુજ્ઞાનંદી નામે ઓળખાવવામાં આવે તે કાંઈ અયુક્ત નથી. અનેક કલ્પોમાંને એક કલ્પ અનુજ્ઞાકલ્પ છે અને તેનું વિશેષ વિવરણ પંચકલ્પભાગ્ય અને તેની ચૂર્ણિમાં મળે છે. અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સ્વયં અનુજ્ઞાનંદીમાં લેકર દ્રવ્યાનું જ્ઞાના વર્ણનપ્રસંગે સચિત્ત એટલે કે ચેતનદ્રવ્યરૂપ શિષ્ય-શિષ્યાઓની અને અચિત્ત એટલે કે અચેતન વસ્ત્રાદિની અનુજ્ઞાની ચર્ચા ઉપરાંત ભાવાનુજ્ઞામાં આચારાંગ આદિ શ્રુતની અનુજ્ઞાની પણ ચર્ચા છે. પણ તેમાંથી માત્ર આચાર્યપદના દાન Page #347 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગને જ મહત્ત્વ આપી આ લઘુનંદીને ઉપયોગ હાલમાં માત્ર લોકેાર દ્રવ્યાનુજ્ઞા પૂરતો મર્યાદિત થઈ ગયું છે, અર્થાત્ કોઈ શિષ્યને આચાર્ય જ્યારે શિષ્યશિષ્યા બનાવવાની છૂટ આપે છે–એટલે તેને આચાર્ય પદવી આપે છે–તે પૂરત તેમ જ ગક્રિયા કરાવવા પૂરતે પ્રસ્તુત લઘુનંદીને ઉપયોગ મર્યાદિત થઈ ગયા. છે. આવું ક્યારથી બન્યું તે કહી શકાય તેમ નથી. આચાર્ય શ્રીચન્ટે તેમની અનુજ્ઞાનંદીની ટીકા માં અનુજ્ઞાનાં જે રીતે ૨૦ નામે નોંધ્યાં છે તે પ્રમાણે પ્રસ્તુત અનુજ્ઞાનદીમાં આપ્યાં છે. ટીકામાં આચાર્ય શ્રીચન્દ્ર જણાવે છે કે “જોષi a ઘાનામર્થ: ઘાયામાવતે – અર્થાત્ એ વીસ પદોનો અર્થ અમને ગુરુગમના અભાવથી પ્રાપ્ત નથી માટે અહીં નથી જણવ્યો. અનુક્સાનાં એકીર્થક નામોનેદ ર્શાવતી અનુજ્ઞાનંદિગત બે ગાથાઓ (પૃ.૫૩), પંચકલ્પભાષ્યમાં અનુજ્ઞાકાધિકારમાં પણ આવે છે. પંચકલ્પભાષ્યગત પ્રસ્તુત ગાથાઓમાં થોડો ભેદ છે તેથી તે બે ગાથાઓ નીચે આપીએ છીએ : अणुण्णा उण्णमणी णमण णामणी ठवणा पभवे पभावण वितारे । तदुभयहिय मज्जाता कप्पे मग्गे य णाए य ॥ संगह संवर निज्जर थिरकरणम् छेदजीव(य)बुदिपय । पयपवर चेव तहा वीस अणुण्णाइ णामाइ ॥ – જૈવ, પૃ. ૨૨૬ ઉપરની પંચકલ્પભાષ્યની બે ગાથાઓની પંચકલ્પમહાભાષ્યમાં અને પંચકલ્પચૂર્ણિમાં જે વ્યાખ્યા કરી છે તેની સમજૂતી નીચે પ્રમાણે છે : ૧. અનુજ્ઞા : એટલે આચાર્ય દ્વારા જે બાબતમાં સ્વીકૃતિ કે મંજૂરી મળે. તે, સામાન્ય રીતે અનુજ્ઞાનું પ્રવતન ઋષભદેવે તેમના ગણધર ઋષભસેનથી શરૂ કર્યું છે. એટલે કે તેમણે એ મંજૂર કર્યું કે ઋષભસેન આચાર્ય બને અને પિતાના શિષ્યોને આગમની વાચના વગેરે આપે. આમ અનુજ્ઞા આપવાની પરંપરા ચાલી. ૨, ઉનામની : અનુજ્ઞા એ ઉન્નમની પણ કહેવાય, કારણ કે તે પ્રસંગે આચાર્યાદિને ઊભા થઈ વંદન કરવાનું હોય છે. ૩. નમની : અનુજ્ઞા જેને મળી હોય તેને ગ્રહી અને શ્રમણે પ્રણિપાતનમન કરે છે. તેથી તે નમની કહેવાય. • Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ ૪. નામની : અનુજ્ઞા શ્રુત અને ચારિત્ર ધમમાં પ્રવેશ કરાવે છે. માટે તે નામની કહેવાય. ૫. સ્થાપના : અનુજ્ઞાને જે મેળવે છે તેની આચાય રૂપે સ્થાપના થતી હાય છે તેથી અનુજ્ઞા સ્થાપના કહેવાય છે. અર્થાત્ અનુજ્ઞા જેણે પ્રાપ્ત કરી હાય તે શિષ્યસ પત્ વધારી શકે છે અને શિષ્યાને આચારધમ તથા શ્રુતધમમાં સ્થિર કરે છે. ૬. પ્રભવ : અનુજ્ઞાવડે આચાર્યાંરૂપે સ્થાપિત થાય એટલે તે પ્રભુ કહેવાય. અને એથી સર્વે જ્ઞાનાદિ ગુણેના પ્રભવ=પ્રસૂતિ=ઉત્પત્તિ થાય છે માટે તે પ્રભવ છે. ૭. પ્રભાવના : અનુજ્ઞાવડે ગુણાની કે આચાય'ની પ્રભાવના થતી હાઈ પ્રાક્રટથ કે દીપ્તિ વધતી હાઈ તે પ્રભાવના કહેવાય છે. ૮. વિતાર : અનુજ્ઞાને લઈને ગણને ઉદ્દય થાય છે કે ગુણાનું વિતરણ થાય છે માટે તે વિતાર છે. ૯. તદુભર્યાહય=તદુભહિત : મહાભાષ્યાનુસારી અથ : આલેક અને પરલેાકમાં જેના વડે હિત થાય છે તે અનુજ્ઞા તદુલયહિત કહેવાય છે. અહીં સૂષ્ટિમાં તદુભય એટલે સૂત્ર અને અ` વિષયક હોઈ તે અનુજ્ઞા તદુભય કહેવાય – તનુમયસૂત્રાર્થાનુસારૂત્યયંઃ । અને હિતને જુદું નામ ગણાવી ચૂર્ણિકાર તેને આ લોક અને પરલેનું હિત એવા અર્થે કરે છે—ાિमुष्मिक हितम् । ૧૦૦ મર્યાદા : ગણધર પોતે અનુજ્ઞા વિષેની મર્યાદા-સીમા ધારણ કરતા હાઈ તે મર્યાદા કહેવાય. ૧૧. કપ : કરણીય બાબતમાં ગણની નીતિ અનુજ્ઞાદ્વારા નક્કી થતી હાઈ તે પ કહેવાય છે. ૧૨. માર્ગ : અનુજ્ઞામાં નાનાદિ મેાક્ષમાગ સ્થિત છે તેથી માગ કહેવાય છે. ૧૩. ન્યાય : ન્યાય કરનાર અથવા ન્યાયરૂપ છે માટે તે ન્યાય છે. ૧૪. સંગ્રહ : અનુજ્ઞાવડે માદ્ય વસ્ત્રાદિના અને આંતર જ્ઞાનાદિના સંગ્રહ થતા હોઈ તે સંગ્રહ છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ૧૫. સંવર : ઈન્દ્રિય અને ઇન્દ્રિયને અનુજ્ઞાવડે પિતાના આત્મામાં અને ગણમાં સંવર થતું હોઈ તે સંવર છે. ૧૬. નિજ૨ : અનુજ્ઞાસંપન્ન વ્યક્તિ અગ્લાનભાવે ગણને ધરે છે તેથી પોતાના કર્મની નિજ રા કરે છે અને ગણમાં રહેલ અન્ય શ્રમને પણ કમની નિર્જરા કરાવે છે માટે અનુજ્ઞા નિર્જરા પણ છે. ૧૭. સ્થિરકરણ : અસ્થિર મનવાળા તરૂણ શ્રમણને સ્થિર કરવામાં અનુજ્ઞા વડે સમથ થવાય છે તેથી તે સ્થિરકરણ છે. પ્રસ્તુતમાં ચૂર્ણિમાં “વર કૃતિઃ' એ પાઠ છે તે ઉપરથી જણાય છે કે કે અનુજ્ઞાવડે વાડનું કામ થાય છે તેથી તે વરણ કહેવાય. ૧૮ અરદ: જ્ઞાનાદિ ગુણની એથી અશ્રુચ્છિત્તિ થતી હોઈ તે અચછેદ કહેવાય. ૧૯ જીત : તીર્થકરે ગણુધરેને અનુજ્ઞા આપી અને ગણધરેએ પિતાના શિષ્યોને, આ પ્રમાણે પરંપરાથી એ પ્રાપ્ત હોઈ આચાર્યો દ્વારા અનુષ્ઠિત હેઈન્તે છત કહેવાય. ૨૦. વૃદ્ધિપદ : અનુજ્ઞા વડે ગણુમાં જ્ઞાન અને આચારની વૃદ્ધિ થતી ઈ તે વૃદ્ધિપદ કહેવાય. ૨૧. પહપ્રવર : અનુજ્ઞાસંપન્ન વ્યક્તિનું પદ શ્રેષ્ઠ હોઈ તે પદપ્રવર કહેવાય. પંચકલ્પમહાભાષ્ય અને પંચકલ્પચૂર્ણિના વ્યાખ્યાન મુજબ ઉપર જણાવ્યા પ્રમાણે અંકે આપતાં અનુત્તાના એકાWક નામે એકવીસ થાય છે. અનુજ્ઞાનંદિના પાઠ સાથે સરખાવતાં પંચક૯૫ભાષ્યના પાઠમાં અરદ પદ વધારે છે. છતાં પંચક૫ભાષ્યની આ બે ગાથાઓના પૂર્વની ઉત્થાનિકારૂપ ગાથાના અંતમાં “વીસ તુ સમાસે વોઝાનિ તમારૂં તુ આ કથનને આધારે તથા પંચકલ્પભાષ્યની ઉપર જણાવેલી બે ગાથાઓ પૈકીની બીજી ગાથાના અંતમાં આવતા વીસ મUUUIT THrફુ” આ વક્તવ્યના આધારે પણ એટલું તે ચોક્કસ જ છે કે પંચકલ્પભાષ્યકારને અનુજ્ઞાશબ્દના એકાઈક નામોની સંખ્યા વીસ જ અભીષ્ટ છે. આથી પંચકલ્પમહાભાષ્ય અને તેની ચૂર્ણિમાં જણાવેલાં ઉપરનાં એકવીસ નામે પૈકીનાં જ્યાં બે નામ પંચકલ્પભાષ્યકારને મતે એકનામરૂપ હશે ? તેને ગુરગમ પંચકલ્પમહાભાષ્યકાર આદિના સામે નથી. જેનાગમ સાહિત્યમાં જે કંઈ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ નામનાં એકાWક નામની સંખ્યા જણાવવામાં આવે છે તેમાં તે તે મુખ્ય નામને ગણીને જ કુલ સંખ્યા જણાવાઈ છે, તેથી અહી અનુજ્ઞાનાં એકવીસ એકાઈંક નામોમાંથી અનુજ્ઞાને બાદ કરીને શેષ વીસ એકાWક નામો હોવાનું પ્રતિપાદન કરવું તે સમગ્ર પરંપરાથી ઉપરવટ થઈને કરવા જેવું છે. આથી જ શ્રીચંદ્રસૂરિજીનું તેવાં ઘરાનામર્થ: તwar માવાનોને આ વાક્ય સૂચક અને યથાર્થ લાગે છે. સર્વ આગમોના અધ્યયનના પ્રારંભમાં જે પ્રકારે નંદીને મંગલ રૂપે ઉપયોગ કરવામાં આવે છે તે પ્રકારનું નંદીનું સંક્ષિપ્ત રૂપ યોગનંદીમાં આપવામાં આવ્યું છે. સાર એ છે કે જ્ઞાનના આભિનિધિક આદિ પાંચ પ્રકારે છે તેમાંથી માત્ર શ્રુતજ્ઞાનના ઉદ્દેશાદિ થાય છે, અર્થાત્ શ્રતનું જ અધ્યયન-અધ્યાપન થઈ શકે છે. અને શ્રુતમાં પણ જે શ્રુતના ઉદ્દેશાદિ કરવાના હોય તેને સંબંધ અંગપ્રવિષ્ટ કે અંગબાહ્ય સાથે બતાવીને તેના ઉદ્દેશાદિ થાય છે એમ સંબંધ જોડવામાં આવ્યા છે. આ પ્રસંગે આ રોગનંદીમાં પાંચ જ્ઞાનનાં નામ ગણાવી શ્રુતમાં-બાર આચારાદિ અંગો અને અંગઆહ્ય કાલિકમાં અંતર્ગત ઉત્તરાયયન આદિ ૩૯, ઉત્કાલિમ અંતર્ગત દશવૈકાલિક આદિ ૩૧ આવશ્યક વ્યતિરિક્ત અને સામાયિકાદિ ૬ આવશ્યક શ્રુતનો સમાવેશ છે, એમ નિર્દિષ્ટ છે. આ પ્રકારે યોગનંદી એટલે શ્રીદેવવાચકૃત નંદીસૂત્રનો સંક્ષેપ. આ નંદીમાં યોગશબ્દ પ્રારંભમાં મૂકવામાં આવ્યો છે અને તેને યોગનંદી એવું જે નામ આપવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે શ્રુતના અભ્યાસને પ્રારંભ યુગ વિના એટલે કે તપસ્યા વિના થતું નથી. એટલે શ્રત નિમિત્તે જે ગવિધિ કરવાની હોય છે તેના પ્રારંભમાં જ આ નંદીના પાકને ઉપયોગ થત હોઈ તેને યેગનંદી જેવું સાર્થક નામ આપવામાં આવ્યું છે. નદીસૂત્રને આધાર નદીસૂત્ર એ અંગબાહ્ય હોઈ તેની રચનાને આધાર તેથી પ્રાચીન અંગ અને અંગબાહ્ય ગ્રંથમાં શેધ રહ્યો. સ્થાનકવાસી વર્ધમાન જૈન સંધના આચાર્ય આત્મારામજીએ નંદીસૂત્રને હિંદી અનુવાદ પ્રકાશિત કર્યો છે. તેને અંતે તેમણે પરિશિષ્ટ ૧ માં નંદીપૂર્વના આગમોના પાઠ આપીને આધારભૂત સામગ્રીની નોંધ કરી છે એટલે તે વિષે અહીં વિશેષ લખવું નથી. તેમાં તેમણે સ્થાનાંગ, સમ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ વાયાંગ, ભગવતી, અને અનુયાગના પાઠે આપ્યા છે, જેને તે નંદીની રચનામાં આધારભૂત ગણે છે. વિશેષ જિજ્ઞાસુઓને ઉપરાક્ત સ્થળ જોવા ભલામણ કરીએ છીએ. ન્યાયાવતારવાતિ કવૃત્તિની પ્રસ્તાવનામાં આગમમાં જ્ઞાનચર્ચાના વિકાસની ભૂમિકાએ વિસ્તારથી ચર્ચાવામાં આવી છે (પૃ૦ ૫૭) તેથી તે વિષે અહીં લખવુ જરૂરી નથી. પણ તેને જે ઉપસંહાર છે તે જોઈએ. આગમેામાં આવતી જ્ઞાનચર્ચાની અપરંપરાના વિસ્તાર નંદીસૂત્રકારની સમક્ષ આગમગત એટલે કે સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી આગિત જ્ઞાનચર્ચા હતી. તેમાં તેમણે કલાનુસાર જે અપરપરાના વિસ્તાર થયા હતા તેના સમાવેશ કરીને નદીસૂત્રની રચના કરી છે. નંદીસૂત્રગત જ્ઞાનવિવેચનને સ ંક્ષેપમાં આપવુ હોય તો આ પ્રમાણે આપી શકાય—(જુઆ પૃ૦ ૩૩૧) આ રીતે નંદીસૂત્રમાં સંક્ષેપથી જ્ઞાનચર્ચા કરવામાં આવી છે અને શ્રુતના અગપ્રવિષ્ટભેદ પ્રસગે વિશેષમાં આચારાંગ આદિ બારેય અગાના પરિચય આપ્યું છે. પ્રારભમાં લેખકે અદ્વૈત ભગવાન મહાવીરની; સંધની નગરરૂપે, ચક્રરૂપે, થરૂપે પદ્મરૂપે, ચન્દ્રરૂપે, સૂર્ય રૂપે, સમુદ્રરૂપે અને મહામેરુરૂપે; ઋષભાદિ ચાવીસે તીથ``કરાની નામ દઈને સ્તુતિ કરી છે. પછી ભગવાન મહાવીરના અગિયારે ગણધરોની નામપૂર્ણાંક સ્તુતિ કરીને, વીરશાસનને મહિમા ગાય છે. અને પછી સુધર્માથી માંડીને દૂસગણિ સુધીના સ્થવિરાને યાદ કરીને સ્તન્યા છે. અને જ્ઞાનપ્રરૂપણાની પ્રતિજ્ઞા કરી છે. નદીસૂર્ણમાં દેવાચકે તેના નિર્માણમાં આગમોની—મૂળ આગમાની તા સહાય લીધી જ છે એમાં શકા નથી; પણ તેમણે આવશ્યકટીકામાંના સવપ્રાચીન ગ્રંથ અનુયાદ્વારને પણ ઉપયોગ કર્યાં છે તે તો ઉપયુક્ત આચા શ્રી આત્મારામાજીના નિર્દેશા ઉપરથી જણાઈ જ આવે છે. પણ જે તેમણે નથી તેાંધ્યું તે વિષે અહી નિર્દેશ કરવાને! પ્રાપ્ત છે. આવશ્યકસૂત્રની આચા છ. ભગવતીમાં ‘ના નંદ્દી' (શતક ૨૫, ઉ. ૩) એવા ઉલ્લેખ છે, પણ તે તે આગમા ગ્રંથસ્થ થયા તે કાળે સંક્ષેપ અભીષ્ટ હાઈ અને તે વિષયને યથાવત્ વિસ્તાર નદીમાં હાઈ તેની ભલામણ કરી દેવામાં આવી છે એમ માનવુ જોઈએ. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૧ આભિનિષેાધિક ૨ શ્રુત 1 1 । ૧ પ્રત્યક્ષ । ૧ ઇન્દ્રિયપ્રત્યક્ષ ૧ શ્રેાત્રેન્દ્રિયપ્ર॰ ૨. ચક્ષુરિન્દ્રિયપ્ર॰ ૩ ઘ્રાણેન્દ્રિયપ્ર ૪ જિહવેન્દ્રિયપ્ર ૫ સ્પર્શેન્દ્રિયપ્ર૦ કા વ્યંજનાસંગ્રહ ૪ જ્ઞાન { ૩ અધિ ] ૨ નાઇન્દ્રિયપ્રત્યક્ષ ૧ અવધિ ૨ મનઃપય ૩ કેવલ અવગ્રહે ઈહા ૬ ૪ મન:પય ૧૩ અંગપ્રવિષ્ટ ૧ આભિનિષેાધિક I ૧ શ્રુતનિશ્ચિત ૨ અશ્રુતનિશ્ચિત 1 ૨ પરીક્ષ I અવાય ધારણા 1 કાલિક અર્થાવગ્રહ ઔષ વૈન-કજા પારણા મિકી ત્તિકી યિી ૬ ૨. શ્રુત [ ૧ અક્ષર ૨ અનક્ષર ૩ સ`ત્તિ Y અસત્તિ ૫ સમ્યક્ ૬ મિથ્યા ૭સાદિ ૮ અનાદિ ૫ વલ 1 ૨ શ્રુત 1 ૯ સપવસિત ૧૦ અપર્યવસિત ૧૧ ગમિક ૧૨ અગમિક ૧૪ અગાથ ઉલ્કાલિક Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ભદ્રબાહુકૃત નિયુક્તિનો પ્રભાવ નદીસૂત્રમાં આવતા પદ્યભાગનો રચનામાં વિશેષરૂપે જોવામાં આવે છે. વધ'માનઅવધિ (સૂત્ર ૨૪)ની ચર્ચા પ્રસંગે ‘નાવતિયા’ ત્યાદિ અનેક ગાથાઓ (૪૫--૫૨) આપવામાં આવી છે. તે ન આપવામાં આવે તે પણ . વધમાન અવધિનુ` વન જે છે તે સ`ગત જ છે. આ ગાથાએ આવશ્યકનિયુક્તિની (ગાથા ૩૦-૩૭) છે. આ ગાથાએ નદીમાં આવશ્યકનિયુક્તિમાંથી લેવામાં આવી છે તે સ્પષ્ટ છે. નંદીત્રગત ગાથા ૫૪ની ચૂર્ણિકારે સ્વીકારી નથી અને તે આવશ્યકનિયુક્તિ માંથી ઉપયાગી હોઈ લેવામાં આવી છે એમ જણાય છે, આવશ્યક નિયુક્તિમાં તે ગાથા ૬૬ મી છે.૧૦ નદીસ ત્ર ગાથા ૫૫ મી પણ આવશ્યકનિયુક્તિની (ગાથા ૭૬ મી) છે. અને તે ત્યાંથી લેવામાં આવી છે. તે વિશેષાવશ્યકમાં પણ છે—ગાથા ૮ ૧૦. નદીસરાગત ગાથા ૫૬-૫૭ પણ આવશ્યકનિયુક્તિમાંથી લેવામાં આવી છે. જુએ . આવશ્યકનિયુક્તિ ગાથા ૭૭-૭૮; વિશેષાવશ્યકભાષ્ય ૮૨૩, ૮૨૯. આભિનિષેાધિક જ્ઞાનના શ્રુતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત એ બે બેદા નદીકારે કર્યા છે, અને અશ્રુતનિશ્રિતના ચાર ભેદ છે એમ કહી તેના તે ચારે ભેદો અને તે વિષેનું વિવરણુ બધું પદ્યમાં ક્યુ છે. નદીના ક્રમપ્રમાણે આ વસ્તુના નિર્દેા ગદ્યમાં હોવા જોઈતા હતા, પણ તેમ થયું નથી; પણ એ ભાગ માથામદ છે. जाव ૮. આ બાબતમાં આવશ્યક ચૂર્ણિ'નુ' કથન છે કે સુત્રમંત્રવિજ્ઞાન' ટ્િ अपणो आयरियत्ति "- -એટલે નદીગત સ્થવિરાવલિમાં આચાય પરંપરા છે. નંદીસૂણિમાં તે સ્પષ્ટ ક્યું છે કે “મુધમ્માતે થેરાવહી વવત્તા, રતે મતિ” નદી ચૂર્ણિ` પૃ. ૭ (P. T. S.) અને એમ કહીને ક્રમશઃ ગુરુ શિષ્યપરંપરા બતાવી છે. ૯. વિશેષાવશ્યકભાષ્યમાં જુએ ગાથા ૫૮૮, ૫૯૮, ૬૮, ૬૦૯, ૬૧૦, ૬૧૫, ૬૧૭, ૬૨૧, આ બધી નિયુ॰ક્તિની ગાથાઓની વ્યાખ્યા ભાષ્યકારે કરી છે. ૧૦. એજન, ગાથા ૭૬૬. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ આવશ્યકનિયુક્તિમાં જ્યાં મતિજ્ઞાનની પ્રારંભમાં ચર્ચા છે ત્યાં શ્રુતનિશ્રિત કે અશ્રુતનિશ્રિતની કઈ ચર્ચા નથી. એ ઉપરથી જણાય છે કે આભિનિ. બાધિકના આ બે ભેદ જૈન પરંપરામાં આવશ્યકનિયુક્તિની રચના પછી થયા છે. જો કે તેમને ઉલેખ સ્થાનાંગ (૦ ૭૧) માં પણ છે, પરંતુ તેમાં અને નંદીના તેના વર્ણનમાં થોડે ભેદ છે. એટલે તે ભેદનો સ્વીકાર અને અભિનિધિજ્ઞાનમાં તેની યોજના વ્યવસ્થિત રીતે કરવા પ્રયત્ન સર્વપ્રથમ દેવવાચકનો છે એમ માનવું જોઈએ.11 આવશ્યકનિયુક્તિમાં જેકે આમિનિબેધિક જ્ઞાન પ્રસંગે શ્રુતિનિશ્ચિત-અશ્રુતનિશ્ચિનની ચર્ચા નથી. પણ આગળ જઈ નમસ્કારનિયુક્તિપ્રસંગે સિદ્ધપદની નિયુક્તિમાં કર્મસિદ્ધ આદિરૂપે સિદ્ધના અગિયાર ભેદો ગણાવ્યા છે (આવશ્યકનિકિત ગાઇ ૯૨૧). તેમાં એક નવમો ભેદ અભિપ્રાયસિદ્ધનામે પણ છે. અહીં અભિપ્રાયને અર્થ બુદ્ધિ સમજવાનો છે, કારણ કે નિયુક્તિમાં જ તે બાબતને સ્પષ્ટ કરવામાં આવી છે–“મgો વુદ્ધિપગાગો (આવશ્યકનિયુક્તિ ગા૯૩૦) અને પછી તે બુદ્ધિસિદ્ધિ વિષે જણાવ્યું છે विउला विमला सुहुमा जस्स मई जो चउठियहाए वा । વૃદ્ધાણ સંઘો સ ગુદ્રિસિદ્ધ રુમ સા ા છે આવશ્યકનિયુક્તિ ગાથા ૯૩૧ જેની બુદ્ધિ વિપુલ છે, વિમળ છે, સૂક્ષ્મ છે તે બુદ્ધિસિદ્ધ કહેવાય અથવા તો જે ચાર પ્રકારની બુદ્ધિથી સંપન્ન હોય તે બુદ્ધિસિદ્ધ કહેવાય. અને તે આ પ્રમાણે છે”-–-આમ કહીને ઓત્પત્તિકી આદિ ચારે બુદ્ધિઓ ગણાવી છે અને તેનું સદષ્ટાન્ત વિવરણ પણ કર્યું છે. અને તેમાં જે ગાથાઓ (આવશ્યક નિર્યુક્તિ ૯૩૨–૯૪૫) છે તે જ ક્રમે પ્રસ્તુત માં નંદીસૂત્રમાં લઈ લેવામાં આવી છે. (નંદી ગા. ૧૮-૭૧) આથી સ્પષ્ટ છે કે નંદીકાર અહીં આવશ્યકાંનયુક્તિનું બુદ્ધિવર્ણન શબ્દશઃ સ્વીકારી લે છે. એટલું જ નહિ પણ મતિજ્ઞાનના વિવરણમાં તેની સંજના પણ કરી લે છે અને તેથી મતિજ્ઞાનના વિવરણમાં તેમ કરવામાં જે મુશ્કેલી ઊભી થતી હતી અને પરંપરા પ્રમાણે જે વિવરણ ચાલ્યું આવતું હતું ૧૧. વિશેષ ચર્ચા માટે જુઓ ન્યાયાવતારવાતિકત્તિની (શ્રી દલસુખ માલવણિયા સંપાદિત) પ્રસ્તાવને પૃ૦ ૫૯ થી. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ તેને તેમનુ તેમ રહેવા દઈ મતિજ્ઞાનના શ્રુતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત એવા બે ભેદ પાડીને અશ્રુતનિશ્રિતમાં ઔપત્તિકી આદિ ચારેય બુદ્ધિનો સમાવેશ કરી લીધા છે. આભિનિષેાધિક જ્ઞાનની ચર્ચાનું સમાપન કરીને નદીમાં ચર્ચાના સાર બતાવતી જે ગાથાઆ (છર-૭૭) મૂકવામાં આવી છે તે આન્ગ્યુકનિયુક્તિગત જ્ઞાનચર્ચાની પ્રારભિક ગાથાઓ (૨-૬ અને ૧૨) છે. એટલે તે પણ આવશ્યક નિયુક્તિમાંથી લેવામાં આવી છે એ સ્પષ્ટ છે. અનક્ષરશ્રુતના મેદાની ગણના નંદીસૂત્ર (ગાથા ૭૮) માં આવશ્યકનિયુક્તિની જ ગાથા ૨૦ મી મૂકીને જ કરવામાં આવી છે. ચૌદ પૂર્વાની વસ્તુની વસ્તુની સંખ્યા અને ચૂલિકાઓની સંખ્યાદા ક ગાથા (૭૯–૮૧) વિષે જો કે નદીકારે તે સંગ્રહણીગાથા છે એવા નિર્દેશ નથી કર્યાં, પણ તે સંગ્રહણીગાથા હાવી જોઈએ. નદી ગાથા ૮૨મીને તે નંદીકાર સ્વયં -સંગ્રહણીગાથા કહે જ છે. આવી સંગ્રહણીએ અભ્યાસી પેાતાના સ્મરણુમાં સહાયક બને તે ખાતર રચતા હતા. કેટલીક વાર સ્વયં ગ્રંથકાર પણ આવા સંગ્રહ ક્ષેાકેા બનાવીને પ્રકરણના પ્રારંભમાં કે અંતમાં મૂકતા તેવું અનેક પ્રાચીન ગ્રંથામાં જોવા મળે છે. અને એમ પણ ખનતું કે એવા સંગ્રહલેાક અન્ય પ્રથામાંથી ઉપયેાગ પ્રમાણે લઈને પોતાના ગ્રંથમાં સમાવી પણ લેવામાં આવતા. એ જ પ્રક્રિયા નંદીમાં પણ આપનાવવામાં આવી છે. નદીસૂત્રના અંતે જે ગાથા (૮૩-૮૭) મૂકવામાં આવી છે તે પણ આવશ્યકનિયુક્તિમાંથી જ લેવામાં આવી છે—આવશ્યકનિયુક્તિ ગાથા ૧૯, ૨૧, ૨૨, ૨૩, ૨૪, પ્રસ્તુતમાં અનુષ્કૃત આવશ્યકનિયુ॰ક્તિની ગાથા ૨૦ આ પૂર્વે નદીમાં ૭૮ મી ગાથા તરીકે ઉષ્કૃત થયેલી જ છે. તેથી તેને વચ્ચેયી અહી ડી દેવામાં આવી છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે નંદીસૂત્રના નિર્માણુમાં શ્રી દેવવાચકે આવશ્યકનિયુક્તિની સામગ્રીના પૂરા ઉલ્લેખ કર્યાં છે. આવશ્યકનિયુક્તિ આદિ નિયુક્તિ જે રૂપમાં આજે મળે છે તે રૂપનું સક્લન આચાર્ય ભદ્રબાહુ દ્વિતીયે કયુ હાય એવા પૂરા સ ંભવ છે, પણુ એને અથ એવા નથી કે તેમાં આવતી બધી ગાથાઓની રચના આચાર્ય માહુ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ દ્વિતીયની જ રચના છે. એટલે એમ માની શકાય કે પ્રસ્તુત નદીમાં આવતી નિયુક્તિગાથાએ એ પર પરાપ્રાપ્ત ગાથા છે. નંદીસૂત્રના કર્તા-દૂષ્યગણિના શિષ્ય દેવવાચક નંદીસૂત્રમાં અપાયેલી સ્થવિરાવલીમાં અંતિમ નામ દૂસગણિતું છે. અને તેમના એક વિશેષણુરૂપે કહ્યું છે—‘મદુરાŕળ' અર્થાત્ જે પ્રકૃતિથી મધુરભાષી છે--એ બતાવે છે કે લેખકને દૃષ્યગણિના સાક્ષાત્ પરિચય છે. એ વસ્તુની પુષ્ટિ નદીરાની ચૂર્ણિથી પણ થાય છે. તેમાં `િકાર સ્પષ્ટ લખે છે કે ‘ટૂસળીમા લેવવાયો' (બ્રુ. ૨ રૂ P.T.S.)—અર્થાત્ દેવવાચક દૃષ્યગણુિના શિષ્ય હતા. આમ ચૂણિથી જ સપ્રથમ આપણે દેવવાચકનું નામ જાણીએ છીએ, જેમણે નંદીસૂત્રની રચના કરી છે. લેખકે નદીમાં અંતે દૂષ્યગણુને વના કરી હતી તેથી તેના લેખક દૃષ્યગણુના શિષ્ય હશે એવું અનુમાન સહજે થાય છે; અને તેનું સમર્થન કરવા ઉપરાંત તેમનું નામ દેવવાચક હતું. એટલી વિશેષ માહિતી ચૂર્ણિકાર આપે છે. નદીસૂત્રકાર દેવવાચક અને આગમાને પુસ્તકારૂઢ કરનાર દેવ`િના નામસામ્યને લઈને વિક્રમના તેરમા શતકમાં થએલ આચાય શ્રી દેવેન્દ્રસૂરિ આદિએ બન્નેને એક જણાવ્યા છે. અને એ વસ્તુનું સમર્થાંન પૂ. પં. શ્રી કલ્યાણુવિજયજી પણ કરે છે. કલ્પસ્થવિરાવલિ અને નંદીસ્થવિરાવલિને જુદી જુદી દૃષ્ટિએ લખાયેલ વિરાવલિ માનીને—–એટલે કે યુગપ્રધાન સ્થવિરાવલિ નદીમાં આપવામાં આવી છે અને ગુર્વાવલિ કલ્પસૂત્રમાં આપવામાં આવી છે એમ સ્વીકારીને-તેઆ પેાતાના મતની પુષ્ટિકરે છે.૧૨ પરંતુ તેમણે નિર્દેશેલ બધાયે પ્રમાણેાથી પ્રાચીન પ્રમાણ નદી ચણિ`નું છે અને તેમાં તેા દૂસગણુના શિષ્ય દેવવાચક છે તેમ સ્પષ્ટ લખેલ છે. હવે જો કલ્પસૂત્રમાં ગુર્વાલિ આપવામાં આવી છે એ વસ્તુ પન્યાસ શ્રી કલ્યાણવિજયજી સ્વીકારતા હોય તે તેમાં દેવદ્ધિના ગુરુનું નામ આ સાંડિલ્ય છે. ચૂર્ણિમાં દેવવાચકને સ્પષ્ટ રીતે દૂસગણિના શિષ્ય કથા છે. આથી એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે દૂસગણિના શિષ્ય દેવવાચક અને આય સાંડિલ્યના શિષ્ય દેવદ્ધિ એ બન્ને એક નહિ પણ જુદા જ આચાર્યાં ાવા જોઇ એ. સમગ્ર ચર્ચા કરતી વખતે ચૂર્ણિના ઉલ્લેખ શ્રી કલ્યાણુવિજયજી સમક્ષ હતા નહિ. તેથી તે કાળની ઉપક્ષખ્ય સામગ્રીને આધારે તેમણે જે નિય કર્યાં છે તે અત્યારે ૧૨. વીનિર્વાનરવત્ ઔર્ નૈનાના, પૃ૦ ૧૧૯. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ વિચારણીય ઠરે છે. અને અમારા મતે તે તે બન્ને જુદા હાય એમ જણાય છે. આથી જ કલ્પ અને નદીગની સ્થવિરાવલીમાં પણ ભેદ છે. અન્યથા એક જ વ્યક્તિ જુદી જુદી રીતે થિવરાવિલ લખે અને તે પણ પોતાના જ પ્રથાના પ્રારંભમાં—-એમ બનવું સ`ભવ નથી. અને જો તેમ કરે તે એ જુદાપણાનાં કારણ! સ્પષ્ટ દર્શાવ્યા વિના રહે પણ નહિં એવુ કશુ આમાં નથી. બન્ને પ્રથાની વસ્તુ પરંપરાથી જ પ્રાપ્ત છે તે તેવી પર પરા પ્રાપ્ત કરનાર જે એક જ હાય તો પરંપરાભેદ સંભવ નહિ. ભેદ છે એથી સ્પષ્ટ થાય છે કે પર પરા પ્રાપ્ત કરનાર વ્યક્તિએ જુદી હતી અને તેમની ગુરુપરંપરા પણ જુદી હતી. દૈવવાચકના સમય પન્યાસ શ્રી કલ્યાણવિજયજીએ દેવવાચક અને દેવદ્ધિને એક ગણ્યા અને દેવદ્ધિના સમય કલ્પસૂત્રની મહાવીરચરિતની અ ંતિમ પ`ક્તિને આધારે નક્કી કર્યાં. કલ્પસૂત્રમાં જણાવ્યું છે -- 'समणस्स भगवओ महावीरस्स जाव सव्वदुक्खम्पहीणस्स नववाससया इं वक्ता दसमस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ "-- એટલે કે ભગવાન મહાવીરના નિર્વાણુનું આ ૯૮૦મું વર્ષ ચાલે છે.—આ ઉલ્લેખને આધારે દેવને સત્તાસમય આ ઠરે છે.૧૩ અને, તેમણે જ ઉલ્લેખેલ વાચનાંતરને પ્રમાણ માનવામાં આવે તે, ૯૯૩ વીરનિર્વાણુ સંવત્ આવે છે. પં. શ્રી કલ્યાણુવિજયજીએ પોતાના પુસ્તકમાં ત્રણ સ્થવિરાવલિ આપી છે : નદીસ્થવિરાવલિ (પૃ. ૧૨), શાશ્રુતધસ્થવિરાવલિ (પૃ. ૧૨૫) અને વાલ્લભી સ્થવિરાવલિ (પૃ. ૧૨૮). અને એ ત્રણેને સમન્વય સાધીને ૯૮૦ વીરનિર્માણ દેવદ્ધિ ના સમય માન્ય રાખ્યા છે. તેમને મતે દેવદ્ધિ અને દેવવાચકને એક હાઈ દેવાચકના સમય પણ વીરનિર્માણ ૯૮૦ માન્ય ગણાય. પર ંતુ જો આપણે, પ્રથમ કહ્યા પ્રમાણે, બન્નેને ભિન્ન માનતા હાઈએ તે। જુદી સમયવિચારણા કરવી આવશ્યક રહે છે. ' પ. શ્રી કલ્યાણુવિજયજીએ જે વાલની સ્થવિરાવલિની (પૃ. ૧૨૮) નોંધ કરી છે તે તેમણે સ ંશોધિત કરીને આપી છે. સશોધનમાં માત્ર વાંચનાંતર પાને જે તેર વર્ષીને ભેદ છે તેનું નિવારણ કરવા પ્રયત્ન કર્યાં છે. આથી તે કાંઈ આપણી સમય-વિચારણામાં વિશેષ બાધક નહિ અને એટલે એને પ્રમાણુ માનીને ૧૭. શ્રીરનિર્વાળવૃત કૌર નૈનાાળના, પૃ૦ ૧૧૮. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૭ આપણે આગળ વધીએ તો તત્કાલ પૂરતું આપણું કામ સરે છે. આમાં નવા સંશોધનને અવકાશ છે જ એ વસ્તુ અહી સ્પષ્ટ કરવી આવશ્યક છે જ–વલભી સ્થવિરાવલિની નોધમાં અંતે ભૂતદિનનાં ૭૯ વર્ષ અને કાલકનાં ૧૧ વર્ષ છે અને કાલકની સાથે તે સ્થવિરાવલિ પૂરી થાય છે અને અંતે વીરનિર્વાણ ૯૮૧ સુધીમાં કાલકને મલ પૂર્ણ થાય છે. દેવવાચકે જે પરંપરા નદીમાં નેધી છે તે પ્રમાણે ભૂતદિન પછી કાલક નહિ પણ લૌહિત્યને ઉલ્લેખ છે. વાલી સ્થવિરાવલિ પ્રમાણે કાલકનાં ૧૧ વર્ષ છે તે ન ગણીએ તે ભૂતદિન્નને સ્વર્ગવાસ વીરનિર્વાણ ૯૭૨ (વિક્રમ ૫૦૦)માં થયો તે પછી નંદી પ્રમાણે ક્યારેક અથવા તો તરત જ લૌહિત્ય થયા અને તે પછી દૂસગણિ અને દૂસગણિના જ શિષ્ય દેવવાચક છે. એમ પણ બને કે ભૂતદિનને સમય ૭૯ વર્ષ જેટલો લાંબો હોઈ તેમની હયાતિમાં જ તેમના શિષ્ય લૌહિત્ય અને પ્રશિષ્ય દૂસગણિબંને વિદ્યામાન હોય. આથી આપણે દેવવાચકને વીરનિર્વાણ ૯૭૦ (વિક્રમ ૫૦૦થી પણ પહેલાંના માની શકીએ. અને જો તેમ ન બન્યું હોય તોપણ ભૂતદિન્નેના પછીના ૫૦ વર્ષમાં કયારક થયા તેમ માનવામાં તે કશો જ વાંધો આવે નહિ. એટલે કે વીરનિર્વાણ ૯૭૦ + ૫૦ = ૧૦૨૦ (વિ. ૫૫૦). પહેલાં ક્યારેક અથવા તે વિક્રમ ૫૦૦ થી માંડી પપ૦ સુધીમાં તેઓ કયારેક થયા એમ માની શકાય. પણ આ વિચારણની સત્યતાને આધાર ઉક્ત વાલજી વિરાવલીમાં શ્રી ૫. કલ્યાણવિજયજીએ આપેલા વર્ષોની સચ્ચાઈ ઉપર રહે છે. એટલે આ પ્રશ્રને આપણે બીજી રીતે પણ તપાસ જદુરી છે. દેવવાચકના સમયની વિક્રમ ૫૫૦ એ અંતિમ અવધિ ગણવી જોઈએ; એથી વહેલાં પણ તેઓ થયા હોય એવી શક્યતા છે જ. તેમની આ અંતિમ અવધિન સમર્થન આચાર્ય જિનભદ્રનું વિશેષાવશ્યક પણ કરે છે. કારણ, તેમાં નંદીના ઉલ્લેખ આવે છે. કે આચાર્ય જિનભદ્રને સમય વિક્રમ ૫૪૬-૬ ૫૦ લગભગ છે. એટલે કે નદી તેમના વિશેષાવશ્યકલાષ્ય પહેલાં રચાયું હોય એ નિશ્ચિત છે. કેટલું પહેલાં રચાયું હશે એ કહેવું કઠણ છે, પણ ૯૮૦ અગર ૯૯૩ (વિક્રમ પા–પર૩) વીરનિર્વાણુ સંવતમાં આચાર્ય દેવદ્ધિઓ કલ્પસૂત્રનું લેખન સમાપ્ત ૧૪. વિશેષાવશ્યક ગા. ૭૮, ૮૪૪, ૨૯૨૬, સ્વો પક્ષ ટીકા ગા૦ ૫, ૯૭. વ્યવહારભાષ્યમાં નંદીને ઉલેખ છે: ઉદેશ ૭, ગાથા ૩૦૧, ઉદેશ ૬, ગાથા રે ૦૬. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કય છે એટલે નંદીને સમય એ પૂર્વે જ હવે જોઈએ, કારણ કે નંદીનો ઉલ્લેખ અન્ય અંગ આગમમાં આવે જ છે. આથી એટલી બાબતમાં સંદેહ છે જ નહિ કે નંદીની રચના વિક્સ પર૩ થી પણ પૂર્વે થઈ ગઈ હતી. આવશ્યકનિયુક્તિ અને નંદીમાં પૌવપર્ય કોનું છે તે વિચારવું પણ અહીં પ્રાપ્ત છે. આવશ્યકનિયુક્તિની ગાથા ૧૦૨૦ (દીપિકા)માં એક સાથે નંદી– અનુયેગારને ઉલેખ છે; વળી ગા૦ ૧૩૪૬માં તે “સત્ત નં*િ સ્પષ્ટ નિર્દિષ્ટ છે. આવશ્યકનિયુક્તિ પરંપરા પ્રમાણે પ્રથમ ભદ્રબાહુકૃત મનાય છે, પણ આંતરિક પરીક્ષણ એ માન્યતાને સમર્થન આપે એમ નથી. એટલે તે બીજા ભદ્રબાહુની કૃતિ કે સંકલન હોય તેમ સંભવે છે. અને દ્વિતીય ભદ્રબાહુ, વરાહમિહિર જેમણે વિક્રમ પ૬રમાં પંચસિદ્ધાંતિકા લખી છે, તેમના સમકાલીન છે. આથી આવશ્યકનિયુક્તિને સમય પણ વિ. સ. પ૬૨ આસપાસ માનીએ તે પણ નંદીની રચના એથી પહેલાં થઈ હશે એમ માનવું જરૂરી છે. ૧૭ આથી અંગ આદિના વલભી લેખનકાળને ધ્યાનમાં લઈએ તો પૂર્વોક્ત રીતે વિક્રમ સંવત ૧૨૩ પહેલાં નંદી રચાયું એમ માનવામાં કશી બાધા આવતી નથી. નંદીસૂત્રમાં જ્યાં મિથ્યાશ્રુત ગણાવ્યાં છે ત્યાં જે સૂચી છે તે પણ તેના સમય વિષે પ્રકાશ પાડે છે. ઉપરાંત, તે કાળે અજૈન ગ્રંથે ક્યા વિશેષ પ્રતિષ્ઠિત હતા તેને પણ ખ્યાલ આપે છે. તેમાં નિર્દેશલ ગ્રંથોમાંથી એક માત્ર ભાગવયં (ભાગવત) એવો ગ્રંથ છે, જે વિક્રમની પાંચમી સદી પછીને છે. સંભવ છે કે તેની પ્રતિષ્ઠા વધી ત્યારે તેનું નામ અહીં કયારેક ઉમેરી દેવામાં આવ્યું હોય. એ નામ બધી પ્રતમાં મળતુ નથી, માત્ર અહી ઉપયોગમાં લેવાયેલી બે જ પ્રતામાં મળે છે, તે પણ સિદ્ધ કરે છે કે તે નામ પછીથી ઉમેરાયું છે. વળી, એક બીજી પણ સમસ્યા સમાધાન માગે છે. એક તરફ આવશ્યમનિયુક્તિમાં નંદી-અનુયોગનો ઉલ્લેખ છે તે બીજી તરફ આપણે આગળ જોયું તે પ્રમાણે, આવશ્યકનિયુક્તિગત ઘણી ગાથાઓ નદીમાં મળી આવે છે. તો તેનું શું સમાધાન છે ? એક સમાધાન એવું કરી શકાય કે જે દેવવાચકે જ તે ગાથાઓ લીધી હોય તે દિતીય ભદ્રબાહુકૃત મનાતી નિયુક્તિમાં કાંઈ બધી ગાથાઓ ૧૫. ” ભગવતી સૂ૦ ૩૧૮, ૩૨૨, ૭૩૨, સમવાયાંગ સૂત્ર ૮૮ ૧૬ 'બૃહત્કલ્પ ભાષ્ય, છઠા ભાગની પ્રસ્તાવના પૃ. ૫ થી. ૧૭. અહી એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે નંદીમાં આવતી આવશ્યક નિર્યુક્તિની ગાથાઓ એ પ્રાચીન પરંપરાપ્રાપ્ત ગાથાઓ માનવી જોઈએ. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ તેમની જ રચેલી છે એવું નથી; પ્રાચીન નિયુક્તિની ગાથાઓ પણ દ્વિતીય ભદ્રબાહુએ તેમાં સમાવિષ્ટ કરી જ લીધી હશે અને તેમાંની જ ગાથાએ પ્રસ્તુત નંદીમાં લેવામાં આવી હોય. અને બીજુ સમાધાન એ હોઈ શકે કે સ્વયં નંદીમાં, આપણે આગળ જોયું તે પ્રમાણે, કેઈએ ઉપયોગી સમજીને તે તે ગાથાઓ ક્યારેક મુકી દીધી હોય; સ્વયં દેવવાચકે તે ગાથાઓને સમાવેશ પોતે ન પણ કર્યો હોય. આથી વિક્રમ સં પર૩ થી પહેલાં દેવવાચકધારા નદીની રચના કયારેક થઈ ગઈ હતી એમ માનવામાં તે અત્યારે કશી બાધા જાણતી નથી. (મહાવીર વિદ્યાલયની આગમગ્રન્થમાળા ભાગ-૧માં ત્રણ નામે પ્રકાશિત પ્રસ્તાવનામાંથી મારા દ્વારા લિખિત અંશ અહીં ઉદ્ધત છે–દ. મા.). Page #361 -------------------------------------------------------------------------- ________________ Page #362 -------------------------------------------------------------------------- ________________ અનુગદ્વાર અનુયાગનું મહત્વ પ્રસ્તુત ભાગમાં નંદીસૂત્ર પછી અનુયોગદ્વાર લેવામાં આવ્યું છે. વાચનાના પ્રારંભમાં પાંચજ્ઞાનરૂપ નંદી મંગળરૂપે છે તે અનુયેગઠારસૂત્ર સમગ્ર આગમને અને તેની વ્યાખ્યાને સમજવાની ચાવી રૂપ છે. આથી સહજ રૂપે આ બને આગમોનું જોડકું બની ગયું છે. આગમોના વગીકરણમાં તે બન્નેનું સ્થાન ચૂલિકા વર્ગમાં છે. તેથી જેમ મંદિર તેના શિખરથી વિશેષ શોભા પ્રાપ્ત કરે છે, તેમ પ્રસ્તુત નદી-અનુયોગકારરૂપ શિખરવડે આગમંદિર શોભાને પામે છે. અનુગારના પ્રારંભમાં કહેવામાં આવ્યું છે કે આવશ્યકશ્રુતનો અનુગ અહીં પ્રસ્તુત છે. આ વાંચી એમ લાગે કે આમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યા - હશે. પરંતુ સમગ્ર ગ્રંથ વાંચ્યા પછી એક બાબત સ્પષ્ટ થાય છે કે આમાં આવશ્યસૂત્રની વ્યાખ્યા કરવામાં આવી નથી, પણ અનુગનાં દ્વાર એટલે કે વ્યાખ્યાનાં દ્વારે, ઉપક્રમ આદિનું જ વિવેચન કરવામાં આવ્યું છે. રવિચનની કે વ્યાખ્યાની પદ્ધતિ કેવી હોય તે દર્શાવવા આવશ્યકને દૃષ્ટાંત તરીકે લીધું છે એમ સન જવું જોઈએ. સમગ્રમાં માત્ર આવશ્યકશ્રુતસ્કંધાધ્યયન-એ ગ્રંથનામની વ્યાખ્યા, આવશ્યકનાં છ અધ્યયનના પિંડાથને–અર્વાધિકારને નિર્દેશ, આવ. શ્યકનાં અધ્યયનનાં નામોને નિર્દેશ અને સામાયિક શબ્દની વ્યાખ્યા–આટલું જ માત્ર સમજાવવામાં આવ્યું છે. આવશ્યકસૂત્રનાં પદોની વ્યાખ્યા વિષે કશું જ કહેવામાં આવ્યું નથી. એ ઉપરથી નિશ્ચિત થાય છે કે અનુગદ્વાર એ મુખ્યરૂપે અનુગનાં–વ્યાખ્યાકારોનું નિરૂપણ કરતે ગ્રંથ છે, નહિ કે આવશ્યક સૂત્રની વ્યાખ્યા કરતે. તેમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યાની જે પ્રતિજ્ઞા કરી છે તે વ્યાખ્યા માટે નિદર્શન–દષ્ટાંત માત્ર છે. આથી કહી શકાય કે અનુગદ્વાર એ આગમવ્યાખ્યાની પદ્ધતિનું નિરૂપણ કરતે ગ્રંથ છે. આથી તેનું નામ જે અનુગદ્વાર પ્રસિદ્ધ છે તે પણ સાર્થક છે. કારણ કે તે વ્યાખ્યાનાં દ્વારેનું જ નિરૂપણ કરે છે નહિ કે આવશ્યકસૂત્રના પદોનું. આથી આ ગ્રંથ સૂત્રનું સ્થાન લીધું. કેઈ પણ એક ગ્રંથની ટીકા તરીકે આ ગ્રંથ ન ઓળખાય તેની પાછળનું રહસ્ય પણ એ જ છે કે એ આવશ્યકની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા કરે છે છતાં તે તેની વ્યાખ્યા કરતું નથી. આગમાં અંગે પછી સર્વાધિક મહત્ત્વ આવશ્યકસૂત્રને આપવામાં આવ્યું છે, કારણ કે તે સૂત્રમાં નિરૂપિત સામાયિકથી જ શ્રમણુજીવનને પ્રારંભ થાય છે. १. इमं पुण पडवणं पडुच्च आवस्सगस्स अणुओगो-सू. ५ । Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ અને પ્રતિદિન અને સંધ્યા ટાણે શ્રમણુજીવનની જે આવશ્યક ક્રિયા છે તેની શુદ્ધિનુ અને આરાધનાનું નિરૂપણ એમાં કરવામાં આવ્યું છે. તેથી ગાના અધ્યયન પહેલાં પણ તેનું અધ્યયન જરૂરી બન્યુ છે. અને એ જ કારણે આવશ્યકસૂત્રની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા પુસ્તકમાં કરવામાં આવી છે. વ્યાખ્યા તરીકે એમાં ભલે સમગ્ર ગ્રંથની વ્યાખ્યા ન હોય અને માત્ર ગ્રંથનાં નામનાં પદોની જ વ્યાખ્યા હાય, પણ ખરી રીતે વ્યાખ્યાની જે પદ્ધતિ તેમાં અનુસરવામાં આવી છે તે જ સમગ્ર આગમાની વ્યાખ્યામાં અપનાવવામાં આવી છે. એમ કહી શકાય કે આવશ્યકની વ્યાખ્યા કરવાને બહાને ગ્રંથકારે તેમાં સમગ્ર આગમાને સમજવાની ચાવી. મૂકી દીધી છે. આચાય જિનભદ્રે પોતાના વિશેષાવશ્યકભાષ્યમાં માત્ર આવશ્યકના પ્રથમ અધ્યયન સામાયિકની જ વ્યાખ્યા કરી છે. પણ તે વ્યાખ્યા પર પરાએ પ્રસ્તુત અનુયાગની પણ છે. તેના મહત્ત્વ વિષે તેમણે પોતાના ભાષ્યમાં કહ્યુ છે— सत्राणुयोगमूलं भासं सामाइयस्स सोतूणं । होति परिकम्मियमती जोग्गो सेसाणुयोगस्स || અર્થાત્——સ અનુયોગના મૂળ જેવું આ સામાયિકનું ભાષ્ય સાંભળીને શ્રેાતાની બુદ્ધિને સંસ્કાર થાય છે અને તે બાકીના અનુયાગને સમજી શકવા સમર્થ બને છે. આમ આ અનુયાગનું મહત્ત્વ હાઈ અનુયોગદ્દાર સૂત્રને ન દીસૂત્ર સાથે પ્રથમ ભાગમાં લેવામાં આવ્યું છે. અનુયાગ શબ્દના અ આચાર્ય શ્રી જિનભદ્રગણિએ અનુયાગ શબ્દની સમજ આ પ્રમાણે. આપી છે— - अणुयोजणमणुयोगो सुतस्स णिएण जमभिधेयेणं । वावारो वा जोगो जो अणुरुवोऽणुकूलो वा ॥ ८३६ ॥ अणु० गाहा । आह - अनुयोग इति कः शब्दार्थ : ? उच्यते - श्रुतस्य स्वार्थे अनुयोजनमनुयोगः । अथवा [अगो: - ] सूत्रस्य स्वाभिधेयव्यापारो योगः । अनुरूपोऽनुकूलो [ના] યોગોનુયોગઃ | ૮૩૬ ॥ ૨. સામાયાન વસંનિ” મળવતીસૂ .૧૨; સામારૂ...ચોર્ટ્સ પુષ્ત્રાર્ડ भगवती सूत्र ६१७ । “सामाइयमातीयं सुतणाणं जाव बिंदुसांराओ - आवश्यक निर्युक्तिगाघा ९३ ९. विशेषा • स्वो० गा० ११२३ । विशेषा० हे० टी० गा० ११२६ । જુઓ—જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ, પ્રસ્તાવના, પૃ૦ ૫૫. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ अधवा जमत्थतो थोव पच्छभावहि सुतमणुं तस्स ।। - अभिधेये वावारो जोगो तेणं व संबंधो ॥ ८३७ ।। अध० गाहा । अथवाऽर्थतः पश्चादभिधानात् स्तोकत्वाच्च सूत्रम् अनु, तस्याभिधेयेन योजनमनुयोगः । अणुनो वो योगोऽणुयोगः, अभिधेयव्यापार इत्यर्थः ।।८३७॥ –ોપારિ-વિરોધ આનો સારાંશ એ છે કે શ્રુત=શબ્દને તેના અર્થ સાથે વેગ તે અનુયેગ. અથવા સૂત્રને પિતાના અર્થ વિષે જે અનુરૂપ કે અનુકૂળ વ્યાપાર તે અનુગ, એટલે શબ્દને કે સૂત્રને યથાયોગ્ય અર્થ કરી આપવાની પ્રક્રિયા તે અનુગ છે. અનુગ શબ્દનું પ્રાકૃતરૂપ અનુક્યા છે. અણુ શબ્દનો અર્થ તે ક–થોડું એવો થાય અને અનુ એટલે પશ્ચાત પણ થાય. સૂત્ર – શબ્દ અર્થ કરતાં અણુસ્તક છે તેથી તે આણુ કહેવાય અને વકતાના મનમાં અર્થ પ્રથમ આવે છે અને પછી તેના પ્રતિપાદક શબ્દ પ્રયોગ થાય છે અથવા કહો કે ભગવાન મહાવીરે પ્રથમ અર્થનો ઉપદેશ આપ્યો અને પછી ગણધરે સૂત્રરચના કરી એટલે સૂત્ર = શબ્દ અર્થથી પશ્ચાત પછી છે આથી સૂત્ર અનુ કહેવાય. અને એ અનુ = શબ્દને અર્થ સાથે યોગ તે અનુગ અથવા અનુ = આણુ = સૂત્રને જે વ્યાપાર = અર્થ પ્રતિપાદન તે અનુગ કહેવાય. તાત્પર્ય એટલું જ છે કે શબ્દની વ્યાખ્યા કરવાની પ્રક્યિા તે અનુગ છે. આ જ વસ્તુનું સમર્થન બૃહત્કલ્પભાષ્યમાં પણ અનુગની વ્યાખ્યામાં (બુ. ભા. ગા. ૧૯૦–૧૯૩) કરવામાં આવ્યું છે. તેમાં શિષ્યની શંકા છે કે શબ્દ કરતાં અથનું બહુત કેમ મનાય ? જેમ પેટીમાં ભરવાની ચીજો કરતાં પેટી મોટી હોય તેમ પેટી જેવું સૂત્ર છે તે તે અર્થથી અણુ કેમ? વળી, પ્રથમ શબ્દ અને પછી તેને અથ છે, કારણુ, સૂત્ર વિના અર્થ કેને ? લોકમાં પણ પ્રથમ સૂત્ર જ મનાય છે અને પછી તેનો અર્થ વૃત્તિ-વાતિક આદિપે છે. આના ઉત્તરમાં આચાયે જણાવ્યું છે કે – अत्थं भासइ अरिहा तमेव सुत्तीकरेंति गणधारी । अत्थं च विणा सुत्तं अणिस्सियं केरिसं होज्जा ? ॥ १९३ ॥ વળી ટીકાકારે ખુલાસે કર્યો છે કે પેટીને એમાં ભરવાની વસ્તુ કરતાં મોટી કહી તે પણ બરાબર નથી, કારણ કે એ જ પેટીમાં વસ્ત્ર ભર્યા હોય તો એકાદ તેમાંથી કાઢીને અનેક પેટીઓને તે વડે બાંધી શકાય છે. તેમ એકાદ અને આધારે અનેક સૂત્રેની રચના થઈ શકે છે. તેથી સૂત્ર કરતાં અર્થની મહત્તા છે જ રૂ. “સૂત્રં તુ સૂનાર તનસુવ્યવથોઃ ” હેમ-અનેકાથસંગ્રહ ૨, ૪૮૧. સૂત્રે સૃજનત_” અભિધાનચિંતામણિ-૨૫૪. - - - - - - - Page #365 -------------------------------------------------------------------------- ________________ યદ્યપિ ભતૃહરિએ “સર્વ ફરે પ્રતિષ્ઠિતમ્' (વા. ૧–૧૨૪) કહીને શબ્દનું માહાસ્ય વધાર્યું છે; પણ નિરુક્તને ટીકાકાર દુગે ઠીક જ કહ્યું છે કે અર્થ એ પ્રધાન છે અને શબ્દ તે અર્થ માટે છે– “અર્થો દિ પ્રધાન, તાઃ રાઃ ” પૃ. ૨ અને વ્યાકરણથી શબ્દના સ્વરૂપનું જ્ઞાન થાય છે, પણ નિરુક્તથી તે તેના અથના નિર્વચનનું પરિજ્ઞાન થાય છે—“થા સ્ત્રાવરિજ્ઞાન સર્વરાપુ, પર્વ રક્વાનિર્વચનપરિણાને નિtત'– રૂ. અને જ્યાં સુધી શબ્દાર્થનું નિવચન થયું ન હોય ત્યાં સુધી તેની વ્યાખ્યા સંભવતી નથી“ રાશિ મન્ના થાતથ શુતિ g. રૂ, માટે નિરુક્ત એ વ્યાકરણદિ બધાં અંગોમાં પ્રધાન છે. વેદના અર્થો સંભવે જ નહિ એવો એક પક્ષ હતું તેનું નિરાકરણ નિરક્તકારે કર્યું છે અને વેદના અર્થોનું નિરૂપણ કર્યું છે (નિરુક્ત, દુગ ટીકાપૃ. ૮૬, ૯૨). વેદની વ્યાખ્યામાં નિરુક્ત જે ભાગ ભજવે છે તે જ ભાગ જૈન આગમની વ્યાખ્યામાં નિયુક્તિ ભજવે છે. શબ્દોનું નિર્વાચન કરવામાં નિરુત કે નિયુક્તિમાં એક જ બાબતનું મુખ્ય ધ્યાન રાખવામાં આવ્યું છે કે અભિપ્રેત અને તે તે શબ્દના નિવચન દ્વારા સિદ્ધ કરવો. અનુગના પર્યાયે સ્થવિર આર્ય ભદ્રબાહુ સ્વામીએ અનુગના પર્યાય નીચેની ગાથામાં જણુવ્યા છે– अणुयोगो अणियोगो भास विभासा य वत्तियं चेव । एते अणुओगस्स तु णामा एगहिया पंच ।। (વ૦ વિ૦ ના ૨૨૬, વિર૦ ૨ ૨૮૨, ૦ ૨૮૭) અર્થાત અનુગ, નિયોગ, ભાષા, વિભાષા અને વાતિક એ પર્યાય છે. અને તે બધાનું વિવરણ આચાર્ય શ્રી જિનભદ્રગણિએ વિશેષાવશ્યકભાષ્યમાં અને સંઘદાસગણિએ બૃહત્કલ્પભાષ્યમાં કર્યું છે, અનુગવિષે પૂર્વમાં વિવરણ કર્યું જ છે એટલે નિવેગ આદિ વિષે વિચાર કરીએ. બૃહકલ્પમાં નિગની વ્યાખ્યા આ પ્રમાણે છે – अहिगो जोगो निजोगो जहाऽइदाहो भवे निदाहो ति । અન્ય નિયત સુરં પસંવર્ વર્ષ નો મુવ –ગા. ૧૯૪ ૪. “અણુયોગનું રૂપાંતર “અણિયોગ” એવું પણ મળે છે–વિશેષા સેવા ગા૦ ૧૩૬ ૧. તથા ધવલામાં ઉદ્ધત પ્રસ્તુત ગાથામાં પણ પાઠ છે. ધવલા, ભા. ૧, પૃ. ૧૫૪. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ આને સારાંશ એ છે કે સૂત્રમાં જ્યારે અ જોડવામાં આવે ત્યારે તેનું મૂલ્ય વધી જાય છે, તેથી તેવા અને યોગ નિયેાગ કહેવામાં આવે છે. કેવલ સૂત્ર કે કેવલ અ`નુ` એટલુ` મૂલ્ય નથી જેટલુ સૂત્ર સાથે જોડાયેલ અથ'નું છે; એટલે કે જ્યા બને ભેગા થાય ત્યારે મહત્ત્વ છે. કારણ કે તેમ થવાથી મૂત્રનું હા પ્રકટ થાય છે અને તેથી તેના ફળ રૂપે ચારિત્રની પ્રસૂતિ થાય છે, જેથી મેાક્ષ મળે છે. ગાય સાથે વા ું જોડવામાં આવે ત્યારે દૂધ મળે છે તેના જેવું આ છે. અથવા તો રાજાએ લખી આપેલ કાગળનું મૂલ્ય જો તેમાં તેની મુદ્રા હોય તે જ છે અન્યથા નથી. તેમ સૂત્રનુ મૂલ્ય અનું જોડાણુ તેમાં હોય તે જ છે, અન્યથા નથી. ~મુ ગા॰ ૧૯૫ गा० १४१७ આચાર્ય શ્રી જિનભદ્રે પણ નિયેાગની વ્યાખ્યા કરી છે. તે આ પ્રમાણે છે— णियतो व णिच्छितो वाऽधिओ व जागो मतो णिओगोत्ति આમાં નિ'ના એ અથ કરવામાં આવ્યા છે: નિશ્ચિત અને અધિક. ભાષાનું વિવરણુ બૃહત્કલ્પમાં કરવામાં આવ્યું છે કે पडिसद्दगस्स सरिसं जो भासइ अत्थमेगु सुत्तस्स – गा० १९६ અર્થાત્ જેમ પર્યંતની ગુફામાં શબ્દ એલીએ અને તેના તેના જેવા જ સામે પડધે પડે છે, તેમ સૂત્રના શબ્દને અનુસરીને એક જ અર્થ કરવા તે ભાષા કહેવાય. આચાર્ય શ્રી મલયગિરિએ ભાષાનાં ઉદાહરણા આ પ્રમાણે ટાંકયાં છે " समभावः सामायिकम् । द्वाभ्यां बुभुक्षया तृषा चाssगलितो बालः । पापात् डीन :- पलायितः पण्डितः, अथवा पण्डा - बुद्धिः सा सग् जाताऽस्येति पण्डितः । साधयति मोक्षमार्गमिति साधुः । यतते सर्वात्मना संयमानुष्ठानेष्विति यतिः ५० ॥० ૧૯૬. ઉપરના અર્થમાં બાલ શબ્દ પ્રાકૃત છે- -ત્રિ + આત્ય = વાજ અને બાકીના શબ્દોમાં સંસ્કૃતપ્રાકૃતમાં કશેા જ ફેર પડતા નથી. પણ આચાર્યશ્રી જિનભદ્રે ભાષાની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે— भासा बत्ता वाया सुयवत्तीभावमित्तयं सा य । —વિશેષા૦, ૧૪૧૮ અર્થાત્ વ્યક્તવાણીને ભાષા કહેવાય છે. એટલે સૂત્રને વિવરણ વિના માત્ર અ અતાવી વ્યક્ત કરવું ભાષા છે. ભાષાપાં સૂત્રને સંપૂર્ણ રીતે વિવરણ કરીને અર્થ કરવામાં આવતા નથી. તે કા` તા વિભાષા અને વાતિ કનું છે. વિભાષાનું વિવરણ બૃહત્કલ્પમાં આ પ્રમાણે છે— "गप उ दुगाई जो अत्थे भणइ सा विभासा उ" Page #367 -------------------------------------------------------------------------- ________________ ૪૬ અર્થાત્ એકપના અનેક સ`ભવિત અર્થાં જે વ્યાખ્યામાં કરવામાં આવે તે વિભાષા છે, જેમકે પ્રાકૃત આસ = અશ્વ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે વિભાષામાં થાય છે— “અસફ્ ય મનુ ય ધાવરૂ ન ય સમ્મર તે આસો ૩||”—મૃ૰ ગા૦ ૧૯૮ ટીકાકારે જણાવ્યું છે—માશ્રીતિ અશ્રઃ ર્િ વા આખ્યુ થતિ ન ૨ શ્રામ્યતીતિ અશ્વઃ ।'' આચાર્ય શ્રી જિનભદ્રે પણ વિભાષાની વ્યાખ્યા એ પ્રમાણે જ કરી છે विविधा विसेसतो वा होति विभासा दुगातिपज्जाया । ધ સામર્થ્ય સમો તેમાયો વા સમયે વા ! ~વિશેષા૦, ૧૪૧૯ આમાં સામાયિકશબ્દના વિવિધ અર્થાની ચર્ચા છે. — વાતિક વિષે ગૃહપમાં કહેવામાં આવ્યુ છે“અર્થ પુન્નધર સમત્તમો વિમસેફ !'' મુ ગા॰ ૧૯૯ પૂર્વધર સૂત્રને જે અથ સમગ્રભાવે વણુવે છે તે વાતિક છે. એટલે કે સૂત્રને એવે! એક પણ અથ બાકી નથી રહેતા જે વાતિકમાં કહેવામાં આવ્યા ન હોય. આચાર્યં શ્રી જિનભદ્રે વાતિ કનું વિવરણ આ પ્રમાણે કર્યું છે वित्तीय वक्खाणं वत्तियमिह सव्वपज्जवेहिं वा । वित्तीतो वा जातं जम्मि व जध वत्तए सुत्ते ॥ વૃત્તિ સૂત્રવિવરણનું પણ જે વ્યાખ્યાન કરવામાં —વિશેષા૰, ૧૪૨૦ આવે તે વાતિક છે અર્થાત્ ટીકાની પણ ટીકા તે વાતિક છે. અથવા તા સવપર્યાયે। વડે જે વ્યાખ્યાન તે પણ વાતિક છે. અથા તે વૃત્તિથી જેની ઉત્પત્તિ છે તે, અથવા તે સૂત્રમાં જે પરંપરાથી વ્યાખ્યા હોય તે વાતિક છે. વાતિ કકારની વિશેષતા બૃહત્કલ્પ અને આચાર્ય શ્રી નિભદ્ર અને વવે છે. બૃહત્કલ્પ ભાષ્યમાં સૂચવ્યા પ્રમાણે તે પૂધર હોય એ તે આપણે પ્રથમ જોઈ ગયા છીએ. ઉપરાંત, તેમાં જણાવ્યુ` છે કે જે સમયે જે યુગપ્રવર-યુગપ્રધાન હોય તેમની પાસેથી જેણે વિવરણ ગ્રહણ કર્યુ હાય તે વાતિ કકાર બની શકે છે. ભગવાન શ્રી ઋષભ અને શ્રી મહાવીર વચ્ચે શરીર આદિના પ્રમાણમાં ઘણા તફાવત છે તેા તે તેનુ જ્ઞાન સરખું કેમ હાય ? એવી શંકાનું પણ સમાધાન કરવામાં આવ્યું છે કે શરીરપ્રમાણ વગેરેમાં ભલે ભેદ હાય, પણ તેમનાં ધૃતિ, સંહનન અને કૈવલજ્ઞાનમાં તેા કશા જ ભેદ નથી. તેથી બંને સરખી રીતે જ વિવરણ કરવા સમથ છે.- મૃ॰ ૨૦૧-૨૦૩. ત્યારે સહજ પ્રશ્ન થાય કે તે શુ દ્વાદશાંગમાં આદિશ્રુત જે કાંઇ છે તે બધું જ નિયત છે કે એમાં કાંઈ ભેદ પડે છે ? આના ઉત્તરમાં જણાવ્યુ` છે કે જ્ઞાતાયનમાંના ઉદાહરણા, ઋષિભાષિત અને પ્રકી ક—આમાં તે તે કાળે બનતી ઘટનાએને સમાવેશ સભવિત હોવાથી Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ ભેદ પડે ખરે, પણ બાકીનું તે બધુંય પ્રાયઃ નિયત છે, જે શ્રી કષભ અને શ્રી મહાવીરનું સરખું જ છે.– ૨૦૪. આચાર્ય શ્રી જિનભદ્ર પણ ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની = પૂર્વધરને વાતિકકાર કહે છે અને એમ પણ કહે છે કે જે કાળે જે યુગપ્રધાન હોય છે અથવા તો તેની પાસેથી જે શીખેલ હોય તે વાતિકકાર બની શકે છે–વિશેષા. ૧૪૧. આચાર્ય શ્રી જિનભટ્ટે એમ પણ કહ્યું છે કે અનુગાચાયે જે વ્યાખ્યા કરી હોય હોય તેથી ન્યૂન કરી શકે તે ભાષક, તેટલી જ કહી શકે તે વિભાષક, પણ જે તેથી પણ અધિક પિતાની પ્રજ્ઞાબળે કરે તે વાતિકકાર કહેવાય.— વિશેષા૦ ૧૪૨૨. અનુગના પર્યાની ઉપર કરેલી વિચારણુ એ સિદ્ધ કરે છે કે પ્રસ્તુતમાં પર્યાયે સર્વથા એકાઈક નથી, પણ અનુગના જે વિવિધ પ્રકારે છે તેને પણ પર્યાય ગણવામાં આવ્યા છે. તેથી એમ કહી શકાય કે સામાન્ય રૂપે એ પર્યાય એક જ (અર્થાત્ શબ્દની વ્યાખ્યા કે સૂત્રની વ્યાખ્યા એવો અર્થ ધરાવે છે, પણ તે બધામાં પિતાની આગવી વિશેષતા છે જ. તેથી તે પર્યાયે એટલે અનુયોગના વિવિધ પ્રકારો છે. વિશેષો છે. એટલે કે અનુયેગ રૂપ દ્રવ્યઅર્થના તે વિવિધ પર્યા, પરિણામ, વિશેષ છે, વ્યાખ્યા કરવાના વિવિધ પ્રકારે છે. અહીં આચાર્ય હેમચન્દ્ર સૂત્રાદિની જે વ્યાખ્યા આપી છે તે તુલનીય છે– सूत्र सूचनकृद् भाष्यं सूत्रोक्तार्थप्रपञ्चकम् । प्रस्तावस्तु प्रकरणं निरुक्तं पदभजकम् ।। २५४ ।। उक्तानुक्तदुरुक्तार्थचिन्ताकारि तु वार्तिकम् ।। टीका निरन्तरख्याख्य। पंजिका पदभंजिका ॥ २५६ ॥ –અભિધાનચિત્તામણિ-દૈવકાંડ વાચસ્પત્યમાં ભાષ્યનું લક્ષણ ઉદ્ધત છે તે આ પ્રમાણે છે-- - “સૂત્રાશે વાતે યત્ર ઃ સૂત્રાનુarfઉમિઃ | स्वपदानि च वर्ण्यन्ते भाष्य भाष्यविदो विदुः" ।। સ્થવિર આર્ય ભદ્રબાહુ સ્વામીએ (આવ. નિ. ગા. ૧૩૦, વિશે. ૧૪૨૩) કાષ્ઠકમ આદિ અનેક ઉદાહરણો વડે ભાષા, વિભાષા અને વાતિકની સમજ આપી છે અને તેને વિસ્તરાર્થ આચાર્ય શ્રી જિનભ વિશેષાવશ્યકભાષ્યમાં Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કર્યો છે તે રેચક છે (ગા. ૧૪૧૪થી). તેમાંથી એકાદ બે ઉદાહરણો વિષે અહીં પરિચય આપવામાં આવે છે. એક ચિત્ર એવું હોય જે માત્ર આકૃતિ બતાવે; બીજુ એવું કે જેમાં વિવિધરંગે પણ હોય; જ્યારે તીજુ એવું હોય, જે ચિત્રગત વિષયના ભાવોને આબેહૂબ ઉપસ્થિત કરતું હોય તેમ ભાષા, વિભાષા અને વાતિક વિષે છે. ભંડારમાં ભરેલાં રત્નો વિષે કઈ ભંડારી માત્ર એટલું જ જાણે કે તેમાં રહે છે. બીજો કોઈ એમ જાણે કે તે કઈ કઈ જાતિનાં છે અને તેમનું માપ શું શું છે, પણ તીજે તો એવો હોય છે તે રત્નોના ગુણ દોષ આદિ બધી જ બાબતોથી માહિતગાર હેય. ભાષાદિ ત્રણ વિષે પણ આમ જ છે. એક કમળ જરાક વિકસિત હોય, બીજુ અવિકસિત હોય અને તીજુ પૂર્ણપણે વિકસિત હય–આવું જ ક્રમે કરી ભાષા આદિ વિષે છે. અનુગ અને અનનુયોગ નામાદિ સાત પ્રકારનો અનુગ વર્ણવતાં તેનું અનનુયોગથી પાથેય-- એટલે કે અનુયોગ કેવો હોય અને કેવો ન હોય તેનું નિરૂપણ દષ્ટાંત દ્વારા આર્ય ભદ્રબાહુ સ્વામીએ કર્યું છે તે સમજવા જેવું છે--આવ. નિ. ગા૦ ૧૨૮, ૧૨૯; વિશેષાગાત્ર ૧૪૦૯, ૧૪૧૦; બૂ૦ ગા૦ ૧૭૧, ૧૭૨, એ દષ્ટાંતિનું તાત્પર્ય આચાર્ય શ્રી જિનભકે પોતાના વિશેષાવશ્યક ભાષ્યમાં બતાવ્યું છે-- વિશેષા ૦ ૧૪૧૧થી. તેમાં પ્રથમ દૃષ્ટાંત છે ગાય અને વાછડાનું. દૂધ દેહતી વખતે જે અન્ય ગાયનું વાછડુ અન્ય ગાય સાથે જોડવામાં આવે તે ગાય દૂધ તે દેતી નથી, ઊલટું પ્રથમ દોહેલું દૂધ પણ લાત મારી ઢળી નાખે છે અને દેહનારને પણ શરીર પીડા ઊભી કરે છે. તે જ પ્રમાણે જે વ્યાખ્યા કરતી વખતે એક દ્રવ્યના વિષે કહેવામાં આવે તો તેથી છવાદિ દ્રવ્યનું સ્વરૂપ યથાર્થ સમજાતું નથી ધર્મો અન્ય દ્રવ્ય અને પરિણામે ચારિત્રરૂપ દૂધની પ્રાપ્તિ થતી નથી; ઉપરાંત બુદ્ધિભેદ થતાં તે પૂર્વે જે ચરિત્રની પ્રાપ્તિ થઈ હોય તે પણ ગુમાવવી પડે છે અને પરિણામે શરીરમાં રોગાદિની પીડા પણ ઊભી થાય છે. અને છેવટે તે મોક્ષ માગથી પણ ભ્રષ્ટ થાય છે. આ દ્રવ્યના અનrગની બાબતમાં દૃષ્ટાંત છે; જ્યારે તેથી વિપરીત હોય એટલે કે જે ગાયનું જે વાછડું હોય તેને તે જ ગાય સાથે જોડવામાં આવે તે દુધ મળે છે, તેમ છવદ્રવ્યના ધર્મો છવદ્રવ્યમાં અને અજીવ દ્રવ્યના ધર્મો અજીવ દ્રવ્યમાં વર્ણવવામાં આવે તો તે યથાર્થ વ્યાખ્યા થઈ ગણાય. આ દ્રવ્યના અનુગ વિષે દૃષ્ટાંત છે. –વિશેષા ૦ ૧૪૧૧–૧૪૧૫. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૯ આ જ રીતે ક્ષેત્રના અનુયોગ અને અનનુયોગ વિષે કુબ્જાનુ, કાલ વિષે એક સાધુના સ્વાધ્યાયનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે, વચન વિષે એ દૃષ્ટાંતા છે—અધિલ્લાપનુ અને ગ્રામેયકનુ; અને ભાવ વિષે શ્રાવકભાર્યાદિ સાત દૃષ્ટાંતે આપવામાં આવ્યાં છે તેનુ. વિવરણુ મૃ લા ગા॰ ૧૭૧ અને ૧૭૨ની વ્યા ખ્યામાં છે. તથા વિશેષાની આચાર્ય શ્રી હેમચંદ્રકૃત વ્યાખ્યામાં છે.- વિશેષા હેમા ૧૪૧૮, છ અંગમાં અનુયાગની ચર્ચા અગાને જે પરિચય સમવાયાંગ અને નદીમાં મળે છે, તેમાં સત્ર આચારાંગ આદિના પરિચયને અ ંતે તે તે આચારાંગ આદિના ‘સભ્યેય અનુયાગદ્વારા છે' તેવે ઉલ્લેખ મળે છે—સમવાયાંગ-સૂ૦ ૧૩૬-૧૪૭. તે સૂચવે છે કે પ્રાચીન કાળથી જ તે તે મૂળ સૂત્રની વ્યાખ્યાઓ કરવામાં આવી હતી. વળી, દૃષ્ટિવાદના મૂળ પાંચ વિભાગેામાં (મતાંતરે ચાર વિભાગ-સ્થા૦ ૨૬૨) ચોથા વિભાગ અનુયોગને છે. અને તે અનુયોગના મૂલપ્રથમાનુયાગ અને ગ ંડિકાનુયોગ––એવા એ ભેદ કરવામાં આવ્યા છે-- સમ૦ ૧૪૭, નદીસૂ॰ ૧૧૦; જ્યારે દિગ ંબર પરપરા પ્રમાણે પઢમાણિયાગ——એ નામે દૃષ્ટિવાદના તીજો ભેદ છે અને તેને જે વિષય બતાવવામાં આવ્યા છે તે લગભગ એ જ છે જે સમવાય અને નદીમાં અનુયાગના છે (ધવલા ભાગ ૨, પ્રસ્તાવના પૃ. ૫) દૃષ્ટિવાદના પાંચામાં પણ ‘ અનુયાગગત ’ એવા પર્યાય આપવામાં આવ્યા છે (સ્થા ૭૪૨). – સ્થાન ગસૂત્ર (૭૨૭) માં દ્રવ્યાનુયેગના દશ પ્રકાર બતાવવામાં આવ્યા છે. તેમાં તે પ્રકારમાં દ્રવ્યની અનેક પ્રકારે સમજ આપવાના પ્રયત્ન દેખાય છે. આ બાબતમાં પ્રસ્તુત અનુયાગમાં કશું જ કહેવામાં આવ્યું નથી. તેનું કારણ એ જાય છે કે અગનિર્દિષ્ટ દ્રવ્યાનુયેગ તે ચરણકરૂણાનુયાગ આદિ ચાર અનુ યોગમાંના દ્રવ્યાનુયાગસંબંધી છે; જ્યારે પ્રસ્તુત અનુયાગમાં સમગ્રભાવે અનુયાગ વ્યાખ્યાપ્રકારની ચર્ચા છે. તેમાં એકા કાનુયાગ (સ્થા૦૦૨૯) જેવી બાબતનું અનુસરણુ અનુયાગદ્રારમાં જ્યાં તે તે શબ્દના પર્યાયા આપ્યા છે તેમાં જોવા મળે છે. તે ઉપરયા એમ કહી શકાય કે પર્યાયનિર્દેશ એ પણ અનુયાગનુ એક અગ (અનુ॰ સૂ॰ ૨૯, ૧૧, ર) મનાયું છે અને તે પતિનું અનુસરણ પ્રાચીન કાળમાં પણ થતુ હરો, જે આપણને દ્રવ્યાનુયાગના ભેદોમાં તીજા ભેદ રૂપે સ્થાનાંગમાં નિર્દિષ્ટ મળે છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ અનુયોગદ્વારની ઉપક્રમ આદિ મૂળ ચાર દ્વારની સામગ્રી અંગકૃતમાં છે કે નહિ તે તપાસતાં જણાય છે કે સ્થાનાંગમાં ઉપક્રમ શબ્દ આવે છે અને ત્યાં તેને અર્થ ઉપાયપૂર્વક આરંભ એ થાય છે. ઉપક્રમના ત્રણ ભેદ–ધાર્મિક, અધાર્મિક અને મિશ્ર, અથવા આત્માપક્રમ, પરાક્રમ અને ઉભયપક્રમ છે (સ્થા. ૧૮૮). ઉપક્રમે શબ્દ અનુયોગમાં પણ આ અર્થને અનુસરે છે. અનુયોગધારવણિત નામાદિનિક્ષેપોની ચર્ચા અંગે ભેદ એટલો છે કે ત્યાં દ્રવ્યને સ્થાને આદેશ' શબ્દ પ્રયોગ છે. અને “ભાવ” શબ્દને પ્રયોગ ન કરતાં તે દ્વારા પ્રસ્તુત માં વિરક્ષિત સર્વશનું “નિરવશેષ એવું તાત્પર્ય બતાવ્યું છે. સ્થાનાંગમાંથી એટલી માહિતી મળે છે કે તેમાં “સર્વ' શબ્દના નામાદિ ચાર ભેદો ચાર નિક્ષેપોને અનુસરીને છે (૨૯૯). નાની બાબતમાં સમવાયાંગમાં જ્યાં દૃષ્ટિવાદના વિષયની ચર્ચા છે ત્યાં દષ્ટિવાદના એક ભેદ સૂત્રના નિરૂપણપ્રસંગે (સમ. ૨૦, ૮૮, ૧૪૭) કેટલાક નો ઉલ્લેખ છે અને સ્થાનાંગ (સૂ૦ ૫૫૨) માં સાતે નોનાં નામ આપવામાં આવ્યાં છે. ભગવતીસૂત્રમાં દ્રવ્યાર્થતા, ભાવાર્થતા (૭.૨.૨૭૩; ૧૪.૪.૫૧૨; ૧૮.૧૦), અશ્રુચ્છિત્તિનય, બુચ્છિત્તિનય (૭.૩.૨૭૯), દ્રવ્યાર્થતા, જ્ઞાન-દર્શનાર્થતા, પ્રદેશાર્થતા, ઉપગાર્થતા (૧.૮.૧૦), દ્રવ્યાર્થતા અને પર્યાય–(૧૪.૪.૫૧૨), સદ્ભાવપર્યાય–અભાવપર્યાય અને આદેશ (૧૨.૧૦.૪૬૯), દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવ આ ચાર (૨.૧.૯૦; ૫.૮.રરર૦, ૧૧.૧૦.૪૨૦; ૧૪.૪.૫૧૩; ૨૦.૪), ઉપરાંત ગુણ (૨.૧૦), ભવ (૧૯૫૯), સંસ્થાન (૧૪.૭) આ બધી બાબતને લઈને વસ્તુવિચાર કરવામાં આવ્યો છે તે બતાવે છે કે ન વિચારણું અંગરચના કાળે પણ થતી હતી. અને એ બાબતમાં જૈન શ્રતમાં ઠીક ઠીક પ્રગતિ જોવામાં આવે છે. આ ઉપરાંત વ્યવહાર–નિશ્ચયનય દ્વારા પણ ભગવતીસૂત્રમાં વિચારણા થઈ છે (૧૮૬) એ બતાવે છે કે નાની ચર્ચા ભગવાન મહાવીરના કાળથી થતી હતી." આટલી અધૂરી માહિતીને આધારે પણ એમ નિ:શંક કહી શકાય છે કે ભગવાન મહાવીરના સમયથી જ સૂત્રની વ્યાખ્યા કરવાની પદ્ધતિનો–એક વિશેષ પ્રકારની પદ્ધતિન–ક્રમિક વિકાસ થઈ રહ્યો હતો, જેનું પરિપકવ રૂપ આપણને અનુગારમાં જોવા મળે છે. ૫. આ બાબતના વિસ્તાર માટે જુઓ– આગમયુગકા જૈનદર્શન' (લસુખ માલવણિયા)–પૃ૦ ૧૧૪ થી. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ અનુયાગદ્વાર સૂત્રે સ્વીકારેલી વ્યાખ્યા પદ્ધતિ : જેના આગમોની વ્યાખ્યાના પ્રાચીન પ્રકારને જાણવાનું એકમાત્ર સાધન અનુગારસૂત્ર છે. તેથી જે તેની વ્યાખ્યા પદ્ધતિનું સંક્ષેપમાં નિરૂપણ કરવામાં આવે તો આપણને સહજમાં એ ધ્યાનમાં આવે છે કે તે પછીના સમગ્ર જેનાગમટીકા સાહિત્યમાં અનુયેગમાં અપનાવેલી પદ્ધતિનો કેવો આદર થયું છે ? જેન આગમની પ્રાચીન ગ્રૂણટીકાઓને પ્રારંભનો ભાગ જોતાં સમજી શકાય છે કે તે સમગ્ર નિરૂપણમાં એ જ પદ્ધતિ અપનાવવામાં આવી છે, જે અનુયાગદ્વારમાં છે. આ વસ્તુ કેવળ શ્વેતાંબરસંમત જૈન આગમોની ટીકાઓને લાગુ પડે છે એમ નથી, પરંતુ દિગંબરેએ પણ એ પદ્ધતિને અપનાવી છે એનો પુરાવો દિગંબર સંમત પખંડાગમ આદિ પ્રાચીન શાસ્ત્રોની ટીકાઓ પણ આપી જાય છે. આથી એક વાત તે નિશ્ચિત થાય છે કે આ પદ્ધતિનું પ્રચલન ઘણું પ્રાચીન કાળથી હશે અને તેથી જ તે પદ્ધતિ એક સરખી રીતે બને સંપ્રદાયના આગમ અને આગમસમ ગ્રંથની ટીકાઓમાં અપનાવવામાં આવી છે. હવે સંક્ષેપમાં આપણે જોઈએ કે અનુયોગકારગત વ્યાખ્યા પદ્ધતિ કેવી છે– (૧) પ્રથમ પાંચજ્ઞાનનો નિર્દેશ સૌથી પહેલાં મંગળરૂપે પાંચ જ્ઞાનને નિર્દેશ આવે છે અને તેમાંના શ્રુતજ્ઞાન સાથે વ્યાપેય શાસ્ત્રનો સંબંધ બતાવવામાં આવ્યો છે (સૂ૦ ૧-૫). (૨) વ્યાપેય શાસ્ત્રના નામની વ્યાખ્યા પ્રસ્તુતમાં આવશ્યક, ધૃત, અંધ અને અધ્યયન એ પદચ્છેદ કરી ગ્રંથના નામને સમજાવવાની પ્રતિજ્ઞા કરી છે અને ક્રમે કરી છે તે પદોને સમજાવ્યાં છે (સૂ૦ ૬-૯૦), પણ અધ્યયન પદને આ પ્રસંગે સગાવ્યું નથી, કારણ કે અનુયાગમાં ચાર ધારામાંને દ્વિતીય નિક્ષેપ દ્વારના ભેદોમાં એધ નામના ભેદના વિવરણપ્રસંગે અધ્યયન’નું વિવરણ (સૂ૦ ૫૩૫) કરવાનું હોઈ અહીં તેને પુનરુક્તિના ભયે જતું કર્યું છે. આ પ્રકારને ખુલાસે ટીકાકારે કર્યો છે તે ઉચિત જ છે (અનુ. ટી. પૃ૦ ૪૪ ). આ જ વસ્તુ આચાર્ય શ્રી જિનભદ્ર પણ કહી છે.–વિશેષા-૦ ૦ ૨ ૦ ૮૯૮. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩પર (૩) ગ્રંથગત વિષયનું નિરૂપણ પિંડાઈ (સમુદાયાર્થ) રૂપે, જેને અર્વાધિકાર એવું પણ નામ આપવામાં આવ્યું છે. આમાં આવશ્યકસૂત્રનાં છયે અધ્યયનોમાં પ્રતિપાદ્ય વિષયો જે ક્રમે છે તેને નિર્દેશ છે (સૂ) ૭૩). () આવશ્યક સૂત્રનાં સામાયિક આદિ છ અધ્યયનનાં નામ (સૂ) ૭૪). (૫) અનુગદ્વારે છ અધ્યયનમાંથી પ્રથમ સામાયિક નામના અધ્યયનના ચાર અનુયોગકારોને –વ્યાખ્યામાં કારનો–નિર્દેશ કર્યો છે તે છે–(સૂ૦ ૭૫) ૧. ઉપક્રમ; ૨. નિક્ષેપ, ૩. અનુગમ અને ૪. નય આ રીતે પ્રથમ પિંડાથે વર્ણવીને ગ્રંથના અવયવાર્થના નિરૂપણમાં આ ચાર દ્વારે મુખ્ય છે, જેને આધારે ગ્રંથની વ્યાખ્યા કરવાની છે. તેથી એ ચારેય દ્વારનું નિરૂપણ વિસ્તારથી કરવામાં આવ્યું છે. ૧. ઉપક્રમ : પ્રથમ આમાં ઉપક્રમની જ વ્યાખ્યા (સૂ૦ ૭૫–૯૧) નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ધારાવ કરવામાં આવી છે. પ્રસ્તુતમાં તો પ્રશસ્ત ભાવપક્રમ વિવક્ષિત છે, જે ગુરુ આદિને વિનયવડે પિતાને અનુકૂળ બનાવવારૂપ છે (સૂ૦ ૯૧). અને પછી ગ્રંથવિષે ઉપક્રમની બાબતમાં શાં. શા વિષયોનું નિરૂપણ જરૂરી છે, એટલે કે ઉપક્રમમાં કઈ કઈ બાબતો જ્ઞાતવ્ય છે, કે જેનું નિરૂપણ થાય તે ગ્રંથનો ઉપક્રમ થય ગણાય, અને પછી વ્યાખ્યાના બીજા દ્વારા નિક્ષેપની ચર્ચા સરલ થઈ પડે એ દર્શાવ્યું છે. સારાંશ કે ઉપક્રમનું પ્રયોજન છે કે ગ્રંથવિષેની પ્રારંભિક જ્ઞાતવ્ય બાબતોની ચર્ચા ઉપક્રમમાં કરી લેવી, જેથી ગ્રંથગત ક્રમિક વિષયોનો નિક્ષેપ કરવાનું સરલ થઈ પડે. અનુયે.ગમાં તેની પદ્ધતિ પ્રમાણે ઘણું જ વિસ્તૃત વિવરણ છે (સ. ૯૨-૫૩૩), પરંતુ તે. આનપૂર્વઆદિ ઉપક્રમના ભેદોના વિવરણમાં પ્રસ્તુત આવશ્યક સૂત્રનો ઉપક્રમ કેવી રીતે છે અથવા તે પ્રસ્તુત આવશ્યકનાં અધ્યયનોની બાબતમાં આનુપૂર્વ વગેરેને વિચાર કેવી રીતે કરવો તે બતાવવામાં આવ્યું નથી, પણ સામાન્ય સર્વસંગ્રહી ચર્ચા હાથ ધરવામાં આવી છે ફક્ત ઉપક્રમના અર્વાધિકારસૂત્ર (૫૬) માં આવશ્યકના અર્થાધિકારોનું નિરૂપણ કર્યું છે. આથી વસ્તુતઃ આવશ્યક ઉપક્રમ કરવો હોય તો કેવી રીતે કરવો એ જાણવું જરૂરી છતાં તે બાબતનું Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ વિવરણ કરવામાં આવ્યું નથી, તેથી પ્રસ્તુત શું છે તે ધ્યાનમાં આવતું નથી, પણ સામાન્ય સિદ્ધાંતનું જ્ઞાન માત્ર થાય છે. આથી આ બાબતને સ્પષ્ટ કરવા આચાય જિનભદ્રે વિશેષાવશ્યક ભાષ્યમાં ઉત્ક્રમમાં શું શું જરૂરી છે તેને સાર એટલે કે અનુયેાગદ્વારની પ્રસ્તુત ચર્ચા(સ્૦ ૯૨-૫૩૩, સાર ઉપક્રમના સંક્ષેપમાં અધિકારા’~એવા નિર્દેશ સાથે આપી દીધા છે (ગા॰ ૯૧૨–૯૧૬), તેની પ્રસ્તુતમાં ચેજના આ પ્રમાણે છે— ગુરુને અભિપ્રાય પેાતાને અનુકૂળ થાય એવું આચારણ કરવું, જેથી તેઓ પ્રસન્નતાથી વાચના માટે ઉન્નત થાય, આ ભારાપક્રમ છે. (વિશેષા॰ સ્વા॰ ૯૨૪–૯૩૩). ઉપક્રમનેા પ્રથમભેદ આનુપૂર્વી છે. એટલે સામાયિક અધ્યયનની આનુપૂર્વી ના વિચાર કરવા એટલે કે છ યે અધ્યયનેામાં તેનું સ્થાન (ગા ૯૩૪-૯૩૮) શું છે, આગળ અને પાછળથી તથા અન્ય અનેક રીતે ગણીએ તે તેનું સ્થાન કયું ક્યુ આવે તે વિચાર—આ આનુપૂર્વી ને સામાન્ય વિચાર --~~અનુયાગદ્વારમાં અનેક સૂત્રેામાં છે (સ્૦ ૯૩-૨૦૭). ઉપક્રમમાં ખીજું દ્વાર છે નામ (સ્૦ ૨૦૮-૩૧૨). તેની ચર્ચાને સાર. આચાર્ય શ્રી જિનભદ્ર જણાવે છે તે પ્રમાણે, નામના જે શપ્રકારે છે (સ્૦ ૨૩૩) તેમાંથી વિવિધ નામ અહીં વિવક્ષિત છે અને તેમાં પ્રસ્તુત અધ્યયન શ્રુતમાં સમાવિષ્ટ હોઈ તે ક્ષાયેાપશમિક ભાવમાં અંતગ ત સમજવું (ગા૦ ૯૪૦). ઉપક્રમનું તીજું દ્વાર છે પ્રમાણ (સ્૦ ૩૧૩-૫૨૨). તેની પ્રસ્તુતમાં યેાજના એ છે કે વ્યાદિ ચાર ભેદે પ્રમાણુ વિચાર છે. તેમાં પ્રસ્તુત સામાયિક ભાવપ્રમાણમાં (સૂ॰ ૪ર૭) સમાવેશ પામે છે. અને ભાવપ્રમાણમાં પણ જે ગુણપ્રમાણ (સ્૦ ૪૨૮) છે તેમાં સામાયિક જીવને જ્ઞાનગુણ છે. અને તે પ્રત્યક્ષાદિ ચાર (સૂ૦ ૪૩૬) પ્રકારમાંથી આગમપ્રમાણ રૂપ (સ્૦ ૪૬૭) છે અને આગમમાં પણ લેાકેાત્તર આગમમાં સમાવિષ્ટ છે. આગમના અન્ય પ્રકારે ભેદા સુત્તાગમે ઇત્યાદિ પણ થાય છે (સ્૦ ૪૭૦), તેનેા વિચાર કરીએ તેા પ્રસ્તુતમાં સામાયિક સૂત્ર, અ અને તદ્રુભય એ ત્રણે પ્રકારના આગમરૂપ છે (ગા॰ ૯૮૨). અને ગધર ગૌતમના તે ત્રાગમ આત્માગમ છે કારણ કે તેમણે સૂત્રરચના કરી છે. શ્રીજ ખૂઆર્દિ તેમના સાક્ષાત્ શિષ્યને અનંતરાગમ છે અને તે પછીના અન્યને માટે તે પરંપરાપ્રાપ્ત છે (ગા ૯૪૩). અક્ષંગમને વિચાર કરીએ તે સામાયિક તીથ કરને આત્માગમ છે, ગૌતમાદિ ગણધરને અનંતરાગમ અને શેષ શિષ્યપ્રશિષ્યાને પરંપરા પ્રાપ્ત હોઈ પરંપરાગમ છે (ગા૦ ૯૪૪). ર Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પ્રમાણને બીજે ભેદ નયપ્રમાણ પણ છે (સૂ) ૬૨૭, ૪૭૩-૪૭૬): પ્રસ્તુતમાં આચાર્ય શ્રી જિનભદ્દે સ્પષ્ટીકરણ કર્યું છે કે સાંપ્રતકાલમાં નોમાં અવતારણા થતી નથી તેથી એનો વિચાર કરતા નથી. વળી, સુજ્ઞ પુરુષ હોય તે નયાવતાર પણ કરી શકાય છે એવી સૂચના તેમણે આપી છે (ગા. ૯િ૪૫). પ્રમાણન એક સંખ્યા પ્રમાણ નામે પણ ભેદ છે (સૂ૦ ૪૨૭, ૪૭– પર૦). તે વિષે પ્રસ્તુતમાં આચાર્ય શ્રી જિનભદ્રનું સ્પષ્ટીકરણ છે કે નામ આદિ આઠ પ્રકારની સંખ્યામાંથી પરિમાણ સંખ્યા (સૂ૦ ૪૯૩) માંની કાલિક સૂત્ર સંખ્યા અહીં પ્રસ્તુત છે અને સામાયિકને પરિત એટલે કે પરિમિત પરિમાણવાળું સમજવાનું છે (ગા. ૯૪૬). ઉપક્રમને ચે અધિકાર વકતવ્ય વિષે છે (સૂ૦ ૯૨, ૫૨૧-૫૨૫). આનું તાત્પર્ય એવું છે કે પ્રસ્તુતમાં સામાયિકમાં માત્ર સ્વસમયસ્વસિદ્ધાંતની ચર્ચા છે, પરતીર્થિકના કે સ્વ–પર ઉભયના સિદ્ધાન્તની ચર્ચા નથી (ગા) ૯૪૭); અને પરસિદ્ધાન્તની ચર્ચા ક્યાંઈક જેવામાં આવે તે પણ તેને સ્વસિદ્ધાન્તની જ સમજવી જોઈએ, કારણ કે સમ્યગૂદષ્ટિ પુરુષ જે કાંઈ ગ્રહણ કરે છે તે તેને માટે સ્વસમય જ બની જાય છે. કારણ કે સમ્યકત્વ તે અનેક મિથ્યાદર્શનના સમૂહરૂપ છે, તેથી સમ્યગુદષ્ટિને તે પરસિદ્ધાંત પણ સ્વસમયને ઉપકારક હોઈ સ્વસિદ્ધાંત જ બની જાય છે (ગા૯૪૮-૯૪૯). - ઉપક્રમને પાંચમે અધિકાર છે–અર્વાધિકાર (સૂ૦ ૯૨). આપણે પ્રથમ જોયું છે કે અનુયોગમાં ઉપક્રમચર્ચામાં માત્ર અર્થાધિકારપ્રસંગે જ આવશ્યકસૂત્રના છ યે અધ્યયનોના અર્વાધિકાર જણાવી દીધા છે (સૂ૦ ૫૨૬). આચાર્ય શ્રી જિનભદ્ર જણાવે છે કે પ્રથમ અધ્યયનને જે અર્થાધિકાર છે તે સમુદાયાર્થીને એટલે સમગ્રગ્રંથના પ્રતિપાદ્ય વિષયને એકદેશ છે. અને તે સ્વસમય સ્વસિદ્ધાંતને પણ એકદેશ છે (ગા૯૫૦). ઉપક્રમને છઠ્ઠો અધિકાર છે–સમવતાર (સૂ૦ ૯૨). તેના નામાદિ અનેક ભેદ છે (સૂ) પર૭–૫૩૩). સમવતારનું તાત્પર્ય એ છે કે આનુપૂર્વ આદિ જે ધારે છે તેમાં તે તે અધ્યયને વિષેને સમાવતાર કરવો–એટલે કે સામાયિક આદિ અધ્યયનોની આનુપૂર્વી આદિ પાંચ બાબતો વિચારીને યોજના કરવી. આપણે પૂર્વમાં તે પેજનાં સંક્ષેપમાં બતાવી જ છે એટલે સમવતાર વિષે હવે બીજે કઈ વિચાર કરવાનો રહેતા નથી. આ બાબત આચાર્ય શ્રી જિનભદ્ર પણ કહી છે (ગા. ૯૫૧). Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ આ પ્રમાણે આપણે ઉપક્રમ વિષે સંક્ષેપમાં વિચાર કર્યાં, તેને સાર એ છે કે ઉપક્રમમાં પ્રથમ આવશ્યકતા ગુરુતે વિનયઆદિ વડે અનુકૂળ બનાવી લેવા, જેથી પઠન-પાઠનની શુભ શરૂઆત થઈ શકે. ત્યાર પછી ગ્રંથના અવયવાર્થ ના અધ્યયનેાના અને વિચાર થાય તેમાં પ્રસ્તુત અધ્યયનના ક્રમ નિશ્ચિત કરવા માટે આનુપૂર્વી વિચાર છે. ક્રમ નિશ્ચિત થયા પછી તેનાં નામ= તેનેા ભાવ=તેના તાપનુ જ્ઞાન જરૂરી છે. એ જાણ્યા પછી એ બાબતને વિચાર કરાય કે તે દ્રવ્ય, ગુણ કે ક—ક્રિયા છે. તેને નિશ્ચય થાય એટલે તેને દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ એ ચાર પ્રકારના પ્રમાણને આધારે નિણૅય કરવા જરૂરી છે. તેમાં તેનું પ્રમાણ એટલે કે પરિમાણને નિશ્ચય મુખ્ય છે, તે પછી તેનુ વક્તવ્ય સ્વસંમત છે કે તે પરસિદ્ધાંતનું નિરૂપણ કરે છે તેનુ સ્પષ્ટીકરણ થાય છે, એ થયા પછી પ્રસ્તુત અધિકારો—પ્રતિપાદ્ય વિષયા——કયા કયા છે તેનું નિરૂપણ્ કરવામાં સુગમતા રહે છે. આનુપૂર્વી આદિના અનેક ભેદમાં પ્રસ્તુત વિષયનુ કયાં કેવું સ્થાન છે તેની યેાજના તે સમવતાર કહેવાય છે. આનુંપૂર્વી આદિના વિવરણપ્રસંગે પ્રસ્તુતનીયેાજના કરી બતાવી હાય તે। પછી સમવતારદ્વારની ચર્ચા જુદી કરવાની રહેતી નથી. અનુયાગઢારસૂત્રમાં અધિકાંશ ઉપક્રમની ચર્ચાએ રેકી રાખ્યા છે (સ્૦ ૭૬ પૃ॰ ૭૨ થી સૂ॰ ૫૩૩ પૃ૦ ૧૯૫), અને છેલ્લાં દશ પૃષ્ઠમાં જ (સ્૦ ૫૩૪૬૦૬) શેષ ત્રણ નિક્ષેપાદિ અનુયાગદ્વારાની સંક્ષેપમાં ચર્ચા છે. આ ઉપરથી એક વસ્તુ સિદ્ધ થાય છે કે આ ગ્રંથની રચના એ પ્રકારની છે કે તેમાં ઉપક્રમની ચર્ચામાં જ જ્ઞાતવ્ય વસ્તુને સમાવેશ કરી દેવામાં આવ્યે છે, જેને આધારે પછીની ચર્ચા અત્યંત સરલ થઈ પડે છે. આપણે મધ્યકાલીન અનેક દાનિક ટીકામથા જોઈએ તેા જણાઈ આવશે કે પ્રારંભમાં જ ટીકાકાર એવી ધણી આબતે ચચી લે છે, જે વિષે તેને પછી કશું જ કહેવાપણું રહેતું નથી. આથી ટીકાઓના પ્રારંભિક ભાગ જ મહત્ત્વતા બની જાય છે. તે જો બરાબર સમજી લેવામાં આવે તેા પછીના ભાગ અત્યંત સરળ થઈ પડે છે. કારણ કે તે તે દનના મૌલિક સિદ્ધાંતાનું વિવરણ તે પ્રાર ંભિક ભાગમાં જ કરી દેવામાં આવ્યું હાય છે. પછી તા માત્ર મૂળ ગ્રંથને શબ્દાર્થ કરવાપણું જ શેષ રહે છે. ૨. નિક્ષેપઢાર (સ્૦ ૫૩૪-૬૦૦)અનુયાગ—વ્યાખ્યાનું ખીજુ દ્વાર છે નિક્ષેપ. ઉપક્રમ થયા પછી નિક્ષેપની વિચારણા સરલ થઈ પડે છે, તેથી ઉપક્રમ પછી નિક્ષેપારને સ્થાન આપવામાં આવ્યુ છે. નિક્ષેપારમાં જે ત્રણ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ બાબતને મુખ્ય ગણીને તેના નિક્ષેપ કરવામાં આવે છે તે છે......ઓલ, નામ, સૂત્રાલાપક. શાસ્ત્રના પ્રકરણનું વિશેષ નામ ગમે તે હોય, પણ તેનું સામાન્ય નામ તેા હવાનુ જ, અને તેવા સામાન્ય નામેાને વિચાર આધ-સામાન્યમાં કરવામાં આવે છે. પ્રસ્તુતમાં અને સર્વે શાઓમાં સામાન્ય નામ ચાર સ`ભવે છે; તે છે—અજઝયણ (અધ્યયન), અઝ્ઝીણુ (અક્ષીણુ), આય (લાભ) અને ઝવણા–(ક્ષપણા=ક્ષય) (સ્૦ ૫૩૫). ઉક્ત ચારેના નામાદિ નિક્ષેપદ્વારા વિચાર કરીને અનુયેાગદ્વારમાં તેનુ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તેમાં પત્ર-પુસ્તકમાં લિખિત તે દ્રવ્ય અધ્યયન છે (સ્૦ ૫૪૩), તથા અધ્યાત્મનું આનયન, ઉચિત કર્મોના અપચય અને નવાં કર્માના અનુપચય કરે તે ભાવ અધ્યયન છે તેમ જણાવ્યું છે (સ્૦ ૫૪૬). અધ્યયનજ્ઞાનનું ફળ ચારિત્ર છે, તેથી જે અધ્યયન મેાક્ષમાગ તરફ લઈ જાય તે જ ખરું અધ્યયન છે એ વસ્તુ આથી સ્પષ્ટ થાય છે. અક્ષીણની વ્યાખ્યા કરતાં (સ્૦ ૫૪૭-૫૫૭) દ્રવ્ય અક્ષીણ્ સર્વાકાશશ્રેણી બતાવી છે (સ્૦ ૫૫૪). આકાશશ્રેણીમાંથી પ્રદેશને એકેક કરી અપહાર કરીએ પણ તે કદી ક્ષીણુ થતી નથી તેથી તે દ્રવ્ય અક્ષીણુ છે; અને ભાવ અક્ષીણ આચાય છે એમ જણાવ્યું છે, કારણ કે આચાર્ય દીપ સમાન છે. દીવાથી સા દીવા સળગાવા પણ તે ક્ષીણ થતા નથી; સ્વયં પ્રકાશે છે અને ખીજાને પણ પ્રકાશિત કરે છે, તેમ આચાય પણ અન્યને શાસ્ત્રો ભણાવે છે. તેથી તેમનુ જ્ઞાન ક્ષીણ થતું નથી. સ્વયં પ્રકાશે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે (સ્૦ ૫૫૭), પ્રસ્તુતમાં આચાય અને તેમના શાસ્ત્રજ્ઞાનને અભિન્ન માનીને આચાય ને અક્ષીણ કહ્યા છે—તેઓ જ્ઞાનમૂર્તિ છે, સાક્ષાત્ શાસ્ત્ર છે માટે જેમ પુસ્તક એ દ્રવ્ય-બાહ્યશાસ્ત્ર છે તેમ આચાય એ ભાવ-આંતરિક—યથા શાસ્ત્ર છે. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે, જે વ્યક્તિ જે શાસ્ત્રમાં નિષ્ણાત હોય તેને તે શાસ્ત્રની સાક્ષાત મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. તેથી પ્રસ્તુતમાં પણ જ્ઞાન છેવટે તા આત્મામાં જ છે તે તે આત્માને જ તે શાસ્ત્રરૂપે જાણવા—— એ જ યથારૂપે શાસ્ત્ર છે, બાહ્ય પુસ્તક આદિ તે! તેનાં સાધના છે એ વાત સ્પષ્ટ થાય છે. આય (સ્૦ ૫૫૮-૫૯) એટલે લાલ-પ્રાપ્તિ. દ્રવ્ય-આદ્ય લાભમાં લૌકિક વસ્તુએમાં સચિત્તમાં પશુ આદિ, અચિત્તમાં સુવણ આદિ અને મિશ્રમાં અલ કૃત દાસ-દાસી અને હાથી-ઘેાડા વગેરેને લાભ થાય તે છે, પણ અલૌકિક દ્રવ્યમાં Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ સચિત્ત શિષ્ય-શિષ્યાઓના, અચિત્તમાં શ્રમણને ખપતાં વજ્રપાત્રાદિને અને મિશ્રમાં ભાંડ।પકરણસહિત શિષ્યાદિના લાભ ગણાવ્યા છે. ભાવ–આંતરિક આયમાં, અપ્રશસ્ત આય છે ક્રોધ-માન આદિ કાયાને, અને પ્રશસ્ત આય છે જ્ઞાન આદિ. પ્રસ્તુતમાં શાસ્ત્રના અધ્યયન વડે જ્ઞાનાદિના લાભ થતા હેાવાથી તે ભાવ આય છે. ક્ષપણા (૫૮૦–૧૯૨) એટલે નિર્જરા, ક્ષય. તેમાં ક્રોધાદ્ધિને ક્ષય થાય તે પ્રશસ્ત ક્ષપણા છે, પણ જો જ્ઞાનાદિના ક્ષય થાય તે તે અપ્રશસ્ત ક્ષપણા કરી કહેવાય. અધ્યયનનુ ફળ ક્રોધાદિને ક્ષય કરવા તે છે, તેથી તે પ્રશત 'ભાવક્ષપણા કહેવાય. આ પ્રકારે શાસ્ત્રનાં સામાન્ય નામેા અધ્યયન આદિની ચર્ચા અનિક્ષેપમાં કરવામાં આવી છે તે પછી બીજી નામ-વિશેષનામના—નિક્ષેપની ચર્ચા છે (સ્૦ ૫૯-૫૯૯). તેમાં આવશ્યકના પ્રથમ અધ્યયનનુ નામ સામાયિક છે. તેને જ નિર્દેશ વિશેષનામમાં કરવામાં આવ્યેા છે, અને પછી સામાયિક વિષે નામસ્થાપના આદિ નિક્ષેપેાની ચર્ચા છે અને ભાવ સામાયિકનું સ્વરૂપ સમભાવ છે તેનું સુ ંદર નિરૂપણ કરવામાં આવ્યું છે (સ્૦ ૫૯૯). નિક્ષેપમાં તીજો મુદ્દો છે સૂત્રાલાષાના નિક્ષેપા કરવા વિષે (સ્૦ ૬૦૦). પણ્ આ પ્રસંગે સૂત્રાનાં પાનેા નિક્ષેપ કરવાનુ ઉચિત મનાયું નથી, કારણ કે અનુયાગના તીજા દ્વાર અનુગમમાં (સૂત્રસ્પર્શિક-નિયુક્તિ પ્રસંગે સૂત્ર ગત પદાની નિયુક્તિ કરતાં પહેલાં તે તે પદેના નિક્ષેપ જરૂરી બને છે. માટે તે વિષે તે જ પ્રસંગે) કહેવામાં આવશે, જેથી પુનરુક્તિ પણ કરવી નહિં પડે : આવા ખુલાસા સ્વયં સૂત્રકારે કર્યાં છે, અને તે જ બાબતનું સમન આચાય શ્રી જિનભદ્રે પણ કર્યુ છે (ગા॰ ૯૫૭–૯૬૫). ૩. અનુગમ : અનુયાગનું તીજું દ્વાર છે અનુગમ (સ્૦ ૬૦૧-૬૦૫), તેના બે ભેદો-સૂત્રાનુગમ અને નિયુક્ત્યનુગમ એવા કરવામાં આવ્યા છે. તેમાંથી નિયુક્તિ-અનુગમના ત્રણ પ્રકાર છે—નિક્ષેપ, ઉપેાત અને સૂત્રશિક (સ્૦ ૬૦૨). તેમાંના નિક્ષેપ પ્રકાર તા પહેલાં ચર્ચાઈ ગયેલ છે એમ જણાવ્યુ છે (સ્૦ ૬૦૨) આનું તાત્પ એ છે કે નિક્ષેપ પ્રકારની વ્યાખ્યા તેા આ પૂર્વે થઈ ગઈ છે—આવશ્યક આદિ પદેાના અનુગમ નામાદિ નિક્ષેપેાદ્વારા આ પૂર્વેના ભાગમાં વ્યાપ્ત છે. (સ્૦ ૯, ૩૦, પર ઇત્યાદિ) તેથી તેનું નિરૂપણ આવશ્યક નથી. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ નિક્ષેપ પછી ઉપેાઘાત છે. આ ઉપાદ્ધાતમાં બધી મળી ગ્રંથવિષેની (પ્રસ્તુતમાં સામાયિક વિષેની) ૨૬ બાબતાની ચર્ચા કરવાની હોય છે. તે બધી બાબતાને ગણાવી દેવામાં આવી છે (સ્૦ ૬૦૪); જેવી કે ૧–ઉદ્દેશ-સામાન્યભિધાન, ૨-નિર્દેશ–વિશેષાભિધાન, ૩-નિગમ–પ્રસ્તુત અધ્યયનની મૂળે કાંથી કેવી રીતે કાનાથી ઉત્પત્તિ થઈ તે, ૪–ક્ષેત્ર-કયા પ્રદેશમાં સામાયિકના ઉપદેશ થયે, પ-કાલ-કયા કાલમાં, ૬-પુરુષ–કયા પુરુષે સામાયિકના ઉપદેશ આપ્યા, કારણ–શા માટે ગૌતમે તે ઉપદેશ ગ્રહણ કર્યાં, ૮–પ્રત્યય–કયા વિશ્વાસે આ ઉપદેશ છે, હ—લક્ષણ-પ્રતિપાદ્ય વસ્તુનું લક્ષણ,૧૦-નય વિચારણા, ૧૧–સમવતારણાનયેામાં પ્રતિપાદ્ય વિષયની અવતારણા, ૧૨–અનુમત, કયા નયને કયું સામાયિક, ૧૩– કિમ્–સામાયિકનું લક્ષણ—સ્વરૂપ, ૧૪–તેના પ્રકાર, ૧૫-સામાયિકના સ્વામી,૧૬–કયાં સામયિક ?, ૧૭–કયા વિષયમાં સામાયિક, ૧૮–તે પ્રાપ્ત કેમ થાય ?, ૧૯–કેટલા કાળ સ્થિર રહે ?, ૨૦-તેને ધારણ કરનારા ' કેટલા ?, ૨૧–વ્યવધાન કેટલું ?, ૨૨-અવ્યવધાન કેટલુ' ?, એટલે કે નિરંતર તે પ્રાપ્ત કરનારા કેટલા કાલમાં હોય ?, ૨૩-કેટલા ભવમાં તેની પ્રાપ્તિ, ૨૪–આક—પુનઃ પુન: તેની પ્રાપ્તિ થાય તે કેવી રીતે ?, ૨૫-ક્ષેત્રસ્પર્ધાના, ૨૬-નિરુક્તિ-પર્યાયેા. આ ઉપરથી જોઇ શકાય છે કે આધુનિક કાળમાં લેખક પ્રસ્તાવનામાં જે મુદ્દાઓની ચર્ચા કરૈ છે તેથી કાંઈ વધારે ખાતાની ચર્ચા પ્રસ્તુત ઉપેદ્યાતમાં કરવાની હોય છે. પ્રસ્તુતમાં માત્ર આ મુદ્દાએ જ ગણાવ્યા છે, પણ તેની મેાજના સામાયિકમાં કરવામાં આવી નથી, તેથી એ સૂચિત થાય છે કે અનુયેાગદ્વારની રચના અનુયાગનાં દ્વારાના વિવરણ માટે છે, નહિ કે કાઈ ગ્રંથની ટીકારૂપે, આથી એ પણ સિદ્ધ થાય છે કે તેમાં પ્રારંભમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યા કરીશ એવા જે ઉલ્લેખ છે, તે પણ ઉદાહરણરૂપે છે. ઉપેાદ્ધાત પછી સૂત્રસ્યશિકનું વિવરણ (સૂ. ૬૦૫) છે. તેમાં સૂત્રને શુદ્ધ અને સ્પષ્ટ રીતે ઉચ્ચાર કરવાની સૂચના આપવામાં આવી છે, તેમ કરવાથી સૂત્રમાં શે। વિષય છે, તે સ્વસિદ્ધાન્ત છે કે પસિન્હાત, બંધ વિષે છે કે મેાક્ષ વિષે, સામાયિક સંબંધી છે કે તેથી જુદું ઇત્યાદિ બાબતેાની સ્પષ્ટતા કેટલાક શ્રોતાને થાય છે અને કેટલાકને નથી થતી. આથી તેમના હિતાર્થે સૂત્રપદાની વ્યાખ્યા જરૂરી છે. તે કયા ક્રમે કરવી તેનુ નિરૂપણ પ્રસ્તુતમાં છે. મૂળમાં એ સ્પષ્ટ નથી કે આમાં સૂત્રાનુગમ શું છે? તેને વિષે એમ તે કહ્યું છે કે તે અનુગમના એક ભેદરૂપ છે (સૂ. ૬૦૧). પણ તેનું વિવરણ મૂળમાં Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ નથી. આનુ કારણ એ છે કે સૂત્રસ્પ`િકનિયું કત્યનુગમા જ થાય. જો સૂત્ર હાય; તેથી તેા સૂત્રપશિકના પ્રારંભમાં (સૂ. ૬૦૫) શુદ્ધ સત્રના ઉચ્ચારની વાત કહેવામાં આવી છે. તેથી તે તેની અંતર્ગત જ સમજી લેવા જોઈએ. આથી તેનુ વિવરણ જુદું નથી કર્યું". આચાર્ય શ્રી જિનભદ્રે સ્પષ્ટીકરણ કર્યું" છે કે સૂત્રાનુગમ (જે અનુગમના એક મૂળભેદરૂપ છે), સૂત્રાલાપક (જે અનુયાગના ખીજા દ્વાર નિક્ષેપના એક ભેદ છે—(સૂ. ૫૩૪, ૬૦૦), સૂત્રસ્પશિ`કનિયુક્તિ (જે અનુયાગના તીજા દ્વાર અનુગમને એક ભેદ છે—સૂ. ૬૦૨, ૬૦૫) અને અનુયોગના ચેાથા દ્વાર ગત નયા—આ ચારે બાબતેના વિચાર, ક્રમે નહિ પણ એકસાથે, પ્રત્યેક સૂત્રના વિચાર પ્રસંગે થાય છે. પ્રથમ ત્રણમાં તે ‘સૂત્ર' શબ્દ સામાન્ય છે. સત્રના વિચાર પ્રસ ંગે તેની વ્યાખ્યા એટલે અનુગમ કરવા પ્રાપ્ત. હાઈ તેના નિક્ષેપ દ્વારા નિર્ણય ન થાય ત્યાં સુધી વ્યાખ્યા સરલ અને નહિ. એથી સૂત્રાનુગમપ્રસંગે સૂત્રાલાષક નિક્ષેપ સ્વત: પ્રાપ્ત થાય છે અને તે પછી નિક્ષિત સૂત્રની નિયુક્તિ-વિશેષવિવરણ–સરલ થઈ પડે છે, તેથી સૂત્રશિ`કનિયુક્તિ પણ તેમાં અવસરપ્રાપ્ત છે. અને વિવરણમાં, સભવ પ્રમાણે, નયવિચાર–નયયેાજના કરવી તે પણ તેની વ્યાખ્યાનુ અંગ છે, તેથી આ પ્રકારે એ ચારે મમતા એકસાથે પ્રાપ્ત છે. તેથી તેમનું તે તે સ્થાને વિવરણુ ન કરતાં સૂત્રપશિ કનિ કૃત્યનુગમપ્રસંગે જ તેમની ચેાજના ઉચિત છે (વિશેષા॰ સ્વા ગા॰ ૯૯૩–૯૯૮). ૪. નય : અનુયાગના ચેથા દ્વાર નય વિષે અનુયાગદ્વાર સૂત્રમાં (સૂ॰ ૬૦૬) માત્ર સાત નયા અને તેની વ્યાખ્યા આપીને સંતાષ માન્યા છે. તેની યેાજના પ્રસ્તુત સૂત્રમાં જણાવી નથી, પણ અન્ય અનેક પ્રસંગે નયયેાજના કરી બતાવી છે—સૂ॰ ૧૫, ૯૭–૧૩૦, ૧૪-૧૪૮, ૧૫૩-૧૫૯, ૧૮૨-૨૦૦, ૪૨૭, ૪૭૩-૪૭૬, ૪૮૩, ૪૯૧, પર૫. વૈદિક અને બૌદ્ધ વ્યાખ્યાપદ્ધતિ સાથે અનુયાગનું સામ્ય અનુયેાગદ્વારમાં ક્રમે સમુદાયા અને અવયવાથ નિરૂપણની પદ્ધતિ આપણે જોઈ; તેનું મૂળ પ્રાચીન વ્યાખ્યાપદ્ધતિમાં પણ જોવા મળે છે. નિરુક્તમાં પ્રથમ આખ્યાત નામ આદિ પદોનાં સામાન્ય લક્ષણાની ચર્ચા જોઈ શકાય છે અને પછી તે તે ગેા આદિ પદોને લઈને તેમનું નિર્વાંચન કરવામાં આવ્યું છે. આ બાબતને નિર્દેશ નિરુક્તના ટીકાકાર દુર્ગે સ્પષ્ટરૂપે કર્યાં છે— Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૦ "समाभ्नायः समाम्नात:, स व्याख्यातव्यः' इति प्रतिज्ञातम् । सा च पुनरिय व्याख्या सामान्या वैशेषिकी च । तत्र सामान्या सर्वनाम्नामिद सामान्यलक्षणम् , इदमाख्याતાનામ, સુવાન, નિવતાનામિતિ......મથેરાની વિશેષ વ્યાયા, પ્રતિવઢમાં સમાનાયો ચારચાતયઃ”—નિરુપક્તીકા–દ્વિતીયાધ્યાય પંચમ ખંડ, પૃ૦ ૧૪૩ (આનંદાશ્રમ). વળી, અનુયોગમાં ઉપઘાતની ચર્ચા પ્રસંગે જે ઉદ્દેશાદિ વ્યાખ્યાકાર છે તેમાંનાં કેટલાંક તો એવાં છે જે જેનાગમને જ અનુકૂળ છે, પણ વેદ નિત્ય હેવાથી વેદના નિર્ગમ-કાલ–ક્ષેત્રાદિ જેવાં વ્યાખ્યાકારોને અવકાશ ન રહે તે સ્વાભાવિક છે. તેને બદલે દ્રષ્ટા ઋષિ, મંત્રની મુખ્ય દેવતા આદિની ચર્ચા તેમાં આવે છે. એટલે તેવાં દ્વારેની ચર્ચા વૈદિક વ્યાખ્યાગ્રંથમાં ન મળે તો તેમાં આશ્ચર્ય નથી; પણ એ સિવાયનાં જે કેટલાંક કારેનો વ્યાખ્યા ગ્રંથોમાં નિર્દેશ મળે છે તે તુલનીય છે. ન્યાયસૂત્રના વાસ્યાયનભાષ્યમાં શાસ્ત્રપ્રવૃત્તિ ત્રણ પ્રકારની બતાવી છે–– ઉદ્દેશ, લક્ષણ અને પરીક્ષા (ન્યાયભા૦ ૧.૧૨). આ ત્રણ ઉપરાંત વિભાગ પણ એક અંગ મનાતું હશે, કારણ કે તેના પાર્થકયની બાબતમાં પૂર્વપક્ષ કરીને ન્યાયવાતિ કકારે તેને સમાવેશ ઉદેશમાં કરી દીધો છે (ન્યાયવા ૧.૧.૩, પ્રમાણમીમાંસા ટિપ્પણ (સિંધી સિરીઝ પૃ. ૪). વળી, દુર્ગે વ્યાખ્યાનું જે લક્ષણ નૈવંદુકમાં સ્વીકાર્યું છે તેમાં તત્વ, પર્યાય, ભેદ=વ્યુત્પત્તિ, સંખ્યા, સંદિગ્ધદાહરણ, તેનું નિર્વચન–આટલાં દ્વારને સ્થાન છે (દુર્ગટીકા પૃ૦ ૧૪૩) આમાં જેને તવ કહેવામાં આવે છે તેને ઉદ્દેશને સમકક્ષ કહી શકાય. વળી, સ્વયં દુર્ગ ઉદેશ, નિર્દેશ અને પ્રતિનિર્દેશન ઉલ્લેખ યાસ્કની વ્યાખ્યાશૈલી માટે કરે છે–દ શાત્રે વ્યાયક્ષેત્રી રૂક્યા, उद्देशो निर्देशः प्रतिनिर्देश इति । तत्रोद्दश: सूत्रस्थानीयः । तद्यथा षड़ भावविकारा: इति । निर्देशो बृत्तिस्थानीयः । तद्यथा जायते-अस्ति विपरिणमते इति । प्रतिनिर्देशो વાર્તિવાની: 1 તથા નાચતે રૂતિ પૂર્વમાડ્યાદિમાગ્ર રૂતિ (દુર્ગટીકા પૃ૦ ૩૨). દુર્ગકૃત પ્રસ્તુત સૂત્ર, વૃત્તિ અને વાર્તિક એવા ક્રમની તુલના આચાર્ય જિનભદ્ર અને આચાર્ય સંઘદાસે કરેલ–ભાષાસૂત્ર, વિભાષા=વૃત્તિ અને વાર્તિકની વ્યાખ્યા સાથે કરવા જેવી છે. આ ભાષા આદિનું વિવરણ આમાં આ પહેલાં (પ્ર. ૩૬–૩૮) આવી ગયું છે. તેથી અહીં એને વિસ્તાર કર અનાવશ્યક છે. વ્યાકરણ મહાભાષ્યના પ્રારંભમાં વ્યાપેય શાસ્ત્રનું નામ શું છે તે બતાવવામાં આવ્યું છે. તે જ પ્રમાણે અનુયોગમાં પણ વ્યાપેય શાસ્ત્રનું નામ જણાવ્યું છે. વળી, શાસ્ત્રના નામની વ્યાખ્યા મહાભાષ્યના પ્રારંભમાં જોવા મળે છે એ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ પ્રકારની પરંપરાનું અનુસરણ અનુયાગમાં પણ છે (મહાભાષ્ય પૃ॰ ૬, ૧૮). વળી, નિરુક્તના પ્રારંભમાં પણ નિરુક્તના પ્રયાજનની ચર્ચા છે એટલે વ્યાખ્યા કારે શાસ્ત્રની રચના શા માટે જરૂરી છે તે પ્રથમ બતાવવુ' જરૂરી હેય તેમ જણાય છે. અનુયાગદ્વારમાં આવસ્યકની વ્યાખ્યા કરીશ' એમ ગ્રંથરચનાનુ પ્રયાજન બતાવ્યુ` છે, પણ સ્વયં શાસ્ત્રનું શું પ્રયેાજન છે એની ચર્ચા પ્રારંભમાં નથી. પણ અનુયે ગદ્દારે, જે ઉપક્રમાદિ ચાર ગણાવ્યાં છે, તેનાં નિક્ષેપદાર પ્રસંગે, અધ્યયન શબ્દના નિક્ષેપને અવસરે, શાસ્ત્રનું પ્રયાજન વર્ણિત થઈ જાય છે. એથી પ્રારંભમાં શાસ્ત્રપ્રયાજનની ચર્ચા નથી કરવામાં આવી તેમ જણાય છે. (આ માટે જુએ પ્રસ્તુતમાં નિક્ષેપકારની ચર્ચા). અનુયાગદ્વારમાં જે અમાં ઉપક્રમ શબ્દને પ્રયાગ થયા છે એ જ અ ઉપક્રમના દુ તે પણ માન્ય છે (દુટીકા પૃ॰ ૧૭). વળી, અનુયેાગદ્વારમાં જે અનુગમદાર છે તેનું તાત્પર્ય છે કે સૂત્રના અનુ અનુસરણ; એટલે કે તે તે સૂત્રને શા અ છે તેના નિણૅય કરી બતાવવા. અનુગમ શબ્દનુ તાત્પ આવુ જ હાઈ શકે છે તે દુર્ગની વ્યાખ્યાથી પણ ફલિત થાય છે, નિરુક્તમાં જણાવ્યું છે કે શાસ્ત્રના શબ્દોના કાઈ ખાટા અ કરે તેા તેમાં પુરુષદોષ છે, શાસ્ત્રદોષ નથી (૧-૧૪). આની વ્યાખ્યાપ્રસંગે દુર્ગે કહ્યું છે—“ પુષ્ટતાનેા ન શાસ્ત્રીયા ચત્તુળમથિતુ. ધાતુરાŻથોન શયતે' (દુટીકા પૃ૦ ૮૨). અનુયેાગમાં જેમ વ્યાખ્યેય વિષયાના સંગ્રહરૂપે પ્રથમ નિર્દેશ કરવામાં આવે છે અને પછી તેમાંના એક એક લઈને ક્રમશઃ વ્યાખ્યા કરવામાં આવે છે, જેને જૈન પરિભાષામાં દ્વારા કહેવાય છે, તે જ પ્રકાર વ્યાકરણમહાભાષ્યમાં પણ અપનાવવામાં આવ્યા છે. તેમાં પણ પ્રથમ અનેક પ્રયેાજનાની વ્યાખ્યા કરવાના પ્રસંગે તે સૌને નિર્દેશ પ્રારભમાં પ્રતીક રૂપે કરી દીધા છે અને પછી ક્રમશ: વ્યાખ્યા કરવામાં આવી છે (વ્યા મહા ૩૦ ૧૯, ૨૫). મહાભાષ્યમાં વ્યાખ્યાન ચારે થયું કહેવાય તેનું સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું છે કે માત્ર સૂત્રેાના શબ્દોના વિગ્રહ કરવાથી જ વ્યાખ્યાનની પરિસમાપ્તિ નથી, પણ ઉદાહરણ, પ્રત્યુદાહરણ અને વાકયાધ્યાહાર આ બધું તેમાં મળે ત્યારે વ્યાખ્યાન થયું કહેવાય છે (વ્યા॰ મહા॰ પૃ૦ ૬૯). વ્યાખ્યાનની આ પરિભાષા આચાર્ય શ્રી સહ્રદાસગણિએ અને શ્રી જિનભદ્રે કરેલા વાકિની વ્યાખ્યા જેવી છે. આ પ્રકારે વૈદિકાના વ્યાખ્યાપ્રકાર સાથે અનુયાગકારસૂચિત વ્યાખ્યા પ્રકારની તુલનામાં કેટલીક બાબતે સમાન છે; પણ જ્યારે આપણે બૌદ્ઘ અટ્ટ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ કથા-વ્યાખ્યાની પદ્ધતિની તુલના કરીએ છીએ ત્યારે તેથી પણ વધારે સામ્ય જણાયા વિના રહેતું નથી. જેમ અનુયેાગદ્વારમાં ઉદ્દેશાદ્િર દ્વારા ઉપેદ્ઘાતનિયું કૃત્યનુગમના છે (સૂ॰ ૬૦૪) તે જ પ્રમાણે અરૃથામાં પ્રારંભમાં માતિકા આ પ્રમાણે છે— वृत्तं येन यदा यस्मा धारितं येन चाभतं । यत्थष्पतिति चेतमेत वत्वा विधिं ततेा ॥ —સમન્તપાસાદિકા, પૃ॰ ૬ આ માતિકાનુ એક એક પદ લઈને પછી વ્યાખ્યા કરે છે તેને બાહિરનિદાનકથા એવું નામ આપ્યુ છે. આમાં ખરી રીતે તે ગ્ર ંથના ઉપોદ્ઘાતની જ ચર્ચા કરવામાં આવે છે, એટલે કે શાસ્ત્રના આદિ વાકયના વિષયમાં દૂ વચન ન પુત્ત વા વ્રુત્ત વક્ર્મા પુત્ત ઇત્યાદિ બાબત નુ` સ્પષ્ટીકરણ કરે છે અને એ જ પ્રકારના પ્રશ્નોના ઉત્તરા અનુયાગની ઉપેાધાતનિયુક્તિમાં પણ આપવામાં આવ્યા છે. એ પ્રકારના ઉપાદ્ધાત પછી જ જૈન અને બૌદ્ધ ટીકામાં સૂત્રા વર્ણવવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે (અનુ॰ સૂ૦૬૦૫ થી; સમન્ત॰ ૩૦ ૯૨). વળી, બુદ્ધવચનના વિવિધરીતે વિભાગેા કરી બતાવવામાં આવ્યા છે (સમન્ત॰ પૃ૦ ૧૬), એ જ રીત અનુયાગના પ્રારંભમાં સમગ્ર શ્રુતના વિભાગ અને તેમાં આવસ્યકનુ સ્થાન બતાવી અપનાવવામાં આવી છે; એ થયા પછી સમન્તપાસાદિકા એ વિનયપિટકની અરૃકથા હાઈ તેમાં વિનયની નિરુક્તિ કરવામાં આવી છે (પૃ૦ ૧૮) અને તેનેા પિટક શબ્દ સાથે સમાસ પણ કરી બતાવ્યા છે (પૃ૦ ૨૦). એટલે કે ગ્રંથનામની વ્યાખ્યા કરવામાં આવી છે. આ જ પ્રકાર અનુયોગના પ્રારભમાં આવશ્યકશ્રુતસ્કંધના નિક્ષેપો કરીને અપનાવવામાં આવ્યે છે (અનુ॰ સૂ॰ ૭). વળી, અનુયેાગમાં આગમના ભેદોમાં સૂત્ર, અર્થ અને તદુમય એવા ભેદો જોવામાં આવે છે (અનુ॰ સ૦ ૪૭૦). તે જ રીતે પાલિ અદ્ભુકથામાં પણ ધમ્મ, અર્થ, દેસના અને પટેિવેધ એવા ભેદો કરવામાં આવ્યા छे" तत्थ धम्मा ति पालि । अत्था ति तस्सायेव अत्थे । देसना ति तस्सा मनसा ववत्थापिताय पालिया देखना । परिवेधा ति पालिया पालिअत्थस्सय यथाभूतावबोध” (સમન્ત૦ પૃ૦ ૨૧). અનુયેાગદ્વારમાં જે શબ્દની વ્યાખ્યા કરવાની હાય તેના નિક્ષેપા કરીને અનેક અર્થાંમાં તે કેવી રીતે વપરાય છે, તેનું નિદર્શન કરી તે શબ્દને પ્રસ્તુતમાં યેા અથ લેવે તે દેખાડી આપવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે. તે જ પ્રમાણે પાલિ અરૃકથામાં વ્યાખ્યેય શબ્દ, જે અનેક અમાં પ્રયુક્ત થતા હોય, Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ તે અનેક અર્થોનું નિદર્શન કરીને પ્રસ્તુતમાં કે અર્થ અભિપ્રેત છે તે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે જુએ–સમય શબ્દની ચર્ચા, સમસ્ત પૃ૦ ૯૩. વળી, અનુયોગની જેમ જ પિંડાથે અને અવયવાર્થ કરવાની પદ્ધતિ પણ ટીકાઓમાં જોવા મળે છે (સમન્ત, પૃ. ૯૮, ૧૧૮ ઈત્યાદિ). જેમ અનુયોગમાં નિયવિચારણને નિર્દેશ છે તેમ પાલિ અકથાઓમાં પણ અનેક નથી વિચારણા કરવામાં આવી છે (સમન્ત, પૃ. ૯૯, ૧૦૦, ૧૧૧ ઇત્યાદિ), કર્તા અને સમય કર્તા–પ્રસ્તુત પ્રકાશનમાં અમે પ્રારંભમાં સિરિઝરસિદ્ધયરવિરચાડું – એ ઉલ્લેખ કર્યો છે, તે માત્ર પ્રવાદને આધારે છે. અનુગદ્વાર સૂત્રના કર્તા કે સંકલનકર્તા સ્થવિર આર્ય રક્ષિત હોવા જોઈએ એવા પ્રવાદના મૂળમાં એ માન્યતા રહેલી છે કે આર્ય વજીના સમય પર્યત કેઈ પણ સૂત્રો અનુયોગ કરવો હોય તો–વ્યાખ્યા કરવી હોય તો –ચારેય અનુયોગ પ્રમાણે–એટલે કે તે સૂત્ર ચરણકરણનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુગ અને દ્રવ્યાનુયોગ સંબંધી છે એમ માનીને–તેની વ્યાખ્યા કરવામાં આવતી; અર્થાત્ આર્યવજ સુધી અનુયોગનું પાર્થક્ય હતું નહિ પણ તે અપૃથભાવે હેઈ પ્રતિસૂત્રમાં ચારેય અનુયોગને અનુસરી વ્યાખ્યા કરવામાં આવતી. પણ સમય પારખીને સ્થવિર આર્ય રક્ષિત અનુયોગનું પાર્થક કર્યું, ત્યારથી કોઈ પણ એક સૂત્રને સંબંધ ચાર અનુયોગમાંથી કઈ પણ એક અનુયોગ સાથે જોડવામાં આવે છે (આવશ્યકનિર્યુક્તિ અને તેની ટીકા; વિશેષા. હે. ગા. ૨૨૭૯-૨૨૫). આ હકીકત એ બતાવે છે કે આર્યરક્ષિત અનુયોગના નિષ્ણાત હશે. વળી નંદીસૂત્રની સ્થવિરાવલીમાં આવતી ર૮ મી ગાથા પછીની પ્રક્ષિપ્ત ગાથામાં તેમને નમસ્કાર કરતાં કહ્યું છે वदामि अज्जरक्खियखमणे रक्खियचारित्तसव्वस्से । रयणकर डगभूओ अणुओगो रक्खिओ जेहिं ॥ આથી પણ સ્પષ્ટ છે કે આર્ય રક્ષિતે બહુમૂલ્ય અનુયોગની રક્ષા કરી છે. આર્યરક્ષિતની આવી યોગ્યતાને આધારે તેમનું નામ અનુગારના કર્તા તરીકે પ્રવાદમાં આવ્યું છે. અત્રે એ સ્પષ્ટ કરવું જોઈએ કે આ પ્રવાદમાં તથ્ય કેટલું છે તે જાણવાનું આપણી પાસે અન્ય કેઈ સાધન નથી. કોઈ પ્રાચીન ઉલ્લેખ એવો નથી મળતો કે જેમાં તેમને અનુયોગદ્વારના કર્તા કહ્યા હોય. જ્યાં પણ Page #385 -------------------------------------------------------------------------- ________________ તેમને વિશે હકીકત છે ત્યાં એ જ કહેવામાં આવ્યું છે કે તેમણે ચારેય અનુયોગનું પાર્થય કર્યું. અનુયોગનું પાથેય અને અનુગારની રચના એ તદ્દન ભિન્ન બાબત છે –એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. જે આર્યરક્ષિત અનુયાગની રચના ન કરી હોય તે પણ એવી સંભાવના તો છે જ કે તેમની પરંપરાના કઈ શિષ્ય-પ્રશિષ્ય તેની રચના કરી હોય. કારણ કે એટલું તો નક્કી જ છે કે અનુયોગ પ્રક્રિયાનું વિશેષ જ્ઞાન આર્ય રક્ષિતને હતું એટલે તેમણે એ બાબતનું જ્ઞાન પિતાના શિષ્યોને આપ્યું હોય. - આર્ય રક્ષિતને સમય–તેઓ આર્યવાના સમકાલીન હતા તે ધ્યાનમાં લઈએ તો વજનું સ્વર્ગગમન વીરનિ. ૫૮૪ માં થયું મનાય છે, એટલે તેમની પાસે લગભગ દશ વર્ષ સુધી પૂર્વગતનું અધ્યયન કરનાર આર્યરક્ષિત પ૭૫ વીરનિટ માં તે દીક્ષિત અવસ્થામાં હતા જ એમ માની શકાય. અને જે અનુ ગદ્વારની રચના તેમણે કરી હોય તે એમ માનવામાં વાંધો ન આવે કે તેમણે તેની રચના વીરનિ.૭ ૫૮૪ પછી કયારેક કરી હશે. તેઓને યુગપ્રધાન કાળ ૫૮૪–૫૭ વીરનિ. સં. છે. એટલે વીરનિટ ૫૮૪–૫૭ વચ્ચે ક્યારેક અનુયેગની રચના થઈ હશે, એમ માની શકાય. એટલે કે જે અનુયોગદ્વાર આર્યરક્ષિતની રચના હોય તે તે વિ. સં. ૧૧૪ થી ૧૨૭ માં ક્યારેક રચાયું હશે. આર્ય રક્ષિત પ્રસ્તુત અનુગારના કર્તા હોય કે ન હોય પણ અન્ય આંતરિક તથા બાહ્યપ્રમાણેને આધારે અનુયોગદારના સમયની ચર્ચા કરવી જરૂરી છે. ભગવતીસૂત્રમાં “અgોજદારેની ભલામણ કરવામાં આવી છે (શ૦ પ ઉ૦ ૩, ૦ ૧૯૨) અને તે પણ પ્રત્યક્ષાદિ ચાર પ્રમાણેની બાબતમાં (અનુ. સૂ૦ ૪૩૬), આથી એક વાત તો નક્કી થાય છે કે આગમની અંતિમ વાચનાને સમયે અનુયોગકારની રચના થઈ ગઈ હતી. વલભીમાં આર્ય દેવદ્ધિએ કેવળ ६. चउ दस सोलस वासा चउदस वीसुत्तरा य दुणि सया । अठ्ठावीसा य दुवे पचेव सया य चोयाला ।। पच सया बुलसीया छच्चेव सया नवुत्तरा हुति। पत्र १३९ पंचसया चुलसीया तइया सिद्धिं गयरस वीरस्स। મવાિળ વિઠ્ઠી હરપુરનયરે સમુq0rI –આવશ્યકનિયુક્તિ, પત્ર ૧૪૩. ૭. આગમયુગકા જેનદર્શન-પૃ. ૧૭; જેન પરંપરાને ઈતિહાસ-પૃ૩૦% ૩૧૧; તપાગચ્છપટ્ટાવલી ૦ ૪૭. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ પુસ્તલેખન કર્યુ હતું પણ્ અતિમ વાચના તો તે પૂર્વે મથુરામાં આથાય સ્કલિના સમયમાં થઈ હતી. તેમને સમય વીનિ સ૦ ૮૨૭-૮૪૦ છે. તે જ સમયમાં વલભીમાં આય નાગાર્જુને પણ વાચના કરી હતી, પણ વિદ્યમાન આગમા માથુરી વાચનાને અનુસરે છે એમ માનવાને કારણ છે. એટલે અનુયેાગદ્વારની ઉત્તર મર્યાદા વીર॰ નિ॰ સ′૦ ૮૨૭–૮૪૦ પૂર્વે માની શકાય. એટલે કે તે વિસ૦ ૩૫૭ થી પૂર્વે કયારેક રચાઈ ગયું હતુ. હવે આપણે એ જોઈએ કે આ સમય મર્યાદાનેા સાચ થઈ શકે છે કે નહિ? અનુયાગદ્વારમાં તરંગવતી આદિ જે ગ્રંથાને ઉલ્લેખ છે (સૂ૦ ૩૦૮) તે ઉપરથી એમ કહી શકાય કે તે ગ્રંથાની રચના બાદ અનુયોગદ્વારની સંકલના થઈ હશે. તરંગવતી, મલયવતી, આત્માનુશાસ્તિ અને બિંદુ—એ ચાર ગ્રંથામાંથી બિંદુથી શું અભિપ્રેત હશે તે જાણી શકાતું નથી. ધાતિકૃત ન્યાયબિંદુ-હેતુબિંદુ તો અભિપ્રેત હોઈ જ ન શકે. ચૌદ પૂર્વ માં લેાકબિંદુસાર કે બિંદુસાર નામનું ચૌદમું પૂર્વ છે, પણ તે પણ્ અભિપ્રેત ન હોય. આત્માનુશાસ્તિ વિષે પણ વિશેષ માહિતી મળતી નથી, અને મલયવતી વિષે પણ કશી જ માહિતી નથી. પણ તર ંગવતીની રચના આચાય પાદલિપ્ત કરી છે. તેમના સમય વિક્રમ પ્રથમ શતાબ્દિ છે, અન્યત્ર પણ લૌકિક શ્રુતના પરિચય પ્રસ ંગે અનુયાગારમાં અનેક ગ્રંથેનાં નામ આપવામાં આવ્યાં છે (સ્૦ ૪૯), આ સૂચીમાં પણ ઘણાં નામે એવાં છે જેને વિષે વિશેષ માહિતી મળતી નથી. એક વાત એ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે આ પ્રકારની સૂચીમાં ગ્ર'થની રચના થયા પછી પણ ઉમેરા થવાની પૂરી શકયતા છે. આ સૂચીગત—કાય, કઙ્ગસત્તરી, સકૃિતત, માકર જેવાં નામેા સુપરિચિત છે. તેમાંથી માત્ર મારતું નામ એવું છે, જેના સમય વિષે વિચાર જરૂરી છે, અન્ય તા વિક્રમ પૂર્વે હેવાના વધારે સંભવ છે. માઢરવૃત્તિને અનુવાદ ચીની ભાષામાં થયા છે અને ડા. એલવલકરને મતે તેની રચના ઈ. ૪૫૦ પૂર્વે (વિ૦ ૫૦૭ પૂર્વે) થઈ ગઈ જ હશે. (ABORI, vol. V, p. 155). કેટલી વહેલી થઈ હશે તે કહેવુ કઠણ છે, પણ તેના ચીની અનુવાદના સમય ઉપરથી ઉક્ત સમયની કલ્પના કરવામાં આવી છે. એમ પણ ૮. ગત્તરીના કર્તા વિધ્નવાસી વસુખના સમકાલીન હતા. પણ તે ઉપલબ્ધ નથી તેથી તેની અસર અનુયાગમાં છે કે નહિ તે જાણી શકાય તેમ નથી. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ સંભવે છે કે માઠરનું નામ અનુગની સૂચીમાં પછી પણ ઉમેરવામાં આવ્યું હિય. કારણ, પ્રમાણચર્ચામાં ખાસ કરી અનુમાન વિષેના વિવરણમાં, માઠર સાથે કેટલુંક સામ્ય છતાં તેની છા૫ અનુગાર ઉપર હોય તેમ જણાતું નથી. વળી કપિલ પછી લેકાયતને નિર્દેશ છે અને ત્યાર પછી સતિંત અને માઠરને ઉલ્લેખ છે તે પણ સૂચિત કરે છે કે મારનું નામ પછીથી ઉમેરાયું હશે. ઉપાયહૃદય અને ચરક જેવા ગ્રંથ સાથે અમુક બાબતમાં અનુયેગની ચર્ચા સમાન છતાં બધી બાબતમાં તેનું અનુકરણ નથી એ પણ સ્પષ્ટ છે. એટલે માનવું પડે છે કે અનુગગત પ્રમાણચર્ચાને આધાર માકર કે ઉપાયદય નથી, પણ કે પ્રાચીન પરંપરા છે. વિવરણ માટે જુઓ આગમયુગકા જૈનદર્શન પૃ. (૧૮-૧૫૬). ' ડ. વેબરે અનુગદ્વારનો સમય ઈ. ત્રીજીથી પાંચમી સુધીમાં માન્ય છે. તેને સંકેચ કરી કહી શકાય કે તે ઈસ્વીની દ્વિતીય સતીમાં સંકલિત થઈ ગયું હશે. કારણ કે તેમાં જે ચાર પ્રમાણુની ચર્ચા છે તે ન્યાય–વૈશેષિક, માઠર, ચરક અને ઉપાયહૃદય વગેરે બૌદ્ધ-ઇત્યાદિમાંથી કોઈનું અનુકરણ હોય તેમ જણાતું નથી. એવી સ્થિતિમાં અને તરંગવતી જેવા ગ્રંથને એમાં ઉલ્લેખ હોઈ તે વિક્રમની પ્રથમશતીથી પ્રાચીન તો સિદ્ધ થઈ શક્યું નથી એટલે તેને ઈસવીસનની - દ્વિતીય સતીમાં કયારેક માનીએ તો, અત્યારે તો બાધક જણાતું નથી. કોઈ પણ હાલતમાં તે, પ્રથમ જણાવી ગયા તે પ્રમાણે, વિક્રમ ૩૫૭ પછીની તે રચના કે સંકલના નથી જ; તેથી ઈ. સ. ૩૦૦ પછી તો તેને સમય કલ્પી શકાય તેમ નથી. (શ્રી મહાવીર વિદ્યાલય દ્વારા પ્રકાશિત આગમ ગ્રન્થમાળાના પ્રથમ ભાગની પ્રસ્તાવના ત્રણ નામે મુદ્રિત છે તેમાં જે મારે લખેલ અંશ છે તે અહીં ઉદધૃત છે–દ. મા.) Page #388 -------------------------------------------------------------------------- ________________ આગમયુગના વ્યવહાર અને નિશ્ચયના ૧. અધિગમના વિવિધ ઉપાયા જૈન દર્શીનમાં વસ્તુના નિરૂપણમાં સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદના આશ્રય લેવામાં આવે છે, અને એ સ્યાદ્વાદ કે અનેકાંતવાદના આધાર વિભિન્ન નયેા છે. ભગવાન મહાવીરે અનેક પ્રશ્નોના ઉત્તરે ભગવતીસૂત્રમાં આપ્યા છે. તેનુ વિશેષ અધ્યયન કરીએ તે એ વાત સ્પષ્ટ થાય છે કે તેમના તે ઉત્તરા હઠાગ્રહીના નથી. તેમાં કદાગ્રહ દેખાતા નથી, પણ વસ્તુને વિવિધ રીતે તપાસવાના પ્રયત્ન છે; અને વસ્તુને વિવિધ રીતે તપાસવી હોય તે તેમાં દૃષ્ટિકોણા બદલવાની જરૂર પડે છે. આ અદ્દલાતા દષ્ટિકાણાને શાસ્ત્રીય પરિભાષામાં નયા કહેવામાં આવે છે. જૈન આગમામાં વસ્તુને જોવાના જે વિવિધ ઉપાયો બતાવવામાં આવ્યા છે, તેમાં જુદી જુદી જાતનાં વગી કરણા નજરે પડે છે. જેમ કે— (૧) દ્રવ્ય ક્ષેત્ર-કાલ-ભાવ વગેરે તેમાંના એક વમાં એક પ્રકાર દ્રવ્યક્ષેત્ર–કાલ–ભાવના છે, આને જ બીજો પ્રકાર દ્રવ્યક્ષેત્ર–કાલ–ભાવ-ગુણના છે, ત્રીજો પ્રકાર દ્રવ્ય ક્ષેત્ર–કાલ–ભાવ–ભાવના છે અને ચોથા પ્રકાર દ્રવ્ય—ક્ષેત્ર—કાલ–ભવ–ભાવ–સંસ્થાનના છે. પ્રથમ પ્રકારના દ્રવ્યાદિ ચાર એ જ મુખ્ય છે અને એમાંના ભાવના જ વિશેષો ભવ, ગુણુ કે સંસ્થાન છે. કારણ કે ભાવ એ પર્યાય છે અને ભાવ, ગુણુ કે સંસ્થાન પણ પર્યાયવિશેષા જ છે. આથી આ વની પ્રતિષ્ઠા વ્યાદિ ચતુષ્ટને નામે વિશેષરૂપે જૈન દર્શનના પ્રથામાં જોવામાં આવે છે. (૨) દ્રબ્યાર્થિ ક, પર્યાયાથિક વગેરે દૃષ્ટિના બીજા વગી કરણમાં દ્રવ્યાર્થિ ક અને પર્યાયાથિક દૃષ્ટિ મુખ્ય છે; જ્યારે એને જ ખીજી રીતે દ્રવ્યાર્થિ ક અને પ્રદેશાકિરૂપે અથવા આધઆદેશ અને વિધાનઆદેશરૂપે પણ મૂકવામાં આવી છે. આગમગત આ એ દૃષ્ટિએ જ મુખ્યરૂપે નયા તરીકે પ્રતિષ્ઠિત થઈ છે; અને તે એ દૃષ્ટિએના આગળ જઈ પાંચ નયા, છ નયા અને સાત નયા તથા વચનના જેટલા પ્રકાર હોય તેટલા નોા— એમ ભેદ કરવામાં આવ્યા છે. પણ તેના સાત ભેદો એ દર્શનયુગમાં વિશેષરૂપે માન્ય થયા છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ (૩) નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ ત્રીજા વર્ગમાં નામ–સ્થાપના–દ્રવ્ય–ભાવ એ ચાર નિક્ષેપો અથવા એથી વધુ નિક્ષેપોનું સ્થાન છે. આમાં મુખ્યરૂપે શાબ્દિક વ્યવહારને આધાર શેધવાની પ્રવૃત્તિ છે. નિક્ષેપ અનેક છતાં દશનયુગમાં અને આગની ટીકાઓમાં પણ ઉક્ત ચાર નિસેપોને જ મુખ્ય માનવામાં આવ્યા છે. (૪) જ્ઞાનનય અને ક્રિયાનય ચોથા વર્ગમાં જ્ઞાનનય અને ક્રિયાનય, એટલે કે, જીવનમાં જ્ઞાનને મહત્વ આપવાની દૃષ્ટિ અને ક્રિયાને મહત્ત્વ આપવાની દૃષ્ટિ : મૂળ આગમમાં આ બે નને ઉલ્લેખ નથી પણ નિયુક્તિભાવ્યોમાં તે સ્પષ્ટ છે–વિશેષા. ગા૦ ૩૫૯૧, ૩૬૦૦, ૩૬ ૦૧. (૫) વ્યવહાર અને નિશ્ચય અને પાંચમા વર્ગમાં ભગવતીસૂત્ર અને બીજા આગમિક ગ્રંથોમાં ઉલિખિત વ્યવહાર અને નિશ્ચયનયનો સમાવેશ છે. (૬) નય અને પ્રમાણ અને છેવટે નય અને પ્રમાણથી વસ્તુનો અધિગમ થાય છે–એમ મનાયુ છે. આનો અર્થ એ છે કે છૂટા છૂટા દૃષ્ટિકોણથી અર્થાત્ તેને આધારે થતું દર્શન એ આંશિક છે; ત્યારે પ્રમાણથી કરાયેલું દર્શન પૂર્ણ છે. આમ વસ્તુતઃ જ્યારે નય અને પ્રમાણુરૂપ ઉપાયનું અવલંબન લેવામાં આવે ત્યારે જ વસ્તુના અંતિમ અને પૂર્ણ સ્વરૂપનું ભાન થાય છે. ૨. વ્યવહાર અને નિશ્ચયનય અથવા સંતિસત્ય અને પરમાથસત્યવિશ્વને સત્ય અને મિથ્યા માનનારાં દર્શને ભારતીય દર્શનો સ્પષ્ટ રીતે બે વિભાગમાં વહેંચાઈ જાય છે. એકમાં બાહ્ય દશ્ય અને વાએ વિશ્વને સત્ય માનનારાં અને બીજામાં મિથ્યા અથવા માયિક માનનારાં છે. શાંકરવેદાંત, શૂન્યવાદ, વિજ્ઞાનવાદ આદિ દશને બાહ્ય વિશ્વને મિથ્યા માયિક, સાંસ્કૃતિક કે પ્રપંચ માની તેની વ્યાવહારિક સત્તા અથવા સાંતિક સતા સ્વીકારે છે; જ્યારે શૂન્ય, વિજ્ઞાન કે બ્રહ્મને પારમાર્થિક સત સ્વીકારે છે. આથી વિપરીત બાહ્ય દેખાતા જગતને સત્ય માનનાર વર્ગમાં પ્રાચીન બૌદ્ધો, જેને, ન્યાયવૈશેષિક, સાંખ્ય, મીમાંસકે આદિ છે. - આમાં વિશેષાવશ્યક ભાષ્યની ગાથાઓના અંકે મલધારી હેમચંદ્રાચાર્ય કૃત ટીકાના સમજવા. Page #390 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિબિંદુના આ ભેદને કારણે દૈતવાદ અને અતવાદ અને એવા બે ભેદોમાં સામાન્ય રીતે દર્શનેને વહેચી શકાય છે. અદ્વૈતવાદીઓએ પિતાના દર્શનમાં સામાન્ય જનની દષ્ટિએ જે કંઈ દેખાય છે તેને લૌકિક કે વ્યાવહારિક કે સાંસ્કૃતિક કહ્યું, જ્યારે જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં જે આવે છે તેને પારમાર્થિક, અલૌકિક કે પરમ સત્ય કહ્યું. આમાં દશનભેદની કલ્પનાને આધારે અપેક્ષાભેદને વિચારમાં સ્થાન મળ્યું. તેને આધારે વ્યવહારદષ્ટિ, સંતિ, અવિદ્યા, વ્યવહારનય અથવા વ્યવહારસત્ય અને પરમાથદૃષ્ટિ, નિશ્વયદષ્ટિ, નિશ્ચયનય કે પરમાર્થ સત્ય જેવા શબ્દ તે તે દર્શનમાં વપરાવા લાગ્યા છે. છતાં પણ આ બધાંને અથ સૌને એકસરખે માન્ય નથી તે કહેવાની ભાગ્યે જ જરૂર છે. આનું કારણ એ છે કે તે તે દર્શનની મૌલિક વિચારધારામાં જે ભેદ છે તેને લઈને લૌકિક સત્યમાં પણ ભેદ પડે છે. વેદાન્તદર્શનમાં મૌલિક વિચારને આધાર ઉપનિષદે છે, જ્યારે બૌદ્ધ શુન્યવાદ હોય કે વિજ્ઞાનવાદ, તેમના મૌલિક વિચારને આધાર બુદ્ધનો ઉપદેશ છે. તત્ત્વની પ્રક્રિયામાં જે ઉપનિષદ્ દર્શન અને જે પ્રકારનું બુદ્ધ દર્શન એ બેમાં જે પ્રકારને ભેદ છે તે જ પ્રકારને ભેદ વેદાન્તના અને બૌદ્ધના અદ્વૈતવાદમાં પડવાને. ઉપનિષમાં બ્રહ્મમાંથી કે આત્મામાંથી સૃષ્ટિનિષ્પત્તિની જે પ્રક્રિયા હોય તેને આધારે લૌકિક સત્યનું નિરૂપણ વેદાન્તમાં કરવામાં આવે અને તેથી વિપરીત બુદ્ધના ઉપદેશમાં જે સૃષ્ટિપ્રક્રિયા હોય તેને મૂળ માની લૌકિક સત્યનું નિરૂપણ કરવામાં આવે. આમ બાહ્ય જગતના ભેદને લૌકિક સત્યના નામે બન્ને વિરોધીઓ ઓળખતા હોય, છતાં પણ તેમની પ્રક્રિયાનો ભેદ તો રહે જ છે અને લૌકિક સત્યને નામે વેદાન્તની બધી જ વાત બૌદ્ધ ન સ્વીકારે અને બૌદ્ધની બધી જ વાત વેદાન્ત ન સ્વીકારે એમ પણ બને છે. અતવાદીઓના ઉક્ત શબ્દપ્રયોગોની પાછળ જે એક સમાન તત્ત્વ છે તે તે એ છે કે અવિદ્યા જ્યાં સુધી હોય છે ત્યાં સુધી પરમ તત્વનો સાક્ષાત્કાર થતો નથી અને જ્યારે અવિદ્યાનું આવરણ દૂર થાય છે ત્યારે પરમ તત્વને સાક્ષાત્કાર થાય છે. આ બાબત અદ્વૈતવાદ અને દ્વૈતવાદનું પણ એક છે જ. જે ભેદ છે તે એ કે અવિદ્યાને કારણે તે તે દર્શનોએ ગણુવેલ તત્ત્વને સાક્ષાત્કાર થતો નથી. અર્થાત અવિદ્યા દૂર થતાં જે પરમ તત્વને સાક્ષાત્કાર થાય છે તે અદ્વૈતવાદ અને દૈતવાદમાં ભિન્ન ભિન્ન છે. પ્રસ્તુતમાં જૈન સંમત વ્યવહાર અને નિશ્ચયનયને વિચાર આ સંદર્ભમાં કરી છે. પ્રથમ કહેવાઈ જ ગયું છે કે જેના દર્શન અતવાદી નથી. આથી તેમાં જ્યારે ૨૪ . Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ વ્યવહાર અને નિશ્ચયનયન જેવા શબ્દોનો પ્રયોગ થાય ત્યારે તે શબ્દોને તાત્પર્યાથ કાંઈક જુદો જ હોવા જોઈએ; અન્યથા તે પણ અદ્વૈતવાદની હરોળણાં જઈ ને એસી જાય. પણ જૈન દનના વિકાસમાં એવી ભૂમિકા કચારેય આવી જ નથી; જ્યારે તેમાં દ્વૈતવાદની ભૂમિકા છેોડીને સ`પૂર્ણ રીતે અદ્વૈતવાદી વલણ અપનાવવામાં આવ્યુ હોય. પ્રસ્તુતમાં વ્યવહાર અને નિશ્ચય વિષે આગમયુગ એટલે કે ભગવાન મહાવીર પછી લગભગ હજાર બારસો વર્ષ સુધીનું આગમિક શ્વેતામ્બર સાહિત્ય લઈ વિચાર કરવાના ઇરાદો છે. તે એટલા માટે કે આ એ નયેાના અવિસ્તાર ક્રમે કરી કેવી રીતે થતા ગયા છે અને તેમાં તે તે કાળની દાનિક ચર્ચાઓએ કે ભાગ ભજવ્યો છે તે શોધી કાઢવાનું કામ દર્શીનના પ્રતિહાસના અભ્યાસી માટે સરળ પડે. ૩. આગમમાં વ્યવહાર-નિશ્ચય ઈન્દ્રિયગમ્ય અને ઇન્દ્રિયથી અગત્સ્ય ભગવતીસૂત્રગત વ્યવહાર અને નિશ્ચયનાં જે ઉદાહરણ છે તેમાંથી એક વસ્તુ ફલિત થાય છે કે વસ્તુનુ ઇન્દ્રિયા વડે કરાયેલું ન આંશિક હોય છે અને સ્થૂલ હોય છે. વળી તે અનેક લોકોને એકસરખું થતું હોઈ લોકસમત પણ હોય છે અને એવી લાકસંમતિ પામતું હોઈ તે બાબતમાં લો કશી આપત્તિ પણ કરતા નથી અને તે બાબતમાં શંકા વિના પારસ્પરિક વ્યવહાર સાધે છે. આથી આવા દનને વ્યવહારસત્ય માનવામાં લાકવ્યવહારનો આશ્રય લેવામાં આવેલા હાવાથી તે વ્યવહારનય કહેવાયા છે; જ્યારે વસ્તુનું એવું પણ રૂપ છે જે ઇન્દ્રિયાતીત છે, ઇન્દ્રિયા તે જાણી શકતી નથી, પણ આત્મા પોતાની નિરાવરણ દશામાં પૂર્ણ પ્રજ્ઞા વડે તે જાણે છે. વસ્તુના આ રૂપને તેનું યથા' રૂપ માનવામાં આવ્યું છે અને તેને ગ્રહણ કરનાર તે નિશ્ચયનય છે. ભગવતી સૂત્ર (૧૮.૬. સૢ૦ ૬૩૦)માં ભગવાને સ્પષ્ટ કર્યુ છે કે ગાળને ગળ્યા કહેવા તે વ્યવહારનય છે, પણ નિશ્ચયનયે તે તેમાં બધા પ્રકારના રસા છે. ભમરાને કાળા કહેવા તે વ્યવહારનય છે અને તેમાં બધા વર્ણા છે તે નિશ્ચયનય છે. આ આબતમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શી આદિ વિષેના હળદર વગેરે અનેક ઉદાહરણ આપી સ્પષ્ટ કર્યુ` છે કે નરી આંખ વગેરે ઇન્દ્રિયા વડે જે વર્ણા, રસા ઇત્યાદિ આપણે જાણીએ છીએ અને તે તે દ્રવ્યમાં તે તે વર્ણાદિ છે એમ કહીએ છીએ, તે બધા Page #392 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર છે, પણ વસ્તુતઃ નિશ્ચય દષ્ટિએ તે તે તે દ્રવ્યમાં બધા જ વર્ણાદિ છે. અગ્નિ જેવી વસ્તુ આપણને ભલે ગરમ જ દેખાતી હોય અને બરફ જેવી વસ્તુ ભલે માત્ર ઠંડી જ લાગતી હોય પણ તેના નિર્માણમાં જે પુદ્ગલ પરમાણુઓ છે તે પરમાણુઓમાંના વધારે પરમાણુ જે ઉષ્ણસ્પર્શરૂપે પરિણત થયા હોય તે તે ઉષ્ણુ લાગે, પણ તેનો અર્થ એ નથી કે તેમાં શીત પરમાણુઓનો અંશ છે જ નહિ. વળી, જે પરમાણુ અમુક કાળે ઉષ્ણુરૂપે પરિણત હોય તે જ પરમાણુ અગ્નિ ઉપર પાણી પડતા શીતરૂપે પરિણુત થઈ જાય છે, એટલે કે શતરૂપે પરિણત થવાની શક્તિ તેમાં છે, અથવા તે શીતગુણ અવ્યક્ત હતો તે વ્યક્ત થાય છે. તેને જે સર્વથા અભાવ હોત તો તે ખરશૃંગની જેમ ઉત્પન્ન જ થઈ શત નહિ. માટે માનવું પડે છે કે અગ્નિદ્રવ્યના પરમાણુઓમાં પણ શતગુણને સ્થાન છે. આપણે સ્કૂલ રીતે અથવા તે જે વર્ણનું કે રસાદિનું પ્રમાણ વધારે હોય તેને પ્રાધાન્ય આપીને વ્યવહાર ચલાવીએ છીએ. પણ એનો અર્થ એ નથી કે તે તે દ્રવ્યમાં અન્ય વર્ણાદિનો સર્વથા અભાવ છે. ભગવાને આ પ્રકારને ખુલાસો કર્યો તેનું રહસ્ય એ છે કે જૈન દર્શનમાં પ્રત્યેક પરમાણુમાં તે તે વર્ણાદિરૂપે પરિણત થવાની શકિત સ્વીકારાઈ છે. અમુક કાળે ભલે કઈ પરમાણુ કાળા હોય પણ તે અન્ય કાળે રક્ત થઈ શકે છે. આને જ કારણે જેન દર્શનમાં અન્ય વૈશેષિક આદિની જેમ પાર્થિવ, જલીય આદિ પરમાણુઓની જાતિ જુદી માનવામાં નથી આવી, પરંતુ મનાયું છે કે અત્યારે જે પરમાણુ પૃથ્વીરૂપે પરિણત હોય તે જ પરમાણુ અન્યકાળે જલ કે તેજ–અનિરૂપ પરિણુત થઈ શકે છે. આને કારણે યૂલ દષ્ટિ અથવા તે ઇન્દ્રિયપ્રત્યક્ષ, જે જૈન દર્શન અનુસાર વસ્તુત: પ્રત્યક્ષ પણ નથી પણ સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે, તેને આધારે આપણને અમુક વસ્તુ કાળી કે ઉષ્ણુ દેખાતી હોય છતાં પણ તાત્વિક રીતે, એટલે કે સર્વે જે રીતે તેને જોઈ છે તે રીતે તો તે માત્ર તે જ વણું કે સ્પર્શદિવાળી નથી, પણ તેમાં બધાં જ વર્ણાદિ છે એમ નિશ્ચયનયનું મન્તવ્ય છે. વળી નરી આંખે ઉપર ઉપરથી કાળો રંગ દેખાય છતાં વસ્તુની અંદરના અવયવોમાં રહેલ અને આંખ સામે નહિ આવેલ અવયવોમાં બીજા રંગે હોય તેને તો આંખ દેખી શકે નહિ અને ભમરે કાળે છે એમ તો આપણે કહીએ છીએ પણ બહાર દેખાતે ભમરે એ જ કાંઈ ભમરે નથી પણ ખરી રીતે સમગ્ર અંદરબહાર જે પ્રકારનો તે હોય તે ભમરે છે. આ પરિસ્થિતિમાં તેને કાળા કહેવો તે માત્ર વ્યવહારની ભાષા છે. તેમા બીજા પણ રંગો હોઈ તેને નિશ્ચયથી બધા વર્ણયુક્ત સ્વીકારવો જોઈએ. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ અહીં એક વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે કે નિશ્ચયનય વ્યવહારનયે જાણેલ કાળાના નિરાસ નથી કરતા; પણ તે જ માત્ર છે અને ખીન્ન નથી એવેા ભાવ એમાં હાય તા તેના નિષેધ નિશ્ચયનય કરે છે. નિશ્ચયનય માત્ર વ્યવહારની સ્થૂલતા અને એકાંગિતાને નિરાસ કરે છે. એટલે કે વ્યવહારે જાણેલ, નિશ્ચય દ્વારા સર્વથા મિથ્યા નથી ઠરતું, પણ તે આંશિક સત્ય છે, સ્કૂલ સત્ય છે એમ નક્કી થાય છે. સાત તા-તર્ગત વ્યવહાર આગળ કહેવાંઈ ગયું છે કે દ્રવ્યાચિક અને પર્યાયાથિક મૂળનયેા હતા તેના જ કાળક્રમે પાંચ-છ-સાત એવા ભેદો કરવામાં આવ્યા છે. એ નયેાના ભેદમાં પણ એક વ્યવહારનય ગણાવવામાં આવ્યા છે. એટલે નિશ્ચયના અનુસ ધાનમાં આવત વ્યવહારનય અને આ સાત ભેમાંને! વ્યવહારનય એક છે કે જુદા તે પણ વિચારવું જોઈ એ. અનુયાáારસૂત્રમાં પ્રસ્થ વગેરેનાં દૃષ્ટાંતથી સાત નયાને સમજાવવામાં આવ્યા છે. ત્યાં પ્રસ્થ દષ્ટાંતમાં (અનુયોગ સ્૦ ૧૪૪ હે॰ ટીકા) સાતે નયાના અવતરણુ પ્રસંગે અવિશુદ્ધ નૈગમના પ્રારંભ——પ્રસ્થ માટે સકલ્પ કરી કોઈ વ્યક્તિ જં ગલમાં તે માટે લાકડા કાપવા જાય છે ત્યારે ‘પ્રસ્થ માટે જાઉં છુ” એમ કહે છે યારથી થાય છે; એટલે કે તેણે લાકડા માટે જાઉં છું એમ ન કહ્યું પણ સંકલ્પમાં રહેલ પ્રસ્થ માટે જાઉં છું એમ કહ્યું તે નેગમનય છે, પણ તે અવિશુદ્ધ છે. પછી તે લાકડુ કાપે છે ત્યારે, તેને છેલે છે ત્યારે, તેને અંદરના ભાગમાં ઊતરે છે ત્યારે અને તેની સફાઈ કરે છે—સુંવાળપ આપે છે ત્યારે પણ તે પ્રસ્થ વિષેની જ વાત કરે છે. તે બધા પ્રસંગે તે ઉત્તરાત્તર પ્રસ્થની નજીક છે પણ જ્યાં સુધી તે પ્રસ્થ તેના અંતિમ રૂપમાં તૈયાર ન થયું હોય ત્યાં સુધી તે કાંઈ વાસ્તવિક વ્યવહારયોગ્ય પ્રસ્થ કહેવાય નહિ. આથી આ બધા નૈગમનયા ઉત્તરેાતર અવિશુદ્ધમાંથી વિશુદ્ધ, વિશુદ્ધતર નેગમે છે; અને જ્યારે પ્રસ્થ બનાવવાની બધી ક્રિયા પૂરી થઈ જાય અને તેને પ્રસ્થ એવું નામ આપી શકાય ત્યારે તેને જે ‘પ્રસ્થ’ એમ કહેવાય છે તે પણ વિશુદ્ધતર નાગમનયના વિષય છે અને તૈયાર થયા પછી તે વ્યવહારમાં પ્રસ્થ તરીકે વપરાય છે ત્યારે પણ તે પ્રસ્થ નામે એળખાય છે તેથી વ્યવહારનયનો વિષય બને છે. એટલે કે નાગમનયના અ ંતિમ વિશુદ્ધ નાગમે ‘પ્રસ્થ’ નામ ધરાવવાની યોગ્યતા જ્યારે આવી ત્યારે તેને પ્રસ્થ કહ્યું અને તે જ્યારે તે રૂપે વ્યવહારમાં આવ્યું અને લેાકમાં તે અે પ્રચલિત થઈ ગયું ત્યારે તે પ્રસ્થ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ વ્યવહારનયને વિષય બની ગયું. સારાંશ એ છે કે નિગમમાં પ્રસ્થરૂપમાં ન હોય ત્યારે પણ તે પ્રસ્થ કહેવાયું; પણ વ્યવહારમાં તો ત્યારે જ પ્રસ્થ કહેવાય જ્યારે તે પ્રસ્થરૂપે વાપરી શકાય તેવું બની ગયું હોય. સારાંશ છે કે અહીં વ્યવહારનયનો વિષય છે તે નામે લેકમાં ઓળખાતી વસ્તુ–વિશેષ વસ્તુ એમ થાય છે. માત્ર સામાન્ય લાકડાને વ્યવહારનય પ્રસ્થ નહિ કહે; જો કે એ જ લાકડું પ્રસ્થ બન્યું છે કારણ કે લેકવ્યવહારમાં લાકડા તરીકે તે પ્રસ્થ અને બીજા પણ અનેક લાકડાં છે, પણ એ બધાં લકડાંના પ્રકારમાંથી વિશેષ આકૃતિવાળાં લાકડાંને જ પ્રસ્થ કહેવામાં આવે છે, બધાને નહિ; તત્ત્વની ભાષામાં કહેવું હોય તો વ્યવહારનય સામાન્યગ્રાહી નહિ પણ વિશાહી છે એમ ફિલિત થાય છે. આ દષ્ટાંત દ્રવ્યનું છે. પણ ક્ષેત્રની દષ્ટિએ વ્યવહારનયનું ઉદાહરણ વસતિ (અનુ. સુત્ર ૧૪ ) દષ્ટાંતને નામે ઓળખાય છે. તમે કયાં રહો છો ?—એવા પ્રશ્નના ઉત્તરમાં કોઈ લોકમાં રહું છું” એમ શરૂ કરીને ઉત્તરોત્તર કહે કે “તિર્લ લેકમાં, ‘જબૂદીમાં, ‘ભારતમાં’, ‘દક્ષિણ ભારતમાં’, ‘પાટલિપુત્રમાં”, “દેવદત્તના ઘરમાં, અને છેવટે દેવદત્તના ઘરના ગર્ભગૃહમાં રહું છું -- એમ કહે છે. આ અવિશુદ્ધ નિગમથી શરૂ કરીને વિશુદ્ધતર નગમના ઉદાહરણ છે. વિશુદ્ધતર નિગમે જે ઉત્તર આવ્યો કે ગર્ભગૃહમાં રહું છું, લેકવ્યવહારમાં એવો ઉત્તર મળે તે જ તે કાર્યસાધક બને, આથી તે જ ઉત્તર વ્યવહારનયને પણ માન્ય છે. ગર્ભગૃહ પણ સમગ્ર લેકને એક ભાગ હોઈ લોકમાં રહું છું” એ ઉત્તર અસદુત્તર તો નથી, પણ તે ઉત્તરથી લૌકિક વ્યવહાર ચાલી શકે નહિ એટલે લોકવ્યવહાર માટે જરૂરી છે કે સમગ્ર લોકમાં પ્રતિનિયત પ્રદેશ નિવાસસ્થાન તરીકે જણાવવામાં આવે. આમ આ દષ્ટાંતથી પણ વ્યવહાર વિશેષગ્રાહી છે એમ નિશ્ચિત થાય છે. જેમ પૂવ દષ્ટાંતમાં લાકડું એ જ પ્રસ્થ છતાં લાકડાની વિશેષ આકૃતિ સિદ્ધ થાય ત્યારે જ તે પ્રસ્થની ક્રિયા કરી શકે છે અને લેકવ્યવહારમાં આવે છે, તેથી વિશેષ પ્રકારનું લાકડું એ પ્રસ્થ એવા નામને પામી, માપણીને લોકવ્યવહાર સિદ્ધ કરે છે. એટલે કે સંકલ્પમાં રહેલ પ્રસ્થ નહિ, પણ બાહ્ય પ્રસ્થની આકૃતિ ધારણ કરેલ પદાર્થ લેકમાં પ્રસ્થનું કામ આપે છે. માટે તે જ પ્રસ્થ વ્યવહારનયનો વિષય છે. આ પ્રકારે પૂર્વોક્ત બન્ને દષ્ટાતા દ્વારા વ્યવહારનય વિવગ્રાહી છે એ વાતને સમર્થન મળે છે. જે ભેદ છે તે એ કે ગમે સંકલ્પના વિષય લાકડાને પણ પ્રસ્થ કહ્યું અને વ્યવહારે પ્રસ્થાકાર લાકડાને પ્રસ્થ કહ્યું. આમ આમાં દ્રવ્ય Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ અને તેના પર્યાયને નજર સમક્ષ રાખી પ્રસ્થ દષ્ટાંત છે; જ્યારે વસતિ દષ્ટાંતમાં અવયવ અને અવયવીના વિચારને આધારે નૈગમ–વ્યવહારની વિચારણા કરી હોય તેમ જણાય છે કારણ કે નૈગમે તે સમગ્ર લેકરૂપ અવયવી દ્રવ્યને પિતાને વિષય બનાવી ઉત્તરોત્તર સંકુચિત એવા ખંડોને તે સ્પર્શે છે અને છેવટે વિશુદ્ધતર નૈગમ તેના સંકુચિતતર પ્રદેશને પકડીને નિવાસસ્થાનને નિર્દેશ કરે છે. ગમે ચીધી આપેલા તે પ્રદેશને જ વ્યવહાર પણ વ્યક્તિના નિવાસસ્થાન તરીકે સ્વીકારી લે છે. આમ અખંડ દ્રવ્યમાંથી તેના ખંડને વ્યવહાર સ્પર્શે છે. આ દષ્ટિએ પ્રસ્થ અને વસતિ દષ્ટાંતનો ભેદ હોઈ આને દ્રવ્ય નહિ પણ મુખ્યપણે ક્ષેત્રની. દષ્ટિએ દૃષ્ટાંત આપ્યું છે તેમ કહી શકાય. અનુગદ્વારમાં (સૂ૦ ૧૪૪) ત્રીજુ ઉદાહરણ પ્રદેશ દષ્ટાંતનું છે. આમાં કોઈ કહે છે કે સંગ્રહ ને મતે પાંચ(દ્રવ્ય)ના પ્રદેશ છે તે આ પ્રમાણે – ધમપ્રદેશ, અધમપ્રદેશ, આકાશપ્રદેશ, જીવપ્રદેશ અને સ્કંધપ્રદેશ. પણ આની સામે વ્યવહારનયનું કથન છે કે તમે જે પાંચ(દ્રવ્ય)ના પ્રદેશ કહો છો તે બરાબર નથી; તેમાં તો ભ્રમ થવાનો સંભવ છે; જેમ કે કઈ કહે કે પાંચ ગોષ્ઠિક (એક કુટુંબના) પુરુષોનું સુવર્ણ છે તે તેમાં પાંચના પ્રદેશ કહેવાથી તે પ્રદેશ પાંચેના ગણાય—ઈ એકના નહિ. માટે કહેવું જોઈએ કે પ્રદેશના પાંચ પ્રકાર છે. આમ સંગ્રહમાં પ્રદેશ સામાન્ય માનીને નિરૂપણું હતું જ્યારે વ્યવહારમાં પ્રદેશ વિશેષને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે; અર્થાત વ્યવહાર ભેદપ્રધાન છે. વ્યવહારનયના આ. દૃષ્ટાંતથી સ્પષ્ટ થાય છે કે વ્યવહારમાં ઉપયોગી સામાન્ય નહિ પણ તેના ભેદો છે. એટલે તે ભેદમૂલક વ્યવહારને પ્રાધાન્ય આપે છે. પૂર્વોક્ત બે દષ્ટાંત અને આમાં શે ભેદ છે એ પ્રશ્ન વિચારણીય છે. પ્રસ્થ દૃષ્ટાંત તો સ્પષ્ટપણે દ્રવ્ય અને તેના પર્યાય વિષે છે; એટલે કે ઊર્ધ્વતા સામાન્ય દ્રવ્ય અને તેના પર્યાય વિષે છે; વસતિ દષ્ટાંતમાં દ્રવ્ય અને તેના પ્રદેશની વાત છે; એટલે કે એક જ દ્રવ્યના ખંડની વાત છે. આમાં તે ખંડને પર્યાય કહી તે શકાય, પણ તે પરિણમનને કારણે નહિ, પણ ખંડને કારણે. એટલે મુખ્ય રીતે આ દૃષ્ટાંત દ્રવ્યવ્યવહારનું નહિ પણ ક્ષેત્રવ્યવહારનું છે. અને પ્રદેશદષ્ટાંત જે છેલું છે તેમાં દ્રવ્ય સામાન્ય એટલે ઊર્ધ્વતાસામાન્ય નહિ પણ તિય સામાન્ય સમજાય છે અને પછી તે સામન્યના વિશે, ભેદ કે પર્યાનો વિચાર છે. આમ આ ત્રણે દૃષ્ટાંતે એક રીતે ભેદગ્રાહી, વિશેષગ્રાહી, પર્યાયગ્રાહી છતાં તેમાં વ્યવહારનો સૂક્ષ્મ ભેદ વિવક્ષિત છે. વ્યવહારનય ભેદગ્રાહી છે–આ વસ્તુ આચાર્ય પૂજ્યપાદે વ્યવહારનયની જે વ્યાખ્યા કરી છે તે પરથી પણ સિદ્ધ થાય છે. પરસામાન્યમાંથી Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ ઉત્તરોત્તર અપરાપર સામાન્યના ભેદ કરવા એવી વ્યાખ્યા પૂજ્યપાદે વ્યવહારની બાંધી આપી છે. આ ચર્ચાના પ્રકાશમાં જે આપણે અનુયોગ સૂત્રગત વ્યવહારની વચૂછું વિગિછિય€ વવાર —(અનુ. સૂત્ર ૧૫ર પૃષ્ઠ ૨૬૪; આ ગાથા આવશ્યકનિયુક્તિમાં પણ છે –ગા૦ ૭૫૬) આ વ્યાખ્યાનો અર્થ કરીએ તે સર્વદ્રવ્યોમાં વિનિશ્ચિત અને; એટલે કે સામાન્ય નહિ પણ વિશેષ કરી નિશ્ચિત અર્થાત ઉત્તરોત્તર ભેદને–વિશેષોને વ્યવહાર પિતાનો વિષય બનાવે છે એ સ્પષ્ટ અર્થ ફલિત થાય છે. આના પ્રકાશમાં આચાર્ય હરિભદ્ર વ્યવહારનયના અનુયોગગત લક્ષણને જે અર્થ કર્યો છે તે વ્યાજબી ઠરે છે. તેમણે વ્યાખ્યામાં કહ્યું છે કે ત્રગતિ નિરાધિ ચયનં વય:, અધિશ્વયો નિશ્ચય:=ામાન્યમ્ ! વિજ નિશ્ચય: વિનિશ્ચય = રિત સામાન્ય માવ: (પૃ. ૧૨૪) અર્થાત્ વ્યવહારનયને મતે સામાન્ય નહિ પણ વિશેષ મુખ્ય છે. એ જ આચાર્ય વળી આવશ્યકનિયુક્તિની વ્યાખ્યામાં આ પ્રમાણે કહ્યું છે : “વોઇ નિશ્ચય ‘f નિશ્ચય: કાનપાનાચાવવીધો તિવયવિદ્રવિદ્ધ તિ ” આવશ્યક નિયુક્તિ હારિ, ગાત્ર ૭૫૬; આના ભાષ્ય માટે જુઓ વિશેષા૨૨૧૩ થી. બને વ્યવહારમાં લેકનુસરણ નિશ્ચયના અનુસંધાનમાં વ્યવહારનય અને સાતનયના એક પ્રકાર તરીકે વ્યવહારનય એ બન્નેમાં જે વસ્તુ સાધારણું છે તે એ કે તે વિશેષગ્રાહી છે, અને વિળી બને વ્યવહારને લેકવ્યવહારમાં ઉપગી વિશેષ મહત્ત્વ આપે છે. વિશેષ સ્કૂલ બુદ્ધિગ્રાહ્ય છે પણ સામાન્ય સૂક્ષ્મ બુદ્ધિગ્રાહ્ય છે, અને લેકવ્યવહાર તે સ્કૂલ બુદ્ધિથી જ વિશેષ થાય છે તેથી નિશ્ચયના અનુસંધાનમાં વ્યવહારનયને મુખ્યરૂપ લેકવ્યવહારને અનુસરનાર માનવામાં આવ્યું અને સૂક્ષ્મબુદ્ધિગ્રાહ્ય વસ્તુને નિશ્ચયને વિષય માનવામાં આવી. અને આ સ્થૂલ–સૂક્ષ્મના વિચારભેદમાંથી જ નિશ્ચય અને વ્યવહારજ્યની આખી વિચારણાએ ક્રમે કરી માત્ર દ્રવ્યાનુયોગનું જ નહિ પણ ચરણનુયેગનું ક્ષેત્ર પણ સર કર્યું છે. અહીં એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે સાત નત્યાન્તગત વ્યવહારને વિષે તે વિશેષને વિષય કરે છે એ વાતનું સમર્થન ર્યા પછી પણ વિનિઝછઅર્થ એ પદને બીજે જે અર્થ આચાર્ય જિનભદ્ર કરે છે, તે નિશ્ચયનયના અનુસંધાનમાં આવતા વ્યવહારનો જે અર્થ છે તેનું અનુસરણ કરે છે; એટલે કે આગમગત ભમરાનું દૃષ્ટાંત આપીને જનપદમાં પ્રસિદ્ધ છે અથ તેને વ્યવહાર વિષય કરે છે એમ જણાવે છે–વિશેષા, ગ ૦ ૨૨૨૦. આથી સાત નયાન્તર્ગત વ્યવહાર અને નિશ્ચયના અનુસંધાનમાં આવતે વ્યવહાર બને નજીક આવી જાય છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ૪. નિયુક્તિમાં વ્યવહાર અને નિશ્ચય પૃથ્વી આદિ કાય વિષે આવશ્યકની અને બીજી નિયુક્તિઓમાં વ્યવહાર–નિશ્ચયનું ક્ષેત્ર વ્યાપક બન્યું હોય તેમ જણાય છે. આચારના ક્ષેત્રે અનેક પ્રશ્નો ઉભા થતા હતા તેથી આચાર વિષે અને તેને સ્પર્શતા દ્રવ્યાનગના પદાર્થો વિષે પણ સ્પષ્ટીકરણ કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી. તેથી આપણે નિયુક્તિઓમાં એવાં સ્પષ્ટીકરણે જોઈએ છીએ. શ્રમણોએ સ્થૂલ–સૂક્ષ્મ સર્વ પ્રકારના જીવની હિંસાથી બચવાની પ્રતિજ્ઞા લીધી હોય છે. સ્કૂલ જીવો તે દેખાય એટલે તેમની હિંસાથી બચવું સરલ હતું, પણ સૂક્ષ્મ જીવો દેખાતા નથી આથી તેમની હિંસાથી કેવી રીતે બચવું, એ સમસ્યા હતી. સામાન્ય રીતે જોતાં જ્યાં એમ લાગે કે અહીં સૂક્ષ્મ જીવન સંભવ નથી ત્યાં પણ કેવલીની દૃષ્ટિએ સૂક્ષ્મ જીવોને સંભવ હોય એમ બને અને વળી જ્યાં સૂક્ષ્મ જીવોનો સામાન્ય રીતે સંભવ મનાય ત્યાં પણ કેળવીને સૂક્ષ્મ જીનો અભાવ જણાય એવું પણ બને છે. તે એવે પ્રસંગે સાધક. જેને કેવળ જ્ઞાન નથી, તે શું કરે ? આવા જ કોઈ પ્રશ્નમાંથી પૃથ્વી આદિને વ્યવહાર અને નિશ્ચયે સચિત્ત—અચિત્ત માનવાની પ્રક્રિયા શરૂ થઈ હશે, તેનો પડઘે નિયુક્તિમાં પડ્યો છે. પિડનિયુક્તિમાં નિશ્ચય અને વ્યવહારદષ્ટિએ સચિત્ત પૃથ્વીકાયથી માંડી સચિત્ત વનસ્પતિકાય સુધીનો વિચાર કરવામાં આવ્યું છે.–પિંડનિયુક્તિ ગાઇ ૧૦–૧૧; ૧૬-૧૭; ૩૫-૩૬; ૩૮-૩૯; ૪૩–૪૪. પૃથ્વીકાય વિષે કહેવામાં આવ્યું છે કે નિશ્ચયથી સચિત્ત પૃથ્વીકાય પર્વતાદિને મધ્ય ભાગ છે, પણ વ્યવહારથી સચિત્ત પૃથ્વીકાય અચિત્ત અને મિત્રથી ભિન્ન હોય તે જાણવી. આ જ પ્રમાણે અપકાષ આદિ વિષે કહેવામાં આવ્યું છે કે તળાવ, વાવ આદિનું પાણી વ્યવહારથી સચિત્ત છે અને લવણાદિ સમુદ્રના મધ્ય ભાગ વગેરેનું પાણી નિશ્ચયથી સચિત્ત છે. એ જ પ્રમાણે તેજસ્કાય આદિ વિષે પણ વ્યવહાર–નિશ્ચયથી વિચાર કરવામાં આવ્યો છે. એમ કહેવાયું છે કે તળાવનું પાણુ સામાન્ય રીતે સચિત્ત જ હોય છે. પણ ભગવાન મહાવીરે પિતાના કેવળ જ્ઞાનવડે જાણ્યું કે અમુક તળાવનું પાણી અચિત્ત થઈ ગયું છે અને તાં પણ તેનું પાણી પીવાની અનુજ્ઞા તેમણે પોતાના શિષ્યોને આપી નહિ. તે એટલા માટે કે આગળ ઉપર આ ઉપરથી ધડે લઈ બીજા સાધુએ તેવા જ બીજા તળાવના પાણીને અચિત્ત માની પીવાનું શરૂ કરે તે દોષ લાગવાનો સંભવ હતો. આથી તેવા દોષને ટાળવા માટે તેમણે તે વિશિષ્ટ તળાવના પાણીને પીવાની પણ અનુજ્ઞા ન આપી, કારણ કે સામાન્ય રીતે તળાવનું પાણી સચિત્ત જ હોય છે એટલે તેમણે જે તળાવમાં સૂક્ષ્મ જીવોને અભાવ જોકે હવે તેને પણ વ્યવહારદષ્ટિએ Page #398 -------------------------------------------------------------------------- ________________ ३७७ સચિત્ત માનવા પ્રેરણા આપી અને તેનું પાણી પિવાની અનુજ્ઞા આપી નહિ. -નિશીથ ગા૦ ૪૮૫૯; બૃહત્કલ્પ ૯૯૯. નિશ્ચય-વ્યવહારથી સચિત્તને આવા જ વિચાર એથનિયુક્તિમાં પણ કરવામાં આવ્યો છે. —એઘનિયુક્તિ ગા૦ ૩૩૭–૩૬૩. આત્મવિધાત વિષે પિ`ડનિયુક્તિમાં દ્રવ્ય આત્મા અને ભાવ આત્માના ભેદ પાડવામાં આવ્યા છે, જ્ઞાનાદિ ગુણવાળુ જે દ્રવ્ય તે વ્યાત્મા છે એટલે કે પૃથ્વીકાય આદિ જીવાસ્તિકાય દ્રવ્ય તે દ્રવ્યાત્મા છે; અને જ્ઞાન-દર્શન-ચરણુ (ચારિત્ર) એ ત્રણ ભાવાત્મા છે. પરના પ્રાણાદિના વધ કરનાર સાધુ તે પરની ધાત તો કરે જ છે, પણ સાથે સાથે તે પોતાના ચરણરૂપ ભાવ આત્માને પણ વિધાત કરે છે ત્યારે પ્રશ્ન થાય છે કે તો પછી તે વખતે તેના જ્ઞાનાત્મા અને ર્શન આત્મા વિષે શુ માનવું ? ઉત્તરમાં વ્યવહાર અને નિશ્ચયનયના આશ્રય કરીને કહેવામાં આવ્યું છે કે નિશ્ચયનયને મતે ચરણાત્માના વિદ્યાત થયા હોય તેા જ્ઞાન-દનના પણ વધ માનવા જોઈ એ; અને વ્યવહારનયને મતે ચરણાત્માના વિદ્યાત થયા હોય તા નાન-દર્શોન આત્માના વિદ્યાતની ભજના છે. -પિંડનિયુક્તિ ગા૦ ૧૦૪-૧૦૫. આનું રહસ્ય એમ જણાય છે કે નિશ્ચનનય એ અહીં એવભૂત નય જેવા છે. એટલે તે કાળે ચરણાત્મવિદ્યાત કહે કે આત્મવિધાત કહે એમાં કશે ભેદ નથી. તેથી જ્યારે ચરણાત્માના વિદ્યાત થયે! ત્યારે તદભિન્ન જ્ઞાનદર્શન આત્માના પણ વિધાત થયા જ છે, કારણ; ચરણપર્યાયનું પ્રાધાન્ય માનીને આત્માને ચરણાત્મા કહ્યો છે પણ ઘાત તા પર્યાયાપન્ન આત્માના જ થયા છે, તેથી તે પર્યાયની સાથે કાલાદિની અપેક્ષાએ અન્ય પર્યાયાના અભેદ માનીએ તો ચરણાત્માના વિધાત સાથે જ્ઞાનદર્શનાત્માના પણ વિદ્યાત ઘટી જાય છે. વ્યવહારનય એ ભેદવાદી હાઇ ચરણ એટલે માત્ર ચરણ જ; તેથી ચરણના વિધાત સાથે જ્ઞાન-દર્શનના વિદ્યાત જરૂરી નથી, તેથી વ્યવહારનયે ભજના કહેવામાં આવી છે. ચરણવિધાતે દાન-દર્શનવિદ્યાત માનવા જોઈએ એ નિશ્ચયનયના ખુલાસા ભાયુગમાં જે કરવામાં આવ્યા છે તે વિષે આગળ ઉપર કહેવામાં આવશે. કાલ વિષે શ્રમણની દિનચર્યામાં કાલને મહત્ત્વનું સ્થાન છે, આથી કાવિચાર કરવા પ્રાપ્ત હતા. ગણિતની મદદથી વિશુદ્ધ દિનમાન કાઢી પૌરુષીના વિચાર કરવામાં આવે તે નિશ્ચયકાલ જાણુવા પણ લોકવ્યવહારને અનુસરી પૌરુષી માની વ્યવહાર કરવા તે વ્યવહારકાલ છે. —એધનિયુક્તિ ગા૦ ૨૮૨-૮૩. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ વળી, આવશ્યક નિયુક્તિની ચૂર્ણિ (પૃ૦ ૪૨)મા ખુલાસા કરવામાં અન્યેા છે કે નિશ્ચયનયને મતે દ્રવ્યાવદ ક્ષેત્રથી કાલ જુદે નથી. દ્રવ્યાવઅદ્ ક્ષેત્રની જે પરિણતિ તે જ કાલ છે. જેમ કે ગતિપરિત સૂર્ય જ્યારે પૂર્વ દિશામાં દેખાય ત્યારે તે પૂર્વા કહેવાય; અને જ્યારે તે આકાશના મધ્યમાં ઉપર દેખાય ત્યારે મધ્યાહ્નકાલ છે; અને જયારે ગતિપરિત તે પશ્ચિમ દિશામાં દેખાય તે અપરા ણકાલ કહેવાય, માટે નિશ્ચયનયને મતે દ્રવ્યપરિણામ એ જ કાલ છે. મૂલ આગમમાં જયારે વ-અજીત્રને કાલ કહેવામાં આવ્યા ત્યારે આ જ નિશ્ચય દૃષ્ટિને આશ્રય લેવામાં આવ્યા હતા એમ માનવું રહ્યું. સામાયિક ને ? નિયુક્તિમાં સામાયિક ોને પ્રાપ્ત થાય છે તેને ગત્યાદિ અનેક બાબતમાં વિચાર કરવામાં આવ્યેા છે. તેમાં દષ્ટિ એટલે સમ્યગ્દર્શનને લઈને જે વિચાર છે તે વ્યવહાર અને નિશ્ચય બન્ને દૃષ્ટિએ કરવાની સૂચના આપી છે; અટલે કે વ્યવહારનયે સામાયિક વિનાનાને જ સામાયિક થાય અને નિશ્ચયનયે સામાયિકસંપન્નને જ સામાયિક થાય. -આવશ્યક નિયુક્તિ ગા॰ ૮૧૪ (દીપિકા) અહિંસા વિચાર એધનિયુક્તિમાં ઉપકરણના સમનમાં જણાવવામાં આવ્યું છે કે બાહ્ય ઉપષિ છતાં જો શ્રમણ આધ્યાત્મિક વિશુદ્ધિ ધરાવતા હોય તે તે અપરિગ્રહી જ કહેવાય છે. આ છે નિશ્ચયદૃષ્ટિ "अज्झत्थविसोहिए उवगरण बाहिरं परिहरतो । अप्परिग्गहीत्ति भणिओ जिणेहिं तेलुक्कदंसीहि ||" —આનિ ગા૦ ૭૪૫ આમાંથી જ હિંસા-અહિંસાની વિચારણા કરવાનુ પણુ અનિવાય થયું; કારણ, જે કાંઈ અન્ય ત્રા છે તેના મૂળમાં તે અહિંસાત્રત અ જ છે. એટલે નિયુક્તિકાર કહે છે કે અહિંસાંને આધાર પણ આત્મવિશુદ્ધિ જ છે. આ સંસાર તે જીવાથી સકુલ છે; તેમાં જીવવધ ન થાય એમ બને નહિ, પણ શ્રમણની અહિંસાનેા આધાર તેની આત્મવિશુદ્ધિ જ છે "अज्झप्पविसोहीए जीवनिकाएहिं संथडे लोए । देसियमहिंसगत्तं जिणेहिं तेलोक्कदसीहिं ॥ ७४७॥” Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ કારણ કે અપ્રમત આત્મા અહિંસક છે અને પ્રમત્ત આત્મા હિંસક છે– આ નિશ્ચય છે. "आया चेव अहिंसा आया हिंसत्ति निच्छओ एसो । जो होई अप्पमतो अहिंसओ हिंसओ इयरो ॥ ७५४ ॥" આની ટીકામાં શ્રીમદ્ દ્રોણાચાર્ય જણાવે છે કે લોકમાં હિંસા-વિનાશ શબ્દની પ્રવૃત્તિ જીવ અને અછવ બન્ને વિશે થતી હોઈ ગમનને મતે જીવની અને અછવની બન્નેની હિંસા થાય છે એમ છે. અને તે જ પ્રમાણે અહિંસા વિષે પણ છે. સંગ્રહ અને વ્યવહારને મતે પણ ઉજવનિકાયને વિષે હિંસાને વ્યવહાર છે; અર્થાત્ અહિંસાને વ્યવહાર પણ તે નયોને મતે પછવનિકાય વિષે જ છે. ઋજુસૂત્રનયને મતે પ્રત્યેક જીવ વિષે જુદી જુદી હિંસા છે. પણ શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત નાને મતે આત્મા જ હિંસા કે અહિંસા છે. આ જ નિશ્ચયનયને અભિપ્રાય છે. નિશ્ચયનય એ દ્રવ્ય અને પર્યાયને ભેદ માનીને નહિ, પણ પર્યાયનું પ્રાધાન્ય માની પિતાનું મંતવ્ય રજૂ કરે છે; એટલે કે આત્માની હિંસા કે અહિસા નહિ પણ આત્મા જ હિંસા કે અહિંસા છે–એમ નિશ્ચયનયનું મન્તવ્ય છે. નિયુક્તિકારને મતે જે શ્રમણ યતમાન હોય; એટલે કે અપ્રમત્ત હોય તેનાથી થતી વિરાધના એ બંધકારણ નથી, પણ તેની આત્મવિશુદ્ધિને કારણે તે નિજ રારૂપ ફલ દેનારી છે જે નિશ્ચયનયનું અવલંબન લે છે અને જે સમગ્ર આગમને સાર જાણે છે તેવા પરમર્ષિનું પરમ રહસ્ય એ છે કે આત્મપરિણામ એ જ હિંસા કે અહિસા માટે પ્રમાણે છે અને નહિ કે બાહ્ય જીવની હિંસા કે અહિંસા. પરંતુ આ નિશ્ચયની વાતનું કેટલાક લે કે અવલંબન તે લે છે, પણ તેના વિશેનો યથાર્થ નિશ્ચય એટલે કે ખરા રહસ્યનું યથાર્થ જ્ઞાન જેમને નથી, તેઓ તે બાહ્ય ક્રિયામાં પ્રમાદી થઈને ચારિત્રમાર્ગને લેપ જ કરે છે. સારાંશ એ છે કે પરિણામ પર જ ભાર મૂકી જેઓ બાહ્ય આચરણ; એટલે કે વ્યવહારને માનતા નથી તેઓ ચારિત્રમાર્ગના લેપક છે--માટે વ્યવહાર અને નિશ્ચય બન્નેનો સ્વીકાર જરૂરી છે-- "जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स ।। परमरहस्समिसीणं समत्तगणिपिडगझरितसाराणं ।। परिणामियं पमाणं निच्छयमवलंबमाणाणं ॥ निच्छयमवलंबता निच्छयओ निच्चछयं अयाणता । नासंति चरणकरण बाहिरकरणालसा केइ ।।" –ચોઘનિત્તિ ૭૫૯-૬૧. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ "आह-यद्ययं निश्चियस्ततोऽयमेवालम्ब्यता किमन्येनेति ? उच्यते----निश्चयमवलम्बमानाः पुरुषाः निश्यतः' परमार्थतो निश्चयमजानानाः सन्तो नाशयन्ति चरणकरणम् । कथम् ? 'बाह्यकरणालसाः' बाह्य वैयावृत्त्यादि करणं तत्र अलसाःप्रयत्नरहिताः सन्तश्चरणकरणं नाशयन्ति । केचिदिदं चाङ्गोकुर्वन्ति यदुत परिशुद्धपरिणाम एव प्रधानो न तु बाह्यक्रिया । एतच्च नाङ्गीकर्तव्यम् । यतः परिणाम एव बाह्यक्रियारहितः शुद्धो न भवतीति । ततश्च निश्चय-व्यवहारमतमुभयरूपमेवाङ्गीकर्तव्यमिति ।" ----ઓરિત્તિ ટી. જા. ૭૬૧ વંદન વ્યવહાર વિશે શ્રમમાં વંદનવ્યવહારની રીત એવી છે કે જે જયેષ્ટ એટલે કે દીક્ષા પર્યાયે જયેષ્ઠ હોય–વયથી જયેષ્ટ હોય તે વંઘ છે. પણ જયારે સૂત્રવ્યાખ્યાન થતું હોય ત્યારે જે સૂત્રધારક હોય તેને જયેષ્ટ માનીને બીજા વંદન કરે. આ પ્રકારના વ્યવહાર ઉપરથી પ્રશ્ન ઉપસ્થિત થયે કે સૂત્રધારકને પણ જે જયેષ્ઠ કહી શકાતા હેય તે જે માત્ર દીક્ષા પર્યાયથી–વયથી જયેષ્ઠ હોય અને સત્ર કે તેનું વ્યાખ્યાન જાણતા ન હોય તેમને વંદન કરવાથી શું લાભ– "चोएति जइ हु जिठो कहिंचि सुत्तत्थधारणाविगलो । वक्खणलद्धिहीणो निरत्ययं वंदणं तम्मि ॥" –આવ. નિ. ગ. ૭૧૨ (દિપિકા) વળી સૂત્રવ્યાખ્યાનપ્રસંગે જયેષ્ઠની વ્યાખ્યામાં વયજયેષ્ટ કરતાં રત્નાધિકને જયેષ્ઠ માનવ એમ મનાયું તે પછી રત્નાધિક શ્રમણ ભલેને વયથી લઘુ હોય પણ જે વયથી જયેષ્ઠ એવો શ્રમણ તેની પાસે વંદન કરાવે તે તે શું એ રત્નાધિકની અશાતના નથી કરતે – "अह वयपरियाएहि लहुगो वि हु भासओ इहं जेहो । रायणियवंदणे पुण तस्स वि आसायणा भंते ॥" –આવ. નિ. ગા. ૭૧૩ (દીપિકા આ શંકાઓનું સમાધાન કરવામાં આવ્યું છે કે જ્યેષ્ઠની વ્યાખ્યા પ્રસંગાનુસાર કરવામાં આવે છે. સામાન્ય રીતે વ્રતગ્રહણને પર્યાય ચેષ્ઠના નિર્ણયમાં કામ આવે છે, પણ સત્રવ્યાખ્યાનપ્રસંગમાં તે વ્રત- પર્યાયને નહિ પણ લબ્ધિને મુખ્ય માનવામાં આવે છે. અને આથી સૂત્રક્યાખ્યાન કરવાની જેનામાં લબ્ધિ હોય તે વયથી ભલેને લઘુ હોય પણ તે જ્યેષ્ઠ ગણ્ય આથી એવા રત્નાધિક Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ જ્યેષ્ઠને વયયેષ્ઠે વધ્ન કર્યુ તેમાં કશું જ અનુચિત નથી. વળી વ્યાખ્યાન પ્રસંગે તે વયયેષ્ઠે નમસ્કાર કર્યાં છે આથી રત્નાધિકની આશાતનાનો પ્રસંગ પણ નથી. " जइ वि वयमाइएहिं लहुओ सुत्तत्थधारणापडुओ | वक्खाणलद्धिमंतो सो चिय इह घेप्पई जेठ्ठो ॥ आसाणा वि वं पडुच्च जिणवयणभासयं जम्हा | वंद राइणिए तेण गुणेणं पि सो चेव ॥" --આવ૦ નિ૦ ગા૦ ૭૧૪-૭૧૫ (દીપિકા) આચાયે આવે! નિણૅય આપ્યા તે પાછળ તેમની દૃષ્ટિ શી હતી તેનું સ્પષ્ટીકરણ તેમણે વ્યવહાર અને નિશ્ચયનયના અવલ બનથી કર્યુ છે. તેમણે જણાવ્યુ છે કે વ્યવહારનું અનુસરણ કરવામાં આવે ત્યારે વયજ્યેષ્ટ એ જ્યેષ્ઠ ગણાય. પશુ નિશ્ચયનયને મતે તેા દીક્ષાપર્યાય કે વય એ પ્રમાણુ નથી, પણ ગુણાધિકજ એ પ્રમાણ છે. માટે બન્ને નયને આધારે પ્રસ`ગ પ્રમાણે વર્તન કરવામાં કશે જ દોષ નથી, જૈન ધર્મમાં એક જ નય નહિ, પણુ બન્ને નય જ્યારે મળે ત્યારે તે પ્રમાણ બને છે. માટે બન્ને નયોને માનીને પ્રસ ંગાનુસાર વંદનવ્યવહાર કરવા. આ અન્ને નયાને મહત્ત્વ આપવુ એટલા માટે જરૂરી છે કે ગુણાધિક્ય એ આંતરિકભાવ છે અને સ` પ્રસ ંગે બે આંતરિકભાવનુ જ્ઞાન છદ્મસ્થ માટે સંભવ નથી, માટે જ્યાં આંતરિકભાવ જાણવામાં આવે એને પ્રસંગે તેને મહત્ત્વ આપી વંદનવ્યવહારની યોજના નિશ્ચય દૃષ્ટિને મહત્ત્વ આપી કરવામાં આવે તેમાં કશું ખોટું નથી, પણ સામાન્ય રીતે તે। દીક્ષાપર્યાંયે જે જ્યેષ્ઠ હેય તેને જ્યેષ્ઠ માનીને વનવ્યવહારની યેાજના વ્યવહારનયે કરવી એ સુગમ લેાકસ મત માગ છે, કારણ, ગુણાધિકર જાણવું લેકને માટે સુગમ નથી, પણુ દીક્ષાપર્યાંય જાણવા સુગમ છે; એટલે વ્યવહારનયે માની લીધું કે જેને દીક્ષાપર્યાંય વધારે તે મોટો એટલે વંદનીય--- "न वओ एत्थ पमाणं न य परियाओ वि णिच्छयमएण ! हारओ उ जुज्जइ उभयनयमय पुण प्रमाण ॥ निच्छयओ दुन्नेय को भावे कम्मि वइ समणो । ववहारओ उकीरड़ जो पुव्वठिओ चरितमि ॥" --આવ નિ૰ ગા૦૬૧૬-૭૧ (દીપિકા) આમાંની અંતિમ ગાથા બૃહત્કલ્પભાષ્યમાં પણ છે, જુએ ગા૦ ૪૫૦૬. સધ વ્યવસ્થા જાળવવા માટે આ પ્રકારના વ્યવહાર જરૂરી છે, અન્યથા ગુણજ્યેષ્ટ ગણાવા સૌ પ્રયત્ન કરે અને અવ્યવસ્થા ઊભી થાય. અને ગુણનું Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ પરીક્ષણુ સથા સંભવ નથી, તેમ સથા અસંભવ પણુ નથી, માટે સામાન્ય વ્યવહાર એવા કે વ્રતજ્યેષ્ઠ તે વંદનીય પરંતુ વિશેષ પ્રસ ંગે જયાં ગુણાધિક્યના જ્ઞાનને નિશ્ચય થાય ત્યાં તે ગુણાધિક પુરુષ પણ વનીય બને. આ જ કારણે લાકષ્ટિથી અથવા તેા વ્યવહારનયથી કરેલી વ્યવસ્થાને સ્વયં અ`ત્-કેવળીભગવાન પણ અનુસરે છે—એવું સ્પષ્ટીકરણ મૂળ ભાષ્યકારે ક્યું છે. આ જ વ્યવહારની અળવત્તા છે. મૂળ ભાષ્યકાર જણાવે છે કે વ્યવહાર પણુ બળવાન છે, કારણ કે જ્યાં સુઘી ગુરુને એવી જાણુ ન હેાય કે મારા શિષ્યવળી થઈ ગયા છે ત્યાં સુધી તે અત્ પોતાને ધમ સમજીને છદ્મસ્થ એવા ગુરુને વંદન કરે છે- "ववहारो विहु बलवं जं छउमत्थं पि वंदइ अरहा । जा होइ अणाभिण्णो जाणतो धम्मय एयं ॥" -આવ૦ નિ૰ મૂલ ભાષ્ય-૧૨૩ આ ગાથા બૃહત્કલ્પ ભાષ્યમાં પણ છે. જુએ ગા૦ ૪૫૦૭. નિયુક્તિગત વ્યવહારનિશ્ચયની જે ચર્ચા છે તે એક એ વાત સિદ્ધ કરે છે કે વ્યવહારમાં યથા'તાના અંશ એટ્ટે થાય છે; એટલે કે આગમમાં વ્યવહારનું તાત્પય' એવુ` હતુ` કે તેમાં સત્યનાન્યથા'તાના અંશ હતા; જેમકે વ્યવહારદષ્ટિએ જ્યારે ભ્રમરને કાળા કહેવામાં આવ્યા ત્યારે તેમાં કાળેા ગુણ હતો, પશુ તેને સદંતર અભાવ હાય અને ભમરાને કાળા વ્યવહારનયેદ્દો હાય એમ નથી. નિશ્ચયનય કાળા ઉપરાંત બીજા વર્ષંતુ અસ્તિત્વ કહે છે, પણ કાળાના અભાવ અતાવતા નથી. વળી, પ્રસ્થને વ્યવહારમાં લઈ શકાય એવા આકારવાળું લાકડું થાય ત્યારે પ્રસ્થ તરીકે વ્યવહારનયને સમત હતું એ પણ બતાવે છે કે લેકવ્યવહારના મૂળમાં યથા'તા તરફ દૂ'ક્ષ કરવામાં આવ્યુ નથી. આથી વ્યવહારનય યથાથી તદ્દન નિર્પેક્ષ નથી. પણ નિયુક્તિ કાળમાં વ્યવહારમાં આ યથા'તા ઉપરાંત ઔચિત્યનું તત્ત્વ; એટલે કે મૂલ્યનુ· તત્ત્વ ઉમેરાયું છે. આને કારણે વ્યવહારનયનું ક્ષેત્ર વ્યાપક બન્યુ છે. સંસારમાં વયથી જે જ્યેષ્ઠ હાય તે જયેષ્ઠ ગણાય છે તેના તા સ્વીકાર વ્યવહારનય કરે જ છે, પણ નિશ્ચયનયની દષ્ટિએ વયજ્યેષ્ઠ કરતાં ગુણજ્યેષ્ટનું મહત્ત્વ હાઈ નિશ્ચયનયમાં વયજ્યેના જ્યેષ્ઠ તરીકે સ્વીકાર નથી. ભમરાને કાળે ગુણુ નિશ્ચયનયની દૃષ્ટિએ અયથા નથી, પણ તે ધણુામાના એક છે, આ વિચારણા યથાતાને આધાર માનીને થઈ છે, પણ જ્યેષ્ઠ કોને કહેવા એ વિચારણામાં વ્યવહાર–નિશ્વયના આધાર યથાતાને બદલે મૂલ્યનુયાંકન છે. આથી આ કાળમાં દ્રવ્ય અને ભાવને અર્થવિસ્તાર પણ થયા છે. બાહ્ય લેાકાચાર એ દ્રવ્ય, અને Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ તાત્વિક આચાર એ ભાવ. વ્યવહારનય આવા દ્રવ્યને અને નિશ્ચયનય આવા ભાવને મહત્ત્વ આપે છે. આથી જ જે તત્ત્વદષ્ટિએ; એટલે કે યથાર્થની દષ્ટિએ અચિત્ત હતું તેને પણ લે કાચાર-વ્યવહારની સુગમતા અને વ્યવસ્થાની દષ્ટિએ સચિત્ત માનવામાં આવ્યું. આમ વ્યવહાર કાનુસરણ કરવા જતા અયથાર્થ તરફ પણ વળી ગમે છે. વ્યવહારનયનું આ વલણ બૌદ્ધોની સંસ્કૃતિ કે વેદાંતના વ્યવહાર સત્ય જેવું છે. પણ સાથે સાથે તેનું જે મૂળ વલણ તે પણ આ કાળમાં ચાલુ રહ્યું છે તેની નોંધ પણ લેવી જોઈએ. વળી, નિશ્વય પણ આ કાળે પરમાર્થ કે તત્ત્વ તરફ જઈ રહ્યો છે, એટલે કે તે વ્યવહારથી સાવ છૂટો થવા જઈ રહ્યો છે. વળી, લેકવ્વહારમાં ભાષા મુખ્ય ભાગ ભજવે છે અને ઘણીવાર ભાષા તત્વથી જુદું જ જણાવતી હોય છે. પણ લેકે વિચાર કર્યા વિના અતાત્વિકને તાવિક માની વ્યવહાર ચલાવતા હોય છે. આ પ્રકારના અતાત્ત્વિક વ્યવહારને સ્થાને તાત્વિક વાતની સ્થાપના એ નિશ્વયનો ઉદ્દેશ બને છે. આથી કહી શકાય કે લોકનું એટલે સમાજનું, બહુજનનું સત્ય એ વ્યવહારનય, પણ કઈ વિરલ -વ્યક્તિ માટેનું સત્ય તે નિશ્વયનય છે. એ બે વચ્ચે આવો ભેદ આ કાળમાં સ્પષ્ટ થાય છે. ૫. ભાગ્યોમાં વ્યવહાર અને નિશ્ચય લોકવ્યવહારપરક અને પરમાર્થ પરક વ્યવહાર અને નિશ્ચયનયની આગમગત ભૂમિકામાં આપણે જોઈ ગયા છીએ કે એક સ્કૂલગામી છે અને બીજે સૂક્ષ્મગામી છે. આ જ વસ્તુને લઈને આચાર્ય જિનભદ્દે સ્પષ્ટીકરણ કર્યું છે કે વ્યવહારનય એ લેકવ્યવહારપરક છે અને નિશ્ચયનય એ પરમાથપરક છે. આ વસ્તુને નિર્દેશ તેમણે ભગવતીસૂત્રગત ઉદાહરણ આધાર લઈને જ કર્યો છે– "लोगव्ववहारपरो ववहारो भणइ कालओ भमरो । परमत्थपरो भणइ णेच्छइओ पंचवण्णोत्ति ॥" –વિશેષા ગા૦ ૩૫૮૯ આચાર્ય જિનભદ્ર કેવળ વ્યવહારને જ નહિ, પણ મને પણ લેકવ્યવહાઉપરક જણવ્યો છે– મવવા રોકવવારતા” વિશેષા ૩૭ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ પણ જ્યારે ભાષ્યકાર વ્યવહારનયને લેકવ્યવહારપરક જણાવે છે અને નિશ્ચયનયને પરમાર્થ પર જણુવે છે ત્યારે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે નિયુક્તિકાળમાં તે ન જે ક્ષેત્ર વિસ્તાર અને અર્થવિસ્તાર થયો હતો તે પણ ભાષ્યકાળમાં ચાલુ જ છે. તે હવે આપણે જોઈશું. વ્યવહાર-નિશ્ચય અને નયે આચાર્ય જિનભદ્ર જ્યારે વ્યવહારને લેકવ્યવહારપરક કહ્યો અને નિશ્ચયનયને પરમાથપરક કહ્યો ત્યારે વળી તેમને તે બન્નેની એક જુદા જ પ્રકારે વ્યાખ્યા કરવાનું સૂઝયું. આપણે જાણીએ છીએ કે આચાર્ય જિનભદ્ર જૈન દર્શનને સર્વનયમય કહ્યું છે, એટલે કે જે જુદાં જુદા દર્શને છે તે એકેક નયને લઈને ચાલ્યા છે. પણ જૈન દર્શનમાં સર્વ નો સમાવેશ છે- “નિઃ સવાય” નિગમત મળવનવંત”— વિશેષ કર | તેમણે કહ્યું છે કે–– अहवेगनयमय चिय ववहारो जं न सव्वहा सव्वं । सम्वनयसमूहमय विणिच्छओ जं जहाभूअं । ३५९० ।।" –-વિશેષા સંસારમાં જે વિવિધ મત છે તે એકેક નયને આધારે છે, તેથી તે વ્યવહારનવ કહેવાય કારણ કે તેમાં સર્વ વસ્તુનો વિચાર સર્વ પ્રકારે કરવામાં આવતા નથી, પણ સર્વનયના સમૂહરૂપ જે મત છે, એટલે કે જે જેના દર્શન છે, તે નિશ્ચયનય છે, કારણ કે તે વસ્તુને યથાભૂત રૂપે--વાર્થરૂપે ગ્રહણ કરે છે. આનો અર્થ એ થયો કે લોકમાં જે વિવિધ દશને છે તે વ્યવહારદશને છે અને જેના દર્શન તે પારમાર્થિક દર્શન હેઈ નિશ્ચયદર્શન છે. વળી, નિશ્ચયનય જે સર્વનોને મૂહ હોય તે તે પ્રમાણુરૂપ યે અથવા તે અનેકાંત કે સ્વકાદ થયે એ પણ એનો અર્થ સમજવો જોઈએ; એટલે કે નિશ્ચયનય એ નયશબદથી વ્યવહત છતાં તે સર્વનના સમૂહરૂપ છે. એટલે તે નય તે કહેવાય જ. છતાં પણ તેનું બીજું નામ પ્રમાણ છે, એમ દર્શનકાળમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. નોને શુદ્ધ-અશુદ્ધ વિભાગ આગમની નિયુક્તિ-ભાગ્ય-ણિ આદિ ટીકાઓમાં વ્યવહાર-નિશ્ચયન. દારા વિચારણાનું ક્ષેત્ર વ્યાપક બન્યું છે. તેમાં વ્યાનુયોગ ઉપરાંત ચરણનુયેળમાં Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ પણ નિશ્ચય-વ્યવહારને: પ્રવેશ થાય છે. અને વળી નિશ્ચયનય એટલે શુદ્ધનય એમ પણ માનવામાં આવ્યું છે. આના મૂળમાં સમગ્ર વિષે શુદ્ધ નય અને - અશુદ્ધ ય ક્યો એવો જે વિચાર કરવામાં આવ્યો છે, તે છે. આપણે અનુયોગદ્વારની આ પૂર્વે કરેલી ચર્ચામાં જોયું છે કે તેમાં નૈગમનય ઉત્તરોત્તર અવિશુદ્ધમાંથી વિશુદ્ધ વિશુદ્ધતર, વિશુદ્ધતમ કેમ બને છે તેની વિચારણું તે હતી જ. તેને આધારે સમગ્ર નિયોના સંદર્ભમાં શુદ્ધ-અશુદ્ધની વિચારણા કરવી એ ટીકાકાર માટે સરલ થઈ પડે તેમ હતું. આવી વિચારણું આચાર્ય જિનભદ્રના વિશેષાવશ્યક ભાષ્યમાં અને તેની ટીકામાં થયેલી જોવા મળે છે. તેમણે સામાયિકક્રિયાના કરણ વિષેના વિચાર પ્રસંગે બધા નયને બે વિભાગમાં વહેંચી નાખ્યા છે : શુદ્ધ અને અશુદ્ધ-- અને કહ્યું છે કે અશુદ્ધ નયોની અપેક્ષાએ તે અકૃત છે અને શુદ્ધ નયોની અપેક્ષાએ કૃત છે. પણ સમય એટલે કે સિદ્ધાન્ત એ છે કે તે તાકત છે સારાંશ એ છે કે વિભિન્ન ન તેને મૃત કે અકૃત કહે છે પણ સ્યાદ્વાદને આધારે તેને કૃતાકૃત માનવું જોઈએ—એટલે કે પ્રમાણુ દષ્ટિએ તે કૃતાકૃત છે. ' –વિશેષા. ગા૦ ૩૩૭૦ આ ગાથાની ટીકા સ્વોપણ તે મળતી નથી, કારણ કે તે અધુરી જ રહી ગઈ છે પણ તેની પૂતિ કરનાર ટ્રાયની ટીકામાં જણાવવામાં આવ્યું છે કે – "अशुद्धनयाः द्रव्यार्थप्रधानाः नैगमसंग्रहव्यवहाराः । तेषां मतेन अकृतं सामायिक 'नित्यत्वात् नभोवत् । द्रव्यार्थतः सर्वमेव वस्तु नित्यमिति पक्षधर्मत्वम् । शुद्धनयास्तु ऋजुसूत्राद्रयः । तेषां मतेन कृत सामायिकं अनित्यत्वात् घटवत् । पर्यायार्थतः सर्वमेव अनित्य कृतकं च वस्तु इति पक्षधर्मत्त्वम् । एवमेकोन्ते भङ्गद्वयम् । अथ कृताकृतत्वमुभयरूपं स्याद्वादसमयसद्भावात् । तत् पुनरुभयरूपत्वं द्रव्यार्थपर्यायार्थनयविवक्षावशात् भवति ।" –વિરોષ૦ ગ્રાટિકા | સારાંશ એ છે કે ગમ, સંગ્રહ અને વ્યવહારના દ્રવ્યોથપ્રધાન છે; અને તે અશુદ્ધ ન છે. દ્રવ્યાર્થપ્રધાન હોઈ તે વસ્તુને નિત્ય માને છે, પણ અનુસૂત્રાદિ એટલે જુસત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ પર્યાયાર્થપ્રધાન છે; અને શુદ્ધ નયે છે. પર્યાયપ્રધાન હોઈ તે ન વસ્તુને અનિત્યરૂપે માને છે પણ સાદ્વાદમાં તે બઘા નો સમાવેશ હોઈ તે દ્રવ્ય અને પર્યાય બન્નેને સ્વીકારી વસ્તુને નિત્યનિત્ય માને છે. કાર્યની આ ટીકાનું અનુસરણ કરીને આ૦ કેયાચાર્ય અને આ૦ હેમચંદ્ર માલધારી પણ શુદ્ધ-અશુદ્ધ નયાને ઉક્ત વિભાગ માન્ય રાખે છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ વળી, એક વસ્તુ એ પણ આમાં ધ્યાન દેવા જેવી છે કે ન તે એક એક અંત હેઈ એકાંત છે અને સ્વાદાદ તે એકાંતને સમન્વય કરતે હેઈ અનેકાંત છે નોના આવા શુદ્ધાશુદ્ધ વિભાગને ધ્યાનમાં રાખીને જ આચાર્ય જિનભદ્દે નિશ્ચયનયને શુદ્ધ નય કહ્યો છે કારણ કે તેમને મતે વવહાર એ અશુદ્ધ નવમાં સમાવિષ્ટ છે તે આપણે ઉપર જોયું. આચાર્ય જિનભદ્દે મૂળ ગાથામાં “ને જીવનયાળ માળી” (વિશેષ૦ ગા૦ ૧૧૫૧) ઇત્યાદિ કહ્યું છે પણ તેની પિતે જ રચેલી ટીકામાં કહ્યું છે કે –“શુદ્ધનયમિgrોડ”—ઇત્યાદિ. આથિ ફલિત થાય છે કે તેઓ નિશ્ચયનયને શુદ્ધ નય માને છે. નૈગમ–સંગ્રહ-વ્યવહાર એ સમગ્રની સંજ્ઞા વ્યવહારિક નય પણ છે એ મત ચૂણિમાં વ્યક્ત થયેલ છે અને એ જ પ્રસંગે ઋજુસૂત્રાદિ ચારને ચૂર્ણિમાં શુદ્ધ નયને નામે ઓળખાવ્યા છે આથી એ પણ ફલિત થઈ જાય છે કે શેષ નગમાદિ અશુદ્ધ ન છે, જેનું બીજુ નામ વ્યવહારિકન પણ છે. – "ववहारगहणेण य णेगम-संगह-ववहारा ववहारिगत्ति गहिता...उज्जुसितादीणं पुण चउण्हं સુદ્ધના....ચાવ૦ વૂળે પૃ૦ ૪૩ ૦ | આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે વ્યવહાર એ અશુદ્ધ નય છે અને નિશ્ચય એ શુદ્ધ નય છે એ અભિપ્રાય આગમની ટીકાના કાળમાં સ્થિર થયો હતો. વળી, અહી એક બીજી વિશેષતા તરફ પણ ધ્યાન દેવું જરૂરી છે; તે એ કે, આગળ આપણે જોયું કે, વ્યવહાર એ વિશેષને માની ચાલે છે પણ શુદ્ધાશુદ્ધના વિભાગમાં વ્યવાહર દ્રવ્યાર્થિક પ્રધાન છે; એટલે કે તે સામાન્ય માને છે એમ કહેવાય. અને નિશ્ચય એ પર્યાયાર્થિક હોઈ વિશેષને વિષય કરે છે. આનું સ્પષ્ટીકરણ એમ સંભવે કે વૈશેષિકો અને નૈયાયિકે જેને સામાન્યવિશેષ કહે છે એટલે કે જે અપરસામાન્યને નામે ઓળખાય છે તે સત્તા સામાન્યની અપેક્ષાએ વિશેષ છતાં પિતાના વિશેષોની અપેક્ષાએ સામાન્ય છે, એટલે તેને અપેક્ષાભેદે સામાન્ય કે વિશેષ કહી શકાય. તાત્પર્ય એ થયું કે વ્યવહાર પરસામાન્યને નહી પણ અપસામાન્યને વિષય કરે છે, જે સત્તા સામાન્યની અપેક્ષાએ વિશેષ છે. આથી વ્યવહારનયને સામાન્યગ્રાહી કહ્યો છે, અને વિશેષગ્રાહી કહ્યો છે. બન્નેમાં કશે વિરોધ રહેતો નથી. વ્યવહારનો વિષય સાત નયમાં જે વ્યવહારનય છે તેના વિષયનું વિવેચન કરતાં ભાગ્યકાર આચાય જિનભદ્ર જણાવે છે કે વિશેષથી ભિન્ન એવું સામાન્ય કાઈ છે જ નહિ કારણ કે ખરવિષાણુની જેમ તે ઉપલબ્ધ થતું નથી Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ "न विसेसत्थंतरभूअमत्थि सामण्णमाह ववहारो । . उवलंभववहाराभावाओ खरविसाणं व ॥" વિશેષાવશ્યક ભાષ્ય-૩૫ આપણે પ્રથમ જોઈ ગયા છીએ કે વ્યવહારનય સામાન્યગ્રાહી નહિ પણ વિશેષગ્રાહી છે; એનું જ આ સમર્થન છે. ગુરૂ-લઘુ વિશે ગુરુ- લઘુને વિચાર તારિક રીતે અને વ્યવહારિક રીતે નિશ્ચય અને વ્યવહારનો વડે આચાર્ય જિનકે કર્યો છે. તે પ્રસંગ આ પ્રમાણે છે–આવશ્યક નિયુક્તિમાં જણાવવામાં આવ્યું હતું કે દારિક, વૈક્રિયાદિ ગુરુલઘુ દ્રવ્યો છે એને કમર, મન, ભાષા એ અગુરુલઘુ દ્રવ્ય છે.(વિશેષા. ગા ૦ ૬૫૯ એ આવ નિની ગાથા છે, વળી જુઓ આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૯) આ નિયુક્તગાથાનું સ્પષ્ટીકરણ કરતાં આચાર્ય જિન જણાવે છે કે વ્યવહારનયને મતે કોઈ દ્રવ્ય ગુરુ હોય છે, જેમ કે લેટુ –àખારે. કોઈ લઘુ હોય છે, જેમ કે દીપશિખા. કોઈ–ગુરુલઘુ ઉક્ય હોય છે કેઈ અગુરુલઘુ–નભય હોય છે જેમ કે આકાશ. પણ નિશ્ચયનયને મતે તે સર્વથા લઘુ કે સર્વથા ગુરુ કોઈ દ્રવ્ય હતું જ નથી પણ બાદર–સ્થલ દ્રવ્ય ગુરુલઘુ છે અને બાકીના બધા દિવ્ય અગુરુલઘુ છે. –વિશેષાગા૦ ૬૫૯-૬૬૦ આ બાબતમાં વ્યવહારન્ય પ્રશ્ન કરે છે કે જે ગુરુ કે લધુ જેવું કોઈ દ્રવ્ય હોય જ નહિ તે છવપુગલનું ગમન જે ઊર્ધ્વ અને અધઃ થાય છે તેનું શું કારણ ? અમે તે માનીએ છીએ કે જે લધુ હોય તે ઊર્ધ્વગામી બને. અને જે ગુરુ હોય તે અધોગામી બને. આથી છવપુગલેને ગુરુ અને વધુ માનવા જોઈએ, કારણ કે તેમનું ગમન ચે પણ થાય છે અને નીચે પણ થાય છે – વિશેષ૦ ગા. ૬૬૧-૬૬૨. માટે માત્ર ગુરુલઘુ અને અગુરુલઘુ એમ બે પ્રકાર નહિ પણ ગુરુ, લઘુ ગુરુલઘુ અને અગુરુલઘુ-એવા ચાર પ્રકારના દ્રવ્ય માનવા જોઈ એ એ વ્યવહારનયને મત છે. વ્યવહારનયના આ મતવ્યને ઉત્તર નિશ્ચયનય આપે છે કે વ્યવહારનયમાં જે. ઊર્ધ્વગમનનું કારણ લધુતા અને અગમનનું કારણ ગુરુતા માનવામાં આવે છે તે અનિવાર્ય કારણ નથી. કારણ દ્રવ્યની લઘુતા કે ગુરુતા એ જુદી જ વસ્તુ છે અને દ્રવ્યને વીર્યપરિણામ એ સાવ જુદું જ તત્ત્વ છે. અને વળી દ્રવ્યનો ગતિ પરિણુમ તે પણ જુદુ જ તરવે છે. આમાં કાંઈ કાર્યકારણભાવ જેવું નથી. –વિશેષા) ગા. ૬૬ ૩ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ આમ માનવાનું કારણ એવું છે કે પરમલઘુ મનાતા પરમાણુ પણ ઊંચે જવાને બદલે નીચે પણુ ગમન કરે છે. તે પછી તેમાં શે। હેતુ માનશે ? એટલે કે જો લઘુતા એ ઊર્ધ્વગમનમાં હેતુ હાય તો પરમાણુ ચે જવાને બદલે નીચે. કેમ જાય ? તેના નીચા જવામાં લઘુતા સિવાય ખીજું જ કાંઈ કારણ માનવુ રહ્યું. વળી દે જે નરી આંખે દેખાય છે તે સ્થૂલ છે છતાં તે ઊર્ધ્વગમન કેમ કરે ? જો સ્થૂલતા એ અધેગમનમાં નિમિત હોય તો ધૂમ નીચે જવા જોઈએ;. પણ તે તે ઊંચે જાય છે. આમ કેમ બન્યુ... ? વળી, મહાગુરુ એવા વિમાનાદિ નીચે જવાને બદલે આકાશમાં ઊંચે કેમ ઊડી શકે છે ? વળી, સાવ સૂક્ષ્મ દેહવાળા દેવ પણ મોટા પર્વતને કેમ ઊંચા કરે છે! -વિશેષા૰ ગા૦ ૬૬૪-૬૬૫ જાય છે તેમાં દેવના વીય ને અધેાગમનનુ કારણ છે એ દ્દે ભારી પત નીચે જવાને બદલે ઊંચા કારણ માનશેા તેા વ્યવહાર સંમત ગુરુતા એકાંતે અયુક્ત રે છે; અને એ જ પ્રમાણે લઘુતા એ ઊર્ધ્વગમનનું એકાંતે કારણ છે. એ પણ એયુક્ત ઠરે છે—વળો ગતિ-સ્થિતિપરિણામને કારણે પણ જીવ પુદ્ગલેાની ગતિ સ્થિત થતી હાઈ તેમાં પણ ગુરુતા કે લઘુતાની કારણતાનુ અતિક્રમણ છે જ. આથી વ્યવહારનયના મત અયુક્ત કરે છે. --વિશેષા૦ ૦ ૬૬ આમ પ્રસ્તુમાં લેાકવ્યવહારમાં જે સ્થૂલ દૃષ્ટિથી ઊધ્વ-અધગમનના કારણરૂપે લઘુતા-ગુરુતાને માનવાની પ્રથા હતી તે વિરુદ્ધ તત્ત્વવિચાર કરીને તેની કારણતાને નિરાસ નિશ્ચયનય કરે છે. આમાં વ્યવહાર-નિશ્ચયનયના વિચાર સાંશ્રૃતિક-પારમાર્થિક સત્યના વિચાર તરફ પ્રગતિ કરતા હોય એમ જણાય છે. વળી ન્યાય વૈશેષિકમા ગુરુત્વમાત્ર માન્યું છે. અને લધુત્વને તેના અભાવરૂપ માન્યું છે અને ગુરુત્વને કારણે પતન માન્યું છે તે વિચાર પણ અચા'ની સમક્ષ છે જ. જ્ઞાન-ક્રિયા વિષે નિયુક્તિના વિચાર પ્રસંગે આપણે પ્લેયુ` છે કે તેમાં જેને ચારિત્રાત્મક વિત થયે। તેના જ્ઞાન-દર્શીન આત્માં પણ વિધાતને પામ્યા એવા વિચાર છે. આના જ અનુસંધાનમાં ભાષ્યમાં નિશ્ચયનયને મતે જે એમ કહેવામાં આવ્યુ છે કે જો જ્ઞાનનું ફળ સમ્યગ્ ક્રિયામાં ન આવે તે તે જ્ઞાનને અજ્ઞાન માનવું (વિશેષા૦ ૧૧૫૧) તે ઉત પક્ષની બીજી બાજુ રજૂ કરે છે. જે પ્રકારે ચારિત્રને Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૯ નાશ થવાથી જ્ઞાન-દર્શોન પણ નષ્ટ થયેલ નિશ્ચયનય માને છે તે જ પ્રકારે તે જ્ઞાન, ક્રિયામાં ન પરિણમે તે તે જ્ઞાનને પણ અજ્ઞાન માનવુ જોઈએ એવા નિશ્ચયના અભિપ્રાય છે. અહીં યથાતા કરતાં મૂલ્યાંકનની દૃષ્ટિને મહત્ત્વ આપવામાં આવ્યુ. છે. શ્રમજીવનમાં કે કેાંઈ પણ જીવનમાં જ્ઞાન કરતાં ક્રિયાનું મહત્ત્વ એટલા માટે છે કે મેાક્ષનુ સાક્ષાત્ કારણુ ક્રિયા એટલે કે ચારિત્ર અને છે કારણ કે કેવળજ્ઞાન થયા પછી પણ જ્યાં સુધી ચારિત્રની પરાકાષ્ઠા નથી થતી ત્યાં સુધી મેાક્ષ નથી, આથી જ્ઞાન અને ચારિત્ર એ એમાં ચારિત્રનું મૂલ્ય મેક્ષદષ્ટિએ વધે છે. આથી ચારિત્રના તાજવે તોળીને જ્ઞાનની સાર્થકતા કે નિરકતાને નજર સમૃદ્ધ રાખીને તેના જ્ઞાન-અજ્ઞાન એવા ભેદ કરવામાં આવ્યા છે, અને નહિ કે તેની યાતા કે અયથાર્થતાને આધારે. કતૃત્વ વિષે આચાય જિનભદ્ર સમક્ષ એ પ્રશ્ન હતા કે સામાયિક કોણે કર્યુ ? આના ઉત્તર તેમણે વ્યવહાર–નિશ્રયને આશ્રય લઈને આપ્યા છે કે વ્યવહારથી તે તે જિનેન્દ્ર ભગવાન અને ગણધરે સામાયિક કયુ' છે અને નિશ્ચયનયે તે। જે વ્યક્તિ સામાયિક ક્રિયા કરે છે તેણે જ તે કર્યુ છે તાપ એવા છે કે સામાયિક શ્રુત જે ખાદ્ય છે તેની રચના તે તીર્થંકર અને ગણુધરે કરી છે તેથી તે તેના કર્તા કહેવાય. પણ સામાયિક એ તેા સમભાવની ક્રિયા છે અને તે તે આત્મગુણુ હોઈ જે આત્મા ક્રિયા કરે તેણે જ તે અ ંતરંગ સામાયિક કયુ` હાઈ તે જ તેના કર્તા કહેવાય. આમ સામયિક શ્રુત અને સામાયિક ભાવ એ ક્રમે વ્યવહાર અને નિશ્ચયના વિષય બને છે. સમ્યક્ત્વ અને જ્ઞાનાત્પત્તિ વિશે (ક્રિયમાણ-કૃત વિષે) ક્રિયાકાળમાં કાર્યનિષ્પત્તિ માનવી કે નિષ્ઠાકાળમાં—આ જૂના વિવાદ છે, આની સાથે અસત્કાયવાદ અને સત્કાર્ય વાદ પણુસકળાયેલા છે. ભગવાન મહાવીર અને જમાલીના મતભેદ પણ આ વિષે જ હતા. આ વિવાદના વ્યવહાર અને નિશ્ચયનયના મતેમાં સમાવેશ કરવાના પ્રયત્ન આ॰ જિનભદ્ર ભાષ્યમાં કર્યાં છે. તેમાં મિથ્યાત્વના ક્ષય, ઉપશમ કે ક્ષયાપશમ થયે સમ્યક્ત્વ એટલે કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની ઉત્પત્તિના પ્રસંગે તેમણે વ્યવહાર–નિશ્ચયની જે યોજના કરી છે તે આ પ્રમાણે છે—-વ્યવહારનયને મતે સમ્યક્ત્વ અને જ્ઞાન જૈનામાં ન હોય -વિશેષા ગા૦ ૩૩૮૨ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ એટલે કે જે મિથ્યાદષ્ટિ અને અજ્ઞાની હાય તેને સમ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે.. પણ નિશ્ચયનયને મત છે કે સમ્યક્ત્વ અને જ્ઞાનથી સહિતને જ સમ્યગ્ જ્ઞાન થાય છે. "सम्मत्तनारणरहियस्स नाणमुप्पज्जइत्ति ववहारो । नेच्छयनओ भासइ उप्पज्जइ तेहिं सहिअस्स || " વિશેષા૦ ગા૦ ૪૧૪. વળી જુઆ આવશ્યકચૂર્ણિ` પૃ૦ ૧૮, ૨૩ અહીં વ્યવહાર અને નિશ્ચયનયા વચ્ચે જે શંકા-સમાધાન છે તે આ પ્રમાણે છે : વ્યવહાર : સભ્યજ્ઞાનીને સમ્યગ્નાન થતું હાય તા તા એના અથ એ થયા કે જે જાત-ઉત્પન્નસત્ છે તે જ ઉત્પન્ન થાય છે, અજાત-અસત્ નહિ. પણ આપણે જોઈએ છીએ કે જે જાત છે તે ઉત્પન્ન થતું નથી, પણ જે અજાત હાય છે તે જાત-ઉત્પન્ન થાય છે, જેમકે માટીના પિ`ડમાંથી અજાત એવા વડે! જાત થાય છે. પણ જો ધડે પ્રથમથી જ જાત હોય તે તેને ઉત્પન્ન કરવાપણું કાંઈ રહેતું નથી. એટલે તેને વિષે કશું જ કરવાપણું રહેતું નથી, માટે અજાતની ઉત્પત્તિ માનવી જોઈએ, જાતની નહિ. અને વળી જાતની પણ જો ઉત્પત્તિ માનવામાં આવે, એટલે કે જે કૃત છે તેને પણ કરવામાં આવે તે પછી કરવાના કાંઈ ત જ નહિ આવે; એટલે કે કા સમાપ્તિ કદી થશે જ નહિ. માટે માનવું જોઈએ કે મિથ્યાત્વી જીવમાંસમ્યક્ત્વ અને સમ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે, જે તેનામાં પ્રથમ હતાં નહિ, પણ એમ ન માની શકાય કે સમ્યગ્દાનીને સભ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે. -વિશેષા૦ ગા૦ ૪૧૫ વળી, કૃતને પણ કરવામાં આવે તે ક્રિયાનું કાંઈ ફળ મળે નહિ. અને વળી પૂર્ણાંમાં ન હોય તે જ ક્રિયાના ફળરૂપે દેખાય છે તે કૃતને કરવાપણું ન હોવાથી સત્ની ક્રિયા નહિ પણ અસની ક્રિયા માનવી ઘટે. વળી, એવું પણ નથી કે જે કાળમાં ક્રિયા શરૂ થઈ એ જ કાળમાં નિષ્પત્તિ થાય, પણ દી કાલની ક્રિયા પછી ઘટાદિ દેખાય છે માટે તેની ક્રિયાને કાળ દી' માનવા જોઈએ. આમ વિચારતાં મિથ્યાજ્ઞાનીને દીકાળ પછી સમ્યગ્નાન ઉત્પન્ન થાય છે એમ માનવુ જોઈએ. વિશેષા૰ ગા૦ ૪૧૬ Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩ી વળી, કોઈ પણ કાર્યને આરંભ કરીએ છીએ ત્યારે આરંભમાં તે તે દેખાતું નથી, પણ ક્ષિાની સમાપ્તિ થયે તે દેખાય છે, માટે પણ ક્રિયાકાળમાં કાર્યને સત્ માની શકાય નહિ, તે જ રીતે ગુરુ પાસેથી તત્ત્વનું શ્રવણ કરવાની ક્રિયા ચાલી રહી હોય ત્યારે તત્કાળે કોઈ જ્ઞાન થઈ જતું નથી પણ શ્રવણાદિ ક્રિયાની સમાપ્તિ થયે જ્ઞાન થાય છે. સારાંશ એ છે કે યિાકાળમાં કાર્ય દેખાતું નથી માટે તે નથી પણ ક્રિયાની નિષ્ઠા થયે તે દેખાય છે તે ક્રિયાકાળમાં નહિ પણ ક્રિયાનિષ્ઠાકાળમાં તે માનવું જોઈએ. માટે માનવું જોઈએ કે મિથ્યાદષ્ટિ અને અજ્ઞાની સમ્યકત્વ અને જ્ઞાનને પામે છે, પણ સમ્યગ્દષ્ટિ કે સમ્યજ્ઞાની નહિ. –વિશેષા. ગા૦ ૪૧૭ નિશ્ચયનય : અજાત હોય તે જાત થાય એ માની શકાય તેવી વાત નથી, કારણ કે જે અાત છે તે અભાવરૂપ છે અને અભાવની તો ખરવિષાણની જેમ ઉત્પત્તિ સંભવતી જ નથી. માટે અજાતની ઉત્પત્તિ માનવી જોઈએ નહિ. અને જે અજાત પણ ઉત્પન્ન થતું હોય તે ખરવિષાણ પણ ઉત્પન્ન થાય. માટે અસતની નહિ પણ સતની ઉત્પત્તિ માનવી જોઈએ. આથી જ અમે કહીએ છીએ કે સમ્યકત્વીને અને સમ્યજ્ઞાનીને સમ્યકત્વ અને સમ્યજ્ઞાન થાય છે, મિથ્યાત્વીને નહિ. –વિશેષા. ગા૦ ૪૧૮ વળી, જેમ સતની ક્રિયા માનવામાં ક્રિયાને વિરામ નહિ થાય તેમ અસતની ક્યિા માનવામાં ક્રિયાને વિરામ નહિ થાય, કારણ, તમે અસત એવા ખવિષાણુ વિષે ગમે એટલી ક્રિયા કરે પણ તે કદી ઉત્પન્ન જ થવાનું નહિ. આમ ક્રિયાવિરામનો અભાવ તો બન્ને પક્ષે સમાન છે. પણ વધારામાં અસકાયપક્ષે એ દિયારામ આદિ દોષોને પરિવાર શક્ય નથી. સત એવા આકાશાદિ વિશે પર્યાયાન્તરની અપેક્ષાએ ક્રિયાવિરામ ઘટી શકે છે, પણ અસતમાં તે એ પણ સંભવ રહેતું નથી. વળી, ઉત્પત્તિની પૂર્વે કાર્ય સર્વથા અસત હોય તો તે જેમ ઉત્પત્તિ પછી દેખાય છે તેમ ખરવિષાણુ પણ પછી કેમ નથી દેખાતું ? માટે માનવું જોઈએ કે કાર્ય, ઉત્પત્તિની પૂર્વે ખરવિષાણુ જેમ સવથા અસત નથી. આમ સર્વથા અસતની ઉત્પત્તિ માનવામાં દોષો છે, જેનું નિવારણ થઈ શકતું નથી. –વિશયા ગા૦ ૪૧૯ વળી, કાર્યનિષત્તિમાં દીર્ઘકાળની વાત કરી તે પણ યુક્ત નથી, કારણ કે ઘડાની ઉત્પત્તિ પહેલાં સ્થાસાદિ અનેક કાર્યો ઉત્પન્ન થાય છે તે કાર્યો પ્રતિસમયે Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૦ર ઉત્પન્ન થાય છે અને તે પરસ્પર વિલક્ષણ પણ છે. આમ ઘણુ બધા કાર્યો માટે લાંબો કાળ ગયે તેમાં એ બધો કાળ ઘટક્રિયાને હતો એમ કેમ કહેવાય ? –વિશેષા ગા૦ ૪૨૦ વળી, કાયની ક્રિયાના આરંભમાં તે દેખાતું નથી માટે તે સત હોઈ શકે નહિ એ જે આક્ષેપ કરવામાં આવ્યો છે તેને ઉત્તર એ છે કે તમે જે ક્યિાને આરંભ કહે છે તે તેની ક્રિયાને તે આરંભ છે નહિ તો પછી તે ત્યારે કેવી રીતે દેખાય ? જેમ પટને આરંભ કરીએ ત્યારે ઘટ જોવાની આશા રાખવી એ વ્યર્થ છે તેમ ઘટ પહેલાનાં જે સ્થાસાદિ કાર્યો છે તેની ક્રિયાના પ્રારંભમાં પણ જે ઘટ ન દેખાય તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અને સ્થાસાદિ કાંઈ ઘડે નથી જેથી તેના આરંભે તે દેખાય. માટે આરંભમાં દેખાતેનથી-ઇત્યાદિ જે આક્ષેપ છે તે યુક્ત નથી. --વિશેષાઓ ગાઇ ૪૨૧ વળી, ઘડો અંતિમ ક્ષણમાં દેખાય છે માટે તેને તે ક્ષણમાં સત્ માન જોઈએ, પૂર્વ ક્રિયાકાળમાં નહિ––એ જે તમે કહ્યું તેમાં અમારે એટલું જ કહેવાનું છે કે ઘડાને પ્રારંભ તે અત્યક્રિયાકાળમાં જ છે તેથી તે અન્ય કાળે દેખાય છે. આમાં શું અજુગતું છે ? વળી, વર્તમાનકાળમાં જ્યારે તે ક્રિયમાણ છે ત્યારે તેને કૃત ન માનો અને આકૃત માને તે પછી તેને કૃત ક્યારે માનશે ? અતીત કાળ તે નષ્ટ હોઈ અસત છે તો તે તેને કેવી રીતે કરી શકશે ? અને વળી ભવિષ્યકાળ તે હજી અનુત્પન્ન હોઈ અસત છે, તે તેમાં પણ તે કૃત કેવી રીતે થાય ? માટે ક્રિયામણુને જ કૃત માનવું જોઈએ. ––વિશેષo ગા૦ ૪૨૨ જે ક્રિયમાણ કૃત હોય તો પછી તે ક્રિયમાણુ હોય ત્યારે કેમ દેખાતું નથી–– એવો જે આક્ષેપ કરવામાં આવ્યું છે તે પણ યુક્ત નથી કારણ કે પ્રતિ સમયમાં જે જુદાં જુદાં કાર્યો નિષ્પન્ન થઈ રહ્યા છે તેથી નિરપેક્ષ થઈને તમે માત્ર ઘડાને જ અભિલાષ ધરાવે છે, આથી તે તે કાર્યના કાલને ઘડાને કાળ ગણીને તમે માનવા લાગી જાય છે કે મને ક્રિયાકાળમાં ઘડે દેખાતો નથી. આ તમારી સ્કૂલબુદ્ધિનું પરિણામ છે. તે તે કાળમાં થતા કાર્યની ઉપેક્ષા ન કરે તે તે તે કાળે તે તે કાર્ય દેખાશે જ, ભલે ઘડે ન દેખાય. અને જ્યારે ઘડે ક્રિયામણુ હશે ત્યારે તમને ઘડો પણ કૃત દેખાશે જ, માટે જરા સૂમબુદ્ધિથી વિચારે. –-વિશેષાઓ ગાત્ર ૪૨૩ વ્યવહાર : પણ કાર્ય અન્ય સમયમાં જ થાય એમ શા માટે માનવું ? પ્રથમ સમયમાં નયન સમયમાં પણ તે કમ ન થાય ? • Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ નિશ્ચય : એટલા માટે કે કાય કારણ વિના તો થતું નથી, અને જે કાળે કારણ હોય છે તે જ કાળે કાર્ય થાય છે. માટે તે અન્ય કાળમાં થતું પણ નથી અને તેથી દેખાતું પણ નથી. આ પ્રકારે એ બાબત સિદ્ધ થઈ કે ક્રિયાકાળમાં જ કાર્ય હોય છે, એટલે કે ક્રિયમાણુ કૃત છે, અને નહિ કે ક્રિયા ઉપરત થઈ જાય પછી; એટલે ક્રિયાનિષ્ઠા થયે કાર્ય થતું નથી. ––વિશેષo ગાય ૪૨૪ વળી, જ્ઞાનનો જ્યારે ઉત્પાદ થઈ રહ્યો છે; એટલે કે જ્ઞાનની ઉત્પત્તિની ક્રિયા થઈ રહી છે ત્યારે પણ જે જ્ઞાનને અસત માનવામાં આવે તે પછી તે તે ઉત્પાદ કેને ? અને એ કાળમાં પણ જે અજ્ઞાન હોય તે પછી જ્ઞાન કયા કાળમાં થશે ? માટે માનવું જોઈએ કે સમ્યજ્ઞાનીને સમ્યજ્ઞાન થાય છે, અજ્ઞાનીને નહિ. ---વિશેષા ગા૦ ૪૨૫ વળી, જે તમે એમ માને છે કે શ્રવદિ કાલ જુદો છે અને પછી જ્ઞાનોત્પત્તિ થાય છે–-ઇત્યાદિ. એ બાબતમાં અમારુ મન્તવ્ય છે કે શ્રવણાદિ કાલ છે તે જ તે જ્ઞાનોત્પત્તિને કાળ છે. પણ સામાન્ય શ્રવણ નહિ પણ વિશિષ્ટ પ્રકારનું જે શ્રવણું છે, એટલે કે એવું શ્રવણ જે સાક્ષાત્ મતિજ્ઞાનનું કારણ છે; તેને કાળ તે જ મતિજ્ઞાનનો કાળ સમજવાનું છે અને તેવો તો અન્ય ક્ષણમાં સંભવે. જ્યારે મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. ---વિશેષા મા ૪૨૬ પ્રસ્તુત ચર્ચાની ભૂમિકા સમજવા માટે શુન્યવાદમાં કરેલી ઉત્પાદનની ચર્ચા જે માધ્યમિકકારિકામાં કરવામાં આવી છે. તે–-(માધ્યમિકકારિકાવૃત્તિ પૃષ્ઠ ૧૩, ૧૦૦, ૧૩૮, ૧૫૭, ૧૮૧, ૧૮૬, વગેરે) વિશેષરૂપે અવગાહવાની જરૂર છે. વળી, સાંખ્યનો સત્કાર્યવાદ (સાંખ્ય કા૦ ૯) અને નૈયાયિક આદિનો અસતકાર્યવાદ વગેરે (ન્યાયસૂત્ર ૪. ૧. ૧૪-૧૮; ઈ. ૧. ૨૫-૩૩; ૪. ૧. ૪૪–૫૨) તથા જેના સદસત કાર્યવાદ જે આ પૂર્વે ચર્ચવામાં આવ્યો છે તેનું પણ અવગાહન જરૂરી છે (સન્મતિતક ૩. ૪૭-૪૯, પંચાસ્તિકાય ગાઇ ૧૫, ૧૯, ૬ ૦ આદિ, નયચક તૃતીય અર). જમાલએ કરેલ નિલવ જમાલિ એમ માનતે કે કૃત તે જ કૃત છે અને ક્રિયમાણુ કૃત નહિ. પણ ભગવાન મહાવીર ક્રિયમાણુને કૃત માનતા. આથી મૂળે તે ચર્ચા પણ ક્રિયાકાળમાં Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ કાર્યની નિષ્પત્તિ છે કે નિષ્ઠાકાળમાં એ પ્રશ્નની આસપાસ જ છે. એટલે આચાર્ય જિનભકે પૂર્વોક્ત વ્યવહાર નિશ્ચયને આધારે જે ચર્ચા કરી છે તેવી જ રીતે આ ચર્ચા પણ સમાન યુક્તિઓ આપીને કરી છે એટલું જ નહિ, પણ બન્ને પ્રસંગે ઘણું ગાથાઓ પણ સમાન જ છે–વિશેષતા દષ્ટાંતમાં સંથારો અને દહનક્રિયાની છે. –વિશેષo ગા૦ ૨૩૦૮-૨૩૩૨૮ કેવળની ઉત્પત્તિ વિશે - જે પ્રકારની ચર્ચા સમ્યક્ત્વ અને જ્ઞાનની ઉત્પત્તિ વિષે કરવામાં આવી છે તેવી ચર્ચાને કેવળજ્ઞાનની ઉત્પત્તિ વિષે પણ અવકાશ છે. અને વસ્તુતઃ તે કોઈપણ ઉત્પત્તિ વિષે લાગુ પડી શકે છે. કેવળજ્ઞાન વિષે કહેવામાં આવ્યું છે કે નિશ્ચયને. મતે જે સમય કેવળાવરણના ક્ષયને છે તે જ કેવળની ઉત્પત્તિનો પણ છે. અને વ્યવહારને મતે ક્ષય પછીના સમયે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. વિશેષા ગાળ ૧૩૩૪ આ બાબતમાં વ્યવહાર અને નિશ્ચય પિતા પિતાનું સમર્થન આ પ્રમાણે કરે છે. વ્યવહાર : ક્રિયાકાલ અને ક્રિયાની નિષ્ઠાને કાળ એક નથી, માટે જ્યાં સુધી કમ ક્ષીયમાણ હોય ત્યાં સુધી તેનું કાર્ય જ્ઞાન સંભવે નહિ, પણ જ્યારે કમ ક્ષીણ થઈ જાય ત્યારે જ્ઞાન થાય. - વિશેષા ગા૦ ૧૩૩પ નિશ્ચય : ક્રિયા એ ક્ષયમાં હેતુ હોય તો ક્રિયા હોય ત્યારે ક્ષય થો જોઈએ, અને ક્રિયા જે ક્ષયમાં હેતુ ન હોય તો પછી તેથી જુદું કયું કારણ છે, જે ક્રિયાના અભાવમાં પણ જ્ઞાનને ઉત્પન્ન કરે ? એટલે વિવશ થઈ જે એમ કહે કે ક્રિયાથી ક્ષય થાય છે તે પછી એમ કેમ બને કે ક્રિયા અન્ય કાળમાં છે અને ક્ષય અન્ય કાળમાં ? માટે જે કાળમાં ક્રિયા છે તે જ કાળમાં ક્ષય છે અને તે જ કાળમાં જ્ઞાન પણ છે. વિશેષા ગા ૦ ૧૩ ૩૬ વળી, જો ક્રિયાકાળમાં ક્ષય ન હોય તે પછીના કાળે કેવી રીતે થાય ? અને જે ક્રિયા વિનાના એટલે કે અક્રિયાકાળમાં પણ ક્ષય માનવામાં આવે તો પછી પ્રથમ સમયની ક્રિયાની પણ શી આવશ્યકતા રહે છે તે વિના પણ ક્ષય થઈ જ જોઈએ. વિશેષા : ગા૦ ૧૩૩૭ Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૫ વળી, આગમમાં પણ ક્રિયાકાલ અને નિષ્ઠાકાળનું એકત્વ માનવામાં આવ્યું છે તે પણ જુએ–તેમાં કહેવામાં આવ્યું છે કે જે નિઈ માણું છે તે નિર્ણ છે–તે જ પ્રમાણે જે ક્ષીયમાણું છે તે ક્ષીણ છે એમ કહી શકાય. વળી, આગમમાં એ પણ કહ્યું છે કે કમની વેદના છે અને અકમની નિર્જરા છે. એ ઉપરથી પણ કહી શકાય કે નિરાકાળે આવરણ-કમ છે નહિ. વિશેષા ગા૦ ૧૩૩૮ વળી, આવરણને અભાવ હોય છતાં પણ જે કેવળજ્ઞાન ન થાય તે પછી તે ક્યારે થશે? અને જો ક્ષયકાળે નહિ પણ પછી ક્યારેક કેવળજ્ઞાન માનવામાં આવે તે તે અકારણ છે એમ માનવું પડે. તે પછી બને એમ કે છે કારણ વિના જ ઉત્પન્ન થયું હોય તે કારણ વિના જ પતિત પણ થાય. માટે આવરણને વ્યય અને કેવળજ્ઞાનની ઉત્પત્તિને સમય, અંધકારનો નાશ અને પ્રકાશની ઉત્પત્તિના સમયની જેમ, એક જ માનવો જોઈએ. અને આ જ પ્રમાણે સર્વભાવોની ઉત્પત્તિ અને વ્યય વિષે સમજી લેવું જોઈએ. વિશેષા. ગા ૦ ૧૯૩૯-૪૦ આવશ્યક ચૂણિ (પૃ. ૭૨–૭૦)માં કેવળજ્ઞાન વિષે એક નવી વાત કહેવામાં આવી છે તે પણ અહીં નોંધવી જરૂરી છે. કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં કઈ કોઈ કમનિયમ નથી. કોઈ મતિ શ્રુત પછી તરત જ કેવળને પ્રાપ્ત કરે છે, તે કઈ અવધિ પછી મન:પર્યાય અને પછી કેવળને ઉત્પન્ન કરે છે; તો કઈ વળી મન પર્યાય પછી અવધિ અને પછી કેવળ એ ક્રમે કેવળને પામે છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે નિશ્ચયને મતે જ્ઞાન એક જ છે અને તે છે કેવળજ્ઞાન, પણ તે જ જુદાં જુદાં આવરણને લઈને જુદાં જુદાં આભિનિધિ આદિ નામ ધારણ કરે છે. સિદ્ધિ ઉત્પત્તિ વિશે : શુન્યવાદી એમ માનતા હતા કે વસ્તુ સ્વતા, પરત: ઉભયતટ કે નોયતઃ સિદ્ધ થતી નથી. તેથી તે ચતુર્કેટિવિનિમુક્ત છે; અર્થાત પ્રતીત્યસમુત્પન્ન છે. આ બાબતમાં આચાર્ય જિનભકે વ્યવહાર અને નિશ્ચયનયથી આ પ્રમાણે વિચારણા કરી છે–કોઈક વસ્તુ સ્વતઃ સિદ્ધ છે : જેમ કે મેધ. કેઈક પરત: સિદ્ધ છે : જેમ કે ઘડે. અને કોઈક ઉભયત: સિદ્ધ છે; જેમકે પુરુષ, અને કેઈક નિત્યસિદ્ધ છે : જેમ કે આકાશ--આ વ્યવહારનયનનું મતવ્ય છે. પણ નિશ્ચયનું મન્તવ્ય એવું છે કે બધી વસ્તુઓ સ્વતઃ સિદ્ધ જ છે. પર તેમાં નિમિત્ત ભલે બને પણ પિતામાં Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ સામર્થ્ય ન હોય તે તે નિમિત્તે કાંઈ કરી શકતુ` નથી. જેમકે ખરવષાણુમાં સામર્થ્ય નથી તે તેમાં ગમે તેટલાં નિમિત્ત મળે પણ તે સિદ્ધ થશે નહિ. માટે વસ્તુની સિદ્ધિ સ્વતઃ જ માનવી જોઈએ. --વિશેષા૦ ગા॰ ૧૯૧૭–૧૯૧૮ આ વિચારણામાં ઉપાદાનને મુખ્ય માની સ્વત: સિદ્ધિ માની છે અને તેમાં નિમિત્તકારણને ગૌણુ માન્યું છે. તેથી તેના ઉપયેગ છતાં તેને ગતરીમાં લીધું નથી અને સિદ્ધિ સ્વત: કહી છે. આચાય કુંદની ઉપાદન નિમિત્તની ચર્ચા આને મળતી છે અને તેમના મત પ્રમાણે પણ ઉપાદાનનું પ્રાબલ્ય છે. વ્યવહાર નિશ્ચયની ચર્ચામાં આ ચર્ચા પણ વસ્તુસ્થિતિ કરતાં મૂલ્યાંકનની દૃષ્ટિએ થઈ છે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. નિજા વિષે વ્યવહારભાષ્યમાં નિરા વિષે જે ચર્ચા કરવામાં આવી છે તેમાં પણ ઉપ:દાન બળવાન કે નિમિત્ત એ જ સમસ્યા છે અને તેના વિચાર વ્યવહાર અને નિશ્ચયથી કરવામાં આવ્યે છે. વ્યવહારનયને મતે ઉત્તરાત્તર ગુણાધિક વસ્તુ વડે ઉત્તરાત્તર અધિક નિરા થાય છે. તાત્પ એ છે કે વ્યવહારનય નિજ`રામાં ખાદ્ય નિમિત્તને બળવાન માને છે; પણ નિશ્ચયનયને મતે તે આત્માના ભાવની ઉત્તરાત્તર વિશુદ્ધિ ગમે તે કાઈ વસ્તુથી થઈ શકે છે, અને એ આત્માને ભાવ ઉત્તરાત્તર વિશુદ્ધ થાય તે માટે એ જરૂરી નથી કે નિમિત્ત ગુણાધિક જ હોવું જોઈએ. ગુણહીન નિમિત્તથી પણ ઉત્તરાત્તર ભાવવિશુદ્ધિ થઈ શકે છે. એટલે નિર્જરામાં મહત્ત્વ બાહ્ય વસ્તુનું નહિ પણ પોતાના આત્માના ભાવનુ છે--મા મન્તવ્ય નિશ્ચયનું છે. દૃષ્ટાંત આપવામાં આવ્યુ` છે કે એક બટુક ભગવાન મહાવીરને જોઇ ને ગુસ્સે થયાં, પણુ તેમના જ શિષ્ય ગાતમને જોઇને જે ભગવાન મહાવીર કરતાં ગુણમાં ન્યૂન હતા--- ઉપશમ ભાવને પામ્યા. ---વ્યવહાર ભાગ્ય૦ ૦ ૬, ગા૦ ૧૮૭-૧૯૧ અર્થાત્ વ્યવહારનય બાહ્ય વસ્તુને મહત્ત્વ આપે છે અને નિશ્ચયનય આંતરિક ભાવને. વિચાર કરીએ તે જણાશે કે રાજમાગને વ્યવહાર અનુસરે છે; જ્યારે કેડી, જે સમૂહને કામની નથી પણ વ્યક્તિને કામની છે, તેને નિશ્ચય અનુસરે છે. ખરી વાત એવી છે કે કેડી એ કાળાંતરે રાજમાગનું રૂપ લે છે ત્યારે તે વ્યવહારમાં આવી જાય છે, જ્યારે વિરલા વળી નવી કેડી ઊભી કરે છે. સામાન્ય Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૭ જન માટે તો રાજમાર્ગ જ ઉપયુક્ત ગણાય અને વિરલ વ્યક્તિ માટે કેડી અથવા તો વિશિષ્ટ માર્ગ, ધમ જ્યારે બાહ્ય વિધિવિધાનમાં આગળ વધી જાય છે અને જ્યારે એ જ બાહ્ય વિધિવિધાનો પ્રધાન બની જાય છે ત્યારે નિશ્ચયનય આવીને કહે છે કે એ તે વ્યવહાર છે. આમ નિશ્ચય અને વ્યવહાર એ બને માર્ગોમાંથી એકને પણ નિરાસ આવશ્યક નથી પણ અધિકારી ભેદે બન્ને જરૂરી છે એમ એનું તાત્પર્ય સમજાય છે. પર્યાય વિષે એક અર્થ માટે અનેક શબ્દ વપરાય છે અને એક જ શબ્દના અનેક અર્થો પણ હોય છે. સમભિરૂઢનય પ્રમાણે જેટલા શબ્દ તેટલા અર્થો છે; એટલે કે કોઈ બે શબ્દોનો એક જ અર્થ હોઈ શકે નહિ. આ બાબતમાં આચાર્ય જિનભ વ્યવહારનિશ્ચયનયોથી વિચારણા કરી છે. તેઓ જણાવે છે કે વ્યંજનશુદ્ધિકનયની અપેક્ષાએ બધા શબ્દ ભિન્ન ભિન્ન અર્થના બેધક છે. આનું તાત્પર્ય એ જણાય છે કે શબ્દશુદ્ધિને માનનાર નય એટલે કે સમભિરઢનય. અથવા તો શબ્દોની રચના જુદી જુદી ક્રિયાને આધારે થતી હોઈ તે તે શબ્દમાં ક્રિયા ભેદ રહેવાને જ. એટલે અર્થભેદ અવશ્ય હોવો જોઈએ. આવી શબ્દશુદ્ધિને માનનાર નય તે વ્યંજનશુદ્ધિકનય કહેવાય આ નયની દષ્ટિએ શબ્દભેદે અર્થભેદ માનવો જરૂરી હોઈ પર્યાયો ઘટી શકતા નથી. પણ જે અન્ય નયને આશ્રય લેવામાં આવે તો શબ્દ અભિન્નાર્થક પણ હોઈ શકે છે. તેમણે એમ પણ જણુવ્યું છે કે સંવ્યવહાર એટલે કે લેકવ્યવહારને ધ્યાનમાં લઈએ તો લોકમાં એક જ અર્થ માટે નાના શબ્દોનો પ્રયોગ થાય છે. માટે વ્યવહારનયે અનેક શબ્દો એકાયૅક બની શકે છે પણ નિશ્ચયનયની અપેક્ષાએ એકાર્થક બની શકે નહિ. માટે વ્યવહાર નયની અપેક્ષાએ પર્યાયે સમજવા, નિશ્ચયની અપેક્ષાએ પર્યાય શબ્દો હોઈ શકે નહિ. –વિશેષા ૧૩૭૬-૭૭ લોકાચાર વિષે ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૧૪ વષે અવ્યક્ત નિદ્ભવ થયો છે. તેને પરિચય આ પ્રમાણે આચાર્ય જિનભદ્દે આપે છે–અન્ય કોઈ વાચના આપે એવું ન હોઈ સ્વયં આચાર્ય આષાઢે જે દિવસે પોતાના શિષ્યોને વાચના આપવી શરૂ કરી તે રાત્રે જ હૃદયશૂલરેગથી તેઓ મૃત્યુ પામ્યા, અને દેવ થયા. આચાર્યો અવધિ જ્ઞાનથી જાણ્યું કે મારા શિષ્યોને અન્ય વાચનાચાર્યની પ્રાપ્તિ દુષ્કર છે એટલે તેઓ તેમના મૃત્યુની બીજાને જાણ થાય તે પહેલાં જ પાછા Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ પિતાના શરીરમાં પ્રવેશી ગયા અને વિના વિને શિષ્યનું વાચનાકાર્ય પૂરું કરી દીધું. અને અંતે શિષ્યોને જણાવી દીધું. કે હું અમુક દિવસે મરીને દેવ થયો હતું, પણ મને તમારી અનુકપા આવી એટલે તમારું વાચનાકાર્ય પૂરું કરવા મે મારા શરીરમાં પુન: પ્રવેશ કર્યો હતે. હવે એ કાર્ય પૂરું થયું છે અને હું દેવલોકમાં પાછો જાઉ છું, પણ હું દેવરૂપે અસયત છતાં તમારી સંયતની વંદના મે આટલા દિવસે સ્વીકારી તે અનુચિત થયું છે, તે તે બદલ તમારી સૌની ક્ષમા માગું છું. અને આ રીતે ક્ષમા માગી તેઓ દેવલેકમાં સીધાવી ગયા. દેવ તે વિદાય થઈ ગયા અને શિષ્યોએ પોતાના ગુરુના શરીરની અંતિમ ક્રિયા કરી પણ પછી તેમના મનમાં શંકા થઈ કે અરે, અત્યાર સુધી આપણે અસંયતને વંદન કરતા રહ્યા તે અનાચરણ થયું અને અસાધુને સાધુ માનતા રહ્યા તે મૃષાવાદ થયો. સાધુતા એ તે આત્માને ગુણ હેઈ અવ્યક્ત છે તો પછી તેને નિર્ણય કરવો કઠિન છે કે કોણ સંયત અને કણ અસયત ? એટલે આ અનાચરણ અને મૃષાદષથી બચવાને એક જ ઉપાય છે કે આપણે કેઈને વંદન કરવું જ નહિ. વિરેએ તેમને સમજાવ્યા કે આમ શંકાશીલ થવાથી લોકવ્યવહાર ચાલે નહિ. તમારે બધા જ પરોક્ષ પદાર્થ વિષે અને સ્વયં તીર્થંકરના અસ્તિત્વ વિષે પણ શંકા કરવી પડશે. તીર્થકરવચનને પ્રમાણે માનતા હો તે સાધુનાં લક્ષણો, જે તેમણે બતાવ્યાં છે, તે જુએ. અને વળી તમને દેવે જે વાત કરી તેમાં જ તમે કેમ શંકા નથી કરતા અને તેને સાચી કેમ માની છો ? વળી, તમે જાણે છે કે જિનપ્રતિમામાં જિનના ગુણે નથી છતાં પણ પિતાના આત્માની વિશુદ્ધિને માટે તમે જિનપ્રતિમાને વંદન કરે છે. તો તે જ પ્રમાણે સાધુને વંદવામાં શું વાંધો છે ? ધારે કે સાધુમાં સાધુપણું નથી, પણ એટલા ખાતર જ જો તમે સાધુની વંદના ન કરે તે પ્રતિમાની પણ ન કરવી જોઈએ. તમે જિનપ્રતિમાને તો વંદે છે તો પછી સાધુને વંદન કરવાની શા માટે ના પાડે છે ? દેખાવે સાધુ હોય પણ જે તે અસંયત હોય તો તેને વંદન કરવાથી પાપની અનુમતિ દેવાને દોષ લાગે માટે સાધુને વંદન ન કરવું પણ પ્રતિમાને વંદન કરવું—એમ માને તો પ્રશ્ન છે કે જિનપ્રતિમા પણ જે દેવાધિષ્ઠિત હોય તો તેને વંદન કરવાથી તેવી પાપની અનુમતિને દોષ કેમ ન લાગે ? અને તમે એ નિર્ણય તે કરી જ શકતા નથી કે આ જિનપ્રતિમા દેવાધિષ્ઠિત છે કે નહિ. તમે એમ માને કે જિનપ્રતિમા ભલે દેવાધિષ્ઠિત હોય પણ અમે તે તેને જિનની પ્રતિમા માની અમારા વિશુદ્ધ અધ્યવસાયથી નમસ્કાર Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ કરીએ છીએ તેથી કાંઈ દોષ નથી તે પછી સાધુને સાધુ માની વિશુદ્ધ અટવસાયથી વંદન કરવામાં શું દોષ છે! અને ધારો કે દેવની આશંકાથી તમે જિનપ્રતિમાને વંદન કરવાનું છોડી દો પણ તમે જે આહાર શૈયા આદિ સ્વીકારે છે તે પણ દેવકૃત છે કે નહિ એવી શંકા તે તમને થવી જ જોઈએ. વળી શંકા જ કરવી હોય તે એવું એક પણ સ્થાન નથી જ્યાં શંકા ન કરી શકાય–પછી તે ભેજનનો પદાર્થ હોય કે પહેરવાના વસ્ત્ર હેય, કે પિતાને સાથી હેય. વળી ગૃહસ્થમાં પણ યતિના ગુણોને સંભવ તે ખરે જ. તો પછી તેને આશીર્વાદ આપી, તમે મર્યાદા ૫ શું નથી કરતા ? વળી દીક્ષા દેતી વખતે તમે જાણતા તે નથી કે આ ભવ્ય છે કે અભિવ્ય ? ચેર છે કે પરદારગામી ? તે પછી દીક્ષા કેવી રીતે દેશો ? વળી, કેણુ ગુરુ અને કૈણ શિષ્ય એ પણ કેવી રીતે જાણવું ? વચનને વિશ્વાસ પણ કેવી રીતે કરવો ? વળી સાચું શું ને જૂહું શું એ પણ શી રીતે જાણી શકાશો ? આમ તીર્થકરથી માંડીને સ્વર્ગ–મોક્ષ આદિ બધું જ તમારે માટે શંકિત બની જશે. પછી દીક્ષા શા માટે ? અને જે તીર્થકરના વચનને પ્રમાણ માનીને ચાલશે તે તેમની જ આશા છે કે સાધુને વંદન કરવું, તે કેમ માનતા નથી ? જિનવચનને પ્રમાણે માનતા હો તો જિનભગવાને જે બાહ્યાચાર કહ્યો છે તેનું વિશુદ્ધ રીતે પાલન કરતે હોય તેને મુનિ માનીને વિશુદ્ધભાવે વંદન કરવામાં ભલેને તે મુનિને બદલે દેવ હોય પણ તમે તે વિશુદ્ધ જ છે, દેશી નથી. વળી, તમે આષાઢાચાર્યના રૂપે જે દેવ જોય તેવા કેટલા દે સંસારમાં છે કે એકને જોઈ એ સૌમાં શંકા કરવા લાગી ગયા છે, અને બધાને અવિશ્વાસની નજરે જુએ છે ? ખરી વાત એવી છે કે આપણે છીએ. છદ્મસ્થ. તેથી આપણી જે ચર્યા છે તે બધી વ્યવહારનું અવલંબન લઈને ચાલે છે. પણ તેનું વિશુદ્ધ ભાવે આચરણ કરવાથી આત્માની ઉત્તરોત્તર વિશુદ્ધ થાય છે એમાં શંકા નથી. આ વ્યાવહારિક આચરણ એટલું બધું બળવાન છે કે શ્રુતમાં જણાવેલ વિધિથી છદ્મસ્થ આહારાદિ લાવ્યું હોય અને તે કેવળીની દષ્ટિએ વિશુદ્ધ ન હોય પણ કેવળી તે આહાર ગ્રહણ કરે છે. અને વળી એવો પ્રસંગ પણ બને છે કે કેવળી પિતાના છદ્મસ્થ ગુરુને વંદન પણ કરે છે. આ વ્યવહારની બળવત્તા નથી તે બીજુ શું છે ? જિનેન્દ્ર ભગવાનના શાસનને રથ બે ચક્રથી ચાલે છે : વ્યવહાર અને નિશ્ચય. આમાંના એકને પણ જે પરિત્યાગ કરવામાં આવે તે મિથ્યાત્વ અને તત્કત શંકાદિ દોષોને સંભવ ઊભું થાય છે. માટે જે તમે જિનમતનો સ્વીકાર કરતા Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪oo. હો તે વ્યવહારનયને છેડી શકતા નથી, કારણ વ્યવહારનયનો ત્યાગ કરવામાં આવે તો અવશ્ય તીર્થોચ્છેદ છે. આ પ્રકારે તેમને ઘણું ઘણું સમજાવવામાં આવ્યા પણ તેઓએ પિતાને કદાગ્રહ છેડો નહિ એટલે તેમને સંઘથી બહિષ્કાર કરવામાં આવ્યો. પછી કમે કરી તેઓ રાજગૃહ ગયા ત્યારે મૌર્ય રાજા બલભદ્રે તેમને સન્માગમાં લાવવા એક યુક્તિ અજમાવી. તેમણે લશ્કરને હુકમ કર્યો કે તે સાધુઓને પકડીને મારી નાખે. ગભરાઈને તેઓ રાજાને કહેવા લાગ્યા કે રાજા, તું તો શ્રાવક છે અને અમે સાધુ છીએ તે તને આ શોભતું નથી. રાજાએ ઉત્તર આપે કે તમે તે અવ્યક્તવાદી છે. તમે કેવી રીતે નિર્ણય કર્યો કે હું શ્રાવક છું ? વળી, હું કેવી રીતે જાણું કે તમે ચેર નથી અને સાધુ છે ? આ સાંભળી તેઓને પોતાની ભૂલ સમજાઈ અને તેઓએ પુનઃ વંદના-વ્યવહાર શરૂ કર્યો. –વિશેષા૦ ગા૨૩૫૬-૨૩૮૮ બાહ્ય ઉપકરણ અને બાહ્ય વંદન આદિ વ્યવહારવિધિ વિષે આક્ષેપ અને સમાધાન જે પ્રકારે આવશ્યકચૂણિ (ઉત્તરાધ પૃષ્ઠ ૨૯-૩૦)માં કરવામાં આવ્યાં છે તેની પણ અત્રે નોંધ લેવી જરૂરી છે-- વ્યવહારવિધિમાં અવિચક્ષણ શિષ્ય એવી શંકા કરી કે બાહ્ય ઉપકરણદિ વ્યવહાર છે તે અનૈકાંતિક છે એટલે તે મેક્ષમાં કારણ નથી. પણ આધ્યાત્મિક વિશદ્ધિ જ મોક્ષમાં કારણ છે; માટે આધ્યાત્મિક વિશુદ્ધિ માટે પ્રયત્ન કરવો જોઈએ. બાહ્ય ઉપકરણ આદિ અનાવશ્યક છે. રાજા ભરત ચક્રવતીને કશા પણ રજોહરણાદિ ઉપકરણે હતા નહિ છતાં આત્મવિશુદ્ધિને કારણે મેક્ષ પામ્યા, તેમને બાહ્ય ઉપકરણોને અભાવ દોષકર કે ગુણકર ન થયો; અને બીજી બાજુ રાજા પ્રસન્નચંદ્ર સાધુવેશમાં હતા છતાં પણ નરકાગ્ય કમને બંધ કર્યો. આમાં પણ બાહ્ય ઉપકરણે તેમને કશા કામ આવ્યાં નહિ. તાત્પર્ય એમ થાય છે કે આંતરિક ઉપકરણ આત્મવિશુદ્ધિ એ જ મોક્ષને ઉપાય છે અને બાહ્ય રજોહરણાદિ નિરર્થક છે. અને ગુરુ ઉત્તર આપે છે કે વત્સ, ભરત અને એમના જેવા બીજા પ્રત્યેક બુદ્ધ હતા, અને તેમને જે બાહ્ય ઉપકરણે વિના લાભ મળે તે તે કદાચિત્ક છે. વળી તેમને પણ પૂર્વભવમાં આંતર બાહ્ય ઉપસંપદા હતી જ, તેમણે તેને કારણે જ આત્મવિશુદ્ધિ પ્રાપ્ત કરી હતી, માટે એમનું દૃષ્ટાંત આગળ કરીને બાહ્યાચાર-વ્યવહારનો લેપ કરવો ઉચિત નથી. અને જેઓ એમ કરે છે તે Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ તીર્થકરનો અભિપ્રાય જાણતા નથી. તીર્થકરને અભિપ્રાય એવો છે કે ક્યાંઈક વ્યવહારવિધિથી પ્રવૃત્તિ કરવી, કયાંઈક નિશ્ચયવિધિથી અને કયાંઈક ઉભય વિવિથી, આમાં કંઈ એકાંત નથી, વિધિ અનિયત છે, આમાં ચૂણિકારે એક બુદ્ધનું દષ્ટાંત આપ્યું છે. એક મૂર્ખ ઈંટ નીચે દીનાર જે પણ લીધો નહિ અને માતાને એ વિષે વાત કરી, માતાએ લઈ આવવા કહ્યું એટલામાં તો તે દીનાર લઈને કેઈ ચાલી ગયેલું. એટલે તે મુખે જેટલી ઈટ જોઈ ત્યાં દીનાર હોવાનું માની બધાની નીચે દીનારની ખેળ કરી, પણ એમ કાંઈ દીનાર મળે ? તે જ પ્રમાણે કેટલાક નિશ્ચયવાદીઓ એકાદ દષ્ટાંતને આધારે આચરણની ચટના કરવા જાય છે તેમાં તેઓ ઉભાગદશક જ બની જાય છે અને તેને ત્યાગ કરે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ ગ્રન્થ, ઈ. ૧૯૬૮માં પ્રકાશિત) Page #423 -------------------------------------------------------------------------- ________________ Page #424 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : ગ્રન્થ-અન્ધકાર આદિ અ'ગુત્તરનિહાય પર, ૫૬, ૨૨૯ અદ્ભકથા ૬૦ અનુજ્ઞાનદી ૩૨૫ -૨૧ એકાક ૩૨૬-૭ અનુત્તરૌપપાતિક ૧૬૦ અયેાગદ્દાર ૧૨, ૧૩, ૩૯, ૫૮, ૯૪, ૨૯૮, ૩૦૦-૧, ૩૦૭, ૩૧૩, ૩૨૪, ૩૩૦; --આગમ સમજવાની ચાવી ૩૪૧, ચૂલિકાસૂત્ર ૩૪૧; અનુયાગદ્દારાની ચર્ચા ૩૪૧; વ્યાખ્યા પદ્ધતિ ૩૫૧; કર્તા-સમય ૩૬૩, ૩૬૬ અન્તક્રિયા ૫૬ ૨૧૮ અભયદેવ ૩૭, ૪૨, ૬૭, ૧૦૪, ૨૫૬, ૨૦૧, ૨૭૭, ૩૧૮ અભિધમ્મથસંગ્રહા ૧૦૯ અભિધમ પિટક, ૭૩, ૧૩૨ અભિધાનચિંતામણિ ૩૪૩, ૩૪૭ અભિધાન રાજેન્દ્ર ૨૯૮ અમેાલખ ઋષિ ૩૪, ૨૯૨ અવગાહનાસસ્થાનષદ પ અધિપદ ૬૧, ૨૫૪ શાક ૧૦૦ અષ્ટાવક્ર ૫૭ અસ્પૃશતિવાદ ૧૩૨, ૧૯૫ આચારવસ્તુ ૩૧ આગ્રાયણીય પૂર્વ ૩૨, ૨૩૧ આચારાંગ ૨, ૪, ૫, ૧૩-૪, ૧૬, ૩૦, ૩૧, ૩૬, ૩૭, ૪૩, ૪૯, ૨૫૪, ૨૫૯, ૨૯૨, ૩૦૬, ૩૦૯, ૩૧૭ –સવ પ્રથમ ષટજીવનિકાયને ઉપદેશ ૫, ૧૪; સૌથી પ્રાચીન આગમ ૧૪, પ્રથમ શ્રુતસ્કંધમાં જૈન દર્શન ૪૪ આચારપ્રકલ્પ ૩૨૦ આચારાંગચૂર્ણિ ૩૦ આચારાંગનિયુક્તિ ૩૦–૧, ૬૩, ૯૭, ૧૧૧, ૧૧૭-૮, ૧૧૯૨૧ ૨૦૩, ૨૬૨ આગમયુગકા જૈન દર્શન ૬૫, ૧૫૦, ૨૨૯, ૩૫૦, ૩૬૪, ૩૬૬ આગમાધ્ય સમિતિ ૫૩, ૨૯૩ આત્મપ્રવાદ ૩૧ આત્માનુશાસ્તિ ૩૬૫ આત્મારામજી ૧૧, ૬૦, ૨૬૧ આ રક્ષિત ૨૭–૮, ૩૮, ૩૦૭, ૩૬૩ --અનુયાગરક્ષક ૩૬૩;-પૃથકૂકર્તા ૩૬૪;–ના સમય ૩૬૪ આરણ્યક ૨ આવશ્યક ૩૩, ૩૮, ૯૬, ૧૦૨, ૩૧૧, ૩૨૦, ૩૪૧, ૩૭૮ આવશ્યક ચૂર્ણિ ૨૫, ૬૭, ૭૦, ૩૩૨, ૩૯૫ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ આવશ્યક નિર્યુક્તિ ૧૬, ૧૯, ૨૭, ૩૭. ૬૦, ૯૨, ૯૪, ૯૬, ૧૦૧, ૧૦૩, ૨૫૮, ૨૬ ૧, ૨૯૧, ૩૦૩, ૩૦૪, ૩૩૨-૩૩, ૩૩૮, ૩૪૮, ૩૬૩-૪, ૩૭૮, ૩૮૦-૧ આવસ્યક વ્યતિરિક્ત ૩૧૩ આષાઢ ૩૯૭ આહાર પદ ૬૧, ૨૫૦ ઈસ્લામ ૨૮૯ ઇન્ડિયન એન્ટીકરી ૬ ઈન્દ્રિયપદ ૧૯૯ ઈન્દ્રિય પાંચ ૧૯૯; ચોવીસ અને બાર દ્વારા વડે ચર્ચા ૧૯૯, દંડકમાં ૧૯૯ને ઉપચય ૨૦૧ નું નિર્માણ ૨૦૧, ઉપયોગકાળ ૨૦૧. અવગ્રહ આદિ ૨૦૨, દ્રવ્ય–ભાવ ૨૦૨, નિવૃત્તિ-ઉપકરણ ૨૦૨ ઉવાસ પદ ૧૬૯ ઉત્તરાધ્યયન ૩૧-૨, ૩૮, ૪૨, ૧૭, ૯૬-૯, ૧૧૦–૨, ૧૧૭–૨૨, ૧૨૭, ૧૨૯, ૩૦૭, ૩૨૦ ઉપયોગ પદ ૨૫૪ ઉપાયહુદય ૩૬૬ ઉપાસકજનાલંકાર ૧૧૫ ઉપા(વા) કદશા ૫૧, ૨૫૯, ૨૯૨ ઉમાકાંત ૯૬ ઉમાસ્વાતિ ૮, ૧૧–૨, ૪૪, ૪૯,૧૧૦-૩, ૨૬૪–૫, ૨૮૦, ૩૧૦, ૩૧૩ ઉવવાઈવ–૭૯, ૯૮–૯ ઋષભ ૩૪૬, ૩૦૬૭, ૩૩૦, ૧૧૩, -મહાવીર તુલના ૩૪૬ ઋષિભાષિત ૩૪૬, ૨૭ એથનિર્યુક્તિ૩૨, ૩૭૮ ૩૭૯, ૩૮ ટીકા ૧૯ કંસાચાર્ય ૩૨ કઠોપનિષદ ૨૬૫ કુણગસત્તરી ૩૬૫ કપિલ ૩૦૬ કર્મપ્રકૃતિ ૭ર, ૯૩ કર્મપ્રકૃતિપદ ર૩૭ કર્મપ્રવાદ પૂર્વ ૩૧ કર્મબંધ પદ ૨૩૭ કમબંધવેદપદ ૨૩૭ કર્મવેદબંધ પદ ૨૩૭ કલ્પ ૩૧, ૩૨ કલ્પસૂત્ર ૬૯, ૨૯ર કલ્પાકલ્પિક ૩૨ ક૯યાણવિજયજી ૨૫, ૨૮, ૩૩૫-૬ કષાયપદ ૧૯૮ કસાયપાહુડ ૩૦, ૩૨, ૭૨, ૧૯૮, ૩૦૦ કાયસ્થિતિ પદ ૨૧૨ –સ્થિતિ અને કાયસ્થિતિ ૨૧૨ કાલક ૨૭, ૩૭, ૯૬, ૯૯, ૩૦૭, ૩૩૭ કુંદકુંદ ૧૧૩ કુરાન ૨૮૯ કુલમંડન ૨૭૭ કેશીગૌતમસંવાદ ૩૦૭ કોડિલય ૩૬૫ ક્રિયાપદ ૨૨૯ ક્રિયાકેશ ર૨૯, ૨૩૫ ખારવેલ ૧૦૦-૧ ખુદ્દનિકાય ૫૬ સુદકા પ૬ Page #426 -------------------------------------------------------------------------- ________________ o૫ જૈન પરંપરાનો ઈતિહાસ ૩૬૪ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ ૨૮૩ જ્ઞાતપુત્ર મહાવીર ૫૦ જ્ઞાતાધર્મકથા ૫૧, ૬૮, ૨૯૨, ૩૦૯, उ४९ ખુદ્દાબંધ ૯૧ ગણધરવાદ ૧૩૧, ૧૮, ૧૯૮), ૨૨૮, ૨૨૯ ગણિપિટક ૨૮૯, ૩૦૨, ૩૦૯ –માં કેવલ બાર અંગ ૩૦૯, ૩૧૩ ગધભિલ ૯૬ ગીતા ૬ ગોપાલદાસ ૫૧ ગૌમ્મટસાર ૩૨, ૭૨ ગોશાલક ૨૨૫ ઘાસીલાલજી ૨૯૩ ચતુ:શરણ ૭૦ ચન્દ્રપ્રજ્ઞપ્તિ ૩૧૯ ચરમપદ ૧૭૫ ચિત્તસમાધિ ૨૬૧ બે ૨૦૦ જુએ બાલાવબોધ જંબૂદીપ પ્રજ્ઞપ્તિ ૩૭, ૩૯, ૩૧૯ જયધવલા ૧૯, ૩૨, ૩૦૦ જયસેન ૨૭ જ્ઞાનપ્રવાદ ૩૨ તત્ત્વાર્થ સૂત્ર ૮, ૧૧-૨, ૪૪, ૮૮, ૨૦૨, ૨૦૩, ૨૬૩, ૨૭૬, ૩૧૦ તત્ત્વાર્થસૂત્ર જેનાગમ સમન્વય ૧૧, ૬ ૦, ૧૯૩ તત્ત્વાર્થસૂત્રભાષ્ય ૧૮, ૨૦, ૩પ, ૨૬૩-૫ તરંગવતી ૩૬૫ તિëગાલીય ર૫, ૩૫ ત્તિરીય ૧૮૭ ત્રિપિટક ૧૫ થોડા ૯૩ દશવૈકાલિક ૧, ૩૨, ૩૭-૮, ૧૪૭, ૩૧૬, ૩૨૦, ૩૧૯ દશવૈકાલિકચૂણિ ૨૪ દશવૈકાલિક નિયુતિ ૩૧ દશાશ્રુત ૩૧, ૬૦, ર૬૧, ૩૧૯, ૩૩૬ દસુત્તરસુર ૫૬ દીઘનિકાય ૫૬, ૨૨૯, ૩૧૯ દુર્ગ ૩૫૯-૬૦ દુર્ગટીકા ૩૬૧ દુર્બલિકા પુષ્યમિત્ર ૨૮ દુષ્ય(દસ)ગણિ ૩૩૫, ૩૩૭ દૃષ્ટિવાદ ૨૫, ૨૭, ૩૦, ૩૩, ૬૬, ૭૧, ૭૬, ૯૪, ૨૩૧, ૨૯૯, ૩૧૯ દેવધિ ૨૯, ૩૩૭, ૩૩૫, ૩૬૪ જસપાલ (જયપાલ) ૩૨ જિનદાસ ૪૧, ૬૭ જિનભદ્ર ૪૧, ૬૭, ૧૦૨-૪, ૨૦૦, ૩૦૩, ૩૦૭, ૩૨૩–૪, ૩૪૫, ૩૩૭, ૩૪૬–૭, ૩૫૯-૬૦, ૩૯૭ જિનવલ્લભ ૨૪૨ જીતકલ્પ ભાષ્ય ૩૭, ૭૧ જીવવિજય ૨૮૫ જીવ-અછવપદ ૧૦૪ છવાભિગમ ૮૩–૫, ૩૧૯ જેકાબી ૩૦૬ જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ ૩૧૫, ૩૪૨ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ દેવવાચક ૩૮, ૩૩૩, ૩૩૮, ૩૩૫-૬, નિર્યુક્તિ ૩૪, ૯૨, ૯૭, ૧૦૨-૪ ૩૩૯ નિશીથ ૩૧, ૩૭, ૬૦, ૩૦૭, ૩ર૦ દીન્દ્રિય ૧૨૧ નિશીથ ભાષ્ય ૨૦૦ ધનપતસિંહ ૨૯૨ નિશીથિકા ૩૨ ધનવિમલ ૨૮૩–૪ નૈઘંટુક ૩૬૦ ધરસેન ૯૯, ૩૦૮ ન્યાયબિન્દુ ૩૬૫ ધમપ્રજ્ઞપ્તિ ૩૧ ન્યાયસૂત્ર ૧૧, ૧૮, ૩૬ ૦ ધર્મસાર ૨૭૯ ન્યાયસૂત્રભાષ્ય ૩૬૦ ધમસિંહ ૪૨ ન્યાયસૂત્રવાર્તિક ૩૬૦ ધમસેન ૨૬–૭ ન્યાયાવતારવાર્તિકવૃત્તિ ૧૫૦, ૩૩૦, ધર્મકીર્તિ ૩૬૫ ૩૩૩ ધવલા ૨૬, ૨૭, ૩૦, ૩૨, ૭૨, ૧૦૪, પંચક૯૫ ૩૮ ૨૦૩, ૨૦૫, ૨૧, ૨૬૩, ૩૦૦, પંચક૯૫ભાષ્ય ૩૨૫ ૩૧૬, ૩૪૯ પંચક૯૫ભાષ્યગૃણિ ૩૨૫ વૃતિષેણ ૨૭ પંચક૯પ મહાભાષ્ય ૩૨૮ ધ્રુવસેન ૩૨ પંચક૫ મહાભાષ્ય ચૂર્ણિ ૩૨૮ નંદી ૧૫, ૧૭–૧૯, ૨૭, ૨૯, ૩૭, પંચસંગ્રહ કર ૩૮, ૪૩, ૬૯, ૯૫, ૯૬,૯૯, ૧૨, પદ્મસુંદર ૨૮૩ ૨૦૨, ૩૧ ૦, ૩ર૩-૨૫, ૩૨૯, પરમાનંદ ૨૮૫ ૩૩૦, ૩૩૨, ૩૩૫, ૩૪૧, ૩૬૩ પરિણામ પદ ૧૯૨ નંદીચૂણિ ૨૮, ૩૦, ૬૭, ૧૬૩, ૩૩૨, પશ્યત્તાપદ ૨૫૪ ૩૩૫ પાઈપ મહણણ ૨૭૧ નયચક્ર ૮, પાક્ષિસૂત્ર ૩૧૨ નાગસેન ૨૭ પાતંજલ ભાષ્ય ૧૯૨ નાગાજુન ૨૯, ૩૧૬ પાદલિપ્ત ૩૬૫ નાગાજુનીય ૨૯, ૬૯ પાલિકાઇ ૨૬૫ નાનકચંદ ૨૮૫ પાલિસાહિત્યકા ઈતિહાસ ૫૬ નિગોદવિચારવક્તા (શ્યામાચાર્ય) ૯૬ પિંડ નિયુકિત ૩૦, ૩૮, ૩૦૭, ૩૨૦ નિગોદવ્યાખ્યાતા (ગ) ૯૯ પગલપચ્ચત્તિ પર, પ૬ નિરયાવલી ૩૧૯ પુણ્યવિજયજી, પ૩, ૨૯૭ નિરુક્ત ૩૫૯ પુષ્પદંત ૩૨, ૯૯, ૧૦૪, ૩૦ નિરુક્તટીકા ૩૬૦ પૂજયપાદ ૨૬૩ Page #428 -------------------------------------------------------------------------- ________________ You પ્રજ્ઞાપના ૬૧, ૬૨, ૬૭, ૬૯, ૭૨, ૭૪, ૯૧-૯૪, ૯૯, ૧૦૦, ૧૧૨, ૧૧૫, ૧૨૦-૨૨, ૧૨૯, ૧૪૫, ૨૦૮, ૨૩૦–૧, ૨૫૦, ૩૦૭, ૩૧૮ -રચના ૩૩, ટીકા ૬૯, અર્થ ૭૪, ચોથું ઉપાંગ ૭૬ –આધાર દષ્ટિવાદ ૭૬, નિરૂપણ શૈલી ૮૦, વિષયવિભાગ સાતતવમાં, દ્રવ્યાદિ ચારમાં ૮૧, પદવિ. ભાગ અને નિરૂપણુક્રમ ૮૨ અને ૧ખંડાગમ ૮૬, દિશાદિદારે ૨૬ પણ પખં૦માં ૧૪ દ્વાર ૯૦, કર્તા-સમય ૯૫, કાલક ૯૬, મંગલ અને નવકાર ૯૯, ઉવવાઈવ ૯૯, વ્યાખ્યાઓ ૨૭૫, ચૂણિ ૨૭૯, સૂત્ર સંગતિ ૨૮૧ પ્રજ્ઞાપના-અવચેરી ૨૮૩ પ્રજ્ઞાપના ટબ ૨૮૩ પ્રજ્ઞાપનાટીકા ૭૬, ૮૩, ૯–૦૯, ૧૦૪, ૧૧૦–૧, ૧૧૫, ૧૫૫, ૧૫૭, ૧૬૯, ૧૭૩, ૧૮૨, ૨૦૧, ૨૦૫. ૨૫, ૨૨૭, ૨૮૦. પ્રજ્ઞાપના બીજક ૨૮૩ પ્રજ્ઞાપનામૂલટીક ૨૮૦ પ્રમાણમીમાંસા ૨૦૩, ૩૬૦ ' –ભાષાટિપ્પણુ ૨૦૩ પ્રગપદ ૨૦૩ પ્રવિચારણા ૫૬ ૨૬૪ પ્રશ્નવ્યાકરણ ૩૭, ૩૧૮ પ્રેમી અભિનંદન ગ્રન્થ ૩૯ ફુલચંદજી (પુષ્પભિક્ષુ) ૨૯૩ બહુવક્તવ્યપદ ૧૩૭ બાયબલ ૨૮૯, બાહિરનિદાન કથા ૩૬૨ બૃહત્કલ્પ ૩૭ બૃહત્કલ્પભાષ્ય ૧૬–૭, ૨૦-૧, ૩૦, ૪૧, ૬૦, ૬૭, ૬૯, ૨૨૪, ૨૨૫, ૨૬૨, ૩૪૩, ૩૪૫-૬, ૩૪૮, ૩૮૧-૨ બૃહદારણ્યક ૨૨૪ બ્રહ્મસૂત્ર ૧૮ બેચરદાસજી ૫૧, ૯૫ બેલવલકર ૧૮૭, ૩૬૫ ભક્તપરિણા ૩૬ ભગવતી ૩૫, ૪૯, ૫૯, ૭૫, ૮૩, ૯૫, ૧૩૨૧૦, ૧૮૭, ૧૯૨૩, ૨૨૯-૩૦, ૨૫૫, ૨૫૮, ૨૭૦, ૨૯૨, ૩૧૮, ૩૩૦, ૩૪૨, ૩૬૪ –માં અંગબાહ્ય શા માટે ? ૭૩.માં ન ૩૫૦ --પ્રજ્ઞાપના ભગવતી ૮૩ ભગવતી ટીકા ૨૮ ભગવતીસાર ૮૩, ૧૩૨, ૨૨૯, ૨૭૨, ભગવગીતા ૧૮ ભદ્રબાહુ (પ્રથમ) ૨૫, ૨૬, ૩૧, ૩૬, ૩૭, ૬ ૧. ૯૨, ૩૦૭, ૩૨૦ ભદ્રબાહુ (દ્વિતીય) ૩૮, ૪૧, ૬૦, ૭, ૯૯, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૮૩, ૩૦૨, ૩૨૧, ૩૩૪, ૩૪૭ ભાગવયે ૩૩૮ ભાષાપદ ૧૮૨, ૨૦૮ ભૂતદિન ૩૩૭ ભૂતબલિ ૩૨, ૯૯ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦ મલયગિરિ ૭૮, ૮૨, ૯૫, ૯, ૧૦૦ ૧૧, ૧૧૩, ૧૫૦, ૧૫૫, ૧૬૦, ૧૬૧, ૧૬૩, ૧૬૯, ૧૭૦, ૧૭૩, ૧૭૬, ૧૯૫, ૨૦૦, ૨૦૫, ૨૦૮, ૨૧૨, ૨૧૬, ૨૧૭, ૨૨૦, ૨૨૪, ૨૨૫, ૨૪૬, ૨૪૯, ૨૫૬, ૨૬૬, ર૭૦, ૨૭૧, ૨૭૩, ૨૪, ૨૭૫, ૨૭૭, ૨૮૧, ૩૪૫ મલયવતી ૩૬૫ મત્વવાદી ૮ મહાનિશીથ ૩૦૭ મહાબંધ ૨.૩૭ મહાભાષ્ય ૩૬૧ મહાવગ ૧૧૫ મહેન્દ્રસૂરિ ૨૮૨ માઠર ૩૬૫ માદરવૃત્તિ ૩૬૫ માધ્યમિક કારિકા વૃત્તિ ૩૯૩ મુનિચંદ ૨૮૨ મૂલાચાર ૧૯, ૬૦, ૯૭, ૧૧૧,૧૧૭, ૧૧૮, ૧૧૯, ૧૨૦, ૨૫૫, ૨૬૩, ૩૨૧ મેરૂતુંગ ૨૭ મેહનલાલ બાંઠિયા ૨૦૮ યંત્રપૂર્વક કર્મવિચાર ૨૨૨ યશવિજય ૧૬૨, ૧૯૫ યેગનંદી ૩૨૯, ૩૨૫ યોગસૂત્ર ૧૬૭ યોગસૂત્ર ભાષ્ય ૧૬૭ યોનિપદ ૧૭૩ રાજપ્રશ્રીય ૮૪, ૩૧૯ રાજેન્દ્રપ્રસાદ ૨૯૩ રાનડે ૧૮૭ રામાયણ ૨૯૯ લેસ્યાકેષ ૨૦૮ લેસ્યાપદ ૨૦૮ વજ ૧૦૩ વનસ્પતિ વિચાર ૨૮૨ વનસ્પતિ સપ્તતિકા ૨૮૨ વરાહમિહિર ૩૩૮ વસુબધુ ૩૬૫ વાક્ય શુદ્ધિ ૩૧ વાચસ્પત્ય ૩૪૭ વાચસ્પતિમિશ્ર ૪૨ વાસ્યાયન ભાષ્ય ૩૬ ૦ વિચાર શ્રેણી ૨૭ વિચારસરરી ૨૮૨ વિનયપિટક ૧૧૫, ૨૨૯ વિનયવિમલ ૨૮૪ વિધ્યવાસી ૩૬૫ વિયાહપ-નત્તિ ૭૫ વિશાખાચાર્ય ૩૨૦ વિશેષ પદ ૧૧૦, ૧૪૯ વિશેષાવશ્યક ભાષ્ય ૧૯, ૨૧, ૨–૮, ૩૦, ૪૧, ૬૭, ૬૯, ૯૨, ૧૦૧–૩, ૧૧૦, ૧.૮૫, ૨૫૮, ૨૭૨, ૩૦૨, ૩૦૩–૪, ૩૨૩, ૩૩૨, ૩૩૭, ૩૪૫, ૩૪૬, ૩૪૮, ૩૫૯, ૩૬૮, ૩૮૩–૯૭, ૪૦૦ વીરનિર્વાણ સંવત ઔર જેન કાલ ગણના ૨૫, ૨૭, ૨૯, ૩૩૫ વીરસેન ૧૦૪ વેદનાપદ ૨૭૦ વેબર ૩૬ ૬, વ્યવહાર ૩૨, ૬૦, ૩૨૦ Page #430 -------------------------------------------------------------------------- ________________ oe વ્યવહારભાષ્ય ૨૯૮, ૩૩૭, ૩૯૬ વ્યાસભાષ્ય ૧૯૩ વ્યુત્ક્રાતિપદ ૧૫૯ શતક ચૂણિ ૨૧૭ શર્સંભવ ૨૬, ૩૧, ૩૮, ૨૭૮, ૩૨૦ શબ્દાનુશાસન (મલયગિરિ) ૨૭૮ શરીરપદ ૧૮૭ શાત્યાચાર્ય ૪૨ શાર્પેન્ટીયર ૯૯ શાસ્ત્રોદ્ધારમીમાંસા ૩૪ શીલાંક ૪૨, ૬૯, ૨૦૩ શુછીંગ ૬૫, ૨૬૧, ૨૯૨ શ્યામ (કાલક) ૩૭, ૬૧, ૩૪, ૭૯, ૯૨, ૯૫, ૯૬, ૯૯, ૧૧, ૨૦૮, ૩૦૭, ૩૧૮ શ્રાવકપ્રાપ્તિ ૨૮૦ શ્રીગુપ્ત ર૭ શ્રીચન્ટ ચેારડિયા ૨૦૮ શ્રીચન્દ્ર ૩૧૫, ૩૨૬, ૩૨૯ પખંડાગમ ૩૦, ૩ર,૭૨,૭૬-૮,૮૬-૮, ૯૧, ૯૨, ૯૩, ૯૪, ૯૯, ૧૦૪, ૧૧૩, ૧૨૧, ૧૩૩, ૧૩૭, ૧૪૫, ૧૬૩, ૧૬૪, ૧૮૯, ૨૦૪, ૨૫, ૨૦૮, ૨૧૩, ૨૧૬, ૨૧૮, ૨૨૦, ૨૨૧, ૨૨૬, ૨૩૦, ૨૩૭, ૨૪૬, ૨૪૯, ૨૫૦, ૨૫૮, ૨૬૨, ૨૬૪, ૨૬૭, ૨૭૦, ૨૭૨, ૨૭૩, ૩૦૦, ૩૩૭ , –પ્રજ્ઞાપનાના પદો સાથે તુલના૧૦૪-૨૭૪ પછવનિકાય ૫ સંગ્રહ માથા ૭૯ સંધદાસ ૪૧, ૩૬૦ સંજ્ઞાપદ ૧૭૧ સંજ્ઞીપદ ૨૬. સંમતિ (સન્મતિ) તક ૮, ૧૧૧,૨૫૮ સંયમપદ ૨૬૪ સદ્વિતંત ૩૬૫ સત્તરીયઠાણ ૨૮, ૩૫ સમદશી આચાર્ય હરિભદ્ર ર૭૫ સમcપાસાદિકા ૩૬૨ સમવાયાંગ ૧૫, ૫૧, ૫૯, ૬૧, ૮૪, ૨૬ ૨, ૩૨૯, ૩૪૯, ૩૬૩ સમવાયાંગટીકા ૬૬, ૬૭ સમ્યકત્વ પદ ૨૧૭ સમુદ્રઘાતપદ ૨૭૨ સર્વાર્થ સિદ્ધિ ૨૦, ૨૬૫ સાંખ્યકારિકા ૧૮૭ સાગરાનન્દસૂરિ ૨૯૩ સામાયિક ૧૦૨, ૩૧૩ સિદ્ધ પ્રાકૃત ૨૭૮ સિદ્ધસેન ૮, ૧૧૧ સુખદેવ સહાય ૨૯૨ સુખબધા સમાચારી ૩૧૫ સુખલાલજી ૫૩ સુતાગમ ૨૯૩, ૩૦૧ સુધમ ૫૩ સૂત્રકૃતાંગ (સૂયગડ), ૫, ૧૬, ૩૭, ૪૩, ૪૭, ૪૯,૯૬, ૯૭, ૧૧૭, ૧૧૮, ૧૨.૦, ૧૨૪–૨૭, ૨૨૯, ૨૩૦, ૩૦૦, ૩૦૭, ૩૦૯ સૂત્રકૃતાંગ દીપિકા ૨૮૩ સૂત્રકૃતાં ગનિયુક્તિ ૨૫૩ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સૂર્યપ્રજ્ઞપ્તિ ૨૭, ૩૧૯ સમવિમલ ૨૮૪ સ્ટિવન્સન ૨૯૨ સ્ટેઈન્થલ ૨૯૨ સ્થવિરાવલી ૩૩૬ સ્થાનપદ ૧૩૦ સ્થાનાંગ ૩૬, ૫૧, ૨૩, ૫૫, ૫૭ ૫૯, ૮૪, ૧૫૧, ૧૯૨, ૧૯૩, ૨૬૨, ૨૬૩, ૩૧૮, ૩૨૯, ૩૩૩, ૩૪૯ સ્થાનાંગ-સમવાયાંગ ૫૧, ૬૩, ૧૮૬, ૧૮૯, ૨૨૧, ૨૩૧ સ્થિતિપદ ૧૪૬ હરિભદ્ર ૩૮, ૪૧, ૪૨, ૬૯, ૯૫, ૯૯, ૧૦૩–૪, ૨૫, ૨૬, ૨૭૭, ૨૭૯, ૨૦, ૩૦૭ હર્મન જેકેબી ૨૯૨ હર્ષકુલ ૨૮૩ હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન લિટરેચર ૩૩ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન લોજીક ૫૬ હેતુ બિન્દુ ૩૬૫ હેમચન્દ્ર ૧૭, ૩૪૭ હેમચન્દ્ર (માલધારી) ૪૨, ૩૪૯ હેનેલ ૨૫૯, ૨૯૨ ABORA 384 Philosophies of India ર૯–૮ Docrine of Jainas, Sehubring History of Indian Philosophy, Rande ૧૮૭ Indo Asian Culture ૨૯૪ R. N. Dandekar ૨૯૪ Schubring ૬ ૬, ૨૦૮ Zimmer ૨૯૭ Page #432 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨, *વિષયસૂચિ અંગ ૧૯, ૨૫-૬, ૩૫, ૬૫, ૭૦, ૧૦૪, ૧૧૪, ૩૦૫, ૩૧૪ –સ્ત્રીઆદિ માટે ૭૦; ને આધારે અંગબાહ્ય ૭૨; -ઉપાંગને સંબંધ ૭૬ અંગધર ૩૧ અંગબાહ્ય ૧૯-૨૧, ૩૨, ૭૨-૩, ૧૦૪, ૩૦૯, ૩૧૬–૭. -ચૌદ ૩૨, તત્વાર્થમાં ૩૧૦, ધવલામાં ૩૧૦, જયધવલામાં ૩૧૧, કાલિક ૩૧૨, ઉત્કાલિક ૩૧૧ અંચનક ૫૮ અંતરાનુગમ ૧૬૩ અંતરાય ૨૪૬ –ઉત્તર ભેદો ૪૪૬, અનુભાવ ૨૪૯ અકોરકવાદ ૪૮ અક્રિયાવાદ ૫ અક્ષીણ ૩૫૬ અગુરુલઘુ ૧૯૩ અગ્નિકાય ૧૪૬ અચિત્ત ૩ અચિત્તમંત ૩ અજીવ ૩, ૧૩, ૧૦૪, ૧૫, ૧૦૬, ૧૧૧, ૧૪૯ –પ્રજ્ઞાપના ૮૨, ૧૦૫, ભેદે ૧૦૫, ૧૦૬, ૧૫૬ નિરૂપણ ૧૦૪ પર્યાય ૧૦૫, દ્રવ્ય ૧૪૬, ૧૫૧, સ્થાન ૧૩૭, ૧૫૬ અજ્ઞાનવાદી ૪૮ અગ સિદ્ધ ૧૧૨ અણલિંગ સિદ્ધ ૧૧૨ અતિત્થગર સિદ્ધ ૧૧૧ અતિસ્થસિદ્ધ ૧૧૧ અતીથ સિદ્ધ ૧૧૩, ૧૧૫ અદ્ધાસમય ૧૦૫-૬ અધર્માસ્તિકાય ૧૦૫, ૧૦૬, ૧૩૭ અધિગમ ૩૬૭ -ના વિવિધ ઉપાયો ૩૬૭ અધ્યયન -કવ્ય–ભાવ ૩૫૬ અધ્યવસાન સ્થાન ૨૬૭ –દંડકમાં ૨૬૭ અનંત –એકેન્દ્રિય, સિદ્ધ-અભવ્ય ૧૪૧ વનસ્પતિ ૧૫૦ અનંતરસિદ્ધ ૧૧૨, ૧૧૩ અનંતરાગત ૨૨૦ –ની સંખ્યા ૨૨૦ * અહીં ગ્રન્થ-ગ્રન્થકાર સિવાયના વિશેષ નામે પણ છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ અનાકારપશ્ચત્તો ૨૫૬ અનાકારેપયોગ ૨૫૬ અનુગામ ૩૫૭ અનુજ્ઞા ૨૫ –૫ ૩૨૫ અનુત્તર ૧૪૧ અનુભાગબંધ ૨૬૭ અનુભાવનામનિધત્તાયુ ૧૬૯ અનુમાન ૧૨ અનુયોગ ર૭, ૩૯ –ારે ઉપક્રમાદિ ૩૪૧, ૩૫૨, અથ ૩૪૨; અનુ=અણુ, અનુ= પશ્ચાત્ ૩૪૩, વ્યાખ્યા બૃહત્ક૯૫માં ૩૪૩, પર્યાય ૩૪૮, અનનુગ ૩૪૮, અંગમાં ૩૪૯. દષ્ટિ, વાદમાં ૩૪૯, ભેદ ૩૪૯, દશ પ્રકાર ૩૪૯ ચરણ કરણદિ ૩૪૯, ૩૬૩, ઉપક્રમાદિ અંગમાં ૩૫૦, નિક્ષેપાર ૩૫૦, નય દ્વાર ૩પ૦, દષ્ટાંતે ૩૪૮–૯ વૈદિક–બૌદ્ધ તુલના ૩પ૯ વજસુધી પાથકય નહી ૩૬૩ અનુગધર ૨૮ અનુયોગપૃથક્કરણ ૨૬ અનુષ્ઠાન ૬, ૭ અનેકાંત દષ્ટિ ૧૫૩ અનેકાંતવાદ ૭, ૮, ૧૩, ૧૬, ૨૯ અન્તક્રિયા ૨૧૮-૯ અતક્રિયાપદ ૨૧૮ અન્નલિંગ સિદ્ધ ૧૧૨ અન્યલિંગ સિદ્ધ ૧૧૩ અપરિગ્રહ ૭, ૨૪ અપર્યાપ્ત ૨૧૫ અપર્યાપ્તિ ૨૧૬ અપૌરુષેય ૧૫-૭ અકાયિક ૧૧૮ અપ્રમાણ ૧૮ અપ્રામાણ્ય ૧૭ અસર ૨૬૮ અબદ્ધિકનિદ્ભવ પ૪ અભવ્ય ૨૧૬ અભિગમ ૮૩ અભિધમ ૫૬, ૧૦૯ અભિનિબોધ ૨૬૧ અભિપ્રાય ૩૩૩ –-સિદ્ધ ૩૩૩, બુદ્ધિ ૩૩૩ અરિહંત ૧૬, ૫૦, ૧૦૦, ૧૦૧ અરૂપી ૧૫૦-૬ અર્ધમાગધી ૨, ૩૦૮–૯ અર્થોપદેશ ૧૦૩ અહ૫દ ૧૧૫ અલંકાર ૮ અલોક ૧૭૮ અલ્પબહુત ૮૯, ૧૪૫, ૧૭૧, ૨૬૯, ર૭૪ –અવગાહના વિષે ૨૨૮, દ્રવ્ય પ્રદેશ–ઉભય ૨૨૮ અવગાહના ૨૨૫ –શરીરની ૨૨૫ અવગાહના નામનિધત્તાયુ ૧૬૯ અવગાહનાર્થતા ૧૫૩અવધારણી ભાષા ૧૮૬ Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ અવધિતાન ૨૫૮, ૨૫૯ –ભેદો ૨૫૯, સર્વાવધિ ૨૬૦, આકાર ૨૫૯ અવધિદર્શન ૨૧૭ અવસ્થા ૧૪૯ અવાય ૨૦૨ અવિસંવાદ ૨૦ અશ્રુત ૨૧ અસંજ્ઞી ર૫૪, ૨૬૪ અસંસારસમાપનું સિદ્ધ ૧૧૬ અત્યામૃષા ૧ - અસદ્દભાવપર્યાય ૩૫૦ અસતાવેજનીય ૨૪૮ અસુરગંધર્વ ૪૯ અસ્તિ ૪૯ અસ્તિકાય ૧૦૫ અસ્તેય ૭ અસ્પૃશગતિ ૧૩ર અહિંસક ૫, ૩૭૮ અહિંસા ૫–૭, ૧૪, ૫૦ અહેતુવાદ ૧૪ આકર્ષ ૧૬૮ આકાશ ૧૦૫, ૧૩૭, ૧૪૮ આગાસ ચિન્ગલ લોક) ૨૦૦ આચાર ૧૯, ૨૪, ૨૯૯ આચારાંગધારી ૩૨ આગમ ૬, ૭, ૧૧–૧૩, ૧૫, ૧૭ ૨૧, ૧૦૪ –ટીકાકારે ૬, ટીકામાં મૌલિક ધારણું ૬, આધાર આપ્તવચન ૧૪, વક્તાનું પ્રાધાન્ય વ્યવહાર ૧૬, નિશ્ચયે શ્રોતાનું પ્રાધાન્ય ૧૭, ભાષા રર, પ્રામાણ્ય રર, સુરક્ષા રર-૪, લેખન ર૯, રચનાકાલ ૩પ, પ્રાકૃત ૩૬, વિષય ૩૯, ટીકા ૬, ૩૪, ૪૧, વ્યવહાર ૭૧, લિૌકિક-અલૌકિક ર૯૮, પય ર૯૮, પ્રત્યક્ષ-પરોક્ષ ર૯૮, લેકેત્તર ર૯૯, સુરાદિ ૨૯૯, અંગને આધાર ૩૦૫, અનાદિ ૩૦૫, રચના પ્રદેશ ૩૦૬, ભાષા ૩૦૭, સંખ્યા ૩૦૯, વર્ગીકરણ ૩૧૩, સમય ૩૧૬, શ્વે સંમતસૂચી ૩૧૫, વાચન ૩૧૬, અનાદિ અનંત ૩૧૬, યુગના વ્યવહાર નિશ્ચય ૩૬૭, દાર્શનિકની વિભા જક રેખા ૧૧ આચાર્ય ૧૦૧ આજીવક રરપ આજ્ઞાપની ૧૮૭ આત્મા ૨, ૩, ૫, ૯, ૧૩, ૨૨૩, ૨૫૫ —પરિમાણ ૧૩૨, શરીર પ્રમાણ ૧૩૧, સ્વરૂ૫ ૪૬, વ્યાપાર ૨૦૩, દોષો ૧૯૮ આત્મૌપમ્પ ૫૦ આદેશ ર૧-૨, ૩૫૦ આધ્યાત્મપ્રધાન ૧૭ આનુપૂવી ૩પર આપ્ત ૧૮ આભિનિધિક : -શ્રુત-અકૃત–નિશ્રિત ચર્ચા ૩૩ર આભિગિક રરપ આય ૩૬ Page #435 -------------------------------------------------------------------------- ________________ આયુ ર૪૧ -અનુભાવ ૨૪૮, બુધ ૧૬૮, સાપક્રમ—નિરુપક્રમ ૧૬૭, ઉત્તર ભેદા ૨૪૧ આયેાજિકા ૨૩૧, ૨૩૬ આરાતીય ૩૧૯ આ ૧૨૮ આહાર ૨૫૦ -દંડામાં ૨૫૧, પુદ્દગલા ૨૬૭ આહારક ૧૮૮, ૨૨૭ ઇતિહાસ ૧૫ "સ્થિલિંગ સિદ્ધ ૧૧૧, ૧૧૩ ઇન્દ્રિયા ૧૧૬ ઇષાગભારા ૧૩૩ ઈશ્વર ૩, ૬, ૧૫, ૪૮ ઈહા ૨૦૨ ઉગ્ગહ અથ—વ્યંજન ૨૦૨ ઉત્કાલિક ૩૧૩ ઉત્પત્તિ ૧૦૩, ૧૦૯ ઉત્સર્પિણી ૨૧૫ ઉદ્દેશ ૧૧ ઉવ્રુત્ત રર૦ ઉર્દૂ દ્વાર રર૦ ઉદ્દના ૧૬૦, ૧૬૪ ઉપકરણ ૧૧૪ ઉપક્રમ ૩૫૨, ૩૫૫ કાર વ્યાખ્યા ૩પર, વિષે જિનભદ્ર ૩૫૩, આનુપૂર્વી ૩૫૩, ૩૫૫, નામદાર ૩૫૩, ૩૫૫, પ્રમાણાર ૩૫૩, ૩૫૫, વક્તવ્ય ૩૫૪, ૩૫૫, અર્થાધિકાર ૩૫૪–૫, સમવતાર ૩૫૪-૫ ઉપતંત્ર ૩૧૩ ઉપદેશ ૧૬, ૧૯, ૨૧–૨, ૨૪ ઉપપાત ૧૧૬, ૧૩૦–૧, ૧૩૪, ૧૬, ૨૭૫-૬ ઉપધિ ૧૧૪ ઉપનિષદ્ ર્–૫, ૧૩૭ ઉપમાન ૧૨ ઉપયેાગ ૨૧૭, ૨૫૫ —અને પશ્યત્તા પ -ક્રમ-યુગપદ્ અભેદ ૨૫૮ ઉપશમક્ષપક શ્રેણી ૨૬૭ ઉપાંગ ૩૩, ૩૫, ૩૧૩-૪ ઉપાદેય ૨૧ ઉપાધ્યાય ૧૦૧ ઉપેાદૂધાત ૩૫૮ ઊર્ધ્વતા સામાન્ય ૧૫૦-૧ ઋદ્ધિ ૨૧૧ એક–અનેક ૮ એકસમયદ્વાર ૧૬૩ એકાત્મવાદ ૪૭ એકાદશાંગધારી કર. એકેન્દ્રિય ૧૩૩ એગસિદ્ધ ૧૧૨ એગાહણા (અવગ્રહણ) ૨૦૨ આજ આહાર ૨૫૩ ઔદારિક રર૭, ૧૮૮ ઔપપાતિક ૮૪, ૩૧, ૧૯૨ કચ્છેાટક રર૪ કથાસાહિત્ય છ Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ કરણાનુયોગ ૩૩, ૩૧૯ –દિગંબરમત ૩૩ કમ ૩-૪, ૬, ૯, ૧૩, ૧૫૨ -વિચાર ૯૨, ૨૩૭, વિહીન થવાને માર્ગ ૫-૬ –બંધ ૪૯, બદ્ધ, સ્પષ્ટ, સંચય ૨૪૬, દંડકમાં ૨૪૬, પગલિક ૨૩૦, પ્રકૃતિ-મૂળ–ઉત્તર ૨૩૯, ઉદય ૨૪૬, સ્થિતિ ર૪૯, અબાધા ર૪૯, વિપાક ૨૭૧ કર્મભૂમિક ૧૨૮ કર્મવાદ-ક્રિયાવાદ ૨૩૧ કમવાદી રર૯ કર્મવિચારણું -પ્રજ્ઞાપના–ષખંડાગમમાં ૨૩૮, ભૂમિકા રર૯ કલ્પ ૬૧, ૩૦૭, ૩૧૯ ક૯૫ાતીત ૧૩૦ ક૯પપગ ૧૩૦ કષાય ૫૦ કાન્દપિક ર૨૪ કાર્ષિલ ૩૬૬ કાયિકી ૨૩૫ કામચશ્વિક રર૭ કામણ ૧૮૮, રર૭-૮ કાળ ૬, ૧૫, ૧૦૯, ૧૧૨, ૧૮૮, ૨ ૧૪ કાલગત રર૦ કાલવિચાર ૯૧ કાલિક ૩૧૩ કાલિક શ્રુત-અંગ ૨૭, ૨૮, ૩૧૭ -પૂર્વથી પૃથક્ ૬૯ કાલિક (અંગબાહ્ય) ૩૧૨ કાવ્યપુરુષ ૩૦૫ કિટિબષિક ૨૨૪ કુટસ્થ નિત્યતા ૧૯૨ કૃતિક ૩૨ કૃષ્ણાદિ ૧૫૪ કેવળજ્ઞાન ૧૬, ૩-૪ કેવળી ૧૭, ૨૦, ૨૬, ૩૨, ૧૧૫ –નો ઉપયોગ ૨૫૮, મને વ્યાપાર નથી ર૬૦ * ક્રિયમાણકૃત ૩૮૯ કિયા ૩ –થી જુદું કમ નથી–મત ૨૩૦, પચીશ ૨૩૩, શામાં ૨૩૪, થી પ્રકૃતિ બંધ ૨૩૪, બંધ વખતે ક્રિયા ૨૩૫, પાંચ ૨૩૨, દંડકામાં ૨૩૫, વિચારણા ૨૨૯-૩૦, નય ૩૬૮ ક્રિયાકાંડ ૨૩ ક્રિયાવાદ ૪૫ ક્રિયાવાદી ૨૨૯ ક્રિયાસ્થાન ૨૩૦ -તેર ૨૩૩ ક્ષણિક ૧૦૯ ક્ષત્રિય ૨૭ ક્ષપણા ૩૫૭ ક્ષેત્ર ૧૮૮ ખેચર ૧૨૬ ખ્રિસ્તી ૨૮૯ ગંધપરિણત ૧૦૭ ગંધ પરિણામ ૧૦૮ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ગ૭ ૧૧૪ –વાસી ૧૧૪ ગણધર ૧૭, ૧૯, ૨૧, ૨૨, ૨૯-૩૦, ૩૨, ૩૪, ૧૦૨-૪ –સૂત્રકર્તા ૩૦૩, પ્રણીત આગમ ૧૯-૨૦ સ્તુતિ ૩૩૦ ગણિતાનુગ ૨૭, ૬૩ ગણિપિટક ૧૫ ગતિ ૧૧૬ ગતિનામનિધત્તાયુ ૧૬૮ ગતિપ્રપાત ૨૦૫ -પાંચ ભેદ ૨૦૫ ગત્યાગતિ ૯૨ ગર્ભજ ૧૧૬ ગર્ભવ્યુત્ક્રાન્તિક ૧૨૭ ગિહિલિંગસિદ્ધ ૧૧૨, ૧૧૩ ગીતાથ ૬૯ -અક૫ધર ૬૯ ગુજરાત ૩૦૭ ગુણ ૧૦૯, ૧૧૦–૧, ૩૫૦ ગુણસું દર ૨૭ ગુણસ્થાન (જીવસમાસ) ૮૬, ૯૪, ૯૫, ૨૬૪ ગુપ્તકાળ ૨ ગુરુ, ૨૩, ૨૪, ૧૧૩, ૧૧૪ ગુરુલઘુવિચાર ૧૯૩ ગુહ્ય વિદ્યા ૩ ગૃહસ્થ ૧૧૩ ગૃહસ્થાશ્રમ ૫૦ ગૃહિલિંગ સિદ્ધ ૧૧૩ ગોત્ર ૨૪૫ ગેશક ૪૮ ગૌતમ ૨૬, ૩૨, ૬૯, ૧૦૨, ર૧૬ ગ્રન્થ ૧૯ –ની સુરક્ષા ૨૪, અર્થપ્રણેતા ૧૯, બદ્ધ ૧૯ પ્રિયક ૧૩૦ –બાહ્યાચારની શુદ્ધિથી ૨૨૫ ઘરસંસાર ૫ ચક્રવતી ૯ર, ર૦૧ ચતુરિન્દ્રિય ૧૨૨, ૧૩૩ ચતુર્દશપૂર્વધર ૨૦, ૬૯ ચતુર્દશપૂવી ૨૦–૧, ૧૮૮ –શ્રુતકેવલી ૬૯ ચતુર્વિશાસ્તવ ૩૨ ચતુઃ શરણું ૩૬ ચતુઃસ્થાનપતિત ૧૫૭ ચતુષ્પદ ૧૨૪ ચન્દ્રપ્રાપ્તિ ૩૭ ચરક ૩૬૬ –પરિવ્રાજક ૨૨૪ ચરણકરણાનુયોગ ર૭ ચરણાનુગ 1 –દિગબરમત પ્રત્યે ૩૩ ચરમ-અચરમ ૧૭૬–૧૮૨ ચારિત્ર ૧૩ –વિધિ ૫૭ ચિત્ત ૩, ૧૩૨, ૧૩૭ –મંત ૩ ચિત્ર –ઉદા. થી ભાષાદિની સમજ ૩૪૮ ચૂલિકાસૂત્ર ૩૫, ૩૯ ચૂલિકા ૩૧૪ -દશવૈકાલિકની ૩૮ Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૭. ચૌદપૂર્વ ૨૫ ચ્યવન ૧૬૧ સ્મ્રુત ૨૨૦ છેદ ૨૭, ૩૪. ૩૫, ૩૭, ૩૧૪ જમ્મૂ ૨૬, ૫૩ જન્મ ૧૩, ૧૧૬ જન્મવું ૨૨૩ જમાલી ૩૯૩ લયર ૧૨૩, ૧૨૪ જાતિનામનિધત્તાયુ ૧૬૮ જાતિસ્મરણ ૧૧૪, ૨૬૧ જિન ૧૫, ૧૮-૯ જિનાગમ ૧૮ જિનાગમપ્રકાશિની સાંસદ ૨૯૩ ૧૩, મન ૧૩, જીવ ૩-૫, ૭, ૧૩-૪, ૧૬, ૯૨, ૧૦૪૫, ૧૧૧૨, ૧૬૬, ૧૪૯ -પેાતે જ માદક ૬, પતનના કારણેા ૧૩, ભેદો ૧૩, ૧૧૨, ૧૧૬, શરીર ૧૩, ઇન્દ્રિયા. મરણાત્તર ગતિ ૧૩, ભાષા ૧૩, મુક્તિ માગ ૧૩, ભેદનું કારણ ક્રમ ૧૩, રૂપ, આયુ, નિવાસ ૧૩, વિદ્યા ૧૪, શ્રદ્ધા ૧૮, પ્રજ્ઞાપના ૮૨, સમાસ ૮૬, ૯ઃ, સ્થાન ૯૧, ૯૪, ભેદો ૯૧, ૯૯, ૧૦૫, ૧૩૪ જધન્ય ઉત્કૃષ્ટ સ્થિતિઆયુ ૧૪૭, જીવાજીવના પ્રકાશ ૧૦૪, સર્વકાળે અસ્તિત્વ ૧૧૨ ૨૧૪ પર્યાપ્તિ ૧૧૬, નિવાસ ૧૩૦, સખ્યા ૧૩૭ ૪૧, અલ્પ અહત્વ ૧૪૫, અનંત ૧૫૦, સ્થિતિ ૧૪૬, પરિણામે ૧૫૧, અનંત પર્યાય ૧૫૪, ઉપપાત ઉદ્દતના ૧૬૧, ૧૬૪, ગત્યાગતિ ૧૬૪, કયાંથી આવે ૧૬૫, કાં જાય ૧૬૭, આયુ ધ ૧૬૭, કર્માંપાદાન ૧૬૮, જોસેાવાસ ૧૭૦, સંજ્ઞા ૧૭૧, શરીર ૧૮૭, ૨૨૫, પ્રાણધારણ ૨૧૪, નિગેાદ ૨૧૫, સેન્દ્રિય આદિ ૨૧૬, સક્રિય-અક્રિય ૨૩૨ આહાર ૨૫૦, ૨૫૩, એધ ૨૫૪, લક્ષણ ૨૫૫, ઉપયાગ રપ૭, વેદના ૨૭૦ જીવ—અજીવપણ્વણા ૧૦૫, ૧૧૧ જીવદ્રવ્ય ૧૪ જીવપરિણામ ૧૦૫ જીવપર્યાય ૧૦૫ જીવવિચાર ૯૨, ૯૭ જીવસામાન્ય ૧૫૧ જીવાજીવવિભક્તિ ૯૭, ૧૧૧ જૈન ૬૮–૯, ૧૧, ૧૪-૫, ૧૮, ૨૧-૨, ૧૦૯, ૧૧૫, ૧૩૭, ૧૫૧, ૧૯૨ –તાત્ત્વિક માન્યતા ૧૯, અત શ્રુતિ ૧૯ જૈન આગમ ૨~૩, ૧૧-૧૬, ૧૭–૨૧ —અહિંસા છ, પ્રાકૃતમાં ટીકા પછી સÆમાં ૨ -અનાદિ અનંત ૧૬, વ્યાખ્યા ૧૫, ધ્યેય ૧૪, સુરક્ષામાં ખાવા રર, વ્યાખ્યા શ્રાતા—વક્તાની અપે. ક્ષાએ ૧૭, વાચના ૨૪; મહત્ત્વ૨૮૯, વેદ ત્રિપટકથા પ્રકાશન Page #439 -------------------------------------------------------------------------- ________________ : ભિન્ન ર૯૦, અર્થનું મહત્ત્વ ર૯૯, , વીતરાગની વાણુ ર૯૧, માત્ર - ધાર્મિક નથી ૨૯૧, ભાષાં પ્રાકૃત ૨૯૧, પ્રકાશનને ઈતિહાસ ર૯૨, - મૂળ વેદમાં નથી ૨૯૪, છ વિદ્યામાં અગ્રણી ૧૪, જીવ–કર્મ વિષે ૯૩, ક્રિયાવાદી ૪૮, તત્ત્વ - જ્ઞાન ૩, જુઓ-જેનાગમ . જૈન આચાર • –નો પાયે સામાયિક ૭ જેન આચાર્ય ૭, ૨૫ જેન ઉપાધ્યાય ૨૨ જેન ઋષિઓ ૨૧ જેન ગ્રન્થ ૨૦ જેના દર્શન ૮, ૧૧–૧૪, ૧૦૪, ૧૦૯ –ઈશ્વરની નવી ક૯૫ના, ૬, પાયો સમભાવ ૭ નયવાદથી નિષ્પન્ન અનેકાંતવાદ ૭, મૌલિક ધારણું ૧૧, મૂળ જૈન આગમ ૧૧, ૧૪, નિષ્ઠા ૮, -વિચારણાને આદિકાળ ૪૩, સાહિત્ય ૧૧ જેન ધર્મ ૬, ૧૫, ૧૭, ૩૩, ૧૧૩ - તપસ્યાનું મહત્ત્વ ૫, વૈયક્તિક અનુષ્ઠાન ૬, -આધ્યાત્મિક ૧૭, તાત્વિક સ્વરૂપ ૧૧૩, સંપ્રદાય ૧૧૩, નિષ્ઠાઓ છે જેન મન્તવ્ય -પ્રાસંગિક ચર્ચા આગમમાં ૧ જૈન મહારાષ્ટ્રી ૩૦૯ જેનલિંગ ૨૨૫ નવેદ ૩૩ જનસંઘ ૨૦, ૨૨, ૨૫ જેન સાહિત્ય ૧-૫, ૮–૯ –પ્રારંભ લોકભાષા પ્રાકૃતમાં ૧, પ્રારંભિકનિષ્ઠા ૧ - –વેદ વિરોધી ૧, વિશેષતા ૪, તપસ્યાનું મહત્ત્વ ૫, તીય* ૩૨ ભક્તિ ૬ જેન સાહિત્ય સમારોહ ૧, ૫૦ જૈન શ્રમણ ૨૩-૪ –સદાચાર જ સર્વસ્વ ૨૩, સંધ ૨૪–૫ જેનશ્રુત ૨૩-૪ જૈનશ્રતિ ૧૯ જેન સૂત્રે ૨૩ જેનાગમ ૧૬–૧૯, ૪૨, ૧૦૦ - –સત્યત્તિક-પૌરુષેય ૧૬, મિથ્યા શ્રુત ક્યાંરે ? ૧૭. –તીર્થંકર અર્થપ્રણેતા, સત્રકાર નહી ૧૯, રક્ષા ૨૩, સૂચી ૩૧, સમય ૪૩, અંગબાહ્ય ૬પ, દ્વાદશાંગ ૩૧૦, અંગ–અંગબાહ્ય ૩૧૦, અન્તર્ગત શાસ્ત્રો ૧૮ જ્યોતિષ્ક ૯૬, ૧૬૧ જ્ઞાન ૩, ૧૨-૩, ૧૭, ૨૪, ૧૫૫ ; ; જ પ્રમાણુ–ૌદ્ધ ૧૨, દુષ્ટ આદિ ૪૫, ક્રમ ૨૦૨, નિરૂપણ ર૦૨, નંદીની ચર્ચા–કોષ્ઠક ૩૩૧, ગુણ : ૩૫૩, નય ૩૬૮ ઉત્પત્તિ ૩૮૯ જ્ઞાનદર્શનાર્થતા ૩૫૦ Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯ જ્ઞાનપરિણામ ૧૦૯ ત્રીન્દ્રિય ૧૨૧, ૧૩૩ જ્ઞાનમાર્ગ ૩, ૫ દંડક ૮૦, ૨૧૮, ૨૫૮, ૨૬૭, ૨૭૩ જ્ઞાનાવરણીય –ચાવીશ ૧૫૩, જીવભે વિશેષ –ઉત્તર પ્રકૃતિ ૨૩૯, અનુભાવ ૨૪૭ ૧૫૫, ૨૫ તજજીવતછરીરવાદ ૪૮ દર્શન ૧૫૫ તતગતિ ૨૦૫ -કાળની વિશેષતા ૧૩, વિશ્વ તત્ત્વ ૧૯, ૨૦, ૧૦૫ વિષે ૩૬૮ –સાન ૧૩, સંખ્યા ૧૩૭, નવ દશનવ્યાપન ૧૪, ૪૯ -નિદ્દનવ ૨૨૫ તપ ૧૭ દર્શનાવરણીય તપસ્યા ૫, ૨૪ –ઉત્તરભેદ ૨૩૯, અનુભાવ ૨૪૭ તક ૧૪-૫ દશપૂવ ૨૫ તાપસ ૨૨૪ દશપૂર્વધર ૨૦ તિથિ ૧૧૧ દશપૂવી ૨૦, ૨૧, ૨૬, ૩૨ તિર્થીગર ૧૧૧ દાર્શનિક ૮, ૧૧, ૧૮, ૧૦૩ તિર્યંચ ૧૨૩ -સાહિત્ય ૧૧, આધાર આગમ –પંચેન્દ્રિય ૧૧૬ ૧૧, સંસ્કૃતમાં ૧૧, કાળમાં સાતતિર્થ સામાન્ય ૧૫૦, ૧૫૧ નય ૧૩, ગ્રન્થ ૧૪ તીર્થ ૧૧૩ દિગંબર ૨૧, ૨૨, ૨૬, ૩૦, ૨૮, તીર્થકર ૨, ૬, ૧૬, ૧૮-૨૦. ૨૨, ૧૩૮, ૨૯૦, ૩૦૬ ૪૦, ૯૨, ૧૦૦, ૧૦૧–૪, ૧૧૧, -અંગબાહ્ય ગ્રન્થ ૩૨, અનુ૧૧૪, ૧૧૫, ૨૨૧ યોગમાં વિભક્ત ગ્રંથો ૩૩, શ્રત -સિદ્ધિને નમસ્કાર ૧૦૦, પ્રણીત વિચ્છેદને ક્રમ ૩ર, સ્ત્રીમેક્ષ નિરાકરણ ૧૧૩ આગમ ૨૨ દિશા ૧૩૮ –નારકી અને વૈમાનિક મરીને ૨૨૩, અર્થોપદેશક ૩૦૩ દીક્ષા ૧૦૦ તીર્થસિદ્ધ ૧૧૫ દુઃખ ૫ - શય્યા ૫૮ તેજ ૨૨૦ દુભિક્ષ ૨૫ તેજ:કાયિક ૧૧૯ દેવ ૬, ૨૭, ૪૯, ૧૧૬, ૨૧૪ તેરાપંથી ૩૪ તેજસ ૨૨૭, ૧૮૮ –ભેદો ૧૨૯,૫રિચાર ૨૬૮ વસ ૧૧૯ દેવતા ૪ Page #441 -------------------------------------------------------------------------- ________________ દેવલેાક ૨૨૩ દેશ ૬, ૧૫ દેસ ૫૦ તારતમ્ય ૧૩૮, દ્રવ્ય ૧૩, ૧૦૫, ૧૧૦-૧ --સંખ્યાગત ૧૩૯; ફૅટસ્થ નિત્ય નથી ૧૪૯, પર્યાયા=વિશેષ। ૧૪૯, પર્યાયને અભેદ ૧૫૦, ભેદ ૧૫૦, ક્ષેત્રકાલ–ભાવ ૧૫૭, ૩૫૦, ૩૬૭, માગમ ૨૦ દૃષ્ટિ ૧૯૮ દ્રવ્યય ૧૩ દ્રવ્યપ્રમાણ ૧૪૫ દ્રવ્યપ્રમાણાનુગમ ૧૪૫ દ્રવ્યાનુજ્ઞા ૩૨૫ દ્રવ્યાનુયાગ ૬૩, ૧૭ દિગંબર ગ્રન્થા ૩૩ દ્રવ્યા તા ૧૫૩, ૩૫૦ દ્રવ્યાથિક ૧૪૫, ૭ —નય ૧૭૭, પર્યાંયાથિક ૭, ૩૬૭ દ્વાદશાંગ ૧૫, ૩૦, ૬૨ દ્વાદશાંગી ૧૫–૬, ૧૮-૨૦, ૬૫ -પૂર્વને આધારે ૬૫ ૪૨૦ દ્વારા ૧૦૩ ક્રીન્દ્રિય ૧૩૩ દ્વેષ ૨૪૬ ધર્મ ૬, ૧૬, ૨૭, ૧૧૦, ૧૪૮ ધ કથાનુયેાગ ૨૭ ધર્માચરણ છ ધર્માનુષ્ઠાન હું ધમાંતિકાય ૧૦૫, ૧૦૬, ૧૩૭, ૨૧૩ ધારાવાસ ૨૦૧૬ ધાર્મિક ૬, ૮ શ્રૃતિ ૧૬ ધ્યાન ૨૧૬ ધ્રુવ-અધ્રુવ ૮ ધ્રુવસંખ્યા ૧૪૦ નદી થેરાવલી ૬૯ નદીદ્વીપ ૫૮ નદી સ્થવિરાવલી ૩૩૬ નક્ષત્ર ૩૨ નપુ સકલિંગ ૧૧૨ નમસ્કાર ૧૦૨, ૧૦૪, ૧૦૧, -ઉદ્ધાર ૧૦૩, ઉત્પત્તિ નયાપેક્ષયા ૧૦૩, મંગલ પૃથક્ શ્રુતસ્ક ંધ નથી ૩૨૩, મંગલ ૨૩૭ શાશ્વતઅશાશ્વત ૧૦૩, વંદનાના પાંચ પદા ૧૦૦ નય ૭–૮, ૧૩, ૩૫૦, ૩૫૯ વાદ ૭, પ્રમાણ ૩૫૪, વા૬નિષ્પન્ન અનેકાંતવાદ ૮, વિચારણા. ભગવતીમાં ૩૫૦, શુદ્ધ અશુદ્ધ ૩૮૪ નયષ્ટિ ૧૦૩ નય–પ્રમાણ -અધિગમે પાય ૩૬૮ નમાવતાર ૨૮, ૩૫૪ નરક –સાતમીમાં ન્યૂનતમ નારક જીવ ૧૪૧, યાતના ૭ નવતત્વ ૧૩, ૪૯ નવપૂવ ૨૮ !!!? Page #442 -------------------------------------------------------------------------- ________________ નામકર્મ ૨૬ -ઉત્તરભેદ ૨૪૧, અનુભવ ૨૪૮ નામ-સ્થાપના દુવ્ય—ભાવ અધિગમેાપાય ૩૬૮ નારક ૧૦૫, ૧૧૬, ૨૧૪ -સંસી-અસંગી ૨૦૮, ૨૭૨, આયુ ૧૪૭, તથા દેવના ઉપષાત જન્મ ૧૧૬ નિક્ષેપ ૮૭, ૨૩૮ –સ શબ્દના ૩૫૦, દ્વાર ૩૫૫ નિગેાદ ૨૧૫ નિર્જરા ૩૯૬ નિત્ય -ની વ્યાખ્યા ૧૯૩ નિત્યતા -ત્રણ પ્રકાર ૧૯૨ નિદા—અનિદ્યા વેદના ૨૭૦ નિધત્ત=નિષિક્ત ૧૬૮ નિયતિવાદ ૪૮ નિયમ ૧૭ નિયેાગ ૩૪૪-૫ –અનુયાગપર્યાય ૩૪૪ નિર્વાણ ૪, ૧૧, ૧૦૦ નિશ્ચયનય ૨૦૫, ૩૬૭, ૩૮૪ નિશ્ચયદૃષ્ટિ ૧૭ નિષેક ૧૬૮ નિહ્રવ ૫૪, ૨૨૧ નેપાલ ૨૫, ૩૦૭ નૈયાયિક ૧૫ -વૈશેષિક ૧૫, ૧૦૯ કૌરિયક ૧૨૨ ૪૨૧ નાભવાપપાતગતિ -પુદ્ગલ અને સિદ્ધની ૨૬ ન્યાય ૧૯૨ પચનમસ્કાર. ૯૯, ૧૦૦૨, ૧૦૪, –ના કર્તા ૧૦૧, મંગલ ક પંચમહભૂતિક ૪૭ પંચાગ્નિ તપસ્યા પ પંચાચાર ૧૧૧ પંચાસ્તિકાય ૧૩, ૪૯ પચેન્દ્રિય ૧૧૬, ૧૨, ૧૨૬, ૧૩૩ પટ્ટાવલી ૯૫-૬ પણ્વણી ૭૬ પચ્ચેએધિ ૧૧૫ પદ્મમાછ્યિાગ ૭૪૯ પરોયયુદ્ધ ૧૧૧ પોયમ્રુદ્ધસિદ્ધ ૧૧૩ ૫૬ ૫૫, ૧૧૧ -અ ૭૮ પદાર્થ ૧૦૫ પરંપરસિદ્ધ ૧૧૨--૩ પરમાણુ ૧૦૬, ૧૩૭, ૧૫૭ –સ્થિતિ ૧૫૭, અવગાહના ૧૫૬ પરમા ૪ પરિગ્રહ ૩ પરિચર ૨૬૫ પરિચારણા ૨૬૪–૫ પરિણામ ૧૦૫, ૧૦૮, ૧૧૦,૧૩૬, ૧૦૯, ૧૪૯ ~કાળ ૧૦૯, જીવ–અવના ૧૯૨-૪, 'ડકામાં ૧૯૨, અજીવમાં માત્ર પુદ્ગલેાના ૧૯૨, અજીવના Page #443 -------------------------------------------------------------------------- ________________ દશ ૧૯૩, આદિ-અનાદિ ૧૯૪, અછવગતિ પરિણામ ૧૯૪, સ્પૃશ–અસ્પૃશ૬ ૧૯૪, દંડકામાં ૧૯૬–૭ પરિણામવાદી ૧૯, ૧૯૨ પરિણામવિચાર ૧૯૨ પરિણાભિનિત્યતા ૧૯૨ પરિસ૫ ૧૨૫ પરિસ્થિતિ ૬ પરીક્ષા ૧૧ પરીષહ ૩૧ પરોક્ષ ૩૨ પર્યાતિ ૧૧૬, ૨૬૩ પર્યાય ૧૩, ૧૧૦–૧, ૧પ૧ પર્યાય ૩૯૭ –સર્વથા એકાક નહીં ૩૪૭ પર્યાયનય ૧૩ પર્યાયાર્થિક ૭ પશ્યત્તા ર૫૬ પાટલિપુત્ર રપ –વાચના ૨૪, ૩૧૭ પા૫ ૩. -સ્થાન ર૩ર, ૨૩૬ પાલિપિટક -૩ પુંડરીક ૩૨ પુગલ ૧૦૫, ૧૦૮,૧૧૦, ૧૩૭,૧૪૮ –ના પ૩૦ પ્રકારના પરિણામે ૧૦૮, મન આદિ પરિણામ ૧૦૯, ૨૦૪, ભાષા પરિણત ૧૮૩, પાંચ પ્રકારે ભેદન ૧૮૫, રૂપીઅછવ ૧૫૬, અનંત પર્યાયો ૧૫ર, સંખ્યાવિચાર ૧૬૮ પુગલ પુરુષ ૭૬ પુનર્જન્મ ૨૭ પુરિસ ૧૧૨ -લિંગ ૧૧૨ પુરુષ ૧૫ -~ી સંખ્યા વધારે ૧૪૦–૧ સ્ત્રીનું આયુ ઓછું ૧૪૬ પુરુષ-નિયતિવાદ ૮ પુરુષપરીક્ષા ૬૩, ૫૬ પુરુષાર્થવાદ ૪૮ પુરોહિત ૬ પુસ્તક ૨૧ -પરિગ્રહ ૨૪, લેખન ૨૯,૩૧૭ પૂજા ૬ પૂર્વ ૨૮, ૩૦, ૩૫, ૬૬-૭, ૩૩૪ –ચૌદ ૨૦, વિચ્છેદ ૨૬, ૩૦. ૭૨, ૩૧૮, આધારે ગ્રન્થા ૩૦; મહાવીર પૂર્વના શિષ્ય દ્વારા અધ્યયન ૬૮, શ્રુતપૂર્વ ૬૮. સમ્યક્ કૃતનો માપદંડ ૬૯ પૂર્વધર ૩૧, ૬૯ –લબ્ધિધર ૭૧, વિચછેદે પ્રાયશ્ચિત્ત વિચ્છેદ ૭૧ પૂર્વશ્રુત્ત ૯૫ પૃથ્વી ૭ પૃથ્વીકયિક ૧૧૭ પેજજ ૫૦ પગલિક પર્યાય ઉપર પૌરુષેય ૧૫, ૧૭ પ્રકીર્ણક ૩૫, ૩૭, ૩૧૪, ૩૪૬ પ્રકૃતિસમુત્કીર્તન ર૬ Page #444 -------------------------------------------------------------------------- ________________ પ્રક્ષેપાહાર ૨૫૨ પ્રજ્ઞાપનીય ૧૬ પ્રતિક્રમણ ૩૨ પ્રતિપાદ્યવસ્તુ ૧, ૨ પ્રતિબિંબ ૧૯૯ –પવિભાગ (પ્રતિભાગ) ૨૦૦. નિશીથ ભાષ્યમાં ચર્ચા ૨૦૦, સ્થાદ્વાદરત્નાકરમાં ૨૦૦, તત્ત્વાર્થ સિદ્ધસેનીયમાં ૨૦૦ પ્રતિભા ૨૧ પ્રતિષ્ઠાપુર ૩૦૭ પ્રત્યક્ષ ૧૨, ૨૨ પ્રત્યાખ્યાનક્રિયા ૨૩૦ પ્રત્યાખ્યાનપૂર્વે ૩૧ પ્રત્યેકબુદ્ધ ૧૯, ૨૧, ૧૧૪, ૩૧૩ A –બાહ્ય કારણે બોધિ, ૧૧૪, એકલવિહારી ૧૧૪, વેશ અનિ- વાર્ય નથી ૧૪ પ્રત્યેક બોધિ ૧૧૫ પ્રથમાનુગ ૩૩ –દિગંબરમતે ૩૩ પ્રદેશદષ્ટિ ૧૩૮ પ્રદેશપ્રમાણ ૧૪૫ પ્રદેશબંધ -પ્રજ્ઞાપનામાં નથી ૨૩૮ પ્રદેશાર્થતા ૩૫૦, ૧૫૩ . પ્રદેશાથિક ૧૪૫, ૧૭૮ * પ્રભવ ૨૬ . પ્રમાણ ૧૨–૩, ૧૯, ૨૧, ૨૨, - ૪૪, ૩૫૩ –ચાર ૨૯૮, નયાવતાર ૧૩ પ્રમતા ૧૨-૩ પ્રમિતિ ૧૨-૩ પ્રમેય ૧૨-૩, ૪૪, ક્ષણભંગુર ૪૯ પ્રયોગગતિ ૨૦૫ પ્રરૂપણા ૭૪ પ્રવચન ૩૦૨ અર્થ ૩૦૩, શાસન ૧૦૧, પર્યાય ૩૦૪ પ્રવચનમાળા ૧૭ . પ્રવચની ૩૦૨ પ્રવાદ ૬૬ પ્રવિચારણાપદ ૨૬૪ પ્રાકૃત ૧-૨, ૧૧, ૩૦૭ પ્રાકૃત ટેક્ષ સેસાયટી ૨૯૩ પ્રાણ ૧૬ પ્રામાણિક ૧૮ પ્રામાણ્ય ૧૭, ૧૯, ૨૦ પ્રેક્ષણ ૨૫૬ પ્રોષ્ઠિલ ૨૭ ફળ ૪ બંદી ૫૭ બંધક ૯૧ બંધન છેદનગતિ ૨૦૫-૬ બળદેવ ૨૨૩ બાલતપસ્વી ૨૨૪ બાલાવબોધ ૪૨, ૨૮૪ જીઓ-ટ બિંદુ ૩૬૫ બિહાર ૩૦૭ બુદ્ધ ૨૪, ૪૫, ૪૯, ૧૧૫, ૨૯૦,૩૦૫ –બધિત ૧૧૪ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૪ બુદ્ધાધિત સિદ્ધ ૧૧૫ બુદ્ધઓહિય ૧૧૪, ૧૧૧ બુદ્ધબેહિ સિદ્ધ ૧૧૩ સુદ્ધવચન ૩૬૨ –ચાર ૩૩૩ બુદ્ધિલિંગ ૨૭ બોધિ ૧૧૩-૫ -ત્રણ ૧૧૫ બોટિકનિદ્ભવ ૫૪ બૌદ્ધ ૫, ૧૨, ૧૫, ૨૪, ૪૯, પર, પ૬, ૬૦, ૧૦૯-૧૦, ૧૩૨, ૧૩૭, ૧૧૫, ૨૨૯ ૨૬૧, ૨૮૯ ૩૦૮, ૧૯૨ બ્રહ્મ ૩ બ્રહ્મચર્ય ૭ બ્રાહ્મણ ૨, ૧૫, ૨૨-૩, ૩૦૬ બ્રાહ્મીલિપિ ૧૦૪ ભક્તિ ૬ ભદ્રગુપ્ત ૨૭ ભવ ૩૫૦ ભવનવાસી ૧૨૯ –ભેદો ૧૨૯ ભવસ્થિતિ ૨૧૪ ભોપાતગતિ ૨૦૬ ભારત ૨૨, ૨૯૯ ભારતીએ ૨૨ ભારતીય દર્શન –૮ –માં સંવાદને પ્રયત્ન જેનો દ્વારા ૭ ભારતીય સાહિત્ય ૭ ભાવાનુજ્ઞા ૩૨૫ ભાવાર્થતા ૩પ૦ ભાષક ૩૪૭ ભાષા ૧, ૩૪૪, ૩૫ –૫ણવણું ૭૫, સ્વરૂપ—ઉત્પત્તિ ૧૮૨, મૂળ કારણ છવ ૧૮૨, દવ્યના પુગલો ૧૮૨, કાયયેગ વડે ૧૯૨, વજહકાર ૧૮૨, કાંતમાં પર્યાવસાન ૧૮૩, ગ્રહણ નિસગ ૧૮૩, પુગલ પરિણતિ ૧૮૩, વાયેગથી નિગમન ૧૮૩, આત્મ સ્પષ્ટ પુદ્ગલ ૧૮૪, અણુ કે બાદર પુદ્ગલે ૧૮૪, બધી દિશામાંથી ગ્રહણ ૧૮૪, ગ્રહણ, સાંતર નિરંતર ૧૮૪, લોકાંતગમન ૧૮૫, વગણું ૧૫, પ્રકાર ૧૮૫, સત્યાદિ ૧૮૫, સત્યના દશભેદે ૧૮૬, પર્યાપ્ત–અપર્યાપ્ત ૧૮૫, પ્રજ્ઞાપની ૧૮૬, વર્ગીકરણ ૧૮૭, અવધારણી ૧૮૬, આજ્ઞાપની ૧૮૭ અનુયોગપર્યાય ૩૪૪ ભાષ્ય ૧૦૩, ૧૧૧, ૩૪૭ ભિક્ષાજવી ૫ ભિનંદશપૂવી ૧૧૪ ભુયપરિસર્ષ ૧૨૬ ભૂત ૧૬ મંગલ ૯૯, ૧૦૦, ૧૦૪ -અંગમાં નથી ૮૫, જીવાભિગમમાં નથી ૮૫, પ્રજ્ઞાપનાના પ્રારંભે છે. ૮૫, નમસ્કારરૂ૫ ૩૩૩, પંચજ્ઞાનાત્મક ૩ર૩, નમસ્કાર સર્વ શ્રુતાત્યંતર ૩૨૩ Page #446 -------------------------------------------------------------------------- ________________ મગુ ૨૦ મંત્ર ૨, ૪, ૧૦૩ -શક્તિ ૪, ૨૯૦ મોંત્રમયી દેવતા ૪ મંદિર ક મતિજ્ઞાન ૧૫૬, ૩૩૩ મથુરા ૨૮, ૩૦૮ મન ૨૬૩ -એકેન્દ્રિયને અપ્પુ ૨૬૬, ઈચ્છા મન ૨૬૮, વિગ્રહ ગતિમાં નથી ૨૫૪, સક્ષણ ૨૫૩, મનુષ્ય ૧૫, ૧૨૭ -સૌથી ઓછી સંખ્યા ૧૪૦, મેાક્ષના અધિકારી ૨૧૯, અનન્તર પૂર્વભવ ૨૧૨, તીર્થંકર આદિ પદ સંભવ ૨૨૨ મનાયેાગ ૨૧૬ મનેાલબ્ધિ ૨૬૬ મરુદેવી ૨૮૧, ૨૧૫ -નિર્વાણ ૨૮૧ મહાકલ્પ ૨૬, ૩૧ મહાકલ્પિક ૩૨ મહાગિરિ ૨૭ મહાદ અ ૮૯, ૭૮ મહાદડક ૯૧, ૧૩૯, ૧૪૫ મહાનિશીથ ૧૦૩ મહાપુ’ડરીક ૩૨ મહાપુરુષ ૬૩ -કુલકરાદ ૬૩ મહાભારત પ મહાયાન ૧૦૯ ૪૨૫ મહારાષ્ટ્રી પ્રાકૃત ૩૦૯ મહાવીર ૫, ૭, ૧૧, ૧૭, ૨૦, ૨૪, ૨૫, ૩૫, ૪૫, ૧૩, ૬૫, ૯૯, ૧૦૨-૩, ૨૧૬, ૧૩૭, ૨૯૦, ૩૦૮, ૩૧૩, ૩૦૬ -પૂર્વના આગમા ૨૦, પૂના શ્રમણા પૂધર ૭૦, પૂર્વાનુ શ્રુત તે પૂર્વે ૭૦, ઉપદેશસાર આગમ ૧૭, અહિંસા ઉપદેશ પર પરા પ્રાપ્ત ૩૦૫, સ્તુતિ ૩૩૦ મહાવ્રત ૨૯ માંડલિક ૯૨ માતિકા ૩૬૨ માતૃકા પત્રય ૩૦૪ માથુરી વાચના ૨૮, ૪૩, ૩૧૬, ૩૬૫ માયાવી ૫૮ મારણાન્તિક સમુદ્ધાત ૨૦૦ માર્ગ ૧૩ –કારક દુ માણાદાર ૯૩, ૧૬૩, ૨૫૦ માણાસ્થાન ૮૬, ૯૧ મા દ ક ૬ માળવા ૩૭ મિથ્યા ૮, ૧૮ મિથ્યાદષ્ટિ ૨૧૭૮ મિથ્યાશ્રુત ૧૭, ૩૩૮ મીમાંસક ૧૫ મુક્ત ૧૧૩ મુક્તા ૨૧–૨ મુક્તિ ૧૩, ૧૧૩ મૂર્તિ પૂજા ૨૯૭ Page #447 -------------------------------------------------------------------------- ________________ મૂલ ૩૫. ૩૧૩૪, ૩૧૬ મૃત્યુ પ મૈથુનવિચાર ૨૬૫ મેક્ષ ૭, ૨૯૧ ૨૧૮ -પુનરાગમન નથી ૧૬૦, મા ૧૭, ૨૩ ૪૯, ૬૩ મેાહનીય -ઉત્તરભેદે ૨૪૦, અનુભાવ ૨૪૮ મેાહનીયસ્થાન ૫૮ યજ્ઞ ૩, ૬-૭ યજ્ઞક યજ્ઞમા ૫ ૪ યથા યમલેક ૪૯ યશાબાહુ ૩૨ યશાભદ્ર ૨૬, ૩૨ ૨૧ યુગપ્રધાન ૯૯ યેાગ ૨૦૩, ૨૧૬, ૨૪૬ -કમ બંધનું કારણ નિર્દિષ્ટ નથી ૨૩૮ -ધ્યાન ૨૯૭ ચેાનિ ૧૩ રત્નદ્વાર ૨૨૩ રસરિત ૧૦૭ રાક્ષસ ૪૯ રામ ૨૪૬ –માયા–લાભ ૨૪૬ -દ્વેષ ૧૮ રાજગૃહ ૩૦૭ રાજસ્થાન ૩૦૭ રામાનુજ ૧૯૨ ૨૫ ૧૩૭ ૪૨૬ -પરિણામ ૧૦૯ રૂપી ૧૦૫-૬, ૧૦૮ રેવતીમિત્ર ૨૭ લક્ષણા ૧૧ લબ્ધિ ૧૦૩ લિંગ ૧૧૪, ૧૧૬ લિપિ ૧૦૧ લેફ્સા —દુકામાં ૨૦૮, ૭ ભેદ ૨૦૯, ગતિમાં ૨૦૯, અપબહુત્વ ૨૧૦, ઋદ્ધિ ૨૧૧, જન્મ-મૃત્યુ કાલે ૨૧૧, એકમાંથી ખીજી ૨૧૧, વિવિધ પરિણામે ૨૧૧, ક્ષેત્ર ૨૧૨ લેાક ૪૯, ૧૩૮, ૧૯૩ -આકાર વા ૧૮૩, ભાષા ૧, ૩૦૮, અલાક ૧૭૮ લેાકપુરુષ ૩૦૫ લેગસ્ટ ૧૦૦ લેાકિબંદુસાર ૩૬પ લેાકવાદી ૪૫ લેાકાકાશ ૧૩૭ લેાકાચાર ૩૯૭ લેકાનુ સરણ ૧૨ લેાકાયત ૩૬૬ લાકુત્તરસંપત્તિ નિસ ૧૧૫ લેાય ૨૩૩ લે!માહાર પર લૌકિકવિદ્યા ૮ લૌકિક સાહિત્ય ૯ લેાહાચાય ૩૨ લૌહિત્ય ૩૩૭ Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪ર૭ વંદન ૩૮૦૦ વંદના ૩૨, ૧૦૧ –ક્રમ ૧૦૧ વક્તા ૧૭-૮, ૨૧ વચનગ ૨૧૬ વજ સ્વામી ૨૬–૭, ૧૦૩, ૩૬૩ વનસ્પતિ ૧૨૦ -વ્યવહાર–અવ્યવહાર રાશિ ૨૧૫ વર્ગણાખંડ ૨૩૭ વણું ૧૫૩ વર્ણપરિણત ૧૦૭ વર્ણ પરિણામ ૧૦૮ વર્ધમાન ૧૬ વલભી ૨૪, ૨૯ વલભીવાચના ૨૯,૪૩, ૫, ૬૧, ૩૧૬ વલભી સ્થવિરાવલી ૩૩૬-૭ વસ્તુ ૧૦૯ -દ્રવ્યપર્યાયરૂપ ૧૪૯, લક્ષણ ૧૯૩ વસ્તુવિચાર –વિવિધ નોથી ૩૫૦ વાચકવંશ ૯૫ વચના ૨૫, ૧૦૩ –માત્ર અંગની ૩૧૬, પ્રારંભ નંદીથી ૩૨૪ વાચ્ય–અવાચ્ય ૮ વાયુ ૨૨૦, ૧૧૯ વાર્તિક ૩૪૪-૬ -અનુયોગપર્યાય ૩૪૪ વાતિકકાર –પૂર્વધર ૩૪૬ વાસુદેવ ૨૨૩ વિતુર્વણ ૨૬૫ વિજય ૨૭ વિદ્યા –અંગે ૩૦૫, વંશ ૨૩. વિધિકાર ૨૨૬ વિનયવાદી ૪૮ વિનાશ ૧૦૯ વિપાક ૨૪૬ વિપુલાચલ ૩૦૬ વિભગન્નાને ૫૮, ૨૨૧, ૨૩૦ વિભંગણાની ૨૧૭ વિભજયવાદ ૧૬, ૪૯ વિભજયવાદી ૪૯ વિભાગ ૧૧ વિભાષક ૩૪૭ વિભાષા ૩૪૪–૬ –અનુયોગ પર્યાય ૩૪૪ વિમલવાહન પ૭ વિરતિ –દંડમાં, –માં કર્મપ્રકૃતિબંધ ૨૩૬ વિવર્તી ૧૩૭ વિવાદ ૭ વિશાખાચાર્ય ૨૭ વિશેષ ૧૧૦, ૧૫૧, -પ્રકારે અથવા પર્યાય ૧૪૯ વિશ્વ –ઉત્પત્તિ ૩, નિરૂપણ ૧૩ વિશ્વપ્રપંચ ૩ વિશ્વમૈત્રી વિશ્વવાત્સલ્ય ૧૬ વિશ્વસાહિત્ય ૨૧ Page #449 -------------------------------------------------------------------------- ________________ વ્યસ્તર વિષ્ણુ ૪૮ વિહાયોગતિ ૨૦૫ –૧૭ ભેદો ૨૦૬ વીરસ્તવ ૨૯ વીતરાગ ૧૯ વીતરાગી ૬ વૃત્તિ -વ્યાખ્યા વાતિક ૩૪૬ વૃદ્ધપ્રવાદ ૧૭૩ વેદ ૧-૨, ૧૫–૧૮, ૨૨-૩, ૨૮૯, ૩૦૭, ૩૦૮ –અપરુષેય ૩૦૫, પાઠ પરંપરા ૨૨, ૨૩ પાડી ૨૨ વેદના ૨૭૧ -અનુભાવ ૨૪૬, જીવની ર૭૦, પ્રકાર ર૭૦, દંડકોમાં ૨૭૦, નિદા અનિદા ૨૭૧ વેરવિચારણું –સ્ત્રીવેદ વિષે મતભેદો ૨૧૬ વેદનાખંડ ૨૩૭ વેદના પ્રત્યયવિધાન ૨૩૧ વિનીય –ઉત્તરભેદો ૨૪૦ વેદાંત ૧૫૦ વેશ ૧૧૪ વૈક્રિયશરીર ૨૨૭ વૈતાલિક અધ્યયન ૩૦૭ વૈદિક ૧-૬, ૩૦૬ વૈયિક ૩૨ ભાષિક ૮૭ વૈમાનિક ૧૩૦, ૧૬૧ વૈશેષિક ૧૪, ૧૫, ૧૫૧ વ્યવહાર ૩૧. ૩૭, ૩૦૭, ૩૨૦ –દષ્ટિ ૧૭-૮, ૧૦૮, વિષય ૩૮૬ વ્યવહારનય ૨૦૫ વ્યવહાર–નિશ્ચય ૩પ૦, ૩૮૪ –આગમયુગના ૩૬ ૭, અધિગમ ઉપાય ૩૬૮, ગુરુ–લઘુ ૩૮૬, જ્ઞાનક્રિયા ૩૮૮, કતત્વ ૩૮૯ વ્યાકરણ ૮ વ્યાખ્યાન ૩૬૧ –શૈલી ૮૭ વ્યાખ્યાપદ્ધતિ -વૈદિક–બૌદ્ધ ૩૫૯ વ્યાવહારિક દષ્ટિ ૧૬-૭ બુછિત્તિનય ૩૫૦ શબ્દ ૧૭ -પ્રામાણ્ય–અપ્રામાણ્ય ૧૭, પ્રણેતાગણધર ૧૯, –સર્વાર્થક ૧૭ શરીર –પાંચ પ્રકાર, ઉપનિષદમાં કેપ, લિંગશરીર ૧૮૭, ૨૨૬ દંડકોમાં ૧૮૮–૯,બદ્ધ-મુક્ત ૧૮૯ –૯૦, એક સાથે કેટલા ૨૨૮ શરીર દ્વાર ૨૨૬ શરીરસંસ્થાન ૨૬ શાશ્વત–અશાશ્વત ૧૦૩ શાસ્ત્ર ૧૭-૮, ૨૧ –વિરોધ ૨૦ શિષ્ય ૨૩-૨૪, ૧૦૨ શુક્ર વિસર્જન ૨૬૯ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૯ શરસેન ૩૦૮ શૃંગારપ્રધાન 9 શૌરસેની ૩૦૮ શ્રદ્ધા ૧૮, ૧૧૩ શ્રમણ ૫, ૨૪, ૫૦, ૩૦૭ શ્રાવબોધિ ૧૧૫ શ્રાવસ્તી ૩૦૧, ૩૦૭ શ્રત ૧૫. ૨૪-૬, ૧૦૩, ૧૧૪ --ભાવ-દ્રવ્ય ૩૦૦, સમ્યફ ૩૦૦, અનુગમાં રજ વગીકરણ ૩૧૪, સુરક્ષા પ્રયત્ન ૨૨, ધર ૨૩; રક્ષા ૨૪ શ્રુતકેવલી ૨૦–૧, ૨૫-૬, ૩૨ શ્રુતજ્ઞાન ૨૦, ૧૧૪ કૃતનિશ્રિત-અમૃતનિશ્રિત ૩૩૨ - શ્રુતપુરુષ ૩૦૫ શ્રુતલબ્ધિ ૨૫. શ્રુત વિચ્છેદ -દિગંબરમત ૩૧ શ્રુતસ્કંધ ૧૦૨ શ્રુતસ્વાધ્યાય ૨૪ શ્રતિ ૧૫, ૩૦૧ શ્રેણિક ૫૮ તા ૧૭-૮, ૨૧ શ્વાસોચ્છવાસક્રિયા –વિરહકાલ ૧૭૦ શ્વેતામ્બર ૨૨, ૨૫, ૨૬, ૩૦, ૩૦૯ –ને આગમસુરક્ષા માટે પ્રયત્ન ૨૨, –મૂર્તિપૂજકના આગમો ૩૪, સ્ત્રીને મોક્ષ ૧૧૩, આગમવર્ગીકરણ ૩૧૪, ગણુના ૩૧૫ - દિગંબર ૨૩૮ જસ્થાન પતિત ૧૫૭ જજીવનિકાય ૪૪ ષનિકાય ૧૪ પદ્રવ્ય ૧૩, ૪૯ સંખ્યા ૧૮૮ –પ્રધાનગ્રન્થ ૫૬ સંખ્યા પ્રમાણું ૩૫૪ સંગતિ ૨૪ સંગીત-નૃત્ય ૮ સંગીતિ પરિયાય ૫૬ સંગ્રહણું ૯૭, ૨૭૯ સંધયણ ૧૬ સંઘવ્યવસ્થા ૫૦, ૬૩ સંધસ્તુતિ ૩૩૦ સંચિત ૨૪૬ સંજ્ઞા ૧૭૧, ૨૬૦ –અર્થવિસ્તાર ૨૬ર, આહારાદિ ૧૭૧, ૧૭૨ ઓધ–લોક ૧૭૨, અ૯૫બહુત્વ ૧૭૨ સંજ્ઞી ૨૬૪, ૨૫૪, ૨૬૨. સંતતિ નિયતા ૧૯૨ સંપૂર્ણ શ્રુતજ્ઞાની ૨૦ સંપ્રદાય ૧૧૩ સંપ્રધારણ ૨૬૪ સંબુદ્ધ ૧૧૫ સંભૂતિવિજય ૨૬ સંમૂર્છાિમ ૧૧૬, ૧૨૭ સંવત ૨૬૪ સંયમ ૨૬૪ સંવાદ છે સંસ્કૃતિ–પરમાર્થ સત્ય ૩૬૮ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ 4 A૭ ' સંસાર ૪–૫, ૨૧ –ચક્ર ૨૨૯, ૩૦૫, સમાપન ૧૧૭ સંસારી ૧૧૧, ૧૧૨, ૧૧૫-૬, ૧૫ર સંસ્કૃત ૧-૨, ૧૧, ૩૦૭ સંસ્થાન ૩૫૦ -પાંચભેદ ૧૮૧, શરીરનું ૨૨૫, છ ભેદ ૨૨૬ -પરિણત ૧૦૭ સત્યમ ૭ સત્કાય ૮ સત્ય ૭, ૮, ૧૫-૬, ૨૧ સાપેક્ષ ૮, સંપૂર્ણ ૮, આવિર્ભાવ ૨૧ સત્યભાષા -દશભેદ ૧૮૬ સત્યપ્રવાદ ૩૧ સત્યામૃષા ૧૮૬ સર્વ ૧૬ સદાચરણ ૩ - સદાચાર ૨૩ સદ્દગુણ ૭ સદ્દભાવપર્યાય ૩પ૦ સનિક ૧૨ સમભાવ ૫, ૭, ૧૬ સમાજ ૬. સમુદ્યાન ૧૦૩ સમુદ્યાત ૨૭૨, ૧૩૦–૧ -કર્મનિર્જરા ૨૭૩, સમયમર્યાદા ર૭૩, જીમાં ૨૭૩, સ્થાન ૧૩૪, કેવલી-છાદમસ્થિક ૧૩૩ સમ્મા સંબુદ્ધ ૧૧૫ સમ્મા સંબોધિ ૧૧૫ સમ્યક ૧૮ સમ્યફજ્ઞાતા ૧૬ સમ્યકત્વ ૨૧૬, ૨૫૧, ૩૮૯ -ત્રણ પ્રકારે જીવોમાં ૨૧૭, મિથ્યા દર્શન સમૂહ ૩૫૪ સમ્યકુશ્રુત ૧૭ –દ્વાદશાંગી ૩૧૦ સમ્યફ સંબુદ્ધ ૧૧૫ સમ્યુકસંબોધિ ૧૧૫ સમ્યગ્દર્શન ૨૦ સમ્યગ્દષ્ટિ ૨૧૬ સમ્યગમિથ્યાદષ્ટિ ૨૧૬, ૨૧૮ સંયંભુદ્ધ સિદ્ધ ૧૧૩ સયંસંબુદ્ધ ૧૧૧ સર્વજ્ઞ ૧૮ સર્વશ્રુતાત્યંતર (સર્વશ્રુતાન્તરર્ગત) ૧૨ –નમસ્કાર ૧૦૩, ૧૦૪ સર્વાર્થક ૧૭ સર્વાર્થસાક્ષાત્કારિતા ૧૯. સર્વાર્થસિદ્ધિ ૨૨૫ સલિંગ ૧૧૨ સાંખ્ય ૧૩૭, ૧૯૨ –પરિવ્રાજક ૨૨૪ સાંતર ૧૬૩ સાકાર પસ્યત્તા ૨૫૫ સાકારે પગ ૨૫૫ સાક્ષાત્કાર ૨૧ સાતા વેદનીય ' –અનુભાવ ૧૪૭ સાધક ૬ સાધુ ૧૦૧, ૧૧૩ - આચાર ૭ Page #452 -------------------------------------------------------------------------- ________________ . ૪ સાવી -અગિયાર અંગ અશ્વેતા ૭૦ સામાન્ય ૧૫૦ સામાયિક ૫, ૧૬, ૨૩, ૩૨, ૫૦, ૧૦૧, ૧૦૨, ૩૧૮ -જિનભદ્રકૃત વ્યાખ્યા ૩૪૨ સાવકસંબુદ્ધ ૧૧૫ સાવકબધિ ૧૧૫ સિદ્ધ ૩, ૯૮–૧૦૧, ૧૧૧–૧૧૫, ૧૩૨, ૧૩૩, ૧૪૬, ૧૫૨, ૨૬૪, ૨૭૪ -અસ્પૃશદ્ગતિ ૧૯૫, ભેદો ૧૧૧, પ્રભેદો મૂલાચારમાં નથી ૧૧૫, સંસારીથી ઓછા ૧૪૦, એકેન્દ્રિય થી ઓછા ૧૪૦ સિદ્ધગતિ –માં ઉપપાત, પણ ઉદ્દતના નથી ૧૬ ૦ સિદ્ધશિલા ૧૩૩ સિદ્ધાન્ત ૧૫ સિદ્ધાર્થ ૨૭ સિદ્ધિ ૧૧૩, ૩૯૫ સુખ ૪, ૫ સુખશય્યા ૫૮ સુત્તપિટક ૭૩ સુધર્મા ૨૬, ૬૧, ૬૫, ૯૫ સુહસ્તિન ૨૭ સૂક્ષ્મ શરીર ૨૨૮ સૂત્ર ૧૦૩, ૩૦૨ -કરતા અર્થની મહત્તા ૩૪૩ સૂત્રકર્તા ૩૦૦ સૂત્રકાર ૧૯, ૧૧૦ સૂત્રબદ્ધ ૧૯ સૂત્રસ્પેશિક ૩૫૮ સુષ્ટિ ૩૦૬ સૌરાષ્ટ્ર ૩૦૭-૮ સ્કંદ, ૧૯૩ સ્કંદિલ ૩૧૬, ૩૬૫ સ્કંદિલ (સાંડિલ્ય) ૨૭ કંધ ૪૮, ૧૦૬, ૧૦૮, ૧૪૭ -દ્ધિપ્રદેશાદિ ૧૫૭ સ્ત્રી –સંખ્યા વધુ પુરૂષથી ૧૪૦, મેક્ષ ૧૧૩, ૨૭૮, ૨૮૧, દ્વારા કાલિકઉત્કાલિકનું અધ્યયન ૨૮૦, તીર્થકર ૨૭૮ સ્ત્રીવેદ –મતભેદ ૨૧૬ સ્થલચર ૧૨૪ સ્થવિર ૧૯-૨૧ -સંપૂર્ણ શ્રુતજ્ઞાની, દશપૂવી ૨૦ વિરવાદ ૧૧૫ –આધિના ત્રણ પ્રકાર ૧૧૫ વિરાવલી ૩૩૦ સ્થાન પપ સ્થાનકવાસી. –આગમાં ૩૩ સ્થિતિ ૧૫૩-૪ સ્થિતિનામનિધત્તાયુ ૧૬૯ સ્થિતિ બંધ ૨૬૭ સ્થૂલભદ્ર ૨૫, ૨૭, ૩૦૭, ૩૨૦ સુધી ચૌદ પૂર્વ ૨૫ Page #453 -------------------------------------------------------------------------- ________________ પ પરિણત ૧૦૭ પશુ પરિણામ ૧૦૮ સાદાદ ૯, ૧૬, ૪૯ સ્વયમ્રુદ્ધ ૧૧૩-૪ સ્વયંસ મુદ્દે ૧૧૫ પૃષ્ઠ ૨૪ ૩૮ ૬૪ ૬૯ ૬૯ ૭૧ ૭૫ ७८ ७८ ૧૩૨ ૧૪૦ ૨૨૯ ૩૬૦ પક્તિ ૨૦ ૨૮ ૬૧ ૧૩ " o * ܪ ૧૨ ७ ૧૭ と ટિ ૧૫ ४ ૩ર સ્વરમલ ૫૮ સ્વલિંગ ૨૨૫ સ્વસ્થાન ૧૩૪ હિંસા ૩, ૭, ૧૬ હેતુવાદ ૧૪ શુદ્ધિપત્ર અજ્ આવી નિયુક્તિ સ્થાનાંત प्रे સુકી अह પહુવા આચાસ ગ જિતકલ્પ પરિણામ कीका ક્રીયા નિરુપક્ત शुद्ध આપી નિયુ`ક્તિ સ્થાનાંગ કુવા આચારાંગ જીતકલ્પ મ સુધી अह પરિમાણ टीका ક્રિયા નિરુક્ત Page #454 -------------------------------------------------------------------------- ________________