SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ કથા-વ્યાખ્યાની પદ્ધતિની તુલના કરીએ છીએ ત્યારે તેથી પણ વધારે સામ્ય જણાયા વિના રહેતું નથી. જેમ અનુયેાગદ્વારમાં ઉદ્દેશાદ્િર દ્વારા ઉપેદ્ઘાતનિયું કૃત્યનુગમના છે (સૂ॰ ૬૦૪) તે જ પ્રમાણે અરૃથામાં પ્રારંભમાં માતિકા આ પ્રમાણે છે— वृत्तं येन यदा यस्मा धारितं येन चाभतं । यत्थष्पतिति चेतमेत वत्वा विधिं ततेा ॥ —સમન્તપાસાદિકા, પૃ॰ ૬ આ માતિકાનુ એક એક પદ લઈને પછી વ્યાખ્યા કરે છે તેને બાહિરનિદાનકથા એવું નામ આપ્યુ છે. આમાં ખરી રીતે તે ગ્ર ંથના ઉપોદ્ઘાતની જ ચર્ચા કરવામાં આવે છે, એટલે કે શાસ્ત્રના આદિ વાકયના વિષયમાં દૂ વચન ન પુત્ત વા વ્રુત્ત વક્ર્મા પુત્ત ઇત્યાદિ બાબત નુ` સ્પષ્ટીકરણ કરે છે અને એ જ પ્રકારના પ્રશ્નોના ઉત્તરા અનુયાગની ઉપેાધાતનિયુક્તિમાં પણ આપવામાં આવ્યા છે. એ પ્રકારના ઉપાદ્ધાત પછી જ જૈન અને બૌદ્ધ ટીકામાં સૂત્રા વર્ણવવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે (અનુ॰ સૂ૦૬૦૫ થી; સમન્ત॰ ૩૦ ૯૨). વળી, બુદ્ધવચનના વિવિધરીતે વિભાગેા કરી બતાવવામાં આવ્યા છે (સમન્ત॰ પૃ૦ ૧૬), એ જ રીત અનુયાગના પ્રારંભમાં સમગ્ર શ્રુતના વિભાગ અને તેમાં આવસ્યકનુ સ્થાન બતાવી અપનાવવામાં આવી છે; એ થયા પછી સમન્તપાસાદિકા એ વિનયપિટકની અરૃકથા હાઈ તેમાં વિનયની નિરુક્તિ કરવામાં આવી છે (પૃ૦ ૧૮) અને તેનેા પિટક શબ્દ સાથે સમાસ પણ કરી બતાવ્યા છે (પૃ૦ ૨૦). એટલે કે ગ્રંથનામની વ્યાખ્યા કરવામાં આવી છે. આ જ પ્રકાર અનુયોગના પ્રારભમાં આવશ્યકશ્રુતસ્કંધના નિક્ષેપો કરીને અપનાવવામાં આવ્યે છે (અનુ॰ સૂ॰ ૭). વળી, અનુયેાગમાં આગમના ભેદોમાં સૂત્ર, અર્થ અને તદુમય એવા ભેદો જોવામાં આવે છે (અનુ॰ સ૦ ૪૭૦). તે જ રીતે પાલિ અદ્ભુકથામાં પણ ધમ્મ, અર્થ, દેસના અને પટેિવેધ એવા ભેદો કરવામાં આવ્યા छे" तत्थ धम्मा ति पालि । अत्था ति तस्सायेव अत्थे । देसना ति तस्सा मनसा ववत्थापिताय पालिया देखना । परिवेधा ति पालिया पालिअत्थस्सय यथाभूतावबोध” (સમન્ત૦ પૃ૦ ૨૧). અનુયેાગદ્વારમાં જે શબ્દની વ્યાખ્યા કરવાની હાય તેના નિક્ષેપા કરીને અનેક અર્થાંમાં તે કેવી રીતે વપરાય છે, તેનું નિદર્શન કરી તે શબ્દને પ્રસ્તુતમાં યેા અથ લેવે તે દેખાડી આપવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે. તે જ પ્રમાણે પાલિ અરૃકથામાં વ્યાખ્યેય શબ્દ, જે અનેક અમાં પ્રયુક્ત થતા હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy