SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૩ તરફથી ઈ. સ. ૧૯૧૬-૨૦ દરમ્યાન જે ૩૨ આગમા પ્રકાશિત થયા, તથા શ્રી આગમાય સમિતિ તરફથી સમગ્ર સટીક આગમાના મુદ્રણનું કામ ઈ. સ. ૧૯૧૫ની સાલથી શરૂ કરવામાં આવ્યુ. એના સ્પાદનમાં આ પદ્ધતિના ઉપયેાગ કરવામાં ન આવ્યા. આગમાહારક આચાય શ્રીસાગરાનંદસૂરીશ્વરજીએ સૌંપાદિત કરેલ આગમગ્રંથા શુદ્ધિ અને મુદ્રણ અને દૃષ્ટિએ રાય ધનપતસિહની આવૃત્તિથી ચઢિયાતા છે, અને વિદ્વાનાને માટે ઉપયેાગી પણ નીવડયા છે. આ આવૃત્તિ પ્રગટ થયા પછી જૈનધમ અને દનના અધ્યયન તેમજ સ`શાધનમાં જે પ્રગતિ થઈ તેના યશ આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીને ધટે છે. આટલું થવા છતાં, આધુનિક પદ્ધતિથી સપાતિ કરેલ આગમ-ગ્ર થાના પ્રકાશનની જરૂર તા ઊભી જ હતી. ઈ. સ. ૧૯૪૩માં આગમાના પ્રકાશન માટે શ્રી જિનાગમપ્રાશિની સ“સદની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ એના તરફથી અત્યાર સુધીમાં કાઈ પણુ ગ્રંથનુ પ્રકાશન નથી થયું. અમારામાંના એક મુનિ શ્રી પુણ્યવિજયજી છેલ્લાં ચાલીસ કરતાં પણ વધુ વર્ષોથી એકધારે એવા પ્રયત્ન કરતા રહ્યા છે કે જેથી આગમ-ગ્ર'થાની સુસ`પાતિ આવૃત્તિએ પ્રકાશિત થઈ શકે; આટલુ" જ નહીં, તેઓએ તા ટીકા અને અન્ય પ્રથામાં આગમાનાં જે અવતરણા મળે છે, એના આધારે પણ પાઠાને શુદ્ધ કરવાના પ્રયત્ન કર્યાં છે. તેઓના આ પ્રયત્નને જ મુખ્યત્વે ધ્યાનમાં લઈને -સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ સ્વ. ડૅ. રાજેન્દ્રપ્રસાદજીએ ઈ. સ. ૧૯૫૨માં પ્રાકૃત ટેકસ્ટ સાસાયટી (પ્રાકૃત ગ્રન્થ પરિષદ)ની સ્થાપના કરી હતી, જેના ઉદ્દેશ પંચાંગી સહિત આગમ ગ્રન્થાને પ્રકાશિત કરવાના છે, અને એના તરફથી અત્યાર સુધીમાં અંગવિજા, જિનદાસગણિમહત્તરકૃત ચૂર્ણિ યુક્ત નદિસૂત્ર તથા શ્રી હરિભદ્રસૂરિષ્કૃત વૃત્તિ, શ્રી શ્રીયદ્રાચાર્ય કૃત દુ પવ્યાખ્યા અને અજ્ઞાતકતું ક વિષમપદપર્યાયયુક્ત નદિસૂત્ર પ્રકાશિત થયેલ છે. સ્થાનકવાસી સધના મુનિ શ્રી ધાસીલાલજીએ સ્થાનકવાસી માન્ય બત્રીસે આગમાની નવી સÔસ્કૃત ટીકાઓ રચવાતું અને હિંદી-ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત કરવાનું કામ લગભગ પૂરુ′ કર્યુ” છે. એ જ સંપ્રદાયના મુનિ શ્રી ફૂલચંદ્રજીએ (પુષ્પભિક્ષુએ) સુતાનને નામથી બે ભાગથાં મૂળ બત્રીસે આગમા શ્રી સૂત્રાગમ પ્રકાશક સમિતિ, ગુડગાંવ છાવની દ્વારા પ્રકાશિત કરી દીધા છે. આ અને આવૃત્તિઓના મૂળના આધાર શ્રી આગમાદય સમિતિની આગમની આવૃત્તિએ જ છે. છતાં પણુ યંત્રતંત્ર પાઠ-પરિવત ન કરવામાં આવ્યુ છે. શ્વેતાંબર તેરાપથી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy