SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ३७७ સચિત્ત માનવા પ્રેરણા આપી અને તેનું પાણી પિવાની અનુજ્ઞા આપી નહિ. -નિશીથ ગા૦ ૪૮૫૯; બૃહત્કલ્પ ૯૯૯. નિશ્ચય-વ્યવહારથી સચિત્તને આવા જ વિચાર એથનિયુક્તિમાં પણ કરવામાં આવ્યો છે. —એઘનિયુક્તિ ગા૦ ૩૩૭–૩૬૩. આત્મવિધાત વિષે પિ`ડનિયુક્તિમાં દ્રવ્ય આત્મા અને ભાવ આત્માના ભેદ પાડવામાં આવ્યા છે, જ્ઞાનાદિ ગુણવાળુ જે દ્રવ્ય તે વ્યાત્મા છે એટલે કે પૃથ્વીકાય આદિ જીવાસ્તિકાય દ્રવ્ય તે દ્રવ્યાત્મા છે; અને જ્ઞાન-દર્શન-ચરણુ (ચારિત્ર) એ ત્રણ ભાવાત્મા છે. પરના પ્રાણાદિના વધ કરનાર સાધુ તે પરની ધાત તો કરે જ છે, પણ સાથે સાથે તે પોતાના ચરણરૂપ ભાવ આત્માને પણ વિધાત કરે છે ત્યારે પ્રશ્ન થાય છે કે તો પછી તે વખતે તેના જ્ઞાનાત્મા અને ર્શન આત્મા વિષે શુ માનવું ? ઉત્તરમાં વ્યવહાર અને નિશ્ચયનયના આશ્રય કરીને કહેવામાં આવ્યું છે કે નિશ્ચયનયને મતે ચરણાત્માના વિદ્યાત થયા હોય તેા જ્ઞાન-દનના પણ વધ માનવા જોઈ એ; અને વ્યવહારનયને મતે ચરણાત્માના વિદ્યાત થયા હોય તા નાન-દર્શોન આત્માના વિદ્યાતની ભજના છે. -પિંડનિયુક્તિ ગા૦ ૧૦૪-૧૦૫. આનું રહસ્ય એમ જણાય છે કે નિશ્ચનનય એ અહીં એવભૂત નય જેવા છે. એટલે તે કાળે ચરણાત્મવિદ્યાત કહે કે આત્મવિધાત કહે એમાં કશે ભેદ નથી. તેથી જ્યારે ચરણાત્માના વિદ્યાત થયે! ત્યારે તદભિન્ન જ્ઞાનદર્શન આત્માના પણ વિધાત થયા જ છે, કારણ; ચરણપર્યાયનું પ્રાધાન્ય માનીને આત્માને ચરણાત્મા કહ્યો છે પણ ઘાત તા પર્યાયાપન્ન આત્માના જ થયા છે, તેથી તે પર્યાયની સાથે કાલાદિની અપેક્ષાએ અન્ય પર્યાયાના અભેદ માનીએ તો ચરણાત્માના વિધાત સાથે જ્ઞાનદર્શનાત્માના પણ વિદ્યાત ઘટી જાય છે. વ્યવહારનય એ ભેદવાદી હાઇ ચરણ એટલે માત્ર ચરણ જ; તેથી ચરણના વિધાત સાથે જ્ઞાન-દર્શનના વિદ્યાત જરૂરી નથી, તેથી વ્યવહારનયે ભજના કહેવામાં આવી છે. ચરણવિધાતે દાન-દર્શનવિદ્યાત માનવા જોઈએ એ નિશ્ચયનયના ખુલાસા ભાયુગમાં જે કરવામાં આવ્યા છે તે વિષે આગળ ઉપર કહેવામાં આવશે. કાલ વિષે શ્રમણની દિનચર્યામાં કાલને મહત્ત્વનું સ્થાન છે, આથી કાવિચાર કરવા પ્રાપ્ત હતા. ગણિતની મદદથી વિશુદ્ધ દિનમાન કાઢી પૌરુષીના વિચાર કરવામાં આવે તે નિશ્ચયકાલ જાણુવા પણ લોકવ્યવહારને અનુસરી પૌરુષી માની વ્યવહાર કરવા તે વ્યવહારકાલ છે. —એધનિયુક્તિ ગા૦ ૨૮૨-૮૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy