SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ પુદગલો વ્યાપી જાય છે અને લોકને આકાર વજાકાર છે તેથી ભાષાને પણ વજાકાર કહી છે= પ્રજ્ઞાપનામાં પણ એ સ્પષ્ટ જણાયું છે કે ભાષાનું પર્યવસાન લોકાન્તમાં છે (૮૫૮), એટલે કે ભાષાના પુગલે ફેલાઈને સમગ્ર લેકને ભરી દે છે. એ તેથી આગળ જઈ શકતા નથી તેનું કારણ એ છે કે ગમનમાં સહાયભૂત દ્રવ્ય ધર્માસ્તિકાય લોકમાં જ છે, તેથી બહાર નથી.' ગ્રહણ કરાયેલા ભાષાના પુદગલ ભાષારૂપે પરિણત થઈને બહાર નીકળે એમાં માત્ર બે સમય જેટલો કાળ જાય છે (૮૫૯), કારણ કે પ્રથમ સમયમાં ગ્રહણ છે અને દ્વિતીય સમયમાં નિસર્ગ છે–બહાર નીકળે છે." પુદ્ગલો પરમાણુથી માંડીને અનંતપ્રદેશી સ્કંધરૂપે હોય છે. તેમાંથી જે સ્કો અનંતપ્રદેશ છે તેનું જ ગ્રહણ ભાષા માટે ઉપયોગી છે (૮૭૭ [૩]) અને તે સ્કંધ પણ જે ક્ષેત્રની દૃષ્ટિએ અસંખ્યાત પ્રદેશમાં સ્થિત હોય તે ભાષાને ગ્ય છે (૮૭૪]), અન્યથા નહિ. કાળની દષ્ટિએ ભાષાના પગલે એક સમયથી માંડીને અસંખ્યાત સમયની સ્થિતિવાળા હોય છે. (૮૭૭[૫]). અર્થાત્ તે પુદ્ગલની ભાષારૂપે પરિણતિ એક સમય પણ રહે અથવા તો વધુમાં વધુ અસંખ્યાત સમય સુધી પણ રહે છે. ગ્રહણ કરાયેલા ભાષાના પુદ્ગલમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શના જે પ્રકારે છે તે, પ્રત્યેક ભાષાપુદ્ગલોમાં એકસરખા નથી હોતા, પણ સમગ્રભાવે વિચારવામાં આવે તો એટલે કે ભાષા માટે ગ્રહણ કરાયેલા સમગ્ર પુદ્ગલેને વિચાર કરવામાં આવે છે, તે બધા જ પ્રકારને સમાવેશ એમાં થઈ જાય છે. અર્થાત પુગલને રસાદિપે કઈ પણ પરિણામ ભાષાના પુલમાં ન હોય એમ બનતું નથી; બધા જ પરિણામે તેમાં મળી આવે છે (૮૭[૬] થી ૮૭૧૪]). ૫ણુ અપવાદ છે તે પણ ધ્યાનમાં રાખવો જરૂરી છે, કારણ કે સ્પશની બાબતમાં વિરોધી સ્પમાંથી એક જ સ્પર્શનું ગ્રહણ થાય છે એથી પ્રત્યેકમાં બેથી માંડી માત્ર ચાર સ્પર્શવાળાનું જ ગ્રહણ થાય છે. અને સમગ્રભાવે જોઈએ તે નિયમતઃ ચાર સ્પર્શવાળાનું ગ્રહણ થાય છે (૮૭[૧૩]). ૩. . ટી ૦, ૨૫૬ . ૪. ઝ૦ ર૦, ૨૫૬ ૨. ૫. આચાર્ય ભદ્રબાહુના કથનાનુસાર કાયોગથી ભાષાદ્રવ્યના પુલનું ગ્રહણ થાય છે અને વાગ્યેગથી નિર્ગમન થાય છે.–આવશ્યકનિર્યુક્તિ, ગા. ૭; . વિશેષા, ગા૦ ૩૫૩. ૬. પ્રસ્તુતમાં ટીકાકાર વ્યાખ્યાભેદની પણ સેંધ લે છે. ઘ૦ ટી , વત્ર ૨૬૨ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy