SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ ૩. સમવાયાંગના પરિચય મુજનાં અને સમયમર્યાદ : સ્થાનાંગની જેમ આમાં પણ ‘સુય મે આઉસ તેણુ ભગવયા એવમકખાય” છે એટલે આ પણ પરંપરા પ્રમાણે સુધર્માની સકલનાન્ત ત મનાય છે. પણ આમાં પણ ઉમેરણ થયુ છે એટલે અત્યારે જે રૂપમાં છે તે રૂપે તે સંપૂણૅ સુધર્માની કૃતિ છે એમ કહી શકાય નહિ. પણ આમાં સાતની ગણતરીમાં નિહ્નના ઉલ્લેખ નથી એને જો સૂચક માનીએ, તેા એમ કહી શકાય કે આમાં સ્થાનાંગની જેમ લાંબા કાળ પ``ત ઉમેરણ થયું નથી. વળી આમાં આવતી આગમાની હકીકતામાં વિદ્યમાન આગમ સાથે કાંઈક કાંઈક મેળ નથી ખાતા—તેથી પણ એમ કહી શકાય કે આમાં વાલભાવાચના સમયે નવી વસ્તુ ઉમેરવામાં નથી આવી. પણ આમાં આહારપદ, અવધિપદ (પ્રજ્ઞાપના) અને કલ્પને નામતઃ ઉલ્લેખ છે. એ ઉપરથી કલ્પના કર્તા ભદ્રબાહુ અને પ્રજ્ઞા પુનાના કર્તા શ્યામાચાના સમય સુધી આમાં ઉમેરણ થયું છે એમ નિશ્ચિતરૂપે કહી શકાય. આચાર્ય ભદ્રબાહુ વીરનિર્વાણ પછી ૧૭૦ વષે સ્વસ્થ થયા છે. અને આ શ્યામ વીરનિર્વાણુ ૩૩૫-૩૭૬ સુધી યુગપ્રધાન હતા, એ જ કાળની રચના પ્રજ્ઞાપના હાઈ શકે; એટલે સામાન્ય રીતે વીરનિર્વાણુ ૪૦૦ સુધીમાં સમ વાયાંગને વિદ્યમાનરૂપ પ્રાપ્ત થયું હોય એમ માનીએ તે તેમાં અસંગતિના સભવ નથી. સમવાયાંગની શૈલી : સમવાયાંગમાં સમવાયાંગના જે પરિચય આપ્યા છે, તે પ્રસ્તુત ગ્રન્થમાં આપવામાં આવ્યા છે (પૃ૦ ૨૩૫). એ ઉપરથી સ્પષ્ટ છે કે આની શૈલી પણ રચાનાંગ જેમ સંખ્યાપ્રધાન છે. ભેદ એ છે કે સ્થાનાંગ દશ અધ્યયનમાં વિભક્ત છે; જ્યારે સમવાયાંગમાં માત્ર એક જ અધ્યયન છે. અને તે સમગ્ર ગ્રન્થ એક શ્રુતસ્ક ંધ રૂપે છે. સ્થાનાંગ એકવિધથી માંડી દવિધ પદાર્થાનું વણુન કરે છે; જ્યારે આમાં એ ક્રમ આગળ પણ લંબાવવામાં આવ્યે છે. મૂળ પાઠમાં સ્થાનશતની સૂચના છે (સૂત્ર ૧૩૯); એ ઉપરથી જણાય છે કે એકથી માંડીને સેાની સંખ્યા સુધીની ગણુના આમાં આપવામાં આવી છે. જ્યાં એકની ગણના આપવામાં આવી છે, ત્યાં એકની સાથે એક લાખ, એક પલ્ય કે એક સાગર એ બધાને પણુ, તે સૌમાં એકની સંખ્યા સામાન્ય હાવાથી ગણી લેવામાં આવ્યાં છે. આ જ પ્રમાણે આગળ દ્વિવિધ વગેરેમાં પણ છે. એટલે શતસ્થાનના અર્થ માત્ર શત લેવાના નથી પણ શતના ગુણાકાર થઈને જે સંખ્યા આવે તે પણ તેમાં આવી જાય છે. પરિણામે એક સાગરાપમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy