SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ જીવે વિષે ચશ્માદિ નારકાદિ ચેાવીશ દંડકના વૈજ્વાનેા, સંગ્રહણીગાથામાં જણાવ્યા પ્રમાણે (૮૨૯), ગત્યાદિ અગિયાર અપેક્ષાએ ચરમાદિનો વિચાર કરવામાં આવ્યા છે (૮૦૭–૮૨૯), જેમ કે ગતિની અપેક્ષાએ ચરમ એ કહેવાય જે હવે અન્ય કાઈ ગતિમાં જવાને નથી, મનુષ્યગતિમાંથી સીધે। મેાક્ષમાં જવાના છે. પણ મનુ• માંથી કાંઈ બધા મેકક્ષમાં જવાના નથી તેથી જેના ભવ હજી ખાકી હોય તે બધા જીવા ગતિની અપેક્ષાએ અચરમ કહેવાય. આ પ્રમાણે સ્થિતિ આદિની અપેક્ષાએ પણ જીવાને ચરમાચરમવિચાર પ્રસ્તૃતમાં કરવામાં આવ્યા છે. અગિયારમું ‘ભાષાપ૬ : ભાષાવિચારણા અગિયારમું ભાષાપદ ભાષાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, એ કયાં રહે છે, તેની આકૃતિ કેવી છે, એ તથા તેનુ' સ્વરૂપ તથા ભેદે અને તેને ખેલનાર ઇત્યાદિ અનેક મહત્ત્વતા પ્રશ્નો ચર્ચે છે. અનેક ઠેકાણે થયેલ ભાષાવિચારના એકત્ર સંગ્રહરૂપે હાય એમ જણાય છે. ભાષા વિચારને સરળતાથી સમજાવવા માટે સૂત્રેા તેના ક્રમને બદલે વ્યુત્ક્રમમાં લેવાં પડયાં છે, તેની વાચક નોંધ લે. ભાષાનું સ્વરૂપ અને ઉત્પત્તિ ભાષા એટલે જે ખેલાય છે તે. અર્થાત્ અન્યને અવમેધ-જ્ઞાનમાં જે કારણ બને છે તે, એવા અથ ટીકાકાર કરે છે.૨ એ ભાષાનુ આદિ કારણ જીવ છે (૮૫૮) અર્થાત્ મૂલ કારણ જીવ છે. જીવ ન હેાય તે ભાષા ઉત્પન્ન ન થાય. પણ તે મૂલ કારણ ઉપાદાનકારણુ સમજવાનું નથી. તેનું ઉપાદાનકારણ તે, પ્રજ્ઞાપના પ્રમાણે, ભાષાદ્રવ્યના પુદ્ગલ છે, જેમાં વર્ષોં, ગંધ, રસ અને સ્પર્શી છે (૮૭[૬]). તેવાં પુદ્ગલા પણ જ્યારે સ્થિતિશીલ ટ્રાય છે ત્યારે જ જીવ તેમનું ગ્રહણ (૮૭[૧]) કરે છે. જીવ ભાષાપુદ્ગલાનું ગ્રહણ શરીર વડે કરે છે, અને ભાષારૂપે તેનું પરિણમન કરે છે. જૈન પરિભાષામાં તેને ‘કાયયોગ વડે ગ્રહણ કરે છે,' એમ કહેવાય છે એમ પ્રજ્ઞાપનામાં કહ્યું છે (૮૫૮, ૮૫૯). શરીર વડે ગ્રહણ કરાયેલાં ભાષાનાં પુદ્ગલા ભાષારૂપે પરિણત થઈને જ્યારે નીકળે છે, ત્યારે તેના આકાર કેવા ડાય છે તે પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યુ` છે કે તે વજ્રાકાર છે (૮૫૮) ટીકાકાર જણાવે છે કે ભાષા જ્યારે નીકળે છે ત્યારે સમગ્ર લેકમાં તેનાં ૧. માધ્યતે રૂતિ માથા’– ૫૦ ટી૦, ૨૪૬ ૬ । ૨. ‘'માણા ગોધની નમૂતા”.'—૧૦ ટી૦, ૨૬ અ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy