SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ "आह-यद्ययं निश्चियस्ततोऽयमेवालम्ब्यता किमन्येनेति ? उच्यते----निश्चयमवलम्बमानाः पुरुषाः निश्यतः' परमार्थतो निश्चयमजानानाः सन्तो नाशयन्ति चरणकरणम् । कथम् ? 'बाह्यकरणालसाः' बाह्य वैयावृत्त्यादि करणं तत्र अलसाःप्रयत्नरहिताः सन्तश्चरणकरणं नाशयन्ति । केचिदिदं चाङ्गोकुर्वन्ति यदुत परिशुद्धपरिणाम एव प्रधानो न तु बाह्यक्रिया । एतच्च नाङ्गीकर्तव्यम् । यतः परिणाम एव बाह्यक्रियारहितः शुद्धो न भवतीति । ततश्च निश्चय-व्यवहारमतमुभयरूपमेवाङ्गीकर्तव्यमिति ।" ----ઓરિત્તિ ટી. જા. ૭૬૧ વંદન વ્યવહાર વિશે શ્રમમાં વંદનવ્યવહારની રીત એવી છે કે જે જયેષ્ટ એટલે કે દીક્ષા પર્યાયે જયેષ્ઠ હોય–વયથી જયેષ્ટ હોય તે વંઘ છે. પણ જયારે સૂત્રવ્યાખ્યાન થતું હોય ત્યારે જે સૂત્રધારક હોય તેને જયેષ્ટ માનીને બીજા વંદન કરે. આ પ્રકારના વ્યવહાર ઉપરથી પ્રશ્ન ઉપસ્થિત થયે કે સૂત્રધારકને પણ જે જયેષ્ઠ કહી શકાતા હેય તે જે માત્ર દીક્ષા પર્યાયથી–વયથી જયેષ્ઠ હોય અને સત્ર કે તેનું વ્યાખ્યાન જાણતા ન હોય તેમને વંદન કરવાથી શું લાભ– "चोएति जइ हु जिठो कहिंचि सुत्तत्थधारणाविगलो । वक्खणलद्धिहीणो निरत्ययं वंदणं तम्मि ॥" –આવ. નિ. ગ. ૭૧૨ (દિપિકા) વળી સૂત્રવ્યાખ્યાનપ્રસંગે જયેષ્ઠની વ્યાખ્યામાં વયજયેષ્ટ કરતાં રત્નાધિકને જયેષ્ઠ માનવ એમ મનાયું તે પછી રત્નાધિક શ્રમણ ભલેને વયથી લઘુ હોય પણ જે વયથી જયેષ્ઠ એવો શ્રમણ તેની પાસે વંદન કરાવે તે તે શું એ રત્નાધિકની અશાતના નથી કરતે – "अह वयपरियाएहि लहुगो वि हु भासओ इहं जेहो । रायणियवंदणे पुण तस्स वि आसायणा भंते ॥" –આવ. નિ. ગા. ૭૧૩ (દીપિકા આ શંકાઓનું સમાધાન કરવામાં આવ્યું છે કે જ્યેષ્ઠની વ્યાખ્યા પ્રસંગાનુસાર કરવામાં આવે છે. સામાન્ય રીતે વ્રતગ્રહણને પર્યાય ચેષ્ઠના નિર્ણયમાં કામ આવે છે, પણ સત્રવ્યાખ્યાનપ્રસંગમાં તે વ્રત- પર્યાયને નહિ પણ લબ્ધિને મુખ્ય માનવામાં આવે છે. અને આથી સૂત્રક્યાખ્યાન કરવાની જેનામાં લબ્ધિ હોય તે વયથી ભલેને લઘુ હોય પણ તે જ્યેષ્ઠ ગણ્ય આથી એવા રત્નાધિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy