SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ તે સમજાવવામાં આવ્યું છે. વૈદિકના કર્મકાંડી યજ્ઞમાર્ગ અને ઉપનિષદોના જ્ઞાનમાર્ગથી આ માર્ગ––એટલે કે કર્મવિહીન થવાને આ માર્ગ સાવ નિરાળ છે. સામાયિક અથવા સમભાવને સિદ્ધાંત કર્મવિહીન થવાને માર્ગ છે. તદનુસાર સર્વ જીવો સમાન છે–એટલે કે કોઈને દુ:ખ ગમતું નથી, કોઈને મૃત્યુ ગમતું, નથી, સૌને સુખ ગમે છે, જીવવું ગમે છે. માટે એવું કશું ન કરો જેથી બીજાને દુ:ખ થાય. આ છે સામાયિક અને તેને સર્વ પ્રથમ ઉપદેશ. ભ. મહાવીરે જ આપ્યો છે એમ સૂત્રકૃતાંગમાં સ્પષ્ટીકરણ છે. આવા સામાયિક માટે સર્વસ્વનો ત્યાગ કરે તો જ બીજાના દુ:ખના તમે નિમિત્ત નહીં બનો. એટલે ઘરસંસારથી વિરત થાવ અને ભિક્ષાર્થી જીવનયાપન કરે એમ કહ્યું છે. ઘરસંસાર માંડ્યો હોય તો અનેક પ્રકારનાં કર્મો કરવાં પડે છે, જે બીજાને દુ:ખદાયક છે. આથી બીજાના દુ:ખનું નિમિત્ત ન બનવું હોય તો સંસારથી વિરકત થવું એ જ સાચો માર્ગ છે. ભિક્ષાવી થવાની પણ મર્યાદા છે અને તે એ કે જે કાંઈ પિતા નિમિત્તે થયું હોય તેનો સ્વીકાર ન જ કરવો. કારણ, આથી પોતે હિંસા ભલે ન કરતો હેય પણ બીજા પાસે એ કરાવતો હોય છે. પરિણામે આહાર આદિ આવશ્યકતાઓમાં મર્યાદા મૂકવી પડે અને તપસ્વી બનવું પડે. આથી આપણે જોઈએ છીએ કે, જૈન ધર્મમાં તપસ્યાનું મહત્ત્વ સ્થાપિત થયું. વૈદિકમાં ભિક્ષાજવી માટે આવી કોઈ મર્યાદા નથી. બૌદ્ધોમાં પણ નથી, અને અન્ય શ્રમણ સંપ્રદાયમાં પણ નથી. આથી જૈન સાહિત્યમાં અનશન આદિ તપસ્યાને વિશેષ મહત્વ અપાયું છે. તપસ્યા તો પૂર્વે પણ થતી. પરંતુ તે બીજા પ્રકારે એટલે કે એ તપસ્યામાં બીજા જીવોના દુઃખને વિચાર ન હતો. જેમ કે પંચાગ્નિ તપસ્યા. આમાં પિતાના શરીરને કષ્ટ છે એની ના નહીં, પણ અન્ય કીટપતંગને પણ કષ્ટ છે તેનું જરાપણ ધ્યાન તેમાં અપાયું નથી. અગ્નિ આદિમાં જ છે. એને તો વિચાર સરખો પણ જૈન સાહિત્યપૂર્વે થયું જ નથી. આથી જ આચારાંગમાં સર્વપ્રથમ વછવનિકાયનું સ્વરૂપ બતાવ્યું. જેણે અહિંસક બનવું હોય, પરદુ:ખદાયક ન બનવું હોય તેણે એ તો જાણવું જ જોઈએ કે ક્યાં, કેવા છે. એ જાણ્યા વિના અન્ય જીવોના કષ્ટને ખ્યાલ જ ન આવે. એ જાણ્યા હોય તે પછી જ મનુષ્ય અહિંસક બની શકે. આમ તપસ્યાનું રૂપ જ બદલાઈ ગયું, જેને પ્રારંભ જૈન સાહિત્યમાંથી જ મળી શકશે. વળી આ તપસ્યાને ઉદ્દેશ કેઈ શક્તિ પ્રાપ્ત કરી બીજાનું ભલું–બૂર કરવું એ નથી પણ એક માત્ર આત્મવિશુદ્ધિ જ તેનું ધ્યેય છે. સંગ્રહ કરેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy