SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ વ્યવહાર અને નિશ્ચયનયન જેવા શબ્દોનો પ્રયોગ થાય ત્યારે તે શબ્દોને તાત્પર્યાથ કાંઈક જુદો જ હોવા જોઈએ; અન્યથા તે પણ અદ્વૈતવાદની હરોળણાં જઈ ને એસી જાય. પણ જૈન દનના વિકાસમાં એવી ભૂમિકા કચારેય આવી જ નથી; જ્યારે તેમાં દ્વૈતવાદની ભૂમિકા છેોડીને સ`પૂર્ણ રીતે અદ્વૈતવાદી વલણ અપનાવવામાં આવ્યુ હોય. પ્રસ્તુતમાં વ્યવહાર અને નિશ્ચય વિષે આગમયુગ એટલે કે ભગવાન મહાવીર પછી લગભગ હજાર બારસો વર્ષ સુધીનું આગમિક શ્વેતામ્બર સાહિત્ય લઈ વિચાર કરવાના ઇરાદો છે. તે એટલા માટે કે આ એ નયેાના અવિસ્તાર ક્રમે કરી કેવી રીતે થતા ગયા છે અને તેમાં તે તે કાળની દાનિક ચર્ચાઓએ કે ભાગ ભજવ્યો છે તે શોધી કાઢવાનું કામ દર્શીનના પ્રતિહાસના અભ્યાસી માટે સરળ પડે. ૩. આગમમાં વ્યવહાર-નિશ્ચય ઈન્દ્રિયગમ્ય અને ઇન્દ્રિયથી અગત્સ્ય ભગવતીસૂત્રગત વ્યવહાર અને નિશ્ચયનાં જે ઉદાહરણ છે તેમાંથી એક વસ્તુ ફલિત થાય છે કે વસ્તુનુ ઇન્દ્રિયા વડે કરાયેલું ન આંશિક હોય છે અને સ્થૂલ હોય છે. વળી તે અનેક લોકોને એકસરખું થતું હોઈ લોકસમત પણ હોય છે અને એવી લાકસંમતિ પામતું હોઈ તે બાબતમાં લો કશી આપત્તિ પણ કરતા નથી અને તે બાબતમાં શંકા વિના પારસ્પરિક વ્યવહાર સાધે છે. આથી આવા દનને વ્યવહારસત્ય માનવામાં લાકવ્યવહારનો આશ્રય લેવામાં આવેલા હાવાથી તે વ્યવહારનય કહેવાયા છે; જ્યારે વસ્તુનું એવું પણ રૂપ છે જે ઇન્દ્રિયાતીત છે, ઇન્દ્રિયા તે જાણી શકતી નથી, પણ આત્મા પોતાની નિરાવરણ દશામાં પૂર્ણ પ્રજ્ઞા વડે તે જાણે છે. વસ્તુના આ રૂપને તેનું યથા' રૂપ માનવામાં આવ્યું છે અને તેને ગ્રહણ કરનાર તે નિશ્ચયનય છે. Jain Education International ભગવતી સૂત્ર (૧૮.૬. સૢ૦ ૬૩૦)માં ભગવાને સ્પષ્ટ કર્યુ છે કે ગાળને ગળ્યા કહેવા તે વ્યવહારનય છે, પણ નિશ્ચયનયે તે તેમાં બધા પ્રકારના રસા છે. ભમરાને કાળા કહેવા તે વ્યવહારનય છે અને તેમાં બધા વર્ણા છે તે નિશ્ચયનય છે. આ આબતમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શી આદિ વિષેના હળદર વગેરે અનેક ઉદાહરણ આપી સ્પષ્ટ કર્યુ` છે કે નરી આંખ વગેરે ઇન્દ્રિયા વડે જે વર્ણા, રસા ઇત્યાદિ આપણે જાણીએ છીએ અને તે તે દ્રવ્યમાં તે તે વર્ણાદિ છે એમ કહીએ છીએ, તે બધા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy