SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ અભિપ્રેત છે એ સ્પષ્ટ છે. પણ જ્યારે આગમ એ શું છે એ પ્રશ્નનો ઉત્તર આપ્યો ત્યારે ભારત, રામાયણ, યાવત્ સાંગોપાંગ વેદને લૌકિક આગમ કહ્યા. અને સર્વ . સર્વદર્શ ત્રિકાલજ્ઞાની અરિહંત ભગવાન દ્વારા પ્રણીત દ્વાદશાંગ ગણિપિટક – આચારથી માંડીને દૃષ્ટિવાદ સુધી – ને લેકોત્તર આગમ કહ્યા. આ ઉપરથી સ્પષ્ટ છે કે અહીં આગમ શબ્દ તેના ઔપચારિક અર્થમાં છે. અર્થાત આગમ-જ્ઞાનનાં સાધનને આગમ કહેવામાં આવ્યા છે. વળી. “અથવા' કહીને આગમનું એક બીજુ પણ વિવરણ આપવામાં આવ્યું છે કે આગમ ત્રણ પ્રકારનો છે? સુiામ, સરથામતડુમયાનમ. આ ઉપરથી પણ સૂત્ર = શાસ્ત્ર અને તેને અર્થ = જ્ઞાન એ બને અર્થમાં આગમ શબ્દ પ્રસિદ્ધ હતો એ સિદ્ધ થાય છે. વળી, આગમના એક અન્ય પ્રકારથી ભેદે બતાવવામાં આવ્યા છે, જેમ કે કામ =. આત્માગમ, અનંતરામ = અનન્તરાગમ અને પરંપરાશ". આપણે જાણીએ છીએ કે આગમ બે પ્રકારના છે. અથરૂ૫ અને સૂત્રરૂપ. તેથી તીથકર, જેઓને અર્થનો સાક્ષાત્કાર છે અને જેઓ તે અર્થને ઉપદેશ કરે છે, તે અર્થઆગમ છે. એટલે અથરૂ૫ આગમ તીર્થકરને આત્માગમ કહેવાય, કારણ કે તે અર્થાગમ તેમને પોતાને જ છે, બીજા પાસેથી મેળવેલ નથી. પણ એ જ અર્થાગમ ગણધરોએ તીર્થંકર પાસેથી મેળવ્યો છે. અને તીર્થકર અને ગણધરે વચ્ચે બીજુ કાંઈ વ્યવધાન નથી, એટલે કે તીર્થકર દ્વારા સીધા જ અર્થને ઉપદેશ. ગણધરો પ્રાપ્ત કરે છે. તેથી ગણધરને માટે તે અર્થીગમ અનન્તરાગમ કહેવાય. પણ એ અર્થાગમને આધારે ગણધરો સ્વયં સૂત્રરૂપ આગમની રચના કરતા. હાઈ ગણધરને સૂત્રાગમ એ આત્માગમ કહેવાય, પરંતુ ગણધરના સાક્ષાત્ શિષ્યોને ગણધર પાસેથી સૂત્રાગમ સીધે જ મળે છે, વચ્ચે કાંઈ વ્યવધાન નથી, તેથી તે શિષ્યોને સૂત્રાગમ એ અનન્તરાગમ છે. પરંતુ અર્થાગમ તો તેમને પરંપરાગમ કહેવાય. કારણ કે તેમણે પોતાના ગુરુ ગણધર પાસેથી મેળવ્યો. પણ તે ગુરુને પણ તે આત્માગમ ન હતો, પણ તીર્થંકર પાસેથી મળેલ હતા. ગણધરોના પ્રશિષ્યો અને તેમની પરંપરામાં થનારા શિષ્ય-પ્રશિષ્યોને માટે તે અર્થ અને સૂત્ર અને પરંપરાગમ જ કહેવાય આ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને અનુ ગમાં કહેવાયું છે કે તીર્થકરાને અર્થાગમ એ આત્માગમ છે, ગણધરને સૂત્રાગમ ૫. અનુગદ્વાર સૂત્ર ૪૭૦. ६. सुस्तं गणहररइयं तहेव पत्तेयबुद्धरइयं च । સુચવર્જિા રઘં અમિઝરણુવિજા રઘં . – શ્રીચન્દ્રોયા સંગ્રહણી, ગા.. ૧૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy