SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહાર છે, પણ વસ્તુતઃ નિશ્ચય દષ્ટિએ તે તે તે દ્રવ્યમાં બધા જ વર્ણાદિ છે. અગ્નિ જેવી વસ્તુ આપણને ભલે ગરમ જ દેખાતી હોય અને બરફ જેવી વસ્તુ ભલે માત્ર ઠંડી જ લાગતી હોય પણ તેના નિર્માણમાં જે પુદ્ગલ પરમાણુઓ છે તે પરમાણુઓમાંના વધારે પરમાણુ જે ઉષ્ણસ્પર્શરૂપે પરિણત થયા હોય તે તે ઉષ્ણુ લાગે, પણ તેનો અર્થ એ નથી કે તેમાં શીત પરમાણુઓનો અંશ છે જ નહિ. વળી, જે પરમાણુ અમુક કાળે ઉષ્ણુરૂપે પરિણત હોય તે જ પરમાણુ અગ્નિ ઉપર પાણી પડતા શીતરૂપે પરિણુત થઈ જાય છે, એટલે કે શતરૂપે પરિણત થવાની શક્તિ તેમાં છે, અથવા તે શીતગુણ અવ્યક્ત હતો તે વ્યક્ત થાય છે. તેને જે સર્વથા અભાવ હોત તો તે ખરશૃંગની જેમ ઉત્પન્ન જ થઈ શત નહિ. માટે માનવું પડે છે કે અગ્નિદ્રવ્યના પરમાણુઓમાં પણ શતગુણને સ્થાન છે. આપણે સ્કૂલ રીતે અથવા તે જે વર્ણનું કે રસાદિનું પ્રમાણ વધારે હોય તેને પ્રાધાન્ય આપીને વ્યવહાર ચલાવીએ છીએ. પણ એનો અર્થ એ નથી કે તે તે દ્રવ્યમાં અન્ય વર્ણાદિનો સર્વથા અભાવ છે. ભગવાને આ પ્રકારને ખુલાસો કર્યો તેનું રહસ્ય એ છે કે જૈન દર્શનમાં પ્રત્યેક પરમાણુમાં તે તે વર્ણાદિરૂપે પરિણત થવાની શકિત સ્વીકારાઈ છે. અમુક કાળે ભલે કઈ પરમાણુ કાળા હોય પણ તે અન્ય કાળે રક્ત થઈ શકે છે. આને જ કારણે જેન દર્શનમાં અન્ય વૈશેષિક આદિની જેમ પાર્થિવ, જલીય આદિ પરમાણુઓની જાતિ જુદી માનવામાં નથી આવી, પરંતુ મનાયું છે કે અત્યારે જે પરમાણુ પૃથ્વીરૂપે પરિણત હોય તે જ પરમાણુ અન્યકાળે જલ કે તેજ–અનિરૂપ પરિણુત થઈ શકે છે. આને કારણે યૂલ દષ્ટિ અથવા તે ઇન્દ્રિયપ્રત્યક્ષ, જે જૈન દર્શન અનુસાર વસ્તુત: પ્રત્યક્ષ પણ નથી પણ સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે, તેને આધારે આપણને અમુક વસ્તુ કાળી કે ઉષ્ણુ દેખાતી હોય છતાં પણ તાત્વિક રીતે, એટલે કે સર્વે જે રીતે તેને જોઈ છે તે રીતે તો તે માત્ર તે જ વણું કે સ્પર્શદિવાળી નથી, પણ તેમાં બધાં જ વર્ણાદિ છે એમ નિશ્ચયનયનું મન્તવ્ય છે. વળી નરી આંખે ઉપર ઉપરથી કાળો રંગ દેખાય છતાં વસ્તુની અંદરના અવયવોમાં રહેલ અને આંખ સામે નહિ આવેલ અવયવોમાં બીજા રંગે હોય તેને તો આંખ દેખી શકે નહિ અને ભમરે કાળે છે એમ તો આપણે કહીએ છીએ પણ બહાર દેખાતે ભમરે એ જ કાંઈ ભમરે નથી પણ ખરી રીતે સમગ્ર અંદરબહાર જે પ્રકારનો તે હોય તે ભમરે છે. આ પરિસ્થિતિમાં તેને કાળા કહેવો તે માત્ર વ્યવહારની ભાષા છે. તેમા બીજા પણ રંગો હોઈ તેને નિશ્ચયથી બધા વર્ણયુક્ત સ્વીકારવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy